ગ્રંથ અને ગ્રંથકાર/શિવકુમાર ગિરિજાશંકર જોશી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 6: Line 6:
શ્રી શિવકુમારનો જન્મ વતન અમદાવાદમાં ૧૬ મી નવેંબર, ૧૯૧૬ના રોજ થયો હતો. પિતાનું નામ શ્રી ગિરિજાશંકર જોશી અને માતાનું નામ તારાલક્ષ્મી. વર્ષોથી તેઓ કલકત્તામાં વસ્યા છે અને લેખનપ્રવૃત્તિને પ્રતિકૂળ એવો કાપડનો વ્યવસાય કરે છે. ૧૯૫૨માં તેમણે શ્રી સત્યવતીબહેન સાથે લગ્ન કર્યું છે.
શ્રી શિવકુમારનો જન્મ વતન અમદાવાદમાં ૧૬ મી નવેંબર, ૧૯૧૬ના રોજ થયો હતો. પિતાનું નામ શ્રી ગિરિજાશંકર જોશી અને માતાનું નામ તારાલક્ષ્મી. વર્ષોથી તેઓ કલકત્તામાં વસ્યા છે અને લેખનપ્રવૃત્તિને પ્રતિકૂળ એવો કાપડનો વ્યવસાય કરે છે. ૧૯૫૨માં તેમણે શ્રી સત્યવતીબહેન સાથે લગ્ન કર્યું છે.
એમણે પ્રાથમિક, માધ્યમિક તેમ જ બી. એ. ઑનર્સ સુધીનું શિક્ષણ, ૧૯૨૧થી ૧૯૩૭ સુધીનાં વર્ષોમાં અમદાવાદમાં જ લીધું. પ્રાથમિક ચાર ધોરણ નવી ગુજરાતી શાળામાં-૧૯૨૧થી ૨૫ દરમ્યાન; પાંચમી ગુજરાતી અથવા અંગ્રેજી પહેલીથી મેટ્રિક, સરકારી મિડલ સ્કૂલ અને આર. સી. હાઈસ્કૂલમાં-૧૯૨૫-૨૬થી ૧૯૩૩ દરમ્યાન; અને એ પછી બી. એ. સુધીનું ઉચ્ચ શિક્ષણ ગુજરાત કૉલેજમાં ૧૯૩૪થી ૧૯૩૭ દરમ્યાન લીધું હતું. ૧૯૨૯થી ૧૯૩૩નાં વર્ષોમાં એમને સરકારી સ્કૉલરશિપ મળતી હતી.
એમણે પ્રાથમિક, માધ્યમિક તેમ જ બી. એ. ઑનર્સ સુધીનું શિક્ષણ, ૧૯૨૧થી ૧૯૩૭ સુધીનાં વર્ષોમાં અમદાવાદમાં જ લીધું. પ્રાથમિક ચાર ધોરણ નવી ગુજરાતી શાળામાં-૧૯૨૧થી ૨૫ દરમ્યાન; પાંચમી ગુજરાતી અથવા અંગ્રેજી પહેલીથી મેટ્રિક, સરકારી મિડલ સ્કૂલ અને આર. સી. હાઈસ્કૂલમાં-૧૯૨૫-૨૬થી ૧૯૩૩ દરમ્યાન; અને એ પછી બી. એ. સુધીનું ઉચ્ચ શિક્ષણ ગુજરાત કૉલેજમાં ૧૯૩૪થી ૧૯૩૭ દરમ્યાન લીધું હતું. ૧૯૨૯થી ૧૯૩૩નાં વર્ષોમાં એમને સરકારી સ્કૉલરશિપ મળતી હતી.
એમની સાહિત્યિક કારકિર્દીનો આરંભ ઈ.સ. ૧૯૫૦ના ડિસેંબરમાં 'કુમાર' માસિકમાં પ્રગટેલ 'મુક્તિપ્રસૂન' નામની એકાંકી નાટિકાથી થયો. ત્યારથી આરંભી આજલગીમાં એમણે નાટક, નવલિકા અને નવલકથાક્ષેત્રે પ્રશંસનીય અર્પણ કર્યું છે. એમના સર્જનમાં દાંડીકૂચ, બેંતાળીસની લડત, ૧૯૪૩નો બંગાળનો ભીષણ દુકાળ, ૧૯૪૬નાં કલકત્તાનાં કોમી રમખાણો, ૧૫ મી ઑગસ્ટ ૧૯૪૭ અને ૩૦ મી જાન્યુઆરી ૧૯૪૮ જેવા પ્રસંગોએ ભારે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેમાંય તે ૧૯૩૨ તથા ૧૯૪૨-૪૩ની લડતોમાં શ્રી શિવકુમારે ભાગ લીધેલો અને ૧૯૪૩ ના બંગાળના દુકાળમાં રાહતકાર્ય પણ કરેલું. આ પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ એમના સર્જનમાં ચોક્કસપણે પડ્યું છે.
એમની સાહિત્યિક કારકિર્દીનો આરંભ ઈ.સ. ૧૯૫૦ના ડિસેંબરમાં ‘કુમાર' માસિકમાં પ્રગટેલ ‘મુક્તિપ્રસૂન' નામની એકાંકી નાટિકાથી થયો. ત્યારથી આરંભી આજલગીમાં એમણે નાટક, નવલિકા અને નવલકથાક્ષેત્રે પ્રશંસનીય અર્પણ કર્યું છે. એમના સર્જનમાં દાંડીકૂચ, બેંતાળીસની લડત, ૧૯૪૩નો બંગાળનો ભીષણ દુકાળ, ૧૯૪૬નાં કલકત્તાનાં કોમી રમખાણો, ૧૫ મી ઑગસ્ટ ૧૯૪૭ અને ૩૦ મી જાન્યુઆરી ૧૯૪૮ જેવા પ્રસંગોએ ભારે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેમાંય તે ૧૯૩૨ તથા ૧૯૪૨-૪૩ની લડતોમાં શ્રી શિવકુમારે ભાગ લીધેલો અને ૧૯૪૩ ના બંગાળના દુકાળમાં રાહતકાર્ય પણ કરેલું. આ પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ એમના સર્જનમાં ચોક્કસપણે પડ્યું છે.
શ્રી શિવકુમાર પર ગોવર્ધનરામ અને કલાપીની અસર અભ્યાસકાળ દરમ્યાન સારા પ્રમાણમાં પડી હતી. ગાંધીજીની અસરથી તો એ યુગમાં કોણ બાકાત રહી શકે? કલકત્તાનિવાસ કર્યા પછી એમણે બંગ સાહિત્યનો અભ્યાસ કરતાં રવીન્દ્રનાથ અને શરદ્બાબુની કૃતિઓનું પરિશીલન કરેલું. એમના જીવન ઉપર પ્રબળ અસર પાડી હોય એવાં પુસ્તકો છે ગીતા, ગાંધીજીની આત્મકથા, બ્રહ્મસૂત્રભાષ્ય, રધુવંશ, શાકુન્તલ અને શેક્સપિયર-શો-ઇબ્સનનાં નાટકો, એમને અભ્યાસકાળ દરમ્યાન થોડા શિક્ષકો તરફથી સારી પ્રેરણા મળેલી. વળી તખ્તા સાથે તો નાનપણથી જ એમને પ્રીતિ બંધાઈ હતી. પ્રાથમિક શાળામાં એવી પ્રવૃત્તિ ઉપર ખૂબ ભાર મુકાયેલ, પછી તો ૧૯૫૦ની આજુબાજુ વિદ્યાસભાસંચાલિત નટમંડળ સાથેના ગાઢ સંપર્કમાં આવ્યા અને સાથે ઑલ ઇન્ડિયા રેડિયો સાથે પણ નાટકપ્રવૃત્તિ નિમિત્તે નાતો બંધાયો.
શ્રી શિવકુમાર પર ગોવર્ધનરામ અને કલાપીની અસર અભ્યાસકાળ દરમ્યાન સારા પ્રમાણમાં પડી હતી. ગાંધીજીની અસરથી તો એ યુગમાં કોણ બાકાત રહી શકે? કલકત્તાનિવાસ કર્યા પછી એમણે બંગ સાહિત્યનો અભ્યાસ કરતાં રવીન્દ્રનાથ અને શરદ્બાબુની કૃતિઓનું પરિશીલન કરેલું. એમના જીવન ઉપર પ્રબળ અસર પાડી હોય એવાં પુસ્તકો છે ગીતા, ગાંધીજીની આત્મકથા, બ્રહ્મસૂત્રભાષ્ય, રધુવંશ, શાકુન્તલ અને શેક્સપિયર-શો-ઇબ્સનનાં નાટકો, એમને અભ્યાસકાળ દરમ્યાન થોડા શિક્ષકો તરફથી સારી પ્રેરણા મળેલી. વળી તખ્તા સાથે તો નાનપણથી જ એમને પ્રીતિ બંધાઈ હતી. પ્રાથમિક શાળામાં એવી પ્રવૃત્તિ ઉપર ખૂબ ભાર મુકાયેલ, પછી તો ૧૯૫૦ની આજુબાજુ વિદ્યાસભાસંચાલિત નટમંડળ સાથેના ગાઢ સંપર્કમાં આવ્યા અને સાથે ઑલ ઇન્ડિયા રેડિયો સાથે પણ નાટકપ્રવૃત્તિ નિમિત્તે નાતો બંધાયો.
શ્રી શિવકુમારની લેખનપ્રવૃત્તિની શરૂઆત આર. સી. હાઈસ્કૂલમાં પોતાના તંત્રીપદે શરૂ કરેલા એક હસ્તલિખિત સામયિકથી થયેલી. તે વેળા કવિતા અને વાર્તા લખાયાં હતાં. કૉલેજ મૅગેઝિન માટે તેમણે એક સૉનેટ લખેલું, પણ તેને સ્વીકાર ન થતાં ૧૯૩૪થી ૧૯૫૦ સુધી ખાસ કંઈ લખ્યું ન હતું. વચમાં માત્ર અંગ્રેજીમાં કલકત્તાની કલાપ્રવૃત્તિ વિશે નિબંધો લખતા તે ‘ભારતજ્યોતિ' વગેરેમાં પ્રગટ થયેલા. ગુજરાતી છાપાંઓમાં પણ એવાં વિવેચન પ્રગટ થયેલાં. ૧૯૫૦માં રેડિયો અને નટમંડળની નાટ્યપ્રવૃત્તિએ એમને લખવાને રંગ લગાડ્યો. ‘લેખક થવાનો જો. કોઈ પણ ઉદ્દેશ હોય તો તે મારા પોતાના જીવનની મર્યાદાની ભીંસમાંથી છૂટવાની, મુક્ત થવાની વૃત્તિ. એ વૃત્તિનું વક્તવ્ય-expression-તે લેખનપ્રવૃત્તિ. જાતને નવનવરૂપે ઓળખીને તેને પ્રગટ કરવાનો આનંદ’-એ છે એમના લેખનનો ઉદ્દેશ.
શ્રી શિવકુમારની લેખનપ્રવૃત્તિની શરૂઆત આર. સી. હાઈસ્કૂલમાં પોતાના તંત્રીપદે શરૂ કરેલા એક હસ્તલિખિત સામયિકથી થયેલી. તે વેળા કવિતા અને વાર્તા લખાયાં હતાં. કૉલેજ મૅગેઝિન માટે તેમણે એક સૉનેટ લખેલું, પણ તેને સ્વીકાર ન થતાં ૧૯૩૪થી ૧૯૫૦ સુધી ખાસ કંઈ લખ્યું ન હતું. વચમાં માત્ર અંગ્રેજીમાં કલકત્તાની કલાપ્રવૃત્તિ વિશે નિબંધો લખતા તે ‘ભારતજ્યોતિ' વગેરેમાં પ્રગટ થયેલા. ગુજરાતી છાપાંઓમાં પણ એવાં વિવેચન પ્રગટ થયેલાં. ૧૯૫૦માં રેડિયો અને નટમંડળની નાટ્યપ્રવૃત્તિએ એમને લખવાને રંગ લગાડ્યો. ‘લેખક થવાનો જો. કોઈ પણ ઉદ્દેશ હોય તો તે મારા પોતાના જીવનની મર્યાદાની ભીંસમાંથી છૂટવાની, મુક્ત થવાની વૃત્તિ. એ વૃત્તિનું વક્તવ્ય-expression-તે લેખનપ્રવૃત્તિ. જાતને નવનવરૂપે ઓળખીને તેને પ્રગટ કરવાનો આનંદ’-એ છે એમના લેખનનો ઉદ્દેશ.
શ્રી શિવકુમારના પ્રિય લેખકો છે કાલિદાસ, ભવભૂતિ, જયદેવ, શેક્સપિયર-શો-ઇબ્સન, ગોવર્ધનરામ, નાનાલાલ, મુનશી, રોમાં રોલા, રવીન્દ્રનાથ, શરચંદ્ર. પણ કાલિદાસ એમને વિશેષ ગમે છે. શેક્સપિયર ગમતો હોવા છતાં કાલિદાસ પ્રત્યે વધુ આત્મીયતા લાગે છે. કાલિદાસનું વિશાળ અને વિરાટ દૃષ્ટિફલક તથા એની નિરૂપણપદ્ધતિ સચોટ અને લાલિત્યભરી હોઈને તે ખૂબ ખૂબ ગમે છે. જોકે શિવકુમારનો પ્રિય ગ્રંથ છે 'ગીતાંજલિ'. તેઓ માને છે કે ગીતાંજલિમાં માનવીના આધ્યાત્મિક તલસાટને અક્ષરદેહ મળ્યો છે; એ અક્ષરદેહ લાલિત્યપૂર્ણ છે, મધુર-મંજુલ છે. એમાંની વિચારગૂંથણી સાથે સહજપણે ઓતપ્રોત થવાય છે.
શ્રી શિવકુમારના પ્રિય લેખકો છે કાલિદાસ, ભવભૂતિ, જયદેવ, શેક્સપિયર-શો-ઇબ્સન, ગોવર્ધનરામ, નાનાલાલ, મુનશી, રોમાં રોલા, રવીન્દ્રનાથ, શરચંદ્ર. પણ કાલિદાસ એમને વિશેષ ગમે છે. શેક્સપિયર ગમતો હોવા છતાં કાલિદાસ પ્રત્યે વધુ આત્મીયતા લાગે છે. કાલિદાસનું વિશાળ અને વિરાટ દૃષ્ટિફલક તથા એની નિરૂપણપદ્ધતિ સચોટ અને લાલિત્યભરી હોઈને તે ખૂબ ખૂબ ગમે છે. જોકે શિવકુમારનો પ્રિય ગ્રંથ છે ‘ગીતાંજલિ'. તેઓ માને છે કે ગીતાંજલિમાં માનવીના આધ્યાત્મિક તલસાટને અક્ષરદેહ મળ્યો છે; એ અક્ષરદેહ લાલિત્યપૂર્ણ છે, મધુર-મંજુલ છે. એમાંની વિચારગૂંથણી સાથે સહજપણે ઓતપ્રોત થવાય છે.
શ્રી શિવકુમારનો પ્રિય સાહિત્યપ્રકાર છે કાવ્ય, કારણ કે એમાં ટૂંકાણમાં સૂચનાત્મક રીતે કવિહૃદય વ્યક્ત થતું હોય છે. એમને મતે સાહિત્યકલાનો ઉત્તમોત્તમ ઘાટ કાવ્ય છે. એમનો મનગમતો લેખનવિષય છે આધુનિક સમાજ. તેઓ માને છે કે જે સમાજના પોતે સભ્ય છે તેની લાગણીઓ અને તેની શક્તિ તથા મર્યાદા તેઓ સારી રીતે સમજી શકે છે. એમને ઘણુંખરું વિદેશી વિવેચનસાહિત્ય વાંચવું ખૂબ ગમે છે. એથી આધુનિક સાહિત્યપ્રવાહની ગતિ સમજવામાં સરળતા પડે છે. શ્રી શિવકુમારના સાહિત્યસર્જનમાં અનેક વ્યક્તિઓ સાથેના એમના અંગત સંબંધોએ પણ પ્રેરક ભાગ ભજવ્યો છે. તેઓ માને છે કે એકે એક નવો સંબંધ માનવીની નવી બાજુ અને તેની સાથે સંકળાતી પોતાની કોઈ નવી બાજુનું એમને દર્શન કરાવે છે.
શ્રી શિવકુમારનો પ્રિય સાહિત્યપ્રકાર છે કાવ્ય, કારણ કે એમાં ટૂંકાણમાં સૂચનાત્મક રીતે કવિહૃદય વ્યક્ત થતું હોય છે. એમને મતે સાહિત્યકલાનો ઉત્તમોત્તમ ઘાટ કાવ્ય છે. એમનો મનગમતો લેખનવિષય છે આધુનિક સમાજ. તેઓ માને છે કે જે સમાજના પોતે સભ્ય છે તેની લાગણીઓ અને તેની શક્તિ તથા મર્યાદા તેઓ સારી રીતે સમજી શકે છે. એમને ઘણુંખરું વિદેશી વિવેચનસાહિત્ય વાંચવું ખૂબ ગમે છે. એથી આધુનિક સાહિત્યપ્રવાહની ગતિ સમજવામાં સરળતા પડે છે. શ્રી શિવકુમારના સાહિત્યસર્જનમાં અનેક વ્યક્તિઓ સાથેના એમના અંગત સંબંધોએ પણ પ્રેરક ભાગ ભજવ્યો છે. તેઓ માને છે કે એકે એક નવો સંબંધ માનવીની નવી બાજુ અને તેની સાથે સંકળાતી પોતાની કોઈ નવી બાજુનું એમને દર્શન કરાવે છે.
૧૯૫૦માં શ્રી શિવકુમારનું પ્રથમ એકાંકી નાટક 'મુક્તિપ્રસૂન' 'કુમાર'માં પ્રગટ થયું ત્યારે એને ચોમેરથી સારો આવકાર મળેલો. પોતાનામાં કશુંક ખમીર છે એને પડઘો ચારે બાજુથી સાંભળવા મળ્યો તેથી એમને ખૂબ ખુશી થઈ અને ભારે પ્રેરણા મળી, જેના પરિણામે પછીના બે માસમાં જ પાંચછ એકાંકી એમનાથી લખાઈ ગયાં. શિવકુમારને 'હુઆ તો વિવાહ’ એકાંકી માટે ૧૯૫૨માં કુમારચંદ્રક: ચતુરંકી નાટક 'સુમંગલા' માટે નર્મદ સુવર્ણચંદ્રક; 'અનંત સાધના'ને રેડિયોનાટક હરીફાઈમાં પ્રથમ પારિતોષિક ૧૯૫૪માં અને ત્યાર પછી લગભગ વરસે વરસે એમની નાટ્યકૃતિઓ કે નવલકથાને મુંબઈ અને પછી ગુજરાત સરકારનાં પારિતોષિકો મળતાં જ રહ્યાં છે.  
૧૯૫૦માં શ્રી શિવકુમારનું પ્રથમ એકાંકી નાટક ‘મુક્તિપ્રસૂન' ‘કુમાર'માં પ્રગટ થયું ત્યારે એને ચોમેરથી સારો આવકાર મળેલો. પોતાનામાં કશુંક ખમીર છે એને પડઘો ચારે બાજુથી સાંભળવા મળ્યો તેથી એમને ખૂબ ખુશી થઈ અને ભારે પ્રેરણા મળી, જેના પરિણામે પછીના બે માસમાં જ પાંચછ એકાંકી એમનાથી લખાઈ ગયાં. શિવકુમારને ‘હુઆ તો વિવાહ’ એકાંકી માટે ૧૯૫૨માં કુમારચંદ્રક: ચતુરંકી નાટક ‘સુમંગલા' માટે નર્મદ સુવર્ણચંદ્રક; ‘અનંત સાધના'ને રેડિયોનાટક હરીફાઈમાં પ્રથમ પારિતોષિક ૧૯૫૪માં અને ત્યાર પછી લગભગ વરસે વરસે એમની નાટ્યકૃતિઓ કે નવલકથાને મુંબઈ અને પછી ગુજરાત સરકારનાં પારિતોષિકો મળતાં જ રહ્યાં છે.  
શ્રી શિવકુમાર ગુજરાતી, અંગ્રેજી, બંગાળી અને હિંદી જાણે છે. એમણે ચિત્રકળાવિવેચન અંગ્રેજીમાં થોડુંક લખેલું. બંગાળીમાં તૈયાર કરીને ભાષણ પણ કરી શકે છે. એમની સાહિત્યસાધના વણથંભી ચાલુ છે. કલકત્તાના ગુજરાતી સાહિત્ય મંડળના ‘કેસૂડાં' નામના સુંદર વાર્ષિકના સહસંપાદક તરીકે પણ એમણે નોંધપાત્ર કામગીરી બજાવી છે. એથી પણ અપૂર્વ યશ એમણે રળ્યો કલકત્તામાં સાહિત્ય પરિષદનું સંમેલન નોતરીને. ગુજરાત બહાર મળેલાં પરિષદનાં અધિવેશનોમાં કલકત્તાનું સંમેલન દરેક રીતે સફળ ગણાવી શકાય.
શ્રી શિવકુમાર ગુજરાતી, અંગ્રેજી, બંગાળી અને હિંદી જાણે છે. એમણે ચિત્રકળાવિવેચન અંગ્રેજીમાં થોડુંક લખેલું. બંગાળીમાં તૈયાર કરીને ભાષણ પણ કરી શકે છે. એમની સાહિત્યસાધના વણથંભી ચાલુ છે. કલકત્તાના ગુજરાતી સાહિત્ય મંડળના ‘કેસૂડાં' નામના સુંદર વાર્ષિકના સહસંપાદક તરીકે પણ એમણે નોંધપાત્ર કામગીરી બજાવી છે. એથી પણ અપૂર્વ યશ એમણે રળ્યો કલકત્તામાં સાહિત્ય પરિષદનું સંમેલન નોતરીને. ગુજરાત બહાર મળેલાં પરિષદનાં અધિવેશનોમાં કલકત્તાનું સંમેલન દરેક રીતે સફળ ગણાવી શકાય.
નાટ્યક્ષેત્રે શ્રી શિવકુમારનું અર્પણ મૂલ્યવાન છે. આધુનિક એકાંકીલેખકોમાં 'પાંખ વિનાનાં પારેવાં' અને 'અનંત સાધના'ના પ્રકાશનથી એમણે માનભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એ પછી પણ એમના એકાંકીસંગ્રહો તેમ જ ત્રિઅંકી, ચતુરંકી અને પંચાંકી નાટકો પ્રગટ થયાં છે. પાત્રના મનોમંથનમાંથી જન્મતો સંઘર્ષ, ચમકદાર સજીવ પાત્રો, મર્માળા શિષ્ટ સંવાદો, વિવિધ આકર્ષક ભાવોનું આલેખન અને રંગભૂમિની વિકસિત દૃષ્ટિ વગેરેથી મુખ્યત્વે શહેરી જીવનમાંથી વસ્તુ લઈને લખાયેલાં એમનાં સામાજિક નાટકોએ આપણી નાટ્યસમૃદ્ધિ વધારી છે. એકાંકીક્ષેત્રે નવનવા પ્રયોગો પણ એ કરે છે. એમની નવલકથાઓ અને વાર્તાઓ, વિવિધ યાત્રાધામો-ગિરિવિહારોની પાર્શ્વભૂ, કલકત્તા-બંગાળભૂમિનાં મનોહર ચિત્રણો, રાજકીય પ્રસંગોનાં આલેખન, જાતીય જીવનના આવેગો, પાત્રોના હૃદયપ્રદેશનાં ઊંડાણનાં થતાં દર્શન, અને સમગ્ર રીતે ફેરી રહેતું કવિત્વ વગેરેથી સારી ખ્યાતિ પામી છે. વર્તમાન યુગના એક અમણી સર્જક તરીકે શ્રી શિવકુમાર ધ્યાન ખેંચી રહે છે.
નાટ્યક્ષેત્રે શ્રી શિવકુમારનું અર્પણ મૂલ્યવાન છે. આધુનિક એકાંકીલેખકોમાં ‘પાંખ વિનાનાં પારેવાં' અને ‘અનંત સાધના'ના પ્રકાશનથી એમણે માનભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એ પછી પણ એમના એકાંકીસંગ્રહો તેમ જ ત્રિઅંકી, ચતુરંકી અને પંચાંકી નાટકો પ્રગટ થયાં છે. પાત્રના મનોમંથનમાંથી જન્મતો સંઘર્ષ, ચમકદાર સજીવ પાત્રો, મર્માળા શિષ્ટ સંવાદો, વિવિધ આકર્ષક ભાવોનું આલેખન અને રંગભૂમિની વિકસિત દૃષ્ટિ વગેરેથી મુખ્યત્વે શહેરી જીવનમાંથી વસ્તુ લઈને લખાયેલાં એમનાં સામાજિક નાટકોએ આપણી નાટ્યસમૃદ્ધિ વધારી છે. એકાંકીક્ષેત્રે નવનવા પ્રયોગો પણ એ કરે છે. એમની નવલકથાઓ અને વાર્તાઓ, વિવિધ યાત્રાધામો-ગિરિવિહારોની પાર્શ્વભૂ, કલકત્તા-બંગાળભૂમિનાં મનોહર ચિત્રણો, રાજકીય પ્રસંગોનાં આલેખન, જાતીય જીવનના આવેગો, પાત્રોના હૃદયપ્રદેશનાં ઊંડાણનાં થતાં દર્શન, અને સમગ્ર રીતે ફેરી રહેતું કવિત્વ વગેરેથી સારી ખ્યાતિ પામી છે. વર્તમાન યુગના એક અમણી સર્જક તરીકે શ્રી શિવકુમાર ધ્યાન ખેંચી રહે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 43: Line 43:
૧૪. અનંગરાગ : મૌલિક, નવલકથા; પ્ર. સાલ ૧૯૫૮, ૧૯૬૧.
૧૪. અનંગરાગ : મૌલિક, નવલકથા; પ્ર. સાલ ૧૯૫૮, ૧૯૬૧.
૧૫. એકને ટકોરે : મૌલિક, ત્રિઅંકી; પ્ર. સાલ ૧૯૬૦.
૧૫. એકને ટકોરે : મૌલિક, ત્રિઅંકી; પ્ર. સાલ ૧૯૬૦.
૧૬. દેવદાસ : અનુવાદ (બંગાળી નવલકથા 'દેવદાસ' ઉપરથી), પંચાંકી; પ્ર. સાલ ૧૯૬o.
૧૬. દેવદાસ : અનુવાદ (બંગાળી નવલકથા ‘દેવદાસ' ઉપરથી), પંચાંકી; પ્ર. સાલ ૧૯૬૦.
૧૭. રહસ્યનગરી : મૌલિક, વાર્તાસંગ્રહ; પ્ર. સાલ ૧૯૬૦.
૧૭. રહસ્યનગરી : મૌલિક, વાર્તાસંગ્રહ; પ્ર. સાલ ૧૯૬૦.
૧૮. શ્રાવણી : મૌલિક, નવલકથા; પ્ર. સાલ ૧૯૬૧.
૧૮. શ્રાવણી : મૌલિક, નવલકથા; પ્ર. સાલ ૧૯૬૧.
Line 55: Line 55:
(૧૨થી ૨૫) પ્રકાશક : સ્વાતિ પ્રકાશન, મુંબઈ.
(૧૨થી ૨૫) પ્રકાશક : સ્વાતિ પ્રકાશન, મુંબઈ.
'''અભ્યાસ-સામગ્રી :'''
'''અભ્યાસ-સામગ્રી :'''
૧. 'પાંખ વિનાનાં પારેવાં’: શ્રી અનંતરાય રાવળની પ્રસ્તાવના ('સમીક્ષા').  
૧. ‘પાંખ વિનાનાં પારેવાં’: શ્રી અનંતરાય રાવળની પ્રસ્તાવના (‘સમીક્ષા').  
૨. 'સુમંગલા'  : શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની પ્રસ્તાવના.
૨. ‘સુમંગલા'  : શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની પ્રસ્તાવના.
3. 'અંગારભસ્મ'  : શ્રી રસિકલાલ પરીખની પ્રસ્તાવના.
3. ‘અંગારભસ્મ'  : શ્રી રસિકલાલ પરીખની પ્રસ્તાવના.
૪. ‘અંધારાં ઉલેચો' : શ્રી કિસનસિંહ ચાવડાની પ્રસ્તાવના.
૪. ‘અંધારાં ઉલેચો' : શ્રી કિસનસિંહ ચાવડાની પ્રસ્તાવના.
૫. 'અનંત સાધના ' : શ્રી વ્રજરાય દેસાઈની પ્રસ્તાવના.
૫. ‘અનંત સાધના' : શ્રી વ્રજરાય દેસાઈની પ્રસ્તાવના.
૬. 'રજનીગન્ધા' : શ્રી મનસુખલાલ ઝવેરીની પ્રસ્તાવના તેમ જ 'સંસ્કૃતિ', જુલાઈ '૫૬.
૬. ‘રજનીગન્ધા' : શ્રી મનસુખલાલ ઝવેરીની પ્રસ્તાવના તેમ જ ‘સંસ્કૃતિ', જુલાઈ '૫૬.
૭. 'કંચુકીબંધ’ : 'સંસ્કૃતિ', માર્ચ '૫૭. ‘સંદેશ’, ‘ગુજરાત સમાચાર', 'જન્મભૂમિ', 'ઊર્મિનવરચના'માંનાં અવલોકનો.
૭. ‘કંચુકીબંધ’ : ‘સંસ્કૃતિ', માર્ચ '૫૭. ‘સંદેશ’, ‘ગુજરાત સમાચાર', ‘જન્મભૂમિ', ‘ઊર્મિનવરચના'માંનાં અવલોકનો.
८. ‘આભ રુવે એની નવલખ ધારે' માટે 'જનસત્તા', 'સંદેશ', 'ગુજરાત સમાચાર' અને 'બુદ્ધિપ્રકાશ' ઑગસ્ટ, ૧૯૬૫.
८. ‘આભ રુવે એની નવલખ ધારે' માટે ‘જનસત્તા', ‘સંદેશ', ‘ગુજરાત સમાચાર' અને ‘બુદ્ધિપ્રકાશ' ઑગસ્ટ, ૧૯૬૫.
૯. ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહીઓ : 'રજનીગન્ધા' - ૧૯૫૫: ‘દૂર્વાંકર’-૧૯૫૭; ‘અનંગરાગ' ૧૯૫૮; -‘રહસ્યનગરી', 'સોનેરી હાંસડી, રૂપેરી હાંસડી’ -૧૯૫૯; 'સુવર્ણરેખા', ‘શ્રાવણી’-૧૯૬૧.
૯. ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહીઓ : ‘રજનીગન્ધા' - ૧૯૫૫: ‘દૂર્વાંકર’-૧૯૫૭; ‘અનંગરાગ' ૧૯૫૮; -‘રહસ્યનગરી', ‘સોનેરી હાંસડી, રૂપેરી હાંસડી’ -૧૯૫૯; ‘સુવર્ણરેખા', ‘શ્રાવણી’-૧૯૬૧.
૧૦ . 'ગુજરાતીનાં એકાંકી'  : શ્રી બ્રોકરની પ્રસ્તાવના.
૧૦ . ‘ગુજરાતીનાં એકાંકી'  : શ્રી બ્રોકરની પ્રસ્તાવના.


</poem>
</poem>

Latest revision as of 02:43, 14 June 2024

શિવકુમાર ગિરિજાશંકર જોશી

[૧૬-૧૧-૧૯૧૬]

શ્રી શિવકુમારનો જન્મ વતન અમદાવાદમાં ૧૬ મી નવેંબર, ૧૯૧૬ના રોજ થયો હતો. પિતાનું નામ શ્રી ગિરિજાશંકર જોશી અને માતાનું નામ તારાલક્ષ્મી. વર્ષોથી તેઓ કલકત્તામાં વસ્યા છે અને લેખનપ્રવૃત્તિને પ્રતિકૂળ એવો કાપડનો વ્યવસાય કરે છે. ૧૯૫૨માં તેમણે શ્રી સત્યવતીબહેન સાથે લગ્ન કર્યું છે. એમણે પ્રાથમિક, માધ્યમિક તેમ જ બી. એ. ઑનર્સ સુધીનું શિક્ષણ, ૧૯૨૧થી ૧૯૩૭ સુધીનાં વર્ષોમાં અમદાવાદમાં જ લીધું. પ્રાથમિક ચાર ધોરણ નવી ગુજરાતી શાળામાં-૧૯૨૧થી ૨૫ દરમ્યાન; પાંચમી ગુજરાતી અથવા અંગ્રેજી પહેલીથી મેટ્રિક, સરકારી મિડલ સ્કૂલ અને આર. સી. હાઈસ્કૂલમાં-૧૯૨૫-૨૬થી ૧૯૩૩ દરમ્યાન; અને એ પછી બી. એ. સુધીનું ઉચ્ચ શિક્ષણ ગુજરાત કૉલેજમાં ૧૯૩૪થી ૧૯૩૭ દરમ્યાન લીધું હતું. ૧૯૨૯થી ૧૯૩૩નાં વર્ષોમાં એમને સરકારી સ્કૉલરશિપ મળતી હતી. એમની સાહિત્યિક કારકિર્દીનો આરંભ ઈ.સ. ૧૯૫૦ના ડિસેંબરમાં ‘કુમાર' માસિકમાં પ્રગટેલ ‘મુક્તિપ્રસૂન' નામની એકાંકી નાટિકાથી થયો. ત્યારથી આરંભી આજલગીમાં એમણે નાટક, નવલિકા અને નવલકથાક્ષેત્રે પ્રશંસનીય અર્પણ કર્યું છે. એમના સર્જનમાં દાંડીકૂચ, બેંતાળીસની લડત, ૧૯૪૩નો બંગાળનો ભીષણ દુકાળ, ૧૯૪૬નાં કલકત્તાનાં કોમી રમખાણો, ૧૫ મી ઑગસ્ટ ૧૯૪૭ અને ૩૦ મી જાન્યુઆરી ૧૯૪૮ જેવા પ્રસંગોએ ભારે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેમાંય તે ૧૯૩૨ તથા ૧૯૪૨-૪૩ની લડતોમાં શ્રી શિવકુમારે ભાગ લીધેલો અને ૧૯૪૩ ના બંગાળના દુકાળમાં રાહતકાર્ય પણ કરેલું. આ પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ એમના સર્જનમાં ચોક્કસપણે પડ્યું છે. શ્રી શિવકુમાર પર ગોવર્ધનરામ અને કલાપીની અસર અભ્યાસકાળ દરમ્યાન સારા પ્રમાણમાં પડી હતી. ગાંધીજીની અસરથી તો એ યુગમાં કોણ બાકાત રહી શકે? કલકત્તાનિવાસ કર્યા પછી એમણે બંગ સાહિત્યનો અભ્યાસ કરતાં રવીન્દ્રનાથ અને શરદ્બાબુની કૃતિઓનું પરિશીલન કરેલું. એમના જીવન ઉપર પ્રબળ અસર પાડી હોય એવાં પુસ્તકો છે ગીતા, ગાંધીજીની આત્મકથા, બ્રહ્મસૂત્રભાષ્ય, રધુવંશ, શાકુન્તલ અને શેક્સપિયર-શો-ઇબ્સનનાં નાટકો, એમને અભ્યાસકાળ દરમ્યાન થોડા શિક્ષકો તરફથી સારી પ્રેરણા મળેલી. વળી તખ્તા સાથે તો નાનપણથી જ એમને પ્રીતિ બંધાઈ હતી. પ્રાથમિક શાળામાં એવી પ્રવૃત્તિ ઉપર ખૂબ ભાર મુકાયેલ, પછી તો ૧૯૫૦ની આજુબાજુ વિદ્યાસભાસંચાલિત નટમંડળ સાથેના ગાઢ સંપર્કમાં આવ્યા અને સાથે ઑલ ઇન્ડિયા રેડિયો સાથે પણ નાટકપ્રવૃત્તિ નિમિત્તે નાતો બંધાયો. શ્રી શિવકુમારની લેખનપ્રવૃત્તિની શરૂઆત આર. સી. હાઈસ્કૂલમાં પોતાના તંત્રીપદે શરૂ કરેલા એક હસ્તલિખિત સામયિકથી થયેલી. તે વેળા કવિતા અને વાર્તા લખાયાં હતાં. કૉલેજ મૅગેઝિન માટે તેમણે એક સૉનેટ લખેલું, પણ તેને સ્વીકાર ન થતાં ૧૯૩૪થી ૧૯૫૦ સુધી ખાસ કંઈ લખ્યું ન હતું. વચમાં માત્ર અંગ્રેજીમાં કલકત્તાની કલાપ્રવૃત્તિ વિશે નિબંધો લખતા તે ‘ભારતજ્યોતિ' વગેરેમાં પ્રગટ થયેલા. ગુજરાતી છાપાંઓમાં પણ એવાં વિવેચન પ્રગટ થયેલાં. ૧૯૫૦માં રેડિયો અને નટમંડળની નાટ્યપ્રવૃત્તિએ એમને લખવાને રંગ લગાડ્યો. ‘લેખક થવાનો જો. કોઈ પણ ઉદ્દેશ હોય તો તે મારા પોતાના જીવનની મર્યાદાની ભીંસમાંથી છૂટવાની, મુક્ત થવાની વૃત્તિ. એ વૃત્તિનું વક્તવ્ય-expression-તે લેખનપ્રવૃત્તિ. જાતને નવનવરૂપે ઓળખીને તેને પ્રગટ કરવાનો આનંદ’-એ છે એમના લેખનનો ઉદ્દેશ. શ્રી શિવકુમારના પ્રિય લેખકો છે કાલિદાસ, ભવભૂતિ, જયદેવ, શેક્સપિયર-શો-ઇબ્સન, ગોવર્ધનરામ, નાનાલાલ, મુનશી, રોમાં રોલા, રવીન્દ્રનાથ, શરચંદ્ર. પણ કાલિદાસ એમને વિશેષ ગમે છે. શેક્સપિયર ગમતો હોવા છતાં કાલિદાસ પ્રત્યે વધુ આત્મીયતા લાગે છે. કાલિદાસનું વિશાળ અને વિરાટ દૃષ્ટિફલક તથા એની નિરૂપણપદ્ધતિ સચોટ અને લાલિત્યભરી હોઈને તે ખૂબ ખૂબ ગમે છે. જોકે શિવકુમારનો પ્રિય ગ્રંથ છે ‘ગીતાંજલિ'. તેઓ માને છે કે ગીતાંજલિમાં માનવીના આધ્યાત્મિક તલસાટને અક્ષરદેહ મળ્યો છે; એ અક્ષરદેહ લાલિત્યપૂર્ણ છે, મધુર-મંજુલ છે. એમાંની વિચારગૂંથણી સાથે સહજપણે ઓતપ્રોત થવાય છે. શ્રી શિવકુમારનો પ્રિય સાહિત્યપ્રકાર છે કાવ્ય, કારણ કે એમાં ટૂંકાણમાં સૂચનાત્મક રીતે કવિહૃદય વ્યક્ત થતું હોય છે. એમને મતે સાહિત્યકલાનો ઉત્તમોત્તમ ઘાટ કાવ્ય છે. એમનો મનગમતો લેખનવિષય છે આધુનિક સમાજ. તેઓ માને છે કે જે સમાજના પોતે સભ્ય છે તેની લાગણીઓ અને તેની શક્તિ તથા મર્યાદા તેઓ સારી રીતે સમજી શકે છે. એમને ઘણુંખરું વિદેશી વિવેચનસાહિત્ય વાંચવું ખૂબ ગમે છે. એથી આધુનિક સાહિત્યપ્રવાહની ગતિ સમજવામાં સરળતા પડે છે. શ્રી શિવકુમારના સાહિત્યસર્જનમાં અનેક વ્યક્તિઓ સાથેના એમના અંગત સંબંધોએ પણ પ્રેરક ભાગ ભજવ્યો છે. તેઓ માને છે કે એકે એક નવો સંબંધ માનવીની નવી બાજુ અને તેની સાથે સંકળાતી પોતાની કોઈ નવી બાજુનું એમને દર્શન કરાવે છે. ૧૯૫૦માં શ્રી શિવકુમારનું પ્રથમ એકાંકી નાટક ‘મુક્તિપ્રસૂન' ‘કુમાર'માં પ્રગટ થયું ત્યારે એને ચોમેરથી સારો આવકાર મળેલો. પોતાનામાં કશુંક ખમીર છે એને પડઘો ચારે બાજુથી સાંભળવા મળ્યો તેથી એમને ખૂબ ખુશી થઈ અને ભારે પ્રેરણા મળી, જેના પરિણામે પછીના બે માસમાં જ પાંચછ એકાંકી એમનાથી લખાઈ ગયાં. શિવકુમારને ‘હુઆ તો વિવાહ’ એકાંકી માટે ૧૯૫૨માં કુમારચંદ્રક: ચતુરંકી નાટક ‘સુમંગલા' માટે નર્મદ સુવર્ણચંદ્રક; ‘અનંત સાધના'ને રેડિયોનાટક હરીફાઈમાં પ્રથમ પારિતોષિક ૧૯૫૪માં અને ત્યાર પછી લગભગ વરસે વરસે એમની નાટ્યકૃતિઓ કે નવલકથાને મુંબઈ અને પછી ગુજરાત સરકારનાં પારિતોષિકો મળતાં જ રહ્યાં છે. શ્રી શિવકુમાર ગુજરાતી, અંગ્રેજી, બંગાળી અને હિંદી જાણે છે. એમણે ચિત્રકળાવિવેચન અંગ્રેજીમાં થોડુંક લખેલું. બંગાળીમાં તૈયાર કરીને ભાષણ પણ કરી શકે છે. એમની સાહિત્યસાધના વણથંભી ચાલુ છે. કલકત્તાના ગુજરાતી સાહિત્ય મંડળના ‘કેસૂડાં' નામના સુંદર વાર્ષિકના સહસંપાદક તરીકે પણ એમણે નોંધપાત્ર કામગીરી બજાવી છે. એથી પણ અપૂર્વ યશ એમણે રળ્યો કલકત્તામાં સાહિત્ય પરિષદનું સંમેલન નોતરીને. ગુજરાત બહાર મળેલાં પરિષદનાં અધિવેશનોમાં કલકત્તાનું સંમેલન દરેક રીતે સફળ ગણાવી શકાય. નાટ્યક્ષેત્રે શ્રી શિવકુમારનું અર્પણ મૂલ્યવાન છે. આધુનિક એકાંકીલેખકોમાં ‘પાંખ વિનાનાં પારેવાં' અને ‘અનંત સાધના'ના પ્રકાશનથી એમણે માનભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એ પછી પણ એમના એકાંકીસંગ્રહો તેમ જ ત્રિઅંકી, ચતુરંકી અને પંચાંકી નાટકો પ્રગટ થયાં છે. પાત્રના મનોમંથનમાંથી જન્મતો સંઘર્ષ, ચમકદાર સજીવ પાત્રો, મર્માળા શિષ્ટ સંવાદો, વિવિધ આકર્ષક ભાવોનું આલેખન અને રંગભૂમિની વિકસિત દૃષ્ટિ વગેરેથી મુખ્યત્વે શહેરી જીવનમાંથી વસ્તુ લઈને લખાયેલાં એમનાં સામાજિક નાટકોએ આપણી નાટ્યસમૃદ્ધિ વધારી છે. એકાંકીક્ષેત્રે નવનવા પ્રયોગો પણ એ કરે છે. એમની નવલકથાઓ અને વાર્તાઓ, વિવિધ યાત્રાધામો-ગિરિવિહારોની પાર્શ્વભૂ, કલકત્તા-બંગાળભૂમિનાં મનોહર ચિત્રણો, રાજકીય પ્રસંગોનાં આલેખન, જાતીય જીવનના આવેગો, પાત્રોના હૃદયપ્રદેશનાં ઊંડાણનાં થતાં દર્શન, અને સમગ્ર રીતે ફેરી રહેતું કવિત્વ વગેરેથી સારી ખ્યાતિ પામી છે. વર્તમાન યુગના એક અમણી સર્જક તરીકે શ્રી શિવકુમાર ધ્યાન ખેંચી રહે છે.

કૃતિઓ
૧. વિરાજવહુ : બંગાળીમાંથી અનુવાદ-રૂપાંતર નાટક; પ્ર. સાલ ૧૯૫૨.
પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.
२. પાંખ વિનાનાં પારેવાં : મૌલિક, એકાંકીસંગ્રહ; પ્ર. સાલ ૧૯૫૪.
પ્રકાશક : એન. એમ. ત્રિપાઠીની કંપની, મુંબઈ.
3. સુમંગલા : મૌલિક, ચતુરંકી નાટક; પ્ર. સાલ ૧૯૫૫.
પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.
૪. અનંત સાધના : મૌલિક, એકાકી; પ્ર. સાલ ૧૯૫૫.
પ્રકાશક : એન. એમ. ત્રિપાઠીની કંપની, મુંબઈ.
૫. અંધારાં ઉલેચો : મૌલિક, ચતુરંકી નાટક; પ્ર. સાલ ૧૯૫૫.
પ્રકાશક : રવાણી પ્રકાશન ગૃહ, અમદાવાદ.
૬. રજનીગન્ધા : મૌલિક, વાર્તાસંગ્રહ; પ્ર. સાલ ૧૯૫૫.
પ્રકાશક : સ્વાતિ પ્રકાશન, મુંબઈ.
૭. અંગારભસ્મ : મૌલિક, ચતુરંકી નાટક; પ્ર. સાલ ૧૯૫૬.
પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.
૮. સાન્ધ્ય દીપિકા : મૌલિક, ચતુરંકી નાટક; પ્ર. સાલ ૧૯૫૬.
પ્રકાશક : ભારત પ્રકાશન, અમદાવાદ
૯. ત્રિશૂળ : મૌલિક, વાર્તાસંગ્રહ; પ્ર. સાલ ૧૯૫૭.
પ્રકાશક : ભારત પ્રકાશન, અમદાવાદ,
૧૦. દુર્વાકર : મૌલિક, પંચાંકી; પ્ર. સાલ ૧૯૫૮.
પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.
૧૧. સોનાની હાંસડી, રૂપાની હાંસડી : મૌલિક, એકાંકીસંગ્રહ; પ્ર. સાલ ૧૯૫૮.
પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.
૧૨. ઘટા ધીરી ધીરી આઈ : મૌલિક, ચતુરંકી નાટક; પ્ર. સાલ ૧૯૫૯.
૧૩. કંચુકીબંધ : મૌલિક, નવલકથા; પ્ર. સાલ ૧૯૫૬, ૧૯૬૧.
૧૪. અનંગરાગ : મૌલિક, નવલકથા; પ્ર. સાલ ૧૯૫૮, ૧૯૬૧.
૧૫. એકને ટકોરે : મૌલિક, ત્રિઅંકી; પ્ર. સાલ ૧૯૬૦.
૧૬. દેવદાસ : અનુવાદ (બંગાળી નવલકથા ‘દેવદાસ' ઉપરથી), પંચાંકી; પ્ર. સાલ ૧૯૬૦.
૧૭. રહસ્યનગરી : મૌલિક, વાર્તાસંગ્રહ; પ્ર. સાલ ૧૯૬૦.
૧૮. શ્રાવણી : મૌલિક, નવલકથા; પ્ર. સાલ ૧૯૬૧.
૧૯. સુવર્ણરેખા : મૌલિક, ચતુરંકી; પ્ર. સાલ ૧૯૬૧.
૨૦. નીલાંચલ : મૌલિક, એકાંકી; પ્ર. સાલ ૧૯૬૨.
૨૧. રાત અંધારીને તલ છે કાળા: મૌલિક, વાર્તાસંગ્રહ; પ્ર. સાલ ૧૯૬૨.
૨૨. શતરંજ : મૌલિક, નાટક.
૨૩. આભ રુવે એની નવલખ ધારે : મૌલિક, નવલકથા; પ્ર. સાલ ૧૯૬૪.
૨૪. અભિસાર : મૌલિક, વાર્તાસંગ્રહ; પ્ર. સાલ ૧૯૬૫.
૨૫. કૃતિવાસ : મૌલિક, નાટક; પ્ર. સાલ ૧૯૬૫.
(૧૨થી ૨૫) પ્રકાશક : સ્વાતિ પ્રકાશન, મુંબઈ.
અભ્યાસ-સામગ્રી :
૧. ‘પાંખ વિનાનાં પારેવાં’: શ્રી અનંતરાય રાવળની પ્રસ્તાવના (‘સમીક્ષા').
૨. ‘સુમંગલા'  : શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની પ્રસ્તાવના.
3. ‘અંગારભસ્મ'  : શ્રી રસિકલાલ પરીખની પ્રસ્તાવના.
૪. ‘અંધારાં ઉલેચો' : શ્રી કિસનસિંહ ચાવડાની પ્રસ્તાવના.
૫. ‘અનંત સાધના' : શ્રી વ્રજરાય દેસાઈની પ્રસ્તાવના.
૬. ‘રજનીગન્ધા' : શ્રી મનસુખલાલ ઝવેરીની પ્રસ્તાવના તેમ જ ‘સંસ્કૃતિ', જુલાઈ '૫૬.
૭. ‘કંચુકીબંધ’ : ‘સંસ્કૃતિ', માર્ચ '૫૭. ‘સંદેશ’, ‘ગુજરાત સમાચાર', ‘જન્મભૂમિ', ‘ઊર્મિનવરચના'માંનાં અવલોકનો.
८. ‘આભ રુવે એની નવલખ ધારે' માટે ‘જનસત્તા', ‘સંદેશ', ‘ગુજરાત સમાચાર' અને ‘બુદ્ધિપ્રકાશ' ઑગસ્ટ, ૧૯૬૫.
૯. ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહીઓ : ‘રજનીગન્ધા' - ૧૯૫૫: ‘દૂર્વાંકર’-૧૯૫૭; ‘અનંગરાગ' ૧૯૫૮; -‘રહસ્યનગરી', ‘સોનેરી હાંસડી, રૂપેરી હાંસડી’ -૧૯૫૯; ‘સુવર્ણરેખા', ‘શ્રાવણી’-૧૯૬૧.
૧૦ . ‘ગુજરાતીનાં એકાંકી'  : શ્રી બ્રોકરની પ્રસ્તાવના.

સરનામું : ૧૧, આર્મિનિયન સ્ટ્રીટ, કલકત્તા-૧.