ભજનરસ/વહેતાનાં નવ વહીએ: Difference between revisions

Rechecking Formatting Done
No edit summary
(Rechecking Formatting Done)
 
(4 intermediate revisions by one other user not shown)
Line 4: Line 4:


{{Block center|<poem>
{{Block center|<poem>
ભાઈ રે, વહેતામાં નવ વહીએ,
'''ભાઈ રે, વહેતામાં નવ વહીએ,'''
આતમશું અવલંબીએ, લેહમાં લીન થઈએ.  
'''આતમશું અવલંબીએ, લેહમાં લીન થઈએ.'''


અધિષ્ઠાન ઓળખ્યા વિના, સહુ પંથે પળાયે,
'''અધિષ્ઠાન ઓળખ્યા વિના, સહુ પંથે પળાયે,'''
ધાતા ધસતા દેખીએ, ઘરના ઘરમાંયે-  
'''ધાતા ધસતા દેખીએ, ઘરના ઘરમાંયે-'''


માયાનું મહંતપણું, અટપટું એવું,
'''માયાનું મહંતપણું, અટપટું એવું,'''
સૂક્ષ્મથી અતિ સાંકડું, વિસ્તારણ પણ તેવું-
'''સૂક્ષ્મથી અતિ સાંકડું, વિસ્તારણ પણ તેવું-'''


જેમ થાયો ઘાણી તણો, નિશદિન બહુ હીડે,
'''જેમ થાયો ઘાણી તણો, નિશદિન બહુ હીડે,'''
જાણે હું અતિશે આઘે ગયો, માયા મીંડે ને મીંડે-
'''જાણે હું અતિશે આઘે ગયો, માયા મીંડે ને મીંડે-'''


એહ અજાને લ્યો ઓળખી, તો ધ્યેય ધ્યાને આવે,
'''એહ અજાને લ્યો ઓળખી, તો ધ્યેય ધ્યાને આવે,'''
અંધારું ઉલેચતાં, નવ તિમિર નસાથે-  
'''અંધારું ઉલેચતાં, નવ તિમિર નસાથે-'''


જેમ વહેતે વહેતું દેખીએ બેઠાં જળકાંઠે,
'''જેમ વહેતે વહેતું દેખીએ બેઠાં જળકાંઠે,'''
ઠેકાણે તે ઠામ છે, મણિ પામ્યો કંઠે  
'''ઠેકાણે તે ઠામ છે, મણિ પામ્યો કંઠે'''


ઊંચો અનુભવ આણીએ, દશા દેવની લીજે,
'''ઊંચો અનુભવ આણીએ, દશા દેવની લીજે,'''
રાંક રોલાકૃત કામનાં, માજન નવ રીઝે–
'''રાંક રોલાકૃત કામનાં, માજન નવ રીઝે–'''


જો રે જાણો તો જાણજો, થોડું ઘણું ભાખ્યું,
'''જો રે જાણો તો જાણજો, થોડું ઘણું ભાખ્યું,'''
લઈ શકો તો લ્યો અખા, અજમાલ્ય નાખ્યું-
'''લઈ શકો તો લ્યો અખા, અજમાલ્ય નાખ્યું-'''
ભાઈ રે, વહેતામાં નવ વહીએ.
'''ભાઈ રે, વહેતામાં નવ વહીએ.'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 45: Line 45:
માયાની પ્રબળતા ને છલના માટે મહંતપણું શબ્દ ચોટડુક છે. મહંતાઈમાં રહેલા આડંબર, ઠાઠ, ઘમંડ અને ધર્મસ્થાનમાં જ ધર્મને નામે વધતો મિથ્યાચાર માયાના સ્વરૂપને બરાબર ખડું કરે છે. જ્ઞાની મુનિને પણ છેતરી ખાય એવી માયાની ધાર સૂક્ષ્મ ને તીક્ષ્ણ છે. ‘ઝીણી માયા છાની છરી, મીઠી થઈને મારે ખરી' એ અખાનું દર્શન આબેહૂબ છે. માયાનો વિસ્તાર બાવાની લંગોટીથી માંડી બ્રહ્માના કમંડલ સુધી ફેલાયેલો છે. અખાની કુશાગ્ર બુદ્ધિએ માયાનાં વિધવિધ રૂપો છપ્પામાં દોરી બતાવ્યાં છે. ‘જહાઁ માન, તહાઁ માયા' એ સાધુઓની ઉક્તિ મનમાં ઉતારવા જેવી છે.
માયાની પ્રબળતા ને છલના માટે મહંતપણું શબ્દ ચોટડુક છે. મહંતાઈમાં રહેલા આડંબર, ઠાઠ, ઘમંડ અને ધર્મસ્થાનમાં જ ધર્મને નામે વધતો મિથ્યાચાર માયાના સ્વરૂપને બરાબર ખડું કરે છે. જ્ઞાની મુનિને પણ છેતરી ખાય એવી માયાની ધાર સૂક્ષ્મ ને તીક્ષ્ણ છે. ‘ઝીણી માયા છાની છરી, મીઠી થઈને મારે ખરી' એ અખાનું દર્શન આબેહૂબ છે. માયાનો વિસ્તાર બાવાની લંગોટીથી માંડી બ્રહ્માના કમંડલ સુધી ફેલાયેલો છે. અખાની કુશાગ્ર બુદ્ધિએ માયાનાં વિધવિધ રૂપો છપ્પામાં દોરી બતાવ્યાં છે. ‘જહાઁ માન, તહાઁ માયા' એ સાધુઓની ઉક્તિ મનમાં ઉતારવા જેવી છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''જેમ થાયો ઘાણી તણો... મીડે ને મોડે-'''}}
{{center|'''જેમ ધાયો ઘાણી તણો... મીડે ને મોડે-'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઘાણીનો બળદ આખો જનમારો ફર્યાં કરે પણ એક ડગલુંયે આગળ વધી શકતો નથી, એવી જ રીતે અહંકા૨થી બંધાઈને જપ, તપ, સાધન, ભજન ગમે તેટલાં કરે અને માણસ માને કે મેં આટલાં વ્રત-તપ-અનુષ્ઠાનો કર્યાં પણ એનાથી કાંઈ વળતું નથી. ગોળ ગોળ ફરતા ઘાણીના બળદની જેમ એ માયા મીંડે ને મીડે' માયાનાં ચકરડાં ચીતરવા જેવું છે. આત્મદર્શન વિના એકડો નથી મંડાતો.  
ઘાણીનો બળદ આખો જનમારો ફર્યાં કરે પણ એક ડગલુંયે આગળ વધી શકતો નથી, એવી જ રીતે અહંકા૨થી બંધાઈને જપ, તપ, સાધન, ભજન ગમે તેટલાં કરે અને માણસ માને કે મેં આટલાં વ્રત-તપ-અનુષ્ઠાનો કર્યાં પણ એનાથી કાંઈ વળતું નથી. ગોળ ગોળ ફરતા ઘાણીના બળદની જેમ એ માયા મીંડે ને મીડે' માયાનાં ચકરડાં ચીતરવા જેવું છે. આત્મદર્શન વિના એકડો નથી મંડાતો.  
Line 57: Line 57:
એકાદ દૃષ્ટાંત આપી અખો પોતાની વાત ગળે ઉતારી દે છે. જળને કાંઠે કોઈ બેઠું હોય, ગળામાં મણિ પહેર્યો હોય ને જળમાં જોતાં મિણ જળની સાથે વહી જતો લાગે. એ મણિને જળમાં શોધવા લાખ ફાંફાં મારે પણ મણિ એમ મળે નહી એ તો ઠેકાણે, કંઠમાં જ પડ્યો છે. બહારનાં જળ ડખોળવાથી નહી પણ પોતાને કંઠ હાથ મૂકવાથી જ મણિની ભાળ મળે છે. આને જ નિત્યની પ્રાપ્તિ કહે છે. મણિ વિશે અખાની સ્પષ્ટ ઉક્તિ :  
એકાદ દૃષ્ટાંત આપી અખો પોતાની વાત ગળે ઉતારી દે છે. જળને કાંઠે કોઈ બેઠું હોય, ગળામાં મણિ પહેર્યો હોય ને જળમાં જોતાં મિણ જળની સાથે વહી જતો લાગે. એ મણિને જળમાં શોધવા લાખ ફાંફાં મારે પણ મણિ એમ મળે નહી એ તો ઠેકાણે, કંઠમાં જ પડ્યો છે. બહારનાં જળ ડખોળવાથી નહી પણ પોતાને કંઠ હાથ મૂકવાથી જ મણિની ભાળ મળે છે. આને જ નિત્યની પ્રાપ્તિ કહે છે. મણિ વિશે અખાની સ્પષ્ટ ઉક્તિ :  
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
'''‘હરિ મણિ કંઠ પોતાને મૂળ, તે પડ્યો જાણી બહાર ચાળે ધૂળ.'''</poem>}}
{{center|'''ઊંચો અનુભવ... નવ રીઝે-'''}}
{{Poem2Open}}
આત્મામાં પરમાત્મા દીસે, હિરજનમાં દીસે હિર અને ભૂત માત્રમાં ભગવંત વસે છે એવો ઊંચો અનુભવ જ પ્રાપ્ત કરવો જોઈએ. દેહદૃષ્ટિની જગ્યાએ દેવદૃષ્ટિ ગ્રહવી જોઈએ. જ્યાં કોઈ કામનાનું બીજ ઊગતું જ નથી એવા આનંદ અને અભયનું શિખર સર કરવું જોઈએ. બાકી નાનીમોટી ઇષ્ટપ્રાપ્તિ, વિઘ્નનાશ કે સિદ્ધિ માટે પ્રાર્થના કરવી એ તો રાંકનાં રોલાં જેવું, કાકલૂદી ને કાલાવાલા કરવા જેવું છે, મહાપુરુષોનું મન એમાં ઠરતું નથી. સકામ ભક્તિ કેવી પામર છે તેનાં વેધક શબ્દચિત્રો અખાએ આલેખ્યાં છે. અજ્ઞાન અંગ'ના છપ્પામાં તેણે કહ્યું છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''ધન આયુ વિધા બળ રૂપ, શૂર ચાતુરી ન્યાય સિધ્ય ભૂપ,'''
'''જ્ઞાન ભક્તિ વિવેક વૈરાગ્ય, ચોરી વ્રત તીરથ તપ ત્યાગ,'''
'''અખો કહે સર્વે અમાલ, જોતાં આપે આપનો માલ.'''
</poem>}}
{{Poem2Open}}
આમાં શાન-ભક્તિ-વૈરાગ્યને પણ માયાની ભેટ ગણ્યાં છે. શુદ્ધ જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યને અખો ઓળખે છે. પરંતુ જ્ઞાની થઈને ભેળી ભજે એવી માયા અને ‘ભક્તિ કરતાં ભમેં બહુ' એવી ભ્રમજાળને પણ તે બરાબર જાણે છે. એટલે આવાં જ્ઞાન-ભક્તિને તે અજમાલ કહેતાં અચકાતો નથી. આ સર્વે માયાનાં ફૂલો છે. 
{{Poem2Close}}
{{center|'''જો રે જાણો... અજમાલ્ય નાખ્યું-'''}}
{{Poem2Open}}
આ નાનકડા પદમાં અખાએ કહેવાનું બધું કહી દીધું છે અને જે ‘હસતાં રમતાં હિરમાં ભળ્યો' એ આવું અમાલ્ય વહેતી વાણીમાં નાખતો જાય છે. જે અજા છે એટલે કે જન્મી જ નથી એની વળી માયા ક્યાંથી હોય? ‘લઈ શકો તો લ્યો' કહી અખારામ છૂટી ગયા. પણ જે નથી તેને લેવાય શી રીતે? આ અજમાલ્ય છે, એમ ખબર પડતાવેંત કાંઈ લેવાપણું ન રહે. અને જે છે, એ તો સદા છે જ.
{{Poem2Close}}
{{Block center|<poem>
'''અખા આપ સંભારી શમવું'''
{{right|'''અવર અજાનાં ચેન.'''}}
</poem>}}
<br>
{{HeaderNav2
|previous = અચવ્યો રસ ચાખો!
|next = શાં શાં રૂપ વખાણું
}}