નવલરામ પંડ્યા/સુબોધચિંતામણિ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 10: Line 10:
આ ગ્રંથ મહુવા બંદરના કોઈ જુવાન વાણિયાએ બનાવ્યો છે. એ ગ્રંથ રૂડો કે ભૂંડો જેવો છે તેવો પણ તે માટે કાઠિયાવાડે બેશક અભિમાન ધરાવવું જોઈએ, કેમ કે કાઠિયાવાડમાં સુધારાનું ચાંચલ્ય પેઠું તેની એ અચૂક સાબિતી છે. ખરે પાછલાં ચાર પાંચ વર્ષથી કાઠિયાવાડે સુધારામાં ખૂબ બહાર પડવા માંડ્યું છે. હાલ કાઠિયાવાડમાંથી નાનાં નાનાં પણ ચારપાંચ ચોપાનિયાં નીકળે છે, અને મુંબાઈમાં છપાતા *ત્રિમાસિક, આર્યધર્મપ્રકાશ, સ્વદેશવત્સલ વગેરેમાં પણ આગળ પડતો હાથ સૌરાષ્ટ્રીઓનો જ હોય એમ દેખાય છે. એ વગેરે કેટલાક લખનાર ‘સુધારા’ના નહિ, પણ જૂના મતના પ્રતિપાદક છે. પણ તેનું વિદ્યાચાંચલ્ય જોઈ સુધારાના સામાન્ય અર્થમાં તેને અહીં ગણ્યા છે. કાઠિયાવાડના આ સુધારાનું ખાસ લક્ષણ એ છ ે કે સંરક્ષક ને ઉચ્છેદક એવા બે પક્ષ એક કાળે જ ઊભા થયા છે. મુંબાઈ ઇલાકામાં હાલ જે હિંદુઓ તરફથી ગુજરાતી ચોપડીઓ છપાય છે. તેમાં ઘણો ભાગ કાઠિયાવાડ તરફનો જ માલમ પડશે. પુનર્લગ્નાદિક સુધારાના કામ પણ હાલ કોઈ કોઈ ઠેકાણે થતાં સાંભળીએ છીએ તે કાઠિયાવાડ અથવા કાઠિયાવાડીથી જ. હાલ સુધારાના ચાંચલ્યે જાણે ગુજરાતમાંથી આવી અત્રે વાસ કર્યો હોય એમ દેખાય છે, અને એનું જોર તો હાલ બેશક કાઠિયાવાડના જુવાનિયામાં ઊભરાઈ જાય છે.
આ ગ્રંથ મહુવા બંદરના કોઈ જુવાન વાણિયાએ બનાવ્યો છે. એ ગ્રંથ રૂડો કે ભૂંડો જેવો છે તેવો પણ તે માટે કાઠિયાવાડે બેશક અભિમાન ધરાવવું જોઈએ, કેમ કે કાઠિયાવાડમાં સુધારાનું ચાંચલ્ય પેઠું તેની એ અચૂક સાબિતી છે. ખરે પાછલાં ચાર પાંચ વર્ષથી કાઠિયાવાડે સુધારામાં ખૂબ બહાર પડવા માંડ્યું છે. હાલ કાઠિયાવાડમાંથી નાનાં નાનાં પણ ચારપાંચ ચોપાનિયાં નીકળે છે, અને મુંબાઈમાં છપાતા *ત્રિમાસિક, આર્યધર્મપ્રકાશ, સ્વદેશવત્સલ વગેરેમાં પણ આગળ પડતો હાથ સૌરાષ્ટ્રીઓનો જ હોય એમ દેખાય છે. એ વગેરે કેટલાક લખનાર ‘સુધારા’ના નહિ, પણ જૂના મતના પ્રતિપાદક છે. પણ તેનું વિદ્યાચાંચલ્ય જોઈ સુધારાના સામાન્ય અર્થમાં તેને અહીં ગણ્યા છે. કાઠિયાવાડના આ સુધારાનું ખાસ લક્ષણ એ છ ે કે સંરક્ષક ને ઉચ્છેદક એવા બે પક્ષ એક કાળે જ ઊભા થયા છે. મુંબાઈ ઇલાકામાં હાલ જે હિંદુઓ તરફથી ગુજરાતી ચોપડીઓ છપાય છે. તેમાં ઘણો ભાગ કાઠિયાવાડ તરફનો જ માલમ પડશે. પુનર્લગ્નાદિક સુધારાના કામ પણ હાલ કોઈ કોઈ ઠેકાણે થતાં સાંભળીએ છીએ તે કાઠિયાવાડ અથવા કાઠિયાવાડીથી જ. હાલ સુધારાના ચાંચલ્યે જાણે ગુજરાતમાંથી આવી અત્રે વાસ કર્યો હોય એમ દેખાય છે, અને એનું જોર તો હાલ બેશક કાઠિયાવાડના જુવાનિયામાં ઊભરાઈ જાય છે.
ઈ. સ. ૧૮૬૦-૬૫માં જેવો સુધારાનો જુસ્સો ગુજરાતમાં ચાલી રહ્યો હતો તેવો હાલ કાઠિયાવાડમાં ઊઠેલો દેખાયછે. ગુજરાતમાં જેમ તે જુવાનિયામાં હતો તેમ અહીંયાં પણ નવલોહિયા નિશાળ છોડીને તુર્ત જ બહાર પડેલા જુવાનિયાઓમાં તે ઊછળી રહ્યો છે. ત્યાં જેમ તે સુધારો અંતઃકરણપૂર્વક, પણ ઊછંકળ અને અભિમાન મસ્ત હતો, તેમ અહીંયાં પણ તેવી જ પ્રતિનો દેખાય છે. ત્યાંના અને અહીંયાના સુધારામાં ફેર એટલો છે કે તે સુધારકો ઇંગ્રેજી ભણેલા જુવાનિયા હતા, અને આ માત્ર ઘણાખરા ગુજરાતી સાત ચોપડીના જોર ઉપર જ કૂદનારા જણાય છે. આ કારણથી બંનેના વિદ્યાબળમાં કેટલોક તફાવત માલમ પડે છે ખરો, તથાપિ એ બંને સુધારાનું સ્વરૂપ તો એક જ છે, અને લખાણ પઢાણની શૈલીમાં પણ ધારીએ તેટલો ફરક નથી કેમકે પાછલા સુધારાનાં લખાણ આ સુધારાને નકલ કરવા સારુ ભાષામાં તૈયાર છે.
ઈ. સ. ૧૮૬૦-૬૫માં જેવો સુધારાનો જુસ્સો ગુજરાતમાં ચાલી રહ્યો હતો તેવો હાલ કાઠિયાવાડમાં ઊઠેલો દેખાયછે. ગુજરાતમાં જેમ તે જુવાનિયામાં હતો તેમ અહીંયાં પણ નવલોહિયા નિશાળ છોડીને તુર્ત જ બહાર પડેલા જુવાનિયાઓમાં તે ઊછળી રહ્યો છે. ત્યાં જેમ તે સુધારો અંતઃકરણપૂર્વક, પણ ઊછંકળ અને અભિમાન મસ્ત હતો, તેમ અહીંયાં પણ તેવી જ પ્રતિનો દેખાય છે. ત્યાંના અને અહીંયાના સુધારામાં ફેર એટલો છે કે તે સુધારકો ઇંગ્રેજી ભણેલા જુવાનિયા હતા, અને આ માત્ર ઘણાખરા ગુજરાતી સાત ચોપડીના જોર ઉપર જ કૂદનારા જણાય છે. આ કારણથી બંનેના વિદ્યાબળમાં કેટલોક તફાવત માલમ પડે છે ખરો, તથાપિ એ બંને સુધારાનું સ્વરૂપ તો એક જ છે, અને લખાણ પઢાણની શૈલીમાં પણ ધારીએ તેટલો ફરક નથી કેમકે પાછલા સુધારાનાં લખાણ આ સુધારાને નકલ કરવા સારુ ભાષામાં તૈયાર છે.
જેમ ૬૦-૬૫ ના ગુજરાતી સુધારાની સમયમૂર્તિ કવિ નર્મદાશંકર હતા, તેમ આ કાઠિયાવાડી સુધારાનો કવિ ભવાનીશંકર ગદ્યપદ્ય બંને લખવામાં કાઠિયાવાડ ખાતે પ્રથમ છે, પણ તેને ‘સુધારા’નો જ કવિ કહી શકાય એમ નથી. ‘સુધારા’ કરતાં સાક્ષરતા તરફ તેનું વલણ વધારે છે, અને વળી તેણે તો કાઠિયાવાડમાં આ ચાંચલ્ય આવ્યું તે પહેલાં ઘણાં વર્ષથી લખવા માંડ્યું છે. પહેલાં નર્મદાશંકર પોતાની નર્મકવિતાના મોટા ચોપડાને કોઈ કોઈ વખત ‘સુધારાનું બૈબલ’ કરીને કહેતા, પણ તે કરતાં એ આ ‘વણિક વલ્લભદાસ’નો સુબોધ ચિંતામણિ ગ્રંથ અમને તો કાઠિયાવાડના આધુનિક સુધારાનું બૈબલ કહેવડાવવાને વધારે લાયક દેખાય છે, અને એ ભાઈના જુવાન સાથીઓમાં તે એવી રીતેની જ વાહવાહ પામશે એમાં અમને કાંઈ શક નથી.
જેમ ૬૦-૬૫ ના ગુજરાતી સુધારાની સમયમૂર્તિ કવિ નર્મદાશંકર હતા, તેમ આ કાઠિયાવાડી સુધારાનો કવિ ભવાનીશંકર ગદ્યપદ્ય બંને લખવામાં કાઠિયાવાડ ખાતે પ્રથમ છે, પણ તેને ‘સુધારા’નો જ કવિ કહી શકાય એમ નથી. ‘સુધારા’ કરતાં સાક્ષરતા તરફ તેનું વલણ વધારે છે, અને વળી તેણે તો કાઠિયાવાડમાં આ ચાંચલ્ય આવ્યું તે પહેલાં ઘણાં વર્ષથી લખવા માંડ્યું છે. પહેલાં નર્મદાશંકર પોતાની નર્મકવિતાના મોટા ચોપડાને કોઈ કોઈ વખત ‘સુધારાનું બૈબલ’ કરીને કહેતા, પણ તે કરતાં એ આ ‘વણિક વલ્લભદાસ’નો સુબોધ ચિંતામણિ ગ્રંથ અમને તો કાઠિયાવાડના આધુનિક સુધારાનું બૈબલ કહેવડાવવાને વધારે લાયક દેખાય છે, અને એ ભાઈના જુવાન સાથીઓમાં તે એવી રીતેની જ વાહવાહ પામશે એમાં અમને કાંઈ શક નથી.
આ ઉપરથી જણાશે કે આ ગ્રંથના વિચારોનું સ્વરૂપ કેવું છે. એ ગ્રંથ ખરેખરું કહીએ તો હડહડતા સુધારાનો, દરિયા પારના સુધારાનો, કેવળ ઉચ્છેદક સુધારાનો છે. એમાં સુબોધ ચિંતામણિએ નામ સિવાય બીજું કાંઈ પણ જૂનું સ્વીકાર્યું નથી, અને એ જૂનું નામ રાખતાં પણ શેઠ વલ્લભદાસનો સુધરેલો જીવ બહુ જ કચવાયો હોય એમ જણાય છે, કેમ કે એ બાબત માફી માગવામાં આશરે દશ બાર લીટીઓ રોકી છે. તોપણ એ માફી ન આપતાં અમે તો કહીએ છીએ કે એવું વહેમી નામ નહોતું જ રાખવું, અને તેને બદલે ‘સુધારા બોધ’ કે એવું જ કાંઈ નવું પાડવું હતું. એ શબ્દ કપોલકલ્પિત, કઢંગો, ભાષાની પ્રૌઢિ વિરુદ્ધ થાત ખરો, પણ નવા વિચારના સુધારાવાળા જવાનો કાંઈ માન્યમાન્ય રૂઢિની પરવાહ રાખતા નથી, અને એ શેઠને તો તે નથી જ એ પોતે અહીંયાં જે લખ્યુંછે તે ઉપરથી સાફ જણાઈ આવે છે. આવું સીધું નામ રાખવાનો મોટો ફાયદો તો એ જ થાય કે લોકો ઠગાત નહિ અને એમાં શો વિષય છે તે નામ વાંચતાં જ તુર્ત જ સમજી જાત.
આ ઉપરથી જણાશે કે આ ગ્રંથના વિચારોનું સ્વરૂપ કેવું છે. એ ગ્રંથ ખરેખરું કહીએ તો હડહડતા સુધારાનો, દરિયા પારના સુધારાનો, કેવળ ઉચ્છેદક સુધારાનો છે. એમાં સુબોધ ચિંતામણિએ નામ સિવાય બીજું કાંઈ પણ જૂનું સ્વીકાર્યું નથી, અને એ જૂનું નામ રાખતાં પણ શેઠ વલ્લભદાસનો સુધરેલો જીવ બહુ જ કચવાયો હોય એમ જણાય છે, કેમ કે એ બાબત માફી માગવામાં આશરે દશ બાર લીટીઓ રોકી છે. તોપણ એ માફી ન આપતાં અમે તો કહીએ છીએ કે એવું વહેમી નામ નહોતું જ રાખવું, અને તેને બદલે ‘સુધારા બોધ’ કે એવું જ કાંઈ નવું પાડવું હતું. એ શબ્દ કપોલકલ્પિત, કઢંગો, ભાષાની પ્રૌઢિ વિરુદ્ધ થાત ખરો, પણ નવા વિચારના સુધારાવાળા જવાનો કાંઈ માન્યમાન્ય રૂઢિની પરવાહ રાખતા નથી, અને એ શેઠને તો તે નથી જ એ પોતે અહીંયાં જે લખ્યુંછે તે ઉપરથી સાફ જણાઈ આવે છે. આવું સીધું નામ રાખવાનો મોટો ફાયદો તો એ જ થાય કે લોકો ઠગાત નહિ અને એમાં શો વિષય છે તે નામ વાંચતાં જ તુર્ત જ સમજી જાત.
નવું તેટલું બધું સારું જ, જૂનું તે ખોટું જ – જો વિલાયતી મતને મળતું આવે નહિ, બ્રાહ્મણો પર ગાળોનો વરસાદ, તેમણે પોતાના સ્વાર્થને માટે જ શાસ્ત્રો બાંધ્યાં છે એવો આરોપ, ને કદાપિ તેઓ ગમે એવા વિદ્વાન તે કાળે હશે પણ હાલ હું જે સમજું છું અને બોધું છું તે કરતાં તો બેહદ ઊતરતા જ એવો અંતરનો ભાવ, વગેરે કેટલીક વાતો તો આવા ગ્રંથમાં હશે એમ આપણે અગાઉથી જાણવું જ જોઈએ, એ એવાં વેણો તો સુધારાવાળાનું મન ધરાય ને વળી વધે (એટલે સુધી બોલતાં આ જુવાનિયાએ જરા પણ આંચકો ખાધો નથી. મુખપૃષ્ઠ ઉપર જે શ્લોક મૂક્યો છે તેમાં વાંચનારને સાફ કહે છે, કે આવો મારા હાથનો (ગાળોરૂપી) તમાચો ખાવા કે તેથી તમારું કલ્યાણ થાય. શી ફક્કડાઈ! શેઠ વલ્લભદાસ તો પૂર્વ કાળના નર્મદાશંકરને પણ એક કોરે બેસાડે એવા જણાય છે. પ્રસ્તાવનાને આરંભે જ એક દોહરામાં શો ઝપાટો માર્યો છે.
નવું તેટલું બધું સારું જ, જૂનું તે ખોટું જ – જો વિલાયતી મતને મળતું આવે નહિ, બ્રાહ્મણો પર ગાળોનો વરસાદ, તેમણે પોતાના સ્વાર્થને માટે જ શાસ્ત્રો બાંધ્યાં છે એવો આરોપ, ને કદાપિ તેઓ ગમે એવા વિદ્વાન તે કાળે હશે પણ હાલ હું જે સમજું છું અને બોધું છું તે કરતાં તો બેહદ ઊતરતા જ એવો અંતરનો ભાવ, વગેરે કેટલીક વાતો તો આવા ગ્રંથમાં હશે એમ આપણે અગાઉથી જાણવું જ જોઈએ, એ એવાં વેણો તો સુધારાવાળાનું મન ધરાય ને વળી વધે (એટલે સુધી બોલતાં આ જુવાનિયાએ જરા પણ આંચકો ખાધો નથી. મુખપૃષ્ઠ ઉપર જે શ્લોક મૂક્યો છે તેમાં વાંચનારને સાફ કહે છે, કે આવો મારા હાથનો (ગાળોરૂપી) તમાચો ખાવા કે તેથી તમારું કલ્યાણ થાય. શી ફક્કડાઈ! શેઠ વલ્લભદાસ તો પૂર્વ કાળના નર્મદાશંકરને પણ એક કોરે બેસાડે એવા જણાય છે. પ્રસ્તાવનાને આરંભે જ એક દોહરામાં શો ઝપાટો માર્યો છે.
પ્રથમ પુરણ પ્રસ્તાવના વાંચી થા વાકેફ,  
{{Poem2Close}}
ઊતરશે નહિ એ વિના ક્રોધ રૂપી તુજ કેફ.
{{Block center|<poem>પ્રથમ પુરણ પ્રસ્તાવના વાંચી થા વાકેફ,  
ઊતરશે નહિ એ વિના ક્રોધ રૂપી તુજ કેફ.</poem>}}
{{Poem2Open}}
ક્રોધ જે માણસને ચંચળ ને ઉદ્યોગી કરે છે, તેને આળસ ને એદીપણું ઉત્પન્ન કરનારી જે કેફ તેની ઉપમા શી રીતે આપી છે તે વાત આઘી મૂકી અત્રે અમારા કહેવાની મતલબ એ છે કે લોકને કડવું લાગે એવું લખાણ અત્રે જાણી જોઈને જ કરેલું છે. અને એમ કરવું જ વાજબી છે એનું પ્રતિપાદન કરવા પ્રસ્તાવનામાં કાંઈક વિસ્તારથી મહેનત કરી છે. વ્યાસથી માંડીને દયારામ સુધીના સંસ્કૃત કે ગુજરાતી કવિઓને કલમના એક ઝપાટાની સાથે તુચ્છકારી નાખવામાં પણ ખરેખરી નર્મદાશંકરી જ કરી છે, પણ તેની વિદ્વત્તા કે રસિકતાનો તે સ્થળે એકે છાંટો નથી. આ બધું લખી કહેવાનું હાર્દ તો એ જ જણાય છે, કે નીતિબોધક કવિ તો હાલ હું મહુવામાં ઊગ્યો તે પહેલાં આ (વિદ્યાકળામાં વખણાયેલાને મેક્સ મૂલર સરખાને સાનંદાશ્ચર્યથી ભરી નાખનારા) દેશમાં કોઈ થયો જ નથી. શુકન, મુહૂર્ત, ને ભૂત પ્રેતને ઉત્તેજન આપવાનું તહોમત અખાપર્યંત તમામ જૂના કવિઓ ઉપર સાબિત કરી તેમને વર્જ્ય ઠેરવ્યા તો ખેર, કેમકે પ્રેમાનંદ, શામળ, ને બિભત્સ દયારામ વગેરે પોતાના માત્ર કવિત્વ બળે જ સેકશપિયર ને બાઈરનની પેઠે ભાષામાં અમર રહેવાને પૂર્ણ શક્તિમાન છે. પણ અમને આશ્ચર્ય લાગે છે કે ભલા, વિવેકી ને સદાનીતિનો બોધ કરનાર બિચારા સુધારાના કવિ દલપતરામને પણ વિસારી મૂકી નીતિબોધક કવિની ખુરશી પોતાને માટે જ ખાલી પડી રહેલી છે એમ આ જુવાન શેઠ શા ઉપરથી માની બેસે છે. તેમજ એ ખોટ પૂરી પાડવા મારે ગીતાવળી લખવી છે, દાઢાનિષેધક નિબંધ લખવો છે. આયુષ્ય નિર્માણ લખવું છે, વગેરે જે કહ્યું છે તે પણ સુઘડ રસિકતાથી ઊલટું છે. એ બધું આપવડાઈના તડાકા જેવું દેખાય છે, અને વિવેકી વાંચનાર ઉપર સારી અસર થતી નથી. અમે તો ધારીએ છીએ કે આવી ઢપની લાંબી ૫૦ પાનાંની પ્રસ્તાવના લખી છે તેથી માથા કરતાં પાઘડી મોટી થઈ ગઈ છે, એટલું જ નહિ પણ તેથી આખા કાવ્યને નકામું લોકમાં અપ્રિય થવાની દહેશતમાં નાંખ્યું છે. ગ્રંથકારમાં અને તેમાં વિશેષે કરીને નવા જવાન ગ્રંથકારમાં નમ્રતા જેવી શોભા આપનારી છે તેવું અહંપદ કે તડાકા ભડાકા નથી જ. એમ કરવાથી તેને પોતાના ઉદયમાં થોડોક કાળ કદાપિ કાંઈ પુષ્ટિ મળતી હશે, પણ પાછળથી સામટો અસ્ત થઈ જાય છે. માટે હવેથી આ ભાઈ પોતાની એ ઢપ બદલે તો સારું.  
ક્રોધ જે માણસને ચંચળ ને ઉદ્યોગી કરે છે, તેને આળસ ને એદીપણું ઉત્પન્ન કરનારી જે કેફ તેની ઉપમા શી રીતે આપી છે તે વાત આઘી મૂકી અત્રે અમારા કહેવાની મતલબ એ છે કે લોકને કડવું લાગે એવું લખાણ અત્રે જાણી જોઈને જ કરેલું છે. અને એમ કરવું જ વાજબી છે એનું પ્રતિપાદન કરવા પ્રસ્તાવનામાં કાંઈક વિસ્તારથી મહેનત કરી છે. વ્યાસથી માંડીને દયારામ સુધીના સંસ્કૃત કે ગુજરાતી કવિઓને કલમના એક ઝપાટાની સાથે તુચ્છકારી નાખવામાં પણ ખરેખરી નર્મદાશંકરી જ કરી છે, પણ તેની વિદ્વત્તા કે રસિકતાનો તે સ્થળે એકે છાંટો નથી. આ બધું લખી કહેવાનું હાર્દ તો એ જ જણાય છે, કે નીતિબોધક કવિ તો હાલ હું મહુવામાં ઊગ્યો તે પહેલાં આ (વિદ્યાકળામાં વખણાયેલાને મેક્સ મૂલર સરખાને સાનંદાશ્ચર્યથી ભરી નાખનારા) દેશમાં કોઈ થયો જ નથી. શુકન, મુહૂર્ત, ને ભૂત પ્રેતને ઉત્તેજન આપવાનું તહોમત અખાપર્યંત તમામ જૂના કવિઓ ઉપર સાબિત કરી તેમને વર્જ્ય ઠેરવ્યા તો ખેર, કેમકે પ્રેમાનંદ, શામળ, ને બિભત્સ દયારામ વગેરે પોતાના માત્ર કવિત્વ બળે જ સેકશપિયર ને બાઈરનની પેઠે ભાષામાં અમર રહેવાને પૂર્ણ શક્તિમાન છે. પણ અમને આશ્ચર્ય લાગે છે કે ભલા, વિવેકી ને સદાનીતિનો બોધ કરનાર બિચારા સુધારાના કવિ દલપતરામને પણ વિસારી મૂકી નીતિબોધક કવિની ખુરશી પોતાને માટે જ ખાલી પડી રહેલી છે એમ આ જુવાન શેઠ શા ઉપરથી માની બેસે છે. તેમજ એ ખોટ પૂરી પાડવા મારે ગીતાવળી લખવી છે, દાઢાનિષેધક નિબંધ લખવો છે. આયુષ્ય નિર્માણ લખવું છે, વગેરે જે કહ્યું છે તે પણ સુઘડ રસિકતાથી ઊલટું છે. એ બધું આપવડાઈના તડાકા જેવું દેખાય છે, અને વિવેકી વાંચનાર ઉપર સારી અસર થતી નથી. અમે તો ધારીએ છીએ કે આવી ઢપની લાંબી ૫૦ પાનાંની પ્રસ્તાવના લખી છે તેથી માથા કરતાં પાઘડી મોટી થઈ ગઈ છે, એટલું જ નહિ પણ તેથી આખા કાવ્યને નકામું લોકમાં અપ્રિય થવાની દહેશતમાં નાંખ્યું છે. ગ્રંથકારમાં અને તેમાં વિશેષે કરીને નવા જવાન ગ્રંથકારમાં નમ્રતા જેવી શોભા આપનારી છે તેવું અહંપદ કે તડાકા ભડાકા નથી જ. એમ કરવાથી તેને પોતાના ઉદયમાં થોડોક કાળ કદાપિ કાંઈ પુષ્ટિ મળતી હશે, પણ પાછળથી સામટો અસ્ત થઈ જાય છે. માટે હવેથી આ ભાઈ પોતાની એ ઢપ બદલે તો સારું.  
ઉપર પ્રમાણે ઉછંકળ હુંપદનો કેટલોક દેખાવ છે તે બાદ કરતાં એમાં સ્પષ્ટપણે ને જુસ્સાથી પોતાના વિચાર જે છે તે દર્શાવ્યા તેને માટે અમે કોઈ દોષ કાઢતા નથી, પણ ઊલટા તેને એ કાવ્યના ગુણ ગણીએ છીએ. એ બધા વિચારની સાથે અમે અત્રે એકમત નથી, કેટલાકને તો અમે ખોટા જ સમજીએ છીએ. કેટલેક ઠેકાણે કૂવાના દેડકા જેવું કરી નાંખેલું માલમ પડે છે, કેટલેક ઠેકાણે અમે જોઈએ છીએ કે વધારે અનુભવ તેને વિદ્વાનોનો સમાગમ થશે ત્યારે જે ટૂંકી નજરનું લખાણ છે તે આપોઆપ દૂર થશે, અને કેટલે ઠેકાણે મતભેદની વાતો છે, તોપણ ગ્રંથકારનું એ કામ કે પોતાના જે વિચારો હોય તે સ્પષ્ટપણે જુસ્સાભેર વાંચનારની આગળ મૂકવા તે કરવામાં શેઠ વલ્લભદાસે સંપૂર્ણ ફતેહ મેળવી છે. જો મર્યાદામાં રહી, રુચતું રુચતું જ કહ્યું હોત, તો ઘણા લોકસુધારાની વાત સાંભળત એ વાત ખરી છે, પણ તેમ તેની અસરે થોડી જ થાત. હાલ થોડા પણ ભાવથી વાંચનારા જે વલ્લભદાસને મળશે, તે વાંચી સુધારામાં એના જેવા જ તદ્રુપ જ થઈ જશે. જે કદી પણ મોળાં, દહીં ને દૂધમાં પગ રાખનારાં, લખાણથી થઈ શકત નહિ. ખરી વાત તો એ છે કે આ એકપક્ષી ગ્રંથ છે, અને સઘળા એકપક્ષી ગ્રંથોનું કામ એ જ છે કે પોતાના પક્ષને બળવાન જુસ્સાવાળો કરવો. પ્રતિપક્ષીઓને સમજાવવાને અર્થ તે છે જ નહિ. એકપક્ષી ગ્રંથ પ્રતિપક્ષમાં જેટલો નિંદાય છે તેટલો જ તે સ્વપક્ષમાં વંદાય છે. તે વાંચી પોતાના પક્ષના લોક ધારેલું કામ કરવા ઉશ્કેરાઈ ટપોટપ તૈયાર થાય છે. એકપક્ષી ગ્રંથોનો આ હેતુ તથા લાભ ન સમજાયાથી કેટલાક સ્વપક્ષી પણ આવા ગ્રંથને નીંંદે છે, અને કહે છે, કે વિવેકથી લખ્યું હોત તો લોકોનાં દિલમાં ઊતરત. પણ પ્રતિપક્ષીઓનાં દિલમાં ઉતારવું એ આવા ગ્રંથનું કર્તવ્ય જ નથી. અને આ ભેદના અજ્ઞાનને લીધે વખતે ગ્રંથકાર પોતે પણ લોકનો અનાદર જોઈ નાઉમેદ થાય છે કે મારું કહ્યું કોઈ સાંભળતું નથી. પણ એવા લખાણથી પોતાના પક્ષના કેટલા સબળ તથા સતેજ થયા તેનો તે વિચાર કરતો નથી. સ્પષ્ટવક્તાપણું એ જ ખરો ધર્મ છે; એ જ ખરું ડહાપણ છે; અને એ જ સરસ લખાણનું રહસ્ય છે. આવા ગ્રંથનો જો કદાપિ ચોતરફથી ફિટકાર થાય, તોપણ ભલા ગ્રંથકારનો એ જ ધર્મ છે કે ‘સત્યમેવ જયતે’ એ વાક્ય ઉપર જ ભરોસો રાખી પોતાના ઉદ્યોગમાં અખંડ સદ્‌બુદ્ધિથી મંડ્યા રહેવું, અને તેમ કરવાથી અમે ઉપર કહ્યું તે પ્રમાણેનો ફાયદો થશે અને તે કાંઈ નાનોસૂનો નથી. સેનાને સશૌર્ય કરવી એ એનું જે કામ તે યુદ્ધ કાળે પરમોપયોગી છે.
ઉપર પ્રમાણે ઉછંકળ હુંપદનો કેટલોક દેખાવ છે તે બાદ કરતાં એમાં સ્પષ્ટપણે ને જુસ્સાથી પોતાના વિચાર જે છે તે દર્શાવ્યા તેને માટે અમે કોઈ દોષ કાઢતા નથી, પણ ઊલટા તેને એ કાવ્યના ગુણ ગણીએ છીએ. એ બધા વિચારની સાથે અમે અત્રે એકમત નથી, કેટલાકને તો અમે ખોટા જ સમજીએ છીએ. કેટલેક ઠેકાણે કૂવાના દેડકા જેવું કરી નાંખેલું માલમ પડે છે, કેટલેક ઠેકાણે અમે જોઈએ છીએ કે વધારે અનુભવ તેને વિદ્વાનોનો સમાગમ થશે ત્યારે જે ટૂંકી નજરનું લખાણ છે તે આપોઆપ દૂર થશે, અને કેટલે ઠેકાણે મતભેદની વાતો છે, તોપણ ગ્રંથકારનું એ કામ કે પોતાના જે વિચારો હોય તે સ્પષ્ટપણે જુસ્સાભેર વાંચનારની આગળ મૂકવા તે કરવામાં શેઠ વલ્લભદાસે સંપૂર્ણ ફતેહ મેળવી છે. જો મર્યાદામાં રહી, રુચતું રુચતું જ કહ્યું હોત, તો ઘણા લોકસુધારાની વાત સાંભળત એ વાત ખરી છે, પણ તેમ તેની અસરે થોડી જ થાત. હાલ થોડા પણ ભાવથી વાંચનારા જે વલ્લભદાસને મળશે, તે વાંચી સુધારામાં એના જેવા જ તદ્રુપ જ થઈ જશે. જે કદી પણ મોળાં, દહીં ને દૂધમાં પગ રાખનારાં, લખાણથી થઈ શકત નહિ. ખરી વાત તો એ છે કે આ એકપક્ષી ગ્રંથ છે, અને સઘળા એકપક્ષી ગ્રંથોનું કામ એ જ છે કે પોતાના પક્ષને બળવાન જુસ્સાવાળો કરવો. પ્રતિપક્ષીઓને સમજાવવાને અર્થ તે છે જ નહિ. એકપક્ષી ગ્રંથ પ્રતિપક્ષમાં જેટલો નિંદાય છે તેટલો જ તે સ્વપક્ષમાં વંદાય છે. તે વાંચી પોતાના પક્ષના લોક ધારેલું કામ કરવા ઉશ્કેરાઈ ટપોટપ તૈયાર થાય છે. એકપક્ષી ગ્રંથોનો આ હેતુ તથા લાભ ન સમજાયાથી કેટલાક સ્વપક્ષી પણ આવા ગ્રંથને નીંંદે છે, અને કહે છે, કે વિવેકથી લખ્યું હોત તો લોકોનાં દિલમાં ઊતરત. પણ પ્રતિપક્ષીઓનાં દિલમાં ઉતારવું એ આવા ગ્રંથનું કર્તવ્ય જ નથી. અને આ ભેદના અજ્ઞાનને લીધે વખતે ગ્રંથકાર પોતે પણ લોકનો અનાદર જોઈ નાઉમેદ થાય છે કે મારું કહ્યું કોઈ સાંભળતું નથી. પણ એવા લખાણથી પોતાના પક્ષના કેટલા સબળ તથા સતેજ થયા તેનો તે વિચાર કરતો નથી. સ્પષ્ટવક્તાપણું એ જ ખરો ધર્મ છે; એ જ ખરું ડહાપણ છે; અને એ જ સરસ લખાણનું રહસ્ય છે. આવા ગ્રંથનો જો કદાપિ ચોતરફથી ફિટકાર થાય, તોપણ ભલા ગ્રંથકારનો એ જ ધર્મ છે કે ‘સત્યમેવ જયતે’ એ વાક્ય ઉપર જ ભરોસો રાખી પોતાના ઉદ્યોગમાં અખંડ સદ્‌બુદ્ધિથી મંડ્યા રહેવું, અને તેમ કરવાથી અમે ઉપર કહ્યું તે પ્રમાણેનો ફાયદો થશે અને તે કાંઈ નાનોસૂનો નથી. સેનાને સશૌર્ય કરવી એ એનું જે કામ તે યુદ્ધ કાળે પરમોપયોગી છે.