અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ ‘નાઝિર’ દેખૈયા/તો સારું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> પ્રભુના શીશ પર મારું સદન થઈ જાય તો સારું; ભલે ગંગા સમુંય મુજ પતન થ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|તો સારું|‘નાઝિર’ દેખૈયા}}
<poem>
<poem>
પ્રભુના શીશ પર મારું સદન થઈ જાય તો સારું;
પ્રભુના શીશ પર મારું સદન થઈ જાય તો સારું;

Revision as of 07:29, 12 July 2021

તો સારું

‘નાઝિર’ દેખૈયા

પ્રભુના શીશ પર મારું સદન થઈ જાય તો સારું;
ભલે ગંગા સમુંય મુજ પતન થઈ જાય તો સારું.

નહીં તો દિલ બળેલાં ક્યાંક બાળી દે નહીં જગને;
પતંગા ને શમા કેરું મિલન થઈ જાય તો સારું.

એ અધવચથી જ મારાં દ્વાર પર પાછાં ફરી આવે;
જો એવા માર્ગમાં કંઈ અપશુકન થઈ જાય તો સારું.

નહીં તો આ મિલનની પળ મને પાગલ કરી દેશે;
હૃદય ઉછાંછળું છે, જો સહન થઈ જાય તો સારું.

કળીને શું ખબર હોયે ખિઝાં શું ને બહારો શું;
અનુભવ કાજ વિકસીને સુમન થઈ જાય તો સારું.

જીવનભર સાથ દેનારા! છે ઇચ્છા આખરી મારી;
દફન તારે જ હાથે તન-બદન થઈ જાય તો સારું.

વગર મોતે મરી જાશે આ ‘નાઝિર’ હર્ષનો માર્યો;
ખુશી કેરુંય જો થોડું રુદન થઈ જાય તો સારું.

(નાઝિરની ગઝલો, ૧૯૮૮, પૃ. ૨)