બાળ કાવ્ય સંપદા/નાચે છે મોર: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
(No difference)

Revision as of 01:46, 17 February 2025

નાચે છે મોર

લેખક : જગદીશ ધ. ભટ્ટ
(1937-2019)

મારી વાડીમાં નાચે છે મોર,
કે મોરલો નવરંગી.
જાણે રંગોથી ઝાકળઝોળ,
કે મોરલો નવરંગી.
એના નર્તનમાં છલકાતો તોર,
કે મોરલો નવરંગી.
જુઓ વાદળ ને કરતો કલશોર,
કે મોરલો નવરંગી.
એનાં પીછાં કે રેશમની કોર,
કે મોરલો નવરંગી.
બધાં પંખીમાં લાગે શિરમોર,
કે મોરલો નવરંગી.
સોહે કલગીથી રઢિયાળો મોર,