ભજનરસ/ચંદની રાત કેસરિયા તારા: Difference between revisions

Rechecking Formatting Done
No edit summary
(Rechecking Formatting Done)
 
(5 intermediate revisions by one other user not shown)
Line 3: Line 3:
{{Heading|  ચંદની રાત કેસરિયા તારા |  }}
{{Heading|  ચંદની રાત કેસરિયા તારા |  }}


{{Block center|<poem>
{{Block center|'''<poem>
ચંદની રાત કેસરિયા તારા રે,  
ચંદની રાત કેસરિયા તારા રે, {{gap}}
{{right|પોઠી ભરવા ચાલ્યા વણઝારા રે.}}  
{{right|પોઠી ભરવા ચાલ્યા વણઝારા રે.}}  
વણઝારે આડત કીધી રે,  
વણઝારે આડત કીધી રે,  
Line 16: Line 16:
મહેતા નરસૈંયાના સ્વામી રે,  
મહેતા નરસૈંયાના સ્વામી રે,  
{{right|સરવે ગોપી આનંદ પામી રે.}}
{{right|સરવે ગોપી આનંદ પામી રે.}}
</poem>}}
</poem>'''}}
 
{{center|'''ચંદની રાત'''}}
{{center|'''ચંદની રાત'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 27: Line 28:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''કાયાનગરમાં હાટડાં રે જી,'''  
'''કાયાનગરમાં હાટડાં રે જી,'''  
{{right|'''વસ્તુ ભરી અમૂલ્ય, મોરા વીરા રે.'''}}
{{gap|3em}}'''વસ્તુ ભરી અમૂલ્ય, મોરા વીરા રે.'''
'''સુગરા નર હોય તે સાવે જી રે,'''  
'''સુગરા નર હોય તે સાવે જી રે,'''  
{{right|'''નુગરા જાય નરાશ, મોરા વીરા રે,'''}}
{{gap|3em}}'''નુગરા જાય નરાશ, મોરા વીરા રે,'''
{{right|'''દલ ખોજીને કરો દીવડો હો જી.'''}}
{{gap|3em}}'''દલ ખોજીને કરો દીવડો હો જી.'''  
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 58: Line 59:
માણસ કેવો વેપાર કરે છે તે મહત્ત્વનું છે પણ એ શેનો વેપાર કરે છે એ પણ એટલું જ મહત્ત્વનું છે. હળદરના વેપારી કરતાં હીરાના વેપારીને વધુ મૂલ્ય ચૂકવવું પડે છે. માણસ જેમ ઊંચો ચડે તેમ એની જાગૃતિ વધવી જોઈએ, કારણ કે એની જવાબદારી પણ વધે છે. ‘દાણલીલા'માં નરસિંહે ગાયું છે :
માણસ કેવો વેપાર કરે છે તે મહત્ત્વનું છે પણ એ શેનો વેપાર કરે છે એ પણ એટલું જ મહત્ત્વનું છે. હળદરના વેપારી કરતાં હીરાના વેપારીને વધુ મૂલ્ય ચૂકવવું પડે છે. માણસ જેમ ઊંચો ચડે તેમ એની જાગૃતિ વધવી જોઈએ, કારણ કે એની જવાબદારી પણ વધે છે. ‘દાણલીલા'માં નરસિંહે ગાયું છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
'''ગંગા ને જમુના વચે જી રે,''' {{gap}}
{{right|'''ચોકી બેસે આદ,'''}}
'''માણસ જોઈને માગીએ રે,'''
{{right|'''જેવો માલ તેવી રે જકાત.'''}}
</poem>}}
{{Poem2Open}}
આદિકાળથી આવી બડકમદાર ચોકી બેઠી છે. અને નરસિંહ કેવો માલ લઈને ત્યાંથી નીકળે છે?
જેણે જીવનની કોમળતાને, મધુરતાને, સુગંધને મન ભરીને માણી હોય એવા મરમી પાસેથી જ આવી પંક્તિઓ મળે. કલ્પના કરું છું કે મહેતાજી ગિરિ તળેટી ને કુંડ દામોદરમાં નહાવા જતા હશે ત્યારે કોઈ વાર આસપાસની અમરાઈ મહોરી ઊઠી હશે. આંબાની ઘટાઓમાંથી મંજરી ઝરી ઝરી જતી હશે, મરવા કૂંણું મોં બહાર કાઢીને આ સૃષ્ટિના રહસ્યને કૌતુકથી નીરખી રહ્યા હશે. અને મહેતાજીનું ભાવિભોર મન ગાઈ ઊઠ્યું હશે :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''જેવા વાડીના કુંમલા મરવા રે,''' {{gap}}
{{right|'''તેવા પોઠી હમારે ભરવા રે.'''}}
</poem>}}
{{Poem2Open}}
આ સૃષ્ટિમાં એક લેવા જેવી ચીજ હોય તો તે આવા નવીન જીવનની તાજગી છે. વાડીના મરવાને કરમાતાં શી વાર? જરાક ઊની આંચ લાગી, જરાક પવન ફૂંકાયો કે એ ખરી પડે, ધૂળમાં મળી જાય, અને એને કાંઈ ધૂળમાં મળવા દેવાય? આ ક્ષણિક જીવન પણ કોમળ મરવા જેવું રાખી શકીએ તો? તો જ વસંતના ઉત્સવમાં પ્રવેશ મળે. ‘ફાગુન કે દિન ચાર' — આવા વસંતની મહેકથી સભર ચાર દિવસને, વસંતના ઉત્સવને, જીવનના પહેલા સુકુમાર તત્ત્વને જ ત્યારે પોઠ ભરીને સાથે લઈ જવાની નરસિંહ વાત કરતા લાગે છે. પછી તો નિત દરસન, નિત ઓચ્છવ કીરતન.’
અને જ્યાં આવો ઉત્સવ મચે ત્યાં નંદકુમાર કાંઈ આઘા રહે? ભલે મલિયા' એમ કહીએ ત્યાં એને સામેથી ભેટી પડતાં શી વાર? નરસિંહે કેસરિયા તારા કહ્યું ત્યારથી જ આવા કોઈ મુકામ પર વણઝાર આવી પહોંચશે એવી આશંકા હતી. એક દુહામાં આ આખાયે પદનું નામું વાંચી શકાય છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''લહાવો લેજો લોક, હૈયે માંડી હાટડી,'''
'''ફેરો નથી જ ફોક, વકરો વહાલાને મળ્યે,'''
</poem>}}
{{HeaderNav2
|previous = સાંભળ સહિયર
|next = દવ તો લાગેલ
}}