રચનાવલી/૧૮૯: Difference between revisions

+ Audio
No edit summary
(+ Audio)
 
(One intermediate revision by one other user not shown)
Line 3: Line 3:
{{Heading| ૧૮૯. હેન્રી ચોથો (પિરાન્દેલો)    |}}
{{Heading| ૧૮૯. હેન્રી ચોથો (પિરાન્દેલો)    |}}


<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/8/8b/Rachanavali_189.mp3
}}
<br>
૧૮૯. હેન્રી ચોથો (પિરાન્દેલો)  • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ
<br>
&#9724;
</center>
<hr>


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 9: Line 22:
હા, પિરાન્દેલોએ આરંભમાં કવિતા કરી છે, સાતેક જેટલી નવલકથાઓ લખી છે અને પંદરેક વાર્તા સંગ્રહો આપ્યા છે. પણ એમાં નાટકોનો પ્રભાવ આધુનિક રંગભૂમિ પર સીધો કે આડકતરો સમર્થ રીતે રહ્યો છે. મનુષ્યમાં રહેલો મૂળભૂત વિષાદ એની ધ્યેયપૂર્ણ જીવનવૃત્તિનૈનિરર્થક બનાવે છે એવો સૂર એના લેખનમાં હંમેશાં ઊઠતો રહ્યો છે. સાથે સાથે એણે સમાજને વ્યક્તિ પર લદાયેલા ભાર રૂપે જોયો છે.  
હા, પિરાન્દેલોએ આરંભમાં કવિતા કરી છે, સાતેક જેટલી નવલકથાઓ લખી છે અને પંદરેક વાર્તા સંગ્રહો આપ્યા છે. પણ એમાં નાટકોનો પ્રભાવ આધુનિક રંગભૂમિ પર સીધો કે આડકતરો સમર્થ રીતે રહ્યો છે. મનુષ્યમાં રહેલો મૂળભૂત વિષાદ એની ધ્યેયપૂર્ણ જીવનવૃત્તિનૈનિરર્થક બનાવે છે એવો સૂર એના લેખનમાં હંમેશાં ઊઠતો રહ્યો છે. સાથે સાથે એણે સમાજને વ્યક્તિ પર લદાયેલા ભાર રૂપે જોયો છે.  
એનું કારણ કદાચ પિરાન્દેલોના પોતાના અંગત જીવનની કરુણતા છે. પિરાન્દેલો સમૃદ્ધ માતાપિતાનું ફરજંદ હોવા છતાં પિતાના એ આજ્ઞાંકિત પુત્રે ૧૮૯૪માં એના પિતાના વેપારી ભાગીદારની, કદી ન જોયેલી દીકરી સાથેનું લગ્ન સ્વીકાર્યું, પણ પિતાની સલ્ફરની ખાણોમાં પાણી ભરાઈ જતા અને વેપાર તૂટી પડતાં કુટુંબ આર્થિક રીતે પાયમાલ થઈ ગયું. પિરાન્દેલોની પત્ની પર એની ઘેરી અસર થતાં એ માનસિક સમતુલા ગુમાવી બેઠી. પિરાન્દેલો પોતાની બધી બચત પત્નીને આપવા છતાં પત્નીની માનસિક હાલત બગડતી ગઈ. એના અસાધ્ય ગાંડપણને પિરાન્દેલોએ વેંઢાર્યે રાખ્યું. સિગ્નોરા પિરાન્દેલો ૧૯૧૮માં અવસાન પામી.  
એનું કારણ કદાચ પિરાન્દેલોના પોતાના અંગત જીવનની કરુણતા છે. પિરાન્દેલો સમૃદ્ધ માતાપિતાનું ફરજંદ હોવા છતાં પિતાના એ આજ્ઞાંકિત પુત્રે ૧૮૯૪માં એના પિતાના વેપારી ભાગીદારની, કદી ન જોયેલી દીકરી સાથેનું લગ્ન સ્વીકાર્યું, પણ પિતાની સલ્ફરની ખાણોમાં પાણી ભરાઈ જતા અને વેપાર તૂટી પડતાં કુટુંબ આર્થિક રીતે પાયમાલ થઈ ગયું. પિરાન્દેલોની પત્ની પર એની ઘેરી અસર થતાં એ માનસિક સમતુલા ગુમાવી બેઠી. પિરાન્દેલો પોતાની બધી બચત પત્નીને આપવા છતાં પત્નીની માનસિક હાલત બગડતી ગઈ. એના અસાધ્ય ગાંડપણને પિરાન્દેલોએ વેંઢાર્યે રાખ્યું. સિગ્નોરા પિરાન્દેલો ૧૯૧૮માં અવસાન પામી.  
જગતનો આભાસ અને જગતની વાસ્તવિકતા – આ બે વચ્ચેના વિરોધ તરફ પિરાન્દેલોનું જે આકર્ષણ જોઈએ છીએ એનો ઘેરો સંબંધ કદાચ પિચન્દેલોના આ યાતનાગ્રસ્ત ગૃહજીવન સાથે હોવાની સંભાવના છે. એટલે, એનાં નાટકોમાં ‘સત્ય સાથે હંમેશા પ્રશ્નાર્થ રહ્યો છે. પિરાન્જેલોનાં ૪૩ જેટલાં નાટકોમાં સાચા છો તમે- (તમે એમ માનો તો)’ ‘લેખકની શોધમાં છ પાત્રો’ વગેરે પાત્રો વગેરે પ્રસિદ્ધ નાટકો છે, પણ એમાં હેન્રી ચોથો" પિરાન્દેલોનું સમર્થ નાટક ગણાયું છે. પિરાન્દેલોના અંગત જીવનની કરુણતાને આ નાટક સાથે સીધો સંબંધ છે. અહીં નાટકકાર ગાંડપણ સાથે તો કામ પાડે છે પણ વાસ્તવિકતા અને શાણપણ સાથેના ગાંડપણના સંબંધને પણ તપાસે છે. પીડાગ્રસ્ત ગાંડો માણસ શાણાઓના સમાગમમાં આવે છે અને શાણાઓની ભ્રષ્ટ જીવનરીતિઓને ખુલ્લી કરે છે. કહેવાય છે તેમ પિરાન્દેલોનાં નાટકોમાં પાત્રો નગ્ન મહોરાં’ઓનું કામ કરે છે અને દેખાવનું, ભ્રાન્તિનું, જટિલ ગૂંચનું અને નિરૂપાય સંદિગ્ધતાનું જગત ઊભું કરે છે. એમ કરીને પિરાન્દેલો એના પ્રેક્ષકોને સ્વીકૃત અવાસ્તવિકતામાં કેદ કરે છે, જે અવાસ્તવિકતા પ્રેક્ષકોના પોતાના ભાવજગત પર અને વિચાર જગત પર તીવ્ર પ્રકાશ ફેંકે છે.
જગતનો આભાસ અને જગતની વાસ્તવિકતા – આ બે વચ્ચેના વિરોધ તરફ પિરાન્દેલોનું જે આકર્ષણ જોઈએ છીએ એનો ઘેરો સંબંધ કદાચ પિચન્દેલોના આ યાતનાગ્રસ્ત ગૃહજીવન સાથે હોવાની સંભાવના છે. એટલે, એનાં નાટકોમાં ‘સત્ય સાથે હંમેશા પ્રશ્નાર્થ રહ્યો છે. પિરાન્જેલોનાં ૪૩ જેટલાં નાટકોમાં સાચા છો તમે- (તમે એમ માનો તો)’ ‘લેખકની શોધમાં છ પાત્રો’ વગેરે પાત્રો વગેરે પ્રસિદ્ધ નાટકો છે, પણ એમાં ‘હેન્રી ચોથો’ પિરાન્દેલોનું સમર્થ નાટક ગણાયું છે. પિરાન્દેલોના અંગત જીવનની કરુણતાને આ નાટક સાથે સીધો સંબંધ છે. અહીં નાટકકાર ગાંડપણ સાથે તો કામ પાડે છે પણ વાસ્તવિકતા અને શાણપણ સાથેના ગાંડપણના સંબંધને પણ તપાસે છે. પીડાગ્રસ્ત ગાંડો માણસ શાણાઓના સમાગમમાં આવે છે અને શાણાઓની ભ્રષ્ટ જીવનરીતિઓને ખુલ્લી કરે છે. કહેવાય છે તેમ પિરાન્દેલોનાં નાટકોમાં પાત્રો નગ્ન મહોરાંઓનું કામ કરે છે અને દેખાવનું, ભ્રાન્તિનું, જટિલ ગૂંચનું અને નિરૂપાય સંદિગ્ધતાનું જગત ઊભું કરે છે. એમ કરીને પિરાન્દેલો એના પ્રેક્ષકોને સ્વીકૃત અવાસ્તવિકતામાં કેદ કરે છે, જે અવાસ્તવિકતા પ્રેક્ષકોના પોતાના ભાવજગત પર અને વિચાર જગત પર તીવ્ર પ્રકાશ ફેંકે છે.
‘હેન્રી ચોથો’ પણ ‘સત્ય શું છે?’— ના પ્રશ્ન સાથે સંકળાયેલું ત્રણ અંકમાં વિસ્તરેલું એક કરુણ નાટક છે. ક્લબમાં જર્મન સામયિકનાં પાનાં ફેરવતાં ફેરવતાં બેલ્જેડી માત્ર ફોટાઓ જોતો હતો, કારણ એને જર્મન ભાષા આવડતી નહોતી; ત્યાં એની નજર જર્મનીના કેયઝરના ફોટા પર ઠરે છે. બૉનમાં વિદ્યાર્થી તરીકેના એ ફોટામાં કેયઝર ઘોડા પર સવાર હતો અને પ્રાચીન જર્મનીના સોનેરી લેબાશમાં સજ્જ હતો. આ ફોટો જોતાં બેલ્જેડીને સૂઝ્યું કે આવનાર ઉત્સવમાં દરેક જણ કોઈને કોઈ પાત્ર રજૂ કરે - રાજા, કુંવર, એની રાણી, બધા જ ઘોડા પર સવાર. બેલ્ક્રેડીના સૂઝ્યા પ્રમાણે નાટકનો નાયક હેન્રી ચોથો બનીને ઘોડા પર સવાર થાય છે અને ઉત્સવ વખતે ઘોડા પરથી પડી જતાં એને માથામાં ઈજા પહોંચે છે. નાયક બેભાન અવસ્થામાંથી ભાનમાં આવે છે ખરો, પણ હેન્રી ચોથાની ભૂમિકા ભજવતો હતો એ ભૂમિકામાંથી બહાર આવી શકતો નથી. પોતે સમૃદ્ધ હતો તેથી મિત્રો અને ભાડૂતી માણસો સહિત નાયક એ જ ભૂમિકા ભજવ્યા કરે છે.
‘હેન્રી ચોથો’ પણ ‘સત્ય શું છે?’— ના પ્રશ્ન સાથે સંકળાયેલું ત્રણ અંકમાં વિસ્તરેલું એક કરુણ નાટક છે. ક્લબમાં જર્મન સામયિકનાં પાનાં ફેરવતાં ફેરવતાં બેલ્જેડી માત્ર ફોટાઓ જોતો હતો, કારણ એને જર્મન ભાષા આવડતી નહોતી; ત્યાં એની નજર જર્મનીના કેયઝરના ફોટા પર ઠરે છે. બૉનમાં વિદ્યાર્થી તરીકેના એ ફોટામાં કેયઝર ઘોડા પર સવાર હતો અને પ્રાચીન જર્મનીના સોનેરી લેબાશમાં સજ્જ હતો. આ ફોટો જોતાં બેલ્જેડીને સૂઝ્યું કે આવનાર ઉત્સવમાં દરેક જણ કોઈને કોઈ પાત્ર રજૂ કરે - રાજા, કુંવર, એની રાણી, બધા જ ઘોડા પર સવાર. બેલ્ક્રેડીના સૂઝ્યા પ્રમાણે નાટકનો નાયક હેન્રી ચોથો બનીને ઘોડા પર સવાર થાય છે અને ઉત્સવ વખતે ઘોડા પરથી પડી જતાં એને માથામાં ઈજા પહોંચે છે. નાયક બેભાન અવસ્થામાંથી ભાનમાં આવે છે ખરો, પણ હેન્રી ચોથાની ભૂમિકા ભજવતો હતો એ ભૂમિકામાંથી બહાર આવી શકતો નથી. પોતે સમૃદ્ધ હતો તેથી મિત્રો અને ભાડૂતી માણસો સહિત નાયક એ જ ભૂમિકા ભજવ્યા કરે છે.
નાટકમાં ભૂમિકા ભૂમિકા જ રહે, ભૂમિકા વાસ્તવિક બની જાય, નાયક ભૂમિકાને છોડી ન શકે, ભૂમિકા છોડે અને છતાં ભૂમિકા ભૂમિકા જ રહે – એમ સભાનપણે ભૂમિકામાં કેદ રહે છે. પિરાન્દેલો આમ અણઉકલ્યા વાસ્તવના નિરૂપણ દ્વારા જીવનની નજીકમાં નજીક જતી ગતિવાળા નાટકનો સ્વામી છે.
નાટકમાં ભૂમિકા ભૂમિકા જ રહે, ભૂમિકા વાસ્તવિક બની જાય, નાયક ભૂમિકાને છોડી ન શકે, ભૂમિકા છોડે અને છતાં ભૂમિકા ભૂમિકા જ રહે – એમ સભાનપણે ભૂમિકામાં કેદ રહે છે. પિરાન્દેલો આમ અણઉકલ્યા વાસ્તવના નિરૂપણ દ્વારા જીવનની નજીકમાં નજીક જતી ગતિવાળા નાટકનો સ્વામી છે.