કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/અગ્નિને: Difference between revisions
(+1) |
No edit summary |
||
| Line 4: | Line 4: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
{{gap| | {{gap|5em}}હોતા છું, પાવકાગ્નિ! | ||
લાવ્યો મારાં કિલ્બિષો, બાળજે તું, | લાવ્યો મારાં કિલ્બિષો, બાળજે તું, | ||
જેવો તારી સાત જિહ્વા થકી તું | જેવો તારી સાત જિહ્વા થકી તું | ||
| Line 13: | Line 13: | ||
વર્ષાની એ ભૂખ, જેના થકી હું | વર્ષાની એ ભૂખ, જેના થકી હું | ||
ધારા ઝીલું અમૃતોની સહસ્ર. | ધારા ઝીલું અમૃતોની સહસ્ર. | ||
{{gap| | {{gap|5em}}ઋત્વિજ છું, વરદાગ્નિ! | ||
તારી શક્તિ, તેજ તારાં તું આપ, | તારી શક્તિ, તેજ તારાં તું આપ, | ||
માગું તારી ચેતનાના કણો હું. | માગું તારી ચેતનાના કણો હું. | ||
| Line 24: | Line 24: | ||
જ્યારે મારી ચેતના સંહરે તું, | જ્યારે મારી ચેતના સંહરે તું, | ||
એને આજે સુકૃતાર્થી બનાવ. | એને આજે સુકૃતાર્થી બનાવ. | ||
{{gap| | {{gap|5em}}બ્રહ્મા છું, મંગલાગ્નિ! | ||
હૈયે હૈયે હેતના હોજમાં તું, | હૈયે હૈયે હેતના હોજમાં તું, | ||
રાષ્ટ્રે રાષ્ટ્રે તું જ માનવ્ય સાચું; | રાષ્ટ્રે રાષ્ટ્રે તું જ માનવ્ય સાચું; | ||
Latest revision as of 06:34, 2 February 2025
હોતા છું, પાવકાગ્નિ!
લાવ્યો મારાં કિલ્બિષો, બાળજે તું,
જેવો તારી સાત જિહ્વા થકી તું
હોમાયેલું જાય છે સર્વ ભક્ષી.
પૃથ્વીને તું બાળતો સૂર્ય રૂપે,
બાળે, એની ભૂખ વર્ષાની જાગે,
મારામાં રે એમ, ઓ અગ્નિ! જાગો
વર્ષાની એ ભૂખ, જેના થકી હું
ધારા ઝીલું અમૃતોની સહસ્ર.
ઋત્વિજ છું, વરદાગ્નિ!
તારી શક્તિ, તેજ તારાં તું આપ,
માગું તારી ચેતનાના કણો હું.
અગ્નિપ્રેર્યા અંતરિક્ષેય વિશ્વો;
સ્વયંભૂ તું, અગ્નિ ઓ! પ્રેમીઓના
ચિત્તોમાં તું આવ, પ્રાણે તું આવ.
તારા પ્રેર્યા અર્થ ને કામ માટે
સંસારે આ છે જ વ્હેવાર સર્વ.
હોમાવાની છે જ કાયા તને આ,
જ્યારે મારી ચેતના સંહરે તું,
એને આજે સુકૃતાર્થી બનાવ.
બ્રહ્મા છું, મંગલાગ્નિ!
હૈયે હૈયે હેતના હોજમાં તું,
રાષ્ટ્રે રાષ્ટ્રે તું જ માનવ્ય સાચું;
શેણે આજે શોણિતોની નદીએ
પૃથ્વીને તું ભીંજવે અગ્નિ, પૂછું?
શબ્દોમાં તું વ્યંજના, પ્રેરણા તું,
સૌન્દર્યોમાં જાગતું સત્ય તુંથી,
ચેતનવંતું સૃષ્ટિમાં જે બધું, ત્યાં
તારી ઉષ્મા, તેજ તું, તું જ અગ્નિ.
તું રોળે છે ચૌદ બ્રહ્માંડ તારાં
રૌદ્રે રૂપે, ને વળી યજ્ઞથી તું
તારા સર્જે છે નવી સૃષ્ટિ પાછી.
તારા સાતે હાથમાં બાણ લૈને,
તેવા યજ્ઞે પ્રેર તું માનવોને.
(‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૪-૫)