કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૨૧. પાંખો કાપવી’તી તો...રે... (તીરથનાં ત્રણ ગીતોમાંથી): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 15:37, 20 September 2023


૨૧. પાંખો કાપવી’તી તો...રે... (‘તીરથનાં ત્રણ ગીતો’માંથી)

પાંખો કાપવી’તી તો... રે...
મોરલાને જનમ કેમ આપ્યો?
હે ! પડઘો ન પાડવો તો... રે...
અંતર સાદ કાં આલાપ્યો?
— જનમ કેમ આપ્યો !
સામી મોલાતમાં દીવડી ફરૂકે,
ફરૂકે મારા અંતરની જ્યોતિ !
હે ! આડી ચણી આ કાચની દીવાલ તો,
લોહની દીવાલ કાં ન રોપી?
— સાદ કાં આલાપ્યો?
પાંખી કાપવી’તી તો...રે...
મોરલાને જનમ કેમ આપ્યો?