ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/ઍરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, 1935: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading| 34. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ | (11.11.1935 – 31.7.1991)}}
{{Heading| 34. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ | (11.11.1935 – 31.7.1991)}}
[[File:34. anirudha brahmbhatt.jpg|thumb|center|150px]]
[[File:34. anirudha brahmbhatt.jpg|thumb|center|150px]]
<center>  '''ઍરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર: એક ભૂમિકા''' </center>
<center>  '''{{larger|ઍરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર: એક ભૂમિકા}}''' </center>
{{Poem2Open}}
{{Poem2Open}}
ઍરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર એ પશ્ચિમી સાહિત્યવિવેચનાનો પાયાનો ગ્રંથ છે. ઍરિસ્ટોટલની પહેલાં ગ્રીસમાં સાહિત્યવિવેચન ઠીક ઠીક પ્રમાણમાં ખેડાયું હોવાના ઉલ્લેખો મળે છે. ઍરિસ્ટોટલ પોતે જ પ્રોટાગોરાસ, હિપ્પીઆસ, યુક્લીડ, ગ્લાઉકોન અને ઍરિફ્રેડસનાં નામોનો ઉલ્લેખ યથા–પ્રસંગ કરે છે. તે ઉપરાંત સોક્રેટીસના શિષ્યમંડળમાં ક્રિટો, સિમ્મીઆસ અને સિમોન જેવા વિચારકોએ કવિતા અને અન્ય લલિત કલાઓ પર ગ્રંથો રચ્યા હોવાનું ડાયોજીનીસ લાયરટીયસ નોંધે છે. ડેમિક્રિટસે ‘On Poetry’ અને ‘On Rhythms and Harmony’ નામના બે ગ્રંથો રચ્યા હોવાના ઉલ્લેખો મળે છે. ક્સેનોક્રેટસે વાક્ચાતુર્ય અને સાહિત્યના પ્રશ્નોની મીમાંસા કરી છે, તો પોન્તસના હેરાકૂલીડસે સંગીત, કવિતા અને કવિઓ પર વિવેચન લખ્યું છે. પ્લેટોએ એના ‘સંવાદો’માં અનેક જગાએ કવિતા અને કલા પરત્વે અભિપ્રાયો વ્યક્ત કર્યા છે; અને ‘The Republic’ના દસમા પુસ્તકમાં એણે કરેલો હુમલો તો ખૂબ જ જાણીતો છે. સોફોક્લીસ અને ઍરિસ્ટોફેનસ જેવા નાટકકારોએ ટ્રૅજેડીની કલા અંગે માર્મિક વિધાનો કર્યાં છે. ઍરિસ્ટોફેનસનું ‘The Frogs’ તો સાહિત્યશાસ્ત્રના કોઈ પંડિતની કૃતિ જેવું છે. ઉપહાસ અને વિનોદનો પડદો હટાવી લઈએ તે સાહિત્યવિવેચનનાં કેટલાંક બહુમૂલ્ય વિધાનો એમાં જોવા મળે છે. આ જ નાટકકારની એક કૃતિ ‘Poiesis’ નામની હોવાના ઉલ્લેખો મળે છે. નીકોકેરસે પણ ‘A Poet’ નામનું નાટક રચ્યું હતું. ઍરિસ્ટોટલના જમાનામાં એન્ટિફેનસે ‘Poiesis’ નામે અને બાયેટસે ‘A Poet’ નામની કૃતિઓ લખી હતી. આના ઉપરથી ફલિત થાય છે કે ઍરિસ્ટોટલની પહેલાં સર્જકો અને ચિંતકોએ સાહિત્યકલાવિવેચનની એક આબોહવા સર્જી હતી. ઍરિસ્ટોટલ એ વિકાસસોપાનપરમ્પરાને સંસ્કારે છે અને સાહિત્યવિવેચનના પાયાના પ્રશ્નો છેડીને મૂલ્યાંકનનાં ધોરણો ઊભા કરવાનો એક મહાન પ્રયત્ન કરે છે.
ઍરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર એ પશ્ચિમી સાહિત્યવિવેચનાનો પાયાનો ગ્રંથ છે. ઍરિસ્ટોટલની પહેલાં ગ્રીસમાં સાહિત્યવિવેચન ઠીક ઠીક પ્રમાણમાં ખેડાયું હોવાના ઉલ્લેખો મળે છે. ઍરિસ્ટોટલ પોતે જ પ્રોટાગોરાસ, હિપ્પીઆસ, યુક્લીડ, ગ્લાઉકોન અને ઍરિફ્રેડસનાં નામોનો ઉલ્લેખ યથા–પ્રસંગ કરે છે. તે ઉપરાંત સોક્રેટીસના શિષ્યમંડળમાં ક્રિટો, સિમ્મીઆસ અને સિમોન જેવા વિચારકોએ કવિતા અને અન્ય લલિત કલાઓ પર ગ્રંથો રચ્યા હોવાનું ડાયોજીનીસ લાયરટીયસ નોંધે છે. ડેમિક્રિટસે ‘On Poetry’ અને ‘On Rhythms and Harmony’ નામના બે ગ્રંથો રચ્યા હોવાના ઉલ્લેખો મળે છે. ક્સેનોક્રેટસે વાક્ચાતુર્ય અને સાહિત્યના પ્રશ્નોની મીમાંસા કરી છે, તો પોન્તસના હેરાકૂલીડસે સંગીત, કવિતા અને કવિઓ પર વિવેચન લખ્યું છે. પ્લેટોએ એના ‘સંવાદો’માં અનેક જગાએ કવિતા અને કલા પરત્વે અભિપ્રાયો વ્યક્ત કર્યા છે; અને ‘The Republic’ના દસમા પુસ્તકમાં એણે કરેલો હુમલો તો ખૂબ જ જાણીતો છે. સોફોક્લીસ અને ઍરિસ્ટોફેનસ જેવા નાટકકારોએ ટ્રૅજેડીની કલા અંગે માર્મિક વિધાનો કર્યાં છે. ઍરિસ્ટોફેનસનું ‘The Frogs’ તો સાહિત્યશાસ્ત્રના કોઈ પંડિતની કૃતિ જેવું છે. ઉપહાસ અને વિનોદનો પડદો હટાવી લઈએ તે સાહિત્યવિવેચનનાં કેટલાંક બહુમૂલ્ય વિધાનો એમાં જોવા મળે છે. આ જ નાટકકારની એક કૃતિ ‘Poiesis’ નામની હોવાના ઉલ્લેખો મળે છે. નીકોકેરસે પણ ‘A Poet’ નામનું નાટક રચ્યું હતું. ઍરિસ્ટોટલના જમાનામાં એન્ટિફેનસે ‘Poiesis’ નામે અને બાયેટસે ‘A Poet’ નામની કૃતિઓ લખી હતી. આના ઉપરથી ફલિત થાય છે કે ઍરિસ્ટોટલની પહેલાં સર્જકો અને ચિંતકોએ સાહિત્યકલાવિવેચનની એક આબોહવા સર્જી હતી. ઍરિસ્ટોટલ એ વિકાસસોપાનપરમ્પરાને સંસ્કારે છે અને સાહિત્યવિવેચનના પાયાના પ્રશ્નો છેડીને મૂલ્યાંકનનાં ધોરણો ઊભા કરવાનો એક મહાન પ્રયત્ન કરે છે.
1,026

edits