ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/રસ – રસિકલાલ પરીખ, 1897: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading| 10. રસિકલાલ પરીખ | (20.8.1897 1.11.1982)}}
{|style="background-color: ; border: ;"
[[File:10. RASIKLAL PARIKH.jpg|thumb|center|150px]]
|rowspan="2" style="vertical-align: middle; padding: 1px;" | [[File:10. RASIKLAL PARIKH.jpg|150px]]
<center>  '''{{larger|રસ}}''' </center>
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em; vertical-align: top;" |{{gap|0.5em}}{{xx-larger|'''૧૦'''}}
|-
|style="vertical-align: bottom; padding: 0px;" |{{gap|1em}}{{xx-larger|રસિકલાલ પરીખ}}<br>{{gap|1em}}(૨૦..૧૮૯૭ .૧૧.૧૯૮૨)
|}
{{dhr|2em}}
{{color|LightSeaGreen|{{સ-મ|'''{{larger|રસ}}'''}}}}
{{dhr|1em}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
‘રસ’ શબ્દનો પ્રયોગ સંસ્કૃત ભાષા જેટલો જૂનો છે. તેનો મૂળ અર્થ તો ‘પાણી’, ‘પ્રવાહી પદાર્થ’ એવો છે. આ પછી સ્વાદ લેતી વખતે અથવા સ્વાદની આકાંક્ષાએ મોઢામાં પાણી વળે છે માટે તે માટે પણ રસ શબ્દ વપરાય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ જ્યારે પાંચ ગ્રહણ થતા વિશિષ્ટ વિષયોનો વિચાર થયો ત્યારે જિહ્વાગ્રાહ્ય વિષયને ‘રસ’ કહ્યો, એટલે કે ગન્ધ સ્પર્શ આદિ પાંચ ગુણોમાંનો તે એક ગુણ થયો. આ મૂળ પ્રયોગોમાંથી ઉપચારથી ‘રસ’ શબ્દનો પ્રયોગ કાવ્ય અને કલાના ક્ષેત્રમાં આવ્યો હોય એમ લાગે છે. અન્નનો સ્વાદ લેતી વખતે મોઢામાં જે પાણી વળે છે, તે સમયે જે એક નિર્વૃત્તિ, તૃપ્તિ અને એથી સંતોષ કે આનંદ થાય છે તેથી એ શબ્દ કાવ્ય અને કલાના સેવનથી ઉત્પન્ન થતી નિર્વૃતિ, તૃપ્તિ કે આનંદને માટે વપરાયો હશે. આ ગમે તેમ હોય તો પણ ખાવાપીવાના વ્યવહારમાંથી તે કાવ્યકલાના વ્યવહારમાં આવ્યો છે તેનાં પ્રમાણો કાવ્યમીમાંસકોએ ‘રસ’ને સમજવા પીણાનું દૃષ્ટાન્ત આપ્યું છે તે ઉપરથી, તથા ‘ચર્વણા’ ‘ચાવવું’ એ શબ્દનો રસના અનુભવના સંબંધમાં ઉપયોગ કર્યો છે તેમાંથી, મળે છે. પણ આ ઉપરથી કોઈએ એમ ન માનવું કે રસના સૂક્ષ્મ આન્તરિક અનુભવમાં અને સ્થૂલ ખાવાના રસમાં બહુ સામ્ય છે.
‘રસ’ શબ્દનો પ્રયોગ સંસ્કૃત ભાષા જેટલો જૂનો છે. તેનો મૂળ અર્થ તો ‘પાણી’, ‘પ્રવાહી પદાર્થ’ એવો છે. આ પછી સ્વાદ લેતી વખતે અથવા સ્વાદની આકાંક્ષાએ મોઢામાં પાણી વળે છે માટે તે માટે પણ રસ શબ્દ વપરાય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ જ્યારે પાંચ ગ્રહણ થતા વિશિષ્ટ વિષયોનો વિચાર થયો ત્યારે જિહ્વાગ્રાહ્ય વિષયને ‘રસ’ કહ્યો, એટલે કે ગન્ધ સ્પર્શ આદિ પાંચ ગુણોમાંનો તે એક ગુણ થયો. આ મૂળ પ્રયોગોમાંથી ઉપચારથી ‘રસ’ શબ્દનો પ્રયોગ કાવ્ય અને કલાના ક્ષેત્રમાં આવ્યો હોય એમ લાગે છે. અન્નનો સ્વાદ લેતી વખતે મોઢામાં જે પાણી વળે છે, તે સમયે જે એક નિર્વૃત્તિ, તૃપ્તિ અને એથી સંતોષ કે આનંદ થાય છે તેથી એ શબ્દ કાવ્ય અને કલાના સેવનથી ઉત્પન્ન થતી નિર્વૃતિ, તૃપ્તિ કે આનંદને માટે વપરાયો હશે. આ ગમે તેમ હોય તો પણ ખાવાપીવાના વ્યવહારમાંથી તે કાવ્યકલાના વ્યવહારમાં આવ્યો છે તેનાં પ્રમાણો કાવ્યમીમાંસકોએ ‘રસ’ને સમજવા પીણાનું દૃષ્ટાન્ત આપ્યું છે તે ઉપરથી, તથા ‘ચર્વણા’ ‘ચાવવું’ એ શબ્દનો રસના અનુભવના સંબંધમાં ઉપયોગ કર્યો છે તેમાંથી, મળે છે. પણ આ ઉપરથી કોઈએ એમ ન માનવું કે રસના સૂક્ષ્મ આન્તરિક અનુભવમાં અને સ્થૂલ ખાવાના રસમાં બહુ સામ્ય છે.
કાવ્ય અને કલાના કયા અનુભવને ‘રસવાળા’ અથવા ‘રસ’ ઉત્પન્ન કરનાર કહેવામાં આવે છે એ પ્રશ્ન ઉપર હું આવું છું. આપણા ગુજરાતી વિવેચનસાહિત્યમાં આ શબ્દના ઉપયોગમાંથી તાત્પર્યં કાઢવું હોય તો ‘જે કાંઈ ગમે છે’, ‘જે સુંદર લાગે છે’, ‘જે રમણીય છે’, તે રસવાળું છે એવું એવું નીકળે, અને આ ખોટું નથી. જે વિવિધ – વિચિત્ર – અંશોથી સંઘટિત અનુભવ (Complex of experience)ને પ્રાચીનોએ ‘રસ’ સંજ્ઞા આપી છે તેનો આ લાક્ષણિક ધર્મ છે. ‘રસ’ના અનુભવમાં આનંદ, સૌંદર્ય, રમણીયતાનો અનુભવ છે; એ ન હોય તો તે અનુભવ રસ ન કહેવાય – પણ જે કાંઈ આનંદ આપે છે, જે કાંઈ સુંદર છે, જે કાંઈ રમણીય છે, તે બધાને ‘રસ’ની સંજ્ઞા અપાતી નથી. પ્રાચીનોએ કાવ્યનું અને અતિદેશથી કલામાત્રનું પરમ પ્રયોજન આનન્દ માન્યું છે. આ આનંદ સાથે તેને ચારુ અથવા સુંદર કહ્યા છે. કાવ્યની અંદર આ ચારુતા સાધનાર ઘણા ધર્મો મનાયા છે. તે બધા રસ કહેવાતા નથી. શ્રીમાન અભિનવગુપ્ત ‘ધ્વન્યાલોક’ની ટીકામાં પૂર્વપક્ષ મૂકતાં આ વાત સ્પષ્ટ રીતે મૂકે છે: चारुत्वप्रतीतिस्तहिं काव्यस्यास्मा स्यात् इति तदङ्गीकुर्म एव – તો ચારુત્વની પ્રતીતિ એ કાવ્યનો આત્મા થાય એ વાત અમે સ્વીકારીએ છીએ’ અને આની પહેલાં ધ્વનિ સામેના પૂર્વપક્ષ મૂકતાં કહે છે કે तथापि द्विविधं चारुत्वम् - स्वरूपामात्रनिष्ठम्, संघटनाश्रितं च। तत्र शब्दानां स्वरूपमात्रकृतं चारुत्वं शब्दालंकारेभ्य:, संघटनाश्रितं तु श दगुणेभ्य:- एवमर्थैनां चारुत्वं स्वरूपमात्रनिष्ठमुपमादिभ्य:- संघटनापर्यवस्सिं त्वर्थगुणेभ्य इति। ચારુત્વ બે પ્રકારનું છે. એક સ્વરૂપમાત્ર ઉપર આધાર રાખતું, અને બીજુ સંઘટના, રચનાવિશેષ, ઉપર આધાર રાખતું. આમાં શબ્દાલંકાર, અર્થાલંકાર, શબ્દગુણો, અર્થગુણો, રીતિઓ આદિ આવી જાય છે.’ તાત્પર્ય કે અલંકાર, રીતિ આદિ પણ ચારુત્વનાં નિષ્પાદક ગણાયાં છે. વામન તો ‘काव्यं ग्राह्यमलंकारात्’ અને ‘सौन्दर्यमलंकार:’ એમ કહી કાવ્યનું સૌન્દર્ય દોષના ત્યાગ તથા ગુણ અને અલંકારોના સ્વીકાર ઉપર આધાર રાખે છે એમ કહે છે. તાત્પર્ય કે પ્રાચીન પરંપરા પ્રમાણે સૌના મતે સૌન્દર્ય અને રસ બન્ને સરખાં વ્યાપક નથી; જ્યાં રસ હોય ત્યાં સૌન્દર્ય હોય, પણ જ્યાં સૌન્દર્ય હોય ત્યાં ‘રસ’ હોય એમ સૌને અભિપ્રેત નથી. એટલે કે આજે આપણે સૌન્દર્ય અને રસને ઘણી વાર પર્યાયો માની વાપરીએ છીએ તે પરંપરા પ્રમાણે યુક્ત નથી.
કાવ્ય અને કલાના કયા અનુભવને ‘રસવાળા’ અથવા ‘રસ’ ઉત્પન્ન કરનાર કહેવામાં આવે છે એ પ્રશ્ન ઉપર હું આવું છું. આપણા ગુજરાતી વિવેચનસાહિત્યમાં આ શબ્દના ઉપયોગમાંથી તાત્પર્યં કાઢવું હોય તો ‘જે કાંઈ ગમે છે’, ‘જે સુંદર લાગે છે’, ‘જે રમણીય છે’, તે રસવાળું છે એવું એવું નીકળે, અને આ ખોટું નથી. જે વિવિધ – વિચિત્ર – અંશોથી સંઘટિત અનુભવ (Complex of experience)ને પ્રાચીનોએ ‘રસ’ સંજ્ઞા આપી છે તેનો આ લાક્ષણિક ધર્મ છે. ‘રસ’ના અનુભવમાં આનંદ, સૌંદર્ય, રમણીયતાનો અનુભવ છે; એ ન હોય તો તે અનુભવ રસ ન કહેવાય – પણ જે કાંઈ આનંદ આપે છે, જે કાંઈ સુંદર છે, જે કાંઈ રમણીય છે, તે બધાને ‘રસ’ની સંજ્ઞા અપાતી નથી. પ્રાચીનોએ કાવ્યનું અને અતિદેશથી કલામાત્રનું પરમ પ્રયોજન આનન્દ માન્યું છે. આ આનંદ સાથે તેને ચારુ અથવા સુંદર કહ્યા છે. કાવ્યની અંદર આ ચારુતા સાધનાર ઘણા ધર્મો મનાયા છે. તે બધા રસ કહેવાતા નથી. શ્રીમાન અભિનવગુપ્ત ‘ધ્વન્યાલોક’ની ટીકામાં પૂર્વપક્ષ મૂકતાં આ વાત સ્પષ્ટ રીતે મૂકે છે: चारुत्वप्रतीतिस्तहिं काव्यस्यास्मा स्यात् इति तदङ्गीकुर्म एव – તો ચારુત્વની પ્રતીતિ એ કાવ્યનો આત્મા થાય એ વાત અમે સ્વીકારીએ છીએ’ અને આની પહેલાં ધ્વનિ સામેના પૂર્વપક્ષ મૂકતાં કહે છે કે तथापि द्विविधं चारुत्वम् - स्वरूपामात्रनिष्ठम्, संघटनाश्रितं च। तत्र शब्दानां स्वरूपमात्रकृतं चारुत्वं शब्दालंकारेभ्य:, संघटनाश्रितं तु श दगुणेभ्य:- एवमर्थैनां चारुत्वं स्वरूपमात्रनिष्ठमुपमादिभ्य:- संघटनापर्यवस्सिं त्वर्थगुणेभ्य इति। ચારુત્વ બે પ્રકારનું છે. એક સ્વરૂપમાત્ર ઉપર આધાર રાખતું, અને બીજુ સંઘટના, રચનાવિશેષ, ઉપર આધાર રાખતું. આમાં શબ્દાલંકાર, અર્થાલંકાર, શબ્દગુણો, અર્થગુણો, રીતિઓ આદિ આવી જાય છે.’ તાત્પર્ય કે અલંકાર, રીતિ આદિ પણ ચારુત્વનાં નિષ્પાદક ગણાયાં છે. વામન તો ‘काव्यं ग्राह्यमलंकारात्’ અને ‘सौन्दर्यमलंकार:’ એમ કહી કાવ્યનું સૌન્દર્ય દોષના ત્યાગ તથા ગુણ અને અલંકારોના સ્વીકાર ઉપર આધાર રાખે છે એમ કહે છે. તાત્પર્ય કે પ્રાચીન પરંપરા પ્રમાણે સૌના મતે સૌન્દર્ય અને રસ બન્ને સરખાં વ્યાપક નથી; જ્યાં રસ હોય ત્યાં સૌન્દર્ય હોય, પણ જ્યાં સૌન્દર્ય હોય ત્યાં ‘રસ’ હોય એમ સૌને અભિપ્રેત નથી. એટલે કે આજે આપણે સૌન્દર્ય અને રસને ઘણી વાર પર્યાયો માની વાપરીએ છીએ તે પરંપરા પ્રમાણે યુક્ત નથી.
ત્યારે કાવ્ય અથવા ઇતર કલાના કયા અનુભવને ‘રસ’ સંજ્ઞા આપી શકાય? ‘રસ’ની પ્રથમ શાસ્ત્રીય ચર્ચા ભારત નાટ્યશાસ્ત્રમાં મળે છે. તેમાં પણ પૂર્વેના કેટલાક શ્લોકો તથા આર્યાઓ ટાંકી છે એ ઉપરથી નાટ્યશાસ્ત્ર પહેલાંથી આ વિષયની ચર્ચા થતી હશે. આ ઉપરથી એમ પણ માનવાને કારણ મળે છે કે ‘રસ’ની ચર્ચા પ્રથમ નાટકોને અંગે ઉત્પન્ન થઈ હશે. ઘણી વાર એ રસો નાટ્યરસો પણ કહેવાય છે. ભરતમાં જે ઉલ્લેખો છે તે ઉપરથી આપણે કહી શકીએ કે ‘રસ’ એ કેવળ નાટકનો જ વિષય નથી, કાવ્યનો પણ વિષય છે. અને પછીના ગ્રન્થો જેવા કે શિલ્પરત્ન, ભોજસમરાંગણ સૂત્ર, વિષ્ણુધર્મોત્તર પુરાણ, સંગીતરત્નાકર આદિ ઉપરથી સમજાય છે કે રસ એ ચિત્ર, મૂર્તિ, સંગીત આદિનો પણ વિષય છે. આમ છતાં ‘રસ’નો જે સ્પષ્ટ અને વિપુલ અનુભવ નાટક આદિમાં થયો હશે તે અપેક્ષાએ બીજી કલાઓમાં ઓછો હશે, તેથી નાટકના સંબંધમાં એની પ્રથમ ચર્ચા થાય એ સ્વાભાવિક છે. આટલું પ્રાસંગિક જણાવી હું પાછો મુખ્ય મુદ્દા ઉપર આવું છું. કાવ્યના કયા અનુભવને ‘રસ’ એવી સંજ્ઞા આપવામાં આવે છે? ભરત અનેક સ્થળે કહે છે કે स्थायिनो भावा रसत्वमाप्नुवन्ति। અથવા एवमेते स्थायिभावा रससंज्ञा: प्रत्यवगन्तव्या:- स्थायी भावो रसनाम लभते। અથવા આગળ જઈ ધનંજય કહે છે તે પ્રમાણે स्थायी भावो रस: स्मृत:। સ્થાયી ભાવ રસ કહેવાય છે. સ્થાયી ભાવ એટલે શું? ભરત આઠ અને આગળ જઈ એક ઉમેરી નવ સ્થાયી ભાવો ગણાવે છે रतिर्हासश्च शोकश्च क्रोधत्साहौ भयं तथा- ाुगुप्सा विस्मयश्चेति स्थायिभावा: प्रकीतिर्ता:। રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા અને વિસ્મય આ આઠ સ્થાયી ભાવો છે. આ સ્થાયી ભાવો રસ કહેવાય છે. એટલે કે રતિ સ્થાયી ભાવ શંૃગાર, હાસ હાસ્ય, શોક કરુણ, ક્રોધ રૌદ્ર, ઉત્સાહ વીર, ભય ભયાનક, જુગુપ્સા બીભત્સ અને વિસ્મય અદ્ભુત રસ કહેવાય છે. કાવ્ય અથવા કલા જ્યારે આ રતિ, શોક આદિ સ્થાયી ભાવોનો અનુભવ કરાવે છે ત્યારે તે શૃંગારાદિ રસનો અનુભવ કરાવે છે એવી માન્યતા છે. અને આ રસનો અનુભવ કરાવતું કાવ્ય, ધનિક કહે છે તે પ્રમાણે ઉપચારથી, રસવાળું કાવ્ય કહેવાય છે.
ત્યારે કાવ્ય અથવા ઇતર કલાના કયા અનુભવને ‘રસ’ સંજ્ઞા આપી શકાય? ‘રસ’ની પ્રથમ શાસ્ત્રીય ચર્ચા ભારત નાટ્યશાસ્ત્રમાં મળે છે. તેમાં પણ પૂર્વેના કેટલાક શ્લોકો તથા આર્યાઓ ટાંકી છે એ ઉપરથી નાટ્યશાસ્ત્ર પહેલાંથી આ વિષયની ચર્ચા થતી હશે. આ ઉપરથી એમ પણ માનવાને કારણ મળે છે કે ‘રસ’ની ચર્ચા પ્રથમ નાટકોને અંગે ઉત્પન્ન થઈ હશે. ઘણી વાર એ રસો નાટ્યરસો પણ કહેવાય છે. ભરતમાં જે ઉલ્લેખો છે તે ઉપરથી આપણે કહી શકીએ કે ‘રસ’ એ કેવળ નાટકનો જ વિષય નથી, કાવ્યનો પણ વિષય છે. અને પછીના ગ્રન્થો જેવા કે શિલ્પરત્ન, ભોજસમરાંગણ સૂત્ર, વિષ્ણુધર્મોત્તર પુરાણ, સંગીતરત્નાકર આદિ ઉપરથી સમજાય છે કે રસ એ ચિત્ર, મૂર્તિ, સંગીત આદિનો પણ વિષય છે. આમ છતાં ‘રસ’નો જે સ્પષ્ટ અને વિપુલ અનુભવ નાટક આદિમાં થયો હશે તે અપેક્ષાએ બીજી કલાઓમાં ઓછો હશે, તેથી નાટકના સંબંધમાં એની પ્રથમ ચર્ચા થાય એ સ્વાભાવિક છે. આટલું પ્રાસંગિક જણાવી હું પાછો મુખ્ય મુદ્દા ઉપર આવું છું. કાવ્યના કયા અનુભવને ‘રસ’ એવી સંજ્ઞા આપવામાં આવે છે? ભરત અનેક સ્થળે કહે છે કે स्थायिनो भावा रसत्वमाप्नुवन्ति। અથવા एवमेते स्थायिभावा रससंज्ञा: प्रत्यवगन्तव्या:- स्थायी भावो रसनाम लभते। અથવા આગળ જઈ ધનંજય કહે છે તે પ્રમાણે स्थायी भावो रस: स्मृत:। સ્થાયી ભાવ રસ કહેવાય છે. સ્થાયી ભાવ એટલે શું? ભરત આઠ અને આગળ જઈ એક ઉમેરી નવ સ્થાયી ભાવો ગણાવે છે रतिर्हासश्च शोकश्च क्रोधत्साहौ भयं तथा-जुगुप्सा विस्मयश्चेति स्थायिभावा: प्रकीतिर्ता:। રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા અને વિસ્મય આ આઠ સ્થાયી ભાવો છે. આ સ્થાયી ભાવો રસ કહેવાય છે. એટલે કે રતિ સ્થાયી ભાવ શંૃગાર, હાસ હાસ્ય, શોક કરુણ, ક્રોધ રૌદ્ર, ઉત્સાહ વીર, ભય ભયાનક, જુગુપ્સા બીભત્સ અને વિસ્મય અદ્ભુત રસ કહેવાય છે. કાવ્ય અથવા કલા જ્યારે આ રતિ, શોક આદિ સ્થાયી ભાવોનો અનુભવ કરાવે છે ત્યારે તે શૃંગારાદિ રસનો અનુભવ કરાવે છે એવી માન્યતા છે. અને આ રસનો અનુભવ કરાવતું કાવ્ય, ધનિક કહે છે તે પ્રમાણે ઉપચારથી, રસવાળું કાવ્ય કહેવાય છે.
સ્થાયી ભાવોનો અનુભવ તે રસ કહેવાય છે. તે રસ શા માટે કહેવાય છે તો ભરત કહે છે કે ‘आस्वाद्यत्वात्’, સ્વાદ આવતો હોવાથી. જેમ અન્નના સેવનથી પ્રત્યક્ષ તૃપ્તિનો અનુભવ થાય છે, તેમ તે તે સ્થાયી ભાવનો સાક્ષાત્ અનુભવ થતાં એક જાતની નિર્વૃતિ, તૃપ્તિ, આનંદ, સ્વાદ આવે છે, માટે તે રસ કહેવાય છે. પણ અત્યાર સુધી મેં આપની સમક્ષ ભરતને અભિપ્રેત રસનું લક્ષણ, સમજવાની સરળતા ખાતર, આખું મૂક્યું નથી. ફક્ત એમાંથી બે અંશો મૂક્યા છે. એક એ કે રસાનુભવ એ સ્થાયી ભાવનો અનુભવ છે, અને બીજું એ કે તે અનુભવ આસ્વાદ આવે એ રીતે થાય છે. આને સંક્ષેપમાં હું એ રીતે મૂકું છું કે કાવ્ય અથવા કલામાં સ્થાયી ભાવનો આસ્વાદ તે રસાનુભવ- એટલે કે કાવ્ય અથવા કલા જ્યારે કાઈ પણ મુખ્ય લાગણીનો સ્પષ્ટ રીતે અથવા ઉત્કટ રીતે અનુભવ કરાવે ત્યારે તે કાવ્ય રસ ઉત્પન્ન કરે છે એમ કહેવાય. પણ હવે એ પ્રશ્ન થશે કે કાવ્ય અથવા કલામાં મુખ્ય લાગણી અથવા સ્થાયી ભાવનો અનુભવ થવો એટલે શું? વ્યવહારમાં તે તે પ્રસંગો તે તે લાગણીઓ – તે તે ભાવોને આપણામાં ઉત્પન્ન કરે છે તે તેમના સહજ કાર્યકારણના સંબંધબળથી કરે છે. કાવ્યમાં કેવી રીતે સ્થાયી ભાવનો અનુભવ થાય છે? આનો ઉત્તર ભરત એક સૂત્રથી આપે છે. विभावानुभावव्यभिचारिसंयोगाद्रसनिष्पत्ति: આ સૂત્રની ભટ્ટ લોલ્લટથી અભિનવગુપ્ત સુધી અનેક રસજ્ઞ વિવેચકોએ બહુ ઝીણવટથી ચર્ચા કરી છે, અને રસના સંઘટિત અનુભવની વિવિધ બાજુઓ બતાવી છે. હમણાં હું આપની સમક્ષ ભરતના પોતાના પૂર્વાપર ઉલ્લેખોથી એ સૂત્રનો અર્થ મૂકવા પ્રયત્ન કરું છું. વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવોના સંયોગથી રસનિષ્પત્તિ થાય છે એ સૂત્રનો સરળ અર્થ છે. આપ સૌને વિભાવ આદિ શબ્દોના અર્થ જાણીતા છે, પણ સમજવાની સરળતા ખાતર આપની સમક્ષ તે મૂકું છું. ભરત કહે છે: विभावो नाम विज्ञानार्थः વિભાવ એટલે વિશેષરૂપે જાણવું તે; અને પછી વિભાવના પર્યાય તરીકે કારણ, નિમિત્ત, હેતુ એ ત્રણ શબ્દો આપે છે. એટલે કે જે જ્ઞાનનો હેતુ છે તે વિભાવ; એટલે કે તે તે સ્થાયી ભાવના જ્ઞાનનો હેતુ તેને સ્થાયી વિભાવ જેમકે પરચેષ્ટાનું અનુકરણ આદિ હાસ સ્થાયી ભાવનું જ્ઞાન કરાવે છે માટે હાસનો વિભાવ. જે અનુભવ કરાવે છે તે અનુભાવ એટલે કે તે તે સ્થાયી ભાવના પરિણામ અથવા કાર્યરૂપ ચેષ્ટાઓ-જેમ કે ખડખડાટ હસવું તે હાસ સ્થાયી ભાવનો અનુભવ કરાવે છે. અને વ્યભિચારી ભાવ એટલે કે તે તે સ્થાયી ભાવની સાથે જે અનેક ક્ષણાવસ્થાયી ભાવો આવી આવીને મુખ્ય ભાવને પોષીને ચાલ્યા જાય તે. મમ્મટના શબ્દોમાં મૂકીએ તો ‘લોકમાં એટલે કે વ્યવહારમાં રત્યાદિ સ્થાયી ભાવોનાં જે કારણો, કાર્યો અને સહકારીઓ છે તે નાટક અને કાવ્યમાં હોય ત્યારે અનુક્રમે વિભાવ, અનુભાવ અને વ્યભિચારી કહેવાય છે.’ એટલે કે વ્યવહારમાં જ્યારે કોઈ પણ રતિ, શોક, ક્રોધ આદિ મુખ્ય લાગણી ઉત્પન્ન થાય છે ત્યારે જે સામગ્રી હોય છે તેવી જ સામગ્રી કાવ્ય, નાટકો આદિ કલાઓમાં હોય છે. અને વ્યવહારમાં જેમ તે તે સામગ્રી પૂરતા પ્રમાણમાં ઉપસ્થિત થતાં તે તે લાગણીનો પૂરેપૂરો અનુભવ થાય છે તેમ કાવ્યમાં અને નાટકમાં પણ, ભરત કહે છે, વિભાવ અનુભાવ અને વ્યભિચારીના સંયોગથી રસનિષ્પત્તિ થાય છે. એટલે મહાકાવ્ય અથવા મુક્તકના કવિઓ શબ્દો દ્વારા આ ત્રિવિધ સામગ્રી એકઠી કરે ત્યારે, અને નટો વાચિક આંગિક આદિ અભિનયો દ્વારા આ ત્રિવિધ સામગ્રી એકઠી કરે ત્યારે, રસ નિષ્પત્તિ થાય છે.
સ્થાયી ભાવોનો અનુભવ તે રસ કહેવાય છે. તે રસ શા માટે કહેવાય છે તો ભરત કહે છે કે ‘आस्वाद्यत्वात्’, સ્વાદ આવતો હોવાથી. જેમ અન્નના સેવનથી પ્રત્યક્ષ તૃપ્તિનો અનુભવ થાય છે, તેમ તે તે સ્થાયી ભાવનો સાક્ષાત્ અનુભવ થતાં એક જાતની નિર્વૃતિ, તૃપ્તિ, આનંદ, સ્વાદ આવે છે, માટે તે રસ કહેવાય છે. પણ અત્યાર સુધી મેં આપની સમક્ષ ભરતને અભિપ્રેત રસનું લક્ષણ, સમજવાની સરળતા ખાતર, આખું મૂક્યું નથી. ફક્ત એમાંથી બે અંશો મૂક્યા છે. એક એ કે રસાનુભવ એ સ્થાયી ભાવનો અનુભવ છે, અને બીજું એ કે તે અનુભવ આસ્વાદ આવે એ રીતે થાય છે. આને સંક્ષેપમાં હું એ રીતે મૂકું છું કે કાવ્ય અથવા કલામાં સ્થાયી ભાવનો આસ્વાદ તે રસાનુભવ- એટલે કે કાવ્ય અથવા કલા જ્યારે કાઈ પણ મુખ્ય લાગણીનો સ્પષ્ટ રીતે અથવા ઉત્કટ રીતે અનુભવ કરાવે ત્યારે તે કાવ્ય રસ ઉત્પન્ન કરે છે એમ કહેવાય. પણ હવે એ પ્રશ્ન થશે કે કાવ્ય અથવા કલામાં મુખ્ય લાગણી અથવા સ્થાયી ભાવનો અનુભવ થવો એટલે શું? વ્યવહારમાં તે તે પ્રસંગો તે તે લાગણીઓ – તે તે ભાવોને આપણામાં ઉત્પન્ન કરે છે તે તેમના સહજ કાર્યકારણના સંબંધબળથી કરે છે. કાવ્યમાં કેવી રીતે સ્થાયી ભાવનો અનુભવ થાય છે? આનો ઉત્તર ભરત એક સૂત્રથી આપે છે. विभावानुभावव्यभिचारिसंयोगाद्रसनिष्पत्ति: આ સૂત્રની ભટ્ટ લોલ્લટથી અભિનવગુપ્ત સુધી અનેક રસજ્ઞ વિવેચકોએ બહુ ઝીણવટથી ચર્ચા કરી છે, અને રસના સંઘટિત અનુભવની વિવિધ બાજુઓ બતાવી છે. હમણાં હું આપની સમક્ષ ભરતના પોતાના પૂર્વાપર ઉલ્લેખોથી એ સૂત્રનો અર્થ મૂકવા પ્રયત્ન કરું છું. વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવોના સંયોગથી રસનિષ્પત્તિ થાય છે એ સૂત્રનો સરળ અર્થ છે. આપ સૌને વિભાવ આદિ શબ્દોના અર્થ જાણીતા છે, પણ સમજવાની સરળતા ખાતર આપની સમક્ષ તે મૂકું છું. ભરત કહે છે: विभावो नाम विज्ञानार्थः વિભાવ એટલે વિશેષરૂપે જાણવું તે; અને પછી વિભાવના પર્યાય તરીકે કારણ, નિમિત્ત, હેતુ એ ત્રણ શબ્દો આપે છે. એટલે કે જે જ્ઞાનનો હેતુ છે તે વિભાવ; એટલે કે તે તે સ્થાયી ભાવના જ્ઞાનનો હેતુ તેને સ્થાયી વિભાવ જેમકે પરચેષ્ટાનું અનુકરણ આદિ હાસ સ્થાયી ભાવનું જ્ઞાન કરાવે છે માટે હાસનો વિભાવ. જે અનુભવ કરાવે છે તે અનુભાવ એટલે કે તે તે સ્થાયી ભાવના પરિણામ અથવા કાર્યરૂપ ચેષ્ટાઓ-જેમ કે ખડખડાટ હસવું તે હાસ સ્થાયી ભાવનો અનુભવ કરાવે છે. અને વ્યભિચારી ભાવ એટલે કે તે તે સ્થાયી ભાવની સાથે જે અનેક ક્ષણાવસ્થાયી ભાવો આવી આવીને મુખ્ય ભાવને પોષીને ચાલ્યા જાય તે. મમ્મટના શબ્દોમાં મૂકીએ તો ‘લોકમાં એટલે કે વ્યવહારમાં રત્યાદિ સ્થાયી ભાવોનાં જે કારણો, કાર્યો અને સહકારીઓ છે તે નાટક અને કાવ્યમાં હોય ત્યારે અનુક્રમે વિભાવ, અનુભાવ અને વ્યભિચારી કહેવાય છે.’ એટલે કે વ્યવહારમાં જ્યારે કોઈ પણ રતિ, શોક, ક્રોધ આદિ મુખ્ય લાગણી ઉત્પન્ન થાય છે ત્યારે જે સામગ્રી હોય છે તેવી જ સામગ્રી કાવ્ય, નાટકો આદિ કલાઓમાં હોય છે. અને વ્યવહારમાં જેમ તે તે સામગ્રી પૂરતા પ્રમાણમાં ઉપસ્થિત થતાં તે તે લાગણીનો પૂરેપૂરો અનુભવ થાય છે તેમ કાવ્યમાં અને નાટકમાં પણ, ભરત કહે છે, વિભાવ અનુભાવ અને વ્યભિચારીના સંયોગથી રસનિષ્પત્તિ થાય છે. એટલે મહાકાવ્ય અથવા મુક્તકના કવિઓ શબ્દો દ્વારા આ ત્રિવિધ સામગ્રી એકઠી કરે ત્યારે, અને નટો વાચિક આંગિક આદિ અભિનયો દ્વારા આ ત્રિવિધ સામગ્રી એકઠી કરે ત્યારે, રસ નિષ્પત્તિ થાય છે.
આવી અનેક વસ્તુઓમાંથી એક સ્વાદવાળો રસ કેવી રીતે ઉત્પન્ન થાય તે સમજાવવા અનેક ચીજો મેળવી તૈયાર કરેલા શરબત કે પીણાનું ભરત દૃષ્ટાંત આપે છે; એ જેવી રીતે આસ્વાદ આપે છે તેવી રીતે જ વિભાવાદિ મળી રસની નિષ્પત્તિ કરે છે. આ સૂત્રમાં જો કે સ્થાયી ભાવ શબ્દ આવતો નથી પણ એના ઉપરના વિવેચનમાં સ્થાયી શબ્દ નાટ્યશાસ્ત્રમાં વાપરેલો છે. यथा हि गुडादिभिर्द्रव्यै-र्व्यंजनौषधिभिश्च षाडवादयो रसा निर्वर्तन्ते तथा नानाभावोपगता अपि स्थायिनो भावा रसत्वमाप्नुवन्ति- જેમ ગોળ વગેરે પદાર્થોથી અને સુરકો બનાવવાની વનસ્પતિઓથી ષાડવ આદિ રસો થાય છે, તેમ વિવિધ ભાવોથી એટલે કે વિભાવાદિથી ઉપગત સ્થાયી ભાવો રસત્વને પામે છે. તાત્પર્ય કે રસનિષ્પત્તિ એટલે કે સ્થાયી ભાવોનો આસ્વાદ વિભાવાદિના સંયોગથી થાય છે. આગળ જતાં સાતમા અધ્યાયમાં ભરત કહે છે કે: एवमेते काव्यरसाभिव्यक्तिहेतव एकोनपं चाशद्भावा: प्रत्यवगन्तव्या:- एभ्यश्च सामान्यगुणयोगेन रसा निष्पद्यन्ते। આ રીતે આઠ સ્થાયી ભાવ, તેત્રીશ વ્યભિચારી ભાવ અને આઠ સાત્ત્વિક ભાવ રસની અભિવ્યક્તિના હેતુઓ સમજવા. આમના સામાન્ય ગુણયોગથી રસો નિષ્પન્ન થાય છે.’ પણ આમ કહેતાં પ્રધાનગૌણનો ભેદ જતો રહે છે. તે જતો ન રહે માટે ભરત આગળ ચર્ચા ઉઠાવે છે કે જો કાવ્યાર્થને આશ્રિત વિભાવ અને અનુભાવથી વ્યંજિત ઓગણપચાશ ભાવોના સામાન્ય ગુણયોગથી રસનિષ્પત્તિ થાય છે તો સ્થાયી ભાવો જ રસત્વને પામે છે એમ શા માટે? ઉત્તરમાં સામાન્ય માણસો અને રાજાઓનું દૃષ્ટાન્ત આપી જણાવે છે કે સ્થાયી ભાવો મુખ્ય છે, અને બીજા તેને આશ્રિત છે. विभावानुभावव्यभिचारिपरिवृत: स्थायीभावो रसनाम लभते।
આવી અનેક વસ્તુઓમાંથી એક સ્વાદવાળો રસ કેવી રીતે ઉત્પન્ન થાય તે સમજાવવા અનેક ચીજો મેળવી તૈયાર કરેલા શરબત કે પીણાનું ભરત દૃષ્ટાંત આપે છે; એ જેવી રીતે આસ્વાદ આપે છે તેવી રીતે જ વિભાવાદિ મળી રસની નિષ્પત્તિ કરે છે. આ સૂત્રમાં જો કે સ્થાયી ભાવ શબ્દ આવતો નથી પણ એના ઉપરના વિવેચનમાં સ્થાયી શબ્દ નાટ્યશાસ્ત્રમાં વાપરેલો છે. यथा हि गुडादिभिर्द्रव्यै-र्व्यंजनौषधिभिश्च षाडवादयो रसा निर्वर्तन्ते तथा नानाभावोपगता अपि स्थायिनो भावा रसत्वमाप्नुवन्ति- જેમ ગોળ વગેરે પદાર્થોથી અને સુરકો બનાવવાની વનસ્પતિઓથી ષાડવ આદિ રસો થાય છે, તેમ વિવિધ ભાવોથી એટલે કે વિભાવાદિથી ઉપગત સ્થાયી ભાવો રસત્વને પામે છે. તાત્પર્ય કે રસનિષ્પત્તિ એટલે કે સ્થાયી ભાવોનો આસ્વાદ વિભાવાદિના સંયોગથી થાય છે. આગળ જતાં સાતમા અધ્યાયમાં ભરત કહે છે કે: एवमेते काव्यरसाभिव्यक्तिहेतव एकोनपं चाशद्भावा: प्रत्यवगन्तव्या:- एभ्यश्च सामान्यगुणयोगेन रसा निष्पद्यन्ते। આ રીતે આઠ સ્થાયી ભાવ, તેત્રીશ વ્યભિચારી ભાવ અને આઠ સાત્ત્વિક ભાવ રસની અભિવ્યક્તિના હેતુઓ સમજવા. આમના સામાન્ય ગુણયોગથી રસો નિષ્પન્ન થાય છે.’ પણ આમ કહેતાં પ્રધાનગૌણનો ભેદ જતો રહે છે. તે જતો ન રહે માટે ભરત આગળ ચર્ચા ઉઠાવે છે કે જો કાવ્યાર્થને આશ્રિત વિભાવ અને અનુભાવથી વ્યંજિત ઓગણપચાશ ભાવોના સામાન્ય ગુણયોગથી રસનિષ્પત્તિ થાય છે તો સ્થાયી ભાવો જ રસત્વને પામે છે એમ શા માટે? ઉત્તરમાં સામાન્ય માણસો અને રાજાઓનું દૃષ્ટાન્ત આપી જણાવે છે કે સ્થાયી ભાવો મુખ્ય છે, અને બીજા તેને આશ્રિત છે. विभावानुभावव्यभिचारिपरिवृत: स्थायीभावो रसनाम लभते।