સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/યોગ્યતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} કવિ દયારામની ખ્યાતિ થયા પછી ડભોઈના કોઈ નાગરે એમને કન્યા આ...")
 
(No difference)

Latest revision as of 11:53, 26 May 2021

          કવિ દયારામની ખ્યાતિ થયા પછી ડભોઈના કોઈ નાગરે એમને કન્યા આપવા તૈયારી બતાવી. કવિએ કહેવડાવ્યું : “મેં તો કિદાડાનું કૃષ્ણ જોડે લગ્ન કરી મૂક્યું છે.” નર્મદાના ઘાટ ઉપર શિષ્ય સાથે કવિ ભજન કરતા હતા. ગાયકવાડનો જનાનો જતો હતો. તેણે ભેટ ધરી. કવિએ લેવાની ના પાડી. “આપનારની યોગ્યતા જોયા વગર અમે કાંઈ લેતા નથી.” જનાનાએ પડદો દૂર કર્યો, ત્યારે રાજી થઈને પોતાના શિષ્ય નારણને દસ મહોર અપાવી.