અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રઈશ મનીઆર/ના કમાયા કશું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 20: Line 20:
{{Right|(કાફિયાનગર, ૧૯૮૯, પૃ. ૧૭)}}
{{Right|(કાફિયાનગર, ૧૯૮૯, પૃ. ૧૭)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રીના મહેતા/એક દિવસ આવી | એક દિવસ આવી]]  | એક દિવસ આવી એ પૂછશે કે કેમ છે?]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દક્ષા દામોદરા/તરસ | તરસ]]  | રસ્તાના ઉપક્ષિેત પથ્થર જેમ યુગોથી ]]
}}

Latest revision as of 12:37, 29 October 2021


ના કમાયા કશું

રઈશ મનીઆર

ના કમાયા કશું ફક્ત વારસ રહ્યા,
તોય શબ્દોની સાથે નિખાલસ રહ્યા.

છો ને આશય વિસામાનો હો એમનો,
આપણી છત ઉપર બે’ક સારસ રહ્યાં.

ના તો પંડિત થયા ના તરણ આવડ્યું,
જો તમે ગંગાકાંઠે બનારસ રહ્યા.

ટાંકણાં છીણીઓની સરતચૂકથી,
મંદિરે ના સ્થપાયા બસ, આરસ રહ્યા.

એમ કહીને પછી દેવો હસતા રહ્યા,
લ્યો, ‘રઈશ’ તો હજુ સાવ માણસ રહ્યા.
(કાફિયાનગર, ૧૯૮૯, પૃ. ૧૭)