નૈવેદ્ય: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
m top: Change site name
Artimundra (talk | contribs)
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{#seo:
{{#seo:
|title_mode= replace
|title_mode= replace
|title= વિવેચનની પ્રક્રિયા - Ekatra Foundation
|title= નૈવેદ્ય - Ekatra Foundation
|keywords= નૈવેદ્ય ડોલરરાય માંકડ, ડોલરરાય માંકડના પુસ્તકો, ગુજરાતી વિવેચનના પુસ્તકો, Dolarrai Mankad books
|keywords= નૈવેદ્ય ડોલરરાય માંકડ, ડોલરરાય માંકડના પુસ્તકો, ગુજરાતી વિવેચનના પુસ્તકો, Dolarrai Mankad books
|description=This is home page for this wiki
|description=This is home page for this wiki
Line 19: Line 19:
<center>
<center>
{|style="background-color: #C7E6C7; border: 1px solid #228B22;"
{|style="background-color: #C7E6C7; border: 1px solid #228B22;"
|<center>{{gap}}[https://issuu.com/ekatra/docs/naivedya_dolarrai_mankad?fr=sYjMyZTg1MTMzOTI પુસ્તક વાંચવા અહીં ક્લિક કરો]{{gap}}</center>
|<center>{{gap}}[https://ekatra.org/ebooks/naivedya/read#flipbook-6a5c4ce0e4ec7 પુસ્તક વાંચવા અહીં ક્લિક કરો]{{gap}}</center>
|}</center>
|}</center>
<br>
<br>

Latest revision as of 04:05, 19 July 2026



નૈવેદ્ય

ડોલરરાય માંકડ

પુસ્તક વાંચવા અહીં ક્લિક કરો


કૃતિ-પરિચય

નૈવેદ્ય (૧૯૬૨) : ડોલરરાય માંકડનો એમની ષષ્ટિપૂર્તિ નિમિત્તે પ્રગટ થયેલો લેખસંગ્રહ. વિવિધ સામયિકોમાં વિભિન્ન સમયે પ્રગટ થયેલા એમના લેખોને અહીં એકત્રિત કરવામાં આવ્યા છે. વિવિધ વિષયોવાળા આ લેખોમાં ‘અનુશ્રુતિનું યાથાતથ્ય’, ‘કલ્કિ અવતાર’, ‘ઋગ્વેદમાં ઉત્તરધ્રુવ’ એ પુરાતત્ત્વના લેખો છે; તો ‘નાટ્યશાસ્ત્રનાં કેટલાંક રૂપો’, ‘એકાંકી નાટકો’, ‘કાલિદાસની નાટ્યભાવના’ ઇત્યાદિ સંસ્કૃત નાટ્યસાહિત્ય પરના લેખો છે. ‘નવલકથા અને નવલિકા’ જેવો અર્વાચીન સાહિત્યપ્રકારના સ્વરૂપની ચર્ચા કરતો લેખ એક જ છે, પરંતુ ગુજરાતી સાહિત્યકૃતિઓ પરના અભ્યાસલેખોનું ઠીકઠીક પ્રમાણ છે. ‘સરસ્વતીચંદ્ર-સકલકથા’, ‘શર્વિલક’, ‘વસંતોત્સવ - એક ઉપમાકાવ્ય’, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ જેવા લેખોમાં લેખકનો મૌલિક દૃષ્ટિકોણ જોઈ શકાય છે. ‘પાંડિત્યમંડિત રસિકતા’ અને ‘દી. બ. કેશવલાલ હ. ધ્રુવની વાઙ્મય સેવાની સૂચિ’ એ કે. હ. ધ્રુવ વિશેના બે મહત્ત્વના લેખો છે. ‘ભાષા’, ‘વાક્યવિચાર’, ‘ગુજરાતીમાં મૂર્ધન્ય ‘ડ’ અને મૂર્ધન્યેતર ‘ડ’, ‘હોળીનું મૂળ’ ઇત્યાદિ ભાષા અને વ્યાકરણના લેખો છે. ‘ભગવજજુકમ્’ એક સંસ્કૃત પ્રહસનનો અનુવાદ છે. ‘નિરુક્તનું ભાષાંતર’માં નિરુક્તના બીજા અધ્યાયના એકથી ચાર ખંડનો અનુવાદ છે. શાસ્ત્રીય સંશોધનાત્મક દૃષ્ટિ, વિશદ રજૂઆત અને અનાક્રમક મતદર્શનને લીધે આ લેખો અભ્યાસીઓને ઉપયોગી નીવડે એવા છે.

— જયંત ગાડીત
‘ગુજરાતી સાહિત્યકોશ’ (ખંડ ૨)માંથી સાભાર