વાર્તાનું શાસ્ત્ર/લોકવાર્તાનું કથન અને કલ્પનાશક્તિ: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|પ્રકરણ દસમું<br>લોકવાર્તાનું કથન અને કલ્પનાશક્તિ}}
{{Heading|પ્રકરણ દસમું<br>લોકવાર્તાનું કથન અને કલ્પનાશક્તિ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
લોકવાર્તાના કથનથી કલ્પનાશક્તિ ખીલે છે એ વિચારમાં ઘણો થોડો જ મતભેદ છે. ડૉ. મોન્ટીસોરી સિવાયના અત્યાર સુધીના સઘળા કેળવણીકારોનું એવું મંતવ્ય છે કે લોકવાર્તાના- કથનથી કલ્પનાશક્તિ અવશ્ય ખીલે છે. કલ્પના એટલે વાસ્તવિક્તા તો નહિ જ. તો પછી કલ્પના હંમેશ સત્યાશ્રયી હોવાનો સંભવ નથી. થોડા દિવસ પહેલાં પોલ રિશાર કહેતાં હતા કે બધા કવિઓ ગપ્પી હોય છે. એ અર્થમાં કલ્પનામાત્ર અસત્ય છે એમ કહેવામાં અડચણ નથી. પણ કલ્પના અને સત્યને વિરોધ નથી, તેમ જ કલ્પનાની સૃષ્ટિ રચનાર અસત્યવાદી છે એમ કહેવાને કારણ પણ નથી. કલા ને કાવ્યમાં જે અદ્ભુત છે તે કલ્પનાની સૃષ્ટિ છે, ને છતાં એ કલ્પનાથી દુનિયામાં સત્યને હાનિ પહોંચતી નથી.
લોકવાર્તાના કથનથી કલ્પનાશક્તિ ખીલે છે એ વિચારમાં ઘણો થોડો જ મતભેદ છે. ડૉ. મોન્ટીસોરી સિવાયના અત્યાર સુધીના સઘળા કેળવણીકારોનું એવું મંતવ્ય છે કે લોકવાર્તાના- કથનથી કલ્પનાશક્તિ અવશ્ય ખીલે છે. કલ્પના એટલે વાસ્તવિક્તા તો નહિ જ. તો પછી કલ્પના હંમેશ સત્યાશ્રયી હોવાનો સંભવ નથી. થોડા દિવસ પહેલાં પોલ રિશાર કહેતાં હતા કે બધા કવિઓ ગપ્પી હોય છે. <ref>All poets are liars</ref>. એ અર્થમાં કલ્પનામાત્ર અસત્ય છે એમ કહેવામાં અડચણ નથી. પણ કલ્પના અને સત્યને વિરોધ નથી, તેમ જ કલ્પનાની સૃષ્ટિ રચનાર અસત્યવાદી છે એમ કહેવાને કારણ પણ નથી. કલા ને કાવ્યમાં જે અદ્ભુત છે તે કલ્પનાની સૃષ્ટિ છે, ને છતાં એ કલ્પનાથી દુનિયામાં સત્યને હાનિ પહોંચતી નથી.
વાસ્તવિકતાને પેલે પાર મન અને બુદ્ધિને ઊડવાની જે શક્તિ છે તે કલ્પનાશક્તિના વિકાસનું ફળ છે. નાયગરાનો ધોધ જોયા વિના એ ધોધની વાત સમજી શકીએ છીએ. ભૂતકાળ કેવળ "All poets are liars. કલ્પનાના બળથી ઉકેલી શકીએ છીએ, અનંત અંતરને કલ્પનાથી જ ભેદી શકીએ છીએ અને અગમ્ય એવાં તત્ત્વોને કલ્પનાથી ઝીલી શકીએ છીએ, એ અનુભવ આપણે ભૂલી જવાનો નથી.
વાસ્તવિકતાને પેલે પાર મન અને બુદ્ધિને ઊડવાની જે શક્તિ છે તે કલ્પનાશક્તિના વિકાસનું ફળ છે. નાયગરાનો ધોધ જોયા વિના એ ધોધની વાત સમજી શકીએ છીએ. ભૂતકાળ કેવળ કલ્પનાના બળથી ઉકેલી શકીએ છીએ, અનંત અંતરને કલ્પનાથી જ ભેદી શકીએ છીએ અને અગમ્ય એવાં તત્ત્વોને કલ્પનાથી ઝીલી શકીએ છીએ, એ અનુભવ આપણે ભૂલી જવાનો નથી.
વાર્તાઓ કલ્પનાશક્તિને ખીલવે છે એનો અર્થ એટલો જ છે કે માણસને તે સૂક્ષ્મ, દૂરસ્થ, ઈન્દ્રિયોથી પર, સ્થૂળ બુદ્ધિને અવાસ્તવિક એવી સૃષ્ટિમાં પેસવાની, તેને સમજવાની અને તેનો આનંદ લેવાની શક્તિ આપે છે. વાર્તાઓ દ્વારા કલ્પનાશક્તિના વિકાસને લીધે માણસનો સાહિત્યનો પ્રવેશ ઊંડો બને છે, કલામાં તેની નજર તીણી બને છે અને આ દુનિયાની દૈવી કવિતાને સમજવાની દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. કારણ એ છે કે દુનિયાનાં સાહિત્ય, કલા અને જે સુંદર ભાસે છે, સુરૂપ ભાસે છે, અકલિત ભાસે છે, તે બધું એક ઈશ્વર અને મનુષ્યના મગજમાંથી ઊપજેલી કલ્પનાનું ફળ છે.
વાર્તાઓ કલ્પનાશક્તિને ખીલવે છે એનો અર્થ એટલો જ છે કે માણસને તે સૂક્ષ્મ, દૂરસ્થ, ઈન્દ્રિયોથી પર, સ્થૂળ બુદ્ધિને અવાસ્તવિક એવી સૃષ્ટિમાં પેસવાની, તેને સમજવાની અને તેનો આનંદ લેવાની શક્તિ આપે છે. વાર્તાઓ દ્વારા કલ્પનાશક્તિના વિકાસને લીધે માણસનો સાહિત્યનો પ્રવેશ ઊંડો બને છે, કલામાં તેની નજર તીણી બને છે અને આ દુનિયાની દૈવી કવિતાને સમજવાની દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. કારણ એ છે કે દુનિયાનાં સાહિત્ય, કલા અને જે સુંદર ભાસે છે, સુરૂપ ભાસે છે, અકલિત ભાસે છે, તે બધું એક ઈશ્વર અને મનુષ્યના મગજમાંથી ઊપજેલી કલ્પનાનું ફળ છે.
કલ્પનાશક્તિ ખીલેલી નથી હોતી ત્યારે જ માણસ પથ્થરના દેવની પાછળ પ્રભુત્વ જોઈ શકતો નથી. કલ્પનાપૂર્ણ આર્યોએ જ આપણને ઉપનિપદનાં કાવ્યો આપ્યાં છે. કલ્પનાની ડોક લાંબી કરનારાઓથી જ પુરાતત્ત્વની સાચી શોધ થાય છે અને કલ્પનાના બળ વડે જ આજે સમર્થ પુરુષો ભાવિમાં નજર નાખી શકે છે.
કલ્પનાશક્તિ ખીલેલી નથી હોતી ત્યારે જ માણસ પથ્થરના દેવની પાછળ પ્રભુત્વ જોઈ શકતો નથી. કલ્પનાપૂર્ણ આર્યોએ જ આપણને ઉપનિપદનાં કાવ્યો આપ્યાં છે. કલ્પનાની ડોક લાંબી કરનારાઓથી જ પુરાતત્ત્વની સાચી શોધ થાય છે અને કલ્પનાના બળ વડે જ આજે સમર્થ પુરુષો ભાવિમાં નજર નાખી શકે છે.
Line 21: Line 21:
વળી એક વાત એ પણ જોવા જેવી છે કે કેટલાએક સાક્ષાત્ ભયો છે, તે ભયોને આપણે વાર્તા દ્વારા બાળકો પાસે મૂકવામાં વાંધો ન હોવો જોઈએ. અમુક રીતે આવા ભયોના પરિચયથી જ તેનું ભયંકરપણું ઘસાઈ જવાનો સંભવ છે. પણ આ બાબતને બહુ ટેકો આપવા જેવું નથી. જો વહેમ કે ભયને નવું સ્વરૂપ આપી શકાતું ન હોય અને વહેમ કે ભય, તે તે રૂપે જ વાર્તામાંથી બાલમન ઉપર ઠસી જવાનો સંભવ હોય તો તેવી વાર્તાઓનો જરૂર ત્યાગ કરવો જોઈએ. હરકોઈ નુકસાને ગમે તેવી વાર્તા કહેવાનું ભૂત આપણને ન વળગવું જોઈએ. વાર્તા બાળકોના હિત માટે છે એટલે એમના હિતની વિઘાતક વાર્તા આપણે કદી ન જ કહીએ. પણ આપણે જો એક અથવા બીજા કારણે વાર્તાઓને કાઢી નાખવા બેસીએ તો બાળકોનો કુદરતી ખોરાક આપણે લઈ લીધો કહેવાય. માટે જ તેમાં જ્યાં ઝેર ચડયું હોય ત્યાંથી તે લઈ લેવાનું અથવા ઝેરમાંથી અમૃત કરવાનું કામ આપણે હાથ ધરવાનું છે.
વળી એક વાત એ પણ જોવા જેવી છે કે કેટલાએક સાક્ષાત્ ભયો છે, તે ભયોને આપણે વાર્તા દ્વારા બાળકો પાસે મૂકવામાં વાંધો ન હોવો જોઈએ. અમુક રીતે આવા ભયોના પરિચયથી જ તેનું ભયંકરપણું ઘસાઈ જવાનો સંભવ છે. પણ આ બાબતને બહુ ટેકો આપવા જેવું નથી. જો વહેમ કે ભયને નવું સ્વરૂપ આપી શકાતું ન હોય અને વહેમ કે ભય, તે તે રૂપે જ વાર્તામાંથી બાલમન ઉપર ઠસી જવાનો સંભવ હોય તો તેવી વાર્તાઓનો જરૂર ત્યાગ કરવો જોઈએ. હરકોઈ નુકસાને ગમે તેવી વાર્તા કહેવાનું ભૂત આપણને ન વળગવું જોઈએ. વાર્તા બાળકોના હિત માટે છે એટલે એમના હિતની વિઘાતક વાર્તા આપણે કદી ન જ કહીએ. પણ આપણે જો એક અથવા બીજા કારણે વાર્તાઓને કાઢી નાખવા બેસીએ તો બાળકોનો કુદરતી ખોરાક આપણે લઈ લીધો કહેવાય. માટે જ તેમાં જ્યાં ઝેર ચડયું હોય ત્યાંથી તે લઈ લેવાનું અથવા ઝેરમાંથી અમૃત કરવાનું કામ આપણે હાથ ધરવાનું છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
{{reflist}}
{{center|❋}}
{{center|❋}}
<br>
<br>