ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/એ લોકો: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Latest revision as of 17:32, 2 January 2024
એ લોકો
પ્રિયકાન્ત મણિયાર
એ લોકો પહેલા કાપડના તાકા ભરી રાખે છે.
પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે ત્યારે વાર વાર વેેચે છે
એ લોકો પહેલા ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે.
પછી જ્યારે માણસ સડી જાય ત્યારે કિલો કિલો વેચે છે.
એ લોકો પહેલા ઔષધની શીશીઓ સંઘરી રાખે છે.
અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે થોડી થોડી રેડે છે.
એ તો લોકો છે જ નહીં, એ તો નોટો ને ખાઈ ઉછરતી ઉધઈ,
બીજું એને કાંઈ ભાવતું નથી,
મારે કવિ થવું જ નથી
ભારે અસર કરનારી જંતુનાશક દવા થાઉં તો ય બસ!