33,264
edits
(+1) |
No edit summary |
||
| Line 48: | Line 48: | ||
અહીં કરુણકૃતિઓના આસ્વાદને લગતા મુદ્દાનોય નિર્દેશ કરી લઈએ. રસની પ્રતીતિ લૌકિક પ્રતીતિથી ભિન્ન છે, રસ એ ‘સ્થાયી’થી વિલક્ષણ છે એ સિદ્ધાંતનો સ્વીકાર કરવાથી આપણે ત્યાં કરુણરસની આસ્વાદ્યતાનું નિરાકરણ સરળ બન્યું છે. રમણભાઈ નીલકંઠ, રામનારાયણ પાઠક, રામપ્રસાદ બક્ષી<ref>‘કરુણ રસ’ ગ્રંથની ચર્ચા.</ref>, ઉમાશંકર જોશી<ref>‘ટ્રેજડીનો આનંદ : કરુણનો આસ્વાદ – એક સમસ્યા’ – ‘સંસ્કૃતિ’, જૂન, ૧૯૬૭.</ref> આદિ વિદ્વાનોએ કરુણની આસ્વાદ્યતાની વિચારણામાં રસસિદ્ધાંતનો જ આધાર લીધો છે તે નોંધપાત્ર છે. | અહીં કરુણકૃતિઓના આસ્વાદને લગતા મુદ્દાનોય નિર્દેશ કરી લઈએ. રસની પ્રતીતિ લૌકિક પ્રતીતિથી ભિન્ન છે, રસ એ ‘સ્થાયી’થી વિલક્ષણ છે એ સિદ્ધાંતનો સ્વીકાર કરવાથી આપણે ત્યાં કરુણરસની આસ્વાદ્યતાનું નિરાકરણ સરળ બન્યું છે. રમણભાઈ નીલકંઠ, રામનારાયણ પાઠક, રામપ્રસાદ બક્ષી<ref>‘કરુણ રસ’ ગ્રંથની ચર્ચા.</ref>, ઉમાશંકર જોશી<ref>‘ટ્રેજડીનો આનંદ : કરુણનો આસ્વાદ – એક સમસ્યા’ – ‘સંસ્કૃતિ’, જૂન, ૧૯૬૭.</ref> આદિ વિદ્વાનોએ કરુણની આસ્વાદ્યતાની વિચારણામાં રસસિદ્ધાંતનો જ આધાર લીધો છે તે નોંધપાત્ર છે. | ||
સહૃદયના રસાનુભવના અનુસંધાનમાં કેટલાક પાયાના પ્રશ્નો હજી વિચારણા માગે છે : દરેક કાવ્યાનુભવ એવી કોઈ અખંડ પરિબદ્ધ એવી અનુભૂતિ છે કે તેને ચિત્તના કોઈ કરણ (instrument) કે કોઈ વ્યાપાર (faculty) દ્વારા અવગત કરી શકાય નહિ? એમ જો હોય તો એક ભાવકના કૃતિવિશેષના અનુભવને બીજા ભાવકના એ કૃતિના અનુભવ જોડે તુલનાત્મક વિચાર કરવાની કોઈ ભૂમિકા શક્ય છે ખરી? એ રીતે કૃતિની કોઈ એક અંતિમ સત્તાનો વિચાર કરવાનું શક્ય છે ખરું? જો એવી કૃતિની મૂલગત સત્તાનો વિચાર સ્થાપવાનું મુશ્કેલ હોય તો વિવેચના માટે કોઈ આધારશીલા રહે છે ખરી? વળી, રસતત્ત્વની ઉપલબ્ધિ જો સ્થાયીની પરિણતિ માત્ર હોય તો સર્જકે સિદ્ધ કરેલી આ-કૃતિનું મૂલ્ય કેટલું? શૃંગાર, હાસ્ય, અદ્ભુત, બીભત્સ આદિ સ્થાયીવિશિષ્ટ રસમાં ભાવકના ચિત્તના વિભિન્ન વ્યાપારો પ્રવર્તે છે? આવા આવા અનેક પ્રશ્નોની માંડણી કરવાની બાકી છે. | સહૃદયના રસાનુભવના અનુસંધાનમાં કેટલાક પાયાના પ્રશ્નો હજી વિચારણા માગે છે : દરેક કાવ્યાનુભવ એવી કોઈ અખંડ પરિબદ્ધ એવી અનુભૂતિ છે કે તેને ચિત્તના કોઈ કરણ (instrument) કે કોઈ વ્યાપાર (faculty) દ્વારા અવગત કરી શકાય નહિ? એમ જો હોય તો એક ભાવકના કૃતિવિશેષના અનુભવને બીજા ભાવકના એ કૃતિના અનુભવ જોડે તુલનાત્મક વિચાર કરવાની કોઈ ભૂમિકા શક્ય છે ખરી? એ રીતે કૃતિની કોઈ એક અંતિમ સત્તાનો વિચાર કરવાનું શક્ય છે ખરું? જો એવી કૃતિની મૂલગત સત્તાનો વિચાર સ્થાપવાનું મુશ્કેલ હોય તો વિવેચના માટે કોઈ આધારશીલા રહે છે ખરી? વળી, રસતત્ત્વની ઉપલબ્ધિ જો સ્થાયીની પરિણતિ માત્ર હોય તો સર્જકે સિદ્ધ કરેલી આ-કૃતિનું મૂલ્ય કેટલું? શૃંગાર, હાસ્ય, અદ્ભુત, બીભત્સ આદિ સ્થાયીવિશિષ્ટ રસમાં ભાવકના ચિત્તના વિભિન્ન વ્યાપારો પ્રવર્તે છે? આવા આવા અનેક પ્રશ્નોની માંડણી કરવાની બાકી છે. | ||
કાવ્યનો રસાસ્વાદ અને સાધારણીકરણની પ્રક્રિયા | {{Poem2Close}} | ||
'''કાવ્યનો રસાસ્વાદ અને સાધારણીકરણની પ્રક્રિયા''' | |||
{{Poem2Open}} | |||
પ્રાચીન રસમીમાંસામાં ચર્ચાયેલો સાધારણીકરણનો સિદ્ધાંત આપણી કાવ્યવિવેચનામાં ઠીક ઠીક છણાયો છે. રામનારાયણ પાઠક, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ડોલરરાય માંકડ, ઉમાશંકર જોશી આદિ વિદ્વાનોએ આ સિદ્ધાંતને સ્પષ્ટ કરવાના કેટલાક સમર્થ પ્રયાસો કર્યા છે. આપણે એ વિદ્વાનોની ચર્ચાને અવલોકતાં પહેલાં પ્રાચીન આચાર્યોના દૃષ્ટિબિંદુને સમજવા પ્રયત્ન કરીએ. | પ્રાચીન રસમીમાંસામાં ચર્ચાયેલો સાધારણીકરણનો સિદ્ધાંત આપણી કાવ્યવિવેચનામાં ઠીક ઠીક છણાયો છે. રામનારાયણ પાઠક, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ડોલરરાય માંકડ, ઉમાશંકર જોશી આદિ વિદ્વાનોએ આ સિદ્ધાંતને સ્પષ્ટ કરવાના કેટલાક સમર્થ પ્રયાસો કર્યા છે. આપણે એ વિદ્વાનોની ચર્ચાને અવલોકતાં પહેલાં પ્રાચીન આચાર્યોના દૃષ્ટિબિંદુને સમજવા પ્રયત્ન કરીએ. | ||
સંસ્કૃત રસમીમાંસામાં સાધારણીકરણની ચર્ચા સર્વ પ્રથમ ભટ્ટ નાયકે કરી જણાય છે. તેમણે ‘નાટ્ય’ના સંદર્ભમાં પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે નાટકનાં દુષ્યન્ત-શકુન્તલાદિ પાત્રોનો વિશિષ્ટ ભાવ સહૃદય એવા કોઈ પણ સામાજિકને આસ્વાદ્ય શી રીતે બની શકે? એ પ્રશ્નના નિરાકરણ રૂપે તેમણે સાધારણીકરણનો સિદ્ધાંત આગળ ધર્યો. તેમની આ સિદ્ધાંતચર્ચાનું<ref>નાટ્યં ચતુર્વિધામિનયરૂપેણ... વિભાવાદિસાધારણીકારણાત્મના અભિધાતો દ્વિતીયેનાંશેન ભાવકત્વવ્યાપારેણ ભાવ્યમાનો રસઃ | – ‘હિન્દી અભિનવભારતી’, પૃ. ૪૮૪–૮૫</ref> તાત્પર્ય કંઈક આવું છે : ‘નાટ્ય’માં વિભાવાદિનું સાધારણીકરણ થાય છે. આ સાધારણીકરણ એ ભાવકત્વવ્યાપારનો પ્રાણ માત્ર છે. એ વ્યાપાર દ્વારા જ ભાવ્યમાન સ્થાયી ભાવ રસરૂપમાં પરિણતિ પામે છે. અને એ દૃષ્ટિએ સાધારણીકરણ એ ભાવકના રસાસ્વાદ પૂર્વેની પૂર્વપ્રક્રિયા સંભવે છે. વળી, આ પ્રક્રિયાને પરિણામે જ વિભાવાદિ તેમના દેશકાલાદિ વિશિષ્ટ સંસર્ગોથી મુક્ત થાય છે, અને આસ્વાદ્યરૂપમાં પ્રગટ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો શબ્દની અભિધાશક્તિને અતિક્રમીને પ્રવર્તતો આ ભાવકત્વ વ્યાપાર – સાધારણીકરણ – નાટ્યગત વિભાવાદિને એવી કલ્પનોત્થ ભૂમિકાએ સ્થાપી આપે છે કે તે સર્વ સહૃદયોને આસ્વાદ્યરૂપ બની રહે છે. અહીં ભટ્ટ નાયકે શબ્દશક્તિનો મહિમા કર્યો છે, અને પરોક્ષ રીતે કવિની સર્જકતાને જ બિરદાવી છે. | સંસ્કૃત રસમીમાંસામાં સાધારણીકરણની ચર્ચા સર્વ પ્રથમ ભટ્ટ નાયકે કરી જણાય છે. તેમણે ‘નાટ્ય’ના સંદર્ભમાં પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે નાટકનાં દુષ્યન્ત-શકુન્તલાદિ પાત્રોનો વિશિષ્ટ ભાવ સહૃદય એવા કોઈ પણ સામાજિકને આસ્વાદ્ય શી રીતે બની શકે? એ પ્રશ્નના નિરાકરણ રૂપે તેમણે સાધારણીકરણનો સિદ્ધાંત આગળ ધર્યો. તેમની આ સિદ્ધાંતચર્ચાનું<ref>નાટ્યં ચતુર્વિધામિનયરૂપેણ... વિભાવાદિસાધારણીકારણાત્મના અભિધાતો દ્વિતીયેનાંશેન ભાવકત્વવ્યાપારેણ ભાવ્યમાનો રસઃ | – ‘હિન્દી અભિનવભારતી’, પૃ. ૪૮૪–૮૫</ref> તાત્પર્ય કંઈક આવું છે : ‘નાટ્ય’માં વિભાવાદિનું સાધારણીકરણ થાય છે. આ સાધારણીકરણ એ ભાવકત્વવ્યાપારનો પ્રાણ માત્ર છે. એ વ્યાપાર દ્વારા જ ભાવ્યમાન સ્થાયી ભાવ રસરૂપમાં પરિણતિ પામે છે. અને એ દૃષ્ટિએ સાધારણીકરણ એ ભાવકના રસાસ્વાદ પૂર્વેની પૂર્વપ્રક્રિયા સંભવે છે. વળી, આ પ્રક્રિયાને પરિણામે જ વિભાવાદિ તેમના દેશકાલાદિ વિશિષ્ટ સંસર્ગોથી મુક્ત થાય છે, અને આસ્વાદ્યરૂપમાં પ્રગટ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો શબ્દની અભિધાશક્તિને અતિક્રમીને પ્રવર્તતો આ ભાવકત્વ વ્યાપાર – સાધારણીકરણ – નાટ્યગત વિભાવાદિને એવી કલ્પનોત્થ ભૂમિકાએ સ્થાપી આપે છે કે તે સર્વ સહૃદયોને આસ્વાદ્યરૂપ બની રહે છે. અહીં ભટ્ટ નાયકે શબ્દશક્તિનો મહિમા કર્યો છે, અને પરોક્ષ રીતે કવિની સર્જકતાને જ બિરદાવી છે. | ||