અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રજારામ રાવળ/આ અંધકાર શો મહેકે છે ! મ અડધો: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> શું કોઈ પદમણી નારીએ નિજ કેશ ઉઘાડા મૂક્યા છે! ને, શોભાથી વિસ્મિત વ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|આ અંધકાર શો મહેકે છે ! મ અડધો|પ્રજારામ રાવળ}} | |||
<poem> | <poem> | ||
શું કોઈ પદમણી નારીએ નિજ કેશ ઉઘાડા મૂક્યા છે! | શું કોઈ પદમણી નારીએ નિજ કેશ ઉઘાડા મૂક્યા છે! |
Revision as of 11:49, 10 July 2021
આ અંધકાર શો મહેકે છે ! મ અડધો
પ્રજારામ રાવળ
શું કોઈ પદમણી નારીએ નિજ કેશ ઉઘાડા મૂક્યા છે!
ને, શોભાથી વિસ્મિત વિસ્મિત નભથી શું તારા ઝૂક્યા છે!
ઘટા સહન ઘનશ્યામ નિહાળી મયૂર મનના ગ્હેકે છે!
અહો, વહે શી હળવે હળવે સુરભિ મગન મન ભરી દઈ!
દિગ્દિગન્તમાં,—બસ અનન્તમાં સરી જાય ઉર હરી લઈ!
અંધકારના મસૃણ હૃદયથી નિગૂઢ બુલ્બુલ ચ્હેકે છે!
સ્વચ્છ, સુભગ મધરાત વિશે આ કાલ તણું ઉર શાન્ત અહો!
મધુર મૌનથી સભર શરદનું નીલમ આ એકાન્ત, અહો!
પૃથિવી કેરું પારિજાત શું ફુલ્લ પ્રફુલ્લિત બ્હેકે છે!