ભજનરસ/શાં શાં રૂપ વખાણું: Difference between revisions

m
no edit summary
No edit summary
mNo edit summary
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|  શાં શાં રૂપ વખાણું |  }}
{{Heading|  શાં શાં રૂપ વખાણું |  }}


{{Block center|<poem>
{{Block center|<poem>
શાં શાં રૂપ વખાણું, સંતો રે શાં શાં રૂપ વખાણું?
'''શાં શાં રૂપ વખાણું, સંતો રે શાં શાં રૂપ વખાણું?'''
ચાંદા ને સૂરજ વિના, મારે વાયું છે વહાણું.
'''ચાંદા ને સૂરજ વિના, મારે વાયું છે વહાણું.'''
   
   
નેજા રોપ્યા નિજ ધામમાં, વાજાં અનહદ વાજે,
'''નેજા રોપ્યા નિજ ધામમાં, વાજાં અનહદ વાજે,'''
ત્યાં હરિજન બેઠા અમૃત પીએ, માથે છત્ર વિરાજે.
'''ત્યાં હરિજન બેઠા અમૃત પીએ, માથે છત્ર વિરાજે.'''


નૂરત-સૂરતની શેરીએ, અનભે ઘર જોયું,
'''નૂરત-સૂરતની શેરીએ, અનભે ઘર જોયું,'''
ઝળહળ જ્યોત અપાર છે, ત્યાં મુજ મન મોહ્યું.
'''ઝળહળ જ્યોત અપાર છે, ત્યાં મુજ મન મોહ્યું.'''


વિના રે વાદળ, વિના વીજળી, જળસાગર ભરિયું,
'''વિના રે વાદળ, વિના વીજળી, જળસાગર ભરિયું,'''
ત્યાં હંસા રાજા ક્રીડા કરે, ચાંચે મોતીડું ધરિયું,
'''ત્યાં હંસા રાજા ક્રીડા કરે, ચાંચે મોતીડું ધરિયું,'''


માનસરોવર ઝીલતાં, તું તો તારું તપાસે,
'''માનસરોવર ઝીલતાં, તું તો તારું તપાસે,'''
તેને તીરે વસે નાગણી, જાળવજે, નહીં તો ખાશે.
'''તેને તીરે વસે નાગણી, જાળવજે, નહીં તો ખાશે.'''


ઝગમગ જ્યોત અપાર છે, શૂન્યમાં ધૂન લાગી,
'''ઝગમગ જ્યોત અપાર છે, શૂન્યમાં ધૂન લાગી,'''
અખો આનંદશું ત્યાં મળ્યો, ભવભ્રમણા ભાગી.
'''અખો આનંદશું ત્યાં મળ્યો, ભવભ્રમણા ભાગી.'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વિશ્વમાં અનેક રૂપ ધરીને વિહરતા પરમાત્માનાં દર્શનથી મહદ્-આશ્ચર્યના પાત્રમાં ઊભરતો આનંદ-૨સ આ ભજનમાં છલકાય છે.  
વિશ્વમાં અનેક રૂપ ધરીને વિહરતા પરમાત્માનાં દર્શનથી મહદ્-આશ્ચર્યના પાત્રમાં ઊભરતો આનંદ-૨સ આ ભજનમાં છલકાય છે.  
શાં શાં રૂપ... વાયું છે વહાણું.  
{{Poem2Close}}
{{center|'''શાં શાં રૂપ... વાયું છે વહાણું.'''}}
{{Poem2Open}}
પેલું રૂપાતીત પરમ તત્ત્વ તો અપૂર્વ છે. પણ આ ઇદમ્ પૃથ્વીમાં વિલસતું તેનું રૂપ જરાયે ઊણું ઊતરે તેવું નથી. અનંત આકારે, અનંત પ્રકારે તેનું પ્રાગટ્ય વિસ્મયના ભંડાર ખોલે છે. ‘રૂપં રૂપં પ્રતિરૂપો બભૂવ’ — આ ઉપનિષદ-દર્શન અખાએ આંજ્યું છે. પણ જે આંખોમાં ઊગ્યું તેને વાણીમાં ઉતારી શકાતું નથી. ભૂતષ્ટિ ભેદીને ભૂતાન્તરાત્માને નિહાળતી દૃષ્ટિ મળે ત્યારે આ અવર્ણનીય દર્શન લાધે. પણ એ માટે તો ચાંદા-સૂરજનાં અજવાળાં પર ચોકડી મૂકવી પડે.  
પેલું રૂપાતીત પરમ તત્ત્વ તો અપૂર્વ છે. પણ આ ઇદમ્ પૃથ્વીમાં વિલસતું તેનું રૂપ જરાયે ઊણું ઊતરે તેવું નથી. અનંત આકારે, અનંત પ્રકારે તેનું પ્રાગટ્ય વિસ્મયના ભંડાર ખોલે છે. ‘રૂપં રૂપં પ્રતિરૂપો બભૂવ’ — આ ઉપનિષદ-દર્શન અખાએ આંજ્યું છે. પણ જે આંખોમાં ઊગ્યું તેને વાણીમાં ઉતારી શકાતું નથી. ભૂતષ્ટિ ભેદીને ભૂતાન્તરાત્માને નિહાળતી દૃષ્ટિ મળે ત્યારે આ અવર્ણનીય દર્શન લાધે. પણ એ માટે તો ચાંદા-સૂરજનાં અજવાળાં પર ચોકડી મૂકવી પડે.  
જ્યારે દિવસ કે રાત, સૂર્ય કે ચન્દ્ર અથવા ઇડા-પિંગળાના ૠોસોચ્છ્વાસ, એક કાળથી પર રહેલા ધ્રુવબિંદુ પર ઠરે ત્યારે એવું પરોઢ ઉદય પામે છે. કાળચક્રની અમૃત-નાભિમાં પ્રવેશી શકાય તો આ અદ્ભુત દર્શન ઝીલી શકાય. અખો 'ગુરુ શિષ્ય-સંવાદમાં કહે છે :
જ્યારે દિવસ કે રાત, સૂર્ય કે ચન્દ્ર અથવા ઇડા-પિંગળાના ૠોસોચ્છ્વાસ, એક કાળથી પર રહેલા ધ્રુવબિંદુ પર ઠરે ત્યારે એવું પરોઢ ઉદય પામે છે. કાળચક્રની અમૃત-નાભિમાં પ્રવેશી શકાય તો આ અદ્ભુત દર્શન ઝીલી શકાય. અખો 'ગુરુ શિષ્ય-સંવાદમાં કહે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
‘વકરી દ્રષ્ટયે દીસે ભૂત, વસ્તુ વિચારે જે અદ્ભુત,
'''‘વકરી દ્રષ્ટયે દીસે ભૂત, વસ્તુ વિચારે જે અદ્ભુત,'''
વસ્તુ વિચારે વસ્તુ જ વસ્તુ, તહાં કો કહે ઉદે ને અસ્ત.  
'''વસ્તુ વિચારે વસ્તુ જ વસ્તુ, તહાં કો કહે ઉદે ને અસ્ત.'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વસ્તુ અને વસ્તી જે નગરમાં એકાકાર બની વિલસે છે ત્યાં વિકૃતિ નથી, ત્યાં છે બારે માસ ઉજાસ. આ નગરનો પરિચય શી રીતે થાય?  
વસ્તુ અને વસ્તી જે નગરમાં એકાકાર બની વિલસે છે ત્યાં વિકૃતિ નથી, ત્યાં છે બારે માસ ઉજાસ. આ નગરનો પરિચય શી રીતે થાય?  
નેજા રીપ્યા... છત્ર વિરાજે.  
{{Poem2Close}}
{{center|'''નેજા રીપ્યા... છત્ર વિરાજે.'''}}
{{Poem2Open}}
પોતાના ધામનો પત્તો નથી એટલે જ માણસ જ્યાં ત્યાં ધક્કા ખાય છે. ‘નિજ પદ', ‘નિજ ધામ', ‘નિજ સ્વરૂપ' કહી સંતો જેને ઓળખાવે છે તેમાં વિજયનો વાવટો જે ફરકાવે તેને ભાગે શરીર, મન, બુદ્ધિ, અહંકારની સીમાથી પર આનંદનાં વાજાં બજી ઊઠે. આ માટીના શરીરમાં જ મૃત્યુંજય ઉદ્ઘોષ સંભળાય. નિરહં-અવસ્થામાં નિજધામ આવેલું છે અને ત્યાં જ મનુષ્ય માટે નિત્ય આનંદનું ગાન છે, અમૃતનું પાન છે. અહીં જ તેને માટે એકમાત્ર અભયછત્ર છે. બાકી બીજે સ્થળે ભય અને ભેદની ભૂતાવળો ખાઉં ખાઉંના હાકલા કરતી જ રહે છે.  
પોતાના ધામનો પત્તો નથી એટલે જ માણસ જ્યાં ત્યાં ધક્કા ખાય છે. ‘નિજ પદ', ‘નિજ ધામ', ‘નિજ સ્વરૂપ' કહી સંતો જેને ઓળખાવે છે તેમાં વિજયનો વાવટો જે ફરકાવે તેને ભાગે શરીર, મન, બુદ્ધિ, અહંકારની સીમાથી પર આનંદનાં વાજાં બજી ઊઠે. આ માટીના શરીરમાં જ મૃત્યુંજય ઉદ્ઘોષ સંભળાય. નિરહં-અવસ્થામાં નિજધામ આવેલું છે અને ત્યાં જ મનુષ્ય માટે નિત્ય આનંદનું ગાન છે, અમૃતનું પાન છે. અહીં જ તેને માટે એકમાત્ર અભયછત્ર છે. બાકી બીજે સ્થળે ભય અને ભેદની ભૂતાવળો ખાઉં ખાઉંના હાકલા કરતી જ રહે છે.  
મહાકાળના રાજ્ય વચ્ચે કોઈ નેજા રોપી, વાજાં વગાડી, નિર્ભય બની અમૃત પીતા બેઠા હોય એ દૃશ્ય જ વિરલ છે. પણ કાળી રાત અને નિશાચરોની ગર્જનાઓથી ઘેરાયેલા હોવા છતાં હિરજન આવી મહેફિલ જમાવે છે. મધરાતે સૂરજનાં અજવાળાનો તે અનુભવ કરે છે. તેનું રહસ્ય ત્રિગુણમયી પ્રકૃતિ પર તેમણે મારેલી ચોકડીમાં રહ્યું છે. અખાના શબ્દો :
મહાકાળના રાજ્ય વચ્ચે કોઈ નેજા રોપી, વાજાં વગાડી, નિર્ભય બની અમૃત પીતા બેઠા હોય એ દૃશ્ય જ વિરલ છે. પણ કાળી રાત અને નિશાચરોની ગર્જનાઓથી ઘેરાયેલા હોવા છતાં હિરજન આવી મહેફિલ જમાવે છે. મધરાતે સૂરજનાં અજવાળાનો તે અનુભવ કરે છે. તેનું રહસ્ય ત્રિગુણમયી પ્રકૃતિ પર તેમણે મારેલી ચોકડીમાં રહ્યું છે. અખાના શબ્દો :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
વાણું વાયું નર ત્યારે તું જાણજે,
'''વાણું વાયું નર ત્યારે તું જાણજે,'''{{gap}}
{{right|ત્રિગુણરૂપી તારી રાત્ય જાયે,}}
{{right|'''ત્રિગુણરૂપી તારી રાત્ય જાયે,'''}}
આતમા અર્ક ઊગે જ્યારે આપમાં
'''આતમા અર્ક ઊગે જ્યારે આપમાં'''
{{right|ત્યારે નિશાચર ઠામ થાયે.}}  
{{right|'''ત્યારે નિશાચર ઠામ થાયે.'''}}  
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 56: Line 59:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
હંસલા ગુરુ દેવે સોનારા,  
'''હંસલા ગુરુ દેવે સોનારા,'''
વ્યારા રહે દૂધ, પાનીકા પાની,
{{gap|3em}}'''વ્યારા રહે દૂધ, પાનીકા પાની,'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 67: Line 70:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
પિંડ બ્રહ્માંડ દીસે નહીં જે વિધે,  
'''પિંડ બ્રહ્માંડ દીસે નહીં જે વિધે,'''
{{right|દિવ્યદરશી તણી પેર મોટી,}}
{{gap|3em}}'''દિવ્યદરશી તણી પેર મોટી,'''
ધ્યેય ને ધ્યાતા વરતે એક ધામમાં  
'''ધ્યેય ને ધ્યાતા વરતે એક ધામમાં'''
{{right|અખા એ સમજ મોટી કસોટી,}}
{{gap|3em}}'''અખા એ સમજ મોટી કસોટી,'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પિંડનો ભાસ છે ત્યાં સુધી માયા છે, ને બ્રહ્માંડનો આભાસ છે ત્યાં સુધી મોહ છે. નિરાભાસ અવસ્થામાં નાનું-મોટું, નિકટ-દૂર અને મારું-પેલું એ ભાવ સદંતર ભૂંસાઈ જાય છે. આત્મદર્શનના નિર્મલ, નિર્વિક્ષેપ અને નિરાવરણ સ્વરૂપને પ્રાપ્ત કરતાં પહેલાં મોહ-માયાનો અતિ સૂક્ષ્મ તંતુ રહી જવાનો સંભવ છે. એ જ માન સરોવરને તીરે રહેતી નાગણી છે. પોતે પ્રાપ્તિ કરી લીધી ને પોતે બીજાને પ્રાપ્તિ કરાવવા માટે ગુરુ થઈ બેસે એવા રેલ દુનિયામાં ચાલે છે. અખો આ જોઈ કહે છે :  
પિંડનો ભાસ છે ત્યાં સુધી માયા છે, ને બ્રહ્માંડનો આભાસ છે ત્યાં સુધી મોહ છે. નિરાભાસ અવસ્થામાં નાનું-મોટું, નિકટ-દૂર અને મારું-પેલું એ ભાવ સદંતર ભૂંસાઈ જાય છે. આત્મદર્શનના નિર્મલ, નિર્વિક્ષેપ અને નિરાવરણ સ્વરૂપને પ્રાપ્ત કરતાં પહેલાં મોહ-માયાનો અતિ સૂક્ષ્મ તંતુ રહી જવાનો સંભવ છે. એ જ માન સરોવરને તીરે રહેતી નાગણી છે. પોતે પ્રાપ્તિ કરી લીધી ને પોતે બીજાને પ્રાપ્તિ કરાવવા માટે ગુરુ થઈ બેસે એવા રેલ દુનિયામાં ચાલે છે. અખો આ જોઈ કહે છે :  
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
'''મોહ સરપે જુગ ડસિયા, સંતો'''
{{gap|3em}}'''મોહ સરપે જુગ ડસિયા,'''
'''જ્ઞાની પંડિત કું પહેલે રે ખાયા'''
{{gap|3em}}'''ઝેરઉતારણ ઘસિયા.'''
</poem>}}
{{Poem2Open}}
પોતે ઝેરની અસર નીચે અને બીજાનું ઝેર ઉતારવા દોડતા આ પંડિત જ્ઞાનીઓની દશા અજ્ઞાની કરતાં બદતર છે. અહીં નાગણીનો અર્થ કુંડલિની લેવાનો નથી, એ તો ભગવતી શક્તિ છે. અહીં માયા એ જ મહાસર્પિણી છે. ગોરખનાથે પણ એને મારવાનું કહ્યું છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''મારી મારી પની નિરમલ જલ પૈઠી'''
'''ત્રિભુવન ડસતી ગૌરખનાથ દીઠી'''
{{center|✽}}'''મારી રુપણી, જગાઈ ભૈ ભૈવરા:'''
'''જિનિ મારી સ્રપણી તાકૌ કહા કરેં જમરા.'''
</poem>}}
{{Poem2Open}}
:‘નિર્મલ માનસના ઊંડાણે પણ સર્પિણી પ્રવેશી ગઈ છે. ગોરખનાથે તેને ત્રણે જગતને ડસતી જોઈ છે. સર્પિણીને મારી નાખો. ભ્રમમાં પડેલા મન-ભમરાને ગાડી લો. જેણે સર્પિણીને મારી નાખી તેને જમ શું કરી શકવાના?'
માયાનો હાસ કરતાં પહેલાં માયાનો ગ્રાસ ન થઈ જવાય તેની સાવચેતી રાખી ચાલજે, ભાઈ! એમ અંતિમ બિંદુ સુધી સાવધાન રહેવાનું અખો સમજાવે છે.
ઝગમગ જ્યોત... ભવભ્રમણા ભાગી
મહાશૂન્યમાં એક ‘તુંહી તેંહી'ની ધૂન લાગી, એક અપાર જ્યોતિ સઘળે ફેલાઈ ગઈ અને અખો તેમાં આનંદમગન થઈને લીન બની ગયો.
ભવની ભ્રમણા નાશ પામી. ભવ એટલે ઉત્પતિ. અને ઉત્પતિ હોય ત્યાં વિનાશની નોબત વાગ્યા વિના ન રહે. અખો તેનાથી પર ઊઠી ગાય છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''ઉત્પત્તિ સ્થિતિ લય પ્રકૃતિ પુરુષનું'''{{gap}}
{{right|'''તત્ત્વમસિપદ જોતે,'''}}
'''અખાને ઓચરવું,'''
{{right|'''એ સ્વયં પોતાનું પોતે...'''}}
</poem>}}
<br>
{{HeaderNav2
|previous = વહેતાનાં નવ વહીએ
|next = આત્મતેજનું અખૂટ ભાતું બંધાવતાં
}}