અંતિમ કાવ્યો/નિર્વેદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 00:48, 30 March 2024

નિર્વેદ

આપણો વિરહ એ વિચ્છેદ નથી,
એથી સ્તો આપણને એનો કોઈ ખેદ નથી.

મિલનમાં તો દેહનું અંતરપટ નડતું,
વિરહના અવકાશમાં કશું નથી અડતું;
મિલન ને વિરહમાં એટલો શું ભેદ નથી ?

છતાં કદાચ ક્યારેક ક્યાંક મિલન જો થશે,
એથી હરખ કે શોક જેવું કશું નહિ હશે;
હવે શું આપણા બેમાં એટલો નિર્વેદ નથી ?

જાન્યુઆરી, ૨૦૧૩