ખારાં ઝરણ/મૃત્યુ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|મૃત્યુ|}} <poem> હાથ એ લંબાવશે તો શું થશે? ના કહ્યે ધમકાવશે તો શું થશે? બેય પગ ચોંટી ગયા છે ભોંયમાં, દ્વાર એ ખખડાવશે તો શું થશે? હું નહીં ખોલી શકું કોઈ રીતે, એને ઓછું આવશે, તો શું થશ...")
 
No edit summary
 
(12 intermediate revisions by 2 users not shown)
Line 23: Line 23:
શ્વાસને ‘ઈર્શાદ’ એક જ ડર હતો,
શ્વાસને ‘ઈર્શાદ’ એક જ ડર હતો,
મોત પાછું ફાવશે તો શું થશે?
મોત પાછું ફાવશે તો શું થશે?
<center>૨૬-૫-૨૦૦૭</center>
</poem>
</poem>


{{Right|૨૬-૫-૨૦૦૭}}


<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ?????????
|previous = કિનારે જઉં કે નદીમાં તરું
|next = ??? ?????? ?????
|next = આભ અનરાધાર, નક્કી
}}
}}

Latest revision as of 00:43, 2 April 2024

મૃત્યુ

હાથ એ લંબાવશે તો શું થશે?
ના કહ્યે ધમકાવશે તો શું થશે?

બેય પગ ચોંટી ગયા છે ભોંયમાં,
દ્વાર એ ખખડાવશે તો શું થશે?

હું નહીં ખોલી શકું કોઈ રીતે,
એને ઓછું આવશે, તો શું થશે?

ખુલ્લી બારીમાંથી કરશે હાથ એ,
ને તને બોલાવશે તો શું થશે?

હું ઘણો વખણાઉં છું આતિથ્યમાં,
ધૃષ્ટ એ લેખાવશે તો શું થશે?

આંખ મીંચાતી વખતનું સ્વપ્ન આ,
પાંપણો ભીંજાવશે તો શું થશે?

શ્વાસને ‘ઈર્શાદ’ એક જ ડર હતો,
મોત પાછું ફાવશે તો શું થશે?

૨૬-૫-૨૦૦૭