ગ્રંથ અને ગ્રંથકાર/રસિકલાલ છોટાલાલ પરીખ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(Corrected Inverted Comas)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{center|'''<big><big>રસિકલાલ છોટાલાલ પરીખ 'મૂસિકાર'</big></big>'''}}
{{center|'''<big><big>રસિકલાલ છોટાલાલ પરીખ ‘મૂસિકાર'</big></big>'''}}
{{center|'''[૨૦-૮-૧૮૯૭]'''}}
{{center|'''[૨૦-૮-૧૮૯૭]'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એમનો જન્મ સાદરા ગામે તા. ૨૦-૮-૧૮૯૭ ને દિવસે થયો હતો. એમના પિતાજી શ્રી છોટાલાલ પરીખ મહીકાંઠા એજન્સીના મુખ્ય મથક સાદરા કેમ્પમાં ત્યારે વકીલાત કરતા હતા. રસિકભાઈ એ સાદરાની પ્રાથમિક શાળામાં ચાર ધોરણ અને અંગ્રેજી ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ એંગ્લોવર્નાક્યુલર સ્કૂલમાં કર્યો. ફોર્થથી મેટ્રિક સુધી અમદાવાદની પ્રોપ્રાયટરી (હાલની દીવાન-બલ્લુભાઈ) હાઈસ્કૂલમાં ભણ્યા. ૧૯૧૨માં એમના પિતાજીનું અવસાન થયું. ૧૯૧૩માં એમણે મેટ્રિક પસાર કરી. અમદાવાદ કે મુંબઈની કૉલેજમાં છોકરાઓ મોજશોખમાં પડી જાય છે એ ખ્યાલથી એમના સદ્ગત પિતાજીએ એમના ઉચ્ચ શિક્ષણ માટે તિલક અને ગોખલે જેવા સંસ્થાપકોની અને દેશભક્ત અધ્યાપકોથી સમૃદ્ધ પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાં રસિકભાઈને મૂકવાની સૂચનાઓ આપેલી. એટલે એમનાં માતુશ્રી ચંચળબહેને અને વડીલ કાકા શ્રી વાડીલાલે એમને પૂના મોકલ્યા. એમનાં લગ્ન પણ આ જ વરસે શ્રીમતી માણેકબેન સાથે થયાં. રસિકભાઈ માટે ૧૯૧૩નું વરસ બીજી પણ એક રીતે નોંધપાત્ર ગણાય. સદ્ગત શ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠક સાથે પહેલવહેલો પરિચય આ જ વરસમાં થયો. વર્ષો પછી જ્યારે રસિકભાઈ પાઠકસાહેબ વગેરે સાથે ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા ત્યારથી સહકાર્યકર અને મિત્ર તરીકે પાઠકસાહેબના ગાઢ સંપર્કમાં રહેલા. શ્રી રસિકભાઈ પાઠકસાહેબની મૈત્રીને પોતાના જીવનનું સદ્ભાગ્ય ગણે છે.
એમનો જન્મ સાદરા ગામે તા. ૨૦-૮-૧૮૯૭ ને દિવસે થયો હતો. એમના પિતાજી શ્રી છોટાલાલ પરીખ મહીકાંઠા એજન્સીના મુખ્ય મથક સાદરા કેમ્પમાં ત્યારે વકીલાત કરતા હતા. રસિકભાઈ એ સાદરાની પ્રાથમિક શાળામાં ચાર ધોરણ અને અંગ્રેજી ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ એંગ્લોવર્નાક્યુલર સ્કૂલમાં કર્યો. ફોર્થથી મેટ્રિક સુધી અમદાવાદની પ્રોપ્રાયટરી (હાલની દીવાન-બલ્લુભાઈ) હાઈસ્કૂલમાં ભણ્યા. ૧૯૧૨માં એમના પિતાજીનું અવસાન થયું. ૧૯૧૩માં એમણે મેટ્રિક પસાર કરી. અમદાવાદ કે મુંબઈની કૉલેજમાં છોકરાઓ મોજશોખમાં પડી જાય છે એ ખ્યાલથી એમના સદ્ગત પિતાજીએ એમના ઉચ્ચ શિક્ષણ માટે તિલક અને ગોખલે જેવા સંસ્થાપકોની અને દેશભક્ત અધ્યાપકોથી સમૃદ્ધ પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાં રસિકભાઈને મૂકવાની સૂચનાઓ આપેલી. એટલે એમનાં માતુશ્રી ચંચળબહેને અને વડીલ કાકા શ્રી વાડીલાલે એમને પૂના મોકલ્યા. એમનાં લગ્ન પણ આ જ વરસે શ્રીમતી માણેકબેન સાથે થયાં. રસિકભાઈ માટે ૧૯૧૩નું વરસ બીજી પણ એક રીતે નોંધપાત્ર ગણાય. સદ્ગત શ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠક સાથે પહેલવહેલો પરિચય આ જ વરસમાં થયો. વર્ષો પછી જ્યારે રસિકભાઈ પાઠકસાહેબ વગેરે સાથે ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા ત્યારથી સહકાર્યકર અને મિત્ર તરીકે પાઠકસાહેબના ગાઢ સંપર્કમાં રહેલા. શ્રી રસિકભાઈ પાઠકસાહેબની મૈત્રીને પોતાના જીવનનું સદ્ભાગ્ય ગણે છે.
પૂનાના ચાર વર્ષના નિવાસ અને અભ્યાસકાળ દરમ્યાન રસિકભાઈ ઉત્તમ અધ્યાપકોના ગાઢ સંપર્કમાં આવ્યા. પૂનાના રાષ્ટ્રીય અને વિદ્યાકીય વાતાવરણે એમના જીવનઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. એ વેળા પૂનામાં ડૉ. ગુણે અને પ્રોફેસર આર. ડી. રાનડે એમને અનુક્રમે સંસ્કૃત નાટક અને કાર્લાઇલ શીખવતા. ડૉ. ગુણેએ એમને વેદનો અને રાનડેએ તત્ત્વજ્ઞાનનો રસ લગાડ્યો. ઉપરાંત પ્રો. પટવર્ધને અંગ્રેજી કવિતા, પ્રો. જી. સી. ભાટેએ પાશ્ચાત્ય લેંજીક અને મહામહોપાધ્યાય અભ્યંકર શાસ્ત્રીએ વેદાન્તશાસ્ત્ર તરફ લગની લમાડી. આ સર્વમાં વિભૂતિરૂપ પ્રો. રાનડેથી તેઓ ખૂબ પ્રભાવિત થયેલા અને એમના વ્યક્તિત્વની રસિકભાઈ પર પ્રબળ અસર પડી છે. વીસમે વર્ષે સંસ્કૃત અને અંગ્રેજી વિષેયો સાથે તેઓ બી. એ. (ઑનર્સ) થયા અને ‘કમ્પેરેટિવ સ્ટડી ઑફ રિલિજિયન ઍન્ડ ફિલોસોફી'ની શંકરાચાર્ય સેમિનારમાં એમને ફેલોશિપ મળી. ત્યાં તેમણે 'ભારતીય તત્ત્વજ્ઞાનમાં પરિવર્તન અને નિત્યતાનો સિદ્ધાંત' તથા 'અનેકાંતનો જૈન ન્યાય' એ બે નિબંધો અંગ્રેજીમાં લખ્યા.
પૂનાના ચાર વર્ષના નિવાસ અને અભ્યાસકાળ દરમ્યાન રસિકભાઈ ઉત્તમ અધ્યાપકોના ગાઢ સંપર્કમાં આવ્યા. પૂનાના રાષ્ટ્રીય અને વિદ્યાકીય વાતાવરણે એમના જીવનઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. એ વેળા પૂનામાં ડૉ. ગુણે અને પ્રોફેસર આર. ડી. રાનડે એમને અનુક્રમે સંસ્કૃત નાટક અને કાર્લાઇલ શીખવતા. ડૉ. ગુણેએ એમને વેદનો અને રાનડેએ તત્ત્વજ્ઞાનનો રસ લગાડ્યો. ઉપરાંત પ્રો. પટવર્ધને અંગ્રેજી કવિતા, પ્રો. જી. સી. ભાટેએ પાશ્ચાત્ય લેંજીક અને મહામહોપાધ્યાય અભ્યંકર શાસ્ત્રીએ વેદાન્તશાસ્ત્ર તરફ લગની લમાડી. આ સર્વમાં વિભૂતિરૂપ પ્રો. રાનડેથી તેઓ ખૂબ પ્રભાવિત થયેલા અને એમના વ્યક્તિત્વની રસિકભાઈ પર પ્રબળ અસર પડી છે. વીસમે વર્ષે સંસ્કૃત અને અંગ્રેજી વિષેયો સાથે તેઓ બી. એ. (ઑનર્સ) થયા અને ‘કમ્પેરેટિવ સ્ટડી ઑફ રિલિજિયન ઍન્ડ ફિલોસોફી'ની શંકરાચાર્ય સેમિનારમાં એમને ફેલોશિપ મળી. ત્યાં તેમણે ‘ભારતીય તત્ત્વજ્ઞાનમાં પરિવર્તન અને નિત્યતાનો સિદ્ધાંત' તથા ‘અનેકાંતનો જૈન ન્યાય' એ બે નિબંધો અંગ્રેજીમાં લખ્યા.
શ્રી રસિકભાઈ બી. એ.માં અભ્યાસ કરતા હતા ત્યારે પ્રસિદ્ધ પુરાતત્ત્વવિદ મુનિશ્રી જિનવિજયજીના સંપર્કમાં આવ્યા. મુનિજીના ભારતના ઇતિહાસજ્ઞાને અને ગુજરાતના ઇતિહાસની સામગ્રીના જ્ઞાને રસિકભાઈ ખૂબ પ્રભાવિત થયા. મુનિશ્રી પાસે હેમચંદ્રાચાર્યના પ્રાકૃત વ્યાકરણનું અધ્યયન કરવાનો યોગ પણ સાંપડ્યો. ઇતિહાસ પ્રત્યે અભિરુચિ ઘડવામાં મુનિશ્રીનું ઋણ રસિકભાઈએ સહર્ષ સ્વીકાર્યું છે. ૧૯૧૯માં ભાંડારકર ઓરિયેન્ટલ રીચર્સ ઈન્સ્ટિટયુટમાં હસ્તલિખિત પ્રતિઓનું વર્ણનાત્મક ‘કૅટલોગ’ કરવાના મુનિશ્રીના કાર્યમાં રસિકભાઈ સહાયક તરીકે જોડાયા. એ પ્રેરણાત્મક અનુભવ રસિકભાઈ માટે અત્યંત કીમતી પુરવાર થયો. બરાબર આ જ અરસામાં બી. એ.ના અભ્યાસકાળમાં રસિકભાઈ પૂના ખાતે જ પંડિત સુખલાલજીના પરિચયમાં આવ્યા. પંડિતજી પાસે રસિકભાઈ એ કુંદકુંદાચાર્યના પ્રવચનસાર તથા તેના ઉપરની અમૃતચંદ્રસૂરિની દાર્શનિક શૈલીની ટીકાનો અભ્યાસ કર્યો. આ તાલીમથી રસિકભાઈમાં દર્શનેને ઊંડે અભ્યાસ કરવાની મહત્ત્વાકાંક્ષા પ્રગટી, અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનના મુદ્દાઓ સાથે ભારતીય દર્શનશાસ્ત્રના મુદ્દાઓની તુલના કરવાની પ્રેરણા મળી. આ બંને સમર્થ વિદ્યાપુરુષો સાથે આજસુધી રસિકભાઈનો નિકટનો સંબંધ રહ્યો છે.
શ્રી રસિકભાઈ બી. એ.માં અભ્યાસ કરતા હતા ત્યારે પ્રસિદ્ધ પુરાતત્ત્વવિદ મુનિશ્રી જિનવિજયજીના સંપર્કમાં આવ્યા. મુનિજીના ભારતના ઇતિહાસજ્ઞાને અને ગુજરાતના ઇતિહાસની સામગ્રીના જ્ઞાને રસિકભાઈ ખૂબ પ્રભાવિત થયા. મુનિશ્રી પાસે હેમચંદ્રાચાર્યના પ્રાકૃત વ્યાકરણનું અધ્યયન કરવાનો યોગ પણ સાંપડ્યો. ઇતિહાસ પ્રત્યે અભિરુચિ ઘડવામાં મુનિશ્રીનું ઋણ રસિકભાઈએ સહર્ષ સ્વીકાર્યું છે. ૧૯૧૯માં ભાંડારકર ઓરિયેન્ટલ રીચર્સ ઈન્સ્ટિટયુટમાં હસ્તલિખિત પ્રતિઓનું વર્ણનાત્મક ‘કૅટલોગ’ કરવાના મુનિશ્રીના કાર્યમાં રસિકભાઈ સહાયક તરીકે જોડાયા. એ પ્રેરણાત્મક અનુભવ રસિકભાઈ માટે અત્યંત કીમતી પુરવાર થયો. બરાબર આ જ અરસામાં બી. એ.ના અભ્યાસકાળમાં રસિકભાઈ પૂના ખાતે જ પંડિત સુખલાલજીના પરિચયમાં આવ્યા. પંડિતજી પાસે રસિકભાઈ એ કુંદકુંદાચાર્યના પ્રવચનસાર તથા તેના ઉપરની અમૃતચંદ્રસૂરિની દાર્શનિક શૈલીની ટીકાનો અભ્યાસ કર્યો. આ તાલીમથી રસિકભાઈમાં દર્શનેને ઊંડે અભ્યાસ કરવાની મહત્ત્વાકાંક્ષા પ્રગટી, અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનના મુદ્દાઓ સાથે ભારતીય દર્શનશાસ્ત્રના મુદ્દાઓની તુલના કરવાની પ્રેરણા મળી. આ બંને સમર્થ વિદ્યાપુરુષો સાથે આજસુધી રસિકભાઈનો નિકટનો સંબંધ રહ્યો છે.
શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રેરણાથી ૧૯૨૦ના અરસામાં રસિકભાઈ અમદાવાદ આવ્યા અને શ્રી ઇન્દુલાલે સ્થાપેલ ‘ગુજરાત કેળવણી મંડળ' સંસ્થામાં આજીવન સ્વયંસેવક તરીકે જોડાયા. આ મંડળે પોતાને હસ્તક લીધેલી સંસ્થા જે. એલ. હાઈસ્કૂલમાં રસિકભાઈ એ સેવાઓ આપવા માંડી. ત્યારે એ સ્કૂલના આચાર્ય હતા સદ્. રામનારાયણ પાઠક, અને રસિકભાઈના સહકાર્યકરો હતા શ્રી ત્રિકમલાલ શાહ અને શ્રી નંદલાલ શાહ. આ સમય દરમ્યાન રસિકભાઈએ સંસ્કૃત અને અંગ્રેજી મુખ્ય વિષયો સાથે-એ સમયે ગૌણ વિષય ન હતો-એમ. એ. ની સબળ તૈયારી કરી હતી; પરંતુ અસહકારની લડતનો આરંભ થતાં એમણે સરકારી પરીક્ષા ન આપવાનો નિર્ણય કર્યો, અને તરત જ તેઓ શ્રી ત્રિકમલાલ શાહ અને શ્રી રા. વિ. પાઠક સાથે ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા. એ જ સમયે સ્ત્રીકેળવણી મંડળ સ્થાપિત મહિલા પાઠશાળામાં પણ એ શીખવવા જતા. ઈ.સ. ૧૯૨૧માં મુનિશ્રી જિનવિજયજીએ ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધીજીની પ્રેરણાથી પુરાતત્વમ દિરની સ્થાપના કરી અને એના આચાર્ય બન્યા. શ્રી રસિકભાઈ એ મંત્રી તરીકે એનું સંચાલન કરવા માંડ્યું અને 'પુરાતત્ત્વ' ત્રૈમાસિકના સંપાદનની સાથે સાથે ગુજરાત વિદ્યાપીઠના સંશોધન પુસ્તકાલયનો આરંભ કર્યો. ‘પુરાતત્ત્વ' ત્રિમાસિકના પાંચ વર્ષના અંકો આપણી મહામૂલી મૂડી છે. શ્રી રસિકભાઈએ એમાં ભાસના નાટ્યચક્ર પર કરેલી વિવેચનાત્મક વિચારણા એમની નાટ્યશાસ્ત્ર વિષયક સૂક્ષ્મ દૃષ્ટિનો પરિચય આપી રહે છે.
શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રેરણાથી ૧૯૨૦ના અરસામાં રસિકભાઈ અમદાવાદ આવ્યા અને શ્રી ઇન્દુલાલે સ્થાપેલ ‘ગુજરાત કેળવણી મંડળ' સંસ્થામાં આજીવન સ્વયંસેવક તરીકે જોડાયા. આ મંડળે પોતાને હસ્તક લીધેલી સંસ્થા જે. એલ. હાઈસ્કૂલમાં રસિકભાઈ એ સેવાઓ આપવા માંડી. ત્યારે એ સ્કૂલના આચાર્ય હતા સદ્. રામનારાયણ પાઠક, અને રસિકભાઈના સહકાર્યકરો હતા શ્રી ત્રિકમલાલ શાહ અને શ્રી નંદલાલ શાહ. આ સમય દરમ્યાન રસિકભાઈએ સંસ્કૃત અને અંગ્રેજી મુખ્ય વિષયો સાથે-એ સમયે ગૌણ વિષય ન હતો-એમ. એ. ની સબળ તૈયારી કરી હતી; પરંતુ અસહકારની લડતનો આરંભ થતાં એમણે સરકારી પરીક્ષા ન આપવાનો નિર્ણય કર્યો, અને તરત જ તેઓ શ્રી ત્રિકમલાલ શાહ અને શ્રી રા. વિ. પાઠક સાથે ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા. એ જ સમયે સ્ત્રીકેળવણી મંડળ સ્થાપિત મહિલા પાઠશાળામાં પણ એ શીખવવા જતા. ઈ.સ. ૧૯૨૧માં મુનિશ્રી જિનવિજયજીએ ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધીજીની પ્રેરણાથી પુરાતત્વમ દિરની સ્થાપના કરી અને એના આચાર્ય બન્યા. શ્રી રસિકભાઈ એ મંત્રી તરીકે એનું સંચાલન કરવા માંડ્યું અને ‘પુરાતત્ત્વ' ત્રૈમાસિકના સંપાદનની સાથે સાથે ગુજરાત વિદ્યાપીઠના સંશોધન પુસ્તકાલયનો આરંભ કર્યો. ‘પુરાતત્ત્વ' ત્રિમાસિકના પાંચ વર્ષના અંકો આપણી મહામૂલી મૂડી છે. શ્રી રસિકભાઈએ એમાં ભાસના નાટ્યચક્ર પર કરેલી વિવેચનાત્મક વિચારણા એમની નાટ્યશાસ્ત્ર વિષયક સૂક્ષ્મ દૃષ્ટિનો પરિચય આપી રહે છે.
ઈ.સ. ૧૯૨૭માં અધ્યાપનકાર્ય કરતાં કરતાં, એમણે પોતાની સંશોધક દૃષ્ટિનો પણ ગુજરાતને પરિચય કરાવ્યો. ગુજરાતી અનુવાદ તથા ટિપ્પણ સાથે વૈદિક સૂક્તોની તેમ જ બ્રાહ્મણોમાંના ખંડોની પસંદગી કરીને એમણે આ દિશામાં નવપ્રસ્થાન કર્યું. આ જ અરસામાં શ્રી પાઠકસાહેબ' સાથે મમ્મટના ‘કાવ્યપ્રકાશ'ના પહેલા છ ઉલ્લાસોનો ટિપ્પણ સહિત અનુવાદ આપીને રસિકભાઈએ એક નવી પરંપરા સ્થાપી.
ઈ.સ. ૧૯૨૭માં અધ્યાપનકાર્ય કરતાં કરતાં, એમણે પોતાની સંશોધક દૃષ્ટિનો પણ ગુજરાતને પરિચય કરાવ્યો. ગુજરાતી અનુવાદ તથા ટિપ્પણ સાથે વૈદિક સૂક્તોની તેમ જ બ્રાહ્મણોમાંના ખંડોની પસંદગી કરીને એમણે આ દિશામાં નવપ્રસ્થાન કર્યું. આ જ અરસામાં શ્રી પાઠકસાહેબ' સાથે મમ્મટના ‘કાવ્યપ્રકાશ'ના પહેલા છ ઉલ્લાસોનો ટિપ્પણ સહિત અનુવાદ આપીને રસિકભાઈએ એક નવી પરંપરા સ્થાપી.
૧૯૩૦માં વિદ્યાપીઠની પ્રવૃત્તિઓનો રચનાત્મક માર્ગે ઝોક વધ્યો. શ્રી રસિકભાઈ શ્રી ત્રિકમભાઈ અને શ્રી રામનારાયણ પાઠક વિદ્યાપીઠમાંથી છૂટા થયા. અસહકાર અને સ્વદેશપ્રીતિને લીધે સરકારી નોકરીનો તો પ્રશ્ન જ ન હતો. શ્રી રસિકભાઈએ ૧૯૩૦થી ૧૯૩૭ સુધીનાં વર્ષોમાં સંશોધન, નાટકલેખન અને દેશાટન એ ત્રણ વિકલ્પો વચ્ચે જીવન વિતાવ્યું. આ વર્ષો કસોટીનાં હતાં. આર્થિક વિષમતાઓ વચ્ચે શ્રી રસિકભાઈને સૌ. માણેકબેનનો સંપૂર્ણ સહકાર સાંપડતો રહેલો તેથી તો તેઓ ટકી શક્યા.
૧૯૩૦માં વિદ્યાપીઠની પ્રવૃત્તિઓનો રચનાત્મક માર્ગે ઝોક વધ્યો. શ્રી રસિકભાઈ શ્રી ત્રિકમભાઈ અને શ્રી રામનારાયણ પાઠક વિદ્યાપીઠમાંથી છૂટા થયા. અસહકાર અને સ્વદેશપ્રીતિને લીધે સરકારી નોકરીનો તો પ્રશ્ન જ ન હતો. શ્રી રસિકભાઈએ ૧૯૩૦થી ૧૯૩૭ સુધીનાં વર્ષોમાં સંશોધન, નાટકલેખન અને દેશાટન એ ત્રણ વિકલ્પો વચ્ચે જીવન વિતાવ્યું. આ વર્ષો કસોટીનાં હતાં. આર્થિક વિષમતાઓ વચ્ચે શ્રી રસિકભાઈને સૌ. માણેકબેનનો સંપૂર્ણ સહકાર સાંપડતો રહેલો તેથી તો તેઓ ટકી શક્યા.
૧૯૩૭માં મુંબઈ રાજ્યમાં પ્રથમ કૉંગ્રેસી પ્રધાનમંડળ રચાયુ ત્યારે સ્વ. આનંદશંકર ધ્રુવના આગ્રહથી રસિકભાઈ ગુજરાત વિદ્યાસભામાં (એ સમયે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં) સહાયક મંત્રી તરીકે જોડાયા. આચાર્ય ધ્રુવ, રસિકભાઈએ સંપાદિત કરેલ હેમચંદ્રકૃત 'કાવ્યાનુશાસન'ની પ્રસ્તાવનામાં પૌરાણિક કાળથી કુમારપાળ સુધીનો ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ વાંચી પ્રસન્ન થયા હતા અને એને પરિણામે જ ગુજરાત વિદ્યાસભાનું મંત્રીપદ એમને સેોંપાયું. ૧૯૩૯-૪૦માં મુંબઈ સરકારની ગ્રાંટથી વિદ્યાસભામાં ઉચ્ચશિક્ષણ અને સંશોધનની વ્યવસ્થા શરૂ થતાં રસિકભાઈની નિમણૂક અધ્યક્ષ તરીકે થઈ. ૧૯૪૧માં આચાર્ય ઘ્રુવના અવસાન પછી એમના સ્થાને ડિરેકટર તરીકે રસિકભાઈની નિયુક્તિ થઈ. ત્યારથી માંડી આજસુધી ગુજરાત વિદ્યાસભા એમના કુશળ માર્ગદર્શન નીચે સાચી વિદ્યાસંસ્થા તરીકે ફાલીફૂલી છે.
૧૯૩૭માં મુંબઈ રાજ્યમાં પ્રથમ કૉંગ્રેસી પ્રધાનમંડળ રચાયુ ત્યારે સ્વ. આનંદશંકર ધ્રુવના આગ્રહથી રસિકભાઈ ગુજરાત વિદ્યાસભામાં (એ સમયે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં) સહાયક મંત્રી તરીકે જોડાયા. આચાર્ય ધ્રુવ, રસિકભાઈએ સંપાદિત કરેલ હેમચંદ્રકૃત ‘કાવ્યાનુશાસન'ની પ્રસ્તાવનામાં પૌરાણિક કાળથી કુમારપાળ સુધીનો ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ વાંચી પ્રસન્ન થયા હતા અને એને પરિણામે જ ગુજરાત વિદ્યાસભાનું મંત્રીપદ એમને સેોંપાયું. ૧૯૩૯-૪૦માં મુંબઈ સરકારની ગ્રાંટથી વિદ્યાસભામાં ઉચ્ચશિક્ષણ અને સંશોધનની વ્યવસ્થા શરૂ થતાં રસિકભાઈની નિમણૂક અધ્યક્ષ તરીકે થઈ. ૧૯૪૧માં આચાર્ય ઘ્રુવના અવસાન પછી એમના સ્થાને ડિરેકટર તરીકે રસિકભાઈની નિયુક્તિ થઈ. ત્યારથી માંડી આજસુધી ગુજરાત વિદ્યાસભા એમના કુશળ માર્ગદર્શન નીચે સાચી વિદ્યાસંસ્થા તરીકે ફાલીફૂલી છે.
શ્રી રસિકભાઈ કવિ, નાટ્યલેખક, ઇતિહાસવિદ, સંશોધક, વિવેચક, સંપાદક-એમ વિવિધ રીતે ગુજરાતને સુપરિચિત છે. ‘સ્મૃતિ' નામનો કાવ્યસંગ્રહ એમની કવિશક્તિનો પરિચય આપે છે. એમાં 'શિખરિણી શતક' નામનું સુદીર્ઘ કાવ્ય અને સ્મૃતિ બાલાશંકર અને કાલિદાસના અનુક્રમે ‘કલાન્ત કવિ' અને 'મેઘદૂત'ની યાદ આપી જાય છે. સમગ્ર કાવ્ય સુરેખ અભિવ્યક્તિ પામ્યું છે. ‘જીવનનાં વહેણો'માં એમની ટૂંકી વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે. ‘શર્વિલક' નાટ્યકૃતિ આપીને એમણે ગુજરાતી નાટ્યસાહિત્યને સુસમૃદ્ધ કર્યું છે. ‘દરિદ્ર ચારુદત્ત' અને 'મૃચ્છકટિક' નાટકોમાંથી પ્રેરણા લઈને સ્વતંત્રપણે સર્જાયેલી આ નાટ્યકૃતિ રાષ્ટ્રીય પારિતોષિક પામી છે; અને ગુજરાતની અતિ અલ્પ પ્રશિષ્ટ નાટ્યકૃતિઓમાં એણે સમુચિત રીતે જ પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ‘મેના ગુર્જરી'ને પણ એમની યશોદાથી નાટ્યકૃતિ તરીકે ગુજરાતે ઊલટભેર આવકારી છે. તખતા પર સે કરતાં ૫ણ વધુ સફળ પ્રયોગો એના થયા છે. ‘મેના ગુર્જરી’ નાટક ગુજરાત બહાર દૂર દિલ્હીમાં પણ સારી ખ્યાતિ પામ્યું હતું. રાષ્ટ્રપ્રમુખભવન ખાતે ‘મેના ગુર્જરી'ને અપૂર્વ આવકાર મળ્યો હતો. ત્યારને રાષ્ટ્રપતિ સ્વ. રાજેન્દ્રબાબુએ, વડાપ્રધાન સ્વ. નહેરુએ અને અન્ય માનનીય આમંત્રિતોએ ‘મેના ગુર્જરી’ને મુક્તકંઠે બિરદાવ્યું હતું. આમેય શ્રી રસિકભાઈને નાટક પ્રત્યે પહેલેથી જ સૂચિ હતી. એમની પ્રથમ કૃતિ એક નાટક જ છે. ૧૯૩૧માં 'સંજય' ઉપનામથી એમણે 'રૂપિયાનું ઝાડ' નામનું નાટક લખેલું. ભજવાય તો આજે પણ એ હળવી હાસ્યકૃતિ તરીકે લોકાદર પામે. ૧૯૩૧માં એમણે ટૉલ્સ્ટૉયકૃત First Distillerને ‘પહેલો કલાલ' નામે ગુજરાતી અનુવાદ આપેલો. ‘પ્રેમનું મૂલ્ય' (Price of Love) નામે રેડિયો નાટિકા, 'વાચિકમ્', એમણે ૧૯૫૦માં લખેલી.
શ્રી રસિકભાઈ કવિ, નાટ્યલેખક, ઇતિહાસવિદ, સંશોધક, વિવેચક, સંપાદક-એમ વિવિધ રીતે ગુજરાતને સુપરિચિત છે. ‘સ્મૃતિ' નામનો કાવ્યસંગ્રહ એમની કવિશક્તિનો પરિચય આપે છે. એમાં ‘શિખરિણી શતક' નામનું સુદીર્ઘ કાવ્ય અને સ્મૃતિ બાલાશંકર અને કાલિદાસના અનુક્રમે ‘કલાન્ત કવિ' અને ‘મેઘદૂત'ની યાદ આપી જાય છે. સમગ્ર કાવ્ય સુરેખ અભિવ્યક્તિ પામ્યું છે. ‘જીવનનાં વહેણો'માં એમની ટૂંકી વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે. ‘શર્વિલક' નાટ્યકૃતિ આપીને એમણે ગુજરાતી નાટ્યસાહિત્યને સુસમૃદ્ધ કર્યું છે. ‘દરિદ્ર ચારુદત્ત' અને ‘મૃચ્છકટિક' નાટકોમાંથી પ્રેરણા લઈને સ્વતંત્રપણે સર્જાયેલી આ નાટ્યકૃતિ રાષ્ટ્રીય પારિતોષિક પામી છે; અને ગુજરાતની અતિ અલ્પ પ્રશિષ્ટ નાટ્યકૃતિઓમાં એણે સમુચિત રીતે જ પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ‘મેના ગુર્જરી'ને પણ એમની યશોદાથી નાટ્યકૃતિ તરીકે ગુજરાતે ઊલટભેર આવકારી છે. તખતા પર સે કરતાં ૫ણ વધુ સફળ પ્રયોગો એના થયા છે. ‘મેના ગુર્જરી’ નાટક ગુજરાત બહાર દૂર દિલ્હીમાં પણ સારી ખ્યાતિ પામ્યું હતું. રાષ્ટ્રપ્રમુખભવન ખાતે ‘મેના ગુર્જરી'ને અપૂર્વ આવકાર મળ્યો હતો. ત્યારને રાષ્ટ્રપતિ સ્વ. રાજેન્દ્રબાબુએ, વડાપ્રધાન સ્વ. નહેરુએ અને અન્ય માનનીય આમંત્રિતોએ ‘મેના ગુર્જરી’ને મુક્તકંઠે બિરદાવ્યું હતું. આમેય શ્રી રસિકભાઈને નાટક પ્રત્યે પહેલેથી જ સૂચિ હતી. એમની પ્રથમ કૃતિ એક નાટક જ છે. ૧૯૩૧માં ‘સંજય' ઉપનામથી એમણે ‘રૂપિયાનું ઝાડ' નામનું નાટક લખેલું. ભજવાય તો આજે પણ એ હળવી હાસ્યકૃતિ તરીકે લોકાદર પામે. ૧૯૩૧માં એમણે ટૉલ્સ્ટૉયકૃત First Distillerને ‘પહેલો કલાલ' નામે ગુજરાતી અનુવાદ આપેલો. ‘પ્રેમનું મૂલ્ય' (Price of Love) નામે રેડિયો નાટિકા, ‘વાચિકમ્', એમણે ૧૯૫૦માં લખેલી.
મુંબઈ યુનિવર્સિટીના નિમંત્રણથી ૧૯૫૪માં ‘ગુજરાતની રાજધાનીઓ' એ વિષય પર ('ઠક્કર વસનજી લૅકચર્સ') એમણે પાંચ વ્યાખ્યાનો આપેલાં. એ જ નામે એ ગ્રંથસ્થ થયાં છે. આ કૃતિનું લક્ષ્ય ઇતિહાસનિરૂપણના અનુસંધાનમાં માનવખેડાણનો એક વિષય ચકાસવાનું રહ્યું છે. માનવે સાંસ્કૃતિક વિકાસ સાધી નગરરચનાઓમાં કેવો પુરુષાર્થ દર્શાવ્યો છે એ સમજાવવાનો એમનો હેતુ છે. માનવવર્ગની ત્રણ અવસ્થાઓ, નગરની વ્યાખ્યા, ગુજરાતની ઐતિહાસિક રાજધાનીઓ-એ સર્વની ચર્ચામાં લેખકની મૂલગામી, તેજસ્વી ઇતિહાસદૃષ્ટિનો ઉત્તમ પરિચય થાય છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના આશ્રયે ૧૯૬૦ના ફેબ્રુઆરીમાં શ્રી રસિકભાઈએ 'આનંદમીમાંસા' પરનાં ત્રણ વ્યાખ્યાનો આપેલાં. એમાં એમણે ઉપનિષદોના આધારે આનંદના સ્વરૂપની પાંચ સ્થાનકોમાં ગવેષણા કરી છે. એ પાંચ સ્થાનકો છે : (૧) સ્ત્રીપુરુષ-પ્રેમ, (૨) જ્ઞાનોપાસના, (૩) રસાનંદ (કાવ્યાનંદ, કલાનંદ વગેરે), (૪) નિષ્કામ કર્મની ભાવના, અને (૫) અધ્યાત્મપાસના. એમાંના ત્રીજા સ્થાનક રસાનંદની દૃષ્ટિએ બાકીનાં ચારેયની સુંદર અને વિશદ વિચારણા કરી છે. એમાં એમની અવિરત અભ્યાસનિષ્ઠા અને મર્મજ્ઞતાનું દર્શન થાય છે. ૧૯૬૩ના ફેબ્રુઆરીમાં ગુજરાત યુનિવર્સિટીના ઉપક્રમે 'ગો. મા. ત્રિપાઠી વ્યાખ્યાનમાળા'માં ‘ઇતિહાસપદ્ધતિ અને સ્વરૂપ' એ વિષય પર પાંચ વ્યાખ્યાનો શ્રી રસિકભાઈએ આપેલાં. એ વ્યાખ્યાને એમના ઇતિહાસના ઊંડા અભ્યાસની પ્રતીતિ કરાવી ગયાં હતાં. તાજેતરમાં પ્રગટ થયેલ ‘પુરોવચન અને વિવેચન'માં વિવેચક રસિકભાઈનું અહ્લાદકારી દર્શન થાય છે. નવીન લેખકની શક્તિ પારખવામાં, સમકાલીનાનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં અને શિષ્ટ કૃતિઓના રસાસ્વાદનમાં પ્રવર્તતી એમની વિવેચકશક્તિ એમનાં લખાણોમાં સુપેરે પ્રગટ થાય છે.
મુંબઈ યુનિવર્સિટીના નિમંત્રણથી ૧૯૫૪માં ‘ગુજરાતની રાજધાનીઓ' એ વિષય પર (‘ઠક્કર વસનજી લૅકચર્સ') એમણે પાંચ વ્યાખ્યાનો આપેલાં. એ જ નામે એ ગ્રંથસ્થ થયાં છે. આ કૃતિનું લક્ષ્ય ઇતિહાસનિરૂપણના અનુસંધાનમાં માનવખેડાણનો એક વિષય ચકાસવાનું રહ્યું છે. માનવે સાંસ્કૃતિક વિકાસ સાધી નગરરચનાઓમાં કેવો પુરુષાર્થ દર્શાવ્યો છે એ સમજાવવાનો એમનો હેતુ છે. માનવવર્ગની ત્રણ અવસ્થાઓ, નગરની વ્યાખ્યા, ગુજરાતની ઐતિહાસિક રાજધાનીઓ-એ સર્વની ચર્ચામાં લેખકની મૂલગામી, તેજસ્વી ઇતિહાસદૃષ્ટિનો ઉત્તમ પરિચય થાય છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના આશ્રયે ૧૯૬૦ના ફેબ્રુઆરીમાં શ્રી રસિકભાઈએ ‘આનંદમીમાંસા' પરનાં ત્રણ વ્યાખ્યાનો આપેલાં. એમાં એમણે ઉપનિષદોના આધારે આનંદના સ્વરૂપની પાંચ સ્થાનકોમાં ગવેષણા કરી છે. એ પાંચ સ્થાનકો છે : (૧) સ્ત્રીપુરુષ-પ્રેમ, (૨) જ્ઞાનોપાસના, (૩) રસાનંદ (કાવ્યાનંદ, કલાનંદ વગેરે), (૪) નિષ્કામ કર્મની ભાવના, અને (૫) અધ્યાત્મપાસના. એમાંના ત્રીજા સ્થાનક રસાનંદની દૃષ્ટિએ બાકીનાં ચારેયની સુંદર અને વિશદ વિચારણા કરી છે. એમાં એમની અવિરત અભ્યાસનિષ્ઠા અને મર્મજ્ઞતાનું દર્શન થાય છે. ૧૯૬૩ના ફેબ્રુઆરીમાં ગુજરાત યુનિવર્સિટીના ઉપક્રમે ‘ગો. મા. ત્રિપાઠી વ્યાખ્યાનમાળા'માં ‘ઇતિહાસપદ્ધતિ અને સ્વરૂપ' એ વિષય પર પાંચ વ્યાખ્યાનો શ્રી રસિકભાઈએ આપેલાં. એ વ્યાખ્યાને એમના ઇતિહાસના ઊંડા અભ્યાસની પ્રતીતિ કરાવી ગયાં હતાં. તાજેતરમાં પ્રગટ થયેલ ‘પુરોવચન અને વિવેચન'માં વિવેચક રસિકભાઈનું અહ્લાદકારી દર્શન થાય છે. નવીન લેખકની શક્તિ પારખવામાં, સમકાલીનાનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં અને શિષ્ટ કૃતિઓના રસાસ્વાદનમાં પ્રવર્તતી એમની વિવેચકશક્તિ એમનાં લખાણોમાં સુપેરે પ્રગટ થાય છે.
‘વૈદિક પાઠાવલી' નું એમનું સંપાદન જોઈએ કે કાવ્યાનુશાસન (હેમચંદ્રકૃત)નું સંપાદન-શ્રી રસિકભાઈની મેઘાનો પ્રકાશ એમાંથી ફૂટતો જોવા મળે છે. એમાંયે 'કાવ્યાનુશાસન'ને એમણે આપેલ વિદ્વત્તાસભર ઉપોદ્ઘાત એ વિષયમાં અંતિમ શબ્દ જેવો છે. પૌરાણિક કાળથી કુમારપાળ સુધીનો ગુજરાતનો સાંસ્કૃતિક ઈતિહાસ એમાં આલેખાયો છે. વિદ્વત્તાના ઉચ્ચ માનદંડ તરીકે આ ઉપોદ્ઘાત સદૈવ સ્મરણીય રહેશે. જયરાશિના ‘તત્ત્વોપપ્લવસિંહ’નું પંડિત સુખલાલજી સાથે કરેલ સંપાદન તેમ જ સિદ્ધિચંદ્રના ‘કાવ્યપ્રકાશખંડન'નું સંપાદન અને સોમેશ્વરના ‘સંકેત’ સાથેનું 'કાવ્યપ્રકાશ'નું સંપાદન એમની સૂક્ષ્મ પર્યેષક બુદ્ધિનાં દ્યોતક સંપાદનો છે. શ્રી રસિકભાઈ એ 'પુરાતત્ત્વ' ત્રૈમાસિકના સંપાદક તરીકે, શ્રી ઇન્દુલાલ અને ડૉ. સુમંત મહેતાના 'યુગધર્મ'ના તંત્રીમંડળમાં અને 'પ્રસ્થાન' માસિકના સહતંત્રી તરીકે પોતાની સેવાઓ આપી છે.
‘વૈદિક પાઠાવલી' નું એમનું સંપાદન જોઈએ કે કાવ્યાનુશાસન (હેમચંદ્રકૃત)નું સંપાદન-શ્રી રસિકભાઈની મેઘાનો પ્રકાશ એમાંથી ફૂટતો જોવા મળે છે. એમાંયે ‘કાવ્યાનુશાસન'ને એમણે આપેલ વિદ્વત્તાસભર ઉપોદ્ઘાત એ વિષયમાં અંતિમ શબ્દ જેવો છે. પૌરાણિક કાળથી કુમારપાળ સુધીનો ગુજરાતનો સાંસ્કૃતિક ઈતિહાસ એમાં આલેખાયો છે. વિદ્વત્તાના ઉચ્ચ માનદંડ તરીકે આ ઉપોદ્ઘાત સદૈવ સ્મરણીય રહેશે. જયરાશિના ‘તત્ત્વોપપ્લવસિંહ’નું પંડિત સુખલાલજી સાથે કરેલ સંપાદન તેમ જ સિદ્ધિચંદ્રના ‘કાવ્યપ્રકાશખંડન'નું સંપાદન અને સોમેશ્વરના ‘સંકેત’ સાથેનું ‘કાવ્યપ્રકાશ'નું સંપાદન એમની સૂક્ષ્મ પર્યેષક બુદ્ધિનાં દ્યોતક સંપાદનો છે. શ્રી રસિકભાઈ એ ‘પુરાતત્ત્વ' ત્રૈમાસિકના સંપાદક તરીકે, શ્રી ઇન્દુલાલ અને ડૉ. સુમંત મહેતાના ‘યુગધર્મ'ના તંત્રીમંડળમાં અને ‘પ્રસ્થાન' માસિકના સહતંત્રી તરીકે પોતાની સેવાઓ આપી છે.
૧૯૫૪માં શ્રી રસિકભાઈ ગાંધી સ્મારક નિધિ સંચાલિત સર્વધર્મ ૧૯૫૪ સમુચ્ચય વિભાગમાં ભાગમાં સંમાન્ય શ્રી ગણેશ વાસુદેવ માવલંકરની સૂચનાથી મંત્રી તરીકે જોડાયા ત્યારે તેમણે ભો. જે. વિદ્યાભવનના અધ્યક્ષપદનું રાજીનામું આપ્યું, પરંતુ સંસ્થાએ પુરસ્કારના ધોરણે તેમને માનાર્હ અધ્યક્ષ તરીકે ચાલુ રાખ્યા.
૧૯૫૪માં શ્રી રસિકભાઈ ગાંધી સ્મારક નિધિ સંચાલિત સર્વધર્મ ૧૯૫૪ સમુચ્ચય વિભાગમાં ભાગમાં સંમાન્ય શ્રી ગણેશ વાસુદેવ માવલંકરની સૂચનાથી મંત્રી તરીકે જોડાયા ત્યારે તેમણે ભો. જે. વિદ્યાભવનના અધ્યક્ષપદનું રાજીનામું આપ્યું, પરંતુ સંસ્થાએ પુરસ્કારના ધોરણે તેમને માનાર્હ અધ્યક્ષ તરીકે ચાલુ રાખ્યા.
શ્રી રસિકભાઈ અનેક સંસ્થાઓ સાથે વર્ષોથી સંકળાયેલા છે. ગુજરાત સાહિત્ય સભાના વર્ષોથી પ્રમુખ છે, ભો. જે વિદ્યાભવનના માનાર્હ અધ્યક્ષ છે અને બ્રહ્મચારીવાડી ટ્રસ્ટના માનાર્હમંત્રી તરીકે તેમ જ એચ. કે. આર્ટ્સ કૉલેજની નિયામક સમિતિના મંત્રી તરીકે તેઓ સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે. ‘શ્રીમદ્ ભાગવત'ની સર્વદેશીય વાચનાની તૈયારીને એમના મૂલ્યવાન માર્ગદર્શનનો લાભ મળે છે. શ્રીનગરમાં મળેલી ૧૭મી પ્રાચ્યવિદ્યા પરિષદના સંસ્કૃત વિભાગના અધ્યક્ષપદે એમની વરણી થયેલી. વિલેપાર્લે, મુંબઈ ખાતે મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૨મા અધિવેશનનું પ્રમુખપદ એમણે શોભાવેલું. આ અગાઉ અંધેરી ખાતે સાહિત્ય પદિષદનું સંમેલન સ્વ. ખબરદારના પ્રમુખપદે મળેલું. ત્યારે તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખ શ્રી રસિકભાઈ હતા. ગુજરાત યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના પ્રારંભથી લગભગ સાત વર્ષ સુધી તેઓ ડીન રહ્યા હતા. એમની પ્રેરણાથી જ ગુજરાત વિદ્યાસભાને આશ્રયે શ્રી જયશંકર 'સુંદરી'ના નેતૃત્વ નીચે નાટ્યવિદ્યા મંદિર તથા ‘નટમંડળ'ની સ્થાપના થઈ છે. સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિના વિષયોમાં એમણે અનેક અનુસ્નાતક તથા પીએચ. ડી.ના તેજસ્વી વિદ્યાર્થીઓ તૈયાર કર્યા છે. એ સર્વ અત્યારે સુખ્યાત વિદ્વાનો છે. સાચે જ શ્રી રસિકભાઈ એક વ્યક્તિ નહિ પણ જીવંત વિદ્યાસંસ્થા છે.
શ્રી રસિકભાઈ અનેક સંસ્થાઓ સાથે વર્ષોથી સંકળાયેલા છે. ગુજરાત સાહિત્ય સભાના વર્ષોથી પ્રમુખ છે, ભો. જે વિદ્યાભવનના માનાર્હ અધ્યક્ષ છે અને બ્રહ્મચારીવાડી ટ્રસ્ટના માનાર્હમંત્રી તરીકે તેમ જ એચ. કે. આર્ટ્સ કૉલેજની નિયામક સમિતિના મંત્રી તરીકે તેઓ સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે. ‘શ્રીમદ્ ભાગવત'ની સર્વદેશીય વાચનાની તૈયારીને એમના મૂલ્યવાન માર્ગદર્શનનો લાભ મળે છે. શ્રીનગરમાં મળેલી ૧૭મી પ્રાચ્યવિદ્યા પરિષદના સંસ્કૃત વિભાગના અધ્યક્ષપદે એમની વરણી થયેલી. વિલેપાર્લે, મુંબઈ ખાતે મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૨મા અધિવેશનનું પ્રમુખપદ એમણે શોભાવેલું. આ અગાઉ અંધેરી ખાતે સાહિત્ય પદિષદનું સંમેલન સ્વ. ખબરદારના પ્રમુખપદે મળેલું. ત્યારે તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખ શ્રી રસિકભાઈ હતા. ગુજરાત યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના પ્રારંભથી લગભગ સાત વર્ષ સુધી તેઓ ડીન રહ્યા હતા. એમની પ્રેરણાથી જ ગુજરાત વિદ્યાસભાને આશ્રયે શ્રી જયશંકર ‘સુંદરી'ના નેતૃત્વ નીચે નાટ્યવિદ્યા મંદિર તથા ‘નટમંડળ'ની સ્થાપના થઈ છે. સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિના વિષયોમાં એમણે અનેક અનુસ્નાતક તથા પીએચ. ડી.ના તેજસ્વી વિદ્યાર્થીઓ તૈયાર કર્યા છે. એ સર્વ અત્યારે સુખ્યાત વિદ્વાનો છે. સાચે જ શ્રી રસિકભાઈ એક વ્યક્તિ નહિ પણ જીવંત વિદ્યાસંસ્થા છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 33: Line 33:
૧૦. કાવ્ય અને નાટ્ય અંગેના લેખોનો સંગ્રહ (હવે પછી)
૧૦. કાવ્ય અને નાટ્ય અંગેના લેખોનો સંગ્રહ (હવે પછી)
૧૧. શિક્ષણ અને તત્ત્વજ્ઞાન (નિબંધસંગ્રહ) (હવે પછી)
૧૧. શિક્ષણ અને તત્ત્વજ્ઞાન (નિબંધસંગ્રહ) (હવે પછી)
૧૨. રૂપિયાનું ઝાડ : નાટક; પ્ર. સાલ ૧૯૩૧, 'સંજ્ય' તખલ્લુસથી.
૧૨. રૂપિયાનું ઝાડ : નાટક; પ્ર. સાલ ૧૯૩૧, ‘સંજ્ય' તખલ્લુસથી.
{{gap}}પ્રકાશક : ' પ્રસ્થાન ' પ્રકાશન, અમદાવાદ
{{gap}}પ્રકાશક : ‘પ્રસ્થાન' પ્રકાશન, અમદાવાદ
૧૩. કાવ્યાનુશાસન (ભા. ૧-૨) : (હેમચંદ્રકૃત) પ્ર. સાલ ૧૯૩૮.
૧૩. કાવ્યાનુશાસન (ભા. ૧-૨) : (હેમચંદ્રકૃત) પ્ર. સાલ ૧૯૩૮.
{{gap}}પ્રકાશક : મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ.
{{gap}}પ્રકાશક : મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ.
{{gap}}(પહેલા ભાગમાં સંસ્કૃત 'ટેક્સ્ટ’)
{{gap}}(પહેલા ભાગમાં સંસ્કૃત ‘ટેક્સ્ટ’)
{{gap}}(બીજા ભાગમાં અંગ્રેજીમાં લખેલી પ્રસ્તાવના)
{{gap}}(બીજા ભાગમાં અંગ્રેજીમાં લખેલી પ્રસ્તાવના)
૧૪. તત્ત્વો૫પ્લવસિંહશિ(જ્યરાશિ) : (પંડિત સુખલાલજી સાથે) પ્ર. સાલ ૧૯૪૦.
૧૪. તત્ત્વો૫પ્લવસિંહશિ(જ્યરાશિ) : (પંડિત સુખલાલજી સાથે) પ્ર. સાલ ૧૯૪૦.
{{gap}}પ્રકાશક : ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝ, વડોદરા.
{{gap}}પ્રકાશક : ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝ, વડોદરા.
{{gap}}(સંસ્કૃત 'ટેક્સ્ટ’ અને અંગ્રેજી પ્રસ્તાવના સાથે)
{{gap}}(સંસ્કૃત ‘ટેક્સ્ટ’ અને અંગ્રેજી પ્રસ્તાવના સાથે)
૧૫. કાવ્યપ્રકાશખંડન (સિદ્ધિચંદ્ર) : સંસ્કૃત ટેક્સ્ટ અને અંગ્રેજીમાં પ્રસ્તાવના, ૧૯૫૩, સિંધી જૈન સિરીઝ.
૧૫. કાવ્યપ્રકાશખંડન (સિદ્ધિચંદ્ર) : સંસ્કૃત ટેક્સ્ટ અને અંગ્રેજીમાં પ્રસ્તાવના, ૧૯૫૩, સિંધી જૈન સિરીઝ.
{{gap}}પ્રકાશક : ભારતીય વિદ્યાભવન, મુંબઈ.
{{gap}}પ્રકાશક : ભારતીય વિદ્યાભવન, મુંબઈ.
૧૬. કાવ્યાદર્શ કાવ્યપ્રકાશસંકેત : (સોમેશ્વર ભટ્ટકૃત) ૧૯૫૯.
૧૬. કાવ્યાદર્શ કાવ્યપ્રકાશસંકેત : (સોમેશ્વર ભટ્ટકૃત) ૧૯૫૯.
{{gap}}પ્રકાશક : રાજસ્થાન પુરાતત્ત્વ મંદિર, જોધપુર, રાજસ્થાન.  
{{gap}}પ્રકાશક : રાજસ્થાન પુરાતત્ત્વ મંદિર, જોધપુર, રાજસ્થાન.  
(બે ભાગ–એકમાં સંસ્કૃત 'ટેક્સ્ટ’ અને બીજામાં અંગ્રેજી પ્રસ્તાવના)
(બે ભાગ–એકમાં સંસ્કૃત ‘ટેક્સ્ટ’ અને બીજામાં અંગ્રેજી પ્રસ્તાવના)
૧૭. નૃત્યરત્નકોશ : (ડૉ. પ્રિયબાળા શાહ સાથે) સંપાદન: પ્ર. સાલ ૧૯૫૭.  
૧૭. નૃત્યરત્નકોશ : (ડૉ. પ્રિયબાળા શાહ સાથે) સંપાદન: પ્ર. સાલ ૧૯૫૭.  
{{gap}}પ્રકાશક : રાજસ્થાન પુરાતત્ત્વ મંદિર, જોધપુર, રાજસ્થાન.
{{gap}}પ્રકાશક : રાજસ્થાન પુરાતત્ત્વ મંદિર, જોધપુર, રાજસ્થાન.
Line 61: Line 61:
{{gap}}પ્રકાશક : ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.
{{gap}}પ્રકાશક : ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.
'''અભ્યાસ-સામગ્રી :'''
'''અભ્યાસ-સામગ્રી :'''
૧.  ‘આત્મનિવેદન’-' સંસ્કૃતિ', માર્ચ ૧૯૬૪.
૧.  ‘આત્મનિવેદન’- ‘સંસ્કૃતિ', માર્ચ ૧૯૬૪.
૨. ‘જયન્તિ તે સુકૃતિન: '–'પ્રસ્થાન'માં પ્રગટ થયેલો શ્રી કે. કા. શાસ્ત્રીનો લેખ
૨. ‘જયન્તિ તે સુકૃતિન:'– ‘પ્રસ્થાન'માં પ્રગટ થયેલો શ્રી કે. કા. શાસ્ત્રીનો લેખ
૩. ‘શર્વિલક' માટે ગુજરાત સાહિત્યસભાની કાર્યવહી ૧૯૫૭; ‘રસ અને રુચિ' (ડૉ. ધીરુભાઈ ઠાકર); ‘શર્વિલક'ની પ્રરોચના (શ્રી. રા. બ. આઠવલે), 'નૈવેદ્ય' (શ્રી ડોલરરાય માંકડ), ‘સંસ્કૃતિ’ (ઑકટોબર, ૧૯૫૮માં પ્રગટ થયેલો શ્રી ગૌ. ચુ. ઝાલાનો પત્ર).
૩. ‘શર્વિલક' માટે ગુજરાત સાહિત્યસભાની કાર્યવહી ૧૯૫૭; ‘રસ અને રુચિ' (ડૉ. ધીરુભાઈ ઠાકર); ‘શર્વિલક'ની પ્રરોચના (શ્રી. રા. બ. આઠવલે), ‘નૈવેદ્ય' (શ્રી ડોલરરાય માંકડ), ‘સંસ્કૃતિ’ (ઑકટોબર, ૧૯૫૮માં પ્રગટ થયેલો શ્રી ગૌ. ચુ. ઝાલાનો પત્ર).
</poem>
</poem>
{{right|'''સરનામું :''' ૧૧, ભારતીનિવાસ સોસાયટી, એલિસબ્રિજ, અમદાવાદ-૬.}}<br>
{{right|'''સરનામું :''' ૧૧, ભારતીનિવાસ સોસાયટી, એલિસબ્રિજ, અમદાવાદ-૬.}}<br>

Latest revision as of 02:10, 14 June 2024

રસિકલાલ છોટાલાલ પરીખ ‘મૂસિકાર'

[૨૦-૮-૧૮૯૭]

એમનો જન્મ સાદરા ગામે તા. ૨૦-૮-૧૮૯૭ ને દિવસે થયો હતો. એમના પિતાજી શ્રી છોટાલાલ પરીખ મહીકાંઠા એજન્સીના મુખ્ય મથક સાદરા કેમ્પમાં ત્યારે વકીલાત કરતા હતા. રસિકભાઈ એ સાદરાની પ્રાથમિક શાળામાં ચાર ધોરણ અને અંગ્રેજી ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ એંગ્લોવર્નાક્યુલર સ્કૂલમાં કર્યો. ફોર્થથી મેટ્રિક સુધી અમદાવાદની પ્રોપ્રાયટરી (હાલની દીવાન-બલ્લુભાઈ) હાઈસ્કૂલમાં ભણ્યા. ૧૯૧૨માં એમના પિતાજીનું અવસાન થયું. ૧૯૧૩માં એમણે મેટ્રિક પસાર કરી. અમદાવાદ કે મુંબઈની કૉલેજમાં છોકરાઓ મોજશોખમાં પડી જાય છે એ ખ્યાલથી એમના સદ્ગત પિતાજીએ એમના ઉચ્ચ શિક્ષણ માટે તિલક અને ગોખલે જેવા સંસ્થાપકોની અને દેશભક્ત અધ્યાપકોથી સમૃદ્ધ પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાં રસિકભાઈને મૂકવાની સૂચનાઓ આપેલી. એટલે એમનાં માતુશ્રી ચંચળબહેને અને વડીલ કાકા શ્રી વાડીલાલે એમને પૂના મોકલ્યા. એમનાં લગ્ન પણ આ જ વરસે શ્રીમતી માણેકબેન સાથે થયાં. રસિકભાઈ માટે ૧૯૧૩નું વરસ બીજી પણ એક રીતે નોંધપાત્ર ગણાય. સદ્ગત શ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠક સાથે પહેલવહેલો પરિચય આ જ વરસમાં થયો. વર્ષો પછી જ્યારે રસિકભાઈ પાઠકસાહેબ વગેરે સાથે ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા ત્યારથી સહકાર્યકર અને મિત્ર તરીકે પાઠકસાહેબના ગાઢ સંપર્કમાં રહેલા. શ્રી રસિકભાઈ પાઠકસાહેબની મૈત્રીને પોતાના જીવનનું સદ્ભાગ્ય ગણે છે. પૂનાના ચાર વર્ષના નિવાસ અને અભ્યાસકાળ દરમ્યાન રસિકભાઈ ઉત્તમ અધ્યાપકોના ગાઢ સંપર્કમાં આવ્યા. પૂનાના રાષ્ટ્રીય અને વિદ્યાકીય વાતાવરણે એમના જીવનઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. એ વેળા પૂનામાં ડૉ. ગુણે અને પ્રોફેસર આર. ડી. રાનડે એમને અનુક્રમે સંસ્કૃત નાટક અને કાર્લાઇલ શીખવતા. ડૉ. ગુણેએ એમને વેદનો અને રાનડેએ તત્ત્વજ્ઞાનનો રસ લગાડ્યો. ઉપરાંત પ્રો. પટવર્ધને અંગ્રેજી કવિતા, પ્રો. જી. સી. ભાટેએ પાશ્ચાત્ય લેંજીક અને મહામહોપાધ્યાય અભ્યંકર શાસ્ત્રીએ વેદાન્તશાસ્ત્ર તરફ લગની લમાડી. આ સર્વમાં વિભૂતિરૂપ પ્રો. રાનડેથી તેઓ ખૂબ પ્રભાવિત થયેલા અને એમના વ્યક્તિત્વની રસિકભાઈ પર પ્રબળ અસર પડી છે. વીસમે વર્ષે સંસ્કૃત અને અંગ્રેજી વિષેયો સાથે તેઓ બી. એ. (ઑનર્સ) થયા અને ‘કમ્પેરેટિવ સ્ટડી ઑફ રિલિજિયન ઍન્ડ ફિલોસોફી'ની શંકરાચાર્ય સેમિનારમાં એમને ફેલોશિપ મળી. ત્યાં તેમણે ‘ભારતીય તત્ત્વજ્ઞાનમાં પરિવર્તન અને નિત્યતાનો સિદ્ધાંત' તથા ‘અનેકાંતનો જૈન ન્યાય' એ બે નિબંધો અંગ્રેજીમાં લખ્યા. શ્રી રસિકભાઈ બી. એ.માં અભ્યાસ કરતા હતા ત્યારે પ્રસિદ્ધ પુરાતત્ત્વવિદ મુનિશ્રી જિનવિજયજીના સંપર્કમાં આવ્યા. મુનિજીના ભારતના ઇતિહાસજ્ઞાને અને ગુજરાતના ઇતિહાસની સામગ્રીના જ્ઞાને રસિકભાઈ ખૂબ પ્રભાવિત થયા. મુનિશ્રી પાસે હેમચંદ્રાચાર્યના પ્રાકૃત વ્યાકરણનું અધ્યયન કરવાનો યોગ પણ સાંપડ્યો. ઇતિહાસ પ્રત્યે અભિરુચિ ઘડવામાં મુનિશ્રીનું ઋણ રસિકભાઈએ સહર્ષ સ્વીકાર્યું છે. ૧૯૧૯માં ભાંડારકર ઓરિયેન્ટલ રીચર્સ ઈન્સ્ટિટયુટમાં હસ્તલિખિત પ્રતિઓનું વર્ણનાત્મક ‘કૅટલોગ’ કરવાના મુનિશ્રીના કાર્યમાં રસિકભાઈ સહાયક તરીકે જોડાયા. એ પ્રેરણાત્મક અનુભવ રસિકભાઈ માટે અત્યંત કીમતી પુરવાર થયો. બરાબર આ જ અરસામાં બી. એ.ના અભ્યાસકાળમાં રસિકભાઈ પૂના ખાતે જ પંડિત સુખલાલજીના પરિચયમાં આવ્યા. પંડિતજી પાસે રસિકભાઈ એ કુંદકુંદાચાર્યના પ્રવચનસાર તથા તેના ઉપરની અમૃતચંદ્રસૂરિની દાર્શનિક શૈલીની ટીકાનો અભ્યાસ કર્યો. આ તાલીમથી રસિકભાઈમાં દર્શનેને ઊંડે અભ્યાસ કરવાની મહત્ત્વાકાંક્ષા પ્રગટી, અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનના મુદ્દાઓ સાથે ભારતીય દર્શનશાસ્ત્રના મુદ્દાઓની તુલના કરવાની પ્રેરણા મળી. આ બંને સમર્થ વિદ્યાપુરુષો સાથે આજસુધી રસિકભાઈનો નિકટનો સંબંધ રહ્યો છે. શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રેરણાથી ૧૯૨૦ના અરસામાં રસિકભાઈ અમદાવાદ આવ્યા અને શ્રી ઇન્દુલાલે સ્થાપેલ ‘ગુજરાત કેળવણી મંડળ' સંસ્થામાં આજીવન સ્વયંસેવક તરીકે જોડાયા. આ મંડળે પોતાને હસ્તક લીધેલી સંસ્થા જે. એલ. હાઈસ્કૂલમાં રસિકભાઈ એ સેવાઓ આપવા માંડી. ત્યારે એ સ્કૂલના આચાર્ય હતા સદ્. રામનારાયણ પાઠક, અને રસિકભાઈના સહકાર્યકરો હતા શ્રી ત્રિકમલાલ શાહ અને શ્રી નંદલાલ શાહ. આ સમય દરમ્યાન રસિકભાઈએ સંસ્કૃત અને અંગ્રેજી મુખ્ય વિષયો સાથે-એ સમયે ગૌણ વિષય ન હતો-એમ. એ. ની સબળ તૈયારી કરી હતી; પરંતુ અસહકારની લડતનો આરંભ થતાં એમણે સરકારી પરીક્ષા ન આપવાનો નિર્ણય કર્યો, અને તરત જ તેઓ શ્રી ત્રિકમલાલ શાહ અને શ્રી રા. વિ. પાઠક સાથે ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા. એ જ સમયે સ્ત્રીકેળવણી મંડળ સ્થાપિત મહિલા પાઠશાળામાં પણ એ શીખવવા જતા. ઈ.સ. ૧૯૨૧માં મુનિશ્રી જિનવિજયજીએ ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધીજીની પ્રેરણાથી પુરાતત્વમ દિરની સ્થાપના કરી અને એના આચાર્ય બન્યા. શ્રી રસિકભાઈ એ મંત્રી તરીકે એનું સંચાલન કરવા માંડ્યું અને ‘પુરાતત્ત્વ' ત્રૈમાસિકના સંપાદનની સાથે સાથે ગુજરાત વિદ્યાપીઠના સંશોધન પુસ્તકાલયનો આરંભ કર્યો. ‘પુરાતત્ત્વ' ત્રિમાસિકના પાંચ વર્ષના અંકો આપણી મહામૂલી મૂડી છે. શ્રી રસિકભાઈએ એમાં ભાસના નાટ્યચક્ર પર કરેલી વિવેચનાત્મક વિચારણા એમની નાટ્યશાસ્ત્ર વિષયક સૂક્ષ્મ દૃષ્ટિનો પરિચય આપી રહે છે. ઈ.સ. ૧૯૨૭માં અધ્યાપનકાર્ય કરતાં કરતાં, એમણે પોતાની સંશોધક દૃષ્ટિનો પણ ગુજરાતને પરિચય કરાવ્યો. ગુજરાતી અનુવાદ તથા ટિપ્પણ સાથે વૈદિક સૂક્તોની તેમ જ બ્રાહ્મણોમાંના ખંડોની પસંદગી કરીને એમણે આ દિશામાં નવપ્રસ્થાન કર્યું. આ જ અરસામાં શ્રી પાઠકસાહેબ' સાથે મમ્મટના ‘કાવ્યપ્રકાશ'ના પહેલા છ ઉલ્લાસોનો ટિપ્પણ સહિત અનુવાદ આપીને રસિકભાઈએ એક નવી પરંપરા સ્થાપી. ૧૯૩૦માં વિદ્યાપીઠની પ્રવૃત્તિઓનો રચનાત્મક માર્ગે ઝોક વધ્યો. શ્રી રસિકભાઈ શ્રી ત્રિકમભાઈ અને શ્રી રામનારાયણ પાઠક વિદ્યાપીઠમાંથી છૂટા થયા. અસહકાર અને સ્વદેશપ્રીતિને લીધે સરકારી નોકરીનો તો પ્રશ્ન જ ન હતો. શ્રી રસિકભાઈએ ૧૯૩૦થી ૧૯૩૭ સુધીનાં વર્ષોમાં સંશોધન, નાટકલેખન અને દેશાટન એ ત્રણ વિકલ્પો વચ્ચે જીવન વિતાવ્યું. આ વર્ષો કસોટીનાં હતાં. આર્થિક વિષમતાઓ વચ્ચે શ્રી રસિકભાઈને સૌ. માણેકબેનનો સંપૂર્ણ સહકાર સાંપડતો રહેલો તેથી તો તેઓ ટકી શક્યા. ૧૯૩૭માં મુંબઈ રાજ્યમાં પ્રથમ કૉંગ્રેસી પ્રધાનમંડળ રચાયુ ત્યારે સ્વ. આનંદશંકર ધ્રુવના આગ્રહથી રસિકભાઈ ગુજરાત વિદ્યાસભામાં (એ સમયે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં) સહાયક મંત્રી તરીકે જોડાયા. આચાર્ય ધ્રુવ, રસિકભાઈએ સંપાદિત કરેલ હેમચંદ્રકૃત ‘કાવ્યાનુશાસન'ની પ્રસ્તાવનામાં પૌરાણિક કાળથી કુમારપાળ સુધીનો ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ વાંચી પ્રસન્ન થયા હતા અને એને પરિણામે જ ગુજરાત વિદ્યાસભાનું મંત્રીપદ એમને સેોંપાયું. ૧૯૩૯-૪૦માં મુંબઈ સરકારની ગ્રાંટથી વિદ્યાસભામાં ઉચ્ચશિક્ષણ અને સંશોધનની વ્યવસ્થા શરૂ થતાં રસિકભાઈની નિમણૂક અધ્યક્ષ તરીકે થઈ. ૧૯૪૧માં આચાર્ય ઘ્રુવના અવસાન પછી એમના સ્થાને ડિરેકટર તરીકે રસિકભાઈની નિયુક્તિ થઈ. ત્યારથી માંડી આજસુધી ગુજરાત વિદ્યાસભા એમના કુશળ માર્ગદર્શન નીચે સાચી વિદ્યાસંસ્થા તરીકે ફાલીફૂલી છે. શ્રી રસિકભાઈ કવિ, નાટ્યલેખક, ઇતિહાસવિદ, સંશોધક, વિવેચક, સંપાદક-એમ વિવિધ રીતે ગુજરાતને સુપરિચિત છે. ‘સ્મૃતિ' નામનો કાવ્યસંગ્રહ એમની કવિશક્તિનો પરિચય આપે છે. એમાં ‘શિખરિણી શતક' નામનું સુદીર્ઘ કાવ્ય અને સ્મૃતિ બાલાશંકર અને કાલિદાસના અનુક્રમે ‘કલાન્ત કવિ' અને ‘મેઘદૂત'ની યાદ આપી જાય છે. સમગ્ર કાવ્ય સુરેખ અભિવ્યક્તિ પામ્યું છે. ‘જીવનનાં વહેણો'માં એમની ટૂંકી વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે. ‘શર્વિલક' નાટ્યકૃતિ આપીને એમણે ગુજરાતી નાટ્યસાહિત્યને સુસમૃદ્ધ કર્યું છે. ‘દરિદ્ર ચારુદત્ત' અને ‘મૃચ્છકટિક' નાટકોમાંથી પ્રેરણા લઈને સ્વતંત્રપણે સર્જાયેલી આ નાટ્યકૃતિ રાષ્ટ્રીય પારિતોષિક પામી છે; અને ગુજરાતની અતિ અલ્પ પ્રશિષ્ટ નાટ્યકૃતિઓમાં એણે સમુચિત રીતે જ પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ‘મેના ગુર્જરી'ને પણ એમની યશોદાથી નાટ્યકૃતિ તરીકે ગુજરાતે ઊલટભેર આવકારી છે. તખતા પર સે કરતાં ૫ણ વધુ સફળ પ્રયોગો એના થયા છે. ‘મેના ગુર્જરી’ નાટક ગુજરાત બહાર દૂર દિલ્હીમાં પણ સારી ખ્યાતિ પામ્યું હતું. રાષ્ટ્રપ્રમુખભવન ખાતે ‘મેના ગુર્જરી'ને અપૂર્વ આવકાર મળ્યો હતો. ત્યારને રાષ્ટ્રપતિ સ્વ. રાજેન્દ્રબાબુએ, વડાપ્રધાન સ્વ. નહેરુએ અને અન્ય માનનીય આમંત્રિતોએ ‘મેના ગુર્જરી’ને મુક્તકંઠે બિરદાવ્યું હતું. આમેય શ્રી રસિકભાઈને નાટક પ્રત્યે પહેલેથી જ સૂચિ હતી. એમની પ્રથમ કૃતિ એક નાટક જ છે. ૧૯૩૧માં ‘સંજય' ઉપનામથી એમણે ‘રૂપિયાનું ઝાડ' નામનું નાટક લખેલું. ભજવાય તો આજે પણ એ હળવી હાસ્યકૃતિ તરીકે લોકાદર પામે. ૧૯૩૧માં એમણે ટૉલ્સ્ટૉયકૃત First Distillerને ‘પહેલો કલાલ' નામે ગુજરાતી અનુવાદ આપેલો. ‘પ્રેમનું મૂલ્ય' (Price of Love) નામે રેડિયો નાટિકા, ‘વાચિકમ્', એમણે ૧૯૫૦માં લખેલી. મુંબઈ યુનિવર્સિટીના નિમંત્રણથી ૧૯૫૪માં ‘ગુજરાતની રાજધાનીઓ' એ વિષય પર (‘ઠક્કર વસનજી લૅકચર્સ') એમણે પાંચ વ્યાખ્યાનો આપેલાં. એ જ નામે એ ગ્રંથસ્થ થયાં છે. આ કૃતિનું લક્ષ્ય ઇતિહાસનિરૂપણના અનુસંધાનમાં માનવખેડાણનો એક વિષય ચકાસવાનું રહ્યું છે. માનવે સાંસ્કૃતિક વિકાસ સાધી નગરરચનાઓમાં કેવો પુરુષાર્થ દર્શાવ્યો છે એ સમજાવવાનો એમનો હેતુ છે. માનવવર્ગની ત્રણ અવસ્થાઓ, નગરની વ્યાખ્યા, ગુજરાતની ઐતિહાસિક રાજધાનીઓ-એ સર્વની ચર્ચામાં લેખકની મૂલગામી, તેજસ્વી ઇતિહાસદૃષ્ટિનો ઉત્તમ પરિચય થાય છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના આશ્રયે ૧૯૬૦ના ફેબ્રુઆરીમાં શ્રી રસિકભાઈએ ‘આનંદમીમાંસા' પરનાં ત્રણ વ્યાખ્યાનો આપેલાં. એમાં એમણે ઉપનિષદોના આધારે આનંદના સ્વરૂપની પાંચ સ્થાનકોમાં ગવેષણા કરી છે. એ પાંચ સ્થાનકો છે : (૧) સ્ત્રીપુરુષ-પ્રેમ, (૨) જ્ઞાનોપાસના, (૩) રસાનંદ (કાવ્યાનંદ, કલાનંદ વગેરે), (૪) નિષ્કામ કર્મની ભાવના, અને (૫) અધ્યાત્મપાસના. એમાંના ત્રીજા સ્થાનક રસાનંદની દૃષ્ટિએ બાકીનાં ચારેયની સુંદર અને વિશદ વિચારણા કરી છે. એમાં એમની અવિરત અભ્યાસનિષ્ઠા અને મર્મજ્ઞતાનું દર્શન થાય છે. ૧૯૬૩ના ફેબ્રુઆરીમાં ગુજરાત યુનિવર્સિટીના ઉપક્રમે ‘ગો. મા. ત્રિપાઠી વ્યાખ્યાનમાળા'માં ‘ઇતિહાસપદ્ધતિ અને સ્વરૂપ' એ વિષય પર પાંચ વ્યાખ્યાનો શ્રી રસિકભાઈએ આપેલાં. એ વ્યાખ્યાને એમના ઇતિહાસના ઊંડા અભ્યાસની પ્રતીતિ કરાવી ગયાં હતાં. તાજેતરમાં પ્રગટ થયેલ ‘પુરોવચન અને વિવેચન'માં વિવેચક રસિકભાઈનું અહ્લાદકારી દર્શન થાય છે. નવીન લેખકની શક્તિ પારખવામાં, સમકાલીનાનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં અને શિષ્ટ કૃતિઓના રસાસ્વાદનમાં પ્રવર્તતી એમની વિવેચકશક્તિ એમનાં લખાણોમાં સુપેરે પ્રગટ થાય છે. ‘વૈદિક પાઠાવલી' નું એમનું સંપાદન જોઈએ કે કાવ્યાનુશાસન (હેમચંદ્રકૃત)નું સંપાદન-શ્રી રસિકભાઈની મેઘાનો પ્રકાશ એમાંથી ફૂટતો જોવા મળે છે. એમાંયે ‘કાવ્યાનુશાસન'ને એમણે આપેલ વિદ્વત્તાસભર ઉપોદ્ઘાત એ વિષયમાં અંતિમ શબ્દ જેવો છે. પૌરાણિક કાળથી કુમારપાળ સુધીનો ગુજરાતનો સાંસ્કૃતિક ઈતિહાસ એમાં આલેખાયો છે. વિદ્વત્તાના ઉચ્ચ માનદંડ તરીકે આ ઉપોદ્ઘાત સદૈવ સ્મરણીય રહેશે. જયરાશિના ‘તત્ત્વોપપ્લવસિંહ’નું પંડિત સુખલાલજી સાથે કરેલ સંપાદન તેમ જ સિદ્ધિચંદ્રના ‘કાવ્યપ્રકાશખંડન'નું સંપાદન અને સોમેશ્વરના ‘સંકેત’ સાથેનું ‘કાવ્યપ્રકાશ'નું સંપાદન એમની સૂક્ષ્મ પર્યેષક બુદ્ધિનાં દ્યોતક સંપાદનો છે. શ્રી રસિકભાઈ એ ‘પુરાતત્ત્વ' ત્રૈમાસિકના સંપાદક તરીકે, શ્રી ઇન્દુલાલ અને ડૉ. સુમંત મહેતાના ‘યુગધર્મ'ના તંત્રીમંડળમાં અને ‘પ્રસ્થાન' માસિકના સહતંત્રી તરીકે પોતાની સેવાઓ આપી છે. ૧૯૫૪માં શ્રી રસિકભાઈ ગાંધી સ્મારક નિધિ સંચાલિત સર્વધર્મ ૧૯૫૪ સમુચ્ચય વિભાગમાં ભાગમાં સંમાન્ય શ્રી ગણેશ વાસુદેવ માવલંકરની સૂચનાથી મંત્રી તરીકે જોડાયા ત્યારે તેમણે ભો. જે. વિદ્યાભવનના અધ્યક્ષપદનું રાજીનામું આપ્યું, પરંતુ સંસ્થાએ પુરસ્કારના ધોરણે તેમને માનાર્હ અધ્યક્ષ તરીકે ચાલુ રાખ્યા. શ્રી રસિકભાઈ અનેક સંસ્થાઓ સાથે વર્ષોથી સંકળાયેલા છે. ગુજરાત સાહિત્ય સભાના વર્ષોથી પ્રમુખ છે, ભો. જે વિદ્યાભવનના માનાર્હ અધ્યક્ષ છે અને બ્રહ્મચારીવાડી ટ્રસ્ટના માનાર્હમંત્રી તરીકે તેમ જ એચ. કે. આર્ટ્સ કૉલેજની નિયામક સમિતિના મંત્રી તરીકે તેઓ સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે. ‘શ્રીમદ્ ભાગવત'ની સર્વદેશીય વાચનાની તૈયારીને એમના મૂલ્યવાન માર્ગદર્શનનો લાભ મળે છે. શ્રીનગરમાં મળેલી ૧૭મી પ્રાચ્યવિદ્યા પરિષદના સંસ્કૃત વિભાગના અધ્યક્ષપદે એમની વરણી થયેલી. વિલેપાર્લે, મુંબઈ ખાતે મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૨મા અધિવેશનનું પ્રમુખપદ એમણે શોભાવેલું. આ અગાઉ અંધેરી ખાતે સાહિત્ય પદિષદનું સંમેલન સ્વ. ખબરદારના પ્રમુખપદે મળેલું. ત્યારે તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખ શ્રી રસિકભાઈ હતા. ગુજરાત યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના પ્રારંભથી લગભગ સાત વર્ષ સુધી તેઓ ડીન રહ્યા હતા. એમની પ્રેરણાથી જ ગુજરાત વિદ્યાસભાને આશ્રયે શ્રી જયશંકર ‘સુંદરી'ના નેતૃત્વ નીચે નાટ્યવિદ્યા મંદિર તથા ‘નટમંડળ'ની સ્થાપના થઈ છે. સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિના વિષયોમાં એમણે અનેક અનુસ્નાતક તથા પીએચ. ડી.ના તેજસ્વી વિદ્યાર્થીઓ તૈયાર કર્યા છે. એ સર્વ અત્યારે સુખ્યાત વિદ્વાનો છે. સાચે જ શ્રી રસિકભાઈ એક વ્યક્તિ નહિ પણ જીવંત વિદ્યાસંસ્થા છે.

કૃતિઓ
૧. સ્મૃતિ : કાવ્યસંગ્રહ; પ્ર. સાલ ૧૯૫૨.
પ્રકાશક : ભારતી સાહિત્ય સંઘ, અમદાવાદ.
२. જીવનનાં વહેણો : વાર્તાસંગ્રહ; પ્ર. સાલ ૧૯૪૧.
પ્રકાશક : ભારતી સાહિત્ય સંઘ, અમદાવાદ.
3. મેના ગુર્જરી : નાટિકા, નવું સંસ્કરણ (છપાય છે).
૪. શર્વિલક : નાટક; પ્ર. સાલ ૧૯૫૭ (હિન્દી અનુવાદ-૧૯૬૬).
પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.
૫. પુરોવચન અને વિવેચન : વિવેચન લેખો; પ્ર. સાલ ૧૯૬૫.
પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.
૬. પ્રેમનું મૂલ્ય : રેડિયો નાટક-વાચિકમ્ પ્ર. સાલ ૧૯૫૦.
૭. પહેલો કલાલ : ટૉસ્ટૉયની કૃતિનો અનુવાદ; પ્ર. સાલ ૧૯૩૧.
૮. સંસ્કૃત નાટપસાહિત્ય-ભાસ (હવે પછી)
૯. આકાશવાણી (રેડિયો-પ્રવચનો)(હવે પછી)
૧૦. કાવ્ય અને નાટ્ય અંગેના લેખોનો સંગ્રહ (હવે પછી)
૧૧. શિક્ષણ અને તત્ત્વજ્ઞાન (નિબંધસંગ્રહ) (હવે પછી)
૧૨. રૂપિયાનું ઝાડ : નાટક; પ્ર. સાલ ૧૯૩૧, ‘સંજ્ય' તખલ્લુસથી.
પ્રકાશક : ‘પ્રસ્થાન' પ્રકાશન, અમદાવાદ
૧૩. કાવ્યાનુશાસન (ભા. ૧-૨) : (હેમચંદ્રકૃત) પ્ર. સાલ ૧૯૩૮.
પ્રકાશક : મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ.
(પહેલા ભાગમાં સંસ્કૃત ‘ટેક્સ્ટ’)
(બીજા ભાગમાં અંગ્રેજીમાં લખેલી પ્રસ્તાવના)
૧૪. તત્ત્વો૫પ્લવસિંહશિ(જ્યરાશિ) : (પંડિત સુખલાલજી સાથે) પ્ર. સાલ ૧૯૪૦.
પ્રકાશક : ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝ, વડોદરા.
(સંસ્કૃત ‘ટેક્સ્ટ’ અને અંગ્રેજી પ્રસ્તાવના સાથે)
૧૫. કાવ્યપ્રકાશખંડન (સિદ્ધિચંદ્ર) : સંસ્કૃત ટેક્સ્ટ અને અંગ્રેજીમાં પ્રસ્તાવના, ૧૯૫૩, સિંધી જૈન સિરીઝ.
પ્રકાશક : ભારતીય વિદ્યાભવન, મુંબઈ.
૧૬. કાવ્યાદર્શ કાવ્યપ્રકાશસંકેત : (સોમેશ્વર ભટ્ટકૃત) ૧૯૫૯.
પ્રકાશક : રાજસ્થાન પુરાતત્ત્વ મંદિર, જોધપુર, રાજસ્થાન.
(બે ભાગ–એકમાં સંસ્કૃત ‘ટેક્સ્ટ’ અને બીજામાં અંગ્રેજી પ્રસ્તાવના)
૧૭. નૃત્યરત્નકોશ : (ડૉ. પ્રિયબાળા શાહ સાથે) સંપાદન: પ્ર. સાલ ૧૯૫૭.
પ્રકાશક : રાજસ્થાન પુરાતત્ત્વ મંદિર, જોધપુર, રાજસ્થાન.
૧૮. Some Aspects of the Study of Classical Sanskrit:
(અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદના શ્રીનગર ખાતે ભરાયેલા અધિવેશનમાં સંસ્કૃત વિભાગના પ્રમુખ તરીકે આપેલું પ્રવચન)
૧૯. કાવ્યપ્રકાશ : ૧થી ૬ (રા. વિ. પાઠક સાથે), ૧૯૨૪.
પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ.
૨૦. વૈદિક પાઠાવલી : વેદ અને બ્રાહ્મણોમાંથી પાઠો અને તેને ગુજરાતી અનુવાદ-ટિપ્પણી સાથે ૧૯૨૭.
૨૧. ગુજરાતની રાજધાનીઓ : (ઠક્કર વસનજી વ્યાખ્યાનો) ૧૯૫૮.
પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.
૨૨. આનંદમીમાંસા : (મહારાજા સયાજીરાવ વ્યાખ્યાનો) ૧૯૬૩.
પ્રકાશક : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા.
૨૩. ઇતિહાસ : પદ્ધતિ અને સ્વરૂપ : (ગુજરાત યુનિવર્સિટીમાં આપેલ વ્યાખ્યાન) ૧૯૬૩, (પ્રેસમાં).
પ્રકાશક : ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.
અભ્યાસ-સામગ્રી :
૧. ‘આત્મનિવેદન’- ‘સંસ્કૃતિ', માર્ચ ૧૯૬૪.
૨. ‘જયન્તિ તે સુકૃતિન:'– ‘પ્રસ્થાન'માં પ્રગટ થયેલો શ્રી કે. કા. શાસ્ત્રીનો લેખ
૩. ‘શર્વિલક' માટે ગુજરાત સાહિત્યસભાની કાર્યવહી ૧૯૫૭; ‘રસ અને રુચિ' (ડૉ. ધીરુભાઈ ઠાકર); ‘શર્વિલક'ની પ્રરોચના (શ્રી. રા. બ. આઠવલે), ‘નૈવેદ્ય' (શ્રી ડોલરરાય માંકડ), ‘સંસ્કૃતિ’ (ઑકટોબર, ૧૯૫૮માં પ્રગટ થયેલો શ્રી ગૌ. ચુ. ઝાલાનો પત્ર).

સરનામું : ૧૧, ભારતીનિવાસ સોસાયટી, એલિસબ્રિજ, અમદાવાદ-૬.