ભજનરસ/અલખ નિશાની: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 40: Line 40:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''ઉનમુન રહેના ભેદ ન દેના'''}}
{{center|'''ઉનમુન રહેના ભેદ ન દેના'''}}
{{Poem2Open}}
આ નિશાની ઉનમુન, એટલે કે મનથી ૫ર અવસ્થામાં આવે છે. જ્યાં સુધી મનનો પ્રદેશ છે ત્યાં સુધી માયાનો પ્રદેશ છે, મનની જાગૃતિ તે જગતની ઉત્પત્તિ,’ એમ એક સંતે કહ્યું છે. એટલે મનથી પર ઊઠ્યા વિના આ સ્થિતિની પ્રાપ્તિ થતી નથી. પણ કહે છે ઉનમુન રહેના' અને ભેદ ન દેના'. એ અવસ્થા વિશે વાત ન કરવી અને પ્રગટ કરવાની ઉતાવળ ન કરવી, કારણ કે મન ઘણી રીતે છેતરી શકે છે. ઉનમુન અવસ્થામાં પોતે પહોંચી ગયા છે તેવી ભ્રમણા પણ થાય છે.
પછી પ્રાપ્તિની વાત કરતાં કહે છે :
{{Poem2Close}}
{{center|'''પીઓ પીઓનિર્મળ પાણી'''}}
{{Poem2Open}}
નિર્મળ આનંદનો અનુભવ થશે. અનાયાસે સમજ પડી જશે કે જે અલક્ષ્ય છે તેમાં પ્રવેશ થયો છે. નિર્મળ પાણી' કહ્યું છે તે શુદ્ધ આનંદ, સ્વતંત્ર આનંદ છે. બહારના કશા ભેળથી કે મેળથી મળેલો આનંદ નથી.
{{Poem2Close}}
{{center|'''ગુરુમુખ જ્ઞાન ગગન જઈ રહેના'''}}
{{Poem2Open}}
આ જ્ઞાન સદ્ગુરુ પાસેથી, અનુભવી પુરુષ પાસેથી મળે છે. અને એની એક નિશાની એ છે કે મનુષ્યનો અંતરાત્મા ગગનમાં રહે છે, એક નિર્લેપ, નિર્મળ અવસ્થામાં જઈ રહે છે. દરેક પરિસ્થિતિમાં માણસ પોતાની પરીક્ષા કરે તો સમજાય કે આ ‘ગગનમેં રહેના' એટલે શું? મનુષ્ય સામાન્ય રીતે ભૂતાકાશમાં અને ચિત્તાકાશમાં રહેતો હોય છે. ભૂતાકાશ જાગૃતિનો પ્રદેશ છે, ચિત્તાકાશ સપનાંનો પ્રદેશ છે. ગોરખનાથ જે ગગન કહે છે તે ચિદાકાશનો પ્રદેશ છે. મનુષ્યમાં અંતરતમ રહેલો ‘ચિદાનંદ' છે, તેમાં તેનો નિવાસ થાય છે. અને પછી શું થાય છે?
{{Poem2Close}}
{{center|'''શૂનમેં સુરતા મેરાણી'''}}
{{Poem2Open}}
મનુષ્યના અહંકારનો અહીં લોપ થાય છે.
પણ એટલું પૂરતું નથી. સુરતા શૂન્યમાં ઠરે છે, અહમ્-શૂન્યમાં ઠરીને ઠામ થાય છે, પણ ત્યાર પછી શૂન્યમાંથી પણ એક જ્ઞાનની ગંગા પ્રવાહિત થાય છે.
{{Poem2Close}}

Revision as of 09:54, 14 May 2025


અલખ નિશાની

એસી અલખ નિશાની હો જી,
ગુરુગમ વિરલે જાની મોરે અવધૂ, એસી અનભૈ નિશાની હો જી.

ઉનમુન રહેના, ભેદ ન દેના, પીઓ પીઓ નિરમળ પાણી હો જી,
ગુરમુખજ્ઞાન ગગન જઈ રહેના, શૂનમેં સુરતા ઠેરાણી મોરે અવધૂ,

શૂન શિખરસે ગંગા નીકસી, ચૌદિશ પાની પાની હો જી,
ઉસી પાની મેં દો પરવત પૂરે, સો સાયર લહેર સમાની મોરે અવધૂ,

મેરુ શિખર પર મછીઆ બેઠી, વાકા લોચન નાર્હી હો જી,
હાથ જ નાંહી વાકું પાંવ જ નાંહી,
સો ઝુલક રહી જલમાંહી મોરે અવધૂ

ગુરુ પ્રતાપે એક જડીઅર ઊઠ્યા, સો ઊલટી લહેર સમાણી હો જી,
તન કર કૂવા ગગન કર વાડી,
સો સહેજાં મેં ઘડીઆં ઢોરાણી મોરે અવધૂ,

દેહીમે એક દેવા બિરાજે, ગુપ્ત ગણેશા બેઠા હો જી,
ત્રિકૂટી મહેલ પર હુવા અજવાળા,
વો તો દ્વાદશ અંશુલ પેઠા મોરે અવધૂ,

સીંચત સીંચત ઉપજન લાગા, નીપજન લાગા હીરા હો જી,

મચ્છેન્દ્ર પ્રતાપે જતિ ગોરખ બોલ્યા, સમજ સમજ મન ધીરા
મોરે અવધૂ, એસી અલખ નિશાની.

એસી અલખ નિશાની

આ વચનમાં ગોરખનાથ એક અશક્ય લાગતી વસ્તુને શક્ય થતી દર્શાવે છે. જે અલખ છે, જે લક્ષ્યાતીત છે, જે કોઈ ઓળખથી પર છે, જેને કશુંય પદ નથી, ચિહ્ન નથી એની પણ ઓળખાણ થઈ શકે છે. અલખ ને અલખની નિશાની, એ બંને જાણે કે એક, જે ન બની શકે તેવી ઘટનાને શક્ય દર્શાવે છે. તો અલખ નિશાની – અલક્ષ્ય છે તેને કઈ રીતે પામી શકાય, અને કઈ રીતે પોતાની કરી શકાય, તે સમજાવતાં ગોરખનાથ કહે છે : ‘ગુરુગમ વિરલે જાની’. ગુરુ પાસેથી, અનુભવી પાસેથી તે વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે. કોઈ વિરલ પુરુષ આ નિશાની પોતાની અંદર ઉતારી શકે છે. એ નિશાની કેવી છે?

એસી અનભૈ નિશાની હો જી

તે નિર્ભય પદ છે. ભયનું જ્યાં નામનિશાન નથી એવી એ નિશાની છે. જગતમાં સર્વ વસ્તુમાં ક્યાંક ને ક્યાંક ભય છુપાયેલો છે. આ એક એવું પદ છે કે જે સદાકાળ માટે મનુષ્યને નિર્ભય બનાવે છે. આ નિશાની વિશે ગોરખનાથ તેને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા સમજાવે છે.

ઉનમુન રહેના ભેદ ન દેના

આ નિશાની ઉનમુન, એટલે કે મનથી ૫ર અવસ્થામાં આવે છે. જ્યાં સુધી મનનો પ્રદેશ છે ત્યાં સુધી માયાનો પ્રદેશ છે, મનની જાગૃતિ તે જગતની ઉત્પત્તિ,’ એમ એક સંતે કહ્યું છે. એટલે મનથી પર ઊઠ્યા વિના આ સ્થિતિની પ્રાપ્તિ થતી નથી. પણ કહે છે ઉનમુન રહેના’ અને ભેદ ન દેના’. એ અવસ્થા વિશે વાત ન કરવી અને પ્રગટ કરવાની ઉતાવળ ન કરવી, કારણ કે મન ઘણી રીતે છેતરી શકે છે. ઉનમુન અવસ્થામાં પોતે પહોંચી ગયા છે તેવી ભ્રમણા પણ થાય છે. પછી પ્રાપ્તિની વાત કરતાં કહે છે :

પીઓ પીઓનિર્મળ પાણી

નિર્મળ આનંદનો અનુભવ થશે. અનાયાસે સમજ પડી જશે કે જે અલક્ષ્ય છે તેમાં પ્રવેશ થયો છે. નિર્મળ પાણી’ કહ્યું છે તે શુદ્ધ આનંદ, સ્વતંત્ર આનંદ છે. બહારના કશા ભેળથી કે મેળથી મળેલો આનંદ નથી.

ગુરુમુખ જ્ઞાન ગગન જઈ રહેના

આ જ્ઞાન સદ્ગુરુ પાસેથી, અનુભવી પુરુષ પાસેથી મળે છે. અને એની એક નિશાની એ છે કે મનુષ્યનો અંતરાત્મા ગગનમાં રહે છે, એક નિર્લેપ, નિર્મળ અવસ્થામાં જઈ રહે છે. દરેક પરિસ્થિતિમાં માણસ પોતાની પરીક્ષા કરે તો સમજાય કે આ ‘ગગનમેં રહેના’ એટલે શું? મનુષ્ય સામાન્ય રીતે ભૂતાકાશમાં અને ચિત્તાકાશમાં રહેતો હોય છે. ભૂતાકાશ જાગૃતિનો પ્રદેશ છે, ચિત્તાકાશ સપનાંનો પ્રદેશ છે. ગોરખનાથ જે ગગન કહે છે તે ચિદાકાશનો પ્રદેશ છે. મનુષ્યમાં અંતરતમ રહેલો ‘ચિદાનંદ’ છે, તેમાં તેનો નિવાસ થાય છે. અને પછી શું થાય છે?

શૂનમેં સુરતા મેરાણી

મનુષ્યના અહંકારનો અહીં લોપ થાય છે. પણ એટલું પૂરતું નથી. સુરતા શૂન્યમાં ઠરે છે, અહમ્-શૂન્યમાં ઠરીને ઠામ થાય છે, પણ ત્યાર પછી શૂન્યમાંથી પણ એક જ્ઞાનની ગંગા પ્રવાહિત થાય છે.