કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૭. જૂના પત્રોનો નાશ કરતાં—: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
(3 intermediate revisions by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૭. જૂના પત્રોનો નાશ કરતાં—| | {{Heading|૭. જૂના પત્રોનો નાશ કરતાં—|જયન્ત પાઠક}} | ||
<poem> | <poem> | ||
Line 6: | Line 6: | ||
પાને પાને ઊકલતી કશી લાગણીની ગડીઓ! | પાને પાને ઊકલતી કશી લાગણીની ગડીઓ! | ||
વર્ણે વર્ણે વિભવ ઉર ને ચિત્તના ઠાલવેલા, | વર્ણે વર્ણે વિભવ ઉર ને ચિત્તના ઠાલવેલા, | ||
નાનાંમોટાં | નાનાંમોટાં સુખદુ:ખ તણી સુપ્ત જેમાં ઘડીઓ. | ||
કેવાં કેવાં વચન પ્રણયાનંદનાં ને વ્યથાનાં: | કેવાં કેવાં વચન પ્રણયાનંદનાં ને વ્યથાનાં: | ||
Line 22: | Line 22: | ||
::::::: થોડું...થોડું જ એ તો! | ::::::: થોડું...થોડું જ એ તો! | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૬. રેવાતટે મધ્યાહ્ન-સંધ્યા |૬. રેવાતટે મધ્યાહ્ન-સંધ્યા ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૮. થીજી ગયો સમય |૮. થીજી ગયો સમય ]] | |||
}} |
Latest revision as of 12:12, 10 April 2023
૭. જૂના પત્રોનો નાશ કરતાં—
જયન્ત પાઠક
પત્રો જૂના અણમૂલ ખજાનો ગણી સાચવેલા,
પાને પાને ઊકલતી કશી લાગણીની ગડીઓ!
વર્ણે વર્ણે વિભવ ઉર ને ચિત્તના ઠાલવેલા,
નાનાંમોટાં સુખદુ:ખ તણી સુપ્ત જેમાં ઘડીઓ.
કેવાં કેવાં વચન પ્રણયાનંદનાં ને વ્યથાનાં:
આખાં હૈયાં પરબીડિયું થૈ કાળ ને સ્થાન કેરાં
વીંધીને અંતર અહીં સુધી લાવતાં લોક છાનાં
ઊનાં આંસુ તણું લવણ ને લાસ્ય આનંદપ્રેર્યાં!
હૈયે ચાંપી બહુ વખત જેનો કર્યો પાઠ પ્રીતે;
‘રે સંબંધો મરણ પછીયે ના છૂટે કોઈ રીતે’
એવાં એવાં વચન વદતાં કાળની ઠેકડીઓ
કીધી; આજે ખબર પડી કે આખરે એ જ જીત્યો!
જૂના પત્રો અહીંતહીં ચીરા ઊડતા જોઈ ર્હેતો
થોડું કંપે કર, હૃદય થોડું દ્રવે
થોડું...થોડું જ એ તો!