ગ્રંથ અને ગ્રંથકાર/રતિલાલ કાશીલાલ છાયા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 5: Line 5:
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિશ્રી રતિલાલ છાયા પોરબંદરના વતની છે. એમનો જન્મ તા. ૨૦-૧૧-૧૯૦૮ના દિવસે એ જ જિલ્લાના ભડ ગામમાં થયો હતો. જ્ઞાતિએ તેઓ વડનગરા નાગર ગૃહસ્થ છે. પિતાનું નામ શ્રી કાશીલાલ મૂળશંકર છાયા અને માતાનું નામ છોટીબહેન. એમનાં લગ્ન ઈ. ૧૯૩૫માં ઇલાદેવી સાથે થયાં હતાં.
કવિશ્રી રતિલાલ છાયા પોરબંદરના વતની છે. એમનો જન્મ તા. ૨૦-૧૧-૧૯૦૮ના દિવસે એ જ જિલ્લાના ભડ ગામમાં થયો હતો. જ્ઞાતિએ તેઓ વડનગરા નાગર ગૃહસ્થ છે. પિતાનું નામ શ્રી કાશીલાલ મૂળશંકર છાયા અને માતાનું નામ છોટીબહેન. એમનાં લગ્ન ઈ. ૧૯૩૫માં ઇલાદેવી સાથે થયાં હતાં.
પ્રાથમિક શિક્ષણ તાલુકા સ્કૂલમાં લઈને તેઓ પોરબંદરની ભાવસિંહજી હાઈસ્કૂલમાં દાખલ થયેલા, અને ત્યાં મેટ્રિક સુધીનું શિક્ષણ લીધું (૧૯૨૯), સંગીત અને ચિત્રકલા એ બંને એમના ખાસ અભ્યાસવિષયો હતા. એમને મુખ્ય વ્યવસાય શિક્ષણનો છે. ભાવસિંહજી હાઈસ્કૂલમાં જ તેઓ ૧૯૨૯થી અત્યાર સુધી શિક્ષક તરીકેની કામગીરી બજાવે છે. ઉપરાંત, રાજ્યના શિક્ષણખાતાના શૈક્ષણિક સામયિક 'હનુમાન જર્નલ'નું શ્રી છોટાલાલ લ. માંકડ સાથે સહ સંપાદન પણ એમણે કરેલું છે.
પ્રાથમિક શિક્ષણ તાલુકા સ્કૂલમાં લઈને તેઓ પોરબંદરની ભાવસિંહજી હાઈસ્કૂલમાં દાખલ થયેલા, અને ત્યાં મેટ્રિક સુધીનું શિક્ષણ લીધું (૧૯૨૯), સંગીત અને ચિત્રકલા એ બંને એમના ખાસ અભ્યાસવિષયો હતા. એમને મુખ્ય વ્યવસાય શિક્ષણનો છે. ભાવસિંહજી હાઈસ્કૂલમાં જ તેઓ ૧૯૨૯થી અત્યાર સુધી શિક્ષક તરીકેની કામગીરી બજાવે છે. ઉપરાંત, રાજ્યના શિક્ષણખાતાના શૈક્ષણિક સામયિક ‘હનુમાન જર્નલ'નું શ્રી છોટાલાલ લ. માંકડ સાથે સહ સંપાદન પણ એમણે કરેલું છે.
શ્રી અરવિંદ, સ્વામી વિવેકાનંદ, રવીન્દ્રનાથ ઠાકુર, રાધાકૃષ્ણન અને મહાત્મા ગાંધીજી, ન્હાનાલાલ, મેઘાણી અને સરોજિની નાયડુની અભ્યાસકાળ દરમ્યાન વાંચેલી કૃતિઓએ અને એ પછી રાષ્ટ્રીય પ્રવૃત્તિની સામુદાયિક ભાવનાએ એમના જીવન પર પ્રબળ અસર કરી છે. ટાગોર, મીરા, પ્રેમાનંદ, ન્હાનાલાલ, ઉમાશંકર, સુન્દરમ્, રામનારાયણ એમના પ્રિય લેખકો છે અને ‘ઈશાવાસ્ય ઉપનિષદ', 'ગીતાંજલિ', 'એન્ડ ઍન્ડ મીન્સ', 'લાઇફ ડિવાઈન' અને 'કલ્કી ઍન્ડ ફ્યુચર ઓફ સિવિલિઝેશન’-એમના પ્રિય ગ્રંથો છે. કાલિદાસ, શેલી અને મોપાંસાનું પણ એમને પ્રબળ આકર્ષણ છે. કાવ્ય, એના અત્યંત સૂક્ષ્મ ઉપાદાનને કારણે એમને પ્રિય સાહિત્યપ્રકાર છે. દેશપરદેશના ઉત્તમ શિષ્ટ સાહિત્યગ્રંથો તેઓ વિશેષ વાંચે છે. સંસ્કૃત અને અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા કાવ્યગ્રંથ અને ઉત્તમ વિવેચકોના વિવેચનગ્રંથો ઉપરાંત, ધર્મ, તત્ત્વજ્ઞાન, સંસ્કૃતિ, રાજકારણ, લલિત કલાદિનાં પુસ્તકો પણ વાંચે છે. એમના સાહિત્યસર્જનમાં ધર્મ-સંસ્કૃતિ-તત્ત્વજ્ઞાન- રાષ્ટ્રીયતા અને આંતરરાષ્ટ્રીય ભાવનાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેમની લેખનપ્રવૃત્તિનો ઉદ્દેશ સમસ્ત જીવનને સમજવા તથા તે દ્વારા જીવનને આસ્વાદ લેવાનો, માનવ-માનવના હૃદય વચ્ચેનું અનુસંધાન પામવાનો છે; કવિતાને–માનવજીવનના સર્જનાત્મક આવિષ્કારને સામાન્ય માણસને માટે ૫ણ મનોગત કરવાનો છે.
શ્રી અરવિંદ, સ્વામી વિવેકાનંદ, રવીન્દ્રનાથ ઠાકુર, રાધાકૃષ્ણન અને મહાત્મા ગાંધીજી, ન્હાનાલાલ, મેઘાણી અને સરોજિની નાયડુની અભ્યાસકાળ દરમ્યાન વાંચેલી કૃતિઓએ અને એ પછી રાષ્ટ્રીય પ્રવૃત્તિની સામુદાયિક ભાવનાએ એમના જીવન પર પ્રબળ અસર કરી છે. ટાગોર, મીરા, પ્રેમાનંદ, ન્હાનાલાલ, ઉમાશંકર, સુન્દરમ્, રામનારાયણ એમના પ્રિય લેખકો છે અને ‘ઈશાવાસ્ય ઉપનિષદ', ‘ગીતાંજલિ', ‘એન્ડ ઍન્ડ મીન્સ', ‘લાઇફ ડિવાઈન' અને ‘કલ્કી ઍન્ડ ફ્યુચર ઓફ સિવિલિઝેશન’-એમના પ્રિય ગ્રંથો છે. કાલિદાસ, શેલી અને મોપાંસાનું પણ એમને પ્રબળ આકર્ષણ છે. કાવ્ય, એના અત્યંત સૂક્ષ્મ ઉપાદાનને કારણે એમને પ્રિય સાહિત્યપ્રકાર છે. દેશપરદેશના ઉત્તમ શિષ્ટ સાહિત્યગ્રંથો તેઓ વિશેષ વાંચે છે. સંસ્કૃત અને અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા કાવ્યગ્રંથ અને ઉત્તમ વિવેચકોના વિવેચનગ્રંથો ઉપરાંત, ધર્મ, તત્ત્વજ્ઞાન, સંસ્કૃતિ, રાજકારણ, લલિત કલાદિનાં પુસ્તકો પણ વાંચે છે. એમના સાહિત્યસર્જનમાં ધર્મ-સંસ્કૃતિ-તત્ત્વજ્ઞાન- રાષ્ટ્રીયતા અને આંતરરાષ્ટ્રીય ભાવનાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેમની લેખનપ્રવૃત્તિનો ઉદ્દેશ સમસ્ત જીવનને સમજવા તથા તે દ્વારા જીવનને આસ્વાદ લેવાનો, માનવ-માનવના હૃદય વચ્ચેનું અનુસંધાન પામવાનો છે; કવિતાને–માનવજીવનના સર્જનાત્મક આવિષ્કારને સામાન્ય માણસને માટે ૫ણ મનોગત કરવાનો છે.
એમની લેખનપ્રવૃત્તિનો આરંભ ઈ.સ. ૧૯૨૯માં, વિદ્યાર્થી-અવસ્થામાં, હસ્તલિખિત સામયિક દ્વારા થયેલો. એમનું પ્રથમ કાવ્ય 'ખરતા તારકને ', શ્રી ક. મા. મુનશીના ‘ગુજરાત'માં પ્રસિદ્ધ થયેલું. એમની પ્રથમ કાવ્યકૃતિ ‘ઝાકળનાં મોતી' ઈ.સ. ૧૯૩૫માં પ્રગટ થયેલી. એ પછી એમના ‘સોહિણી’ અને ‘હિંડોલ' એ બે કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે.
એમની લેખનપ્રવૃત્તિનો આરંભ ઈ.સ. ૧૯૨૯માં, વિદ્યાર્થી-અવસ્થામાં, હસ્તલિખિત સામયિક દ્વારા થયેલો. એમનું પ્રથમ કાવ્ય ‘ખરતા તારકને ', શ્રી ક. મા. મુનશીના ‘ગુજરાત'માં પ્રસિદ્ધ થયેલું. એમની પ્રથમ કાવ્યકૃતિ ‘ઝાકળનાં મોતી' ઈ.સ. ૧૯૩૫માં પ્રગટ થયેલી. એ પછી એમના ‘સોહિણી’ અને ‘હિંડોલ' એ બે કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે.
કવિશ્રી છાયાએ છંદોબદ્ધ કાવ્યો અને ગીતરચનાઓ બંને લખેલ છે, પરંતુ ગીત કરતાં છંદમાં એમની હથોટી વિશેષ વરતાય છે. એમણે પ્રકૃતિનાં, માનવજીવનનાં, દેશભક્તિનાં અને અધ્યાત્મ વિષયનાં કાવ્યો લખ્યાં છે. ક્યાંક શૃંગાર કે વિનોદવૃત્તિની ચમક પણ આસ્વાદવા મળી જાય છે ખરી. તેમ છતાં પોરબંદરની સાગરસમૃદ્ધિનું આકંઠ પાન કરનાર આ કવિએ સાગર- વિષયક કેટલાંક સુંદર કાવ્યો આપ્યાં છે. એમના આફ્રિકા પ્રવાસે પણ આ૫ણને આફ્રિકાવિષયક આખો કાવ્યગુચ્છ સંપડાવી આપ્યો છે. ભારતની દુર્દશા એમણે વેદનાયુક્ત હૈયે ગાઈ છે, તો મુક્ત ભારતને અર્ધ્ય પણ આપ્યો છે. પરંપરાની આપણી અધ્યાત્મકવિતાનું અનુસંધાન શ્રી છાયાની કવિતામાં જોવા મળે છે, અને એમાં ટાગોર અને શ્રી અરવિંદની અસર ઝિલાયેલી છે. બંગાળી રીતિ પણ એમની રચનાઓમાં દેખા દે છે. ‘સ્મૃતિ પાથેય', 'નારીત્વની પૂર્ણિમાએ', 'રેતી કણ' જેવી એમની કૃતિઓ નોંધપાત્ર છે. મનનપ્રધાન છંદોબદ્ધ કાવ્યોમાં શ્રી છાયાની શક્તિનાં સારાં દર્શન થાય છે. શબ્દસંગીત અને અલંકારની મનોહારિતા એમની કૃતિઓને ચારુતા અર્પે છે.
કવિશ્રી છાયાએ છંદોબદ્ધ કાવ્યો અને ગીતરચનાઓ બંને લખેલ છે, પરંતુ ગીત કરતાં છંદમાં એમની હથોટી વિશેષ વરતાય છે. એમણે પ્રકૃતિનાં, માનવજીવનનાં, દેશભક્તિનાં અને અધ્યાત્મ વિષયનાં કાવ્યો લખ્યાં છે. ક્યાંક શૃંગાર કે વિનોદવૃત્તિની ચમક પણ આસ્વાદવા મળી જાય છે ખરી. તેમ છતાં પોરબંદરની સાગરસમૃદ્ધિનું આકંઠ પાન કરનાર આ કવિએ સાગર- વિષયક કેટલાંક સુંદર કાવ્યો આપ્યાં છે. એમના આફ્રિકા પ્રવાસે પણ આ૫ણને આફ્રિકાવિષયક આખો કાવ્યગુચ્છ સંપડાવી આપ્યો છે. ભારતની દુર્દશા એમણે વેદનાયુક્ત હૈયે ગાઈ છે, તો મુક્ત ભારતને અર્ધ્ય પણ આપ્યો છે. પરંપરાની આપણી અધ્યાત્મકવિતાનું અનુસંધાન શ્રી છાયાની કવિતામાં જોવા મળે છે, અને એમાં ટાગોર અને શ્રી અરવિંદની અસર ઝિલાયેલી છે. બંગાળી રીતિ પણ એમની રચનાઓમાં દેખા દે છે. ‘સ્મૃતિ પાથેય', ‘નારીત્વની પૂર્ણિમાએ', ‘રેતી કણ' જેવી એમની કૃતિઓ નોંધપાત્ર છે. મનનપ્રધાન છંદોબદ્ધ કાવ્યોમાં શ્રી છાયાની શક્તિનાં સારાં દર્શન થાય છે. શબ્દસંગીત અને અલંકારની મનોહારિતા એમની કૃતિઓને ચારુતા અર્પે છે.
શ્રી છાયાને સંસ્કારપ્રવૃત્તિઓમાં પણ ઊંડો રસ છે. સ્થાનિક ‘પથદીપ' સંસ્કારમંડળના તેઓ આયોજક અને સંચાલક છે. ગુજરાતી સાહિત્ય પરિષદ ને પોરબંદર રોટરી ક્લબ સાથે તેઓ જોડાયેલા છે. ‘ઇન્ડિયન કાઉન્સિલ ઑફ વર્લ્ડ ઍફેસ'ના સ્થાનિક શાખાના મંત્રી તરીકે,  ‘જયભારત' (દૈનિક)ના સાહિત્ય વિભાગના સંપાદક તરીકે અને ગુજરાત લેખક મિલનના મંત્રી તરીકે પણ તેમણે થોડાક સમય કાર્ય કર્યું હતું. ૧૯૩૫-૩૬માં પ્રકાશ પિકચર્સ, અંધેરીના પ્રકાશન મંત્રી (પબ્લિસિટી ઑફિસર) તરીકેની પણ કામગીરી બજાવેલી.
શ્રી છાયાને સંસ્કારપ્રવૃત્તિઓમાં પણ ઊંડો રસ છે. સ્થાનિક ‘પથદીપ' સંસ્કારમંડળના તેઓ આયોજક અને સંચાલક છે. ગુજરાતી સાહિત્ય પરિષદ ને પોરબંદર રોટરી ક્લબ સાથે તેઓ જોડાયેલા છે. ‘ઇન્ડિયન કાઉન્સિલ ઑફ વર્લ્ડ ઍફેસ'ના સ્થાનિક શાખાના મંત્રી તરીકે,  ‘જયભારત' (દૈનિક)ના સાહિત્ય વિભાગના સંપાદક તરીકે અને ગુજરાત લેખક મિલનના મંત્રી તરીકે પણ તેમણે થોડાક સમય કાર્ય કર્યું હતું. ૧૯૩૫-૩૬માં પ્રકાશ પિકચર્સ, અંધેરીના પ્રકાશન મંત્રી (પબ્લિસિટી ઑફિસર) તરીકેની પણ કામગીરી બજાવેલી.
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 19: Line 19:
{{gap}}પ્રકાશક : પોતે (વિક્રેતા: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ).
{{gap}}પ્રકાશક : પોતે (વિક્રેતા: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ).
'''અભ્યાસ-સામગ્રી :'''
'''અભ્યાસ-સામગ્રી :'''
૧. શ્રી રામનારાયણ પાઠક, પ્રસ્થાન-૧૯૩૫ ('ઝાકળનાં મોતી' માટે).
૧. શ્રી રામનારાયણ પાઠક, પ્રસ્થાન-૧૯૩૫ (‘ઝાકળનાં મોતી' માટે).
૨. ‘સોહિણી'ની પ્રસ્તાવના, શ્રી ઉમાશંકર જોશી.
૨. ‘સોહિણી'ની પ્રસ્તાવના, શ્રી ઉમાશંકર જોશી.
{{gap}}‘ઉપાયન', શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી.
{{gap}}‘ઉપાયન', શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી.

Latest revision as of 02:02, 14 June 2024

રતિલાલ કાશીલાલ છાયા

[૨૦-૧૧-૧૯૦૮]

કવિશ્રી રતિલાલ છાયા પોરબંદરના વતની છે. એમનો જન્મ તા. ૨૦-૧૧-૧૯૦૮ના દિવસે એ જ જિલ્લાના ભડ ગામમાં થયો હતો. જ્ઞાતિએ તેઓ વડનગરા નાગર ગૃહસ્થ છે. પિતાનું નામ શ્રી કાશીલાલ મૂળશંકર છાયા અને માતાનું નામ છોટીબહેન. એમનાં લગ્ન ઈ. ૧૯૩૫માં ઇલાદેવી સાથે થયાં હતાં. પ્રાથમિક શિક્ષણ તાલુકા સ્કૂલમાં લઈને તેઓ પોરબંદરની ભાવસિંહજી હાઈસ્કૂલમાં દાખલ થયેલા, અને ત્યાં મેટ્રિક સુધીનું શિક્ષણ લીધું (૧૯૨૯), સંગીત અને ચિત્રકલા એ બંને એમના ખાસ અભ્યાસવિષયો હતા. એમને મુખ્ય વ્યવસાય શિક્ષણનો છે. ભાવસિંહજી હાઈસ્કૂલમાં જ તેઓ ૧૯૨૯થી અત્યાર સુધી શિક્ષક તરીકેની કામગીરી બજાવે છે. ઉપરાંત, રાજ્યના શિક્ષણખાતાના શૈક્ષણિક સામયિક ‘હનુમાન જર્નલ'નું શ્રી છોટાલાલ લ. માંકડ સાથે સહ સંપાદન પણ એમણે કરેલું છે. શ્રી અરવિંદ, સ્વામી વિવેકાનંદ, રવીન્દ્રનાથ ઠાકુર, રાધાકૃષ્ણન અને મહાત્મા ગાંધીજી, ન્હાનાલાલ, મેઘાણી અને સરોજિની નાયડુની અભ્યાસકાળ દરમ્યાન વાંચેલી કૃતિઓએ અને એ પછી રાષ્ટ્રીય પ્રવૃત્તિની સામુદાયિક ભાવનાએ એમના જીવન પર પ્રબળ અસર કરી છે. ટાગોર, મીરા, પ્રેમાનંદ, ન્હાનાલાલ, ઉમાશંકર, સુન્દરમ્, રામનારાયણ એમના પ્રિય લેખકો છે અને ‘ઈશાવાસ્ય ઉપનિષદ', ‘ગીતાંજલિ', ‘એન્ડ ઍન્ડ મીન્સ', ‘લાઇફ ડિવાઈન' અને ‘કલ્કી ઍન્ડ ફ્યુચર ઓફ સિવિલિઝેશન’-એમના પ્રિય ગ્રંથો છે. કાલિદાસ, શેલી અને મોપાંસાનું પણ એમને પ્રબળ આકર્ષણ છે. કાવ્ય, એના અત્યંત સૂક્ષ્મ ઉપાદાનને કારણે એમને પ્રિય સાહિત્યપ્રકાર છે. દેશપરદેશના ઉત્તમ શિષ્ટ સાહિત્યગ્રંથો તેઓ વિશેષ વાંચે છે. સંસ્કૃત અને અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા કાવ્યગ્રંથ અને ઉત્તમ વિવેચકોના વિવેચનગ્રંથો ઉપરાંત, ધર્મ, તત્ત્વજ્ઞાન, સંસ્કૃતિ, રાજકારણ, લલિત કલાદિનાં પુસ્તકો પણ વાંચે છે. એમના સાહિત્યસર્જનમાં ધર્મ-સંસ્કૃતિ-તત્ત્વજ્ઞાન- રાષ્ટ્રીયતા અને આંતરરાષ્ટ્રીય ભાવનાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેમની લેખનપ્રવૃત્તિનો ઉદ્દેશ સમસ્ત જીવનને સમજવા તથા તે દ્વારા જીવનને આસ્વાદ લેવાનો, માનવ-માનવના હૃદય વચ્ચેનું અનુસંધાન પામવાનો છે; કવિતાને–માનવજીવનના સર્જનાત્મક આવિષ્કારને સામાન્ય માણસને માટે ૫ણ મનોગત કરવાનો છે. એમની લેખનપ્રવૃત્તિનો આરંભ ઈ.સ. ૧૯૨૯માં, વિદ્યાર્થી-અવસ્થામાં, હસ્તલિખિત સામયિક દ્વારા થયેલો. એમનું પ્રથમ કાવ્ય ‘ખરતા તારકને ', શ્રી ક. મા. મુનશીના ‘ગુજરાત'માં પ્રસિદ્ધ થયેલું. એમની પ્રથમ કાવ્યકૃતિ ‘ઝાકળનાં મોતી' ઈ.સ. ૧૯૩૫માં પ્રગટ થયેલી. એ પછી એમના ‘સોહિણી’ અને ‘હિંડોલ' એ બે કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. કવિશ્રી છાયાએ છંદોબદ્ધ કાવ્યો અને ગીતરચનાઓ બંને લખેલ છે, પરંતુ ગીત કરતાં છંદમાં એમની હથોટી વિશેષ વરતાય છે. એમણે પ્રકૃતિનાં, માનવજીવનનાં, દેશભક્તિનાં અને અધ્યાત્મ વિષયનાં કાવ્યો લખ્યાં છે. ક્યાંક શૃંગાર કે વિનોદવૃત્તિની ચમક પણ આસ્વાદવા મળી જાય છે ખરી. તેમ છતાં પોરબંદરની સાગરસમૃદ્ધિનું આકંઠ પાન કરનાર આ કવિએ સાગર- વિષયક કેટલાંક સુંદર કાવ્યો આપ્યાં છે. એમના આફ્રિકા પ્રવાસે પણ આ૫ણને આફ્રિકાવિષયક આખો કાવ્યગુચ્છ સંપડાવી આપ્યો છે. ભારતની દુર્દશા એમણે વેદનાયુક્ત હૈયે ગાઈ છે, તો મુક્ત ભારતને અર્ધ્ય પણ આપ્યો છે. પરંપરાની આપણી અધ્યાત્મકવિતાનું અનુસંધાન શ્રી છાયાની કવિતામાં જોવા મળે છે, અને એમાં ટાગોર અને શ્રી અરવિંદની અસર ઝિલાયેલી છે. બંગાળી રીતિ પણ એમની રચનાઓમાં દેખા દે છે. ‘સ્મૃતિ પાથેય', ‘નારીત્વની પૂર્ણિમાએ', ‘રેતી કણ' જેવી એમની કૃતિઓ નોંધપાત્ર છે. મનનપ્રધાન છંદોબદ્ધ કાવ્યોમાં શ્રી છાયાની શક્તિનાં સારાં દર્શન થાય છે. શબ્દસંગીત અને અલંકારની મનોહારિતા એમની કૃતિઓને ચારુતા અર્પે છે. શ્રી છાયાને સંસ્કારપ્રવૃત્તિઓમાં પણ ઊંડો રસ છે. સ્થાનિક ‘પથદીપ' સંસ્કારમંડળના તેઓ આયોજક અને સંચાલક છે. ગુજરાતી સાહિત્ય પરિષદ ને પોરબંદર રોટરી ક્લબ સાથે તેઓ જોડાયેલા છે. ‘ઇન્ડિયન કાઉન્સિલ ઑફ વર્લ્ડ ઍફેસ'ના સ્થાનિક શાખાના મંત્રી તરીકે, ‘જયભારત' (દૈનિક)ના સાહિત્ય વિભાગના સંપાદક તરીકે અને ગુજરાત લેખક મિલનના મંત્રી તરીકે પણ તેમણે થોડાક સમય કાર્ય કર્યું હતું. ૧૯૩૫-૩૬માં પ્રકાશ પિકચર્સ, અંધેરીના પ્રકાશન મંત્રી (પબ્લિસિટી ઑફિસર) તરીકેની પણ કામગીરી બજાવેલી.

કૃતિઓ
૧. ઝાકળનાં મોતી : મૌલિક, કાવ્ય: પ્ર. સાલ ૧૯૩૫.
પ્રકાશક : યશ પ્રકાશન મંદિર, પોરબંદર.
૨. સોહોણી: મૌલિક, કાવ્યસંગ્રહ; પ્ર. સાલ ૧૯૫૧.
પ્રકાશક : પોતે (વિક્રેતા : ભારતી સાહિત્ય સંઘ, અમદાવાદ).
૩. હિંડોલ: મૌલિક, કાવ્યસંગ્રહ: પ્ર. સાલ ૧૯૬૨.
પ્રકાશક : પોતે (વિક્રેતા: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ).
અભ્યાસ-સામગ્રી :
૧. શ્રી રામનારાયણ પાઠક, પ્રસ્થાન-૧૯૩૫ (‘ઝાકળનાં મોતી' માટે).
૨. ‘સોહિણી'ની પ્રસ્તાવના, શ્રી ઉમાશંકર જોશી.
‘ઉપાયન', શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી.
૩. ‘હિંડોલ'ની પ્રસ્તાવના શ્રી સુન્દરમ્ (અવલોકના).
૪. ‘નવચેતન’-૧૯૬૧ (પ્રા. ઇંદ્રવદન દવે).


સરનામું : ગુલાબી વિલા, ભોજેશ્વર પ્લોટ્સ, પોરબંદર.