ભજનરસ/નિગમ વેદનો નાદ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 28: | Line 28: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
હરિ વેણ વાય છે રે હો વનમાં | હરિ વેણ વાય છે રે હો વનમાં | ||
{{right|તેનો ગ્રહ વધ્યો મારા તનમાં.}} | |||
ચિત્તડામાં ચટપટી રે હો લાગી, | ચિત્તડામાં ચટપટી રે હો લાગી, | ||
{{right|જીવણ જોવાને હું જાગી,}} | |||
ત્રિભુવન નીરખ્યા રે હો તમને | ત્રિભુવન નીરખ્યા રે હો તમને | ||
મૂળદાસ મહાસુખ પામ્યા મંનમાં- | મૂળદાસ મહાસુખ પામ્યા મંનમાં- | ||
હરિવેણ વાય છે રે હો વનમાં.’ | હરિવેણ વાય છે રે હો વનમાં.’ | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | |||
ચિત્તની બહિવૃત્તિ એટલે જગતની ઉત્પત્તિ, ચિત્તની અંતવૃત્તિ એટલે જગતનો નાશ અને જગદીશની ઝાંખી. ચિત્તનો આત્યંતિક પ્રલય એ જ બ્રહ્મજ્ઞાન જે કોઈ જાગ્યા તેમણે આ ભેદ-વિભેદનું જગત જોયું નથી, જોયું છે એક અવિનાશી તત્ત્વને સભર સચરાચરે. નરસિંહની સાખે : | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
જાગીને જોઉં તો જગત દીસે નહીં, | |||
{{right|ઊંઘમાં અટપટા ભોગ ભાસે,}} | |||
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, | |||
{{right|બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.}} | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
ઇન્દ્રિયો જાગે ત્યાં સુધી માયાનો નાટારંભ, આત્મા જાગે એટલે માયા મિથ્યા. અવસ્તુની જેમ ઊડી ગયેલી ભ્રમણા. પણ માયા કેવી રીતે મિથ્યા બને? | |||
દુર્ગાપાઠમાં વૈષ્ણવી માયા વિશે કહ્યું છે કે : | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
'''ત્વ વૈષ્ણવી શક્તિરનન્તવીર્ય,''' | |||
'''વિશ્વસ્ય બીજું પરમાસિ માયા,''' | |||
'''સમ્મોહિતં દેવિ, સમસ્તમેતત્''' | |||
'''ત્યું થૈ પ્રસન્ના ભુવિ મુક્તિહેતુઃ''' | |||
'''‘તું વૈષ્ણવી શક્તિ મહાબલિષ્ઠા''' | |||
'''તું વિશ્વની કારણભૂત માયા,''' | |||
'''રાખ્યું કરી મૌષ્તિ સર્વ, દેવી,''' | |||
'''રાજી તું થા તો ભવમુક્તિ આપે.'''' | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
આ વૈષ્ણવી માયાને કારણ-માયા પણ કહે છે. અનંત કાળથી અવિઘાના પાશમાં પડેલો જીવ આ વિશ્વના બીજરૂપી મહામાયાનો કૃપાકટાક્ષ પામે તો જ મુક્ત થઈ શકે. માંડ કર્યો છે મટકો' — અનેક જન્મોના પુણ્યોદય પછી એ પરમાત્મ-શક્તિએ ‘ચેતન-ચેષ્ટા' કરી અને જડતાના પડદા હટાવી દીધા. મૂળદાસે એક પ્રભાતિયામાં આ માયાબીજ વિશે કહ્યું . છે : | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
'''સો બીજકા સફ્ળ પસારા, સરવે ઉનકી માયા રે,''' | |||
'''મૂળદાસ કહે સો અવિનાશી, ગુરુ પ્રતાપે પાયા રે.''' | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
સર્વત્ર એક પરમાત્માના જ્યોતિતરંગો વિલસી રહે, પછી જીવ બુદબુદમાં બંધાતો નથી. | |||
{{Poem2Close}} | |||
Revision as of 07:51, 20 May 2025
નિગમ વેદનો નાદ સાંભળી
મારા ચિત્તમાં લાગ્યો ચટકો રે
જાગીને જોતાં મિથ્યા માયા
માંડ કર્યો છે મટકો રે-
જીવ જગત બેઉ અણછતાં છે,
ઘટપટાદિક ઘટકો રે,
નિષેધ-પદ તો નિશ્ચે ગયું છે,
હવે નહીં ખટપટનો ખટકો રે-
નર નાટકમાં, નાટક નરમાં,
નાચ નિરંતર નટકો રે,
મૂળદાસ સોં બ્રહ્મ સનાતન
વ્યાપક બીજ વટકો રે-
નિગમ વેદનો નાદ સાંભળી.
નરસિંહના પ્રભાતિયાંની જેમ મૂળદાસનાં પ્રભાતિયાં પણ બ્રહ્મ અને લીલાનો અભેદ-ઓચ્છવ સુંદર વાણીમાં ઊજવતાં જાય છે. પ્રભાતિયાં એટલે જ નિદ્રાભંગ માટે બજી ઊઠતાં ચોઘડિયાં. અહીં વેદનાદ કૃષ્ણનો વેણુનાદ બની માનવ-પ્રાણને જગાડે છે.
નિગમ વેદનો... મટકો રે
ભાગવતને નિગમ કલ્પતનું રસથી દ્રવી પડતું ફળ કહેવામાં આવે છે. રસરાજની બંસીમાંથી આ અમૃત-૨સ ઝરે છે. એને જરાક ચાખતાં જ ચિત્તનું સ્વરૂપ પલટી જાય છે. એકવાર ચિત્તને આ રસનો ચટકો લાગે પછી તેને બીજે ક્યાંયે ચેન પડતું નથી. આપણી ભાષામાં આ ‘ચટકો’ શબ્દ ગજબનો ચોટડુક છે. એ ઝીણો ડંખ બની મારે છે ને ઊંડો સ્વાદ બની જિવાડે છે. રસનો તો ચટકો હોય, કૂંડાં ન હોય’ એ કહેવતમાં પણ જરા જેટલી માત્રામાં રુંવાડાં પલટી નાખતી ચટકાની અસર વ્યક્ત થઈ છે. ‘ચટકો’ લાગે ત્યારે વિરહની વેદના વધે છે ને સાથે સ્મરણનો સ્વાદ પણ વધતો જાય છે. સૂફી એને કહે છે : ‘લતીફ ખલિશ‘-મજેદાર ખટકો. મૂળદાસે એક રાસમાં આ વેદના-માધુરીને કિલ્લોલતી કરી છે :
હરિ વેણ વાય છે રે હો વનમાં
તેનો ગ્રહ વધ્યો મારા તનમાં.
ચિત્તડામાં ચટપટી રે હો લાગી,
જીવણ જોવાને હું જાગી,
ત્રિભુવન નીરખ્યા રે હો તમને
મૂળદાસ મહાસુખ પામ્યા મંનમાં-
હરિવેણ વાય છે રે હો વનમાં.’
ચિત્તની બહિવૃત્તિ એટલે જગતની ઉત્પત્તિ, ચિત્તની અંતવૃત્તિ એટલે જગતનો નાશ અને જગદીશની ઝાંખી. ચિત્તનો આત્યંતિક પ્રલય એ જ બ્રહ્મજ્ઞાન જે કોઈ જાગ્યા તેમણે આ ભેદ-વિભેદનું જગત જોયું નથી, જોયું છે એક અવિનાશી તત્ત્વને સભર સચરાચરે. નરસિંહની સાખે :
જાગીને જોઉં તો જગત દીસે નહીં,
ઊંઘમાં અટપટા ભોગ ભાસે,
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે,
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.
ઇન્દ્રિયો જાગે ત્યાં સુધી માયાનો નાટારંભ, આત્મા જાગે એટલે માયા મિથ્યા. અવસ્તુની જેમ ઊડી ગયેલી ભ્રમણા. પણ માયા કેવી રીતે મિથ્યા બને? દુર્ગાપાઠમાં વૈષ્ણવી માયા વિશે કહ્યું છે કે :
ત્વ વૈષ્ણવી શક્તિરનન્તવીર્ય,
વિશ્વસ્ય બીજું પરમાસિ માયા,
સમ્મોહિતં દેવિ, સમસ્તમેતત્
ત્યું થૈ પ્રસન્ના ભુવિ મુક્તિહેતુઃ
‘તું વૈષ્ણવી શક્તિ મહાબલિષ્ઠા
તું વિશ્વની કારણભૂત માયા,
રાખ્યું કરી મૌષ્તિ સર્વ, દેવી,
રાજી તું થા તો ભવમુક્તિ આપે.’
આ વૈષ્ણવી માયાને કારણ-માયા પણ કહે છે. અનંત કાળથી અવિઘાના પાશમાં પડેલો જીવ આ વિશ્વના બીજરૂપી મહામાયાનો કૃપાકટાક્ષ પામે તો જ મુક્ત થઈ શકે. માંડ કર્યો છે મટકો’ — અનેક જન્મોના પુણ્યોદય પછી એ પરમાત્મ-શક્તિએ ‘ચેતન-ચેષ્ટા’ કરી અને જડતાના પડદા હટાવી દીધા. મૂળદાસે એક પ્રભાતિયામાં આ માયાબીજ વિશે કહ્યું . છે :
સો બીજકા સફ્ળ પસારા, સરવે ઉનકી માયા રે,
મૂળદાસ કહે સો અવિનાશી, ગુરુ પ્રતાપે પાયા રે.
સર્વત્ર એક પરમાત્માના જ્યોતિતરંગો વિલસી રહે, પછી જીવ બુદબુદમાં બંધાતો નથી.