19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| અગમ ભૂમિ દરશાયા | }} {{Block center|<poem> '''અગમ ભૂમિ દરશાયા, સંતો, ઐસા અમર ઘર પાયા.''' '''પૃથ્વી જલ તેજ અરુ વાયુ, ઔર ગગનકી છાંયા,''' '''આપ આપનેે ઉલટા પરખ્યા, તુરીયાને ખેલ રચાયા.''' '''કોન ઉપજે ને કોન વણસ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 48: | Line 48: | ||
'''આપ જૉનિ ઉલટિ લે આપ,''' | '''આપ જૉનિ ઉલટિ લે આપ,''' | ||
{{right|'''તૌ નહીં વ્યાપે તી તાપ.'''}} | {{right|'''તૌ નહીં વ્યાપે તી તાપ.'''}} | ||
અબ મન ઉલટિ સનાતન હૂવા, | '''અબ મન ઉલટિ સનાતન હૂવા,''' | ||
{{right|'''તબ હમ જાનાં જીવતા મૂવા.''' }} | {{right|'''તબ હમ જાનાં જીવતા મૂવા.''' }} | ||
'''કહૈ કબીર સુખ સહજ સમાઊં,''' | '''કહૈ કબીર સુખ સહજ સમાઊં,''' | ||
'''આપ ન ડર, ન ઔર ડરાઉં.''' | '''આપ ન ડર, ન ઔર ડરાઉં.''' | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | |||
શબ્દ-સાધનાની ઊલટી ગતિમાં આ મુખ્ય મુકામ આવે છે : મંત્રજાપ, માતૃકા-લય (વર્ણન્યાસ), નાદશ્રવણ, નાદાન્તે જ્યોતિ-દર્શન, જ્યોતિનો પરમ તત્ત્વમાં લય, પરમ તત્ત્વનો ‘બાહર ભીતર સકલ નિરંતર સાક્ષાત્કાર.' ‘આપ આપનેં ઉલટા પરખ્યા' એટલે દેહભાવને પલટાવી આત્મભાવમાં પોતાનો સાચો પરિચય પામવો. | |||
જ્યારે બહાર-ભીતર સમત્વનો સૂર બજી ઊઠે ત્યારે ‘તુરીયાને ખેલ રચાયા'નો મર્મ હાથમાં આવે. તૂરીયા અખંડ જાગૃતિની અવસ્થા છે. જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણે ખંડ-દર્શનની અવસ્થા છે. જાગૃતિ વખતે પણ મન રજોગુણ-તમોગુણમાં અટવાયેલું હોય તો તેને જાગ્રત ન કહી શકાય. તૂરીયા, ચોથી અવસ્થામાં આ ત્રણે અવસ્થાને ભેદતો ચૈતન્યનો સજગ તાર હોય છે. આ ચોથા ઘરમાં પ્રવેશ કર્યા વિના વૈષ્ણવી માયાનો ઉચ્છેદ થતો નથી. કબીરે કહ્યું છે : | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
'''તિન લોક પર ચોથા દેશા,''' | |||
{{right|'''ચોથે ઘર મેં કિયા પ્રવેશા,'''}} | |||
'''તાકા ખોજ કરો જન કોઈ,''' | |||
{{right|'''રૂદિયા કમલ વિચારી જોઈ.'''}} | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
હૃદય-ગ્રંથિનો ભેદ થતાં માયાસૃષ્ટિ વિલીન થાય છે અને ભગવદ્-લીલા અનુભવી શકાય છે. તૂરીયાનો આ ખેલ અખંડ ચૈતન્યનો વિલાસ છે. | |||
કોન ઉપજે... જલસે ન્યારા. | |||
પિંડ અને બ્રહ્માંડનો વિચાર કરતાં કોની ઉત્પત્તિ, કોનો વિનાશ, કોણ પાર ઊતરે ને કોણ પાર ઉતારે—આ ખોજનો અંત એક જ અખંડ | |||
અસ્તિત્વની પ્રાપ્તિમાં આવે છે. જળનો તરંગ જેમ જળથી જુદો નથી એમ આ જગતનાં વિવિધ, વિરોધાભાસી અને વિનાશશીલ પરિબળો એક જ પરમ તત્ત્વનો ખેલ છે. જગદીશ જગતથી જુદો નથી. આત્મા ૫રમાત્માથી ન્યારો નથી. કબીર કહે છે : | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
'''જૈસે જલહિ તરંગ તરંગની''' | |||
{{right|'''ઐસે હમ દિખલાંવહિંગ,'''}} | |||
'''કહે ક્બીર સ્વામી સુખસાગર''' | |||
{{right|'''હંસહિ ભેંસ મિલાવહિંગે.'''}} | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
જીવ જ્યારે પોતાના શિવત્વને પામે ત્યારે જ તેની પાંખોને વિશ્રામ મળે અને આંખોને નિત્યનું આનંદધામ. | |||
ભરિયા કુંભ... વિરલા જ્ઞાની. | |||
જળથી ભરેલો કુંભ જળમાં રાખ્યો હોય તો તેની અંદર તેમ જ બહાર પાણી જ પાણી હોય છે તેમ માટીના કુંભ સમા મનુષ્યની અંદર-બહાર એકમાત્ર પરમાત્મા સચરાચર સભર ભર્યો છે. અને કુંભ ભાંગી જતાં તે જળમાં સમાઈ જાય છે તેમ દેહનો નાશ થતાં મનુષ્ય ૫રમાત્મામાં જ વિલય પામે છે. પણ આ સત્ય કોઈ વિરલ અનુભવી જનો પામી શકે છે. એકને જીવનમુક્તિ કહેવામાં આવે છે, બીજીને વિદેહમુક્તિ | |||
હતા અથાહ... જબ-પાની. | |||
કેવો અતાગ, અગાધ, કોયડો હતો? કેવું અચિંત્ય ગહન રહસ્ય હતું? કોટિ જન્મે પણ જેનો પાર ન આવે એમ લાગતું હતું તે મોજું ઊછળીને સાગરમાં સમાઈ જાય એમ પલક વારમાં ૫રખાઈ ગયું, ‘હું'નો લય થતાં જીવન અને મૃત્યુનો કોયડો ઊકલી ગયો. માછલી પોતે જ જ્યારે પાણીરૂપ બની ગઈ ત્યારે માછીમાર ને તેની જાળનું જોર ક્યાં રહ્યું? હવે મૃત્યુ કે માયાભાસ જેવું કાંઈ જ રહ્યું નહીં. એક અનંત મહસાગર વિલસી રહ્યો ચોપાસ. | |||
માછલી પોતાનું અલગ અસ્તિત્વ મિટાવીન જળરૂપ ક્યારે બની | |||
જાય? કબીરની સાખે : | |||
{{Poem2Close}} | |||
edits