બાળ કાવ્ય સંપદા/કોણે ?: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
(+1) |
||
| Line 29: | Line 29: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કીડીની વાત | ||
|next = | |next = તા... તા.. થૈ... | ||
}} | }} | ||
Latest revision as of 13:03, 16 February 2025
કોણે ?
લેખક : જગદીશ ધ. ભટ્ટ
(1937-2019)
નીલેરા આભની રૂપાળી જાજમે
ચમકંતા તારલા કોણે ગૂંથ્યા ?
વહેલી પરોઢના પૂરવના બારણે
કુમકુમનાં પગલાં કોણે કર્યાં ?
સંધ્યાની સાડીના ફરફરતા પાલવે
ગુલાબી રંગ આ કોણે પૂર્યા ?
મંદ મંદ વાયરે ઝૂલતા આ ફૂલને
મીઠેરાં સ્મિતદાન કોણે દીધાં ?
પૂનમની રાતના ખીલે છે પોયણાં
એ પોયણાંને ખીલતાં કોણે કીધાં ?
વહેતી સરિત નિત ગુંજે છે ગીતડાં,
એ ગીતો મધુરતમ કોણે કીધાં ?
સાગરની કાયાને સુંદર સોહાવતાં
શ્વેત શ્વેત મોજાં કોણે કીધાં ?
તિમિરભર્યા મુજ હૈયાને ઓરડે
ઝળહળતાં તેજ આ કોણે કીધાં ?