મનીષા જોષીની કવિતા/નરપિશાચ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 00:35, 2 March 2024

નરપિશાચ

કોઈ માણસખાઉ નરપિશાચ જેવી ભૂખ લાગી છે.
ઝાડ પર બેઠેલા આ એકલવાયા ગીધની
પ્રેયસી બની જવાનું મન થાય છે હવે તો.
મોટી, જાજરમાન પાંખો ફેલાવીને
એની સાથે અગોચર પ્રદેશોમાં ઊડતી રહું!
જ્યાં પણ મૃત્યુ દેખાય ત્યાં રોકાઈ જવાનું!
કેટલા બધાં, જાત જાતનાં શબનાં ભોજન.
આ એક શબ મારા એ પ્રેમીનું પણ છે,
જેને લાખ ચાહવા છતાં હું મેળવી નહોતી શકી.
જીવનમાં ક્યારેય નહોતો ચાખ્યો એવો
તૃપ્તિનો ઓડકાર મળ્યો છે મને
આ ગીધની પ્રેયસી બનીને!