ગ્રંથ અને ગ્રંથકાર/જયંત હીરજી ખત્રી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
 
Line 5: Line 5:
{{Poem2Open}}
{{Poem2Open}}
શ્રી જયંત ખત્રીનો જન્મ ઈ.સ. ૧૯૦૯ના ૨૪ મી સપ્ટેમ્બરે કચ્છના મુદ્રા ગામે થયો હતો. માતાનું નામ જમનાબાઈ અને પિતાશ્રી હીરજી હંસરાજ ખત્રી. જ્ઞાતિએ તેઓ બ્રહ્મક્ષત્રિય છે. જયંતભાઈનું લગ્ન શ્રી ઝવેરબહેન સાથે ૧૯૩૫માં થયું હતું. એમણે પ્રાથમિક શિક્ષણ પાટવાળી, દરબારી સ્કૂલમાં અને માધ્યમિક મુંબઈની ભરડા ન્યૂ હાઈસ્કૂલમાં લીધું હતું. ત્યારપછી મુંબઈની નેશનલ મેડિકલ કૉલજમાં ઉચ્ચ અભ્યાસ કરી ઈ.સ.૧૯૩૫માં દાક્તરી ડિગ્રી મેળવી. વ્યવસાયે તેઓ દાક્તર છે અને એ વ્યવસાય એમની લેખનપ્રવૃત્તિને બહુ જ અનુકૂળ છે.
શ્રી જયંત ખત્રીનો જન્મ ઈ.સ. ૧૯૦૯ના ૨૪ મી સપ્ટેમ્બરે કચ્છના મુદ્રા ગામે થયો હતો. માતાનું નામ જમનાબાઈ અને પિતાશ્રી હીરજી હંસરાજ ખત્રી. જ્ઞાતિએ તેઓ બ્રહ્મક્ષત્રિય છે. જયંતભાઈનું લગ્ન શ્રી ઝવેરબહેન સાથે ૧૯૩૫માં થયું હતું. એમણે પ્રાથમિક શિક્ષણ પાટવાળી, દરબારી સ્કૂલમાં અને માધ્યમિક મુંબઈની ભરડા ન્યૂ હાઈસ્કૂલમાં લીધું હતું. ત્યારપછી મુંબઈની નેશનલ મેડિકલ કૉલજમાં ઉચ્ચ અભ્યાસ કરી ઈ.સ.૧૯૩૫માં દાક્તરી ડિગ્રી મેળવી. વ્યવસાયે તેઓ દાક્તર છે અને એ વ્યવસાય એમની લેખનપ્રવૃત્તિને બહુ જ અનુકૂળ છે.
તેમણે વહાણવટા અને બંદરી કામદારો અને ખલાસીઓના મંડળોની સ્થાપના કરી છે, અને એમનું સંચાલન પણ તેઓ જ કરે છે. ડૉ. જયંત ખત્રીની મોટાભાગની નવલિકાઓ માટે સીધી યા આડકતરી રીતે પ્રવૃત્તિ કારણભૂત છે. તેમનું પ્રિય પુસ્તક છે વાલ્મીકિ રામાયણ અને પ્રિય લેખક છે મેક્સિમ ગોર્કી. જયંતભાઈએ ૧૧ વર્ષની વયે વાલ્મીકિ રામાયણનું સમશ્લોકી ગુજરાતી ભાષાંતર વાંચ્યું હતું; અને માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ લેતાં લેતાં ગોર્કી, ચેખોવ, મોપાંસાં, સમરસેટ મોમનાં પુસ્તકો વાંચેલ. તેમણે મુખ્યત્વે ગોર્કીની, નીચલા થરના લોકો દ્વારા જીવનની પ્રતીતિ કરવાની, શૈલી સ્વીકારી છે. 'Pen and Ink'નાં સુશોભન ચિત્રો દ્વારા શ્રી રણછોડલાલ લોટવાળાના ‘હિન્દુસ્તાન અને પ્રજામિત્ર'ની ઑફિસમાં સાહિત્યકારોના પ્રત્યક્ષ સંપર્કમાં આવવાની તક સાંપડી એ એમના લેખકજીવનને પ્રેરનારો એક મહત્ત્વનો પ્રસંગ ગણાય. તદુપરાંત શ્રી બકુલેશની મૈત્રીએ એમને નવલિકા લખવા પ્રેર્યા.  
તેમણે વહાણવટા અને બંદરી કામદારો અને ખલાસીઓના મંડળોની સ્થાપના કરી છે, અને એમનું સંચાલન પણ તેઓ જ કરે છે. ડૉ. જયંત ખત્રીની મોટાભાગની નવલિકાઓ માટે સીધી યા આડકતરી રીતે પ્રવૃત્તિ કારણભૂત છે. તેમનું પ્રિય પુસ્તક છે વાલ્મીકિ રામાયણ અને પ્રિય લેખક છે મેક્સિમ ગોર્કી. જયંતભાઈએ ૧૧ વર્ષની વયે વાલ્મીકિ રામાયણનું સમશ્લોકી ગુજરાતી ભાષાંતર વાંચ્યું હતું; અને માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ લેતાં લેતાં ગોર્કી, ચેખોવ, મોપાંસાં, સમરસેટ મોમનાં પુસ્તકો વાંચેલ. તેમણે મુખ્યત્વે ગોર્કીની, નીચલા થરના લોકો દ્વારા જીવનની પ્રતીતિ કરવાની, શૈલી સ્વીકારી છે. ‘Pen and Ink'નાં સુશોભન ચિત્રો દ્વારા શ્રી રણછોડલાલ લોટવાળાના ‘હિન્દુસ્તાન અને પ્રજામિત્ર'ની ઑફિસમાં સાહિત્યકારોના પ્રત્યક્ષ સંપર્કમાં આવવાની તક સાંપડી એ એમના લેખકજીવનને પ્રેરનારો એક મહત્ત્વનો પ્રસંગ ગણાય. તદુપરાંત શ્રી બકુલેશની મૈત્રીએ એમને નવલિકા લખવા પ્રેર્યા.  
જયંતભાઈ માને છે કે સ્થળ, કાળ અને ઐતિહાસિક પરિબળો પરિવર્તનશીલ સમાજરચનાને જન્મ આપે છે. માનવીનું જીવન આ પરિબળોથી પ્રત્યાઘાત પામી સંઘર્ષરૂપે વ્યક્ત થાય છે. માનવીની અનેકવિધ ઊર્મિઓ જે એકમ છે તે જ તેના જીવનની સમૂહગત સમગ્રતા છે, એ સત્ય એમણે જોયું છે અને એને ધ્યેય તરીકે સ્વીકાર્યું છે. તે ધ્યેય આપોઆપ એમની કૃતિઓમાં કલાત્મક રીતે અભિવ્યક્ત થતું હોય છે. આ માન્યતાના અનુસંધાનમાં વિચારીશું તો મેક્સિમ ગોર્કી જયંતભાઈનો પ્રિય લેખક બની શકે એ સ્વાભાવિક છે, કારણ કે મેકસિમ ગોર્કીએ ઉપસ્થિત પરિસ્થિતિના સંદર્ભમાં માનવવર્તનનું સાચું મૂલ્યાંકન કર્યું છે એમ તેઓ માને છે. ગોર્કી તરફ એમને ખૂબ પક્ષપાત છે. ગોર્કી એના પ્રામાણિક ચિંતન માટે, જીવનમાં અવરોધ ઉત્પન્ન કરતી વૃત્તિઓની આરપાર દૃષ્ટિ લઈ જવાની એની શક્તિ માટે તેમ જ વ્યક્તિગત જીવનમાં એનાં તપ અને સિદ્ધિ માટે જયંતભાઈને ખૂબ ખૂબ ગમે છે.
જયંતભાઈ માને છે કે સ્થળ, કાળ અને ઐતિહાસિક પરિબળો પરિવર્તનશીલ સમાજરચનાને જન્મ આપે છે. માનવીનું જીવન આ પરિબળોથી પ્રત્યાઘાત પામી સંઘર્ષરૂપે વ્યક્ત થાય છે. માનવીની અનેકવિધ ઊર્મિઓ જે એકમ છે તે જ તેના જીવનની સમૂહગત સમગ્રતા છે, એ સત્ય એમણે જોયું છે અને એને ધ્યેય તરીકે સ્વીકાર્યું છે. તે ધ્યેય આપોઆપ એમની કૃતિઓમાં કલાત્મક રીતે અભિવ્યક્ત થતું હોય છે. આ માન્યતાના અનુસંધાનમાં વિચારીશું તો મેક્સિમ ગોર્કી જયંતભાઈનો પ્રિય લેખક બની શકે એ સ્વાભાવિક છે, કારણ કે મેકસિમ ગોર્કીએ ઉપસ્થિત પરિસ્થિતિના સંદર્ભમાં માનવવર્તનનું સાચું મૂલ્યાંકન કર્યું છે એમ તેઓ માને છે. ગોર્કી તરફ એમને ખૂબ પક્ષપાત છે. ગોર્કી એના પ્રામાણિક ચિંતન માટે, જીવનમાં અવરોધ ઉત્પન્ન કરતી વૃત્તિઓની આરપાર દૃષ્ટિ લઈ જવાની એની શક્તિ માટે તેમ જ વ્યક્તિગત જીવનમાં એનાં તપ અને સિદ્ધિ માટે જયંતભાઈને ખૂબ ખૂબ ગમે છે.
નવલિકા જયંતભાઈનો મનગમતો વિષય છે. એમના સર્જનમાં ઉપકારક થાય તે માટે તેઓ નવલિકાઓ, નવલકથાઓ અને ઇતિહાસનું વાચન નિયમિત કરે છે. એમના સાહિત્યસર્જનમાં ૧૯૩૦ના સત્યાગ્રહનો જુવાળ ખૂબ પ્રેરણાદાયી નીવડ્યો હતો. આદર્શોના એ યુગપ્રવાહ દરમ્યાન એના અંશ તરીકે અસ્તિત્વ ધરાવવાનો એમનો આગ્રહ હતો. આ ખુમારીએ એમના સાહિત્યસર્જનમાં અગ્રભાગ ભજવ્યો હતો.
નવલિકા જયંતભાઈનો મનગમતો વિષય છે. એમના સર્જનમાં ઉપકારક થાય તે માટે તેઓ નવલિકાઓ, નવલકથાઓ અને ઇતિહાસનું વાચન નિયમિત કરે છે. એમના સાહિત્યસર્જનમાં ૧૯૩૦ના સત્યાગ્રહનો જુવાળ ખૂબ પ્રેરણાદાયી નીવડ્યો હતો. આદર્શોના એ યુગપ્રવાહ દરમ્યાન એના અંશ તરીકે અસ્તિત્વ ધરાવવાનો એમનો આગ્રહ હતો. આ ખુમારીએ એમના સાહિત્યસર્જનમાં અગ્રભાગ ભજવ્યો હતો.
એમનો પ્રથમ વાર્તાસંગ્રહ 'ફોરાં' નોંધપાત્ર સિદ્ધિ દાખવી જાય છે. એમાંની એક નવલિકા 'લોહીનું ટીપું' તો ગુજરાતી ટૂંકી વાર્તાનાં સંપાદનમાં સ્થાન પામી છે. આ વાર્તા બદલ તેમને 'મહિડા ચંદ્રક' પણ અર્પણ થયેલ. તેમણે નવલિકાક્ષેત્રે શૈલી અને વિષયવસ્તુની નવી જ ભાત પાડતી વાર્તાઓ આપીને એમાં ઊંચું કલાતત્ત્વ સિદ્ધ કર્યું છે. શ્રી ખત્રી આપણા અતિ આશાસ્પદ વાર્તાકાર છે અને એમની પાસેથી ગુજરાતને ઉત્તમ કોટિની નવલિકાઓ પ્રાપ્ત થશે એવી, એમની કેટલીક મૂલ્યવાન વાર્તાઓ વાંચતાં, આશા પડે છે. તેમનો નવો વાર્તાસંગ્રહ 'ખરા બપોર' પ્રગટ થવામાં છે.
એમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ફોરાં' નોંધપાત્ર સિદ્ધિ દાખવી જાય છે. એમાંની એક નવલિકા ‘લોહીનું ટીપું' તો ગુજરાતી ટૂંકી વાર્તાનાં સંપાદનમાં સ્થાન પામી છે. આ વાર્તા બદલ તેમને ‘મહિડા ચંદ્રક' પણ અર્પણ થયેલ. તેમણે નવલિકાક્ષેત્રે શૈલી અને વિષયવસ્તુની નવી જ ભાત પાડતી વાર્તાઓ આપીને એમાં ઊંચું કલાતત્ત્વ સિદ્ધ કર્યું છે. શ્રી ખત્રી આપણા અતિ આશાસ્પદ વાર્તાકાર છે અને એમની પાસેથી ગુજરાતને ઉત્તમ કોટિની નવલિકાઓ પ્રાપ્ત થશે એવી, એમની કેટલીક મૂલ્યવાન વાર્તાઓ વાંચતાં, આશા પડે છે. તેમનો નવો વાર્તાસંગ્રહ ‘ખરા બપોર' પ્રગટ થવામાં છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>'''કૃતિઓ'''
<poem>'''કૃતિઓ'''
Line 16: Line 16:
{{gap}}પ્રકાશક : ચેતન પ્રકાશનગૃહ લિ., મુંબઈ.
{{gap}}પ્રકાશક : ચેતન પ્રકાશનગૃહ લિ., મુંબઈ.
'''અભ્યાસ-સામગ્રી :'''
'''અભ્યાસ-સામગ્રી :'''
'આપણી શ્રેષ્ઠ નવલિકાઓ' (સં. ગુલાબદાસ બ્રોકર)નો પ્રવેશક. ગુજરાતી નવલિકાવિષયક લખાયેલા લેખો.</poem>
‘આપણી શ્રેષ્ઠ નવલિકાઓ' (સં. ગુલાબદાસ બ્રોકર)નો પ્રવેશક. ગુજરાતી નવલિકાવિષયક લખાયેલા લેખો.</poem>


{{right|'''સરનામું :''' માંડવી, કચ્છ.}}<br>
{{right|'''સરનામું :''' માંડવી, કચ્છ.}}<br>

Latest revision as of 02:58, 13 June 2024

જયંત હીરજી ખત્રી

[૨૪-૯-૧૯૦૯]

શ્રી જયંત ખત્રીનો જન્મ ઈ.સ. ૧૯૦૯ના ૨૪ મી સપ્ટેમ્બરે કચ્છના મુદ્રા ગામે થયો હતો. માતાનું નામ જમનાબાઈ અને પિતાશ્રી હીરજી હંસરાજ ખત્રી. જ્ઞાતિએ તેઓ બ્રહ્મક્ષત્રિય છે. જયંતભાઈનું લગ્ન શ્રી ઝવેરબહેન સાથે ૧૯૩૫માં થયું હતું. એમણે પ્રાથમિક શિક્ષણ પાટવાળી, દરબારી સ્કૂલમાં અને માધ્યમિક મુંબઈની ભરડા ન્યૂ હાઈસ્કૂલમાં લીધું હતું. ત્યારપછી મુંબઈની નેશનલ મેડિકલ કૉલજમાં ઉચ્ચ અભ્યાસ કરી ઈ.સ.૧૯૩૫માં દાક્તરી ડિગ્રી મેળવી. વ્યવસાયે તેઓ દાક્તર છે અને એ વ્યવસાય એમની લેખનપ્રવૃત્તિને બહુ જ અનુકૂળ છે. તેમણે વહાણવટા અને બંદરી કામદારો અને ખલાસીઓના મંડળોની સ્થાપના કરી છે, અને એમનું સંચાલન પણ તેઓ જ કરે છે. ડૉ. જયંત ખત્રીની મોટાભાગની નવલિકાઓ માટે સીધી યા આડકતરી રીતે પ્રવૃત્તિ કારણભૂત છે. તેમનું પ્રિય પુસ્તક છે વાલ્મીકિ રામાયણ અને પ્રિય લેખક છે મેક્સિમ ગોર્કી. જયંતભાઈએ ૧૧ વર્ષની વયે વાલ્મીકિ રામાયણનું સમશ્લોકી ગુજરાતી ભાષાંતર વાંચ્યું હતું; અને માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ લેતાં લેતાં ગોર્કી, ચેખોવ, મોપાંસાં, સમરસેટ મોમનાં પુસ્તકો વાંચેલ. તેમણે મુખ્યત્વે ગોર્કીની, નીચલા થરના લોકો દ્વારા જીવનની પ્રતીતિ કરવાની, શૈલી સ્વીકારી છે. ‘Pen and Ink'નાં સુશોભન ચિત્રો દ્વારા શ્રી રણછોડલાલ લોટવાળાના ‘હિન્દુસ્તાન અને પ્રજામિત્ર'ની ઑફિસમાં સાહિત્યકારોના પ્રત્યક્ષ સંપર્કમાં આવવાની તક સાંપડી એ એમના લેખકજીવનને પ્રેરનારો એક મહત્ત્વનો પ્રસંગ ગણાય. તદુપરાંત શ્રી બકુલેશની મૈત્રીએ એમને નવલિકા લખવા પ્રેર્યા. જયંતભાઈ માને છે કે સ્થળ, કાળ અને ઐતિહાસિક પરિબળો પરિવર્તનશીલ સમાજરચનાને જન્મ આપે છે. માનવીનું જીવન આ પરિબળોથી પ્રત્યાઘાત પામી સંઘર્ષરૂપે વ્યક્ત થાય છે. માનવીની અનેકવિધ ઊર્મિઓ જે એકમ છે તે જ તેના જીવનની સમૂહગત સમગ્રતા છે, એ સત્ય એમણે જોયું છે અને એને ધ્યેય તરીકે સ્વીકાર્યું છે. તે ધ્યેય આપોઆપ એમની કૃતિઓમાં કલાત્મક રીતે અભિવ્યક્ત થતું હોય છે. આ માન્યતાના અનુસંધાનમાં વિચારીશું તો મેક્સિમ ગોર્કી જયંતભાઈનો પ્રિય લેખક બની શકે એ સ્વાભાવિક છે, કારણ કે મેકસિમ ગોર્કીએ ઉપસ્થિત પરિસ્થિતિના સંદર્ભમાં માનવવર્તનનું સાચું મૂલ્યાંકન કર્યું છે એમ તેઓ માને છે. ગોર્કી તરફ એમને ખૂબ પક્ષપાત છે. ગોર્કી એના પ્રામાણિક ચિંતન માટે, જીવનમાં અવરોધ ઉત્પન્ન કરતી વૃત્તિઓની આરપાર દૃષ્ટિ લઈ જવાની એની શક્તિ માટે તેમ જ વ્યક્તિગત જીવનમાં એનાં તપ અને સિદ્ધિ માટે જયંતભાઈને ખૂબ ખૂબ ગમે છે. નવલિકા જયંતભાઈનો મનગમતો વિષય છે. એમના સર્જનમાં ઉપકારક થાય તે માટે તેઓ નવલિકાઓ, નવલકથાઓ અને ઇતિહાસનું વાચન નિયમિત કરે છે. એમના સાહિત્યસર્જનમાં ૧૯૩૦ના સત્યાગ્રહનો જુવાળ ખૂબ પ્રેરણાદાયી નીવડ્યો હતો. આદર્શોના એ યુગપ્રવાહ દરમ્યાન એના અંશ તરીકે અસ્તિત્વ ધરાવવાનો એમનો આગ્રહ હતો. આ ખુમારીએ એમના સાહિત્યસર્જનમાં અગ્રભાગ ભજવ્યો હતો. એમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ફોરાં' નોંધપાત્ર સિદ્ધિ દાખવી જાય છે. એમાંની એક નવલિકા ‘લોહીનું ટીપું' તો ગુજરાતી ટૂંકી વાર્તાનાં સંપાદનમાં સ્થાન પામી છે. આ વાર્તા બદલ તેમને ‘મહિડા ચંદ્રક' પણ અર્પણ થયેલ. તેમણે નવલિકાક્ષેત્રે શૈલી અને વિષયવસ્તુની નવી જ ભાત પાડતી વાર્તાઓ આપીને એમાં ઊંચું કલાતત્ત્વ સિદ્ધ કર્યું છે. શ્રી ખત્રી આપણા અતિ આશાસ્પદ વાર્તાકાર છે અને એમની પાસેથી ગુજરાતને ઉત્તમ કોટિની નવલિકાઓ પ્રાપ્ત થશે એવી, એમની કેટલીક મૂલ્યવાન વાર્તાઓ વાંચતાં, આશા પડે છે. તેમનો નવો વાર્તાસંગ્રહ ‘ખરા બપોર' પ્રગટ થવામાં છે.

કૃતિઓ
૧. ફોરાં : મૌલિક, નવલિકાસંગ્રહ; પ્ર. સાલ ૧૯૪૪.
પ્રકાશક : પદ્મ પ્રકાશન લિ., મુંબઈ.
२. વહેતાં ઝરણાં : મૌલિક, નવલિકાસંગ્રહ; પ્ર. સાલ ૧૯૪૨.
પ્રકાશક : ચેતન પ્રકાશનગૃહ લિ., મુંબઈ.
અભ્યાસ-સામગ્રી :
‘આપણી શ્રેષ્ઠ નવલિકાઓ' (સં. ગુલાબદાસ બ્રોકર)નો પ્રવેશક. ગુજરાતી નવલિકાવિષયક લખાયેલા લેખો.

સરનામું : માંડવી, કચ્છ.