ગુજરાતી બાળવાર્તા સંપદા/પ્રસ્તાવના: Difference between revisions

No edit summary
 
Line 5: Line 5:


સમસ્ત માનવસંસ્કૃતિના કેન્દ્રમાં મનુષ્ય છે અને મનુષ્યની સંસ્કારિતાના પાયામાં એનું શૈશવ છે. એનું શૈશવ-બાળપણ જે પ્રકારે વ્યતિત થયું હશે તે પ્રકારે તેનું વ્યક્તિત્વ પણ વિકાસ પામશે અને સંસ્કૃતિના સર્વ કાર્યો પર તેનો પ્રભાવ કોઈ ને કોઈ રીતે વર્તાશે. કોઈ પણ સંસ્કારી, સંસ્કૃતિપ્રેમી સમાજમાં બાળકનું મહત્ત્વ સ્વીકારાતું આવ્યું છે.
સમસ્ત માનવસંસ્કૃતિના કેન્દ્રમાં મનુષ્ય છે અને મનુષ્યની સંસ્કારિતાના પાયામાં એનું શૈશવ છે. એનું શૈશવ-બાળપણ જે પ્રકારે વ્યતિત થયું હશે તે પ્રકારે તેનું વ્યક્તિત્વ પણ વિકાસ પામશે અને સંસ્કૃતિના સર્વ કાર્યો પર તેનો પ્રભાવ કોઈ ને કોઈ રીતે વર્તાશે. કોઈ પણ સંસ્કારી, સંસ્કૃતિપ્રેમી સમાજમાં બાળકનું મહત્ત્વ સ્વીકારાતું આવ્યું છે.
આપણી ભારતીય સંસ્કૃતિના કેન્દ્રમાં ‘શિશુદેવો ભવ’ની ભાવના રહેલી જ છે. શ્રીકૃષ્ણનું ચરિત્ર પણ બાલદેવતાના રસાત્મક ચમત્કારનું હૃદયંગમ દર્શન કરાવી રહે છે. આપણા એક ઋષિ-દ્રષ્ટાએ ‘દેવો ભૂત્વા દેવમ્‌ યજેત’ - એમ કહ્યું છે. આપણે એમ કહી શકીએ કે ‘બાલો ભૂત્વા બાલમ્‌ યજેત્‌*’
આપણી ભારતીય સંસ્કૃતિના કેન્દ્રમાં ‘शिशुदेवो भव’ની ભાવના રહેલી જ છે. શ્રીકૃષ્ણનું ચરિત્ર પણ બાલદેવતાના રસાત્મક ચમત્કારનું હૃદયંગમ દર્શન કરાવી રહે છે. આપણા એક ઋષિ-દ્રષ્ટાએ ‘देवो भूत्वा देवम् यजेत’ - એમ કહ્યું છે. આપણે એમ કહી શકીએ કે ‘बालो भूत्वा बालम् यजेत।’
બાલ્યાવસ્થામાં પડતા સંસ્કારની અસરનું પરિણામ કેવું હોઈ શકે તે સમજવા ભાગવતમાં આવતી મદાલસાની વાત ધ્યાનમાં રાખવા જેવી છે. કહે છે કે મદાલસાને પુત્ર અવતર્યો. તેણે વિચાર્યું, મારા બાળકને બીજો જન્મ જ ના મળે તેમ મારે કરવું ને બાળકને પારણામાં હતો ત્યારથી જ ‘શુદ્ધોડસિ બુદ્ધોડસિ નિરંજનોડસિ’ - એમ સંભળાવવા માંડ્યું. પરિણામ એ આવ્યું કે પુત્ર મોટો થતાં મહાન શુદ્ધ-જ્ઞાની, વૈરાગી અને ત્યાગી થયો. કહેવાનું તાત્પર્ય અત્રે એટલું જ છે કે બાલ્યાવસ્થામાં પડેલા સંસ્કાર મનુષ્યના ઘડતર-વિકાસમાં નિર્ણાયક અસર કરતા હોય છે.
બાલ્યાવસ્થામાં પડતા સંસ્કારની અસરનું પરિણામ કેવું હોઈ શકે તે સમજવા ભાગવતમાં આવતી મદાલસાની વાત ધ્યાનમાં રાખવા જેવી છે. કહે છે કે મદાલસાને પુત્ર અવતર્યો. તેણે વિચાર્યું, મારા બાળકને બીજો જન્મ જ ના મળે તેમ મારે કરવું ને બાળકને પારણામાં હતો ત્યારથી જ ‘शुद्धोऽसि बुद्धोऽसि निरंजनोऽसि’ - એમ સંભળાવવા માંડ્યું. પરિણામ એ આવ્યું કે પુત્ર મોટો થતાં મહાન શુદ્ધ-જ્ઞાની, વૈરાગી અને ત્યાગી થયો. કહેવાનું તાત્પર્ય અત્રે એટલું જ છે કે બાલ્યાવસ્થામાં પડેલા સંસ્કાર મનુષ્યના ઘડતર-વિકાસમાં નિર્ણાયક અસર કરતા હોય છે.
બાળકને માહિતી આપી ભણાવવો એ સહેલું છે, પણ સદ્‌ગુણો પોષી કેળવવો એ અઘરું છે. સારા બાલસાહિત્ય પાસે આ કાર્યની હંમેશા અપેક્ષા રહે છે. શ્રી રવિશંકર મહારાજની શીખ આ સંદર્ભમાં આપણે યાદ કરી શકીએ. તેઓ કહેતા : “તમે તમારા બાળકોને ભણાવશો નહીં પણ ઉછેરજો... એટલે કે અક્ષરજ્ઞાન જરૂરી હોવા છતાં ખરું કામ બાળકમાં પડેલ સુસંસ્કારો અને સદ્‌ગુણો વિકસાવવાનું છે.”
બાળકને માહિતી આપી ભણાવવો એ સહેલું છે, પણ સદ્‌ગુણો પોષી કેળવવો એ અઘરું છે. સારા બાલસાહિત્ય પાસે આ કાર્યની હંમેશા અપેક્ષા રહે છે. શ્રી રવિશંકર મહારાજની શીખ આ સંદર્ભમાં આપણે યાદ કરી શકીએ. તેઓ કહેતા : “તમે તમારા બાળકોને ભણાવશો નહીં પણ ઉછેરજો... એટલે કે અક્ષરજ્ઞાન જરૂરી હોવા છતાં ખરું કામ બાળકમાં પડેલ સુસંસ્કારો અને સદ્‌ગુણો વિકસાવવાનું છે.”
બાળક કુટુંબમાં જો કેન્દ્રસ્થાને છે તો સમાજમાં પણ કેન્દ્રસ્થાને રહેવું જોઈએ. તેની લાગણીઓની યોગ્ય માવજત થતી રહેવી જોઈએ. ફિલિપ બ્રુક્સ યોગ્ય રીતે કહે છે કે : “માનવજાતનું ભાવિ બાળકોને પગલે પગલે પ્રગતિ કરી રહ્યું છે... બાળકો નાનાં છે, તેમના પગ નાના છે પણ તેમના ઉપર ભવિષ્યનો કાળ આગળ ધપે છે.”
બાળક કુટુંબમાં જો કેન્દ્રસ્થાને છે તો સમાજમાં પણ કેન્દ્રસ્થાને રહેવું જોઈએ. તેની લાગણીઓની યોગ્ય માવજત થતી રહેવી જોઈએ. ફિલિપ બ્રુક્સ યોગ્ય રીતે કહે છે કે : “માનવજાતનું ભાવિ બાળકોને પગલે પગલે પ્રગતિ કરી રહ્યું છે... બાળકો નાનાં છે, તેમના પગ નાના છે પણ તેમના ઉપર ભવિષ્યનો કાળ આગળ ધપે છે.”