કિન્નરી ૧૯૫૦/તવ નામ: Difference between revisions
Jump to navigation
Jump to search
તવ નામ
(+1) |
(No difference)
|
Latest revision as of 00:15, 24 March 2024
નિરંતર અંતરમાં તવ નામ,
જાઉં નહીં અવ સ્વર્ગધામ ને ગાઉં નહીં અવ સામ!
એને તાલ તરંગિત ડોલે સ્વર્ગગંગાનાં પાણી,
એને સ્વર પડઘાતી બોલે વેદઋચાની વાણી;
અવર હવે એકે અક્ષરનું મારે તે નહીં કામ!
દૂર થકી તું દૂર હશે વા પાસ થકીયે પાસે,
પણ એનું બસ રટણ થશે મુજ અંતિમ શ્વાસોચ્છ્વાસે;
એ અમૃત પર મૃત્યુ મ્હોશે, રાધાશું ઘનશ્યામ!
૧૯૪૭