પૂર્વાલાપ/૪૦. વત્સલનાં નયનો: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 13:49, 3 December 2023


૪૦. વત્સલનાં નયનો


તિમિરાશયનાં ગહને પડતાં,
સપનાં વિધુરાં નજરે ચડતાઃ
સહું તે, પણ કેમ શકાય, સખે!
સહી વત્સલનાં નયનો રડતાં?

નહિ તે કંઈ દોષભર્યા નયનોઃ
પણ નિર્મલ નેહસરોવર સારસ—
યુગ્મ સમાં પરિપૂર્ણ દયારસઃ
એ જખમી દિલનાં શયનો!