ચિત્તવિચારસંવાદ/અખાજીકૃત ‘ચિત્તવિચારસંવાદ’: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(5 intermediate revisions by the same user not shown)
Line 36: Line 36:
{{Poem2Open}}
{{Poem2Open}}
જેવો તમારો આશય હું જોઈશ તેવો ઉકેલ હું કરી આપીશ. મારો સ્વભાવ દીપકની જ્યોત જેવો છે, જેનો પ્રકાશ દીવાની આગળ આગળ ચાલતો હેાય છે.
જેવો તમારો આશય હું જોઈશ તેવો ઉકેલ હું કરી આપીશ. મારો સ્વભાવ દીપકની જ્યોત જેવો છે, જેનો પ્રકાશ દીવાની આગળ આગળ ચાલતો હેાય છે.
સમજૂતી : ચિત્તમાં આશય ઉત્પન્ન થતાં જ ચિત્તે કહ્યા પહેલાંથી વિચાર એ પ્રમાણે પ્રવૃત્ત થઈ જાય છે એવું તાત્પર્ય છે.
'''સમજૂતી''' : ચિત્તમાં આશય ઉત્પન્ન થતાં જ ચિત્તે કહ્યા પહેલાંથી વિચાર એ પ્રમાણે પ્રવૃત્ત થઈ જાય છે એવું તાત્પર્ય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>મોરો સુભાવ છે પાણી તણો, સંગ સરીખો રંગ આપણો,  
{{Block center|'''<poem>મોરો સુભાવ છે પાણી તણો, સંગ સરીખો રંગ આપણો,  
Line 47: Line 47:
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : મારો આશય ગહન છે; જો તેમાં આપણું ધ્યાન બેસે તો જોઈએ. પહેલાં મેં ઉપનિષદોનું સર્જન કર્યું છે. ઉત્પન્ન થયેલાં તત્ત્વો (સૃષ્ટિની ઉત્પત્તિનાં તત્ત્વો)નું વળી ઉદ્ધરણ કર્યું એટલે કે એમને આગળ લઈ એમનાથી સૃષ્ટિની ઉત્પત્તિ થયેલી માની અને પછી –
ચિત્ત કહે છે : મારો આશય ગહન છે; જો તેમાં આપણું ધ્યાન બેસે તો જોઈએ. પહેલાં મેં ઉપનિષદોનું સર્જન કર્યું છે. ઉત્પન્ન થયેલાં તત્ત્વો (સૃષ્ટિની ઉત્પત્તિનાં તત્ત્વો)નું વળી ઉદ્ધરણ કર્યું એટલે કે એમને આગળ લઈ એમનાથી સૃષ્ટિની ઉત્પત્તિ થયેલી માની અને પછી –
સમજૂતી : ‘પાછાં ઊદ્ધર્યાં’ એ શબ્દપ્રયોગ કોયડારૂપ છે. ઉત્પન્ન થવું અને ઉદ્ધરવું એ બે ક્રિયાનો ઉલ્લેખ તે દેખીતી રીતે પુનરુક્તિ જેવો લાગે છે. નિષેધની વાત તો પછીની કડીમાં છે એટલે ઉપર કર્યું છે તેવું અર્થઘટન કર્યા સિવાય બીજો માર્ગ દેખાતો નથી.
'''સમજૂતી''' : ‘પાછાં ઊદ્ધર્યાં’ એ શબ્દપ્રયોગ કોયડારૂપ છે. ઉત્પન્ન થવું અને ઉદ્ધરવું એ બે ક્રિયાનો ઉલ્લેખ તે દેખીતી રીતે પુનરુક્તિ જેવો લાગે છે. નિષેધની વાત તો પછીની કડીમાં છે એટલે ઉપર કર્યું છે તેવું અર્થઘટન કર્યા સિવાય બીજો માર્ગ દેખાતો નથી.
કડી ૩–૪માં વિચારની મદદથી ચિત્તે ચૌદ વિદ્યા, પુરાણો, ષડ્‌દર્શનોની રચના કરી છે એમ વર્ણવાયું છે. એ રીતે અહીંયાં ચિત્તે ઉપનિષદ્‌ કર્યાં હોવાનું ચિત્ત વર્ણવે છે. આ બધાં શાસ્ત્રોમાં વિભિન્ન તત્ત્વો દ્વારા જગતની ઉત્પત્તિની વાત થયેલી છે. પછીથી એ જગત અને તત્ત્વોને મિથ્યા ગણેલાં છે. આ અર્થમાં અહીં આઠમી અને નવમી કડીમાં જગતની ઉત્પત્તિનાં તત્ત્વોની સ્થાપના અને નિષેધની વાત થયેલી છે. આ એક દાર્શનિક વિચારવિકાસ છે, જેનું વધારે સ્પષ્ટ ચિત્ર અખાના છપ્પા ૫૦૪–૧૦ સુધીમાં આલેખાયું છે. એમાં એમણે પંચભૂતાત્મકસૃષ્ટિ, જીવ, ઈશ્વર, કાળ, ૮૪ લાખ જન્મ, કર્મફળ વગેરેને માન્યતા આપતા ધૂમ્રમાર્ગ અને એ બધાનું મિથ્યાત્વ બતાવતા અર્ચિમાર્ગનો ઉલ્લેખ કરેલો છે. તેર કાંડમાં ધૂમ્રમાર્ગ આલેખાયો છે એમ એમણે કહ્યું છે :
કડી ૩–૪માં વિચારની મદદથી ચિત્તે ચૌદ વિદ્યા, પુરાણો, ષડ્‌દર્શનોની રચના કરી છે એમ વર્ણવાયું છે. એ રીતે અહીંયાં ચિત્તે ઉપનિષદ્‌ કર્યાં હોવાનું ચિત્ત વર્ણવે છે. આ બધાં શાસ્ત્રોમાં વિભિન્ન તત્ત્વો દ્વારા જગતની ઉત્પત્તિની વાત થયેલી છે. પછીથી એ જગત અને તત્ત્વોને મિથ્યા ગણેલાં છે. આ અર્થમાં અહીં આઠમી અને નવમી કડીમાં જગતની ઉત્પત્તિનાં તત્ત્વોની સ્થાપના અને નિષેધની વાત થયેલી છે. આ એક દાર્શનિક વિચારવિકાસ છે, જેનું વધારે સ્પષ્ટ ચિત્ર અખાના છપ્પા ૫૦૪–૧૦ સુધીમાં આલેખાયું છે. એમાં એમણે પંચભૂતાત્મકસૃષ્ટિ, જીવ, ઈશ્વર, કાળ, ૮૪ લાખ જન્મ, કર્મફળ વગેરેને માન્યતા આપતા ધૂમ્રમાર્ગ અને એ બધાનું મિથ્યાત્વ બતાવતા અર્ચિમાર્ગનો ઉલ્લેખ કરેલો છે. તેર કાંડમાં ધૂમ્રમાર્ગ આલેખાયો છે એમ એમણે કહ્યું છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 69: Line 69:
વિચાર કહે ઊપનું જો ટલ્યું, તો [રક] અવશેષ તો વણમેલ્યું મલ્યું. ૧૦
વિચાર કહે ઊપનું જો ટલ્યું, તો [રક] અવશેષ તો વણમેલ્યું મલ્યું. ૧૦
ઉત્પન્ન થયેલાં તત્ત્વોનો મેં નિષેધ પણ કર્યો છે. પણ અમથી એક ઉમેદ અવશેષ રૂપે રહી છે. વિચાર કહે : ઉત્પન્ન થયેલું ટળી ગયું હોય તો અવશેષ રૂપે રહેલું બ્રહ્મ મેળવવાના પ્રયત્ન વિના મળી ગયું કહેવાય.
ઉત્પન્ન થયેલાં તત્ત્વોનો મેં નિષેધ પણ કર્યો છે. પણ અમથી એક ઉમેદ અવશેષ રૂપે રહી છે. વિચાર કહે : ઉત્પન્ન થયેલું ટળી ગયું હોય તો અવશેષ રૂપે રહેલું બ્રહ્મ મેળવવાના પ્રયત્ન વિના મળી ગયું કહેવાય.
પાઠચર્ચા : બીજા અને ચોથા ચરણમાં ‘અવશેષ’ પાઠ ક ગ બે જ પ્રતો આપે છે. બાકીની બધી ‘અવિશેષ’ પાઠ આપે છે. અવિશેષ એટલે વિશેષ નહીં તે, સામાન્ય. એ અર્થને અહીં અવકાશ જણાતો નથી.
'''પાઠચર્ચા''' : બીજા અને ચોથા ચરણમાં ‘અવશેષ’ પાઠ ક ગ બે જ પ્રતો આપે છે. બાકીની બધી ‘અવિશેષ’ પાઠ આપે છે. અવિશેષ એટલે વિશેષ નહીં તે, સામાન્ય. એ અર્થને અહીં અવકાશ જણાતો નથી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે માહારું કર્યું ન થાઈ, તો વસ્તુરૂપ તે ક્યેમ કેહેવાઈ,
{{Block center|'''<poem>ચિત્ત કહે માહારું કર્યું ન થાઈ, તો વસ્તુરૂપ તે ક્યેમ કેહેવાઈ,
વિચાર કહે એ તો ચિત્ત હૂંસ, જીવ૫ણાની ચાલી રૂંસ. ૧૧</poem>}}
વિચાર કહે એ તો ચિત્ત હૂંસ, જીવ૫ણાની ચાલી રૂંસ. ૧૧</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : જો મારું કર્યું ન થતું હોય તો હું વસ્તુરૂપ (બ્રહ્મરૂપ) શુદ્ધ ચેતન આત્મા છું એમ કઈ રીતે કહેવાય? વિચાર કહે છે : એ તો ચિત્ત, તારો અહંકાર છે, જીવપણાની ભ્રમિત મનોદશાનું પ્રવર્તન છે.
ચિત્ત કહે છે : જો મારું કર્યું ન થતું હોય તો હું વસ્તુરૂપ (બ્રહ્મરૂપ) શુદ્ધ ચેતન આત્મા છું એમ કઈ રીતે કહેવાય? વિચાર કહે છે : એ તો ચિત્ત, તારો અહંકાર છે, જીવપણાની ભ્રમિત મનોદશાનું પ્રવર્તન છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે જીવ તે સ્યાનો રહ્યો, પોતે ટલ્યાથી પોતે થયો,
{{Block center|'''<poem>ચિત્ત કહે જીવ તે સ્યાનો રહ્યો, પોતે ટલ્યાથી પોતે થયો,
વિચાર કહે તું વાતે વદે, પણ તદ્રૂપી થયું નથી રદે. ૧૨</poem>}}
વિચાર કહે તું વાતે વદે, પણ તદ્રૂપી થયું નથી રદે. ૧૨</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : પોતે એટલે કે પોતાનું અહંપણું ટળી જવાથી આત્મસ્વરૂપ પ્રગટ થયા પછી જીવ રહ્યો છે એમ શાનું કહેવાય? વિચાર કહે છે : તું વાતથી એમ કહે છે ખરો, પરંતુ તારું હૃદય હજુ તદ્રૂપ એટલે કે આત્મરૂપ થયું નથી.
ચિત્ત કહે છે : પોતે એટલે કે પોતાનું અહંપણું ટળી જવાથી આત્મસ્વરૂપ પ્રગટ થયા પછી જીવ રહ્યો છે એમ શાનું કહેવાય? વિચાર કહે છે : તું વાતથી એમ કહે છે ખરો, પરંતુ તારું હૃદય હજુ તદ્રૂપ એટલે કે આત્મરૂપ થયું નથી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે અહીં થવું તે કશું, એકપણું જ્યારે ઉલ્લસું,
{{Block center|'''<poem>ચિત્ત કહે અહીં થવું તે કશું, એકપણું જ્યારે ઉલ્લસું,
વિચાર કહે કોણ ઈછે થવું, આપથી કોણ બીજું છે નવું. ૧૩</poem>}}
વિચાર કહે કોણ ઈછે થવું, આપથી કોણ બીજું છે નવું. ૧૩</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે : જ્યારે એકપણું – અદ્વૈતભાવ પ્રકાશી ઊઠ્યો પછી કશું થવાપણું શાનું હોય? વિચાર કહે : થવાનું કોણ ઇચ્છી રહ્યું છે? અને પોતાનાથી બીજું નવું શું છે (જે થવાનું હોય?).
ચિત્ત કહે : જ્યારે એકપણું – અદ્વૈતભાવ પ્રકાશી ઊઠ્યો પછી કશું થવાપણું શાનું હોય? વિચાર કહે : થવાનું કોણ ઇચ્છી રહ્યું છે? અને પોતાનાથી બીજું નવું શું છે (જે થવાનું હોય?).
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે મેં જે કીધા અટાટ્ય, તે શું માહારે ઊઠી વાટ્ય  
{{Block center|'''<poem>ચિત્ત કહે મેં જે કીધા અટાટ્ય, તે શું માહારે ઊઠી વાટ્ય  
વિચાર કહે જો કીધું હશે, તો તેણે ભોગની પ્રાપત્ય થશે. ૧૪</poem>}}
વિચાર કહે જો કીધું હશે, તો તેણે ભોગની પ્રાપત્ય થશે. ૧૪</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : મેં જે કર્મો કર્યાં તે શું મારે નિરર્થક ગયાં? વિચાર કહે છે : તેં જે કંઈ કર્મો કર્યાં હશે તેને અનુલક્ષીને તને ભોગની પ્રાપ્તિ થશે.
ચિત્ત કહે છે : મેં જે કર્મો કર્યાં તે શું મારે નિરર્થક ગયાં? વિચાર કહે છે : તેં જે કંઈ કર્મો કર્યાં હશે તેને અનુલક્ષીને તને ભોગની પ્રાપ્તિ થશે.
પાઠચર્ચા : ‘વાટ’ શબ્દ અખાજીમાં અન્યત્ર પુલ્લિંગમાં મળતો તેથી ‘ઊઠ્યા’ પાઠ છોડયો છે.
'''પાઠચર્ચા''' : ‘વાટ’ શબ્દ અખાજીમાં અન્યત્ર પુલ્લિંગમાં મળતો તેથી ‘ઊઠ્યા’ પાઠ છોડયો છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે ભોગ તણી નહીં આશ, માહારે જોઈયે પણું-અવિનાશ,
{{Block center|'''<poem>ચિત્ત કહે ભોગ તણી નહીં આશ, માહારે જોઈયે પણું-અવિનાશ,
વિચાર કહે અવિનાશી તો તું જાણી પ્રીછ્ય, પણ મધ્યે ઈશ્વરતા મા ઇચ્છય. ૧૫</poem>}}
વિચાર કહે અવિનાશી તો તું જાણી પ્રીછ્ય, પણ મધ્યે ઈશ્વરતા મા ઇચ્છય. ૧૫</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : મને ભોગની આશા નથી. મારે અવિનાશીપણું જોઈએ છે. વિચાર કહે છે : અવિનાશીપણાને તું જ્ઞાનપૂર્વક ઓળખી લે પણ એમાં વચ્ચે ઈશ્વરપણું ન ઇચ્છીશ.
ચિત્ત કહે છે : મને ભોગની આશા નથી. મારે અવિનાશીપણું જોઈએ છે. વિચાર કહે છે : અવિનાશીપણાને તું જ્ઞાનપૂર્વક ઓળખી લે પણ એમાં વચ્ચે ઈશ્વરપણું ન ઇચ્છીશ.
પાઠચર્ચા : ૩જા અને ૪થા ચરણમાં ક ખ ગ ઘ અ બ હપ્ર અને ચ છ જ ઝ હપ્ર જુદા પાઠ આપે છે તેમાં ચાવીરૂપ શબ્દ ‘અહંતા’ અને ‘ઈશ્વરતા’ છે. પછીની કડીમાં ‘ઈશ્વરતા’નો સંદર્ભ ચાલુ રહે છે તેથી અહીં પણ ‘ઈશ્વરતા’ પાઠ અર્થદૃષ્ટિએ વધુ યોગ્ય લાગે છે. એ પાઠ સ્વીકારતાં પ્રાસને કારણે ૩જા ચરણમાં ‘જાણી પ્રીછ્ય’ એ પાઠ સ્વીકારવાનો થાય છે એમાં દેખીતી રીતે બે સમાનાર્થી શબ્દો છે પરંતુ ગદ્યાનુવાદમાં કર્યો એ પ્રમાણે અર્થ કરી શકાય તેમ છે.
'''પાઠચર્ચા''' : ૩જા અને ૪થા ચરણમાં ક ખ ગ ઘ અ બ હપ્ર અને ચ છ જ ઝ હપ્ર જુદા પાઠ આપે છે તેમાં ચાવીરૂપ શબ્દ ‘અહંતા’ અને ‘ઈશ્વરતા’ છે. પછીની કડીમાં ‘ઈશ્વરતા’નો સંદર્ભ ચાલુ રહે છે તેથી અહીં પણ ‘ઈશ્વરતા’ પાઠ અર્થદૃષ્ટિએ વધુ યોગ્ય લાગે છે. એ પાઠ સ્વીકારતાં પ્રાસને કારણે ૩જા ચરણમાં ‘જાણી પ્રીછ્ય’ એ પાઠ સ્વીકારવાનો થાય છે એમાં દેખીતી રીતે બે સમાનાર્થી શબ્દો છે પરંતુ ગદ્યાનુવાદમાં કર્યો એ પ્રમાણે અર્થ કરી શકાય તેમ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિ[રખ]ત્ત કહે અવિનાશી શું ઈશ્વર ન હોઇ,
{{Block center|'''<poem>ચિ[રખ]ત્ત કહે અવિનાશી શું ઈશ્વર ન હોઇ,
{{gap}}વિના અવિનાશી ઐશ્વર્જ્ય ક્યમ હુઇ,
{{gap}}વિના અવિનાશી ઐશ્વર્જ્ય ક્યમ હુઇ,
વિચાર કહે છે એહ જ અંધેર, જે સમઝવા માંહાં પડીયો ફેર. ૧૬</poem>}}
વિચાર કહે છે એહ જ અંધેર, જે સમઝવા માંહાં પડીયો ફેર. ૧૬</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : ઈશ્વર શું અવિનાશી ન હોય? અવિનાશીપણા વિના ઐશ્વર્ય – ઈશ્વરપણું કેમ હોય? વિચાર કહે છે : આમાં સમજવામાં ફેર છે ને એ જ અંધેર છે.
ચિત્ત કહે છે : ઈશ્વર શું અવિનાશી ન હોય? અવિનાશીપણા વિના ઐશ્વર્ય – ઈશ્વરપણું કેમ હોય? વિચાર કહે છે : આમાં સમજવામાં ફેર છે ને એ જ અંધેર છે.
પાઠચર્ચા : ૪થા ચરણમાં ક ગ હપ્ર ‘જ’ ‘પડીયૂં’ એ પુલ્લિંગનો પાઠ આપે છે. એ હપ્રમાં આવો લિંગભેદ અન્યત્ર પણ છે, જે લહિયાની ખાસિયત હોવા સંભવ છે. અહીં, ‘પડીયો’ એ પુલ્લિંગ પ્રયોગ પ્રમાણભૂત માન્યો છે.
'''પાઠચર્ચા''' : ૪થા ચરણમાં ક ગ હપ્ર ‘જ’ ‘પડીયૂં’ એ પુલ્લિંગનો પાઠ આપે છે. એ હપ્રમાં આવો લિંગભેદ અન્યત્ર પણ છે, જે લહિયાની ખાસિયત હોવા સંભવ છે. અહીં, ‘પડીયો’ એ પુલ્લિંગ પ્રયોગ પ્રમાણભૂત માન્યો છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે તાહારો સ્યો છે લક્ષ, તોરું હારદ કહેની મુજ મુક્ષ,
{{Block center|'''<poem>ચિત્ત કહે તાહારો સ્યો છે લક્ષ, તોરું હારદ કહેની મુજ મુક્ષ,
વિચાર બોલ્યો તોરું સ્વરૂપ વિચાર્ય, આપ વિચાર્યેં બેસશે ઠાર્ય. ૧૭</poem>}}
વિચાર બોલ્યો તોરું સ્વરૂપ વિચાર્ય, આપ વિચાર્યેં બેસશે ઠાર્ય. ૧૭</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : તારો શો લક્ષ છે – તું શું કહેવા માગે છે? તારું હાર્દ –તાત્પર્ય જે હોય તે તું મને કહે. વિચાર બોલ્યો : તારા સ્વરૂપ વિશે વિચાર કર. આપ – આત્મસ્વરૂપ વિશે વિચારવાથી પ્રશ્નનું સમાધાન થશે.
ચિત્ત કહે છે : તારો શો લક્ષ છે – તું શું કહેવા માગે છે? તારું હાર્દ –તાત્પર્ય જે હોય તે તું મને કહે. વિચાર બોલ્યો : તારા સ્વરૂપ વિશે વિચાર કર. આપ – આત્મસ્વરૂપ વિશે વિચારવાથી પ્રશ્નનું સમાધાન થશે.
પાઠચર્ચા : ‘મુક્ષ’ (પા. મુખ્ય)ના અન્વયનો પ્રશ્ન છે. બે રીતે અન્વય કરી શકાય તેમ છે. ‘મુખ્ય’ને હાર્દના વિશેષણ તરીકે લઈએ તો ‘તારું મુખ્ય તાત્પર્ય હોય તે મને કહે’ એમ અર્થ થાય. ‘મુખ્ય’ને ‘હાર્દ’ના વિશેષણ તરીકે લેવામાં દુરાન્વય છે તે ઉપરાંત ‘મુજ’નો ‘મને’ એ અર્થ લેવાની સ્થિતિ ઊભી થાય છે. ‘મુખ્ય તાત્પર્ય’ એવા અર્થને આ સંદર્ભમાં કેટલો અવકાશ છે એ પણ પ્રશ્ન છે. પ્રાસની દૃષ્ટિએ ‘મુક્ષ’ પાઠ જ યોગ્ય છે. ‘મુખ’નું ‘મુક્ષ’ કર્યું હોય એમ ધારવામાં મુશ્કેલી નથી. ૨૩૪મી કડીમાં ‘મુખ્ય’ પણ ‘મુખ’ના અર્થમાં છે. મુજ મુખ એટલે મારે મુખે, મારે મોઢે, મને કહે એમ અર્થ લઈ શકાય. આથી મુખ્ય પ્રતનો પાઠ છોડ્યો છે.
'''પાઠચર્ચા''' : ‘મુક્ષ’ (પા. મુખ્ય)ના અન્વયનો પ્રશ્ન છે. બે રીતે અન્વય કરી શકાય તેમ છે. ‘મુખ્ય’ને હાર્દના વિશેષણ તરીકે લઈએ તો ‘તારું મુખ્ય તાત્પર્ય હોય તે મને કહે’ એમ અર્થ થાય. ‘મુખ્ય’ને ‘હાર્દ’ના વિશેષણ તરીકે લેવામાં દુરાન્વય છે તે ઉપરાંત ‘મુજ’નો ‘મને’ એ અર્થ લેવાની સ્થિતિ ઊભી થાય છે. ‘મુખ્ય તાત્પર્ય’ એવા અર્થને આ સંદર્ભમાં કેટલો અવકાશ છે એ પણ પ્રશ્ન છે. પ્રાસની દૃષ્ટિએ ‘મુક્ષ’ પાઠ જ યોગ્ય છે. ‘મુખ’નું ‘મુક્ષ’ કર્યું હોય એમ ધારવામાં મુશ્કેલી નથી. ૨૩૪મી કડીમાં ‘મુખ્ય’ પણ ‘મુખ’ના અર્થમાં છે. મુજ મુખ એટલે મારે મુખે, મારે મોઢે, મને કહે એમ અર્થ લઈ શકાય. આથી મુખ્ય પ્રતનો પાઠ છોડ્યો છે.
સમજૂતી : ‘લક્ષ’ અત્યારે નપુંસકલિંગમાં વપરાય છે. અહીં સર્વત્ર પુલ્લિંગ છે એ નોંધપાત્ર છે. ‘મુજ મુક્ષ’ માટે જુઓ પાઠચર્ચા.
'''સમજૂતી''' : ‘લક્ષ’ અત્યારે નપુંસકલિંગમાં વપરાય છે. અહીં સર્વત્ર પુલ્લિંગ છે એ નોંધપાત્ર છે. ‘મુજ મુક્ષ’ માટે જુઓ પાઠચર્ચા.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્તે વિચાર્યું પોતાપણું, ત્યારે ગલાન્ય પામ્યો તે ઘણું,
{{Block center|'''<poem>ચિત્તે વિચાર્યું પોતાપણું, ત્યારે ગલાન્ય પામ્યો તે ઘણું,
વિચાર કહે કાં બોલતો નથી, રૂડી પેર્યેં જોને મથી. ૧૮</poem>}}
વિચાર કહે કાં બોલતો નથી, રૂડી પેર્યેં જોને મથી. ૧૮</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્તે આપ વિશે વિચાર્યું ત્યારે ઘણી ગ્લાનિ પામ્યો. વિચારે કહ્યું : કેમ બોલતો નથી? બરાબર પ્રયત્ન કરી જો.
ચિત્તે આપ વિશે વિચાર્યું ત્યારે ઘણી ગ્લાનિ પામ્યો. વિચારે કહ્યું : કેમ બોલતો નથી? બરાબર પ્રયત્ન કરી જો.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે હું બોલવા લાગી ખરો, પણ આઘો ન ચાલે લક્ષ માહારો,  
{{Block center|'''<poem>ચિત્ત કહે હું બોલવા લાગી ખરો, પણ આઘો ન ચાલે લક્ષ માહારો,  
વિચાર કહે જો નવ્ય લાધે રૂપ, તો ક્યમ થવા હીંડો છો ભૂપ. ૧૯</poem>}}
વિચાર કહે જો નવ્ય લાધે રૂપ, તો ક્યમ થવા હીંડો છો ભૂપ. ૧૯</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે : બોલવાનું હોય ત્યાં સુધી મારું ચાલે છે પરંતુ તેથી આગળ મારું લક્ષ ચાલતું નથી. વિચાર કહે : જો રૂપ-સ્વરૂપને પામી શકતો નથી તો શા માટે ભૂપ થવા જાય છે? – ઊંચું સ્થાન મેળવવા ઇચ્છે છે?
ચિત્ત કહે : બોલવાનું હોય ત્યાં સુધી મારું ચાલે છે પરંતુ તેથી આગળ મારું લક્ષ ચાલતું નથી. વિચાર કહે : જો રૂપ-સ્વરૂપને પામી શકતો નથી તો શા માટે ભૂપ થવા જાય છે? – ઊંચું સ્થાન મેળવવા ઇચ્છે છે?
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>આઘો ઉકેલ જો ન હોઈ કશો, તો શાસ્ત્ર ગુરુ તે સ્યાને અભ્યસો,
{{Block center|'''<poem>આઘો ઉકેલ જો ન હોઈ કશો, તો શાસ્ત્ર ગુરુ તે સ્યાને અભ્યસો,
તે માટે સરવે પરમાણ, જીવપણાની ટાલવા તાણ્ય. ૨૦</poem>}}
તે માટે સરવે પરમાણ, જીવપણાની ટાલવા તાણ્ય. ૨૦</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આગળ કશો ઉકેલ ન દેખાતો હોય તો શાસ્ત્ર અને ગુરુનું સેવન શા માટે કરવું? જીવપણાની – જીવપણારૂપી તાણ ટાળવી એને માટે તો એ બધા (શાસ્ત્ર અને ગુરુ)ની ઉપયોગિતા છે.
આગળ કશો ઉકેલ ન દેખાતો હોય તો શાસ્ત્ર અને ગુરુનું સેવન શા માટે કરવું? જીવપણાની – જીવપણારૂપી તાણ ટાળવી એને માટે તો એ બધા (શાસ્ત્ર અને ગુરુ)ની ઉપયોગિતા છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે શું છે આણ્યે અંત, પૂંજી જ ખોહી તો શો ધનવંત,
{{Block center|'''<poem>ચિત્ત કહે શું છે આણ્યે અંત, પૂંજી જ ખોહી તો શો ધનવંત,
[૩ક] વિચાર કહે પૂંજી જીવ ન હોઈ, જે વડે સઘલી પ્રવૃત્ત્ય હોઈ. ૨૧</poem>}}  
[૩ક] વિચાર કહે પૂંજી જીવ ન હોઈ, જે વડે સઘલી પ્રવૃત્ત્ય હોઈ. ૨૧</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : આ રીતે પોતાપણાનો અંત આણવાથી શું? પોતાપણારૂપી પૂંજી જ ખોયા પછી ધનવંત કેવી રીતે થઈ શકાય? વિચાર કહે : જેના વડે બધી પ્રવૃત્તિ થાય છે તે પૂંજીરૂપ તત્ત્વ તે જીવ નથી.
ચિત્ત કહે છે : આ રીતે પોતાપણાનો અંત આણવાથી શું? પોતાપણારૂપી પૂંજી જ ખોયા પછી ધનવંત કેવી રીતે થઈ શકાય? વિચાર કહે : જેના વડે બધી પ્રવૃત્તિ થાય છે તે પૂંજીરૂપ તત્ત્વ તે જીવ નથી.
સમજૂતી : ચિત્ત પોતાપણાને એટલે જીવપણાને પૂંજી ગણાવે છે ત્યારે વિચાર જીવપણું તે પૂંજી નથી એમ કહે છે. જેનાથી સઘળી પ્રવૃત્તિ ચાલે છે તે વિચારની દૃષ્ટિએ જીવ હોય એવું જણાતું નથી. કેમકે, પછીની કડીમાં જ્યારે ચિત્ત એમ કહે છે કે પ્રવૃત્તિ તો મારા વડે થતી દેખાય છે ત્યારે વિચાર તેનો વિરોધ કરે છે એટલે અહીં જેના વડે સઘળી પ્રવૃત્તિ ચાલે છે તે પૂંજીરૂપ બ્રહ્મ-તત્ત્વ અભિપ્રેત હોય એમ સમજાય છે. વેદાંતની દૃષ્ટિએ આ જગત જેનાથી ચાલે છે તે માયા બ્રહ્મની જ શક્તિ છે.
'''સમજૂતી''' : ચિત્ત પોતાપણાને એટલે જીવપણાને પૂંજી ગણાવે છે ત્યારે વિચાર જીવપણું તે પૂંજી નથી એમ કહે છે. જેનાથી સઘળી પ્રવૃત્તિ ચાલે છે તે વિચારની દૃષ્ટિએ જીવ હોય એવું જણાતું નથી. કેમકે, પછીની કડીમાં જ્યારે ચિત્ત એમ કહે છે કે પ્રવૃત્તિ તો મારા વડે થતી દેખાય છે ત્યારે વિચાર તેનો વિરોધ કરે છે એટલે અહીં જેના વડે સઘળી પ્રવૃત્તિ ચાલે છે તે પૂંજીરૂપ બ્રહ્મ-તત્ત્વ અભિપ્રેત હોય એમ સમજાય છે. વેદાંતની દૃષ્ટિએ આ જગત જેનાથી ચાલે છે તે માયા બ્રહ્મની જ શક્તિ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે પ્રવૃત્ત્ય તો દીસે મુજ વડે, પણ બીજું તાં શોધ્યું નવ્ય જડે,
{{Block center|'''<poem>ચિત્ત કહે પ્રવૃત્ત્ય તો દીસે મુજ વડે, પણ બીજું તાં શોધ્યું નવ્ય જડે,
વિચાર કહે જો ત્યેં જ નીપજે, તો તે બીજું સ્યાને ભજે. ૨૨</poem>}}
વિચાર કહે જો ત્યેં જ નીપજે, તો તે બીજું સ્યાને ભજે. ૨૨</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : પ્રવૃત્તિ તો મુજ વડે – મારાપણાથી થતી જણાય છે, પણ ત્યાં બીજું કશું શોધ્યું જડતું નથી. વિચાર કહે છે : જો તારાથી જ નીપજતું હોય તો બીજા કશાનો આશ્રય શા માટે લે છે (બીજા કશાને માટે શા માટે મથે છે?).
ચિત્ત કહે છે : પ્રવૃત્તિ તો મુજ વડે – મારાપણાથી થતી જણાય છે, પણ ત્યાં બીજું કશું શોધ્યું જડતું નથી. વિચાર કહે છે : જો તારાથી જ નીપજતું હોય તો બીજા કશાનો આશ્રય શા માટે લે છે (બીજા કશાને માટે શા માટે મથે છે?).
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે બીજું ભજતો નથી, એ તો મ્હારું પૂરવ જોઉં છું મથી,
{{Block center|'''<poem>ચિત્ત કહે બીજું ભજતો નથી, એ તો મ્હારું પૂરવ જોઉં છું મથી,
વિચાર કહે એ જ બીજાનું ક્રત્ય, અલગાં પડ્યે વાધે સંસ્રત્ય. ૨૩</poem>}}
વિચાર કહે એ જ બીજાનું ક્રત્ય, અલગાં પડ્યે વાધે સંસ્રત્ય. ૨૩</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : બીજા કશાનો આશય લેતો નથી, એ તો મારા પૂર્વને જોવા-સમજવાનો પ્રયત્ન કરું છું. વિચાર કહે છે : એ જ બીજાનું કૃત્ય છે. આ રીતે જુદા પડવાથી સંસાર વધે છે.
ચિત્ત કહે છે : બીજા કશાનો આશય લેતો નથી, એ તો મારા પૂર્વને જોવા-સમજવાનો પ્રયત્ન કરું છું. વિચાર કહે છે : એ જ બીજાનું કૃત્ય છે. આ રીતે જુદા પડવાથી સંસાર વધે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે એ એમ કાં ઊપજે, હું જાણ્યું અજાણ્યું નવ્ય રહે રજે,
{{Block center|'''<poem>ચિત્ત કહે એ એમ કાં ઊપજે, હું જાણ્યું અજાણ્યું નવ્ય રહે રજે,
વિચાર કહે એ તો ઈશ્વરતા-ભેદ, સમઝયે સંશે થાએ ઉછેદ ૨૪</poem>}}
વિચાર કહે એ તો ઈશ્વરતા-ભેદ, સમઝયે સંશે થાએ ઉછેદ ૨૪</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : એમ સંસાર કેમ ઉત્પન્ન થાય? મારી જાતને – મારા પૂર્વને મેં જાણ્યું તો એ સહેજ પણ ન-જાણ્યું બને નહીં. વિચાર કહે : એ તો ઈશ્વરતાનો ભેદ છે. સમજવાથી સંશયનો નાશ થશે.
ચિત્ત કહે છે : એમ સંસાર કેમ ઉત્પન્ન થાય? મારી જાતને – મારા પૂર્વને મેં જાણ્યું તો એ સહેજ પણ ન-જાણ્યું બને નહીં. વિચાર કહે : એ તો ઈશ્વરતાનો ભેદ છે. સમજવાથી સંશયનો નાશ થશે.
સમજૂતી : આ અને પછીની કડીઓમાં રજૂ થયેલી ઈશ્વરતાની વિભાવના માટે જુઓ પ્રાસ્તાવિક અને પરિશીલન.
'''સમજૂતી''' : આ અને પછીની કડીઓમાં રજૂ થયેલી ઈશ્વરતાની વિભાવના માટે જુઓ પ્રાસ્તાવિક અને પરિશીલન.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે ઈશ્વરતા શું મુજથી અલગ, જોતાં તાં દીસે છે સલગ,  
{{Block center|'''<poem>ચિત્ત કહે ઈશ્વરતા શું મુજથી અલગ, જોતાં તાં દીસે છે સલગ,  
વિચાર કહે સલગ ભાસ્યું જ્યદા, તો સાહાને ભોગવે છે આપદા. ૨૫</poem>}}
વિચાર કહે સલગ ભાસ્યું જ્યદા, તો સાહાને ભોગવે છે આપદા. ૨૫</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : ઈશ્વરતા શું મારાથી અલગ છે? જોતાં તો સઘળું સળંગ – જોડાયેલું દેખાય છે. વિચાર કહે છે : સળંગ ભાસ્યું હોય તો દુઃખ શા માટે ભોગવે છે?
ચિત્ત કહે છે : ઈશ્વરતા શું મારાથી અલગ છે? જોતાં તો સઘળું સળંગ – જોડાયેલું દેખાય છે. વિચાર કહે છે : સળંગ ભાસ્યું હોય તો દુઃખ શા માટે ભોગવે છે?
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે જોતાં ભાસ્યું તે ખરું, પણ ઊપજતું રેહેતું નથી પરું,  
{{Block center|'''<poem>ચિત્ત કહે જોતાં ભાસ્યું તે ખરું, પણ ઊપજતું રેહેતું નથી પરું,  
વિચાર કહે તોરું રૂપ જ એહ, જે સંકલ્પરૂપી ધરે નિત્ય દેહ. ૨૬</poem>}}
વિચાર કહે તોરું રૂપ જ એહ, જે સંકલ્પરૂપી ધરે નિત્ય દેહ. ૨૬</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : જોતાં એમ દેખાયું તે ખરી વાત, પણ અન્ય સ્થિતિમાં ઊપજવાનું દૂર રહેતું નથી એટલે કે અટકતું નથી. વિચાર કહે છે : એ તારું રૂપ જ છે, જે નિત્ય સંકલ્પરૂપી દેહ ધારણ કરે છે.
ચિત્ત કહે છે : જોતાં એમ દેખાયું તે ખરી વાત, પણ અન્ય સ્થિતિમાં ઊપજવાનું દૂર રહેતું નથી એટલે કે અટકતું નથી. વિચાર કહે છે : એ તારું રૂપ જ છે, જે નિત્ય સંકલ્પરૂપી દેહ ધારણ કરે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે વિના [૩ખ] સંકલ્પ તો હોએ, શબવત,
{{Block center|'''<poem>ચિત્ત કહે વિના [૩ખ] સંકલ્પ તો હોએ, શબવત,
{{gap}}ત્યારે તે માંહાં શાનું વ્યત્ત,
{{gap}}ત્યારે તે માંહાં શાનું વ્યત્ત,
વિચાર કહે શબ તો જો પ્રાએ જડ હોઈ,
વિચાર કહે શબ તો જો પ્રાએ જડ હોઈ,
{{gap}}પણ ચિત્ત ચિદ માંહાં કાંઈ ફેર જ ન હોઈ. ૨૭</poem>}}
{{gap}}પણ ચિત્ત ચિદ માંહાં કાંઈ ફેર જ ન હોઈ. ૨૭</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : સંકલ્પ વિના તો શબવત્‌ ગણાય. તેમાં શું વિત્ત – સાર? વિચાર કહે છે : શબ તો જડ જ હોય છે, પણ ચિત્ત અને ચિદ્‌માં તત્ત્વતઃ –પરમાર્થતઃ કાંઈ ફેર જ હોતો નથી.
ચિત્ત કહે છે : સંકલ્પ વિના તો શબવત્‌ ગણાય. તેમાં શું વિત્ત – સાર? વિચાર કહે છે : શબ તો જડ જ હોય છે, પણ ચિત્ત અને ચિદ્‌માં તત્ત્વતઃ –પરમાર્થતઃ કાંઈ ફેર જ હોતો નથી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે અહીં તો વાંકું ઘણું, ચિત્તનું ચિત્ત અને ચિદપણું,
{{Block center|'''<poem>ચિત્ત કહે અહીં તો વાંકું ઘણું, ચિત્તનું ચિત્ત અને ચિદપણું,
વિચાર કહે વાંકું નહીં રંચ, તું જ તાહારો જોની સંચ. ૨૮</poem>}}
વિચાર કહે વાંકું નહીં રંચ, તું જ તાહારો જોની સંચ. ૨૮</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : ચિત્તનું ચિત્તપણું અને ચિદ્‌પણું – બંનેને એકસાથે માનવાં એ ઘણું મુશ્કેલીભરેલું છે. વિચાર કહે છે : એમાં જરા પણ મુશ્કેલી નથી. તું જ તારું તંત્ર જોઈ લે.
ચિત્ત કહે છે : ચિત્તનું ચિત્તપણું અને ચિદ્‌પણું – બંનેને એકસાથે માનવાં એ ઘણું મુશ્કેલીભરેલું છે. વિચાર કહે છે : એમાં જરા પણ મુશ્કેલી નથી. તું જ તારું તંત્ર જોઈ લે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે મ્હારું બલ તો છે તુજ લગે, તુજથી મ્હારે પડશે વગે,  
{{Block center|'''<poem>ચિત્ત કહે મ્હારું બલ તો છે તુજ લગે, તુજથી મ્હારે પડશે વગે,  
વિચાર કહે તાહારી હૂંસ ટાલ્ય, અને મહારે વલણે વલણ જ વાલ્ય. ૨૯</poem>}}
વિચાર કહે તાહારી હૂંસ ટાલ્ય, અને મહારે વલણે વલણ જ વાલ્ય. ૨૯</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : મારું બળ તો તારે કારણે છે. તારાથી જ મારું ઠેકાણે પડશે. વિચાર કહે : તારું હુંપણું ટાળ અને મારા વલણ પ્રમાણે તારું વલણ કર.
ચિત્ત કહે છે : મારું બળ તો તારે કારણે છે. તારાથી જ મારું ઠેકાણે પડશે. વિચાર કહે : તારું હુંપણું ટાળ અને મારા વલણ પ્રમાણે તારું વલણ કર.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે માહારે સદા છે તું મુખ્ય, કોએ કામ નોહે તુજ પખ્ય,
{{Block center|'''<poem>ચિત્ત કહે માહારે સદા છે તું મુખ્ય, કોએ કામ નોહે તુજ પખ્ય,
વિચાર કહે હું બાલક હુતો, અને તાહારી સત્તાએ ચાલતો. ૩૦</poem>}}  
વિચાર કહે હું બાલક હુતો, અને તાહારી સત્તાએ ચાલતો. ૩૦</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : મારે માટે તું મુખ્ય છે. તારા વિના મારું કામ થઈ શકે નહીં. વિચાર કહે છે : પહેલાં તો હું બાળક હતો અને તારી સત્તા અનુસાર ચાલતો હતો.
ચિત્ત કહે છે : મારે માટે તું મુખ્ય છે. તારા વિના મારું કામ થઈ શકે નહીં. વિચાર કહે છે : પહેલાં તો હું બાળક હતો અને તારી સત્તા અનુસાર ચાલતો હતો.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે હવે શેં મોટો થયો, મુજથી ક્યાંહાં આઘેરો વહ્યો,  
{{Block center|'''<poem>ચિત્ત કહે હવે શેં મોટો થયો, મુજથી ક્યાંહાં આઘેરો વહ્યો,  
વિચાર કહે તુજ વડે તે છું, પણ મુજ વિના નપુંસક તું. ૩૧</poem>}}
વિચાર કહે તુજ વડે તે છું, પણ મુજ વિના નપુંસક તું. ૩૧</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : હવે તો કેવો મોટો થઈ ગયો! મારાથી ક્યાંય આગળ નીકળી ગયો. વિચાર કહે : તારા વડે તો હું છું પણ મારા વિના તું નપુંસક – સામર્થ્યહીન છે.
ચિત્ત કહે છે : હવે તો કેવો મોટો થઈ ગયો! મારાથી ક્યાંય આગળ નીકળી ગયો. વિચાર કહે : તારા વડે તો હું છું પણ મારા વિના તું નપુંસક – સામર્થ્યહીન છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કેહે તેં શો પુરુષાર્થ કર્યો, જૈ-જૈને કેટલે સંચર્યો,
{{Block center|'''<poem>ચિત્ત કેહે તેં શો પુરુષાર્થ કર્યો, જૈ-જૈને કેટલે સંચર્યો,
વિચાર કહે જો તું મુ[૪ક]જ પૂઠ્યે થાઈ, જોને સુરતિ ક્યાંહાં જાઈ. ૩૨</poem>}}
વિચાર કહે જો તું મુ[૪ક]જ પૂઠ્યે થાઈ, જોને સુરતિ ક્યાંહાં જાઈ. ૩૨</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : તેં તો કેવો પુરુષાર્થ કર્યો! જઈજઈને કેટલે દૂર સુધી પહોંચી ગયો! વિચાર કહે છે : જો તું મારી પાછળ આવે તો જો, તારી વૃત્તિ ક્યાં સુધી પહોંચે છે!
ચિત્ત કહે છે : તેં તો કેવો પુરુષાર્થ કર્યો! જઈજઈને કેટલે દૂર સુધી પહોંચી ગયો! વિચાર કહે છે : જો તું મારી પાછળ આવે તો જો, તારી વૃત્તિ ક્યાં સુધી પહોંચે છે!
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે તું જ્યારે નાહાનો હુતો, ત્યારે સ્વર્ગ મૃત્યુ પાતાલે જતો,  
{{Block center|'''<poem>ચિત્ત કહે તું જ્યારે નાહાનો હુતો, ત્યારે સ્વર્ગ મૃત્યુ પાતાલે જતો,  
હવે તો જોઈયે આઘેરી વૃત્ત્ય, કહેને તારી જોઉં ક્રત્ય. ૩૩</poem>}}
હવે તો જોઈયે આઘેરી વૃત્ત્ય, કહેને તારી જોઉં ક્રત્ય. ૩૩</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : જ્યારે તું નાનો હતો ત્યારે સ્વર્ગ, મૃત્યુ, પાતાળે જતો હતો. હવે તો તારી વૃત્તિ એથી આગળ જવી જોઈએ. તો કહે, તારી કૃતિ હવે શી છે, ક્રિયાકારિતા, પ્રવૃત્તિ શી છે તે હું જોઉં.
ચિત્ત કહે છે : જ્યારે તું નાનો હતો ત્યારે સ્વર્ગ, મૃત્યુ, પાતાળે જતો હતો. હવે તો તારી વૃત્તિ એથી આગળ જવી જોઈએ. તો કહે, તારી કૃતિ હવે શી છે, ક્રિયાકારિતા, પ્રવૃત્તિ શી છે તે હું જોઉં.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>વિચાર કહે હું બેઠો ૨હું, ૫ણ કામના સાથ્યે નવ્ય વહું,  
{{Block center|'''<poem>વિચાર કહે હું બેઠો ૨હું, ૫ણ કામના સાથ્યે નવ્ય વહું,  
અને તું સદા કામનાને વશ રહે, અને કામના સદા વિષેને ગ્રહે. ૩૪</poem>}}
અને તું સદા કામનાને વશ રહે, અને કામના સદા વિષેને ગ્રહે. ૩૪</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વિચાર કહે છે : હું બેસી રહું પણ કામના –આસક્તિ સાથે હું પ્રવર્તતો નથી (કામના પ્રમાણે ગતિ કરતો નથી). તું હંમેશાં કામનાને વશ રહે છે અને કામના તો હંમેશાં વિષયને ગ્રહે છે.
વિચાર કહે છે : હું બેસી રહું પણ કામના –આસક્તિ સાથે હું પ્રવર્તતો નથી (કામના પ્રમાણે ગતિ કરતો નથી). તું હંમેશાં કામનાને વશ રહે છે અને કામના તો હંમેશાં વિષયને ગ્રહે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે વિષે તો જો ઈછું સંસાર, તે તો મેં કીધો પરિહાર,  
{{Block center|'''<poem>ચિત્ત કહે વિષે તો જો ઈછું સંસાર, તે તો મેં કીધો પરિહાર,  
વિચાર કહે ત્યેં શું પરહર્યું, જો આપોપું પાછું નવ્ય કર્યું. ૩૫</poem>}}
વિચાર કહે ત્યેં શું પરહર્યું, જો આપોપું પાછું નવ્ય કર્યું. ૩૫</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : જો હું સંસારને ઇચ્છતો હોઉં તો જ વિષયનો સંગ કરવાનો સવાલ ઉપસ્થિત થાય. પણ તેનો તો મેં ત્યાગ કર્યો છે. વિચાર કહે : જો તેં હુંપણું – અહંભાવ છોડ્યો ન હોય તો શું છોડ્યું કહેવાય?
ચિત્ત કહે છે : જો હું સંસારને ઇચ્છતો હોઉં તો જ વિષયનો સંગ કરવાનો સવાલ ઉપસ્થિત થાય. પણ તેનો તો મેં ત્યાગ કર્યો છે. વિચાર કહે : જો તેં હુંપણું – અહંભાવ છોડ્યો ન હોય તો શું છોડ્યું કહેવાય?
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે આપોપું તે શું, તું કેહેને પેહેલું તે લહું હું,  
{{Block center|'''<poem>ચિત્ત કહે આપોપું તે શું, તું કેહેને પેહેલું તે લહું હું,  
વિચાર કહે આપોપું એહ જ, દેહને હું કહે આપોપું તેહ જ. ૩૬</poem>}}
વિચાર કહે આપોપું એહ જ, દેહને હું કહે આપોપું તેહ જ. ૩૬</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : પોતાપણું, અહંભાવ તે શું છે તે તું પહેલું કહે, જેથી હું તેને સમજી લઉં. વિચાર કહે : દેહને હું કહે એનું નામ જ આપોપું-હુંપણું, અહંભાવ.
ચિત્ત કહે છે : પોતાપણું, અહંભાવ તે શું છે તે તું પહેલું કહે, જેથી હું તેને સમજી લઉં. વિચાર કહે : દેહને હું કહે એનું નામ જ આપોપું-હુંપણું, અહંભાવ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે હું વિના હરિને કોણ લહે, પામ્યાનો આનંદ કોણ વહે,
{{Block center|'''<poem>ચિત્ત કહે હું વિના હરિને કોણ લહે, પામ્યાનો આનંદ કોણ વહે,
ત્યારે વલતો બોલ્યો વિચાર, પામણહારાનો કાઢ્યને પાર. ૩૭</poem>}}
ત્યારે વલતો બોલ્યો વિચાર, પામણહારાનો કાઢ્યને પાર. ૩૭</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : હું ન હોઉં તો હરિને કોણ પામે? તેને પામ્યાનો આનંદ પણ કોણ અનુભવે? ત્યારે જવાબમાં વિચાર બોલ્યો : પામનારનો અંત આણ.
ચિત્ત કહે છે : હું ન હોઉં તો હરિને કોણ પામે? તેને પામ્યાનો આનંદ પણ કોણ અનુભવે? ત્યારે જવાબમાં વિચાર બોલ્યો : પામનારનો અંત આણ.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>[૪ખ]ચિત્ત કહે પાર કાઢ્યે હું રહેતો નથી, તાલી ક્યમ પડે એકહથી,
{{Block center|'''<poem>[૪ખ]ચિત્ત કહે પાર કાઢ્યે હું રહેતો નથી, તાલી ક્યમ પડે એકહથી,
વિચાર કહે એકહથીએ પડે, જો વચ્ચે આપોપું નવ્ય અડે. ૩૮</poem>}}
વિચાર કહે એકહથીએ પડે, જો વચ્ચે આપોપું નવ્ય અડે. ૩૮</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : પામનારનો અંત આણવાથી હું રહેતો નથી. પછી એક હાથ વડે તાલી કેવી રીતે પડે? વિચાર કહે છે : એક હાથે પણ પડે, જો વચ્ચે અહંભાવ ન નડે તો.
ચિત્ત કહે છે : પામનારનો અંત આણવાથી હું રહેતો નથી. પછી એક હાથ વડે તાલી કેવી રીતે પડે? વિચાર કહે છે : એક હાથે પણ પડે, જો વચ્ચે અહંભાવ ન નડે તો.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે કેહી પેર્યે ન અડે અહંકાર, તેહેનો કાંઈ છે પ્રતીકાર,
{{Block center|'''<poem>ચિત્ત કહે કેહી પેર્યે ન અડે અહંકાર, તેહેનો કાંઈ છે પ્રતીકાર,
વિચાર કહે ઉપાય છે ભલો, પણ ત્યાંહાં અનુભવ રહે છે એકલો. ૩૯</poem>}}
વિચાર કહે ઉપાય છે ભલો, પણ ત્યાંહાં અનુભવ રહે છે એકલો. ૩૯</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : અહંકાર કઈ રીતે ન નડે? તેનો કંઈ પ્રતીકાર – ઉપાય છે? વિચાર કહે છે : એનો યોગ્ય – સારો ઉપાય છે, પણ ત્યાં એકલો અનુભવ રહે છે.
ચિત્ત કહે છે : અહંકાર કઈ રીતે ન નડે? તેનો કંઈ પ્રતીકાર – ઉપાય છે? વિચાર કહે છે : એનો યોગ્ય – સારો ઉપાય છે, પણ ત્યાં એકલો અનુભવ રહે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ત્રિપદ આદ્ય વિચાર્યા વેદ, કૈવલ્ય ઈશ્વર જીવનો ભેદ,  
{{Block center|'''<poem>ત્રિપદ આદ્ય વિચાર્યા વેદ, કૈવલ્ય ઈશ્વર જીવનો ભેદ,  
કૈવલ્ય તાં સદા ભરપૂર, તે કહ્યો ન જાએ નેડે દૂર્ય. ૪૦</poem>}}
કૈવલ્ય તાં સદા ભરપૂર, તે કહ્યો ન જાએ નેડે દૂર્ય. ૪૦</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કૈવલ્ય, ઈશ્વર અને જીવ એ ત્રણ પદનો વિચાર વેદે પહેલેથી કર્યો છે અને એમનો ભેદ સમજાવ્યો છે. એમાં કૈવલ્ય સદાયે બધે ભરેલો – સર્વવ્યાપી છે. એ નજીક છે કે દૂર છે એમ કહેવાય એમ નથી.
કૈવલ્ય, ઈશ્વર અને જીવ એ ત્રણ પદનો વિચાર વેદે પહેલેથી કર્યો છે અને એમનો ભેદ સમજાવ્યો છે. એમાં કૈવલ્ય સદાયે બધે ભરેલો – સર્વવ્યાપી છે. એ નજીક છે કે દૂર છે એમ કહેવાય એમ નથી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>અને ઈશ્વર માંહાં ઐશ્વજર્ય છે બહુ, સામૃથ્ય નામ ઈશ્વર કહે સહુ,  
{{Block center|'''<poem>અને ઈશ્વર માંહાં ઐશ્વજર્ય છે બહુ, સામૃથ્ય નામ ઈશ્વર કહે સહુ,  
તેહેનો મોહ્યો આશા કરે, દીન ભાખે કે મત્ત પરવરે. ૪૧</poem>}}
તેહેનો મોહ્યો આશા કરે, દીન ભાખે કે મત્ત પરવરે. ૪૧</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અને ઈશ્વરમાં ઐશ્વર્ય બહુ છે. સામર્થ્ય તે ઈશ્વર એમ સહુ કહે છે. તેનો મોહ્યો જીવ ઈશ્વરપદની આશા કરે છે. એ આશાથી એ ગરીબડાં વચન બોલે છે કે ઘેલો થઈને ફરે છે.
અને ઈશ્વરમાં ઐશ્વર્ય બહુ છે. સામર્થ્ય તે ઈશ્વર એમ સહુ કહે છે. તેનો મોહ્યો જીવ ઈશ્વરપદની આશા કરે છે. એ આશાથી એ ગરીબડાં વચન બોલે છે કે ઘેલો થઈને ફરે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>અસંભાવ્ય આચરે વિપ્રીત્ય, એ ચિત્ત જાણે જીવની રીત્ય,
{{Block center|'''<poem>અસંભાવ્ય આચરે વિપ્રીત્ય, એ ચિત્ત જાણે જીવની રીત્ય,
એક વસ્તુના કલપ્યા ત્રણ ભાગ, ઘાંઘ ટાલવા કાઢ્યો તાગ. ૪૨</poem>}}
એક વસ્તુના કલપ્યા ત્રણ ભાગ, ઘાંઘ ટાલવા કાઢ્યો તાગ. ૪૨</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત અસંભાવના અને વિપરીત ભાવના સેવવી એ જીવની રીત છે એમ તું જાણ. ખરેખર વસ્તુ એક છે એના ત્રણ ભાગ (કૈવલ્ય, ઈશ્વર અને જીવ) કલ્પ્યા છે. મૂંઝવણ દૂર કરવા એ રસ્તો કાઢ્યો છે.
ચિત્ત અસંભાવના અને વિપરીત ભાવના સેવવી એ જીવની રીત છે એમ તું જાણ. ખરેખર વસ્તુ એક છે એના ત્રણ ભાગ (કૈવલ્ય, ઈશ્વર અને જીવ) કલ્પ્યા છે. મૂંઝવણ દૂર કરવા એ રસ્તો કાઢ્યો છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે છે એકપણું તો ટલ્યું, જ્યારે કટકે કરીને કલ્યું,
{{Block center|'''<poem>ચિત્ત કહે છે એકપણું તો ટલ્યું, જ્યારે કટકે કરીને કલ્યું,
કૈવલ્યપણું તાં અદબદ ૨[પક]હ્યું, ત્યાંહાં તાં કાંઈ ન જાએ કહ્યું. ૪૩</poem>}}
કૈવલ્યપણું તાં અદબદ ૨[પક]હ્યું, ત્યાંહાં તાં કાંઈ ન જાએ કહ્યું. ૪૩</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : જ્યારે ત્રણ ભાગ કરીને સમજીએ ત્યારે એકપણું તો રહેતું નથી. કૈવલ્યપદ ત્યાં અદ્‌ભુત – અલૌકિક છે. એના વિશે તો કાંઈ કહી શકાય તેમ નથી.
ચિત્ત કહે છે : જ્યારે ત્રણ ભાગ કરીને સમજીએ ત્યારે એકપણું તો રહેતું નથી. કૈવલ્યપદ ત્યાં અદ્‌ભુત – અલૌકિક છે. એના વિશે તો કાંઈ કહી શકાય તેમ નથી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ઈશ્વર તાં બહુ સામૃથ્યવાન, જેહેનું કર્યું ન જાએ વ્યાખ્યાન,  
{{Block center|'''<poem>ઈશ્વર તાં બહુ સામૃથ્યવાન, જેહેનું કર્યું ન જાએ વ્યાખ્યાન,  
જીવ તો કર્માધીન છે સદા પરવશ પડ્યો ભોગવે આપદા. ૪૪</poem>}}
જીવ તો કર્માધીન છે સદા પરવશ પડ્યો ભોગવે આપદા. ૪૪</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એમાં ઈશ્વર તો બહુ સામર્થ્યવાળો છે, જેનું વર્ણન કરી શકાય તેમ નથી. જીવ તો હંમેશાં કર્મને અધીન છે. પરાવશ રહીને એ દુઃખ ભોગવે છે.
એમાં ઈશ્વર તો બહુ સામર્થ્યવાળો છે, જેનું વર્ણન કરી શકાય તેમ નથી. જીવ તો હંમેશાં કર્મને અધીન છે. પરાવશ રહીને એ દુઃખ ભોગવે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>તો એક બ્રહ્મ ક્યમ કહે છે તાત, ઘાટ્ય બેસે તો મલે એક વાત,  
{{Block center|'''<poem>તો એક બ્રહ્મ ક્યમ કહે છે તાત, ઘાટ્ય બેસે તો મલે એક વાત,  
વિચાર કહે છે વાંક તાહારો, માહારે ઘાટે બેઠો છે ખરો. ૪૫</poem>}}  
વિચાર કહે છે વાંક તાહારો, માહારે ઘાટે બેઠો છે ખરો. ૪૫</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
તો ભાઈ, બધું એક બ્રહ્મરૂપ છે એમ કેમ કહે છે? સમજણ પડે તો એક વાતનો મેળ બેસે (વાતનો નિવેડો આવે). વિચાર કહે છે : તેમાં તારો વાંક છે. મને તો સમજણ પડેલી જ છે.
તો ભાઈ, બધું એક બ્રહ્મરૂપ છે એમ કેમ કહે છે? સમજણ પડે તો એક વાતનો મેળ બેસે (વાતનો નિવેડો આવે). વિચાર કહે છે : તેમાં તારો વાંક છે. મને તો સમજણ પડેલી જ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પહેલે તાં તું જીવ વિચાર્ય, તેહેનું એકપણું નિરધાર્ય,
{{Block center|'''<poem>પહેલે તાં તું જીવ વિચાર્ય, તેહેનું એકપણું નિરધાર્ય,
લક્ષ ચોરાશી જીવની જાત્ય, નામ રૂપ ને અલગી ભાત્ય. ૪૬</poem>}}
લક્ષ ચોરાશી જીવની જાત્ય, નામ રૂપ ને અલગી ભાત્ય. ૪૬</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પહેલાં તો તું જીવ વિશે વિચાર કર અને તેનું એકપણું નક્કી કર. ચોરાસી લાખ જીવની જાત છે અને એમાં જુદાંજુદાં નામરૂપ ને પ્રકાર છે.
પહેલાં તો તું જીવ વિશે વિચાર કર અને તેનું એકપણું નક્કી કર. ચોરાસી લાખ જીવની જાત છે અને એમાં જુદાંજુદાં નામરૂપ ને પ્રકાર છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>એક એકથી બલીયા બલ્યે, કીટ પતંગ બ્રહ્મા આગલ્યે,
{{Block center|'''<poem>એક એકથી બલીયા બલ્યે, કીટ પતંગ બ્રહ્મા આગલ્યે,
એક એકથી નિર્બલ ખરા, બલીઆથી ન થવાએ ઊફરા. ૪૭</poem>}}
એક એકથી નિર્બલ ખરા, બલીઆથી ન થવાએ ઊફરા. ૪૭</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કીટ, પતંગિયું અને બ્રહ્મા બળમાં એકએકથી આગળ – ચડિયાતાં છે તે જ રીતે એકએકથી નિર્બળ પણ છે એમ કહેવાય. બળિયાથી પણ એનાથી ઉપરવટ થવાતું નથી (દરેકની શક્તિની મર્યાદા હોય છે).
કીટ, પતંગિયું અને બ્રહ્મા બળમાં એકએકથી આગળ – ચડિયાતાં છે તે જ રીતે એકએકથી નિર્બળ પણ છે એમ કહેવાય. બળિયાથી પણ એનાથી ઉપરવટ થવાતું નથી (દરેકની શક્તિની મર્યાદા હોય છે).
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>જે થકી જે બલીયો ઘણું, તેટલું તે માંહે ઈશ્વરપણું,
{{Block center|'''<poem>જે થકી જે બલીયો ઘણું, તેટલું તે માંહે ઈશ્વરપણું,
જે થકી જે બલે હીણ, તેટલું જીવપણું તે ખીણ. ૪૮</poem>}}
જે થકી જે બલે હીણ, તેટલું જીવપણું તે ખીણ. ૪૮</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જે બીજા કરતાં જેટલો વધારે બળવાન હોય તેટલું તેનામાં ઈશ્વરપણું છે એમ કહેવાય. જે બીજા કરતાં બળમાં જેટલો ઊતરતો છે તેટલું તેનામાં ક્ષીણ એવું જીવપણું છે એમ કહેવાય.
જે બીજા કરતાં જેટલો વધારે બળવાન હોય તેટલું તેનામાં ઈશ્વરપણું છે એમ કહેવાય. જે બીજા કરતાં બળમાં જેટલો ઊતરતો છે તેટલું તેનામાં ક્ષીણ એવું જીવપણું છે એમ કહેવાય.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પશુ માંહાં હીણાં ખીણાં ઘણાં, પંખી વિષે ભેદ આપાપણા,
{{Block center|'''<poem>પશુ માંહાં હીણાં ખીણાં ઘણાં, પંખી વિષે ભેદ આપાપણા,
દેવ નર નાગ માંહાં ભે[પખ]દાભેદ, નવાણ પરવત દ્રુમ વાણી વેદ. ૪૯</poem>}}
દેવ નર નાગ માંહાં ભે[પખ]દાભેદ, નવાણ પરવત દ્રુમ વાણી વેદ. ૪૯</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પશુઓમાં હીણક્ષીણ ઘણાં હોય છે. પંખીઓમાં એમના પોતપોતાના ભેદ હોય છે. દેવ, નર, નાગ, નવાણ, પર્વત, વૃક્ષ વગેરેમાં પણ વિવિધ પ્રકારના ભેદ છે. એ નિશ્ચિત વાત છે – જાણીતી વાત છે.
પશુઓમાં હીણક્ષીણ ઘણાં હોય છે. પંખીઓમાં એમના પોતપોતાના ભેદ હોય છે. દેવ, નર, નાગ, નવાણ, પર્વત, વૃક્ષ વગેરેમાં પણ વિવિધ પ્રકારના ભેદ છે. એ નિશ્ચિત વાત છે – જાણીતી વાત છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>સિદ્ધ ગુરુ તાં સરસાઈ ઘણી, તે ઈશ્વરતા જાણી ભણી,
{{Block center|'''<poem>સિદ્ધ ગુરુ તાં સરસાઈ ઘણી, તે ઈશ્વરતા જાણી ભણી,
તેહે જ વસ્તુ માંહાં જેથી જે હીણ, તે જીવપણું માને આધીન. ૫૦</poem>}}
તેહે જ વસ્તુ માંહાં જેથી જે હીણ, તે જીવપણું માને આધીન. ૫૦</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સિદ્ધ પુરુષ અને ગુરુમાં પણ એકબીજાથી સરસાઈ હોય છે, તેને પણ ઈશ્વરતાનો ભેદ ગણાય. કોઈ ૫ણ વસ્તુમાં એક વસ્તુ બીજાથી બળમાં હીન હોય તો એને એટલા પ્રમાણમાં ઊતરતું જીવપણું ગણવું.
સિદ્ધ પુરુષ અને ગુરુમાં પણ એકબીજાથી સરસાઈ હોય છે, તેને પણ ઈશ્વરતાનો ભેદ ગણાય. કોઈ ૫ણ વસ્તુમાં એક વસ્તુ બીજાથી બળમાં હીન હોય તો એને એટલા પ્રમાણમાં ઊતરતું જીવપણું ગણવું.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>એમ જીવ ઈશ્વર સલગ સદાઈ, એ માંહાંથી કાંઈ અલગ ન થાઈ,
{{Block center|'''<poem>એમ જીવ ઈશ્વર સલગ સદાઈ, એ માંહાંથી કાંઈ અલગ ન થાઈ,
જ્યમ અંધારે કીજે દીપ, તાંહાં તેહ જ ઈશ્વર પ્રગટ્યો સમીપ. ૫૧</poem>}}
જ્યમ અંધારે કીજે દીપ, તાંહાં તેહ જ ઈશ્વર પ્રગટ્યો સમીપ. ૫૧</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એવી રીતે જીવ અને ઈશ્વર હંમેશ સંલગ્ન – જોડાયેલા છે. એ બેમાંથી કાંઈ અલગ ન થઈ શકે. અંધારામાં દીવો કરીએ ત્યારે તે દીવો આપણી સમક્ષ ઈશ્વર રૂપે પ્રગટે છે.
એવી રીતે જીવ અને ઈશ્વર હંમેશ સંલગ્ન – જોડાયેલા છે. એ બેમાંથી કાંઈ અલગ ન થઈ શકે. અંધારામાં દીવો કરીએ ત્યારે તે દીવો આપણી સમક્ષ ઈશ્વર રૂપે પ્રગટે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>તે ઉપર્ય જ્યારે ઊગ્યો શશી, ત્યારે દીપ માંહાં જીવની હીણતા વસી,  
{{Block center|'''<poem>તે ઉપર્ય જ્યારે ઊગ્યો શશી, ત્યારે દીપ માંહાં જીવની હીણતા વસી,  
તે ઉપર્ય જ્યારે દિનકર તપ્યો, ત્યારે સુધાકર જીવ માંહાં ખપ્યો. ૫૨</poem>}}
તે ઉપર્ય જ્યારે દિનકર તપ્યો, ત્યારે સુધાકર જીવ માંહાં ખપ્યો. ૫૨</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તે દીવાની ઉપર જ્યારે ચંદ્ર ઊગે છે ત્યારે દીવામાં જીવની અલ્પતા વસે છે એટલે કે દીવો અલ્પ જીવ રૂપે ભાસે છે. ચંદ્રની ઉપર જ્યારે સૂર્ય તપ્યો ત્યારે ચંદ્ર જીવમાં ગણાઈ ગયો.
તે દીવાની ઉપર જ્યારે ચંદ્ર ઊગે છે ત્યારે દીવામાં જીવની અલ્પતા વસે છે એટલે કે દીવો અલ્પ જીવ રૂપે ભાસે છે. ચંદ્રની ઉપર જ્યારે સૂર્ય તપ્યો ત્યારે ચંદ્ર જીવમાં ગણાઈ ગયો.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>જ્યારે મહાઅગ્નિ માંહાં અરકે અલપાઇ, ત્યારે તેહે ઈશ્વરતા ફીટી જાઇ,
{{Block center|'''<poem>જ્યારે મહાઅગ્નિ માંહાં અરકે અલપાઇ, ત્યારે તેહે ઈશ્વરતા ફીટી જાઇ,
ઉપતેજ આગલ્ય ઈશ્વર તો દીપ, ત્યાંહાં ઊગ્યો શશી સમીપ. ૫૩</poem>}}  
ઉપતેજ આગલ્ય ઈશ્વર તો દીપ, ત્યાંહાં ઊગ્યો શશી સમીપ. ૫૩</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
જ્યારે મહાઅગ્નિ – વિશ્વાગ્નિમાં સૂર્ય લુપ્ત થાય – સમાય છે ત્યારે તેની ઈશ્વરતાનો નાશ થાય છે. આ રીતે અંધારાની પાસે દીવો ઈશ્વર સમાન છે. ત્યાં તેની પાસે ચંદ્ર ઊગે છે
જ્યારે મહાઅગ્નિ – વિશ્વાગ્નિમાં સૂર્ય લુપ્ત થાય – સમાય છે ત્યારે તેની ઈશ્વરતાનો નાશ થાય છે. આ રીતે અંધારાની પાસે દીવો ઈશ્વર સમાન છે. ત્યાં તેની પાસે ચંદ્ર ઊગે છે
{{Poem2Close}}.  
{{Poem2Close}}.  
{{Block center|<poem>ત્યાંહાં ઈશ્વર થૈને શોભ્યો ચંદ્ર, જીવપણું પામ્યો દીપેન્દ્ર,
{{Block center|'''<poem>ત્યાંહાં ઈશ્વર થૈને શોભ્યો ચંદ્ર, જીવપણું પામ્યો દીપેન્દ્ર,
જ્યારે ઈશ્વર થઈ અરક જ તપ્યો, ત્યારે સુધાકર જીવમાંહાં ખપ્યો. ૫૪</poem>}}
જ્યારે ઈશ્વર થઈ અરક જ તપ્યો, ત્યારે સુધાકર જીવમાંહાં ખપ્યો. ૫૪</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ત્યાં ઈશ્વર થઈને ચંદ્ર શોભે છે ને દીવો જીવપણું પામે છે. જ્યારે ઈશ્વર થઈને સૂર્ય જ તપે છે ત્યારે ચંદ્ર જીવમાં ખપે છે.
ત્યાં ઈશ્વર થઈને ચંદ્ર શોભે છે ને દીવો જીવપણું પામે છે. જ્યારે ઈશ્વર થઈને સૂર્ય જ તપે છે ત્યારે ચંદ્ર જીવમાં ખપે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>તેહે જ રવિ જ્યારે રાહે ગલ્યો ત્યારે જીવ થયો ને ઈશ્વર ટલ્યો,
{{Block center|'''<poem>તેહે જ રવિ જ્યારે રાહે ગલ્યો ત્યારે જીવ થયો ને ઈશ્વર ટલ્યો,
તે માટે જીવપણું ને ઈશ્વરપણું, સમઝી લેતાં વારુ ઘણું. ૫૫</poem>}}
તે માટે જીવપણું ને ઈશ્વરપણું, સમઝી લેતાં વારુ ઘણું. ૫૫</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રાહુ જ્યારે એ રવિને ગળી જાય છે ત્યારે તે ઈશ્વર મટીને જીવસ્વરૂપ પામે છે. તે માટે ઈશ્વરપણું અને જીવપણું એ બંને વચ્ચેના સંબંધને સમજી લઈએ તો ઘણું સારું થાય.
રાહુ જ્યારે એ રવિને ગળી જાય છે ત્યારે તે ઈશ્વર મટીને જીવસ્વરૂપ પામે છે. તે માટે ઈશ્વરપણું અને જીવપણું એ બંને વચ્ચેના સંબંધને સમજી લઈએ તો ઘણું સારું થાય.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>વિચાર કહે ચિત્ત સાંભલોજી તાત, જીવ ઈશ્વર સમઝેવી વાત
{{Block center|'''<poem>વિચાર કહે ચિત્ત સાંભલોજી તાત, જીવ ઈશ્વર સમઝેવી વાત
સ્થલ કેરાં છે બેહુએ નામ, પરમ ચૈતન્ય બેહુનું ધામ. ૫૬</poem>}}
સ્થલ કેરાં છે બેહુએ નામ, પરમ ચૈતન્ય બેહુનું ધામ. ૫૬</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વિચાર કહે છે : ચિત્ત પિતા, સાંભળો. જીવ અને ઈશ્વરના સંબંધની વાત સમજવા જેવી છે. કોઈ પણ સ્થાનમાં તે બંને રહેલા છે. પરમચૈતન્ય બંનેનું આશ્રયસ્થાન છે (એટલે કે બંને પરમચૈતન્યના અંશરૂપ છે).
વિચાર કહે છે : ચિત્ત પિતા, સાંભળો. જીવ અને ઈશ્વરના સંબંધની વાત સમજવા જેવી છે. કોઈ પણ સ્થાનમાં તે બંને રહેલા છે. પરમચૈતન્ય બંનેનું આશ્રયસ્થાન છે (એટલે કે બંને પરમચૈતન્યના અંશરૂપ છે).
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>એમ સમઝ્યે ન ઊપજે અહંકાર, વણસમઝ્યે માયા-અંધકાર,
{{Block center|'''<poem>એમ સમઝ્યે ન ઊપજે અહંકાર, વણસમઝ્યે માયા-અંધકાર,
ચિત્ત કહે છે સુણ્ય રે વિચાર, અનંત શાસ્ત્ર ને બહુ નિરધાર. ૫૭</poem>}}
ચિત્ત કહે છે સુણ્ય રે વિચાર, અનંત શાસ્ત્ર ને બહુ નિરધાર. ૫૭</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એમ સમજવાથી અહંકાર ઊપજશે નહીં અને એ ન સમજવાથી માયાનો અંધકાર પ્રવર્તશે. ચિત્ત કહે છે : વિચાર સાંભળ. અનેક શાસ્ત્રો છે અને તેના જુદા જુદા નિશ્ચયો(=મતો) છે.
એમ સમજવાથી અહંકાર ઊપજશે નહીં અને એ ન સમજવાથી માયાનો અંધકાર પ્રવર્તશે. ચિત્ત કહે છે : વિચાર સાંભળ. અનેક શાસ્ત્રો છે અને તેના જુદા જુદા નિશ્ચયો(=મતો) છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>તેહેનો વાદ કરું જ્યારે હું, ત્યારે તેહેવો જ થૈને પોષે તું,  
{{Block center|'''<poem>તેહેનો વાદ કરું જ્યારે હું, ત્યારે તેહેવો જ થૈને પોષે તું,  
જ્યારે હું નૈયાયક વદું, ત્યારે તાહારું તેહેવું જ રદું. ૫૮</poem>}}
જ્યારે હું નૈયાયક વદું, ત્યારે તાહારું તેહેવું જ રદું. ૫૮</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જ્યારે હું જે શાસ્ત્રની ચર્ચા કરું ત્યારે તું તેવો થઈને એટલે કે પ્રસંગ અનુરૂપ થઈને એ વાતને પુષ્ટ કરે છે. જ્યારે હું નૈયાયિક મત ઉચ્ચારું છું ત્યારે તારું હૃદય (વલણ) પણ તેવું જ હોય છે.
જ્યારે હું જે શાસ્ત્રની ચર્ચા કરું ત્યારે તું તેવો થઈને એટલે કે પ્રસંગ અનુરૂપ થઈને એ વાતને પુષ્ટ કરે છે. જ્યારે હું નૈયાયિક મત ઉચ્ચારું છું ત્યારે તારું હૃદય (વલણ) પણ તેવું જ હોય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>જ્યારે મેં વૈશેષિક કહ્યું, ત્યારે ત્યેં તેહેવું ન્યરવહ્યું.  
{{Block center|'''<poem>જ્યારે મેં વૈશેષિક કહ્યું, ત્યારે ત્યેં તેહેવું ન્યરવહ્યું.  
જ્યારે સાંખ્યનો કીધો વિવેક, તેં તે રીત્યે પૂરો પાડ્યો છેક. ૫૯</poem>}}
જ્યારે સાંખ્યનો કીધો વિવેક, તેં તે રીત્યે પૂરો પાડ્યો છેક. ૫૯</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જ્યારે મેં વૈશેષિકદર્શનની વાત કરી ત્યારે તેં તેવો જ મત ચલાવ્યો. જ્યારે મેં સાંખ્યદર્શનનું વિવરણ કર્યું ત્યારે તે માર્ગે તું મને છેક સુધી લઈ ગયો.
જ્યારે મેં વૈશેષિકદર્શનની વાત કરી ત્યારે તેં તેવો જ મત ચલાવ્યો. જ્યારે મેં સાંખ્યદર્શનનું વિવરણ કર્યું ત્યારે તે માર્ગે તું મને છેક સુધી લઈ ગયો.
પાઠચર્ચા : ચોથા ચરણમાં ક ગ સિવાયની બધી જ હપ્ર ‘રીત્યે’ પાઠ આપતી નથી પરંતુ તે પાછળથી ઉમેરાયો હોય તેવી શક્યતા પણ ઓછી છે. આગળ ‘તેહેવું’ આવ્યું હતું તેવી રીતે અહીં ‘રીત્યે’ પાઠ હોઈ શકે.
'''પાઠચર્ચા''' : ચોથા ચરણમાં ક ગ સિવાયની બધી જ હપ્ર ‘રીત્યે’ પાઠ આપતી નથી પરંતુ તે પાછળથી ઉમેરાયો હોય તેવી શક્યતા પણ ઓછી છે. આગળ ‘તેહેવું’ આવ્યું હતું તેવી રીતે અહીં ‘રીત્યે’ પાઠ હોઈ શકે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>મીમાંસાનો કીધો વિચાર, ત્યારે તેહેવો જ પડ્યો નિરધાર,
{{Block center|'''<poem>મીમાંસાનો કીધો વિચાર, ત્યારે તેહેવો જ પડ્યો નિરધાર,
પાતાંજલીની જોઈ પેર્ય, ત્યારે તું તેહેવો થયો ધેર્ય. ૬૦</poem>}}
પાતાંજલીની જોઈ પેર્ય, ત્યારે તું તેહેવો થયો ધેર્ય. ૬૦</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જ્યારે મીમાંસાદર્શનનો વિચાર કર્યો ત્યારે તારો તે મુજબનો નિશ્ચય થયો. જ્યારે હું પાતંજલદર્શનને માર્ગે ગયો ત્યારે તું પણ મૂળમાંથી (સંપૂર્ણ૫ણે) તેવો થયો.
જ્યારે મીમાંસાદર્શનનો વિચાર કર્યો ત્યારે તારો તે મુજબનો નિશ્ચય થયો. જ્યારે હું પાતંજલદર્શનને માર્ગે ગયો ત્યારે તું પણ મૂળમાંથી (સંપૂર્ણ૫ણે) તેવો થયો.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>વેદાંતનો મેં [૬ખ] લીધો પક્ષ, ત્યારે તાહારો તેહેવો જ લક્ષ,  
{{Block center|'''<poem>વેદાંતનો મેં [૬ખ] લીધો પક્ષ, ત્યારે તાહારો તેહેવો જ લક્ષ,  
પુરાણ અઢાર અને ઇતિહાસ્ય, ગીતા ભાગવત આગમ ઉપાસ્ય. ૬૧</poem>}}
પુરાણ અઢાર અને ઇતિહાસ્ય, ગીતા ભાગવત આગમ ઉપાસ્ય. ૬૧</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જ્યારે મેં વેદાંતનો પક્ષ લીધો ત્યારે તારું પણ તેવું જ લક્ષ થયું. અઢાર પુરાણ અને ઇતિહાસ, ગીતા, ભાગવત, આગમની ઉપાસના –
જ્યારે મેં વેદાંતનો પક્ષ લીધો ત્યારે તારું પણ તેવું જ લક્ષ થયું. અઢાર પુરાણ અને ઇતિહાસ, ગીતા, ભાગવત, આગમની ઉપાસના –
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ધનુર્વેદ ને ગાંધર્વવેદ, વૈદ વિદ્યા જ્યોતિષનો ભેદ,
{{Block center|'''<poem>ધનુર્વેદ ને ગાંધર્વવેદ, વૈદ વિદ્યા જ્યોતિષનો ભેદ,
એથી બીજાં શાસ્ત્ર અનેક, જોતાં ગણતાં નાવે છેક. ૬૨</poem>}}
એથી બીજાં શાસ્ત્ર અનેક, જોતાં ગણતાં નાવે છેક. ૬૨</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ધનુર્વેદ અને ગાંધર્વવેદ, તથા વૈદ વિદ્યા ને જ્યોતિષનું જ્ઞાન એ સિવાય બીજાં પણ અનેક શાસ્ત્ર છે જેનો વિચાર કરતાં છેડો આવે તેમ નથી.
ધનુર્વેદ અને ગાંધર્વવેદ, તથા વૈદ વિદ્યા ને જ્યોતિષનું જ્ઞાન એ સિવાય બીજાં પણ અનેક શાસ્ત્ર છે જેનો વિચાર કરતાં છેડો આવે તેમ નથી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>સઘલાંનો પ્રવર્તક તું, તું પરઠે તે માનું હું,
{{Block center|'''<poem>સઘલાંનો પ્રવર્તક તું, તું પરઠે તે માનું હું,
વિચાર કહે સાંભલ્ય ચિત્તરાઈ, મોરું એ લક્ષણ છે પ્રાઇ. ૬૩</poem>}}
વિચાર કહે સાંભલ્ય ચિત્તરાઈ, મોરું એ લક્ષણ છે પ્રાઇ. ૬૩</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તે સઘળાંનો પ્રવર્તક તું છે. તું જે નક્કી કરે છે તે હું માનું છું. વિચાર કહે છે : ચિત્તરાય, સાંભળ, એ મારું લક્ષણ જ છે.
તે સઘળાંનો પ્રવર્તક તું છે. તું જે નક્કી કરે છે તે હું માનું છું. વિચાર કહે છે : ચિત્તરાય, સાંભળ, એ મારું લક્ષણ જ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>જ્યારે જે ઉપર્ય તું થયો, તાહારી દ્રષ્ટ્ય ઉપર્ય હું ગયો,
{{Block center|'''<poem>જ્યારે જે ઉપર્ય તું થયો, તાહારી દ્રષ્ટ્ય ઉપર્ય હું ગયો,
નામ મોટું નૈયાયક ઘણું, પણ કીધું તાં નેટ્ય તુજ તણું. ૬૪</poem>}}
નામ મોટું નૈયાયક ઘણું, પણ કીધું તાં નેટ્ય તુજ તણું. ૬૪</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જ્યારે તારું જેવું વલણ થાય છે, ત્યારે તારી તે દૃષ્ટિને હું પણ અનુસરું છું. નૈયાયિકદર્શનનું નામ ઘણું મોટું છે. ત્યાં તે દર્શનને તેં નિશ્ચિતપણે આત્મસાત્‌ કર્યું છે.
જ્યારે તારું જેવું વલણ થાય છે, ત્યારે તારી તે દૃષ્ટિને હું પણ અનુસરું છું. નૈયાયિકદર્શનનું નામ ઘણું મોટું છે. ત્યાં તે દર્શનને તેં નિશ્ચિતપણે આત્મસાત્‌ કર્યું છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ત્યેં પરઠ્યાં જે તત્ત્વ જ ચ્યાર, તે ઉપર્ય સઘલો વિસ્તાર,
{{Block center|'''<poem>ત્યેં પરઠ્યાં જે તત્ત્વ જ ચ્યાર, તે ઉપર્ય સઘલો વિસ્તાર,
જક્તરૂપ થૈ એ પરવરે, નહીં તો આપસંકોચન કરે. ૬૫</poem>}}
જક્તરૂપ થૈ એ પરવરે, નહીં તો આપસંકોચન કરે. ૬૫</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તેં જે ચાર તત્ત્વો નક્કી કર્યાં તેના કારણે આ સઘળો વિસ્તાર છે. એ ચાર તત્ત્વો જગત રૂપે પરિણમે છે, નહીં તો એ પોતાના મૂળ રૂપમાં સંકોચ પામીને રહે છે.
તેં જે ચાર તત્ત્વો નક્કી કર્યાં તેના કારણે આ સઘળો વિસ્તાર છે. એ ચાર તત્ત્વો જગત રૂપે પરિણમે છે, નહીં તો એ પોતાના મૂળ રૂપમાં સંકોચ પામીને રહે છે.
પાઠચર્ચા : ૨. આ ચરણમાં ‘તે ઉપર્ય’ એ પાઠને વધારે હપ્રનો ટેકો છે. ‘તેહ તણો’ અને ‘તે વડે’ એ પાઠાંતરો (ઘ ચ ટ અને ઝ હપ્રના) અર્થને વધારે સ્પષ્ટ કરે છે પણ એ મૂળ પ્રયોગોનું સરલીકરણ થયું હોય એમ લાગે છે.
'''પાઠચર્ચા''' : ૨. આ ચરણમાં ‘તે ઉપર્ય’ એ પાઠને વધારે હપ્રનો ટેકો છે. ‘તેહ તણો’ અને ‘તે વડે’ એ પાઠાંતરો (ઘ ચ ટ અને ઝ હપ્રના) અર્થને વધારે સ્પષ્ટ કરે છે પણ એ મૂળ પ્રયોગોનું સરલીકરણ થયું હોય એમ લાગે છે.
સમજૂતી : નૈયાયિકો પરમાણુવાદમાં માને છે. એમની દૃષ્ટિએ પૃથ્વી, જલ, તેજ અને વાયુ એ ચાર ભૌતિકતત્ત્વો પરમાણુઓ રૂપે અસ્તિત્વ ધરાવે છે અને સૃષ્ટિ એમનાં પરમાણુઓનું સંયોજન છે. સૃષ્ટિના પદાર્થો નાશ પામતાં એ પરમાણુઓ તો રહે છે. પદાર્થો અનિત્ય છે, પરમાણુઓ નિત્ય છે.
'''સમજૂતી''' : નૈયાયિકો પરમાણુવાદમાં માને છે. એમની દૃષ્ટિએ પૃથ્વી, જલ, તેજ અને વાયુ એ ચાર ભૌતિકતત્ત્વો પરમાણુઓ રૂપે અસ્તિત્વ ધરાવે છે અને સૃષ્ટિ એમનાં પરમાણુઓનું સંયોજન છે. સૃષ્ટિના પદાર્થો નાશ પામતાં એ પરમાણુઓ તો રહે છે. પદાર્થો અનિત્ય છે, પરમાણુઓ નિત્ય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>અણુ તણે થાએ ભાગ ત્રીસમે, અરૂપ સરખા થૈને વિશમે,
{{Block center|'''<poem>અણુ તણે થાએ ભાગ ત્રીસમે, અરૂપ સરખા થૈને વિશમે,
વલી પાછું થાએ મંડાણ, ત્યારે પ્રેરક માત્ર તે ઈશ્વર જાણ. ૬૬</poem>}}
વલી પાછું થાએ મંડાણ, ત્યારે પ્રેરક માત્ર તે ઈશ્વર જાણ. ૬૬</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અણુનો ત્રીસમો ભાગ થાય અને એ અરૂપ જેવા થઈને વીરમી જાય. વળી, પાછું સૃષ્ટિનું મંડાણ થાય ત્યારે એ મંડાણનો જે પ્રેરક છે તે ઈશ્વર છે એમ જાણ.
અણુનો ત્રીસમો ભાગ થાય અને એ અરૂપ જેવા થઈને વીરમી જાય. વળી, પાછું સૃષ્ટિનું મંડાણ થાય ત્યારે એ મંડાણનો જે પ્રેરક છે તે ઈશ્વર છે એમ જાણ.
સમજૂતી : જે અણુઓના સંયોજનથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ એ અણુઓના વિભાજનથી સૃષ્ટિ નાશ પામે છે એવું પહેલાં બે ચરણનું તાત્પર્ય સ્પષ્ટ છે. પણ એમાંની વિગત ચર્ચાસ્પદ છે. પરમાણુઓના સંયોજનથી બે પરમાણુ એકઠાં થાય તેને દ્વ્યણુક કહેવામાં આવે છે. ત્રણ દ્વ્યણુક ભેગા થાય તેને ત્ર્યણુક કહેવામાં આવે છે. આ રીતે અણુસંયોજનની પ્રક્રિયા ચાલે છે. ત્ર્યણુક એ ત્રસરેણુ પણ કહેવાય છે, જેનો છઠ્ઠો ભાગ પરમાણુ બને. આ માટે ઉક્તિ છે કે –
'''સમજૂતી''' : જે અણુઓના સંયોજનથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ એ અણુઓના વિભાજનથી સૃષ્ટિ નાશ પામે છે એવું પહેલાં બે ચરણનું તાત્પર્ય સ્પષ્ટ છે. પણ એમાંની વિગત ચર્ચાસ્પદ છે. પરમાણુઓના સંયોજનથી બે પરમાણુ એકઠાં થાય તેને દ્વ્યણુક કહેવામાં આવે છે. ત્રણ દ્વ્યણુક ભેગા થાય તેને ત્ર્યણુક કહેવામાં આવે છે. આ રીતે અણુસંયોજનની પ્રક્રિયા ચાલે છે. ત્ર્યણુક એ ત્રસરેણુ પણ કહેવાય છે, જેનો છઠ્ઠો ભાગ પરમાણુ બને. આ માટે ઉક્તિ છે કે –
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>જલસૂર્યમરીચિસ્યં યત્‌ સૂક્ષ્મં દૃશ્યતે રજઃ
{{Block center|'''<poem>જલસૂર્યમરીચિસ્યં યત્‌ સૂક્ષ્મં દૃશ્યતે રજઃ
તસ્ય ષષ્ઠતમો ભાગઃ પરમાણુઃ સ ઉચ્યતે.</poem>}}
તસ્ય ષષ્ઠતમો ભાગઃ પરમાણુઃ સ ઉચ્યતે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સૂર્યકિરણમાં જે રજ દેખાય છે તે ત્રસરેણુ. એ આ રીતે ઇન્દ્રિયગોચર છે પણ નરી આંખે એમને એમ તો એ પણ જોઈ શકાતી નથી. ત્રસરેણુનું કોઈ વિભાજન ઇન્દ્રિયગોચર નથી. એનો છઠ્ઠો ભાગ પરમાણુ બને. એ છેવટની સ્થિતિ.
સૂર્યકિરણમાં જે રજ દેખાય છે તે ત્રસરેણુ. એ આ રીતે ઇન્દ્રિયગોચર છે પણ નરી આંખે એમને એમ તો એ પણ જોઈ શકાતી નથી. ત્રસરેણુનું કોઈ વિભાજન ઇન્દ્રિયગોચર નથી. એનો છઠ્ઠો ભાગ પરમાણુ બને. એ છેવટની સ્થિતિ.
Line 372: Line 372:
પરંતુ ઉપરના શ્લોકનો એક બીજો પાઠ પણ મળે છે :
પરંતુ ઉપરના શ્લોકનો એક બીજો પાઠ પણ મળે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>જલાન્તર્ગતે રશ્મૌ યત્સૂક્ષ્મં દૃશ્યતે રજઃ  
{{Block center|'''<poem>જલાન્તર્ગતે રશ્મૌ યત્સૂક્ષ્મં દૃશ્યતે રજઃ  
તસ્ય ત્રિ(ત્રિં?)શતતમો ભાગઃ પરમાણુઃ સ ઉચ્યતે.
તસ્ય ત્રિ(ત્રિં?)શતતમો ભાગઃ પરમાણુઃ સ ઉચ્યતે.
{{gap}}[મારવેલ્સ ઑવ્‌ વેદિક એસ્ટ્રોનોમી,
{{gap}}[મારવેલ્સ ઑવ્‌ વેદિક એસ્ટ્રોનોમી,
{{gap}}અકલંક ભોયાવાલા, પ્ર. ૧૬ પૃ. ૧૧]</poem>}}
{{gap}}અકલંક ભોયાવાલા, પ્ર. ૧૬ પૃ. ૧૧]</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અખાજીની પાસે આ પાઠ હોય એવી શક્યતા છે. એ પાઠ મુજબ રજ-અણુનો ત્રીસમો ભાગ તે પરમાણુ. જોકે આ પાઠને ન્યાયદર્શનની મુખ્ય પરંપરાનો કેટલો ટેકો છે તે પ્રશ્ન છે.
અખાજીની પાસે આ પાઠ હોય એવી શક્યતા છે. એ પાઠ મુજબ રજ-અણુનો ત્રીસમો ભાગ તે પરમાણુ. જોકે આ પાઠને ન્યાયદર્શનની મુખ્ય પરંપરાનો કેટલો ટેકો છે તે પ્રશ્ન છે.
ન્યાયશાસ્ત્રની દૃષ્ટિએ સૃષ્ટિની ઉત્પત્તિમાં પરમાણુ એ સમવાયી કારણ છે અને ઈશ્વર એ નિમિત્ત કારણ છે એટલે પરમાણુઓમાંથી સૃષ્ટિને ઉત્પન્ન કરનાર ઈશ્વર છે.
ન્યાયશાસ્ત્રની દૃષ્ટિએ સૃષ્ટિની ઉત્પત્તિમાં પરમાણુ એ સમવાયી કારણ છે અને ઈશ્વર એ નિમિત્ત કારણ છે એટલે પરમાણુઓમાંથી સૃષ્ટિને ઉત્પન્ન કરનાર ઈશ્વર છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પણ સ્થૂલ સૂક્ષમ કારણ એહનું, તત્ત્વ જ કારણ[૭ખ] ગણે દેહનું,
{{Block center|'''<poem>પણ સ્થૂલ સૂક્ષમ કારણ એહનું, તત્ત્વ જ કારણ[૭ખ] ગણે દેહનું,
ત્યારે વૈશેષિક કહે એમ તે નથી, બહુ સામર્થ્ય ઈશ્વર મોરથી. ૬૭</poem>}}
ત્યારે વૈશેષિક કહે એમ તે નથી, બહુ સામર્થ્ય ઈશ્વર મોરથી. ૬૭</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
(ઈશ્વર સૃષ્ટિનો માત્ર પ્રેરક છે) પણ સૃષ્ટિની ઉત્પત્તિનું ખરું કારણ તો સ્થૂળ અને સૂક્ષ્મ તત્ત્વો જ છે. આમ નૈયાયિકો સૃષ્ટિદેહના નિર્માણમાં તત્ત્વોને જ કારણભૂત ગણે છે. ત્યારે વૈશેષિકો એમ કહે છે કે વસ્તુસ્થિતિ એવી નથી, તત્ત્વોમાં જે ઘણું સામર્થ્ય દેખાય છે તે ઈશ્વરને કારણે છે.
(ઈશ્વર સૃષ્ટિનો માત્ર પ્રેરક છે) પણ સૃષ્ટિની ઉત્પત્તિનું ખરું કારણ તો સ્થૂળ અને સૂક્ષ્મ તત્ત્વો જ છે. આમ નૈયાયિકો સૃષ્ટિદેહના નિર્માણમાં તત્ત્વોને જ કારણભૂત ગણે છે. ત્યારે વૈશેષિકો એમ કહે છે કે વસ્તુસ્થિતિ એવી નથી, તત્ત્વોમાં જે ઘણું સામર્થ્ય દેખાય છે તે ઈશ્વરને કારણે છે.
સમજૂતી : પૃથ્વી, જલ, તેજ અને વાયુ એ ચાર સ્થૂળ તત્ત્વો તરીકે તેમજ આકાશ, આત્મા, મન, દિક્‌ ને કાલ એ સૂક્ષ્મ તત્ત્વો તરીકે અભિપ્રેત હોય એમ જણાય છે.
'''સમજૂતી''' : પૃથ્વી, જલ, તેજ અને વાયુ એ ચાર સ્થૂળ તત્ત્વો તરીકે તેમજ આકાશ, આત્મા, મન, દિક્‌ ને કાલ એ સૂક્ષ્મ તત્ત્વો તરીકે અભિપ્રેત હોય એમ જણાય છે.
‘મોરથી’ શબ્દ અત્યારે કાઠિયાવાડી બોલીમાં ‘આગળથી’, ‘પહેલાંથી’ એ અર્થમાં વપરાય છે એટલે કે ક્રમવાચક છે પરંતુ અખાભગત એને ‘તરફથી’, ‘દ્વારા”, ‘ને કારણે’ – એવા અર્થમાં વાપરે છે તે સ્પષ્ટ છે. જુઓ આ ઉપરાંત કડીઓ ૧૦૬, ૧૦૯, ૧૭૬.
‘મોરથી’ શબ્દ અત્યારે કાઠિયાવાડી બોલીમાં ‘આગળથી’, ‘પહેલાંથી’ એ અર્થમાં વપરાય છે એટલે કે ક્રમવાચક છે પરંતુ અખાભગત એને ‘તરફથી’, ‘દ્વારા”, ‘ને કારણે’ – એવા અર્થમાં વાપરે છે તે સ્પષ્ટ છે. જુઓ આ ઉપરાંત કડીઓ ૧૦૬, ૧૦૯, ૧૭૬.
‘અખાના છપ્પા’માં ક્રમાંક ૫૨૯ ‘ભાસે તે ભ્રમની મોરથી’ એવો પ્રયોગ છે ત્યાં ઉમાશંકર જોશી ‘આગળથી’, ‘તરફથી’ એવા અર્થ આપે છે પરંતુ ‘ને કારણે’ અર્થ વધારે સ્પષ્ટ રીતે બેસે છે, ભૂપેન્દ્ર ત્રિવેદી એ અર્થ જ લે છે.
‘અખાના છપ્પા’માં ક્રમાંક ૫૨૯ ‘ભાસે તે ભ્રમની મોરથી’ એવો પ્રયોગ છે ત્યાં ઉમાશંકર જોશી ‘આગળથી’, ‘તરફથી’ એવા અર્થ આપે છે પરંતુ ‘ને કારણે’ અર્થ વધારે સ્પષ્ટ રીતે બેસે છે, ભૂપેન્દ્ર ત્રિવેદી એ અર્થ જ લે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>તત્ત્વ સામર્થ્ય છે ઈશ્વર તણું, પણ ભાર ન મૂકેશ તત્ત્વ શિર્ય ઘણું,
{{Block center|'''<poem>તત્ત્વ સામર્થ્ય છે ઈશ્વર તણું, પણ ભાર ન મૂકેશ તત્ત્વ શિર્ય ઘણું,
અનાદિ તે પાંચે ખરાં, પણ તત્ત્વ તે ઈશ્વર થૈ પરવર્યા. ૬૮</poem>}}
અનાદિ તે પાંચે ખરાં, પણ તત્ત્વ તે ઈશ્વર થૈ પરવર્યા. ૬૮</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તત્ત્વ તે ઈશ્વરનું સામર્થ્ય છે પણ તત્ત્વના શિર પર વધુ ભાર ન મૂકીશ. તે પાંચે અનાદિ છે પરંતુ તત્ત્વ તે ઈશ્વર થઈને પરિણમે છે.
તત્ત્વ તે ઈશ્વરનું સામર્થ્ય છે પણ તત્ત્વના શિર પર વધુ ભાર ન મૂકીશ. તે પાંચે અનાદિ છે પરંતુ તત્ત્વ તે ઈશ્વર થઈને પરિણમે છે.
સમજૂતી : પાંચ તત્ત્વ તે પંચમહાભૂત અભિપ્રેત જણાય છે. આગળની અને આ કડીમાં ન્યાય અને વૈશેષિકના ઈશ્વરવાદનો ફરક બતાવ્યો છે. ન્યાયદર્શન અનુસાર ઈશ્વર સૃષ્ટિની ઉત્પત્તિમાં નિમિત્તકારણ છે અને તત્ત્વો એ ઉપાદાનકારણ છે એથી એ જાણે કે તત્ત્વોના સામર્થ્યમાં માને છે. વૈશેષિકદર્શનમાં સૃષ્ટિનું નિર્માણ કરવાની ઈશ્વરની ઇચ્છાથી પરમાણુઓમાં પરિસ્પંદ જાગે છે અને સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, તત્ત્વોનું અનાદિપણું અને સૃષ્ટિસર્જનમાં એમનું પ્રવર્તન – તેને એ જાણે ઈશ્વર રૂપે ભાસે છે, પરંતુ તત્ત્વોની આ કાર્યશક્તિ ઈશ્વરને કારણે છે; તત્ત્વોનું પોતાનું ઝાઝું સામર્થ્ય નથી.
'''સમજૂતી''' : પાંચ તત્ત્વ તે પંચમહાભૂત અભિપ્રેત જણાય છે. આગળની અને આ કડીમાં ન્યાય અને વૈશેષિકના ઈશ્વરવાદનો ફરક બતાવ્યો છે. ન્યાયદર્શન અનુસાર ઈશ્વર સૃષ્ટિની ઉત્પત્તિમાં નિમિત્તકારણ છે અને તત્ત્વો એ ઉપાદાનકારણ છે એથી એ જાણે કે તત્ત્વોના સામર્થ્યમાં માને છે. વૈશેષિકદર્શનમાં સૃષ્ટિનું નિર્માણ કરવાની ઈશ્વરની ઇચ્છાથી પરમાણુઓમાં પરિસ્પંદ જાગે છે અને સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, તત્ત્વોનું અનાદિપણું અને સૃષ્ટિસર્જનમાં એમનું પ્રવર્તન – તેને એ જાણે ઈશ્વર રૂપે ભાસે છે, પરંતુ તત્ત્વોની આ કાર્યશક્તિ ઈશ્વરને કારણે છે; તત્ત્વોનું પોતાનું ઝાઝું સામર્થ્ય નથી.
ટ હપ્ર ‘ઈશ્વર થૈ’ને બદલે ‘ઈશ્વરથી’ એમ પાઠ આપે છે તે અર્થદૃષ્ટિએ સરળ છે, પરંતુ મેં જોયેલી કોઈ હપ્રમાં એ મળ્યો નથી. તેથી ઉપર મુજબ તાત્પર્ય સમજવાનું રહે છે.
ટ હપ્ર ‘ઈશ્વર થૈ’ને બદલે ‘ઈશ્વરથી’ એમ પાઠ આપે છે તે અર્થદૃષ્ટિએ સરળ છે, પરંતુ મેં જોયેલી કોઈ હપ્રમાં એ મળ્યો નથી. તેથી ઉપર મુજબ તાત્પર્ય સમજવાનું રહે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>છ ઇંદ્રી છ વિષે છ જ્ઞાન, સુખ દુઃખ ને દેહનું માન.
{{Block center|'''<poem>છ ઇંદ્રી છ વિષે છ જ્ઞાન, સુખ દુઃખ ને દેહનું માન.
દોષ એકવીસે રહિત જે થયો, તે આતમા મુક્તિપદ્યે ગયો. ૬૯</poem>}}
દોષ એકવીસે રહિત જે થયો, તે આતમા મુક્તિપદ્યે ગયો. ૬૯</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
છ ઇન્દ્રિયો, છ વિષયો, છ પ્રકારનાં જ્ઞાન, સુખ, દુઃખ – દેહ – એના એકવીસ દોષ – હાનિથી રહિત જે બને તે આત્મા મુક્તિપદને પામે છે.
છ ઇન્દ્રિયો, છ વિષયો, છ પ્રકારનાં જ્ઞાન, સુખ, દુઃખ – દેહ – એના એકવીસ દોષ – હાનિથી રહિત જે બને તે આત્મા મુક્તિપદને પામે છે.
સમજૂતી : ઉદ્યોતકરના ‘ન્યાયવાર્તિક’માં ૨૧ પ્રકારની આત્યંતિકી દુઃખહાનિનો ઉલ્લેખ છે – શરીર છ ઇન્દ્રિય, છ વિષય, છ બુદ્ધિ (વિષયજ્ઞાન/ઇન્દ્રિય-જ્ઞાન) સુખ અને દુઃખ, કંટક વગેરેથી થતી દુઃખહાનિ તે અનાત્યંતિકી. આ દુઃખહાનિ એટલે કે અહિતમાંથી નિવૃત્તિ થતાં પરમશ્રેયની એટલે કે મુક્તિની પ્રાપ્તિ થાય છે. અખાજીએ આ કડીમાં આ વિચારને ઉપયોગમાં લીધેલો છે.
'''સમજૂતી''' : ઉદ્યોતકરના ‘ન્યાયવાર્તિક’માં ૨૧ પ્રકારની આત્યંતિકી દુઃખહાનિનો ઉલ્લેખ છે – શરીર છ ઇન્દ્રિય, છ વિષય, છ બુદ્ધિ (વિષયજ્ઞાન/ઇન્દ્રિય-જ્ઞાન) સુખ અને દુઃખ, કંટક વગેરેથી થતી દુઃખહાનિ તે અનાત્યંતિકી. આ દુઃખહાનિ એટલે કે અહિતમાંથી નિવૃત્તિ થતાં પરમશ્રેયની એટલે કે મુક્તિની પ્રાપ્તિ થાય છે. અખાજીએ આ કડીમાં આ વિચારને ઉપયોગમાં લીધેલો છે.
વિશેષ માટે જુઓ આ પૂર્વે પ્રાસ્તાવિક અને પરિશીલનમાં ‘દાર્શનિક મતો અને તેમના મુક્તિ વિશેના ખ્યાલો.’
વિશેષ માટે જુઓ આ પૂર્વે પ્રાસ્તાવિક અને પરિશીલનમાં ‘દાર્શનિક મતો અને તેમના મુક્તિ વિશેના ખ્યાલો.’
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>દેહનાં સુખદુખ વરજિત સાંત, મુક્ત થૈને રહે એકાંત,
{{Block center|'''<poem>દેહનાં સુખદુખ વરજિત સાંત, મુક્ત થૈને રહે એકાંત,
ન્યાયે વૈશેષિકની એક જ મુક્તિ, હવે સાંક્ષ્યની કહું છું જુક્તિ. ૭૦</poem>}}
ન્યાયે વૈશેષિકની એક જ મુક્તિ, હવે સાંક્ષ્યની કહું છું જુક્તિ. ૭૦</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દેહના સુખદુઃખથી વર્જિત થઈને જે વિરમે છે તે સંપૂર્ણપણે મુક્ત થઈને રહે છે. ન્યાય અને વૈશેષિકની મુક્તિ વિશેની સમજ આ પ્રમાણે એક જ છે. હવે સાંખ્યની વિચારણા હું તને કહું છું.
દેહના સુખદુઃખથી વર્જિત થઈને જે વિરમે છે તે સંપૂર્ણપણે મુક્ત થઈને રહે છે. ન્યાય અને વૈશેષિકની મુક્તિ વિશેની સમજ આ પ્રમાણે એક જ છે. હવે સાંખ્યની વિચારણા હું તને કહું છું.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પ્રકૃતિ પુરુષનો જોગ સદાઇ, સાંક્ષ કહે છે ચાલ્યો જાઇ,
{{Block center|'''<poem>પ્રકૃતિ પુરુષનો જોગ સદાઇ, સાંક્ષ કહે છે ચાલ્યો જાઇ,
તત્ત્વ ભાગ તે પ્રકૃતિ તણો, તે માન્યો જીવે આપણો. ૭૧</poem>}}
તત્ત્વ ભાગ તે પ્રકૃતિ તણો, તે માન્યો જીવે આપણો. ૭૧</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રકૃતિ અને પુરુષનો સંયોગ સદાય ચાલતો રહે છે એમ સાંખ્ય કહે છે. એમાં તત્ત્વભાગ પ્રકૃતિનો છે, તેને જીવ પોતાનો માને છે.
પ્રકૃતિ અને પુરુષનો સંયોગ સદાય ચાલતો રહે છે એમ સાંખ્ય કહે છે. એમાં તત્ત્વભાગ પ્રકૃતિનો છે, તેને જીવ પોતાનો માને છે.
સમજૂતી : આ અને પછીની કડીઓમાં રજૂ થયેલી વિચારણા માટે જુઓ પ્રાસ્તાવિક અને પરિશીલનમાં ‘સાંખ્યદર્શન’.
'''સમજૂતી''' : આ અને પછીની કડીઓમાં રજૂ થયેલી વિચારણા માટે જુઓ પ્રાસ્તાવિક અને પરિશીલનમાં ‘સાંખ્યદર્શન’.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ગાંઠ્ય બંધાણી પ્રકૃતિ વડે, તે ત્રિલોક્યે રહી આથડે,
{{Block center|'''<poem>ગાંઠ્ય બંધાણી પ્રકૃતિ વડે, તે ત્રિલોક્યે રહી આથડે,
પાછો તે મૂકે અહંકાર, પ્રકૃતિ પુરુષનો કરે વિચાર. ૭૨</poem>}}
પાછો તે મૂકે અહંકાર, પ્રકૃતિ પુરુષનો કરે વિચાર. ૭૨</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જીવની પ્રકૃતિ સાથે ગાંઠ બંધાય છે ને તેને કારણે તે ત્રિલોકમાં આથડ્યા કરે છે. પાછો તે અહંકારને છોડી દે, પ્રકૃતિ તથા પુરુષનો વિવેક કરે (તેમના સંબંધનો વિચાર કરે) –
જીવની પ્રકૃતિ સાથે ગાંઠ બંધાય છે ને તેને કારણે તે ત્રિલોકમાં આથડ્યા કરે છે. પાછો તે અહંકારને છોડી દે, પ્રકૃતિ તથા પુરુષનો વિવેક કરે (તેમના સંબંધનો વિચાર કરે) –
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>સાંક્ષ્યજોગ કરી જાણે જુક્ત, એ સાંક્ષ્યની જાણો [૭ક] મુક્તિ,
{{Block center|'''<poem>સાંક્ષ્યજોગ કરી જાણે જુક્ત, એ સાંક્ષ્યની જાણો [૭ક] મુક્તિ,
મીમાંસા કહે જીવ સદાઇ, કર્મ તણે વશ ચાલ્યો જાઇ. ૭૩</poem>}}
મીમાંસા કહે જીવ સદાઇ, કર્મ તણે વશ ચાલ્યો જાઇ. ૭૩</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અને વિચારપૂર્વક જ્ઞાનયોગ કરી જાણે તો સાંખ્યની દૃષ્ટિએ મુક્તિ છે એમ સમજો. મીમાંસા કહે છે કે જીવ હંમેશાં કર્મને વશ થઈને ચાલે છે.
અને વિચારપૂર્વક જ્ઞાનયોગ કરી જાણે તો સાંખ્યની દૃષ્ટિએ મુક્તિ છે એમ સમજો. મીમાંસા કહે છે કે જીવ હંમેશાં કર્મને વશ થઈને ચાલે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>આદ્ય અંત્ય વરજિત છે જંત, કો કાલ્યે એહનો નહીં અંત,
{{Block center|'''<poem>આદ્ય અંત્ય વરજિત છે જંત, કો કાલ્યે એહનો નહીં અંત,
સતકર્મે સ્વર્ગી થઈ રહે, દુઃકર્મે ચોરાશી વહે. ૭૪</poem>}}
સતકર્મે સ્વર્ગી થઈ રહે, દુઃકર્મે ચોરાશી વહે. ૭૪</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જીવને આદિ કે અંત નથી. કોઈ કાળે તેમનો અંત આવવાનો નથી. સત્‌કર્મો કરે તો તે સ્વર્ગમાં વસનાર થાય અને ખરાબ કર્મો કરે તો ચોરાશી ભવના ફેરા ફરે.
જીવને આદિ કે અંત નથી. કોઈ કાળે તેમનો અંત આવવાનો નથી. સત્‌કર્મો કરે તો તે સ્વર્ગમાં વસનાર થાય અને ખરાબ કર્મો કરે તો ચોરાશી ભવના ફેરા ફરે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>સ્વર્ગભોગને માને મુક્ત્ય, હવે પાતાંજલીની કહું છું જુક્ત્ય,
{{Block center|'''<poem>સ્વર્ગભોગને માને મુક્ત્ય, હવે પાતાંજલીની કહું છું જુક્ત્ય,
મૂલ પ્રકૃતિનું ઘણું બંધાણ, પ્રકૃતિ વડે તારા શશી ભાણ. ૭૫</poem>}}
મૂલ પ્રકૃતિનું ઘણું બંધાણ, પ્રકૃતિ વડે તારા શશી ભાણ. ૭૫</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
(આ રીતે મીમાંસા મત) સ્વર્ગના ઉપભોગને જીવની મુક્તિ માને છે. હવે પાતંજલ યોગદર્શનની વિચારણા કહું છું. મૂળમાં પ્રકૃતિ છે અને એની જ આ બધી રચના છે. પ્રકૃતિને લઈને જ સૂર્ય, ચંદ્ર, તારા છે.
(આ રીતે મીમાંસા મત) સ્વર્ગના ઉપભોગને જીવની મુક્તિ માને છે. હવે પાતંજલ યોગદર્શનની વિચારણા કહું છું. મૂળમાં પ્રકૃતિ છે અને એની જ આ બધી રચના છે. પ્રકૃતિને લઈને જ સૂર્ય, ચંદ્ર, તારા છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પ્રકૃતિ વડે ચૌદ લોક રહ્યા, જીવ સકલ તે માંહે વહ્યા,
{{Block center|'''<poem>પ્રકૃતિ વડે ચૌદ લોક રહ્યા, જીવ સકલ તે માંહે વહ્યા,
જીવમય પ્રકૃતિ જીવ જ તણી, તે જીવ ધારે ગત આપણી. ૭૬</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જીવમય પ્રકૃતિ જીવ જ તણી, તે જીવ ધારે ગત આપણી. ૭૬</poem>}}
પ્રકૃતિને લઈને ચૌદ લોક છે, બધા જીવ તેમાં વહે છે. જીવની પ્રકૃતિ જીવમય છે (એટલે કે જીવમાં જીવપણું રહેલું જ છે). તે જીવ પોતાની મૂળ શક્તિનો વિચાર કરી શકે –
પ્રકૃતિને લઈને ચૌદ લોક છે, બધા જીવ તેમાં વહે છે. જીવની પ્રકૃતિ જીવમય છે (એટલે કે જીવમાં જીવપણું રહેલું જ છે). તે જીવ પોતાની મૂળ શક્તિનો વિચાર કરી શકે –
પાઠચર્ચા : ચોથા ચરણમાં ત્રણ પાઠ મળે છે – ‘જીવ ધારે’, ‘જોવા ધારે’ અને ‘જો વધારે’. આમાંથી ‘જોવા ધારે’ અર્થદૃષ્ટિએ અનુપયોગી છે અને ‘જો વધારે’ એ પાઠમાં ‘વ’માં કાનો ઉમેરાઈ જતાં ‘જોવા ધારે’ થઈ જાય. જો એમ થયેલું માનીએ તો ‘જો વધારે’ પાઠને ઘણો ટેકો છે એમ કહેવાય. ક પ્રતમાં ‘જો વધારે’ એ પાઠ સુધારીને જ ‘જીવ ધારે’ કરવામાં આવ્યો છે. અર્થદૃષ્ટિએ ‘જો વધારે’ એ પાઠ પણ વિચારવા જેવો છે. જીવ સાધના દ્વારા પોતાની જીવપ્રકૃતિથી આગળ જાય અને ઈશ્વરત્વને પામે એવો યોગશાસ્ત્રનો અહીં અર્થસંદર્ભ હોઈ શકે. આમ છતાં મુખ્ય પ્રતનો પાઠ અહીં છોડ્યો નથી કેમકે એને બીજી બે હપ્રનો ટેકો છે. ક મુખ્ય પ્રતે પોતે સભાનતાપૂર્વક પાઠ સુધાર્યો છે અને અર્થની દૃષ્ટિએ એ પાઠ પણ ચાલી શકે તેમ છે.
'''પાઠચર્ચા''' : ચોથા ચરણમાં ત્રણ પાઠ મળે છે – ‘જીવ ધારે’, ‘જોવા ધારે’ અને ‘જો વધારે’. આમાંથી ‘જોવા ધારે’ અર્થદૃષ્ટિએ અનુપયોગી છે અને ‘જો વધારે’ એ પાઠમાં ‘વ’માં કાનો ઉમેરાઈ જતાં ‘જોવા ધારે’ થઈ જાય. જો એમ થયેલું માનીએ તો ‘જો વધારે’ પાઠને ઘણો ટેકો છે એમ કહેવાય. ક પ્રતમાં ‘જો વધારે’ એ પાઠ સુધારીને જ ‘જીવ ધારે’ કરવામાં આવ્યો છે. અર્થદૃષ્ટિએ ‘જો વધારે’ એ પાઠ પણ વિચારવા જેવો છે. જીવ સાધના દ્વારા પોતાની જીવપ્રકૃતિથી આગળ જાય અને ઈશ્વરત્વને પામે એવો યોગશાસ્ત્રનો અહીં અર્થસંદર્ભ હોઈ શકે. આમ છતાં મુખ્ય પ્રતનો પાઠ અહીં છોડ્યો નથી કેમકે એને બીજી બે હપ્રનો ટેકો છે. ક મુખ્ય પ્રતે પોતે સભાનતાપૂર્વક પાઠ સુધાર્યો છે અને અર્થની દૃષ્ટિએ એ પાઠ પણ ચાલી શકે તેમ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પ્રકૃતિ પુરુષનો જોગ સદાઈ, જો સાધે તો ઈશ્વર થાઇ,
{{Block center|'''<poem>પ્રકૃતિ પુરુષનો જોગ સદાઈ, જો સાધે તો ઈશ્વર થાઇ,
પિંડ્ય બ્રહ્માંડ પવનનો બંધ, સાધે જો અજરામર કંદ, ૭૭</poem>}}
પિંડ્ય બ્રહ્માંડ પવનનો બંધ, સાધે જો અજરામર કંદ, ૭૭</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અને પ્રકૃતિપુરુષનો સંયોગ તો સદા હોય છે એટલે જીવ જો સાધના કરે તો એ ઈશ્વર થઈને રહે છે. પિંડ અને બ્રહ્માંડમાં પ્રાણતત્ત્વનું નિયમન કરે તો તેને અજરઅમર પદરૂપી મૂળ સ્થિતિ પ્રાપ્ત થાય છે.
અને પ્રકૃતિપુરુષનો સંયોગ તો સદા હોય છે એટલે જીવ જો સાધના કરે તો એ ઈશ્વર થઈને રહે છે. પિંડ અને બ્રહ્માંડમાં પ્રાણતત્ત્વનું નિયમન કરે તો તેને અજરઅમર પદરૂપી મૂળ સ્થિતિ પ્રાપ્ત થાય છે.
સમજૂતી : યોગશાસ્ત્રની દૃષ્ટિએ અજરઅમર ઈશ્વરપદ એ અંતિમ પ્રાપ્તવ્ય છે અને એ સાધના દ્વારા પ્રાપ્ત થાય છે. અહીં યોગના અષ્ટાંગ માંહેના પ્રાણાયામનો ઉલ્લેખ જણાય છે, જેમાં પ્રાણવાયુનું નિયમન કરવામાં આવે છે. આ પ્રાણતત્ત્વ બ્રહ્માંડવ્યાપી છે. અને એ રાજસી વગેરે કાર્યોમાં સિદ્ધિ આપનાર છે અને ચિત્તવૃત્તિઓને વિષયોમાં પ્રવર્તાવનાર પણ છે. સાધક એના નિયમન દ્વારા વૃત્તિઓનું નિયમન કરે છે.
'''સમજૂતી''' : યોગશાસ્ત્રની દૃષ્ટિએ અજરઅમર ઈશ્વરપદ એ અંતિમ પ્રાપ્તવ્ય છે અને એ સાધના દ્વારા પ્રાપ્ત થાય છે. અહીં યોગના અષ્ટાંગ માંહેના પ્રાણાયામનો ઉલ્લેખ જણાય છે, જેમાં પ્રાણવાયુનું નિયમન કરવામાં આવે છે. આ પ્રાણતત્ત્વ બ્રહ્માંડવ્યાપી છે. અને એ રાજસી વગેરે કાર્યોમાં સિદ્ધિ આપનાર છે અને ચિત્તવૃત્તિઓને વિષયોમાં પ્રવર્તાવનાર પણ છે. સાધક એના નિયમન દ્વારા વૃત્તિઓનું નિયમન કરે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>વણસાધ્યે મરે નિત્ય ફરે, સાધે તો બ્રહ્માંડ પોતે કરે,
{{Block center|'''<poem>વણસાધ્યે મરે નિત્ય ફરે, સાધે તો બ્રહ્માંડ પોતે કરે,
સિદ્ધિ પામ્યો તે પામ્યો મુક્તિ, હવે વેદાંતની કહું છું સ્ફુર્ત્ય. ૭૮</poem>}}
સિદ્ધિ પામ્યો તે પામ્યો મુક્તિ, હવે વેદાંતની કહું છું સ્ફુર્ત્ય. ૭૮</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સાધના ન કરે તો એ જન્મમરણના ફેરા ફર્યા કરે છે. જો યોગ સાધે તો બ્રહ્માંડને આત્મસ્વરૂપ કરે છે. આ રીતે જે સિદ્ધિ મેળવે તે મુક્તિ પામે છે. હવે તને વેદાંતનો વિચાર કહું છું.
સાધના ન કરે તો એ જન્મમરણના ફેરા ફર્યા કરે છે. જો યોગ સાધે તો બ્રહ્માંડને આત્મસ્વરૂપ કરે છે. આ રીતે જે સિદ્ધિ મેળવે તે મુક્તિ પામે છે. હવે તને વેદાંતનો વિચાર કહું છું.
પાઠાંતર : ૪. આ ચરણમાં ખ ‘જુક્તિ’અને ઘ ‘યુક્ત’ પાઠ આપે છે જે અર્થ દૃષ્ટિએ સાચાં છે પરંતુ ‘સ્ફુરત્ય/સ્ફુર્ત્ય’ પાઠને વધુ શ્રદ્ધેય ગણાતી હપ્રનો ટેકો છે તેથી એ પાઠ છોડવાની જરૂર લેખી નથી.
{{Poem2Close}}
{{Block center|'''<poem>
વેદાંત કહે છે મહાનિધ્ય જે કોઈ, ત્યાં[૮ક]હાં ત્યાંહાં તો જીવની ગમ્ય ન હોઇ,
વેદાંત કહે છે મહાનિધ્ય જે કોઈ, ત્યાં[૮ક]હાં ત્યાંહાં તો જીવની ગમ્ય ન હોઇ,
{{Poem2Close}}
કહે વેદાંત તમ્હ્યો પાંચે ખરા, પણ અસંભવના લેઈ ઊચર્યા. ૭૯</poem>'''}}
{{Block center|<poem>કહે વેદાંત તમ્હ્યો પાંચે ખરા, પણ અસંભવના લેઈ ઊચર્યા. ૭૯</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વેદાંત કહે છે. મહાનિધિ એટલે કે પરબ્રહ્મ અવસ્થા જ્યાં હોય ત્યાં જીવબુદ્ધિ રહેતી નથી. તમે પાંચે (દર્શનો) તમારી દૃષ્ટિએ ખરા છો પરંતુ (બ્રહ્મ અને જીવના એકત્વની) અસંભાવના માની લઈને તમે આમ કહ્યું છે.
વેદાંત કહે છે. મહાનિધિ એટલે કે પરબ્રહ્મ અવસ્થા જ્યાં હોય ત્યાં જીવબુદ્ધિ રહેતી નથી. તમે પાંચે (દર્શનો) તમારી દૃષ્ટિએ ખરા છો પરંતુ (બ્રહ્મ અને જીવના એકત્વની) અસંભાવના માની લઈને તમે આમ કહ્યું છે.
સમજૂતી : વેદાંતદૃષ્ટિએ બ્રહ્મ અને જીવની એકતા છે. તેથી પરબ્રહ્મની સાથે જીવબુદ્ધિ ટકી ન શકે. અન્ય પાંચે દર્શનો બ્રહ્મ-જીવના આ એકત્વમાં માનતા નથી એટલે કે જીવ-ઈશ્વર ભેદમાં માને છે.
'''સમજૂતી''' : વેદાંતદૃષ્ટિએ બ્રહ્મ અને જીવની એકતા છે. તેથી પરબ્રહ્મની સાથે જીવબુદ્ધિ ટકી ન શકે. અન્ય પાંચે દર્શનો બ્રહ્મ-જીવના આ એકત્વમાં માનતા નથી એટલે કે જીવ-ઈશ્વર ભેદમાં માને છે.
‘મહાનિધિ’ શબ્દ ‘બ્રહ્મ’ના અર્થમાં અખાના છપ્પામાં પણ વપરાયો છે. જુઓ ઉમાશંકર જોશી સંપાદિત ‘અખાના છપ્પા’.
‘મહાનિધિ’ શબ્દ ‘બ્રહ્મ’ના અર્થમાં અખાના છપ્પામાં પણ વપરાયો છે. જુઓ ઉમાશંકર જોશી સંપાદિત ‘અખાના છપ્પા’.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>વિપ્રીત્ય ભાવના ત્યાંહાં ઊપજે, ત્યારે રહ્યો અનેરું ભજે,
{{Block center|'''<poem>વિપ્રીત્ય ભાવના ત્યાંહાં ઊપજે, ત્યારે રહ્યો અનેરું ભજે,
જ્યારે હું સત્ય માન્યો દેહ, ત્યારે જુક્ત્ય લેવી પડી એહ. ૮૦</poem>}}
જ્યારે હું સત્ય માન્યો દેહ, ત્યારે જુક્ત્ય લેવી પડી એહ. ૮૦</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ત્યાં (તમારા દર્શનોના મતોમાં) વિપરીત ભાવના ઊપજે છે અને જીવ તેમાં અન્ય (પોતાનાથી જુદા) તત્ત્વને ભજે છે. જ્યારે પોતે દેહ રૂપે સત્ય છે એમ માન્યું ત્યારે આવી વિચારસરણીનો આશ્રય લેવો પડ્યો.
ત્યાં (તમારા દર્શનોના મતોમાં) વિપરીત ભાવના ઊપજે છે અને જીવ તેમાં અન્ય (પોતાનાથી જુદા) તત્ત્વને ભજે છે. જ્યારે પોતે દેહ રૂપે સત્ય છે એમ માન્યું ત્યારે આવી વિચારસરણીનો આશ્રય લેવો પડ્યો.
સમજૂતી : દેહને સાચો માનીએ તો બ્રહ્મની સત્તા જીવથી અલગ છે એમ અર્થ થાય.
'''સમજૂતી''' : દેહને સાચો માનીએ તો બ્રહ્મની સત્તા જીવથી અલગ છે એમ અર્થ થાય.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>છે તાં સઘલો ચિદવિલાસ, ત્યાંહાં ઊચરવા નહીં અવકાશ,
{{Block center|'''<poem>છે તાં સઘલો ચિદવિલાસ, ત્યાંહાં ઊચરવા નહીં અવકાશ,
તો તે કેહેને કહું હું કથી, જો જક્ત જક્તનાં કૃત્ય જ નથી. ૮૧</poem>}}
તો તે કેહેને કહું હું કથી, જો જક્ત જક્તનાં કૃત્ય જ નથી. ૮૧</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વસ્તુતઃ તો આ સઘળો ચૈતન્યનો વિલાસ છે. ત્યાં કાંઈ બોલવાનો પણ અવકાશ નથી એટલે કે એ અવર્ણનીય છે. જો જગત અને જગતનાં કૃત્ય જ નથી તો હું શેને વર્ણવી બતાવું?
વસ્તુતઃ તો આ સઘળો ચૈતન્યનો વિલાસ છે. ત્યાં કાંઈ બોલવાનો પણ અવકાશ નથી એટલે કે એ અવર્ણનીય છે. જો જગત અને જગતનાં કૃત્ય જ નથી તો હું શેને વર્ણવી બતાવું?
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>વેદાંત કીધું તે એણે લક્ષે, પણ પાંચે બોલે તે દ્વૈતની પક્ષે,
{{Block center|'''<poem>વેદાંત કીધું તે એણે લક્ષે, પણ પાંચે બોલે તે દ્વૈતની પક્ષે,
પાંચેને ઊપનાનો લેખ, વેદાંત તે માટે કરે ઉવેખ. ૮૨</poem>}}
પાંચેને ઊપનાનો લેખ, વેદાંત તે માટે કરે ઉવેખ. ૮૨</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આને અનુલક્ષીને (અભેદની દૃષ્ટિએ) વેદાંતની રચના થઈ છે. પણ અન્ય પાંચ દર્શન તો દ્વૈતના પક્ષે બોલે છે. એ પાંચે જગત ઉત્પન્ન થયાનું ગણે છે ત્યારે વેદાંત એ હકીકતનો ઇનકાર કરે છે.
આને અનુલક્ષીને (અભેદની દૃષ્ટિએ) વેદાંતની રચના થઈ છે. પણ અન્ય પાંચ દર્શન તો દ્વૈતના પક્ષે બોલે છે. એ પાંચે જગત ઉત્પન્ન થયાનું ગણે છે ત્યારે વેદાંત એ હકીકતનો ઇનકાર કરે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>વિચાર કહે સાંભલ્ય, ચિત્તભૂપ મેં ખટ દરશનનાં દેખાડ્યાં રૂપ,
{{Block center|'''<poem>વિચાર કહે સાંભલ્ય, ચિત્તભૂપ મેં ખટ દરશનનાં દેખાડ્યાં રૂપ,
ચિત્ત કહે છે સુણ રે વિચાર, એ માંહાં બહુ ન દેખું ભાર. ૮૩</poem>}}
ચિત્ત કહે છે સુણ રે વિચાર, એ માંહાં બહુ ન દેખું ભાર. ૮૩</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વિચાર કહે છે : ચિત્તરાજા સાંભળ. મેં તને છ દર્શનનાં રૂપ બતાવ્યાં. ચિત્ત કહે છે : વિચાર સાંભળ, એમાં બહુ ભાર (વજન) નથી દેખાતું. એટલે કે એમાં કશા મહત્ત્વના વિચારો જણાતા નથી.
વિચાર કહે છે : ચિત્તરાજા સાંભળ. મેં તને છ દર્શનનાં રૂપ બતાવ્યાં. ચિત્ત કહે છે : વિચાર સાંભળ, એમાં બહુ ભાર (વજન) નથી દેખાતું. એટલે કે એમાં કશા મહત્ત્વના વિચારો જણાતા નથી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>એ તો સઘલો બાંધેલ ઘાટ, પણ કોએ નહીં નિરાલો નાટ,
{{Block center|'''<poem>એ તો સઘલો બાંધેલ ઘાટ, પણ કોએ નહીં નિરાલો નાટ,
વિચાર કહે મેં જે તુંને ઈશ્વર કહ્યો, તે જોતાં કોયે અલગો નવ રહ્યો. [૮ખ] ૮૪</poem>}}
વિચાર કહે મેં જે તુંને ઈશ્વર કહ્યો, તે જોતાં કોયે અલગો નવ રહ્યો. [૮ખ] ૮૪</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એ બધાના (દર્શનોના) તો વિચારો બાંધેલા ઘાટે ચાલે છે એટલે કે પરંપરાનુસારી છે. તેમાંથી કોઈ ખરેખર નિરાળા, નવા કે મૌલિક વિચારો રજૂ કરતું નથી. વિચાર કહે છે કે મેં તને જે ઈશ્વરસ્વરૂપ – ચિદ્‌રૂપ ગણ્યો તેનો ખ્યાલ કરતાં કોઈ એનાથી અળગું રહેતું નથી.
એ બધાના (દર્શનોના) તો વિચારો બાંધેલા ઘાટે ચાલે છે એટલે કે પરંપરાનુસારી છે. તેમાંથી કોઈ ખરેખર નિરાળા, નવા કે મૌલિક વિચારો રજૂ કરતું નથી. વિચાર કહે છે કે મેં તને જે ઈશ્વરસ્વરૂપ – ચિદ્‌રૂપ ગણ્યો તેનો ખ્યાલ કરતાં કોઈ એનાથી અળગું રહેતું નથી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>તે ઈશ્વર તો સરવાવાસ, તે વડે સઘલો શબ્દવિલાસ,
{{Block center|'''<poem>તે ઈશ્વર તો સરવાવાસ, તે વડે સઘલો શબ્દવિલાસ,
જે ઘટે જેહેવી ઊઠી તરંગ, તેણે તેહેવું જ બાંધ્યું અંગ. ૮૫</poem>}}
જે ઘટે જેહેવી ઊઠી તરંગ, તેણે તેહેવું જ બાંધ્યું અંગ. ૮૫</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તે ઈશ્વર તો સર્વત્ર વ્યાપેલો છે. સઘળા શબ્દવિલાસ (શબ્દબ્રહ્મનો વિલાસ) પણ તેને કારણે જ છે. જે ઘટમાં – પાત્રમાં જેવા તરંગ ઊઠે તેવું તે પોતાનું સ્વરૂપ બાંધે છે.
તે ઈશ્વર તો સર્વત્ર વ્યાપેલો છે. સઘળા શબ્દવિલાસ (શબ્દબ્રહ્મનો વિલાસ) પણ તેને કારણે જ છે. જે ઘટમાં – પાત્રમાં જેવા તરંગ ઊઠે તેવું તે પોતાનું સ્વરૂપ બાંધે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ત્યાંહાં તો સામર્થ્યનો નહીં પાર, તુજ મુજ દ્વારા હોએ વિસ્તાર,  
{{Block center|'''<poem>ત્યાંહાં તો સામર્થ્યનો નહીં પાર, તુજ મુજ દ્વારા હોએ વિસ્તાર,  
ચિત્ત કહે પ્રેરક મુજ તુજ તણો, સર્વ ઘટે તાં ચાલ આપણો. ૮૬</poem>}}
ચિત્ત કહે પ્રેરક મુજ તુજ તણો, સર્વ ઘટે તાં ચાલ આપણો. ૮૬</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એના (પરબ્રહ્મ – પરમાત્માના) સામર્થ્યનો તો કાંઈ પાર નથી. મારાથી અને તારાથી એનો વિસ્તાર થાય છે. ચિત્ત કહે છે : એ જ મારો અને તારો પ્રેરક હોય અને એ રીતે સર્વ ઘટ – જીવરૂપ પાત્ર –માં આપણું પ્રવર્તન હોય.
એના (પરબ્રહ્મ – પરમાત્માના) સામર્થ્યનો તો કાંઈ પાર નથી. મારાથી અને તારાથી એનો વિસ્તાર થાય છે. ચિત્ત કહે છે : એ જ મારો અને તારો પ્રેરક હોય અને એ રીતે સર્વ ઘટ – જીવરૂપ પાત્ર –માં આપણું પ્રવર્તન હોય.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>તો પરતંતર કાં ટલતા નથી, જોતાં તો દીસે એકથી,
{{Block center|'''<poem>તો પરતંતર કાં ટલતા નથી, જોતાં તો દીસે એકથી,
વિચાર કહે પરતંતરતા તું મ ગણેશ, મેં ઈશ્વર તુંને કહ્યો સરવેશ. ૮૭</poem>}}
વિચાર કહે પરતંતરતા તું મ ગણેશ, મેં ઈશ્વર તુંને કહ્યો સરવેશ. ૮૭</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તો આપણે કેમ પરતંત્ર મટી જતાં નથી? વિચારતાં આપણે ભલે એક ઈશ્વર તત્ત્વથી જ પ્રેરાયેલાં હોઈએ. વિચાર કહે છે : તું પરતંત્રતા ન લેખીશ. મેં તને બધી વસ્તુનો અધિપતિ ઈશ્વર કહ્યો છે.
તો આપણે કેમ પરતંત્ર મટી જતાં નથી? વિચારતાં આપણે ભલે એક ઈશ્વર તત્ત્વથી જ પ્રેરાયેલાં હોઈએ. વિચાર કહે છે : તું પરતંત્રતા ન લેખીશ. મેં તને બધી વસ્તુનો અધિપતિ ઈશ્વર કહ્યો છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>તે તાં તુંને ન બેઠ્યો ઘાટ્ય, વલી જુક્તિ કહું તે માટ્ય,  
{{Block center|'''<poem>તે તાં તુંને ન બેઠ્યો ઘાટ્ય, વલી જુક્તિ કહું તે માટ્ય,  
અનંત શક્તિ પરમ ચૈતન તણી, બહુ સામર્થ્ય માંહાં ઊપજ્ય ઘણી. ૮૮</poem>}}
અનંત શક્તિ પરમ ચૈતન તણી, બહુ સામર્થ્ય માંહાં ઊપજ્ય ઘણી. ૮૮</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તને તે સમજાયું નથી તે માટે એક વિશેષ તર્ક રજૂ કરું છું. પરમચૈતન્ય–બ્રહ્મની શક્તિ અનંત છે. તેના બહુ સામર્થ્યમાંથી ઘણું ઉત્પન્ન થાય છે.
તને તે સમજાયું નથી તે માટે એક વિશેષ તર્ક રજૂ કરું છું. પરમચૈતન્ય–બ્રહ્મની શક્તિ અનંત છે. તેના બહુ સામર્થ્યમાંથી ઘણું ઉત્પન્ન થાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>સહજે ઊપજે નાના ઘાટ, અસંભાવ્ય મહા મોટો નાટ,
{{Block center|'''<poem>સહજે ઊપજે નાના ઘાટ, અસંભાવ્ય મહા મોટો નાટ,
જો સામર્થ્ય સાહામું જુએ નહીં, તો તો કાંઈ સમું પડે અહીં. ૮૯</poem>}}
જો સામર્થ્ય સાહામું જુએ નહીં, તો તો કાંઈ સમું પડે અહીં. ૮૯</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એમાંથી વિવિધ પ્રકારના ઘાટ સહજપણે ઉત્પન્ન થાય છે. આ ખરેખર મોટી અસંભાવનાની સ્થિતિ છે. જો મૂળ શક્તિને લક્ષમાં રાખે નહીં તો અહીં શું સીધું ઊતરે – સમજાય?
એમાંથી વિવિધ પ્રકારના ઘાટ સહજપણે ઉત્પન્ન થાય છે. આ ખરેખર મોટી અસંભાવનાની સ્થિતિ છે. જો મૂળ શક્તિને લક્ષમાં રાખે નહીં તો અહીં શું સીધું ઊતરે – સમજાય?
સમજૂતી : વિવિધ ઘાટ ઉત્પન્ન થતાં બ્રહ્મતત્ત્વથી એની ભિન્નતા માની લેવામાં અસંભાવનાની સ્થિતિ સર્જાય છે એવું પહેલાં બે ચરણમાં કહેવાનું જણાય છે.
'''સમજૂતી''' : વિવિધ ઘાટ ઉત્પન્ન થતાં બ્રહ્મતત્ત્વથી એની ભિન્નતા માની લેવામાં અસંભાવનાની સ્થિતિ સર્જાય છે એવું પહેલાં બે ચરણમાં કહેવાનું જણાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે અહીં ગ્રહીયે તે શું? શું હું જાણી પામું હું?
{{Block center|'''<poem>ચિત્ત કહે અહીં ગ્રહીયે તે શું? શું હું જાણી પામું હું?
ત્યારે વલતો બોલ્યો [૯ક] વિચાર, તું ટાલ્ય વચ્યેથો પામણહાર. ૯૦</poem>}}
ત્યારે વલતો બોલ્યો [૯ક] વિચાર, તું ટાલ્ય વચ્યેથો પામણહાર. ૯૦</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : તો પછી અહીં શું સમજવાનું છે? હું શું જાણીને રહું તો પરમતત્ત્વ-સ્થિતિને પામું? ત્યારે જવાબમાં વિચાર બોલ્યો : તું વચ્ચેથી પામનારને ટાળ એટલે કે પામનારનો – જ્ઞાતાનો ખ્યાલ છોડી દે.
ચિત્ત કહે છે : તો પછી અહીં શું સમજવાનું છે? હું શું જાણીને રહું તો પરમતત્ત્વ-સ્થિતિને પામું? ત્યારે જવાબમાં વિચાર બોલ્યો : તું વચ્ચેથી પામનારને ટાળ એટલે કે પામનારનો – જ્ઞાતાનો ખ્યાલ છોડી દે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>જ્યારે તું પામવાને ચલ્યો, ત્યારે વસ્તુપણાથી ટલ્યો,  
{{Block center|'''<poem>જ્યારે તું પામવાને ચલ્યો, ત્યારે વસ્તુપણાથી ટલ્યો,  
તું તો ચિત્ત ચિદની છે લેહેર, ચિત્ત ચિદમાં કાંઈ નથી વેહેર. ૯૧</poem>}}
તું તો ચિત્ત ચિદની છે લેહેર, ચિત્ત ચિદમાં કાંઈ નથી વેહેર. ૯૧</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જ્યારે તું કશુંક પામવા માટે નીકળ્યો ત્યારે વસ્તુપણા (બ્રહ્મતત્ત્વની સ્થિતિથી) દૂર થયો. ચિત્ત, તું તો ચૈતન્યની લહેર છે અને ચિત્ત અને ચિદ્‌માં તત્ત્વતઃ કાંઈ જુદાપણું નથી.
જ્યારે તું કશુંક પામવા માટે નીકળ્યો ત્યારે વસ્તુપણા (બ્રહ્મતત્ત્વની સ્થિતિથી) દૂર થયો. ચિત્ત, તું તો ચૈતન્યની લહેર છે અને ચિત્ત અને ચિદ્‌માં તત્ત્વતઃ કાંઈ જુદાપણું નથી.
Line 544: Line 546:
જેના વડે પોતાનામાં તેજ છે તેની જ તે શક્તિ છે એમ તે સમજતો નથી. કાચનામાં પોતાનામાં સામર્થ્ય નથી પરંતુ ભાસશક્તિ – પ્રતિબિંબ પાડવાની શક્તિ તે કલાઈને કારણે છે.
જેના વડે પોતાનામાં તેજ છે તેની જ તે શક્તિ છે એમ તે સમજતો નથી. કાચનામાં પોતાનામાં સામર્થ્ય નથી પરંતુ ભાસશક્તિ – પ્રતિબિંબ પાડવાની શક્તિ તે કલાઈને કારણે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>પાઠચર્ચા : બીજા ચરણમાં જુદી જુદી હપ્ર જે જુદાજુદા પાઠ આપે છે તે અર્થદૃષ્ટિએ સ્પષ્ટ નથી. ક ગ હપ્રનો પાઠ જ સંદર્ભમાં બરાબર બેસે છે. ચોથા ચરણમાં ક ગ સિવાયની બધી હપ્ર ‘કલહી’ને સ્થાને ‘સીસા’ વગેરે પાઠ આપે છે.</poem>'''}}
{{Block center|'''<poem>'''પાઠચર્ચા''' : બીજા ચરણમાં જુદી જુદી હપ્ર જે જુદાજુદા પાઠ આપે છે તે અર્થદૃષ્ટિએ સ્પષ્ટ નથી. ક ગ હપ્રનો પાઠ જ સંદર્ભમાં બરાબર બેસે છે. ચોથા ચરણમાં ક ગ સિવાયની બધી હપ્ર ‘કલહી’ને સ્થાને ‘સીસા’ વગેરે પાઠ આપે છે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
(આ પાઠચર્ચા છે, શ્લોક નથી.)
(આ પાઠચર્ચા છે, શ્લોક નથી.)
Line 552: Line 554:
{{Poem2Open}}
{{Poem2Open}}
જ્યારે કાચ કલાઈથી અલગ થાય ત્યારે ભાસકશક્તિ તેનામાં શોધી પણ જડતી નથી. તેમ તારી પાછળ તને પોષનાર અવાચ્ય તત્ત્વ (બ્રહ્મ) છે. તે અવાચ્યતત્ત્વ તે કલાઈ અને તું કાચ છે.
જ્યારે કાચ કલાઈથી અલગ થાય ત્યારે ભાસકશક્તિ તેનામાં શોધી પણ જડતી નથી. તેમ તારી પાછળ તને પોષનાર અવાચ્ય તત્ત્વ (બ્રહ્મ) છે. તે અવાચ્યતત્ત્વ તે કલાઈ અને તું કાચ છે.
સમજૂતી : જીવનું ચેતનતત્ત્વ બ્રહ્મને કારણે છે એ ત્રીજા ચરણનું તાત્પર્ય છે. આવી જ રીતે ‘પોષણ’ શબ્દ પણ અન્યત્ર વપરાયેલો જોવા મળે છે : મહાનિધ્ય છે પોષણ તુજ તણૂં... (ચિત્તવિચારસંવાદ, ૧૦૬)... પણ બુધ્યાતીતથી સહુ ચળવળે, તેને અખા ન સમજે કોય, જે પરાતીતથું પોષણ હોય. (અખાના છપ્પા, ૫૭૬).
'''સમજૂતી''' : જીવનું ચેતનતત્ત્વ બ્રહ્મને કારણે છે એ ત્રીજા ચરણનું તાત્પર્ય છે. આવી જ રીતે ‘પોષણ’ શબ્દ પણ અન્યત્ર વપરાયેલો જોવા મળે છે : મહાનિધ્ય છે પોષણ તુજ તણૂં... (ચિત્તવિચારસંવાદ, ૧૦૬)... પણ બુધ્યાતીતથી સહુ ચળવળે, તેને અખા ન સમજે કોય, જે પરાતીતથું પોષણ હોય. (અખાના છપ્પા, ૫૭૬).
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>તે વડે તુજ માંહાં ગ્રાહકશક્તિ, બહુ પ્રકારની ઉકેલે જુક્તિ,  
{{Block center|'''<poem>તે વડે તુજ માંહાં ગ્રાહકશક્તિ, બહુ પ્રકારની ઉકેલે જુક્તિ,  
એ તાં તોરું મૂલ વૃત્તાંત, હવે સાંભલ્ય આચરણનો સંચ. ૯૮</poem>}}
એ તાં તોરું મૂલ વૃત્તાંત, હવે સાંભલ્ય આચરણનો સંચ. ૯૮</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તેના કારણે જ તારામાં જગતને ગ્રહણ કરવાની શક્તિ છે. વિવિધ પ્રકારની યુક્તિ પણ તું ઉકેલે છે. આ તારું મૂળ વૃત્તાંત છે. હવે તારા આચરણ એટલે કે વ્યવહારની વિધિ છે તે સાંભળ.
તેના કારણે જ તારામાં જગતને ગ્રહણ કરવાની શક્તિ છે. વિવિધ પ્રકારની યુક્તિ પણ તું ઉકેલે છે. આ તારું મૂળ વૃત્તાંત છે. હવે તારા આચરણ એટલે કે વ્યવહારની વિધિ છે તે સાંભળ.
પાઠચર્ચા : ચોથા ચરણમાં ‘સંચ’ પાઠ ત્રીજા ચરણના ‘વૃત્તાંત’ સાથે પ્રાસની દૃષ્ટિએ બંધબેસતો નથી પરંતુ આ પાઠને વધુ હપ્રનો ટેકો છે. ‘તંત’, ‘સાંત’ પાઠો પ્રાસ માટે પાછળથી આવ્યા હોય એમ લાગે છે. એમાંથી ‘તંત’ અર્થદૃષ્ટિએ બેસે છે, પણ ‘સાંત’ તો અર્થહીન છે એટલે શિથિલ પ્રાસના ઉદાહરણ લેખે ‘સંચ’ પાઠ સ્વીકારવો યોગ્ય લાગે છે. આ જ ચરણમાં ‘આચરણ’ને સ્થાને ‘આવૃણ, ‘આવરણ’ વગેરે પાઠને બહુ ઓછી હપ્રનો ટેકો છે.
'''પાઠચર્ચા''' : ચોથા ચરણમાં ‘સંચ’ પાઠ ત્રીજા ચરણના ‘વૃત્તાંત’ સાથે પ્રાસની દૃષ્ટિએ બંધબેસતો નથી પરંતુ આ પાઠને વધુ હપ્રનો ટેકો છે. ‘તંત’, ‘સાંત’ પાઠો પ્રાસ માટે પાછળથી આવ્યા હોય એમ લાગે છે. એમાંથી ‘તંત’ અર્થદૃષ્ટિએ બેસે છે, પણ ‘સાંત’ તો અર્થહીન છે એટલે શિથિલ પ્રાસના ઉદાહરણ લેખે ‘સંચ’ પાઠ સ્વીકારવો યોગ્ય લાગે છે. આ જ ચરણમાં ‘આચરણ’ને સ્થાને ‘આવૃણ, ‘આવરણ’ વગેરે પાઠને બહુ ઓછી હપ્રનો ટેકો છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>સાહામું આવી જે જે રેહે જ, તે જાણે દરપણ માંહાં છે જ,
{{Block center|'''<poem>સાહામું આવી જે જે રેહે જ, તે જાણે દરપણ માંહાં છે જ,
ત્યમ ચિત્ત છે સર્વ તાહારે વિષે, પાછું ન નીસરે જે જે લખે. ૯૯</poem>}}
ત્યમ ચિત્ત છે સર્વ તાહારે વિષે, પાછું ન નીસરે જે જે લખે. ૯૯</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
(દર્પણની) સામે જે કોઈ વસ્તુઓ આવે છે તે જાણે દર્પણમાં હોય એમ લાગે છે. એવી રીતે ચિત્ત, સર્વ પદાર્થો તારામાં પણ આવે છે. જે પદાર્થોને તું અનુલક્ષે છે – લક્ષમાં લે છે તે પાછા નીકળતા નથી.
(દર્પણની) સામે જે કોઈ વસ્તુઓ આવે છે તે જાણે દર્પણમાં હોય એમ લાગે છે. એવી રીતે ચિત્ત, સર્વ પદાર્થો તારામાં પણ આવે છે. જે પદાર્થોને તું અનુલક્ષે છે – લક્ષમાં લે છે તે પાછા નીકળતા નથી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે મુજ માંહાં ભાસું તે શું, તે કેહેને પેહેલું તે લહું હું,  
{{Block center|'''<poem>ચિત્ત કહે મુજ માંહાં ભાસું તે શું, તે કેહેને પેહેલું તે લહું હું,  
વિચાર કહે ત્યેં જે સાંભલ્યું, તે જાણે કલણ માંહાં કલ્યું. ૧૦૦</poem>}}
વિચાર કહે ત્યેં જે સાંભલ્યું, તે જાણે કલણ માંહાં કલ્યું. ૧૦૦</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : મારામાં ભાસ્યું – દેખાયું તે શું તે મને તેં પહેલાં કહે, જેથી હું તેને સમજું. વિચાર કહે છે : તેં જે સાંભળ્યું તે, એમ લાગે છે કે, તેં સ્વીકારી લીધું.
ચિત્ત કહે છે : મારામાં ભાસ્યું – દેખાયું તે શું તે મને તેં પહેલાં કહે, જેથી હું તેને સમજું. વિચાર કહે છે : તેં જે સાંભળ્યું તે, એમ લાગે છે કે, તેં સ્વીકારી લીધું.
Line 580: Line 582:
જેમ દર્પણમાં પદાર્થોનું પ્રતિબિંબ પડે છે તેમ આ બધું તારામાં આવે છે અને તારા વડે થાય છે. તેં ચોવીસ અવતાર ધારણ કર્યા અને તેને જ તેં ઈશ્વર માની લીધા.
જેમ દર્પણમાં પદાર્થોનું પ્રતિબિંબ પડે છે તેમ આ બધું તારામાં આવે છે અને તારા વડે થાય છે. તેં ચોવીસ અવતાર ધારણ કર્યા અને તેને જ તેં ઈશ્વર માની લીધા.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>સમજૂતી : તાત્પર્ય એ છે કે આ બધી ચિત્તની (જીવભાવની) જ સરજત છે.</poem>'''}}
{{Block center|'''<poem>'''સમજૂતી''' : તાત્પર્ય એ છે કે આ બધી ચિત્તની (જીવભાવની) જ સરજત છે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
(આ સમજૂતી છે, શ્લોક નથી.)
(આ સમજૂતી છે, શ્લોક નથી.)
Line 593: Line 595:
{{Poem2Open}}
{{Poem2Open}}
હે પિતા! જ્યારે તું જડ થઈને રહે, ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કોને કહેવાય? તને કહું છું કે આ સઘળો તારો વ્યાપ છે.
હે પિતા! જ્યારે તું જડ થઈને રહે, ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કોને કહેવાય? તને કહું છું કે આ સઘળો તારો વ્યાપ છે.
{{Poem2Close}}
'''સમજૂતી''' : પહેલાં બે ચરણનું તાત્પર્ય એ છે કે જીવ જો ચૈતન્યરહિત કે કલ્પનાશક્તિ વગરનો હોય તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું પણ અસ્તિત્વ ન રહે.
{{Block center|'''<poem>સમજૂતી : પહેલાં બે ચરણનું તાત્પર્ય એ છે કે જીવ જો ચૈતન્યરહિત કે કલ્પનાશક્તિ વગરનો હોય તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું પણ અસ્તિત્વ ન રહે.</poem>'''}}
{{Poem2Open}}
(આ સમજૂતી છે, શ્લોક નથી.)
(આ સમજૂતી છે, શ્લોક નથી.)
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 603: Line 603:
આ સૂક્ષ્મ અને સ્થૂળ શરીર જે તેં ધારણ કર્યું છે તેમાં સૂત્ર રૂપે રહેલું તે તારું મૂળ તત્ત્વ છે. ઈશ્વરમાં તું ઈશ્વરરૂપ છે અને જીવમાં તું જીવસ્વરૂપ છે.
આ સૂક્ષ્મ અને સ્થૂળ શરીર જે તેં ધારણ કર્યું છે તેમાં સૂત્ર રૂપે રહેલું તે તારું મૂળ તત્ત્વ છે. ઈશ્વરમાં તું ઈશ્વરરૂપ છે અને જીવમાં તું જીવસ્વરૂપ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પણ સાહામું તાહારે કોય નથી, દીસે તે ભ્રમની મોરથી,
{{Block center|'''<poem>પણ સાહામું તાહારે કોય નથી, દીસે તે ભ્રમની મોરથી,
માહાનિધ્ય છે પોષણ તુજ તણું, અને તું માને સામૃથ્ય આપણું. ૧૦૬</poem>}}
માહાનિધ્ય છે પોષણ તુજ તણું, અને તું માને સામૃથ્ય આપણું. ૧૦૬</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ખરેખર તારી સામે કશું નથી. જે દેખાય છે તે ભ્રમને કારણે છે. તારું પોષણ મહાનિધિ (બ્રહ્મ) છે. એટલે કે તારા જીવત્વ – ઈશ્વરત્વનો આધાર બ્રહ્મચૈતન્ય છે અને તેને તું પોતાનું સામર્થ્ય માને છે.
ખરેખર તારી સામે કશું નથી. જે દેખાય છે તે ભ્રમને કારણે છે. તારું પોષણ મહાનિધિ (બ્રહ્મ) છે. એટલે કે તારા જીવત્વ – ઈશ્વરત્વનો આધાર બ્રહ્મચૈતન્ય છે અને તેને તું પોતાનું સામર્થ્ય માને છે.
પાઠચર્ચા : બીજા ચરણમાં ‘તાહારી મોરથી,’ ‘તારા મોરથી’ વગેરે પાઠને વધારે હપ્રનો ટેકો નથી પરંતુ સર્વ જગત જીવભાવનું જ સર્જન છે એવો અર્થ એમાંથી પણ નીકળે છે પરંતુ ક હપ્રનો પાઠ વધુ સ્પષ્ટ છે.
'''પાઠચર્ચા''' : બીજા ચરણમાં ‘તાહારી મોરથી,’ ‘તારા મોરથી’ વગેરે પાઠને વધારે હપ્રનો ટેકો નથી પરંતુ સર્વ જગત જીવભાવનું જ સર્જન છે એવો અર્થ એમાંથી પણ નીકળે છે પરંતુ ક હપ્રનો પાઠ વધુ સ્પષ્ટ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>માહાનિધ્ય કેરો સેહેજ વિલાસ, તુજ મુજ દ્વારા હોયે પ્રકાશ,
{{Block center|'''<poem>માહાનિધ્ય કેરો સેહેજ વિલાસ, તુજ મુજ દ્વારા હોયે પ્રકાશ,
માહાનિધ્ય તો સેહેજ જ અરૂપ, તુજ ઉલ્લસે થૈ આવે રૂપ. ૧૦૭</poem>}}
માહાનિધ્ય તો સેહેજ જ અરૂપ, તુજ ઉલ્લસે થૈ આવે રૂપ. ૧૦૭</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સર્વ મહાનિધિ (બ્રહ્મ)નો સહજવિલાસ છે. મારા અને તારા દ્વારા એ પ્રકાશે છે. મહાનિધિ તો મૂળભૂત રીતે જ અરૂપ છે. તારા પ્રગટીકરણથી એને રૂપ મળે છે.
સર્વ મહાનિધિ (બ્રહ્મ)નો સહજવિલાસ છે. મારા અને તારા દ્વારા એ પ્રકાશે છે. મહાનિધિ તો મૂળભૂત રીતે જ અરૂપ છે. તારા પ્રગટીકરણથી એને રૂપ મળે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>રૂપ થાએ ત્યાંહાં[૧૦ખ]તુંમાં હોઇ, રૂપદરશી તું વ્યસા સોય,  
{{Block center|'''<poem>રૂપ થાએ ત્યાંહાં[૧૦ખ]તુંમાં હોઇ, રૂપદરશી તું વ્યસા સોય,  
જો તું તાહારું લહે તુજપણું, તો કેહેવા ન રહે પર-આપણું. ૧૦૮</poem>}}
જો તું તાહારું લહે તુજપણું, તો કેહેવા ન રહે પર-આપણું. ૧૦૮</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
(અરૂપ) બ્રહ્મ જ્યારે રૂપ ધારણ કરે છે ત્યારે તે તારામાં હોય છે – તારું અસ્તિત્વ ઊભું થાય છે. તું સો ટકા – નિશ્ચિતપણે બ્રહ્મનું રૂપ પ્રકટ કરનાર – બ્રહ્મનું પ્રકટ રૂપ છે. જો તું તારું તુજપણું (તારું મૂળ સ્વરૂપ) જાણે તો બીજાનું અને મારું એમ કહેવાનું ન રહે.
(અરૂપ) બ્રહ્મ જ્યારે રૂપ ધારણ કરે છે ત્યારે તે તારામાં હોય છે – તારું અસ્તિત્વ ઊભું થાય છે. તું સો ટકા – નિશ્ચિતપણે બ્રહ્મનું રૂપ પ્રકટ કરનાર – બ્રહ્મનું પ્રકટ રૂપ છે. જો તું તારું તુજપણું (તારું મૂળ સ્વરૂપ) જાણે તો બીજાનું અને મારું એમ કહેવાનું ન રહે.
પાઠચર્ચા : પહેલા ચરણમાં ‘તુંમાં’ ને સ્થાને ‘તું તાં’ વગેરે પાઠ બીજી હપ્ર આપે છે તેનો અર્થ એવો થાય કે બ્રહ્મ જ્યારે રૂપ ધારણ કરે છે ત્યારે તું એટલે કે જીવ અસ્તિત્વમાં આવે છે. બીજા ચરણમાં ‘વ્યસા’ને સ્થાને ‘વ્યસો/વસ્યો’ પાઠ લઈએ તો તું બ્રહ્મનું રૂપ દર્શાવનાર – પ્રકટ રૂપ – છે અને તે (બ્રહ્મ) તારામાં વસેલ છે એવો અર્થ કરવાનો રહે.
'''પાઠચર્ચા''' : પહેલા ચરણમાં ‘તુંમાં’ ને સ્થાને ‘તું તાં’ વગેરે પાઠ બીજી હપ્ર આપે છે તેનો અર્થ એવો થાય કે બ્રહ્મ જ્યારે રૂપ ધારણ કરે છે ત્યારે તું એટલે કે જીવ અસ્તિત્વમાં આવે છે. બીજા ચરણમાં ‘વ્યસા’ને સ્થાને ‘વ્યસો/વસ્યો’ પાઠ લઈએ તો તું બ્રહ્મનું રૂપ દર્શાવનાર – પ્રકટ રૂપ – છે અને તે (બ્રહ્મ) તારામાં વસેલ છે એવો અર્થ કરવાનો રહે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>અપંચીક્રણ માંહાંથું પંચીક્રણ થાઇ, તે પાછું તે માંહાં વિલાઈ જાઇ,
{{Block center|'''<poem>અપંચીક્રણ માંહાંથું પંચીક્રણ થાઇ, તે પાછું તે માંહાં વિલાઈ જાઇ,
ત્યારે તું તાં રહેતો નથી, જો તું માહાનિધ્ય મોરથી. ૧૦૯</poem>}}
ત્યારે તું તાં રહેતો નથી, જો તું માહાનિધ્ય મોરથી. ૧૦૯</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અપંચીકરણમાંથી પંચીકરણ થાય ત્યારે તે પાછું તેમાં (એટલે કે અપંચીકૃત અવસ્થામાં) વિલીન થાય તે સ્થિતિમાં ત્યાં તું રહેતો નથી. એટલે કે તારી અલગતા રહેતી નથી. તારું અસ્તિત્વ બ્રહ્મચૈતન્યને કારણે છે તે તું સમજી લે.
અપંચીકરણમાંથી પંચીકરણ થાય ત્યારે તે પાછું તેમાં (એટલે કે અપંચીકૃત અવસ્થામાં) વિલીન થાય તે સ્થિતિમાં ત્યાં તું રહેતો નથી. એટલે કે તારી અલગતા રહેતી નથી. તારું અસ્તિત્વ બ્રહ્મચૈતન્યને કારણે છે તે તું સમજી લે.
સમજૂતી : બ્રહ્મમાંથી જીવ અને જગતની ઉત્પત્તિની જે પ્રક્રિયા તે પંચીકરણ કહેવાય છે. પંચીકરણ એટલે પંચમહાભૂતો એકબીજા સાથે જોડાઈને આ સૃષ્ટિને ઉત્પન્ન કરે તે ક્રિયા. તેની વીગતે સમજૂતી વેદાંત આપે છે. કેવળ બ્રહ્મની અવસ્થા તે અપંચીકૃત અવસ્થા છે.
'''સમજૂતી''' : બ્રહ્મમાંથી જીવ અને જગતની ઉત્પત્તિની જે પ્રક્રિયા તે પંચીકરણ કહેવાય છે. પંચીકરણ એટલે પંચમહાભૂતો એકબીજા સાથે જોડાઈને આ સૃષ્ટિને ઉત્પન્ન કરે તે ક્રિયા. તેની વીગતે સમજૂતી વેદાંત આપે છે. કેવળ બ્રહ્મની અવસ્થા તે અપંચીકૃત અવસ્થા છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>થાતું દીસે સર્વ તુજ વડે, તે જોતાં આઘું નીમડે,
{{Block center|'''<poem>થાતું દીસે સર્વ તુજ વડે, તે જોતાં આઘું નીમડે,
ચિત્ત કહે હું જાણું છું હું તાં નહીં, એમ જોતાં તો બેહું જૈ કહીં. ૧૧૦</poem>}}  
ચિત્ત કહે હું જાણું છું હું તાં નહીં, એમ જોતાં તો બેહું જૈ કહીં. ૧૧૦</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
તારા વડે બધું થતું દેખાય છે પણ વિચાર કરતાં આગળની (બ્રહ્મભાવની) સ્થિતિ નીપજે છે. ચિત્ત કહે છે : હું જાણું છું કે હું ત્યાં (કેવલ બ્રહ્મની સ્થિતિમાં) નથી. પણ એમ વિચારીએ તો એ વાત ક્યાં જઈને પહોંચે?
તારા વડે બધું થતું દેખાય છે પણ વિચાર કરતાં આગળની (બ્રહ્મભાવની) સ્થિતિ નીપજે છે. ચિત્ત કહે છે : હું જાણું છું કે હું ત્યાં (કેવલ બ્રહ્મની સ્થિતિમાં) નથી. પણ એમ વિચારીએ તો એ વાત ક્યાં જઈને પહોંચે?
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ત્રિપદનો સમઝાણો ભેદ, હવે એક સંશેનો કર્ય ઉછેદ,
{{Block center|'''<poem>ત્રિપદનો સમઝાણો ભેદ, હવે એક સંશેનો કર્ય ઉછેદ,
છતે પિંડ્યે હું તું મલી વદું, પણ પડ્યે પિંડ્યે કોએ ન કહે પદું. ૧૧૧</poem>}}
છતે પિંડ્યે હું તું મલી વદું, પણ પડ્યે પિંડ્યે કોએ ન કહે પદું. ૧૧૧</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ત્રણ પદ (જીવ, ઈશ્વર, બ્રહ્મ)નો ભેદ (રહસ્ય) મને સમજાયો. હવે એક સંશયને દૂર કર. શરીર હોવાથી હું અને તું બંને મળી વાત કરી શકીએ છીએ. પણ શરીર જતાં (શરીરનો નાશ થતાં) હું કંઈ કરું છું – આચરું છું એમ કોઈ કહી ન શકે.
ત્રણ પદ (જીવ, ઈશ્વર, બ્રહ્મ)નો ભેદ (રહસ્ય) મને સમજાયો. હવે એક સંશયને દૂર કર. શરીર હોવાથી હું અને તું બંને મળી વાત કરી શકીએ છીએ. પણ શરીર જતાં (શરીરનો નાશ થતાં) હું કંઈ કરું છું – આચરું છું એમ કોઈ કહી ન શકે.
સમજૂતી : ‘પદું’નો ‘અખાની વાણી’માં ‘પદવીવાળું’ અર્થ આપ્યો છે. પણ તે કોઈ રીતે બેસતો નથી. સંસ્કૃત પદ્‌ = કરવું, આચરવું એમ છે જે ભગવદ્‌ ગોમંડળ પણ નોંધે છે તે અહીં કદાચ હોઈ શકે. જોકે, ગુજરાતીમાં આવું કોઈ ક્રિયાપદ હોવાનું અન્યત્રથી સમર્થિત થતું નથી.
'''સમજૂતી''' : ‘પદું’નો ‘અખાની વાણી’માં ‘પદવીવાળું’ અર્થ આપ્યો છે. પણ તે કોઈ રીતે બેસતો નથી. સંસ્કૃત પદ્‌ = કરવું, આચરવું એમ છે જે ભગવદ્‌ ગોમંડળ પણ નોંધે છે તે અહીં કદાચ હોઈ શકે. જોકે, ગુજરાતીમાં આવું કોઈ ક્રિયાપદ હોવાનું અન્યત્રથી સમર્થિત થતું નથી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પડ્યે પંડ્યે કેહી પેર્યેં વ્યર્ત્ત્ય, તેહેની કાંઈ કેહેની મુજ ન્યર્ત્ત્ય,
{{Block center|'''<poem>પડ્યે પંડ્યે કેહી પેર્યેં વ્યર્ત્ત્ય, તેહેની કાંઈ કેહેની મુજ ન્યર્ત્ત્ય,
ત્યારે વલતો બોલ્યો વિચાર, ત્યેં હવડાં સ્યો રાખ્યો છે નિરધાર. ૧૧૨</poem>}}
ત્યારે વલતો બોલ્યો વિચાર, ત્યેં હવડાં સ્યો રાખ્યો છે નિરધાર. ૧૧૨</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
શરીર જતાં કેવા પ્રકારની સ્થિતિ થાય છે તેની કંઈક સમજૂતી મને આપ. (અથવા તેનું શું પરિણામ આવે છે તે તું મને કહે.) ત્યારે જવાબ રૂપે  વિચારે કહ્યું : તેં હમણાં શો નિશ્ચય રાખ્યો છે?
શરીર જતાં કેવા પ્રકારની સ્થિતિ થાય છે તેની કંઈક સમજૂતી મને આપ. (અથવા તેનું શું પરિણામ આવે છે તે તું મને કહે.) ત્યારે જવાબ રૂપે  વિચારે કહ્યું : તેં હમણાં શો નિશ્ચય રાખ્યો છે?
પાઠચર્ચા : પહેલા ચરણમાં ક ગ હપ્રમાં ‘પંડ્યેં પંડ્યેં’ પાઠ મળે છે. એનો અર્થ ‘શરીરે શરીરે’ એમ થાય. પરંતુ આગળની-પાછળની કડીઓમાં ‘પડ્યેં પિંડ્યેં/પંડ્યેં (શરીર જતાં) એ પાઠ મળે છે. અહીં એ અર્થનો જ સંદર્ભ છે અને અન્ય કેટલીક હપ્ર અહીં ‘પડ્યે પિંડ્યે’ (ખ હપ્ર) અને ‘પડ્યે પંડે’ (ઝ હપ્ર) વગેરે પાઠ આપે છે તેથી ‘પંડ્યે’ને સ્થાને ‘પડ્યેં’ પાઠ સ્વીકાર્યો છે.
'''પાઠચર્ચા''' : પહેલા ચરણમાં ક ગ હપ્રમાં ‘પંડ્યેં પંડ્યેં’ પાઠ મળે છે. એનો અર્થ ‘શરીરે શરીરે’ એમ થાય. પરંતુ આગળની-પાછળની કડીઓમાં ‘પડ્યેં પિંડ્યેં/પંડ્યેં (શરીર જતાં) એ પાઠ મળે છે. અહીં એ અર્થનો જ સંદર્ભ છે અને અન્ય કેટલીક હપ્ર અહીં ‘પડ્યે પિંડ્યે’ (ખ હપ્ર) અને ‘પડ્યે પંડે’ (ઝ હપ્ર) વગેરે પાઠ આપે છે તેથી ‘પંડ્યે’ને સ્થાને ‘પડ્યેં’ પાઠ સ્વીકાર્યો છે.
સમજૂતી : ‘નિરતિ’ પરથી ‘ન્યર્ત્ય’ થઈ શકે પણ તે અહીં અર્થમાં બેસે તેમ નથી. ‘નિવૃત્તિ’ પરથી ‘ન્યર્ત્ય’ કર્યું લાગે છે. જુઓ પૃ. ૮૪
'''સમજૂતી''' : ‘નિરતિ’ પરથી ‘ન્યર્ત્ય’ થઈ શકે પણ તે અહીં અર્થમાં બેસે તેમ નથી. ‘નિવૃત્તિ’ પરથી ‘ન્યર્ત્ય’ કર્યું લાગે છે. જુઓ પૃ. ૮૪
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે હવડાં તો ભાસે છે સલગ, જ્યમ કનક કટક જોતાં નહીં અલગ,  
{{Block center|'''<poem>ચિત્ત કહે હવડાં તો ભાસે છે સલગ, જ્યમ કનક કટક જોતાં નહીં અલગ,  
વિચાર કહે હવડાં જ્યમ હશે, પડ્યે પંડ્યે ત્યમ[૧૧ક] જ રહ્યું જશે. ૧૧૩</poem>}}
વિચાર કહે હવડાં જ્યમ હશે, પડ્યે પંડ્યે ત્યમ[૧૧ક] જ રહ્યું જશે. ૧૧૩</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : હમણાં તો સળંગ – એકરૂપ લાગે છે, જેમ વિચાર કરતાં સોનું અને સોનાનું કડું અલગ જણાતાં નથી તેમ. વિચાર કહે છે : હમણાં જેવી સ્થિતિ હશે તેવી સ્થિતિ શરીર નાશ પામશે ત્યારે પણ રહેશે.
ચિત્ત કહે છે : હમણાં તો સળંગ – એકરૂપ લાગે છે, જેમ વિચાર કરતાં સોનું અને સોનાનું કડું અલગ જણાતાં નથી તેમ. વિચાર કહે છે : હમણાં જેવી સ્થિતિ હશે તેવી સ્થિતિ શરીર નાશ પામશે ત્યારે પણ રહેશે.
સમજૂતી : અહીં આવતા ‘કનક કટક’ એ શબ્દો નરસિંહ મહેતાની પંક્તિઓની યાદ અપાવે. ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...’ એ પદમાં “વેદ તો એમ વદે, શ્રુતિસ્મૃતિ સાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન્હોયે, ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.”
'''સમજૂતી''' : અહીં આવતા ‘કનક કટક’ એ શબ્દો નરસિંહ મહેતાની પંક્તિઓની યાદ અપાવે. ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...’ એ પદમાં “વેદ તો એમ વદે, શ્રુતિસ્મૃતિ સાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન્હોયે, ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.”
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>જ્યારે જેહેવો તેહેવો તું, પણ દેહનું કારણ ન ગણું હું,
{{Block center|'''<poem>જ્યારે જેહેવો તેહેવો તું, પણ દેહનું કારણ ન ગણું હું,
માહાનિધ્યની તરંગ તું ચિત્ત, અને દેહ તો ભૂત તણો આવૃત્ત. ૧૧૪</poem>}}
માહાનિધ્યની તરંગ તું ચિત્ત, અને દેહ તો ભૂત તણો આવૃત્ત. ૧૧૪</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તું જેવો હોય તેવો હંમેશાં રહે છે. શરીર એ સ્થિતિભેદનું કારણ નથી. ચિત્ત, તું મહાનિધિ (બ્રહ્મ)નો તરંગ છે અને દેહ તો પંચમહાભૂતનું આવરણ છે.
તું જેવો હોય તેવો હંમેશાં રહે છે. શરીર એ સ્થિતિભેદનું કારણ નથી. ચિત્ત, તું મહાનિધિ (બ્રહ્મ)નો તરંગ છે અને દેહ તો પંચમહાભૂતનું આવરણ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>સેહેજ સુભાવે ઊઠી લેહેર, મોટું સામૃથ્ય ગ્રહી બેસો ગેહેર,
{{Block center|'''<poem>સેહેજ સુભાવે ઊઠી લેહેર, મોટું સામૃથ્ય ગ્રહી બેસો ગેહેર,
તેણે ભૂત પ્રેર્યાં તો ચાલ્યા જાઇ, લક્ષ ચોરાશી બીબાં ભરાઈ. ૧૧૫</poem>}}
તેણે ભૂત પ્રેર્યાં તો ચાલ્યા જાઇ, લક્ષ ચોરાશી બીબાં ભરાઈ. ૧૧૫</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મહાનિધિમાં એના સહજ સ્વભાવથી લહેર ઊઠે છે. (તું એ મહાનિધિની લહેર છે એ રીતે) તારું મોટું સામર્થ્ય સમજીને શાંતિથી બેસી રહે. પરબ્રહ્મે જે પંચમહાભૂતોને પ્રેર્યાં તેનો પ્રવાહ વહે છે અને તે ચોરાસી લાખ પ્રકારનાં બીબાં એટલે કે યોનિમાં ઢળે છે.
મહાનિધિમાં એના સહજ સ્વભાવથી લહેર ઊઠે છે. (તું એ મહાનિધિની લહેર છે એ રીતે) તારું મોટું સામર્થ્ય સમજીને શાંતિથી બેસી રહે. પરબ્રહ્મે જે પંચમહાભૂતોને પ્રેર્યાં તેનો પ્રવાહ વહે છે અને તે ચોરાસી લાખ પ્રકારનાં બીબાં એટલે કે યોનિમાં ઢળે છે.
પાઠચર્ચા : બીજા ચરણમાં અન્ય બધી હપ્ર ‘ગૈયર ગહેર’ (ખ) ગૈહર ગહેર’ (ચ) વગેરે પાઠ આપે છે તે ઘણા અસ્પષ્ટ છે. અખાજીએ ‘ઘેર’નું ‘ગેહેર’ કર્યું. તે ‘લેહેર’ સાથે પ્રાસ મેળવવા માટે કર્યું જણાય છે. ત્રીજા ચરણમાં અન્ય બધી હપ્ર ‘ચાલ્યા’ પાઠ આપતી નથી પણ અર્થ દૃષ્ટિએ એ આવશ્યક લાગે છે.
'''પાઠચર્ચા''' : બીજા ચરણમાં અન્ય બધી હપ્ર ‘ગૈયર ગહેર’ (ખ) ગૈહર ગહેર’ (ચ) વગેરે પાઠ આપે છે તે ઘણા અસ્પષ્ટ છે. અખાજીએ ‘ઘેર’નું ‘ગેહેર’ કર્યું. તે ‘લેહેર’ સાથે પ્રાસ મેળવવા માટે કર્યું જણાય છે. ત્રીજા ચરણમાં અન્ય બધી હપ્ર ‘ચાલ્યા’ પાઠ આપતી નથી પણ અર્થ દૃષ્ટિએ એ આવશ્યક લાગે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પંડ્ય પરમાણે તું થૈ રહે, તો તો દેહ સરખો થૈ વહે,
{{Block center|'''<poem>પંડ્ય પરમાણે તું થૈ રહે, તો તો દેહ સરખો થૈ વહે,
જો પૂરવ જુએ પોતા તણું, તો તો છે જ સતંતરપણું. ૧૧૬</poem>}}
જો પૂરવ જુએ પોતા તણું, તો તો છે જ સતંતરપણું. ૧૧૬</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જો તું તારી જાતને શરીરના માપે જુએ તો તું દેહરૂપ થૈને રહે. (પણ) જો તું તારું પૂર્વ જુવે તો તારું સ્વતંત્રપણું (દેહથી) સ્પષ્ટ છે.
જો તું તારી જાતને શરીરના માપે જુએ તો તું દેહરૂપ થૈને રહે. (પણ) જો તું તારું પૂર્વ જુવે તો તારું સ્વતંત્રપણું (દેહથી) સ્પષ્ટ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે સતંતરતા તો જ્ઞાને હોઇ, પણ વણજ્ઞાને તાં સ્ફુરણ જન હોઇ,
{{Block center|'''<poem>ચિત્ત કહે સતંતરતા તો જ્ઞાને હોઇ, પણ વણજ્ઞાને તાં સ્ફુરણ જન હોઇ,
મનીશ વિના અનેરી જાત્ય, ત્યાંહાં તો ન હોઇ પણું સાક્ષાત. ૧૧૭</poem>}}
મનીશ વિના અનેરી જાત્ય, ત્યાંહાં તો ન હોઇ પણું સાક્ષાત. ૧૧૭</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : સ્વતંત્રતા તો જ્ઞાનને કારણે હોય છે, પણ જ્ઞાન વિના (સ્વતંત્રતાનું – આત્મભાવનું) સ્ફુરણ જ થતું નથી. મનુષ્ય વિનાની જે બીજી જાતિઓ છે ત્યાં તો સાક્ષાત્કાર થતો નથી.
ચિત્ત કહે છે : સ્વતંત્રતા તો જ્ઞાનને કારણે હોય છે, પણ જ્ઞાન વિના (સ્વતંત્રતાનું – આત્મભાવનું) સ્ફુરણ જ થતું નથી. મનુષ્ય વિનાની જે બીજી જાતિઓ છે ત્યાં તો સાક્ષાત્કાર થતો નથી.
સમજૂતી : અહીં સાક્ષાત્કાર એટલે પોતાપણાનું – પોતે દેહથી અલગ ચૈતન્યરૂપ હોવાનું જ્ઞાન.
'''સમજૂતી''' : અહીં સાક્ષાત્કાર એટલે પોતાપણાનું – પોતે દેહથી અલગ ચૈતન્યરૂપ હોવાનું જ્ઞાન.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ત્યારે વલતો બોલ્યો વિચાર, કાંઈ મનુશદેહે જ નથી નિર્ધાર,
{{Block center|'''<poem>ત્યારે વલતો બોલ્યો વિચાર, કાંઈ મનુશદેહે જ નથી નિર્ધાર,
મનુશદેહ રાખ્યસ ગજ નાગ, અર્જુન વૃક્ષ કપિ જક્ષ કાગ. ૧૧૮</poem>}}
મનુશદેહ રાખ્યસ ગજ નાગ, અર્જુન વૃક્ષ કપિ જક્ષ કાગ. ૧૧૮</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ત્યારે જવાબમાં વિચાર બોલ્યો : કંઈ મનુષ્યદેહમાં જ ચૈતન્ય છે એવું નિશ્ચિત નથી. મનુષ્યદેહ, રાક્ષસ, હાથી, નાગ, મોર, વૃક્ષ, વાંદરો, યક્ષ, કાગડો –
ત્યારે જવાબમાં વિચાર બોલ્યો : કંઈ મનુષ્યદેહમાં જ ચૈતન્ય છે એવું નિશ્ચિત નથી. મનુષ્યદેહ, રાક્ષસ, હાથી, નાગ, મોર, વૃક્ષ, વાંદરો, યક્ષ, કાગડો –
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>એ તો જાત્ય જણાવા કહ્યા મેં તુંને, છે ચૈતન્યઠાઠ જાણી રહે [૧૧ખ] મને,
{{Block center|'''<poem>એ તો જાત્ય જણાવા કહ્યા મેં તુંને, છે ચૈતન્યઠાઠ જાણી રહે [૧૧ખ] મને,
છે તો સઘલો ચિદવિલાસ, ત્યેં જ તાહારો કરવો તપાસ. ૧૧૯</poem>}}
છે તો સઘલો ચિદવિલાસ, ત્યેં જ તાહારો કરવો તપાસ. ૧૧૯</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ તો મેં તને (પ્રાણીઓની જુદી જુદી) જાતનું જ્ઞાન થાય તે માટે કહ્યાં પણ આ બધો ચૈતન્યનો વિસ્તાર છે એમ મનથી સમજીને તું રહે. આ રીતે આખી સૃષ્ટિ ચૈતન્યનો જ વિલાસ છે. તારે જ તારા સ્વરૂપની તપાસ કરવી.
આ તો મેં તને (પ્રાણીઓની જુદી જુદી) જાતનું જ્ઞાન થાય તે માટે કહ્યાં પણ આ બધો ચૈતન્યનો વિસ્તાર છે એમ મનથી સમજીને તું રહે. આ રીતે આખી સૃષ્ટિ ચૈતન્યનો જ વિલાસ છે. તારે જ તારા સ્વરૂપની તપાસ કરવી.
સમજૂતી : ‘તપાસ’ શબ્દ પુલ્લિંગમાં છે તે નોંધપાત્ર છે.
'''સમજૂતી''' : ‘તપાસ’ શબ્દ પુલ્લિંગમાં છે તે નોંધપાત્ર છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પશુ પંખી દ્રુમ જલચર જોએ, ચૈતન્યમાં અલગો નથી કોએ,
{{Block center|'''<poem>પશુ પંખી દ્રુમ જલચર જોએ, ચૈતન્યમાં અલગો નથી કોએ,
હીન અવાચ્યક દેખીને ચિત્ત, રખે માને થોડું ઘણું વ્યત્ત. ૧૨૦</poem>}}
હીન અવાચ્યક દેખીને ચિત્ત, રખે માને થોડું ઘણું વ્યત્ત. ૧૨૦</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચૈતન્યની દૃષ્ટિએ પશુ, પંખી, વૃક્ષ, જલચર કોઈ જુદાં નથી. હીન (ઊતરતા પ્રકારનાં) અને મૂંગાં પ્રાણીઓને જોઈને ઓછુંવત્તું વિત્ત (ચૈતન્ય) છે એમ રખે માનતો.
ચૈતન્યની દૃષ્ટિએ પશુ, પંખી, વૃક્ષ, જલચર કોઈ જુદાં નથી. હીન (ઊતરતા પ્રકારનાં) અને મૂંગાં પ્રાણીઓને જોઈને ઓછુંવત્તું વિત્ત (ચૈતન્ય) છે એમ રખે માનતો.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે છે સુણ્ય રે વિચાર, એ તો કાંઈ ઊંડો નિર્ધાર,
{{Block center|'''<poem>ચિત્ત કહે છે સુણ્ય રે વિચાર, એ તો કાંઈ ઊંડો નિર્ધાર,
મેં જાણ્યુંતું તે કહીએ રહી ગયું, અને કલ્પ્યું ન જાએ તે પરગટ થયું. ૧૨૧</poem>}}
મેં જાણ્યુંતું તે કહીએ રહી ગયું, અને કલ્પ્યું ન જાએ તે પરગટ થયું. ૧૨૧</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : વિચાર સાંભળ, એ તો કંઈક ઊંડી વાત છે. મેં જે જાણ્યું હતું તે ક્યાંય રહી ગયું અને જેની કલ્પના પણ ન થઈ શકે તે પ્રગટ થયું.
ચિત્ત કહે છે : વિચાર સાંભળ, એ તો કંઈક ઊંડી વાત છે. મેં જે જાણ્યું હતું તે ક્યાંય રહી ગયું અને જેની કલ્પના પણ ન થઈ શકે તે પ્રગટ થયું.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>મૂઆ પછીનું શું પૂછું તુંને, તે આફણીએ સ્ફુર્ણ થયું મને,
{{Block center|'''<poem>મૂઆ પછીનું શું પૂછું તુંને, તે આફણીએ સ્ફુર્ણ થયું મને,
વિચાર કહે મુજ કહી દેખાડ્ય, હું જાણું જે તાહારી ભાગી જાડ્ય. ૧૨૨</poem>}}
વિચાર કહે મુજ કહી દેખાડ્ય, હું જાણું જે તાહારી ભાગી જાડ્ય. ૧૨૨</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મૃત્યુ પછી શું થાય છે એ (વિશે) હું તને શું પૂછું? તેનું મને આપોઆપ જ્ઞાન થયું છે. વિચાર કહે : તું મને તે કહી બતાવ કે જેથી હું જાણું કે તારી જડતા – તારું અજ્ઞાન દૂર થયું છે.
મૃત્યુ પછી શું થાય છે એ (વિશે) હું તને શું પૂછું? તેનું મને આપોઆપ જ્ઞાન થયું છે. વિચાર કહે : તું મને તે કહી બતાવ કે જેથી હું જાણું કે તારી જડતા – તારું અજ્ઞાન દૂર થયું છે.
સમજૂતી : ‘જાડ્ય’ શબ્દ જડતાના સંસ્કારથી ‘સ્ત્રીલિંગ’માં વપરાયો જણાય છે.{{Poem2Close}}
'''સમજૂતી''' : ‘જાડ્ય’ શબ્દ જડતાના સંસ્કારથી ‘સ્ત્રીલિંગ’માં વપરાયો જણાય છે.{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે છે મુને જ્યારે સુષોપતી હોઇ, ત્યારે દેહ પ્રાણનું સ્ફુરણ તે ન હોઇ,  
{{Block center|'''<poem>ચિત્ત કહે છે મુને જ્યારે સુષોપતી હોઇ, ત્યારે દેહ પ્રાણનું સ્ફુરણ તે ન હોઇ,  
માહારું એ ન જાણું રૂપ, ત્યારે હું સદોદિત ભૂપ. ૧૨૩</poem>}}
માહારું એ ન જાણું રૂપ, ત્યારે હું સદોદિત ભૂપ. ૧૨૩</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : જ્યારે મને સુષુપ્તિ હોય ત્યારે દેહ અને પ્રાણનું ભાન હોતું નથી. દેહપ્રાણમય અસ્તિત્વને હું મારું રૂપ ન માનું ત્યારે હું સદા પ્રકાશમાન રાજા (બ્રહ્મસ્વરૂપ) બની જાઉં છું.
ચિત્ત કહે છે : જ્યારે મને સુષુપ્તિ હોય ત્યારે દેહ અને પ્રાણનું ભાન હોતું નથી. દેહપ્રાણમય અસ્તિત્વને હું મારું રૂપ ન માનું ત્યારે હું સદા પ્રકાશમાન રાજા (બ્રહ્મસ્વરૂપ) બની જાઉં છું.
સમજૂતી : સુષુપ્તિ અવસ્થા એટલે ગાઢ – સ્વપ્ન વગરની નિદ્રાની અવસ્થા. વેદાંતની દૃષ્ટિએ આ અજ્ઞાન અને સુખની અવસ્થા છે. બાહ્યજગતના વિષયો એમાં રહેતા નથી. તેથી જીવ એ વિષયોનો જ્ઞાતા પણ રહેતો નથી. આ રીતે એ અજ્ઞાનની અવસ્થા છે. વિષયોને કારણે જન્મતા ક્લેશો પણ તે વખતે હોતા નથી તેથી તે સુખની અવસ્થા છે. પરંતુ એ સાથે એમાં દેહભાન હોતું નથી પણ ચેતના તો હોય છે જેને કારણે માણસ જાગીને કહે છે કે મને ઘણી સારી ઊંઘ આવી એટલે આ આનંદમય આત્મસ્વરૂપની સ્થિતિ છે. વેદાંતની દૃષ્ટિએ સુષુપ્તિઅવસ્થા દેહમાં ન બંધાયેલા અનંત આત્મતત્ત્વનો સંકેત કરે છે એ દૃષ્ટિએ મહત્ત્વની છે.
'''સમજૂતી''' : સુષુપ્તિ અવસ્થા એટલે ગાઢ – સ્વપ્ન વગરની નિદ્રાની અવસ્થા. વેદાંતની દૃષ્ટિએ આ અજ્ઞાન અને સુખની અવસ્થા છે. બાહ્યજગતના વિષયો એમાં રહેતા નથી. તેથી જીવ એ વિષયોનો જ્ઞાતા પણ રહેતો નથી. આ રીતે એ અજ્ઞાનની અવસ્થા છે. વિષયોને કારણે જન્મતા ક્લેશો પણ તે વખતે હોતા નથી તેથી તે સુખની અવસ્થા છે. પરંતુ એ સાથે એમાં દેહભાન હોતું નથી પણ ચેતના તો હોય છે જેને કારણે માણસ જાગીને કહે છે કે મને ઘણી સારી ઊંઘ આવી એટલે આ આનંદમય આત્મસ્વરૂપની સ્થિતિ છે. વેદાંતની દૃષ્ટિએ સુષુપ્તિઅવસ્થા દેહમાં ન બંધાયેલા અનંત આત્મતત્ત્વનો સંકેત કરે છે એ દૃષ્ટિએ મહત્ત્વની છે.
સુષુપ્તિ વિશેનો આ વેદાંતવિચાર અહીં પ્રતિબિંબિત થયો છે.
સુષુપ્તિ વિશેનો આ વેદાંતવિચાર અહીં પ્રતિબિંબિત થયો છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>કલ છૂટી જ્યારે સુષોપતી તણી, ત્યારે હું આવું દેહ ભણી,
{{Block center|'''<poem>કલ છૂટી જ્યારે સુષોપતી તણી, ત્યારે હું આવું દેહ ભણી,
દેહસંગ્યે સંકલ્પ ઘટમટ્ય, વિષેભોગ કે શાસ્ત્રખટપટ્ય. ૧૨૪</poem>}}
દેહસંગ્યે સંકલ્પ ઘટમટ્ય, વિષેભોગ કે શાસ્ત્રખટપટ્ય. ૧૨૪</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જ્યારે સુષુપ્તિઅવસ્થાની મૂર્છા દૂર થાય છે ત્યારે મને દેહનું ભાન થાય છે. દેહની સાથે સંકલ્પ-વિકલ્પ, વિષયભોગ કે શાસ્ત્રવિચાર બધું આવે છે.
જ્યારે સુષુપ્તિઅવસ્થાની મૂર્છા દૂર થાય છે ત્યારે મને દેહનું ભાન થાય છે. દેહની સાથે સંકલ્પ-વિકલ્પ, વિષયભોગ કે શાસ્ત્રવિચાર બધું આવે છે.
Line 719: Line 719:
{{Poem2Open}}
{{Poem2Open}}
ત્યારે જવાબમાં વિચાર બોલ્યો : તેં ખરો નિર્ણય કર્યો છે. ચિત્ત કહે છે : (મને) એવું દેખાયું-સમજાયું કે એ સૃષ્ટિપ્રપંચ કંઈ મારો ઘડેલો નથી.
ત્યારે જવાબમાં વિચાર બોલ્યો : તેં ખરો નિર્ણય કર્યો છે. ચિત્ત કહે છે : (મને) એવું દેખાયું-સમજાયું કે એ સૃષ્ટિપ્રપંચ કંઈ મારો ઘડેલો નથી.
{{Poem2Close}}
'''સમજૂતી''' : છેલ્લા ચરણમાં અખાજીનું કહેવાનું તાત્પર્ય એ જણાય છે કે સૃષ્ટિપ્રપંચ દેહભાવનું પરિણામ છે પણ આત્મભાવને તેની સાથે સંબંધ નથી. ‘માહારું’ એટલે આત્મભાવનું સમજવાનું રહે. આત્મભાવમાં સ્થિર થયા પછી જગતભાવ થતો નથી.
{{Block center|'''<poem>સમજૂતી : છેલ્લા ચરણમાં અખાજીનું કહેવાનું તાત્પર્ય એ જણાય છે કે સૃષ્ટિપ્રપંચ દેહભાવનું પરિણામ છે પણ આત્મભાવને તેની સાથે સંબંધ નથી. ‘માહારું’ એટલે આત્મભાવનું સમજવાનું રહે. આત્મભાવમાં સ્થિર થયા પછી જગતભાવ થતો નથી.</poem>'''}}
{{Poem2Open}}
(આ સમજૂતી છે, શ્લોક નથી.)
(આ સમજૂતી છે, શ્લોક નથી.)
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 728: Line 726:
{{Poem2Open}}
{{Poem2Open}}
વિચાર કહે : જો એ સમજણમાં હંમેશાં રહે તો બીજું શું કહેવાનું? (પણ) મુક્તિ અને બંધનું ધોરણ છોડવા માટે તેં એના (મુક્તિબંધના) કારણ રૂપે દેહને ગણેલ છે.
વિચાર કહે : જો એ સમજણમાં હંમેશાં રહે તો બીજું શું કહેવાનું? (પણ) મુક્તિ અને બંધનું ધોરણ છોડવા માટે તેં એના (મુક્તિબંધના) કારણ રૂપે દેહને ગણેલ છે.
{{Poem2Close}}
'''સમજૂતી''' : છેલ્લાં બે ચરણ કંઈક અસ્પષ્ટ રહે છે.
{{Block center|'''<poem>સમજૂતી : છેલ્લાં બે ચરણ કંઈક અસ્પષ્ટ રહે છે.</poem>'''}}
{{Poem2Open}}
(આ સમજૂતી છે, શ્લોક નથી.)
(આ સમજૂતી છે, શ્લોક નથી.)
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 763: Line 759:
બ્રહ્માએ આત્માનું – બ્રહ્મનું સ્વરૂપ સ્પષ્ટ કરીને સમજાવ્યું, (જેથી) વિરોચનને તેનાથી શાંતિ થઈ. (એટલે કે તેની જિજ્ઞાસા સંતોષાઈ) પરંતુ ઇન્દ્રના મનથી એ માની શકાયું નહીં એટલે એ ફરીથી બ્રહ્મા પાસે આવ્યો.
બ્રહ્માએ આત્માનું – બ્રહ્મનું સ્વરૂપ સ્પષ્ટ કરીને સમજાવ્યું, (જેથી) વિરોચનને તેનાથી શાંતિ થઈ. (એટલે કે તેની જિજ્ઞાસા સંતોષાઈ) પરંતુ ઇન્દ્રના મનથી એ માની શકાયું નહીં એટલે એ ફરીથી બ્રહ્મા પાસે આવ્યો.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>માનનહારો ચિત્ત મુખ્ય તું, અને પોષણહારો નિકટે હું,
{{Block center|'''<poem>માનનહારો ચિત્ત મુખ્ય તું, અને પોષણહારો નિકટે હું,
માને તો પરમ ચૈતન પ્રાઇ, નહીં તો ચિત્ત રૂપે સદાઇ. ૧૩૪</poem>}}
માને તો પરમ ચૈતન પ્રાઇ, નહીં તો ચિત્ત રૂપે સદાઇ. ૧૩૪</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
માનવાની ક્રિયા કરનારો, ચિત્ત, મુખ્ય તું છે અને પોષણ આપનાર તારી નિકટ હું છું. જો તું માને તો તું પરમચૈતન્ય જ છે. નહીં તો સદા (હંમેશાં) ચિત્ત રૂપે જ છે.
માનવાની ક્રિયા કરનારો, ચિત્ત, મુખ્ય તું છે અને પોષણ આપનાર તારી નિકટ હું છું. જો તું માને તો તું પરમચૈતન્ય જ છે. નહીં તો સદા (હંમેશાં) ચિત્ત રૂપે જ છે.
સમજૂતી : કડી ૧૩૨–૩૪માં ઇન્દ્રવિરોચનની કથાનું દૃષ્ટાંત અપાયું છે તે અહીં કઈ રીતે લાગુ પાડવું તે પૂરતું સ્પષ્ટ થતું નથી. બ્રહ્મજ્ઞાન – આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે ઇન્દ્ર અને વિરોચન બ્રહ્મા પાસે રહ્યા હતા ત્યારે તેમની પરીક્ષા કરવા બ્રહ્માએ અસત્યવચન કહ્યું હતું કે આંખોમાં, પાણીમાં, દર્પણમાં જે આપણું પ્રતિબિંબ દેખાય છે તે આત્મા છે. વિરોચને બ્રહ્માના આ કથનને સત્ય માની દેહને જ આત્મા માની લીધો પરંતુ ઇન્દ્રે એ વાત માની નહીં અને ફરીથી બ્રહ્મા પાસે ગયા.
'''સમજૂતી''' : કડી ૧૩૨–૩૪માં ઇન્દ્રવિરોચનની કથાનું દૃષ્ટાંત અપાયું છે તે અહીં કઈ રીતે લાગુ પાડવું તે પૂરતું સ્પષ્ટ થતું નથી. બ્રહ્મજ્ઞાન – આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે ઇન્દ્ર અને વિરોચન બ્રહ્મા પાસે રહ્યા હતા ત્યારે તેમની પરીક્ષા કરવા બ્રહ્માએ અસત્યવચન કહ્યું હતું કે આંખોમાં, પાણીમાં, દર્પણમાં જે આપણું પ્રતિબિંબ દેખાય છે તે આત્મા છે. વિરોચને બ્રહ્માના આ કથનને સત્ય માની દેહને જ આત્મા માની લીધો પરંતુ ઇન્દ્રે એ વાત માની નહીં અને ફરીથી બ્રહ્મા પાસે ગયા.
અહીં વિચાર એમ કહે છે કે એ ઇન્દ્ર અને વિરોચન બ્રહ્માને પૂછવા ગયા ત્યારે ગુરુશિષ્ય રૂપે આપણે બંને હતા. આનો અર્થ એમ થાય કે ગુરુ બ્રહ્મા તે વિચાર અને ઇન્દ્રવિરોચનને સ્થાને ચિત્ત. ચિત્ત માનવા કે ન માનવાની બંને ક્રિયા કરે તેથી એ ઇન્દ્ર તેમજ વિરોચનને સ્થાને છે અને વિચાર બ્રહ્માની પેઠે એને તેના માર્ગે જવા દેનાર છે એમ બેસાડી શકાય, પરંતુ અખાજીને આમ જ અભિપ્રેત હશે કે કેમ એ વિશે સંશય રહે છે.
અહીં વિચાર એમ કહે છે કે એ ઇન્દ્ર અને વિરોચન બ્રહ્માને પૂછવા ગયા ત્યારે ગુરુશિષ્ય રૂપે આપણે બંને હતા. આનો અર્થ એમ થાય કે ગુરુ બ્રહ્મા તે વિચાર અને ઇન્દ્રવિરોચનને સ્થાને ચિત્ત. ચિત્ત માનવા કે ન માનવાની બંને ક્રિયા કરે તેથી એ ઇન્દ્ર તેમજ વિરોચનને સ્થાને છે અને વિચાર બ્રહ્માની પેઠે એને તેના માર્ગે જવા દેનાર છે એમ બેસાડી શકાય, પરંતુ અખાજીને આમ જ અભિપ્રેત હશે કે કેમ એ વિશે સંશય રહે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે છે સુણ્ય રે વિચાર, લોક ચૌદ્યે મોરો વિસ્તાર,
{{Block center|'''<poem>ચિત્ત કહે છે સુણ્ય રે વિચાર, લોક ચૌદ્યે મોરો વિસ્તાર,
તું સાહે થાતે દ્રષ્ટ્યે પડ્યું, પણ તુજ વિના તે રેહેતું અડ્યું. ૧૩૫</poem>}}
તું સાહે થાતે દ્રષ્ટ્યે પડ્યું, પણ તુજ વિના તે રેહેતું અડ્યું. ૧૩૫</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : વિચાર સાંભળ. ચૌદ લોક એ મારો જ વિસ્તાર છે. તારી સહાયથી એ સમજમાં આવ્યું પણ તારા વિના એ અટક્યું રહે છે.
ચિત્ત કહે છે : વિચાર સાંભળ. ચૌદ લોક એ મારો જ વિસ્તાર છે. તારી સહાયથી એ સમજમાં આવ્યું પણ તારા વિના એ અટક્યું રહે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચૌદ લોક લગી ચાલી સુર્ત્ય, તે તાં જ્યમ હસ્તામલકર્ત્ય,
{{Block center|'''<poem>ચૌદ લોક લગી ચાલી સુર્ત્ય, તે તાં જ્યમ હસ્તામલકર્ત્ય,
જીવ ઈશ્વરને ભેદ્યે કરી, બ્રહ્માંડ લગી એ બુધ્ય વિસ્તરી. ૧૩૬</poem>}}
જીવ ઈશ્વરને ભેદ્યે કરી, બ્રહ્માંડ લગી એ બુધ્ય વિસ્તરી. ૧૩૬</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચૌદ લોક સુધી વૃત્તિ પહોંચી અને એ હસ્તામલકવત્‌ (સ્પષ્ટ) છે. જીવ અને ઈશ્વર એવા ભેદ સાથે એ સમજણ બ્રહ્માંડ સુધી વિસ્તરેલી છે.
ચૌદ લોક સુધી વૃત્તિ પહોંચી અને એ હસ્તામલકવત્‌ (સ્પષ્ટ) છે. જીવ અને ઈશ્વર એવા ભેદ સાથે એ સમજણ બ્રહ્માંડ સુધી વિસ્તરેલી છે.
પાઠચર્ચા : બીજા ચરણમાં ‘હસ્તામલકર્ત્ય’ પાઠ દેખીતી રીતે તો અસ્પષ્ટ છે અને તેનાં પાઠાંતરો પણ સંતોષકારક નથી. ‘ર્ત્ય’ને સ્થાને એકલી ગ હપ્ર ‘રત્ય’ આપે છે, જે પ્રત એક રીતે ક પ્રતને અનુસરે છે ને બીજી છ હપ્ર ‘તર્ત’ કે ‘તર્ત્ય’ પાઠ આપે છે પણ આ પાઠો સંદર્ભમાં કશા ઉપયોગી અર્થ આપતા નથી. અ બ હપ્ર ‘વસ્ત’ પાઠ આપે છે તે અર્થની દૃષ્ટિએ સ્પષ્ટ ગણાય પણ તેને કોઈ હપ્રનો ટેકો નથી. એમ લાગે છે કે અખાજીએ ‘હસ્તામલકવત્‌’નું પ્રાસને અનુલક્ષીને ‘હસ્તામલકર્ત્ય’ કરી નાખ્યું હોય. એ રીતે આ અખાજીની ઘણી વિલક્ષણ તોડફોડ ગણાય. જોકે પાછું ‘જ્યમ’ તો એમણે વાપર્યું જ છે.
'''પાઠચર્ચા''' : બીજા ચરણમાં ‘હસ્તામલકર્ત્ય’ પાઠ દેખીતી રીતે તો અસ્પષ્ટ છે અને તેનાં પાઠાંતરો પણ સંતોષકારક નથી. ‘ર્ત્ય’ને સ્થાને એકલી ગ હપ્ર ‘રત્ય’ આપે છે, જે પ્રત એક રીતે ક પ્રતને અનુસરે છે ને બીજી છ હપ્ર ‘તર્ત’ કે ‘તર્ત્ય’ પાઠ આપે છે પણ આ પાઠો સંદર્ભમાં કશા ઉપયોગી અર્થ આપતા નથી. અ બ હપ્ર ‘વસ્ત’ પાઠ આપે છે તે અર્થની દૃષ્ટિએ સ્પષ્ટ ગણાય પણ તેને કોઈ હપ્રનો ટેકો નથી. એમ લાગે છે કે અખાજીએ ‘હસ્તામલકવત્‌’નું પ્રાસને અનુલક્ષીને ‘હસ્તામલકર્ત્ય’ કરી નાખ્યું હોય. એ રીતે આ અખાજીની ઘણી વિલક્ષણ તોડફોડ ગણાય. જોકે પાછું ‘જ્યમ’ તો એમણે વાપર્યું જ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>હિરણ્યગર્ભનું સર્વે પ્રતિબ્યંબ, થા [૧૩ક] એ જાએ પણ પ્રાયે શંભ,
{{Block center|'''<poem>હિરણ્યગર્ભનું સર્વે પ્રતિબ્યંબ, થા [૧૩ક] એ જાએ પણ પ્રાયે શંભ,
તે માહાનિધ્ય કેહેવો કેવડો, કરે સાખ્યાત તો તું વડો. ૧૩૭</poem>}}
તે માહાનિધ્ય કેહેવો કેવડો, કરે સાખ્યાત તો તું વડો. ૧૩૭</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એ સર્વ સૃષ્ટિ હિરણ્યગર્ભનું પ્રતિબિંબ છે. એ ઉત્પન્ન થાય છે, લુપ્ત થાય છે પણ એ અંતે બ્રહ્મરૂપ જ છે તે મહાનિધિ – બ્રહ્મને કેવડો કહેવો? તેનો સાક્ષાત્કાર કરે તો તું મોટો.
એ સર્વ સૃષ્ટિ હિરણ્યગર્ભનું પ્રતિબિંબ છે. એ ઉત્પન્ન થાય છે, લુપ્ત થાય છે પણ એ અંતે બ્રહ્મરૂપ જ છે તે મહાનિધિ – બ્રહ્મને કેવડો કહેવો? તેનો સાક્ષાત્કાર કરે તો તું મોટો.
પાઠચર્ચા : બીજા ચરણમાં ‘શંભુ’ પાઠ માત્ર ક પ્રત જ આપે છે. સામાન્ય રીતે ક ને અનુસરતી ગ પ્રત પણ અહીં આ પાઠ આપતી નથી. અન્ય સઘળી હપ્ર ‘સંભ’, ‘શંબ’, ‘સંબ’, ‘શંભ’ પાઠો આપે છે. આ બધાના મૂળમાં ‘શંભ’ પાઠ છે. પ્રાસદષ્ટિએ પણ ‘શંભુ’ નહીં પણ ‘શંભ’ પાઠ હોવો જોઈએ. (૨૭૪મી કડીમાં એમ જ છે) આ કારણોથી અહીં ક હપ્રનો પાઠ છોડ્યો છે. પરંતુ ‘શંભ’ એ ‘શંભુ’નું પ્રાસ માટે થયેલું રૂપ છે તેથી અર્થ એનો એ જ રહે છે. અ બ હપ્ર આને સ્થાને ‘સ્વયંભૂ’ શબ્દ આપે છે તે ‘બ્રહ્મા’ને જ લાગુ પડે, અનાદિ અનંત બ્રહ્મને નહીં.
'''પાઠચર્ચા''' : બીજા ચરણમાં ‘શંભુ’ પાઠ માત્ર ક પ્રત જ આપે છે. સામાન્ય રીતે ક ને અનુસરતી ગ પ્રત પણ અહીં આ પાઠ આપતી નથી. અન્ય સઘળી હપ્ર ‘સંભ’, ‘શંબ’, ‘સંબ’, ‘શંભ’ પાઠો આપે છે. આ બધાના મૂળમાં ‘શંભ’ પાઠ છે. પ્રાસદષ્ટિએ પણ ‘શંભુ’ નહીં પણ ‘શંભ’ પાઠ હોવો જોઈએ. (૨૭૪મી કડીમાં એમ જ છે) આ કારણોથી અહીં ક હપ્રનો પાઠ છોડ્યો છે. પરંતુ ‘શંભ’ એ ‘શંભુ’નું પ્રાસ માટે થયેલું રૂપ છે તેથી અર્થ એનો એ જ રહે છે. અ બ હપ્ર આને સ્થાને ‘સ્વયંભૂ’ શબ્દ આપે છે તે ‘બ્રહ્મા’ને જ લાગુ પડે, અનાદિ અનંત બ્રહ્મને નહીં.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ત્યારે વલતો બોલ્યો વિચાર, એ સમઝણ માંહાં મોટો ભાર,
{{Block center|'''<poem>ત્યારે વલતો બોલ્યો વિચાર, એ સમઝણ માંહાં મોટો ભાર,
એક વાત હું પૂછું તુંને, તે ઠેહેરાવીને કહે તું મુને. ૧૩૮</poem>}}
એક વાત હું પૂછું તુંને, તે ઠેહેરાવીને કહે તું મુને. ૧૩૮</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ત્યારે વિચારે જવાબ આપ્યો : એ સમજવું ઘણું અઘરું છે. એક વાત હું તને પૂછું છું તે તું મને નક્કી કરીને કહે.
ત્યારે વિચારે જવાબ આપ્યો : એ સમજવું ઘણું અઘરું છે. એક વાત હું તને પૂછું છું તે તું મને નક્કી કરીને કહે.
Line 797: Line 793:
ચિત્તે કહ્યું : તું શું પૂછવા માગે છે તે કહે. વિચારે કહ્યું : તે કઈ વસ્તુ છે જેને તું પ્રાપ્ત કરવા માગે છે? તે શું છે જેને તું પકડવા દોડે છે? તે શું છે જે તારા હસ્તગત થશે?
ચિત્તે કહ્યું : તું શું પૂછવા માગે છે તે કહે. વિચારે કહ્યું : તે કઈ વસ્તુ છે જેને તું પ્રાપ્ત કરવા માગે છે? તે શું છે જેને તું પકડવા દોડે છે? તે શું છે જે તારા હસ્તગત થશે?
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે તું કાંઈ ઘાટ્ય બેસાર્ય, માહારે તો એ સ્થલ છે હાર્ય,
{{Block center|'''<poem>ચિત્ત કહે તું કાંઈ ઘાટ્ય બેસાર્ય, માહારે તો એ સ્થલ છે હાર્ય,
વિચાર કહે દ્રષ્ટાંત્યે કહું, આરોપીને પ્રષ્ણ નિરવહું. ૧૪૦</poem>}}
વિચાર કહે દ્રષ્ટાંત્યે કહું, આરોપીને પ્રષ્ણ નિરવહું. ૧૪૦</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્તે કહ્યું : તું કાંઈક સમજણ પાડ. મારે તો એ સ્થળ પ્રાપ્ત કરવાનું છે. વિચારે કહ્યું : દૃષ્ટાંતની મદદથી હું તને સમજાવું. એટલે કે અન્ય વસ્તુના રૂપક દ્વારા કોયડો ઉકેલી આપું.
ચિત્તે કહ્યું : તું કાંઈક સમજણ પાડ. મારે તો એ સ્થળ પ્રાપ્ત કરવાનું છે. વિચારે કહ્યું : દૃષ્ટાંતની મદદથી હું તને સમજાવું. એટલે કે અન્ય વસ્તુના રૂપક દ્વારા કોયડો ઉકેલી આપું.
સમજૂતી : ‘આરોપીને’ના અહીં લીધેલા અર્થ માટે જુઓ ‘અખાના છપ્પા : કેટલોક અર્થવિચાર’ (જયંત કોઠારી) પૃ. ૮૯ તથા ત્યાં ઉદ્ધૃત થયેલી પ્રસ્તુત પંક્તિઓ :
'''સમજૂતી''' : ‘આરોપીને’ના અહીં લીધેલા અર્થ માટે જુઓ ‘અખાના છપ્પા : કેટલોક અર્થવિચાર’ (જયંત કોઠારી) પૃ. ૮૯ તથા ત્યાં ઉદ્ધૃત થયેલી પ્રસ્તુત પંક્તિઓ :
વસ્તુ જાણવા સાધન કાજ, આરોપી બોલ્યા કવિરાજ. (છપ્પા ૧૫૪)
વસ્તુ જાણવા સાધન કાજ, આરોપી બોલ્યા કવિરાજ. (છપ્પા ૧૫૪)
આ ઉપમા દીજે તે આરોપણ, દૃષ્ટાંત દીજે તે દ્વૈત રે. (કૈવલ્યગીતા, ૨)
આ ઉપમા દીજે તે આરોપણ, દૃષ્ટાંત દીજે તે દ્વૈત રે. (કૈવલ્યગીતા, ૨)
Line 865: Line 861:
તું ફરીથી તારાં પડખાં જોઈશ એટલેકે તારી જાતને તપાસીશ ત્યારે તારાં કૃત્યોથી તું મોહ પામીશ નહીં. તારું જે મૂળ તારાપણું છે તે ઓળખીશ ત્યારે તારા અંતરમાં ચૈતન્યની સરવાણી આવતી દેખાશે.
તું ફરીથી તારાં પડખાં જોઈશ એટલેકે તારી જાતને તપાસીશ ત્યારે તારાં કૃત્યોથી તું મોહ પામીશ નહીં. તારું જે મૂળ તારાપણું છે તે ઓળખીશ ત્યારે તારા અંતરમાં ચૈતન્યની સરવાણી આવતી દેખાશે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>જ્યમ નગ દીસે બાહર્યે કોરડા, પણ અંતર્યે અમિત્ય ભર્યા ઓરડા,
{{Block center|'''<poem>જ્યમ નગ દીસે બાહર્યે કોરડા, પણ અંતર્યે અમિત્ય ભર્યા ઓરડા,
તું તાહારું પૂરવ જોને ચિત્ત, ત્યારે લેવું મૂકવું થાએ અગત. ૧૫૩</poem>}}
તું તાહારું પૂરવ જોને ચિત્ત, ત્યારે લેવું મૂકવું થાએ અગત. ૧૫૩</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પર્વત બહારથી કેારા દેખાય છે પણ અંદર (જળના) અમાપ ઓરડા ભરેલા હોય છે. ચિત્ત, તું પહેલાં શું હતું તે જોઈશ ત્યારે લેવા-મૂકવાની ક્રિયા કરવાની રહેશે નહીં.
પર્વત બહારથી કેારા દેખાય છે પણ અંદર (જળના) અમાપ ઓરડા ભરેલા હોય છે. ચિત્ત, તું પહેલાં શું હતું તે જોઈશ ત્યારે લેવા-મૂકવાની ક્રિયા કરવાની રહેશે નહીં.
પાઠચર્ચા : ચોથા ચરણમાં ખ ઘ ચ છ ઝ હપ્ર ‘ગત્ય’ પાઠ આપે છે પરંતુ સંદર્ભમાં આ પાઠ બંધબેસતો નથી તેથી ‘અગત’ પાઠ જ સ્વીકાર્યો છે. અ બ નો ‘મિત’ પાઠ પણ ખોટો છે, ભલે એથી પ્રાસ સચવાય છે.
'''પાઠચર્ચા''' : ચોથા ચરણમાં ખ ઘ ચ છ ઝ હપ્ર ‘ગત્ય’ પાઠ આપે છે પરંતુ સંદર્ભમાં આ પાઠ બંધબેસતો નથી તેથી ‘અગત’ પાઠ જ સ્વીકાર્યો છે. અ બ નો ‘મિત’ પાઠ પણ ખોટો છે, ભલે એથી પ્રાસ સચવાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>તે તે તું, ને તું તે તેહ જ, રોધ ન દીસે પામ્યે હેજ,
{{Block center|'''<poem>તે તે તું, ને તું તે તેહ જ, રોધ ન દીસે પામ્યે હેજ,
એમ સમઝ્યે તુંનો તું રહે, જો એ જુક્ત્યે આપોપું લહે. ૧૫૪</poem>}}
એમ સમઝ્યે તુંનો તું રહે, જો એ જુક્ત્યે આપોપું લહે. ૧૫૪</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તે (બ્રહ્મ – ચૈતન્ય) તે તું છે અને તું તે તે (બ્રહ્મ – ચૈતન્ય) છે. (પરબ્રહ્મ સ્વરૂપ પ્રત્યે) હેત થવાથી એટલે કે રાગ થવાથી કોઈ અવરોધ રહેતો નથી. જો આ વિચારપ્રક્રિયાથી તું તારી જાતને ઓળખીશ તો એમ સમજવાથી તુંનો તું રહીશ એટલે કે તારું આત્મતત્ત્વ મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરીશ.
તે (બ્રહ્મ – ચૈતન્ય) તે તું છે અને તું તે તે (બ્રહ્મ – ચૈતન્ય) છે. (પરબ્રહ્મ સ્વરૂપ પ્રત્યે) હેત થવાથી એટલે કે રાગ થવાથી કોઈ અવરોધ રહેતો નથી. જો આ વિચારપ્રક્રિયાથી તું તારી જાતને ઓળખીશ તો એમ સમજવાથી તુંનો તું રહીશ એટલે કે તારું આત્મતત્ત્વ મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરીશ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>જુક્તિ વિના એ છે તે ત્યમ, પ[૧૪ખ]ણ મધ્યે ચિત્ત ને ચિત્તનો ધર્મ,
{{Block center|'''<poem>જુક્તિ વિના એ છે તે ત્યમ, પ[૧૪ખ]ણ મધ્યે ચિત્ત ને ચિત્તનો ધર્મ,
ચિત્ત કહે છે એ તો સત્ય કહ્યું, એમ સમઝ્યે આપોપું લહ્યું. ૧૫૫</poem>}}
ચિત્ત કહે છે એ તો સત્ય કહ્યું, એમ સમઝ્યે આપોપું લહ્યું. ૧૫૫</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એ રીતે નહીં વિચારવાથી એ છે તેમનું તેમ જ રહે છે, પરંતુ વચ્ચે ચિત્ત અને ચિત્તનો ધર્મ દાખલ થાય છે. ચિત્ત કહે છે : તેં સાચી વાત કહી. એમ સમજવાથી આત્મતત્ત્વને પમાયું.
એ રીતે નહીં વિચારવાથી એ છે તેમનું તેમ જ રહે છે, પરંતુ વચ્ચે ચિત્ત અને ચિત્તનો ધર્મ દાખલ થાય છે. ચિત્ત કહે છે : તેં સાચી વાત કહી. એમ સમજવાથી આત્મતત્ત્વને પમાયું.
સમજૂતી : પહેલાં બે ચરણનું તાત્પર્ય એવું લાગે છે કે અદ્વૈતની સમજણ વિના પણ વસ્તુસ્થિતિ તો છે તેમ જ રહે છે – બ્રહ્મ તો અવિકૃત જ રહે છે પણ જીવ ચિત્ત અને ચિત્તના ધર્મથી વર્તે છે.
'''સમજૂતી''' : પહેલાં બે ચરણનું તાત્પર્ય એવું લાગે છે કે અદ્વૈતની સમજણ વિના પણ વસ્તુસ્થિતિ તો છે તેમ જ રહે છે – બ્રહ્મ તો અવિકૃત જ રહે છે પણ જીવ ચિત્ત અને ચિત્તના ધર્મથી વર્તે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>હવે એક વાતનો સંશે ટાલ્ય, જે મોરે શિર અવતરણનું આલ,
{{Block center|'''<poem>હવે એક વાતનો સંશે ટાલ્ય, જે મોરે શિર અવતરણનું આલ,
ચાલે સર્વ ચૈતન્યનો ભેદ, અને મુજને લાગો સોચ-ઉમેદ. ૧૫૬</poem>}}
ચાલે સર્વ ચૈતન્યનો ભેદ, અને મુજને લાગો સોચ-ઉમેદ. ૧૫૬</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હવે એક વાતનો સંશય દૂર કર કે મારે માથે અવતરણનું આળ શા માટે (મારે શા માટે અવતરવું પડે છે)? આ બધો ચૈતન્યનો ભેદ પ્રવર્તી રહ્યો છે તેને માટે મને વિચાર કરવાની ઇચ્છા થાય છે.
હવે એક વાતનો સંશય દૂર કર કે મારે માથે અવતરણનું આળ શા માટે (મારે શા માટે અવતરવું પડે છે)? આ બધો ચૈતન્યનો ભેદ પ્રવર્તી રહ્યો છે તેને માટે મને વિચાર કરવાની ઇચ્છા થાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ત્યારે વલતો બોલ્યો વિચાર, સાંભલ્ય કહું માને નિર્ધાર,
{{Block center|'''<poem>ત્યારે વલતો બોલ્યો વિચાર, સાંભલ્ય કહું માને નિર્ધાર,
મૂલ્યે તાં સર્વ ચૈતન-ઠાઠ, તે તાં તુંને સંભલાવ્યો પાઠ. ૧૫૭</poem>}}
મૂલ્યે તાં સર્વ ચૈતન-ઠાઠ, તે તાં તુંને સંભલાવ્યો પાઠ. ૧૫૭</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જવાબમાં વિચાર બોલ્યો : સાંભળ. હું તને કહું તે મારી વાત ખરી માનજે. મૂળમાં તો સર્વ ચૈતન્યનો જ વૈભવ છે એ વાત તો મેં તને કહી છે.
જવાબમાં વિચાર બોલ્યો : સાંભળ. હું તને કહું તે મારી વાત ખરી માનજે. મૂળમાં તો સર્વ ચૈતન્યનો જ વૈભવ છે એ વાત તો મેં તને કહી છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>દરર્પણને દ્રષ્ટાંત્યે કરી, તાહારી એ ઉતપત્ત્ય કહી મેં ખરી,
{{Block center|'''<poem>દરર્પણને દ્રષ્ટાંત્યે કરી, તાહારી એ ઉતપત્ત્ય કહી મેં ખરી,
સહેજે થાએ ચારે ખાણ્ય, તે માંહાં મનુશ દેવને સ્ફુર્ણ બહુ જાણ્ય. ૧૫૮</poem>}}
સહેજે થાએ ચારે ખાણ્ય, તે માંહાં મનુશ દેવને સ્ફુર્ણ બહુ જાણ્ય. ૧૫૮</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દર૫ણનું દૃષ્ટાંત આપીને તારી ઉત્પત્તિની વાત મેં સમજાવી છે. સહજ રીતે ચારે પ્રકારની જીવયોનિ ઉત્પન્ન થાય છે. તેમાં માણસ અને દેવને ઇન્દ્રિયજ્ઞાન સવિશેષ હોય છે.
દર૫ણનું દૃષ્ટાંત આપીને તારી ઉત્પત્તિની વાત મેં સમજાવી છે. સહજ રીતે ચારે પ્રકારની જીવયોનિ ઉત્પન્ન થાય છે. તેમાં માણસ અને દેવને ઇન્દ્રિયજ્ઞાન સવિશેષ હોય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પંચ ઇંદ્રિનું અતિશે જ્ઞાન, કામ, ક્રોધ મોહાદિક માન,
{{Block center|'''<poem>પંચ ઇંદ્રિનું અતિશે જ્ઞાન, કામ, ક્રોધ મોહાદિક માન,
રણવેર પ્રીતની ગાંઠ બંધાઇ, બહુ આસક્‌ત્ય માટે ધણી થાઇ. ૧૫૯</poem>}}
રણવેર પ્રીતની ગાંઠ બંધાઇ, બહુ આસક્‌ત્ય માટે ધણી થાઇ. ૧૫૯</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એ ઘણું પંચેન્દ્રિયજ્ઞાન ધરાવે છે. કામ, ક્રોધ, મોહ વગેરેનું પરિમાણ (જથ્થો) એનામાં હોય છે. ઊંડા વેર અને પ્રીતની ગાંઠ તેનામાં બંધાયેલી હોય છે. તેનામાં બહુ આસક્તિ છે માટે આ બધા વિકારોનો તે સ્વામી બને છે.
એ ઘણું પંચેન્દ્રિયજ્ઞાન ધરાવે છે. કામ, ક્રોધ, મોહ વગેરેનું પરિમાણ (જથ્થો) એનામાં હોય છે. ઊંડા વેર અને પ્રીતની ગાંઠ તેનામાં બંધાયેલી હોય છે. તેનામાં બહુ આસક્તિ છે માટે આ બધા વિકારોનો તે સ્વામી બને છે.
સમજૂતી : ‘રણમેદાનમાં જોવા મળતું તીવ્ર વેર’ એ રીતે ‘રણવેર’ શબ્દ આવેલો જણાય છે.
'''સમજૂતી''' : ‘રણમેદાનમાં જોવા મળતું તીવ્ર વેર’ એ રીતે ‘રણવેર’ શબ્દ આવેલો જણાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>મોહો અનંત ને વિચરણ ઘણું, હું સહુનો ને સહુ મુજ તણું,
{{Block center|'''<poem>મોહો અનંત ને વિચરણ ઘણું, હું સહુનો ને સહુ મુજ તણું,
મનુષ્ય દેવ વિષે [૧૫ક] એ બહુ, બાકી પરવાહિક માયા માંહાં સહુ. ૧૬૦</poem>}}
મનુષ્ય દેવ વિષે [૧૫ક] એ બહુ, બાકી પરવાહિક માયા માંહાં સહુ. ૧૬૦</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એનામાં ઘણો બધો મોહ હોય છે અને બધે એ વિચરે છે. હું સૌનો અને સૌ મારા છે એમ એ માને છે. માણસ અને દેવની બાબતમાં આ સ્થિતિ વધારે હોય છે. બાકીના જીવો માયાના પ્રવાહમાં વહેનારા હોય છે.
એનામાં ઘણો બધો મોહ હોય છે અને બધે એ વિચરે છે. હું સૌનો અને સૌ મારા છે એમ એ માને છે. માણસ અને દેવની બાબતમાં આ સ્થિતિ વધારે હોય છે. બાકીના જીવો માયાના પ્રવાહમાં વહેનારા હોય છે.
Line 928: Line 924:
વિચાર કહે છે : હંમેશાં સહજ રીતે ખેલ ચાલ્યા કરે છે. જેમ સાગરમાં તરંગ અને પરપોટા થાય છે તેમ ચૈતન્યમાં પંચભૂતાદિ સૃષ્ટિનાં મોજાંઓ ઊઠે છે. જેમ વંટોળ રજ અને તરણાઓને ફેલાવે છે –
વિચાર કહે છે : હંમેશાં સહજ રીતે ખેલ ચાલ્યા કરે છે. જેમ સાગરમાં તરંગ અને પરપોટા થાય છે તેમ ચૈતન્યમાં પંચભૂતાદિ સૃષ્ટિનાં મોજાંઓ ઊઠે છે. જેમ વંટોળ રજ અને તરણાઓને ફેલાવે છે –
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ત્યમ એ પસર્યો ચૈતન્યજ્યોગ, ભૂત-ભેદ પણ છે નિજભોગ,
{{Block center|'''<poem>ત્યમ એ પસર્યો ચૈતન્યજ્યોગ, ભૂત-ભેદ પણ છે નિજભોગ,
નિમિત્ત્યમાત્ર તે છે વાસના, પણ સાહામો નથી જે [૧૫ખ] ધરે શાસના. ૧૬૫</poem>}}
નિમિત્ત્યમાત્ર તે છે વાસના, પણ સાહામો નથી જે [૧૫ખ] ધરે શાસના. ૧૬૫</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
– એવી રીતે ચૈતન્યયોગ બધે પ્રસરેલો છે. પંચભૂતની સૃષ્ટિના ભેદ વ્યાવહારિક દૃષ્ટિએ અસ્તિત્વ ધરાવે છે. પણ વસ્તુતઃ એ ચૈતન્યનો પોતાનો વિલાસ છે. પંચભૂતની સૃષ્ટિનો આભાસ થવામાં વાસના નિમિત્તરૂપ છે. પણ કોઈ સામું નથી જે આશ્વાસન આપે, પ્રોત્સાહન આપે, સામું પ્રવૃત્ત થાય.
– એવી રીતે ચૈતન્યયોગ બધે પ્રસરેલો છે. પંચભૂતની સૃષ્ટિના ભેદ વ્યાવહારિક દૃષ્ટિએ અસ્તિત્વ ધરાવે છે. પણ વસ્તુતઃ એ ચૈતન્યનો પોતાનો વિલાસ છે. પંચભૂતની સૃષ્ટિનો આભાસ થવામાં વાસના નિમિત્તરૂપ છે. પણ કોઈ સામું નથી જે આશ્વાસન આપે, પ્રોત્સાહન આપે, સામું પ્રવૃત્ત થાય.
પાઠચર્ચા : ચોથા ચરણમાં અન્ય હપ્ર ‘શાસના’ને સ્થાને ‘સાસના’, ‘સાહાસના’ વગેરે પાઠ આપે છે જે નોંધપાત્ર છે. કેમકે, અહીં ‘શાસન’ શબ્દ હોય એ અર્થદૃષ્ટિએ બંધ બેસતું નથી. ‘આશ્વાસના’ શબ્દ હોય એવો તર્ક કરી શકાય, જેના પરથી મધ્યકાલીન ગુજરાતી ‘સાસના’, ‘સાહાસના’ આવી શકે. ક હપ્રમાં ‘સ’નો ઉચ્ચારભેદ ‘શ’ થયેલો છે એમ પછી માનવાનું રહે.
'''પાઠચર્ચા''' : ચોથા ચરણમાં અન્ય હપ્ર ‘શાસના’ને સ્થાને ‘સાસના’, ‘સાહાસના’ વગેરે પાઠ આપે છે જે નોંધપાત્ર છે. કેમકે, અહીં ‘શાસન’ શબ્દ હોય એ અર્થદૃષ્ટિએ બંધ બેસતું નથી. ‘આશ્વાસના’ શબ્દ હોય એવો તર્ક કરી શકાય, જેના પરથી મધ્યકાલીન ગુજરાતી ‘સાસના’, ‘સાહાસના’ આવી શકે. ક હપ્રમાં ‘સ’નો ઉચ્ચારભેદ ‘શ’ થયેલો છે એમ પછી માનવાનું રહે.
સમજૂતી : આ કડીમાં તાત્પર્ય એવું જણાય છે કે ભૂતભેદની સત્તા વ્યાવહારિક છે. વસ્તુતઃ એકમાત્ર ચૈતન્ય છે. સામું બીજું કોઈ તત્ત્વ નથી, જે આશ્વાસન આપે, પ્રોત્સાહન આપે, એટલે કે સામું પ્રવૃત્ત થાય. એ રીતે અહીં ‘આશ્વાસન’ શબ્દ રહેલો હોવાનો તર્ક થઈ શકે. (પાઠચર્ચા પણ જુઓ). આ કડી સાથે નરસિંહની ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ એ ઉક્તિને મૂકી શકાય.
'''સમજૂતી''' : આ કડીમાં તાત્પર્ય એવું જણાય છે કે ભૂતભેદની સત્તા વ્યાવહારિક છે. વસ્તુતઃ એકમાત્ર ચૈતન્ય છે. સામું બીજું કોઈ તત્ત્વ નથી, જે આશ્વાસન આપે, પ્રોત્સાહન આપે, એટલે કે સામું પ્રવૃત્ત થાય. એ રીતે અહીં ‘આશ્વાસન’ શબ્દ રહેલો હોવાનો તર્ક થઈ શકે. (પાઠચર્ચા પણ જુઓ). આ કડી સાથે નરસિંહની ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ એ ઉક્તિને મૂકી શકાય.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>ચિત્ત કહે શાસ્ત્રે શું લખ્યું, શું સમઝ્યું ને શું તે નીરખ્યું,
{{Block center|'''<poem>ચિત્ત કહે શાસ્ત્રે શું લખ્યું, શું સમઝ્યું ને શું તે નીરખ્યું,
Line 969: Line 965:
{{Poem2Open}}
{{Poem2Open}}
કાનથી સાંભળી પણ શકીએ છીએ, (સ્પર્શેન્દ્રિયથી) સ્પર્શસુખ કામાદિ પણ ભોગવી શકાય છે. (સ્વાદેન્દ્રિયથી) ખાટા-મીઠા વગેરે રસના ભેદોનો અને નાક દ્વારા ઉત્તમ-મધ્યમ પ્રકારની સુગંધનો અનુભવ આપણે કરીએ છીએ.
કાનથી સાંભળી પણ શકીએ છીએ, (સ્પર્શેન્દ્રિયથી) સ્પર્શસુખ કામાદિ પણ ભોગવી શકાય છે. (સ્વાદેન્દ્રિયથી) ખાટા-મીઠા વગેરે રસના ભેદોનો અને નાક દ્વારા ઉત્તમ-મધ્યમ પ્રકારની સુગંધનો અનુભવ આપણે કરીએ છીએ.
{{Poem2Close}}
'''પાઠચર્ચા''' : ત્રીજા ચરણમાં કેટલીક હપ્ર ‘ભાગ’ને સ્થાને ‘ભોગ’ પાઠ આપે છે પણ એ ‘ભાગ’નો અર્થ ન બેસવાથી થયું જણાય છે. ચોથા ચરણના ‘પરાગ’ શબ્દ સાથે પ્રાસમાં ‘ભાગ’ જ આવે. ‘ભોગ’ પાઠ આપનારી કેટલીક હપ્રને આથી ચોથા ચરણનો પાઠ ફેરવવો પડ્યો છે, જે ખોટો છે. તેમાં ગંધના અનુભવનો ઉલ્લેખ રહેતો નથી. ‘ભાગ’ શબ્દને ભેદ – પ્રકારના અર્થમાં લઈ શકાય છે એટલે એ પાઠની ખરેખર કોઈ મુશ્કેલી પણ નથી.
{{Block center|'''<poem>પાઠચર્ચા : ત્રીજા ચરણમાં કેટલીક હપ્ર ‘ભાગ’ને સ્થાને ‘ભોગ’ પાઠ આપે છે પણ એ ‘ભાગ’નો અર્થ ન બેસવાથી થયું જણાય છે. ચોથા ચરણના ‘પરાગ’ શબ્દ સાથે પ્રાસમાં ‘ભાગ’ જ આવે. ‘ભોગ’ પાઠ આપનારી કેટલીક હપ્રને આથી ચોથા ચરણનો પાઠ ફેરવવો પડ્યો છે, જે ખોટો છે. તેમાં ગંધના અનુભવનો ઉલ્લેખ રહેતો નથી. ‘ભાગ’ શબ્દને ભેદ – પ્રકારના અર્થમાં લઈ શકાય છે એટલે એ પાઠની ખરેખર કોઈ મુશ્કેલી પણ નથી.</poem>'''}}
{{Poem2Open}}
(આ પાઠચર્ચા છે, શ્લોક નથી.)
(આ પાઠચર્ચા છે, શ્લોક નથી.)
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 979: Line 973:
હું અને મારું એવું જે ત્યાં હોય છે એ સઘળું જાગે ત્યારે પણ સાંભરે છે. તો જાગ્રત અને સ્વપ્નમાં શેનો ફેર ગણાય? સાચો વિચાર કરવાથી અંધકારનો નાશ થશે.
હું અને મારું એવું જે ત્યાં હોય છે એ સઘળું જાગે ત્યારે પણ સાંભરે છે. તો જાગ્રત અને સ્વપ્નમાં શેનો ફેર ગણાય? સાચો વિચાર કરવાથી અંધકારનો નાશ થશે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>સ્વપન પદારથ જાગ્રત માંહાં ટલે, અને જાગ્રતમાં એ સપને નવ્ય મલે,
{{Block center|'''<poem>સ્વપન પદારથ જાગ્રત માંહાં ટલે, અને જાગ્રતમાં એ સપને નવ્ય મલે,
સપન તેહેવું જાગ્રતે જાણ્ય, અવસ્થાભેદે બેહુ પરમાણ્ય. ૧૭૪</poem>}}
સપન તેહેવું જાગ્રતે જાણ્ય, અવસ્થાભેદે બેહુ પરમાણ્ય. ૧૭૪</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સ્વપ્નના પદાર્થો જાગ્રત અવસ્થામાં હોતા નથી અને જાગ્રતના પદાર્થો સ્વપ્નમાં હોતા નથી. આ રીતે જેવી સ્વપ્નાવસ્થા છે તેવી જાગ્રત અવસ્થા છે એમ સમજ. એ બેનો માત્ર અવસ્થાભેદ છે એમ સ્વીકાર.
સ્વપ્નના પદાર્થો જાગ્રત અવસ્થામાં હોતા નથી અને જાગ્રતના પદાર્થો સ્વપ્નમાં હોતા નથી. આ રીતે જેવી સ્વપ્નાવસ્થા છે તેવી જાગ્રત અવસ્થા છે એમ સમજ. એ બેનો માત્ર અવસ્થાભેદ છે એમ સ્વીકાર.
સમજૂતી : સ્વપ્નના પદાર્થો જાગ્રતમાં મળતા નથી તેથી આપણે સામાન્ય રીતે સ્વપ્નને મિથ્યા ગણીએ છીએ. પણ એવી સ્થિતિ જાગ્રતની પણ છે કેમકે જાગ્રતના પદાર્થો જેમ સ્વપ્નમાં જોવા મળતા નથી તેમ સ્વપ્નના પદાર્થો જાગ્રતમાં જોવા મળતા નથી. આમ બંને તત્ત્વતઃ મિથ્યા છે. બે અવસ્થા જુદી છે એટલું જ. આ દૃષ્ટિબિંદુ ગૌડપાદનું છે. જુઓ પૃ. ૩૬
'''સમજૂતી''' : સ્વપ્નના પદાર્થો જાગ્રતમાં મળતા નથી તેથી આપણે સામાન્ય રીતે સ્વપ્નને મિથ્યા ગણીએ છીએ. પણ એવી સ્થિતિ જાગ્રતની પણ છે કેમકે જાગ્રતના પદાર્થો જેમ સ્વપ્નમાં જોવા મળતા નથી તેમ સ્વપ્નના પદાર્થો જાગ્રતમાં જોવા મળતા નથી. આમ બંને તત્ત્વતઃ મિથ્યા છે. બે અવસ્થા જુદી છે એટલું જ. આ દૃષ્ટિબિંદુ ગૌડપાદનું છે. જુઓ પૃ. ૩૬
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે છે શાસ્ત્ર તેહે અવસ્થાભૂત, મુને ભરૂંસો હુતો અદભુત,
{{Block center|'''<poem>ચિત્ત કહે છે શાસ્ત્ર તેહે અવસ્થાભૂત, મુને ભરૂંસો હુતો અદભુત,
ત્યારે વલતો બોલ્યો વિચાર, મિથ્યા સઘલો દેહેવ્યાપાર. ૧૭૫</poem>}}
ત્યારે વલતો બોલ્યો વિચાર, મિથ્યા સઘલો દેહેવ્યાપાર. ૧૭૫</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : આ અવસ્થાઓ શાસ્ત્રમાં વર્ણાવાયેલી છે. મને તો પૂરો ભરોસો હતો. ત્યારે વિચારે જવાબ આપ્યો : આ દેહવ્યાપાર બધો મિથ્યા (નકામો) છે.
ચિત્ત કહે છે : આ અવસ્થાઓ શાસ્ત્રમાં વર્ણાવાયેલી છે. મને તો પૂરો ભરોસો હતો. ત્યારે વિચારે જવાબ આપ્યો : આ દેહવ્યાપાર બધો મિથ્યા (નકામો) છે.
સમજૂતી : પહેલાં બે ચરણનો અર્થ અને અન્વય બરાબર બેસતો નથી. એમ અભિપ્રેત હોઈ શકે કે શાસ્ત્રો સ્વપ્ન અને જાગ્રતને અલગ ગણતાં હોય અને ચિત્ત એ સ્વીકારીને ચાલ્યું હોય. સ્વપ્ન અને જાગ્રત એ બંને અવસ્થાઓ સરખી જ અસત્‌ છે એ હવે એને સમજવા મળે છે.
'''સમજૂતી''' : પહેલાં બે ચરણનો અર્થ અને અન્વય બરાબર બેસતો નથી. એમ અભિપ્રેત હોઈ શકે કે શાસ્ત્રો સ્વપ્ન અને જાગ્રતને અલગ ગણતાં હોય અને ચિત્ત એ સ્વીકારીને ચાલ્યું હોય. સ્વપ્ન અને જાગ્રત એ બંને અવસ્થાઓ સરખી જ અસત્‌ છે એ હવે એને સમજવા મળે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>નિર્મિત ને નિઅંતા બેહે, ત્યાંહાં લગે તું સાચાં કહે,
{{Block center|'''<poem>નિર્મિત ને નિઅંતા બેહે, ત્યાંહાં લગે તું સાચાં કહે,
જ્યાંહાં લગે અનુભવ પરગટ નથી, ત્યાં લગે પરઠે તું તાહારી મોર [૧૬ખ]થી. ૧૭૬</poem>}}
જ્યાંહાં લગે અનુભવ પરગટ નથી, ત્યાં લગે પરઠે તું તાહારી મોર [૧૬ખ]થી. ૧૭૬</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જ્યાં સુધી પરબ્રહ્મનો અનુભવ થયો નથી ત્યાં સુધી તું નિર્મિત (સર્જાયેલ પદાર્થ) અને નિયંતા (સૃષ્ટિના સર્જક) બંનેને સાચાં ગણે છે અને આ સ્થિતિને તેં તારા તરફથી – તારી જાતે જ ઊભી કરી છે.
જ્યાં સુધી પરબ્રહ્મનો અનુભવ થયો નથી ત્યાં સુધી તું નિર્મિત (સર્જાયેલ પદાર્થ) અને નિયંતા (સૃષ્ટિના સર્જક) બંનેને સાચાં ગણે છે અને આ સ્થિતિને તેં તારા તરફથી – તારી જાતે જ ઊભી કરી છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે છે મુજપણું ભલું કહ્યું, કારણ સહિત ભલું નિરવહ્યું,
{{Block center|'''<poem>ચિત્ત કહે છે મુજપણું ભલું કહ્યું, કારણ સહિત ભલું નિરવહ્યું,
જીવપણાનો એ નિરવાહ કર્યો, અને ઈશ્વરતા બાધી એ ઊચર્યો. ૧૭૭</poem>}}
જીવપણાનો એ નિરવાહ કર્યો, અને ઈશ્વરતા બાધી એ ઊચર્યો. ૧૭૭</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : મારાપણાની તેં વાત કરી તે યોગ્ય છે અને કારણ સાથે એ વાત બરાબર સમજાવી છે. આ રીતે જીવપણાની વાત સમજાવી અને અખંડ ઈશ્વરતા (બ્રહ્મ)ની પણ વાત તેં કરી.
ચિત્ત કહે છે : મારાપણાની તેં વાત કરી તે યોગ્ય છે અને કારણ સાથે એ વાત બરાબર સમજાવી છે. આ રીતે જીવપણાની વાત સમજાવી અને અખંડ ઈશ્વરતા (બ્રહ્મ)ની પણ વાત તેં કરી.
સમજૂતી : અત્યાર સુધીમાં જીવપણા અને ઈશ્વરતાના મુદ્દાઓની ચર્ચા છે, એટલો જ સંદર્ભ જણાય છે. આ પછીની કડીમાં બ્રહ્મ વિશે પૃચ્છા છે. ઈશ્વરતાને આમ અખાજી સાપેક્ષ અને સંલગ્ન તત્ત્વ ગણાવે છે. પરંતુ ઈશ્વરતાનું મૂળ તો બ્રહ્મમાં છે. તેથી બ્રહ્મ તે અખંડ ઈશ્વરતા એમ અભિપ્રેત જણાય છે.
'''સમજૂતી''' : અત્યાર સુધીમાં જીવપણા અને ઈશ્વરતાના મુદ્દાઓની ચર્ચા છે, એટલો જ સંદર્ભ જણાય છે. આ પછીની કડીમાં બ્રહ્મ વિશે પૃચ્છા છે. ઈશ્વરતાને આમ અખાજી સાપેક્ષ અને સંલગ્ન તત્ત્વ ગણાવે છે. પરંતુ ઈશ્વરતાનું મૂળ તો બ્રહ્મમાં છે. તેથી બ્રહ્મ તે અખંડ ઈશ્વરતા એમ અભિપ્રેત જણાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>હવે કૈવલ્ય જે કારણ બેહુ તણું, તે માંહાં ભાર લાગે છે ઘણું,
{{Block center|'''<poem>હવે કૈવલ્ય જે કારણ બેહુ તણું, તે માંહાં ભાર લાગે છે ઘણું,
જ્યારે હું જાઉં તેહેને પ્રીછવા, લક્ષણરૂપ મોટમ્ય ઈછવા. ૧૭૮</poem>}}
જ્યારે હું જાઉં તેહેને પ્રીછવા, લક્ષણરૂપ મોટમ્ય ઈછવા. ૧૭૮</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હવે બ્રહ્મ જે બંને (જીવ અને ઈશ્વર)ના કારણરૂપ છે તેના સુધી પહોંચવું ઘણું ભારે લાગે છે. જ્યારે હું તેને ઓળખવા અને તેના લક્ષણરૂપ મોટપ પ્રાપ્ત કરવા જાઉં છું –
હવે બ્રહ્મ જે બંને (જીવ અને ઈશ્વર)ના કારણરૂપ છે તેના સુધી પહોંચવું ઘણું ભારે લાગે છે. જ્યારે હું તેને ઓળખવા અને તેના લક્ષણરૂપ મોટપ પ્રાપ્ત કરવા જાઉં છું –
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ત્યારે લક્ષ અહરો જૈ પડે, શરાડે જૈને બુધ્ય નવ્ય ચઢે,
{{Block center|'''<poem>ત્યારે લક્ષ અહરો જૈ પડે, શરાડે જૈને બુધ્ય નવ્ય ચઢે,
વિચાર કહે તેહેને શરાડું જ નથી, જ્યમ કે બાણ નાખે મહારથી. ૧૭૯</poem>}}
વિચાર કહે તેહેને શરાડું જ નથી, જ્યમ કે બાણ નાખે મહારથી. ૧૭૯</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ત્યારે ધ્યાન નજીક – અહીં રહી જાય છે, અંત સુધી બુદ્ધિ પહોંચતી નથી. વિચાર કહે છે : તેને (બ્રહ્મને) કોઈ છેડો જ નથી. જેમ કોઈ મહારથી બાણ નાખે –
ત્યારે ધ્યાન નજીક – અહીં રહી જાય છે, અંત સુધી બુદ્ધિ પહોંચતી નથી. વિચાર કહે છે : તેને (બ્રહ્મને) કોઈ છેડો જ નથી. જેમ કોઈ મહારથી બાણ નાખે –
સમજૂતી : અરહું, અહરું, ઓહરું વગેરે શબ્દ મધ્યકાળમાં અને અખાજીમાં ‘અહીં’, ‘નજીક’ ‘આ બાજુ’ના અર્થમાં જોવા મળે છે ને ઉપર છે તેવા પ્રયોગને અખાજીમાંથી ઘણે ઠેકાણેથી સમર્થન મળે છે તે માટે જુઓ ‘અખાના છપ્પા : કેટલોક અર્થવિચાર’ (જયંત કોઠારી), પૃ. ૮૫–૮૯.
'''સમજૂતી''' : અરહું, અહરું, ઓહરું વગેરે શબ્દ મધ્યકાળમાં અને અખાજીમાં ‘અહીં’, ‘નજીક’ ‘આ બાજુ’ના અર્થમાં જોવા મળે છે ને ઉપર છે તેવા પ્રયોગને અખાજીમાંથી ઘણે ઠેકાણેથી સમર્થન મળે છે તે માટે જુઓ ‘અખાના છપ્પા : કેટલોક અર્થવિચાર’ (જયંત કોઠારી), પૃ. ૮૫–૮૯.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>બલ સારુ ઘણું તે જાઇ, પણ આકાશવિષે નહીં લેખા માંહે,
{{Block center|'''<poem>બલ સારુ ઘણું તે જાઇ, પણ આકાશવિષે નહીં લેખા માંહે,
ત્યમ વસ્તુ-મોટમ્ય માંહાં સુર્ત્ય સંચરે, પણ મોટમ્ય સારુ ડગ નવ્ય ભરે. ૧૮૦</poem>}}
ત્યમ વસ્તુ-મોટમ્ય માંહાં સુર્ત્ય સંચરે, પણ મોટમ્ય સારુ ડગ નવ્ય ભરે. ૧૮૦</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પોતાના બળથી તે બાણ દૂર જાય પણ આકાશરૂપી વિષય લક્ષમાં આવી શકે નહીં. તેમ વસ્તુ એટલે કે બ્રહ્મના માહાત્મ્ય માટે વૃત્તિ ગતિ કરે છે પણ એ તરફ એ ડગલું પણ ભરી શકતી નથી.
પોતાના બળથી તે બાણ દૂર જાય પણ આકાશરૂપી વિષય લક્ષમાં આવી શકે નહીં. તેમ વસ્તુ એટલે કે બ્રહ્મના માહાત્મ્ય માટે વૃત્તિ ગતિ કરે છે પણ એ તરફ એ ડગલું પણ ભરી શકતી નથી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત કહે છે એ તો એમ થયું, મુજપણાનું માન તે ગયું,
{{Block center|'''<poem>ચિત્ત કહે છે એ તો એમ થયું, મુજપણાનું માન તે ગયું,
પણ રૂપ સહિત અરૂપ મપાઇ, એમ તાં કહીંએ નવ્ય થાઇ. ૧૮૧</poem>}}
પણ રૂપ સહિત અરૂપ મપાઇ, એમ તાં કહીંએ નવ્ય થાઇ. ૧૮૧</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : એ તો એમ થયું કે મારાપણાનું જે પરિમાણ હતું તે ગયું. (મારાપણાની સ્થિતિ, મારાપણું જતું રહ્યું.) પણ સરૂપ સ્થિતિમાં અરૂપનું માપ નીકળે એવું તો ક્યાંય ન બની શકે.
ચિત્ત કહે છે : એ તો એમ થયું કે મારાપણાનું જે પરિમાણ હતું તે ગયું. (મારાપણાની સ્થિતિ, મારાપણું જતું રહ્યું.) પણ સરૂપ સ્થિતિમાં અરૂપનું માપ નીકળે એવું તો ક્યાંય ન બની શકે.
સમજૂતી : ‘માન’નો ‘અભિમાન’ અર્થ લઈએ તો ‘મારાપણાનું અભિમાન હતું તે ગયું’ એમ અનુવાદ થાય. પણ અહીં અભિમાનની વાત પ્રસ્તુત હોય તેમ લાગતું નથી, ઉપરાંત ‘માન’ શબ્દ ઉપર દર્શાવેલા અર્થમાં વારંવાર વપરાયો છે, તેથી અહીં એ અર્થ લીધો છે.
'''સમજૂતી''' : ‘માન’નો ‘અભિમાન’ અર્થ લઈએ તો ‘મારાપણાનું અભિમાન હતું તે ગયું’ એમ અનુવાદ થાય. પણ અહીં અભિમાનની વાત પ્રસ્તુત હોય તેમ લાગતું નથી, ઉપરાંત ‘માન’ શબ્દ ઉપર દર્શાવેલા અર્થમાં વારંવાર વપરાયો છે, તેથી અહીં એ અર્થ લીધો છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>વિચાર કહે એમ કાં કહે, [૧૭ક] દ્રષ્ટાંત વડે આપોપું લહે,
{{Block center|'''<poem>વિચાર કહે એમ કાં કહે, [૧૭ક] દ્રષ્ટાંત વડે આપોપું લહે,
જ્યમ ગજ ન દેખે ગજની પૂઠ્ય, સૂંઢ્ય ન પરસે ને હસ્તમૂઠ્ય. ૧૮૨</poem>}}
જ્યમ ગજ ન દેખે ગજની પૂઠ્ય, સૂંઢ્ય ન પરસે ને હસ્તમૂઠ્ય. ૧૮૨</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વિચાર કહે છે : એમ કેમ કહે છે? દૃષ્ટાંતથી તું પોતાપણાને – આત્મતત્ત્વને સમજ. જેમ હાથી તેની પૂંઠ જોઈ શકતો નથી, એની સૂંઢ કે તેના હાથની મૂઠ તેની પૂંઠને સ્પર્શી શકતી નથી –
વિચાર કહે છે : એમ કેમ કહે છે? દૃષ્ટાંતથી તું પોતાપણાને – આત્મતત્ત્વને સમજ. જેમ હાથી તેની પૂંઠ જોઈ શકતો નથી, એની સૂંઢ કે તેના હાથની મૂઠ તેની પૂંઠને સ્પર્શી શકતી નથી –
Line 1,069: Line 1,063:
તારું અને મારું રૂપ એવું ઝીણું છે. હવે ચિત્તરાજા, તારું સામર્થ્ય સાંભળ. જ્યારે અવ્યક્તરૂપી વૃક્ષની વાત કરી ત્યારે તારી વૃત્તિ સીધેસીધી એ તરફ ચાલી.
તારું અને મારું રૂપ એવું ઝીણું છે. હવે ચિત્તરાજા, તારું સામર્થ્ય સાંભળ. જ્યારે અવ્યક્તરૂપી વૃક્ષની વાત કરી ત્યારે તારી વૃત્તિ સીધેસીધી એ તરફ ચાલી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>અનંત બ્રહ્માંડે જૈ ઘાલ્યો બાથ, એહેવા તોરા મોટા હાથ,
{{Block center|'''<poem>અનંત બ્રહ્માંડે જૈ ઘાલ્યો બાથ, એહેવા તોરા મોટા હાથ,
સૂક્ષમ ત્યારે એહેવો તું, સ્થૂલપણું તોરું શું કહું હું. ૧૯૧</poem>}}
સૂક્ષમ ત્યારે એહેવો તું, સ્થૂલપણું તોરું શું કહું હું. ૧૯૧</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અનંત બ્રહ્માંડ સુધી જઈને એને બાથ ભીડી છે એવા મોટા તારા હાથ છે. એક બાજુથી તું એટલો સૂક્ષ્મ છે, બીજી બાજુથી તારા સ્થૂલપણાની – પ્રૌઢત્વની વાત થઈ શકે તેમ નથી.
અનંત બ્રહ્માંડ સુધી જઈને એને બાથ ભીડી છે એવા મોટા તારા હાથ છે. એક બાજુથી તું એટલો સૂક્ષ્મ છે, બીજી બાજુથી તારા સ્થૂલપણાની – પ્રૌઢત્વની વાત થઈ શકે તેમ નથી.
પાઠચર્ચા : બીજા ચરણમાં ‘મોટા’ને સ્થાને અ બ હપ્ર ‘મારા’ અને ચ છ જ ઝ હપ્ર ‘મોરા’ પાઠ આપે છે તે દેખીતી રીતે ખોટા છે કારણ કે આ વિચારની ઉક્તિ છે અને ચિત્તના સામર્થ્યનું વર્ણન છે, વિચારના સામર્થ્યનું નહીં.
'''પાઠચર્ચા''' : બીજા ચરણમાં ‘મોટા’ને સ્થાને અ બ હપ્ર ‘મારા’ અને ચ છ જ ઝ હપ્ર ‘મોરા’ પાઠ આપે છે તે દેખીતી રીતે ખોટા છે કારણ કે આ વિચારની ઉક્તિ છે અને ચિત્તના સામર્થ્યનું વર્ણન છે, વિચારના સામર્થ્યનું નહીં.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>તોરું સામૃથ્ય એહેવું પ્રૂઢ, પણ જ્યાંહાં લગે હું રહેતો ગૂઢ,
{{Block center|'''<poem>તોરું સામૃથ્ય એહેવું પ્રૂઢ, પણ જ્યાંહાં લગે હું રહેતો ગૂઢ,
ત્યાંહાં લગે તોરું ચિત્ત નામ, એમ સમઝ્યે પૂરણ નિજધામ. ૧૯૨</poem>}}
ત્યાંહાં લગે તોરું ચિત્ત નામ, એમ સમઝ્યે પૂરણ નિજધામ. ૧૯૨</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તારું સામર્થ્ય એવું પ્રૌઢ (ભવ્ય, વિશાળ) છે પણ જ્યાં સુધી હું ગૂઢ-પ્રછન્ન રહું ત્યાં સુધી તારું ‘ચિત્ત’ એ નામ રહે છે. આમ સમજીશ એટલે પૂર્ણ નિજધામ પ્રાપ્ત કરીશ.
તારું સામર્થ્ય એવું પ્રૌઢ (ભવ્ય, વિશાળ) છે પણ જ્યાં સુધી હું ગૂઢ-પ્રછન્ન રહું ત્યાં સુધી તારું ‘ચિત્ત’ એ નામ રહે છે. આમ સમજીશ એટલે પૂર્ણ નિજધામ પ્રાપ્ત કરીશ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>જ્યારે જોવા જાએ તું તોરો પાર, ત્યારે બે વાંકાં માને નિ[૧૮ક]રધાર,
{{Block center|'''<poem>જ્યારે જોવા જાએ તું તોરો પાર, ત્યારે બે વાંકાં માને નિ[૧૮ક]રધાર,
ત્યારે તાં તું જીવ નવ્ય ટલે, અને વસ્તુને તાં છેહેડો નવ્ય મલે. ૧૯૩</poem>}}
ત્યારે તાં તું જીવ નવ્ય ટલે, અને વસ્તુને તાં છેહેડો નવ્ય મલે. ૧૯૩</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જ્યારે તું તારો પાર લેવા જાય છે ત્યારે બે મુશ્કેલીઓ નિશ્ચિતપણે તારી સામે આવે છે. એક તો, એમાં તારું જીવપણું છૂટતું નથી અને બીજું, વસ્તુ (પરબ્રહ્મ)નો પાર એમાં પમાતો નથી;
જ્યારે તું તારો પાર લેવા જાય છે ત્યારે બે મુશ્કેલીઓ નિશ્ચિતપણે તારી સામે આવે છે. એક તો, એમાં તારું જીવપણું છૂટતું નથી અને બીજું, વસ્તુ (પરબ્રહ્મ)નો પાર એમાં પમાતો નથી;
પાઠચર્ચા : ત્રીજા ચરણમાં ખ ટ હપ્ર ‘જીવ’ને સ્થાને ‘ચિત્ત’ અને ઘ ચ છ જ ઝ હપ્ર ‘ચીત’ આપે છે. પરંતુ મુખ્યપ્રતનો પાઠ છોડવાની આવશ્યકતા નથી. આગળની કડીમાં ‘ચિત્ત’ રહેવાની વાત હતી એ ખરું, પરંતુ ચિત્તપણું એ જ જીવપણું એટલે કે ‘જીવ’ તરીકે ઉલ્લેખ થાય તેમાં કશું ખોટું નથી.
'''પાઠચર્ચા''' : ત્રીજા ચરણમાં ખ ટ હપ્ર ‘જીવ’ને સ્થાને ‘ચિત્ત’ અને ઘ ચ છ જ ઝ હપ્ર ‘ચીત’ આપે છે. પરંતુ મુખ્યપ્રતનો પાઠ છોડવાની આવશ્યકતા નથી. આગળની કડીમાં ‘ચિત્ત’ રહેવાની વાત હતી એ ખરું, પરંતુ ચિત્તપણું એ જ જીવપણું એટલે કે ‘જીવ’ તરીકે ઉલ્લેખ થાય તેમાં કશું ખોટું નથી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>તે માટે એ ન ટલે દ્વૈત, પણ એમ સમઝ્યે થાએ અદ્વૈત,
{{Block center|'''<poem>તે માટે એ ન ટલે દ્વૈત, પણ એમ સમઝ્યે થાએ અદ્વૈત,
ચિત્ત કહે હું જ્યારે ચિદ માંહાં રસ થયો, ત્યારે જોવા કેહેવા કો નવ્ય રહ્યો. ૧૯૪</poem>}}
ચિત્ત કહે હું જ્યારે ચિદ માંહાં રસ થયો, ત્યારે જોવા કેહેવા કો નવ્ય રહ્યો. ૧૯૪</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તેથી એ દ્વૈત દૂર થતું નથી પણ સમજણ આવવાથી આ દ્વૈતનો અનુભવ થાય છે. ચિત્ત કહે છે : હું જ્યારે ચૈતન્યમાં એકરસ થયો ત્યારે જોવા કે કહેવા કોઈ ન રહ્યો.
તેથી એ દ્વૈત દૂર થતું નથી પણ સમજણ આવવાથી આ દ્વૈતનો અનુભવ થાય છે. ચિત્ત કહે છે : હું જ્યારે ચૈતન્યમાં એકરસ થયો ત્યારે જોવા કે કહેવા કોઈ ન રહ્યો.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>સૂન સરખું થૈને ગયું, તો શું એ શૂન્યપદ રહ્યું,
{{Block center|'''<poem>સૂન સરખું થૈને ગયું, તો શું એ શૂન્યપદ રહ્યું,
વિચાર બોલ્યો તું એમ કાં કહે, સમી સૂઝ્ય વાંકી કાં ગ્રહે. ૧૯૫</poem>}}
વિચાર બોલ્યો તું એમ કાં કહે, સમી સૂઝ્ય વાંકી કાં ગ્રહે. ૧૯૫</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ રીતે બધું શૂન્ય જેવું થઈ ગયું. તો છેવટે શું શૂન્યની સ્થિતિ જ રહી? વિચાર બોલ્યો : તું એમ કેમ કહે છે? સીધી સમજણને વાંકી કેમ ગ્રહણ કરે છે?
આ રીતે બધું શૂન્ય જેવું થઈ ગયું. તો છેવટે શું શૂન્યની સ્થિતિ જ રહી? વિચાર બોલ્યો : તું એમ કેમ કહે છે? સીધી સમજણને વાંકી કેમ ગ્રહણ કરે છે?
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>જીવપદ ને ઈશ્વરપદ, તે કૈવલ્યતા સાથ્યે છે અદબદ,
{{Block center|'''<poem>જીવપદ ને ઈશ્વરપદ, તે કૈવલ્યતા સાથ્યે છે અદબદ,
કૈવલ્ય તે મહાનિધ્ય અવાચ્ય, તે તે તું નિજ જાણી રાચ્ય. ૧૯૬</poem>}}
કૈવલ્ય તે મહાનિધ્ય અવાચ્ય, તે તે તું નિજ જાણી રાચ્ય. ૧૯૬</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જીવપદ અને ઈશ્વરપદ એ તો અદ્‌ભુત એવા બ્રહ્મતત્ત્વમાં સમાયેલાં છે. કૈવલ્ય તે અવાચ્ય મહાનિધિ છે. તેને તું પોતાનું (પોતાસ્વરૂપ) માનીને આનંદમાં રહે.
જીવપદ અને ઈશ્વરપદ એ તો અદ્‌ભુત એવા બ્રહ્મતત્ત્વમાં સમાયેલાં છે. કૈવલ્ય તે અવાચ્ય મહાનિધિ છે. તેને તું પોતાનું (પોતાસ્વરૂપ) માનીને આનંદમાં રહે.
Line 1,116: Line 1,110:
આમ માનીને હું શૂન્યની દલીલ કરું છું. માણસ પોતે પોતાને સાદ કરે ત્યાં સામો હોંકારો આપવા કોઈ હોતું નથી એ સ્થિતિને હું શું કહીને વર્ણવું? એ અર્થમાં શૂન્યવાદની વાત થાય છે. પરંતુ –
આમ માનીને હું શૂન્યની દલીલ કરું છું. માણસ પોતે પોતાને સાદ કરે ત્યાં સામો હોંકારો આપવા કોઈ હોતું નથી એ સ્થિતિને હું શું કહીને વર્ણવું? એ અર્થમાં શૂન્યવાદની વાત થાય છે. પરંતુ –
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>જેણે પોતે માન્યું ભૂતકલ્લોલ, ઊપજે શમે પણ છે તત્ત્વટોલ,
{{Block center|'''<poem>જેણે પોતે માન્યું ભૂતકલ્લોલ, ઊપજે શમે પણ છે તત્ત્વટોલ,
પણ તત્ત્વાતીત હું નવ્ય જાણિયું, તેણે શૂન્ય તણો નેઠો આણિયું. ૨૦૦</poem>}}
પણ તત્ત્વાતીત હું નવ્ય જાણિયું, તેણે શૂન્ય તણો નેઠો આણિયું. ૨૦૦</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જેણે પોતાને પંચમહાભૂતના તરંગો રૂપે જોયું તેને માટે એ (પોતે) ઊપજતો અને શમી જતો ભૌતિક તત્ત્વોનો સમુદાય જ રહે છે. પણ જેણે, તત્ત્વાતીત હુંપણું છે તે ન જાણ્યું તો તેનાથી શૂન્યના છેડે પહોંચી જવાયું એ સ્વાભાવિક છે.
જેણે પોતાને પંચમહાભૂતના તરંગો રૂપે જોયું તેને માટે એ (પોતે) ઊપજતો અને શમી જતો ભૌતિક તત્ત્વોનો સમુદાય જ રહે છે. પણ જેણે, તત્ત્વાતીત હુંપણું છે તે ન જાણ્યું તો તેનાથી શૂન્યના છેડે પહોંચી જવાયું એ સ્વાભાવિક છે.
સમજૂતી : ‘ટોલ’ શબ્દના અહીં લીધેલા અર્થ માટે જુઓ છપ્પાની ૩૬૩ની પંક્તિ : ‘જ્ઞાની નોહે ટોળંટોળ’.
'''સમજૂતી''' : ‘ટોલ’ શબ્દના અહીં લીધેલા અર્થ માટે જુઓ છપ્પાની ૩૬૩ની પંક્તિ : ‘જ્ઞાની નોહે ટોળંટોળ’.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>મુજ જોતાં તાં દીસે છે અશું, ભિન્ન કેહેવા કારણ નથી કશું,
{{Block center|'''<poem>મુજ જોતાં તાં દીસે છે અશું, ભિન્ન કેહેવા કારણ નથી કશું,
Line 1,137: Line 1,131:
તું ચૈતન્ય છે અને ચૈતન્યનો વિલાસ છે. હવે તને બ્રહ્મપ્રકાશ થયો. અક્ષયપદ (= બ્રહ્મપદ) જાણ્યું તે સારું. હવે તો તું એકલમલ્લ (બ્રહ્મજ્ઞાની) બની ગયો છે.
તું ચૈતન્ય છે અને ચૈતન્યનો વિલાસ છે. હવે તને બ્રહ્મપ્રકાશ થયો. અક્ષયપદ (= બ્રહ્મપદ) જાણ્યું તે સારું. હવે તો તું એકલમલ્લ (બ્રહ્મજ્ઞાની) બની ગયો છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>જ્યમ છે ત્યમ તે આપ સદાઇ, એમ અખેપદ પ્રીછ્યું જાઇ,
{{Block center|'''<poem>જ્યમ છે ત્યમ તે આપ સદાઇ, એમ અખેપદ પ્રીછ્યું જાઇ,
જો જન સમઝે તો લક્ષ ઝાલ્ય, અખેપદ તો છે અજમાલ્ય. ૨૦૪</poem>}}
જો જન સમઝે તો લક્ષ ઝાલ્ય, અખેપદ તો છે અજમાલ્ય. ૨૦૪</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પોતે જેમ છે તેમ સદાય રહે છે એવી રીતે અક્ષયપદને ઓળખી શકાય છે. જો માણસ સમજે તો લક્ષ્યને પકડી શકે. તો અક્ષયપદ અજમાલ (?) છે.
પોતે જેમ છે તેમ સદાય રહે છે એવી રીતે અક્ષયપદને ઓળખી શકાય છે. જો માણસ સમજે તો લક્ષ્યને પકડી શકે. તો અક્ષયપદ અજમાલ (?) છે.
પાઠચર્ચા : ચોથા ચરણમાં અ બ હપ્રના ‘અજવાળ્ય’ પાઠને કોઈ હપ્રનો ટેકો નથી ‘અજમાલ’ શબ્દ ન સમજાવાથી થયો જણાય છે.
'''પાઠચર્ચા''' : ચોથા ચરણમાં અ બ હપ્રના ‘અજવાળ્ય’ પાઠને કોઈ હપ્રનો ટેકો નથી ‘અજમાલ’ શબ્દ ન સમજાવાથી થયો જણાય છે.
સમજૂતી : ‘અજમાલ્ય’ શબ્દની અર્થચર્ચા માટે જુઓ પૃ. ૭૯
'''સમજૂતી''' : ‘અજમાલ્ય’ શબ્દની અર્થચર્ચા માટે જુઓ પૃ. ૭૯
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચિત્ત ક[૧૯ક]હે છે વિચાર સુણ્ય અંગ, સ્ત્રી પુરુષ દીસે ભિન લ્યંગ,
{{Block center|'''<poem>ચિત્ત ક[૧૯ક]હે છે વિચાર સુણ્ય અંગ, સ્ત્રી પુરુષ દીસે ભિન લ્યંગ,
જોતાં ચૈતન્ય માંહાં નરમાદા નથી, અને પંચભૂતે મેં જોયા કથી, ૨૦૫</poem>}}
જોતાં ચૈતન્ય માંહાં નરમાદા નથી, અને પંચભૂતે મેં જોયા કથી, ૨૦૫</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : વિચાર, હવે ભાઈ! (અથવા ભલે, સારું) સાંભળ. સ્ત્રી અને પુરુષ ભિન્ન અવયવ ધરાવતાં દેખાય છે. વિચાર કરતાં ચૈતન્યમાં નરમાદા એવો ભેદ નથી, પરંતુ પંચમહાભૂતની સૃષ્ટિમાં એ ભેદની વાત કરવાનું પ્રાપ્ત થાય છે.  
ચિત્ત કહે છે : વિચાર, હવે ભાઈ! (અથવા ભલે, સારું) સાંભળ. સ્ત્રી અને પુરુષ ભિન્ન અવયવ ધરાવતાં દેખાય છે. વિચાર કરતાં ચૈતન્યમાં નરમાદા એવો ભેદ નથી, પરંતુ પંચમહાભૂતની સૃષ્ટિમાં એ ભેદની વાત કરવાનું પ્રાપ્ત થાય છે.  
પાઠચર્ચા : બીજા ચરણમાં ક ગ સિવાયની સર્વ હપ્ર ‘લિંગ/લ્યંગ’ પાઠ આપે છે. ત્યાં ‘અંગ’ અર્થની દૃષ્ટિએ બેસે જ, પણ ‘અંગ-અંગ’નો પ્રાસ બહુ સુભગ નથી. તેથી અહીં અધિકૃત પાઠ ‘લ્યંગ’ હોવાની સંભાવના ગણી મુખ્ય પ્રતનો પાઠ છોડ્યો છે.
'''પાઠચર્ચા''' : બીજા ચરણમાં ક ગ સિવાયની સર્વ હપ્ર ‘લિંગ/લ્યંગ’ પાઠ આપે છે. ત્યાં ‘અંગ’ અર્થની દૃષ્ટિએ બેસે જ, પણ ‘અંગ-અંગ’નો પ્રાસ બહુ સુભગ નથી. તેથી અહીં અધિકૃત પાઠ ‘લ્યંગ’ હોવાની સંભાવના ગણી મુખ્ય પ્રતનો પાઠ છોડ્યો છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>રૂપ માંહાં દીસે છે ભાંત્ય, એ હું સમઝું ત્યમ ઘાટે ઘાત્ય,
{{Block center|'''<poem>રૂપ માંહાં દીસે છે ભાંત્ય, એ હું સમઝું ત્યમ ઘાટે ઘાત્ય,
વિચાર કહે સાંભલ્ય ચિત્ત વાત, એ તો છે બીબાની જાત્ય. ૨૦૬</poem>}}
વિચાર કહે સાંભલ્ય ચિત્ત વાત, એ તો છે બીબાની જાત્ય. ૨૦૬</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રૂપદૃષ્ટિએ જુદા-જુદા પ્રકારો દેખાય છે. એટલે હું સમજું તેવી રીતે સમજાવ. વિચાર કહે : ચિત્ત, વાત સાંભળ. એ તો બીબાંના જેવું છે.
રૂપદૃષ્ટિએ જુદા-જુદા પ્રકારો દેખાય છે. એટલે હું સમજું તેવી રીતે સમજાવ. વિચાર કહે : ચિત્ત, વાત સાંભળ. એ તો બીબાંના જેવું છે.
પાઠચર્ચા : પહેલા ચરણમાં ક ગ હપ્ર ‘ભાંત્ય’ પાઠ આપે છે, અન્ય હપ્ર ‘ભાત’ ‘ભાત્ય’ પાઠ આપે છે. બંને પાઠના અર્થ એક જ થાય છે ને આ પછીની કડીમાં પણ ‘ભાંત્ય’ શબ્દ વપરાયો છે તેથી મુખ્ય હપ્રની લાક્ષણિકતા ગણી એ પાઠ અહીં સાચવ્યો છે. બીજા ચરણમાં ક ગ સિવાયની હ ‘ઘાટે’ને સ્થાને ‘લેખે’ પાઠ આપે છે પણ ‘ઘાટે’ પાઠ અર્થની દૃષ્ટિએ સ્પષ્ટતાવાળો છે. ‘ઘાટે ઘાલવું’ એ અખાજીમાં અવારનવાર મળતો શબ્દપ્રયોગ છે.
'''પાઠચર્ચા''' : પહેલા ચરણમાં ક ગ હપ્ર ‘ભાંત્ય’ પાઠ આપે છે, અન્ય હપ્ર ‘ભાત’ ‘ભાત્ય’ પાઠ આપે છે. બંને પાઠના અર્થ એક જ થાય છે ને આ પછીની કડીમાં પણ ‘ભાંત્ય’ શબ્દ વપરાયો છે તેથી મુખ્ય હપ્રની લાક્ષણિકતા ગણી એ પાઠ અહીં સાચવ્યો છે. બીજા ચરણમાં ક ગ સિવાયની હ ‘ઘાટે’ને સ્થાને ‘લેખે’ પાઠ આપે છે પણ ‘ઘાટે’ પાઠ અર્થની દૃષ્ટિએ સ્પષ્ટતાવાળો છે. ‘ઘાટે ઘાલવું’ એ અખાજીમાં અવારનવાર મળતો શબ્દપ્રયોગ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>જ્યમ ખાંડ કથીરનાં કીજે રૂપ, બીબાભેદ્ય ભાંત અનુપ,
{{Block center|'''<poem>જ્યમ ખાંડ કથીરનાં કીજે રૂપ, બીબાભેદ્ય ભાંત અનુપ,
તે બેહુ પડ મલ્યે રૂપ ભરાઇ, એ માંહાં નર કીયો ને કેહી માદાઇ. ૨૦૭</poem>}}
તે બેહુ પડ મલ્યે રૂપ ભરાઇ, એ માંહાં નર કીયો ને કેહી માદાઇ. ૨૦૭</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જેમ ખાંડ કે કથીરના પદાર્થો બનાવીએ અને તેમાં જુદાંજુદાં બીબાં વાપરવાથી જુદાં-જુદુાં પ્રકારનાં રૂપ બને છે – બે પડ ભેગાં કરીને આકાર બનાવવામાં આવે છે, તે આકારોમાં કયો નર અને કઈ માદા એ કેવી રીતે કહી શકાય?
જેમ ખાંડ કે કથીરના પદાર્થો બનાવીએ અને તેમાં જુદાંજુદાં બીબાં વાપરવાથી જુદાં-જુદુાં પ્રકારનાં રૂપ બને છે – બે પડ ભેગાં કરીને આકાર બનાવવામાં આવે છે, તે આકારોમાં કયો નર અને કઈ માદા એ કેવી રીતે કહી શકાય?
પાઠચર્ચા : ચોથા ચરણમાં ચાર હપ્ર ‘એ માંહાં’ને સ્થાને ‘પડમાં’, ‘પદમા’ એવા પાઠ આપે છે પણ એ યોગ્ય જણાતા નથી. નર-માદાનો ભેદ પડ માટે નહીં પણ પડથી નીપજતા રૂપ માટે છે એમ સમજવું જોઈએ.
'''પાઠચર્ચા''' : ચોથા ચરણમાં ચાર હપ્ર ‘એ માંહાં’ને સ્થાને ‘પડમાં’, ‘પદમા’ એવા પાઠ આપે છે પણ એ યોગ્ય જણાતા નથી. નર-માદાનો ભેદ પડ માટે નહીં પણ પડથી નીપજતા રૂપ માટે છે એમ સમજવું જોઈએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>એ જંત્ર જાણ્ય નરમાદા તણો, પણ ઊંડો ભાર ન રાખેશ ઘણો,
{{Block center|'''<poem>એ જંત્ર જાણ્ય નરમાદા તણો, પણ ઊંડો ભાર ન રાખેશ ઘણો,
Line 1,182: Line 1,176:
બંનેનાં લિંગમાં છિદ્ર હોય છે, જેમાંથી રજ અને વીર્ય નીસરે છે. બંને શરીરમાં કામ ઉત્પન્ન થાય છે અને બંને સુરતસુખ ભોગવે છે.
બંનેનાં લિંગમાં છિદ્ર હોય છે, જેમાંથી રજ અને વીર્ય નીસરે છે. બંને શરીરમાં કામ ઉત્પન્ન થાય છે અને બંને સુરતસુખ ભોગવે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>બેહુ ઘટ માંહાં બેહુના અવ્યેવ, નરને સ્થાને નારીને ભેવ,
{{Block center|'''<poem>બેહુ ઘટ માંહાં બેહુના અવ્યેવ, નરને સ્થાને નારીને ભેવ,
કોએક ઘટ એહવોએ નીપજે, જે બેહુ આકારને એકલો ભજે. ૨૧૨</poem>}}
કોએક ઘટ એહવોએ નીપજે, જે બેહુ આકારને એકલો ભજે. ૨૧૨</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
બેઉના શરીરમાં એ બંનેના પોતપોતાના અવયવ છે. જેનાથી નર અને નારીનો ભેદ થાય છે. કોઈ શરીર એવું પણ નીપજે છે જે એકલું બંને આકાર ધરાવે.
બેઉના શરીરમાં એ બંનેના પોતપોતાના અવયવ છે. જેનાથી નર અને નારીનો ભેદ થાય છે. કોઈ શરીર એવું પણ નીપજે છે જે એકલું બંને આકાર ધરાવે.
સમજૂતી : કોઈ વાર મિશ્ર લિંગનું શરીર પણ ઉત્પન્ન થાય છે એનો છેલ્લા ચરણમાં નિર્દેશ છે.
'''સમજૂતી''' : કોઈ વાર મિશ્ર લિંગનું શરીર પણ ઉત્પન્ન થાય છે એનો છેલ્લા ચરણમાં નિર્દેશ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>કોએક ઘટ એકો માંહાં નહી, તો સ્યાની સ્થિત્ય રાખું હું સહી,
{{Block center|'''<poem>કોએક ઘટ એકો માંહાં નહી, તો સ્યાની સ્થિત્ય રાખું હું સહી,
ચિત્ત કહે છે કસ્યો જ નથી થાપ, ચૌદે લોક એહવો સ્યો વ્યાપ. ૨૧૩</poem>}}
ચિત્ત કહે છે કસ્યો જ નથી થાપ, ચૌદે લોક એહવો સ્યો વ્યાપ. ૨૧૩</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કોઈ શરીર સ્ત્રીપુરુષ એકેમાં ન આવે એવું હોય છે. તો કઈ સ્થિતિ હું ખરી ગણું? ચિત્ત કહે છે : કશું જ સ્થાપી શકાતું નથી એવી ચૌદ લોકમાં વ્યાપેલી આ શી સ્થિતિ છે?
કોઈ શરીર સ્ત્રીપુરુષ એકેમાં ન આવે એવું હોય છે. તો કઈ સ્થિતિ હું ખરી ગણું? ચિત્ત કહે છે : કશું જ સ્થાપી શકાતું નથી એવી ચૌદ લોકમાં વ્યાપેલી આ શી સ્થિતિ છે?
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>વિચાર કહે સાંભલ્ય ચિત્તરાઇ, શબ્દ જ નર ને શબ્દ માદાઇ,
{{Block center|'''<poem>વિચાર કહે સાંભલ્ય ચિત્તરાઇ, શબ્દ જ નર ને શબ્દ માદાઇ,
ચૈતન્યને નર નાર્ય ન કેહેવાઇ, અને પંચભૂતનું એ નામ ન ધરાઇ. ૨૧૪</poem>}}
ચૈતન્યને નર નાર્ય ન કેહેવાઇ, અને પંચભૂતનું એ નામ ન ધરાઇ. ૨૧૪</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વિચાર કહે છે : ચિત્ત, સાંભળ, ‘નર’ શબ્દ (સંજ્ઞા, નામ) જ છે અને ‘માદા’ એ પણ શબ્દ જ છે. ચૈતન્યને નર કે નારી ન કહેવાય અને પંચમહાભૂતવિષયક આ નામ ચૈતન્યને લાગુ ન પાડી શકાય.
વિચાર કહે છે : ચિત્ત, સાંભળ, ‘નર’ શબ્દ (સંજ્ઞા, નામ) જ છે અને ‘માદા’ એ પણ શબ્દ જ છે. ચૈતન્યને નર કે નારી ન કહેવાય અને પંચમહાભૂતવિષયક આ નામ ચૈતન્યને લાગુ ન પાડી શકાય.
પાઠચર્ચા : ચોથા ચરણમાં ક ખ ગ સિવાયની હપ્ર ‘ન’ આપતી નથી પરંતુ ઉપર જે અર્થ બેસાડ્યો છે તે જોતાં ‘ન’ આવશ્યક હોય એમ લાગે છે. ‘ન’ ન સ્વીકારીએ તો ‘પંચભૂતને એ નામ લાગે’ એવો અર્થ થાય.
'''પાઠચર્ચા''' : ચોથા ચરણમાં ક ખ ગ સિવાયની હપ્ર ‘ન’ આપતી નથી પરંતુ ઉપર જે અર્થ બેસાડ્યો છે તે જોતાં ‘ન’ આવશ્યક હોય એમ લાગે છે. ‘ન’ ન સ્વીકારીએ તો ‘પંચભૂતને એ નામ લાગે’ એવો અર્થ થાય.
સમજૂતી : નર અને નારી એ માત્ર સંજ્ઞાઓ છે. એ સંજ્ઞાઓ પંચભૂતની સૃષ્ટિને લાગુ પડે છે. પણ ચૈતન્યને લાગુ પડતી નથી એવું આ કડીનું તાત્પર્ય છે.
'''સમજૂતી''' : નર અને નારી એ માત્ર સંજ્ઞાઓ છે. એ સંજ્ઞાઓ પંચભૂતની સૃષ્ટિને લાગુ પડે છે. પણ ચૈતન્યને લાગુ પડતી નથી એવું આ કડીનું તાત્પર્ય છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>બેહુથી હેઠો આવું જ્યારે હું, ત્યારે કહું જે પૂછે તું,
{{Block center|'''<poem>બેહુથી હેઠો આવું જ્યારે હું, ત્યારે કહું જે પૂછે તું,
લૌક ચૌદ લગી હું પરવરું, પણ અંતર્ય આંખ્ય મીંચી ઊંચરું. ૨૧૫</poem>}}
લૌક ચૌદ લગી હું પરવરું, પણ અંતર્ય આંખ્ય મીંચી ઊંચરું. ૨૧૫</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નર-માદા એ બે અવસ્થાભેદ હું છોડું ત્યારે તું જે પૂછે તેનો હું જવાબ આપું. ચૌદ લોક સુધી હું જઉં પરંતુ અંતરની આંખ બંધ કરીને બોલું–
નર-માદા એ બે અવસ્થાભેદ હું છોડું ત્યારે તું જે પૂછે તેનો હું જવાબ આપું. ચૌદ લોક સુધી હું જઉં પરંતુ અંતરની આંખ બંધ કરીને બોલું–
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>તો કાંઈએ મુખ્યથી બોલાઇ, જો એ નેત્ર આઘાં[૨૦ક] નવ્ય જાઇ,
{{Block center|'''<poem>તો કાંઈએ મુખ્યથી બોલાઇ, જો એ નેત્ર આઘાં[૨૦ક] નવ્ય જાઇ,
જ્યારે નેત્ર આઘાં સંચરે, ત્યાંહાં રસના બાપડી શું ઊચરે. ૨૧૬</poem>}}
જ્યારે નેત્ર આઘાં સંચરે, ત્યાંહાં રસના બાપડી શું ઊચરે. ૨૧૬</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એટલે કે આંખ આગળ ન જાય (સ્થૂળ સૃષ્ટિથી આગળનું જોઈ ન શકે) તો મુખથી કંઈકે બોલી શકાય. પણ જ્યારે આંખ આગળ જાય (આગળનું જોઈ શકે), ત્યારે જીભ બિચારી શું બોલે?
એટલે કે આંખ આગળ ન જાય (સ્થૂળ સૃષ્ટિથી આગળનું જોઈ ન શકે) તો મુખથી કંઈકે બોલી શકાય. પણ જ્યારે આંખ આગળ જાય (આગળનું જોઈ શકે), ત્યારે જીભ બિચારી શું બોલે?
સમજૂતી : ૨૧૫-૧૬ કડીમાં અખાજીનું કહેવાનું આમ છે : ચર્મચક્ષુ તો આગળ કેવી રીતે જઈ શકે? એટલે જ્યાં સુધી અંતરની આંખ ઊઘડી નથી ત્યાં સુધી પરમતત્ત્વનું દર્શન થતું નથી અને વાણીનો ઉપયોગ થઈ શકે છે. અંતરની આંખ ઊઘડે ત્યારે એ આગળ સુધી જઈ શકે છે ને પરમતત્ત્વનું દર્શન કરે છે. એ અનુભવ અવર્ણનીય છે, એટલે કંઈ બોલવાપણું રહેતું નથી.
'''સમજૂતી''' : ૨૧૫-૧૬ કડીમાં અખાજીનું કહેવાનું આમ છે : ચર્મચક્ષુ તો આગળ કેવી રીતે જઈ શકે? એટલે જ્યાં સુધી અંતરની આંખ ઊઘડી નથી ત્યાં સુધી પરમતત્ત્વનું દર્શન થતું નથી અને વાણીનો ઉપયોગ થઈ શકે છે. અંતરની આંખ ઊઘડે ત્યારે એ આગળ સુધી જઈ શકે છે ને પરમતત્ત્વનું દર્શન કરે છે. એ અનુભવ અવર્ણનીય છે, એટલે કંઈ બોલવાપણું રહેતું નથી.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>જો પરમેશ્વર કહીને સ્તવું, તો તે નામ પાડેવું નવું,
{{Block center|'''<poem>જો પરમેશ્વર કહીને સ્તવું, તો તે નામ પાડેવું નવું,
જો માયા કહું તો સ્ત્રીલિંગ થાઇ, તો તે એ નામ કરતમ્ય માંહાં જાઇ. ૨૧૭</poem>}}
જો માયા કહું તો સ્ત્રીલિંગ થાઇ, તો તે એ નામ કરતમ્ય માંહાં જાઇ. ૨૧૭</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
(નેત્ર આગળ જવાથી જે દર્શન કે અનુભવ થાય છે તેને) જો પરમેશ્વર કહીને સ્તવું તો તેનું નવું નામ પાડ્યું એમ ગણાય. જો માયા કહું તો સ્ત્રીલિંગ થાય અને એ નામમાં કર્તવ્યનું એટલે કે ક્રિયાકારિત્વનું આરોપણ થાય છે.
(નેત્ર આગળ જવાથી જે દર્શન કે અનુભવ થાય છે તેને) જો પરમેશ્વર કહીને સ્તવું તો તેનું નવું નામ પાડ્યું એમ ગણાય. જો માયા કહું તો સ્ત્રીલિંગ થાય અને એ નામમાં કર્તવ્યનું એટલે કે ક્રિયાકારિત્વનું આરોપણ થાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>અને બોલ્યા પાખીએ તે શું કરું, એમ જાણી રુસલ્ય ઊચરું,
{{Block center|'''<poem>અને બોલ્યા પાખીએ તે શું કરું, એમ જાણી રુસલ્ય ઊચરું,
ચિત્ત કહે સૂધું કેહેવા કાંઈએ જો નથી, તો આટલી વાત તે ક્યમ કરી કથી. ૨૧૮</poem>}}
ચિત્ત કહે સૂધું કેહેવા કાંઈએ જો નથી, તો આટલી વાત તે ક્યમ કરી કથી. ૨૧૮</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અને બોલ્યા વગર પણ શું કરું એમ વિચારીને ભ્રાંત સ્વરૂપે વાત કરું છું. ચિત્ત કહે છે : સ્પષ્ટ કહેવા જેવું જો કંઈ નથી તો આટલી વાત તેં શા માટે કહી?
અને બોલ્યા વગર પણ શું કરું એમ વિચારીને ભ્રાંત સ્વરૂપે વાત કરું છું. ચિત્ત કહે છે : સ્પષ્ટ કહેવા જેવું જો કંઈ નથી તો આટલી વાત તેં શા માટે કહી?
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>વિચાર કહે કથી ખરાર્ય, પણ તે તો અવાચ્ય તણે આધાર્ય,
{{Block center|'''<poem>વિચાર કહે કથી ખરાર્ય, પણ તે તો અવાચ્ય તણે આધાર્ય,
જ્યમ ચંબુકગિરિની સત્તાએ કરી, લોહોનૌકા આવે આદરી. ૨૧૯</poem>}}
જ્યમ ચંબુકગિરિની સત્તાએ કરી, લોહોનૌકા આવે આદરી. ૨૧૯</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વિચાર કહે છે : વાત કહી ખરી પણ તેમાં આધાર તો અવાચ્ય તત્ત્વનો જ છે. જેમ લોહચુંબકના પર્વતના પ્રભાવથી લોઢાની (જેમાં લોખંડ વપરાયું છે એવી) હોડી ખેંચાઈ આવે છે–
વિચાર કહે છે : વાત કહી ખરી પણ તેમાં આધાર તો અવાચ્ય તત્ત્વનો જ છે. જેમ લોહચુંબકના પર્વતના પ્રભાવથી લોઢાની (જેમાં લોખંડ વપરાયું છે એવી) હોડી ખેંચાઈ આવે છે–
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>તેહેના અંતર માંહાં છે લોહોના બંધ, તેહેને આવે ચંબુકનો ગંધ,
{{Block center|'''<poem>તેહેના અંતર માંહાં છે લોહોના બંધ, તેહેને આવે ચંબુકનો ગંધ,
લોહની સુરતિ ચંબુકગિરિ જાઇ, તે લોહોને લીધે કાષ્ટે તણાઇ. ૨૨૦</poem>}}
લોહની સુરતિ ચંબુકગિરિ જાઇ, તે લોહોને લીધે કાષ્ટે તણાઇ. ૨૨૦</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તેની અંદર લોઢાના બંધ છે તેને લોહચુંબકની ગંધ આવે છે. લોઢાની વૃત્તિ લોહચુંબકના પર્વત તરફ જાય છે, તે લોઢાને લીધે લાકડું પણ તણાય (ખેંચાય) છે.
તેની અંદર લોઢાના બંધ છે તેને લોહચુંબકની ગંધ આવે છે. લોઢાની વૃત્તિ લોહચુંબકના પર્વત તરફ જાય છે, તે લોઢાને લીધે લાકડું પણ તણાય (ખેંચાય) છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>બહુ પદારથ તે માંહેં હોએ ભર્યા, તે સર્વે લોઢે ચૈતન કર્યા,
{{Block center|'''<poem>બહુ પદારથ તે માંહેં હોએ ભર્યા, તે સર્વે લોઢે ચૈતન કર્યા,
એક ગાંઠ્ય લોહો ચં[૨૦ખ]બુક વિષે, તો તું ધન્ય જો તે ઓલખે. ૨૨૧</poem>}}
એક ગાંઠ્ય લોહો ચં[૨૦ખ]બુક વિષે, તો તું ધન્ય જો તે ઓલખે. ૨૨૧</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઘણા પદાર્થ તેમાં (નૌકામાં) ભરેલા હોય છે તે બધા લોખંડની સાથે સાથે સચેતન બને છે. લોઢું અને લોહચુંબક એ બંનેની એક ગાંઠ છે, તેને જો તું ઓળખે તો ધન્ય થઈ જાય.
ઘણા પદાર્થ તેમાં (નૌકામાં) ભરેલા હોય છે તે બધા લોખંડની સાથે સાથે સચેતન બને છે. લોઢું અને લોહચુંબક એ બંનેની એક ગાંઠ છે, તેને જો તું ઓળખે તો ધન્ય થઈ જાય.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચંબુકસ્થાની તે અવાચ્ય, જે સત્તાએ જીવ-લોહો નાચે નાચ,
{{Block center|'''<poem>ચંબુકસ્થાની તે અવાચ્ય, જે સત્તાએ જીવ-લોહો નાચે નાચ,
લોહો ધસતે જ્યમ કાષ્ટે ધસે, ત્યમ એ જક્તનૌકા ઉલ્લસે. ૨૨૨</poem>}}
લોહો ધસતે જ્યમ કાષ્ટે ધસે, ત્યમ એ જક્તનૌકા ઉલ્લસે. ૨૨૨</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અવાચ્યતત્ત્વ(બ્રહ્મ) તે લોહચુંબકને સ્થાને છે. તેની સત્તાથી જીવરૂપી લોઢું નાચે છે. લોઢું ખેંચાય તેની સાથે જેમ લાકડું પણ ખેંચાય છે તેમ આ જગતરૂપી નૌકા ચાલે છે.
અવાચ્યતત્ત્વ(બ્રહ્મ) તે લોહચુંબકને સ્થાને છે. તેની સત્તાથી જીવરૂપી લોઢું નાચે છે. લોઢું ખેંચાય તેની સાથે જેમ લાકડું પણ ખેંચાય છે તેમ આ જગતરૂપી નૌકા ચાલે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>તે નૌકા માંહાં પદારથ હોએ બહુ, ત્યમ એ જક્ત નાનાવિધ સહુ,
{{Block center|'''<poem>તે નૌકા માંહાં પદારથ હોએ બહુ, ત્યમ એ જક્ત નાનાવિધ સહુ,
ચાલો તાં લોહો ચંબુક તણો, અને પરપંચભેદ તાં ચાલ્યો ઘણો. ૨૨૩</poem>}}
ચાલો તાં લોહો ચંબુક તણો, અને પરપંચભેદ તાં ચાલ્યો ઘણો. ૨૨૩</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નૌકામાં જેમ ઘણા પદાર્થ હોય છે એવી રીતે આ જગત પણ વિવિધ પદાર્થરૂપ છે. લોઢું અને લોહચુંબકનું અહીં પ્રવર્તન છે અને એને લીધે સઘળો પ્રપંચભેદ ચાલે છે.
નૌકામાં જેમ ઘણા પદાર્થ હોય છે એવી રીતે આ જગત પણ વિવિધ પદાર્થરૂપ છે. લોઢું અને લોહચુંબકનું અહીં પ્રવર્તન છે અને એને લીધે સઘળો પ્રપંચભેદ ચાલે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>જો લોહો ચંબુકને સંમંધ ન હોએ, તો કારણ કારજ્ય કેહેવા નથી કોએ,  
{{Block center|'''<poem>જો લોહો ચંબુકને સંમંધ ન હોએ, તો કારણ કારજ્ય કેહેવા નથી કોએ,  
એણે ભેદ્યે ચાલે ભાંત્ય, તો સ્ત્રી-પુરુષ શું પૂછે જાત્ય. ૨૨૪</poem>}}
એણે ભેદ્યે ચાલે ભાંત્ય, તો સ્ત્રી-પુરુષ શું પૂછે જાત્ય. ૨૨૪</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જો લોઢાને અને લોહચુંબકને સંબંધ ન હોય તો કાર્યકારણની વાત જ કરવાની ન રહે. વસ્તુતઃ સંસારના વિવિધ પ્રકારના વિસ્તારમાં આ ભેદ (લોઢું અને લોહચુંબકનો, કાર્યકારણનો) જ પ્રેરક છે. સ્ત્રી-પુરુષ એ જાતિભેદ વિશે શા માટે પૂછે છે?
જો લોઢાને અને લોહચુંબકને સંબંધ ન હોય તો કાર્યકારણની વાત જ કરવાની ન રહે. વસ્તુતઃ સંસારના વિવિધ પ્રકારના વિસ્તારમાં આ ભેદ (લોઢું અને લોહચુંબકનો, કાર્યકારણનો) જ પ્રેરક છે. સ્ત્રી-પુરુષ એ જાતિભેદ વિશે શા માટે પૂછે છે?
સમજૂતી : ચુંબક તે અવાચ્ય બ્રહ્મ, લોઢું તે જીવ, નૌકા તે આ જીવમય સૃષ્ટિ ને નૌકામાંના પદાર્થો તે આ સૃષ્ટિના નાનાવિધ ભેદ – સ્ત્રીપુરુષ વગેરેના. સંબંધ તો લોઢા અને ચુંબકની જેમ જીવ અને બ્રહ્મ વચ્ચે છે. એ ચેતનતત્ત્વો છે. પણ જડ જગત પણ જીવની સાથે ખેંચાય છે ને જાણે ચેતનતા ધરાવે છે. એના નાનાવિધ ભેદ પણ ચેતનના હોય એમ ભાસે છે. વસ્તુતઃ એ ચેતનના ભેદ નથી. અખાજીનું તાત્પર્ય આમ સમજાય છે.
'''સમજૂતી''' : ચુંબક તે અવાચ્ય બ્રહ્મ, લોઢું તે જીવ, નૌકા તે આ જીવમય સૃષ્ટિ ને નૌકામાંના પદાર્થો તે આ સૃષ્ટિના નાનાવિધ ભેદ – સ્ત્રીપુરુષ વગેરેના. સંબંધ તો લોઢા અને ચુંબકની જેમ જીવ અને બ્રહ્મ વચ્ચે છે. એ ચેતનતત્ત્વો છે. પણ જડ જગત પણ જીવની સાથે ખેંચાય છે ને જાણે ચેતનતા ધરાવે છે. એના નાનાવિધ ભેદ પણ ચેતનના હોય એમ ભાસે છે. વસ્તુતઃ એ ચેતનના ભેદ નથી. અખાજીનું તાત્પર્ય આમ સમજાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પૃથ્વીને સહુ કહે સ્ત્રીલિંગ, અપ તેજ આકાશ નપુંસક અંગ,
{{Block center|'''<poem>પૃથ્વીને સહુ કહે સ્ત્રીલિંગ, અપ તેજ આકાશ નપુંસક અંગ,
પુરુષલિંગ વાએને સહુ કહે, રૂઢ્ય વચન તે સહુ કો વહે. ૨૨૫</poem>}}
પુરુષલિંગ વાએને સહુ કહે, રૂઢ્ય વચન તે સહુ કો વહે. ૨૨૫</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પૃથ્વીને સહુ સ્ત્રીલિંગ કહે છે. પાણી, તેજ અને આકાશ નપુંસકલિંગ છે. વાયુને સૌ પુરુષલિંગ કહે છે. બધા રૂઢ વચનને અનુસરે છે.
પૃથ્વીને સહુ સ્ત્રીલિંગ કહે છે. પાણી, તેજ અને આકાશ નપુંસકલિંગ છે. વાયુને સૌ પુરુષલિંગ કહે છે. બધા રૂઢ વચનને અનુસરે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>કો અન્ય ભાષાએ ફેરે બોલાઇ, તો વિચાર કહે શું પરઠ્યું જાઇ,
{{Block center|'''<poem>કો અન્ય ભાષાએ ફેરે બોલાઇ, તો વિચાર કહે શું પરઠ્યું જાઇ,
ચિત્ત કહે કાંઈ એક વસ્તુ તે લહી, પણ અલગાં પડી કીમત્ય નવ્ય થઇ. ૨૨૬</poem>}}
ચિત્ત કહે કાંઈ એક વસ્તુ તે લહી, પણ અલગાં પડી કીમત્ય નવ્ય થઇ. ૨૨૬</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
બીજી કોઈ ભાષા હોય તો એમાં જુદી રીતે બોલાય છે. ત્યારે વિચાર કહે છે : તો પછી શું નિર્ણય કરવો? ચિત્ત કહે છે : કંઈ એક વસ્તુ તો સમજાઈ પણ અળગાં પડવાથી કિંમત થતી નથી.
બીજી કોઈ ભાષા હોય તો એમાં જુદી રીતે બોલાય છે. ત્યારે વિચાર કહે છે : તો પછી શું નિર્ણય કરવો? ચિત્ત કહે છે : કંઈ એક વસ્તુ તો સમજાઈ પણ અળગાં પડવાથી કિંમત થતી નથી.
સમજૂતી : બીજા ચરણમાં ‘વિચાર કહે’ એમ શબ્દો આવે છે પણ વસ્તુતઃ વિચારની ઉક્તિ જ ચાલુ છે. ત્રીજા-ચોથા ચરણની વાતનો સંદર્ભ બરાબર સ્પષ્ટ થતો નથી. ‘વસ્તુ’ એટલે મૂળ ચૈતન્યરૂપ બ્રહ્મ એમ અર્થ હોય તો એના વિના જગતના પદાર્થોની કોઈ કિંમત નથી એવો અર્થ અભિપ્રેત હોઈ શકે. ‘વસ્તુ’ના આ અર્થ સાથે ‘કાંઈ એક’ એ અનિશ્ચયતાવાચક શબ્દોનો મેળ બરાબર બેસતો નથી.
'''સમજૂતી''' : બીજા ચરણમાં ‘વિચાર કહે’ એમ શબ્દો આવે છે પણ વસ્તુતઃ વિચારની ઉક્તિ જ ચાલુ છે. ત્રીજા-ચોથા ચરણની વાતનો સંદર્ભ બરાબર સ્પષ્ટ થતો નથી. ‘વસ્તુ’ એટલે મૂળ ચૈતન્યરૂપ બ્રહ્મ એમ અર્થ હોય તો એના વિના જગતના પદાર્થોની કોઈ કિંમત નથી એવો અર્થ અભિપ્રેત હોઈ શકે. ‘વસ્તુ’ના આ અર્થ સાથે ‘કાંઈ એક’ એ અનિશ્ચયતાવાચક શબ્દોનો મેળ બરાબર બેસતો નથી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>[૨૧ક]જ્યમ માદક ભખી માદકનું રૂપ, જોવા હીંડે જેહેવું મૂલગું સરૂપ,
{{Block center|'''<poem>[૨૧ક]જ્યમ માદક ભખી માદકનું રૂપ, જોવા હીંડે જેહેવું મૂલગું સરૂપ,
માદકને કલંકથો અલગો કરું, દ્રષ્ટ્યમુષ્ટ્ય વચને ઊચરું. ૨૨૭</poem>}}
માદકને કલંકથો અલગો કરું, દ્રષ્ટ્યમુષ્ટ્ય વચને ઊચરું. ૨૨૭</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જેમકે માદક પદાર્થ ખાવાથી વ્યક્તિનું રૂપ મદીલું થાય છે પછી એ પોતાનું મૂળ સ્વરૂપ જોવા પ્રવૃત્ત થાય છે. એ પોતાનું સ્વરૂપ કેવી રીતે જોઈ શકે? મદીલી વ્યક્તિને મદીલાપણાના કલંકથી અલગ કરું તો પ્રત્યક્ષ અનુભવની વાત થઈ શકે.
જેમકે માદક પદાર્થ ખાવાથી વ્યક્તિનું રૂપ મદીલું થાય છે પછી એ પોતાનું મૂળ સ્વરૂપ જોવા પ્રવૃત્ત થાય છે. એ પોતાનું સ્વરૂપ કેવી રીતે જોઈ શકે? મદીલી વ્યક્તિને મદીલાપણાના કલંકથી અલગ કરું તો પ્રત્યક્ષ અનુભવની વાત થઈ શકે.
પાઠચર્ચા : ચોથા ચરણમાં અ બના પાઠને કોઈ હપ્રનો ટેકો નથી અને એનો અર્થ બેસતો નથી. ક ગ સિવાયની હપ્ર ‘દ્રષ્ટમુષ્ટ’ વગેરે પાઠ આપે છે ને અખાજીના એક પદમાં પણ એ પ્રયોગ મળે છે તેથી મુખ્ય પ્રતનો પાઠ છોડી ‘દ્રષ્ટ્યમુષ્ટ્ય’ સ્વીકાર્યું છે. જુઓ સમજૂતી.
'''પાઠચર્ચા''' : ચોથા ચરણમાં અ બના પાઠને કોઈ હપ્રનો ટેકો નથી અને એનો અર્થ બેસતો નથી. ક ગ સિવાયની હપ્ર ‘દ્રષ્ટમુષ્ટ’ વગેરે પાઠ આપે છે ને અખાજીના એક પદમાં પણ એ પ્રયોગ મળે છે તેથી મુખ્ય પ્રતનો પાઠ છોડી ‘દ્રષ્ટ્યમુષ્ટ્ય’ સ્વીકાર્યું છે. જુઓ સમજૂતી.
સમજૂતી : અખાજીના પદમાં ‘દ્રષ્ટમુષ્ટ’નો પ્રયોગ નીચે મુજબ છે.
'''સમજૂતી''' : અખાજીના પદમાં ‘દ્રષ્ટમુષ્ટ’નો પ્રયોગ નીચે મુજબ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>બ્રહ્મરસ તે પીએ રે, જે કોઈ બ્રહ્મઅંશી હોય,
{{Block center|'''<poem>બ્રહ્મરસ તે પીએ રે, જે કોઈ બ્રહ્મઅંશી હોય,
જે દ્રષ્ટમુષ્ટ આવે નહીં, તે તો પ્રત્યક્ષપિયુ સોય. (૧૮૩/૫)</poem>}}  
જે દ્રષ્ટમુષ્ટ આવે નહીં, તે તો પ્રત્યક્ષપિયુ સોય. (૧૮૩/૫)</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં ‘દ્રષ્ટમુષ્ટ’નો ઇન્દ્રિયગોચર હોવાનો અર્થ સ્પષ્ટ છે. પ્રત્યક્ષ એટલે અનુભવગમ્ય. પિયુ (બ્રહ્મ) પ્રત્યક્ષ છે, પણ દ્રષ્ટમુષ્ટ ન આવે એટલે કે ઇન્દ્રિયવિષય ન બની શકે. અહીં એ અર્થ લાગુ પાડતાં ચિત્તની દલીલ એવી સમજાય છે કે જ્યાં સુધી જીવ બ્રહ્મમય છે ત્યાં સુધી એણે પોતાના બ્રહ્મસ્વરૂપને જોવાની સ્થિતિ થતી જ નથી, એ જ્યારે એનાથી અલગ થાય ત્યારે બ્રહ્મતત્ત્વનો વાસ્તવિક અનુભવ કરી શકે અને એની વાત કરી શકે. પણ આગળની કડીમાં ‘અલગાં પડી કીમત્ય નવ્ય થાઇ’ એમ કહ્યું હતું એની સાથે આ વાતનો મેળ કેવી રીતે બેસાડવો એ પ્રશ્ન છે.
અહીં ‘દ્રષ્ટમુષ્ટ’નો ઇન્દ્રિયગોચર હોવાનો અર્થ સ્પષ્ટ છે. પ્રત્યક્ષ એટલે અનુભવગમ્ય. પિયુ (બ્રહ્મ) પ્રત્યક્ષ છે, પણ દ્રષ્ટમુષ્ટ ન આવે એટલે કે ઇન્દ્રિયવિષય ન બની શકે. અહીં એ અર્થ લાગુ પાડતાં ચિત્તની દલીલ એવી સમજાય છે કે જ્યાં સુધી જીવ બ્રહ્મમય છે ત્યાં સુધી એણે પોતાના બ્રહ્મસ્વરૂપને જોવાની સ્થિતિ થતી જ નથી, એ જ્યારે એનાથી અલગ થાય ત્યારે બ્રહ્મતત્ત્વનો વાસ્તવિક અનુભવ કરી શકે અને એની વાત કરી શકે. પણ આગળની કડીમાં ‘અલગાં પડી કીમત્ય નવ્ય થાઇ’ એમ કહ્યું હતું એની સાથે આ વાતનો મેળ કેવી રીતે બેસાડવો એ પ્રશ્ન છે.
‘દ્રષ્ટમુષ્ટ આવે નહીં’નો અન્વય સ્પષ્ટ છે – દૃષ્ટિમાં અને મુષ્ટિમાં ન આવે. અહીં ૩૫૧મી કડીમાં પણ એવી ઉક્તિ મળે છે – ‘જે દ્રષ્ટ્ય ન આવે મુષ્ટ્ય ન ગ્રહે’ પણ ‘દ્રષ્ટ્યમુષ્ટ્ય’ એ ‘વચન’નું વિશેષણ બને ત્યારે એ શબ્દનું અર્થઘટન કઈ રીતે કરવું એ પ્રશ્ન થાય છે. અખાજી એને ‘દૃષ્ટિથી અને મુષ્ટિથી ગ્રહી શકાય એવા અનુભવવાળું’ એ અર્થમાં લાઘવથી વાપરતા જણાય છે.
‘દ્રષ્ટમુષ્ટ આવે નહીં’નો અન્વય સ્પષ્ટ છે – દૃષ્ટિમાં અને મુષ્ટિમાં ન આવે. અહીં ૩૫૧મી કડીમાં પણ એવી ઉક્તિ મળે છે – ‘જે દ્રષ્ટ્ય ન આવે મુષ્ટ્ય ન ગ્રહે’ પણ ‘દ્રષ્ટ્યમુષ્ટ્ય’ એ ‘વચન’નું વિશેષણ બને ત્યારે એ શબ્દનું અર્થઘટન કઈ રીતે કરવું એ પ્રશ્ન થાય છે. અખાજી એને ‘દૃષ્ટિથી અને મુષ્ટિથી ગ્રહી શકાય એવા અનુભવવાળું’ એ અર્થમાં લાઘવથી વાપરતા જણાય છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>એહવો સ્યો મોરો અભિલાષ, સામૃથ્ય હોએ તો તું કાંઇ દાખ્ય,
{{Block center|'''<poem>એહવો સ્યો મોરો અભિલાષ, સામૃથ્ય હોએ તો તું કાંઇ દાખ્ય,
વિચાર કહે એ સૂક્ષમ વાત, સમઝશે તો થાશે સાક્ષાત. ૨૨૮</poem>}}
વિચાર કહે એ સૂક્ષમ વાત, સમઝશે તો થાશે સાક્ષાત. ૨૨૮</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મારી આ પ્રકારની અભિલાષા છે. સામર્થ્ય હોય તો તું કંઈક કહે. વિચાર કહે છે : એ સૂક્ષ્મ વાત છે. સમજીશ તો તને સાક્ષાત્‌ (=પ્રત્યક્ષ) થશે, પ્રતીત થશે.
મારી આ પ્રકારની અભિલાષા છે. સામર્થ્ય હોય તો તું કંઈક કહે. વિચાર કહે છે : એ સૂક્ષ્મ વાત છે. સમજીશ તો તને સાક્ષાત્‌ (=પ્રત્યક્ષ) થશે, પ્રતીત થશે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>છે કાયા વિના કાયાનાં કૃત્ય, જ્યમ હસ્તે કંકણ દીસે તરત્ય,
{{Block center|'''<poem>છે કાયા વિના કાયાનાં કૃત્ય, જ્યમ હસ્તે કંકણ દીસે તરત્ય,
માદક જે ઓષધી માંહાં હુતો, ત્યાંહાં ત્યાંહાં તે છતો એ અણછતો. ૨૨૯</poem>}}
માદક જે ઓષધી માંહાં હુતો, ત્યાંહાં ત્યાંહાં તે છતો એ અણછતો. ૨૨૯</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એ મદીલી અવસ્થામાં કાયા વિના કાયાનાં કૃત્યો હોય છે – હાથમાંનું કંકણ તરત દેખાય તેવાં સ્પષ્ટ. માદક પદાર્થ લીધેલો હોય ત્યારે મદીલી વ્યક્તિ હોવા છતાં ન હોવાની સ્થિતિમાં હેાય છે.
એ મદીલી અવસ્થામાં કાયા વિના કાયાનાં કૃત્યો હોય છે – હાથમાંનું કંકણ તરત દેખાય તેવાં સ્પષ્ટ. માદક પદાર્થ લીધેલો હોય ત્યારે મદીલી વ્યક્તિ હોવા છતાં ન હોવાની સ્થિતિમાં હેાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>તે ઓષધી જ્યારે નર ભખ્ય કરે, ત્યારે માદક આવી ત્યાંહાં અવતરે,
{{Block center|'''<poem>તે ઓષધી જ્યારે નર ભખ્ય કરે, ત્યારે માદક આવી ત્યાંહાં અવતરે,
અનંત પ્રાક્રમ કરે ત્યાંહાં રહ્યો, અનંત પ્રકારે તે તાં થયો. ૨૩૦</poem>}}
અનંત પ્રાક્રમ કરે ત્યાંહાં રહ્યો, અનંત પ્રકારે તે તાં થયો. ૨૩૦</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તે માદક પદાર્થ જ્યારે માણસ ખાય ત્યારે મદીલાપણું તેનામાં ઊતરી આવે છે. તે અવસ્થામાં રહીને તે ઘણા પરાક્રમ (કાર્યો) કરે છે અને એ રીતે તે ઘણા પ્રકારનું રૂપ ધારણ કરે છે.
તે માદક પદાર્થ જ્યારે માણસ ખાય ત્યારે મદીલાપણું તેનામાં ઊતરી આવે છે. તે અવસ્થામાં રહીને તે ઘણા પરાક્રમ (કાર્યો) કરે છે અને એ રીતે તે ઘણા પ્રકારનું રૂપ ધારણ કરે છે.
પાઠચર્ચા : ત્રીજા ચરણમાં ક ખ ગ હપ્ર ‘પ્રાક્રમ’ને સ્થાને ‘પ્રકાર’ પાઠ આપે છે. અન્ય હપ્ર ‘પ્રાક્રમ’ પાઠ આપે છે. ‘પ્રકાર કરે’ એ પ્રયોગ બહુ ઉચિત નથી. તે ઉપરાંત પછીના ચરણમાં પણ ‘અનંત પ્રકારે’ એવો પ્રયોગ મળે છે એટલે પદ્યરચનામાં એક પ્રકારની ખૂંચે એવી એકવિધતા આવે છે. એ બધું વિચારતાં ત્રીજા ચરણમાં ‘પ્રાક્રમ’ પાઠ હોય એવો સંભવ વધારે જણાય છે. એથી મુખ્યપ્રતનો પાઠ છોડ્યો છે.
'''પાઠચર્ચા''' : ત્રીજા ચરણમાં ક ખ ગ હપ્ર ‘પ્રાક્રમ’ને સ્થાને ‘પ્રકાર’ પાઠ આપે છે. અન્ય હપ્ર ‘પ્રાક્રમ’ પાઠ આપે છે. ‘પ્રકાર કરે’ એ પ્રયોગ બહુ ઉચિત નથી. તે ઉપરાંત પછીના ચરણમાં પણ ‘અનંત પ્રકારે’ એવો પ્રયોગ મળે છે એટલે પદ્યરચનામાં એક પ્રકારની ખૂંચે એવી એકવિધતા આવે છે. એ બધું વિચારતાં ત્રીજા ચરણમાં ‘પ્રાક્રમ’ પાઠ હોય એવો સંભવ વધારે જણાય છે. એથી મુખ્યપ્રતનો પાઠ છોડ્યો છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
બોલે ચાલે ભોગવે સ્વાદ, બહુ ડહાપણ કે બહુ ઉનમાદ,
{{Block center|'''<poem>બોલે ચાલે ભોગવે સ્વાદ, બહુ ડહાપણ કે બહુ ઉનમાદ,
એકે ચેહેન નહોતું નર વિષે, જ્યમનો ત્યમ હુતો ખાધા પખે. ૨૩૧
એકે ચેહેન નહોતું નર વિષે, જ્યમનો ત્યમ હુતો ખાધા પખે. ૨૩૧</poem>'''}}
{{Poem2Open}}
એ બોલે છે, ચાલે છે, સ્વાદ ભોગવે છે, ઘણું ડહાપણ અથવા ઘણો ઉન્માદ બતાવે છે. આ એકે ચિહ્ન વાસ્તવમાં એ માણસમાં હોતું નથી. માદક પદાર્થ ખાધા વિના તો એ જેમ હતો તેમ જ હતો. (માદક પદાર્થ ખાધાથી એનામાં આ ફેરફાર થયો.)
એ બોલે છે, ચાલે છે, સ્વાદ ભોગવે છે, ઘણું ડહાપણ અથવા ઘણો ઉન્માદ બતાવે છે. આ એકે ચિહ્ન વાસ્તવમાં એ માણસમાં હોતું નથી. માદક પદાર્થ ખાધા વિના તો એ જેમ હતો તેમ જ હતો. (માદક પદાર્થ ખાધાથી એનામાં આ ફેરફાર થયો.)
ખાતે દીઠા બોહોલા રંગ, માદક કેરા તે ત્યાંહાં ઢંગ,
{{Poem2Close}}
તો એટલા [૨૧ખ] ઊફરું શું દેખેશ, મેં સર્વે સહિત કહ્યો સર્વેશ. ૨૩૨
{{Block center|'''<poem>ખાતે દીઠા બોહોલા રંગ, માદક કેરા તે ત્યાંહાં ઢંગ,
તો એટલા [૨૧ખ] ઊફરું શું દેખેશ, મેં સર્વે સહિત કહ્યો સર્વેશ. ૨૩૨</poem>'''}}
{{Poem2Open}}
માદક પદાર્થ ખાધા પછી અનેક જાતના અનુભવ કર્યા. આ બધી મદીલાપણાની રીતભાત છે. તે બધાંની ઉપરવટ તું શું જોઈશ? મેં તો તને સર્વેશ કહેલો છે.
માદક પદાર્થ ખાધા પછી અનેક જાતના અનુભવ કર્યા. આ બધી મદીલાપણાની રીતભાત છે. તે બધાંની ઉપરવટ તું શું જોઈશ? મેં તો તને સર્વેશ કહેલો છે.
ચિત્ત તું ત્યાં જ્યમ માદકવાન, ચિદ-માદિક કીધો ત્યેં પાન,
{{Poem2Close}}
રગ રગ માંહાં માદક તે ચઢ્યો, મન ક્રમ વચન સર્વ માંહાં ફેર પડ્યો. ૨૩૩
{{Block center|'''<poem>ચિત્ત તું ત્યાં જ્યમ માદકવાન, ચિદ-માદિક કીધો ત્યેં પાન,
રગ રગ માંહાં માદક તે ચઢ્યો, મન ક્રમ વચન સર્વ માંહાં ફેર પડ્યો. ૨૩૩</poem>'''}}
{{Poem2Open}}
ચિત્ત, તું મદીલી વ્યક્તિની જગ્યાએ છે. તેં ચૈતન્યરૂપી માદક પદાર્થનું પાન કર્યું છે. રગ રગમાં તેનો કેફ ચઢ્યો છે અને તેથી તારાં મન, વચન, કર્મ સર્વે બદલાઈ ગયાં છે.
ચિત્ત, તું મદીલી વ્યક્તિની જગ્યાએ છે. તેં ચૈતન્યરૂપી માદક પદાર્થનું પાન કર્યું છે. રગ રગમાં તેનો કેફ ચઢ્યો છે અને તેથી તારાં મન, વચન, કર્મ સર્વે બદલાઈ ગયાં છે.
ફાટું આચરે ફાટું બકે, જાણે પણ જાલવી નવ્ય શકે,
{{Poem2Close}}
જે જોવા કીધુંતું ભખ્ય, તે જાણે ને પોતે કહે મુખ્ય. ૨૩૪
{{Block center|'''<poem>ફાટું આચરે ફાટું બકે, જાણે પણ જાલવી નવ્ય શકે,
જે જોવા કીધુંતું ભખ્ય, તે જાણે ને પોતે કહે મુખ્ય. ૨૩૪</poem>'''}}
{{Poem2Open}}
છકેલું વર્તે, છકેલું બોલે, પોતે સમજે પણ પોતાની જાતને જાળવી ન શકે. જેનો અનુભવ કરવા માટે માદક પદાર્થ ખાધો હતો તે અનુભવ થાય છે અને પોતાના મુખથી તેની વાત કરે છે.
છકેલું વર્તે, છકેલું બોલે, પોતે સમજે પણ પોતાની જાતને જાળવી ન શકે. જેનો અનુભવ કરવા માટે માદક પદાર્થ ખાધો હતો તે અનુભવ થાય છે અને પોતાના મુખથી તેની વાત કરે છે.
ત્યમ તુંનો તું અને તેનો તેહ, એમ અનુભવ ને ચિદ તું એહ,
{{Poem2Close}}
જે પોતા માંહે વીચેવીચપણું, તે સમઝાએ તો વારુ ઘણું. ૨૩૫
{{Block center|'''<poem>ત્યમ તુંનો તું અને તેનો તેહ, એમ અનુભવ ને ચિદ તું એહ,
જે પોતા માંહે વીચેવીચપણું, તે સમઝાએ તો વારુ ઘણું. ૨૩૫</poem>'''}}
{{Poem2Open}}
તેમ તું તે તું જ રહે છે અને તે તે જ રહે છે. એ રીતે તું ચૈતન્યરૂપ છે એ અનુભવ થાય છે. પોતામાં જે ઓતપ્રોત થવાપણું – આત્મરત થવાપણું છે તે સમજાય તો ઘણું સારું થાય.
તેમ તું તે તું જ રહે છે અને તે તે જ રહે છે. એ રીતે તું ચૈતન્યરૂપ છે એ અનુભવ થાય છે. પોતામાં જે ઓતપ્રોત થવાપણું – આત્મરત થવાપણું છે તે સમજાય તો ઘણું સારું થાય.
પાઠચર્ચા : ત્રીજા ચરણમાં ક ગ સિવાયની હપ્ર ‘વિચેં વીચણું’ વગેરે પાઠ આપે છે. અખાના છપ્પા ક્રમાંક ૩૯૧માં પણ એવો ‘વીંચે વીચણું’ એ પાઠ મળે છે. તેમ છતાં ‘વીચેવીચપણું’ એ પાઠ અસંભવિત જણાતો નથી તેથી ક ગ હપ્રનો પાઠ છોડ્યો નથી. વિશેષ માટે જુઓ ‘વીચેવીચપણું’ શબ્દાર્થચર્ચા પૃ. ૮૯
'''પાઠચર્ચા''' : ત્રીજા ચરણમાં ક ગ સિવાયની હપ્ર ‘વિચેં વીચણું’ વગેરે પાઠ આપે છે. અખાના છપ્પા ક્રમાંક ૩૯૧માં પણ એવો ‘વીંચે વીચણું’ એ પાઠ મળે છે. તેમ છતાં ‘વીચેવીચપણું’ એ પાઠ અસંભવિત જણાતો નથી તેથી ક ગ હપ્રનો પાઠ છોડ્યો નથી. વિશેષ માટે જુઓ ‘વીચેવીચપણું’ શબ્દાર્થચર્ચા પૃ. ૮૯
સમજૂતી : કડી ૨૨૯થી ૨૩૫ સુધી માદક દ્રવ્યનું સેવન કરનાર, નશાખોર વ્યક્તિનું દૃષ્ટાંત રજૂ થયેલું છે. આ દૃષ્ટાંત કયા અર્થમાં ઘટાવવું એનો થોડો કોયડો છે. સામાન્ય રીતે નશો ભ્રમિત મનોદશાનું દૃષ્ટાંત બને. છકેલા વર્તનનું વર્ણન થયેલું છે તે પણ એ અર્થઘટનને જ ટેકો આપે. પરંતુ ૨૩૩મી કડીમાં ‘ચિદ્‌’ એટલે ચૈતન્યને માદક પદાર્થ સાથે સરખાવેલ છે તે સૂચક છે. તો પછી આ દૃષ્ટાંત દ્વારા ચૈતન્યમય અવસ્થા, બ્રહ્મસ્વરૂપ સ્થિતિનું વર્તન અભિપ્રેત છે એમ માનવું?
'''સમજૂતી''' : કડી ૨૨૯થી ૨૩૫ સુધી માદક દ્રવ્યનું સેવન કરનાર, નશાખોર વ્યક્તિનું દૃષ્ટાંત રજૂ થયેલું છે. આ દૃષ્ટાંત કયા અર્થમાં ઘટાવવું એનો થોડો કોયડો છે. સામાન્ય રીતે નશો ભ્રમિત મનોદશાનું દૃષ્ટાંત બને. છકેલા વર્તનનું વર્ણન થયેલું છે તે પણ એ અર્થઘટનને જ ટેકો આપે. પરંતુ ૨૩૩મી કડીમાં ‘ચિદ્‌’ એટલે ચૈતન્યને માદક પદાર્થ સાથે સરખાવેલ છે તે સૂચક છે. તો પછી આ દૃષ્ટાંત દ્વારા ચૈતન્યમય અવસ્થા, બ્રહ્મસ્વરૂપ સ્થિતિનું વર્તન અભિપ્રેત છે એમ માનવું?
આ દ્વિધાનો નિર્ણય કરવા માટે અખાજીનો નીચેનો છપ્પો ખૂબ મદદરૂપ થાય છેઃ
આ દ્વિધાનો નિર્ણય કરવા માટે અખાજીનો નીચેનો છપ્પો ખૂબ મદદરૂપ થાય છેઃ
વિચાર અણલિંગી ક્યમ ઊપજે, જ્યમ કો નર નેવેલા ભજે,
{{Poem2Close}}
{{Block center|'''<poem>વિચાર અણલિંગી ક્યમ ઊપજે, જ્યમ કો નર નેવેલા ભજે,
ગ્રથલ લઈ (થઈ) જાય તેની વૃત્ય, ત્યમ કૈવલ્યપણું પામે સૂર્ત,
ગ્રથલ લઈ (થઈ) જાય તેની વૃત્ય, ત્યમ કૈવલ્યપણું પામે સૂર્ત,
ભાવના ફેર પડે છે મન, અખા નહીં કો સાક્ષી અન્ય. ૫૪૧
ભાવના ફેર પડે છે મન, અખા નહીં કો સાક્ષી અન્ય. ૫૪૧</poem>'''}}
{{Poem2Open}}
‘નેવેલા’ તે કોઈ માદકપદાર્થ હોવાનો તર્ક ઉમાશંકર જોશીએ કર્યો છે તે ‘ચિત્તવિચારસંવાદ’માં પ્રયોજાયેલું દૃષ્ટાંત જોતાં સાચો ઠરે છે. બંને દૃષ્ટાંતની સમાનતા ઊડીને આંખે વળગે એવી છે. એમાં છપ્પાનું તાત્પર્ય અત્યંત સ્પષ્ટ છે. તેમાં કૈવલ્યમયવૃત્તિને ગ્રથલ (ઘેલી, ઉન્માદભરી) વૃત્તિ સાથે સરખાવી છે. (ભૂપેન્દ્ર ત્રિવેદી ‘ગ્રથલ’ એટલે ચકિત, આભી, સ્થગિત એેવો અર્થ કરે છે તે યોગ્ય નથી.) તો પછી ‘ચિત્તવિચારસંવાદ’ના દૃષ્ટાંતમાં પણ એમ જ છે એમ માનવામાં કશો બાધ રહેતો નથી. એમાં આત્મમસ્ત દશાનું વર્ણન અભિપ્રેત છે. છપ્પામાં જેમ એમ કહ્યું છે કે એ સ્થિતિમાં કોઈ સાક્ષી હોતા નથી તેમ ‘ચિત્તવિચારસંવાદ’માં પણ ‘તુનો તું અને તેનો તેહ’, ‘પોતામાં વીચેવીચપણું’ વગેરે શબ્દોથી અન્યનો પરિહાર કરી આત્મસ્થતાની વાત કરેલી છે.
‘નેવેલા’ તે કોઈ માદકપદાર્થ હોવાનો તર્ક ઉમાશંકર જોશીએ કર્યો છે તે ‘ચિત્તવિચારસંવાદ’માં પ્રયોજાયેલું દૃષ્ટાંત જોતાં સાચો ઠરે છે. બંને દૃષ્ટાંતની સમાનતા ઊડીને આંખે વળગે એવી છે. એમાં છપ્પાનું તાત્પર્ય અત્યંત સ્પષ્ટ છે. તેમાં કૈવલ્યમયવૃત્તિને ગ્રથલ (ઘેલી, ઉન્માદભરી) વૃત્તિ સાથે સરખાવી છે. (ભૂપેન્દ્ર ત્રિવેદી ‘ગ્રથલ’ એટલે ચકિત, આભી, સ્થગિત એેવો અર્થ કરે છે તે યોગ્ય નથી.) તો પછી ‘ચિત્તવિચારસંવાદ’ના દૃષ્ટાંતમાં પણ એમ જ છે એમ માનવામાં કશો બાધ રહેતો નથી. એમાં આત્મમસ્ત દશાનું વર્ણન અભિપ્રેત છે. છપ્પામાં જેમ એમ કહ્યું છે કે એ સ્થિતિમાં કોઈ સાક્ષી હોતા નથી તેમ ‘ચિત્તવિચારસંવાદ’માં પણ ‘તુનો તું અને તેનો તેહ’, ‘પોતામાં વીચેવીચપણું’ વગેરે શબ્દોથી અન્યનો પરિહાર કરી આત્મસ્થતાની વાત કરેલી છે.
વેદાંતમાં બ્રહ્મજ્ઞાનીના સંબંધમાં ‘જડવત્‌ આચરેત્‌’ (બાલવત્‌, ઉન્મત્તવત્‌) એવી ઉક્તિ મળે છે અને અન્યત્ર ઉન્મની અવસ્થામાં થતા ઉન્મત્ત વર્તનનાં વર્ણનો આવે છે તે આ સંદર્ભમાં યાદ કરી શકાય.
વેદાંતમાં બ્રહ્મજ્ઞાનીના સંબંધમાં ‘જડવત્‌ આચરેત્‌’ (બાલવત્‌, ઉન્મત્તવત્‌) એવી ઉક્તિ મળે છે અને અન્યત્ર ઉન્મની અવસ્થામાં થતા ઉન્મત્ત વર્તનનાં વર્ણનો આવે છે તે આ સંદર્ભમાં યાદ કરી શકાય.
ચિત્ત તે તાહારી કીમત્ય થાઇ, તોરાં મૂલ ઊંડાં છે પ્રાઇ,
{{Poem2Close}}
મૂલ થાએ તે ઓછી વસ્ત, મૂલ્યે માહાતમ પામે અસ્ત. ૨૩૬
{{Block center|'''<poem>ચિત્ત તે તાહારી કીમત્ય થાઇ, તોરાં મૂલ ઊંડાં છે પ્રાઇ,
મૂલ થાએ તે ઓછી વસ્ત, મૂલ્યે માહાતમ પામે અસ્ત. ૨૩૬</poem>'''}}
{{Poem2Open}}
ચિત્ત, તારી તો કીંમત થઈ શકે તેમ નથી. તારાં મૂળ ખરેખર ઊંડાં છે. જેનું મૂલ્ય થાય એ વસ્તુ તુચ્છ ગણાય. મૂલ્ય થવાથી માહાત્મ્ય નષ્ટ થાય છે.
ચિત્ત, તારી તો કીંમત થઈ શકે તેમ નથી. તારાં મૂળ ખરેખર ઊંડાં છે. જેનું મૂલ્ય થાય એ વસ્તુ તુચ્છ ગણાય. મૂલ્ય થવાથી માહાત્મ્ય નષ્ટ થાય છે.
પાઠચર્ચા : પહેલા ચરણમાં ક ગ હપ્ર ‘ચિત્ત કેહે’ પાઠ આપે છે, જેનો અર્થ હવે ચિત્તની ઉક્તિ શરૂ થાય છે એવો થાય. અન્ય હપ્ર ‘કેહે’ને સ્થાને ‘તો’ કે ‘તે’ પાઠ આપે છે. એમાં ‘ચિત્ત’ સંબોધનનો શબ્દ બને છે અને વિચારની ઉક્તિ ચાલુ રહે છે. આ પંક્તિઓને કદાચ ચિત્તની ઉક્તિ તરીકે બેસાડી શકાય પરંતુ કડી ૨૩૭માં ‘અવાચ્યવીર્જ્ય તોરું ચિત્ત નામ’ એવી પંક્તિ આવે છે તે વિચારની ઉક્તિમાં જ આવી શકે, ચિત્તની ઉક્તિમાં નહીં. અને ત્યાં ક ગ હપ્ર એ વિચારની ઉક્તિ છે એમ જણાવતી નથી. આથી ક ગ હપ્રનો પાઠ અહીં ભ્રષ્ટ જ હોવાનું અને વિચારની ઉક્તિ ચાલુ છે એમ દર્શાવતો ‘ચિત્ત તે’ પાઠ ખરો હોવાનું માનવાનું સયુક્તિક છે.
'''પાઠચર્ચા''' : પહેલા ચરણમાં ક ગ હપ્ર ‘ચિત્ત કેહે’ પાઠ આપે છે, જેનો અર્થ હવે ચિત્તની ઉક્તિ શરૂ થાય છે એવો થાય. અન્ય હપ્ર ‘કેહે’ને સ્થાને ‘તો’ કે ‘તે’ પાઠ આપે છે. એમાં ‘ચિત્ત’ સંબોધનનો શબ્દ બને છે અને વિચારની ઉક્તિ ચાલુ રહે છે. આ પંક્તિઓને કદાચ ચિત્તની ઉક્તિ તરીકે બેસાડી શકાય પરંતુ કડી ૨૩૭માં ‘અવાચ્યવીર્જ્ય તોરું ચિત્ત નામ’ એવી પંક્તિ આવે છે તે વિચારની ઉક્તિમાં જ આવી શકે, ચિત્તની ઉક્તિમાં નહીં. અને ત્યાં ક ગ હપ્ર એ વિચારની ઉક્તિ છે એમ જણાવતી નથી. આથી ક ગ હપ્રનો પાઠ અહીં ભ્રષ્ટ જ હોવાનું અને વિચારની ઉક્તિ ચાલુ છે એમ દર્શાવતો ‘ચિત્ત તે’ પાઠ ખરો હોવાનું માનવાનું સયુક્તિક છે.
ત્યેં તુંને જાણ્યે ચૂકી હદ, તારું નિદાન તાં છે અદબદ,
{{Poem2Close}}
અવાચ્યવીર્જ્ય તોરું ચિત્ત નામ, મુજ વિના ત્યેં નીગમી’તી હામ, ૨૩૭
{{Block center|'''<poem>ત્યેં તુંને જાણ્યે ચૂકી હદ, તારું નિદાન તાં છે અદબદ,
અવાચ્યવીર્જ્ય તોરું ચિત્ત નામ, મુજ વિના ત્યેં નીગમી’તી હામ, ૨૩૭</poem>'''}}
{{Poem2Open}}
તું તારા સ્વરૂપને જાણે એટલે સીમા (ભેદરેખા) લુપ્ત થઈ. તારું મૂળ કારણરૂપ તત્ત્વ તો અદ્‌ભુત છે. ચિત્ત, તું તો અવાચ્યવીર્ય છે (તારામાં બ્રહ્મની ક્ષમતા છે) અને મારા વિના તેં શક્તિ ગુમાવી હતી.
તું તારા સ્વરૂપને જાણે એટલે સીમા (ભેદરેખા) લુપ્ત થઈ. તારું મૂળ કારણરૂપ તત્ત્વ તો અદ્‌ભુત છે. ચિત્ત, તું તો અવાચ્યવીર્ય છે (તારામાં બ્રહ્મની ક્ષમતા છે) અને મારા વિના તેં શક્તિ ગુમાવી હતી.
અચાનક જ્યારે હું ઊમટ્યો, ત્યારે તું નિજરૂપે થૈ આઘો વટ્યો,
{{Poem2Close}}
અવાચ્ય[રરક]વીર્જ્ય મુને શું જાણી કહે, ચિત્ત કહે તે મુને લેખું દ્યે. ૨૩૮
{{Block center|'''<poem>અચાનક જ્યારે હું ઊમટ્યો, ત્યારે તું નિજરૂપે થૈ આઘો વટ્યો,
અવાચ્ય[રરક]વીર્જ્ય મુને શું જાણી કહે, ચિત્ત કહે તે મુને લેખું દ્યે. ૨૩૮</poem>'''}}
{{Poem2Open}}
જ્યારે અચાનક હું આવી ચડ્યો ત્યારે તું તારા સ્વરૂપને પામી આગળ નીકળી ગયો. ચિત્ત કહે છે : તું મને અવાચ્યવીર્ય શું જાણીને કહે છે તે મને સમજાવ.
જ્યારે અચાનક હું આવી ચડ્યો ત્યારે તું તારા સ્વરૂપને પામી આગળ નીકળી ગયો. ચિત્ત કહે છે : તું મને અવાચ્યવીર્ય શું જાણીને કહે છે તે મને સમજાવ.
પાઠચર્ચા : બીજા ચરણમાં ખ ટ હપ્રના ‘આવટ્યો’ પાઠને અન્ય કોઈ હપ્રનો ટેકો નથી અને અર્થદૃષ્ટિએ પણ એ બરાબર નથી. ચોથા ચરણમાં અ બ હપ્રમાં ‘ચિત્ત’ શબ્દ સંબોધન રૂપે આવે છે એટલે કે આ વિચારની ઉક્તિ ચાલુ છે એમ એ અર્થ કરે છે પરંતુ વિચાર ચિત્તને તું ‘અવાચ્યવીર્ય છે’ એમ કહ્યા પછી અવાચ્યવીર્ય શું જાણીને કહે છે એમ કેવી રીતે કહી શકે? વસ્તુતઃ ત્રીજા ચરણથી ચિત્તની ઉક્તિ ચાલુ થઈ જાય છે એમ માનવું યોગ્ય છે. જુઓ સમજૂતી.
'''પાઠચર્ચા''' : બીજા ચરણમાં ખ ટ હપ્રના ‘આવટ્યો’ પાઠને અન્ય કોઈ હપ્રનો ટેકો નથી અને અર્થદૃષ્ટિએ પણ એ બરાબર નથી. ચોથા ચરણમાં અ બ હપ્રમાં ‘ચિત્ત’ શબ્દ સંબોધન રૂપે આવે છે એટલે કે આ વિચારની ઉક્તિ ચાલુ છે એમ એ અર્થ કરે છે પરંતુ વિચાર ચિત્તને તું ‘અવાચ્યવીર્ય છે’ એમ કહ્યા પછી અવાચ્યવીર્ય શું જાણીને કહે છે એમ કેવી રીતે કહી શકે? વસ્તુતઃ ત્રીજા ચરણથી ચિત્તની ઉક્તિ ચાલુ થઈ જાય છે એમ માનવું યોગ્ય છે. જુઓ સમજૂતી.
સમજૂતી : ત્રીજા-ચોથા ચરણના ‘તું મને અવાચ્યવીર્ય શું જાણીને કહે છે તે મને સમજાવ’ એ વાક્યની વચ્ચે ‘ચિત્ત કહે’ શબ્દો મૂળ પાઠમાં ગૂંથાયા છે તે વિલક્ષણ રીતિ છે અને આ કૃતિમાં એ ક્વચિત જોવા મળે છે. જુઓ કડી ૨૫૬ની સમજૂતી.
'''સમજૂતી''' : ત્રીજા-ચોથા ચરણના ‘તું મને અવાચ્યવીર્ય શું જાણીને કહે છે તે મને સમજાવ’ એ વાક્યની વચ્ચે ‘ચિત્ત કહે’ શબ્દો મૂળ પાઠમાં ગૂંથાયા છે તે વિલક્ષણ રીતિ છે અને આ કૃતિમાં એ ક્વચિત જોવા મળે છે. જુઓ કડી ૨૫૬ની સમજૂતી.
વિચાર કહે જે કેહેવો એ ન કેહેવાઇ, ત્યાંહાંની ઝલકણ તે તું ચિત્તરાઇ,
{{Poem2Close}}
જ્યેમ મેઘનિશા હોએ ઘોર અંધાર, ચંદ્ર નક્ષત્ર ઢંકાણાં તાર. ૨૩૯
{{Block center|'''<poem>વિચાર કહે જે કેહેવો એ ન કેહેવાઇ, ત્યાંહાંની ઝલકણ તે તું ચિત્તરાઇ,
જ્યેમ મેઘનિશા હોએ ઘોર અંધાર, ચંદ્ર નક્ષત્ર ઢંકાણાં તાર. ૨૩૯</poem>'''}}
{{Poem2Open}}
વિચાર કહે છે : જે કેવો છે એનું વર્ણન થઈ શકે તેમ નથી, તેની (બ્રહ્મની), ચિત્તરાય, તું જ્યોતિ છે. જેમ ઘનઘોર રાત્રીએ ગાઢ અંધકાર ફેલાયેલો હોય અને તેને કારણે ચંદ્ર, નક્ષત્ર, તારા ઢંકાઈ જાય –
વિચાર કહે છે : જે કેવો છે એનું વર્ણન થઈ શકે તેમ નથી, તેની (બ્રહ્મની), ચિત્તરાય, તું જ્યોતિ છે. જેમ ઘનઘોર રાત્રીએ ગાઢ અંધકાર ફેલાયેલો હોય અને તેને કારણે ચંદ્ર, નક્ષત્ર, તારા ઢંકાઈ જાય –
કીડી કુંજર ન આવે દ્રષ્ટ્ય, બોહોલી હવી તિમિરની પુષ્ટ્ય,
{{Poem2Close}}
એહવા માંહાં ઝલકી દામિની, તે તો દિવસે ન હોઈ ને ન હોઈ જામિની. ૨૪૦
{{Block center|'''<poem>કીડી કુંજર ન આવે દ્રષ્ટ્ય, બોહોલી હવી તિમિરની પુષ્ટ્ય,
એહવા માંહાં ઝલકી દામિની, તે તો દિવસે ન હોઈ ને ન હોઈ જામિની. ૨૪૦</poem>'''}}
{{Poem2Open}}
કીડીથી માંડીને હાથી સુધી કશું નજરે ન ચઢે એવો ગાઢ અંધકાર જામેલો હોય, એવામાં વીજળી ચમકે તો તે દિવસ પણ ન કહેવાય અને રાત્રિ પણ ન કહેવાય.
કીડીથી માંડીને હાથી સુધી કશું નજરે ન ચઢે એવો ગાઢ અંધકાર જામેલો હોય, એવામાં વીજળી ચમકે તો તે દિવસ પણ ન કહેવાય અને રાત્રિ પણ ન કહેવાય.
સહુ દીઠું ઝાતકાર્યે કરી, જેહેને રહ્યું’તું તિમિર આવરી,
{{Poem2Close}}
સૂર્જ્ય ચંદ્ર તારા વિના સાર, મહાઅગ્નિ કેરો ઝાતકાર. ૨૪૧
{{Block center|'''<poem>સહુ દીઠું ઝાતકાર્યે કરી, જેહેને રહ્યું’તું તિમિર આવરી,
સૂર્જ્ય ચંદ્ર તારા વિના સાર, મહાઅગ્નિ કેરો ઝાતકાર. ૨૪૧</poem>'''}}
{{Poem2Open}}
જેને અંધકારે આવરી લીધું હતું તે બધું જ એક ઝબકારામાં દેખાયું. સૂર્ય, ચંદ્ર અને તારા વિના આ મહાઅગ્નિનો પ્રકાશ-ઝબકાર થયેલો છે.
જેને અંધકારે આવરી લીધું હતું તે બધું જ એક ઝબકારામાં દેખાયું. સૂર્ય, ચંદ્ર અને તારા વિના આ મહાઅગ્નિનો પ્રકાશ-ઝબકાર થયેલો છે.
સમજૂતી : છેલ્લા ચરણમાં મહાઅગ્નિનો ઝબકાર કહેવામાં આવ્યો છે પણ કડી ૨૪૫ જોતાં મહાઅગ્નિ અને વીજળી બે જુદી વસ્તુઓ હોય એમ સમજાય છે. તેથી અહીં મહાઅગ્નિના અંશરૂપ વીજળીનો ઝબકાર એવો અર્થ સમજવો જોઈએ.
'''સમજૂતી''' : છેલ્લા ચરણમાં મહાઅગ્નિનો ઝબકાર કહેવામાં આવ્યો છે પણ કડી ૨૪૫ જોતાં મહાઅગ્નિ અને વીજળી બે જુદી વસ્તુઓ હોય એમ સમજાય છે. તેથી અહીં મહાઅગ્નિના અંશરૂપ વીજળીનો ઝબકાર એવો અર્થ સમજવો જોઈએ.
એહનું સિદ્ધાંત સાંભલ્ય તું ચિત્ત, તોરું મૂલગું કહું છું વિત્ત,
{{Poem2Close}}
હુંતું અરબદ નરબદ ધૂંધૂંકાર, નહોતાં તત્ત્વ નહોતા આકાર. ૨૪૨
{{Block center|'''<poem>એહનું સિદ્ધાંત સાંભલ્ય તું ચિત્ત, તોરું મૂલગું કહું છું વિત્ત,
હુંતું અરબદ નરબદ ધૂંધૂંકાર, નહોતાં તત્ત્વ નહોતા આકાર. ૨૪૨</poem>'''}}
{{Poem2Open}}
ચિત્ત, તું તેનો સિદ્ધાંત સાંભળ – તારું મૂળ સત્ત્વ શું છે એ હું તને કહું છું. જ્યારે કાચા ગર્ભના જેવી પિંડરૂપ ધૂંધળી સ્થિતિ હતી, કોઈ તત્ત્વ ન હતાં અને કશા આકાર ન હતા –
ચિત્ત, તું તેનો સિદ્ધાંત સાંભળ – તારું મૂળ સત્ત્વ શું છે એ હું તને કહું છું. જ્યારે કાચા ગર્ભના જેવી પિંડરૂપ ધૂંધળી સ્થિતિ હતી, કોઈ તત્ત્વ ન હતાં અને કશા આકાર ન હતા –
સમજૂતી : ‘અરબદ નરબદ ધૂંધૂકાર’ એ ઉક્તિ અત્યંત નોંધપાત્ર છે. સૃષ્ટિનો આકાર બંધાયો તે પૂર્વેની સૃષ્ટિની સ્થિતિનું વર્ણન એ દ્વારા થયેલું છે. સં. ‘નર્દબુદ’ શબ્દ ગર્ભને બોલાવનાર, સંભળાવનાર એવા અર્થમાં નોંધાયો છે. એ અર્થ અહીં બેસતો નથી. પણ એ શબ્દનો ગર્ભ સાથે સંબંધ છે એ તો સ્પષ્ટ છે. આ ઉક્તિ નિજારપંથની પરંપરામાં સૃષ્ટિની ઉત્પત્તિની પહેલી સ્થિતિ દર્શાવવા માટે પ્રયોજાયેલી જોવા મળે છે. (જુઓ હરિવલ્લભ ભાયાણી, ‘નિજારી સંતભક્ત-પરંપરાનું એક પગેરું’, ઊર્મિ-નવરચના. પૃ.૬૩-૬૪) તેથી આ એક મધ્યકાલીન રૂઢિ હોવાનું દેખાઈ આવે છે.
'''સમજૂતી''' : ‘અરબદ નરબદ ધૂંધૂકાર’ એ ઉક્તિ અત્યંત નોંધપાત્ર છે. સૃષ્ટિનો આકાર બંધાયો તે પૂર્વેની સૃષ્ટિની સ્થિતિનું વર્ણન એ દ્વારા થયેલું છે. સં. ‘નર્દબુદ’ શબ્દ ગર્ભને બોલાવનાર, સંભળાવનાર એવા અર્થમાં નોંધાયો છે. એ અર્થ અહીં બેસતો નથી. પણ એ શબ્દનો ગર્ભ સાથે સંબંધ છે એ તો સ્પષ્ટ છે. આ ઉક્તિ નિજારપંથની પરંપરામાં સૃષ્ટિની ઉત્પત્તિની પહેલી સ્થિતિ દર્શાવવા માટે પ્રયોજાયેલી જોવા મળે છે. (જુઓ હરિવલ્લભ ભાયાણી, ‘નિજારી સંતભક્ત-પરંપરાનું એક પગેરું’, ઊર્મિ-નવરચના. પૃ.૬૩-૬૪) તેથી આ એક મધ્યકાલીન રૂઢિ હોવાનું દેખાઈ આવે છે.
ઉડગણ નહોતા ઉડપતિ ભાણ, નહોતા વેદ સમૃતિ પુરાણ,
{{Poem2Close}}
નહોતા શિવ, બ્રહ્મા ને વિષ્ણુ, નહોતું શીત કેહે નોતુ ઉષ્ણ. ૨૪૩
{{Block center|'''<poem>ઉડગણ નહોતા ઉડપતિ ભાણ, નહોતા વેદ સમૃતિ પુરાણ,
નહોતા શિવ, બ્રહ્મા ને વિષ્ણુ, નહોતું શીત કેહે નોતુ ઉષ્ણ. ૨૪૩</poem>'''}}
{{Poem2Open}}
તારાઓનો સમૂહ ન હતો, ઉડુપતિ (સૂર્ય) ન હતા, વેદ, સ્મૃતિ, પુરાણ ન હતાં, શિવ, બ્રહ્મા અને વિષ્ણુ ન હતા, ઠંડું કે ગરમ કશું ન હતું.
તારાઓનો સમૂહ ન હતો, ઉડુપતિ (સૂર્ય) ન હતા, વેદ, સ્મૃતિ, પુરાણ ન હતાં, શિવ, બ્રહ્મા અને વિષ્ણુ ન હતા, ઠંડું કે ગરમ કશું ન હતું.
પાઠચર્ચા : ચોથા ચરણમાં ગ હપ્ર જ ‘કેહે નોતુ’ પાઠ આપે છે, બીજી બધી હપ્ર ‘કેહેનારો’ અને ‘કહેનારું’ પાઠ આપે છે. પરંતુ ‘કેહેનારો નહોતું’ એવી ખોટી વાક્યરચના એમાં થાય છે. ‘કેહેનારા’ શબ્દ ‘શીત’ અને ‘ઉષ્ણ’ની વચ્ચે આવે એ વાક્યરચના પણ કઢંગી થાય છે. બીજું, શીત કે ઉષ્ણ કહેનાર કોઈ ન હતું એમ કહીએ એટલે શીત અને ઉષ્ણ એવા ભેદ હતા એવો અર્થ થાય જે અખાજીને અભિપ્રેત ન હોઈ શકે કેમકે અખાજી કશા ભેદ વિનાની સ્થિતિને આલેખી રહ્યા છે. તેથી મુખ્ય હપ્ર તેમજ અન્ય હપ્રનો પાઠ છોડી ‘કેહે નોતુ’ એ પાઠ સ્વીકાર્યો છે. એમાં ‘કેહે’ ને ‘કે’ના અર્થમાં લેવાની – ‘હ’ શ્રુતિ દાખલ થઈ હોવાનું માનવાની – સ્થિતિ આવે છે.
'''પાઠચર્ચા''' : ચોથા ચરણમાં ગ હપ્ર જ ‘કેહે નોતુ’ પાઠ આપે છે, બીજી બધી હપ્ર ‘કેહેનારો’ અને ‘કહેનારું’ પાઠ આપે છે. પરંતુ ‘કેહેનારો નહોતું’ એવી ખોટી વાક્યરચના એમાં થાય છે. ‘કેહેનારા’ શબ્દ ‘શીત’ અને ‘ઉષ્ણ’ની વચ્ચે આવે એ વાક્યરચના પણ કઢંગી થાય છે. બીજું, શીત કે ઉષ્ણ કહેનાર કોઈ ન હતું એમ કહીએ એટલે શીત અને ઉષ્ણ એવા ભેદ હતા એવો અર્થ થાય જે અખાજીને અભિપ્રેત ન હોઈ શકે કેમકે અખાજી કશા ભેદ વિનાની સ્થિતિને આલેખી રહ્યા છે. તેથી મુખ્ય હપ્ર તેમજ અન્ય હપ્રનો પાઠ છોડી ‘કેહે નોતુ’ એ પાઠ સ્વીકાર્યો છે. એમાં ‘કેહે’ ને ‘કે’ના અર્થમાં લેવાની – ‘હ’ શ્રુતિ દાખલ થઈ હોવાનું માનવાની – સ્થિતિ આવે છે.
આકસ્મા[રરખ]ત ઝલક્યો તું પિતા, ત્યારે સહુ કો દીઠા છતા,
{{Poem2Close}}
બ્રહ્મા આદ્ય પતંગે લગી, તાહારી ચમક દીસે ઊમગી. ૨૪૪
{{Block center|'''<poem>આકસ્મા[રરખ]ત ઝલક્યો તું પિતા, ત્યારે સહુ કો દીઠા છતા,
બ્રહ્મા આદ્ય પતંગે લગી, તાહારી ચમક દીસે ઊમગી. ૨૪૪</poem>'''}}
{{Poem2Open}}
હે પિતા, ત્યાં એકાએક તું ઝળક્યો અને ત્યારે બધા પદાર્થોને પ્રગટ થયેલા જોયા. બ્રહ્માથી માંડીને પતંગિયા સુધી (નાના જીવજંતુ સુધી) તારો પ્રકાશ ફેલાયેલો દેખાય.
હે પિતા, ત્યાં એકાએક તું ઝળક્યો અને ત્યારે બધા પદાર્થોને પ્રગટ થયેલા જોયા. બ્રહ્માથી માંડીને પતંગિયા સુધી (નાના જીવજંતુ સુધી) તારો પ્રકાશ ફેલાયેલો દેખાય.
હરિ હર અજ તુજ માંહાંથા થયા, તુજ વડે તે વરતે રહ્યા,
{{Poem2Close}}
ત્યાંહાં માહાઅગ્નિ ત્યમ આંહાં અવાચ્ય, ત્યાંહાં વિદ્યુત ત્યમ આંહાં તું સાચ. ૨૪૫
{{Block center|'''<poem>હરિ હર અજ તુજ માંહાંથા થયા, તુજ વડે તે વરતે રહ્યા,
ત્યાંહાં માહાઅગ્નિ ત્યમ આંહાં અવાચ્ય, ત્યાંહાં વિદ્યુત ત્યમ આંહાં તું સાચ. ૨૪૫</poem>'''}}
{{Poem2Open}}
શંકર, વિષ્ણુ, બ્રહ્મા તારામાંથી થયા અને તારાથી તે વરતી રહ્યા છે (એટલે કે અસ્તિત્વમાં છે). ત્યાં મહાઅગ્નિ તેમ અહીં અવાચ્ય (બ્રહ્મ), ત્યાં વીજળી તેમ તું અહીં છે.
શંકર, વિષ્ણુ, બ્રહ્મા તારામાંથી થયા અને તારાથી તે વરતી રહ્યા છે (એટલે કે અસ્તિત્વમાં છે). ત્યાં મહાઅગ્નિ તેમ અહીં અવાચ્ય (બ્રહ્મ), ત્યાં વીજળી તેમ તું અહીં છે.
સમજૂતી : અખાજીએ આ મુજબ રૂપક રચ્યું હોય એમ જણાય છે કે અવાચ્ય બ્રહ્મ તે મહાઅગ્નિ અને ચિત્ત તે મહાઅગ્નિના અંશરૂપ વીજળી. વીજળીથી જેમ સૃષ્ટિ પ્રકાશિત થઈને અસ્તિત્વમાં આવે છે તેમ ચિત્તવ્યાપારથી આરોપિત થઈને સૃષ્ટિ અસ્તિત્વમાં આવે છે. ચિત્ત ન હોય તો આ સૃષ્ટિ જ ન હોય.
'''સમજૂતી''' : અખાજીએ આ મુજબ રૂપક રચ્યું હોય એમ જણાય છે કે અવાચ્ય બ્રહ્મ તે મહાઅગ્નિ અને ચિત્ત તે મહાઅગ્નિના અંશરૂપ વીજળી. વીજળીથી જેમ સૃષ્ટિ પ્રકાશિત થઈને અસ્તિત્વમાં આવે છે તેમ ચિત્તવ્યાપારથી આરોપિત થઈને સૃષ્ટિ અસ્તિત્વમાં આવે છે. ચિત્ત ન હોય તો આ સૃષ્ટિ જ ન હોય.
બ્રહ્માંડ ગણે તોહે એમ નીપજ્ય, અને પિંડ ગણે તોહે એમ જ ભજ્ય,
{{Poem2Close}}
બ્રહ્માંડ સ્ફુર્યુ ત્યાંહાં તું ઈશ્વર થયો, અને પિંડ સ્ફુર્યો ત્યાંહાં જીવ જ રહ્યો. ૨૪૬
{{Block center|'''<poem>બ્રહ્માંડ ગણે તોહે એમ નીપજ્ય, અને પિંડ ગણે તોહે એમ જ ભજ્ય,
બ્રહ્માંડ સ્ફુર્યુ ત્યાંહાં તું ઈશ્વર થયો, અને પિંડ સ્ફુર્યો ત્યાંહાં જીવ જ રહ્યો. ૨૪૬</poem>'''}}
{{Poem2Open}}
બ્રહ્માંડને લક્ષમાં લે તો પણ આ જ સ્થિતિ છે. અને શરીરને લક્ષમાં લે તો પણ આ જ સ્થિતિ છે એમ સ્વીકાર. બ્રહ્માંડ ઉત્પન્ન થયું ત્યાં તું ઈશ્વર થયો અને પિંડ ઉત્પન્ન થયું ત્યાં જીવ બન્યો.
બ્રહ્માંડને લક્ષમાં લે તો પણ આ જ સ્થિતિ છે. અને શરીરને લક્ષમાં લે તો પણ આ જ સ્થિતિ છે એમ સ્વીકાર. બ્રહ્માંડ ઉત્પન્ન થયું ત્યાં તું ઈશ્વર થયો અને પિંડ ઉત્પન્ન થયું ત્યાં જીવ બન્યો.
સમજૂતી : ઈશ્વર અને જીવ બંનેમાં બ્રહ્મની શક્તિ (વીર્ય) રહેલી છે. બ્રહ્માંડ પરત્વે ઈશ્વર અને પિંડ પરત્વે જીવ. એટલે કે બ્રહ્માંડમાં જે શક્તિ પ્રવર્તી રહી છે તે ઈશ્વર અને પિડમાં જે શક્તિ પ્રવર્તી રહી છે તે જીવ.
'''સમજૂતી''' : ઈશ્વર અને જીવ બંનેમાં બ્રહ્મની શક્તિ (વીર્ય) રહેલી છે. બ્રહ્માંડ પરત્વે ઈશ્વર અને પિંડ પરત્વે જીવ. એટલે કે બ્રહ્માંડમાં જે શક્તિ પ્રવર્તી રહી છે તે ઈશ્વર અને પિડમાં જે શક્તિ પ્રવર્તી રહી છે તે જીવ.
કદાચ્ય ચિત્ત તું વૈકુંઠ જાઈ, તોહે તું તુજ માંહાં અવઘાઇ,
{{Poem2Close}}
અષ્ટ મહાસિદ્ધિ કરે કિંકરી, તોહે ત્યેં તોરી વ્યર્ત્ય આચરી. ૨૪૭
{{Block center|'''<poem>કદાચ્ય ચિત્ત તું વૈકુંઠ જાઈ, તોહે તું તુજ માંહાં અવઘાઇ,
અષ્ટ મહાસિદ્ધિ કરે કિંકરી, તોહે ત્યેં તોરી વ્યર્ત્ય આચરી. ૨૪૭</poem>'''}}
{{Poem2Open}}
ચિત્ત, કદાચ તું વૈકુંઠમાં જાય તો તું તારામાં જ ડૂબેલો રહીશ અને અષ્ટ મહાસિદ્ધિને તું તારી દાસી કરે તોપણ તું તારી વૃત્તિનું આચરણ કરીશ.
ચિત્ત, કદાચ તું વૈકુંઠમાં જાય તો તું તારામાં જ ડૂબેલો રહીશ અને અષ્ટ મહાસિદ્ધિને તું તારી દાસી કરે તોપણ તું તારી વૃત્તિનું આચરણ કરીશ.
ચિત્ત કહે, એથી અલગો સ્યો નિકાલ, તેહેની કાંઈ કાઢી છે ભાલ,
{{Poem2Close}}
વિચાર કહે, ભાલ દાદા તણી, તે દાદો જ પ્રેરે કહે આપણી. ૨૪૮
{{Block center|'''<poem>ચિત્ત કહે, એથી અલગો સ્યો નિકાલ, તેહેની કાંઈ કાઢી છે ભાલ,
વિચાર કહે, ભાલ દાદા તણી, તે દાદો જ પ્રેરે કહે આપણી. ૨૪૮</poem>'''}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : એનાથી જુદો ઉપાય (=રસ્તો) શું છે તેની કંઈ શોધ કરી છે? વિચાર કહે છે : શોધ તો દાદાની (મૂળ પુરુષની) કરવાની છે. એ દાદો જ આપણી ભાળ પ્રેરે છે અને બતાવે છે.
ચિત્ત કહે છે : એનાથી જુદો ઉપાય (=રસ્તો) શું છે તેની કંઈ શોધ કરી છે? વિચાર કહે છે : શોધ તો દાદાની (મૂળ પુરુષની) કરવાની છે. એ દાદો જ આપણી ભાળ પ્રેરે છે અને બતાવે છે.
સમજૂતી બ્રહ્મસ્વરૂપની ઓળખમાં જ આત્મતત્ત્વની ઓળખ રહેલી છે એમ અખાજીનું કહેવાનું જણાય છે.
સમજૂતી બ્રહ્મસ્વરૂપની ઓળખમાં જ આત્મતત્ત્વની ઓળખ રહેલી છે એમ અખાજીનું કહેવાનું જણાય છે.
મુજ દ્વારા પ્રકાશે વાટ, જો તુંને બેસશે ઘાટ,
{{Poem2Close}}
પ્રકાર ઘણા ધ્યે[૨૩ક] મલવા તણા, પણ નિદાન જોતાં તે નેટ્ય આપણાં. ૨૪૯  
{{Block center|'''<poem>મુજ દ્વારા પ્રકાશે વાટ, જો તુંને બેસશે ઘાટ,
પ્રકાર ઘણા ધ્યે[૨૩ક] મલવા તણા, પણ નિદાન જોતાં તે નેટ્ય આપણાં. ૨૪૯</poem>'''}}
{{Poem2Open}}
હું રસ્તો બતાવું છું, જો તને મનમાં ઊતરે તો ધ્યેય(બ્રહ્મ)ને પ્રાપ્ત કરવાના ઘણા પ્રકાર છે. પણ પરિણામે તે આત્મતત્ત્વના અભ્યાસના જ માર્ગ હેાય છે.
હું રસ્તો બતાવું છું, જો તને મનમાં ઊતરે તો ધ્યેય(બ્રહ્મ)ને પ્રાપ્ત કરવાના ઘણા પ્રકાર છે. પણ પરિણામે તે આત્મતત્ત્વના અભ્યાસના જ માર્ગ હેાય છે.
જ્યોગ અષ્ટાંગ બહુ દલ માંહાં વસે. તોહે તું તોરું આપ જ અભ્યાસે,
{{Poem2Close}}
નોલી ધોતી લ્યંબકા ક્રમ કરે, અધોકમલ ઉર્ધ્વમુખ ધરે. ૨૫૦
{{Block center|'''<poem>જ્યોગ અષ્ટાંગ બહુ દલ માંહાં વસે. તોહે તું તોરું આપ જ અભ્યાસે,
નોલી ધોતી લ્યંબકા ક્રમ કરે, અધોકમલ ઉર્ધ્વમુખ ધરે. ૨૫૦</poem>'''}}
{{Poem2Open}}
અષ્ટાંગયોગનું મનમાં બહુ મહત્ત્વ હોય તો પણ તારા મનમાં તું તારા આત્મતત્ત્વનો અભ્યાસ કરતો હોય છે. નોલી, ધોતી, લંબક વગેરે યૌગિક કર્મો તું કરે અને પગને ઉપર કરવાની (શીર્ષાસન) યૌગિક ક્રિયા કરે.
અષ્ટાંગયોગનું મનમાં બહુ મહત્ત્વ હોય તો પણ તારા મનમાં તું તારા આત્મતત્ત્વનો અભ્યાસ કરતો હોય છે. નોલી, ધોતી, લંબક વગેરે યૌગિક કર્મો તું કરે અને પગને ઉપર કરવાની (શીર્ષાસન) યૌગિક ક્રિયા કરે.
સગુણભક્તિ ગાએ સાકાર, તોહે તે તાહારો જ આચાર,
{{Poem2Close}}
ધ્યાન મૌન માંહાં શબ્દ ઊચરે, તેહે તું તુજ સાથ્યે લટકા કરે. ૨૫૧
{{Block center|'''<poem>સગુણભક્તિ ગાએ સાકાર, તોહે તે તાહારો જ આચાર,
ધ્યાન મૌન માંહાં શબ્દ ઊચરે, તેહે તું તુજ સાથ્યે લટકા કરે. ૨૫૧</poem>'''}}
{{Poem2Open}}
સાકાર અને સગુણની ભક્તિ ગાય તોપણ તે તારી સાથેનો જ આચાર છે. ધ્યાન અને મૌનમાં રહે કે તું શબ્દનો ઉચ્ચાર કરે તેમાં પણ તું તારી સાથે જ વ્યવહાર કરે છે.
સાકાર અને સગુણની ભક્તિ ગાય તોપણ તે તારી સાથેનો જ આચાર છે. ધ્યાન અને મૌનમાં રહે કે તું શબ્દનો ઉચ્ચાર કરે તેમાં પણ તું તારી સાથે જ વ્યવહાર કરે છે.
જ્યારે તું તુજ માંહે પાછા વલે, ત્યારે ચમક સઘલી નીકલે,
{{Poem2Close}}
વંશ વિચારે ને અંશ ઓલખે, ઈછા ટાલે ને આપોપું ભખે. ૨૫૨
{{Block center|'''<poem>જ્યારે તું તુજ માંહે પાછા વલે, ત્યારે ચમક સઘલી નીકલે,
વંશ વિચારે ને અંશ ઓલખે, ઈછા ટાલે ને આપોપું ભખે. ૨૫૨</poem>'''}}
{{Poem2Open}}
જ્યારે તું તારા મૂળ સ્વરૂપમાં પાછો ફરે ત્યારે સઘળો પ્રકાશ પ્રગટ થાય છે. તું શાનો અંશ છે તે ઓળખે અને તારા વંશનો વિચાર કરે તથા તારી ઇચ્છાને ટાળે ત્યારે આત્મતત્ત્વને પામે છે.
જ્યારે તું તારા મૂળ સ્વરૂપમાં પાછો ફરે ત્યારે સઘળો પ્રકાશ પ્રગટ થાય છે. તું શાનો અંશ છે તે ઓળખે અને તારા વંશનો વિચાર કરે તથા તારી ઇચ્છાને ટાળે ત્યારે આત્મતત્ત્વને પામે છે.
એહેવો થકો જેહેવો રહે તું, ત્યારે પિંડ બહ્માંડને તાહારે શું,
{{Poem2Close}}
ત્યારે તું તે છે જ અવાચ્ય, તદ્રૂપ થકો તું રાચ્ય ન રાચ્ય. ૨૫૩
{{Block center|'''<poem>એહેવો થકો જેહેવો રહે તું, ત્યારે પિંડ બહ્માંડને તાહારે શું,
ત્યારે તું તે છે જ અવાચ્ય, તદ્રૂપ થકો તું રાચ્ય ન રાચ્ય. ૨૫૩</poem>'''}}
{{Poem2Open}}
એવો તું છે તેના જેવો જ રહે ત્યારે શરીર અને બ્રહ્માંડ સાથે તારે શું સંબંધ? ત્યારે તું તે અવાચ્ય (બ્રહ્મ) જ છે. પછી તું શરીર અને બ્રહ્માંડ સાથે તદ્રૂપ થઈને રાચ નહીં.
એવો તું છે તેના જેવો જ રહે ત્યારે શરીર અને બ્રહ્માંડ સાથે તારે શું સંબંધ? ત્યારે તું તે અવાચ્ય (બ્રહ્મ) જ છે. પછી તું શરીર અને બ્રહ્માંડ સાથે તદ્રૂપ થઈને રાચ નહીં.
ત્યાંહાં કેહેનારો તુંને કોએ નથી, આણી મોર્યે સ્તવે તુંને શ્રુતિ ભારતી,
{{Poem2Close}}
ચિત્ત કહે અવાચ્યવીર્જ્ય તાં હું ખરો, એણે સ્થલ્ય તાં મર્મ આકરો. ૨૫૪  
{{Block center|'''<poem>ત્યાંહાં કેહેનારો તુંને કોએ નથી, આણી મોર્યે સ્તવે તુંને શ્રુતિ ભારતી,
ચિત્ત કહે અવાચ્યવીર્જ્ય તાં હું ખરો, એણે સ્થલ્ય તાં મર્મ આકરો. ૨૫૪</poem>'''}}
{{Poem2Open}}
ત્યાં (પારમાર્થિક દશામાં) તને કહેનાર (=તારી વાત કરનાર, વર્ણન કરનાર) કોઈ નથી. આ તરફ (વ્યાવહારિક દશામાં) વેદ અને સરસ્વતી તારી પ્રશંસા કરે છે. ચિત્ત કહે : હું અવાચ્યવીર્ય ખરો, પણ વ્યવહાર દશામાં તેનો મર્મ પકડવો અઘરો છે.
ત્યાં (પારમાર્થિક દશામાં) તને કહેનાર (=તારી વાત કરનાર, વર્ણન કરનાર) કોઈ નથી. આ તરફ (વ્યાવહારિક દશામાં) વેદ અને સરસ્વતી તારી પ્રશંસા કરે છે. ચિત્ત કહે : હું અવાચ્યવીર્ય ખરો, પણ વ્યવહાર દશામાં તેનો મર્મ પકડવો અઘરો છે.
સમજૂતી : બીજા ચરણનો સંદર્ભ બહુ સ્પષ્ટ થતો નથી પરંતુ બ્રહ્મભાવ સિવાયની સ્થિતિમાં ઈશ્વરત્વ વગેરે ભેદ ઉત્પન્ન થવાથી વેદાદિ એનું સ્તવન કરે છે એવું અભિપ્રેત હોઈ શકે.
'''સમજૂતી''' : બીજા ચરણનો સંદર્ભ બહુ સ્પષ્ટ થતો નથી પરંતુ બ્રહ્મભાવ સિવાયની સ્થિતિમાં ઈશ્વરત્વ વગેરે ભેદ ઉત્પન્ન થવાથી વેદાદિ એનું સ્તવન કરે છે એવું અભિપ્રેત હોઈ શકે.
જોતાં મુજ વિના તે કોણ પ્રાક્રમી, ચિદ[૨૩ખ] આભા ચિત્ત રૂપ્યે રમી,
{{Poem2Close}}
મહાભૂત ઈશ્વર બ્રહ્માંડ, તેહેનો અંશ આ ભૌતિક પિંડ. ૨૫૫
{{Block center|'''<poem>જોતાં મુજ વિના તે કોણ પ્રાક્રમી, ચિદ[૨૩ખ] આભા ચિત્ત રૂપ્યે રમી,
મહાભૂત ઈશ્વર બ્રહ્માંડ, તેહેનો અંશ આ ભૌતિક પિંડ. ૨૫૫</poem>'''}}
{{Poem2Open}}
વિચાર કરતાં મારા વિના બીજું કોણ પરાક્રમી છે? ચૈતન્યની આભા ચિત્ત રૂપે વિલસી છે, ઈશ્વરકૃત પંચમહાભૂતનું બ્રહ્માંડ તેનો અંશ આ ભૌતિક શરીર છે –
વિચાર કરતાં મારા વિના બીજું કોણ પરાક્રમી છે? ચૈતન્યની આભા ચિત્ત રૂપે વિલસી છે, ઈશ્વરકૃત પંચમહાભૂતનું બ્રહ્માંડ તેનો અંશ આ ભૌતિક શરીર છે –
પાઠચર્ચા : બીજા ચરણમાં ક અને ગ સિવાયની હપ્ર ‘આભા’ને સ્થાને ‘અભ્યાસ’ અને ‘આભાસ’ પાઠ આપે છે પણ આ પાઠ અર્થદૃષ્ટિએ બંધબેસતા નથી. ઉપરાંત ‘રમી’ એ સ્ત્રીલિંગના ક્રિયાપદ સાથે ‘આભા’ જ હોઈ શકે.
'''પાઠચર્ચા''' : બીજા ચરણમાં ક અને ગ સિવાયની હપ્ર ‘આભા’ને સ્થાને ‘અભ્યાસ’ અને ‘આભાસ’ પાઠ આપે છે પણ આ પાઠ અર્થદૃષ્ટિએ બંધબેસતા નથી. ઉપરાંત ‘રમી’ એ સ્ત્રીલિંગના ક્રિયાપદ સાથે ‘આભા’ જ હોઈ શકે.
એટલું તાં ચિત્ત કહે મ્યેં લહ્યું, પણ અરૂપી રૂપે ક્યમ થયું,
{{Poem2Close}}
અરૂપ હુતું થયું રૂપવાન, અગ્રાહ્ય ગ્રેહેવાનું ભાન. ૨૫૬
{{Block center|'''<poem>એટલું તાં ચિત્ત કહે મ્યેં લહ્યું, પણ અરૂપી રૂપે ક્યમ થયું,
અરૂપ હુતું થયું રૂપવાન, અગ્રાહ્ય ગ્રેહેવાનું ભાન. ૨૫૬</poem>'''}}
{{Poem2Open}}
એટલું તો, ચિત્ત કહે છે, મને સમજાયું પણ જે રૂપ વગરનું હતું તે રૂપવાળું કઈ રીતે થયું? અરૂપ હતું તે રૂપવાન થયું. અગ્રાહ્ય હતું તેને ગ્રહણ કરી શકાય એવી બુદ્ધિ જન્મી.
એટલું તો, ચિત્ત કહે છે, મને સમજાયું પણ જે રૂપ વગરનું હતું તે રૂપવાળું કઈ રીતે થયું? અરૂપ હતું તે રૂપવાન થયું. અગ્રાહ્ય હતું તેને ગ્રહણ કરી શકાય એવી બુદ્ધિ જન્મી.
સમજૂતી : ૨૫૪મી કડીથી ચિત્તની ઉક્તિ ચાલુ છે તે છતાં અહીં ‘ચિત્ત કહે’ આવે છે અને તે પણ વાક્યની વચ્ચે – તે નોંધપાત્ર છે. ૨૫૭મી કડીમાં ફરીથી પાછું ‘ચિત્ત કહે’ આવે છે.
'''સમજૂતી''' : ૨૫૪મી કડીથી ચિત્તની ઉક્તિ ચાલુ છે તે છતાં અહીં ‘ચિત્ત કહે’ આવે છે અને તે પણ વાક્યની વચ્ચે – તે નોંધપાત્ર છે. ૨૫૭મી કડીમાં ફરીથી પાછું ‘ચિત્ત કહે’ આવે છે.
ચિત્ત કહે એહને ઘાટ્યે ઘાલ્ય, અન્ય શાસ્ત્રે મેં મૂક્યું અજમાલ્ય,
{{Poem2Close}}
વિચાર કહે જોને અરૂ૫ છે આકાશ, ત્યાંહાં સહસા અભ્ર હોએ પ્રકાશ. ૨૫૭
{{Block center|'''<poem>ચિત્ત કહે એહને ઘાટ્યે ઘાલ્ય, અન્ય શાસ્ત્રે મેં મૂક્યું અજમાલ્ય,
વિચાર કહે જોને અરૂ૫ છે આકાશ, ત્યાંહાં સહસા અભ્ર હોએ પ્રકાશ. ૨૫૭</poem>'''}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : એ સમજાવ. અન્ય શાસ્ત્રમાં મેં અજમાલ (?) મૂક્યું છે. વિચાર કહે છે : જો, આકાશ અરૂપ છે. એમાં એકાએક વાદળ પ્રગટ થાય છે.
ચિત્ત કહે છે : એ સમજાવ. અન્ય શાસ્ત્રમાં મેં અજમાલ (?) મૂક્યું છે. વિચાર કહે છે : જો, આકાશ અરૂપ છે. એમાં એકાએક વાદળ પ્રગટ થાય છે.
સમજૂતી : ‘અજમાલ્ય’ની અર્થચર્ચા માટે જુઓ પૃ. ૭૯
'''સમજૂતી''' : ‘અજમાલ્ય’ની અર્થચર્ચા માટે જુઓ પૃ. ૭૯
ઊપજે ત્યાંહાં પડે નહીં ખાણ્ય, ફીટે ત્યાંહાં ઢગ ન ચઢે નિરવાણ્ય,
{{Poem2Close}}
એહવું અધર ચાલે સદૈવ, તે વાદલ માંહાં ઊપજે જીવ. ૨૫૮
{{Block center|'''<poem>ઊપજે ત્યાંહાં પડે નહીં ખાણ્ય, ફીટે ત્યાંહાં ઢગ ન ચઢે નિરવાણ્ય,
એહવું અધર ચાલે સદૈવ, તે વાદલ માંહાં ઊપજે જીવ. ૨૫૮</poem>'''}}
{{Poem2Open}}
જ્યાંથી એ વાદળ ઉત્પન્ન થાય છે ત્યાં ખાડો પડતો નથી અને જ્યાં વિલીન થાય છે ત્યાં ઢગલો થતો નથી. આવી લીલા અધ્ધર (આકાશમાં) હંમેશાં ચાલ્યા કરે છે. તે વાદળમાં જીવ ઉત્પન્ન થાય છે.
જ્યાંથી એ વાદળ ઉત્પન્ન થાય છે ત્યાં ખાડો પડતો નથી અને જ્યાં વિલીન થાય છે ત્યાં ઢગલો થતો નથી. આવી લીલા અધ્ધર (આકાશમાં) હંમેશાં ચાલ્યા કરે છે. તે વાદળમાં જીવ ઉત્પન્ન થાય છે.
સમજૂતી : ‘અધર’ શબ્દના આ જાતના પ્રયોગ માટે જુઓ અખાજીનું પદ :
'''સમજૂતી''' : ‘અધર’ શબ્દના આ જાતના પ્રયોગ માટે જુઓ અખાજીનું પદ :
પ્રાણી! તેં ક્યારે કીધા સુર સોમ?
{{Poem2Close}}
{{Block center|'''<poem>પ્રાણી! તેં ક્યારે કીધા સુર સોમ?
ક્યારે જલધર રાખ્યો અધર વ્યોમ? (૧૨૯/૭)
ક્યારે જલધર રાખ્યો અધર વ્યોમ? (૧૨૯/૭)
તે જીવ કો ઘન વરતે રહે, તેનાં ખોખાં કો માનવ ગ્રહે,
તે જીવ કો ઘન વરતે રહે, તેનાં ખોખાં કો માનવ ગ્રહે,
તે ખોખાં કાદવ માંહાંથું શોષે નીર, શીતલ કરી મૂકે પાછી સીર. ૨૫૯
તે ખોખાં કાદવ માંહાંથું શોષે નીર, શીતલ કરી મૂકે પાછી સીર. ૨૫૯</poem>'''}}
{{Poem2Open}}
તે જીવને કારણે તે ઘનસ્વરૂપ પામે છે. માનવ તેનાં આ ખોખાંને –આકારોને ગ્રહે છે. તે ખોખાં કાદવમાંથી પાણી શોષે છે અને ફરી પાછી શીતલ કરીને તેની સેર વરસાવે છે.
તે જીવને કારણે તે ઘનસ્વરૂપ પામે છે. માનવ તેનાં આ ખોખાંને –આકારોને ગ્રહે છે. તે ખોખાં કાદવમાંથી પાણી શોષે છે અને ફરી પાછી શીતલ કરીને તેની સેર વરસાવે છે.
પાઠચર્ચા : પહેલા ચરણમાં ‘ઘન’ને સ્થાને ક ગ ટ સિવાયની હપ્ર ‘ઘન’, ‘ક્ષણ’ એવા પાઠ આપે છે પરંતુ તેથી અર્થ બેસાડવામાં કોઈ મદદ મળતી નથી. ઉપરાંત અહીં વાદળની વાત ચાલુ હોઈ ‘ઘન’ શબ્દ હોવાની શક્યતા વધારે છે.
'''પાઠચર્ચા''' : પહેલા ચરણમાં ‘ઘન’ને સ્થાને ક ગ ટ સિવાયની હપ્ર ‘ઘન’, ‘ક્ષણ’ એવા પાઠ આપે છે પરંતુ તેથી અર્થ બેસાડવામાં કોઈ મદદ મળતી નથી. ઉપરાંત અહીં વાદળની વાત ચાલુ હોઈ ‘ઘન’ શબ્દ હોવાની શક્યતા વધારે છે.
સમજૂતી : કડી ૨૫૮ના છેલ્લા ચરણથી શરૂ થતા અખાજીના દૃષ્ટાંતનું તાત્પર્ય આવું સમજાય છે : વાદળ મૂળ હવાઈરૂપે હોય છે. એમાં જીવ આવવો એટલે એના ઘન આકાર બંધાવા. આ ઘન આકાર તે ખોખાં. ૨૬૧મી કડીમાં અખાજી પંચમહાભૂતને વાદળને સ્થાને મૂકે છે અને એ પંચમહાભૂતના પંચીકરણને ખોખાંને સ્થાને મૂકે છે તે આવા અર્થઘટનને ટેકો આપે છે. વાદળ-ખોખાનું દૃષ્ટાંત છપ્પા ૫૮૩માં પણ વપરાયેલું છે :
'''સમજૂતી''' : કડી ૨૫૮ના છેલ્લા ચરણથી શરૂ થતા અખાજીના દૃષ્ટાંતનું તાત્પર્ય આવું સમજાય છે : વાદળ મૂળ હવાઈરૂપે હોય છે. એમાં જીવ આવવો એટલે એના ઘન આકાર બંધાવા. આ ઘન આકાર તે ખોખાં. ૨૬૧મી કડીમાં અખાજી પંચમહાભૂતને વાદળને સ્થાને મૂકે છે અને એ પંચમહાભૂતના પંચીકરણને ખોખાંને સ્થાને મૂકે છે તે આવા અર્થઘટનને ટેકો આપે છે. વાદળ-ખોખાનું દૃષ્ટાંત છપ્પા ૫૮૩માં પણ વપરાયેલું છે :
જ્યમ વાદળખોખું શોષે નીર,
{{Poem2Close}}
કાદવમાંથું પીએ હીર.
{{Block center|'''<poem>જ્યમ વાદળખોખું શોષે નીર,
{{gap}}કાદવમાંથું પીએ હીર.</poem>'''}}
{{Poem2Open}}
‘શીર’ શબ્દ અખાજીમાં અન્યત્ર ‘સીહીર’રૂપે જોવા મળે છે અને ત્યાં ‘સેર’ ‘સરવાણી’ એ અર્થ સ્પષ્ટ છે :
‘શીર’ શબ્દ અખાજીમાં અન્યત્ર ‘સીહીર’રૂપે જોવા મળે છે અને ત્યાં ‘સેર’ ‘સરવાણી’ એ અર્થ સ્પષ્ટ છે :
જ્યમ ફળ જોવા હીંડે નીરને,
{{Poem2Close}}
૫ણ ક્યમ દેખે અંતર સીહીરને. (છપ્પો પ૭૯)
{{Block center|'''<poem>જ્યમ ફળ જોવા હીંડે નીરને,
૫ણ ક્યમ દેખે અંતર સીહીરને. (છપ્પો પ૭૯)</poem>'''}}
{{Poem2Open}}
અહીં સંદર્ભ સમગ્ર વૃક્ષમાં ફેલાયેલા પાણીનો છે. ફળ પોતાની અંદર પ્રસરેલી પાણીની સેરને – સરવાણીને જોઈ ન શકે એવું તાત્પર્ય છે.
અહીં સંદર્ભ સમગ્ર વૃક્ષમાં ફેલાયેલા પાણીનો છે. ફળ પોતાની અંદર પ્રસરેલી પાણીની સેરને – સરવાણીને જોઈ ન શકે એવું તાત્પર્ય છે.
જ્યૂં કુવા ખોદતેં સીહીર આવે,
{{Poem2Close}}
આડા અવલા નીર મિલે (અપ્રસિદ્ધ અક્ષયવાણી, ૧૫૮)
{{Block center|'''<poem>જ્યૂં કુવા ખોદતેં સીહીર આવે,
આડા અવલા નીર મિલે (અપ્રસિદ્ધ અક્ષયવાણી, ૧૫૮)</poem>'''}}
{{Poem2Open}}
અહીં પણ ‘સરવાણી’ અર્થ સ્પષ્ટ છે.
અહીં પણ ‘સરવાણી’ અર્થ સ્પષ્ટ છે.
અરૂપી રૂપ્યે એમ થયો, જ્યમ નભ માંહાં અભ્ર કો કરવા ગયો,
{{Poem2Close}}
ત્યાંહાં જ્યમ સ[૨૪ક]હેસા ઊઠી ઉપાધ્ય, અદ્રષ્ટ્ય માંહાં દ્રષ્ટ્ય એણી પેરે સાધ્ય. ૨૬૦
{{Block center|'''<poem>અરૂપી રૂપ્યે એમ થયો, જ્યમ નભ માંહાં અભ્ર કો કરવા ગયો,
ત્યાંહાં જ્યમ સ[૨૪ક]હેસા ઊઠી ઉપાધ્ય, અદ્રષ્ટ્ય માંહાં દ્રષ્ટ્ય એણી પેરે સાધ્ય. ૨૬૦</poem>'''}}
{{Poem2Open}}
આકાશમાં કોઈએ વાદળ ઉત્પન્ન કર્યાં તેમ અરૂપી રૂપવાન થયો (નિરાકાર સાકાર થયો). ત્યાં જેમ આકસ્મિક ઉપાધિઓ અસ્ત્વિત્વમાં આવી એવી રીતે અદૃષ્ટમાંથી દૃષ્ટ સિદ્ધ થયું માન.
આકાશમાં કોઈએ વાદળ ઉત્પન્ન કર્યાં તેમ અરૂપી રૂપવાન થયો (નિરાકાર સાકાર થયો). ત્યાં જેમ આકસ્મિક ઉપાધિઓ અસ્ત્વિત્વમાં આવી એવી રીતે અદૃષ્ટમાંથી દૃષ્ટ સિદ્ધ થયું માન.
અભ્રસ્થાની તે પંચ મહાભૂત, ખોખાંસ્થાની તે પંચીકરણ ભૂત,
{{Poem2Close}}
અદ્રષ્ટ્ય દ્રષ્ટ્યમાન એણી પેર્યે થયું, ત્યેં પૂછ્યું જે અગ્રાહ્ય ગ્રહ્યું કયમ ગયું. ૨૬૧
{{Block center|'''<poem>અભ્રસ્થાની તે પંચ મહાભૂત, ખોખાંસ્થાની તે પંચીકરણ ભૂત,
અદ્રષ્ટ્ય દ્રષ્ટ્યમાન એણી પેર્યે થયું, ત્યેં પૂછ્યું જે અગ્રાહ્ય ગ્રહ્યું કયમ ગયું. ૨૬૧</poem>'''}}
{{Poem2Open}}
પાંચ મહાભૂતો તે વાદળને સ્થાને છે અને પંચીકૃત ભૂત એ ખોખાંને સ્થાને છે. આ રીતે અદૃષ્ટ દૃષ્ટમાન થયું. તેં એમ પૂછ્યું કે અગ્રાહ્ય ગ્રાહ્ય કેમ બન્યું –
પાંચ મહાભૂતો તે વાદળને સ્થાને છે અને પંચીકૃત ભૂત એ ખોખાંને સ્થાને છે. આ રીતે અદૃષ્ટ દૃષ્ટમાન થયું. તેં એમ પૂછ્યું કે અગ્રાહ્ય ગ્રાહ્ય કેમ બન્યું –
તેહેનો તું સુણી લે પ્રતિબોધ, જેણે ભવનો ભાગે રોધ,
{{Poem2Close}}
અગ્રાહ્યને ગ્રેહેવા કોણ છે, એ તો ભૂત ભૂતને જ ગ્રહે છે. ૨૬૨
{{Block center|'''<poem>તેહેનો તું સુણી લે પ્રતિબોધ, જેણે ભવનો ભાગે રોધ,
અગ્રાહ્યને ગ્રેહેવા કોણ છે, એ તો ભૂત ભૂતને જ ગ્રહે છે. ૨૬૨</poem>'''}}
{{Poem2Open}}
તેનો ઉત્તર સાંભળી લે કે જેથી તારો સંસારનો અવરોધ દૂર થાય. અગ્રાહ્યને તો કોણ ગ્રહણ કરી શકે? એ તો ભૌતિક તત્ત્વ ભૌતિક તત્ત્વને જ ગ્રહે છે.
તેનો ઉત્તર સાંભળી લે કે જેથી તારો સંસારનો અવરોધ દૂર થાય. અગ્રાહ્યને તો કોણ ગ્રહણ કરી શકે? એ તો ભૌતિક તત્ત્વ ભૌતિક તત્ત્વને જ ગ્રહે છે.
{{Poem2Close}}
{{Block center|'''<poem>
જ્યમ સોનું તોલીએ કાઢલાં વડે, તે સરખે તોલે કાંટે ચઢે,
જ્યમ સોનું તોલીએ કાઢલાં વડે, તે સરખે તોલે કાંટે ચઢે,
તેહેની સંક્ષા નીકલી કાંટા માટ્ય, કારજ્યવાદીને બેઠું ઘાટ્ય. ૨૬૩
તેહેની સંક્ષા નીકલી કાંટા માટ્ય, કારજ્યવાદીને બેઠું ઘાટ્ય. ૨૬૩</poem>'''}}
{{Poem2Open}}
સોનાને કાટલાંથી તોલીએ છીએ અને સરખા તોલથી (તુલનાથી) એ કાંટે ચઢે છે. કાંટાના હેતુથી જ એ કાટલાંઓનાં માપ હોય છે. કાર્યવાદી (પરિણામવાદી)ને આમ સમજાયું.
સોનાને કાટલાંથી તોલીએ છીએ અને સરખા તોલથી (તુલનાથી) એ કાંટે ચઢે છે. કાંટાના હેતુથી જ એ કાટલાંઓનાં માપ હોય છે. કાર્યવાદી (પરિણામવાદી)ને આમ સમજાયું.
પાઠચર્ચા : ત્રીજા ચરણમાં ઘણી હપ્ર ‘કાંટા’ને સ્થાને ‘કાટલા’ પાઠ આપે છે પરંતુ સંખ્યા તે કાટલાં – વજનિયાંની હોય, તેથી અહીં કાંટાને એટલે કે ત્રાજવાને માટે એટલે કે તોલ કરવાની ક્રિયા માટે સંખ્યા નીકળી એમ જ હોવું જોઈએ.
'''પાઠચર્ચા''' : ત્રીજા ચરણમાં ઘણી હપ્ર ‘કાંટા’ને સ્થાને ‘કાટલા’ પાઠ આપે છે પરંતુ સંખ્યા તે કાટલાં – વજનિયાંની હોય, તેથી અહીં કાંટાને એટલે કે ત્રાજવાને માટે એટલે કે તોલ કરવાની ક્રિયા માટે સંખ્યા નીકળી એમ જ હોવું જોઈએ.
સમજૂતી : આગલી કડીના અનુસંધાનમાં વિચારીએ એટલે સોનું – કાટલાં – કાંટાનું આ દૃષ્ટાંત ભૌતિક તત્ત્વનું માપ ભૌતિક તત્ત્વથી જ નીકળે છે એમ બતાવવા યોજાયેલું જણાય છે. કાર્યવાદી એટલે મૂળ તત્ત્વ, કારણરૂપ બ્રહ્મ નહીં, પણ કાર્યરૂપ જગતને જોનારા.
'''સમજૂતી''' : આગલી કડીના અનુસંધાનમાં વિચારીએ એટલે સોનું – કાટલાં – કાંટાનું આ દૃષ્ટાંત ભૌતિક તત્ત્વનું માપ ભૌતિક તત્ત્વથી જ નીકળે છે એમ બતાવવા યોજાયેલું જણાય છે. કાર્યવાદી એટલે મૂળ તત્ત્વ, કારણરૂપ બ્રહ્મ નહીં, પણ કાર્યરૂપ જગતને જોનારા.
તેહેનો કરતાં વસ્તુવિચાર, ભૂતકલ્લોલ દીઠો નિરધાર,
{{Poem2Close}}
અવની હેમ ને અવની લોહ, અવની જાણે ટલ્યો સર્વ મોહ. ૨૬૪
{{Block center|'''<poem>તેહેનો કરતાં વસ્તુવિચાર, ભૂતકલ્લોલ દીઠો નિરધાર,
અવની હેમ ને અવની લોહ, અવની જાણે ટલ્યો સર્વ મોહ. ૨૬૪</poem>'''}}
{{Poem2Open}}
આ સ્થિતિનો વસ્તુવિચાર કરતાં તેમાં પંચમહાભૂતના જ તરંગ દેખાય છે, સોનું અને (વજનિયાંનું) લોઢું બંને પાર્થિવ – ભૌતિક પદાર્થો છે. આ ભૌતિકતાને સમજવાથી સઘળો મોહ દૂર થાય છે.
આ સ્થિતિનો વસ્તુવિચાર કરતાં તેમાં પંચમહાભૂતના જ તરંગ દેખાય છે, સોનું અને (વજનિયાંનું) લોઢું બંને પાર્થિવ – ભૌતિક પદાર્થો છે. આ ભૌતિકતાને સમજવાથી સઘળો મોહ દૂર થાય છે.
ગ્રાહ્ય ગ્રાહક બેહુ ભૂતવિકાર, એ તો આકાર્યે જ ગ્રહ્યો આકાર,
{{Poem2Close}}
ચિત્ત કહે એ ત્યેં અદભુત કહ્યું, એમ અવાચ્ય અભોગત્ય રહ્યું. ૨૬૫
{{Block center|'''<poem>ગ્રાહ્ય ગ્રાહક બેહુ ભૂતવિકાર, એ તો આકાર્યે જ ગ્રહ્યો આકાર,
ચિત્ત કહે એ ત્યેં અદભુત કહ્યું, એમ અવાચ્ય અભોગત્ય રહ્યું. ૨૬૫</poem>'''}}
{{Poem2Open}}
ગ્રાહ્ય પદાર્થ અને ગ્રહણ કરનાર બંને પંચમહાભૂતના વિકારો જ છે. એમાં આકાર જ આકારને ગ્રહણ કરે છે. ચિત્ત કહે છે : એ તેં અદ્‌ભુત વાત કરી. આ રીતે અવાચ્ય (બ્રહ્મ) તો અનનુભુત રહ્યું.
ગ્રાહ્ય પદાર્થ અને ગ્રહણ કરનાર બંને પંચમહાભૂતના વિકારો જ છે. એમાં આકાર જ આકારને ગ્રહણ કરે છે. ચિત્ત કહે છે : એ તેં અદ્‌ભુત વાત કરી. આ રીતે અવાચ્ય (બ્રહ્મ) તો અનનુભુત રહ્યું.
[૨૪ખ]વલી એક મોટો છે ખ્યાલ, ને રૂડી પેર્યે ઘાટ્યે ઘાલ્ય,
{{Poem2Close}}
અવાચ્યકારણ નહીં એક અનેક ત્યાંહાં ન પોહોચે વાણી વિવેક. ૨૬૬
{{Block center|'''<poem>[૨૪ખ]વલી એક મોટો છે ખ્યાલ, ને રૂડી પેર્યે ઘાટ્યે ઘાલ્ય,
અવાચ્યકારણ નહીં એક અનેક ત્યાંહાં ન પોહોચે વાણી વિવેક. ૨૬૬</poem>'''}}
{{Poem2Open}}
વળી એક મોટો વિચાર છે. તેને બરાબર (સારી રીતે) સમજ. અવાચ્ય કારણ (બ્રહ્મ) એક કે અનેક નથી (ગણનાથી પર છે). ત્યાં વાણીનો વિવેક – વાણીની વર્ણનશક્તિ પહોંચી શકતી નથી.
વળી એક મોટો વિચાર છે. તેને બરાબર (સારી રીતે) સમજ. અવાચ્ય કારણ (બ્રહ્મ) એક કે અનેક નથી (ગણનાથી પર છે). ત્યાં વાણીનો વિવેક – વાણીની વર્ણનશક્તિ પહોંચી શકતી નથી.
સમજૂતી : ‘અવાચ્યકારણ’ એ શબ્દસંજ્ઞાનો અર્થ વિચારણીય છે. અખાજી સામાન્ય રીતે ‘અવાચ્ય’ શબ્દને ‘બ્રહ્મ’ના અર્થમાં વાપરે છે. તેથી અવાચ્યકારણ એટલે કારણબ્રહ્મ થાય. વેદાંતમાં કારણબ્રહ્મ એટલે માયાવિશિષ્ટ બ્રહ્મ એટલે કે ઈશ્વર, જે જગતની ઉત્પત્તિ કરે છે. ‘અવાચ્યકારણ નહીં એક અનેક’નો અન્વય એમ કરીએ કે અવાચ્યકારણ એક નથી પણ અનેક છે, તો એથી ઈશ્વરની અનેકતા સૂચવાય. અખાજી બધા જીવમાં ઓછુંવત્તું ઈશ્વરત્વ હોવાનું કહે છે તેની સાથે આ વાત મળતી આવતી લાગે.  
'''સમજૂતી''' : ‘અવાચ્યકારણ’ એ શબ્દસંજ્ઞાનો અર્થ વિચારણીય છે. અખાજી સામાન્ય રીતે ‘અવાચ્ય’ શબ્દને ‘બ્રહ્મ’ના અર્થમાં વાપરે છે. તેથી અવાચ્યકારણ એટલે કારણબ્રહ્મ થાય. વેદાંતમાં કારણબ્રહ્મ એટલે માયાવિશિષ્ટ બ્રહ્મ એટલે કે ઈશ્વર, જે જગતની ઉત્પત્તિ કરે છે. ‘અવાચ્યકારણ નહીં એક અનેક’નો અન્વય એમ કરીએ કે અવાચ્યકારણ એક નથી પણ અનેક છે, તો એથી ઈશ્વરની અનેકતા સૂચવાય. અખાજી બધા જીવમાં ઓછુંવત્તું ઈશ્વરત્વ હોવાનું કહે છે તેની સાથે આ વાત મળતી આવતી લાગે.  
પરંતુ, એમ લાગે છે કે અખાજીને ‘અવાચ્યકારણ’નો આવો પારિભાષિક અર્થ કદાચ અભિપ્રેત નહીં હોય. ઈશ્વરને એ ‘અવાચ્ય’ વિશેષણ લગાડે કે કેમ એ પ્રશ્ન છે. વળી, પછી ૨૭૪મી કડીમાં ચિત્તને અવાચ્યકારણનું પ્રતિબિંબ કહેલ છે. જીવ બ્રહ્મનું પ્રતિબિંબ છે, ઈશ્વરનું નહીં, વેદાંતની દૃષ્ટિએ બ્રહ્મનું માયામાં પડેલું પ્રતિબિંબ તે ઈશ્વર અને અવિદ્યામાં પડેલું પ્રતિબિંબ તે જીવ. તેથી અવાચ્યકારણ એટલે કારણબ્રહ્મ કે ઈશ્વર નહીં, પણ બ્રહ્મ જ અભિપ્રેત હોય એમ જણાય છે. બ્રહ્મ જીવ અને જગતના મૂળ કારણરૂપ છે તે રીતે એ અવાચ્યકારણ. આમ ઘટાવીએ એટલે બ્રહ્મ અનેક હોવાનું ન કહી શકાય. તેથી ઉપરની કડીના ત્રીજા ચરણનો અન્વય ‘બ્રહ્મ એક કે અનેક નથી, ગણનાથી પર છે’ એમ કરવાનો રહે. અવાચ્ય બ્રહ્મ વાણીવિવેકથી પર છે એ કથન પણ આ અન્વયને જ ટેકો આપે.
પરંતુ, એમ લાગે છે કે અખાજીને ‘અવાચ્યકારણ’નો આવો પારિભાષિક અર્થ કદાચ અભિપ્રેત નહીં હોય. ઈશ્વરને એ ‘અવાચ્ય’ વિશેષણ લગાડે કે કેમ એ પ્રશ્ન છે. વળી, પછી ૨૭૪મી કડીમાં ચિત્તને અવાચ્યકારણનું પ્રતિબિંબ કહેલ છે. જીવ બ્રહ્મનું પ્રતિબિંબ છે, ઈશ્વરનું નહીં, વેદાંતની દૃષ્ટિએ બ્રહ્મનું માયામાં પડેલું પ્રતિબિંબ તે ઈશ્વર અને અવિદ્યામાં પડેલું પ્રતિબિંબ તે જીવ. તેથી અવાચ્યકારણ એટલે કારણબ્રહ્મ કે ઈશ્વર નહીં, પણ બ્રહ્મ જ અભિપ્રેત હોય એમ જણાય છે. બ્રહ્મ જીવ અને જગતના મૂળ કારણરૂપ છે તે રીતે એ અવાચ્યકારણ. આમ ઘટાવીએ એટલે બ્રહ્મ અનેક હોવાનું ન કહી શકાય. તેથી ઉપરની કડીના ત્રીજા ચરણનો અન્વય ‘બ્રહ્મ એક કે અનેક નથી, ગણનાથી પર છે’ એમ કરવાનો રહે. અવાચ્ય બ્રહ્મ વાણીવિવેકથી પર છે એ કથન પણ આ અન્વયને જ ટેકો આપે.
ત્યાંહાં જો પોહોંચે લેખે અંબ, તો તેહેને ગણીએ પ્રતિબિંબ,
{{Poem2Close}}
ત્યાંહાં બિંબ પ્રતિબિંબ કેહેવા નહીં ઠાર, આંહાં તો એટલાં ચિત્ત જેટલા આકાર. ૨૬૭
{{Block center|'''<poem>ત્યાંહાં જો પોહોંચે લેખે અંબ, તો તેહેને ગણીએ પ્રતિબિંબ,
ત્યાંહાં બિંબ પ્રતિબિંબ કેહેવા નહીં ઠાર, આંહાં તો એટલાં ચિત્ત જેટલા આકાર. ૨૬૭</poem>'''}}
{{Poem2Open}}
વાણીવિવેક જો ત્યાં પહોંચે અને એને પાણી લેખે તો સઘળું એમાં સર્જાતા પ્રતિબિંબરૂપ ગણાય. પણ ત્યાં (મૂળ સ્થિતિમાં) બિંબ-પ્રતિબિંબ કહેવાને કોઈ સ્થાન – અવકાશ જ નથી. અહીં તો (આ સૃષ્ટિમાં) જેટલા આકાર છે એટલા ચિત્ત છે.
વાણીવિવેક જો ત્યાં પહોંચે અને એને પાણી લેખે તો સઘળું એમાં સર્જાતા પ્રતિબિંબરૂપ ગણાય. પણ ત્યાં (મૂળ સ્થિતિમાં) બિંબ-પ્રતિબિંબ કહેવાને કોઈ સ્થાન – અવકાશ જ નથી. અહીં તો (આ સૃષ્ટિમાં) જેટલા આકાર છે એટલા ચિત્ત છે.
સમજૂતી : કડીનું તાત્પર્ય તો એવું જણાય છે કે બ્રહ્મ તો અનિર્વચનીય છે. વાણીથી વર્ણવીએ ત્યારે બ્રહ્મ અને જગતને બિંબ-પ્રતિબિંબરૂપે આપણે ઘટાવીએ છીએ, પરંતુ એ વ્યવહારદૃષ્ટિ છે. પરમાર્થદૃષ્ટિમાં બિંબ-પ્રતિબિંબ કશું હોતું નથી. પણ પહેલાં બે ચરણનો અન્વય બહુ સ્પષ્ટ નથી એ સ્વીકારવું જોઈએ.
'''સમજૂતી''' : કડીનું તાત્પર્ય તો એવું જણાય છે કે બ્રહ્મ તો અનિર્વચનીય છે. વાણીથી વર્ણવીએ ત્યારે બ્રહ્મ અને જગતને બિંબ-પ્રતિબિંબરૂપે આપણે ઘટાવીએ છીએ, પરંતુ એ વ્યવહારદૃષ્ટિ છે. પરમાર્થદૃષ્ટિમાં બિંબ-પ્રતિબિંબ કશું હોતું નથી. પણ પહેલાં બે ચરણનો અન્વય બહુ સ્પષ્ટ નથી એ સ્વીકારવું જોઈએ.
એહેનો જો ત્યેં બેસે ઘાટ, તો અતિશે વારુ થાએ નાટ,
{{Poem2Close}}
દ્રુમ પરવત સાગર વન નદી, મણિ મંત્ર ચેટક ઓષધી. ૨૬૮
{{Block center|'''<poem>એહેનો જો ત્યેં બેસે ઘાટ, તો અતિશે વારુ થાએ નાટ,
દ્રુમ પરવત સાગર વન નદી, મણિ મંત્ર ચેટક ઓષધી. ૨૬૮</poem>'''}}
{{Poem2Open}}
એની ઘડ જો તારા મનમાં બેસે તો ચોક્કસ સારું થાય. વૃક્ષ, પર્વત, સાગર, વન, નદી, મણિ, મંત્ર, જાદુ, ઔષધિ –
એની ઘડ જો તારા મનમાં બેસે તો ચોક્કસ સારું થાય. વૃક્ષ, પર્વત, સાગર, વન, નદી, મણિ, મંત્ર, જાદુ, ઔષધિ –
એહવું સામૃથ્ય દીસે લંબ, સહુ જ વિષે મૂલગું પ્રતિબિંબ,
{{Poem2Close}}
વિચાર કહે સાંભલ્ય કહું ચિત્ત, દ્રષ્ટાંતે સંદેહ થાએ ગત્ય. ૨૬૯
{{Block center|'''<poem>એહવું સામૃથ્ય દીસે લંબ, સહુ જ વિષે મૂલગું પ્રતિબિંબ,
વિચાર કહે સાંભલ્ય કહું ચિત્ત, દ્રષ્ટાંતે સંદેહ થાએ ગત્ય. ૨૬૯</poem>'''}}
{{Poem2Open}}
આ બધું (અવાચ્ય બ્રહ્મનું) વિશાળ સામર્થ્ય દેખાય છે. આ બધામાં મૂળ બ્રહ્મનું જ પ્રતિબિંબ છે. વિચાર કહે છે : ચિત્ત, હું કહું તે સાંભળ. દૃષ્ટાંતથી (તારો) સંશય દૂર થશે.
આ બધું (અવાચ્ય બ્રહ્મનું) વિશાળ સામર્થ્ય દેખાય છે. આ બધામાં મૂળ બ્રહ્મનું જ પ્રતિબિંબ છે. વિચાર કહે છે : ચિત્ત, હું કહું તે સાંભળ. દૃષ્ટાંતથી (તારો) સંશય દૂર થશે.
સમજૂતી : ૨૬૫મી કડીથી શરૂ થયેલી અને આ કડીમાં પૂરી થયેલી ચિત્તની ઉક્તિનો મુદ્દો એવો જણાય છે કે અવાચ્યબ્રહ્મ અનુભવથી (સ્થૂળ વાસ્તવિક અનુભવથી) પર છે, એેવો અનુભવ તો માત્ર પ્રતિબિંબરૂપ જગતનો થાય છે.
'''સમજૂતી''' : ૨૬૫મી કડીથી શરૂ થયેલી અને આ કડીમાં પૂરી થયેલી ચિત્તની ઉક્તિનો મુદ્દો એવો જણાય છે કે અવાચ્યબ્રહ્મ અનુભવથી (સ્થૂળ વાસ્તવિક અનુભવથી) પર છે, એેવો અનુભવ તો માત્ર પ્રતિબિંબરૂપ જગતનો થાય છે.
છામખેડાની પેર્યે જોએ, વ્યક્તભેદ સર્વ ગોચર હોએ,
{{Poem2Close}}
જ્યમ છામખેડુ છે દીપક વડે, દીપ વિના સર્વ ઊમડે. ૨૭૦
{{Block center|'''<poem>છામખેડાની પેર્યે જોએ, વ્યક્તભેદ સર્વ ગોચર હોએ,
જ્યમ છામખેડુ છે દીપક વડે, દીપ વિના સર્વ ઊમડે. ૨૭૦</poem>'''}}
{{Poem2Open}}
છામખેડાના ખેલની રીતે જોતાં વ્યક્ત સૃષ્ટિના ભેદો અનુભવગમ્ય થશે. દીવા વડે ચામખેડાનો ખેલ રચાય છે અને દીવા વિના એ નષ્ટ થઈ જાય છે.
છામખેડાના ખેલની રીતે જોતાં વ્યક્ત સૃષ્ટિના ભેદો અનુભવગમ્ય થશે. દીવા વડે ચામખેડાનો ખેલ રચાય છે અને દીવા વિના એ નષ્ટ થઈ જાય છે.
સમજૂતી : ‘છામખેડુ’ (ચામખેડુ) એ શબ્દના ‘મદારીની જોડી’ અને ‘પૂતળી ખેલ કરનારું સાધન’ એવા અર્થો કરવામાં આવ્યા છે પરંતુ એ અર્થો શંકાસ્પદ જણાય છે. આ શબ્દમાં ‘ચામ’ એટલે કે ‘ચામડું’ આવે છે તે ખાસ નોંધપાત્ર છે. ‘ખેડુ’ એટલે ખરેખર તો ‘ગામ’ થાય. આમ ‘ચામખેડુ’ એટલે ચામડાનું ગામ એવો શાબ્દિક અર્થ થાય. ચામડાની મદદથી થતો આ ખેલ કયા પ્રકારનો હશે તેની વિમાસણ રહે છે પરંતુ ‘કુમાર’ ઑગ. ૧૯૫૮-માં નવનીત પારેખનો ‘જાવાસુમાત્રાની લલિત કલાઓ’ એ લેખ છપાયો છે તેમાં આવતું વયાંગ-કુલિત નામની છાયાનાટિકાનું વર્ણન આ સંદર્ભમાં જોવા જેવું છે.
'''સમજૂતી''' : ‘છામખેડુ’ (ચામખેડુ) એ શબ્દના ‘મદારીની જોડી’ અને ‘પૂતળી ખેલ કરનારું સાધન’ એવા અર્થો કરવામાં આવ્યા છે પરંતુ એ અર્થો શંકાસ્પદ જણાય છે. આ શબ્દમાં ‘ચામ’ એટલે કે ‘ચામડું’ આવે છે તે ખાસ નોંધપાત્ર છે. ‘ખેડુ’ એટલે ખરેખર તો ‘ગામ’ થાય. આમ ‘ચામખેડુ’ એટલે ચામડાનું ગામ એવો શાબ્દિક અર્થ થાય. ચામડાની મદદથી થતો આ ખેલ કયા પ્રકારનો હશે તેની વિમાસણ રહે છે પરંતુ ‘કુમાર’ ઑગ. ૧૯૫૮-માં નવનીત પારેખનો ‘જાવાસુમાત્રાની લલિત કલાઓ’ એ લેખ છપાયો છે તેમાં આવતું વયાંગ-કુલિત નામની છાયાનાટિકાનું વર્ણન આ સંદર્ભમાં જોવા જેવું છે.
એ એક પ્રકારનો પૂતળીખેલ છે પરંતુ એમાં કઠપૂતળી (લાકડાની પૂતળી) હોતી નથી, ચામડાની કોતરેલી આકૃતિઓ હોય છે. સૂત્રધાર એ આકૃતિઓના સમૂહની પાછળ છુપાયેલો રહે છે અને એ આકૃતિઓને એ જરૂર મુજબ બહાર રમવા કાઢે છે અને પાછી ખેંચી લે છે. એના માથા પર તેલનો મોટો દીવો હોય છે, જેનો પ્રકાશ આગળના સફેદ પડદા પર પડે છે. તે પડદા પર ચામડાની આકૃતિઓની છાયા પડે છે તે પ્રેક્ષકો જુએ છે. અખાજીએ કરેલું ચામખેડાનું વર્ણન આ વયાંગકુલિત સાથે એકદમ મળતું આવે છે તે સ્પષ્ટ છે. અત્યારે ભારતમાં ચામડાની આકૃતિઓથી થતો ખેલ જાણીતો નથી (દક્ષિણમાં ક્યાંક ચાલુ હોવાનું જાણવા મળ્યું છે) પરંતુ અખાજીના સમયમાં એ પ્રચલિત હોવાનું આ પરથી સમજાય છે.
એ એક પ્રકારનો પૂતળીખેલ છે પરંતુ એમાં કઠપૂતળી (લાકડાની પૂતળી) હોતી નથી, ચામડાની કોતરેલી આકૃતિઓ હોય છે. સૂત્રધાર એ આકૃતિઓના સમૂહની પાછળ છુપાયેલો રહે છે અને એ આકૃતિઓને એ જરૂર મુજબ બહાર રમવા કાઢે છે અને પાછી ખેંચી લે છે. એના માથા પર તેલનો મોટો દીવો હોય છે, જેનો પ્રકાશ આગળના સફેદ પડદા પર પડે છે. તે પડદા પર ચામડાની આકૃતિઓની છાયા પડે છે તે પ્રેક્ષકો જુએ છે. અખાજીએ કરેલું ચામખેડાનું વર્ણન આ વયાંગકુલિત સાથે એકદમ મળતું આવે છે તે સ્પષ્ટ છે. અત્યારે ભારતમાં ચામડાની આકૃતિઓથી થતો ખેલ જાણીતો નથી (દક્ષિણમાં ક્યાંક ચાલુ હોવાનું જાણવા મળ્યું છે) પરંતુ અખાજીના સમયમાં એ પ્રચલિત હોવાનું આ પરથી સમજાય છે.
અખાના છપ્પા ૧૫૧, ૧૫૨માં પણ ચામખેડાનું દૃષ્ટાંત યોજાયું છે અને ઉમાશંકર જોશીએ એમની છપ્પાની બીજી આવૃત્તિમાં નવનીત પારેખના લેખને આધારે ‘વયાંગકુલિત’નું વર્ણન આપ્યું છે.
અખાના છપ્પા ૧૫૧, ૧૫૨માં પણ ચામખેડાનું દૃષ્ટાંત યોજાયું છે અને ઉમાશંકર જોશીએ એમની છપ્પાની બીજી આવૃત્તિમાં નવનીત પારેખના લેખને આધારે ‘વયાંગકુલિત’નું વર્ણન આપ્યું છે.
નાનાં રૂપ આવે રહે જાઇ, પણ દીસે દીપ તણે મહિમાઇ,
{{Poem2Close}}
સૂર્જ્ય હોએ ત્યારે ન હોઇ પેખણું, એ તો[૨૫ક] દીપ-તિમિર તણું દેખણું. ૨૭૧
{{Block center|'''<poem>નાનાં રૂપ આવે રહે જાઇ, પણ દીસે દીપ તણે મહિમાઇ,
સૂર્જ્ય હોએ ત્યારે ન હોઇ પેખણું, એ તો[૨૫ક] દીપ-તિમિર તણું દેખણું. ૨૭૧</poem>'''}}
{{Poem2Open}}
વિવિધ પ્રકારનાં રૂપ આવે છે, રહે છે અને જાય છે. પણ તે બધું દીવાના પ્રતાપે દેખાય છે. સૂર્ય હોય ત્યારે આ ખેલ ન હોઈ શકે, એ તો દીવો અને અંધારું (સાથે હોય) ત્યારે થતું દૃશ્ય છે.
વિવિધ પ્રકારનાં રૂપ આવે છે, રહે છે અને જાય છે. પણ તે બધું દીવાના પ્રતાપે દેખાય છે. સૂર્ય હોય ત્યારે આ ખેલ ન હોઈ શકે, એ તો દીવો અને અંધારું (સાથે હોય) ત્યારે થતું દૃશ્ય છે.
દીપકસ્થાની તું ચિત્તરાઈ, દેહે મંડપ કરી બેઠો માંહે,
{{Poem2Close}}
બાહાર્યથી દીસે તુજ માટ્ય, અને અંતર્યે તુજ વડે ચાલે ઠાઠ. ૨૭૨
{{Block center|'''<poem>દીપકસ્થાની તું ચિત્તરાઈ, દેહે મંડપ કરી બેઠો માંહે,
બાહાર્યથી દીસે તુજ માટ્ય, અને અંતર્યે તુજ વડે ચાલે ઠાઠ. ૨૭૨</poem>'''}}
{{Poem2Open}}
દીવાને સ્થાને, ચિત્ત તું છે. દેહનો મંડપ કરી તેમાં તું બેઠો છે. બહારથી તારે માટે જગતનો ખેલ ચાલતો જણાય છે પણ અંદરથી જોતાં તારાથી જ આ જગતવૈભવ ચાલે છે.
દીવાને સ્થાને, ચિત્ત તું છે. દેહનો મંડપ કરી તેમાં તું બેઠો છે. બહારથી તારે માટે જગતનો ખેલ ચાલતો જણાય છે પણ અંદરથી જોતાં તારાથી જ આ જગતવૈભવ ચાલે છે.
પાઠચર્ચા : ચોથા ચરણમાં ક ગ સિવાયની બધી હપ્ર ‘ઘાટ’ પાઠ આપે છે. ‘માટ્ય’ સાથે પ્રાસમાં આ પાઠ આવેલો જણાય છે, પણ આ સંદર્ભમાં ‘ઠાઠ’ પાઠ જ ઉચિત છે અને તેને છપ્પાની નીચેની પંક્તિઓમાંથી સમર્થન મળી રહે છે. ત્યાં બધે ‘ઠાઠ’ શબ્દ આ અર્થમાં વપરાયો છે અને એનો પ્રાસ પણ મોટે ભાગે ‘ઘાટ’ સાથે મેળવેલો છે.
'''પાઠચર્ચા''' : ચોથા ચરણમાં ક ગ સિવાયની બધી હપ્ર ‘ઘાટ’ પાઠ આપે છે. ‘માટ્ય’ સાથે પ્રાસમાં આ પાઠ આવેલો જણાય છે, પણ આ સંદર્ભમાં ‘ઠાઠ’ પાઠ જ ઉચિત છે અને તેને છપ્પાની નીચેની પંક્તિઓમાંથી સમર્થન મળી રહે છે. ત્યાં બધે ‘ઠાઠ’ શબ્દ આ અર્થમાં વપરાયો છે અને એનો પ્રાસ પણ મોટે ભાગે ‘ઘાટ’ સાથે મેળવેલો છે.
ચૌદલોક અખા એક ઠાઠ ત્યાં ઊંચનીચ તે મનનો ઘાટ. ૩૬૬
{{Poem2Close}}
{{Block center|'''<poem>ચૌદલોક અખા એક ઠાઠ ત્યાં ઊંચનીચ તે મનનો ઘાટ. ૩૬૬
લોકચૌદ ચૈતન્યનો ઠાઠ નીપજતા જાયે ઘાટેઘાટ. ૩૮૯
લોકચૌદ ચૈતન્યનો ઠાઠ નીપજતા જાયે ઘાટેઘાટ. ૩૮૯
વિચાર કરતાં બેઠું ઘાટ,
વિચાર કરતાં બેઠું ઘાટ,
એ ચાલ્યો જાય સત-મિથ્યા ઠાઠ ૫૦૪
એ ચાલ્યો જાય સત-મિથ્યા ઠાઠ ૫૦૪
અખા વિચાર્યે બેઠું ઘાટ, આપે ચૈતન્યનો ઠાઠ ૫૨૦  
અખા વિચાર્યે બેઠું ઘાટ, આપે ચૈતન્યનો ઠાઠ ૫૨૦  
કળ ભરાવ્યે ચાલે ઠાઠ મન આદિ સઘળો આઠકાઠ. ૪૧
કળ ભરાવ્યે ચાલે ઠાઠ મન આદિ સઘળો આઠકાઠ. ૪૧
પ્રાયે સર્વ ચૈતન્યનો ઠાઠ પણ સત્ય-મિથ્યારૂપે આઠકાઠ. ૫૪૨
પ્રાયે સર્વ ચૈતન્યનો ઠાઠ પણ સત્ય-મિથ્યારૂપે આઠકાઠ. ૫૪૨
પાછો વળી ઘડાયે ઘાટ, ત્યમનો ત્યમ પોગરનો ઠાઠ. ૬૬૫
પાછો વળી ઘડાયે ઘાટ, ત્યમનો ત્યમ પોગરનો ઠાઠ. ૬૬૫</poem>'''}}
{{Poem2Open}}
‘ઠાઠ ચાલે’ એવો પ્રયોગ થઈ શકે – અહીં ઉપર જ એનું દૃષ્ટાંત છે. ‘ઘાટ ચાલે’ એવો પ્રયોગ હોવાનો સંભવ નથી.
‘ઠાઠ ચાલે’ એવો પ્રયોગ થઈ શકે – અહીં ઉપર જ એનું દૃષ્ટાંત છે. ‘ઘાટ ચાલે’ એવો પ્રયોગ હોવાનો સંભવ નથી.
અજ્ઞાનનિશા લગી એ ખેલ, સંકલ્પના તે ચલાવે વેલ,
{{Poem2Close}}
જ્ઞાનઅર્ક્ક કરી ભાગો ભ્રમ, ત્યારે દીઠાં આલાં ચર્મ. ૨૭૩
{{Block center|'''<poem>અજ્ઞાનનિશા લગી એ ખેલ, સંકલ્પના તે ચલાવે વેલ,
જ્ઞાનઅર્ક્ક કરી ભાગો ભ્રમ, ત્યારે દીઠાં આલાં ચર્મ. ૨૭૩</poem>'''}}
{{Poem2Open}}
અજ્ઞાનરૂપી રાત્રી હોય ત્યાં સુધી એ ખેલ ચાલે છે. મનનો સંકલ્પવ્યાપાર આ (સંસારની) વેલને ચલાવે છે, પરંતુ જ્ઞાનસૂર્યથી ભ્રમ દૂર થયો ત્યારે (આ વિવિધ રૂપો તે બીજું કંઈ નહીં પણ) આળાં ચર્મ છે એમ દેખાયું.
અજ્ઞાનરૂપી રાત્રી હોય ત્યાં સુધી એ ખેલ ચાલે છે. મનનો સંકલ્પવ્યાપાર આ (સંસારની) વેલને ચલાવે છે, પરંતુ જ્ઞાનસૂર્યથી ભ્રમ દૂર થયો ત્યારે (આ વિવિધ રૂપો તે બીજું કંઈ નહીં પણ) આળાં ચર્મ છે એમ દેખાયું.
પાઠચર્ચા : બીજા ચરણમાં ક ગ સિવાયની બધી હપ્ર ‘સંકલ્પનટ’ પાઠ આપે છે તેમાં કદાચ સરળતા લાગે પણ સંકલ્પના એટલે સંકલ્પબુદ્ધિ કે વ્યાપાર એ અન્વય થઈ શકે છે તેથી મુખ્યપ્રતનો પાઠ ફેરવવાની જરૂર નથી. વળી ‘વેલ’ ચલાવનાર ‘નટ’ એ બંધબેસતું થતું નથી. વળી, ખેલ ચલાવનાર પણ ‘નટ’ નહીં, સૂત્રધાર છે.
'''પાઠચર્ચા''' : બીજા ચરણમાં ક ગ સિવાયની બધી હપ્ર ‘સંકલ્પનટ’ પાઠ આપે છે તેમાં કદાચ સરળતા લાગે પણ સંકલ્પના એટલે સંકલ્પબુદ્ધિ કે વ્યાપાર એ અન્વય થઈ શકે છે તેથી મુખ્યપ્રતનો પાઠ ફેરવવાની જરૂર નથી. વળી ‘વેલ’ ચલાવનાર ‘નટ’ એ બંધબેસતું થતું નથી. વળી, ખેલ ચલાવનાર પણ ‘નટ’ નહીં, સૂત્રધાર છે.
તોરું જ સ્ફુરણ દેખે છે તું, અહીં અવાચ્ય કારણને જોતાં શું,
{{Poem2Close}}
તું છે અવાચ્યકારણ કેરું પ્રતિબિંબ, તે માટે તું પ્રાએ શંભ. ૨૭૪
{{Block center|'''<poem>તોરું જ સ્ફુરણ દેખે છે તું, અહીં અવાચ્ય કારણને જોતાં શું,
તું છે અવાચ્યકારણ કેરું પ્રતિબિંબ, તે માટે તું પ્રાએ શંભ. ૨૭૪</poem>'''}}
{{Poem2Open}}
આ રીતે તું તારું સ્ફુરણ જ જોઈ રહ્યો હોય છે. અહીં અવાચ્યકારણ (બ્રહ્મ)ને જોવાથી શું થાય? તું અવાચ્યકારણ (બ્રહ્મ)નું પ્રતિબિંબ છે, તેથી તું(અંતે) બ્રહ્મરૂપ જ છે.
આ રીતે તું તારું સ્ફુરણ જ જોઈ રહ્યો હોય છે. અહીં અવાચ્યકારણ (બ્રહ્મ)ને જોવાથી શું થાય? તું અવાચ્યકારણ (બ્રહ્મ)નું પ્રતિબિંબ છે, તેથી તું(અંતે) બ્રહ્મરૂપ જ છે.
સમજૂતી : ‘અવાચ્યકારણ’ વિશે જુઓ આ પૂર્વે કડી ૨૬૬ની સમજૂતી. ‘શંભ’ શબ્દની અર્થચર્ચા માટે જુઓ પૃ. ૯૧
'''સમજૂતી''' : ‘અવાચ્યકારણ’ વિશે જુઓ આ પૂર્વે કડી ૨૬૬ની સમજૂતી. ‘શંભ’ શબ્દની અર્થચર્ચા માટે જુઓ પૃ. ૯૧
એણે ભેદ્યે પંડ્ય બ્રહ્માંડ, બ્રહ્માંડ બ્રહ્માંડ્યે બહુવિધ મંડ્ય,  
{{Poem2Close}}
પંડ્ય પંડ્ય એક જ માંડણી, તું એમ સમઝ્ય રાખ્ય આપણી. ૨૭૫
{{Block center|'''<poem>એણે ભેદ્યે પંડ્ય બ્રહ્માંડ, બ્રહ્માંડ બ્રહ્માંડ્યે બહુવિધ મંડ્ય,  
પંડ્ય પંડ્ય એક જ માંડણી, તું એમ સમઝ્ય રાખ્ય આપણી. ૨૭૫</poem>'''}}
{{Poem2Open}}
આ ભેદોથી પિંડ ને બ્રહ્માંડ રચાય છે. બ્રહ્માંડે-બ્રહ્માંડે જાત-જાતની રચનાઓ થાય છે. પણ દરેક પિંડની માંડણી (આધાર) તો એક જ છે. આ પ્રમાણે તું તારી સમજણ રાખ.
આ ભેદોથી પિંડ ને બ્રહ્માંડ રચાય છે. બ્રહ્માંડે-બ્રહ્માંડે જાત-જાતની રચનાઓ થાય છે. પણ દરેક પિંડની માંડણી (આધાર) તો એક જ છે. આ પ્રમાણે તું તારી સમજણ રાખ.
સમજૂતી : અહીં ‘માંડણી’નો અર્થ આધાર લેવાનું કારણ એ છે કે દરેક પિંડ અને શરીર અલગઅલગ હોય છે પણ તેના પાયામાં રહેલું તત્ત્વ, બ્રહ્મ એક જ છે.
'''સમજૂતી''' : અહીં ‘માંડણી’નો અર્થ આધાર લેવાનું કારણ એ છે કે દરેક પિંડ અને શરીર અલગઅલગ હોય છે પણ તેના પાયામાં રહેલું તત્ત્વ, બ્રહ્મ એક જ છે.
એમ પ્રીછ્યે તું છે સાક્ષાત, અન્ય શાસ્ત્ર શમણાની વાત,
{{Poem2Close}}
ચિત્ત કહે છે તું ધન્ય વિચાર, ત્યેં તત્ત્વસાર કીધો નિર્ધાર. ૨૭૬
{{Block center|'''<poem>એમ પ્રીછ્યે તું છે સાક્ષાત, અન્ય શાસ્ત્ર શમણાની વાત,
ચિત્ત કહે છે તું ધન્ય વિચાર, ત્યેં તત્ત્વસાર કીધો નિર્ધાર. ૨૭૬</poem>'''}}
{{Poem2Open}}
એમ સમજવાથી તું તારા સ્વરૂપનો સાક્ષાત્કાર કરી શકીશ. આ સિવાયનો અન્ય શાસ્ત્રોનો વિચાર સ્વપ્નની જેમ મિથ્યા – અસત્‌ છે. ચિત્ત કહે છે : વિચાર, તું ધન્ય છે. તેં તત્ત્વનો સાર ચોક્કસ આપ્યો.
એમ સમજવાથી તું તારા સ્વરૂપનો સાક્ષાત્કાર કરી શકીશ. આ સિવાયનો અન્ય શાસ્ત્રોનો વિચાર સ્વપ્નની જેમ મિથ્યા – અસત્‌ છે. ચિત્ત કહે છે : વિચાર, તું ધન્ય છે. તેં તત્ત્વનો સાર ચોક્કસ આપ્યો.
મૂલે કહ્યું ને કહ્યું વૃત્તાંત, એ માંહાં સંશે ન રહ્યો અંથ,
{{Poem2Close}}
નિજ મા[૨૫ખ]હાતમ તાં મોટું કહ્યું, તે માંહાં કાંઈ પાછું નવ્ય રહ્યું. ૨૭૭  
{{Block center|'''<poem>મૂલે કહ્યું ને કહ્યું વૃત્તાંત, એ માંહાં સંશે ન રહ્યો અંથ,
નિજ મા[૨૫ખ]હાતમ તાં મોટું કહ્યું, તે માંહાં કાંઈ પાછું નવ્ય રહ્યું. ૨૭૭</poem>'''}}
{{Poem2Open}}
તેં મૂળ તત્ત્વની વાત કરી ને એમાંથી જે બ્રહ્માંડ નીપજ્યું તેનો ઇતિહાસ પણ કહ્યો. તેમાં હવે સહેજ પણ સંશય રહ્યો નથી. પોતાનું (=પોતાપણાનું, આત્મસ્વરૂપનું) માહાત્મ્ય ત્યાં ખૂબ પ્રગટ કર્યું તેમાં કંઈ હવે બાકી રહેતું નથી.
તેં મૂળ તત્ત્વની વાત કરી ને એમાંથી જે બ્રહ્માંડ નીપજ્યું તેનો ઇતિહાસ પણ કહ્યો. તેમાં હવે સહેજ પણ સંશય રહ્યો નથી. પોતાનું (=પોતાપણાનું, આત્મસ્વરૂપનું) માહાત્મ્ય ત્યાં ખૂબ પ્રગટ કર્યું તેમાં કંઈ હવે બાકી રહેતું નથી.
પાઠચર્ચા : બીજા ચરણમાં ખ હપ્ર ‘અંથ્ય’, ચ છ જ ઝ  ‘અંથ’ પાઠ આપે છે. આવા જ સંદર્ભમાં અન્યત્ર ‘અંથ’ શબ્દ વપરાયેલો મળે છે. ત્યાં તથા અહીં ‘અંથ’નો ‘સહેજ પણ’ અર્થ બરાબર બેસી જાય છે. (આ માટે જુઓ પ્રાસ્તાવિક અને પરિશીલન). ક ગ ઘ હપ્રમાં પ્રાસને કારણે ભૂલથી ‘અંથ’નું ‘અંત’ થયું લાગે છે આ કારણે મુખ્ય પ્રતનો પાઠ છોડ્યો છે.
'''પાઠચર્ચા''' : બીજા ચરણમાં ખ હપ્ર ‘અંથ્ય’, ચ છ જ ઝ  ‘અંથ’ પાઠ આપે છે. આવા જ સંદર્ભમાં અન્યત્ર ‘અંથ’ શબ્દ વપરાયેલો મળે છે. ત્યાં તથા અહીં ‘અંથ’નો ‘સહેજ પણ’ અર્થ બરાબર બેસી જાય છે. (આ માટે જુઓ પ્રાસ્તાવિક અને પરિશીલન). ક ગ ઘ હપ્રમાં પ્રાસને કારણે ભૂલથી ‘અંથ’નું ‘અંત’ થયું લાગે છે આ કારણે મુખ્ય પ્રતનો પાઠ છોડ્યો છે.
સમજૂતી : ‘અંથ’ શબ્દની અર્થચર્ચા માટે જુઓ પૃ. ૮૧
'''સમજૂતી''' : ‘અંથ’ શબ્દની અર્થચર્ચા માટે જુઓ પૃ. ૮૧
મૂલ માહાતમ તાં છે અનંત, તે પદ્ય ન રહેવાએશે એકાંત,
{{Poem2Close}}
જે એહેવો સ્યો હું છું સાક્ષાત, ત્યમ ન રેહેવાએ એ જ ઉતપાત. ૨૭૮
{{Block center|'''<poem>મૂલ માહાતમ તાં છે અનંત, તે પદ્ય ન રહેવાએશે એકાંત,
જે એહેવો સ્યો હું છું સાક્ષાત, ત્યમ ન રેહેવાએ એ જ ઉતપાત. ૨૭૮</poem>'''}}
{{Poem2Open}}
મૂળનું (બ્રહ્મરૂપનું) માહાત્મ્ય તો અપાર છે. પરંતુ હંમેશાં એ સ્થિતિમાં રહેવાશે નહીં. આગળ તેં વર્ણવ્યો એવા પ્રકારનો હું જે સાક્ષાત્‌ આત્મસ્વરૂપ છું તેનાથી તેમ રહી શકાય એમ નથી એ જ મુશ્કેલી છે.
મૂળનું (બ્રહ્મરૂપનું) માહાત્મ્ય તો અપાર છે. પરંતુ હંમેશાં એ સ્થિતિમાં રહેવાશે નહીં. આગળ તેં વર્ણવ્યો એવા પ્રકારનો હું જે સાક્ષાત્‌ આત્મસ્વરૂપ છું તેનાથી તેમ રહી શકાય એમ નથી એ જ મુશ્કેલી છે.
પાઠચર્ચા : ત્રીજા ચરણમાં અન્ય બધી હપ્ર ‘જે એહેવો’ને સ્થાને ‘જેહેવો’ પાઠ આપે છે પરંતુ મુખ્ય પ્રતનો પાઠ ઉપર મુજબ બેસાડી શકાય છે તેથી તે છોડવાની જરૂર જણાતી નથી. વળી જુદી-જુદી હપ્ર જે ‘સોહું’ વગેરે પાઠ આપે છે એમાં ‘સો’નું ‘સ્યો’ થવા કરતાં ‘સ્યો’નું ‘સો’ થઈ જવું વધારે સ્વાભાવિક છે. ‘એહવો સ્યો’ આ પૂર્વે ૨૨૮મી કડીમાં પણ આવેલ છે.
'''પાઠચર્ચા''' : ત્રીજા ચરણમાં અન્ય બધી હપ્ર ‘જે એહેવો’ને સ્થાને ‘જેહેવો’ પાઠ આપે છે પરંતુ મુખ્ય પ્રતનો પાઠ ઉપર મુજબ બેસાડી શકાય છે તેથી તે છોડવાની જરૂર જણાતી નથી. વળી જુદી-જુદી હપ્ર જે ‘સોહું’ વગેરે પાઠ આપે છે એમાં ‘સો’નું ‘સ્યો’ થવા કરતાં ‘સ્યો’નું ‘સો’ થઈ જવું વધારે સ્વાભાવિક છે. ‘એહવો સ્યો’ આ પૂર્વે ૨૨૮મી કડીમાં પણ આવેલ છે.
એહનું શું કારણ છે અંગ, વિશદ કરી કહે પરસંગ,
{{Poem2Close}}
વિચાર કહે એ વૈગુન્ય વચ્ચે, જૈ તુજને તાં બહુ ભોગ જ રુચ્ચે. ૨૭૯
{{Block center|'''<poem>એહનું શું કારણ છે અંગ, વિશદ કરી કહે પરસંગ,
વિચાર કહે એ વૈગુન્ય વચ્ચે, જૈ તુજને તાં બહુ ભોગ જ રુચ્ચે. ૨૭૯</poem>'''}}
{{Poem2Open}}
એનું કારણ શું છે તેનો સંદર્ભ સ્પષ્ટ કરીને, ભાઈ, કહે. વિચાર કહે છે : તું એ નિર્ગુણ સ્થિતિમાં હોય છે તે દરમ્યાન તને ભોગ બહુ ગમે છે.
એનું કારણ શું છે તેનો સંદર્ભ સ્પષ્ટ કરીને, ભાઈ, કહે. વિચાર કહે છે : તું એ નિર્ગુણ સ્થિતિમાં હોય છે તે દરમ્યાન તને ભોગ બહુ ગમે છે.
ભોગ રુચે તે માંહે મોહો માટ્ય, તોરા પુત્ર જ પાડે છે વાટ,
{{Poem2Close}}
અત્યાર લગી જે કહી મ્યેં વાત, તે તારું કારણ કહ્યું સાક્ષાત. ૨૮૦
{{Block center|'''<poem>ભોગ રુચે તે માંહે મોહો માટ્ય, તોરા પુત્ર જ પાડે છે વાટ,
અત્યાર લગી જે કહી મ્યેં વાત, તે તારું કારણ કહ્યું સાક્ષાત. ૨૮૦</poem>'''}}
{{Poem2Open}}
અને તને ભોગ ભોગવવા ગમે છે તે તારામાં મોહ છે માટે. તારા પુત્ર જ તને લૂંટે છે. અત્યાર સુધી મેં તને જે વાત કહી તેમાં તારું કારણ, તારા મૂળ રૂપે રહેલું બ્રહ્મસ્વરૂપ મેં સાક્ષાત્‌ બતાવ્યું.
અને તને ભોગ ભોગવવા ગમે છે તે તારામાં મોહ છે માટે. તારા પુત્ર જ તને લૂંટે છે. અત્યાર સુધી મેં તને જે વાત કહી તેમાં તારું કારણ, તારા મૂળ રૂપે રહેલું બ્રહ્મસ્વરૂપ મેં સાક્ષાત્‌ બતાવ્યું.
પણ તું કારણ જે કારજ્ય તણું, તે વિગોવે છે તુજને ઘણું,
{{Poem2Close}}
ચિદપણું ખોહી બેઠો જે માટ્ય, જેહેનો મોહ્યો કરે અયાટ્ય. ૨૮૧
{{Block center|'''<poem>પણ તું કારણ જે કારજ્ય તણું, તે વિગોવે છે તુજને ઘણું,
ચિદપણું ખોહી બેઠો જે માટ્ય, જેહેનો મોહ્યો કરે અયાટ્ય. ૨૮૧</poem>'''}}
{{Poem2Open}}
પણ તું જે કાર્યનું કારણ છે, જેને લીધે તું તારું ચૈતન્યસ્વરૂપ ખોઈ બેઠો છે અને જેના મોહમાં (તું) નિરર્થક પ્રવૃત્તિ કરે છે, એ તને ઘણો દુઃખી કરે છે.
પણ તું જે કાર્યનું કારણ છે, જેને લીધે તું તારું ચૈતન્યસ્વરૂપ ખોઈ બેઠો છે અને જેના મોહમાં (તું) નિરર્થક પ્રવૃત્તિ કરે છે, એ તને ઘણો દુઃખી કરે છે.
સમજૂતી : બ્રહ્મ કારણ, ચિત્ત કાર્ય; પણ ચિત્ત કારણ, એની વૃત્તિઓ કાર્ય – એમ તર્કયુક્તિ છે.
'''સમજૂતી''' : બ્રહ્મ કારણ, ચિત્ત કાર્ય; પણ ચિત્ત કારણ, એની વૃત્તિઓ કાર્ય – એમ તર્કયુક્તિ છે.
ચિત્ત કહે છે તે સમઝાવ્ય, જે મોટું જ્યાન કરે અસંભાવ્ય,
{{Poem2Close}}
વિચાર કહે તું છે ચિદ્રૂપ, તોરું નિદાન તાં છે અનુપ. ૨૮૨
{{Block center|'''<poem>ચિત્ત કહે છે તે સમઝાવ્ય, જે મોટું જ્યાન કરે અસંભાવ્ય,
વિચાર કહે તું છે ચિદ્રૂપ, તોરું નિદાન તાં છે અનુપ. ૨૮૨</poem>'''}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : અસંભાવ્ય સ્થિતિ જે મોટું નુકસાન કરે છે તે મને સમજાવ. વિચાર કહે છે : તું ચૈતન્યરૂપ છે. તારું જે મૂળ કારણરૂપ છે તે તો અનુપમ છે.
ચિત્ત કહે છે : અસંભાવ્ય સ્થિતિ જે મોટું નુકસાન કરે છે તે મને સમજાવ. વિચાર કહે છે : તું ચૈતન્યરૂપ છે. તારું જે મૂળ કારણરૂપ છે તે તો અનુપમ છે.
તું અતિ મોટો ને અતિ આધીન, [૨૬ક] કામ ક્રોધ આગલ્ય તું દીન,
{{Poem2Close}}
કાહાવે તોરા પણ છે તત્ત્વથી, પણ અમલ કરે તોરા સત્ત્વથી. ૨૮૩
{{Block center|'''<poem>તું અતિ મોટો ને અતિ આધીન, [૨૬ક] કામ ક્રોધ આગલ્ય તું દીન,
કાહાવે તોરા પણ છે તત્ત્વથી, પણ અમલ કરે તોરા સત્ત્વથી. ૨૮૩</poem>'''}}
{{Poem2Open}}
તું એ રીતે અતિશય મોટો છે તો બીજી બાજુથી અતિશય ઊતરતો પણ છે. (પણ) કામ, ક્રોધની પાસે તું લાચાર છે. એ તારા કહેવાય છે પણ એમનું અસ્તિત્વ તત્ત્વથી છે (?). પણ તારા સામર્થ્યથી જ એ પ્રવૃત્ત થાય છે.
તું એ રીતે અતિશય મોટો છે તો બીજી બાજુથી અતિશય ઊતરતો પણ છે. (પણ) કામ, ક્રોધની પાસે તું લાચાર છે. એ તારા કહેવાય છે પણ એમનું અસ્તિત્વ તત્ત્વથી છે (?). પણ તારા સામર્થ્યથી જ એ પ્રવૃત્ત થાય છે.
સેવક તોરા પણ ઠગે છે તુંને, પણ તું ન જાણે જે ઘાયક કને,
{{Poem2Close}}
તાહરે એહેને સંમંધ આકરો, વિજોગ પડે તો બેહુએ મરો. ર૮૪
{{Block center|'''<poem>સેવક તોરા પણ ઠગે છે તુંને, પણ તું ન જાણે જે ઘાયક કને,
તાહરે એહેને સંમંધ આકરો, વિજોગ પડે તો બેહુએ મરો. ર૮૪</poem>'''}}
{{Poem2Open}}
(એ) તારા સેવક છે પણ તને છેતરે છે. તું જાણતો નથી કે તારા ઘાતક તારી પાસે જ છે. તારે અને એને દૃઢ (ન છૂટે તેવો) સંબંધ છે. વિયોગ થાય તો બંને મૃત્યુ પામો.
(એ) તારા સેવક છે પણ તને છેતરે છે. તું જાણતો નથી કે તારા ઘાતક તારી પાસે જ છે. તારે અને એને દૃઢ (ન છૂટે તેવો) સંબંધ છે. વિયોગ થાય તો બંને મૃત્યુ પામો.
કામ ક્રોધ મદ મછર પ્રાઇ, તુજ મરતે એકે મરી જાઇ,
{{Poem2Close}}
તું જીવ્યે એ જીવે ખરા, અન્યોઅન્યે સંમંધ આકરા. ૨૮૫
{{Block center|'''<poem>કામ ક્રોધ મદ મછર પ્રાઇ, તુજ મરતે એકે મરી જાઇ,
તું જીવ્યે એ જીવે ખરા, અન્યોઅન્યે સંમંધ આકરા. ૨૮૫</poem>'''}}
{{Poem2Open}}
કામ ક્રોધ, અભિમાન ઈર્ષ્યા તારા મરવાથી એ દરેક ચોક્કસ મરી જાય છે. તારા જીવવાથી એ જીવે જરૂર. એ રીતે તમારા બંનેના સંબંધ બહુ દૃઢ છે.
કામ ક્રોધ, અભિમાન ઈર્ષ્યા તારા મરવાથી એ દરેક ચોક્કસ મરી જાય છે. તારા જીવવાથી એ જીવે જરૂર. એ રીતે તમારા બંનેના સંબંધ બહુ દૃઢ છે.
જ્યમ ચકમક માંહેથી નીકલે આગ્ય, જો તેહેને ન મલે વલગવા જાગ્ય,
{{Poem2Close}}
તો કાંઈ ન થાએ અગ્નિ એકલે, તતક્ષણ પાછો થાએ વિલે. ૨૮૬
{{Block center|'''<poem>જ્યમ ચકમક માંહેથી નીકલે આગ્ય, જો તેહેને ન મલે વલગવા જાગ્ય,
તો કાંઈ ન થાએ અગ્નિ એકલે, તતક્ષણ પાછો થાએ વિલે. ૨૮૬</poem>'''}}
{{Poem2Open}}
જેમ ચકમકમાંથી અગ્નિ નીકળે પણ તેને વળગવા માટે કોઈ જગ્યા ન મળે તો અગ્નિથી કંઈ થઈ શકે નહીં. તરત જ તે પાછો ઓલવાઈ જાય.
જેમ ચકમકમાંથી અગ્નિ નીકળે પણ તેને વળગવા માટે કોઈ જગ્યા ન મળે તો અગ્નિથી કંઈ થઈ શકે નહીં. તરત જ તે પાછો ઓલવાઈ જાય.
તે જો કફને વલગી જાઇ, તો જીવે ને પોઢેરો થાઇ,
{{Poem2Close}}
એ તો માયાકાલ ચકમક આથડે, ત્યારે માહાઅગ્નિ માંહાંથાં ફૂલ તે પડે. ૨૮૭  
{{Block center|'''<poem>તે જો કફને વલગી જાઇ, તો જીવે ને પોઢેરો થાઇ,
એ તો માયાકાલ ચકમક આથડે, ત્યારે માહાઅગ્નિ માંહાંથાં ફૂલ તે પડે. ૨૮૭</poem>'''}}
{{Poem2Open}}
તે જો જામગરીને વળગી જાય તો જીવે અને મોટો – વિસ્તૃત થાય. માયા અને કાલરૂપી ચકમક આથડે – ઘસાય છે ત્યારે મહાઅગ્નિમાંથી તણખા પડે છે.
તે જો જામગરીને વળગી જાય તો જીવે અને મોટો – વિસ્તૃત થાય. માયા અને કાલરૂપી ચકમક આથડે – ઘસાય છે ત્યારે મહાઅગ્નિમાંથી તણખા પડે છે.
તે ચૈતન નિરાલું ચિત્ત, કામ ક્રોધ કફ તે ભૂતનું વિત્ત,
{{Poem2Close}}
તેણે વલગો વાધે અનંત, શે[૨૬ખ]ષનાગ વૈકુંઠ પરજંત. ર૮૮
{{Block center|'''<poem>તે ચૈતન નિરાલું ચિત્ત, કામ ક્રોધ કફ તે ભૂતનું વિત્ત,
તેણે વલગો વાધે અનંત, શે[૨૬ખ]ષનાગ વૈકુંઠ પરજંત. ર૮૮</poem>'''}}
{{Poem2Open}}
ચિત્ત, તે ચૈતન્ય તો નિરાળું અલગ છે. કામક્રોધરૂપી જામગરી તે પંચમહાભૂતની સંપત્તિ છે. એ કામ-ક્રોધરૂપી જામગરીને વળગીને તે અગ્નિ (માયાકાલનો અગ્નિ) ખૂબ વધે છે. શેષનાગ (પાતાળ)થી વૈકુંઠ (સ્વર્ગ) સુધી એ વિસ્તરે છે.
ચિત્ત, તે ચૈતન્ય તો નિરાળું અલગ છે. કામક્રોધરૂપી જામગરી તે પંચમહાભૂતની સંપત્તિ છે. એ કામ-ક્રોધરૂપી જામગરીને વળગીને તે અગ્નિ (માયાકાલનો અગ્નિ) ખૂબ વધે છે. શેષનાગ (પાતાળ)થી વૈકુંઠ (સ્વર્ગ) સુધી એ વિસ્તરે છે.
શુચિ અશુચિ વસ્તુને ચરે, ઇંદ્રી વિષે સરસો પરવરે,  
{{Poem2Close}}
અસંભાવના ઊપજે ત્યાંહે, વિપરીત્ય ભાવના શું અવઘાઇ. ૨૮૯
{{Block center|'''<poem>શુચિ અશુચિ વસ્તુને ચરે, ઇંદ્રી વિષે સરસો પરવરે,  
અસંભાવના ઊપજે ત્યાંહે, વિપરીત્ય ભાવના શું અવઘાઇ. ૨૮૯</poem>'''}}
{{Poem2Open}}
એ અગ્નિ પવિત્ર અને અપવિત્ર બધા પદાર્થોનું ભક્ષણ કરે છે અને ઇન્દ્રિયોમાં એ એકરૂપ થઈને રહે છે. ત્યાં અસંભાવના ઊપજે છે અને વિપરીત ભાવનામાં ડૂબવાનું થાય છે.
એ અગ્નિ પવિત્ર અને અપવિત્ર બધા પદાર્થોનું ભક્ષણ કરે છે અને ઇન્દ્રિયોમાં એ એકરૂપ થઈને રહે છે. ત્યાં અસંભાવના ઊપજે છે અને વિપરીત ભાવનામાં ડૂબવાનું થાય છે.
ચિત્ત કહે એ તો મોરું મૂલ લક્ષણ કહ્યું, પણ મહાજ્ઞાન જ્યારે ઊપજી ગયું,
{{Poem2Close}}
તે ઘટનો મુજ કહે ઉકેલ, ત્યાંહે ચિત્તનો એહેવો જ હોએ ખેલ. ૨૯૦
{{Block center|'''<poem>ચિત્ત કહે એ તો મોરું મૂલ લક્ષણ કહ્યું, પણ મહાજ્ઞાન જ્યારે ઊપજી ગયું,
તે ઘટનો મુજ કહે ઉકેલ, ત્યાંહે ચિત્તનો એહેવો જ હોએ ખેલ. ૨૯૦</poem>'''}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : એ તો તેં મારું મૂળ લક્ષણ કહ્યું. પણ જ્યારે મહાજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે એ મહાજ્ઞાનનું પાત્ર બનનારની શી સ્થિતિ હોય છે તે તું મને સમજાવ. ત્યાં પણ (મહાજ્ઞાનને પાત્ર બનનાર) ચિત્તનો એવો જ ખેલ હોય છે?
ચિત્ત કહે છે : એ તો તેં મારું મૂળ લક્ષણ કહ્યું. પણ જ્યારે મહાજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે એ મહાજ્ઞાનનું પાત્ર બનનારની શી સ્થિતિ હોય છે તે તું મને સમજાવ. ત્યાં પણ (મહાજ્ઞાનને પાત્ર બનનાર) ચિત્તનો એવો જ ખેલ હોય છે?
સમજૂતી : આ તો ચિત્તનું સામાન્ય લક્ષણ. પણ જે જ્ઞાની-બ્રહ્મજ્ઞાની છે તેનું શું? આ પછી એમાં અધિકારભેદે જુદાં પરિણામ નીપજે છે એમ બતાવ્યું છે.
'''સમજૂતી''' : આ તો ચિત્તનું સામાન્ય લક્ષણ. પણ જે જ્ઞાની-બ્રહ્મજ્ઞાની છે તેનું શું? આ પછી એમાં અધિકારભેદે જુદાં પરિણામ નીપજે છે એમ બતાવ્યું છે.
વિચાર કહે ઊપજ્ય માંહાં જુક્તિ, સાંભલ્ય તેહેની કહું છું વ્યક્ત,
{{Poem2Close}}
જ્યમ સ્વાતબુંદ અહીને મુખ્ય પડે, તેહેનું હલાહલ થૈ નીમડે. ૨૯૧
{{Block center|'''<poem>વિચાર કહે ઊપજ્ય માંહાં જુક્તિ, સાંભલ્ય તેહેની કહું છું વ્યક્ત,
જ્યમ સ્વાતબુંદ અહીને મુખ્ય પડે, તેહેનું હલાહલ થૈ નીમડે. ૨૯૧</poem>'''}}
{{Poem2Open}}
વિચાર કહે છે : ઉત્પત્તિમાં – પરિણામમાં જે યોજના કામ કરે છે તે હું તને પ્રગટ કરીને કહું છું તે તું સાંભળ. જેમ સ્વાતિબિંદુ સાપના મુખમાં પડે તો તે હળાહળ વિષ રૂપે પરિણમે –
વિચાર કહે છે : ઉત્પત્તિમાં – પરિણામમાં જે યોજના કામ કરે છે તે હું તને પ્રગટ કરીને કહું છું તે તું સાંભળ. જેમ સ્વાતિબિંદુ સાપના મુખમાં પડે તો તે હળાહળ વિષ રૂપે પરિણમે –
શીપ્યે પડ્યું મુક્તાફલ થાઇ, તે વડે સહુ જક્ત સરાઇ,
{{Poem2Close}}
ત્યમ જ્ઞાનને તું એણી પેર્ય જાણ્ય, જુક્તિ કહું તે ઉર માંહાં આણ્ય. ૨૯૨  
{{Block center|'''<poem>શીપ્યે પડ્યું મુક્તાફલ થાઇ, તે વડે સહુ જક્ત સરાઇ,
ત્યમ જ્ઞાનને તું એણી પેર્ય જાણ્ય, જુક્તિ કહું તે ઉર માંહાં આણ્ય. ૨૯૨</poem>'''}}
{{Poem2Open}}
અને છીપમાં પડે તો મુક્તાફળ થાય ને તેના વડે આખું જગત ખુશ થાય. તેમ જ્ઞાનનું એ પ્રકારે બને છે તેમ તું જાણ. મેં તને આ જે યોજના સમજાવી તે તારા લક્ષમાં રાખ.
અને છીપમાં પડે તો મુક્તાફળ થાય ને તેના વડે આખું જગત ખુશ થાય. તેમ જ્ઞાનનું એ પ્રકારે બને છે તેમ તું જાણ. મેં તને આ જે યોજના સમજાવી તે તારા લક્ષમાં રાખ.
એમ સમઝ્ય તું ચિત્તરાજાન, તાહારે ત્યાંહાં મુખ્ય બે પરધાન,
{{Poem2Close}}
ડાબો મોહ ને જ્યમણો વિવેક, બેહુનાં લક્ષણ જુજુઆં છેક. ૨૯૩
{{Block center|'''<poem>એમ સમઝ્ય તું ચિત્તરાજાન, તાહારે ત્યાંહાં મુખ્ય બે પરધાન,
ડાબો મોહ ને જ્યમણો વિવેક, બેહુનાં લક્ષણ જુજુઆં છેક. ૨૯૩</poem>'''}}
{{Poem2Open}}
ચિત્તરાજા, તું એમ સમજ. તારે ત્યાં મુખ્ય બે પ્રધાન છે – ડાબો મોહ અને જમણો વિવેક. બંનેનાં લક્ષણ સાવ જુદાં જુદાં છે.
ચિત્તરાજા, તું એમ સમજ. તારે ત્યાં મુખ્ય બે પ્રધાન છે – ડાબો મોહ અને જમણો વિવેક. બંનેનાં લક્ષણ સાવ જુદાં જુદાં છે.
પ્રવૃત્તિ નિવૃત્તિ બેહુ સ્ત્રી તુજ[૨૭ક] તણી, એક એકને સંતતિ ઘણી,
{{Poem2Close}}
કામ ક્રોધ લોભ મોહો મછર, માઇ, ઈરષા મમતા આશા પ્રાઇ. ૨૯૪
{{Block center|'''<poem>પ્રવૃત્તિ નિવૃત્તિ બેહુ સ્ત્રી તુજ[૨૭ક] તણી, એક એકને સંતતિ ઘણી,
કામ ક્રોધ લોભ મોહો મછર, માઇ, ઈરષા મમતા આશા પ્રાઇ. ૨૯૪</poem>'''}}
{{Poem2Open}}
પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને તારી સ્ત્રીઓ છે. દરેકને ઘણાં સંતાન છે. જેમકે, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, માયા (?), ઈર્ષ્યા, મમતા, આશા –
પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને તારી સ્ત્રીઓ છે. દરેકને ઘણાં સંતાન છે. જેમકે, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, માયા (?), ઈર્ષ્યા, મમતા, આશા –
છે ઘણાં પણ કહું છું સંક્ષેપ, એ સઘલો પ્રવૃત્તિ આક્ષેપ,
{{Poem2Close}}
વિવેક વિચાર સંજ્યમ ને શાંત્ય, સાહસ સત્ય સંતોષ અચ્યંત. ૨૯૫
{{Block center|'''<poem>છે ઘણાં પણ કહું છું સંક્ષેપ, એ સઘલો પ્રવૃત્તિ આક્ષેપ,
વિવેક વિચાર સંજ્યમ ને શાંત્ય, સાહસ સત્ય સંતોષ અચ્યંત. ૨૯૫</poem>'''}}
{{Poem2Open}}
– એ ઘણાં છે પણ સંક્ષેપમાં કહું છું – એ બધો પ્રવૃત્તિનો વિસ્તાર છે. વિવેક, વિચાર, સંયમ, શાંતિ, સાહસ (હિંમત, ધૈર્ય), સત્ય, ઘણો સંતોષ –
– એ ઘણાં છે પણ સંક્ષેપમાં કહું છું – એ બધો પ્રવૃત્તિનો વિસ્તાર છે. વિવેક, વિચાર, સંયમ, શાંતિ, સાહસ (હિંમત, ધૈર્ય), સત્ય, ઘણો સંતોષ –
એ આઘે દેઈ છે તાં બહુ, નિવૃત્તિકુટુંબ હું કેટલું કહું,
{{Poem2Close}}
વામ અંગે જો આવે જ્ઞાન, તે સ્થલ્ય તાં છે મોહો પરધાન. ૨૯૬
{{Block center|'''<poem>એ આઘે દેઈ છે તાં બહુ, નિવૃત્તિકુટુંબ હું કેટલું કહું,
વામ અંગે જો આવે જ્ઞાન, તે સ્થલ્ય તાં છે મોહો પરધાન. ૨૯૬</poem>'''}}
{{Poem2Open}}
– વગેરે ઘણાં સંતાનો છે. એ નિવૃત્તિનું કુટુંબ હું કેટલું કહું? જો ડાબે અંગે – ખોટે માર્ગે જ્ઞાન આવે તો ત્યાં મોહ પ્રધાન રહેલો છે એમ સમજવું.
– વગેરે ઘણાં સંતાનો છે. એ નિવૃત્તિનું કુટુંબ હું કેટલું કહું? જો ડાબે અંગે – ખોટે માર્ગે જ્ઞાન આવે તો ત્યાં મોહ પ્રધાન રહેલો છે એમ સમજવું.
સમજૂતી : ‘દાય’ એટલે વારસો પરથી ‘દેઈ’ શબ્દ આ અર્થમાં આવ્યો હશે? કે સં. દેહજ (=સંતાન) પરથી? કે દેશ્ય દઇઅ કે દઇય (રક્ષિત, પાલિત) પરથી?
'''સમજૂતી''' : ‘દાય’ એટલે વારસો પરથી ‘દેઈ’ શબ્દ આ અર્થમાં આવ્યો હશે? કે સં. દેહજ (=સંતાન) પરથી? કે દેશ્ય દઇઅ કે દઇય (રક્ષિત, પાલિત) પરથી?
ત્યાંહાં જ્ઞાન ભોગવે પ્રવૃત્તિ વડે, તે નિવૃત્તિ માંહાં હીંડતો આખડે,
{{Poem2Close}}
ઊપજે જ્ઞાન જે દખ્યણ અંગ્ય, ત્યાંહાં મંત્રી છે વિવેક સુચંગ. ૨૯૭
{{Block center|'''<poem>ત્યાંહાં જ્ઞાન ભોગવે પ્રવૃત્તિ વડે, તે નિવૃત્તિ માંહાં હીંડતો આખડે,
પ્રવૃત્તિની મદદ વડે જે જ્ઞાનને ભોગવે છે તે નિવૃત્તિમાં ગતિ કરી શકતો નથી. જમણા અંગમાં – સાચે માર્ગે જો જ્ઞાન ઉત્પન્ન થાય તો ત્યાં વિવેક સારો મંત્રી છે.
ઊપજે જ્ઞાન જે દખ્યણ અંગ્ય, ત્યાંહાં મંત્રી છે વિવેક સુચંગ. ૨૯૭</poem>'''}}
વિવેક તણી નિવૃત્તિ છે માઇ, તે તાં મારગ લેઇ જાઇ,
{{Poem2Open}}
વિવેક વડે જે છે નિજભોગ, તે શોભે અદભુત અમોઘ. ૨૯૮
પ્રવૃત્તિની મદદ વડે જે જ્ઞાનને ભોગવે છે તે નિવૃત્તિમાં ગતિ કરી શકતો નથી. જમણા અંગમાં – સાચે માર્ગે જો જ્ઞાન ઉત્પન્ન થાય તો ત્યાં વિવેક સારો મંત્રી છે
{{Poem2Close}}.
{{Block center|'''<poem>વિવેક તણી નિવૃત્તિ છે માઇ, તે તાં મારગ લેઇ જાઇ,
વિવેક વડે જે છે નિજભોગ, તે શોભે અદભુત અમોઘ. ૨૯૮</poem>'''}}
{{Poem2Open}}
નિવૃત્તિ વિવેકની મા છે. તે (તેને યોગ્ય) માર્ગે લઈ જાય છે. વિવેક વડે જે આત્માનુભવ થાય છે તે અદ્‌ભુત અને અમોઘ હોય છે.
નિવૃત્તિ વિવેકની મા છે. તે (તેને યોગ્ય) માર્ગે લઈ જાય છે. વિવેક વડે જે આત્માનુભવ થાય છે તે અદ્‌ભુત અને અમોઘ હોય છે.
ચિત્ત કહે એ તું કહે વિચાર, પ્રાપત્તિ માંહાં કાંઈ સાર અસાર,
{{Poem2Close}}
વિચાર કહે એહનું સુણ્ય દ્ર[૨૭ખ]ષ્ટાંત, જ્યમ ખેચર ભૂચર છે બેહુ જંત. ૨૯૯
{{Block center|'''<poem>ચિત્ત કહે એ તું કહે વિચાર, પ્રાપત્તિ માંહાં કાંઈ સાર અસાર,
વિચાર કહે એહનું સુણ્ય દ્ર[૨૭ખ]ષ્ટાંત, જ્યમ ખેચર ભૂચર છે બેહુ જંત. ૨૯૯</poem>'''}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : વિચાર, તું એ કહે કે આ બંને પ્રકારની પ્રાપ્તિમાં શું સાર-અસાર છે? વિચાર કહે : એનું દૃષ્ટાંત સાંભળ. જેમ ખેચર ભૂચર બંને પ્રકારના જીવ હોય છે –
ચિત્ત કહે છે : વિચાર, તું એ કહે કે આ બંને પ્રકારની પ્રાપ્તિમાં શું સાર-અસાર છે? વિચાર કહે : એનું દૃષ્ટાંત સાંભળ. જેમ ખેચર ભૂચર બંને પ્રકારના જીવ હોય છે –
ભૂચરને જો આવે પંખ, પણ ઊડી ન શકે તેહેવો નિઃશંક,
{{Poem2Close}}
ખેચર જેહેવી ગગન ગતિ કરે, ભૂચર તેહેવો ન સંચરે. ૩૦૦
{{Block center|'''<poem>ભૂચરને જો આવે પંખ, પણ ઊડી ન શકે તેહેવો નિઃશંક,
ખેચર જેહેવી ગગન ગતિ કરે, ભૂચર તેહેવો ન સંચરે. ૩૦૦</poem>'''}}
{{Poem2Open}}
ભૂચર (જીવ)ને જો પાંખ આવે તોપણ તે તેટલો ઊડી ન શકે એ વાત નિઃશંક છે. ખેચર (જીવ) જેવી આકાશમાં ગતિ કરી શકે તેવી ગતિ ભૂચર(જીવ) આકાશમાં કરી ન શકે.
ભૂચર (જીવ)ને જો પાંખ આવે તોપણ તે તેટલો ઊડી ન શકે એ વાત નિઃશંક છે. ખેચર (જીવ) જેવી આકાશમાં ગતિ કરી શકે તેવી ગતિ ભૂચર(જીવ) આકાશમાં કરી ન શકે.
ચિત્ત કહે છે જ્યારે ગગન ગત્ય થઈ, ત્યારે ભૂઉપાધિ ભૂ ઉપર્ય રહી,
{{Poem2Close}}
તો ભોગવણી માંહાં શો ભેદ, એ સંશેનો કર્ય ઊછેદ. ૩૦૧
{{Block center|'''<poem>ચિત્ત કહે છે જ્યારે ગગન ગત્ય થઈ, ત્યારે ભૂઉપાધિ ભૂ ઉપર્ય રહી,
તો ભોગવણી માંહાં શો ભેદ, એ સંશેનો કર્ય ઊછેદ. ૩૦૧</poem>'''}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : જ્યારે આકાશમાં ગતિ થઈ ત્યારે પૃથ્વી પર જે ઉપાધિઓ વળગેલી હતી તે પૃથ્વી પર રહી. તો અનુભવમાં ભેદ શો રહ્યો એ સંશયને દૂર કર.
ચિત્ત કહે છે : જ્યારે આકાશમાં ગતિ થઈ ત્યારે પૃથ્વી પર જે ઉપાધિઓ વળગેલી હતી તે પૃથ્વી પર રહી. તો અનુભવમાં ભેદ શો રહ્યો એ સંશયને દૂર કર.
સમજૂતી : આગળની કડીમાં ભૂચરને પાંખ આવે તો પણ એ ખેચરના જેવી ગતિ આકાશમાં ન કરી શકે એમ કહેવામાં આવ્યું હતું તે જોતાં અહીં ચિત્તનો પ્રશ્ન એવો જણાય છે કે અહીં ભૂચરને પાંખ આવતાં તે ગગનમાં ગતિ કરે છે, તેની પૃથ્વી પરની ઉપાધિ (મર્યાદા વગેરે) પૃથ્વી પર જ રહે છે તો પછી એના અને ખેચરના અનુભવમાં શો ભેદ રહે છે?
'''સમજૂતી''' : આગળની કડીમાં ભૂચરને પાંખ આવે તો પણ એ ખેચરના જેવી ગતિ આકાશમાં ન કરી શકે એમ કહેવામાં આવ્યું હતું તે જોતાં અહીં ચિત્તનો પ્રશ્ન એવો જણાય છે કે અહીં ભૂચરને પાંખ આવતાં તે ગગનમાં ગતિ કરે છે, તેની પૃથ્વી પરની ઉપાધિ (મર્યાદા વગેરે) પૃથ્વી પર જ રહે છે તો પછી એના અને ખેચરના અનુભવમાં શો ભેદ રહે છે?
વિચાર કહે જે ભૂ-અધ્યાસ, થૈ ન શકે તે ખરો નિરાસ,
{{Poem2Close}}
ગુરુ વડે પાંખ આવે તે ખરી, તે ઊડે પણ પડે ભૂ ફરી. ૩૦૨
{{Block center|'''<poem>વિચાર કહે જે ભૂ-અધ્યાસ, થૈ ન શકે તે ખરો નિરાસ,
ગુરુ વડે પાંખ આવે તે ખરી, તે ઊડે પણ પડે ભૂ ફરી. ૩૦૨</poem>'''}}
{{Poem2Open}}
વિચાર કહે છે : પૃથ્વી પરના અધ્યાસો જે એને હોય છે તેને ખરેખર દૂર ન કરી શકાય. ગુરુની મદદથી તેને પાંખ આવે ખરી, તે ઊડે પણ ખરો પણ પૃથ્વી પર જ પાછો પડે છે.
વિચાર કહે છે : પૃથ્વી પરના અધ્યાસો જે એને હોય છે તેને ખરેખર દૂર ન કરી શકાય. ગુરુની મદદથી તેને પાંખ આવે ખરી, તે ઊડે પણ ખરો પણ પૃથ્વી પર જ પાછો પડે છે.
પાઠચર્ચા : ૨. ખ ‘ખરો’ને સ્થાને ‘તેહવો’ ઘ ચ છ જ ઝ તેહેવો; ૩. ક આવી. ૪. છ જ ઝ ‘પડે’ને સ્થાને ‘આવે.’
'''પાઠચર્ચા''' : ૨. ખ ‘ખરો’ને સ્થાને ‘તેહવો’ ઘ ચ છ જ ઝ તેહેવો; ૩. ક આવી. ૪. છ જ ઝ ‘પડે’ને સ્થાને ‘આવે.’
સમજૂતી : ભૂચરને પાંખ આવે ત્યારે એ ઊડે તો ખરું પણ આકાશમાં નિરંતરાય ગતિ કરી શકતું નથી. પૃથ્વી પર પાછું પડે છે. કેમકે એના ભૂચર તરીકે અધ્યાસો દૂર થયા હોતા નથી. એ જ રીતે વામજ્ઞાનીને ગુરુની મદદથી જ્ઞાન તો આવે, પણ એના અધ્યાસો દૂર ન થયા હોવાથી અધ્યાત્મમાર્ગે એની ગતિ થતી નથી. અખાજીના દૃષ્ટાંતનો આ મર્મ છે.
'''સમજૂતી''' : ભૂચરને પાંખ આવે ત્યારે એ ઊડે તો ખરું પણ આકાશમાં નિરંતરાય ગતિ કરી શકતું નથી. પૃથ્વી પર પાછું પડે છે. કેમકે એના ભૂચર તરીકે અધ્યાસો દૂર થયા હોતા નથી. એ જ રીતે વામજ્ઞાનીને ગુરુની મદદથી જ્ઞાન તો આવે, પણ એના અધ્યાસો દૂર ન થયા હોવાથી અધ્યાત્મમાર્ગે એની ગતિ થતી નથી. અખાજીના દૃષ્ટાંતનો આ મર્મ છે.
ત્યમ વામજ્ઞાની મોહોદ્વારા તણો, વાતે વિશેષે ચાલે ઘણો,
{{Poem2Close}}
પણ તનમનસુખ તે પ્રવૃત્તિસંગ્ય, નિવૃત્તિ-આકાશ શું નો હોઇ રંગ. ૩૦૩
{{Block center|'''<poem>ત્યમ વામજ્ઞાની મોહોદ્વારા તણો, વાતે વિશેષે ચાલે ઘણો,
પણ તનમનસુખ તે પ્રવૃત્તિસંગ્ય, નિવૃત્તિ-આકાશ શું નો હોઇ રંગ. ૩૦૩</poem>'''}}
{{Poem2Open}}
તેમ મોહને માર્ગે ચાલનાર વામજ્ઞાની (જ્ઞાનીની) વાત તો ઘણી કરે છે, પણ તે પ્રવૃત્તિમય રહીને તનમનનું સુખ ભોગવે છે. નિવૃત્તિરૂપી આકાશ સાથે એને સ્નેહ નથી હોતો.
તેમ મોહને માર્ગે ચાલનાર વામજ્ઞાની (જ્ઞાનીની) વાત તો ઘણી કરે છે, પણ તે પ્રવૃત્તિમય રહીને તનમનનું સુખ ભોગવે છે. નિવૃત્તિરૂપી આકાશ સાથે એને સ્નેહ નથી હોતો.
વિવેક વડે જે છે જ્ઞાન, ચિદાકાશ માંહાં તેહેનું ધ્યાન,
{{Poem2Close}}
વરતણ્ય માત્ર આવે દેહ ભણી, પણ સુરતિ રહે ચિદ માંહાં તે તણી. ૩૦૪
{{Block center|'''<poem>વિવેક વડે જે છે જ્ઞાન, ચિદાકાશ માંહાં તેહેનું ધ્યાન,
વરતણ્ય માત્ર આવે દેહ ભણી, પણ સુરતિ રહે ચિદ માંહાં તે તણી. ૩૦૪</poem>'''}}
{{Poem2Open}}
વિવેકપૂર્વકનું જ્ઞાન જેને છે તેનું ધ્યાન ચૈતન્યરૂપી આકાશમાં હોય છે તેનો માત્ર વ્યવહાર કે વ્યાપાર દેહનો હોય છે પણ તેની વૃત્તિ કે લગની તો ચૈતન્યસ્વરૂપમાં જ હોય છે.
વિવેકપૂર્વકનું જ્ઞાન જેને છે તેનું ધ્યાન ચૈતન્યરૂપી આકાશમાં હોય છે તેનો માત્ર વ્યવહાર કે વ્યાપાર દેહનો હોય છે પણ તેની વૃત્તિ કે લગની તો ચૈતન્યસ્વરૂપમાં જ હોય છે.
સમજૂતી : ચિત્તની પ્રવૃત્તિ-નિવૃત્તિ રાણીઓ અને એનાં મોહ-વિવેક સંતાનો. તે પરથી અખાજી જ્ઞાનીના બે વર્ગ પાડવા સુધી ગયા છે. પ્રવૃત્તિ કે મોહથી પ્રેરાયેલા જ્ઞાનીઓ તે વામજ્ઞાની. એમની પાસે ગુરુ પાસેથી મેળવેલું જ્ઞાન છે, પણ ચિદાકાશમાં એમની ગતિ નથી. એ જ્ઞાનનો ઉપયોગ ખોટે માર્ગે કરે છે. નિવૃત્તિભાવ કે વિવેકયુક્ત જ્ઞાની તે દક્ષિણ જ્ઞાની. તેઓ સંસારમાં રહે છે છતાં એમની વૃત્તિ ચૈતન્યમય-બ્રહ્મમય હોય છે.
'''સમજૂતી''' : ચિત્તની પ્રવૃત્તિ-નિવૃત્તિ રાણીઓ અને એનાં મોહ-વિવેક સંતાનો. તે પરથી અખાજી જ્ઞાનીના બે વર્ગ પાડવા સુધી ગયા છે. પ્રવૃત્તિ કે મોહથી પ્રેરાયેલા જ્ઞાનીઓ તે વામજ્ઞાની. એમની પાસે ગુરુ પાસેથી મેળવેલું જ્ઞાન છે, પણ ચિદાકાશમાં એમની ગતિ નથી. એ જ્ઞાનનો ઉપયોગ ખોટે માર્ગે કરે છે. નિવૃત્તિભાવ કે વિવેકયુક્ત જ્ઞાની તે દક્ષિણ જ્ઞાની. તેઓ સંસારમાં રહે છે છતાં એમની વૃત્તિ ચૈતન્યમય-બ્રહ્મમય હોય છે.
આ સંદર્ભમાં અખાજીના છપ્પાનું દશવિધ જ્ઞાની અંગ જોઈ શકાય. ત્યાં જ્ઞાનીના દસ પ્રકારો છે. શુકજ્ઞાની, જ્ઞાનદગ્ધ, વિતંડજ્ઞાની, જ્ઞાનખળ, નિંદકજ્ઞાની, ભ્રમજ્ઞાની, હઠજ્ઞાની, શઠજ્ઞાની, શૂન્યવાદી અને શુદ્ધજ્ઞાની. એમાં એક બાજુ શુદ્ધ-જ્ઞાની છે ને બીજી બાજુ બાકીના નવ પ્રકારના જ્ઞાનીઓ છે, જે અખાજીને ઇષ્ટ નથી.
આ સંદર્ભમાં અખાજીના છપ્પાનું દશવિધ જ્ઞાની અંગ જોઈ શકાય. ત્યાં જ્ઞાનીના દસ પ્રકારો છે. શુકજ્ઞાની, જ્ઞાનદગ્ધ, વિતંડજ્ઞાની, જ્ઞાનખળ, નિંદકજ્ઞાની, ભ્રમજ્ઞાની, હઠજ્ઞાની, શઠજ્ઞાની, શૂન્યવાદી અને શુદ્ધજ્ઞાની. એમાં એક બાજુ શુદ્ધ-જ્ઞાની છે ને બીજી બાજુ બાકીના નવ પ્રકારના જ્ઞાનીઓ છે, જે અખાજીને ઇષ્ટ નથી.
જ્ઞાનખળ એટલે ખલજ્ઞાનીની વાત અહીં હવે પછી કડી ૩૪૭–૪૯માં થયેલી છે.
જ્ઞાનખળ એટલે ખલજ્ઞાનીની વાત અહીં હવે પછી કડી ૩૪૭–૪૯માં થયેલી છે.
તે માટે દ્વારા માંહાં ફેર, લૂખી દ્રષ્ટ્યે [૨૮ક] ન ટલે અંધેર,
{{Poem2Close}}
મુક્તિ લગી છે એક જ વાટ, પણ વિવેકી ચાલે નિરાટ. ૩૦૫
{{Block center|'''<poem>તે માટે દ્વારા માંહાં ફેર, લૂખી દ્રષ્ટ્યે [૨૮ક] ન ટલે અંધેર,
મુક્તિ લગી છે એક જ વાટ, પણ વિવેકી ચાલે નિરાટ. ૩૦૫</poem>'''}}
{{Poem2Open}}
તેથી ફેર સાધનનો – માર્ગ છે. નિસ્તેજ દૃષ્ટિથી અંધકાર દૂર ન થાય. મુક્તિ સુધીનો એક જ માર્ગ છે. ત્યાં વિવેકી એકલો – સ્વતંત્રપણે ચાલ્યો જાય છે.
તેથી ફેર સાધનનો – માર્ગ છે. નિસ્તેજ દૃષ્ટિથી અંધકાર દૂર ન થાય. મુક્તિ સુધીનો એક જ માર્ગ છે. ત્યાં વિવેકી એકલો – સ્વતંત્રપણે ચાલ્યો જાય છે.
પાઠચર્ચા : ખ ઘ ચ છ જ ઝ અ બ હપ્રમાં ‘ન’ નથી પરંતુ અર્થદૃષ્ટિએ તે પાઠ સંગત નથી.
'''પાઠચર્ચા''' : ખ ઘ ચ છ જ ઝ અ બ હપ્રમાં ‘ન’ નથી પરંતુ અર્થદૃષ્ટિએ તે પાઠ સંગત નથી.
ચિત્ત કહે વિવેક તણું બલ કશું, જ્યમ દીપધામ દીપક માંહાં વસું,
{{Poem2Close}}
તે દીવો માહાતેજ્યે ભલ્યો, ત્યારે ટાલવા કોણ ને સ્યાથો ટલ્યો. ૩૦૬
{{Block center|'''<poem>ચિત્ત કહે વિવેક તણું બલ કશું, જ્યમ દીપધામ દીપક માંહાં વસું,
તે દીવો માહાતેજ્યે ભલ્યો, ત્યારે ટાલવા કોણ ને સ્યાથો ટલ્યો. ૩૦૬</poem>'''}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : વિવેકનું બળ કેટલું? દીવામાં દીવાનો પ્રકાશ રહેલો હોય છે, તે દીવો મહાતેજમાં ભળે ત્યારે શું ટળ્યું અને શામાંથી ટળ્યું? (એટલે કે કશું ટળ્યું નથી.)
ચિત્ત કહે છે : વિવેકનું બળ કેટલું? દીવામાં દીવાનો પ્રકાશ રહેલો હોય છે, તે દીવો મહાતેજમાં ભળે ત્યારે શું ટળ્યું અને શામાંથી ટળ્યું? (એટલે કે કશું ટળ્યું નથી.)
વિચાર કહે ઊંડો સ્થલ એહ, જ્યાંહાં ન મલે દેહી ને દેહ,
{{Poem2Close}}
તેહેવા થકાં ભોગવણી અલગ, દ્રષ્ટાંત વડે સમઝીએ સલગ. ૩૦૭
{{Block center|'''<poem>વિચાર કહે ઊંડો સ્થલ એહ, જ્યાંહાં ન મલે દેહી ને દેહ,
તેહેવા થકાં ભોગવણી અલગ, દ્રષ્ટાંત વડે સમઝીએ સલગ. ૩૦૭</poem>'''}}
{{Poem2Open}}
વિચાર કહે છે : જ્યાં દેહી (આત્મા) અને દેહ (અલગ) ન હોય તે ઊંડા અનુભવનો પ્રદેશ છે. તે એવા હોવાથી (દેહી અને દેહ અલગ ન હોવાથી) એ અનુભવ જુદો હોય છે. એ બંને સંલગ્ન એટલે કે એકરૂપ છે તે આપણે દૃષ્ટાંતથી સમજીએ.
વિચાર કહે છે : જ્યાં દેહી (આત્મા) અને દેહ (અલગ) ન હોય તે ઊંડા અનુભવનો પ્રદેશ છે. તે એવા હોવાથી (દેહી અને દેહ અલગ ન હોવાથી) એ અનુભવ જુદો હોય છે. એ બંને સંલગ્ન એટલે કે એકરૂપ છે તે આપણે દૃષ્ટાંતથી સમજીએ.
જે પારદ ઔષધિ વડે મરે, તે નૈરાશી નીમડ્યે જ સરે,
{{Poem2Close}}
તેહેના પરાક્રમ હોએ અમોઘ, જે અનુભવે તે થાએ અરોગ. ૩૦૮
{{Block center|'''<poem>જે પારદ ઔષધિ વડે મરે, તે નૈરાશી નીમડ્યે જ સરે,
તેહેના પરાક્રમ હોએ અમોઘ, જે અનુભવે તે થાએ અરોગ. ૩૦૮</poem>'''}}
{{Poem2Open}}
જે પારો ઔષધિ (દવા) વડે મરે (અશુદ્ધિરહિત બને) તે અંતે નિરાશી (આશા – આસક્તિરહિત) જ નીવડે. તેનાં પરાક્રમ અમોઘ હોય છે. જે અનુભવે તે રોગ વિનાનું થાય.
જે પારો ઔષધિ (દવા) વડે મરે (અશુદ્ધિરહિત બને) તે અંતે નિરાશી (આશા – આસક્તિરહિત) જ નીવડે. તેનાં પરાક્રમ અમોઘ હોય છે. જે અનુભવે તે રોગ વિનાનું થાય.
સમજૂતી : અહીં વિવેકજ્ઞાની – ખરા જ્ઞાનીની ગતિ બતાવવા પારાનું દૃષ્ટાંત લેવામાં આવ્યું છે. કાચો પારો આરોગ્યને હાનિકારક છે. એ વિષ ગણાય છે, પણ શુદ્ધ પારાના ઘણા ગુણ છે. અશુદ્ધ રૂપે મળી આવતા પારા ઉપર ઘણી ઔષધપ્રક્રિયાઓ કરવામાં આવે છે, જેનાથી પારાનું સ્વરૂપાંતર થાય છે. આ પ્રક્રિયાઓને સંસ્કાર કહેવામાં આવે છે. આવા આઠ કે અઢાર સંસ્કારો – શોધન, બંધન વગેરે વર્ણવાયેલા મળે છે. એમાં એક મારણ સંસ્કાર પણ છે. આ સંસ્કારથી પારાની અશુદ્ધિઓ ગળાય છે. સામાન્ય પારાની ગોળી બનાવવી ઘણી અઘરી છે. એ ગોળી બનાવી શકાય ત્યારે એ બાંધ્યો પારો કહેવાય. આવી ઔષધપ્રક્રિયા પામેલો પારો સંપૂર્ણ શુદ્ધ બને છે ત્યારે એ સિદ્ધ પારો કહેવાય છે. સિદ્ધ પારો પ્રચંડ અગ્નિમાં પણ ટકી શકે છે. આવા પારાનાં ચમત્કારક પરિણામો હોય છે – એ લેવાથી આકાશમાં ઊડી પણ શકાય છે. આ અને પછીની કડીઓમાં પારાના આ સંસ્કારો અને એના ગુણોનો નિર્દેશ છે.
'''સમજૂતી''' : અહીં વિવેકજ્ઞાની – ખરા જ્ઞાનીની ગતિ બતાવવા પારાનું દૃષ્ટાંત લેવામાં આવ્યું છે. કાચો પારો આરોગ્યને હાનિકારક છે. એ વિષ ગણાય છે, પણ શુદ્ધ પારાના ઘણા ગુણ છે. અશુદ્ધ રૂપે મળી આવતા પારા ઉપર ઘણી ઔષધપ્રક્રિયાઓ કરવામાં આવે છે, જેનાથી પારાનું સ્વરૂપાંતર થાય છે. આ પ્રક્રિયાઓને સંસ્કાર કહેવામાં આવે છે. આવા આઠ કે અઢાર સંસ્કારો – શોધન, બંધન વગેરે વર્ણવાયેલા મળે છે. એમાં એક મારણ સંસ્કાર પણ છે. આ સંસ્કારથી પારાની અશુદ્ધિઓ ગળાય છે. સામાન્ય પારાની ગોળી બનાવવી ઘણી અઘરી છે. એ ગોળી બનાવી શકાય ત્યારે એ બાંધ્યો પારો કહેવાય. આવી ઔષધપ્રક્રિયા પામેલો પારો સંપૂર્ણ શુદ્ધ બને છે ત્યારે એ સિદ્ધ પારો કહેવાય છે. સિદ્ધ પારો પ્રચંડ અગ્નિમાં પણ ટકી શકે છે. આવા પારાનાં ચમત્કારક પરિણામો હોય છે – એ લેવાથી આકાશમાં ઊડી પણ શકાય છે. આ અને પછીની કડીઓમાં પારાના આ સંસ્કારો અને એના ગુણોનો નિર્દેશ છે.
ઔષધપ્રક્રિયાથી મરેલા પારાને અહીં ‘નિરાશી’ બનેલો કહેવામાં આવેલ છે. નિરાશી એટલે આશા, અપેક્ષાથી પર. એ વિષેશણ સજીવ વ્યક્તિને લાગે, પારાને નહીં. તેથી અહીં તેનો રૂપકાત્મક અર્થ અભિપ્રેત છે એમ માનવું જોઈએ.
ઔષધપ્રક્રિયાથી મરેલા પારાને અહીં ‘નિરાશી’ બનેલો કહેવામાં આવેલ છે. નિરાશી એટલે આશા, અપેક્ષાથી પર. એ વિષેશણ સજીવ વ્યક્તિને લાગે, પારાને નહીં. તેથી અહીં તેનો રૂપકાત્મક અર્થ અભિપ્રેત છે એમ માનવું જોઈએ.
ગોટયકા કેરી નીપજ્ય થાઇ, તો સ્વર્ગ મૃત્યુ પાતાલે જાઇ,
{{Poem2Close}}
મૂઆ પછી બહુ પરાક્રમ કરે, ત્યમ પ્રગન્યાવંતની સુરતિ સંચરે. ૩૦૯
{{Block center|'''<poem>ગોટયકા કેરી નીપજ્ય થાઇ, તો સ્વર્ગ મૃત્યુ પાતાલે જાઇ,
મૂઆ પછી બહુ પરાક્રમ કરે, ત્યમ પ્રગન્યાવંતની સુરતિ સંચરે. ૩૦૯</poem>'''}}
{{Poem2Open}}
આવી ઔષધપ્રક્રિયાથી પારાની ગોળી બને. પછી એની ગતિ સ્વર્ગ, મૃત્યુ, પાતાલે બધે જ હોય છે. મર્યા પછી એ અનેક કાર્યો કરી શકે છે. આ જ રીતે પ્રજ્ઞાવંતની (જ્ઞાનીની) વૃત્તિ બધે પહોંચે છે.
આવી ઔષધપ્રક્રિયાથી પારાની ગોળી બને. પછી એની ગતિ સ્વર્ગ, મૃત્યુ, પાતાલે બધે જ હોય છે. મર્યા પછી એ અનેક કાર્યો કરી શકે છે. આ જ રીતે પ્રજ્ઞાવંતની (જ્ઞાનીની) વૃત્તિ બધે પહોંચે છે.
સમજૂતી : પ્રક્રિયા કરેલી પારાની ગોળીની સાથે પ્રજ્ઞાવંતને સરખાવેલ છે. એ પારાની ગતિ જેમ અસાધારણ હોય છે તેમ દેહભાવથી પર થયેલી (મરી ગયેલી) અને આશામુક્ત થયેલી જ્ઞાની વ્યક્તિની ગતિ પણ એવી જ હોય છે.
'''સમજૂતી''' : પ્રક્રિયા કરેલી પારાની ગોળીની સાથે પ્રજ્ઞાવંતને સરખાવેલ છે. એ પારાની ગતિ જેમ અસાધારણ હોય છે તેમ દેહભાવથી પર થયેલી (મરી ગયેલી) અને આશામુક્ત થયેલી જ્ઞાની વ્યક્તિની ગતિ પણ એવી જ હોય છે.
તેહ જ પારદ ગંધક વડે થાઇ, તે દીસે નીપનો પણ અંતર્ય મૂરછાઇ,
{{Poem2Close}}
થોભે નહીં અગ્નિને પાસ, કર્યો-કારવ્યો થાએ નાશ. ૩૧૦
{{Block center|'''<poem>તેહ જ પારદ ગંધક વડે થાઇ, તે દીસે નીપનો પણ અંતર્ય મૂરછાઇ,
થોભે નહીં અગ્નિને પાસ, કર્યો-કારવ્યો થાએ નાશ. ૩૧૦</poem>'''}}
{{Poem2Open}}
તે જ પારા ઉપર ગંધકની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કશુંક નીપજતું દેખાય છે પણ તેનું આંતિરક સત્ત્વ નિષ્ક્રિય બની જાય છે. અગ્નિના સ્પર્શથી તે ટકી શકતો નથી. કર્યુંકારવ્યું બધું નાશ થાય છે.
તે જ પારા ઉપર ગંધકની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કશુંક નીપજતું દેખાય છે પણ તેનું આંતિરક સત્ત્વ નિષ્ક્રિય બની જાય છે. અગ્નિના સ્પર્શથી તે ટકી શકતો નથી. કર્યુંકારવ્યું બધું નાશ થાય છે.
સમજૂતી : ગંધક જલદી સળગી ઊઠે એવો પદાર્થ છે. એના સંયોગથી પારો પણ સળગી ઊઠે, અગ્નિ પાસે ટકી ન શકે. જ્વાલામુખીના અગ્નિમાં ગંધક-પારાનું મિશ્રણ હોય છે. અહીં એવી કોઈ પ્રક્રિયા અભિપ્રેત છે જેમાં પારામાં ગંધકનું તત્ત્વ રહે છે. એ પારો પ્રક્રિયા પામેલો છે, પણ એનું આંતરિક સત્ત્વ મૂર્છિત થઈ ગયું હોય છે. વિવેક વગરના જ્ઞાનને આવા પારા સાથે સરખાવે છે. એ જ્ઞાન છે પણ એમાં જ્ઞાનનું ખરું સત્ત્વ નથી.
'''સમજૂતી''' : ગંધક જલદી સળગી ઊઠે એવો પદાર્થ છે. એના સંયોગથી પારો પણ સળગી ઊઠે, અગ્નિ પાસે ટકી ન શકે. જ્વાલામુખીના અગ્નિમાં ગંધક-પારાનું મિશ્રણ હોય છે. અહીં એવી કોઈ પ્રક્રિયા અભિપ્રેત છે જેમાં પારામાં ગંધકનું તત્ત્વ રહે છે. એ પારો પ્રક્રિયા પામેલો છે, પણ એનું આંતરિક સત્ત્વ મૂર્છિત થઈ ગયું હોય છે. વિવેક વગરના જ્ઞાનને આવા પારા સાથે સરખાવે છે. એ જ્ઞાન છે પણ એમાં જ્ઞાનનું ખરું સત્ત્વ નથી.
વિવેક વિના તે[૨૮ખ] એહવું જ્ઞાન, રસ થઈ વરતે નહીં નિદાન,
{{Poem2Close}}
ચિત્ત કહે પરાકાષ્ઠા સૂચવી વાત, જેહેવું હૂંતું તેહવું સાક્ષાત. ૩૧૧
{{Block center|'''<poem>વિવેક વિના તે[૨૮ખ] એહવું જ્ઞાન, રસ થઈ વરતે નહીં નિદાન,
ચિત્ત કહે પરાકાષ્ઠા સૂચવી વાત, જેહેવું હૂંતું તેહવું સાક્ષાત. ૩૧૧</poem>'''}}
{{Poem2Open}}
વિવેક વિનાનું જ્ઞાન આવું હોય છે. તે રસરૂપ થઈને પ્રવર્તતું જ નથી. ચિત્ત કહે છે : છેક સુધીની તેં વાત કહી. એમાં જેવું હતું તેવું પણ સાક્ષાત્‌ રૂપ હતું –
વિવેક વિનાનું જ્ઞાન આવું હોય છે. તે રસરૂપ થઈને પ્રવર્તતું જ નથી. ચિત્ત કહે છે : છેક સુધીની તેં વાત કહી. એમાં જેવું હતું તેવું પણ સાક્ષાત્‌ રૂપ હતું –
સમજૂતી : આમ તો પારો એટલે રસ. પણ અહીં પારાની આગળ વર્ણવાયેલી અનેક ગુણવાળી જે સ્થિતિ તે રસસ્થિતિ એવો સંદર્ભ જણાય છે. વિવેક વિનાનું જ્ઞાન એવી સ્થિતિએ પહોંચી શકતું નથી.
'''સમજૂતી''' : આમ તો પારો એટલે રસ. પણ અહીં પારાની આગળ વર્ણવાયેલી અનેક ગુણવાળી જે સ્થિતિ તે રસસ્થિતિ એવો સંદર્ભ જણાય છે. વિવેક વિનાનું જ્ઞાન એવી સ્થિતિએ પહોંચી શકતું નથી.
પણ રસ થયાનો સ્યો વિશેષ, તેહેનો અધિકો કર્ય વિવેક,
{{Poem2Close}}
વિચાર કહે રસ થયાનું એ એંધાણ, દેહ છતે ટલે દ્વૈતનું ભાન. ૩૧૨
{{Block center|'''<poem>પણ રસ થયાનો સ્યો વિશેષ, તેહેનો અધિકો કર્ય વિવેક,
વિચાર કહે રસ થયાનું એ એંધાણ, દેહ છતે ટલે દ્વૈતનું ભાન. ૩૧૨</poem>'''}}
{{Poem2Open}}
પણ રસ થવામાં શું વિશેષતા છે? તેની વધારે સમજણ આપ. વિચારે કહ્યું : દેહ હોવા છતાં દ્વૈતનું ભાન ન રહે એ રસ થયાનું નિશાન છે.
પણ રસ થવામાં શું વિશેષતા છે? તેની વધારે સમજણ આપ. વિચારે કહ્યું : દેહ હોવા છતાં દ્વૈતનું ભાન ન રહે એ રસ થયાનું નિશાન છે.
સમજૂતી : ત્રીજા ચરણમાં ‘રસ’ શબ્દ રૂપકાત્મક અર્થમાં છે એમ માનવું જોઈએ.
'''સમજૂતી''' : ત્રીજા ચરણમાં ‘રસ’ શબ્દ રૂપકાત્મક અર્થમાં છે એમ માનવું જોઈએ.
દેહારામી તે તાંહાં ન હોઇ, જેહેની સુરતિ ચૈતન્યમે હોઇ,
{{Poem2Close}}
જ્ઞાનભરૂંસે પોષે દેહ, ઊથાનદશાને પામે તેહ. ૩૧૩
{{Block center|'''<poem>દેહારામી તે તાંહાં ન હોઇ, જેહેની સુરતિ ચૈતન્યમે હોઇ,
જ્ઞાનભરૂંસે પોષે દેહ, ઊથાનદશાને પામે તેહ. ૩૧૩</poem>'''}}
{{Poem2Open}}
જેની વૃત્તિ ચૈતન્યમય હેાય છે તે દેહભાવવાળો (દેહસુખ માણનારો) હોતો નથી. જ્ઞાનમાં વિશ્વાસપૂર્વક જે દેહનું પોષણ કરે છે તે ઉન્નતદશાને પામે છે.
જેની વૃત્તિ ચૈતન્યમય હેાય છે તે દેહભાવવાળો (દેહસુખ માણનારો) હોતો નથી. જ્ઞાનમાં વિશ્વાસપૂર્વક જે દેહનું પોષણ કરે છે તે ઉન્નતદશાને પામે છે.
પાઠચર્ચા : ચોથા ચરણમાં ઘણી હપ્ર ‘ન’ કે ‘નવ્ય’ શબ્દ વધારાનો આપે છે, જેનાથી અર્થ ઊલટો જ થઈ જાય છે. અહીં જ્ઞાનમાં વિશ્વાસ ધરાવતી વ્યક્તિનું વર્ણન છે. તેથી એનું દેહના સુખ પ્રત્યે લક્ષ નથી. પણ એ દેહને માત્ર ટકાવી રાખે છે એવું તાત્પર્ય જણાય છે તેથી એવી વ્યક્તિ ઉત્થાનદશાને પામે એવી ઉક્તિ વધારે સાચી જણાય છે.
'''પાઠચર્ચા''' : ચોથા ચરણમાં ઘણી હપ્ર ‘ન’ કે ‘નવ્ય’ શબ્દ વધારાનો આપે છે, જેનાથી અર્થ ઊલટો જ થઈ જાય છે. અહીં જ્ઞાનમાં વિશ્વાસ ધરાવતી વ્યક્તિનું વર્ણન છે. તેથી એનું દેહના સુખ પ્રત્યે લક્ષ નથી. પણ એ દેહને માત્ર ટકાવી રાખે છે એવું તાત્પર્ય જણાય છે તેથી એવી વ્યક્તિ ઉત્થાનદશાને પામે એવી ઉક્તિ વધારે સાચી જણાય છે.
ચિત્ત કહે વાત મૂઆની જીવતે કહી, તે તે હું ક્યમ રાખું સહી,
{{Poem2Close}}
જ્યમ સ્વપ્નસાખ્ય દેવા નહીં કોઈ, એહવું સરખું એ ત્યાંહાં હોઈ. ૩૧૪
{{Block center|'''<poem>ચિત્ત કહે વાત મૂઆની જીવતે કહી, તે તે હું ક્યમ રાખું સહી,
જ્યમ સ્વપ્નસાખ્ય દેવા નહીં કોઈ, એહવું સરખું એ ત્યાંહાં હોઈ. ૩૧૪</poem>'''}}
{{Poem2Open}}
ચિત્ત કહે : (તેં) મૂવાની વાત જીવતાં જ કહી તે હું કેવી રીતે સાચી માનું? જેમ સ્વપ્ન સાક્ષી આપવા કોઈ નથી એના જેવું આ થયું.
ચિત્ત કહે : (તેં) મૂવાની વાત જીવતાં જ કહી તે હું કેવી રીતે સાચી માનું? જેમ સ્વપ્ન સાક્ષી આપવા કોઈ નથી એના જેવું આ થયું.
વિચાર કહે સાંભલ્ય, ચિત્તભૂપ, હું જ્યાંહાં રહ્યો કહું છું તે અનુપ,
{{Poem2Close}}
જે મુજપણું રાખી બોલું હું, તો તો કહેજે જીવતો તું. ૩૧૫
{{Block center|'''<poem>વિચાર કહે સાંભલ્ય, ચિત્તભૂપ, હું જ્યાંહાં રહ્યો કહું છું તે અનુપ,
જે મુજપણું રાખી બોલું હું, તો તો કહેજે જીવતો તું. ૩૧૫</poem>'''}}
{{Poem2Open}}
વિચાર કહે છે : ચિત્ત રાજા સાંભળ, હું જ્યાં રહીને કહું છું તે સ્થિતિ અનુ૫મ છે. મારાપણું રાખીને હું બોલું તો તું મને જીવતો કહેજે.
વિચાર કહે છે : ચિત્ત રાજા સાંભળ, હું જ્યાં રહીને કહું છું તે સ્થિતિ અનુ૫મ છે. મારાપણું રાખીને હું બોલું તો તું મને જીવતો કહેજે.
સમજૂતી : જીવતા છતાં મૃત્યુ પછીની વાત કેમ કરે છે તેવો પ્રશ્ન ચિત્તે કરેલો તેના જવાબમાં વિચારનો ખુલાસો ૩૧૭મી કડી સુધી ચાલે છે. તે પૂરતો સ્પષ્ટ નથી. પણ આવું સમજાય છે : વિચાર ‘મુજપણું’ રાખીને, સંસારી જીવતાપણાથી બોલતો નથી, પંડ-બ્રહ્માંડની પરની સ્થિતિથી બોલે છે. એટલે કે વ્યવહારદૃષ્ટિથી નહીં, તત્ત્વદૃષ્ટિથી બોલે છે.
'''સમજૂતી''' : જીવતા છતાં મૃત્યુ પછીની વાત કેમ કરે છે તેવો પ્રશ્ન ચિત્તે કરેલો તેના જવાબમાં વિચારનો ખુલાસો ૩૧૭મી કડી સુધી ચાલે છે. તે પૂરતો સ્પષ્ટ નથી. પણ આવું સમજાય છે : વિચાર ‘મુજપણું’ રાખીને, સંસારી જીવતાપણાથી બોલતો નથી, પંડ-બ્રહ્માંડની પરની સ્થિતિથી બોલે છે. એટલે કે વ્યવહારદૃષ્ટિથી નહીં, તત્ત્વદૃષ્ટિથી બોલે છે.
પંડ્ય બ્રહ્માંડ પહરેરી રહેણ, ત્યાંહાં રહ્યો બોલું હું વેણ,
{{Poem2Close}}
પડછંદાની જાણે પઠ્ય, જાણીજે બોલે છે[૨લ્ક] હઠ્ય. ૩૧૬
{{Block center|'''<poem>પંડ્ય બ્રહ્માંડ પહરેરી રહેણ, ત્યાંહાં રહ્યો બોલું હું વેણ,
પડછંદાની જાણે પઠ્ય, જાણીજે બોલે છે[૨લ્ક] હઠ્ય. ૩૧૬</poem>'''}}
{{Poem2Open}}
પિંડ અને બ્રહ્માંડથી પારની જે સ્થિતિ છે તેમાં રહીને હું વચન બોલું છું. જાણે કોઈ પડઘાની જેમ હઠપૂર્વક બોલે છે એમ સમજજે.
પિંડ અને બ્રહ્માંડથી પારની જે સ્થિતિ છે તેમાં રહીને હું વચન બોલું છું. જાણે કોઈ પડઘાની જેમ હઠપૂર્વક બોલે છે એમ સમજજે.
પાઠચર્ચા : પહેલા ચરણમાં ક હપ્ર ‘પહેરેરી’ પાઠ આપે છે તે લેખનદોષ હોવાનો સંભવ છે. પરુંપહરું + એર + ઇ એ રીતે ‘પહરેરી’ આવે. આથી એ પાઠ સ્વાભાવિક માન્યો છે. ‘પરહરી’ જેવા પાઠ સમજફેરથી થયેલા લાગે છે.
'''પાઠચર્ચા''' : પહેલા ચરણમાં ક હપ્ર ‘પહેરેરી’ પાઠ આપે છે તે લેખનદોષ હોવાનો સંભવ છે. પરુંપહરું + એર + ઇ એ રીતે ‘પહરેરી’ આવે. આથી એ પાઠ સ્વાભાવિક માન્યો છે. ‘પરહરી’ જેવા પાઠ સમજફેરથી થયેલા લાગે છે.
પણ ત્યાંહાં બોલેવા સરખું નથી, એ તો તુજ ઉદ્દેશે વાણી કથી,
{{Poem2Close}}
ચિત્ત કહે જ્યાંહાં હોએ આકાશ, ત્યાંહાંથો હોએ શબ્દપ્રકાશ. ૩૧૭
{{Block center|'''<poem>પણ ત્યાંહાં બોલેવા સરખું નથી, એ તો તુજ ઉદ્દેશે વાણી કથી,
ચિત્ત કહે જ્યાંહાં હોએ આકાશ, ત્યાંહાંથો હોએ શબ્દપ્રકાશ. ૩૧૭</poem>'''}}
{{Poem2Open}}
પણ ત્યાં બોલવાપણું નથી હોતું. એ તો તારે માટે જ વાણી રૂપે કહ્યું. ચિત્ત કહે છે : આકાશ હોય ત્યાં શબ્દ ઉત્પન્ન થાય.
પણ ત્યાં બોલવાપણું નથી હોતું. એ તો તારે માટે જ વાણી રૂપે કહ્યું. ચિત્ત કહે છે : આકાશ હોય ત્યાં શબ્દ ઉત્પન્ન થાય.
તે માટે ઊઠે છે ઘોષ, પણ તું છે ત્યાંહાં તે સ્યો છે મોક્ષ,
{{Poem2Close}}
વિચાર કહે જ્યાંહાં ન હોઇ આકાશ, ત્યાંહાં શબ્દે ન હોઇ ને ન હોઇ સમાસ. ૩૧૮
{{Block center|'''<poem>તે માટે ઊઠે છે ઘોષ, પણ તું છે ત્યાંહાં તે સ્યો છે મોક્ષ,
વિચાર કહે જ્યાંહાં ન હોઇ આકાશ, ત્યાંહાં શબ્દે ન હોઇ ને ન હોઇ સમાસ. ૩૧૮</poem>'''}}
{{Poem2Open}}
આકાશને કારણે ધ્વનિ ઊઠે છે. પણ તું જ્યાં છે ત્યાં કેવા પ્રકારની મોક્ષની સ્થિતિ છે? વિચાર કહે છે : જ્યાં આકાશ ન હોય ત્યાં શબ્દ (ધ્વનિ) પણ ન હોય અને કશાનો સમાવેશ પણ ન હોય.
આકાશને કારણે ધ્વનિ ઊઠે છે. પણ તું જ્યાં છે ત્યાં કેવા પ્રકારની મોક્ષની સ્થિતિ છે? વિચાર કહે છે : જ્યાં આકાશ ન હોય ત્યાં શબ્દ (ધ્વનિ) પણ ન હોય અને કશાનો સમાવેશ પણ ન હોય.
સમજૂતી : ‘સમાસ’ શબ્દ અહીં ‘સમાવેશ’ના અર્થમાં હોવાનું સમજાય છે, કેમકે આકાશ – અવકાશ હોય તો કશુંક ભરી શકાય છે. આકાશ Container છે. અખાના નીચેના છપ્પામાં પણ આ શબ્દ આ અર્થમાં જ યોજાયેલો છે :
'''સમજૂતી''' : ‘સમાસ’ શબ્દ અહીં ‘સમાવેશ’ના અર્થમાં હોવાનું સમજાય છે, કેમકે આકાશ – અવકાશ હોય તો કશુંક ભરી શકાય છે. આકાશ Container છે. અખાના નીચેના છપ્પામાં પણ આ શબ્દ આ અર્થમાં જ યોજાયેલો છે :
અખા એ તાં ચિદઆકાશ, પણ પ્રાયે શબ્દનો નોહે સમાસ. ૩૧૭
{{Poem2Close}}
{{Block center|'''<poem>અખા એ તાં ચિદઆકાશ, પણ પ્રાયે શબ્દનો નોહે સમાસ. ૩૧૭
માંહેબહાર ન જાયે કહ્યો, બાંધ્યોરૂંધ્યો પોતે લહ્યો.
માંહેબહાર ન જાયે કહ્યો, બાંધ્યોરૂંધ્યો પોતે લહ્યો.
સહેજે સહેજ ફૂલ્યું આકાશ, ઊપજે સાથે અખા સમાસ.
સહેજે સહેજ ફૂલ્યું આકાશ, ઊપજે સાથે અખા સમાસ.
આગળ સગુણ નીપજતું જાય, પાછળ નિર્ગુણ થૈ ઔલે ભૂંસાય. ૫૧૫
આગળ સગુણ નીપજતું જાય, પાછળ નિર્ગુણ થૈ ઔલે ભૂંસાય. ૫૧૫</poem>'''}}
{{Poem2Open}}
૫૧૫મા છપ્પામાં સમાઈ જવું, વિલીન થઈ જવું એવી છાયા પણ છે પણ મૂળભૂત રીતે એ ‘સમાવેશ’નો અર્થ છે.
૫૧૫મા છપ્પામાં સમાઈ જવું, વિલીન થઈ જવું એવી છાયા પણ છે પણ મૂળભૂત રીતે એ ‘સમાવેશ’નો અર્થ છે.
વિચાર બ્રહ્મભાવની સ્થિતિએ – મોક્ષની સ્થિતિએ રહીને બોલે છે તેથી ચિત્ત પૂછે છે કે આ તારો કયા પ્રકારનો મોક્ષ છે? એમાં બોલવાનું કેમ રહ્યું છે? આકાશ હોય ત્યાં જ શબ્દ અને અન્ય પદાર્થોના સમાવેશને સ્થાન હોય, વિચાર જવાબમાં એમ કહે છે કે મોક્ષની સ્થિતિમાં આકાશ નથી અને આકાશ ન હોય ત્યાં શબ્દ અને અન્ય પદાર્થોના સમાવેશને સ્થાન ન હોય. એમ, હું બોલું છું ત્યારે પણ મારા લક્ષમાં છે.
વિચાર બ્રહ્મભાવની સ્થિતિએ – મોક્ષની સ્થિતિએ રહીને બોલે છે તેથી ચિત્ત પૂછે છે કે આ તારો કયા પ્રકારનો મોક્ષ છે? એમાં બોલવાનું કેમ રહ્યું છે? આકાશ હોય ત્યાં જ શબ્દ અને અન્ય પદાર્થોના સમાવેશને સ્થાન હોય, વિચાર જવાબમાં એમ કહે છે કે મોક્ષની સ્થિતિમાં આકાશ નથી અને આકાશ ન હોય ત્યાં શબ્દ અને અન્ય પદાર્થોના સમાવેશને સ્થાન ન હોય. એમ, હું બોલું છું ત્યારે પણ મારા લક્ષમાં છે.
અખાજીની વિચારણા આ રીતે ગોઠવી શકાય છે, છતાં અભિવ્યક્તિ પૂરતી વિશદ નથી એ સ્વીકારવું જોઈએ.
અખાજીની વિચારણા આ રીતે ગોઠવી શકાય છે, છતાં અભિવ્યક્તિ પૂરતી વિશદ નથી એ સ્વીકારવું જોઈએ.
બોલતાં થકાં એહેવો મુજ લક્ષ, જોવાએ તો જો માહારી ચક્ષ,
{{Poem2Close}}
મુજ જોતાં એહવું છે સદા, તે થઈ વરતે જાએ દધા. ૩૧૯
{{Block center|'''<poem>બોલતાં થકાં એહેવો મુજ લક્ષ, જોવાએ તો જો માહારી ચક્ષ,
મુજ જોતાં એહવું છે સદા, તે થઈ વરતે જાએ દધા. ૩૧૯</poem>'''}}
{{Poem2Open}}
હું બોલું છું તોપણ મારું લક્ષ આવું છે. મારી દૃષ્ટિએ તારાથી જોવાય તો જો. મારી દૃષ્ટિએ તો આ સ્થિતિ જ છે. એમ થઈને વર્તવાથી પીડા જાય છે.
હું બોલું છું તોપણ મારું લક્ષ આવું છે. મારી દૃષ્ટિએ તારાથી જોવાય તો જો. મારી દૃષ્ટિએ તો આ સ્થિતિ જ છે. એમ થઈને વર્તવાથી પીડા જાય છે.
ચિત્ત કહે તે થઈ વરત્યાની કેહી પેર્ય, પંડ્ય સહિત એકપણું કર્ય ધેર્ય,
{{Poem2Close}}
વિચાર કહે સાંભલ્ય ચિત્તરાઇ, જ્યમ અપત્ય પિતાને ખંધ્યે ચઢ્યું જાઇ. ૩૨૦  
{{Block center|'''<poem>ચિત્ત કહે તે થઈ વરત્યાની કેહી પેર્ય, પંડ્ય સહિત એકપણું કર્ય ધેર્ય,
વિચાર કહે સાંભલ્ય ચિત્તરાઇ, જ્યમ અપત્ય પિતાને ખંધ્યે ચઢ્યું જાઇ. ૩૨૦</poem>'''}}
ચિત્ત કહે છે : એમ થઈને વર્તવાની કઈ રીત છે? કેમકે મૂળથી જ શરીર સાથે આપણું એકપણું હોય છે. વિચાર કહે : ચિત્ત, સાંભળ, જેમ સંતાન પિતાના ખભા પર ચઢીને જાય છે –
ચિત્ત કહે છે : એમ થઈને વર્તવાની કઈ રીત છે? કેમકે મૂળથી જ શરીર સાથે આપણું એકપણું હોય છે. વિચાર કહે : ચિત્ત, સાંભળ, જેમ સંતાન પિતાના ખભા પર ચઢીને જાય છે –
તેહેને પૂછવી ન પડે વાટ અવાટ, થાકે નહીં ન કરે અટાટ્ય,
{{Block center|'''<poem>તેહેને પૂછવી ન પડે વાટ અવાટ, થાકે નહીં ન કરે અટાટ્ય,
જોગખેમ પિતા કરે પેર્યે, જાગે ઊંઘે ૫ણ ઘેર્યનું ઘેર્ય. ૩૨૧
જોગખેમ પિતા કરે પેર્યે, જાગે ઊંઘે ૫ણ ઘેર્યનું ઘેર્ય. ૩૨૧</poem>'''}}
{{Poem2Open}}
તેને રસ્તો છે કે રસ્તો નથી એમ પૂછવું પડતું નથી, તે થાકતો નથી. તેને નકામો શ્રમ થતો નથી. પિતા તેના પાલનપોષણની ગોઠવણ કરે છે. તે જાગે અથવા ઊંઘી જાય પણ ઘેર ને ઘેર જ (ત્યાંનો ત્યાં, જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં) રહે છે.
તેને રસ્તો છે કે રસ્તો નથી એમ પૂછવું પડતું નથી, તે થાકતો નથી. તેને નકામો શ્રમ થતો નથી. પિતા તેના પાલનપોષણની ગોઠવણ કરે છે. તે જાગે અથવા ઊંઘી જાય પણ ઘેર ને ઘેર જ (ત્યાંનો ત્યાં, જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં) રહે છે.
પાઠચર્ચા : ત્રીજા ચરણમાં ખ હપ્ર ‘પેર્યે’ પહેલાં ‘રુડિ’ આપે છે તે અર્થદૃષ્ટિએ ઉપકારક છે પણ તેને અન્ય હપ્રનો ટેકો નથી.
'''પાઠચર્ચા''' : ત્રીજા ચરણમાં ખ હપ્ર ‘પેર્યે’ પહેલાં ‘રુડિ’ આપે છે તે અર્થદૃષ્ટિએ ઉપકારક છે પણ તેને અન્ય હપ્રનો ટેકો નથી.
સમજૂતી : ‘પેર્યે’ શબ્દનો અન્વય અને અર્થ કેમ કરવો એ પ્રશ્ન થાય એવું છે. તેને ક્રિયાવિશેષણ ગણીએ તો ‘વિવિધ પ્રકારે યોગક્ષેમ કરે છે’ એવો અર્થ થાય. ખ હપ્રના ‘રુડિપેર્યે’ પાઠમાં આ અન્વય સ્પષ્ટ રીતે ઊઘડી આવે છે પણ એ પાઠને અન્યત્રથી ટેકો નથી. ‘પેર્યે’ શબ્દ મધ્યકાળમાં તૈયારી, જોગવાઈ, ગોઠવણ એવા અર્થમાં પણ છે. ‘મોસાળાની પેર કરો’ એમ કહેવાય. અહીં એ શબ્દ એ રીતે આવ્યો હોવાની વધુ સંભાવના છે. તેથી ‘યોગક્ષેમની પેર કરે છે’ એવો અન્વય કલ્પ્યો છે.
'''સમજૂતી''' : ‘પેર્યે’ શબ્દનો અન્વય અને અર્થ કેમ કરવો એ પ્રશ્ન થાય એવું છે. તેને ક્રિયાવિશેષણ ગણીએ તો ‘વિવિધ પ્રકારે યોગક્ષેમ કરે છે’ એવો અર્થ થાય. ખ હપ્રના ‘રુડિપેર્યે’ પાઠમાં આ અન્વય સ્પષ્ટ રીતે ઊઘડી આવે છે પણ એ પાઠને અન્યત્રથી ટેકો નથી. ‘પેર્યે’ શબ્દ મધ્યકાળમાં તૈયારી, જોગવાઈ, ગોઠવણ એવા અર્થમાં પણ છે. ‘મોસાળાની પેર કરો’ એમ કહેવાય. અહીં એ શબ્દ એ રીતે આવ્યો હોવાની વધુ સંભાવના છે. તેથી ‘યોગક્ષેમની પેર કરે છે’ એવો અન્વય કલ્પ્યો છે.
દેશકાલ તાં તેહેને નહીં, પિતા વરતણે વર[૨૯ખ]તણ્ય સહી,
{{Poem2Close}}
પર્વત ચઢે કે જાએ પાતાલ, પણ રંચ આયાસ ન પામે બાલ. ૩૨૨
{{Block center|'''<poem>દેશકાલ તાં તેહેને નહીં, પિતા વરતણે વર[૨૯ખ]તણ્ય સહી,
પર્વત ચઢે કે જાએ પાતાલ, પણ રંચ આયાસ ન પામે બાલ. ૩૨૨</poem>'''}}
{{Poem2Open}}
દેશ અને કાળ(નું ભાન) તેને હોતા નથી. પિતા જેમ વર્તે તેમ જ તે વર્તે છે. (તે પિતા) પર્વત પર ચઢે કે પાતાળમાં જાય પણ બાળક સહેજ પણ શ્રમ પામતું નથી.
દેશ અને કાળ(નું ભાન) તેને હોતા નથી. પિતા જેમ વર્તે તેમ જ તે વર્તે છે. (તે પિતા) પર્વત પર ચઢે કે પાતાળમાં જાય પણ બાળક સહેજ પણ શ્રમ પામતું નથી.
એમ વસ્તુ વિષે દીઠું આપ, તેહેને નથી વચન-આલાપ,
{{Poem2Close}}
અસંભાવના તેહેને નહીં, જેણે એહવી ગૂઢ ગત્ય ગ્રહી. ૩૨૩
{{Block center|'''<poem>એમ વસ્તુ વિષે દીઠું આપ, તેહેને નથી વચન-આલાપ,
અસંભાવના તેહેને નહીં, જેણે એહવી ગૂઢ ગત્ય ગ્રહી. ૩૨૩</poem>'''}}
{{Poem2Open}}
એવી રીતે બ્રહ્મમાં આત્મસ્વરૂપને જોયું તેને વચન બોલવાપણું રહેતું નથી. જેણે એવી ગૂઢ ગતિ ગ્રહણ કરી છે, તેને અસંભાવના પણ હોતી નથી.
એવી રીતે બ્રહ્મમાં આત્મસ્વરૂપને જોયું તેને વચન બોલવાપણું રહેતું નથી. જેણે એવી ગૂઢ ગતિ ગ્રહણ કરી છે, તેને અસંભાવના પણ હોતી નથી.
ચિત્ત કહે એ તો ગત્ય ગૂઢ, પણ તુજ વિના હું જેહેવો મૂઢ,
{{Poem2Close}}
જ્યમ તું દેખાડે વાટ, ત્યમ હું ચાલ્યો જાઉં નિરાટ. ૩૨૪
{{Block center|'''<poem>ચિત્ત કહે એ તો ગત્ય ગૂઢ, પણ તુજ વિના હું જેહેવો મૂઢ,
જ્યમ તું દેખાડે વાટ, ત્યમ હું ચાલ્યો જાઉં નિરાટ. ૩૨૪</poem>'''}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : એ ગતિ તો ગૂઢ છે. પણ તારા વિના હું મૂઢ જેવો છું. હવે તું જેમ રસ્તો બતાવે તેમ હું એકલો – સ્વતંત્રપણે ચાલ્યો જાઉં.
ચિત્ત કહે છે : એ ગતિ તો ગૂઢ છે. પણ તારા વિના હું મૂઢ જેવો છું. હવે તું જેમ રસ્તો બતાવે તેમ હું એકલો – સ્વતંત્રપણે ચાલ્યો જાઉં.
જોને દેહ તાં વલગો સરખો મુને, દેહને ઇંદ્રી વલગા કેહેને,
{{Poem2Close}}
કે ઇંદ્રીને વલગા સર્વ વિષે, તે તાં ન રહે કીધા પખે. ૩૨૫
{{Block center|'''<poem>જોને દેહ તાં વલગો સરખો મુને, દેહને ઇંદ્રી વલગા કેહેને,
કે ઇંદ્રીને વલગા સર્વ વિષે, તે તાં ન રહે કીધા પખે. ૩૨૫</poem>'''}}
{{Poem2Open}}
(તું) જોને, દેહ ત્યાં મને વળગેલો જ છે. દેહને ઇન્દ્રિય વળગેલી છે. ઇન્દ્રિયને બધા વિષયો વળગેલા છે. તે (ઇન્દ્રિયો કે ઇન્દ્રિયોને વળગેલા વિષયો) કંઈ કર્યા વિના રહેતા નથી. (=પ્રવૃત્ત થયા વિના રહેતા નથી.)
(તું) જોને, દેહ ત્યાં મને વળગેલો જ છે. દેહને ઇન્દ્રિય વળગેલી છે. ઇન્દ્રિયને બધા વિષયો વળગેલા છે. તે (ઇન્દ્રિયો કે ઇન્દ્રિયોને વળગેલા વિષયો) કંઈ કર્યા વિના રહેતા નથી. (=પ્રવૃત્ત થયા વિના રહેતા નથી.)
કરતાં પડે શબ્દનો માર, હવે તેહેનો શો કરવો પ્રતીકાર,
{{Poem2Close}}
વિચાર કહે સાંભલ્ય તું ચિત્ત, સત્ય વરતાવે ત્યમ તું વર્ત્ય. ૩૨૬
{{Block center|'''<poem>કરતાં પડે શબ્દનો માર, હવે તેહેનો શો કરવો પ્રતીકાર,
વિચાર કહે સાંભલ્ય તું ચિત્ત, સત્ય વરતાવે ત્યમ તું વર્ત્ય. ૩૨૬</poem>'''}}
{{Poem2Open}}
એ પ્રવૃત્ત થતાં મને શબ્દનો માર પડે છે. (મારે ઉપદેશવચનો સાંભળવાં પડે છે.) હવે તેનો ઉપાય કઈ રીતે કરવો? વિચાર કહે છે : ચિત્ત તું સાંભળ. સત્ય જેમ વર્તન કરાવે તેમ તું વર્તન કર.
એ પ્રવૃત્ત થતાં મને શબ્દનો માર પડે છે. (મારે ઉપદેશવચનો સાંભળવાં પડે છે.) હવે તેનો ઉપાય કઈ રીતે કરવો? વિચાર કહે છે : ચિત્ત તું સાંભળ. સત્ય જેમ વર્તન કરાવે તેમ તું વર્તન કર.
પાઠચર્ચા : પહેલા ચરણમાં ‘કરતાં પડે’ને સ્થાને ઘણી હપ્ર ‘અનેક રીતે’ પાઠ આપે છે, પરંતુ સ્વીકારેલા પાઠની જેમ આ પાઠ પણ અસ્પષ્ટ રહે છે. સ્વીકારેલા પાઠને આગળની કડીના અર્થ સાથે સંબંધ છે.
'''પાઠચર્ચા''' : પહેલા ચરણમાં ‘કરતાં પડે’ને સ્થાને ઘણી હપ્ર ‘અનેક રીતે’ પાઠ આપે છે, પરંતુ સ્વીકારેલા પાઠની જેમ આ પાઠ પણ અસ્પષ્ટ રહે છે. સ્વીકારેલા પાઠને આગળની કડીના અર્થ સાથે સંબંધ છે.
સમજૂતી : પહેલા ચરણમાં શબ્દનો માર પડવાની વાત છે તેમ ૩૫૭મી કડીમાં ‘મુજને શબ્દે મારે સહુ’ એવી ઉક્તિ મળે છે તે પરથી ‘શબ્દ’ એટલે ઉપદેશવચન એમ અભિપ્રેત હોવાનું સમજાય છે. ‘શબ્દ’ આપણી સંતવાણીમાં ‘ગુરુના (વચન) શબ્દ’ તરીકે ઘણીવાર વપરાય છે. આમ છતાં આ વાત અખાજીના વિચારપ્રવાહમાં સુંદર રીતે ગોઠવાતી નથી.
'''સમજૂતી''' : પહેલા ચરણમાં શબ્દનો માર પડવાની વાત છે તેમ ૩૫૭મી કડીમાં ‘મુજને શબ્દે મારે સહુ’ એવી ઉક્તિ મળે છે તે પરથી ‘શબ્દ’ એટલે ઉપદેશવચન એમ અભિપ્રેત હોવાનું સમજાય છે. ‘શબ્દ’ આપણી સંતવાણીમાં ‘ગુરુના (વચન) શબ્દ’ તરીકે ઘણીવાર વપરાય છે. આમ છતાં આ વાત અખાજીના વિચારપ્રવાહમાં સુંદર રીતે ગોઠવાતી નથી.
સત્ય દેખાડે સૂધી વાટ, સત્ય વિના તે ન પામે ઘાટ,
{{Poem2Close}}
સત્ય આગુઓ આગલ્ય કરે, અને તે પૂઠ્યે જો તું સંચરે. ૩૨૭
{{Block center|'''<poem>સત્ય દેખાડે સૂધી વાટ, સત્ય વિના તે ન પામે ઘાટ,
સત્ય આગુઓ આગલ્ય કરે, અને તે પૂઠ્યે જો તું સંચરે. ૩૨૭</poem>'''}}
{{Poem2Open}}
સત્ય સીધો રસ્તો બતાવે છે. સત્ય વિના કશું ઘાટ પામતું નથી. જો તું સત્યની પાછળ જાય તો આગળ ચાલતું સત્ય તને આગળ લઈ જશે.
સત્ય સીધો રસ્તો બતાવે છે. સત્ય વિના કશું ઘાટ પામતું નથી. જો તું સત્યની પાછળ જાય તો આગળ ચાલતું સત્ય તને આગળ લઈ જશે.
પ્રવૃત્તિ નિવૃત્તિ ભોગવે સત્ય વડે, તો કહીંએ ભૂલો[૩૦ક] નવ્ય પડે,
{{Poem2Close}}
સત્ય ખોહ્યું તેણે ખોહ્યું સર્વ, જ્ઞાન કથી રખે આણો ગર્વ. ૩૨૮
{{Block center|'''<poem>પ્રવૃત્તિ નિવૃત્તિ ભોગવે સત્ય વડે, તો કહીંએ ભૂલો[૩૦ક] નવ્ય પડે,
સત્ય ખોહ્યું તેણે ખોહ્યું સર્વ, જ્ઞાન કથી રખે આણો ગર્વ. ૩૨૮</poem>'''}}
{{Poem2Open}}
પ્રવૃત્તિ અને નિવૃત્તિ સત્ય વડે ભોગવે તો તું ક્યાંય ભૂલો ન પડે. જેણે સત્ય ખોયું તેણે બધું ખોયું. જ્ઞાનની વાત કહીને ગર્વ કરીશ નહીં.
પ્રવૃત્તિ અને નિવૃત્તિ સત્ય વડે ભોગવે તો તું ક્યાંય ભૂલો ન પડે. જેણે સત્ય ખોયું તેણે બધું ખોયું. જ્ઞાનની વાત કહીને ગર્વ કરીશ નહીં.
ચિત્ત કહે જ્ઞાન ત્યાંહાં સત્યનું શું કામ, શું ઉત્તર દેવો છે હરિરાજાન,
{{Poem2Close}}
વિચાર કહે રખે એ નિદ્રાએ સૂએ, કાં ધમ્યુંધૂપ્યું વાએ ખૂએ. ૩૨૯
{{Block center|'''<poem>ચિત્ત કહે જ્ઞાન ત્યાંહાં સત્યનું શું કામ, શું ઉત્તર દેવો છે હરિરાજાન,
વિચાર કહે રખે એ નિદ્રાએ સૂએ, કાં ધમ્યુંધૂપ્યું વાએ ખૂએ. ૩૨૯</poem>'''}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : જ્ઞાન હોય ત્યાં સત્યનું શું કામ છે? હરિરાજા (બ્રહ્મરૂપી રાજા)ને શું જવાબ આપવાનો છે? વિચાર કહે છે : જોજે, એવી નિદ્રામાં સૂઈ જતો! શ્રમથી મેળવેલું શા માટે સહેજમાં ગુમાવે છે?
ચિત્ત કહે છે : જ્ઞાન હોય ત્યાં સત્યનું શું કામ છે? હરિરાજા (બ્રહ્મરૂપી રાજા)ને શું જવાબ આપવાનો છે? વિચાર કહે છે : જોજે, એવી નિદ્રામાં સૂઈ જતો! શ્રમથી મેળવેલું શા માટે સહેજમાં ગુમાવે છે?
સમજૂતી : અહીં ‘હરિરાજાન’ શબ્દ છે તે સંદર્ભમાં જુઓ છપ્પાની નીચેની પંક્તિ :
'''સમજૂતી''' : અહીં ‘હરિરાજાન’ શબ્દ છે તે સંદર્ભમાં જુઓ છપ્પાની નીચેની પંક્તિ :
દર્પણ તો મુખસુખને ગ્રહે, પણ પ્રતિબિંબ તે ક્યમ બિંબને લહે?
{{Poem2Close}}
આદર્શ સ્થાને જે નામરૂપ, અખા તે શું લહે સત્ય હરિભૂપ?
{{Block center|'''<poem>દર્પણ તો મુખસુખને ગ્રહે, પણ પ્રતિબિંબ તે ક્યમ બિંબને લહે?
આદર્શ સ્થાને જે નામરૂપ, અખા તે શું લહે સત્ય હરિભૂપ?</poem>'''}}
{{Poem2Open}}
આમાં ‘હરિભૂપ’ને સત્ય (સત્યસ્વરૂપ) કહ્યાં છે તે પણ નોંધપાત્ર છે તો અહીં ‘ચિત્તવિચારસંવાદ’માં પણ ‘હરિરાજાન’ એટલે સત્યસ્વરૂપ હરિરાજા અભિપ્રેત હોઈ શકે.
આમાં ‘હરિભૂપ’ને સત્ય (સત્યસ્વરૂપ) કહ્યાં છે તે પણ નોંધપાત્ર છે તો અહીં ‘ચિત્તવિચારસંવાદ’માં પણ ‘હરિરાજાન’ એટલે સત્યસ્વરૂપ હરિરાજા અભિપ્રેત હોઈ શકે.
‘ધમ્યુંધૂપ્યું’ એટલે ધમણથી તપાવેલું. વાયુથી એ ઠંડું પડી જાય. આ કહેવતરૂપ પ્રયોગ છે અને અખાજીમાં અન્યત્ર પણ પ્રયોજાયેલ છે :
‘ધમ્યુંધૂપ્યું’ એટલે ધમણથી તપાવેલું. વાયુથી એ ઠંડું પડી જાય. આ કહેવતરૂપ પ્રયોગ છે અને અખાજીમાં અન્યત્ર પણ પ્રયોજાયેલ છે :
દેહનું કૃત્ય તે દેહ લગે, જાયે ધમ્યુંધૂપ્યું વાય (પદ ૧૭૪/૮).
{{Poem2Close}}
{{Block center|'''<poem>દેહનું કૃત્ય તે દેહ લગે, જાયે ધમ્યુંધૂપ્યું વાય (પદ ૧૭૪/૮).
ધમ્યુંધૂપ્યું વાય, અખા અંતે જાયે સહી (અખાની વાણી, ૨૩૮).
ધમ્યુંધૂપ્યું વાય, અખા અંતે જાયે સહી (અખાની વાણી, ૨૩૮).
ઘણા ચૂકે ઘાત, ધમ્યુંધૂપ્યું વાએ વટે (અખાની વાણી, ૨૪૫).
ઘણા ચૂકે ઘાત, ધમ્યુંધૂપ્યું વાએ વટે (અખાની વાણી, ૨૪૫).
એ ઉપર્ય તુજ કહું દ્રષ્ટાંત, જો સમઝેશ નો નીપજેશ સંત,
એ ઉપર્ય તુજ કહું દ્રષ્ટાંત, જો સમઝેશ નો નીપજેશ સંત,
જ્યમ કો હોએ મોટો માહારાજ, તે અંધ થકો કરતો હોય રાજ. ૩૩૦
જ્યમ કો હોએ મોટો માહારાજ, તે અંધ થકો કરતો હોય રાજ. ૩૩૦</poem>'''}}
{{Poem2Open}}
એ ઉપર તને એક દૃષ્ટાંત કહું. જો સમજીશ તો સંત થઈશ. જેમ કોઈ મોટો મહારાજા હોય અને અંધ હોવા છતાં રાજ્ય કરતો હોય –
એ ઉપર તને એક દૃષ્ટાંત કહું. જો સમજીશ તો સંત થઈશ. જેમ કોઈ મોટો મહારાજા હોય અને અંધ હોવા છતાં રાજ્ય કરતો હોય –
તેહેની પરજા હોએ માહા દુઃખી, ચક્ષુહીણ છે જેહેનો મુખી,
{{Poem2Close}}
તે નેત્રવિહૂણો ન્યાય ક્યમ કરે, મંત્રીનું ગમતું આચરે. ૩૩૧
{{Block center|'''<poem>તેહેની પરજા હોએ માહા દુઃખી, ચક્ષુહીણ છે જેહેનો મુખી,
તે નેત્રવિહૂણો ન્યાય ક્યમ કરે, મંત્રીનું ગમતું આચરે. ૩૩૧</poem>'''}}
{{Poem2Open}}
જેનો મુખી ચક્ષુ વિનાનો હોય તેની પ્રજા ખૂબ દુઃખી હોય. તે આંખ વિનાનો રાજા ન્યાય કેવી રીતે કરે? મંત્રીને જ ગમે તેવું તે આચરણ કરે.
જેનો મુખી ચક્ષુ વિનાનો હોય તેની પ્રજા ખૂબ દુઃખી હોય. તે આંખ વિનાનો રાજા ન્યાય કેવી રીતે કરે? મંત્રીને જ ગમે તેવું તે આચરણ કરે.
મોહો આદ્યે દેઈ કામ ક્રોધ, એહવા પરધાન તણો તુજ બોધ,
{{Poem2Close}}
તેણે કરી વણસે તુજપણું, તે માટે તુંને કહું છું ઘણું. ૩૩૨
{{Block center|'''<poem>મોહો આદ્યે દેઈ કામ ક્રોધ, એહવા પરધાન તણો તુજ બોધ,
તેણે કરી વણસે તુજપણું, તે માટે તુંને કહું છું ઘણું. ૩૩૨</poem>'''}}
{{Poem2Open}}
તે રીતે મોહ, કામ, ક્રોધ વગેરે સંતાનો તારા પ્રધાન છે, તેમના તરફથી તને બોધ – માર્ગદર્શન મળે છે. તેને લીધે તું તારાપણું ગુમાવે છે માટે તને આ બધું કહું છું.
તે રીતે મોહ, કામ, ક્રોધ વગેરે સંતાનો તારા પ્રધાન છે, તેમના તરફથી તને બોધ – માર્ગદર્શન મળે છે. તેને લીધે તું તારાપણું ગુમાવે છે માટે તને આ બધું કહું છું.
સમજૂતી : ‘દેઈ’ શબ્દ માટે જુઓ ૨૯૬મી કડીની સમજૂતી.
'''સમજૂતી''' : ‘દેઈ’ શબ્દ માટે જુઓ ૨૯૬મી કડીની સમજૂતી.
ચિત્ત કહે છે સાંભલ્ય વિચાર, મુજ સાથે એહેનો અવતાર,
{{Poem2Close}}
તો મુજથી ક્યમ અલગા થાઇ, જ્યમ દીપક માંહાં તેજ ચાલ્યું જાઇ. [૩૦ખ] ૩૩૩
{{Block center|'''<poem>ચિત્ત કહે છે સાંભલ્ય વિચાર, મુજ સાથે એહેનો અવતાર,
તો મુજથી ક્યમ અલગા થાઇ, જ્યમ દીપક માંહાં તેજ ચાલ્યું જાઇ. [૩૦ખ] ૩૩૩</poem>'''}}
{{Poem2Open}}
ચિત્ત કહે છેઃ વિચાર સાંભળ. મારી સાથે જ તેનો જન્મ થયો છે, તો એ મારાથી કેવી રીતે જુદા થાય? જેમ દીવામાં તેજ પ્રવર્તે છે (તેમ તે મારી સાથે જોડાયેલા હોય છે.)
ચિત્ત કહે છેઃ વિચાર સાંભળ. મારી સાથે જ તેનો જન્મ થયો છે, તો એ મારાથી કેવી રીતે જુદા થાય? જેમ દીવામાં તેજ પ્રવર્તે છે (તેમ તે મારી સાથે જોડાયેલા હોય છે.)
વિચાર કહે સાંભલ્ય ચિત્ત ભૂપ, એ જ દ્રષ્ટાંતનું તુજ દેખાડું રૂપ,
{{Poem2Close}}
જ્યમ સુભાવ્યે દીપક માંહાં તેજ, ત્યમ તુજ માંહાં વિષેનું હેજ. ૩૩૪
{{Block center|'''<poem>વિચાર કહે સાંભલ્ય ચિત્ત ભૂપ, એ જ દ્રષ્ટાંતનું તુજ દેખાડું રૂપ,
જ્યમ સુભાવ્યે દીપક માંહાં તેજ, ત્યમ તુજ માંહાં વિષેનું હેજ. ૩૩૪</poem>'''}}
{{Poem2Open}}
વિચાર કહે છે : ચિત્તરાજ સાંભળ. એ જ દૃષ્ટાંતનું રૂપ તારી આગળ સ્પષ્ટ કરું. જેમ સ્વભાવથી જ દીવામાં તેજ રહેલું છે તેમ તારામાં વિષય પ્રત્યે આસક્તિ છે.
વિચાર કહે છે : ચિત્તરાજ સાંભળ. એ જ દૃષ્ટાંતનું રૂપ તારી આગળ સ્પષ્ટ કરું. જેમ સ્વભાવથી જ દીવામાં તેજ રહેલું છે તેમ તારામાં વિષય પ્રત્યે આસક્તિ છે.
તે સેહેજ દીપ કરે ઉદ્યોત, તે તો સુખકર હોએ જોત્ય,
{{Poem2Close}}
તેહે જ દીપ જ્યારે પરસે ત્રણ, ત્યારે દુઃખકર હોએ આચર્ણ. ૩૩૫
{{Block center|'''<poem>તે સેહેજ દીપ કરે ઉદ્યોત, તે તો સુખકર હોએ જોત્ય,
તેહે જ દીપ જ્યારે પરસે ત્રણ, ત્યારે દુઃખકર હોએ આચર્ણ. ૩૩૫</poem>'''}}
{{Poem2Open}}
તે દીવો સહજ રીતે પ્રકાશ કરે છે ત્યારે દીવાની જ્યોત સુખકર હોય છે (પણ) તે જ દીવો જ્યારે તૃણને સ્પર્શે છે ત્યારે તેનું આચરણ દુઃખ ઉપજાવનારું બને છે.
તે દીવો સહજ રીતે પ્રકાશ કરે છે ત્યારે દીવાની જ્યોત સુખકર હોય છે (પણ) તે જ દીવો જ્યારે તૃણને સ્પર્શે છે ત્યારે તેનું આચરણ દુઃખ ઉપજાવનારું બને છે.
જ્યમજ્યમ જ્વાલા વાધે બહુલ, ત્યમત્યમ આવે સ્નેહનું મૂલ,
{{Poem2Close}}
કરણ-સુભાવ શબ્દની વૃત્ત્ય, એટલે જ રહે તો વાધે નહીં કૃત્ય. ૩૩૬
{{Block center|'''<poem>જ્યમજ્યમ જ્વાલા વાધે બહુલ, ત્યમત્યમ આવે સ્નેહનું મૂલ,
કરણ-સુભાવ શબ્દની વૃત્ત્ય, એટલે જ રહે તો વાધે નહીં કૃત્ય. ૩૩૬</poem>'''}}
{{Poem2Open}}
જેમજેમ જ્વાલા (જ્યોત) વધારે ને વધારે થાય તેમતેમ તેલનું તળિયું આવે છે (=ખલાસ થાય છે). શબ્દ એટલે અવાજ (સાંભળવાની) વૃત્તિ એટલે કે વ્યાપાર તે કાનનો સ્વભાવ છે. ત્યાં સુધી જ એ રહે તો કર્મ વધે નહીં.
જેમજેમ જ્વાલા (જ્યોત) વધારે ને વધારે થાય તેમતેમ તેલનું તળિયું આવે છે (=ખલાસ થાય છે). શબ્દ એટલે અવાજ (સાંભળવાની) વૃત્તિ એટલે કે વ્યાપાર તે કાનનો સ્વભાવ છે. ત્યાં સુધી જ એ રહે તો કર્મ વધે નહીં.
સમજૂતી : ‘સ્નેહનું મૂલ આવે’ એટલે દીવાનું જે તેલ હોય તેનું તળિયું આવે. એટલે કે ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થાય એમ તાત્પર્ય જણાય છે.
'''સમજૂતી''' : ‘સ્નેહનું મૂલ આવે’ એટલે દીવાનું જે તેલ હોય તેનું તળિયું આવે. એટલે કે ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થાય એમ તાત્પર્ય જણાય છે.
‘શબ્દની વૃત્ય’ને ‘શબ્દની વૃત્ય’ તરીકે પણ ઘટાવી શકાય. પણ એનો કશો અર્થ થતો નથી, ને ૩૨૬, ૩૫૭મી કડીમાં ‘શબ્દ’ ‘ઉપદેશ’ના અર્થમાં હોવાનું સમજાય છે તેથી અહીં ‘નિવૃત્તિ’ શબ્દ માની અર્થ કર્યો છે, જોકે એ પણ ઝાઝો સંતોષકારક નથી. જુઓ ૩૨૬મી કડીની સમજૂતી.
‘શબ્દની વૃત્ય’ને ‘શબ્દની વૃત્ય’ તરીકે પણ ઘટાવી શકાય. પણ એનો કશો અર્થ થતો નથી, ને ૩૨૬, ૩૫૭મી કડીમાં ‘શબ્દ’ ‘ઉપદેશ’ના અર્થમાં હોવાનું સમજાય છે તેથી અહીં ‘નિવૃત્તિ’ શબ્દ માની અર્થ કર્યો છે, જોકે એ પણ ઝાઝો સંતોષકારક નથી. જુઓ ૩૨૬મી કડીની સમજૂતી.
ત્વચા સ્પર્શ જાણે તો ખરો, પણ અધિકો આદર તે સ્યાહાનો કરો,
{{Poem2Close}}
નેત્ર જુએ સુભાવે રૂપ, ૫ણ તાણ્યો તેહેનો પડે છે કૂપ. ૩૩૭
{{Block center|'''<poem>ત્વચા સ્પર્શ જાણે તો ખરો, પણ અધિકો આદર તે સ્યાહાનો કરો,
નેત્ર જુએ સુભાવે રૂપ, ૫ણ તાણ્યો તેહેનો પડે છે કૂપ. ૩૩૭</poem>'''}}
{{Poem2Open}}
ત્વચાથી સ્પર્શનો અનુભવ કર, પણ તેનો વધારે આદર શા માટે કરે છે? આંખ પોતાના સ્વભાવથી રૂપ જુએ છે પણ એનાથી ખેંચાયેલો તું કૂવામાં પડે છે.
ત્વચાથી સ્પર્શનો અનુભવ કર, પણ તેનો વધારે આદર શા માટે કરે છે? આંખ પોતાના સ્વભાવથી રૂપ જુએ છે પણ એનાથી ખેંચાયેલો તું કૂવામાં પડે છે.
રસના રસ જાણે તે ખરી, પણ દુઃખ પામે છે અત્ય આદરી,
{{Poem2Close}}
નાસા વિષે જાણે ખરો ગંધ, પણ આદર કર્યે વાધે છે ધંધ. ૩૩૮
{{Block center|'''<poem>રસના રસ જાણે તે ખરી, પણ દુઃખ પામે છે અત્ય આદરી,
નાસા વિષે જાણે ખરો ગંધ, પણ આદર કર્યે વાધે છે ધંધ. ૩૩૮</poem>'''}}
{{Poem2Open}}
જીભથી રસનો અનુભવ થાય તે બરાબર છે પણ તેનું વધારે સેવન કરવાથી તું દુઃખ પામે છે. નાસિકા ગંધનો વિષય અનુભવે છે તે ખરું પણ તેને વધારે મહત્ત્વ આપવાથી ઉપાધિ – આપત્તિ વધે છે.
જીભથી રસનો અનુભવ થાય તે બરાબર છે પણ તેનું વધારે સેવન કરવાથી તું દુઃખ પામે છે. નાસિકા ગંધનો વિષય અનુભવે છે તે ખરું પણ તેને વધારે મહત્ત્વ આપવાથી ઉપાધિ – આપત્તિ વધે છે.
સ્વાભાવિક હોએ જેટલો તેટલે રહે તે નિવૃત્ત્યસુખ પામે ભલો,
{{Poem2Close}}
પણ તુજને તે વધાર્યા ગમે, વ[૩૧ક]લતા વિષે તે તુજને દમે. ૩૩૯
{{Block center|'''<poem>સ્વાભાવિક હોએ જેટલો તેટલે રહે તે નિવૃત્ત્યસુખ પામે ભલો,
ઇન્દ્રિયોનો વ્યાપાર જેટલો સ્વાભાવિક કક્ષાએ રહેશે તેટલું તું નિવૃત્તિસુખ પામીશ. પણ તને તો તે વધારવા ગમે છે. તેથી પછી વિષય તને હેરાન કરે છે.  
પણ તુજને તે વધાર્યા ગમે, વ[૩૧ક]લતા વિષે તે તુજને દમે. ૩૩૯</poem>'''}}
ચિત્ત કહે મુને તે કેહે વાત, દુઃખરહિત જ્યમ રહ્યું સાક્ષાત,
{{Poem2Open}}
વિચાર કહે મરતકવત્‌ થાઇ, એહેવા થકા જ્યમ રેહેવાઇ. ૩૪૦
ઇન્દ્રિયોનો વ્યાપાર જેટલો સ્વાભાવિક કક્ષાએ રહેશે તેટલું તું નિવૃત્તિસુખ પામીશ. પણ તને તો તે વધારવા ગમે છે. તેથી પછી વિષય તને હેરાન કરે છે.
{{Poem2Close}}
{{Block center|'''<poem>ચિત્ત કહે મુને તે કેહે વાત, દુઃખરહિત જ્યમ રહ્યું સાક્ષાત,
વિચાર કહે મરતકવત્‌ થાઇ, એહેવા થકા જ્યમ રેહેવાઇ. ૩૪૦</poem>'''}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : દુઃખરહિત જે સાક્ષાત્‌પણું છે તેની મને વાત કર. વિચાર કહે છે : મૃત્યુ પામ્યો હોય તેવો થા. એવા થઈને રહેવાય તો –
ચિત્ત કહે છે : દુઃખરહિત જે સાક્ષાત્‌પણું છે તેની મને વાત કર. વિચાર કહે છે : મૃત્યુ પામ્યો હોય તેવો થા. એવા થઈને રહેવાય તો –
સમજૂતી : અખાજી મૃતકની દશાને પામવા વારંવાર કહેતા હોય છે. મૃતકની દશા એટલે એમની દૃષ્ટિએ અહંભાવથી જન્મતા રાગ-દ્વેષાદિ વગરની દશા, દેહભાવ વિનાની દશા.
'''સમજૂતી''' : અખાજી મૃતકની દશાને પામવા વારંવાર કહેતા હોય છે. મૃતકની દશા એટલે એમની દૃષ્ટિએ અહંભાવથી જન્મતા રાગ-દ્વેષાદિ વગરની દશા, દેહભાવ વિનાની દશા.
ઉપતૃષ્ણે અચાનક ભોગ, ઉદ્યમવિહૂણો ફલે જ્યમ જોગ,
{{Poem2Close}}
અકસ્માત સેહેજ જ્યમ ફલે, તે વિચારી ભોગવે અનુભવ નવ્ય ચલે. ૩૪૧
{{Block center|'''<poem>ઉપતૃષ્ણે અચાનક ભોગ, ઉદ્યમવિહૂણો ફલે જ્યમ જોગ,
અકસ્માત સેહેજ જ્યમ ફલે, તે વિચારી ભોગવે અનુભવ નવ્ય ચલે. ૩૪૧</poem>'''}}
{{Poem2Open}}
તૃષ્ણા વિના અચાનક ભોગ ભોગવાય છે અને પ્રયત્ન વિના જાણે યોગની સિદ્ધિ થાય છે. આમ આકસ્મિક રીતે અને સહજતાથી જે ફળ મળે છે તે વિચારપૂર્વક ભોગવે તો અનુભવ (=બ્રહ્મ – આત્મતત્ત્વનો અનુભવ) વિક્ષિપ્ત થતો નથી.
તૃષ્ણા વિના અચાનક ભોગ ભોગવાય છે અને પ્રયત્ન વિના જાણે યોગની સિદ્ધિ થાય છે. આમ આકસ્મિક રીતે અને સહજતાથી જે ફળ મળે છે તે વિચારપૂર્વક ભોગવે તો અનુભવ (=બ્રહ્મ – આત્મતત્ત્વનો અનુભવ) વિક્ષિપ્ત થતો નથી.
એહવા થકા વસ્તુનો ભોગ, એ રેહેણી વિના બીજો તે રોગ,
{{Poem2Close}}
પણ જ્ઞાનભરૂંસે કરતા જશે, તે અંત્યે હૂંસને રશે. ૩૪૨
{{Block center|'''<poem>એહવા થકા વસ્તુનો ભોગ, એ રેહેણી વિના બીજો તે રોગ,
પણ જ્ઞાનભરૂંસે કરતા જશે, તે અંત્યે હૂંસને રશે. ૩૪૨</poem>'''}}
{{Poem2Open}}
આમ થઈને આત્મતત્ત્વનો અનુભવ કરવાની રીતે રહેવા સિવાયનું સર્વ કંઈ રોગ છે. પણ જ્ઞાનમાં વિશ્વાસપૂર્વક જે કોઈ કંઈ (ક્રિયા) કરતા રહેશે તે છેવટે પોતાના અહંભાવને દૂર કરશે (?)
આમ થઈને આત્મતત્ત્વનો અનુભવ કરવાની રીતે રહેવા સિવાયનું સર્વ કંઈ રોગ છે. પણ જ્ઞાનમાં વિશ્વાસપૂર્વક જે કોઈ કંઈ (ક્રિયા) કરતા રહેશે તે છેવટે પોતાના અહંભાવને દૂર કરશે (?)
પાઠચર્ચા : બીજા ચરણમાં ક ગ સિવાયની હપ્ર ‘બીજો’ને સ્થાને ‘જે કરશે’ વગેરે પાઠ આપે છે પણ મુખ્ય પ્રતનો પાઠ છોડવાની આવશ્યકતા નથી. આ જ ચરણમાં ‘કરતા’ને સ્થાને ‘કરવા’ ક ગ સિવાયની બધી હપ્ર આપે છે પણ મુખ્યપ્રતનો પાઠ છોડવાની આવશ્યકતા નથી. ચોથા ચરણમાં અ બ નો પાઠ દેખીતી રીતે ખોટો છે. આ જ ચરણમાં ‘અંત્યે’ને સ્થાને ‘અંતર્યે’ પાઠ બાકીની બધી હપ્ર આપે છે, પરંતુ મુખ્ય પ્રતનો પાઠ અર્થદૃષ્ટિએ બરાબર છે તેથી છોડ્યો નથી. ‘રસે’ એ પાઠાંતર માટે જુઓ સમજૂતી.
'''પાઠચર્ચા''' : બીજા ચરણમાં ક ગ સિવાયની હપ્ર ‘બીજો’ને સ્થાને ‘જે કરશે’ વગેરે પાઠ આપે છે પણ મુખ્ય પ્રતનો પાઠ છોડવાની આવશ્યકતા નથી. આ જ ચરણમાં ‘કરતા’ને સ્થાને ‘કરવા’ ક ગ સિવાયની બધી હપ્ર આપે છે પણ મુખ્યપ્રતનો પાઠ છોડવાની આવશ્યકતા નથી. ચોથા ચરણમાં અ બ નો પાઠ દેખીતી રીતે ખોટો છે. આ જ ચરણમાં ‘અંત્યે’ને સ્થાને ‘અંતર્યે’ પાઠ બાકીની બધી હપ્ર આપે છે, પરંતુ મુખ્ય પ્રતનો પાઠ અર્થદૃષ્ટિએ બરાબર છે તેથી છોડ્યો નથી. ‘રસે’ એ પાઠાંતર માટે જુઓ સમજૂતી.
સમજૂતી : મુખ્ય પ્રત સિવાયની સઘળી હપ્ર ‘રસે’ પાઠ આપે છે તે પહેલી દૃષ્ટિએ સરળ લાગે. એ પાઠ સ્વીકારીએ એટલે મુખ્ય પ્રતે પ્રાસને ખાતર ‘રસે’નું ‘રશે’ કર્યું છે એમ માનવું પડે, (કડી ૩૪૯માં પણ આ પ્રતે ‘રસ’નું ‘રશ’ કર્યું. છે) પરંતુ ‘જ્ઞાન’ એટલે બ્રહ્મજ્ઞાન, સૂઝ, સમજ એ જ અર્થ અહીં હોઈ શકે. જ્ઞાનમાં વિશ્વાસપૂર્વક જે કંઈ થાય તેમાં ‘હૂંસ’નો ‘રસ’ કેવી રીતે હોઈ શકે? વિચારપરંપરા તો એવી ચાલે છે કે ઇન્દ્રિયવ્યાપારો સમજપૂર્વક થતા રહે તો એ બાધક નીવડતા નથી. એટલે અહીં ‘હૂંસ’ (અહંભાવ) દૂર થવાની વાત વધારે બંધ બેસે. ‘નેરશે’ એટલે ‘નિરાસ કરે, દૂર કરે’ એવો અર્થ લઈ શકાય પરંતુ ‘નિરસે’ નહીં પણ ‘નેરશે’ એવા પ્રયોગને અખાજીમાંથી સમર્થન જણાતું નથી તો ‘રશે’ ને ક્રિયાપદ ગણી શકાય? સંસ્કૃત ‘રહ્‌’ ધાતુ પરથી ‘રહશે’ અને ‘હ’કાર લુપ્ત થતાં ‘રશે’ બની શકે અથવા દેશ્ય ‘રસિઅ’ (= છિન્ન, કપાયેલું) પરથી ‘રસે – રશે’ થયું હશે? (ગુજ. રહેંસવુંનાં મૂળ દેશ્ય ‘રસિઅ’માં છે) અંતે અખાજીની આ ઉક્તિ કોયડારૂપ જ રહે છે.
'''સમજૂતી''' : મુખ્ય પ્રત સિવાયની સઘળી હપ્ર ‘રસે’ પાઠ આપે છે તે પહેલી દૃષ્ટિએ સરળ લાગે. એ પાઠ સ્વીકારીએ એટલે મુખ્ય પ્રતે પ્રાસને ખાતર ‘રસે’નું ‘રશે’ કર્યું છે એમ માનવું પડે, (કડી ૩૪૯માં પણ આ પ્રતે ‘રસ’નું ‘રશ’ કર્યું. છે) પરંતુ ‘જ્ઞાન’ એટલે બ્રહ્મજ્ઞાન, સૂઝ, સમજ એ જ અર્થ અહીં હોઈ શકે. જ્ઞાનમાં વિશ્વાસપૂર્વક જે કંઈ થાય તેમાં ‘હૂંસ’નો ‘રસ’ કેવી રીતે હોઈ શકે? વિચારપરંપરા તો એવી ચાલે છે કે ઇન્દ્રિયવ્યાપારો સમજપૂર્વક થતા રહે તો એ બાધક નીવડતા નથી. એટલે અહીં ‘હૂંસ’ (અહંભાવ) દૂર થવાની વાત વધારે બંધ બેસે. ‘નેરશે’ એટલે ‘નિરાસ કરે, દૂર કરે’ એવો અર્થ લઈ શકાય પરંતુ ‘નિરસે’ નહીં પણ ‘નેરશે’ એવા પ્રયોગને અખાજીમાંથી સમર્થન જણાતું નથી તો ‘રશે’ ને ક્રિયાપદ ગણી શકાય? સંસ્કૃત ‘રહ્‌’ ધાતુ પરથી ‘રહશે’ અને ‘હ’કાર લુપ્ત થતાં ‘રશે’ બની શકે અથવા દેશ્ય ‘રસિઅ’ (= છિન્ન, કપાયેલું) પરથી ‘રસે – રશે’ થયું હશે? (ગુજ. રહેંસવુંનાં મૂળ દેશ્ય ‘રસિઅ’માં છે) અંતે અખાજીની આ ઉક્તિ કોયડારૂપ જ રહે છે.
તેહેનાં તનમનને તે માર, જે હૂંસે ચઢ્યો કરશે પ્રતીકાર,
{{Poem2Close}}
ઉત્તમ મધ્યમ હૂંસ જાણજે, એ નેડો અંતર્ય આણજે. ૩૪૩
{{Block center|'''<poem>તેહેનાં તનમનને તે માર, જે હૂંસે ચઢ્યો કરશે પ્રતીકાર,
ઉત્તમ મધ્યમ હૂંસ જાણજે, એ નેડો અંતર્ય આણજે. ૩૪૩</poem>'''}}
{{Poem2Open}}
જે અહંભાવને વશ થઈને એને સંતોષવાના ઉપાયો કરશે તેના તનમનને નુકસાન થશે. અહંભાવ ઉત્તમ, મધ્યમ બંને પ્રકારનો હોય છે એમ જાણજે. એની પરીક્ષા અંતરમાં કરી લેજે.
જે અહંભાવને વશ થઈને એને સંતોષવાના ઉપાયો કરશે તેના તનમનને નુકસાન થશે. અહંભાવ ઉત્તમ, મધ્યમ બંને પ્રકારનો હોય છે એમ જાણજે. એની પરીક્ષા અંતરમાં કરી લેજે.
પાઠચર્ચા : ચોથા ચરણમાં ક ગ સિવાયની સર્વ હપ્ર ‘નેડો’ને સ્થાને ‘નેઠો’ પાઠ આપે છે. બંને પાઠમાં થોડી અસ્પષ્ટતા છે. જુઓ સમજૂતી.
'''પાઠચર્ચા''' : ચોથા ચરણમાં ક ગ સિવાયની સર્વ હપ્ર ‘નેડો’ને સ્થાને ‘નેઠો’ પાઠ આપે છે. બંને પાઠમાં થોડી અસ્પષ્ટતા છે. જુઓ સમજૂતી.
સમજૂતી : ‘પ્રતીકાર’ શબ્દ ‘ઉપાય’ના અર્થમાં સ્પષ્ટ રીતે કડી ૩૯ અને ૩૨૬માં વપરાયો છે. ‘પ્રતીકાર’ એટલે ‘વિરોધ’ એ અર્થ બેસાડવો હોય તો બેસાડી શકાય – ‘અહંભાવથી પ્રેરિત થઈ આગળ બતાવ્યાથી વિરુદ્ધ વર્તન કરશે’ – પરંતુ એ દુરાકૃષ્ટ અન્વય થાય છે.
'''સમજૂતી''' : ‘પ્રતીકાર’ શબ્દ ‘ઉપાય’ના અર્થમાં સ્પષ્ટ રીતે કડી ૩૯ અને ૩૨૬માં વપરાયો છે. ‘પ્રતીકાર’ એટલે ‘વિરોધ’ એ અર્થ બેસાડવો હોય તો બેસાડી શકાય – ‘અહંભાવથી પ્રેરિત થઈ આગળ બતાવ્યાથી વિરુદ્ધ વર્તન કરશે’ – પરંતુ એ દુરાકૃષ્ટ અન્વય થાય છે.
‘નેડે’ ‘નજીક’ના અર્થમાં આ કૃતિની ૪૦મી કડીમાં વપરાયો છે. પણ ‘નેડો’ એ અર્થમાં સંજ્ઞા તરીકે જાણીતો નથી. કોશો ‘નેડો’ એટલે ખણખોદવાળી તપાસ, નેડો લેવો – એટલે ભૂલ શોધવા પાછળ ભમવું એમ અર્થ આપે છે. આ ઉપરથી ‘નેડો આણવો’ એટલે પરીક્ષા કરવી, તપાસ કરવી, વિવેક કરવો એવો અર્થ કરી શકાય. અહંભાવ ઉત્તમ અને મધ્યમ પ્રકારના હોય તો તેના વિશે વિવેક કરવો આવશ્યક બને છે.
‘નેડે’ ‘નજીક’ના અર્થમાં આ કૃતિની ૪૦મી કડીમાં વપરાયો છે. પણ ‘નેડો’ એ અર્થમાં સંજ્ઞા તરીકે જાણીતો નથી. કોશો ‘નેડો’ એટલે ખણખોદવાળી તપાસ, નેડો લેવો – એટલે ભૂલ શોધવા પાછળ ભમવું એમ અર્થ આપે છે. આ ઉપરથી ‘નેડો આણવો’ એટલે પરીક્ષા કરવી, તપાસ કરવી, વિવેક કરવો એવો અર્થ કરી શકાય. અહંભાવ ઉત્તમ અને મધ્યમ પ્રકારના હોય તો તેના વિશે વિવેક કરવો આવશ્યક બને છે.
અન્ય હપ્ર ‘નેઠો’ શબ્દ આપે છે. નેઠો = છેડો, પરિણામ, ઉકેલ એવો અર્થ થાય છે. તેથી ‘નેઠો આણવો’ એટલે ‘ઉકેલ આણવો’. મનમાં એ ઉકેલ – છેવટની સમજણ રાખજે એમ તાત્પર્ય થાય. પણ આના કરતાં ‘વિવેક’, ‘પરીક્ષા’નો અર્થ વધુ પ્રસ્તુત લાગે છે.
અન્ય હપ્ર ‘નેઠો’ શબ્દ આપે છે. નેઠો = છેડો, પરિણામ, ઉકેલ એવો અર્થ થાય છે. તેથી ‘નેઠો આણવો’ એટલે ‘ઉકેલ આણવો’. મનમાં એ ઉકેલ – છેવટની સમજણ રાખજે એમ તાત્પર્ય થાય. પણ આના કરતાં ‘વિવેક’, ‘પરીક્ષા’નો અર્થ વધુ પ્રસ્તુત લાગે છે.
જે નિશે રાખશે સર્વાતીત, વેહેવાર ગુરુભક્તિ હેતપ્રીત,
{{Poem2Close}}
અવહિત ક્રમ આચરે નહીં નેમ, સત્ય વરત્યેં હોએ જોગખેમ. ૩૪૪
{{Block center|'''<poem>જે નિશે રાખશે સર્વાતીત, વેહેવાર ગુરુભક્તિ હેતપ્રીત,
અવહિત ક્રમ આચરે નહીં નેમ, સત્ય વરત્યેં હોએ જોગખેમ. ૩૪૪</poem>'''}}
{{Poem2Open}}
જે સર્વાતીત બ્રહ્મમાં નિશ્ચયબુદ્ધિ રાખે છે, ગુરુભક્તિનો અને હેતપ્રીતનો વ્યવહાર કરે છે, નિયમપૂર્વક નિષિદ્ધકર્મ કરતો નથી ને આ રીતે સત્યનિષ્ઠ વર્તન કરે છે તેનું યોગક્ષેમ – કલ્યાણ થાય છે.
જે સર્વાતીત બ્રહ્મમાં નિશ્ચયબુદ્ધિ રાખે છે, ગુરુભક્તિનો અને હેતપ્રીતનો વ્યવહાર કરે છે, નિયમપૂર્વક નિષિદ્ધકર્મ કરતો નથી ને આ રીતે સત્યનિષ્ઠ વર્તન કરે છે તેનું યોગક્ષેમ – કલ્યાણ થાય છે.
બાહ્ય આભ્યંતર શુચિ રહે અંગ, અને જ્ઞાનખલનો ન[૩૧ખ] કરે સંગ,
{{Poem2Close}}
વચન જ્યથારથ અંતર્ય ઉદાસ, અનુભવ સરખો સર્વાવાસ. ૩૪૫
{{Block center|'''<poem>બાહ્ય આભ્યંતર શુચિ રહે અંગ, અને જ્ઞાનખલનો ન[૩૧ખ] કરે સંગ,
વચન જ્યથારથ અંતર્ય ઉદાસ, અનુભવ સરખો સર્વાવાસ. ૩૪૫</poem>'''}}
{{Poem2Open}}
જેમનાં બાહ્ય અને આભ્યંતર સર્વ અંગો પવિત્ર રહે છે અને ખલજ્ઞાનીનો સંગ કરતા નથી, તેમનું વચન યથાર્થ હોય છે, અંતરમાં જે ઉદાસીન – તટસ્થ હોય છે, સર્વાવાસ બ્રહ્મનો જે અનુભવ કરે છે –
જેમનાં બાહ્ય અને આભ્યંતર સર્વ અંગો પવિત્ર રહે છે અને ખલજ્ઞાનીનો સંગ કરતા નથી, તેમનું વચન યથાર્થ હોય છે, અંતરમાં જે ઉદાસીન – તટસ્થ હોય છે, સર્વાવાસ બ્રહ્મનો જે અનુભવ કરે છે –
સમજૂતી : જ્ઞાનખલ, ખલજ્ઞાનીનાં લક્ષણ ૩૪૭–૫૦ કડીમાં આવે છે. વામજ્ઞાની અને દક્ષિણજ્ઞાનીનું વર્ણન ૨૯૬–૩૦૪ કડીઓમાં થયેલું છે તે વિશે જુઓ કડી ૩૦૪ની સમજૂતી.
'''સમજૂતી''' : જ્ઞાનખલ, ખલજ્ઞાનીનાં લક્ષણ ૩૪૭–૫૦ કડીમાં આવે છે. વામજ્ઞાની અને દક્ષિણજ્ઞાનીનું વર્ણન ૨૯૬–૩૦૪ કડીઓમાં થયેલું છે તે વિશે જુઓ કડી ૩૦૪ની સમજૂતી.
એહવે લક્ષણ્યે જ્ઞાની જેહ, અતિશે હરિને વાહાલા તેહ,
{{Poem2Close}}
ચિત્ત કહે જ્ઞાનખલ ત્યેં જે કહ્યા વિચાર, તેહેનો કેહેવો હોએ આચાર. ૩૪૬
{{Block center|'''<poem>એહવે લક્ષણ્યે જ્ઞાની જેહ, અતિશે હરિને વાહાલા તેહ,
ચિત્ત કહે જ્ઞાનખલ ત્યેં જે કહ્યા વિચાર, તેહેનો કેહેવો હોએ આચાર. ૩૪૬</poem>'''}}
{{Poem2Open}}
જે જ્ઞાની એવાં લક્ષણવાળા છે તેઓ હરિને વહાલા હોય છે. ચિત્ત કહે છે : વિચાર, ખલજ્ઞાનીની તેં જે વાત કરી તેનો આચાર કેવો હેાય?
જે જ્ઞાની એવાં લક્ષણવાળા છે તેઓ હરિને વહાલા હોય છે. ચિત્ત કહે છે : વિચાર, ખલજ્ઞાનીની તેં જે વાત કરી તેનો આચાર કેવો હેાય?
વિચાર કહે તેહેની હોએ ખલ નેષ્ટા, પણ વચનવિવેક રૂડી ચેષ્ટા,
{{Poem2Close}}
પણ અંતર્યે હરિ ગુરુ શું નહીં હેત, વાક્યરહિત જેમ લૂખી રેત. ૩૪૭
{{Block center|'''<poem>વિચાર કહે તેહેની હોએ ખલ નેષ્ટા, પણ વચનવિવેક રૂડી ચેષ્ટા,
પણ અંતર્યે હરિ ગુરુ શું નહીં હેત, વાક્યરહિત જેમ લૂખી રેત. ૩૪૭</poem>'''}}
{{Poem2Open}}
વિચાર કહે છેઃ તેની નિષ્ઠા દુષ્ટ-કુટિલતાભરી હોય છે. તેનું વચન વિવેકવાળું હોય છે, તેનું બાહ્ય વર્તન સારું હોય છે પણ હૃદયમાં હરિગુરુ પ્રત્યે પ્રીતિ હોતી નથી ને લૂખી (સત્ત્વ વિનાની) રેત જેવો એ હોય છે.
વિચાર કહે છેઃ તેની નિષ્ઠા દુષ્ટ-કુટિલતાભરી હોય છે. તેનું વચન વિવેકવાળું હોય છે, તેનું બાહ્ય વર્તન સારું હોય છે પણ હૃદયમાં હરિગુરુ પ્રત્યે પ્રીતિ હોતી નથી ને લૂખી (સત્ત્વ વિનાની) રેત જેવો એ હોય છે.
ગુરુના વચન વડે કરે વાત, પણ રદે ન લહે ગુરુનું સાખ્યાત,
{{Poem2Close}}
જ્યમ દૂધ જમાવે માખણ કાજ્ય, જો જામ્યું તો પામે આહાજ્ય. ૩૪૮
{{Block center|'''<poem>ગુરુના વચન વડે કરે વાત, પણ રદે ન લહે ગુરુનું સાખ્યાત,
જ્યમ દૂધ જમાવે માખણ કાજ્ય, જો જામ્યું તો પામે આહાજ્ય. ૩૪૮</poem>'''}}
{{Poem2Open}}
ગુરુનાં વચનનો ઉલ્લેખ કરીને વાત કરે પણ હૃદયમાં ગુરુનો સાક્ષાત્કાર તેને થયો નથી હોતો. જેવી રીતે માખણ મેળવવા માટે દૂધને જમાવવામાં આવે ત્યારે જો એ જામે તો ઘી મળે –
ગુરુનાં વચનનો ઉલ્લેખ કરીને વાત કરે પણ હૃદયમાં ગુરુનો સાક્ષાત્કાર તેને થયો નથી હોતો. જેવી રીતે માખણ મેળવવા માટે દૂધને જમાવવામાં આવે ત્યારે જો એ જામે તો ઘી મળે –
જો રસ ન પડ્યું તો કાંજી થાઇ, ત્યમ ખલજ્ઞાની એહેવા શા પ્રાઇ,
{{Poem2Close}}
નેષ્ટિક જે જ્ઞાની નીપજે, તે સકલ ભાવે પામે વિજે. ૩૪૯
{{Block center|'''<poem>જો રસ ન પડ્યું તો કાંજી થાઇ, ત્યમ ખલજ્ઞાની એહેવા શા પ્રાઇ,
નેષ્ટિક જે જ્ઞાની નીપજે, તે સકલ ભાવે પામે વિજે. ૩૪૯</poem>'''}}
{{Poem2Open}}
અને જો મેળવણ ન પડે તો કાંજી થાય, તેવી રીતે ખલજ્ઞાની નિશ્ચિતપણે એવા હોય છે. નિષ્ઠાવંત – સાચા જે જ્ઞાની હોય છે તે બધી રીતે વિજય પામે છે.
અને જો મેળવણ ન પડે તો કાંજી થાય, તેવી રીતે ખલજ્ઞાની નિશ્ચિતપણે એવા હોય છે. નિષ્ઠાવંત – સાચા જે જ્ઞાની હોય છે તે બધી રીતે વિજય પામે છે.
ચિત્ત કહે તું તે ધન્ય વિચાર, તોરો લક્ષ તે સાક્ષાત્‌કાર,
{{Poem2Close}}
હવે એક વાત મુને ચર્ચી કહે, જે ગુરુ ગોવિંદ એક કે બે.[૩૨ક] ૩૫૦
{{Block center|'''<poem>ચિત્ત કહે તું તે ધન્ય વિચાર, તોરો લક્ષ તે સાક્ષાત્‌કાર,
હવે એક વાત મુને ચર્ચી કહે, જે ગુરુ ગોવિંદ એક કે બે.[૩૨ક] ૩૫૦</poem>'''}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : વિચાર, તને ધન્ય છે. તારું લક્ષ સાક્ષાત્કાર તરફ છે. હવે એક વાત તું મને ચર્ચા કરીને કહે કે ગુરુ ને ગોવિંદ એક છે કે બે અલગઅલગ?
ચિત્ત કહે છે : વિચાર, તને ધન્ય છે. તારું લક્ષ સાક્ષાત્કાર તરફ છે. હવે એક વાત તું મને ચર્ચા કરીને કહે કે ગુરુ ને ગોવિંદ એક છે કે બે અલગઅલગ?
શબ્દે તાં દ્વૈત સરખું થાઇ, પણ અંતરનો શો છે અભિપ્રાઇ,
{{Poem2Close}}
પરાતપર ગોવિંદને સહુ કહે, જે દ્રષ્ટ્ય ન આવે મુષ્ટ્ય ન ગ્રહે. ૩૫૧
{{Block center|'''<poem>શબ્દે તાં દ્વૈત સરખું થાઇ, પણ અંતરનો શો છે અભિપ્રાઇ,
પરાતપર ગોવિંદને સહુ કહે, જે દ્રષ્ટ્ય ન આવે મુષ્ટ્ય ન ગ્રહે. ૩૫૧</poem>'''}}
{{Poem2Open}}
શબ્દમાં (ભાષામાં) તો એ દ્વૈત જેવું થાય છે (=બંને અલગ જણાય છે.) એના આંતરિક સ્વરૂપ વિશે તારો અભિપ્રાય શો છે? ગોવિંદને બધાં પરાત્પર (=પરથી પણ પર) બ્રહ્મ કહે છે, જે દૃષ્ટિમાં આવતો નથી (દેખાતો નથી) અને મૂઠીથી ગ્રહણ થતો નથી (પકડાતો નથી).
શબ્દમાં (ભાષામાં) તો એ દ્વૈત જેવું થાય છે (=બંને અલગ જણાય છે.) એના આંતરિક સ્વરૂપ વિશે તારો અભિપ્રાય શો છે? ગોવિંદને બધાં પરાત્પર (=પરથી પણ પર) બ્રહ્મ કહે છે, જે દૃષ્ટિમાં આવતો નથી (દેખાતો નથી) અને મૂઠીથી ગ્રહણ થતો નથી (પકડાતો નથી).
અને ગુરુ તો દીસે પ્રગટ પ્રમાણ, ભૌતિક પિંડ્ય સહિત પાદુપાણ્ય,
{{Poem2Close}}
તો તે ક્યમ કહીજે એક, એહનું નિજરૂપ કહે કહે પિંડ્યવિવેક. ૩૫૨
{{Block center|'''<poem>અને ગુરુ તો દીસે પ્રગટ પ્રમાણ, ભૌતિક પિંડ્ય સહિત પાદુપાણ્ય,
અને ગુરુ તો હાથ-પગ સાથેનું ભૌતિક શરીર હોય છે, પ્રમાણ આપી શકાય તેવી રીતે પ્રગટ થાય છે. તો તે (એટલે કે ગુરુ અને ગોવિંદ) બંનેને એક કઈ રીતે કહી શકાય તે કહે. તેનું પોતાનું સ્વરૂપ સમજાવ. આ બંનેને શરીર હોવા – ન હોવાનો વિવેક સ્પષ્ટ કર.  
તો તે ક્યમ કહીજે એક, એહનું નિજરૂપ કહે કહે પિંડ્યવિવેક. ૩૫૨</poem>'''}}
વિચાર કહે એ મોટો મર્મ, એ સમઝ્ય તું ચૈતન ચર્મ,
{{Poem2Open}}
ગુરુ વિષે જે ન દેખે કાઇ, તેણે પ્રીછ્યો ગુરુમહિમાઇ. ૩૫૩
અને ગુરુ તો હાથ-પગ સાથેનું ભૌતિક શરીર હોય છે, પ્રમાણ આપી શકાય તેવી રીતે પ્રગટ થાય છે. તો તે (એટલે કે ગુરુ અને ગોવિંદ) બંનેને એક કઈ રીતે કહી શકાય તે કહે. તેનું પોતાનું સ્વરૂપ સમજાવ. આ બંનેને શરીર હોવા – ન હોવાનો વિવેક સ્પષ્ટ કર.
{{Poem2Close}}
{{Block center|'''<poem>વિચાર કહે એ મોટો મર્મ, એ સમઝ્ય તું ચૈતન ચર્મ,
ગુરુ વિષે જે ન દેખે કાઇ, તેણે પ્રીછ્યો ગુરુમહિમાઇ. ૩૫૩</poem>'''}}
{{Poem2Open}}
વિચાર કહે છે : એ જ મોટું રહસ્ય છે. તું ચૈતન્ય અને શરીર વચ્ચેનો ભેદ સમજ. ગુરુના વિષયમાં શરીરને જે જોતો નથી તેણે જ ગુરુના મહિમાને સારી રીતે જાણ્યો છે.
વિચાર કહે છે : એ જ મોટું રહસ્ય છે. તું ચૈતન્ય અને શરીર વચ્ચેનો ભેદ સમજ. ગુરુના વિષયમાં શરીરને જે જોતો નથી તેણે જ ગુરુના મહિમાને સારી રીતે જાણ્યો છે.
પરાત્પર બ્રહ્મ તેણે લહ્યો, જે એમ ગુરુને સમઝી રહ્યો,
{{Poem2Close}}
પાદુપાણ્યવરજિત સુણ્યો જેહ, સહિત અવ્યેવ તેણે ધર્યો દેહ. ૩૫૪
{{Block center|'''<poem>પરાત્પર બ્રહ્મ તેણે લહ્યો, જે એમ ગુરુને સમઝી રહ્યો,
પાદુપાણ્યવરજિત સુણ્યો જેહ, સહિત અવ્યેવ તેણે ધર્યો દેહ. ૩૫૪</poem>'''}}
{{Poem2Open}}
જે ગુરુને એમ સમજીને રહ્યો છે તે પરાત્પર બ્રહ્મને પામ્યો છે. હાથપગ વિનાનો (શરીર વિનાનો) જેને આપણે સાંભળ્યો છે તેણે અવયવો સાથે અહીં શરીર ધારણ કર્યું છે.
જે ગુરુને એમ સમજીને રહ્યો છે તે પરાત્પર બ્રહ્મને પામ્યો છે. હાથપગ વિનાનો (શરીર વિનાનો) જેને આપણે સાંભળ્યો છે તેણે અવયવો સાથે અહીં શરીર ધારણ કર્યું છે.
જ્યમ બરાસકપૂરની પ્રતિમા કરી, રૂપસહિત વરી વાપરી,
{{Poem2Close}}
પલક્યે તે[૩૨ખ]અદ્રષ્ટ્ય થઈ જાઈ, એમ ગુરુને દેખે કાઇ. ૩૫૫
{{Block center|'''<poem>જ્યમ બરાસકપૂરની પ્રતિમા કરી, રૂપસહિત વરી વાપરી,
પલક્યે તે[૩૨ખ]અદ્રષ્ટ્ય થઈ જાઈ, એમ ગુરુને દેખે કાઇ. ૩૫૫</poem>'''}}
{{Poem2Open}}
જેમ બરાસકપૂરની પ્રતિમા બનાવીએ અને એવા રૂપ સાથે પસંદ કરીને વાપરીએ પણ પલકમાં જ તે અદૃશ્ય થઈ જાય છે, એવી રીતે ગુરુના શરીરને તું જો (સમજ).
જેમ બરાસકપૂરની પ્રતિમા બનાવીએ અને એવા રૂપ સાથે પસંદ કરીને વાપરીએ પણ પલકમાં જ તે અદૃશ્ય થઈ જાય છે, એવી રીતે ગુરુના શરીરને તું જો (સમજ).
સમજૂતી : ગુરુનો નાશવંત દેહ લક્ષમાં લેવાનો નથી એમ તાત્પર્ય છે.
'''સમજૂતી''' : ગુરુનો નાશવંત દેહ લક્ષમાં લેવાનો નથી એમ તાત્પર્ય છે.
તો શિષ્યે નીપજે એહવો તેહ, જે એમ ગુરુને દેખે છે દેહ,
{{Poem2Close}}
કારણ છે એ ભાવના તણું, થોડા માંહે કહું છું ઘણું. ૩૫૬
{{Block center|'''<poem>તો શિષ્યે નીપજે એહવો તેહ, જે એમ ગુરુને દેખે છે દેહ,
કારણ છે એ ભાવના તણું, થોડા માંહે કહું છું ઘણું. ૩૫૬</poem>'''}}
{{Poem2Open}}
જો ગુરુને દેહધારી રૂપે જ જુએ છે તો તે શિષ્ય પણ એવો જ નીપજે છે. એટલે કે શિષ્ય કેવો નીવડે તેનું કારણ ભાવના છે. તને થોડામાં ઘણું હું કહું છું.
જો ગુરુને દેહધારી રૂપે જ જુએ છે તો તે શિષ્ય પણ એવો જ નીપજે છે. એટલે કે શિષ્ય કેવો નીવડે તેનું કારણ ભાવના છે. તને થોડામાં ઘણું હું કહું છું.
ચિત્ત કહે મુને એક પ્રશ્ન ઊપજે, જે મુજથી કાંઈએ નવ્ય નીપજે,
{{Poem2Close}}
પરાધીન શો દીસું હું, અને મુજને શબ્દે મારે સહુ. ૩૫૭
{{Block center|'''<poem>ચિત્ત કહે મુને એક પ્રશ્ન ઊપજે, જે મુજથી કાંઈએ નવ્ય નીપજે,
પરાધીન શો દીસું હું, અને મુજને શબ્દે મારે સહુ. ૩૫૭</poem>'''}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : મને એક પ્રશ્ન થાય છે કે મારાથી કંઈ નીપજતું નથી, હું પરાધીન જેવો દેખાઉં છું અને બધા મને શબ્દનો માર મારે છે – ઉપદેશ-વચનો સંભળાવે છે.
ચિત્ત કહે છે : મને એક પ્રશ્ન થાય છે કે મારાથી કંઈ નીપજતું નથી, હું પરાધીન જેવો દેખાઉં છું અને બધા મને શબ્દનો માર મારે છે – ઉપદેશ-વચનો સંભળાવે છે.
સમજૂતી : ‘શબ્દના માર’ અંગે જુઓ ૩૨૬મી કડીની નોંધ.
'''સમજૂતી''' : ‘શબ્દના માર’ અંગે જુઓ ૩૨૬મી કડીની નોંધ.
મુજને તાં બેહુ પેર્યે પડી, જ્યમ વાટ્યે ખૂણો પામે હડી,
{{Poem2Close}}
જાતુંવલતું સહુ જ ઘસાઇ, ત્યમ અહીં અદ્રશ્ય ને અહીંઆ કાઇ. ૩૫૮
{{Block center|'''<poem>મુજને તાં બેહુ પેર્યે પડી, જ્યમ વાટ્યે ખૂણો પામે હડી,
જાતુંવલતું સહુ જ ઘસાઇ, ત્યમ અહીં અદ્રશ્ય ને અહીંઆ કાઇ. ૩૫૮</poem>'''}}
{{Poem2Open}}
મને ત્યાં બંને રીતે મુશ્કેલી પડી છે, જેમ રસ્તામાં ખૂણો પડે તેને મુશ્કેલી પડે છે. જતું આવતું સૌ કોઈ તેને ઘસાઈને ચાલે છે તેમ એક બાજુ અદૃશ્યરૂપ અને બીજી બાજુ કાયારૂપ એમ બેની વચ્ચે હું ભીંસાઉં છું.
મને ત્યાં બંને રીતે મુશ્કેલી પડી છે, જેમ રસ્તામાં ખૂણો પડે તેને મુશ્કેલી પડે છે. જતું આવતું સૌ કોઈ તેને ઘસાઈને ચાલે છે તેમ એક બાજુ અદૃશ્યરૂપ અને બીજી બાજુ કાયારૂપ એમ બેની વચ્ચે હું ભીંસાઉં છું.
જ્યમ ધ્વજા ફહરેરે વાએ કરી, સહુ કો ધ્વજાને દેખે ખરી,
{{Poem2Close}}
મારુત વ્હાયા વિના નવ્ય રહે, અને ધ્વજા ત્યાં સ્થિરતા નવ્ય ગ્રહે. ૩૫૯
{{Block center|'''<poem>જ્યમ ધ્વજા ફહરેરે વાએ કરી, સહુ કો ધ્વજાને દેખે ખરી,
મારુત વ્હાયા વિના નવ્ય રહે, અને ધ્વજા ત્યાં સ્થિરતા નવ્ય ગ્રહે. ૩૫૯</poem>'''}}
{{Poem2Open}}
જેમ ધજા વાયુને કારણે લહેરાય અને સૌ ફરકતી ધજાને જુએ, પવન વાયા વિના ન રહે અને ધજા ત્યાં સ્થિરતા ન પામી શકે –
જેમ ધજા વાયુને કારણે લહેરાય અને સૌ ફરકતી ધજાને જુએ, પવન વાયા વિના ન રહે અને ધજા ત્યાં સ્થિરતા ન પામી શકે –
ચિત્ત કહે છે મુજને એમ થયું, જોને વિચાર એ માંહાં કાંઈ રહ્યું,
{{Poem2Close}}
વિચાર કહે સાંભલ્ય ચિત્ત પિતા, મુજ વિના તું ખાતો ખતા. ૩૬૦
{{Block center|'''<poem>ચિત્ત કહે છે મુજને એમ થયું, જોને વિચાર એ માંહાં કાંઈ રહ્યું,
વિચાર કહે સાંભલ્ય ચિત્ત પિતા, મુજ વિના તું ખાતો ખતા. ૩૬૦</poem>'''}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે, મને એ પ્રમાણે થયું છે. વિચાર, આમાં શું તાત્પર્ય રહેલું છે તે તું કહે. વિચાર કહે છે : ચિત્ત પિતા, સાંભળ. મારા વિના તું ઠોકર ખાય છે.
ચિત્ત કહે છે, મને એ પ્રમાણે થયું છે. વિચાર, આમાં શું તાત્પર્ય રહેલું છે તે તું કહે. વિચાર કહે છે : ચિત્ત પિતા, સાંભળ. મારા વિના તું ઠોકર ખાય છે.
ચિત્ત કહે છે હવે શું કરું, મુજ સાધ્ય નહીં[૩૩ક]તો શું આચરું,
{{Poem2Close}}
કાલરૂપિયું અનિલ તાં ચલે, તેણે ચિત્ત કાયા ધ્વજા આફલે. ૩૬૧
{{Block center|'''<poem>ચિત્ત કહે છે હવે શું કરું, મુજ સાધ્ય નહીં[૩૩ક]તો શું આચરું,
કાલરૂપિયું અનિલ તાં ચલે, તેણે ચિત્ત કાયા ધ્વજા આફલે. ૩૬૧</poem>'''}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : હવે શું કરું? મને એ સાધ્ય નથી તો હું શું કરું? કાલરૂપી પવન વાય છે તેને કારણે ચિત્ત અને કાયારૂપી ધજા છે તે આમતેમ અથડાય છે.
ચિત્ત કહે છે : હવે શું કરું? મને એ સાધ્ય નથી તો હું શું કરું? કાલરૂપી પવન વાય છે તેને કારણે ચિત્ત અને કાયારૂપી ધજા છે તે આમતેમ અથડાય છે.
સમજૂતી : છેવટે ચિત્ત અને કાયારૂપી ધજા એેવો અન્વય થાય છે એ બહુ અર્થપૂર્ણ લાગતો નથી. ઉપરાંત પછીથી ૩૬૩મી કડીમાં ચિત્તને (ધજાનું) લાકડું અને અહંભાવને વસ્ત્ર કહ્યું છે. કાયા એટલે દેહભાવ એમ કરીએ તો કદાચ રૂપક સંગત બને. ૩૬૨મી કડીમાં કાલવાયુથી અથડાતી વસ્તુ તે ‘જીવ’ કહી છે. એટલે ધજા સાથે અખાજી ચિત્ત, કાયા, જીવ, અહંભાવ એ બધાંને સાંકળે છે.  
'''સમજૂતી''' : છેવટે ચિત્ત અને કાયારૂપી ધજા એેવો અન્વય થાય છે એ બહુ અર્થપૂર્ણ લાગતો નથી. ઉપરાંત પછીથી ૩૬૩મી કડીમાં ચિત્તને (ધજાનું) લાકડું અને અહંભાવને વસ્ત્ર કહ્યું છે. કાયા એટલે દેહભાવ એમ કરીએ તો કદાચ રૂપક સંગત બને. ૩૬૨મી કડીમાં કાલવાયુથી અથડાતી વસ્તુ તે ‘જીવ’ કહી છે. એટલે ધજા સાથે અખાજી ચિત્ત, કાયા, જીવ, અહંભાવ એ બધાંને સાંકળે છે.
કાલવાય વ્હાતો નવ્ય રહે, અને જીવ ધકા ખાતો નવ્ય રહે,
{{Poem2Close}}
તો તે માહારે કરવું ક્યમ, માહરી તો ભાગી અતિ ગમ્ય. ૩૬૨
{{Block center|'''<poem>કાલવાય વ્હાતો નવ્ય રહે, અને જીવ ધકા ખાતો નવ્ય રહે,
તો તે માહારે કરવું ક્યમ, માહરી તો ભાગી અતિ ગમ્ય. ૩૬૨</poem>'''}}
{{Poem2Open}}
કાલરૂપી વાયુ વહ્યા વિના રહેતો નથી અને તેથી જીવ ધક્કા ખાધા વિના રહેતો નથી. તો હવે મારે શું કરવું? મારી તો બુદ્ધિ સાવ નષ્ટ થઈ ગઈ છે.
કાલરૂપી વાયુ વહ્યા વિના રહેતો નથી અને તેથી જીવ ધક્કા ખાધા વિના રહેતો નથી. તો હવે મારે શું કરવું? મારી તો બુદ્ધિ સાવ નષ્ટ થઈ ગઈ છે.
વિચાર કહે ધજા જો કોહી પડે, તો મારુત વલતો શે આથડે,
{{Poem2Close}}
જ્યારે હૂંસરૂપી વસ્ત્ર જ સડ્યું, ત્યારે ચિત્તરૂપિયું રહ્યું લાકડું. ૩૬૩
{{Block center|'''<poem>વિચાર કહે ધજા જો કોહી પડે, તો મારુત વલતો શે આથડે,
જ્યારે હૂંસરૂપી વસ્ત્ર જ સડ્યું, ત્યારે ચિત્તરૂપિયું રહ્યું લાકડું. ૩૬૩</poem>'''}}
{{Poem2Open}}
વિચાર કહે છે : જો ધજા સડીને પડી જાય તો પછીથી પવન કેવી રીતે અથડાય? જ્યારે અહંભાવરૂપી વસ્ત્ર જ સડી જાય ત્યારે ચિત્તરૂપી લાકડું રહે છે.
વિચાર કહે છે : જો ધજા સડીને પડી જાય તો પછીથી પવન કેવી રીતે અથડાય? જ્યારે અહંભાવરૂપી વસ્ત્ર જ સડી જાય ત્યારે ચિત્તરૂપી લાકડું રહે છે.
સમજૂતી : અહંભાવ વિનાનું ચિત્ત તે ચિદ્‌ – ચૈતન્યસ્વરૂપ છે તેથી પછીની કડીમાં ‘વસ્તુમય’ થયાની વાત આવે છે. અહીં ચિત્ત એના મૂળ સ્વરૂપે-ચિદ્‌રૂપે અવશેષ રહે છે એમ અર્થ સમજવો જોઈએ.
'''સમજૂતી''' : અહંભાવ વિનાનું ચિત્ત તે ચિદ્‌ – ચૈતન્યસ્વરૂપ છે તેથી પછીની કડીમાં ‘વસ્તુમય’ થયાની વાત આવે છે. અહીં ચિત્ત એના મૂળ સ્વરૂપે-ચિદ્‌રૂપે અવશેષ રહે છે એમ અર્થ સમજવો જોઈએ.
કાલવાયુ તેહેને શું કરે, ઘૂમે ઘણો પણ કોણ આચરે,
{{Poem2Close}}
ત્યમ તુજ વિષે ઉપજણ્ય ગઈ, ત્યારે તું રહ્યો વસ્તુમય થઈ. ૩૬૪
{{Block center|'''<poem>કાલવાયુ તેહેને શું કરે, ઘૂમે ઘણો પણ કોણ આચરે,
ત્યમ તુજ વિષે ઉપજણ્ય ગઈ, ત્યારે તું રહ્યો વસ્તુમય થઈ. ૩૬૪</poem>'''}}
{{Poem2Open}}
કાલવાયુ તેને શું કરી શકે? એ ઘણું ઘૂમે છે પણ શું કરે? તેમ તારામાંથી ઊપજેલું તત્ત્વ (એટલે કે અહંભાવ) ગયું ત્યારે તું બ્રહ્મરૂપ થઈને રહ્યો.
કાલવાયુ તેને શું કરી શકે? એ ઘણું ઘૂમે છે પણ શું કરે? તેમ તારામાંથી ઊપજેલું તત્ત્વ (એટલે કે અહંભાવ) ગયું ત્યારે તું બ્રહ્મરૂપ થઈને રહ્યો.
તે વસ્તુ તાં સ્વે ગુરુ મહારાજ, તેહેને સેવ્યે સીઝે કાજ,
{{Poem2Close}}
તેહેને કાલવાયુ ચાલવી નવ્ય શકે, જે ગુરુને સેવે એહવે થકે. ૩૬૫
{{Block center|'''<poem>તે વસ્તુ તાં સ્વે ગુરુ મહારાજ, તેહેને સેવ્યે સીઝે કાજ,
તેહેને કાલવાયુ ચાલવી નવ્ય શકે, જે ગુરુને સેવે એહવે થકે. ૩૬૫</poem>'''}}
{{Poem2Open}}
એ બ્રહ્મ(મયતા) તે પોતે ગુરુ છે. તેની સેવા કરવાથી કાર્ય સિદ્ધ થાય છે. જે આવા થઈને ગુરુની સેવા કરે છે એને કાલવાયુ ચલિત કરી શકતો નથી.
એ બ્રહ્મ(મયતા) તે પોતે ગુરુ છે. તેની સેવા કરવાથી કાર્ય સિદ્ધ થાય છે. જે આવા થઈને ગુરુની સેવા કરે છે એને કાલવાયુ ચલિત કરી શકતો નથી.
સમજૂતી : બ્રહ્મમય આત્મસ્વરૂપને જ અખાજી ગુરુ કહેતા હોય એમ સમજાય છે.
'''સમજૂતી''' : બ્રહ્મમય આત્મસ્વરૂપને જ અખાજી ગુરુ કહેતા હોય એમ સમજાય છે.
જ્યાંહાં કાચી સેવા ત્યાંહાં કાચું જ્ઞાન, જ્યમ ઔષધ વિના અનુપાન,
{{Poem2Close}}
કાચી ભક્તિ તે લક્ષણહીણ, તેહેની પ્રજ્ઞા હોએ [૩૩ખ] ખીણ. ૩૬૬
{{Block center|'''<poem>જ્યાંહાં કાચી સેવા ત્યાંહાં કાચું જ્ઞાન, જ્યમ ઔષધ વિના અનુપાન,
કાચી ભક્તિ તે લક્ષણહીણ, તેહેની પ્રજ્ઞા હોએ [૩૩ખ] ખીણ. ૩૬૬</poem>'''}}
{{Poem2Open}}
જ્યાં સેવા કાચી હોય ત્યાં જ્ઞાન પણ કાચું હોય છે, જેમ અનુપાન વિનાનું ઔષધ હોય છે. કાચી ભક્તિ તે ભક્તિના વિશિષ્ટ લક્ષણ – ગુણધર્મ વિનાની છે અને તેવા માણસની પ્રજ્ઞા ક્ષીણ થાય છે.
જ્યાં સેવા કાચી હોય ત્યાં જ્ઞાન પણ કાચું હોય છે, જેમ અનુપાન વિનાનું ઔષધ હોય છે. કાચી ભક્તિ તે ભક્તિના વિશિષ્ટ લક્ષણ – ગુણધર્મ વિનાની છે અને તેવા માણસની પ્રજ્ઞા ક્ષીણ થાય છે.
પ્રજ્ઞાવંત પુરુષ ત્યાં તેહે જ, જેહેને ગુરુ સાથે બહુ હેજ,
{{Poem2Close}}
કાલરૂપિયું દવ પરજલે, જે ન્હાસી પેસે ગુરુહામજલે. ૩૬૭
{{Block center|'''<poem>પ્રજ્ઞાવંત પુરુષ ત્યાં તેહે જ, જેહેને ગુરુ સાથે બહુ હેજ,
કાલરૂપિયું દવ પરજલે, જે ન્હાસી પેસે ગુરુહામજલે. ૩૬૭</poem>'''}}
{{Poem2Open}}
જેને ગુરુ સાથે ખૂબ હેત હોય તે પ્રજ્ઞાવંત પુરુષ છે અને જે કાળરૂપી દવ સળગે છે ત્યારે નાસી જઈને ગુરુના સામર્થ્યરૂપી જળમાં પ્રવેશ કરે છે –
જેને ગુરુ સાથે ખૂબ હેત હોય તે પ્રજ્ઞાવંત પુરુષ છે અને જે કાળરૂપી દવ સળગે છે ત્યારે નાસી જઈને ગુરુના સામર્થ્યરૂપી જળમાં પ્રવેશ કરે છે –
તેહેને પરાભવ ન કરે લાઇ, જે લહે સદગુરુમહિમાઇ,
{{Poem2Close}}
ગુરુ કૈવલ્ય ને કૈવલ્ય ગુરુ, હું કૈવલ્ય માંહાં રહ્યો ઊચરું. ૩૬૮
{{Block center|'''<poem>તેહેને પરાભવ ન કરે લાઇ, જે લહે સદગુરુમહિમાઇ,
ગુરુ કૈવલ્ય ને કૈવલ્ય ગુરુ, હું કૈવલ્ય માંહાં રહ્યો ઊચરું. ૩૬૮</poem>'''}}
{{Poem2Open}}
અને જે સદ્‌ગુરુનો મહિમા સમજે છે તેનો નાશ અગ્નિ કરી શકતો નથી. ગુરુ જ કૈવલ્ય છે અને કૈવલ્ય જ ગુરુ છે. હું કૈવલ્યમાં રહીને બોલું છું.
અને જે સદ્‌ગુરુનો મહિમા સમજે છે તેનો નાશ અગ્નિ કરી શકતો નથી. ગુરુ જ કૈવલ્ય છે અને કૈવલ્ય જ ગુરુ છે. હું કૈવલ્યમાં રહીને બોલું છું.
ચિત્ત કહે છે ઘણી વાતના ગુરુ મેં લહ્યા, તે તો પરપંચના પરપંચ માંહાં રહ્યા,
{{Poem2Close}}
જે વિદ્યા જે ગુરુથી લહી, તે કલાનો તે ગુરુ સહી. ૩૬૯
{{Block center|'''<poem>ચિત્ત કહે છે ઘણી વાતના ગુરુ મેં લહ્યા, તે તો પરપંચના પરપંચ માંહાં રહ્યા,
જે વિદ્યા જે ગુરુથી લહી, તે કલાનો તે ગુરુ સહી. ૩૬૯</poem>'''}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : મેં ઘણી બાબતના ગુરુ જોયા છે. તે બધા તો પ્રપંચના પ્રપંચમાં જ રહ્યા છે. જે વિદ્યા જે ગુરુથી પ્રાપ્ત કરી તે કલાનો તે ગુરુ.
ચિત્ત કહે છે : મેં ઘણી બાબતના ગુરુ જોયા છે. તે બધા તો પ્રપંચના પ્રપંચમાં જ રહ્યા છે. જે વિદ્યા જે ગુરુથી પ્રાપ્ત કરી તે કલાનો તે ગુરુ.
વેદવિદ્યા ચૌરજ્ય પરજંત, જે જે કરતવ્ય આચરે જંત,
{{Poem2Close}}
તે તે વાતનો ગુરુ ત્યાં હોઇ, તે ત્યાંહાં નિશે વસા સોઇ. ૩૭૦
{{Block center|'''<poem>વેદવિદ્યા ચૌરજ્ય પરજંત, જે જે કરતવ્ય આચરે જંત,
તે તે વાતનો ગુરુ ત્યાં હોઇ, તે ત્યાંહાં નિશે વસા સોઇ. ૩૭૦</poem>'''}}
{{Poem2Open}}
વેદવિદ્યાથી માંડીને ચૌર્ય સુધીનાં જે જે કર્મ જીવ કરે છે તે દરેક બાબતના ગુરુ હોય છે. જે-તે બાબતમાં જે-તે ગુરુ એ સો ટકા નિશ્ચિત વાત.
વેદવિદ્યાથી માંડીને ચૌર્ય સુધીનાં જે જે કર્મ જીવ કરે છે તે દરેક બાબતના ગુરુ હોય છે. જે-તે બાબતમાં જે-તે ગુરુ એ સો ટકા નિશ્ચિત વાત.
તું તે કીયો સત્ય રાખે છે ગુરુ, મોરું જાણવું મેં ઊચરું,
{{Poem2Close}}
વિચાર કહે સાંભલ્ય ચિત્ત વાત, જ્યારે અરભક જનમે માત. ૩૭૧
{{Block center|'''<poem>તું તે કીયો સત્ય રાખે છે ગુરુ, મોરું જાણવું મેં ઊચરું,
હું જે જાણું છું તે મેં કહ્યું. તું કયા ગુરુને સત્ય માને છે? વિચાર કહે છે : ચિત્ત મારી વાત સાંભળ. જ્યારે માતાને બાળક જન્મે છે –   
વિચાર કહે સાંભલ્ય ચિત્ત વાત, જ્યારે અરભક જનમે માત. ૩૭૧</poem>'''}}
પરસવતાં ખેવ કરે પયપાન, ત્યારે જે ગુરુ આપે છે જ્ઞાન,
{{Poem2Open}}
તે ગુરુ તો સાથ્યે છે સદા, [૩૪ક] બીજા ગુરુ તેહેના બુદબુદા. ૩૭૨
હું જે જાણું છું તે મેં કહ્યું. તું કયા ગુરુને સત્ય માને છે? વિચાર કહે છે : ચિત્ત મારી વાત સાંભળ. જ્યારે માતાને બાળક જન્મે છે –
{{Poem2Close}}  
{{Block center|'''<poem>પરસવતાં ખેવ કરે પયપાન, ત્યારે જે ગુરુ આપે છે જ્ઞાન,
તે ગુરુ તો સાથ્યે છે સદા, [૩૪ક] બીજા ગુરુ તેહેના બુદબુદા. ૩૭૨</poem>'''}}
{{Poem2Open}}
–ત્યારે જન્મતાંની સાથે જ પયપાન કરે છે. એ વખતે જે ગુરુ જ્ઞાન આપે છે તે ગુરુ તો હંમેશાં સાથે છે. બીજા ગુરુ તેના પરપોટા સમાન છે.
–ત્યારે જન્મતાંની સાથે જ પયપાન કરે છે. એ વખતે જે ગુરુ જ્ઞાન આપે છે તે ગુરુ તો હંમેશાં સાથે છે. બીજા ગુરુ તેના પરપોટા સમાન છે.
ચિત્ત કહે એ તો છે જ સુભાવ, જંત્રભેદ ચાલ્યો જાએ સાવ,
{{Poem2Close}}
જોની દ્રુમ ક્યમ પીએ છે નીર, અવનીનું શોષે છે હીર. ૩૭૩
{{Block center|'''<poem>ચિત્ત કહે એ તો છે જ સુભાવ, જંત્રભેદ ચાલ્યો જાએ સાવ,
જોની દ્રુમ ક્યમ પીએ છે નીર, અવનીનું શોષે છે હીર. ૩૭૩</poem>'''}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : બાળકનો એ તો સ્વભાવ જ છે. પદાર્થની ક્રિયા એની મેળે ચાલ્યા કરે છે. જો, વૃક્ષ પાણી કેવી રીતે પીએ છે અને પૃથ્વીનું હીર શોષે છે.
ચિત્ત કહે છે : બાળકનો એ તો સ્વભાવ જ છે. પદાર્થની ક્રિયા એની મેળે ચાલ્યા કરે છે. જો, વૃક્ષ પાણી કેવી રીતે પીએ છે અને પૃથ્વીનું હીર શોષે છે.
મુક્તા નર માદા કને જાઇ, સંપુટ પેસી એકઠો થાઇ,
{{Poem2Close}}
અંબુજ અર્કને સાહામું ક્યમ રહે, એ સહુ સહજ સુભાવે વહે. ૩૭૪
{{Block center|'''<poem>મુક્તા નર માદા કને જાઇ, સંપુટ પેસી એકઠો થાઇ,
અંબુજ અર્કને સાહામું ક્યમ રહે, એ સહુ સહજ સુભાવે વહે. ૩૭૪</poem>'''}}
{{Poem2Open}}
નર-મોતી માદા-મોતીની પાસે જાય છે અને સંપુટમાં પેસીને એને મળે છે. કમળ સૂર્યની સામે કેમ રહે છે? આ બધું સહજ સ્વભાવે ચાલે છે.
નર-મોતી માદા-મોતીની પાસે જાય છે અને સંપુટમાં પેસીને એને મળે છે. કમળ સૂર્યની સામે કેમ રહે છે? આ બધું સહજ સ્વભાવે ચાલે છે.
સમજૂતી : મોતી વિશે એમ કહેવાય છે કે તેમાં નર-માદા બે પ્રકાર હોય છે અને નર-માદા મોતીને જુદા પાડવામાં આવે તોપણ ભેગા થઈ જાય છે.
'''સમજૂતી''' : મોતી વિશે એમ કહેવાય છે કે તેમાં નર-માદા બે પ્રકાર હોય છે અને નર-માદા મોતીને જુદા પાડવામાં આવે તોપણ ભેગા થઈ જાય છે.
વિચાર કહે તું એમ મ ગણેશ, એ લૂખો લક્ષ તું પરો કરેશ,
{{Poem2Close}}
જે અવાચ્યનો એ છે જ સુભાવ, તે છે ગુરુ સતંતર સાવ. ૩૭૫
{{Block center|'''<poem>વિચાર કહે તું એમ મ ગણેશ, એ લૂખો લક્ષ તું પરો કરેશ,
જે અવાચ્યનો એ છે જ સુભાવ, તે છે ગુરુ સતંતર સાવ. ૩૭૫</poem>'''}}
{{Poem2Open}}
વિચાર કહે છે : તું એમ ન ગણીશ. એ સાર વિનાના દ્રષ્ટિબિંદુને તું દૂર કર. અવાચ્ય બ્રહ્મનો જ એ સ્વભાવ છે અને તે જ સાવ સ્વતંત્ર ગુરુ છે.
વિચાર કહે છે : તું એમ ન ગણીશ. એ સાર વિનાના દ્રષ્ટિબિંદુને તું દૂર કર. અવાચ્ય બ્રહ્મનો જ એ સ્વભાવ છે અને તે જ સાવ સ્વતંત્ર ગુરુ છે.
ચિત્ત કહે ગુરુ જો એમ છે, તે અંતર માંહાંથી જ કાં નવ્ય કહે,
{{Poem2Close}}
બાહાજ્ય ગુરુ કાં કરવો પડે, તું જ કહે છે પ્રાપત્ય ગુરુ સેવ્યા વડે. ૩૭૬
{{Block center|'''<poem>ચિત્ત કહે ગુરુ જો એમ છે, તે અંતર માંહાંથી જ કાં નવ્ય કહે,
બાહાજ્ય ગુરુ કાં કરવો પડે, તું જ કહે છે પ્રાપત્ય ગુરુ સેવ્યા વડે. ૩૭૬</poem>'''}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : ગુરુ જો એમ જ છે તો તે અંતરમાંથી જ કેમ કહેતા નથી? બાહ્ય ગુરુ શા માટે કરવા પડે છે? અને તું જ કહે છે કે પ્રાપ્તિ તો ગુરુને સેવ્યાથી છે.
ચિત્ત કહે છે : ગુરુ જો એમ જ છે તો તે અંતરમાંથી જ કેમ કહેતા નથી? બાહ્ય ગુરુ શા માટે કરવા પડે છે? અને તું જ કહે છે કે પ્રાપ્તિ તો ગુરુને સેવ્યાથી છે.
સેવાએ તો જો હોએ સરૂપ, તે ત્યાં ગુરુને પરઠ્યો અરૂપ,
{{Poem2Close}}
વિચાર કહે ગુરુ ત્યેં જોયો નથી જતો, પણ ગુરુ તો પ્રત્યક્ષ દીસે છે છતો. ૩૭૭
{{Block center|'''<poem>સેવાએ તો જો હોએ સરૂપ, તે ત્યાં ગુરુને પરઠ્યો અરૂપ,
વિચાર કહે ગુરુ ત્યેં જોયો નથી જતો, પણ ગુરુ તો પ્રત્યક્ષ દીસે છે છતો. ૩૭૭</poem>'''}}
{{Poem2Open}}
જેને રૂપ છે તેની જ સેવા થઈ શકે. ગુરુ તો અરૂપ હોવાનો નિશ્ચય કર્યો છે. વિચાર કહે : એ ગુરુ દેખવામાં આવતો નથી પણ ગુરુનું અસ્તિત્વ અનુભવગમ્ય બને છે.
જેને રૂપ છે તેની જ સેવા થઈ શકે. ગુરુ તો અરૂપ હોવાનો નિશ્ચય કર્યો છે. વિચાર કહે : એ ગુરુ દેખવામાં આવતો નથી પણ ગુરુનું અસ્તિત્વ અનુભવગમ્ય બને છે.
એ ઉપર તુંને કહું દ્રષ્ટાંત, તે સોલે અંશે માને તંત,
{{Poem2Close}}
જ્યમ સૂર્યધામ કોએ જોવા કરે, પણ જોઈ ન શકે મહાતેજ આકરે. ૩૭૮  
{{Block center|'''<poem>એ ઉપર તુંને કહું દ્રષ્ટાંત, તે સોલે અંશે માને તંત,
જ્યમ સૂર્યધામ કોએ જોવા કરે, પણ જોઈ ન શકે મહાતેજ આકરે. ૩૭૮</poem>'''}}
{{Poem2Open}}
એ ઉપર તને એક દૃષ્ટાંત કહું, તેને પૂરેપૂરું સાચું માન. જેમ સૂર્યના વૈભવને જોવાનો કોઈ પ્રયત્ન કરે તો તેના આકરા મહાતેજને કારણે તેને તે જોઈ ન શકે –
એ ઉપર તને એક દૃષ્ટાંત કહું, તેને પૂરેપૂરું સાચું માન. જેમ સૂર્યના વૈભવને જોવાનો કોઈ પ્રયત્ન કરે તો તેના આકરા મહાતેજને કારણે તેને તે જોઈ ન શકે –
તે તલે માંડે જલનું પાત્ર, તે માંહે પ્રતિબિંબ રવિ સાક્ષાત,
{{Poem2Close}}
જ્યારે દીઠો પરત્યક્ષ અર્ક, ત્યારે ગયો સંશેનો તર્ક. ૩૭૯
{{Block center|'''<poem>તે તલે માંડે જલનું પાત્ર, તે માંહે પ્રતિબિંબ રવિ સાક્ષાત,
જ્યારે દીઠો પરત્યક્ષ અર્ક, ત્યારે ગયો સંશેનો તર્ક. ૩૭૯</poem>'''}}
{{Poem2Open}}
– તેની નીચે તે જળનું વાસણ મૂકે છે તેમાં સૂર્યનું સાક્ષાત્‌ પ્રતિબિંબ પડે છે. જ્યારે સૂર્યને પ્રત્યક્ષ જોયો ત્યારે સંશયબુદ્ધિ પણ જતી રહી.
– તેની નીચે તે જળનું વાસણ મૂકે છે તેમાં સૂર્યનું સાક્ષાત્‌ પ્રતિબિંબ પડે છે. જ્યારે સૂર્યને પ્રત્યક્ષ જોયો ત્યારે સંશયબુદ્ધિ પણ જતી રહી.
બિંબ જોવાણું પ્રતિબિંબ વડે, ત્યમ ગુરુ જોતાં ગોવિંદ નીમડે,
{{Poem2Close}}
તે પ્રતિબિંબ તાં ઝલકે બહુ, તે માટે ગુરુ ગોવિંદ કહું. ૩૮૦
{{Block center|'''<poem>બિંબ જોવાણું પ્રતિબિંબ વડે, ત્યમ ગુરુ જોતાં ગોવિંદ નીમડે,
તે પ્રતિબિંબ તાં ઝલકે બહુ, તે માટે ગુરુ ગોવિંદ કહું. ૩૮૦</poem>'''}}
{{Poem2Open}}
અહીં પ્રતિબિંબ વડે બિંબ જોવાય છે, તેવી રીતે ગુરુને જોવાથી ગોવિંદ પ્રતીત થાય. તે પ્રતિબિંબ ત્યાં બહુ પ્રકાશે છે માટે જ ગુરુને ગોવિંદ કહું છું.
અહીં પ્રતિબિંબ વડે બિંબ જોવાય છે, તેવી રીતે ગુરુને જોવાથી ગોવિંદ પ્રતીત થાય. તે પ્રતિબિંબ ત્યાં બહુ પ્રકાશે છે માટે જ ગુરુને ગોવિંદ કહું છું.
અર્ક્ક આકાશ ને પ્રતિબિંબ ધરા, પણ લક્ષે જોતાં એક જ ખરા,
{{Poem2Close}}
ગુરુ તે જે એમ વીત્રેક, તે ગુરુ સદા સતંતર છેક. ૩૮૧
{{Block center|'''<poem>અર્ક્ક આકાશ ને પ્રતિબિંબ ધરા, પણ લક્ષે જોતાં એક જ ખરા,
ગુરુ તે જે એમ વીત્રેક, તે ગુરુ સદા સતંતર છેક. ૩૮૧</poem>'''}}
{{Poem2Open}}
સૂર્ય આકાશમાં છે અને પ્રતિબિંબ પૃથ્વી પર છે પણ અંતે જોતાં બંને એક જ છે. ગુરુ જે એમ (બ્રહ્મથી) જુદા દેખાય છે તે વસ્તુતઃ સદા સ્વતંત્ર (બ્રહ્મરૂપ) છે.
સૂર્ય આકાશમાં છે અને પ્રતિબિંબ પૃથ્વી પર છે પણ અંતે જોતાં બંને એક જ છે. ગુરુ જે એમ (બ્રહ્મથી) જુદા દેખાય છે તે વસ્તુતઃ સદા સ્વતંત્ર (બ્રહ્મરૂપ) છે.
એમ શિષ્યને દેખાડે આપ, તે સદગુરુનો રાખે થા૫,
{{Poem2Close}}
ચિત્ત કહે બીજા ગુરુ બીજી વાતના, મંત્ર જંત્ર ઔષધ ધાતના. ૩૮૨
{{Block center|'''<poem>એમ શિષ્યને દેખાડે આપ, તે સદગુરુનો રાખે થા૫,
ચિત્ત કહે બીજા ગુરુ બીજી વાતના, મંત્ર જંત્ર ઔષધ ધાતના. ૩૮૨</poem>'''}}
{{Poem2Open}}
એમ જે શિષ્યને પોતાનું આત્મસ્વરૂપ દેખાડે છે તે સદ્‌ગુરુ તરીકે સ્થાપિત – પ્રતિષ્ઠિત થાય છે. ચિત્ત કહે છે : બીજા ગુરુ બીજી બાબતોના હોય છે. મંત્રના, યંત્રના, ઔષધના, ધાતુના –
એમ જે શિષ્યને પોતાનું આત્મસ્વરૂપ દેખાડે છે તે સદ્‌ગુરુ તરીકે સ્થાપિત – પ્રતિષ્ઠિત થાય છે. ચિત્ત કહે છે : બીજા ગુરુ બીજી બાબતોના હોય છે. મંત્રના, યંત્રના, ઔષધના, ધાતુના –
વિદ્યા અવિદ્યાના દાતાર, તેહેનું શું કહે છે વિચાર,
{{Poem2Close}}
વિચાર કહે પરપંચના જે ગુરુ, તેહેનું જોતાં માથાસરું. ૩૮૩
{{Block center|'''<poem>વિદ્યા અવિદ્યાના દાતાર, તેહેનું શું કહે છે વિચાર,
વિદ્યા અવિદ્યાનાં દેનારા. વિચાર તેને વિશે તું શું કહે છે? વિચાર કહે છે : જગત પ્રપંચના જે ગુરુ છે તેનું મથાળું (માથેનો આધાર) જોતાં જણાય છે કે –  
વિચાર કહે પરપંચના જે ગુરુ, તેહેનું જોતાં માથાસરું. ૩૮૩</poem>'''}}
[૩૫ક]પ્રેરક તે તેહેનો અવાચ્ય, પણ સપન સરીખું જાણી રાચ્ય,
{{Poem2Open}}
જ્યમ કોડી નિશાણીએ દ્રવ્ય તે ખરો, તેણે ક્રયવિક્રય સહુકો આચરો. ૩૮૪
વિદ્યા અવિદ્યાનાં દેનારા. વિચાર તેને વિશે તું શું કહે છે? વિચાર કહે છે : જગત પ્રપંચના જે ગુરુ છે તેનું મથાળું (માથેનો આધાર) જોતાં જણાય છે કે –
{{Poem2Close}}
{{Block center|'''<poem>[૩૫ક]પ્રેરક તે તેહેનો અવાચ્ય, પણ સપન સરીખું જાણી રાચ્ય,
જ્યમ કોડી નિશાણીએ દ્રવ્ય તે ખરો, તેણે ક્રયવિક્રય સહુકો આચરો. ૩૮૪</poem>'''}}
{{Poem2Open}}
– તેનો પ્રેરક તો અવાચ્ય બ્રહ્મ છે. પણ એને સ્વપ્ન જેવું જાણીને તું રહે. જેમ કોડી એના લક્ષણથી દ્રવ્ય છે અને એનાથી સૌ કોઈ ક્રયવિક્રય –ખરીદવેચાણ કરે છે –
– તેનો પ્રેરક તો અવાચ્ય બ્રહ્મ છે. પણ એને સ્વપ્ન જેવું જાણીને તું રહે. જેમ કોડી એના લક્ષણથી દ્રવ્ય છે અને એનાથી સૌ કોઈ ક્રયવિક્રય –ખરીદવેચાણ કરે છે –
પણ પાત્ર ન ઘડાએ ગાલ્યે થકે, ના કો મુદ્રા પાડી શકે,
{{Poem2Close}}
ત્યમ પરપંચ લગી કાજગરી વાત, પણ નીપજ ન હોએ તેથી સાક્ષાત. ૩૮૫
{{Block center|'''<poem>પણ પાત્ર ન ઘડાએ ગાલ્યે થકે, ના કો મુદ્રા પાડી શકે,
ત્યમ પરપંચ લગી કાજગરી વાત, પણ નીપજ ન હોએ તેથી સાક્ષાત. ૩૮૫</poem>'''}}
{{Poem2Open}}
પણ તેને ગાળવાથી પાત્ર ઘડાતું નથી કે તેમાંથી કોઈ સિક્કો પણ બનાવી શકાતો નથી. તેવી રીતે જગતપ્રપંચને લાગેવળગે છે ત્યાં સુધી એ બધા ગુરુઓ કાર્ય કરે છે – કામમાં આવે છે પણ તેથી મૂળ વસ્તુનો સાક્ષાત્કાર થતો નથી.
પણ તેને ગાળવાથી પાત્ર ઘડાતું નથી કે તેમાંથી કોઈ સિક્કો પણ બનાવી શકાતો નથી. તેવી રીતે જગતપ્રપંચને લાગેવળગે છે ત્યાં સુધી એ બધા ગુરુઓ કાર્ય કરે છે – કામમાં આવે છે પણ તેથી મૂળ વસ્તુનો સાક્ષાત્કાર થતો નથી.
ચિત્ત કહે પ્રશ્ન એક ઊપજે છે મુને, જે ત્યેં તાં ગુરુ દેખાડ્યો કેહેને,
{{Poem2Close}}
પણ પ્રથમ તેં રાખ્યો છે થાપ, જે કરવી જ કરવી ભક્તિ સહી બાપ. ૩૮૬
{{Block center|'''<poem>ચિત્ત કહે પ્રશ્ન એક ઊપજે છે મુને, જે ત્યેં તાં ગુરુ દેખાડ્યો કેહેને,
પણ પ્રથમ તેં રાખ્યો છે થાપ, જે કરવી જ કરવી ભક્તિ સહી બાપ. ૩૮૬</poem>'''}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : મને એક પ્રશ્ન ઊપજે છે કે તેં તો ગુરુને સાક્ષાત્‌ બતાવ્યો. પણ પહેલાં તેં એવી સ્થાપના કરી હતી કે ભક્તિ તો કરવી જ જોઈએ.
ચિત્ત કહે છે : મને એક પ્રશ્ન ઊપજે છે કે તેં તો ગુરુને સાક્ષાત્‌ બતાવ્યો. પણ પહેલાં તેં એવી સ્થાપના કરી હતી કે ભક્તિ તો કરવી જ જોઈએ.
પાઠચર્ચા : બીજા ચરણમાં ‘ગુરુ’ને સ્થાને ક ગ સિવાયની હપ્ર ‘વસ્તુ’ પાઠ આપે છે પરંતુ મુખ્યપ્રતનો પાઠ છોડવો જરૂરી લાગ્યો નથી કેમકે અખાજીએ હમણાં જ ગુરુ અને બ્રહ્મની એકતા સ્થાપિત કરી છે જેથી અહીં ગુરુ એટલે ગુરુ બ્રહ્મ એવો અર્થ લઈ શકાય તેમ છે. આ જ ચરણમાં ક ગ હપ્ર ‘કેહેને’ પાઠ આપે છે ત્યારે અન્ય હપ્ર ‘કહને’ ‘કને’ વગેરે પાઠ આપે છે. ‘કેહેને’ એ ‘કને’ના અર્થમાં જ છે અને એ ક ગ હપ્રની લેખનખાસિયત છે એમ ગણ્યું છે.
'''પાઠચર્ચા''' : બીજા ચરણમાં ‘ગુરુ’ને સ્થાને ક ગ સિવાયની હપ્ર ‘વસ્તુ’ પાઠ આપે છે પરંતુ મુખ્યપ્રતનો પાઠ છોડવો જરૂરી લાગ્યો નથી કેમકે અખાજીએ હમણાં જ ગુરુ અને બ્રહ્મની એકતા સ્થાપિત કરી છે જેથી અહીં ગુરુ એટલે ગુરુ બ્રહ્મ એવો અર્થ લઈ શકાય તેમ છે. આ જ ચરણમાં ક ગ હપ્ર ‘કેહેને’ પાઠ આપે છે ત્યારે અન્ય હપ્ર ‘કહને’ ‘કને’ વગેરે પાઠ આપે છે. ‘કેહેને’ એ ‘કને’ના અર્થમાં જ છે અને એ ક ગ હપ્રની લેખનખાસિયત છે એમ ગણ્યું છે.
હવે તે વચન તે ક્યાંહાં બેસશે, જે બહુ પિંડ્યે તું કહે છે રસે,
{{Poem2Close}}
નવધા સુધી કહી ત્યેં ભક્તિ, એક એકની નવનવ જુક્તિ. ૩૮૭
{{Block center|'''<poem>હવે તે વચન તે ક્યાંહાં બેસશે, જે બહુ પિંડ્યે તું કહે છે રસે,
નવધા સુધી કહી ત્યેં ભક્તિ, એક એકની નવનવ જુક્તિ. ૩૮૭</poem>'''}}
{{Poem2Open}}
હવે તે વચન જેમાં બહુ પિંડ – રૂપવાળી ભક્તિની વાત તું રસપૂર્વક (= ભારપૂર્વક) કહે છે તે ક્યાંથી બેસશે? નવધા સુધીની ભક્તિ તેં કહી છે તે દરેકની નવીનવી રીત – પ્રકાર છે.
હવે તે વચન જેમાં બહુ પિંડ – રૂપવાળી ભક્તિની વાત તું રસપૂર્વક (= ભારપૂર્વક) કહે છે તે ક્યાંથી બેસશે? નવધા સુધીની ભક્તિ તેં કહી છે તે દરેકની નવીનવી રીત – પ્રકાર છે.
સમજૂતી : બીજા ચરણનો અર્થ કડી ૩૮૯ના સંદર્ભમાં જોઈએ ત્યારે એવો સમજાય છે કે ભક્તિમાં જુદાજુદા વેશ, ક્રિયા વગેરેનો આશ્રય લેવામાં આવે છે તેને કવિ ‘બહુપિંડત્વ’ એટલે કે વિવિધરૂપ હોવાપણું ગણે છે.
'''સમજૂતી''' : બીજા ચરણનો અર્થ કડી ૩૮૯ના સંદર્ભમાં જોઈએ ત્યારે એવો સમજાય છે કે ભક્તિમાં જુદાજુદા વેશ, ક્રિયા વગેરેનો આશ્રય લેવામાં આવે છે તેને કવિ ‘બહુપિંડત્વ’ એટલે કે વિવિધરૂપ હોવાપણું ગણે છે.
અર્ચન વંદન કીરતન કરે, પાદસેવના અર્ચન આચરે,
{{Poem2Close}}
સમરણ દાસ્યત્વ બહુ ભેદ, સખાભાવ આતમનૈવેદ. ૩૮૮
{{Block center|'''<poem>અર્ચન વંદન કીરતન કરે, પાદસેવના અર્ચન આચરે,
સમરણ દાસ્યત્વ બહુ ભેદ, સખાભાવ આતમનૈવેદ. ૩૮૮</poem>'''}}
{{Poem2Open}}
અર્ચન, વંદન, કીર્તન કરે, પાદસેવન પૂજન આચરે, ઉપરાંત સ્મરણ, દાસત્વ, સખાભાવ, આત્મનિવેદન વગેરે પ્રકારે ભક્તિ રહેલી છે.
અર્ચન, વંદન, કીર્તન કરે, પાદસેવન પૂજન આચરે, ઉપરાંત સ્મરણ, દાસત્વ, સખાભાવ, આત્મનિવેદન વગેરે પ્રકારે ભક્તિ રહેલી છે.
સમજૂતી : ભક્તિના નવ પ્રકાર આ પ્રમાણે છે : શ્રવણ, વંદન, કીર્તન, પાદસેવન, અર્ચન, સ્મરણ, દાસત્વ, સખ્યત્વ અને આત્મનિવેદન. એમાંથી શ્રવણ અહીં ચુકાઈ ગયેલ છે અને એને સ્થાને અર્ચન બે વાર આવેલ છે.
'''સમજૂતી''' : ભક્તિના નવ પ્રકાર આ પ્રમાણે છે : શ્રવણ, વંદન, કીર્તન, પાદસેવન, અર્ચન, સ્મરણ, દાસત્વ, સખ્યત્વ અને આત્મનિવેદન. એમાંથી શ્રવણ અહીં ચુકાઈ ગયેલ છે અને એને સ્થાને અર્ચન બે વાર આવેલ છે.
એકાશી સુધી તેં લખી, ત્યારે તેં કહી[૩પખ] પરસી પારખી,
{{Poem2Close}}
બહુ પિંડ્યે આચરણહારા, વેષ ક્રિયા વિધ્યવિધ આચારા. ૩૮૯
{{Block center|'''<poem>એકાશી સુધી તેં લખી, ત્યારે તેં કહી[૩પખ] પરસી પારખી,
બહુ પિંડ્યે આચરણહારા, વેષ ક્રિયા વિધ્યવિધ આચારા. ૩૮૯</poem>'''}}
{{Poem2Open}}
એક્યાસી સુધીની (ભક્તિ) તેં વર્ણવી – આલેખી ત્યારે તેં એને શું તપાસીને સ્વીકારી છે? એમાં તો અનેક રૂપનું આચરણ થાય છે કેમકે, વેશ, ક્રિયાના વિવિધ આચારનો એમાં આશ્રય લેવાય છે.
એક્યાસી સુધીની (ભક્તિ) તેં વર્ણવી – આલેખી ત્યારે તેં એને શું તપાસીને સ્વીકારી છે? એમાં તો અનેક રૂપનું આચરણ થાય છે કેમકે, વેશ, ક્રિયાના વિવિધ આચારનો એમાં આશ્રય લેવાય છે.
તે ત્યેં શું જાણીને કહ્યું, વસ્તુ વિષે તો કાંઈ કેહેવા નવ્ય રહ્યું,
{{Poem2Close}}
વિચાર કહે સાંભલ્ય ચિત્તરાઇ, મેં કહ્યું તેહેનો અભિપ્રાઇ. ૩૯૦
{{Block center|'''<poem>તે ત્યેં શું જાણીને કહ્યું, વસ્તુ વિષે તો કાંઈ કેહેવા નવ્ય રહ્યું,
વિચાર કહે સાંભલ્ય ચિત્તરાઇ, મેં કહ્યું તેહેનો અભિપ્રાઇ. ૩૯૦</poem>'''}}
{{Poem2Open}}
તો તે તેં શું જાણીને કહ્યું? વસ્તુ એટલે કે બ્રહ્મ વિશે કંઈ કહેવાનું રહ્યું નહીં. વિચાર કહે : ચિત્તરાય, મેં કહ્યું તેનો અભિપ્રાય સાંભળ.
તો તે તેં શું જાણીને કહ્યું? વસ્તુ એટલે કે બ્રહ્મ વિશે કંઈ કહેવાનું રહ્યું નહીં. વિચાર કહે : ચિત્તરાય, મેં કહ્યું તેનો અભિપ્રાય સાંભળ.
તુજને જ્યારે પિંડ્ય જ સ્ફુરે, ત્યારે સ્વસ્વરૂપ નિશે વીસરે,
{{Poem2Close}}
જ્યમજ્યમ બહુ દેહે અધ્યાસ, ત્યમત્યમ સ્વસ્વરૂપ હોએ નાશ. ૩૯૧
{{Block center|'''<poem>તુજને જ્યારે પિંડ્ય જ સ્ફુરે, ત્યારે સ્વસ્વરૂપ નિશે વીસરે,
જ્યમજ્યમ બહુ દેહે અધ્યાસ, ત્યમત્યમ સ્વસ્વરૂપ હોએ નાશ. ૩૯૧</poem>'''}}
{{Poem2Open}}
તને જ્યારે શરીરનું ભાન થાય છે ત્યારે તારું મૂળ સ્વરૂપ તું ચોક્કસપણે ભૂલી જાય છે. જેમજેમ શરીરનો અધ્યાસ વધે છે તેમતેમ તારા સ્વસ્વરૂપનો નાશ થાય છે.
તને જ્યારે શરીરનું ભાન થાય છે ત્યારે તારું મૂળ સ્વરૂપ તું ચોક્કસપણે ભૂલી જાય છે. જેમજેમ શરીરનો અધ્યાસ વધે છે તેમતેમ તારા સ્વસ્વરૂપનો નાશ થાય છે.
નિજપણું જ્યાંહાં ગયું વીસરી, તેહેને સ્વપનશ્રેણ્ય ચોરાશી ખરી,
{{Poem2Close}}
તે નિદ્રા નીગમવા કાજ્ય, ભક્તિ દેખાડી અંતરબાહાજ્ય. ૩૯૨
{{Block center|'''<poem>નિજપણું જ્યાંહાં ગયું વીસરી, તેહેને સ્વપનશ્રેણ્ય ચોરાશી ખરી,
તે નિદ્રા નીગમવા કાજ્ય, ભક્તિ દેખાડી અંતરબાહાજ્ય. ૩૯૨</poem>'''}}
{{Poem2Open}}
જ્યારે પોતાપણું ભુલાઈ જાય ત્યારે તે માણસને ચોરાસી લાખ જન્મના ફેરારૂપ સ્વપ્નની શ્રેણિ નિષ્પન્ન થાય છે. તે નિદ્રાને દૂર કરવા આંતરિક અને બાહ્ય ભક્તિનો માર્ગ બતાવ્યો.
જ્યારે પોતાપણું ભુલાઈ જાય ત્યારે તે માણસને ચોરાસી લાખ જન્મના ફેરારૂપ સ્વપ્નની શ્રેણિ નિષ્પન્ન થાય છે. તે નિદ્રાને દૂર કરવા આંતરિક અને બાહ્ય ભક્તિનો માર્ગ બતાવ્યો.
જ્યમ કેહેને ઊમટે ભ્રમરોગ, વ્યાકુલ થૈ જાએ તનમનજોગ,
{{Poem2Close}}
તે જ્યમ સ્વાદ્યે લાગો દહીં ખાટું ખાય, ત્યમત્યમ ગ્રથલ ઘણેરું થાય. ૩૯૩
{{Block center|'''<poem>જ્યમ કેહેને ઊમટે ભ્રમરોગ, વ્યાકુલ થૈ જાએ તનમનજોગ,
તે જ્યમ સ્વાદ્યે લાગો દહીં ખાટું ખાય, ત્યમત્યમ ગ્રથલ ઘણેરું થાય. ૩૯૩</poem>'''}}
{{Poem2Open}}
જ્યારે કોઈને ગાંડપણ આવે છે ત્યારે તેનાં તનમન વ્યાકુળ થઈ જાય છે. તે (રોગી) સ્વાદનો માર્યો ખાટું દહીં ખાય તેમતેમ વધારે ઘેલો – ગાંડો બને છે.
જ્યારે કોઈને ગાંડપણ આવે છે ત્યારે તેનાં તનમન વ્યાકુળ થઈ જાય છે. તે (રોગી) સ્વાદનો માર્યો ખાટું દહીં ખાય તેમતેમ વધારે ઘેલો – ગાંડો બને છે.
સમજૂતી : વૈદકની દૃષ્ટિએ ખાટું દહીં અને દહીં ખાંડ બંને અપથ્ય છે. દહીં મગજના સ્રોતોને રોકે અને ખટાશ પિત્તનો પ્રકોપ કરે. અહીં થયેલું વર્ણન દહીંખાંડથી થતા વિકારને બદલે ખાટા દહીંથી થતા વિકારને વધુ લાગુ પડે તેવું છે.  
'''સમજૂતી''' : વૈદકની દૃષ્ટિએ ખાટું દહીં અને દહીં ખાંડ બંને અપથ્ય છે. દહીં મગજના સ્રોતોને રોકે અને ખટાશ પિત્તનો પ્રકોપ કરે. અહીં થયેલું વર્ણન દહીંખાંડથી થતા વિકારને બદલે ખાટા દહીંથી થતા વિકારને વધુ લાગુ પડે તેવું છે.
તે પાછી નિરમલ કરવા કાય, તીખાં તમતમાં ઓષધ ખાય,
{{Poem2Close}}
શાંત્યમા આવે તો[૩૬ક] થાએ આરોગ, રસ ના પડે તો બાંધે અમોઘ. ૩૯૪  
{{Block center|'''<poem>તે પાછી નિરમલ કરવા કાય, તીખાં તમતમાં ઓષધ ખાય,
શાંત્યમા આવે તો[૩૬ક] થાએ આરોગ, રસ ના પડે તો બાંધે અમોઘ. ૩૯૪</poem>'''}}
{{Poem2Open}}
તે શરીરને ફરી નીરોગી કરવા માટે તીખી તમતમતી દવા ખાય. ગાંડપણમાં શાંતપણું આવે, ગાંડપણ શાંત થાય તો રોગમાંથી મુક્ત થાય પણ એ ઔષધ ન ગમે તો રોગ કાયમી થાય છે. (=રોગનો નાશ થતો નથી.)
તે શરીરને ફરી નીરોગી કરવા માટે તીખી તમતમતી દવા ખાય. ગાંડપણમાં શાંતપણું આવે, ગાંડપણ શાંત થાય તો રોગમાંથી મુક્ત થાય પણ એ ઔષધ ન ગમે તો રોગ કાયમી થાય છે. (=રોગનો નાશ થતો નથી.)
જ્યમ કો બાલક આલે ચઢે, શ્વાસ લેઈને પ્રથવી પડે,
{{Poem2Close}}
તેહેને આલાલુંબે લગાડે માત, જાણે કરતો રહે ઉતપાત. ૩૯૫
{{Block center|'''<poem>જ્યમ કો બાલક આલે ચઢે, શ્વાસ લેઈને પ્રથવી પડે,
તેહેને આલાલુંબે લગાડે માત, જાણે કરતો રહે ઉતપાત. ૩૯૫</poem>'''}}
{{Poem2Open}}
જેમ કોઈ બાળક તોફાને ચઢે ત્યારે શ્વાસ ચડી જઈને (હાંફી જઈને) પૃથ્વી પર પડે અને એ ઉતપાત કરતો મટે તે માટે મા તેને કશીક લાલચમાં નાખે –
જેમ કોઈ બાળક તોફાને ચઢે ત્યારે શ્વાસ ચડી જઈને (હાંફી જઈને) પૃથ્વી પર પડે અને એ ઉતપાત કરતો મટે તે માટે મા તેને કશીક લાલચમાં નાખે –
ત્યમ કહ્યું હૂતું ઘટવા ઉનમાદ, અને તું તાં કરવા લાગો વાદ,
{{Poem2Close}}
નહીં તો નાચ્યાકૂદ્યાનું શું કામ, ઓલખવો હૂતો અંતર્યથી રામ. ૩૯૬
{{Block center|'''<poem>ત્યમ કહ્યું હૂતું ઘટવા ઉનમાદ, અને તું તાં કરવા લાગો વાદ,
નહીં તો નાચ્યાકૂદ્યાનું શું કામ, ઓલખવો હૂતો અંતર્યથી રામ. ૩૯૬</poem>'''}}
{{Poem2Open}}
તેમ મેં (ભક્તિની આવશ્યક્તા અંગે) કહ્યું હતું તે ઉન્માદ દૂર કરવા માટે કહ્યું હતું અને તું તો વાદ-વિવાદ કરવા લાગ્યો. એવી જરૂરત ન હોય તો (ભક્તિ અર્થે) નાચવાકૂદવાનું શું કામ હતું? કારણ કે રામને તો અંતરથી ઓળખવાનો હતો.
તેમ મેં (ભક્તિની આવશ્યક્તા અંગે) કહ્યું હતું તે ઉન્માદ દૂર કરવા માટે કહ્યું હતું અને તું તો વાદ-વિવાદ કરવા લાગ્યો. એવી જરૂરત ન હોય તો (ભક્તિ અર્થે) નાચવાકૂદવાનું શું કામ હતું? કારણ કે રામને તો અંતરથી ઓળખવાનો હતો.
એ તો ઔષધનું અજીરણ થાઇ, તું વ્યસને લાગો કહીંએ જાઇ,
{{Poem2Close}}
ચિત્ત કહે જ્યારે કરવી ભક્તિ, પાછી આણવા આતમવૃત્તિ. ૩૯૭
{{Block center|'''<poem>એ તો ઔષધનું અજીરણ થાઇ, તું વ્યસને લાગો કહીંએ જાઇ,
પણ જ્યારે ઔષધનું અજીરણ થાય, એ કામ આપતું બંધ થાય ત્યારે તેનું વ્યસન બંધાય છે અને તેનાથી તું ક્યાંયનો ક્યાંય જાય છે. ચિત્ત કહે છે : જ્યારે આત્મવૃત્તિ પાછી લાવવા માટે ભક્તિ કરવાની હોય –  
ચિત્ત કહે જ્યારે કરવી ભક્તિ, પાછી આણવા આતમવૃત્તિ. ૩૯૭</poem>'''}}
અહીં ભક્તિ તે કેવી ઘટે, આ તો લખાણી ગુણને પટે,
{{Poem2Open}}
જેણે પામીએ સ્વામી સદ્ય, એહવું આચરણ મૂલ તું વદ્ય. ૩૯૮
પણ જ્યારે ઔષધનું અજીરણ થાય, એ કામ આપતું બંધ થાય ત્યારે તેનું વ્યસન બંધાય છે અને તેનાથી તું ક્યાંયનો ક્યાંય જાય છે. ચિત્ત કહે છે : જ્યારે આત્મવૃત્તિ પાછી લાવવા માટે ભક્તિ કરવાની હોય –
{{Poem2Close}}
{{Block center|'''<poem>અહીં ભક્તિ તે કેવી ઘટે, આ તો લખાણી ગુણને પટે,
જેણે પામીએ સ્વામી સદ્ય, એહવું આચરણ મૂલ તું વદ્ય. ૩૯૮</poem>'''}}
{{Poem2Open}}
ત્યારે એ સ્થિતિમાં ભક્તિ કેવી હોવી જોઈએ? આ ભક્તિ તો ગુણના પટ પર આલેખાઈ છે (ગુણયુક્ત છે). જેનાથી સ્વામી – બ્રહ્મ તરત જ પ્રાપ્ત થાય એવું આચરણ કયું તે તું બરાબર મને કહે.
ત્યારે એ સ્થિતિમાં ભક્તિ કેવી હોવી જોઈએ? આ ભક્તિ તો ગુણના પટ પર આલેખાઈ છે (ગુણયુક્ત છે). જેનાથી સ્વામી – બ્રહ્મ તરત જ પ્રાપ્ત થાય એવું આચરણ કયું તે તું બરાબર મને કહે.
વિચાર કહે દ્રષ્ટાંતે જાણ્ય, આણલિંગની જે ભક્ત્ય નિરવાણ,
{{Poem2Close}}
જ્યારે મેઘવૃષ્ટ્ય થાનારી હોએ ઘણું, ત્યારે દેખાડે બહુ તેજપણું. ૩૯૯
{{Block center|'''<poem>વિચાર કહે દ્રષ્ટાંતે જાણ્ય, આણલિંગની જે ભક્ત્ય નિરવાણ,
જ્યારે મેઘવૃષ્ટ્ય થાનારી હોએ ઘણું, ત્યારે દેખાડે બહુ તેજપણું. ૩૯૯</poem>'''}}
{{Poem2Open}}
વિચાર કહે છે : જ્ઞાનીની ભક્તિ ખરેખર કેવી હોય છે તે દૃષ્ટાંતથી સમજ. જ્યારે મેઘની વૃષ્ટિ ઘણી થવાની હોય ત્યારે ઘણો તાપ પડતો હોય છે.
વિચાર કહે છે : જ્ઞાનીની ભક્તિ ખરેખર કેવી હોય છે તે દૃષ્ટાંતથી સમજ. જ્યારે મેઘની વૃષ્ટિ ઘણી થવાની હોય ત્યારે ઘણો તાપ પડતો હોય છે.
તપે ઘણું[૩૬ખ] તેણે પિંડ્ય બ્રહ્માંડ, કલકલી આવે સઘલી મંડ્ય,
{{Poem2Close}}
તેજે કરી જલ પરગટ થાઇ, હરીહરી પ્રથવી થૈ જાઇ. ૪૦૦
{{Block center|'''<poem>તપે ઘણું[૩૬ખ] તેણે પિંડ્ય બ્રહ્માંડ, કલકલી આવે સઘલી મંડ્ય,
તેજે કરી જલ પરગટ થાઇ, હરીહરી પ્રથવી થૈ જાઇ. ૪૦૦</poem>'''}}
{{Poem2Open}}
તેનાથી પિંડ – બ્રહ્માંડ ઘણાં તપે છે. સઘળી સૃષ્ટિ આકળવિકળ થઈ જાય છે, પરંતુ તાપને કારણે જળ ઉત્પન્ન થાય છે, (વરસે છે ને) પૃથ્વી લીલીછમ થઈ જાય છે.
તેનાથી પિંડ – બ્રહ્માંડ ઘણાં તપે છે. સઘળી સૃષ્ટિ આકળવિકળ થઈ જાય છે, પરંતુ તાપને કારણે જળ ઉત્પન્ન થાય છે, (વરસે છે ને) પૃથ્વી લીલીછમ થઈ જાય છે.
સમજૂતી : તાપથી સમુદ્રનું જળ શોષાઈને વાદળાં બંધાય પછી પૃથ્વી પર વરસે છે એ પ્રક્રિયા અખાજીને અહીં અભિપ્રેત છે. વચ્ચેનાં પગથિયાં અખાજી એમની લાક્ષણિક શૈલીએ કુદાવી ગયા છે.
'''સમજૂતી''' : તાપથી સમુદ્રનું જળ શોષાઈને વાદળાં બંધાય પછી પૃથ્વી પર વરસે છે એ પ્રક્રિયા અખાજીને અહીં અભિપ્રેત છે. વચ્ચેનાં પગથિયાં અખાજી એમની લાક્ષણિક શૈલીએ કુદાવી ગયા છે.
એણે દ્રષ્ટાંતે જે છે ભક્‌ત્ય, આતુરતા ઊપજે અમિત્ય,
{{Poem2Close}}
બહુ તાપ્યે જ્યમ પ્રગટે તોઇ, ત્યમ અંતર્યથી હરિ પરગટ હોઇ. ૪૦૧
{{Block center|'''<poem>એણે દ્રષ્ટાંતે જે છે ભક્‌ત્ય, આતુરતા ઊપજે અમિત્ય,
બહુ તાપ્યે જ્યમ પ્રગટે તોઇ, ત્યમ અંતર્યથી હરિ પરગટ હોઇ. ૪૦૧</poem>'''}}
{{Poem2Open}}
આ દૃષ્ટાંતથી ભક્તિનું આવું સ્વરૂપ પ્રગટ થાય છે. જેમ બહુ તાપથી પાણી વરસે છે તેમ જ્યારે ઘણી આતુરતા ઊપજે છે ત્યારે અંતરમાંથી હરિ પ્રગટ થાય છે.
આ દૃષ્ટાંતથી ભક્તિનું આવું સ્વરૂપ પ્રગટ થાય છે. જેમ બહુ તાપથી પાણી વરસે છે તેમ જ્યારે ઘણી આતુરતા ઊપજે છે ત્યારે અંતરમાંથી હરિ પ્રગટ થાય છે.
વ્રેહેવૈરાગ્ય અંતર્ય અપાર, પણ બાહાર્ય ન જાણે કોઈ લગાર,
{{Poem2Close}}
ગજકોઠાની પેર્યે થાઇ, અંતર્યથી કંદ્રપ બલી જાઇ. ૪૦૨
{{Block center|'''<poem>વ્રેહેવૈરાગ્ય અંતર્ય અપાર, પણ બાહાર્ય ન જાણે કોઈ લગાર,
ગજકોઠાની પેર્યે થાઇ, અંતર્યથી કંદ્રપ બલી જાઇ. ૪૦૨</poem>'''}}
{{Poem2Open}}
અંતરમાં વિરહવૈરાગ્ય ખૂબ હોય છે પણ બહાર કોઈ તેને સહેજ પણ જાણે નહીં. હાથીએ ગળેલું કોઠું જેમ બહારથી આખું રહીને અંદરથી ખવાઈ જાય છે તેમ એના અંતરમાંથી કામ બળી જાય છે.
અંતરમાં વિરહવૈરાગ્ય ખૂબ હોય છે પણ બહાર કોઈ તેને સહેજ પણ જાણે નહીં. હાથીએ ગળેલું કોઠું જેમ બહારથી આખું રહીને અંદરથી ખવાઈ જાય છે તેમ એના અંતરમાંથી કામ બળી જાય છે.
સમજૂતી : ગજકપિત્થન્યાય એમ બતાવે છે કે હાથી કોઠું ગળી જાય છે ત્યારે એના પેટમાં કોઠું બહારથી આખું જ રહે છે પણ અંદરથી એનો ગર્ભ ખવાઈ જાય છે. અખાજી જ્ઞાની ભક્તને પણ આવા જ કલ્પે છે. બહારેથી એ એવાને એવા જ દેખાય છે, પણ અંદરથી અહંભાવ ગળી ગયો હોય છે. ભક્તિનો કોઈ દેખાવ નથી હોતો.
'''સમજૂતી''' : ગજકપિત્થન્યાય એમ બતાવે છે કે હાથી કોઠું ગળી જાય છે ત્યારે એના પેટમાં કોઠું બહારથી આખું જ રહે છે પણ અંદરથી એનો ગર્ભ ખવાઈ જાય છે. અખાજી જ્ઞાની ભક્તને પણ આવા જ કલ્પે છે. બહારેથી એ એવાને એવા જ દેખાય છે, પણ અંદરથી અહંભાવ ગળી ગયો હોય છે. ભક્તિનો કોઈ દેખાવ નથી હોતો.
ત્યમ દેહાઅભિમાન અંતર્યથી ગલે, રસરૂપ થઈ સ્વામીમાં ભલે,
{{Poem2Close}}
સદા સમોહોલે તે ઘટ રામ, અહંકૃત્ય ગઈ રહ્યું રૂપનામ. ૪૦૩
{{Block center|'''<poem>ત્યમ દેહાઅભિમાન અંતર્યથી ગલે, રસરૂપ થઈ સ્વામીમાં ભલે,
સદા સમોહોલે તે ઘટ રામ, અહંકૃત્ય ગઈ રહ્યું રૂપનામ. ૪૦૩</poem>'''}}
{{Poem2Open}}
એવી રીતે દેહાભિમાન અંતરમાંથી દૂર થાય અને જીવ રસરૂપ થઈને સ્વામી (બ્રહ્મ)માં ભળી જાય ત્યારે તે ઘટમાં સદા રામ હાજરાહજૂર રહે છે. અહંભાવ જતો રહે છે ને માત્ર રૂપ અને નામ રહે છે.
એવી રીતે દેહાભિમાન અંતરમાંથી દૂર થાય અને જીવ રસરૂપ થઈને સ્વામી (બ્રહ્મ)માં ભળી જાય ત્યારે તે ઘટમાં સદા રામ હાજરાહજૂર રહે છે. અહંભાવ જતો રહે છે ને માત્ર રૂપ અને નામ રહે છે.
સમજૂતી : સંમુખે>સંમુહે>સમોહે>સમોહોલેં એમ શબ્દ આવ્યો ગણી શકાય. જ્ઞાની ભક્તને નામરૂપ તો રહે છે, કેમકે એ દેહધારી છે. પણ એનું આંતરિક સત્ત્વ જુદું થઈ ગયું હોય છે.
'''સમજૂતી''' : સંમુખે>સંમુહે>સમોહે>સમોહોલેં એમ શબ્દ આવ્યો ગણી શકાય. જ્ઞાની ભક્તને નામરૂપ તો રહે છે, કેમકે એ દેહધારી છે. પણ એનું આંતરિક સત્ત્વ જુદું થઈ ગયું હોય છે.
અણલિંગી ગુરુ તેહેને મલ્યો, ત્યારે ગુરુ જ રહ્યો ને શિષ્ય તે ટલ્યો,
{{Poem2Close}}
લૌકિક ભક્તિ તાં એ નવ્ય હોઇ, જ્યાંહાં આપે આપની નીપજ જોઇ. ૪૦૪
{{Block center|'''<poem>અણલિંગી ગુરુ તેહેને મલ્યો, ત્યારે ગુરુ જ રહ્યો ને શિષ્ય તે ટલ્યો,
લૌકિક ભક્તિ તાં એ નવ્ય હોઇ, જ્યાંહાં આપે આપની નીપજ જોઇ. ૪૦૪</poem>'''}}
{{Poem2Open}}
બ્રહ્મસ્વરૂપી ગુરુ તેને મળ્યો ત્યારે ગુરુ રહે છે ને શિષ્ય ટળી જાય છે. જ્યાં પોતાનામાંથી જ પોતાની નીપજ જોવામાં આવે ત્યાં લૌકિક ભક્તિને સ્થાન રહેતું નથી.
બ્રહ્મસ્વરૂપી ગુરુ તેને મળ્યો ત્યારે ગુરુ રહે છે ને શિષ્ય ટળી જાય છે. જ્યાં પોતાનામાંથી જ પોતાની નીપજ જોવામાં આવે ત્યાં લૌકિક ભક્તિને સ્થાન રહેતું નથી.
સમજૂતી : કવિની દલીલ એ છે કે દેહાભિમાન જતાં અંતરમાં રામ આવી વસે છે એટલે કે બ્રહ્મ થવાય છે. એ અણલિંગી બ્રહ્મ-અવસ્થા જ જાણે ગુરુ બને છે અને ત્યારે બ્રહ્મ જ વ્યાપી રહે છે એટલે કે ગુરુશિષ્યનું અદ્વૈત થાય છે. આ અદ્વૈતની સ્થિતિમાં ભક્તિને કોઈ અવકાશ નથી.
'''સમજૂતી''' : કવિની દલીલ એ છે કે દેહાભિમાન જતાં અંતરમાં રામ આવી વસે છે એટલે કે બ્રહ્મ થવાય છે. એ અણલિંગી બ્રહ્મ-અવસ્થા જ જાણે ગુરુ બને છે અને ત્યારે બ્રહ્મ જ વ્યાપી રહે છે એટલે કે ગુરુશિષ્યનું અદ્વૈત થાય છે. આ અદ્વૈતની સ્થિતિમાં ભક્તિને કોઈ અવકાશ નથી.
કરવી કહીતી જે મેં ભકત્ય, તેહેની એમ જાણી લે જુકત્ય,
{{Poem2Close}}
ગુરુ[૩૭ક]સેવા ને આતમલક્ષ, માહારો ત્યાં છે એહ જ પક્ષ. ૪૦૫
{{Block center|'''<poem>કરવી કહીતી જે મેં ભકત્ય, તેહેની એમ જાણી લે જુકત્ય,
ગુરુ[૩૭ક]સેવા ને આતમલક્ષ, માહારો ત્યાં છે એહ જ પક્ષ. ૪૦૫</poem>'''}}
{{Poem2Open}}
મેં તને જે ભક્તિ કરવાની કહી હતી તેનો આ પ્રમાણે મર્મ સમજી લે. ગુરુની સેવા અને આત્મબોધ એ બાબતમાં મારો આ જ મત છે.
મેં તને જે ભક્તિ કરવાની કહી હતી તેનો આ પ્રમાણે મર્મ સમજી લે. ગુરુની સેવા અને આત્મબોધ એ બાબતમાં મારો આ જ મત છે.
જો નીપજે તો એમ નીપજે, બાકી સહુ મનગમતું ભજે,
{{Poem2Close}}
દેહાભિમાન એ મોટો રોગ, જેણે ન હોઇ આતમભોગ. ૪૦૬
{{Block center|'''<poem>જો નીપજે તો એમ નીપજે, બાકી સહુ મનગમતું ભજે,
દેહાભિમાન એ મોટો રોગ, જેણે ન હોઇ આતમભોગ. ૪૦૬</poem>'''}}
{{Poem2Open}}
જો આત્મજ્ઞાન થાય તો આ રીતે થાય બાકી તો સૌ પોતપોતાનો મનગમતો માર્ગ સ્વીકારે. દેહાભિમાન એ મોટો રોગ છે, જેનાથી આત્મઅનુભવ થતો નથી.
જો આત્મજ્ઞાન થાય તો આ રીતે થાય બાકી તો સૌ પોતપોતાનો મનગમતો માર્ગ સ્વીકારે. દેહાભિમાન એ મોટો રોગ છે, જેનાથી આત્મઅનુભવ થતો નથી.
સમઝવો છે મરમ ચિત્ત એહ, રખે કરે ચિત્ત અહં જાડો દેહ,
{{Poem2Close}}
દેહાભિમાન ઉછેરે અહીં, તેહેને તે કુશલ કોહો કેહી. ૪૦૭
{{Block center|'''<poem>સમઝવો છે મરમ ચિત્ત એહ, રખે કરે ચિત્ત અહં જાડો દેહ,
દેહાભિમાન ઉછેરે અહીં, તેહેને તે કુશલ કોહો કેહી. ૪૦૭</poem>'''}}
{{Poem2Open}}
ચિત્ત, સમજવા જેવો આ મર્મ છે. ચિત્ત, તું અહંને રખે પુષ્ટ કરે. જે દેહાભિમાનરૂપી સાપને ઉછેરે છે તેને તે કુશળ કોણ કહે?
ચિત્ત, સમજવા જેવો આ મર્મ છે. ચિત્ત, તું અહંને રખે પુષ્ટ કરે. જે દેહાભિમાનરૂપી સાપને ઉછેરે છે તેને તે કુશળ કોણ કહે?
પાઠચર્ચા : બીજા ચરણમાં ક ગ સિવાયની બધી પ્રતો જે પાઠ આપે છે તે અર્થદૃષ્ટિએ તદ્દન અપ્રસ્તુત છે. અહીં ‘દેહ’ની નહીં, ‘દેહાભિમાન’ની વાત છે. ‘અહં’ની સાથે ‘જાડો દેહ’ જોડી ન શકવાથી પાઠ ફર્યા જણાય છે.
'''પાઠચર્ચા''' : બીજા ચરણમાં ક ગ સિવાયની બધી પ્રતો જે પાઠ આપે છે તે અર્થદૃષ્ટિએ તદ્દન અપ્રસ્તુત છે. અહીં ‘દેહ’ની નહીં, ‘દેહાભિમાન’ની વાત છે. ‘અહં’ની સાથે ‘જાડો દેહ’ જોડી ન શકવાથી પાઠ ફર્યા જણાય છે.
અહીં તો છે ટલવાનું કામ અહં ટલતે રહે આતમરામ,
{{Poem2Close}}
જો જાણે તો એમ જ જાણ્ય, મેં તો કહી મૂક્યું નિરવાણ્ય. ૪૦૮
{{Block center|'''<poem>અહીં તો છે ટલવાનું કામ અહં ટલતે રહે આતમરામ,
જો જાણે તો એમ જ જાણ્ય, મેં તો કહી મૂક્યું નિરવાણ્ય. ૪૦૮</poem>'''}}
{{Poem2Open}}
અહીં તો જાતે ટળી જવાનું કામ છે. અહં દૂર થતાં આત્મારામ રહે છે. જો જાણવું હોય તો એમ જ જાણ. મેં તો તને નિશ્ચિતપણે કહી દીધું.
અહીં તો જાતે ટળી જવાનું કામ છે. અહં દૂર થતાં આત્મારામ રહે છે. જો જાણવું હોય તો એમ જ જાણ. મેં તો તને નિશ્ચિતપણે કહી દીધું.
ચિત્ત કહે મારો ભાગો ભ્રમ, ભાગાથી પામ્યો મેં મર્મ,
{{Poem2Close}}
વચન માત્ર મોરું ચિત્ત નામ, પણ જ્યમ છે ત્યમ એ સ્વે નિજધામ. ૪૦૯
{{Block center|'''<poem>ચિત્ત કહે મારો ભાગો ભ્રમ, ભાગાથી પામ્યો મેં મર્મ,
વચન માત્ર મોરું ચિત્ત નામ, પણ જ્યમ છે ત્યમ એ સ્વે નિજધામ. ૪૦૯</poem>'''}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : મારો ભ્રમ ભાંગી ગયો છે. ભ્રમ દૂર થવાથી હું મર્મ પામ્યો છું. માત્ર વચનથી હું ‘ચિત્ત’ નામ ધરાવું છું. પણ વસ્તુસ્થિતિમાં તો એ પોતે જ આત્મસ્વરૂપ છે.
ચિત્ત કહે છે : મારો ભ્રમ ભાંગી ગયો છે. ભ્રમ દૂર થવાથી હું મર્મ પામ્યો છું. માત્ર વચનથી હું ‘ચિત્ત’ નામ ધરાવું છું. પણ વસ્તુસ્થિતિમાં તો એ પોતે જ આત્મસ્વરૂપ છે.
મોરો મુજ માંહાં થયો સમાસ, તુજ દ્વારા પૂરણ પ્રકાશ,
{{Poem2Close}}
હવે નથી પૂછેવા વાત, જ્યમ છે ત્યમ સ્વે જ સાક્ષાત. ૪૧૦
{{Block center|'''<poem>મોરો મુજ માંહાં થયો સમાસ, તુજ દ્વારા પૂરણ પ્રકાશ,
હવે નથી પૂછેવા વાત, જ્યમ છે ત્યમ સ્વે જ સાક્ષાત. ૪૧૦</poem>'''}}
{{Poem2Open}}
મારો મારામાં સમાસ થયો. તારાથી પૂર્ણ પ્રકાશ થયો. હવે મારે કંઈ વાત પૂછવાની નથી. વસ્તુતઃ પોતે જ સાક્ષાત્‌-સ્વરૂપ છે.
મારો મારામાં સમાસ થયો. તારાથી પૂર્ણ પ્રકાશ થયો. હવે મારે કંઈ વાત પૂછવાની નથી. વસ્તુતઃ પોતે જ સાક્ષાત્‌-સ્વરૂપ છે.
જ્યાંહાં જેહેવો ત્યાંહાં તેહેવો હું, તેહેવા સરખા હું ને તું,
{{Poem2Close}}
અહં બ્ર[૩૭ખ]હ્મ સ્વે જ સાક્ષાત, સ્વે માંહે એ સઘલી વાત. ૪૧૧
{{Block center|'''<poem>જ્યાંહાં જેહેવો ત્યાંહાં તેહેવો હું, તેહેવા સરખા હું ને તું,
અહં બ્ર[૩૭ખ]હ્મ સ્વે જ સાક્ષાત, સ્વે માંહે એ સઘલી વાત. ૪૧૧</poem>'''}}
{{Poem2Open}}
જ્યાં જેવો તું છે તેવો હું છું. હું ને તું એ પ્રમાણે સરખા છીએ. પોતે જ સાક્ષાત્‌ અહંબ્રહ્ય છે. પોતામાં જ એ સઘલી વાત સમાઈ છે.
જ્યાં જેવો તું છે તેવો હું છું. હું ને તું એ પ્રમાણે સરખા છીએ. પોતે જ સાક્ષાત્‌ અહંબ્રહ્ય છે. પોતામાં જ એ સઘલી વાત સમાઈ છે.
તે માટે સુણ ચિત્તવિચાર, તેને નોહે ભવસંસાર;
{{Poem2Close}}
દમાય નહીં તે દેહને વિષે, કહે અખો સમઝો સુખે.
{{Block center|'''<poem>તે માટે સુણ ચિત્તવિચાર, તેને નોહે ભવસંસાર;
દમાય નહીં તે દેહને વિષે, કહે અખો સમઝો સુખે.</poem>'''}}
{{Poem2Open}}
ઘ ઝ પ્રતમાં નીચેની એક કડી વધારાની મળે છે :
ઘ ઝ પ્રતમાં નીચેની એક કડી વધારાની મળે છે :
ગુરૂ બ્રહ્માનંદ ભેટા જે ઘડી, ત્યાહારે એહેવી સૂઝ તે પડી;
{{Poem2Close}}
અખે કીધો એ ચિતવિચાર, જે ચિતવે તે ઉતરે પાર્ય.
{{Block center|'''<poem>ગુરૂ બ્રહ્માનંદ ભેટા જે ઘડી, ત્યાહારે એહેવી સૂઝ તે પડી;
 
અખે કીધો એ ચિતવિચાર, જે ચિતવે તે ઉતરે પાર્ય.</poem>'''}}
 
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = પ્રાપ્યપ્રતો
|previous = સંપાદનપદ્ધતિ
|next = પ્રતોનો આંતરસંબંધ
|next = સામાન્ય શબ્દકોશ
}}
}}

Latest revision as of 02:54, 5 March 2026

અખાજીકૃત
‘ચિત્તવિચારસંવાદ’

[૧ ક] ચિત્ત કહે છે સુણ્ય રે વિચાર, હું તું મલી કીજે નિરધાર,
માહારે તાં પરિવાર છે બહુ, કામ ક્રોધ મોહાદિક સહુ. ૧.

ચિત્ત કહે છે વિચાર, સાંભળ. આપણે બંને મળીને કંઈક નિર્ણય પર આવીએ. મારો પરિવાર બહુ મોટો છે જેમાં કામ, ક્રોધ, મોહ એ બધાનો સમાવેશ થાય છે.

બીજો પરિવાર વિવેક તુજ આદ્ય, પણ શુદ્ધ મારગ તે તાહારે સાધ્ય,
પ્રવૃત્તિમારગ માંહાં તું મુખ્ય હૂતો, સહુ પેહેલો હું તુંને પૂછતો. ૨

બીજો પરિવાર તું એટલે કે વિચાર, વિવેક વગેરેનો છે. શુદ્ધ માર્ગ તો તને સાધ્ય છે. પ્રવૃત્તિમાર્ગમાં તું મુખ્ય હતો અને સૌથી પહેલાં હું તને પૂછતો હતો.

અનંત શાસ્ત્ર કીધાં તુજ વડે હું સત્ય માનું જે હું તુજ વડે,
ચૌદ વિદ્યા અષ્ટાદશ પુરાણ, તુજ વડે બાંધ્યાં બંધાણ. ૩

મેં તારી સહાયથી ઘણાં શાસ્ત્રો રચ્યાં છે. ચૌદ વિદ્યા, અઢાર પુરાણની રચના તારી સહાયથી કરી છે. હું તારા વડે છું તે હું સત્ય સમજું છું.

સુર અસુર ખટ દરશન વેદ, તુજ વડે બહુ ભેદાભેદ,
જ્યારે હું જે ઉપર્ય થયો, ત્યારે તુંએ તે ઉપર્ય આવી ગયો. ૪

દેવ, દાનવ, છ દર્શન, વેદ આ બધા પ્રકારના ભેદ તારા વડે પરખાય છે. જ્યારે મારું લક્ષ જે પદાર્થ પર થાય ત્યારે તારું પણ લક્ષ એ પદાર્થ પર આવી જાય છે.

વિષેભોગ રચ્યા પરપંચ, તેએ ત્યેં દેખાડ્યા સંચ,
જ્યાહારે જે [૧ખ] હેવું માહારું સ્વરૂપ, ત્યારે તું થાએ તદ્રૂપ. ૫

વિષયભોગના જે પ્રપંચ રચાયા છે તેની આંટીઘૂંટી પણ તેં જ બતાવી છે. જ્યારે મારું જેવું સ્વરૂપ થાય છે ત્યારે તું પણ તેવો જ થાય છે.

હવે જે ઉમેદ છે મુને, જોને તે ગમે છે તુંને,
વિચાર કહે કહોજી પિતા અમ્હ્યો છું તમ્હારા હુતા. ૬

હવે જે મારી ઇચ્છા છે તે તને ગમે છે, અનુકૂળ આવે છે કે કેમ તે જો. વિચાર કહે છે : હે પિતા, તમારા થકી જ હું છું. તમારી ઇચ્છા કહો.

જેહેવો આશે દેખેશ તમ તણો, તેહેવો ઉકેલ ઉકેલેશ ઘણો,
મુજ સુભાવ દીપકની જોત્ય, આગલ આગલ્ય ચાલે ઉદ્યોત. ૭

જેવો તમારો આશય હું જોઈશ તેવો ઉકેલ હું કરી આપીશ. મારો સ્વભાવ દીપકની જ્યોત જેવો છે, જેનો પ્રકાશ દીવાની આગળ આગળ ચાલતો હેાય છે. સમજૂતી : ચિત્તમાં આશય ઉત્પન્ન થતાં જ ચિત્તે કહ્યા પહેલાંથી વિચાર એ પ્રમાણે પ્રવૃત્ત થઈ જાય છે એવું તાત્પર્ય છે.

મોરો સુભાવ છે પાણી તણો, સંગ સરીખો રંગ આપણો,
જેહેવો આશે પૂછશોજી પિતા, તેહેવા અમ્હ્યો પડીશું છતા. ૮

મારો સ્વભાવ પાણી જેવો છે. જે વસ્તુનો જેવો મને સંગ થાય છે તેવો મારો રંગ થાય છે. એટલે હે પિતા, તમારા જેવા આશયથી મને પૂછશો તેવું મારું સ્વરૂપ હું પ્રગટ કરીશ.

ચિત્ત કહે ઊંડો આશે છે મુજ તણો, જો લાગી શકશે લક્ષ આપણો,
આગે મેં ઉપનિષદ કર્યાં, ઊપનાં તત્ત્વ પાછાં ઊધર્યાં. ૯

ચિત્ત કહે છે : મારો આશય ગહન છે; જો તેમાં આપણું ધ્યાન બેસે તો જોઈએ. પહેલાં મેં ઉપનિષદોનું સર્જન કર્યું છે. ઉત્પન્ન થયેલાં તત્ત્વો (સૃષ્ટિની ઉત્પત્તિનાં તત્ત્વો)નું વળી ઉદ્ધરણ કર્યું એટલે કે એમને આગળ લઈ એમનાથી સૃષ્ટિની ઉત્પત્તિ થયેલી માની અને પછી – સમજૂતી : ‘પાછાં ઊદ્ધર્યાં’ એ શબ્દપ્રયોગ કોયડારૂપ છે. ઉત્પન્ન થવું અને ઉદ્ધરવું એ બે ક્રિયાનો ઉલ્લેખ તે દેખીતી રીતે પુનરુક્તિ જેવો લાગે છે. નિષેધની વાત તો પછીની કડીમાં છે એટલે ઉપર કર્યું છે તેવું અર્થઘટન કર્યા સિવાય બીજો માર્ગ દેખાતો નથી. કડી ૩–૪માં વિચારની મદદથી ચિત્તે ચૌદ વિદ્યા, પુરાણો, ષડ્‌દર્શનોની રચના કરી છે એમ વર્ણવાયું છે. એ રીતે અહીંયાં ચિત્તે ઉપનિષદ્‌ કર્યાં હોવાનું ચિત્ત વર્ણવે છે. આ બધાં શાસ્ત્રોમાં વિભિન્ન તત્ત્વો દ્વારા જગતની ઉત્પત્તિની વાત થયેલી છે. પછીથી એ જગત અને તત્ત્વોને મિથ્યા ગણેલાં છે. આ અર્થમાં અહીં આઠમી અને નવમી કડીમાં જગતની ઉત્પત્તિનાં તત્ત્વોની સ્થાપના અને નિષેધની વાત થયેલી છે. આ એક દાર્શનિક વિચારવિકાસ છે, જેનું વધારે સ્પષ્ટ ચિત્ર અખાના છપ્પા ૫૦૪–૧૦ સુધીમાં આલેખાયું છે. એમાં એમણે પંચભૂતાત્મકસૃષ્ટિ, જીવ, ઈશ્વર, કાળ, ૮૪ લાખ જન્મ, કર્મફળ વગેરેને માન્યતા આપતા ધૂમ્રમાર્ગ અને એ બધાનું મિથ્યાત્વ બતાવતા અર્ચિમાર્ગનો ઉલ્લેખ કરેલો છે. તેર કાંડમાં ધૂમ્રમાર્ગ આલેખાયો છે એમ એમણે કહ્યું છે :

ઠેરાવીને લખિયો લેખ, પંચભૂત ને તેનું શેખ,
તત્ત્વેતત્ત્વની ઉપજણ ગણી, માંહે ચેતનતા ચૈતન્ય તણી.
લક્ષ ચોરાસી બીબે ભાત, અખા એ વેદના મનની વાત. ૫૦૫
પ્રવાહ ચાલ્યો જાય એણે મર્મ, પછે જીવ પતિયાવા લખિયાં કર્મ.
તેર કાંડ ધૂમ્રમારગ લખ્યો, છેલ્લી વારે અર્ચિ ઓળખ્યો.
ઊપન્યા કેરો કીધો નિષેધ, અખા ઉપનિષદમાંથુ વેદ. ૫૦૬
નેતિ નેતિનો એહ જ અર્થ, ઊપન્યું ગણ્યું તે જાણ્યું વ્યર્થ.
શેષ લહિને કહ્યું નેતિનેત, હાથ ખંખેર્યા એણે હેત.
અખા ચૌદમું પ્રછ્યા પખે, જીવ ગૂંથાણો તેરને વિખે. ૫૦૭
તેર કાંડ માયાનું જાળ, કર્મફળ ને જીવ ઈશ્વર, કાળ,
એ સર્વ ઘાટ બેસાર્યું વેદ, ત્રિપદ કલ્પી કીધો ભેદ.
અખા અટકે નહીં તે તેર, જે ચૌદ બોલી ચાલ્યો સુંસેર. ૫૦૮

અહીં ઉલ્લેખાયેલા તેર કાંડ તે શતપથ બ્રાહ્મણના છે. તેના તેર કાંડમાં યજ્ઞયાગાદિનું નિરૂપણ છે. ધૂમ્રમાર્ગ (પિતૃયાન, ચંદ્રયાન) એટલે જ્ઞાનરૂપ જ્યોતિનો નહીં પરંતુ યજ્ઞયાગાદિ ધૂમ્રરૂપ કાર્યોનો માર્ગ જેનાથી પિતૃલોકમાં જવાય છે. અને પુણ્યકર્મનો ક્ષય થતાં જ્યાંથી ફરી અવતરવાનું રહે છે. એ નોંધપાત્ર છે કે અખાજી અહીં માત્ર યજ્ઞયાગાદિને નહીં પણ પંચભૂતાત્મક સૃષ્ટિ, જીવ-ઈશ્વર-ભેદ વગેરેની માન્યતાને પણ ધૂમ્રમાર્ગમાં સમાવે છે. શતપથબ્રાહ્મણનો ચૌદમો કાંડ તે બૃહદારણ્યક ઉપનિષદ્‌. તેમાં બ્રહ્મવાદનું આલેખન થયેલું છે. અખાજી એને અર્ચિર્માર્ગ તરીકે ઓળખાવે છે. આમ તો અર્ચિર્માર્ગ (દેવયાન, સૂર્યયાન, ઉત્તરાયનયાન) એટલે દેહોત્સર્ગ પછી અગ્નિજ્વાલા દ્વારા સૂર્યલોકમાં ગતિનો માર્ગ, જ્યાં ગયા પછી ફરી અવતાર થતો નથી. અખાજી એ શબ્દને બ્રહ્મજ્ઞાનના અર્થમાં લેતા જણાય છે. ઉદ્ધૃત છપ્પાઓમાંથી વેદ, બ્રાહ્મણગ્રંથો, ઉપનિષદો એેવો કોઈ ક્રમ અખાજીને અભિપ્રેત હોય એમ સમજાય છે. આ પછી તેઓ ૫૦૯ અને ૫૧૦મા છપ્પામાં પુરાણો સુધી પોતાની વાત લઈ જાય છે. તેમાં ઈશ્વરવાદ અને અવતારવાદનું સમર્થન થયેલું છે. ઊપનાં કેરો કીધો નિષેધ, પણ અમથો રહ્યો અવશેષ ઉમેદ, વિચાર કહે ઊપનું જો ટલ્યું, તો [રક] અવશેષ તો વણમેલ્યું મલ્યું. ૧૦ ઉત્પન્ન થયેલાં તત્ત્વોનો મેં નિષેધ પણ કર્યો છે. પણ અમથી એક ઉમેદ અવશેષ રૂપે રહી છે. વિચાર કહે : ઉત્પન્ન થયેલું ટળી ગયું હોય તો અવશેષ રૂપે રહેલું બ્રહ્મ મેળવવાના પ્રયત્ન વિના મળી ગયું કહેવાય. પાઠચર્ચા : બીજા અને ચોથા ચરણમાં ‘અવશેષ’ પાઠ ક ગ બે જ પ્રતો આપે છે. બાકીની બધી ‘અવિશેષ’ પાઠ આપે છે. અવિશેષ એટલે વિશેષ નહીં તે, સામાન્ય. એ અર્થને અહીં અવકાશ જણાતો નથી.

ચિત્ત કહે માહારું કર્યું ન થાઈ, તો વસ્તુરૂપ તે ક્યેમ કેહેવાઈ,
વિચાર કહે એ તો ચિત્ત હૂંસ, જીવ૫ણાની ચાલી રૂંસ. ૧૧

ચિત્ત કહે છે : જો મારું કર્યું ન થતું હોય તો હું વસ્તુરૂપ (બ્રહ્મરૂપ) શુદ્ધ ચેતન આત્મા છું એમ કઈ રીતે કહેવાય? વિચાર કહે છે : એ તો ચિત્ત, તારો અહંકાર છે, જીવપણાની ભ્રમિત મનોદશાનું પ્રવર્તન છે.

ચિત્ત કહે જીવ તે સ્યાનો રહ્યો, પોતે ટલ્યાથી પોતે થયો,
વિચાર કહે તું વાતે વદે, પણ તદ્રૂપી થયું નથી રદે. ૧૨

ચિત્ત કહે છે : પોતે એટલે કે પોતાનું અહંપણું ટળી જવાથી આત્મસ્વરૂપ પ્રગટ થયા પછી જીવ રહ્યો છે એમ શાનું કહેવાય? વિચાર કહે છે : તું વાતથી એમ કહે છે ખરો, પરંતુ તારું હૃદય હજુ તદ્રૂપ એટલે કે આત્મરૂપ થયું નથી.

ચિત્ત કહે અહીં થવું તે કશું, એકપણું જ્યારે ઉલ્લસું,
વિચાર કહે કોણ ઈછે થવું, આપથી કોણ બીજું છે નવું. ૧૩

ચિત્ત કહે : જ્યારે એકપણું – અદ્વૈતભાવ પ્રકાશી ઊઠ્યો પછી કશું થવાપણું શાનું હોય? વિચાર કહે : થવાનું કોણ ઇચ્છી રહ્યું છે? અને પોતાનાથી બીજું નવું શું છે (જે થવાનું હોય?).

ચિત્ત કહે મેં જે કીધા અટાટ્ય, તે શું માહારે ઊઠી વાટ્ય
વિચાર કહે જો કીધું હશે, તો તેણે ભોગની પ્રાપત્ય થશે. ૧૪

ચિત્ત કહે છે : મેં જે કર્મો કર્યાં તે શું મારે નિરર્થક ગયાં? વિચાર કહે છે : તેં જે કંઈ કર્મો કર્યાં હશે તેને અનુલક્ષીને તને ભોગની પ્રાપ્તિ થશે. પાઠચર્ચા : ‘વાટ’ શબ્દ અખાજીમાં અન્યત્ર પુલ્લિંગમાં મળતો તેથી ‘ઊઠ્યા’ પાઠ છોડયો છે.

ચિત્ત કહે ભોગ તણી નહીં આશ, માહારે જોઈયે પણું-અવિનાશ,
વિચાર કહે અવિનાશી તો તું જાણી પ્રીછ્ય, પણ મધ્યે ઈશ્વરતા મા ઇચ્છય. ૧૫

ચિત્ત કહે છે : મને ભોગની આશા નથી. મારે અવિનાશીપણું જોઈએ છે. વિચાર કહે છે : અવિનાશીપણાને તું જ્ઞાનપૂર્વક ઓળખી લે પણ એમાં વચ્ચે ઈશ્વરપણું ન ઇચ્છીશ. પાઠચર્ચા : ૩જા અને ૪થા ચરણમાં ક ખ ગ ઘ અ બ હપ્ર અને ચ છ જ ઝ હપ્ર જુદા પાઠ આપે છે તેમાં ચાવીરૂપ શબ્દ ‘અહંતા’ અને ‘ઈશ્વરતા’ છે. પછીની કડીમાં ‘ઈશ્વરતા’નો સંદર્ભ ચાલુ રહે છે તેથી અહીં પણ ‘ઈશ્વરતા’ પાઠ અર્થદૃષ્ટિએ વધુ યોગ્ય લાગે છે. એ પાઠ સ્વીકારતાં પ્રાસને કારણે ૩જા ચરણમાં ‘જાણી પ્રીછ્ય’ એ પાઠ સ્વીકારવાનો થાય છે એમાં દેખીતી રીતે બે સમાનાર્થી શબ્દો છે પરંતુ ગદ્યાનુવાદમાં કર્યો એ પ્રમાણે અર્થ કરી શકાય તેમ છે.

ચિ[રખ]ત્ત કહે અવિનાશી શું ઈશ્વર ન હોઇ,
વિના અવિનાશી ઐશ્વર્જ્ય ક્યમ હુઇ,
વિચાર કહે છે એહ જ અંધેર, જે સમઝવા માંહાં પડીયો ફેર. ૧૬

ચિત્ત કહે છે : ઈશ્વર શું અવિનાશી ન હોય? અવિનાશીપણા વિના ઐશ્વર્ય – ઈશ્વરપણું કેમ હોય? વિચાર કહે છે : આમાં સમજવામાં ફેર છે ને એ જ અંધેર છે. પાઠચર્ચા : ૪થા ચરણમાં ક ગ હપ્ર ‘જ’ ‘પડીયૂં’ એ પુલ્લિંગનો પાઠ આપે છે. એ હપ્રમાં આવો લિંગભેદ અન્યત્ર પણ છે, જે લહિયાની ખાસિયત હોવા સંભવ છે. અહીં, ‘પડીયો’ એ પુલ્લિંગ પ્રયોગ પ્રમાણભૂત માન્યો છે.

ચિત્ત કહે તાહારો સ્યો છે લક્ષ, તોરું હારદ કહેની મુજ મુક્ષ,
વિચાર બોલ્યો તોરું સ્વરૂપ વિચાર્ય, આપ વિચાર્યેં બેસશે ઠાર્ય. ૧૭

ચિત્ત કહે છે : તારો શો લક્ષ છે – તું શું કહેવા માગે છે? તારું હાર્દ –તાત્પર્ય જે હોય તે તું મને કહે. વિચાર બોલ્યો : તારા સ્વરૂપ વિશે વિચાર કર. આપ – આત્મસ્વરૂપ વિશે વિચારવાથી પ્રશ્નનું સમાધાન થશે. પાઠચર્ચા : ‘મુક્ષ’ (પા. મુખ્ય)ના અન્વયનો પ્રશ્ન છે. બે રીતે અન્વય કરી શકાય તેમ છે. ‘મુખ્ય’ને હાર્દના વિશેષણ તરીકે લઈએ તો ‘તારું મુખ્ય તાત્પર્ય હોય તે મને કહે’ એમ અર્થ થાય. ‘મુખ્ય’ને ‘હાર્દ’ના વિશેષણ તરીકે લેવામાં દુરાન્વય છે તે ઉપરાંત ‘મુજ’નો ‘મને’ એ અર્થ લેવાની સ્થિતિ ઊભી થાય છે. ‘મુખ્ય તાત્પર્ય’ એવા અર્થને આ સંદર્ભમાં કેટલો અવકાશ છે એ પણ પ્રશ્ન છે. પ્રાસની દૃષ્ટિએ ‘મુક્ષ’ પાઠ જ યોગ્ય છે. ‘મુખ’નું ‘મુક્ષ’ કર્યું હોય એમ ધારવામાં મુશ્કેલી નથી. ૨૩૪મી કડીમાં ‘મુખ્ય’ પણ ‘મુખ’ના અર્થમાં છે. મુજ મુખ એટલે મારે મુખે, મારે મોઢે, મને કહે એમ અર્થ લઈ શકાય. આથી મુખ્ય પ્રતનો પાઠ છોડ્યો છે. સમજૂતી : ‘લક્ષ’ અત્યારે નપુંસકલિંગમાં વપરાય છે. અહીં સર્વત્ર પુલ્લિંગ છે એ નોંધપાત્ર છે. ‘મુજ મુક્ષ’ માટે જુઓ પાઠચર્ચા.

ચિત્તે વિચાર્યું પોતાપણું, ત્યારે ગલાન્ય પામ્યો તે ઘણું,
વિચાર કહે કાં બોલતો નથી, રૂડી પેર્યેં જોને મથી. ૧૮

ચિત્તે આપ વિશે વિચાર્યું ત્યારે ઘણી ગ્લાનિ પામ્યો. વિચારે કહ્યું : કેમ બોલતો નથી? બરાબર પ્રયત્ન કરી જો.

ચિત્ત કહે હું બોલવા લાગી ખરો, પણ આઘો ન ચાલે લક્ષ માહારો,
વિચાર કહે જો નવ્ય લાધે રૂપ, તો ક્યમ થવા હીંડો છો ભૂપ. ૧૯

ચિત્ત કહે : બોલવાનું હોય ત્યાં સુધી મારું ચાલે છે પરંતુ તેથી આગળ મારું લક્ષ ચાલતું નથી. વિચાર કહે : જો રૂપ-સ્વરૂપને પામી શકતો નથી તો શા માટે ભૂપ થવા જાય છે? – ઊંચું સ્થાન મેળવવા ઇચ્છે છે?

આઘો ઉકેલ જો ન હોઈ કશો, તો શાસ્ત્ર ગુરુ તે સ્યાને અભ્યસો,
તે માટે સરવે પરમાણ, જીવપણાની ટાલવા તાણ્ય. ૨૦

આગળ કશો ઉકેલ ન દેખાતો હોય તો શાસ્ત્ર અને ગુરુનું સેવન શા માટે કરવું? જીવપણાની – જીવપણારૂપી તાણ ટાળવી એને માટે તો એ બધા (શાસ્ત્ર અને ગુરુ)ની ઉપયોગિતા છે.

ચિત્ત કહે શું છે આણ્યે અંત, પૂંજી જ ખોહી તો શો ધનવંત,
[૩ક] વિચાર કહે પૂંજી જીવ ન હોઈ, જે વડે સઘલી પ્રવૃત્ત્ય હોઈ. ૨૧

ચિત્ત કહે છે : આ રીતે પોતાપણાનો અંત આણવાથી શું? પોતાપણારૂપી પૂંજી જ ખોયા પછી ધનવંત કેવી રીતે થઈ શકાય? વિચાર કહે : જેના વડે બધી પ્રવૃત્તિ થાય છે તે પૂંજીરૂપ તત્ત્વ તે જીવ નથી. સમજૂતી : ચિત્ત પોતાપણાને એટલે જીવપણાને પૂંજી ગણાવે છે ત્યારે વિચાર જીવપણું તે પૂંજી નથી એમ કહે છે. જેનાથી સઘળી પ્રવૃત્તિ ચાલે છે તે વિચારની દૃષ્ટિએ જીવ હોય એવું જણાતું નથી. કેમકે, પછીની કડીમાં જ્યારે ચિત્ત એમ કહે છે કે પ્રવૃત્તિ તો મારા વડે થતી દેખાય છે ત્યારે વિચાર તેનો વિરોધ કરે છે એટલે અહીં જેના વડે સઘળી પ્રવૃત્તિ ચાલે છે તે પૂંજીરૂપ બ્રહ્મ-તત્ત્વ અભિપ્રેત હોય એમ સમજાય છે. વેદાંતની દૃષ્ટિએ આ જગત જેનાથી ચાલે છે તે માયા બ્રહ્મની જ શક્તિ છે.

ચિત્ત કહે પ્રવૃત્ત્ય તો દીસે મુજ વડે, પણ બીજું તાં શોધ્યું નવ્ય જડે,
વિચાર કહે જો ત્યેં જ નીપજે, તો તે બીજું સ્યાને ભજે. ૨૨

ચિત્ત કહે છે : પ્રવૃત્તિ તો મુજ વડે – મારાપણાથી થતી જણાય છે, પણ ત્યાં બીજું કશું શોધ્યું જડતું નથી. વિચાર કહે છે : જો તારાથી જ નીપજતું હોય તો બીજા કશાનો આશ્રય શા માટે લે છે (બીજા કશાને માટે શા માટે મથે છે?).

ચિત્ત કહે બીજું ભજતો નથી, એ તો મ્હારું પૂરવ જોઉં છું મથી,
વિચાર કહે એ જ બીજાનું ક્રત્ય, અલગાં પડ્યે વાધે સંસ્રત્ય. ૨૩

ચિત્ત કહે છે : બીજા કશાનો આશય લેતો નથી, એ તો મારા પૂર્વને જોવા-સમજવાનો પ્રયત્ન કરું છું. વિચાર કહે છે : એ જ બીજાનું કૃત્ય છે. આ રીતે જુદા પડવાથી સંસાર વધે છે.

ચિત્ત કહે એ એમ કાં ઊપજે, હું જાણ્યું અજાણ્યું નવ્ય રહે રજે,
વિચાર કહે એ તો ઈશ્વરતા-ભેદ, સમઝયે સંશે થાએ ઉછેદ ૨૪

ચિત્ત કહે છે : એમ સંસાર કેમ ઉત્પન્ન થાય? મારી જાતને – મારા પૂર્વને મેં જાણ્યું તો એ સહેજ પણ ન-જાણ્યું બને નહીં. વિચાર કહે : એ તો ઈશ્વરતાનો ભેદ છે. સમજવાથી સંશયનો નાશ થશે. સમજૂતી : આ અને પછીની કડીઓમાં રજૂ થયેલી ઈશ્વરતાની વિભાવના માટે જુઓ પ્રાસ્તાવિક અને પરિશીલન.

ચિત્ત કહે ઈશ્વરતા શું મુજથી અલગ, જોતાં તાં દીસે છે સલગ,
વિચાર કહે સલગ ભાસ્યું જ્યદા, તો સાહાને ભોગવે છે આપદા. ૨૫

ચિત્ત કહે છે : ઈશ્વરતા શું મારાથી અલગ છે? જોતાં તો સઘળું સળંગ – જોડાયેલું દેખાય છે. વિચાર કહે છે : સળંગ ભાસ્યું હોય તો દુઃખ શા માટે ભોગવે છે?

ચિત્ત કહે જોતાં ભાસ્યું તે ખરું, પણ ઊપજતું રેહેતું નથી પરું,
વિચાર કહે તોરું રૂપ જ એહ, જે સંકલ્પરૂપી ધરે નિત્ય દેહ. ૨૬

ચિત્ત કહે છે : જોતાં એમ દેખાયું તે ખરી વાત, પણ અન્ય સ્થિતિમાં ઊપજવાનું દૂર રહેતું નથી એટલે કે અટકતું નથી. વિચાર કહે છે : એ તારું રૂપ જ છે, જે નિત્ય સંકલ્પરૂપી દેહ ધારણ કરે છે.

ચિત્ત કહે વિના [૩ખ] સંકલ્પ તો હોએ, શબવત,
ત્યારે તે માંહાં શાનું વ્યત્ત,
વિચાર કહે શબ તો જો પ્રાએ જડ હોઈ,
પણ ચિત્ત ચિદ માંહાં કાંઈ ફેર જ ન હોઈ. ૨૭

ચિત્ત કહે છે : સંકલ્પ વિના તો શબવત્‌ ગણાય. તેમાં શું વિત્ત – સાર? વિચાર કહે છે : શબ તો જડ જ હોય છે, પણ ચિત્ત અને ચિદ્‌માં તત્ત્વતઃ –પરમાર્થતઃ કાંઈ ફેર જ હોતો નથી.

ચિત્ત કહે અહીં તો વાંકું ઘણું, ચિત્તનું ચિત્ત અને ચિદપણું,
વિચાર કહે વાંકું નહીં રંચ, તું જ તાહારો જોની સંચ. ૨૮

ચિત્ત કહે છે : ચિત્તનું ચિત્તપણું અને ચિદ્‌પણું – બંનેને એકસાથે માનવાં એ ઘણું મુશ્કેલીભરેલું છે. વિચાર કહે છે : એમાં જરા પણ મુશ્કેલી નથી. તું જ તારું તંત્ર જોઈ લે.

ચિત્ત કહે મ્હારું બલ તો છે તુજ લગે, તુજથી મ્હારે પડશે વગે,
વિચાર કહે તાહારી હૂંસ ટાલ્ય, અને મહારે વલણે વલણ જ વાલ્ય. ૨૯

ચિત્ત કહે છે : મારું બળ તો તારે કારણે છે. તારાથી જ મારું ઠેકાણે પડશે. વિચાર કહે : તારું હુંપણું ટાળ અને મારા વલણ પ્રમાણે તારું વલણ કર.

ચિત્ત કહે માહારે સદા છે તું મુખ્ય, કોએ કામ નોહે તુજ પખ્ય,
વિચાર કહે હું બાલક હુતો, અને તાહારી સત્તાએ ચાલતો. ૩૦

ચિત્ત કહે છે : મારે માટે તું મુખ્ય છે. તારા વિના મારું કામ થઈ શકે નહીં. વિચાર કહે છે : પહેલાં તો હું બાળક હતો અને તારી સત્તા અનુસાર ચાલતો હતો.

ચિત્ત કહે હવે શેં મોટો થયો, મુજથી ક્યાંહાં આઘેરો વહ્યો,
વિચાર કહે તુજ વડે તે છું, પણ મુજ વિના નપુંસક તું. ૩૧

ચિત્ત કહે છે : હવે તો કેવો મોટો થઈ ગયો! મારાથી ક્યાંય આગળ નીકળી ગયો. વિચાર કહે : તારા વડે તો હું છું પણ મારા વિના તું નપુંસક – સામર્થ્યહીન છે.

ચિત્ત કેહે તેં શો પુરુષાર્થ કર્યો, જૈ-જૈને કેટલે સંચર્યો,
વિચાર કહે જો તું મુ[૪ક]જ પૂઠ્યે થાઈ, જોને સુરતિ ક્યાંહાં જાઈ. ૩૨

ચિત્ત કહે છે : તેં તો કેવો પુરુષાર્થ કર્યો! જઈજઈને કેટલે દૂર સુધી પહોંચી ગયો! વિચાર કહે છે : જો તું મારી પાછળ આવે તો જો, તારી વૃત્તિ ક્યાં સુધી પહોંચે છે!

ચિત્ત કહે તું જ્યારે નાહાનો હુતો, ત્યારે સ્વર્ગ મૃત્યુ પાતાલે જતો,
હવે તો જોઈયે આઘેરી વૃત્ત્ય, કહેને તારી જોઉં ક્રત્ય. ૩૩

ચિત્ત કહે છે : જ્યારે તું નાનો હતો ત્યારે સ્વર્ગ, મૃત્યુ, પાતાળે જતો હતો. હવે તો તારી વૃત્તિ એથી આગળ જવી જોઈએ. તો કહે, તારી કૃતિ હવે શી છે, ક્રિયાકારિતા, પ્રવૃત્તિ શી છે તે હું જોઉં.

વિચાર કહે હું બેઠો ૨હું, ૫ણ કામના સાથ્યે નવ્ય વહું,
અને તું સદા કામનાને વશ રહે, અને કામના સદા વિષેને ગ્રહે. ૩૪

વિચાર કહે છે : હું બેસી રહું પણ કામના –આસક્તિ સાથે હું પ્રવર્તતો નથી (કામના પ્રમાણે ગતિ કરતો નથી). તું હંમેશાં કામનાને વશ રહે છે અને કામના તો હંમેશાં વિષયને ગ્રહે છે.

ચિત્ત કહે વિષે તો જો ઈછું સંસાર, તે તો મેં કીધો પરિહાર,
વિચાર કહે ત્યેં શું પરહર્યું, જો આપોપું પાછું નવ્ય કર્યું. ૩૫

ચિત્ત કહે છે : જો હું સંસારને ઇચ્છતો હોઉં તો જ વિષયનો સંગ કરવાનો સવાલ ઉપસ્થિત થાય. પણ તેનો તો મેં ત્યાગ કર્યો છે. વિચાર કહે : જો તેં હુંપણું – અહંભાવ છોડ્યો ન હોય તો શું છોડ્યું કહેવાય?

ચિત્ત કહે આપોપું તે શું, તું કેહેને પેહેલું તે લહું હું,
વિચાર કહે આપોપું એહ જ, દેહને હું કહે આપોપું તેહ જ. ૩૬

ચિત્ત કહે છે : પોતાપણું, અહંભાવ તે શું છે તે તું પહેલું કહે, જેથી હું તેને સમજી લઉં. વિચાર કહે : દેહને હું કહે એનું નામ જ આપોપું-હુંપણું, અહંભાવ.

ચિત્ત કહે હું વિના હરિને કોણ લહે, પામ્યાનો આનંદ કોણ વહે,
ત્યારે વલતો બોલ્યો વિચાર, પામણહારાનો કાઢ્યને પાર. ૩૭

ચિત્ત કહે છે : હું ન હોઉં તો હરિને કોણ પામે? તેને પામ્યાનો આનંદ પણ કોણ અનુભવે? ત્યારે જવાબમાં વિચાર બોલ્યો : પામનારનો અંત આણ.

[૪ખ]ચિત્ત કહે પાર કાઢ્યે હું રહેતો નથી, તાલી ક્યમ પડે એકહથી,
વિચાર કહે એકહથીએ પડે, જો વચ્ચે આપોપું નવ્ય અડે. ૩૮

ચિત્ત કહે છે : પામનારનો અંત આણવાથી હું રહેતો નથી. પછી એક હાથ વડે તાલી કેવી રીતે પડે? વિચાર કહે છે : એક હાથે પણ પડે, જો વચ્ચે અહંભાવ ન નડે તો.

ચિત્ત કહે કેહી પેર્યે ન અડે અહંકાર, તેહેનો કાંઈ છે પ્રતીકાર,
વિચાર કહે ઉપાય છે ભલો, પણ ત્યાંહાં અનુભવ રહે છે એકલો. ૩૯

ચિત્ત કહે છે : અહંકાર કઈ રીતે ન નડે? તેનો કંઈ પ્રતીકાર – ઉપાય છે? વિચાર કહે છે : એનો યોગ્ય – સારો ઉપાય છે, પણ ત્યાં એકલો અનુભવ રહે છે.

ત્રિપદ આદ્ય વિચાર્યા વેદ, કૈવલ્ય ઈશ્વર જીવનો ભેદ,
કૈવલ્ય તાં સદા ભરપૂર, તે કહ્યો ન જાએ નેડે દૂર્ય. ૪૦

કૈવલ્ય, ઈશ્વર અને જીવ એ ત્રણ પદનો વિચાર વેદે પહેલેથી કર્યો છે અને એમનો ભેદ સમજાવ્યો છે. એમાં કૈવલ્ય સદાયે બધે ભરેલો – સર્વવ્યાપી છે. એ નજીક છે કે દૂર છે એમ કહેવાય એમ નથી.

અને ઈશ્વર માંહાં ઐશ્વજર્ય છે બહુ, સામૃથ્ય નામ ઈશ્વર કહે સહુ,
તેહેનો મોહ્યો આશા કરે, દીન ભાખે કે મત્ત પરવરે. ૪૧

અને ઈશ્વરમાં ઐશ્વર્ય બહુ છે. સામર્થ્ય તે ઈશ્વર એમ સહુ કહે છે. તેનો મોહ્યો જીવ ઈશ્વરપદની આશા કરે છે. એ આશાથી એ ગરીબડાં વચન બોલે છે કે ઘેલો થઈને ફરે છે.

અસંભાવ્ય આચરે વિપ્રીત્ય, એ ચિત્ત જાણે જીવની રીત્ય,
એક વસ્તુના કલપ્યા ત્રણ ભાગ, ઘાંઘ ટાલવા કાઢ્યો તાગ. ૪૨

ચિત્ત અસંભાવના અને વિપરીત ભાવના સેવવી એ જીવની રીત છે એમ તું જાણ. ખરેખર વસ્તુ એક છે એના ત્રણ ભાગ (કૈવલ્ય, ઈશ્વર અને જીવ) કલ્પ્યા છે. મૂંઝવણ દૂર કરવા એ રસ્તો કાઢ્યો છે.

ચિત્ત કહે છે એકપણું તો ટલ્યું, જ્યારે કટકે કરીને કલ્યું,
કૈવલ્યપણું તાં અદબદ ૨[પક]હ્યું, ત્યાંહાં તાં કાંઈ ન જાએ કહ્યું. ૪૩

ચિત્ત કહે છે : જ્યારે ત્રણ ભાગ કરીને સમજીએ ત્યારે એકપણું તો રહેતું નથી. કૈવલ્યપદ ત્યાં અદ્‌ભુત – અલૌકિક છે. એના વિશે તો કાંઈ કહી શકાય તેમ નથી.

ઈશ્વર તાં બહુ સામૃથ્યવાન, જેહેનું કર્યું ન જાએ વ્યાખ્યાન,
જીવ તો કર્માધીન છે સદા પરવશ પડ્યો ભોગવે આપદા. ૪૪

એમાં ઈશ્વર તો બહુ સામર્થ્યવાળો છે, જેનું વર્ણન કરી શકાય તેમ નથી. જીવ તો હંમેશાં કર્મને અધીન છે. પરાવશ રહીને એ દુઃખ ભોગવે છે.

તો એક બ્રહ્મ ક્યમ કહે છે તાત, ઘાટ્ય બેસે તો મલે એક વાત,
વિચાર કહે છે વાંક તાહારો, માહારે ઘાટે બેઠો છે ખરો. ૪૫

તો ભાઈ, બધું એક બ્રહ્મરૂપ છે એમ કેમ કહે છે? સમજણ પડે તો એક વાતનો મેળ બેસે (વાતનો નિવેડો આવે). વિચાર કહે છે : તેમાં તારો વાંક છે. મને તો સમજણ પડેલી જ છે.

પહેલે તાં તું જીવ વિચાર્ય, તેહેનું એકપણું નિરધાર્ય,
લક્ષ ચોરાશી જીવની જાત્ય, નામ રૂપ ને અલગી ભાત્ય. ૪૬

પહેલાં તો તું જીવ વિશે વિચાર કર અને તેનું એકપણું નક્કી કર. ચોરાસી લાખ જીવની જાત છે અને એમાં જુદાંજુદાં નામરૂપ ને પ્રકાર છે.

એક એકથી બલીયા બલ્યે, કીટ પતંગ બ્રહ્મા આગલ્યે,
એક એકથી નિર્બલ ખરા, બલીઆથી ન થવાએ ઊફરા. ૪૭

કીટ, પતંગિયું અને બ્રહ્મા બળમાં એકએકથી આગળ – ચડિયાતાં છે તે જ રીતે એકએકથી નિર્બળ પણ છે એમ કહેવાય. બળિયાથી પણ એનાથી ઉપરવટ થવાતું નથી (દરેકની શક્તિની મર્યાદા હોય છે).

જે થકી જે બલીયો ઘણું, તેટલું તે માંહે ઈશ્વરપણું,
જે થકી જે બલે હીણ, તેટલું જીવપણું તે ખીણ. ૪૮

જે બીજા કરતાં જેટલો વધારે બળવાન હોય તેટલું તેનામાં ઈશ્વરપણું છે એમ કહેવાય. જે બીજા કરતાં બળમાં જેટલો ઊતરતો છે તેટલું તેનામાં ક્ષીણ એવું જીવપણું છે એમ કહેવાય.

પશુ માંહાં હીણાં ખીણાં ઘણાં, પંખી વિષે ભેદ આપાપણા,
દેવ નર નાગ માંહાં ભે[પખ]દાભેદ, નવાણ પરવત દ્રુમ વાણી વેદ. ૪૯

પશુઓમાં હીણક્ષીણ ઘણાં હોય છે. પંખીઓમાં એમના પોતપોતાના ભેદ હોય છે. દેવ, નર, નાગ, નવાણ, પર્વત, વૃક્ષ વગેરેમાં પણ વિવિધ પ્રકારના ભેદ છે. એ નિશ્ચિત વાત છે – જાણીતી વાત છે.

સિદ્ધ ગુરુ તાં સરસાઈ ઘણી, તે ઈશ્વરતા જાણી ભણી,
તેહે જ વસ્તુ માંહાં જેથી જે હીણ, તે જીવપણું માને આધીન. ૫૦

સિદ્ધ પુરુષ અને ગુરુમાં પણ એકબીજાથી સરસાઈ હોય છે, તેને પણ ઈશ્વરતાનો ભેદ ગણાય. કોઈ ૫ણ વસ્તુમાં એક વસ્તુ બીજાથી બળમાં હીન હોય તો એને એટલા પ્રમાણમાં ઊતરતું જીવપણું ગણવું.

એમ જીવ ઈશ્વર સલગ સદાઈ, એ માંહાંથી કાંઈ અલગ ન થાઈ,
જ્યમ અંધારે કીજે દીપ, તાંહાં તેહ જ ઈશ્વર પ્રગટ્યો સમીપ. ૫૧

એવી રીતે જીવ અને ઈશ્વર હંમેશ સંલગ્ન – જોડાયેલા છે. એ બેમાંથી કાંઈ અલગ ન થઈ શકે. અંધારામાં દીવો કરીએ ત્યારે તે દીવો આપણી સમક્ષ ઈશ્વર રૂપે પ્રગટે છે.

તે ઉપર્ય જ્યારે ઊગ્યો શશી, ત્યારે દીપ માંહાં જીવની હીણતા વસી,
તે ઉપર્ય જ્યારે દિનકર તપ્યો, ત્યારે સુધાકર જીવ માંહાં ખપ્યો. ૫૨

તે દીવાની ઉપર જ્યારે ચંદ્ર ઊગે છે ત્યારે દીવામાં જીવની અલ્પતા વસે છે એટલે કે દીવો અલ્પ જીવ રૂપે ભાસે છે. ચંદ્રની ઉપર જ્યારે સૂર્ય તપ્યો ત્યારે ચંદ્ર જીવમાં ગણાઈ ગયો.

જ્યારે મહાઅગ્નિ માંહાં અરકે અલપાઇ, ત્યારે તેહે ઈશ્વરતા ફીટી જાઇ,
ઉપતેજ આગલ્ય ઈશ્વર તો દીપ, ત્યાંહાં ઊગ્યો શશી સમીપ. ૫૩

જ્યારે મહાઅગ્નિ – વિશ્વાગ્નિમાં સૂર્ય લુપ્ત થાય – સમાય છે ત્યારે તેની ઈશ્વરતાનો નાશ થાય છે. આ રીતે અંધારાની પાસે દીવો ઈશ્વર સમાન છે. ત્યાં તેની પાસે ચંદ્ર ઊગે છે

.

ત્યાંહાં ઈશ્વર થૈને શોભ્યો ચંદ્ર, જીવપણું પામ્યો દીપેન્દ્ર,
જ્યારે ઈશ્વર થઈ અરક જ તપ્યો, ત્યારે સુધાકર જીવમાંહાં ખપ્યો. ૫૪

ત્યાં ઈશ્વર થઈને ચંદ્ર શોભે છે ને દીવો જીવપણું પામે છે. જ્યારે ઈશ્વર થઈને સૂર્ય જ તપે છે ત્યારે ચંદ્ર જીવમાં ખપે છે.

તેહે જ રવિ જ્યારે રાહે ગલ્યો ત્યારે જીવ થયો ને ઈશ્વર ટલ્યો,
તે માટે જીવપણું ને ઈશ્વરપણું, સમઝી લેતાં વારુ ઘણું. ૫૫

રાહુ જ્યારે એ રવિને ગળી જાય છે ત્યારે તે ઈશ્વર મટીને જીવસ્વરૂપ પામે છે. તે માટે ઈશ્વરપણું અને જીવપણું એ બંને વચ્ચેના સંબંધને સમજી લઈએ તો ઘણું સારું થાય.

વિચાર કહે ચિત્ત સાંભલોજી તાત, જીવ ઈશ્વર સમઝેવી વાત
સ્થલ કેરાં છે બેહુએ નામ, પરમ ચૈતન્ય બેહુનું ધામ. ૫૬

વિચાર કહે છે : ચિત્ત પિતા, સાંભળો. જીવ અને ઈશ્વરના સંબંધની વાત સમજવા જેવી છે. કોઈ પણ સ્થાનમાં તે બંને રહેલા છે. પરમચૈતન્ય બંનેનું આશ્રયસ્થાન છે (એટલે કે બંને પરમચૈતન્યના અંશરૂપ છે).

એમ સમઝ્યે ન ઊપજે અહંકાર, વણસમઝ્યે માયા-અંધકાર,
ચિત્ત કહે છે સુણ્ય રે વિચાર, અનંત શાસ્ત્ર ને બહુ નિરધાર. ૫૭

એમ સમજવાથી અહંકાર ઊપજશે નહીં અને એ ન સમજવાથી માયાનો અંધકાર પ્રવર્તશે. ચિત્ત કહે છે : વિચાર સાંભળ. અનેક શાસ્ત્રો છે અને તેના જુદા જુદા નિશ્ચયો(=મતો) છે.

તેહેનો વાદ કરું જ્યારે હું, ત્યારે તેહેવો જ થૈને પોષે તું,
જ્યારે હું નૈયાયક વદું, ત્યારે તાહારું તેહેવું જ રદું. ૫૮

જ્યારે હું જે શાસ્ત્રની ચર્ચા કરું ત્યારે તું તેવો થઈને એટલે કે પ્રસંગ અનુરૂપ થઈને એ વાતને પુષ્ટ કરે છે. જ્યારે હું નૈયાયિક મત ઉચ્ચારું છું ત્યારે તારું હૃદય (વલણ) પણ તેવું જ હોય છે.

જ્યારે મેં વૈશેષિક કહ્યું, ત્યારે ત્યેં તેહેવું ન્યરવહ્યું.
જ્યારે સાંખ્યનો કીધો વિવેક, તેં તે રીત્યે પૂરો પાડ્યો છેક. ૫૯

જ્યારે મેં વૈશેષિકદર્શનની વાત કરી ત્યારે તેં તેવો જ મત ચલાવ્યો. જ્યારે મેં સાંખ્યદર્શનનું વિવરણ કર્યું ત્યારે તે માર્ગે તું મને છેક સુધી લઈ ગયો. પાઠચર્ચા : ચોથા ચરણમાં ક ગ સિવાયની બધી જ હપ્ર ‘રીત્યે’ પાઠ આપતી નથી પરંતુ તે પાછળથી ઉમેરાયો હોય તેવી શક્યતા પણ ઓછી છે. આગળ ‘તેહેવું’ આવ્યું હતું તેવી રીતે અહીં ‘રીત્યે’ પાઠ હોઈ શકે.

મીમાંસાનો કીધો વિચાર, ત્યારે તેહેવો જ પડ્યો નિરધાર,
પાતાંજલીની જોઈ પેર્ય, ત્યારે તું તેહેવો થયો ધેર્ય. ૬૦

જ્યારે મીમાંસાદર્શનનો વિચાર કર્યો ત્યારે તારો તે મુજબનો નિશ્ચય થયો. જ્યારે હું પાતંજલદર્શનને માર્ગે ગયો ત્યારે તું પણ મૂળમાંથી (સંપૂર્ણ૫ણે) તેવો થયો.

વેદાંતનો મેં [૬ખ] લીધો પક્ષ, ત્યારે તાહારો તેહેવો જ લક્ષ,
પુરાણ અઢાર અને ઇતિહાસ્ય, ગીતા ભાગવત આગમ ઉપાસ્ય. ૬૧

જ્યારે મેં વેદાંતનો પક્ષ લીધો ત્યારે તારું પણ તેવું જ લક્ષ થયું. અઢાર પુરાણ અને ઇતિહાસ, ગીતા, ભાગવત, આગમની ઉપાસના –

ધનુર્વેદ ને ગાંધર્વવેદ, વૈદ વિદ્યા જ્યોતિષનો ભેદ,
એથી બીજાં શાસ્ત્ર અનેક, જોતાં ગણતાં નાવે છેક. ૬૨

ધનુર્વેદ અને ગાંધર્વવેદ, તથા વૈદ વિદ્યા ને જ્યોતિષનું જ્ઞાન એ સિવાય બીજાં પણ અનેક શાસ્ત્ર છે જેનો વિચાર કરતાં છેડો આવે તેમ નથી.

સઘલાંનો પ્રવર્તક તું, તું પરઠે તે માનું હું,
વિચાર કહે સાંભલ્ય ચિત્તરાઈ, મોરું એ લક્ષણ છે પ્રાઇ. ૬૩

તે સઘળાંનો પ્રવર્તક તું છે. તું જે નક્કી કરે છે તે હું માનું છું. વિચાર કહે છે : ચિત્તરાય, સાંભળ, એ મારું લક્ષણ જ છે.

જ્યારે જે ઉપર્ય તું થયો, તાહારી દ્રષ્ટ્ય ઉપર્ય હું ગયો,
નામ મોટું નૈયાયક ઘણું, પણ કીધું તાં નેટ્ય તુજ તણું. ૬૪

જ્યારે તારું જેવું વલણ થાય છે, ત્યારે તારી તે દૃષ્ટિને હું પણ અનુસરું છું. નૈયાયિકદર્શનનું નામ ઘણું મોટું છે. ત્યાં તે દર્શનને તેં નિશ્ચિતપણે આત્મસાત્‌ કર્યું છે.

ત્યેં પરઠ્યાં જે તત્ત્વ જ ચ્યાર, તે ઉપર્ય સઘલો વિસ્તાર,
જક્તરૂપ થૈ એ પરવરે, નહીં તો આપસંકોચન કરે. ૬૫

તેં જે ચાર તત્ત્વો નક્કી કર્યાં તેના કારણે આ સઘળો વિસ્તાર છે. એ ચાર તત્ત્વો જગત રૂપે પરિણમે છે, નહીં તો એ પોતાના મૂળ રૂપમાં સંકોચ પામીને રહે છે. પાઠચર્ચા : ૨. આ ચરણમાં ‘તે ઉપર્ય’ એ પાઠને વધારે હપ્રનો ટેકો છે. ‘તેહ તણો’ અને ‘તે વડે’ એ પાઠાંતરો (ઘ ચ ટ અને ઝ હપ્રના) અર્થને વધારે સ્પષ્ટ કરે છે પણ એ મૂળ પ્રયોગોનું સરલીકરણ થયું હોય એમ લાગે છે. સમજૂતી : નૈયાયિકો પરમાણુવાદમાં માને છે. એમની દૃષ્ટિએ પૃથ્વી, જલ, તેજ અને વાયુ એ ચાર ભૌતિકતત્ત્વો પરમાણુઓ રૂપે અસ્તિત્વ ધરાવે છે અને સૃષ્ટિ એમનાં પરમાણુઓનું સંયોજન છે. સૃષ્ટિના પદાર્થો નાશ પામતાં એ પરમાણુઓ તો રહે છે. પદાર્થો અનિત્ય છે, પરમાણુઓ નિત્ય છે.

અણુ તણે થાએ ભાગ ત્રીસમે, અરૂપ સરખા થૈને વિશમે,
વલી પાછું થાએ મંડાણ, ત્યારે પ્રેરક માત્ર તે ઈશ્વર જાણ. ૬૬

અણુનો ત્રીસમો ભાગ થાય અને એ અરૂપ જેવા થઈને વીરમી જાય. વળી, પાછું સૃષ્ટિનું મંડાણ થાય ત્યારે એ મંડાણનો જે પ્રેરક છે તે ઈશ્વર છે એમ જાણ. સમજૂતી : જે અણુઓના સંયોજનથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ એ અણુઓના વિભાજનથી સૃષ્ટિ નાશ પામે છે એવું પહેલાં બે ચરણનું તાત્પર્ય સ્પષ્ટ છે. પણ એમાંની વિગત ચર્ચાસ્પદ છે. પરમાણુઓના સંયોજનથી બે પરમાણુ એકઠાં થાય તેને દ્વ્યણુક કહેવામાં આવે છે. ત્રણ દ્વ્યણુક ભેગા થાય તેને ત્ર્યણુક કહેવામાં આવે છે. આ રીતે અણુસંયોજનની પ્રક્રિયા ચાલે છે. ત્ર્યણુક એ ત્રસરેણુ પણ કહેવાય છે, જેનો છઠ્ઠો ભાગ પરમાણુ બને. આ માટે ઉક્તિ છે કે –

જલસૂર્યમરીચિસ્યં યત્‌ સૂક્ષ્મં દૃશ્યતે રજઃ
તસ્ય ષષ્ઠતમો ભાગઃ પરમાણુઃ સ ઉચ્યતે.

સૂર્યકિરણમાં જે રજ દેખાય છે તે ત્રસરેણુ. એ આ રીતે ઇન્દ્રિયગોચર છે પણ નરી આંખે એમને એમ તો એ પણ જોઈ શકાતી નથી. ત્રસરેણુનું કોઈ વિભાજન ઇન્દ્રિયગોચર નથી. એનો છઠ્ઠો ભાગ પરમાણુ બને. એ છેવટની સ્થિતિ. આ રીતે ‘અણુનો છઠ્ઠો ભાગ’ એવો પાઠ હોય તો એ ઘણો સંગત ગણાય. પરંતુ ઉપરના શ્લોકનો એક બીજો પાઠ પણ મળે છે :

જલાન્તર્ગતે રશ્મૌ યત્સૂક્ષ્મં દૃશ્યતે રજઃ
તસ્ય ત્રિ(ત્રિં?)શતતમો ભાગઃ પરમાણુઃ સ ઉચ્યતે.
[મારવેલ્સ ઑવ્‌ વેદિક એસ્ટ્રોનોમી,
અકલંક ભોયાવાલા, પ્ર. ૧૬ પૃ. ૧૧]

અખાજીની પાસે આ પાઠ હોય એવી શક્યતા છે. એ પાઠ મુજબ રજ-અણુનો ત્રીસમો ભાગ તે પરમાણુ. જોકે આ પાઠને ન્યાયદર્શનની મુખ્ય પરંપરાનો કેટલો ટેકો છે તે પ્રશ્ન છે. ન્યાયશાસ્ત્રની દૃષ્ટિએ સૃષ્ટિની ઉત્પત્તિમાં પરમાણુ એ સમવાયી કારણ છે અને ઈશ્વર એ નિમિત્ત કારણ છે એટલે પરમાણુઓમાંથી સૃષ્ટિને ઉત્પન્ન કરનાર ઈશ્વર છે.

પણ સ્થૂલ સૂક્ષમ કારણ એહનું, તત્ત્વ જ કારણ[૭ખ] ગણે દેહનું,
ત્યારે વૈશેષિક કહે એમ તે નથી, બહુ સામર્થ્ય ઈશ્વર મોરથી. ૬૭

(ઈશ્વર સૃષ્ટિનો માત્ર પ્રેરક છે) પણ સૃષ્ટિની ઉત્પત્તિનું ખરું કારણ તો સ્થૂળ અને સૂક્ષ્મ તત્ત્વો જ છે. આમ નૈયાયિકો સૃષ્ટિદેહના નિર્માણમાં તત્ત્વોને જ કારણભૂત ગણે છે. ત્યારે વૈશેષિકો એમ કહે છે કે વસ્તુસ્થિતિ એવી નથી, તત્ત્વોમાં જે ઘણું સામર્થ્ય દેખાય છે તે ઈશ્વરને કારણે છે. સમજૂતી : પૃથ્વી, જલ, તેજ અને વાયુ એ ચાર સ્થૂળ તત્ત્વો તરીકે તેમજ આકાશ, આત્મા, મન, દિક્‌ ને કાલ એ સૂક્ષ્મ તત્ત્વો તરીકે અભિપ્રેત હોય એમ જણાય છે. ‘મોરથી’ શબ્દ અત્યારે કાઠિયાવાડી બોલીમાં ‘આગળથી’, ‘પહેલાંથી’ એ અર્થમાં વપરાય છે એટલે કે ક્રમવાચક છે પરંતુ અખાભગત એને ‘તરફથી’, ‘દ્વારા”, ‘ને કારણે’ – એવા અર્થમાં વાપરે છે તે સ્પષ્ટ છે. જુઓ આ ઉપરાંત કડીઓ ૧૦૬, ૧૦૯, ૧૭૬. ‘અખાના છપ્પા’માં ક્રમાંક ૫૨૯ ‘ભાસે તે ભ્રમની મોરથી’ એવો પ્રયોગ છે ત્યાં ઉમાશંકર જોશી ‘આગળથી’, ‘તરફથી’ એવા અર્થ આપે છે પરંતુ ‘ને કારણે’ અર્થ વધારે સ્પષ્ટ રીતે બેસે છે, ભૂપેન્દ્ર ત્રિવેદી એ અર્થ જ લે છે.

તત્ત્વ સામર્થ્ય છે ઈશ્વર તણું, પણ ભાર ન મૂકેશ તત્ત્વ શિર્ય ઘણું,
અનાદિ તે પાંચે ખરાં, પણ તત્ત્વ તે ઈશ્વર થૈ પરવર્યા. ૬૮

તત્ત્વ તે ઈશ્વરનું સામર્થ્ય છે પણ તત્ત્વના શિર પર વધુ ભાર ન મૂકીશ. તે પાંચે અનાદિ છે પરંતુ તત્ત્વ તે ઈશ્વર થઈને પરિણમે છે. સમજૂતી : પાંચ તત્ત્વ તે પંચમહાભૂત અભિપ્રેત જણાય છે. આગળની અને આ કડીમાં ન્યાય અને વૈશેષિકના ઈશ્વરવાદનો ફરક બતાવ્યો છે. ન્યાયદર્શન અનુસાર ઈશ્વર સૃષ્ટિની ઉત્પત્તિમાં નિમિત્તકારણ છે અને તત્ત્વો એ ઉપાદાનકારણ છે એથી એ જાણે કે તત્ત્વોના સામર્થ્યમાં માને છે. વૈશેષિકદર્શનમાં સૃષ્ટિનું નિર્માણ કરવાની ઈશ્વરની ઇચ્છાથી પરમાણુઓમાં પરિસ્પંદ જાગે છે અને સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, તત્ત્વોનું અનાદિપણું અને સૃષ્ટિસર્જનમાં એમનું પ્રવર્તન – તેને એ જાણે ઈશ્વર રૂપે ભાસે છે, પરંતુ તત્ત્વોની આ કાર્યશક્તિ ઈશ્વરને કારણે છે; તત્ત્વોનું પોતાનું ઝાઝું સામર્થ્ય નથી. ટ હપ્ર ‘ઈશ્વર થૈ’ને બદલે ‘ઈશ્વરથી’ એમ પાઠ આપે છે તે અર્થદૃષ્ટિએ સરળ છે, પરંતુ મેં જોયેલી કોઈ હપ્રમાં એ મળ્યો નથી. તેથી ઉપર મુજબ તાત્પર્ય સમજવાનું રહે છે.

છ ઇંદ્રી છ વિષે છ જ્ઞાન, સુખ દુઃખ ને દેહનું માન.
દોષ એકવીસે રહિત જે થયો, તે આતમા મુક્તિપદ્યે ગયો. ૬૯

છ ઇન્દ્રિયો, છ વિષયો, છ પ્રકારનાં જ્ઞાન, સુખ, દુઃખ – દેહ – એના એકવીસ દોષ – હાનિથી રહિત જે બને તે આત્મા મુક્તિપદને પામે છે. સમજૂતી : ઉદ્યોતકરના ‘ન્યાયવાર્તિક’માં ૨૧ પ્રકારની આત્યંતિકી દુઃખહાનિનો ઉલ્લેખ છે – શરીર છ ઇન્દ્રિય, છ વિષય, છ બુદ્ધિ (વિષયજ્ઞાન/ઇન્દ્રિય-જ્ઞાન) સુખ અને દુઃખ, કંટક વગેરેથી થતી દુઃખહાનિ તે અનાત્યંતિકી. આ દુઃખહાનિ એટલે કે અહિતમાંથી નિવૃત્તિ થતાં પરમશ્રેયની એટલે કે મુક્તિની પ્રાપ્તિ થાય છે. અખાજીએ આ કડીમાં આ વિચારને ઉપયોગમાં લીધેલો છે. વિશેષ માટે જુઓ આ પૂર્વે પ્રાસ્તાવિક અને પરિશીલનમાં ‘દાર્શનિક મતો અને તેમના મુક્તિ વિશેના ખ્યાલો.’

દેહનાં સુખદુખ વરજિત સાંત, મુક્ત થૈને રહે એકાંત,
ન્યાયે વૈશેષિકની એક જ મુક્તિ, હવે સાંક્ષ્યની કહું છું જુક્તિ. ૭૦

દેહના સુખદુઃખથી વર્જિત થઈને જે વિરમે છે તે સંપૂર્ણપણે મુક્ત થઈને રહે છે. ન્યાય અને વૈશેષિકની મુક્તિ વિશેની સમજ આ પ્રમાણે એક જ છે. હવે સાંખ્યની વિચારણા હું તને કહું છું.

પ્રકૃતિ પુરુષનો જોગ સદાઇ, સાંક્ષ કહે છે ચાલ્યો જાઇ,
તત્ત્વ ભાગ તે પ્રકૃતિ તણો, તે માન્યો જીવે આપણો. ૭૧

પ્રકૃતિ અને પુરુષનો સંયોગ સદાય ચાલતો રહે છે એમ સાંખ્ય કહે છે. એમાં તત્ત્વભાગ પ્રકૃતિનો છે, તેને જીવ પોતાનો માને છે. સમજૂતી : આ અને પછીની કડીઓમાં રજૂ થયેલી વિચારણા માટે જુઓ પ્રાસ્તાવિક અને પરિશીલનમાં ‘સાંખ્યદર્શન’.

ગાંઠ્ય બંધાણી પ્રકૃતિ વડે, તે ત્રિલોક્યે રહી આથડે,
પાછો તે મૂકે અહંકાર, પ્રકૃતિ પુરુષનો કરે વિચાર. ૭૨

જીવની પ્રકૃતિ સાથે ગાંઠ બંધાય છે ને તેને કારણે તે ત્રિલોકમાં આથડ્યા કરે છે. પાછો તે અહંકારને છોડી દે, પ્રકૃતિ તથા પુરુષનો વિવેક કરે (તેમના સંબંધનો વિચાર કરે) –

સાંક્ષ્યજોગ કરી જાણે જુક્ત, એ સાંક્ષ્યની જાણો [૭ક] મુક્તિ,
મીમાંસા કહે જીવ સદાઇ, કર્મ તણે વશ ચાલ્યો જાઇ. ૭૩

અને વિચારપૂર્વક જ્ઞાનયોગ કરી જાણે તો સાંખ્યની દૃષ્ટિએ મુક્તિ છે એમ સમજો. મીમાંસા કહે છે કે જીવ હંમેશાં કર્મને વશ થઈને ચાલે છે.

આદ્ય અંત્ય વરજિત છે જંત, કો કાલ્યે એહનો નહીં અંત,
સતકર્મે સ્વર્ગી થઈ રહે, દુઃકર્મે ચોરાશી વહે. ૭૪

જીવને આદિ કે અંત નથી. કોઈ કાળે તેમનો અંત આવવાનો નથી. સત્‌કર્મો કરે તો તે સ્વર્ગમાં વસનાર થાય અને ખરાબ કર્મો કરે તો ચોરાશી ભવના ફેરા ફરે.

સ્વર્ગભોગને માને મુક્ત્ય, હવે પાતાંજલીની કહું છું જુક્ત્ય,
મૂલ પ્રકૃતિનું ઘણું બંધાણ, પ્રકૃતિ વડે તારા શશી ભાણ. ૭૫

(આ રીતે મીમાંસા મત) સ્વર્ગના ઉપભોગને જીવની મુક્તિ માને છે. હવે પાતંજલ યોગદર્શનની વિચારણા કહું છું. મૂળમાં પ્રકૃતિ છે અને એની જ આ બધી રચના છે. પ્રકૃતિને લઈને જ સૂર્ય, ચંદ્ર, તારા છે.

પ્રકૃતિ વડે ચૌદ લોક રહ્યા, જીવ સકલ તે માંહે વહ્યા,
જીવમય પ્રકૃતિ જીવ જ તણી, તે જીવ ધારે ગત આપણી. ૭૬

પ્રકૃતિને લઈને ચૌદ લોક છે, બધા જીવ તેમાં વહે છે. જીવની પ્રકૃતિ જીવમય છે (એટલે કે જીવમાં જીવપણું રહેલું જ છે). તે જીવ પોતાની મૂળ શક્તિનો વિચાર કરી શકે – પાઠચર્ચા : ચોથા ચરણમાં ત્રણ પાઠ મળે છે – ‘જીવ ધારે’, ‘જોવા ધારે’ અને ‘જો વધારે’. આમાંથી ‘જોવા ધારે’ અર્થદૃષ્ટિએ અનુપયોગી છે અને ‘જો વધારે’ એ પાઠમાં ‘વ’માં કાનો ઉમેરાઈ જતાં ‘જોવા ધારે’ થઈ જાય. જો એમ થયેલું માનીએ તો ‘જો વધારે’ પાઠને ઘણો ટેકો છે એમ કહેવાય. ક પ્રતમાં ‘જો વધારે’ એ પાઠ સુધારીને જ ‘જીવ ધારે’ કરવામાં આવ્યો છે. અર્થદૃષ્ટિએ ‘જો વધારે’ એ પાઠ પણ વિચારવા જેવો છે. જીવ સાધના દ્વારા પોતાની જીવપ્રકૃતિથી આગળ જાય અને ઈશ્વરત્વને પામે એવો યોગશાસ્ત્રનો અહીં અર્થસંદર્ભ હોઈ શકે. આમ છતાં મુખ્ય પ્રતનો પાઠ અહીં છોડ્યો નથી કેમકે એને બીજી બે હપ્રનો ટેકો છે. ક મુખ્ય પ્રતે પોતે સભાનતાપૂર્વક પાઠ સુધાર્યો છે અને અર્થની દૃષ્ટિએ એ પાઠ પણ ચાલી શકે તેમ છે.

પ્રકૃતિ પુરુષનો જોગ સદાઈ, જો સાધે તો ઈશ્વર થાઇ,
પિંડ્ય બ્રહ્માંડ પવનનો બંધ, સાધે જો અજરામર કંદ, ૭૭

અને પ્રકૃતિપુરુષનો સંયોગ તો સદા હોય છે એટલે જીવ જો સાધના કરે તો એ ઈશ્વર થઈને રહે છે. પિંડ અને બ્રહ્માંડમાં પ્રાણતત્ત્વનું નિયમન કરે તો તેને અજરઅમર પદરૂપી મૂળ સ્થિતિ પ્રાપ્ત થાય છે. સમજૂતી : યોગશાસ્ત્રની દૃષ્ટિએ અજરઅમર ઈશ્વરપદ એ અંતિમ પ્રાપ્તવ્ય છે અને એ સાધના દ્વારા પ્રાપ્ત થાય છે. અહીં યોગના અષ્ટાંગ માંહેના પ્રાણાયામનો ઉલ્લેખ જણાય છે, જેમાં પ્રાણવાયુનું નિયમન કરવામાં આવે છે. આ પ્રાણતત્ત્વ બ્રહ્માંડવ્યાપી છે. અને એ રાજસી વગેરે કાર્યોમાં સિદ્ધિ આપનાર છે અને ચિત્તવૃત્તિઓને વિષયોમાં પ્રવર્તાવનાર પણ છે. સાધક એના નિયમન દ્વારા વૃત્તિઓનું નિયમન કરે છે.

વણસાધ્યે મરે નિત્ય ફરે, સાધે તો બ્રહ્માંડ પોતે કરે,
સિદ્ધિ પામ્યો તે પામ્યો મુક્તિ, હવે વેદાંતની કહું છું સ્ફુર્ત્ય. ૭૮

સાધના ન કરે તો એ જન્મમરણના ફેરા ફર્યા કરે છે. જો યોગ સાધે તો બ્રહ્માંડને આત્મસ્વરૂપ કરે છે. આ રીતે જે સિદ્ધિ મેળવે તે મુક્તિ પામે છે. હવે તને વેદાંતનો વિચાર કહું છું. પાઠાંતર : ૪. આ ચરણમાં ખ ‘જુક્તિ’અને ઘ ‘યુક્ત’ પાઠ આપે છે જે અર્થ દૃષ્ટિએ સાચાં છે પરંતુ ‘સ્ફુરત્ય/સ્ફુર્ત્ય’ પાઠને વધુ શ્રદ્ધેય ગણાતી હપ્રનો ટેકો છે તેથી એ પાઠ છોડવાની જરૂર લેખી નથી.

વેદાંત કહે છે મહાનિધ્ય જે કોઈ, ત્યાં[૮ક]હાં ત્યાંહાં તો જીવની ગમ્ય ન હોઇ,
કહે વેદાંત તમ્હ્યો પાંચે ખરા, પણ અસંભવના લેઈ ઊચર્યા. ૭૯

વેદાંત કહે છે. મહાનિધિ એટલે કે પરબ્રહ્મ અવસ્થા જ્યાં હોય ત્યાં જીવબુદ્ધિ રહેતી નથી. તમે પાંચે (દર્શનો) તમારી દૃષ્ટિએ ખરા છો પરંતુ (બ્રહ્મ અને જીવના એકત્વની) અસંભાવના માની લઈને તમે આમ કહ્યું છે. સમજૂતી : વેદાંતદૃષ્ટિએ બ્રહ્મ અને જીવની એકતા છે. તેથી પરબ્રહ્મની સાથે જીવબુદ્ધિ ટકી ન શકે. અન્ય પાંચે દર્શનો બ્રહ્મ-જીવના આ એકત્વમાં માનતા નથી એટલે કે જીવ-ઈશ્વર ભેદમાં માને છે. ‘મહાનિધિ’ શબ્દ ‘બ્રહ્મ’ના અર્થમાં અખાના છપ્પામાં પણ વપરાયો છે. જુઓ ઉમાશંકર જોશી સંપાદિત ‘અખાના છપ્પા’.

વિપ્રીત્ય ભાવના ત્યાંહાં ઊપજે, ત્યારે રહ્યો અનેરું ભજે,
જ્યારે હું સત્ય માન્યો દેહ, ત્યારે જુક્ત્ય લેવી પડી એહ. ૮૦

ત્યાં (તમારા દર્શનોના મતોમાં) વિપરીત ભાવના ઊપજે છે અને જીવ તેમાં અન્ય (પોતાનાથી જુદા) તત્ત્વને ભજે છે. જ્યારે પોતે દેહ રૂપે સત્ય છે એમ માન્યું ત્યારે આવી વિચારસરણીનો આશ્રય લેવો પડ્યો. સમજૂતી : દેહને સાચો માનીએ તો બ્રહ્મની સત્તા જીવથી અલગ છે એમ અર્થ થાય.

છે તાં સઘલો ચિદવિલાસ, ત્યાંહાં ઊચરવા નહીં અવકાશ,
તો તે કેહેને કહું હું કથી, જો જક્ત જક્તનાં કૃત્ય જ નથી. ૮૧

વસ્તુતઃ તો આ સઘળો ચૈતન્યનો વિલાસ છે. ત્યાં કાંઈ બોલવાનો પણ અવકાશ નથી એટલે કે એ અવર્ણનીય છે. જો જગત અને જગતનાં કૃત્ય જ નથી તો હું શેને વર્ણવી બતાવું?

વેદાંત કીધું તે એણે લક્ષે, પણ પાંચે બોલે તે દ્વૈતની પક્ષે,
પાંચેને ઊપનાનો લેખ, વેદાંત તે માટે કરે ઉવેખ. ૮૨

આને અનુલક્ષીને (અભેદની દૃષ્ટિએ) વેદાંતની રચના થઈ છે. પણ અન્ય પાંચ દર્શન તો દ્વૈતના પક્ષે બોલે છે. એ પાંચે જગત ઉત્પન્ન થયાનું ગણે છે ત્યારે વેદાંત એ હકીકતનો ઇનકાર કરે છે.

વિચાર કહે સાંભલ્ય, ચિત્તભૂપ મેં ખટ દરશનનાં દેખાડ્યાં રૂપ,
ચિત્ત કહે છે સુણ રે વિચાર, એ માંહાં બહુ ન દેખું ભાર. ૮૩

વિચાર કહે છે : ચિત્તરાજા સાંભળ. મેં તને છ દર્શનનાં રૂપ બતાવ્યાં. ચિત્ત કહે છે : વિચાર સાંભળ, એમાં બહુ ભાર (વજન) નથી દેખાતું. એટલે કે એમાં કશા મહત્ત્વના વિચારો જણાતા નથી.

એ તો સઘલો બાંધેલ ઘાટ, પણ કોએ નહીં નિરાલો નાટ,
વિચાર કહે મેં જે તુંને ઈશ્વર કહ્યો, તે જોતાં કોયે અલગો નવ રહ્યો. [૮ખ] ૮૪

એ બધાના (દર્શનોના) તો વિચારો બાંધેલા ઘાટે ચાલે છે એટલે કે પરંપરાનુસારી છે. તેમાંથી કોઈ ખરેખર નિરાળા, નવા કે મૌલિક વિચારો રજૂ કરતું નથી. વિચાર કહે છે કે મેં તને જે ઈશ્વરસ્વરૂપ – ચિદ્‌રૂપ ગણ્યો તેનો ખ્યાલ કરતાં કોઈ એનાથી અળગું રહેતું નથી.

તે ઈશ્વર તો સરવાવાસ, તે વડે સઘલો શબ્દવિલાસ,
જે ઘટે જેહેવી ઊઠી તરંગ, તેણે તેહેવું જ બાંધ્યું અંગ. ૮૫

તે ઈશ્વર તો સર્વત્ર વ્યાપેલો છે. સઘળા શબ્દવિલાસ (શબ્દબ્રહ્મનો વિલાસ) પણ તેને કારણે જ છે. જે ઘટમાં – પાત્રમાં જેવા તરંગ ઊઠે તેવું તે પોતાનું સ્વરૂપ બાંધે છે.

ત્યાંહાં તો સામર્થ્યનો નહીં પાર, તુજ મુજ દ્વારા હોએ વિસ્તાર,
ચિત્ત કહે પ્રેરક મુજ તુજ તણો, સર્વ ઘટે તાં ચાલ આપણો. ૮૬

એના (પરબ્રહ્મ – પરમાત્માના) સામર્થ્યનો તો કાંઈ પાર નથી. મારાથી અને તારાથી એનો વિસ્તાર થાય છે. ચિત્ત કહે છે : એ જ મારો અને તારો પ્રેરક હોય અને એ રીતે સર્વ ઘટ – જીવરૂપ પાત્ર –માં આપણું પ્રવર્તન હોય.

તો પરતંતર કાં ટલતા નથી, જોતાં તો દીસે એકથી,
વિચાર કહે પરતંતરતા તું મ ગણેશ, મેં ઈશ્વર તુંને કહ્યો સરવેશ. ૮૭

તો આપણે કેમ પરતંત્ર મટી જતાં નથી? વિચારતાં આપણે ભલે એક ઈશ્વર તત્ત્વથી જ પ્રેરાયેલાં હોઈએ. વિચાર કહે છે : તું પરતંત્રતા ન લેખીશ. મેં તને બધી વસ્તુનો અધિપતિ ઈશ્વર કહ્યો છે.

તે તાં તુંને ન બેઠ્યો ઘાટ્ય, વલી જુક્તિ કહું તે માટ્ય,
અનંત શક્તિ પરમ ચૈતન તણી, બહુ સામર્થ્ય માંહાં ઊપજ્ય ઘણી. ૮૮

તને તે સમજાયું નથી તે માટે એક વિશેષ તર્ક રજૂ કરું છું. પરમચૈતન્ય–બ્રહ્મની શક્તિ અનંત છે. તેના બહુ સામર્થ્યમાંથી ઘણું ઉત્પન્ન થાય છે.

સહજે ઊપજે નાના ઘાટ, અસંભાવ્ય મહા મોટો નાટ,
જો સામર્થ્ય સાહામું જુએ નહીં, તો તો કાંઈ સમું પડે અહીં. ૮૯

એમાંથી વિવિધ પ્રકારના ઘાટ સહજપણે ઉત્પન્ન થાય છે. આ ખરેખર મોટી અસંભાવનાની સ્થિતિ છે. જો મૂળ શક્તિને લક્ષમાં રાખે નહીં તો અહીં શું સીધું ઊતરે – સમજાય? સમજૂતી : વિવિધ ઘાટ ઉત્પન્ન થતાં બ્રહ્મતત્ત્વથી એની ભિન્નતા માની લેવામાં અસંભાવનાની સ્થિતિ સર્જાય છે એવું પહેલાં બે ચરણમાં કહેવાનું જણાય છે.

ચિત્ત કહે અહીં ગ્રહીયે તે શું? શું હું જાણી પામું હું?
ત્યારે વલતો બોલ્યો [૯ક] વિચાર, તું ટાલ્ય વચ્યેથો પામણહાર. ૯૦

ચિત્ત કહે છે : તો પછી અહીં શું સમજવાનું છે? હું શું જાણીને રહું તો પરમતત્ત્વ-સ્થિતિને પામું? ત્યારે જવાબમાં વિચાર બોલ્યો : તું વચ્ચેથી પામનારને ટાળ એટલે કે પામનારનો – જ્ઞાતાનો ખ્યાલ છોડી દે.

જ્યારે તું પામવાને ચલ્યો, ત્યારે વસ્તુપણાથી ટલ્યો,
તું તો ચિત્ત ચિદની છે લેહેર, ચિત્ત ચિદમાં કાંઈ નથી વેહેર. ૯૧

જ્યારે તું કશુંક પામવા માટે નીકળ્યો ત્યારે વસ્તુપણા (બ્રહ્મતત્ત્વની સ્થિતિથી) દૂર થયો. ચિત્ત, તું તો ચૈતન્યની લહેર છે અને ચિત્ત અને ચિદ્‌માં તત્ત્વતઃ કાંઈ જુદાપણું નથી.

જ્યારે સુરત્ય ચાલે તોરી બાહાર્ય, ત્યારે તું કેવલ સંસાર,
તે જ સુરત્ય જ્યારે પાછી શમી, આવી વસ્તુપણે વિશમી. ૯૨

જ્યારે તારી વૃત્તિ બહિર્મુખ હોય છે ત્યારે તું કેવળ સંસારરૂપ છે. પરંતુ તે જ વૃત્તિ જ્યારે પાછી પોતામાં શમે છે એટલે કે અંતર્મુખ થાય છે ત્યારે તે વસ્તુપણામાં આવીને શમે છે.

તું વિલાસ પરમચેતન તણો, તું કાં રાખે ભાર આપણો,
ચિત્ત કહે હું જો તેહેની તરંગ, જોતાં સઘલા તેહેના ઢંગ. ૯૩

તું પરમ ચેતનનો વિલાસ છે. તું શા માટે પોતાપણાનો (હુંપણાનો) ભાર રાખે છે? ચિત્ત કહે છે : હું જો તેનો તરંગ હોઉં તો વસ્તુસ્થિતિ જોતાં આ સઘળા તેના ઢંગ છે એમ ગણાય.

વિચાર કહે હું કહું તે માટ્ય, જોને તુજને બેસશે ઘાટ્ય,
સકલભાવે તેહ જ છે, તો હું થૈને કાં તાણી લે છે. ૯૪

વિચાર કહે છે : તેથી, હું કહું છું તે, જોજે, સમજાશે. સકલભાવે (બધી રીતે વિચારતાં) તે એટલે કે બ્રહ્મ જ છે તો પછી હું થઈને (પોતાપણું ધારીને) શા માટે તું ભાર તારા ઉપર લઈ લે છે?

એ ઉપર્ય દૃષ્ટાંત છે ભલ્લ, સોલે અંશે માને દિલ્લ,
ચિત્ત તું તાં દરપણ હોઇ, તે પૂઠ્ય સરીખું આગલ્ય ન હોઇ. ૯૫

એ ઉપર એક સરસ દૃષ્ટાંત છે તે તું પૂરેપૂરું તારા મનમાં ઉતાર. ચિત્ત, તું તો દર્પણ સમાન છે. તેમાં જેવું પાછળ હોય છે તેવું આગળ હોતું નથી.

જે વડે પોતા માંહાં છે તેજ, તે તેહનું તાં ન લહે એ જ,
પોતે કાચ માંહાં સામૃ[૯ખ]થ્ય નથી, ભાસકશક્તિ તે કલહી વતી. ૯૬

જેના વડે પોતાનામાં તેજ છે તેની જ તે શક્તિ છે એમ તે સમજતો નથી. કાચનામાં પોતાનામાં સામર્થ્ય નથી પરંતુ ભાસશક્તિ – પ્રતિબિંબ પાડવાની શક્તિ તે કલાઈને કારણે છે.

પાઠચર્ચા : બીજા ચરણમાં જુદી જુદી હપ્ર જે જુદાજુદા પાઠ આપે છે તે અર્થદૃષ્ટિએ સ્પષ્ટ નથી. ક ગ હપ્રનો પાઠ જ સંદર્ભમાં બરાબર બેસે છે. ચોથા ચરણમાં ક ગ સિવાયની બધી હપ્ર ‘કલહી’ને સ્થાને ‘સીસા’ વગેરે પાઠ આપે છે.

(આ પાઠચર્ચા છે, શ્લોક નથી.)

જ્યારે કલહીથી અલગું પડે, ત્યારે ભાસકશક્તિ શોધી નવ્ય જડે,
ત્યમ તુજ પાછલ્ય પોષક અવાચ્ય, તે તે કલહી ને તું તે કાચ. ૯૭

જ્યારે કાચ કલાઈથી અલગ થાય ત્યારે ભાસકશક્તિ તેનામાં શોધી પણ જડતી નથી. તેમ તારી પાછળ તને પોષનાર અવાચ્ય તત્ત્વ (બ્રહ્મ) છે. તે અવાચ્યતત્ત્વ તે કલાઈ અને તું કાચ છે. સમજૂતી : જીવનું ચેતનતત્ત્વ બ્રહ્મને કારણે છે એ ત્રીજા ચરણનું તાત્પર્ય છે. આવી જ રીતે ‘પોષણ’ શબ્દ પણ અન્યત્ર વપરાયેલો જોવા મળે છે : મહાનિધ્ય છે પોષણ તુજ તણૂં... (ચિત્તવિચારસંવાદ, ૧૦૬)... પણ બુધ્યાતીતથી સહુ ચળવળે, તેને અખા ન સમજે કોય, જે પરાતીતથું પોષણ હોય. (અખાના છપ્પા, ૫૭૬).

તે વડે તુજ માંહાં ગ્રાહકશક્તિ, બહુ પ્રકારની ઉકેલે જુક્તિ,
એ તાં તોરું મૂલ વૃત્તાંત, હવે સાંભલ્ય આચરણનો સંચ. ૯૮

તેના કારણે જ તારામાં જગતને ગ્રહણ કરવાની શક્તિ છે. વિવિધ પ્રકારની યુક્તિ પણ તું ઉકેલે છે. આ તારું મૂળ વૃત્તાંત છે. હવે તારા આચરણ એટલે કે વ્યવહારની વિધિ છે તે સાંભળ. પાઠચર્ચા : ચોથા ચરણમાં ‘સંચ’ પાઠ ત્રીજા ચરણના ‘વૃત્તાંત’ સાથે પ્રાસની દૃષ્ટિએ બંધબેસતો નથી પરંતુ આ પાઠને વધુ હપ્રનો ટેકો છે. ‘તંત’, ‘સાંત’ પાઠો પ્રાસ માટે પાછળથી આવ્યા હોય એમ લાગે છે. એમાંથી ‘તંત’ અર્થદૃષ્ટિએ બેસે છે, પણ ‘સાંત’ તો અર્થહીન છે એટલે શિથિલ પ્રાસના ઉદાહરણ લેખે ‘સંચ’ પાઠ સ્વીકારવો યોગ્ય લાગે છે. આ જ ચરણમાં ‘આચરણ’ને સ્થાને ‘આવૃણ, ‘આવરણ’ વગેરે પાઠને બહુ ઓછી હપ્રનો ટેકો છે.

સાહામું આવી જે જે રેહે જ, તે જાણે દરપણ માંહાં છે જ,
ત્યમ ચિત્ત છે સર્વ તાહારે વિષે, પાછું ન નીસરે જે જે લખે. ૯૯

(દર્પણની) સામે જે કોઈ વસ્તુઓ આવે છે તે જાણે દર્પણમાં હોય એમ લાગે છે. એવી રીતે ચિત્ત, સર્વ પદાર્થો તારામાં પણ આવે છે. જે પદાર્થોને તું અનુલક્ષે છે – લક્ષમાં લે છે તે પાછા નીકળતા નથી.

ચિત્ત કહે મુજ માંહાં ભાસું તે શું, તે કેહેને પેહેલું તે લહું હું,
વિચાર કહે ત્યેં જે સાંભલ્યું, તે જાણે કલણ માંહાં કલ્યું. ૧૦૦

ચિત્ત કહે છે : મારામાં ભાસ્યું – દેખાયું તે શું તે મને તેં પહેલાં કહે, જેથી હું તેને સમજું. વિચાર કહે છે : તેં જે સાંભળ્યું તે, એમ લાગે છે કે, તેં સ્વીકારી લીધું.

જે દીઠું ચરમચક્ષે કરી, તેને તું તાં બેઠો વરી,
જે પદારથ તુજ સાહામો થયો, તેમાં તું રસબસ થૈ રહ્યો. ૧૦૧

જેને ચર્મચક્ષુથી જોયું તેને તું વરી બેઠો. જે પદાર્થ તારી સામે આવ્યો તેમાં તું રસબસ થઈને રહ્યો.

તુજમાં હોય ને થાએ તુજ વડે, જ્યમ દરપણ માંહાં[૧૦ક] પ્રતિબિંબ જ પડે,
ત્યેં અવતાર ધર્યા ચોવીસ, તે જ તેં માની લીધા ઈશ. ૧૦૨

જેમ દર્પણમાં પદાર્થોનું પ્રતિબિંબ પડે છે તેમ આ બધું તારામાં આવે છે અને તારા વડે થાય છે. તેં ચોવીસ અવતાર ધારણ કર્યા અને તેને જ તેં ઈશ્વર માની લીધા.

સમજૂતી : તાત્પર્ય એ છે કે આ બધી ચિત્તની (જીવભાવની) જ સરજત છે.

(આ સમજૂતી છે, શ્લોક નથી.)

દેવ નર નાગ સ્થિર ચર બહુ પંડ્ય, તાહારી કલપી સઘલી મંડ્ય,
બ્રહ્મા વિષ્ણુનો કલપક તું, તુજ સત્તાએ બોલું હું. ૧૦૩

દેવ, નર, નાગ, સ્થાવર અને જંગમ બધા જ પદાર્થો – એ સઘળી તારી કલ્પેલી રચના છે. બ્રહ્મા અને વિષ્ણુની કલ્પના કરનાર પણ તું છે અને હું બોલું છું તે પણ તારી સત્તાથી.

બ્રહ્મા વિષ્ણુ મહેશ કોણ કહે, જ્યારે તું જડ થૈને રહે,
તે માટે તુજને કહું છું બાપ, એ સઘલો તોરો છે વ્યા૫. ૧૦૪

હે પિતા! જ્યારે તું જડ થઈને રહે, ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કોને કહેવાય? તને કહું છું કે આ સઘળો તારો વ્યાપ છે. સમજૂતી : પહેલાં બે ચરણનું તાત્પર્ય એ છે કે જીવ જો ચૈતન્યરહિત કે કલ્પનાશક્તિ વગરનો હોય તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું પણ અસ્તિત્વ ન રહે. (આ સમજૂતી છે, શ્લોક નથી.)

ધર્યો પંડ્ય જે સૂક્ષમ સ્થૂલ, તે માંહાં સૂત્ર તે તાહારું મૂલ,
ઈશ્વર માંહાં તું ઈશ્વરરૂપ, જીવ વિષે તું જીવસ્વરૂપ. ૧૦૫

આ સૂક્ષ્મ અને સ્થૂળ શરીર જે તેં ધારણ કર્યું છે તેમાં સૂત્ર રૂપે રહેલું તે તારું મૂળ તત્ત્વ છે. ઈશ્વરમાં તું ઈશ્વરરૂપ છે અને જીવમાં તું જીવસ્વરૂપ છે.

પણ સાહામું તાહારે કોય નથી, દીસે તે ભ્રમની મોરથી,
માહાનિધ્ય છે પોષણ તુજ તણું, અને તું માને સામૃથ્ય આપણું. ૧૦૬

ખરેખર તારી સામે કશું નથી. જે દેખાય છે તે ભ્રમને કારણે છે. તારું પોષણ મહાનિધિ (બ્રહ્મ) છે. એટલે કે તારા જીવત્વ – ઈશ્વરત્વનો આધાર બ્રહ્મચૈતન્ય છે અને તેને તું પોતાનું સામર્થ્ય માને છે. પાઠચર્ચા : બીજા ચરણમાં ‘તાહારી મોરથી,’ ‘તારા મોરથી’ વગેરે પાઠને વધારે હપ્રનો ટેકો નથી પરંતુ સર્વ જગત જીવભાવનું જ સર્જન છે એવો અર્થ એમાંથી પણ નીકળે છે પરંતુ ક હપ્રનો પાઠ વધુ સ્પષ્ટ છે.

માહાનિધ્ય કેરો સેહેજ વિલાસ, તુજ મુજ દ્વારા હોયે પ્રકાશ,
માહાનિધ્ય તો સેહેજ જ અરૂપ, તુજ ઉલ્લસે થૈ આવે રૂપ. ૧૦૭

સર્વ મહાનિધિ (બ્રહ્મ)નો સહજવિલાસ છે. મારા અને તારા દ્વારા એ પ્રકાશે છે. મહાનિધિ તો મૂળભૂત રીતે જ અરૂપ છે. તારા પ્રગટીકરણથી એને રૂપ મળે છે.

રૂપ થાએ ત્યાંહાં[૧૦ખ]તુંમાં હોઇ, રૂપદરશી તું વ્યસા સોય,
જો તું તાહારું લહે તુજપણું, તો કેહેવા ન રહે પર-આપણું. ૧૦૮

(અરૂપ) બ્રહ્મ જ્યારે રૂપ ધારણ કરે છે ત્યારે તે તારામાં હોય છે – તારું અસ્તિત્વ ઊભું થાય છે. તું સો ટકા – નિશ્ચિતપણે બ્રહ્મનું રૂપ પ્રકટ કરનાર – બ્રહ્મનું પ્રકટ રૂપ છે. જો તું તારું તુજપણું (તારું મૂળ સ્વરૂપ) જાણે તો બીજાનું અને મારું એમ કહેવાનું ન રહે. પાઠચર્ચા : પહેલા ચરણમાં ‘તુંમાં’ ને સ્થાને ‘તું તાં’ વગેરે પાઠ બીજી હપ્ર આપે છે તેનો અર્થ એવો થાય કે બ્રહ્મ જ્યારે રૂપ ધારણ કરે છે ત્યારે તું એટલે કે જીવ અસ્તિત્વમાં આવે છે. બીજા ચરણમાં ‘વ્યસા’ને સ્થાને ‘વ્યસો/વસ્યો’ પાઠ લઈએ તો તું બ્રહ્મનું રૂપ દર્શાવનાર – પ્રકટ રૂપ – છે અને તે (બ્રહ્મ) તારામાં વસેલ છે એવો અર્થ કરવાનો રહે.

અપંચીક્રણ માંહાંથું પંચીક્રણ થાઇ, તે પાછું તે માંહાં વિલાઈ જાઇ,
ત્યારે તું તાં રહેતો નથી, જો તું માહાનિધ્ય મોરથી. ૧૦૯

અપંચીકરણમાંથી પંચીકરણ થાય ત્યારે તે પાછું તેમાં (એટલે કે અપંચીકૃત અવસ્થામાં) વિલીન થાય તે સ્થિતિમાં ત્યાં તું રહેતો નથી. એટલે કે તારી અલગતા રહેતી નથી. તારું અસ્તિત્વ બ્રહ્મચૈતન્યને કારણે છે તે તું સમજી લે. સમજૂતી : બ્રહ્મમાંથી જીવ અને જગતની ઉત્પત્તિની જે પ્રક્રિયા તે પંચીકરણ કહેવાય છે. પંચીકરણ એટલે પંચમહાભૂતો એકબીજા સાથે જોડાઈને આ સૃષ્ટિને ઉત્પન્ન કરે તે ક્રિયા. તેની વીગતે સમજૂતી વેદાંત આપે છે. કેવળ બ્રહ્મની અવસ્થા તે અપંચીકૃત અવસ્થા છે.

થાતું દીસે સર્વ તુજ વડે, તે જોતાં આઘું નીમડે,
ચિત્ત કહે હું જાણું છું હું તાં નહીં, એમ જોતાં તો બેહું જૈ કહીં. ૧૧૦

તારા વડે બધું થતું દેખાય છે પણ વિચાર કરતાં આગળની (બ્રહ્મભાવની) સ્થિતિ નીપજે છે. ચિત્ત કહે છે : હું જાણું છું કે હું ત્યાં (કેવલ બ્રહ્મની સ્થિતિમાં) નથી. પણ એમ વિચારીએ તો એ વાત ક્યાં જઈને પહોંચે?

ત્રિપદનો સમઝાણો ભેદ, હવે એક સંશેનો કર્ય ઉછેદ,
છતે પિંડ્યે હું તું મલી વદું, પણ પડ્યે પિંડ્યે કોએ ન કહે પદું. ૧૧૧

ત્રણ પદ (જીવ, ઈશ્વર, બ્રહ્મ)નો ભેદ (રહસ્ય) મને સમજાયો. હવે એક સંશયને દૂર કર. શરીર હોવાથી હું અને તું બંને મળી વાત કરી શકીએ છીએ. પણ શરીર જતાં (શરીરનો નાશ થતાં) હું કંઈ કરું છું – આચરું છું એમ કોઈ કહી ન શકે. સમજૂતી : ‘પદું’નો ‘અખાની વાણી’માં ‘પદવીવાળું’ અર્થ આપ્યો છે. પણ તે કોઈ રીતે બેસતો નથી. સંસ્કૃત પદ્‌ = કરવું, આચરવું એમ છે જે ભગવદ્‌ ગોમંડળ પણ નોંધે છે તે અહીં કદાચ હોઈ શકે. જોકે, ગુજરાતીમાં આવું કોઈ ક્રિયાપદ હોવાનું અન્યત્રથી સમર્થિત થતું નથી.

પડ્યે પંડ્યે કેહી પેર્યેં વ્યર્ત્ત્ય, તેહેની કાંઈ કેહેની મુજ ન્યર્ત્ત્ય,
ત્યારે વલતો બોલ્યો વિચાર, ત્યેં હવડાં સ્યો રાખ્યો છે નિરધાર. ૧૧૨

શરીર જતાં કેવા પ્રકારની સ્થિતિ થાય છે તેની કંઈક સમજૂતી મને આપ. (અથવા તેનું શું પરિણામ આવે છે તે તું મને કહે.) ત્યારે જવાબ રૂપે વિચારે કહ્યું : તેં હમણાં શો નિશ્ચય રાખ્યો છે? પાઠચર્ચા : પહેલા ચરણમાં ક ગ હપ્રમાં ‘પંડ્યેં પંડ્યેં’ પાઠ મળે છે. એનો અર્થ ‘શરીરે શરીરે’ એમ થાય. પરંતુ આગળની-પાછળની કડીઓમાં ‘પડ્યેં પિંડ્યેં/પંડ્યેં (શરીર જતાં) એ પાઠ મળે છે. અહીં એ અર્થનો જ સંદર્ભ છે અને અન્ય કેટલીક હપ્ર અહીં ‘પડ્યે પિંડ્યે’ (ખ હપ્ર) અને ‘પડ્યે પંડે’ (ઝ હપ્ર) વગેરે પાઠ આપે છે તેથી ‘પંડ્યે’ને સ્થાને ‘પડ્યેં’ પાઠ સ્વીકાર્યો છે. સમજૂતી : ‘નિરતિ’ પરથી ‘ન્યર્ત્ય’ થઈ શકે પણ તે અહીં અર્થમાં બેસે તેમ નથી. ‘નિવૃત્તિ’ પરથી ‘ન્યર્ત્ય’ કર્યું લાગે છે. જુઓ પૃ. ૮૪

ચિત્ત કહે હવડાં તો ભાસે છે સલગ, જ્યમ કનક કટક જોતાં નહીં અલગ,
વિચાર કહે હવડાં જ્યમ હશે, પડ્યે પંડ્યે ત્યમ[૧૧ક] જ રહ્યું જશે. ૧૧૩

ચિત્ત કહે છે : હમણાં તો સળંગ – એકરૂપ લાગે છે, જેમ વિચાર કરતાં સોનું અને સોનાનું કડું અલગ જણાતાં નથી તેમ. વિચાર કહે છે : હમણાં જેવી સ્થિતિ હશે તેવી સ્થિતિ શરીર નાશ પામશે ત્યારે પણ રહેશે. સમજૂતી : અહીં આવતા ‘કનક કટક’ એ શબ્દો નરસિંહ મહેતાની પંક્તિઓની યાદ અપાવે. ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...’ એ પદમાં “વેદ તો એમ વદે, શ્રુતિસ્મૃતિ સાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન્હોયે, ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.”

જ્યારે જેહેવો તેહેવો તું, પણ દેહનું કારણ ન ગણું હું,
માહાનિધ્યની તરંગ તું ચિત્ત, અને દેહ તો ભૂત તણો આવૃત્ત. ૧૧૪

તું જેવો હોય તેવો હંમેશાં રહે છે. શરીર એ સ્થિતિભેદનું કારણ નથી. ચિત્ત, તું મહાનિધિ (બ્રહ્મ)નો તરંગ છે અને દેહ તો પંચમહાભૂતનું આવરણ છે.

સેહેજ સુભાવે ઊઠી લેહેર, મોટું સામૃથ્ય ગ્રહી બેસો ગેહેર,
તેણે ભૂત પ્રેર્યાં તો ચાલ્યા જાઇ, લક્ષ ચોરાશી બીબાં ભરાઈ. ૧૧૫

મહાનિધિમાં એના સહજ સ્વભાવથી લહેર ઊઠે છે. (તું એ મહાનિધિની લહેર છે એ રીતે) તારું મોટું સામર્થ્ય સમજીને શાંતિથી બેસી રહે. પરબ્રહ્મે જે પંચમહાભૂતોને પ્રેર્યાં તેનો પ્રવાહ વહે છે અને તે ચોરાસી લાખ પ્રકારનાં બીબાં એટલે કે યોનિમાં ઢળે છે. પાઠચર્ચા : બીજા ચરણમાં અન્ય બધી હપ્ર ‘ગૈયર ગહેર’ (ખ) ગૈહર ગહેર’ (ચ) વગેરે પાઠ આપે છે તે ઘણા અસ્પષ્ટ છે. અખાજીએ ‘ઘેર’નું ‘ગેહેર’ કર્યું. તે ‘લેહેર’ સાથે પ્રાસ મેળવવા માટે કર્યું જણાય છે. ત્રીજા ચરણમાં અન્ય બધી હપ્ર ‘ચાલ્યા’ પાઠ આપતી નથી પણ અર્થ દૃષ્ટિએ એ આવશ્યક લાગે છે.

પંડ્ય પરમાણે તું થૈ રહે, તો તો દેહ સરખો થૈ વહે,
જો પૂરવ જુએ પોતા તણું, તો તો છે જ સતંતરપણું. ૧૧૬

જો તું તારી જાતને શરીરના માપે જુએ તો તું દેહરૂપ થૈને રહે. (પણ) જો તું તારું પૂર્વ જુવે તો તારું સ્વતંત્રપણું (દેહથી) સ્પષ્ટ છે.

ચિત્ત કહે સતંતરતા તો જ્ઞાને હોઇ, પણ વણજ્ઞાને તાં સ્ફુરણ જન હોઇ,
મનીશ વિના અનેરી જાત્ય, ત્યાંહાં તો ન હોઇ પણું સાક્ષાત. ૧૧૭

ચિત્ત કહે છે : સ્વતંત્રતા તો જ્ઞાનને કારણે હોય છે, પણ જ્ઞાન વિના (સ્વતંત્રતાનું – આત્મભાવનું) સ્ફુરણ જ થતું નથી. મનુષ્ય વિનાની જે બીજી જાતિઓ છે ત્યાં તો સાક્ષાત્કાર થતો નથી. સમજૂતી : અહીં સાક્ષાત્કાર એટલે પોતાપણાનું – પોતે દેહથી અલગ ચૈતન્યરૂપ હોવાનું જ્ઞાન.

ત્યારે વલતો બોલ્યો વિચાર, કાંઈ મનુશદેહે જ નથી નિર્ધાર,
મનુશદેહ રાખ્યસ ગજ નાગ, અર્જુન વૃક્ષ કપિ જક્ષ કાગ. ૧૧૮

ત્યારે જવાબમાં વિચાર બોલ્યો : કંઈ મનુષ્યદેહમાં જ ચૈતન્ય છે એવું નિશ્ચિત નથી. મનુષ્યદેહ, રાક્ષસ, હાથી, નાગ, મોર, વૃક્ષ, વાંદરો, યક્ષ, કાગડો –

એ તો જાત્ય જણાવા કહ્યા મેં તુંને, છે ચૈતન્યઠાઠ જાણી રહે [૧૧ખ] મને,
છે તો સઘલો ચિદવિલાસ, ત્યેં જ તાહારો કરવો તપાસ. ૧૧૯

આ તો મેં તને (પ્રાણીઓની જુદી જુદી) જાતનું જ્ઞાન થાય તે માટે કહ્યાં પણ આ બધો ચૈતન્યનો વિસ્તાર છે એમ મનથી સમજીને તું રહે. આ રીતે આખી સૃષ્ટિ ચૈતન્યનો જ વિલાસ છે. તારે જ તારા સ્વરૂપની તપાસ કરવી. સમજૂતી : ‘તપાસ’ શબ્દ પુલ્લિંગમાં છે તે નોંધપાત્ર છે.

પશુ પંખી દ્રુમ જલચર જોએ, ચૈતન્યમાં અલગો નથી કોએ,
હીન અવાચ્યક દેખીને ચિત્ત, રખે માને થોડું ઘણું વ્યત્ત. ૧૨૦

ચૈતન્યની દૃષ્ટિએ પશુ, પંખી, વૃક્ષ, જલચર કોઈ જુદાં નથી. હીન (ઊતરતા પ્રકારનાં) અને મૂંગાં પ્રાણીઓને જોઈને ઓછુંવત્તું વિત્ત (ચૈતન્ય) છે એમ રખે માનતો.

ચિત્ત કહે છે સુણ્ય રે વિચાર, એ તો કાંઈ ઊંડો નિર્ધાર,
મેં જાણ્યુંતું તે કહીએ રહી ગયું, અને કલ્પ્યું ન જાએ તે પરગટ થયું. ૧૨૧

ચિત્ત કહે છે : વિચાર સાંભળ, એ તો કંઈક ઊંડી વાત છે. મેં જે જાણ્યું હતું તે ક્યાંય રહી ગયું અને જેની કલ્પના પણ ન થઈ શકે તે પ્રગટ થયું.

મૂઆ પછીનું શું પૂછું તુંને, તે આફણીએ સ્ફુર્ણ થયું મને,
વિચાર કહે મુજ કહી દેખાડ્ય, હું જાણું જે તાહારી ભાગી જાડ્ય. ૧૨૨

મૃત્યુ પછી શું થાય છે એ (વિશે) હું તને શું પૂછું? તેનું મને આપોઆપ જ્ઞાન થયું છે. વિચાર કહે : તું મને તે કહી બતાવ કે જેથી હું જાણું કે તારી જડતા – તારું અજ્ઞાન દૂર થયું છે.

સમજૂતી : ‘જાડ્ય’ શબ્દ જડતાના સંસ્કારથી ‘સ્ત્રીલિંગ’માં વપરાયો જણાય છે.

ચિત્ત કહે છે મુને જ્યારે સુષોપતી હોઇ, ત્યારે દેહ પ્રાણનું સ્ફુરણ તે ન હોઇ,
માહારું એ ન જાણું રૂપ, ત્યારે હું સદોદિત ભૂપ. ૧૨૩

ચિત્ત કહે છે : જ્યારે મને સુષુપ્તિ હોય ત્યારે દેહ અને પ્રાણનું ભાન હોતું નથી. દેહપ્રાણમય અસ્તિત્વને હું મારું રૂપ ન માનું ત્યારે હું સદા પ્રકાશમાન રાજા (બ્રહ્મસ્વરૂપ) બની જાઉં છું. સમજૂતી : સુષુપ્તિ અવસ્થા એટલે ગાઢ – સ્વપ્ન વગરની નિદ્રાની અવસ્થા. વેદાંતની દૃષ્ટિએ આ અજ્ઞાન અને સુખની અવસ્થા છે. બાહ્યજગતના વિષયો એમાં રહેતા નથી. તેથી જીવ એ વિષયોનો જ્ઞાતા પણ રહેતો નથી. આ રીતે એ અજ્ઞાનની અવસ્થા છે. વિષયોને કારણે જન્મતા ક્લેશો પણ તે વખતે હોતા નથી તેથી તે સુખની અવસ્થા છે. પરંતુ એ સાથે એમાં દેહભાન હોતું નથી પણ ચેતના તો હોય છે જેને કારણે માણસ જાગીને કહે છે કે મને ઘણી સારી ઊંઘ આવી એટલે આ આનંદમય આત્મસ્વરૂપની સ્થિતિ છે. વેદાંતની દૃષ્ટિએ સુષુપ્તિઅવસ્થા દેહમાં ન બંધાયેલા અનંત આત્મતત્ત્વનો સંકેત કરે છે એ દૃષ્ટિએ મહત્ત્વની છે. સુષુપ્તિ વિશેનો આ વેદાંતવિચાર અહીં પ્રતિબિંબિત થયો છે.

કલ છૂટી જ્યારે સુષોપતી તણી, ત્યારે હું આવું દેહ ભણી,
દેહસંગ્યે સંકલ્પ ઘટમટ્ય, વિષેભોગ કે શાસ્ત્રખટપટ્ય. ૧૨૪

જ્યારે સુષુપ્તિઅવસ્થાની મૂર્છા દૂર થાય છે ત્યારે મને દેહનું ભાન થાય છે. દેહની સાથે સંકલ્પ-વિકલ્પ, વિષયભોગ કે શાસ્ત્રવિચાર બધું આવે છે.

પણ તે નેટ્ય જાગ્રત [૧૨ક]નો ધર્મ, વૈકુંઠ સુધો એક જ મર્મ,
અને જાગ્રત તો દેહનો વ્યાપાર, અને મુજ નિદાન તો પરપંચપાર. ૧૨૫

એ બધો જાગ્રદવસ્થાનો જ ધર્મ છે. વૈકુંઠ સુધીની સૃષ્ટિનું એક માત્ર રહસ્ય આ જાગ્રત અવસ્થા છે. જાગૃતિ દેહનો વ્યાપાર છે અને મારું અંતિમ લક્ષ્ય તો પ્રપંચની પારની સ્થિતિ છે.

ત્યારે વલતો બોલ્યો વિચાર, તુંને એ નિશે આવ્યો નિર્ધાર,
ચિત્ત કહે છે એમ દ્રષ્ટ્યે પડ્યું, જે એ તો કાંઈ માહારું નથી ઘડ્યું. ૧૨૬

ત્યારે જવાબમાં વિચાર બોલ્યો : તેં ખરો નિર્ણય કર્યો છે. ચિત્ત કહે છે : (મને) એવું દેખાયું-સમજાયું કે એ સૃષ્ટિપ્રપંચ કંઈ મારો ઘડેલો નથી. સમજૂતી : છેલ્લા ચરણમાં અખાજીનું કહેવાનું તાત્પર્ય એ જણાય છે કે સૃષ્ટિપ્રપંચ દેહભાવનું પરિણામ છે પણ આત્મભાવને તેની સાથે સંબંધ નથી. ‘માહારું’ એટલે આત્મભાવનું સમજવાનું રહે. આત્મભાવમાં સ્થિર થયા પછી જગતભાવ થતો નથી. (આ સમજૂતી છે, શ્લોક નથી.)

વિચાર કહે એ ઘેર્ય જો નિત્ય રહે, ત્યારે તે શું બીજું કહે,
એ તો દેહનું કાઢ્યું નિદાન, મુક્તિ બંધ ટાલેવા માન. ૧૨૭

વિચાર કહે : જો એ સમજણમાં હંમેશાં રહે તો બીજું શું કહેવાનું? (પણ) મુક્તિ અને બંધનું ધોરણ છોડવા માટે તેં એના (મુક્તિબંધના) કારણ રૂપે દેહને ગણેલ છે. સમજૂતી : છેલ્લાં બે ચરણ કંઈક અસ્પષ્ટ રહે છે. (આ સમજૂતી છે, શ્લોક નથી.)

ચિત્ત કહે છે એમ દ્રષ્ટ્યે પડ્યું, ચિત્ત ચિદ અંતરદ્વાર ઊઘડ્યું,
વિષ્ણુશરીર શમોગુણરૂપ, તે ઘટ માંહે હું તદ્રૂપ. ૧૨૮

ચિત્ત કહે છે : એ અનુભવ થતાં ચિત્ત અને ચિદનું રહસ્ય પ્રગટ થયું. સત્ત્વગુણી વિષ્ણુનું શરીર છે તે શરીરમાં હું તદ્રૂપ છું.

રજોગુણ બ્રહ્મા ત્યાંહે હું જ, સ્રષ્ટીકરતા માન રાખું છું જ,
તમોગુણી હર ત્યાંહા હું ત્યમ, ઉતપત્તિ સ્થિતિ સંઘારણ ક્રમ. ૧૨૯

રજોગુણી બ્રહ્મા છે ત્યાં હું જ છું અને સૃષ્ટિકર્તાનું સ્થાન હું ભોગવું છું. (હું સૃષ્ટિકર્તાની સમાન છું.) તમોગુણી શંકર ત્યાં પણ હું જ. એવી રીતે ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર (વિનાશ) એ ત્રણે કર્મમાં હું જ રહેલો છું.

મૂર્તિ ત્રણ્ય વરતે મુજ વડે, તે પોષે ને ભાંજે ઘડે,
જક્તનાં કારણ એ ત્રણ્ય, તે તો સર્વ મોરા આચરણ્ય. ૧૩૦

ત્રણે મૂર્તિ (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ)નું અસ્તિત્વ મારા થકી છે. તે ઘડવાની, પોષવાની, ભાંગવાની ક્રિયા કરે છે. એ ત્રણે જગતના કારણરૂપ છે ને તે સર્વ મારું જ આચરણ છે.

અજહરિહરનો પ્રેરક હું, [૧૨ખ] તે તો સર્વે જાણે છે તું,
વિચાર કહે જાણું હું ખરો, પણ મેં ન ચલાએ તું ઊફરો. ૧૩૧

બ્રહ્મા, વિષ્ણુ અને શંકરનો હું પ્રેરક છું, તે સર્વ તો તું જાણે છે. વિચાર કહે : એ તો હું જાણું ખરો પણ તારાથી અલગ – ઉપરવટ હું ચાલી શકતો નથી.

તેહેનું તુજને દેઉં એંધાણ, મલે તો રાખે પરમાણ,
ઇંદ્ર વિરોચનને પૂછ્યા અજપિતા, તે ગુરુશિષ્ય માંહાં આપણ બેહુ હુતા. ૧૩૨

એ વાતનું હું તને એંધાણ આપું. જો એ એંધાણ તને બેસતું આવે તો તું મારી વાત ખરી માનજે. ઇન્દ્ર અને વિરોચને પિતા બ્રહ્માને પૂછ્યું ત્યારે તે ગુરુશિષ્ય રૂપે આપણે બે હતા.

વિશદ કરી કહ્યું નિજ ધામ, વિરોચન પામ્યો વિશ્રામ,
તેહેવું ન મનાયું વાસવમને, તે ફરી આવ્યો કમલભૂ કને. ૧૩૩

બ્રહ્માએ આત્માનું – બ્રહ્મનું સ્વરૂપ સ્પષ્ટ કરીને સમજાવ્યું, (જેથી) વિરોચનને તેનાથી શાંતિ થઈ. (એટલે કે તેની જિજ્ઞાસા સંતોષાઈ) પરંતુ ઇન્દ્રના મનથી એ માની શકાયું નહીં એટલે એ ફરીથી બ્રહ્મા પાસે આવ્યો.

માનનહારો ચિત્ત મુખ્ય તું, અને પોષણહારો નિકટે હું,
માને તો પરમ ચૈતન પ્રાઇ, નહીં તો ચિત્ત રૂપે સદાઇ. ૧૩૪

માનવાની ક્રિયા કરનારો, ચિત્ત, મુખ્ય તું છે અને પોષણ આપનાર તારી નિકટ હું છું. જો તું માને તો તું પરમચૈતન્ય જ છે. નહીં તો સદા (હંમેશાં) ચિત્ત રૂપે જ છે. સમજૂતી : કડી ૧૩૨–૩૪માં ઇન્દ્રવિરોચનની કથાનું દૃષ્ટાંત અપાયું છે તે અહીં કઈ રીતે લાગુ પાડવું તે પૂરતું સ્પષ્ટ થતું નથી. બ્રહ્મજ્ઞાન – આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે ઇન્દ્ર અને વિરોચન બ્રહ્મા પાસે રહ્યા હતા ત્યારે તેમની પરીક્ષા કરવા બ્રહ્માએ અસત્યવચન કહ્યું હતું કે આંખોમાં, પાણીમાં, દર્પણમાં જે આપણું પ્રતિબિંબ દેખાય છે તે આત્મા છે. વિરોચને બ્રહ્માના આ કથનને સત્ય માની દેહને જ આત્મા માની લીધો પરંતુ ઇન્દ્રે એ વાત માની નહીં અને ફરીથી બ્રહ્મા પાસે ગયા. અહીં વિચાર એમ કહે છે કે એ ઇન્દ્ર અને વિરોચન બ્રહ્માને પૂછવા ગયા ત્યારે ગુરુશિષ્ય રૂપે આપણે બંને હતા. આનો અર્થ એમ થાય કે ગુરુ બ્રહ્મા તે વિચાર અને ઇન્દ્રવિરોચનને સ્થાને ચિત્ત. ચિત્ત માનવા કે ન માનવાની બંને ક્રિયા કરે તેથી એ ઇન્દ્ર તેમજ વિરોચનને સ્થાને છે અને વિચાર બ્રહ્માની પેઠે એને તેના માર્ગે જવા દેનાર છે એમ બેસાડી શકાય, પરંતુ અખાજીને આમ જ અભિપ્રેત હશે કે કેમ એ વિશે સંશય રહે છે.

ચિત્ત કહે છે સુણ્ય રે વિચાર, લોક ચૌદ્યે મોરો વિસ્તાર,
તું સાહે થાતે દ્રષ્ટ્યે પડ્યું, પણ તુજ વિના તે રેહેતું અડ્યું. ૧૩૫

ચિત્ત કહે છે : વિચાર સાંભળ. ચૌદ લોક એ મારો જ વિસ્તાર છે. તારી સહાયથી એ સમજમાં આવ્યું પણ તારા વિના એ અટક્યું રહે છે.

ચૌદ લોક લગી ચાલી સુર્ત્ય, તે તાં જ્યમ હસ્તામલકર્ત્ય,
જીવ ઈશ્વરને ભેદ્યે કરી, બ્રહ્માંડ લગી એ બુધ્ય વિસ્તરી. ૧૩૬

ચૌદ લોક સુધી વૃત્તિ પહોંચી અને એ હસ્તામલકવત્‌ (સ્પષ્ટ) છે. જીવ અને ઈશ્વર એવા ભેદ સાથે એ સમજણ બ્રહ્માંડ સુધી વિસ્તરેલી છે. પાઠચર્ચા : બીજા ચરણમાં ‘હસ્તામલકર્ત્ય’ પાઠ દેખીતી રીતે તો અસ્પષ્ટ છે અને તેનાં પાઠાંતરો પણ સંતોષકારક નથી. ‘ર્ત્ય’ને સ્થાને એકલી ગ હપ્ર ‘રત્ય’ આપે છે, જે પ્રત એક રીતે ક પ્રતને અનુસરે છે ને બીજી છ હપ્ર ‘તર્ત’ કે ‘તર્ત્ય’ પાઠ આપે છે પણ આ પાઠો સંદર્ભમાં કશા ઉપયોગી અર્થ આપતા નથી. અ બ હપ્ર ‘વસ્ત’ પાઠ આપે છે તે અર્થની દૃષ્ટિએ સ્પષ્ટ ગણાય પણ તેને કોઈ હપ્રનો ટેકો નથી. એમ લાગે છે કે અખાજીએ ‘હસ્તામલકવત્‌’નું પ્રાસને અનુલક્ષીને ‘હસ્તામલકર્ત્ય’ કરી નાખ્યું હોય. એ રીતે આ અખાજીની ઘણી વિલક્ષણ તોડફોડ ગણાય. જોકે પાછું ‘જ્યમ’ તો એમણે વાપર્યું જ છે.

હિરણ્યગર્ભનું સર્વે પ્રતિબ્યંબ, થા [૧૩ક] એ જાએ પણ પ્રાયે શંભ,
તે માહાનિધ્ય કેહેવો કેવડો, કરે સાખ્યાત તો તું વડો. ૧૩૭

એ સર્વ સૃષ્ટિ હિરણ્યગર્ભનું પ્રતિબિંબ છે. એ ઉત્પન્ન થાય છે, લુપ્ત થાય છે પણ એ અંતે બ્રહ્મરૂપ જ છે તે મહાનિધિ – બ્રહ્મને કેવડો કહેવો? તેનો સાક્ષાત્કાર કરે તો તું મોટો. પાઠચર્ચા : બીજા ચરણમાં ‘શંભુ’ પાઠ માત્ર ક પ્રત જ આપે છે. સામાન્ય રીતે ક ને અનુસરતી ગ પ્રત પણ અહીં આ પાઠ આપતી નથી. અન્ય સઘળી હપ્ર ‘સંભ’, ‘શંબ’, ‘સંબ’, ‘શંભ’ પાઠો આપે છે. આ બધાના મૂળમાં ‘શંભ’ પાઠ છે. પ્રાસદષ્ટિએ પણ ‘શંભુ’ નહીં પણ ‘શંભ’ પાઠ હોવો જોઈએ. (૨૭૪મી કડીમાં એમ જ છે) આ કારણોથી અહીં ક હપ્રનો પાઠ છોડ્યો છે. પરંતુ ‘શંભ’ એ ‘શંભુ’નું પ્રાસ માટે થયેલું રૂપ છે તેથી અર્થ એનો એ જ રહે છે. અ બ હપ્ર આને સ્થાને ‘સ્વયંભૂ’ શબ્દ આપે છે તે ‘બ્રહ્મા’ને જ લાગુ પડે, અનાદિ અનંત બ્રહ્મને નહીં.

ત્યારે વલતો બોલ્યો વિચાર, એ સમઝણ માંહાં મોટો ભાર,
એક વાત હું પૂછું તુંને, તે ઠેહેરાવીને કહે તું મુને. ૧૩૮

ત્યારે વિચારે જવાબ આપ્યો : એ સમજવું ઘણું અઘરું છે. એક વાત હું તને પૂછું છું તે તું મને નક્કી કરીને કહે.

ચિત્ત બોલ્યો શું કહે છે કહે, વિચાર કહે તું તે શું છે લહે,
તું શું છે જે ઝાલેવા ધસે, અને તે શું છે જે તોરો ઝાલ્યો જશે. ૧૩૯

ચિત્તે કહ્યું : તું શું પૂછવા માગે છે તે કહે. વિચારે કહ્યું : તે કઈ વસ્તુ છે જેને તું પ્રાપ્ત કરવા માગે છે? તે શું છે જેને તું પકડવા દોડે છે? તે શું છે જે તારા હસ્તગત થશે?

ચિત્ત કહે તું કાંઈ ઘાટ્ય બેસાર્ય, માહારે તો એ સ્થલ છે હાર્ય,
વિચાર કહે દ્રષ્ટાંત્યે કહું, આરોપીને પ્રષ્ણ નિરવહું. ૧૪૦

ચિત્તે કહ્યું : તું કાંઈક સમજણ પાડ. મારે તો એ સ્થળ પ્રાપ્ત કરવાનું છે. વિચારે કહ્યું : દૃષ્ટાંતની મદદથી હું તને સમજાવું. એટલે કે અન્ય વસ્તુના રૂપક દ્વારા કોયડો ઉકેલી આપું. સમજૂતી : ‘આરોપીને’ના અહીં લીધેલા અર્થ માટે જુઓ ‘અખાના છપ્પા : કેટલોક અર્થવિચાર’ (જયંત કોઠારી) પૃ. ૮૯ તથા ત્યાં ઉદ્ધૃત થયેલી પ્રસ્તુત પંક્તિઓ : વસ્તુ જાણવા સાધન કાજ, આરોપી બોલ્યા કવિરાજ. (છપ્પા ૧૫૪) આ ઉપમા દીજે તે આરોપણ, દૃષ્ટાંત દીજે તે દ્વૈત રે. (કૈવલ્યગીતા, ૨)

દીપક તે વહ્નિને ક્યમ જુએ, વસ્તુ એક ને નામ જુજુએ,
ક્યર્ણ સૂર્જ્યને ઝાલે ક્યમ, તુંને તે જાણેવો ત્યમ. ૧૪૧

દીવો અગ્નિને કેવી રીતે જુએ? વસ્તુ એક જ અને નામ જુદાંજુદાં છે. કિરણ સૂર્યને કેવી રીતે પકડી શકે? તારી સ્થિતિ પણ એવી જ છે એમ સમજવું.

ફલ ને બીજ કેટલે વેગલાં, લોહો પોગર જ્યમ રહે છે મલ્યાં,
એમ જોતાં શું કરું સાક્ષાત, જે કહી તે સર્વ સ્વેની વાત. ૧૪૨

ફળ અને બીજ એકબીજાથી કેટલાં દૂર હોય છે? લોઢું અને લોઢાના પરમાણુ જેમ ભેગાં હોય છે (તેમ ફળ અને બીજ પણ ભેગાં હોય છે.) આ સ્થિતિમાં શેનો સાક્ષાત્કાર કરવાનો હોય? જે વાત કરવામાં આવી તે સર્વ પોતાની જ વાત છે.

ઇછા વિના એમ જાણી રહે, ત્યારે તું [૧૩ખ] સદોદિત છે,
ચિત્ત કહે એ મોટું વાંકડું, રોધ્યાં રેહેવું એ જ સાંકડું. ૧૪૩

કશું મેળવવાની ઇચ્છા રાખ્યા વિના તું આમ સમજીને રહે તો તું બ્રહ્મ રૂપે સદા પ્રકાશમાન જ છે. ચિત્ત કહે છે : એ જ મોટી મુશ્કેલી છે. રૂંધાઈને રહેવામાં જ સાંકડાપણાનો અનુભવ થાય છે.

પ્રાએ ચૈતન ને વલી ચિત્ત, રોધ્યું ક્યમ રહે અમિત્ય,
અને રોધ્યું તે સતંતર ન હોઇ, અને વસ્તુપણે રોધ ક્યમ હોઈ. ૧૪૪

ચિત્ત તો ચેતનરૂપ જ છે, તો એ અમાપ તત્ત્વ રૂંધાયેલું કેમ રહે? જે રૂંધાયેલું રહે એ સ્વતંત્ર વસ્તુ નથી. ને જે વસ્તુ છે તે રૂંધાઈને કેમ રહે?

વિચાર કહે જો સતંતર રહ્યું, રોધ્યો હુતું ક્યાં રોધ્યું રહ્યું,
એ ઉપર્ય દ્રષ્ટાંત સુણ્ય ચિત્ત, જેહેનો આશે છે અમિત. ૧૪૫

વિચાર કહે છે : જે તત્ત્વને સ્વતંત્ર ગણ્યું છે તે રૂંધવા જતાં ક્યાં રૂંધાયેલું રહે? ચિત્ત, તે વિશે એક દૃષ્ટાંત સાંભળ, જેનો મર્મ ઊંડો છે.

જ્યમ પરવત ઉપર્ય હોએ જલની વ્રિષ્ટ્ય, તેણે અદ્રિ પામે પુષ્ટ્ય,
કેટલું ઉપર વહીને ગયું, કેટલુંએક અંતરભૂત રહ્યું. ૧૪૬

જેમ પર્વત ઉપર જળની વૃષ્ટિ થાય તેને કારણે પર્વતને પોષણ મળે છે. કેટલુંક જળ પર્વત પરથી વહી જાય છે અને કેટલુંક અંદર સમાઈને રહે છે.

શૈલ કોરા દીસે સદ્ય, પણ અંતર માંહાં ભર્યા દીસે રીદ,
બારે માસ રહ્યા તે સલિતા થૈ અવની પરવરે. ૧૪૭

પર્વત તરત જ કોરા દેખાય છે પણ અંદરથી ભંડાર ભરેલા જોવા મળે છે. અંદર રહ્યારહ્યા તે બારેમાસ ઝર્યા કરે છે. (પછી) નદી રૂપે પૃથ્વી પર આવે છે.

સકલ દેશે તે જલ પોષાઇ, એહનું સિદ્ધાંત સુણો ચિત્તરાઇ,
તેમ ચિદઘન તે વિલસે છે સદા, ચિત્ત પર્વતે ભરે અદબદા. ૧૪૮

પછી બધા પ્રદેશમાં તે જળ પોષણ આપે છે. ચિત્તરાય, હવે એની પાછળનો સિદ્ધાંત સાંભળો! એ જ રીતે ચૈતન્યરૂપી વાદળ સદાય વિલસે છે, ચિત્તરૂપી પર્વતને એ અદ્‌ભુત રીતે ભરી દે છે.

તેટલું ચિત્ત તું ગ્રહી નવ્ય શકે, ત્યાંહાં જોતાં તો [૧૪ક] વાણી થકે,
જેટલું ચિત્ત તે ગ્રહ્યું જાઇ, તુજ રૂપીઆ દ્રેહે ભરાઇ. ૧૪૯

એ બધું, ચિત્ત, તું ગ્રહણ કરી શકતો નથી. તેનો વિચાર કરતાં તો વાણી પણ થાકી જાય, ચિત્ત, જેટલું તારાથી તે ગ્રહી શકાય તેટલા તારારૂપી (ચિત્તરૂપી) ધરા ભરાય.

શનૈ શનૈ તે ઝરી નીસરે, તે બુદ્ધિવિલાસ સંસાર જ કરે,
તેહેની ચૌદ વિદ્યા ને ચોસઠ કલા, ભાષાભેદના ટાલા ઘણા. ૧૫૦

ધીમે ધીમે તે ઝરીને નીકળે છે અને તે બુદ્ધિવિલાસ સંસારને ઉત્પન્ન કરે છે. તેમાંથી ચૌદ વિદ્યા, ચોસઠ કળા, ભિન્નભિન્ન ભાષાઓના અનેક ભેદ –

સિદ્ધિ અઢાર ને તેહેનાં અંગ, નાટક-ચેટક શબ્દતરંગ,
સપ્ત દ્વીપ નવ ખંડે લગી, તાહારી વ્યર્ત્ત્ય દીસે ઊમગી. ૧૫૧

અઢાર સિદ્ધિ, તેનાં અંગ, નાટકચેટક, શબ્દતરંગ, આ બધું તેનું જ પરિણામ છે. આમ તારી વૃત્તિ સાત દ્વીપ અને નવ ખંડ સુધી પ્રસરી રહેલી જણાય છે.

તું તારાં પખાં ફરી જુએ, જ્યારે તારે કૃત્યે તું નવ્ય મોહે,
તાહારું તુજપણું લહ્યું ધેર્ય, ત્યારે અંતર્ય આવતી દીસે સેર્ય. ૧૫૨

તું ફરીથી તારાં પડખાં જોઈશ એટલેકે તારી જાતને તપાસીશ ત્યારે તારાં કૃત્યોથી તું મોહ પામીશ નહીં. તારું જે મૂળ તારાપણું છે તે ઓળખીશ ત્યારે તારા અંતરમાં ચૈતન્યની સરવાણી આવતી દેખાશે.

જ્યમ નગ દીસે બાહર્યે કોરડા, પણ અંતર્યે અમિત્ય ભર્યા ઓરડા,
તું તાહારું પૂરવ જોને ચિત્ત, ત્યારે લેવું મૂકવું થાએ અગત. ૧૫૩

પર્વત બહારથી કેારા દેખાય છે પણ અંદર (જળના) અમાપ ઓરડા ભરેલા હોય છે. ચિત્ત, તું પહેલાં શું હતું તે જોઈશ ત્યારે લેવા-મૂકવાની ક્રિયા કરવાની રહેશે નહીં. પાઠચર્ચા : ચોથા ચરણમાં ખ ઘ ચ છ ઝ હપ્ર ‘ગત્ય’ પાઠ આપે છે પરંતુ સંદર્ભમાં આ પાઠ બંધબેસતો નથી તેથી ‘અગત’ પાઠ જ સ્વીકાર્યો છે. અ બ નો ‘મિત’ પાઠ પણ ખોટો છે, ભલે એથી પ્રાસ સચવાય છે.

તે તે તું, ને તું તે તેહ જ, રોધ ન દીસે પામ્યે હેજ,
એમ સમઝ્યે તુંનો તું રહે, જો એ જુક્ત્યે આપોપું લહે. ૧૫૪

તે (બ્રહ્મ – ચૈતન્ય) તે તું છે અને તું તે તે (બ્રહ્મ – ચૈતન્ય) છે. (પરબ્રહ્મ સ્વરૂપ પ્રત્યે) હેત થવાથી એટલે કે રાગ થવાથી કોઈ અવરોધ રહેતો નથી. જો આ વિચારપ્રક્રિયાથી તું તારી જાતને ઓળખીશ તો એમ સમજવાથી તુંનો તું રહીશ એટલે કે તારું આત્મતત્ત્વ મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરીશ.

જુક્તિ વિના એ છે તે ત્યમ, પ[૧૪ખ]ણ મધ્યે ચિત્ત ને ચિત્તનો ધર્મ,
ચિત્ત કહે છે એ તો સત્ય કહ્યું, એમ સમઝ્યે આપોપું લહ્યું. ૧૫૫

એ રીતે નહીં વિચારવાથી એ છે તેમનું તેમ જ રહે છે, પરંતુ વચ્ચે ચિત્ત અને ચિત્તનો ધર્મ દાખલ થાય છે. ચિત્ત કહે છે : તેં સાચી વાત કહી. એમ સમજવાથી આત્મતત્ત્વને પમાયું. સમજૂતી : પહેલાં બે ચરણનું તાત્પર્ય એવું લાગે છે કે અદ્વૈતની સમજણ વિના પણ વસ્તુસ્થિતિ તો છે તેમ જ રહે છે – બ્રહ્મ તો અવિકૃત જ રહે છે પણ જીવ ચિત્ત અને ચિત્તના ધર્મથી વર્તે છે.

હવે એક વાતનો સંશે ટાલ્ય, જે મોરે શિર અવતરણનું આલ,
ચાલે સર્વ ચૈતન્યનો ભેદ, અને મુજને લાગો સોચ-ઉમેદ. ૧૫૬

હવે એક વાતનો સંશય દૂર કર કે મારે માથે અવતરણનું આળ શા માટે (મારે શા માટે અવતરવું પડે છે)? આ બધો ચૈતન્યનો ભેદ પ્રવર્તી રહ્યો છે તેને માટે મને વિચાર કરવાની ઇચ્છા થાય છે.

ત્યારે વલતો બોલ્યો વિચાર, સાંભલ્ય કહું માને નિર્ધાર,
મૂલ્યે તાં સર્વ ચૈતન-ઠાઠ, તે તાં તુંને સંભલાવ્યો પાઠ. ૧૫૭

જવાબમાં વિચાર બોલ્યો : સાંભળ. હું તને કહું તે મારી વાત ખરી માનજે. મૂળમાં તો સર્વ ચૈતન્યનો જ વૈભવ છે એ વાત તો મેં તને કહી છે.

દરર્પણને દ્રષ્ટાંત્યે કરી, તાહારી એ ઉતપત્ત્ય કહી મેં ખરી,
સહેજે થાએ ચારે ખાણ્ય, તે માંહાં મનુશ દેવને સ્ફુર્ણ બહુ જાણ્ય. ૧૫૮

દર૫ણનું દૃષ્ટાંત આપીને તારી ઉત્પત્તિની વાત મેં સમજાવી છે. સહજ રીતે ચારે પ્રકારની જીવયોનિ ઉત્પન્ન થાય છે. તેમાં માણસ અને દેવને ઇન્દ્રિયજ્ઞાન સવિશેષ હોય છે.

પંચ ઇંદ્રિનું અતિશે જ્ઞાન, કામ, ક્રોધ મોહાદિક માન,
રણવેર પ્રીતની ગાંઠ બંધાઇ, બહુ આસક્‌ત્ય માટે ધણી થાઇ. ૧૫૯

એ ઘણું પંચેન્દ્રિયજ્ઞાન ધરાવે છે. કામ, ક્રોધ, મોહ વગેરેનું પરિમાણ (જથ્થો) એનામાં હોય છે. ઊંડા વેર અને પ્રીતની ગાંઠ તેનામાં બંધાયેલી હોય છે. તેનામાં બહુ આસક્તિ છે માટે આ બધા વિકારોનો તે સ્વામી બને છે. સમજૂતી : ‘રણમેદાનમાં જોવા મળતું તીવ્ર વેર’ એ રીતે ‘રણવેર’ શબ્દ આવેલો જણાય છે.

મોહો અનંત ને વિચરણ ઘણું, હું સહુનો ને સહુ મુજ તણું,
મનુષ્ય દેવ વિષે [૧૫ક] એ બહુ, બાકી પરવાહિક માયા માંહાં સહુ. ૧૬૦

એનામાં ઘણો બધો મોહ હોય છે અને બધે એ વિચરે છે. હું સૌનો અને સૌ મારા છે એમ એ માને છે. માણસ અને દેવની બાબતમાં આ સ્થિતિ વધારે હોય છે. બાકીના જીવો માયાના પ્રવાહમાં વહેનારા હોય છે.

ગાંઠ્યની ઘટ પડી એ વાતની, એ સંસ્રત્ય મનુષ્યજાતની,
સેહેજે છૂટે સેહેજ્યે બંધાઇ, સેહેજ્યે કો દિન ચાલી જાઇ. ૧૬૧

આમ રાગદ્વેષ વગેરેની ગાંઠ બંધાય એ વાતમાં મનુષ્યજાતનો સંસાર છે. આ સંસાર સહજે બંધાય છે અને સહજે છૂટે છે, સહજમાં કોઈ દિવસ લુપ્ત થાય છે.

પ્રાએ એ તે ચૈતનનો ઠાઠ, પણ તાહારે જોગ્યે ચાલે ઘાટ,
ત્યારે ચિત્ત કહે સુણ્ય રે વિચાર, હવે એક વાતનો કર્ય નિરધાર. ૧૬૨

એ છે તો ચૈતન્યનો વિસ્તાર જ, પણ તારી વૃત્તિ અનુસાર એ બધું નીવડે છે. ત્યારે ચિત્ત કહે છે : વિચાર સાંભળ, હવે એક વાતનો નિશ્ચય કર.

જે મનીષ વિના અનેરી જાત્ય, બહુ વિચિત્ર તાં દીસે ભાંત્ય,
એ તે શું ને ક્યમ ઊપજે, એ પાછો પુનરપિ નરદેહે ભજે. ૧૬૩

માણસ સિવાયની જે બીજી જીવયોનિઓ છે તેમાં જાતજાતના પ્રકારો જોવા મળે છે. એ બધા શું છે, કેવી રીતે ઊપજે છે, નરદેહ પામે છે કે કેમ તે તું મને સમજાવ.

વિચાર કહે સેહેજ ખેલ ચાલે છે સદા, જ્યમ સાગર તરંગ બુદબુદા,
ચૈતન ઉલ્લસે ભૂત-કલોલ, જ્યમ રેણુ ત્રણ તોલે વંતોલ. ૧૬૪

વિચાર કહે છે : હંમેશાં સહજ રીતે ખેલ ચાલ્યા કરે છે. જેમ સાગરમાં તરંગ અને પરપોટા થાય છે તેમ ચૈતન્યમાં પંચભૂતાદિ સૃષ્ટિનાં મોજાંઓ ઊઠે છે. જેમ વંટોળ રજ અને તરણાઓને ફેલાવે છે –

ત્યમ એ પસર્યો ચૈતન્યજ્યોગ, ભૂત-ભેદ પણ છે નિજભોગ,
નિમિત્ત્યમાત્ર તે છે વાસના, પણ સાહામો નથી જે [૧૫ખ] ધરે શાસના. ૧૬૫

– એવી રીતે ચૈતન્યયોગ બધે પ્રસરેલો છે. પંચભૂતની સૃષ્ટિના ભેદ વ્યાવહારિક દૃષ્ટિએ અસ્તિત્વ ધરાવે છે. પણ વસ્તુતઃ એ ચૈતન્યનો પોતાનો વિલાસ છે. પંચભૂતની સૃષ્ટિનો આભાસ થવામાં વાસના નિમિત્તરૂપ છે. પણ કોઈ સામું નથી જે આશ્વાસન આપે, પ્રોત્સાહન આપે, સામું પ્રવૃત્ત થાય. પાઠચર્ચા : ચોથા ચરણમાં અન્ય હપ્ર ‘શાસના’ને સ્થાને ‘સાસના’, ‘સાહાસના’ વગેરે પાઠ આપે છે જે નોંધપાત્ર છે. કેમકે, અહીં ‘શાસન’ શબ્દ હોય એ અર્થદૃષ્ટિએ બંધ બેસતું નથી. ‘આશ્વાસના’ શબ્દ હોય એવો તર્ક કરી શકાય, જેના પરથી મધ્યકાલીન ગુજરાતી ‘સાસના’, ‘સાહાસના’ આવી શકે. ક હપ્રમાં ‘સ’નો ઉચ્ચારભેદ ‘શ’ થયેલો છે એમ પછી માનવાનું રહે. સમજૂતી : આ કડીમાં તાત્પર્ય એવું જણાય છે કે ભૂતભેદની સત્તા વ્યાવહારિક છે. વસ્તુતઃ એકમાત્ર ચૈતન્ય છે. સામું બીજું કોઈ તત્ત્વ નથી, જે આશ્વાસન આપે, પ્રોત્સાહન આપે, એટલે કે સામું પ્રવૃત્ત થાય. એ રીતે અહીં ‘આશ્વાસન’ શબ્દ રહેલો હોવાનો તર્ક થઈ શકે. (પાઠચર્ચા પણ જુઓ). આ કડી સાથે નરસિંહની ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ એ ઉક્તિને મૂકી શકાય.

ચિત્ત કહે શાસ્ત્રે શું લખ્યું, શું સમઝ્યું ને શું તે નીરખ્યું,
વિચાર કહે સાંભલ ચિત્તરાઇ, દ્રષ્ટાંત વડે એ સંદેહ જાઇ. ૧૬૬

ચિત્ત કહે છે : શાસ્ત્રમાં શું લખ્યું છે? શું સમજાયું છે? શું જોવા મળ્યું છે? વિચાર કહે છે : ચિત્ત સાંભળ. દૃષ્ટાંતથી એ સંશય દૂર થશે.

જ્યારે સપન-અવસ્થા નર ભોગવે, ત્યારે સુખ-દુખ બહુ અનુભવે,
જ્યારે નર નિદ્રાવશ થયો, ત્યારે એક શરીર્યેં ઊંઘી ગયો. ૧૬૭

જ્યારે મનુષ્ય સ્વપ્ન-અવસ્થા ભોગવતો હોય છે ત્યારે સુખ-દુઃખનો ઘણો અનુભવ કરે છે. જ્યારે તે નિદ્રાવશ થઈ જાય છે ત્યારે તે એક માત્ર શરીરથી ઊંઘી જાય છે.

એહવા માંહે લાધું સ્વપન, ત્યારે તાં પ્રગટ્યા બહુ જન,
પશુ પંખી દીઠા નર નાગ, વણનિરમ્યાં નગરસોભાગ્ય. ૧૬૮

એ અવસ્થામાં તેને સ્વપ્ન દેખાયું. તેમાં અનેક લોકો પ્રગટ થયા. પશુ, પંખી, નર, નાગ વગેરેને જોયાં અને વણનિર્મેલાં (મિથ્યા) નગરોની શોભા પ્રગટ થઈ. (જોવા મળી.)

વણનિરમી સ્રષ્ટ્ય દ્રષ્ટ્યે પડી, તે તે કીઆ બ્રહ્માની ઘડી,
ત્યારે ચિત્ત કહે નિયંતા કસ્યો, એ તો અવસ્થાભેદ આવી ઉલ્લસ્યો. ૧૬૯

આમ વણનિરમી સૃષ્ટિ નજરે પડી તો તે સૃષ્ટિ ક્યા બ્રહ્માએ ઘડી છે? ત્યારે ચિત્તે કહ્યું : એમાં નિયંતા – સર્જનહાર કોણ હોય? એ તો અવસ્થાભેદ જ પ્રગટ થયો છે.

વિચાર કહે છે કાંઈ સમઝી કહે, જાગ્રત સ્વપન સરખાં છે બેહે,
તેહેનું તુજને દેઉં એંધાણ, મલે તો રાખે પરમાણ. ૧૭૦

વિચાર કહે છે : કાંઈક સમજીને કહે. જાગ્રત અને સ્વપ્ન બંને સરખા છે. હું તને તેની પ્રતીતિ આપું છું. જો એ એંધાણ તને બેસતું આવે તો તું મારી વાત ખરી માનજે.

શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, એહેને જાગ્રત સાથ્યે દીસે સંમંધ,
[૧૬ક] તે તાં સપન માંહાં પાંચે થાઇ, નેત્રે તાં સપને નરખાઇ. ૧૭૧

શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધના અનુભવનો જાગ્રત અવસ્થા સાથે આપણને સંબંધ જણાય છે. પરંતુ સ્વપ્નમાં પણ એ પાંચેનો અનુભવ થાય છે. નેત્રથી સ્વપ્નમાં નીરખવામાં આવે છે,

શ્રવણે તાં સુણી શકીએ ખરું, સ્પર્શસુખ કામાદિક ઘણું,
ખાટામીઠા રસના ભાગ, ઉત્તમ મધ્યમ નાસા પરાગ. ૧૭૨

કાનથી સાંભળી પણ શકીએ છીએ, (સ્પર્શેન્દ્રિયથી) સ્પર્શસુખ કામાદિ પણ ભોગવી શકાય છે. (સ્વાદેન્દ્રિયથી) ખાટા-મીઠા વગેરે રસના ભેદોનો અને નાક દ્વારા ઉત્તમ-મધ્યમ પ્રકારની સુગંધનો અનુભવ આપણે કરીએ છીએ. પાઠચર્ચા : ત્રીજા ચરણમાં કેટલીક હપ્ર ‘ભાગ’ને સ્થાને ‘ભોગ’ પાઠ આપે છે પણ એ ‘ભાગ’નો અર્થ ન બેસવાથી થયું જણાય છે. ચોથા ચરણના ‘પરાગ’ શબ્દ સાથે પ્રાસમાં ‘ભાગ’ જ આવે. ‘ભોગ’ પાઠ આપનારી કેટલીક હપ્રને આથી ચોથા ચરણનો પાઠ ફેરવવો પડ્યો છે, જે ખોટો છે. તેમાં ગંધના અનુભવનો ઉલ્લેખ રહેતો નથી. ‘ભાગ’ શબ્દને ભેદ – પ્રકારના અર્થમાં લઈ શકાય છે એટલે એ પાઠની ખરેખર કોઈ મુશ્કેલી પણ નથી. (આ પાઠચર્ચા છે, શ્લોક નથી.)

હું માહારું જે ત્યાંહે હોઇ, તે સર્વ સાંભરે જાગે તોઇ,
તો જાગ્રત સુપન માંહાં સ્યાનો ફેર, ખરે વિચાર્યે ટલે અંધેર. ૧૭૩

હું અને મારું એવું જે ત્યાં હોય છે એ સઘળું જાગે ત્યારે પણ સાંભરે છે. તો જાગ્રત અને સ્વપ્નમાં શેનો ફેર ગણાય? સાચો વિચાર કરવાથી અંધકારનો નાશ થશે.

સ્વપન પદારથ જાગ્રત માંહાં ટલે, અને જાગ્રતમાં એ સપને નવ્ય મલે,
સપન તેહેવું જાગ્રતે જાણ્ય, અવસ્થાભેદે બેહુ પરમાણ્ય. ૧૭૪

સ્વપ્નના પદાર્થો જાગ્રત અવસ્થામાં હોતા નથી અને જાગ્રતના પદાર્થો સ્વપ્નમાં હોતા નથી. આ રીતે જેવી સ્વપ્નાવસ્થા છે તેવી જાગ્રત અવસ્થા છે એમ સમજ. એ બેનો માત્ર અવસ્થાભેદ છે એમ સ્વીકાર. સમજૂતી : સ્વપ્નના પદાર્થો જાગ્રતમાં મળતા નથી તેથી આપણે સામાન્ય રીતે સ્વપ્નને મિથ્યા ગણીએ છીએ. પણ એવી સ્થિતિ જાગ્રતની પણ છે કેમકે જાગ્રતના પદાર્થો જેમ સ્વપ્નમાં જોવા મળતા નથી તેમ સ્વપ્નના પદાર્થો જાગ્રતમાં જોવા મળતા નથી. આમ બંને તત્ત્વતઃ મિથ્યા છે. બે અવસ્થા જુદી છે એટલું જ. આ દૃષ્ટિબિંદુ ગૌડપાદનું છે. જુઓ પૃ. ૩૬

ચિત્ત કહે છે શાસ્ત્ર તેહે અવસ્થાભૂત, મુને ભરૂંસો હુતો અદભુત,
ત્યારે વલતો બોલ્યો વિચાર, મિથ્યા સઘલો દેહેવ્યાપાર. ૧૭૫

ચિત્ત કહે છે : આ અવસ્થાઓ શાસ્ત્રમાં વર્ણાવાયેલી છે. મને તો પૂરો ભરોસો હતો. ત્યારે વિચારે જવાબ આપ્યો : આ દેહવ્યાપાર બધો મિથ્યા (નકામો) છે. સમજૂતી : પહેલાં બે ચરણનો અર્થ અને અન્વય બરાબર બેસતો નથી. એમ અભિપ્રેત હોઈ શકે કે શાસ્ત્રો સ્વપ્ન અને જાગ્રતને અલગ ગણતાં હોય અને ચિત્ત એ સ્વીકારીને ચાલ્યું હોય. સ્વપ્ન અને જાગ્રત એ બંને અવસ્થાઓ સરખી જ અસત્‌ છે એ હવે એને સમજવા મળે છે.

નિર્મિત ને નિઅંતા બેહે, ત્યાંહાં લગે તું સાચાં કહે,
જ્યાંહાં લગે અનુભવ પરગટ નથી, ત્યાં લગે પરઠે તું તાહારી મોર [૧૬ખ]થી. ૧૭૬

જ્યાં સુધી પરબ્રહ્મનો અનુભવ થયો નથી ત્યાં સુધી તું નિર્મિત (સર્જાયેલ પદાર્થ) અને નિયંતા (સૃષ્ટિના સર્જક) બંનેને સાચાં ગણે છે અને આ સ્થિતિને તેં તારા તરફથી – તારી જાતે જ ઊભી કરી છે.

ચિત્ત કહે છે મુજપણું ભલું કહ્યું, કારણ સહિત ભલું નિરવહ્યું,
જીવપણાનો એ નિરવાહ કર્યો, અને ઈશ્વરતા બાધી એ ઊચર્યો. ૧૭૭

ચિત્ત કહે છે : મારાપણાની તેં વાત કરી તે યોગ્ય છે અને કારણ સાથે એ વાત બરાબર સમજાવી છે. આ રીતે જીવપણાની વાત સમજાવી અને અખંડ ઈશ્વરતા (બ્રહ્મ)ની પણ વાત તેં કરી. સમજૂતી : અત્યાર સુધીમાં જીવપણા અને ઈશ્વરતાના મુદ્દાઓની ચર્ચા છે, એટલો જ સંદર્ભ જણાય છે. આ પછીની કડીમાં બ્રહ્મ વિશે પૃચ્છા છે. ઈશ્વરતાને આમ અખાજી સાપેક્ષ અને સંલગ્ન તત્ત્વ ગણાવે છે. પરંતુ ઈશ્વરતાનું મૂળ તો બ્રહ્મમાં છે. તેથી બ્રહ્મ તે અખંડ ઈશ્વરતા એમ અભિપ્રેત જણાય છે.

હવે કૈવલ્ય જે કારણ બેહુ તણું, તે માંહાં ભાર લાગે છે ઘણું,
જ્યારે હું જાઉં તેહેને પ્રીછવા, લક્ષણરૂપ મોટમ્ય ઈછવા. ૧૭૮

હવે બ્રહ્મ જે બંને (જીવ અને ઈશ્વર)ના કારણરૂપ છે તેના સુધી પહોંચવું ઘણું ભારે લાગે છે. જ્યારે હું તેને ઓળખવા અને તેના લક્ષણરૂપ મોટપ પ્રાપ્ત કરવા જાઉં છું –

ત્યારે લક્ષ અહરો જૈ પડે, શરાડે જૈને બુધ્ય નવ્ય ચઢે,
વિચાર કહે તેહેને શરાડું જ નથી, જ્યમ કે બાણ નાખે મહારથી. ૧૭૯

ત્યારે ધ્યાન નજીક – અહીં રહી જાય છે, અંત સુધી બુદ્ધિ પહોંચતી નથી. વિચાર કહે છે : તેને (બ્રહ્મને) કોઈ છેડો જ નથી. જેમ કોઈ મહારથી બાણ નાખે – સમજૂતી : અરહું, અહરું, ઓહરું વગેરે શબ્દ મધ્યકાળમાં અને અખાજીમાં ‘અહીં’, ‘નજીક’ ‘આ બાજુ’ના અર્થમાં જોવા મળે છે ને ઉપર છે તેવા પ્રયોગને અખાજીમાંથી ઘણે ઠેકાણેથી સમર્થન મળે છે તે માટે જુઓ ‘અખાના છપ્પા : કેટલોક અર્થવિચાર’ (જયંત કોઠારી), પૃ. ૮૫–૮૯.

બલ સારુ ઘણું તે જાઇ, પણ આકાશવિષે નહીં લેખા માંહે,
ત્યમ વસ્તુ-મોટમ્ય માંહાં સુર્ત્ય સંચરે, પણ મોટમ્ય સારુ ડગ નવ્ય ભરે. ૧૮૦

પોતાના બળથી તે બાણ દૂર જાય પણ આકાશરૂપી વિષય લક્ષમાં આવી શકે નહીં. તેમ વસ્તુ એટલે કે બ્રહ્મના માહાત્મ્ય માટે વૃત્તિ ગતિ કરે છે પણ એ તરફ એ ડગલું પણ ભરી શકતી નથી.

ચિત્ત કહે છે એ તો એમ થયું, મુજપણાનું માન તે ગયું,
પણ રૂપ સહિત અરૂપ મપાઇ, એમ તાં કહીંએ નવ્ય થાઇ. ૧૮૧

ચિત્ત કહે છે : એ તો એમ થયું કે મારાપણાનું જે પરિમાણ હતું તે ગયું. (મારાપણાની સ્થિતિ, મારાપણું જતું રહ્યું.) પણ સરૂપ સ્થિતિમાં અરૂપનું માપ નીકળે એવું તો ક્યાંય ન બની શકે. સમજૂતી : ‘માન’નો ‘અભિમાન’ અર્થ લઈએ તો ‘મારાપણાનું અભિમાન હતું તે ગયું’ એમ અનુવાદ થાય. પણ અહીં અભિમાનની વાત પ્રસ્તુત હોય તેમ લાગતું નથી, ઉપરાંત ‘માન’ શબ્દ ઉપર દર્શાવેલા અર્થમાં વારંવાર વપરાયો છે, તેથી અહીં એ અર્થ લીધો છે.

વિચાર કહે એમ કાં કહે, [૧૭ક] દ્રષ્ટાંત વડે આપોપું લહે,
જ્યમ ગજ ન દેખે ગજની પૂઠ્ય, સૂંઢ્ય ન પરસે ને હસ્તમૂઠ્ય. ૧૮૨

વિચાર કહે છે : એમ કેમ કહે છે? દૃષ્ટાંતથી તું પોતાપણાને – આત્મતત્ત્વને સમજ. જેમ હાથી તેની પૂંઠ જોઈ શકતો નથી, એની સૂંઢ કે તેના હાથની મૂઠ તેની પૂંઠને સ્પર્શી શકતી નથી –

તે માટે ન રહે અજ્ઞાત, જ્ઞાન તાં પોંહોંચે સાખ્યાત,
કદાચ્ય ન પોહોતા ઇંદ્રી છેક, પણ જ્ઞાન તાં જાણે છે એક. ૧૮૩

તે કારણે તે (હાથી પૂંઠથી) અજ્ઞાત રહેતો નથી, સાક્ષાત્‌ જ્ઞાન ત્યાં પહોંચે છે. કદાચ ઇન્દ્રિયો છેક સુધી ન પહોંચે તોપણ જ્ઞાન તો એક એવી વસ્તુ છે જે જાણી શકે છે.

સુંડાડંડ કુંજરની પૂઠ્ય, ચિત્ત તું જોવા હીંડે હઠ્ય,
ઈછા તે તે સુંડાડંડ, તે ફરવા હીંડે શરીર અખંડ. ૧૮૪

હે ચિત્ત, તું સૂંઢથી હાથીની પૂંઠ જોવાની રીતે હઠ કરીને (કૈવલ્યને ઇન્દ્રિયોથી) જોવા જાય છે. તારી ઇચ્છા એવી છે કે સૂંઢ (એટલે કે ઇન્દ્રિયો) (કૈવલ્યરૂપી) આખા શરીરનો અનુભવ કરે.

પણ કૈવલ્ય-શરીર તણો નહીં પાર, તે માટે તું એમ વિચાર્ય,
અવ્યક્ત વૃક્ષે ઉદંબર તણો, તે શાખા પંચે ૫સર્યો ઘણો. ૧૮૫

પણ બ્રહ્મરૂપી શરીરનો કંઈ પાર નથી. તેથી તું એમ વિચાર કર. અવ્યક્ત બ્રહ્મ ઉંબરનું વૃક્ષ છે. તે પાંચે શાખાથી ઘણું ફેલાયેલું છે.

બ્રહ્માંડ ઉંબરા લાગાં અપાર, જેહેનો કોટ્ય ભારતી નવ્ય લહે પાર,
ફલસ્થાની તે બહુ બ્રહ્માંડ, બ્રહ્માંડ-બ્રહ્યાંડ્યે બહુવ્યધ્ય મંડ્ય, ૧૮૬

એને બ્રહ્માંડરૂપી ઉંબરાફળ ઘણાં લાગેલાં છે, જેનો કોટિ સરસ્વતી પણ પાર ન પામી શકે. ફળને સ્થાને અનેક બ્રહ્માંડો છે અને બ્રહ્માંડે-બ્રહ્માંડે અનેક પ્રકારની રચના છે.

અંડ-અંડ પરત્યે હરિ હર ને અજ, લોક ચૌદ સરખી નીપજ,
એહવાં ફલ ત્યાંહાં અસંક્ષાત, અવ્યક્ત વૃક્ષની સમઝે વાત. [૧૭ખ] ૧૮૭

દરેક બ્રહ્માંડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તથા ચૌદ લોકની એકસમાન ઉત્પત્તિ છે. એવાં ફળ ત્યાં અસંખ્ય છે. અવ્યક્ત બ્રહ્મરૂપી વૃક્ષની ઉત્પત્તિની આ વાત તું સમજ.

તે ફલ-ફલ પરત્યે જંતુ અનેક, તે તાં અમિત્ય ન નીસરે છેક,
તે જંતને તાં ભૂતિક કાઇ, સૂક્ષમથી સૂક્ષમતર થાઇ. ૧૮૮

એ દરેક ફળમાં અનેક જંતુઓ – જીવો છે. તે અમાપ હોઈ તેનો છેડો – અંત મળતો નથી. તે જંતુઓને ભૌતિક કાયાઓ છે. તે કાયા સૂક્ષ્મથી માંડીને સૂક્ષ્મતર હોય છે.

તે પંડ્ય-પંડ્ય પરત્યે રદે-આકાશ, તે મધ્યે તોરો મોરો વાસ,
એહવે સૂક્ષમ સ્થલ આપણ બેહુ રહ્યા, તો જો સૂક્ષમથી સૂક્ષમતર થયા. ૧૮૯

તે દરેક પિંડમાં હૃદયાકાશ છે અને તેની મધ્યમાં તારો અને મારો વાસ છે. એવા સૂક્ષ્મ સ્થળમાં આપણે બંને રહ્યા છીએ. તેથી સૂક્ષ્મથી સૂક્ષ્મતર થયા છીએ.

એહવું ઝીણું તુજ મુજ રૂપ, હવે તોરું સામૃથ્ય સાંભલ્ય ચિત્તભૂપ,
જ્યારે અવ્યક્ત વૃક્ષની કીધી વાત, ત્યારે સુર્ત્ય ચાલી થૈ સાક્ષાત. ૧૯૦

તારું અને મારું રૂપ એવું ઝીણું છે. હવે ચિત્તરાજા, તારું સામર્થ્ય સાંભળ. જ્યારે અવ્યક્તરૂપી વૃક્ષની વાત કરી ત્યારે તારી વૃત્તિ સીધેસીધી એ તરફ ચાલી.

અનંત બ્રહ્માંડે જૈ ઘાલ્યો બાથ, એહેવા તોરા મોટા હાથ,
સૂક્ષમ ત્યારે એહેવો તું, સ્થૂલપણું તોરું શું કહું હું. ૧૯૧

અનંત બ્રહ્માંડ સુધી જઈને એને બાથ ભીડી છે એવા મોટા તારા હાથ છે. એક બાજુથી તું એટલો સૂક્ષ્મ છે, બીજી બાજુથી તારા સ્થૂલપણાની – પ્રૌઢત્વની વાત થઈ શકે તેમ નથી. પાઠચર્ચા : બીજા ચરણમાં ‘મોટા’ને સ્થાને અ બ હપ્ર ‘મારા’ અને ચ છ જ ઝ હપ્ર ‘મોરા’ પાઠ આપે છે તે દેખીતી રીતે ખોટા છે કારણ કે આ વિચારની ઉક્તિ છે અને ચિત્તના સામર્થ્યનું વર્ણન છે, વિચારના સામર્થ્યનું નહીં.

તોરું સામૃથ્ય એહેવું પ્રૂઢ, પણ જ્યાંહાં લગે હું રહેતો ગૂઢ,
ત્યાંહાં લગે તોરું ચિત્ત નામ, એમ સમઝ્યે પૂરણ નિજધામ. ૧૯૨

તારું સામર્થ્ય એવું પ્રૌઢ (ભવ્ય, વિશાળ) છે પણ જ્યાં સુધી હું ગૂઢ-પ્રછન્ન રહું ત્યાં સુધી તારું ‘ચિત્ત’ એ નામ રહે છે. આમ સમજીશ એટલે પૂર્ણ નિજધામ પ્રાપ્ત કરીશ.

જ્યારે જોવા જાએ તું તોરો પાર, ત્યારે બે વાંકાં માને નિ[૧૮ક]રધાર,
ત્યારે તાં તું જીવ નવ્ય ટલે, અને વસ્તુને તાં છેહેડો નવ્ય મલે. ૧૯૩

જ્યારે તું તારો પાર લેવા જાય છે ત્યારે બે મુશ્કેલીઓ નિશ્ચિતપણે તારી સામે આવે છે. એક તો, એમાં તારું જીવપણું છૂટતું નથી અને બીજું, વસ્તુ (પરબ્રહ્મ)નો પાર એમાં પમાતો નથી; પાઠચર્ચા : ત્રીજા ચરણમાં ખ ટ હપ્ર ‘જીવ’ને સ્થાને ‘ચિત્ત’ અને ઘ ચ છ જ ઝ હપ્ર ‘ચીત’ આપે છે. પરંતુ મુખ્યપ્રતનો પાઠ છોડવાની આવશ્યકતા નથી. આગળની કડીમાં ‘ચિત્ત’ રહેવાની વાત હતી એ ખરું, પરંતુ ચિત્તપણું એ જ જીવપણું એટલે કે ‘જીવ’ તરીકે ઉલ્લેખ થાય તેમાં કશું ખોટું નથી.

તે માટે એ ન ટલે દ્વૈત, પણ એમ સમઝ્યે થાએ અદ્વૈત,
ચિત્ત કહે હું જ્યારે ચિદ માંહાં રસ થયો, ત્યારે જોવા કેહેવા કો નવ્ય રહ્યો. ૧૯૪

તેથી એ દ્વૈત દૂર થતું નથી પણ સમજણ આવવાથી આ દ્વૈતનો અનુભવ થાય છે. ચિત્ત કહે છે : હું જ્યારે ચૈતન્યમાં એકરસ થયો ત્યારે જોવા કે કહેવા કોઈ ન રહ્યો.

સૂન સરખું થૈને ગયું, તો શું એ શૂન્યપદ રહ્યું,
વિચાર બોલ્યો તું એમ કાં કહે, સમી સૂઝ્ય વાંકી કાં ગ્રહે. ૧૯૫

આ રીતે બધું શૂન્ય જેવું થઈ ગયું. તો છેવટે શું શૂન્યની સ્થિતિ જ રહી? વિચાર બોલ્યો : તું એમ કેમ કહે છે? સીધી સમજણને વાંકી કેમ ગ્રહણ કરે છે?

જીવપદ ને ઈશ્વરપદ, તે કૈવલ્યતા સાથ્યે છે અદબદ,
કૈવલ્ય તે મહાનિધ્ય અવાચ્ય, તે તે તું નિજ જાણી રાચ્ય. ૧૯૬

જીવપદ અને ઈશ્વરપદ એ તો અદ્‌ભુત એવા બ્રહ્મતત્ત્વમાં સમાયેલાં છે. કૈવલ્ય તે અવાચ્ય મહાનિધિ છે. તેને તું પોતાનું (પોતાસ્વરૂપ) માનીને આનંદમાં રહે.

જે સત ચિદ ને આનંદ સદાઇ, તે માંહાં તત્‌પદ ને ત્વંપદ બેઉ પ્રાઇ,
તે તાં મ્યેં તુજ કહ્યો પ્રકાર, તે સદા નિરંતર સારોધાર. ૧૯૭

જે સદા સત્‌, ચિદ્‌ અને આનંદસ્વરૂપ છે તેમાં જ તત્‌પદ (બ્રહ્મ) અને ત્વંપદ (જીવ) બંને છે. મેં તને જે પ્રકારે વાત કરી તે સદાયે સારતત્ત્વ રૂપ છે.

તો તે સૂંન ક્યમ કેહેવાઈ, જે નિદાન એહવું છે પ્રાઇ,
ક્યારે શૂન્યવાદ કરું છું હું, તેહેનો મર્મ સમઝી લ્યે તું. ૧૯૮

જે નિદાન એવું જ છે તો તે શૂન્ય કેમ કહેવાય? હું ક્યારે શૂન્યવાદ ગણું છું તેનો મર્મ તું સમજી લે.

એમ જાણી કરું હું વાદ, જ્યમ પો[૧૮ખ]તે પોતાને કીજે સાદ,
ત્યાંહાં સાહામો હુંકારો દેવા કોએ નથી, એ સ્થલને શું કહું કથી. ૧૯૯

આમ માનીને હું શૂન્યની દલીલ કરું છું. માણસ પોતે પોતાને સાદ કરે ત્યાં સામો હોંકારો આપવા કોઈ હોતું નથી એ સ્થિતિને હું શું કહીને વર્ણવું? એ અર્થમાં શૂન્યવાદની વાત થાય છે. પરંતુ –

જેણે પોતે માન્યું ભૂતકલ્લોલ, ઊપજે શમે પણ છે તત્ત્વટોલ,
પણ તત્ત્વાતીત હું નવ્ય જાણિયું, તેણે શૂન્ય તણો નેઠો આણિયું. ૨૦૦

જેણે પોતાને પંચમહાભૂતના તરંગો રૂપે જોયું તેને માટે એ (પોતે) ઊપજતો અને શમી જતો ભૌતિક તત્ત્વોનો સમુદાય જ રહે છે. પણ જેણે, તત્ત્વાતીત હુંપણું છે તે ન જાણ્યું તો તેનાથી શૂન્યના છેડે પહોંચી જવાયું એ સ્વાભાવિક છે. સમજૂતી : ‘ટોલ’ શબ્દના અહીં લીધેલા અર્થ માટે જુઓ છપ્પાની ૩૬૩ની પંક્તિ : ‘જ્ઞાની નોહે ટોળંટોળ’.

મુજ જોતાં તાં દીસે છે અશું, ભિન્ન કેહેવા કારણ નથી કશું,
ચિત્ત કહે કારણ કારજ્ય તે તે હું જ, આંહાં ચિત્ત ને ત્યાંહાં તેજપુંજ. ૨૦૧

જોતાં તો મને આવું દેખાય છે. (તત્પદ અને ત્વંપદ) ભિન્ન છે એમ કહેવા માટે કોઈ કારણ નથી. ચિત્ત કહે છે : કાર્ય અને કારણ તે હું જ છું. અહીંયાં ચિત્ત સ્વરૂપે છે અને ત્યાં તેજના પુંજ (બ્રહ્મતત્ત્વ) રૂપે છે.

દરપણની ગત્ય જોઈ કલી, અવલ સવલ ધૂંખલ નિર્મલી,
ત્યારે વિચાર કહે છે તું તે ધન્ય, મિથ્યા માયા પામી પતન્ય. ૨૦૨

દર્પણના દૃષ્ટાંતથી આ સ્થિતિ સમજાય છે. દર્પણની આગળની બાજુ નિર્મળ હોય છે અને પાછળની બાજુ ધૂંધળી હોય છે. ત્યારે વિચાર કહે છે : તને ધન્ય છે, કેમકે તારી સમજણમાં ખોટી માયાનું પતન થયેલું છે (નિવારણ થયેલું છે).

તું ચિદ ને તું ચિદવિલાસ, હવે હવો તુંને બ્રહ્મપ્રકાશ,
અખેપદ જાણ્યું તે ભલ્લ, હવે તું તે એકલમલ્લ. ૨૦૩

તું ચૈતન્ય છે અને ચૈતન્યનો વિલાસ છે. હવે તને બ્રહ્મપ્રકાશ થયો. અક્ષયપદ (= બ્રહ્મપદ) જાણ્યું તે સારું. હવે તો તું એકલમલ્લ (બ્રહ્મજ્ઞાની) બની ગયો છે.

જ્યમ છે ત્યમ તે આપ સદાઇ, એમ અખેપદ પ્રીછ્યું જાઇ,
જો જન સમઝે તો લક્ષ ઝાલ્ય, અખેપદ તો છે અજમાલ્ય. ૨૦૪

પોતે જેમ છે તેમ સદાય રહે છે એવી રીતે અક્ષયપદને ઓળખી શકાય છે. જો માણસ સમજે તો લક્ષ્યને પકડી શકે. તો અક્ષયપદ અજમાલ (?) છે. પાઠચર્ચા : ચોથા ચરણમાં અ બ હપ્રના ‘અજવાળ્ય’ પાઠને કોઈ હપ્રનો ટેકો નથી ‘અજમાલ’ શબ્દ ન સમજાવાથી થયો જણાય છે. સમજૂતી : ‘અજમાલ્ય’ શબ્દની અર્થચર્ચા માટે જુઓ પૃ. ૭૯

ચિત્ત ક[૧૯ક]હે છે વિચાર સુણ્ય અંગ, સ્ત્રી પુરુષ દીસે ભિન લ્યંગ,
જોતાં ચૈતન્ય માંહાં નરમાદા નથી, અને પંચભૂતે મેં જોયા કથી, ૨૦૫

ચિત્ત કહે છે : વિચાર, હવે ભાઈ! (અથવા ભલે, સારું) સાંભળ. સ્ત્રી અને પુરુષ ભિન્ન અવયવ ધરાવતાં દેખાય છે. વિચાર કરતાં ચૈતન્યમાં નરમાદા એવો ભેદ નથી, પરંતુ પંચમહાભૂતની સૃષ્ટિમાં એ ભેદની વાત કરવાનું પ્રાપ્ત થાય છે. પાઠચર્ચા : બીજા ચરણમાં ક ગ સિવાયની સર્વ હપ્ર ‘લિંગ/લ્યંગ’ પાઠ આપે છે. ત્યાં ‘અંગ’ અર્થની દૃષ્ટિએ બેસે જ, પણ ‘અંગ-અંગ’નો પ્રાસ બહુ સુભગ નથી. તેથી અહીં અધિકૃત પાઠ ‘લ્યંગ’ હોવાની સંભાવના ગણી મુખ્ય પ્રતનો પાઠ છોડ્યો છે.

રૂપ માંહાં દીસે છે ભાંત્ય, એ હું સમઝું ત્યમ ઘાટે ઘાત્ય,
વિચાર કહે સાંભલ્ય ચિત્ત વાત, એ તો છે બીબાની જાત્ય. ૨૦૬

રૂપદૃષ્ટિએ જુદા-જુદા પ્રકારો દેખાય છે. એટલે હું સમજું તેવી રીતે સમજાવ. વિચાર કહે : ચિત્ત, વાત સાંભળ. એ તો બીબાંના જેવું છે. પાઠચર્ચા : પહેલા ચરણમાં ક ગ હપ્ર ‘ભાંત્ય’ પાઠ આપે છે, અન્ય હપ્ર ‘ભાત’ ‘ભાત્ય’ પાઠ આપે છે. બંને પાઠના અર્થ એક જ થાય છે ને આ પછીની કડીમાં પણ ‘ભાંત્ય’ શબ્દ વપરાયો છે તેથી મુખ્ય હપ્રની લાક્ષણિકતા ગણી એ પાઠ અહીં સાચવ્યો છે. બીજા ચરણમાં ક ગ સિવાયની હ ‘ઘાટે’ને સ્થાને ‘લેખે’ પાઠ આપે છે પણ ‘ઘાટે’ પાઠ અર્થની દૃષ્ટિએ સ્પષ્ટતાવાળો છે. ‘ઘાટે ઘાલવું’ એ અખાજીમાં અવારનવાર મળતો શબ્દપ્રયોગ છે.

જ્યમ ખાંડ કથીરનાં કીજે રૂપ, બીબાભેદ્ય ભાંત અનુપ,
તે બેહુ પડ મલ્યે રૂપ ભરાઇ, એ માંહાં નર કીયો ને કેહી માદાઇ. ૨૦૭

જેમ ખાંડ કે કથીરના પદાર્થો બનાવીએ અને તેમાં જુદાંજુદાં બીબાં વાપરવાથી જુદાં-જુદુાં પ્રકારનાં રૂપ બને છે – બે પડ ભેગાં કરીને આકાર બનાવવામાં આવે છે, તે આકારોમાં કયો નર અને કઈ માદા એ કેવી રીતે કહી શકાય? પાઠચર્ચા : ચોથા ચરણમાં ચાર હપ્ર ‘એ માંહાં’ને સ્થાને ‘પડમાં’, ‘પદમા’ એવા પાઠ આપે છે પણ એ યોગ્ય જણાતા નથી. નર-માદાનો ભેદ પડ માટે નહીં પણ પડથી નીપજતા રૂપ માટે છે એમ સમજવું જોઈએ.

એ જંત્ર જાણ્ય નરમાદા તણો, પણ ઊંડો ભાર ન રાખેશ ઘણો,
ભગલિંગ દેખી ભરમે બહુ, આકાર્યે વલગા છે સહુ. ૨૦૮

નરમાદાની ભેદની આ યુક્તિ તું જાણ. પણ તેનો બહુ ઊંડો ભાર રાખીશ નહીં. ભગ અને લિંગ – સ્ત્રીયોનિ અને પુરુષલિંગ – જોઈને બધા ભરમાય છે. કારણ બધા આકારને જુએ છે.

અંતર્યે મર્મ વિચારે કોએ, તે નર કૌતક માત્રે જોએ,
ભગ દેખી પરઠે ભામિની, લિંગ દેખી નર માને દુની. ૨૦૯

અંતરમાં જે મર્મનો વિચાર કરે છે તે નર માત્ર કૌતુકથી જોશે. (સ્ત્રી-પુરુષના ભેદને મહત્ત્વ નહીં આપે.) દુનિયાના લોકો ભગ જોઈને સ્ત્રી અને લિંગ જોઈને પુરુષ હોવાનું નક્કી કરે છે.

પ્રાએ કરે જો મૂલ વિચાર, તો કહ્યાં ન જાએ નર કે નાર્ય,
સ્ત્રીને ગર્ભકમલ તે લિંગ, અ[૧૯ખ]ને પુરુષને દીસે પ્રસિદ્ધ અંગ. ૨૧૦

મૂળ વસ્તુનો જ વિચાર કરે તો નર કે નારી એવો ભેદ ન કરી શકાય. સ્ત્રીને લિંગ તે ગર્ભકમલરૂપ (અંદર રહેલા અંગ રૂપે) હોય છે અને પુરુષને બાહ્ય અંગ રૂપે હોય છે.

બેહુનાં લિંગ વિષે છે શૂન્ય, તે માંહાંથી રજવીર્જ્યનું આગમન,
બેહુ પડ માંહાં અનંગ નીપજે, સુરતિસુખને બેહુ ભજે. ૨૧૧

બંનેનાં લિંગમાં છિદ્ર હોય છે, જેમાંથી રજ અને વીર્ય નીસરે છે. બંને શરીરમાં કામ ઉત્પન્ન થાય છે અને બંને સુરતસુખ ભોગવે છે.

બેહુ ઘટ માંહાં બેહુના અવ્યેવ, નરને સ્થાને નારીને ભેવ,
કોએક ઘટ એહવોએ નીપજે, જે બેહુ આકારને એકલો ભજે. ૨૧૨

બેઉના શરીરમાં એ બંનેના પોતપોતાના અવયવ છે. જેનાથી નર અને નારીનો ભેદ થાય છે. કોઈ શરીર એવું પણ નીપજે છે જે એકલું બંને આકાર ધરાવે. સમજૂતી : કોઈ વાર મિશ્ર લિંગનું શરીર પણ ઉત્પન્ન થાય છે એનો છેલ્લા ચરણમાં નિર્દેશ છે.

કોએક ઘટ એકો માંહાં નહી, તો સ્યાની સ્થિત્ય રાખું હું સહી,
ચિત્ત કહે છે કસ્યો જ નથી થાપ, ચૌદે લોક એહવો સ્યો વ્યાપ. ૨૧૩

કોઈ શરીર સ્ત્રીપુરુષ એકેમાં ન આવે એવું હોય છે. તો કઈ સ્થિતિ હું ખરી ગણું? ચિત્ત કહે છે : કશું જ સ્થાપી શકાતું નથી એવી ચૌદ લોકમાં વ્યાપેલી આ શી સ્થિતિ છે?

વિચાર કહે સાંભલ્ય ચિત્તરાઇ, શબ્દ જ નર ને શબ્દ માદાઇ,
ચૈતન્યને નર નાર્ય ન કેહેવાઇ, અને પંચભૂતનું એ નામ ન ધરાઇ. ૨૧૪

વિચાર કહે છે : ચિત્ત, સાંભળ, ‘નર’ શબ્દ (સંજ્ઞા, નામ) જ છે અને ‘માદા’ એ પણ શબ્દ જ છે. ચૈતન્યને નર કે નારી ન કહેવાય અને પંચમહાભૂતવિષયક આ નામ ચૈતન્યને લાગુ ન પાડી શકાય. પાઠચર્ચા : ચોથા ચરણમાં ક ખ ગ સિવાયની હપ્ર ‘ન’ આપતી નથી પરંતુ ઉપર જે અર્થ બેસાડ્યો છે તે જોતાં ‘ન’ આવશ્યક હોય એમ લાગે છે. ‘ન’ ન સ્વીકારીએ તો ‘પંચભૂતને એ નામ લાગે’ એવો અર્થ થાય. સમજૂતી : નર અને નારી એ માત્ર સંજ્ઞાઓ છે. એ સંજ્ઞાઓ પંચભૂતની સૃષ્ટિને લાગુ પડે છે. પણ ચૈતન્યને લાગુ પડતી નથી એવું આ કડીનું તાત્પર્ય છે.

બેહુથી હેઠો આવું જ્યારે હું, ત્યારે કહું જે પૂછે તું,
લૌક ચૌદ લગી હું પરવરું, પણ અંતર્ય આંખ્ય મીંચી ઊંચરું. ૨૧૫

નર-માદા એ બે અવસ્થાભેદ હું છોડું ત્યારે તું જે પૂછે તેનો હું જવાબ આપું. ચૌદ લોક સુધી હું જઉં પરંતુ અંતરની આંખ બંધ કરીને બોલું–

તો કાંઈએ મુખ્યથી બોલાઇ, જો એ નેત્ર આઘાં[૨૦ક] નવ્ય જાઇ,
જ્યારે નેત્ર આઘાં સંચરે, ત્યાંહાં રસના બાપડી શું ઊચરે. ૨૧૬

એટલે કે આંખ આગળ ન જાય (સ્થૂળ સૃષ્ટિથી આગળનું જોઈ ન શકે) તો મુખથી કંઈકે બોલી શકાય. પણ જ્યારે આંખ આગળ જાય (આગળનું જોઈ શકે), ત્યારે જીભ બિચારી શું બોલે? સમજૂતી : ૨૧૫-૧૬ કડીમાં અખાજીનું કહેવાનું આમ છે : ચર્મચક્ષુ તો આગળ કેવી રીતે જઈ શકે? એટલે જ્યાં સુધી અંતરની આંખ ઊઘડી નથી ત્યાં સુધી પરમતત્ત્વનું દર્શન થતું નથી અને વાણીનો ઉપયોગ થઈ શકે છે. અંતરની આંખ ઊઘડે ત્યારે એ આગળ સુધી જઈ શકે છે ને પરમતત્ત્વનું દર્શન કરે છે. એ અનુભવ અવર્ણનીય છે, એટલે કંઈ બોલવાપણું રહેતું નથી.

જો પરમેશ્વર કહીને સ્તવું, તો તે નામ પાડેવું નવું,
જો માયા કહું તો સ્ત્રીલિંગ થાઇ, તો તે એ નામ કરતમ્ય માંહાં જાઇ. ૨૧૭

(નેત્ર આગળ જવાથી જે દર્શન કે અનુભવ થાય છે તેને) જો પરમેશ્વર કહીને સ્તવું તો તેનું નવું નામ પાડ્યું એમ ગણાય. જો માયા કહું તો સ્ત્રીલિંગ થાય અને એ નામમાં કર્તવ્યનું એટલે કે ક્રિયાકારિત્વનું આરોપણ થાય છે.

અને બોલ્યા પાખીએ તે શું કરું, એમ જાણી રુસલ્ય ઊચરું,
ચિત્ત કહે સૂધું કેહેવા કાંઈએ જો નથી, તો આટલી વાત તે ક્યમ કરી કથી. ૨૧૮

અને બોલ્યા વગર પણ શું કરું એમ વિચારીને ભ્રાંત સ્વરૂપે વાત કરું છું. ચિત્ત કહે છે : સ્પષ્ટ કહેવા જેવું જો કંઈ નથી તો આટલી વાત તેં શા માટે કહી?

વિચાર કહે કથી ખરાર્ય, પણ તે તો અવાચ્ય તણે આધાર્ય,
જ્યમ ચંબુકગિરિની સત્તાએ કરી, લોહોનૌકા આવે આદરી. ૨૧૯

વિચાર કહે છે : વાત કહી ખરી પણ તેમાં આધાર તો અવાચ્ય તત્ત્વનો જ છે. જેમ લોહચુંબકના પર્વતના પ્રભાવથી લોઢાની (જેમાં લોખંડ વપરાયું છે એવી) હોડી ખેંચાઈ આવે છે–

તેહેના અંતર માંહાં છે લોહોના બંધ, તેહેને આવે ચંબુકનો ગંધ,
લોહની સુરતિ ચંબુકગિરિ જાઇ, તે લોહોને લીધે કાષ્ટે તણાઇ. ૨૨૦

તેની અંદર લોઢાના બંધ છે તેને લોહચુંબકની ગંધ આવે છે. લોઢાની વૃત્તિ લોહચુંબકના પર્વત તરફ જાય છે, તે લોઢાને લીધે લાકડું પણ તણાય (ખેંચાય) છે.

બહુ પદારથ તે માંહેં હોએ ભર્યા, તે સર્વે લોઢે ચૈતન કર્યા,
એક ગાંઠ્ય લોહો ચં[૨૦ખ]બુક વિષે, તો તું ધન્ય જો તે ઓલખે. ૨૨૧

ઘણા પદાર્થ તેમાં (નૌકામાં) ભરેલા હોય છે તે બધા લોખંડની સાથે સાથે સચેતન બને છે. લોઢું અને લોહચુંબક એ બંનેની એક ગાંઠ છે, તેને જો તું ઓળખે તો ધન્ય થઈ જાય.

ચંબુકસ્થાની તે અવાચ્ય, જે સત્તાએ જીવ-લોહો નાચે નાચ,
લોહો ધસતે જ્યમ કાષ્ટે ધસે, ત્યમ એ જક્તનૌકા ઉલ્લસે. ૨૨૨

અવાચ્યતત્ત્વ(બ્રહ્મ) તે લોહચુંબકને સ્થાને છે. તેની સત્તાથી જીવરૂપી લોઢું નાચે છે. લોઢું ખેંચાય તેની સાથે જેમ લાકડું પણ ખેંચાય છે તેમ આ જગતરૂપી નૌકા ચાલે છે.

તે નૌકા માંહાં પદારથ હોએ બહુ, ત્યમ એ જક્ત નાનાવિધ સહુ,
ચાલો તાં લોહો ચંબુક તણો, અને પરપંચભેદ તાં ચાલ્યો ઘણો. ૨૨૩

નૌકામાં જેમ ઘણા પદાર્થ હોય છે એવી રીતે આ જગત પણ વિવિધ પદાર્થરૂપ છે. લોઢું અને લોહચુંબકનું અહીં પ્રવર્તન છે અને એને લીધે સઘળો પ્રપંચભેદ ચાલે છે.

જો લોહો ચંબુકને સંમંધ ન હોએ, તો કારણ કારજ્ય કેહેવા નથી કોએ,
એણે ભેદ્યે ચાલે ભાંત્ય, તો સ્ત્રી-પુરુષ શું પૂછે જાત્ય. ૨૨૪

જો લોઢાને અને લોહચુંબકને સંબંધ ન હોય તો કાર્યકારણની વાત જ કરવાની ન રહે. વસ્તુતઃ સંસારના વિવિધ પ્રકારના વિસ્તારમાં આ ભેદ (લોઢું અને લોહચુંબકનો, કાર્યકારણનો) જ પ્રેરક છે. સ્ત્રી-પુરુષ એ જાતિભેદ વિશે શા માટે પૂછે છે? સમજૂતી : ચુંબક તે અવાચ્ય બ્રહ્મ, લોઢું તે જીવ, નૌકા તે આ જીવમય સૃષ્ટિ ને નૌકામાંના પદાર્થો તે આ સૃષ્ટિના નાનાવિધ ભેદ – સ્ત્રીપુરુષ વગેરેના. સંબંધ તો લોઢા અને ચુંબકની જેમ જીવ અને બ્રહ્મ વચ્ચે છે. એ ચેતનતત્ત્વો છે. પણ જડ જગત પણ જીવની સાથે ખેંચાય છે ને જાણે ચેતનતા ધરાવે છે. એના નાનાવિધ ભેદ પણ ચેતનના હોય એમ ભાસે છે. વસ્તુતઃ એ ચેતનના ભેદ નથી. અખાજીનું તાત્પર્ય આમ સમજાય છે.

પૃથ્વીને સહુ કહે સ્ત્રીલિંગ, અપ તેજ આકાશ નપુંસક અંગ,
પુરુષલિંગ વાએને સહુ કહે, રૂઢ્ય વચન તે સહુ કો વહે. ૨૨૫

પૃથ્વીને સહુ સ્ત્રીલિંગ કહે છે. પાણી, તેજ અને આકાશ નપુંસકલિંગ છે. વાયુને સૌ પુરુષલિંગ કહે છે. બધા રૂઢ વચનને અનુસરે છે.

કો અન્ય ભાષાએ ફેરે બોલાઇ, તો વિચાર કહે શું પરઠ્યું જાઇ,
ચિત્ત કહે કાંઈ એક વસ્તુ તે લહી, પણ અલગાં પડી કીમત્ય નવ્ય થઇ. ૨૨૬

બીજી કોઈ ભાષા હોય તો એમાં જુદી રીતે બોલાય છે. ત્યારે વિચાર કહે છે : તો પછી શું નિર્ણય કરવો? ચિત્ત કહે છે : કંઈ એક વસ્તુ તો સમજાઈ પણ અળગાં પડવાથી કિંમત થતી નથી. સમજૂતી : બીજા ચરણમાં ‘વિચાર કહે’ એમ શબ્દો આવે છે પણ વસ્તુતઃ વિચારની ઉક્તિ જ ચાલુ છે. ત્રીજા-ચોથા ચરણની વાતનો સંદર્ભ બરાબર સ્પષ્ટ થતો નથી. ‘વસ્તુ’ એટલે મૂળ ચૈતન્યરૂપ બ્રહ્મ એમ અર્થ હોય તો એના વિના જગતના પદાર્થોની કોઈ કિંમત નથી એવો અર્થ અભિપ્રેત હોઈ શકે. ‘વસ્તુ’ના આ અર્થ સાથે ‘કાંઈ એક’ એ અનિશ્ચયતાવાચક શબ્દોનો મેળ બરાબર બેસતો નથી.

[૨૧ક]જ્યમ માદક ભખી માદકનું રૂપ, જોવા હીંડે જેહેવું મૂલગું સરૂપ,
માદકને કલંકથો અલગો કરું, દ્રષ્ટ્યમુષ્ટ્ય વચને ઊચરું. ૨૨૭

જેમકે માદક પદાર્થ ખાવાથી વ્યક્તિનું રૂપ મદીલું થાય છે પછી એ પોતાનું મૂળ સ્વરૂપ જોવા પ્રવૃત્ત થાય છે. એ પોતાનું સ્વરૂપ કેવી રીતે જોઈ શકે? મદીલી વ્યક્તિને મદીલાપણાના કલંકથી અલગ કરું તો પ્રત્યક્ષ અનુભવની વાત થઈ શકે. પાઠચર્ચા : ચોથા ચરણમાં અ બના પાઠને કોઈ હપ્રનો ટેકો નથી અને એનો અર્થ બેસતો નથી. ક ગ સિવાયની હપ્ર ‘દ્રષ્ટમુષ્ટ’ વગેરે પાઠ આપે છે ને અખાજીના એક પદમાં પણ એ પ્રયોગ મળે છે તેથી મુખ્ય પ્રતનો પાઠ છોડી ‘દ્રષ્ટ્યમુષ્ટ્ય’ સ્વીકાર્યું છે. જુઓ સમજૂતી. સમજૂતી : અખાજીના પદમાં ‘દ્રષ્ટમુષ્ટ’નો પ્રયોગ નીચે મુજબ છે.

બ્રહ્મરસ તે પીએ રે, જે કોઈ બ્રહ્મઅંશી હોય,
જે દ્રષ્ટમુષ્ટ આવે નહીં, તે તો પ્રત્યક્ષપિયુ સોય. (૧૮૩/૫)

અહીં ‘દ્રષ્ટમુષ્ટ’નો ઇન્દ્રિયગોચર હોવાનો અર્થ સ્પષ્ટ છે. પ્રત્યક્ષ એટલે અનુભવગમ્ય. પિયુ (બ્રહ્મ) પ્રત્યક્ષ છે, પણ દ્રષ્ટમુષ્ટ ન આવે એટલે કે ઇન્દ્રિયવિષય ન બની શકે. અહીં એ અર્થ લાગુ પાડતાં ચિત્તની દલીલ એવી સમજાય છે કે જ્યાં સુધી જીવ બ્રહ્મમય છે ત્યાં સુધી એણે પોતાના બ્રહ્મસ્વરૂપને જોવાની સ્થિતિ થતી જ નથી, એ જ્યારે એનાથી અલગ થાય ત્યારે બ્રહ્મતત્ત્વનો વાસ્તવિક અનુભવ કરી શકે અને એની વાત કરી શકે. પણ આગળની કડીમાં ‘અલગાં પડી કીમત્ય નવ્ય થાઇ’ એમ કહ્યું હતું એની સાથે આ વાતનો મેળ કેવી રીતે બેસાડવો એ પ્રશ્ન છે. ‘દ્રષ્ટમુષ્ટ આવે નહીં’નો અન્વય સ્પષ્ટ છે – દૃષ્ટિમાં અને મુષ્ટિમાં ન આવે. અહીં ૩૫૧મી કડીમાં પણ એવી ઉક્તિ મળે છે – ‘જે દ્રષ્ટ્ય ન આવે મુષ્ટ્ય ન ગ્રહે’ પણ ‘દ્રષ્ટ્યમુષ્ટ્ય’ એ ‘વચન’નું વિશેષણ બને ત્યારે એ શબ્દનું અર્થઘટન કઈ રીતે કરવું એ પ્રશ્ન થાય છે. અખાજી એને ‘દૃષ્ટિથી અને મુષ્ટિથી ગ્રહી શકાય એવા અનુભવવાળું’ એ અર્થમાં લાઘવથી વાપરતા જણાય છે.

એહવો સ્યો મોરો અભિલાષ, સામૃથ્ય હોએ તો તું કાંઇ દાખ્ય,
વિચાર કહે એ સૂક્ષમ વાત, સમઝશે તો થાશે સાક્ષાત. ૨૨૮

મારી આ પ્રકારની અભિલાષા છે. સામર્થ્ય હોય તો તું કંઈક કહે. વિચાર કહે છે : એ સૂક્ષ્મ વાત છે. સમજીશ તો તને સાક્ષાત્‌ (=પ્રત્યક્ષ) થશે, પ્રતીત થશે.

છે કાયા વિના કાયાનાં કૃત્ય, જ્યમ હસ્તે કંકણ દીસે તરત્ય,
માદક જે ઓષધી માંહાં હુતો, ત્યાંહાં ત્યાંહાં તે છતો એ અણછતો. ૨૨૯

એ મદીલી અવસ્થામાં કાયા વિના કાયાનાં કૃત્યો હોય છે – હાથમાંનું કંકણ તરત દેખાય તેવાં સ્પષ્ટ. માદક પદાર્થ લીધેલો હોય ત્યારે મદીલી વ્યક્તિ હોવા છતાં ન હોવાની સ્થિતિમાં હેાય છે.

તે ઓષધી જ્યારે નર ભખ્ય કરે, ત્યારે માદક આવી ત્યાંહાં અવતરે,
અનંત પ્રાક્રમ કરે ત્યાંહાં રહ્યો, અનંત પ્રકારે તે તાં થયો. ૨૩૦

તે માદક પદાર્થ જ્યારે માણસ ખાય ત્યારે મદીલાપણું તેનામાં ઊતરી આવે છે. તે અવસ્થામાં રહીને તે ઘણા પરાક્રમ (કાર્યો) કરે છે અને એ રીતે તે ઘણા પ્રકારનું રૂપ ધારણ કરે છે. પાઠચર્ચા : ત્રીજા ચરણમાં ક ખ ગ હપ્ર ‘પ્રાક્રમ’ને સ્થાને ‘પ્રકાર’ પાઠ આપે છે. અન્ય હપ્ર ‘પ્રાક્રમ’ પાઠ આપે છે. ‘પ્રકાર કરે’ એ પ્રયોગ બહુ ઉચિત નથી. તે ઉપરાંત પછીના ચરણમાં પણ ‘અનંત પ્રકારે’ એવો પ્રયોગ મળે છે એટલે પદ્યરચનામાં એક પ્રકારની ખૂંચે એવી એકવિધતા આવે છે. એ બધું વિચારતાં ત્રીજા ચરણમાં ‘પ્રાક્રમ’ પાઠ હોય એવો સંભવ વધારે જણાય છે. એથી મુખ્યપ્રતનો પાઠ છોડ્યો છે.

બોલે ચાલે ભોગવે સ્વાદ, બહુ ડહાપણ કે બહુ ઉનમાદ,
એકે ચેહેન નહોતું નર વિષે, જ્યમનો ત્યમ હુતો ખાધા પખે. ૨૩૧

એ બોલે છે, ચાલે છે, સ્વાદ ભોગવે છે, ઘણું ડહાપણ અથવા ઘણો ઉન્માદ બતાવે છે. આ એકે ચિહ્ન વાસ્તવમાં એ માણસમાં હોતું નથી. માદક પદાર્થ ખાધા વિના તો એ જેમ હતો તેમ જ હતો. (માદક પદાર્થ ખાધાથી એનામાં આ ફેરફાર થયો.)

ખાતે દીઠા બોહોલા રંગ, માદક કેરા તે ત્યાંહાં ઢંગ,
તો એટલા [૨૧ખ] ઊફરું શું દેખેશ, મેં સર્વે સહિત કહ્યો સર્વેશ. ૨૩૨

માદક પદાર્થ ખાધા પછી અનેક જાતના અનુભવ કર્યા. આ બધી મદીલાપણાની રીતભાત છે. તે બધાંની ઉપરવટ તું શું જોઈશ? મેં તો તને સર્વેશ કહેલો છે.

ચિત્ત તું ત્યાં જ્યમ માદકવાન, ચિદ-માદિક કીધો ત્યેં પાન,
રગ રગ માંહાં માદક તે ચઢ્યો, મન ક્રમ વચન સર્વ માંહાં ફેર પડ્યો. ૨૩૩

ચિત્ત, તું મદીલી વ્યક્તિની જગ્યાએ છે. તેં ચૈતન્યરૂપી માદક પદાર્થનું પાન કર્યું છે. રગ રગમાં તેનો કેફ ચઢ્યો છે અને તેથી તારાં મન, વચન, કર્મ સર્વે બદલાઈ ગયાં છે.

ફાટું આચરે ફાટું બકે, જાણે પણ જાલવી નવ્ય શકે,
જે જોવા કીધુંતું ભખ્ય, તે જાણે ને પોતે કહે મુખ્ય. ૨૩૪

છકેલું વર્તે, છકેલું બોલે, પોતે સમજે પણ પોતાની જાતને જાળવી ન શકે. જેનો અનુભવ કરવા માટે માદક પદાર્થ ખાધો હતો તે અનુભવ થાય છે અને પોતાના મુખથી તેની વાત કરે છે.

ત્યમ તુંનો તું અને તેનો તેહ, એમ અનુભવ ને ચિદ તું એહ,
જે પોતા માંહે વીચેવીચપણું, તે સમઝાએ તો વારુ ઘણું. ૨૩૫

તેમ તું તે તું જ રહે છે અને તે તે જ રહે છે. એ રીતે તું ચૈતન્યરૂપ છે એ અનુભવ થાય છે. પોતામાં જે ઓતપ્રોત થવાપણું – આત્મરત થવાપણું છે તે સમજાય તો ઘણું સારું થાય. પાઠચર્ચા : ત્રીજા ચરણમાં ક ગ સિવાયની હપ્ર ‘વિચેં વીચણું’ વગેરે પાઠ આપે છે. અખાના છપ્પા ક્રમાંક ૩૯૧માં પણ એવો ‘વીંચે વીચણું’ એ પાઠ મળે છે. તેમ છતાં ‘વીચેવીચપણું’ એ પાઠ અસંભવિત જણાતો નથી તેથી ક ગ હપ્રનો પાઠ છોડ્યો નથી. વિશેષ માટે જુઓ ‘વીચેવીચપણું’ શબ્દાર્થચર્ચા પૃ. ૮૯ સમજૂતી : કડી ૨૨૯થી ૨૩૫ સુધી માદક દ્રવ્યનું સેવન કરનાર, નશાખોર વ્યક્તિનું દૃષ્ટાંત રજૂ થયેલું છે. આ દૃષ્ટાંત કયા અર્થમાં ઘટાવવું એનો થોડો કોયડો છે. સામાન્ય રીતે નશો ભ્રમિત મનોદશાનું દૃષ્ટાંત બને. છકેલા વર્તનનું વર્ણન થયેલું છે તે પણ એ અર્થઘટનને જ ટેકો આપે. પરંતુ ૨૩૩મી કડીમાં ‘ચિદ્‌’ એટલે ચૈતન્યને માદક પદાર્થ સાથે સરખાવેલ છે તે સૂચક છે. તો પછી આ દૃષ્ટાંત દ્વારા ચૈતન્યમય અવસ્થા, બ્રહ્મસ્વરૂપ સ્થિતિનું વર્તન અભિપ્રેત છે એમ માનવું? આ દ્વિધાનો નિર્ણય કરવા માટે અખાજીનો નીચેનો છપ્પો ખૂબ મદદરૂપ થાય છેઃ

વિચાર અણલિંગી ક્યમ ઊપજે, જ્યમ કો નર નેવેલા ભજે,
ગ્રથલ લઈ (થઈ) જાય તેની વૃત્ય, ત્યમ કૈવલ્યપણું પામે સૂર્ત,
ભાવના ફેર પડે છે મન, અખા નહીં કો સાક્ષી અન્ય. ૫૪૧

‘નેવેલા’ તે કોઈ માદકપદાર્થ હોવાનો તર્ક ઉમાશંકર જોશીએ કર્યો છે તે ‘ચિત્તવિચારસંવાદ’માં પ્રયોજાયેલું દૃષ્ટાંત જોતાં સાચો ઠરે છે. બંને દૃષ્ટાંતની સમાનતા ઊડીને આંખે વળગે એવી છે. એમાં છપ્પાનું તાત્પર્ય અત્યંત સ્પષ્ટ છે. તેમાં કૈવલ્યમયવૃત્તિને ગ્રથલ (ઘેલી, ઉન્માદભરી) વૃત્તિ સાથે સરખાવી છે. (ભૂપેન્દ્ર ત્રિવેદી ‘ગ્રથલ’ એટલે ચકિત, આભી, સ્થગિત એેવો અર્થ કરે છે તે યોગ્ય નથી.) તો પછી ‘ચિત્તવિચારસંવાદ’ના દૃષ્ટાંતમાં પણ એમ જ છે એમ માનવામાં કશો બાધ રહેતો નથી. એમાં આત્મમસ્ત દશાનું વર્ણન અભિપ્રેત છે. છપ્પામાં જેમ એમ કહ્યું છે કે એ સ્થિતિમાં કોઈ સાક્ષી હોતા નથી તેમ ‘ચિત્તવિચારસંવાદ’માં પણ ‘તુનો તું અને તેનો તેહ’, ‘પોતામાં વીચેવીચપણું’ વગેરે શબ્દોથી અન્યનો પરિહાર કરી આત્મસ્થતાની વાત કરેલી છે. વેદાંતમાં બ્રહ્મજ્ઞાનીના સંબંધમાં ‘જડવત્‌ આચરેત્‌’ (બાલવત્‌, ઉન્મત્તવત્‌) એવી ઉક્તિ મળે છે અને અન્યત્ર ઉન્મની અવસ્થામાં થતા ઉન્મત્ત વર્તનનાં વર્ણનો આવે છે તે આ સંદર્ભમાં યાદ કરી શકાય.

ચિત્ત તે તાહારી કીમત્ય થાઇ, તોરાં મૂલ ઊંડાં છે પ્રાઇ,
મૂલ થાએ તે ઓછી વસ્ત, મૂલ્યે માહાતમ પામે અસ્ત. ૨૩૬

ચિત્ત, તારી તો કીંમત થઈ શકે તેમ નથી. તારાં મૂળ ખરેખર ઊંડાં છે. જેનું મૂલ્ય થાય એ વસ્તુ તુચ્છ ગણાય. મૂલ્ય થવાથી માહાત્મ્ય નષ્ટ થાય છે. પાઠચર્ચા : પહેલા ચરણમાં ક ગ હપ્ર ‘ચિત્ત કેહે’ પાઠ આપે છે, જેનો અર્થ હવે ચિત્તની ઉક્તિ શરૂ થાય છે એવો થાય. અન્ય હપ્ર ‘કેહે’ને સ્થાને ‘તો’ કે ‘તે’ પાઠ આપે છે. એમાં ‘ચિત્ત’ સંબોધનનો શબ્દ બને છે અને વિચારની ઉક્તિ ચાલુ રહે છે. આ પંક્તિઓને કદાચ ચિત્તની ઉક્તિ તરીકે બેસાડી શકાય પરંતુ કડી ૨૩૭માં ‘અવાચ્યવીર્જ્ય તોરું ચિત્ત નામ’ એવી પંક્તિ આવે છે તે વિચારની ઉક્તિમાં જ આવી શકે, ચિત્તની ઉક્તિમાં નહીં. અને ત્યાં ક ગ હપ્ર એ વિચારની ઉક્તિ છે એમ જણાવતી નથી. આથી ક ગ હપ્રનો પાઠ અહીં ભ્રષ્ટ જ હોવાનું અને વિચારની ઉક્તિ ચાલુ છે એમ દર્શાવતો ‘ચિત્ત તે’ પાઠ ખરો હોવાનું માનવાનું સયુક્તિક છે.

ત્યેં તુંને જાણ્યે ચૂકી હદ, તારું નિદાન તાં છે અદબદ,
અવાચ્યવીર્જ્ય તોરું ચિત્ત નામ, મુજ વિના ત્યેં નીગમી’તી હામ, ૨૩૭

તું તારા સ્વરૂપને જાણે એટલે સીમા (ભેદરેખા) લુપ્ત થઈ. તારું મૂળ કારણરૂપ તત્ત્વ તો અદ્‌ભુત છે. ચિત્ત, તું તો અવાચ્યવીર્ય છે (તારામાં બ્રહ્મની ક્ષમતા છે) અને મારા વિના તેં શક્તિ ગુમાવી હતી.

અચાનક જ્યારે હું ઊમટ્યો, ત્યારે તું નિજરૂપે થૈ આઘો વટ્યો,
અવાચ્ય[રરક]વીર્જ્ય મુને શું જાણી કહે, ચિત્ત કહે તે મુને લેખું દ્યે. ૨૩૮

જ્યારે અચાનક હું આવી ચડ્યો ત્યારે તું તારા સ્વરૂપને પામી આગળ નીકળી ગયો. ચિત્ત કહે છે : તું મને અવાચ્યવીર્ય શું જાણીને કહે છે તે મને સમજાવ. પાઠચર્ચા : બીજા ચરણમાં ખ ટ હપ્રના ‘આવટ્યો’ પાઠને અન્ય કોઈ હપ્રનો ટેકો નથી અને અર્થદૃષ્ટિએ પણ એ બરાબર નથી. ચોથા ચરણમાં અ બ હપ્રમાં ‘ચિત્ત’ શબ્દ સંબોધન રૂપે આવે છે એટલે કે આ વિચારની ઉક્તિ ચાલુ છે એમ એ અર્થ કરે છે પરંતુ વિચાર ચિત્તને તું ‘અવાચ્યવીર્ય છે’ એમ કહ્યા પછી અવાચ્યવીર્ય શું જાણીને કહે છે એમ કેવી રીતે કહી શકે? વસ્તુતઃ ત્રીજા ચરણથી ચિત્તની ઉક્તિ ચાલુ થઈ જાય છે એમ માનવું યોગ્ય છે. જુઓ સમજૂતી. સમજૂતી : ત્રીજા-ચોથા ચરણના ‘તું મને અવાચ્યવીર્ય શું જાણીને કહે છે તે મને સમજાવ’ એ વાક્યની વચ્ચે ‘ચિત્ત કહે’ શબ્દો મૂળ પાઠમાં ગૂંથાયા છે તે વિલક્ષણ રીતિ છે અને આ કૃતિમાં એ ક્વચિત જોવા મળે છે. જુઓ કડી ૨૫૬ની સમજૂતી.

વિચાર કહે જે કેહેવો એ ન કેહેવાઇ, ત્યાંહાંની ઝલકણ તે તું ચિત્તરાઇ,
જ્યેમ મેઘનિશા હોએ ઘોર અંધાર, ચંદ્ર નક્ષત્ર ઢંકાણાં તાર. ૨૩૯

વિચાર કહે છે : જે કેવો છે એનું વર્ણન થઈ શકે તેમ નથી, તેની (બ્રહ્મની), ચિત્તરાય, તું જ્યોતિ છે. જેમ ઘનઘોર રાત્રીએ ગાઢ અંધકાર ફેલાયેલો હોય અને તેને કારણે ચંદ્ર, નક્ષત્ર, તારા ઢંકાઈ જાય –

કીડી કુંજર ન આવે દ્રષ્ટ્ય, બોહોલી હવી તિમિરની પુષ્ટ્ય,
એહવા માંહાં ઝલકી દામિની, તે તો દિવસે ન હોઈ ને ન હોઈ જામિની. ૨૪૦

કીડીથી માંડીને હાથી સુધી કશું નજરે ન ચઢે એવો ગાઢ અંધકાર જામેલો હોય, એવામાં વીજળી ચમકે તો તે દિવસ પણ ન કહેવાય અને રાત્રિ પણ ન કહેવાય.

સહુ દીઠું ઝાતકાર્યે કરી, જેહેને રહ્યું’તું તિમિર આવરી,
સૂર્જ્ય ચંદ્ર તારા વિના સાર, મહાઅગ્નિ કેરો ઝાતકાર. ૨૪૧

જેને અંધકારે આવરી લીધું હતું તે બધું જ એક ઝબકારામાં દેખાયું. સૂર્ય, ચંદ્ર અને તારા વિના આ મહાઅગ્નિનો પ્રકાશ-ઝબકાર થયેલો છે. સમજૂતી : છેલ્લા ચરણમાં મહાઅગ્નિનો ઝબકાર કહેવામાં આવ્યો છે પણ કડી ૨૪૫ જોતાં મહાઅગ્નિ અને વીજળી બે જુદી વસ્તુઓ હોય એમ સમજાય છે. તેથી અહીં મહાઅગ્નિના અંશરૂપ વીજળીનો ઝબકાર એવો અર્થ સમજવો જોઈએ.

એહનું સિદ્ધાંત સાંભલ્ય તું ચિત્ત, તોરું મૂલગું કહું છું વિત્ત,
હુંતું અરબદ નરબદ ધૂંધૂંકાર, નહોતાં તત્ત્વ નહોતા આકાર. ૨૪૨

ચિત્ત, તું તેનો સિદ્ધાંત સાંભળ – તારું મૂળ સત્ત્વ શું છે એ હું તને કહું છું. જ્યારે કાચા ગર્ભના જેવી પિંડરૂપ ધૂંધળી સ્થિતિ હતી, કોઈ તત્ત્વ ન હતાં અને કશા આકાર ન હતા – સમજૂતી : ‘અરબદ નરબદ ધૂંધૂકાર’ એ ઉક્તિ અત્યંત નોંધપાત્ર છે. સૃષ્ટિનો આકાર બંધાયો તે પૂર્વેની સૃષ્ટિની સ્થિતિનું વર્ણન એ દ્વારા થયેલું છે. સં. ‘નર્દબુદ’ શબ્દ ગર્ભને બોલાવનાર, સંભળાવનાર એવા અર્થમાં નોંધાયો છે. એ અર્થ અહીં બેસતો નથી. પણ એ શબ્દનો ગર્ભ સાથે સંબંધ છે એ તો સ્પષ્ટ છે. આ ઉક્તિ નિજારપંથની પરંપરામાં સૃષ્ટિની ઉત્પત્તિની પહેલી સ્થિતિ દર્શાવવા માટે પ્રયોજાયેલી જોવા મળે છે. (જુઓ હરિવલ્લભ ભાયાણી, ‘નિજારી સંતભક્ત-પરંપરાનું એક પગેરું’, ઊર્મિ-નવરચના. પૃ.૬૩-૬૪) તેથી આ એક મધ્યકાલીન રૂઢિ હોવાનું દેખાઈ આવે છે.

ઉડગણ નહોતા ઉડપતિ ભાણ, નહોતા વેદ સમૃતિ પુરાણ,
નહોતા શિવ, બ્રહ્મા ને વિષ્ણુ, નહોતું શીત કેહે નોતુ ઉષ્ણ. ૨૪૩

તારાઓનો સમૂહ ન હતો, ઉડુપતિ (સૂર્ય) ન હતા, વેદ, સ્મૃતિ, પુરાણ ન હતાં, શિવ, બ્રહ્મા અને વિષ્ણુ ન હતા, ઠંડું કે ગરમ કશું ન હતું. પાઠચર્ચા : ચોથા ચરણમાં ગ હપ્ર જ ‘કેહે નોતુ’ પાઠ આપે છે, બીજી બધી હપ્ર ‘કેહેનારો’ અને ‘કહેનારું’ પાઠ આપે છે. પરંતુ ‘કેહેનારો નહોતું’ એવી ખોટી વાક્યરચના એમાં થાય છે. ‘કેહેનારા’ શબ્દ ‘શીત’ અને ‘ઉષ્ણ’ની વચ્ચે આવે એ વાક્યરચના પણ કઢંગી થાય છે. બીજું, શીત કે ઉષ્ણ કહેનાર કોઈ ન હતું એમ કહીએ એટલે શીત અને ઉષ્ણ એવા ભેદ હતા એવો અર્થ થાય જે અખાજીને અભિપ્રેત ન હોઈ શકે કેમકે અખાજી કશા ભેદ વિનાની સ્થિતિને આલેખી રહ્યા છે. તેથી મુખ્ય હપ્ર તેમજ અન્ય હપ્રનો પાઠ છોડી ‘કેહે નોતુ’ એ પાઠ સ્વીકાર્યો છે. એમાં ‘કેહે’ ને ‘કે’ના અર્થમાં લેવાની – ‘હ’ શ્રુતિ દાખલ થઈ હોવાનું માનવાની – સ્થિતિ આવે છે.

આકસ્મા[રરખ]ત ઝલક્યો તું પિતા, ત્યારે સહુ કો દીઠા છતા,
બ્રહ્મા આદ્ય પતંગે લગી, તાહારી ચમક દીસે ઊમગી. ૨૪૪

હે પિતા, ત્યાં એકાએક તું ઝળક્યો અને ત્યારે બધા પદાર્થોને પ્રગટ થયેલા જોયા. બ્રહ્માથી માંડીને પતંગિયા સુધી (નાના જીવજંતુ સુધી) તારો પ્રકાશ ફેલાયેલો દેખાય.

હરિ હર અજ તુજ માંહાંથા થયા, તુજ વડે તે વરતે રહ્યા,
ત્યાંહાં માહાઅગ્નિ ત્યમ આંહાં અવાચ્ય, ત્યાંહાં વિદ્યુત ત્યમ આંહાં તું સાચ. ૨૪૫

શંકર, વિષ્ણુ, બ્રહ્મા તારામાંથી થયા અને તારાથી તે વરતી રહ્યા છે (એટલે કે અસ્તિત્વમાં છે). ત્યાં મહાઅગ્નિ તેમ અહીં અવાચ્ય (બ્રહ્મ), ત્યાં વીજળી તેમ તું અહીં છે. સમજૂતી : અખાજીએ આ મુજબ રૂપક રચ્યું હોય એમ જણાય છે કે અવાચ્ય બ્રહ્મ તે મહાઅગ્નિ અને ચિત્ત તે મહાઅગ્નિના અંશરૂપ વીજળી. વીજળીથી જેમ સૃષ્ટિ પ્રકાશિત થઈને અસ્તિત્વમાં આવે છે તેમ ચિત્તવ્યાપારથી આરોપિત થઈને સૃષ્ટિ અસ્તિત્વમાં આવે છે. ચિત્ત ન હોય તો આ સૃષ્ટિ જ ન હોય.

બ્રહ્માંડ ગણે તોહે એમ નીપજ્ય, અને પિંડ ગણે તોહે એમ જ ભજ્ય,
બ્રહ્માંડ સ્ફુર્યુ ત્યાંહાં તું ઈશ્વર થયો, અને પિંડ સ્ફુર્યો ત્યાંહાં જીવ જ રહ્યો. ૨૪૬

બ્રહ્માંડને લક્ષમાં લે તો પણ આ જ સ્થિતિ છે. અને શરીરને લક્ષમાં લે તો પણ આ જ સ્થિતિ છે એમ સ્વીકાર. બ્રહ્માંડ ઉત્પન્ન થયું ત્યાં તું ઈશ્વર થયો અને પિંડ ઉત્પન્ન થયું ત્યાં જીવ બન્યો. સમજૂતી : ઈશ્વર અને જીવ બંનેમાં બ્રહ્મની શક્તિ (વીર્ય) રહેલી છે. બ્રહ્માંડ પરત્વે ઈશ્વર અને પિંડ પરત્વે જીવ. એટલે કે બ્રહ્માંડમાં જે શક્તિ પ્રવર્તી રહી છે તે ઈશ્વર અને પિડમાં જે શક્તિ પ્રવર્તી રહી છે તે જીવ.

કદાચ્ય ચિત્ત તું વૈકુંઠ જાઈ, તોહે તું તુજ માંહાં અવઘાઇ,
અષ્ટ મહાસિદ્ધિ કરે કિંકરી, તોહે ત્યેં તોરી વ્યર્ત્ય આચરી. ૨૪૭

ચિત્ત, કદાચ તું વૈકુંઠમાં જાય તો તું તારામાં જ ડૂબેલો રહીશ અને અષ્ટ મહાસિદ્ધિને તું તારી દાસી કરે તોપણ તું તારી વૃત્તિનું આચરણ કરીશ.

ચિત્ત કહે, એથી અલગો સ્યો નિકાલ, તેહેની કાંઈ કાઢી છે ભાલ,
વિચાર કહે, ભાલ દાદા તણી, તે દાદો જ પ્રેરે કહે આપણી. ૨૪૮

ચિત્ત કહે છે : એનાથી જુદો ઉપાય (=રસ્તો) શું છે તેની કંઈ શોધ કરી છે? વિચાર કહે છે : શોધ તો દાદાની (મૂળ પુરુષની) કરવાની છે. એ દાદો જ આપણી ભાળ પ્રેરે છે અને બતાવે છે. સમજૂતી બ્રહ્મસ્વરૂપની ઓળખમાં જ આત્મતત્ત્વની ઓળખ રહેલી છે એમ અખાજીનું કહેવાનું જણાય છે.

મુજ દ્વારા પ્રકાશે વાટ, જો તુંને બેસશે ઘાટ,
પ્રકાર ઘણા ધ્યે[૨૩ક] મલવા તણા, પણ નિદાન જોતાં તે નેટ્ય આપણાં. ૨૪૯

હું રસ્તો બતાવું છું, જો તને મનમાં ઊતરે તો ધ્યેય(બ્રહ્મ)ને પ્રાપ્ત કરવાના ઘણા પ્રકાર છે. પણ પરિણામે તે આત્મતત્ત્વના અભ્યાસના જ માર્ગ હેાય છે.

જ્યોગ અષ્ટાંગ બહુ દલ માંહાં વસે. તોહે તું તોરું આપ જ અભ્યાસે,
નોલી ધોતી લ્યંબકા ક્રમ કરે, અધોકમલ ઉર્ધ્વમુખ ધરે. ૨૫૦

અષ્ટાંગયોગનું મનમાં બહુ મહત્ત્વ હોય તો પણ તારા મનમાં તું તારા આત્મતત્ત્વનો અભ્યાસ કરતો હોય છે. નોલી, ધોતી, લંબક વગેરે યૌગિક કર્મો તું કરે અને પગને ઉપર કરવાની (શીર્ષાસન) યૌગિક ક્રિયા કરે.

સગુણભક્તિ ગાએ સાકાર, તોહે તે તાહારો જ આચાર,
ધ્યાન મૌન માંહાં શબ્દ ઊચરે, તેહે તું તુજ સાથ્યે લટકા કરે. ૨૫૧

સાકાર અને સગુણની ભક્તિ ગાય તોપણ તે તારી સાથેનો જ આચાર છે. ધ્યાન અને મૌનમાં રહે કે તું શબ્દનો ઉચ્ચાર કરે તેમાં પણ તું તારી સાથે જ વ્યવહાર કરે છે.

જ્યારે તું તુજ માંહે પાછા વલે, ત્યારે ચમક સઘલી નીકલે,
વંશ વિચારે ને અંશ ઓલખે, ઈછા ટાલે ને આપોપું ભખે. ૨૫૨

જ્યારે તું તારા મૂળ સ્વરૂપમાં પાછો ફરે ત્યારે સઘળો પ્રકાશ પ્રગટ થાય છે. તું શાનો અંશ છે તે ઓળખે અને તારા વંશનો વિચાર કરે તથા તારી ઇચ્છાને ટાળે ત્યારે આત્મતત્ત્વને પામે છે.

એહેવો થકો જેહેવો રહે તું, ત્યારે પિંડ બહ્માંડને તાહારે શું,
ત્યારે તું તે છે જ અવાચ્ય, તદ્રૂપ થકો તું રાચ્ય ન રાચ્ય. ૨૫૩

એવો તું છે તેના જેવો જ રહે ત્યારે શરીર અને બ્રહ્માંડ સાથે તારે શું સંબંધ? ત્યારે તું તે અવાચ્ય (બ્રહ્મ) જ છે. પછી તું શરીર અને બ્રહ્માંડ સાથે તદ્રૂપ થઈને રાચ નહીં.

ત્યાંહાં કેહેનારો તુંને કોએ નથી, આણી મોર્યે સ્તવે તુંને શ્રુતિ ભારતી,
ચિત્ત કહે અવાચ્યવીર્જ્ય તાં હું ખરો, એણે સ્થલ્ય તાં મર્મ આકરો. ૨૫૪

ત્યાં (પારમાર્થિક દશામાં) તને કહેનાર (=તારી વાત કરનાર, વર્ણન કરનાર) કોઈ નથી. આ તરફ (વ્યાવહારિક દશામાં) વેદ અને સરસ્વતી તારી પ્રશંસા કરે છે. ચિત્ત કહે : હું અવાચ્યવીર્ય ખરો, પણ વ્યવહાર દશામાં તેનો મર્મ પકડવો અઘરો છે. સમજૂતી : બીજા ચરણનો સંદર્ભ બહુ સ્પષ્ટ થતો નથી પરંતુ બ્રહ્મભાવ સિવાયની સ્થિતિમાં ઈશ્વરત્વ વગેરે ભેદ ઉત્પન્ન થવાથી વેદાદિ એનું સ્તવન કરે છે એવું અભિપ્રેત હોઈ શકે.

જોતાં મુજ વિના તે કોણ પ્રાક્રમી, ચિદ[૨૩ખ] આભા ચિત્ત રૂપ્યે રમી,
મહાભૂત ઈશ્વર બ્રહ્માંડ, તેહેનો અંશ આ ભૌતિક પિંડ. ૨૫૫

વિચાર કરતાં મારા વિના બીજું કોણ પરાક્રમી છે? ચૈતન્યની આભા ચિત્ત રૂપે વિલસી છે, ઈશ્વરકૃત પંચમહાભૂતનું બ્રહ્માંડ તેનો અંશ આ ભૌતિક શરીર છે – પાઠચર્ચા : બીજા ચરણમાં ક અને ગ સિવાયની હપ્ર ‘આભા’ને સ્થાને ‘અભ્યાસ’ અને ‘આભાસ’ પાઠ આપે છે પણ આ પાઠ અર્થદૃષ્ટિએ બંધબેસતા નથી. ઉપરાંત ‘રમી’ એ સ્ત્રીલિંગના ક્રિયાપદ સાથે ‘આભા’ જ હોઈ શકે.

એટલું તાં ચિત્ત કહે મ્યેં લહ્યું, પણ અરૂપી રૂપે ક્યમ થયું,
અરૂપ હુતું થયું રૂપવાન, અગ્રાહ્ય ગ્રેહેવાનું ભાન. ૨૫૬

એટલું તો, ચિત્ત કહે છે, મને સમજાયું પણ જે રૂપ વગરનું હતું તે રૂપવાળું કઈ રીતે થયું? અરૂપ હતું તે રૂપવાન થયું. અગ્રાહ્ય હતું તેને ગ્રહણ કરી શકાય એવી બુદ્ધિ જન્મી. સમજૂતી : ૨૫૪મી કડીથી ચિત્તની ઉક્તિ ચાલુ છે તે છતાં અહીં ‘ચિત્ત કહે’ આવે છે અને તે પણ વાક્યની વચ્ચે – તે નોંધપાત્ર છે. ૨૫૭મી કડીમાં ફરીથી પાછું ‘ચિત્ત કહે’ આવે છે.

ચિત્ત કહે એહને ઘાટ્યે ઘાલ્ય, અન્ય શાસ્ત્રે મેં મૂક્યું અજમાલ્ય,
વિચાર કહે જોને અરૂ૫ છે આકાશ, ત્યાંહાં સહસા અભ્ર હોએ પ્રકાશ. ૨૫૭

ચિત્ત કહે છે : એ સમજાવ. અન્ય શાસ્ત્રમાં મેં અજમાલ (?) મૂક્યું છે. વિચાર કહે છે : જો, આકાશ અરૂપ છે. એમાં એકાએક વાદળ પ્રગટ થાય છે. સમજૂતી : ‘અજમાલ્ય’ની અર્થચર્ચા માટે જુઓ પૃ. ૭૯

ઊપજે ત્યાંહાં પડે નહીં ખાણ્ય, ફીટે ત્યાંહાં ઢગ ન ચઢે નિરવાણ્ય,
એહવું અધર ચાલે સદૈવ, તે વાદલ માંહાં ઊપજે જીવ. ૨૫૮

જ્યાંથી એ વાદળ ઉત્પન્ન થાય છે ત્યાં ખાડો પડતો નથી અને જ્યાં વિલીન થાય છે ત્યાં ઢગલો થતો નથી. આવી લીલા અધ્ધર (આકાશમાં) હંમેશાં ચાલ્યા કરે છે. તે વાદળમાં જીવ ઉત્પન્ન થાય છે. સમજૂતી : ‘અધર’ શબ્દના આ જાતના પ્રયોગ માટે જુઓ અખાજીનું પદ :

પ્રાણી! તેં ક્યારે કીધા સુર સોમ?
ક્યારે જલધર રાખ્યો અધર વ્યોમ? (૧૨૯/૭)
તે જીવ કો ઘન વરતે રહે, તેનાં ખોખાં કો માનવ ગ્રહે,
તે ખોખાં કાદવ માંહાંથું શોષે નીર, શીતલ કરી મૂકે પાછી સીર. ૨૫૯

તે જીવને કારણે તે ઘનસ્વરૂપ પામે છે. માનવ તેનાં આ ખોખાંને –આકારોને ગ્રહે છે. તે ખોખાં કાદવમાંથી પાણી શોષે છે અને ફરી પાછી શીતલ કરીને તેની સેર વરસાવે છે. પાઠચર્ચા : પહેલા ચરણમાં ‘ઘન’ને સ્થાને ક ગ ટ સિવાયની હપ્ર ‘ઘન’, ‘ક્ષણ’ એવા પાઠ આપે છે પરંતુ તેથી અર્થ બેસાડવામાં કોઈ મદદ મળતી નથી. ઉપરાંત અહીં વાદળની વાત ચાલુ હોઈ ‘ઘન’ શબ્દ હોવાની શક્યતા વધારે છે. સમજૂતી : કડી ૨૫૮ના છેલ્લા ચરણથી શરૂ થતા અખાજીના દૃષ્ટાંતનું તાત્પર્ય આવું સમજાય છે : વાદળ મૂળ હવાઈરૂપે હોય છે. એમાં જીવ આવવો એટલે એના ઘન આકાર બંધાવા. આ ઘન આકાર તે ખોખાં. ૨૬૧મી કડીમાં અખાજી પંચમહાભૂતને વાદળને સ્થાને મૂકે છે અને એ પંચમહાભૂતના પંચીકરણને ખોખાંને સ્થાને મૂકે છે તે આવા અર્થઘટનને ટેકો આપે છે. વાદળ-ખોખાનું દૃષ્ટાંત છપ્પા ૫૮૩માં પણ વપરાયેલું છે :

જ્યમ વાદળખોખું શોષે નીર,
કાદવમાંથું પીએ હીર.

‘શીર’ શબ્દ અખાજીમાં અન્યત્ર ‘સીહીર’રૂપે જોવા મળે છે અને ત્યાં ‘સેર’ ‘સરવાણી’ એ અર્થ સ્પષ્ટ છે :

જ્યમ ફળ જોવા હીંડે નીરને,
૫ણ ક્યમ દેખે અંતર સીહીરને. (છપ્પો પ૭૯)

અહીં સંદર્ભ સમગ્ર વૃક્ષમાં ફેલાયેલા પાણીનો છે. ફળ પોતાની અંદર પ્રસરેલી પાણીની સેરને – સરવાણીને જોઈ ન શકે એવું તાત્પર્ય છે.

જ્યૂં કુવા ખોદતેં સીહીર આવે,
આડા અવલા નીર મિલે (અપ્રસિદ્ધ અક્ષયવાણી, ૧૫૮)

અહીં પણ ‘સરવાણી’ અર્થ સ્પષ્ટ છે.

અરૂપી રૂપ્યે એમ થયો, જ્યમ નભ માંહાં અભ્ર કો કરવા ગયો,
ત્યાંહાં જ્યમ સ[૨૪ક]હેસા ઊઠી ઉપાધ્ય, અદ્રષ્ટ્ય માંહાં દ્રષ્ટ્ય એણી પેરે સાધ્ય. ૨૬૦

આકાશમાં કોઈએ વાદળ ઉત્પન્ન કર્યાં તેમ અરૂપી રૂપવાન થયો (નિરાકાર સાકાર થયો). ત્યાં જેમ આકસ્મિક ઉપાધિઓ અસ્ત્વિત્વમાં આવી એવી રીતે અદૃષ્ટમાંથી દૃષ્ટ સિદ્ધ થયું માન.

અભ્રસ્થાની તે પંચ મહાભૂત, ખોખાંસ્થાની તે પંચીકરણ ભૂત,
અદ્રષ્ટ્ય દ્રષ્ટ્યમાન એણી પેર્યે થયું, ત્યેં પૂછ્યું જે અગ્રાહ્ય ગ્રહ્યું કયમ ગયું. ૨૬૧

પાંચ મહાભૂતો તે વાદળને સ્થાને છે અને પંચીકૃત ભૂત એ ખોખાંને સ્થાને છે. આ રીતે અદૃષ્ટ દૃષ્ટમાન થયું. તેં એમ પૂછ્યું કે અગ્રાહ્ય ગ્રાહ્ય કેમ બન્યું –

તેહેનો તું સુણી લે પ્રતિબોધ, જેણે ભવનો ભાગે રોધ,
અગ્રાહ્યને ગ્રેહેવા કોણ છે, એ તો ભૂત ભૂતને જ ગ્રહે છે. ૨૬૨

તેનો ઉત્તર સાંભળી લે કે જેથી તારો સંસારનો અવરોધ દૂર થાય. અગ્રાહ્યને તો કોણ ગ્રહણ કરી શકે? એ તો ભૌતિક તત્ત્વ ભૌતિક તત્ત્વને જ ગ્રહે છે.

જ્યમ સોનું તોલીએ કાઢલાં વડે, તે સરખે તોલે કાંટે ચઢે,
તેહેની સંક્ષા નીકલી કાંટા માટ્ય, કારજ્યવાદીને બેઠું ઘાટ્ય. ૨૬૩

સોનાને કાટલાંથી તોલીએ છીએ અને સરખા તોલથી (તુલનાથી) એ કાંટે ચઢે છે. કાંટાના હેતુથી જ એ કાટલાંઓનાં માપ હોય છે. કાર્યવાદી (પરિણામવાદી)ને આમ સમજાયું. પાઠચર્ચા : ત્રીજા ચરણમાં ઘણી હપ્ર ‘કાંટા’ને સ્થાને ‘કાટલા’ પાઠ આપે છે પરંતુ સંખ્યા તે કાટલાં – વજનિયાંની હોય, તેથી અહીં કાંટાને એટલે કે ત્રાજવાને માટે એટલે કે તોલ કરવાની ક્રિયા માટે સંખ્યા નીકળી એમ જ હોવું જોઈએ. સમજૂતી : આગલી કડીના અનુસંધાનમાં વિચારીએ એટલે સોનું – કાટલાં – કાંટાનું આ દૃષ્ટાંત ભૌતિક તત્ત્વનું માપ ભૌતિક તત્ત્વથી જ નીકળે છે એમ બતાવવા યોજાયેલું જણાય છે. કાર્યવાદી એટલે મૂળ તત્ત્વ, કારણરૂપ બ્રહ્મ નહીં, પણ કાર્યરૂપ જગતને જોનારા.

તેહેનો કરતાં વસ્તુવિચાર, ભૂતકલ્લોલ દીઠો નિરધાર,
અવની હેમ ને અવની લોહ, અવની જાણે ટલ્યો સર્વ મોહ. ૨૬૪

આ સ્થિતિનો વસ્તુવિચાર કરતાં તેમાં પંચમહાભૂતના જ તરંગ દેખાય છે, સોનું અને (વજનિયાંનું) લોઢું બંને પાર્થિવ – ભૌતિક પદાર્થો છે. આ ભૌતિકતાને સમજવાથી સઘળો મોહ દૂર થાય છે.

ગ્રાહ્ય ગ્રાહક બેહુ ભૂતવિકાર, એ તો આકાર્યે જ ગ્રહ્યો આકાર,
ચિત્ત કહે એ ત્યેં અદભુત કહ્યું, એમ અવાચ્ય અભોગત્ય રહ્યું. ૨૬૫

ગ્રાહ્ય પદાર્થ અને ગ્રહણ કરનાર બંને પંચમહાભૂતના વિકારો જ છે. એમાં આકાર જ આકારને ગ્રહણ કરે છે. ચિત્ત કહે છે : એ તેં અદ્‌ભુત વાત કરી. આ રીતે અવાચ્ય (બ્રહ્મ) તો અનનુભુત રહ્યું.

[૨૪ખ]વલી એક મોટો છે ખ્યાલ, ને રૂડી પેર્યે ઘાટ્યે ઘાલ્ય,
અવાચ્યકારણ નહીં એક અનેક ત્યાંહાં ન પોહોચે વાણી વિવેક. ૨૬૬

વળી એક મોટો વિચાર છે. તેને બરાબર (સારી રીતે) સમજ. અવાચ્ય કારણ (બ્રહ્મ) એક કે અનેક નથી (ગણનાથી પર છે). ત્યાં વાણીનો વિવેક – વાણીની વર્ણનશક્તિ પહોંચી શકતી નથી. સમજૂતી : ‘અવાચ્યકારણ’ એ શબ્દસંજ્ઞાનો અર્થ વિચારણીય છે. અખાજી સામાન્ય રીતે ‘અવાચ્ય’ શબ્દને ‘બ્રહ્મ’ના અર્થમાં વાપરે છે. તેથી અવાચ્યકારણ એટલે કારણબ્રહ્મ થાય. વેદાંતમાં કારણબ્રહ્મ એટલે માયાવિશિષ્ટ બ્રહ્મ એટલે કે ઈશ્વર, જે જગતની ઉત્પત્તિ કરે છે. ‘અવાચ્યકારણ નહીં એક અનેક’નો અન્વય એમ કરીએ કે અવાચ્યકારણ એક નથી પણ અનેક છે, તો એથી ઈશ્વરની અનેકતા સૂચવાય. અખાજી બધા જીવમાં ઓછુંવત્તું ઈશ્વરત્વ હોવાનું કહે છે તેની સાથે આ વાત મળતી આવતી લાગે. પરંતુ, એમ લાગે છે કે અખાજીને ‘અવાચ્યકારણ’નો આવો પારિભાષિક અર્થ કદાચ અભિપ્રેત નહીં હોય. ઈશ્વરને એ ‘અવાચ્ય’ વિશેષણ લગાડે કે કેમ એ પ્રશ્ન છે. વળી, પછી ૨૭૪મી કડીમાં ચિત્તને અવાચ્યકારણનું પ્રતિબિંબ કહેલ છે. જીવ બ્રહ્મનું પ્રતિબિંબ છે, ઈશ્વરનું નહીં, વેદાંતની દૃષ્ટિએ બ્રહ્મનું માયામાં પડેલું પ્રતિબિંબ તે ઈશ્વર અને અવિદ્યામાં પડેલું પ્રતિબિંબ તે જીવ. તેથી અવાચ્યકારણ એટલે કારણબ્રહ્મ કે ઈશ્વર નહીં, પણ બ્રહ્મ જ અભિપ્રેત હોય એમ જણાય છે. બ્રહ્મ જીવ અને જગતના મૂળ કારણરૂપ છે તે રીતે એ અવાચ્યકારણ. આમ ઘટાવીએ એટલે બ્રહ્મ અનેક હોવાનું ન કહી શકાય. તેથી ઉપરની કડીના ત્રીજા ચરણનો અન્વય ‘બ્રહ્મ એક કે અનેક નથી, ગણનાથી પર છે’ એમ કરવાનો રહે. અવાચ્ય બ્રહ્મ વાણીવિવેકથી પર છે એ કથન પણ આ અન્વયને જ ટેકો આપે.

ત્યાંહાં જો પોહોંચે લેખે અંબ, તો તેહેને ગણીએ પ્રતિબિંબ,
ત્યાંહાં બિંબ પ્રતિબિંબ કેહેવા નહીં ઠાર, આંહાં તો એટલાં ચિત્ત જેટલા આકાર. ૨૬૭

વાણીવિવેક જો ત્યાં પહોંચે અને એને પાણી લેખે તો સઘળું એમાં સર્જાતા પ્રતિબિંબરૂપ ગણાય. પણ ત્યાં (મૂળ સ્થિતિમાં) બિંબ-પ્રતિબિંબ કહેવાને કોઈ સ્થાન – અવકાશ જ નથી. અહીં તો (આ સૃષ્ટિમાં) જેટલા આકાર છે એટલા ચિત્ત છે. સમજૂતી : કડીનું તાત્પર્ય તો એવું જણાય છે કે બ્રહ્મ તો અનિર્વચનીય છે. વાણીથી વર્ણવીએ ત્યારે બ્રહ્મ અને જગતને બિંબ-પ્રતિબિંબરૂપે આપણે ઘટાવીએ છીએ, પરંતુ એ વ્યવહારદૃષ્ટિ છે. પરમાર્થદૃષ્ટિમાં બિંબ-પ્રતિબિંબ કશું હોતું નથી. પણ પહેલાં બે ચરણનો અન્વય બહુ સ્પષ્ટ નથી એ સ્વીકારવું જોઈએ.

એહેનો જો ત્યેં બેસે ઘાટ, તો અતિશે વારુ થાએ નાટ,
દ્રુમ પરવત સાગર વન નદી, મણિ મંત્ર ચેટક ઓષધી. ૨૬૮

એની ઘડ જો તારા મનમાં બેસે તો ચોક્કસ સારું થાય. વૃક્ષ, પર્વત, સાગર, વન, નદી, મણિ, મંત્ર, જાદુ, ઔષધિ –

એહવું સામૃથ્ય દીસે લંબ, સહુ જ વિષે મૂલગું પ્રતિબિંબ,
વિચાર કહે સાંભલ્ય કહું ચિત્ત, દ્રષ્ટાંતે સંદેહ થાએ ગત્ય. ૨૬૯

આ બધું (અવાચ્ય બ્રહ્મનું) વિશાળ સામર્થ્ય દેખાય છે. આ બધામાં મૂળ બ્રહ્મનું જ પ્રતિબિંબ છે. વિચાર કહે છે : ચિત્ત, હું કહું તે સાંભળ. દૃષ્ટાંતથી (તારો) સંશય દૂર થશે. સમજૂતી : ૨૬૫મી કડીથી શરૂ થયેલી અને આ કડીમાં પૂરી થયેલી ચિત્તની ઉક્તિનો મુદ્દો એવો જણાય છે કે અવાચ્યબ્રહ્મ અનુભવથી (સ્થૂળ વાસ્તવિક અનુભવથી) પર છે, એેવો અનુભવ તો માત્ર પ્રતિબિંબરૂપ જગતનો થાય છે.

છામખેડાની પેર્યે જોએ, વ્યક્તભેદ સર્વ ગોચર હોએ,
જ્યમ છામખેડુ છે દીપક વડે, દીપ વિના સર્વ ઊમડે. ૨૭૦

છામખેડાના ખેલની રીતે જોતાં વ્યક્ત સૃષ્ટિના ભેદો અનુભવગમ્ય થશે. દીવા વડે ચામખેડાનો ખેલ રચાય છે અને દીવા વિના એ નષ્ટ થઈ જાય છે. સમજૂતી : ‘છામખેડુ’ (ચામખેડુ) એ શબ્દના ‘મદારીની જોડી’ અને ‘પૂતળી ખેલ કરનારું સાધન’ એવા અર્થો કરવામાં આવ્યા છે પરંતુ એ અર્થો શંકાસ્પદ જણાય છે. આ શબ્દમાં ‘ચામ’ એટલે કે ‘ચામડું’ આવે છે તે ખાસ નોંધપાત્ર છે. ‘ખેડુ’ એટલે ખરેખર તો ‘ગામ’ થાય. આમ ‘ચામખેડુ’ એટલે ચામડાનું ગામ એવો શાબ્દિક અર્થ થાય. ચામડાની મદદથી થતો આ ખેલ કયા પ્રકારનો હશે તેની વિમાસણ રહે છે પરંતુ ‘કુમાર’ ઑગ. ૧૯૫૮-માં નવનીત પારેખનો ‘જાવાસુમાત્રાની લલિત કલાઓ’ એ લેખ છપાયો છે તેમાં આવતું વયાંગ-કુલિત નામની છાયાનાટિકાનું વર્ણન આ સંદર્ભમાં જોવા જેવું છે. એ એક પ્રકારનો પૂતળીખેલ છે પરંતુ એમાં કઠપૂતળી (લાકડાની પૂતળી) હોતી નથી, ચામડાની કોતરેલી આકૃતિઓ હોય છે. સૂત્રધાર એ આકૃતિઓના સમૂહની પાછળ છુપાયેલો રહે છે અને એ આકૃતિઓને એ જરૂર મુજબ બહાર રમવા કાઢે છે અને પાછી ખેંચી લે છે. એના માથા પર તેલનો મોટો દીવો હોય છે, જેનો પ્રકાશ આગળના સફેદ પડદા પર પડે છે. તે પડદા પર ચામડાની આકૃતિઓની છાયા પડે છે તે પ્રેક્ષકો જુએ છે. અખાજીએ કરેલું ચામખેડાનું વર્ણન આ વયાંગકુલિત સાથે એકદમ મળતું આવે છે તે સ્પષ્ટ છે. અત્યારે ભારતમાં ચામડાની આકૃતિઓથી થતો ખેલ જાણીતો નથી (દક્ષિણમાં ક્યાંક ચાલુ હોવાનું જાણવા મળ્યું છે) પરંતુ અખાજીના સમયમાં એ પ્રચલિત હોવાનું આ પરથી સમજાય છે. અખાના છપ્પા ૧૫૧, ૧૫૨માં પણ ચામખેડાનું દૃષ્ટાંત યોજાયું છે અને ઉમાશંકર જોશીએ એમની છપ્પાની બીજી આવૃત્તિમાં નવનીત પારેખના લેખને આધારે ‘વયાંગકુલિત’નું વર્ણન આપ્યું છે.

નાનાં રૂપ આવે રહે જાઇ, પણ દીસે દીપ તણે મહિમાઇ,
સૂર્જ્ય હોએ ત્યારે ન હોઇ પેખણું, એ તો[૨૫ક] દીપ-તિમિર તણું દેખણું. ૨૭૧

વિવિધ પ્રકારનાં રૂપ આવે છે, રહે છે અને જાય છે. પણ તે બધું દીવાના પ્રતાપે દેખાય છે. સૂર્ય હોય ત્યારે આ ખેલ ન હોઈ શકે, એ તો દીવો અને અંધારું (સાથે હોય) ત્યારે થતું દૃશ્ય છે.

દીપકસ્થાની તું ચિત્તરાઈ, દેહે મંડપ કરી બેઠો માંહે,
બાહાર્યથી દીસે તુજ માટ્ય, અને અંતર્યે તુજ વડે ચાલે ઠાઠ. ૨૭૨

દીવાને સ્થાને, ચિત્ત તું છે. દેહનો મંડપ કરી તેમાં તું બેઠો છે. બહારથી તારે માટે જગતનો ખેલ ચાલતો જણાય છે પણ અંદરથી જોતાં તારાથી જ આ જગતવૈભવ ચાલે છે. પાઠચર્ચા : ચોથા ચરણમાં ક ગ સિવાયની બધી હપ્ર ‘ઘાટ’ પાઠ આપે છે. ‘માટ્ય’ સાથે પ્રાસમાં આ પાઠ આવેલો જણાય છે, પણ આ સંદર્ભમાં ‘ઠાઠ’ પાઠ જ ઉચિત છે અને તેને છપ્પાની નીચેની પંક્તિઓમાંથી સમર્થન મળી રહે છે. ત્યાં બધે ‘ઠાઠ’ શબ્દ આ અર્થમાં વપરાયો છે અને એનો પ્રાસ પણ મોટે ભાગે ‘ઘાટ’ સાથે મેળવેલો છે.

ચૌદલોક અખા એક ઠાઠ ત્યાં ઊંચનીચ તે મનનો ઘાટ. ૩૬૬
લોકચૌદ ચૈતન્યનો ઠાઠ નીપજતા જાયે ઘાટેઘાટ. ૩૮૯
વિચાર કરતાં બેઠું ઘાટ,
એ ચાલ્યો જાય સત-મિથ્યા ઠાઠ ૫૦૪
અખા વિચાર્યે બેઠું ઘાટ, આપે ચૈતન્યનો ઠાઠ ૫૨૦
કળ ભરાવ્યે ચાલે ઠાઠ મન આદિ સઘળો આઠકાઠ. ૪૧
પ્રાયે સર્વ ચૈતન્યનો ઠાઠ પણ સત્ય-મિથ્યારૂપે આઠકાઠ. ૫૪૨
પાછો વળી ઘડાયે ઘાટ, ત્યમનો ત્યમ પોગરનો ઠાઠ. ૬૬૫

‘ઠાઠ ચાલે’ એવો પ્રયોગ થઈ શકે – અહીં ઉપર જ એનું દૃષ્ટાંત છે. ‘ઘાટ ચાલે’ એવો પ્રયોગ હોવાનો સંભવ નથી.

અજ્ઞાનનિશા લગી એ ખેલ, સંકલ્પના તે ચલાવે વેલ,
જ્ઞાનઅર્ક્ક કરી ભાગો ભ્રમ, ત્યારે દીઠાં આલાં ચર્મ. ૨૭૩

અજ્ઞાનરૂપી રાત્રી હોય ત્યાં સુધી એ ખેલ ચાલે છે. મનનો સંકલ્પવ્યાપાર આ (સંસારની) વેલને ચલાવે છે, પરંતુ જ્ઞાનસૂર્યથી ભ્રમ દૂર થયો ત્યારે (આ વિવિધ રૂપો તે બીજું કંઈ નહીં પણ) આળાં ચર્મ છે એમ દેખાયું. પાઠચર્ચા : બીજા ચરણમાં ક ગ સિવાયની બધી હપ્ર ‘સંકલ્પનટ’ પાઠ આપે છે તેમાં કદાચ સરળતા લાગે પણ સંકલ્પના એટલે સંકલ્પબુદ્ધિ કે વ્યાપાર એ અન્વય થઈ શકે છે તેથી મુખ્યપ્રતનો પાઠ ફેરવવાની જરૂર નથી. વળી ‘વેલ’ ચલાવનાર ‘નટ’ એ બંધબેસતું થતું નથી. વળી, ખેલ ચલાવનાર પણ ‘નટ’ નહીં, સૂત્રધાર છે.

તોરું જ સ્ફુરણ દેખે છે તું, અહીં અવાચ્ય કારણને જોતાં શું,
તું છે અવાચ્યકારણ કેરું પ્રતિબિંબ, તે માટે તું પ્રાએ શંભ. ૨૭૪

આ રીતે તું તારું સ્ફુરણ જ જોઈ રહ્યો હોય છે. અહીં અવાચ્યકારણ (બ્રહ્મ)ને જોવાથી શું થાય? તું અવાચ્યકારણ (બ્રહ્મ)નું પ્રતિબિંબ છે, તેથી તું(અંતે) બ્રહ્મરૂપ જ છે. સમજૂતી : ‘અવાચ્યકારણ’ વિશે જુઓ આ પૂર્વે કડી ૨૬૬ની સમજૂતી. ‘શંભ’ શબ્દની અર્થચર્ચા માટે જુઓ પૃ. ૯૧

એણે ભેદ્યે પંડ્ય બ્રહ્માંડ, બ્રહ્માંડ બ્રહ્માંડ્યે બહુવિધ મંડ્ય,
પંડ્ય પંડ્ય એક જ માંડણી, તું એમ સમઝ્ય રાખ્ય આપણી. ૨૭૫

આ ભેદોથી પિંડ ને બ્રહ્માંડ રચાય છે. બ્રહ્માંડે-બ્રહ્માંડે જાત-જાતની રચનાઓ થાય છે. પણ દરેક પિંડની માંડણી (આધાર) તો એક જ છે. આ પ્રમાણે તું તારી સમજણ રાખ. સમજૂતી : અહીં ‘માંડણી’નો અર્થ આધાર લેવાનું કારણ એ છે કે દરેક પિંડ અને શરીર અલગઅલગ હોય છે પણ તેના પાયામાં રહેલું તત્ત્વ, બ્રહ્મ એક જ છે.

એમ પ્રીછ્યે તું છે સાક્ષાત, અન્ય શાસ્ત્ર શમણાની વાત,
ચિત્ત કહે છે તું ધન્ય વિચાર, ત્યેં તત્ત્વસાર કીધો નિર્ધાર. ૨૭૬

એમ સમજવાથી તું તારા સ્વરૂપનો સાક્ષાત્કાર કરી શકીશ. આ સિવાયનો અન્ય શાસ્ત્રોનો વિચાર સ્વપ્નની જેમ મિથ્યા – અસત્‌ છે. ચિત્ત કહે છે : વિચાર, તું ધન્ય છે. તેં તત્ત્વનો સાર ચોક્કસ આપ્યો.

મૂલે કહ્યું ને કહ્યું વૃત્તાંત, એ માંહાં સંશે ન રહ્યો અંથ,
નિજ મા[૨૫ખ]હાતમ તાં મોટું કહ્યું, તે માંહાં કાંઈ પાછું નવ્ય રહ્યું. ૨૭૭

તેં મૂળ તત્ત્વની વાત કરી ને એમાંથી જે બ્રહ્માંડ નીપજ્યું તેનો ઇતિહાસ પણ કહ્યો. તેમાં હવે સહેજ પણ સંશય રહ્યો નથી. પોતાનું (=પોતાપણાનું, આત્મસ્વરૂપનું) માહાત્મ્ય ત્યાં ખૂબ પ્રગટ કર્યું તેમાં કંઈ હવે બાકી રહેતું નથી. પાઠચર્ચા : બીજા ચરણમાં ખ હપ્ર ‘અંથ્ય’, ચ છ જ ઝ ‘અંથ’ પાઠ આપે છે. આવા જ સંદર્ભમાં અન્યત્ર ‘અંથ’ શબ્દ વપરાયેલો મળે છે. ત્યાં તથા અહીં ‘અંથ’નો ‘સહેજ પણ’ અર્થ બરાબર બેસી જાય છે. (આ માટે જુઓ પ્રાસ્તાવિક અને પરિશીલન). ક ગ ઘ હપ્રમાં પ્રાસને કારણે ભૂલથી ‘અંથ’નું ‘અંત’ થયું લાગે છે આ કારણે મુખ્ય પ્રતનો પાઠ છોડ્યો છે. સમજૂતી : ‘અંથ’ શબ્દની અર્થચર્ચા માટે જુઓ પૃ. ૮૧

મૂલ માહાતમ તાં છે અનંત, તે પદ્ય ન રહેવાએશે એકાંત,
જે એહેવો સ્યો હું છું સાક્ષાત, ત્યમ ન રેહેવાએ એ જ ઉતપાત. ૨૭૮

મૂળનું (બ્રહ્મરૂપનું) માહાત્મ્ય તો અપાર છે. પરંતુ હંમેશાં એ સ્થિતિમાં રહેવાશે નહીં. આગળ તેં વર્ણવ્યો એવા પ્રકારનો હું જે સાક્ષાત્‌ આત્મસ્વરૂપ છું તેનાથી તેમ રહી શકાય એમ નથી એ જ મુશ્કેલી છે. પાઠચર્ચા : ત્રીજા ચરણમાં અન્ય બધી હપ્ર ‘જે એહેવો’ને સ્થાને ‘જેહેવો’ પાઠ આપે છે પરંતુ મુખ્ય પ્રતનો પાઠ ઉપર મુજબ બેસાડી શકાય છે તેથી તે છોડવાની જરૂર જણાતી નથી. વળી જુદી-જુદી હપ્ર જે ‘સોહું’ વગેરે પાઠ આપે છે એમાં ‘સો’નું ‘સ્યો’ થવા કરતાં ‘સ્યો’નું ‘સો’ થઈ જવું વધારે સ્વાભાવિક છે. ‘એહવો સ્યો’ આ પૂર્વે ૨૨૮મી કડીમાં પણ આવેલ છે.

એહનું શું કારણ છે અંગ, વિશદ કરી કહે પરસંગ,
વિચાર કહે એ વૈગુન્ય વચ્ચે, જૈ તુજને તાં બહુ ભોગ જ રુચ્ચે. ૨૭૯

એનું કારણ શું છે તેનો સંદર્ભ સ્પષ્ટ કરીને, ભાઈ, કહે. વિચાર કહે છે : તું એ નિર્ગુણ સ્થિતિમાં હોય છે તે દરમ્યાન તને ભોગ બહુ ગમે છે.

ભોગ રુચે તે માંહે મોહો માટ્ય, તોરા પુત્ર જ પાડે છે વાટ,
અત્યાર લગી જે કહી મ્યેં વાત, તે તારું કારણ કહ્યું સાક્ષાત. ૨૮૦

અને તને ભોગ ભોગવવા ગમે છે તે તારામાં મોહ છે માટે. તારા પુત્ર જ તને લૂંટે છે. અત્યાર સુધી મેં તને જે વાત કહી તેમાં તારું કારણ, તારા મૂળ રૂપે રહેલું બ્રહ્મસ્વરૂપ મેં સાક્ષાત્‌ બતાવ્યું.

પણ તું કારણ જે કારજ્ય તણું, તે વિગોવે છે તુજને ઘણું,
ચિદપણું ખોહી બેઠો જે માટ્ય, જેહેનો મોહ્યો કરે અયાટ્ય. ૨૮૧

પણ તું જે કાર્યનું કારણ છે, જેને લીધે તું તારું ચૈતન્યસ્વરૂપ ખોઈ બેઠો છે અને જેના મોહમાં (તું) નિરર્થક પ્રવૃત્તિ કરે છે, એ તને ઘણો દુઃખી કરે છે. સમજૂતી : બ્રહ્મ કારણ, ચિત્ત કાર્ય; પણ ચિત્ત કારણ, એની વૃત્તિઓ કાર્ય – એમ તર્કયુક્તિ છે.

ચિત્ત કહે છે તે સમઝાવ્ય, જે મોટું જ્યાન કરે અસંભાવ્ય,
વિચાર કહે તું છે ચિદ્રૂપ, તોરું નિદાન તાં છે અનુપ. ૨૮૨

ચિત્ત કહે છે : અસંભાવ્ય સ્થિતિ જે મોટું નુકસાન કરે છે તે મને સમજાવ. વિચાર કહે છે : તું ચૈતન્યરૂપ છે. તારું જે મૂળ કારણરૂપ છે તે તો અનુપમ છે.

તું અતિ મોટો ને અતિ આધીન, [૨૬ક] કામ ક્રોધ આગલ્ય તું દીન,
કાહાવે તોરા પણ છે તત્ત્વથી, પણ અમલ કરે તોરા સત્ત્વથી. ૨૮૩

તું એ રીતે અતિશય મોટો છે તો બીજી બાજુથી અતિશય ઊતરતો પણ છે. (પણ) કામ, ક્રોધની પાસે તું લાચાર છે. એ તારા કહેવાય છે પણ એમનું અસ્તિત્વ તત્ત્વથી છે (?). પણ તારા સામર્થ્યથી જ એ પ્રવૃત્ત થાય છે.

સેવક તોરા પણ ઠગે છે તુંને, પણ તું ન જાણે જે ઘાયક કને,
તાહરે એહેને સંમંધ આકરો, વિજોગ પડે તો બેહુએ મરો. ર૮૪

(એ) તારા સેવક છે પણ તને છેતરે છે. તું જાણતો નથી કે તારા ઘાતક તારી પાસે જ છે. તારે અને એને દૃઢ (ન છૂટે તેવો) સંબંધ છે. વિયોગ થાય તો બંને મૃત્યુ પામો.

કામ ક્રોધ મદ મછર પ્રાઇ, તુજ મરતે એકે મરી જાઇ,
તું જીવ્યે એ જીવે ખરા, અન્યોઅન્યે સંમંધ આકરા. ૨૮૫

કામ ક્રોધ, અભિમાન ઈર્ષ્યા તારા મરવાથી એ દરેક ચોક્કસ મરી જાય છે. તારા જીવવાથી એ જીવે જરૂર. એ રીતે તમારા બંનેના સંબંધ બહુ દૃઢ છે.

જ્યમ ચકમક માંહેથી નીકલે આગ્ય, જો તેહેને ન મલે વલગવા જાગ્ય,
તો કાંઈ ન થાએ અગ્નિ એકલે, તતક્ષણ પાછો થાએ વિલે. ૨૮૬

જેમ ચકમકમાંથી અગ્નિ નીકળે પણ તેને વળગવા માટે કોઈ જગ્યા ન મળે તો અગ્નિથી કંઈ થઈ શકે નહીં. તરત જ તે પાછો ઓલવાઈ જાય.

તે જો કફને વલગી જાઇ, તો જીવે ને પોઢેરો થાઇ,
એ તો માયાકાલ ચકમક આથડે, ત્યારે માહાઅગ્નિ માંહાંથાં ફૂલ તે પડે. ૨૮૭

તે જો જામગરીને વળગી જાય તો જીવે અને મોટો – વિસ્તૃત થાય. માયા અને કાલરૂપી ચકમક આથડે – ઘસાય છે ત્યારે મહાઅગ્નિમાંથી તણખા પડે છે.

તે ચૈતન નિરાલું ચિત્ત, કામ ક્રોધ કફ તે ભૂતનું વિત્ત,
તેણે વલગો વાધે અનંત, શે[૨૬ખ]ષનાગ વૈકુંઠ પરજંત. ર૮૮

ચિત્ત, તે ચૈતન્ય તો નિરાળું અલગ છે. કામક્રોધરૂપી જામગરી તે પંચમહાભૂતની સંપત્તિ છે. એ કામ-ક્રોધરૂપી જામગરીને વળગીને તે અગ્નિ (માયાકાલનો અગ્નિ) ખૂબ વધે છે. શેષનાગ (પાતાળ)થી વૈકુંઠ (સ્વર્ગ) સુધી એ વિસ્તરે છે.

શુચિ અશુચિ વસ્તુને ચરે, ઇંદ્રી વિષે સરસો પરવરે,
અસંભાવના ઊપજે ત્યાંહે, વિપરીત્ય ભાવના શું અવઘાઇ. ૨૮૯

એ અગ્નિ પવિત્ર અને અપવિત્ર બધા પદાર્થોનું ભક્ષણ કરે છે અને ઇન્દ્રિયોમાં એ એકરૂપ થઈને રહે છે. ત્યાં અસંભાવના ઊપજે છે અને વિપરીત ભાવનામાં ડૂબવાનું થાય છે.

ચિત્ત કહે એ તો મોરું મૂલ લક્ષણ કહ્યું, પણ મહાજ્ઞાન જ્યારે ઊપજી ગયું,
તે ઘટનો મુજ કહે ઉકેલ, ત્યાંહે ચિત્તનો એહેવો જ હોએ ખેલ. ૨૯૦

ચિત્ત કહે છે : એ તો તેં મારું મૂળ લક્ષણ કહ્યું. પણ જ્યારે મહાજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે એ મહાજ્ઞાનનું પાત્ર બનનારની શી સ્થિતિ હોય છે તે તું મને સમજાવ. ત્યાં પણ (મહાજ્ઞાનને પાત્ર બનનાર) ચિત્તનો એવો જ ખેલ હોય છે? સમજૂતી : આ તો ચિત્તનું સામાન્ય લક્ષણ. પણ જે જ્ઞાની-બ્રહ્મજ્ઞાની છે તેનું શું? આ પછી એમાં અધિકારભેદે જુદાં પરિણામ નીપજે છે એમ બતાવ્યું છે.

વિચાર કહે ઊપજ્ય માંહાં જુક્તિ, સાંભલ્ય તેહેની કહું છું વ્યક્ત,
જ્યમ સ્વાતબુંદ અહીને મુખ્ય પડે, તેહેનું હલાહલ થૈ નીમડે. ૨૯૧

વિચાર કહે છે : ઉત્પત્તિમાં – પરિણામમાં જે યોજના કામ કરે છે તે હું તને પ્રગટ કરીને કહું છું તે તું સાંભળ. જેમ સ્વાતિબિંદુ સાપના મુખમાં પડે તો તે હળાહળ વિષ રૂપે પરિણમે –

શીપ્યે પડ્યું મુક્તાફલ થાઇ, તે વડે સહુ જક્ત સરાઇ,
ત્યમ જ્ઞાનને તું એણી પેર્ય જાણ્ય, જુક્તિ કહું તે ઉર માંહાં આણ્ય. ૨૯૨

અને છીપમાં પડે તો મુક્તાફળ થાય ને તેના વડે આખું જગત ખુશ થાય. તેમ જ્ઞાનનું એ પ્રકારે બને છે તેમ તું જાણ. મેં તને આ જે યોજના સમજાવી તે તારા લક્ષમાં રાખ.

એમ સમઝ્ય તું ચિત્તરાજાન, તાહારે ત્યાંહાં મુખ્ય બે પરધાન,
ડાબો મોહ ને જ્યમણો વિવેક, બેહુનાં લક્ષણ જુજુઆં છેક. ૨૯૩

ચિત્તરાજા, તું એમ સમજ. તારે ત્યાં મુખ્ય બે પ્રધાન છે – ડાબો મોહ અને જમણો વિવેક. બંનેનાં લક્ષણ સાવ જુદાં જુદાં છે.

પ્રવૃત્તિ નિવૃત્તિ બેહુ સ્ત્રી તુજ[૨૭ક] તણી, એક એકને સંતતિ ઘણી,
કામ ક્રોધ લોભ મોહો મછર, માઇ, ઈરષા મમતા આશા પ્રાઇ. ૨૯૪

પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને તારી સ્ત્રીઓ છે. દરેકને ઘણાં સંતાન છે. જેમકે, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, માયા (?), ઈર્ષ્યા, મમતા, આશા –

છે ઘણાં પણ કહું છું સંક્ષેપ, એ સઘલો પ્રવૃત્તિ આક્ષેપ,
વિવેક વિચાર સંજ્યમ ને શાંત્ય, સાહસ સત્ય સંતોષ અચ્યંત. ૨૯૫

– એ ઘણાં છે પણ સંક્ષેપમાં કહું છું – એ બધો પ્રવૃત્તિનો વિસ્તાર છે. વિવેક, વિચાર, સંયમ, શાંતિ, સાહસ (હિંમત, ધૈર્ય), સત્ય, ઘણો સંતોષ –

એ આઘે દેઈ છે તાં બહુ, નિવૃત્તિકુટુંબ હું કેટલું કહું,
વામ અંગે જો આવે જ્ઞાન, તે સ્થલ્ય તાં છે મોહો પરધાન. ૨૯૬

– વગેરે ઘણાં સંતાનો છે. એ નિવૃત્તિનું કુટુંબ હું કેટલું કહું? જો ડાબે અંગે – ખોટે માર્ગે જ્ઞાન આવે તો ત્યાં મોહ પ્રધાન રહેલો છે એમ સમજવું. સમજૂતી : ‘દાય’ એટલે વારસો પરથી ‘દેઈ’ શબ્દ આ અર્થમાં આવ્યો હશે? કે સં. દેહજ (=સંતાન) પરથી? કે દેશ્ય દઇઅ કે દઇય (રક્ષિત, પાલિત) પરથી?

ત્યાંહાં જ્ઞાન ભોગવે પ્રવૃત્તિ વડે, તે નિવૃત્તિ માંહાં હીંડતો આખડે,
ઊપજે જ્ઞાન જે દખ્યણ અંગ્ય, ત્યાંહાં મંત્રી છે વિવેક સુચંગ. ૨૯૭

પ્રવૃત્તિની મદદ વડે જે જ્ઞાનને ભોગવે છે તે નિવૃત્તિમાં ગતિ કરી શકતો નથી. જમણા અંગમાં – સાચે માર્ગે જો જ્ઞાન ઉત્પન્ન થાય તો ત્યાં વિવેક સારો મંત્રી છે

.

વિવેક તણી નિવૃત્તિ છે માઇ, તે તાં મારગ લેઇ જાઇ,
વિવેક વડે જે છે નિજભોગ, તે શોભે અદભુત અમોઘ. ૨૯૮

નિવૃત્તિ વિવેકની મા છે. તે (તેને યોગ્ય) માર્ગે લઈ જાય છે. વિવેક વડે જે આત્માનુભવ થાય છે તે અદ્‌ભુત અને અમોઘ હોય છે.

ચિત્ત કહે એ તું કહે વિચાર, પ્રાપત્તિ માંહાં કાંઈ સાર અસાર,
વિચાર કહે એહનું સુણ્ય દ્ર[૨૭ખ]ષ્ટાંત, જ્યમ ખેચર ભૂચર છે બેહુ જંત. ૨૯૯

ચિત્ત કહે છે : વિચાર, તું એ કહે કે આ બંને પ્રકારની પ્રાપ્તિમાં શું સાર-અસાર છે? વિચાર કહે : એનું દૃષ્ટાંત સાંભળ. જેમ ખેચર ભૂચર બંને પ્રકારના જીવ હોય છે –

ભૂચરને જો આવે પંખ, પણ ઊડી ન શકે તેહેવો નિઃશંક,
ખેચર જેહેવી ગગન ગતિ કરે, ભૂચર તેહેવો ન સંચરે. ૩૦૦

ભૂચર (જીવ)ને જો પાંખ આવે તોપણ તે તેટલો ઊડી ન શકે એ વાત નિઃશંક છે. ખેચર (જીવ) જેવી આકાશમાં ગતિ કરી શકે તેવી ગતિ ભૂચર(જીવ) આકાશમાં કરી ન શકે.

ચિત્ત કહે છે જ્યારે ગગન ગત્ય થઈ, ત્યારે ભૂઉપાધિ ભૂ ઉપર્ય રહી,
તો ભોગવણી માંહાં શો ભેદ, એ સંશેનો કર્ય ઊછેદ. ૩૦૧

ચિત્ત કહે છે : જ્યારે આકાશમાં ગતિ થઈ ત્યારે પૃથ્વી પર જે ઉપાધિઓ વળગેલી હતી તે પૃથ્વી પર રહી. તો અનુભવમાં ભેદ શો રહ્યો એ સંશયને દૂર કર. સમજૂતી : આગળની કડીમાં ભૂચરને પાંખ આવે તો પણ એ ખેચરના જેવી ગતિ આકાશમાં ન કરી શકે એમ કહેવામાં આવ્યું હતું તે જોતાં અહીં ચિત્તનો પ્રશ્ન એવો જણાય છે કે અહીં ભૂચરને પાંખ આવતાં તે ગગનમાં ગતિ કરે છે, તેની પૃથ્વી પરની ઉપાધિ (મર્યાદા વગેરે) પૃથ્વી પર જ રહે છે તો પછી એના અને ખેચરના અનુભવમાં શો ભેદ રહે છે?

વિચાર કહે જે ભૂ-અધ્યાસ, થૈ ન શકે તે ખરો નિરાસ,
ગુરુ વડે પાંખ આવે તે ખરી, તે ઊડે પણ પડે ભૂ ફરી. ૩૦૨

વિચાર કહે છે : પૃથ્વી પરના અધ્યાસો જે એને હોય છે તેને ખરેખર દૂર ન કરી શકાય. ગુરુની મદદથી તેને પાંખ આવે ખરી, તે ઊડે પણ ખરો પણ પૃથ્વી પર જ પાછો પડે છે. પાઠચર્ચા : ૨. ખ ‘ખરો’ને સ્થાને ‘તેહવો’ ઘ ચ છ જ ઝ તેહેવો; ૩. ક આવી. ૪. છ જ ઝ ‘પડે’ને સ્થાને ‘આવે.’ સમજૂતી : ભૂચરને પાંખ આવે ત્યારે એ ઊડે તો ખરું પણ આકાશમાં નિરંતરાય ગતિ કરી શકતું નથી. પૃથ્વી પર પાછું પડે છે. કેમકે એના ભૂચર તરીકે અધ્યાસો દૂર થયા હોતા નથી. એ જ રીતે વામજ્ઞાનીને ગુરુની મદદથી જ્ઞાન તો આવે, પણ એના અધ્યાસો દૂર ન થયા હોવાથી અધ્યાત્મમાર્ગે એની ગતિ થતી નથી. અખાજીના દૃષ્ટાંતનો આ મર્મ છે.

ત્યમ વામજ્ઞાની મોહોદ્વારા તણો, વાતે વિશેષે ચાલે ઘણો,
પણ તનમનસુખ તે પ્રવૃત્તિસંગ્ય, નિવૃત્તિ-આકાશ શું નો હોઇ રંગ. ૩૦૩

તેમ મોહને માર્ગે ચાલનાર વામજ્ઞાની (જ્ઞાનીની) વાત તો ઘણી કરે છે, પણ તે પ્રવૃત્તિમય રહીને તનમનનું સુખ ભોગવે છે. નિવૃત્તિરૂપી આકાશ સાથે એને સ્નેહ નથી હોતો.

વિવેક વડે જે છે જ્ઞાન, ચિદાકાશ માંહાં તેહેનું ધ્યાન,
વરતણ્ય માત્ર આવે દેહ ભણી, પણ સુરતિ રહે ચિદ માંહાં તે તણી. ૩૦૪

વિવેકપૂર્વકનું જ્ઞાન જેને છે તેનું ધ્યાન ચૈતન્યરૂપી આકાશમાં હોય છે તેનો માત્ર વ્યવહાર કે વ્યાપાર દેહનો હોય છે પણ તેની વૃત્તિ કે લગની તો ચૈતન્યસ્વરૂપમાં જ હોય છે. સમજૂતી : ચિત્તની પ્રવૃત્તિ-નિવૃત્તિ રાણીઓ અને એનાં મોહ-વિવેક સંતાનો. તે પરથી અખાજી જ્ઞાનીના બે વર્ગ પાડવા સુધી ગયા છે. પ્રવૃત્તિ કે મોહથી પ્રેરાયેલા જ્ઞાનીઓ તે વામજ્ઞાની. એમની પાસે ગુરુ પાસેથી મેળવેલું જ્ઞાન છે, પણ ચિદાકાશમાં એમની ગતિ નથી. એ જ્ઞાનનો ઉપયોગ ખોટે માર્ગે કરે છે. નિવૃત્તિભાવ કે વિવેકયુક્ત જ્ઞાની તે દક્ષિણ જ્ઞાની. તેઓ સંસારમાં રહે છે છતાં એમની વૃત્તિ ચૈતન્યમય-બ્રહ્મમય હોય છે. આ સંદર્ભમાં અખાજીના છપ્પાનું દશવિધ જ્ઞાની અંગ જોઈ શકાય. ત્યાં જ્ઞાનીના દસ પ્રકારો છે. શુકજ્ઞાની, જ્ઞાનદગ્ધ, વિતંડજ્ઞાની, જ્ઞાનખળ, નિંદકજ્ઞાની, ભ્રમજ્ઞાની, હઠજ્ઞાની, શઠજ્ઞાની, શૂન્યવાદી અને શુદ્ધજ્ઞાની. એમાં એક બાજુ શુદ્ધ-જ્ઞાની છે ને બીજી બાજુ બાકીના નવ પ્રકારના જ્ઞાનીઓ છે, જે અખાજીને ઇષ્ટ નથી. જ્ઞાનખળ એટલે ખલજ્ઞાનીની વાત અહીં હવે પછી કડી ૩૪૭–૪૯માં થયેલી છે.

તે માટે દ્વારા માંહાં ફેર, લૂખી દ્રષ્ટ્યે [૨૮ક] ન ટલે અંધેર,
મુક્તિ લગી છે એક જ વાટ, પણ વિવેકી ચાલે નિરાટ. ૩૦૫

તેથી ફેર સાધનનો – માર્ગ છે. નિસ્તેજ દૃષ્ટિથી અંધકાર દૂર ન થાય. મુક્તિ સુધીનો એક જ માર્ગ છે. ત્યાં વિવેકી એકલો – સ્વતંત્રપણે ચાલ્યો જાય છે. પાઠચર્ચા : ખ ઘ ચ છ જ ઝ અ બ હપ્રમાં ‘ન’ નથી પરંતુ અર્થદૃષ્ટિએ તે પાઠ સંગત નથી.

ચિત્ત કહે વિવેક તણું બલ કશું, જ્યમ દીપધામ દીપક માંહાં વસું,
તે દીવો માહાતેજ્યે ભલ્યો, ત્યારે ટાલવા કોણ ને સ્યાથો ટલ્યો. ૩૦૬

ચિત્ત કહે છે : વિવેકનું બળ કેટલું? દીવામાં દીવાનો પ્રકાશ રહેલો હોય છે, તે દીવો મહાતેજમાં ભળે ત્યારે શું ટળ્યું અને શામાંથી ટળ્યું? (એટલે કે કશું ટળ્યું નથી.)

વિચાર કહે ઊંડો સ્થલ એહ, જ્યાંહાં ન મલે દેહી ને દેહ,
તેહેવા થકાં ભોગવણી અલગ, દ્રષ્ટાંત વડે સમઝીએ સલગ. ૩૦૭

વિચાર કહે છે : જ્યાં દેહી (આત્મા) અને દેહ (અલગ) ન હોય તે ઊંડા અનુભવનો પ્રદેશ છે. તે એવા હોવાથી (દેહી અને દેહ અલગ ન હોવાથી) એ અનુભવ જુદો હોય છે. એ બંને સંલગ્ન એટલે કે એકરૂપ છે તે આપણે દૃષ્ટાંતથી સમજીએ.

જે પારદ ઔષધિ વડે મરે, તે નૈરાશી નીમડ્યે જ સરે,
તેહેના પરાક્રમ હોએ અમોઘ, જે અનુભવે તે થાએ અરોગ. ૩૦૮

જે પારો ઔષધિ (દવા) વડે મરે (અશુદ્ધિરહિત બને) તે અંતે નિરાશી (આશા – આસક્તિરહિત) જ નીવડે. તેનાં પરાક્રમ અમોઘ હોય છે. જે અનુભવે તે રોગ વિનાનું થાય. સમજૂતી : અહીં વિવેકજ્ઞાની – ખરા જ્ઞાનીની ગતિ બતાવવા પારાનું દૃષ્ટાંત લેવામાં આવ્યું છે. કાચો પારો આરોગ્યને હાનિકારક છે. એ વિષ ગણાય છે, પણ શુદ્ધ પારાના ઘણા ગુણ છે. અશુદ્ધ રૂપે મળી આવતા પારા ઉપર ઘણી ઔષધપ્રક્રિયાઓ કરવામાં આવે છે, જેનાથી પારાનું સ્વરૂપાંતર થાય છે. આ પ્રક્રિયાઓને સંસ્કાર કહેવામાં આવે છે. આવા આઠ કે અઢાર સંસ્કારો – શોધન, બંધન વગેરે વર્ણવાયેલા મળે છે. એમાં એક મારણ સંસ્કાર પણ છે. આ સંસ્કારથી પારાની અશુદ્ધિઓ ગળાય છે. સામાન્ય પારાની ગોળી બનાવવી ઘણી અઘરી છે. એ ગોળી બનાવી શકાય ત્યારે એ બાંધ્યો પારો કહેવાય. આવી ઔષધપ્રક્રિયા પામેલો પારો સંપૂર્ણ શુદ્ધ બને છે ત્યારે એ સિદ્ધ પારો કહેવાય છે. સિદ્ધ પારો પ્રચંડ અગ્નિમાં પણ ટકી શકે છે. આવા પારાનાં ચમત્કારક પરિણામો હોય છે – એ લેવાથી આકાશમાં ઊડી પણ શકાય છે. આ અને પછીની કડીઓમાં પારાના આ સંસ્કારો અને એના ગુણોનો નિર્દેશ છે. ઔષધપ્રક્રિયાથી મરેલા પારાને અહીં ‘નિરાશી’ બનેલો કહેવામાં આવેલ છે. નિરાશી એટલે આશા, અપેક્ષાથી પર. એ વિષેશણ સજીવ વ્યક્તિને લાગે, પારાને નહીં. તેથી અહીં તેનો રૂપકાત્મક અર્થ અભિપ્રેત છે એમ માનવું જોઈએ.

ગોટયકા કેરી નીપજ્ય થાઇ, તો સ્વર્ગ મૃત્યુ પાતાલે જાઇ,
મૂઆ પછી બહુ પરાક્રમ કરે, ત્યમ પ્રગન્યાવંતની સુરતિ સંચરે. ૩૦૯

આવી ઔષધપ્રક્રિયાથી પારાની ગોળી બને. પછી એની ગતિ સ્વર્ગ, મૃત્યુ, પાતાલે બધે જ હોય છે. મર્યા પછી એ અનેક કાર્યો કરી શકે છે. આ જ રીતે પ્રજ્ઞાવંતની (જ્ઞાનીની) વૃત્તિ બધે પહોંચે છે. સમજૂતી : પ્રક્રિયા કરેલી પારાની ગોળીની સાથે પ્રજ્ઞાવંતને સરખાવેલ છે. એ પારાની ગતિ જેમ અસાધારણ હોય છે તેમ દેહભાવથી પર થયેલી (મરી ગયેલી) અને આશામુક્ત થયેલી જ્ઞાની વ્યક્તિની ગતિ પણ એવી જ હોય છે.

તેહ જ પારદ ગંધક વડે થાઇ, તે દીસે નીપનો પણ અંતર્ય મૂરછાઇ,
થોભે નહીં અગ્નિને પાસ, કર્યો-કારવ્યો થાએ નાશ. ૩૧૦

તે જ પારા ઉપર ગંધકની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કશુંક નીપજતું દેખાય છે પણ તેનું આંતિરક સત્ત્વ નિષ્ક્રિય બની જાય છે. અગ્નિના સ્પર્શથી તે ટકી શકતો નથી. કર્યુંકારવ્યું બધું નાશ થાય છે. સમજૂતી : ગંધક જલદી સળગી ઊઠે એવો પદાર્થ છે. એના સંયોગથી પારો પણ સળગી ઊઠે, અગ્નિ પાસે ટકી ન શકે. જ્વાલામુખીના અગ્નિમાં ગંધક-પારાનું મિશ્રણ હોય છે. અહીં એવી કોઈ પ્રક્રિયા અભિપ્રેત છે જેમાં પારામાં ગંધકનું તત્ત્વ રહે છે. એ પારો પ્રક્રિયા પામેલો છે, પણ એનું આંતરિક સત્ત્વ મૂર્છિત થઈ ગયું હોય છે. વિવેક વગરના જ્ઞાનને આવા પારા સાથે સરખાવે છે. એ જ્ઞાન છે પણ એમાં જ્ઞાનનું ખરું સત્ત્વ નથી.

વિવેક વિના તે[૨૮ખ] એહવું જ્ઞાન, રસ થઈ વરતે નહીં નિદાન,
ચિત્ત કહે પરાકાષ્ઠા સૂચવી વાત, જેહેવું હૂંતું તેહવું સાક્ષાત. ૩૧૧

વિવેક વિનાનું જ્ઞાન આવું હોય છે. તે રસરૂપ થઈને પ્રવર્તતું જ નથી. ચિત્ત કહે છે : છેક સુધીની તેં વાત કહી. એમાં જેવું હતું તેવું પણ સાક્ષાત્‌ રૂપ હતું – સમજૂતી : આમ તો પારો એટલે રસ. પણ અહીં પારાની આગળ વર્ણવાયેલી અનેક ગુણવાળી જે સ્થિતિ તે રસસ્થિતિ એવો સંદર્ભ જણાય છે. વિવેક વિનાનું જ્ઞાન એવી સ્થિતિએ પહોંચી શકતું નથી.

પણ રસ થયાનો સ્યો વિશેષ, તેહેનો અધિકો કર્ય વિવેક,
વિચાર કહે રસ થયાનું એ એંધાણ, દેહ છતે ટલે દ્વૈતનું ભાન. ૩૧૨

પણ રસ થવામાં શું વિશેષતા છે? તેની વધારે સમજણ આપ. વિચારે કહ્યું : દેહ હોવા છતાં દ્વૈતનું ભાન ન રહે એ રસ થયાનું નિશાન છે. સમજૂતી : ત્રીજા ચરણમાં ‘રસ’ શબ્દ રૂપકાત્મક અર્થમાં છે એમ માનવું જોઈએ.

દેહારામી તે તાંહાં ન હોઇ, જેહેની સુરતિ ચૈતન્યમે હોઇ,
જ્ઞાનભરૂંસે પોષે દેહ, ઊથાનદશાને પામે તેહ. ૩૧૩

જેની વૃત્તિ ચૈતન્યમય હેાય છે તે દેહભાવવાળો (દેહસુખ માણનારો) હોતો નથી. જ્ઞાનમાં વિશ્વાસપૂર્વક જે દેહનું પોષણ કરે છે તે ઉન્નતદશાને પામે છે. પાઠચર્ચા : ચોથા ચરણમાં ઘણી હપ્ર ‘ન’ કે ‘નવ્ય’ શબ્દ વધારાનો આપે છે, જેનાથી અર્થ ઊલટો જ થઈ જાય છે. અહીં જ્ઞાનમાં વિશ્વાસ ધરાવતી વ્યક્તિનું વર્ણન છે. તેથી એનું દેહના સુખ પ્રત્યે લક્ષ નથી. પણ એ દેહને માત્ર ટકાવી રાખે છે એવું તાત્પર્ય જણાય છે તેથી એવી વ્યક્તિ ઉત્થાનદશાને પામે એવી ઉક્તિ વધારે સાચી જણાય છે.

ચિત્ત કહે વાત મૂઆની જીવતે કહી, તે તે હું ક્યમ રાખું સહી,
જ્યમ સ્વપ્નસાખ્ય દેવા નહીં કોઈ, એહવું સરખું એ ત્યાંહાં હોઈ. ૩૧૪

ચિત્ત કહે : (તેં) મૂવાની વાત જીવતાં જ કહી તે હું કેવી રીતે સાચી માનું? જેમ સ્વપ્ન સાક્ષી આપવા કોઈ નથી એના જેવું આ થયું.

વિચાર કહે સાંભલ્ય, ચિત્તભૂપ, હું જ્યાંહાં રહ્યો કહું છું તે અનુપ,
જે મુજપણું રાખી બોલું હું, તો તો કહેજે જીવતો તું. ૩૧૫

વિચાર કહે છે : ચિત્ત રાજા સાંભળ, હું જ્યાં રહીને કહું છું તે સ્થિતિ અનુ૫મ છે. મારાપણું રાખીને હું બોલું તો તું મને જીવતો કહેજે. સમજૂતી : જીવતા છતાં મૃત્યુ પછીની વાત કેમ કરે છે તેવો પ્રશ્ન ચિત્તે કરેલો તેના જવાબમાં વિચારનો ખુલાસો ૩૧૭મી કડી સુધી ચાલે છે. તે પૂરતો સ્પષ્ટ નથી. પણ આવું સમજાય છે : વિચાર ‘મુજપણું’ રાખીને, સંસારી જીવતાપણાથી બોલતો નથી, પંડ-બ્રહ્માંડની પરની સ્થિતિથી બોલે છે. એટલે કે વ્યવહારદૃષ્ટિથી નહીં, તત્ત્વદૃષ્ટિથી બોલે છે.

પંડ્ય બ્રહ્માંડ પહરેરી રહેણ, ત્યાંહાં રહ્યો બોલું હું વેણ,
પડછંદાની જાણે પઠ્ય, જાણીજે બોલે છે[૨લ્ક] હઠ્ય. ૩૧૬

પિંડ અને બ્રહ્માંડથી પારની જે સ્થિતિ છે તેમાં રહીને હું વચન બોલું છું. જાણે કોઈ પડઘાની જેમ હઠપૂર્વક બોલે છે એમ સમજજે. પાઠચર્ચા : પહેલા ચરણમાં ક હપ્ર ‘પહેરેરી’ પાઠ આપે છે તે લેખનદોષ હોવાનો સંભવ છે. પરુંપહરું + એર + ઇ એ રીતે ‘પહરેરી’ આવે. આથી એ પાઠ સ્વાભાવિક માન્યો છે. ‘પરહરી’ જેવા પાઠ સમજફેરથી થયેલા લાગે છે.

પણ ત્યાંહાં બોલેવા સરખું નથી, એ તો તુજ ઉદ્દેશે વાણી કથી,
ચિત્ત કહે જ્યાંહાં હોએ આકાશ, ત્યાંહાંથો હોએ શબ્દપ્રકાશ. ૩૧૭

પણ ત્યાં બોલવાપણું નથી હોતું. એ તો તારે માટે જ વાણી રૂપે કહ્યું. ચિત્ત કહે છે : આકાશ હોય ત્યાં શબ્દ ઉત્પન્ન થાય.

તે માટે ઊઠે છે ઘોષ, પણ તું છે ત્યાંહાં તે સ્યો છે મોક્ષ,
વિચાર કહે જ્યાંહાં ન હોઇ આકાશ, ત્યાંહાં શબ્દે ન હોઇ ને ન હોઇ સમાસ. ૩૧૮

આકાશને કારણે ધ્વનિ ઊઠે છે. પણ તું જ્યાં છે ત્યાં કેવા પ્રકારની મોક્ષની સ્થિતિ છે? વિચાર કહે છે : જ્યાં આકાશ ન હોય ત્યાં શબ્દ (ધ્વનિ) પણ ન હોય અને કશાનો સમાવેશ પણ ન હોય. સમજૂતી : ‘સમાસ’ શબ્દ અહીં ‘સમાવેશ’ના અર્થમાં હોવાનું સમજાય છે, કેમકે આકાશ – અવકાશ હોય તો કશુંક ભરી શકાય છે. આકાશ Container છે. અખાના નીચેના છપ્પામાં પણ આ શબ્દ આ અર્થમાં જ યોજાયેલો છે :

અખા એ તાં ચિદઆકાશ, પણ પ્રાયે શબ્દનો નોહે સમાસ. ૩૧૭
માંહેબહાર ન જાયે કહ્યો, બાંધ્યોરૂંધ્યો પોતે લહ્યો.
સહેજે સહેજ ફૂલ્યું આકાશ, ઊપજે સાથે અખા સમાસ.
આગળ સગુણ નીપજતું જાય, પાછળ નિર્ગુણ થૈ ઔલે ભૂંસાય. ૫૧૫

૫૧૫મા છપ્પામાં સમાઈ જવું, વિલીન થઈ જવું એવી છાયા પણ છે પણ મૂળભૂત રીતે એ ‘સમાવેશ’નો અર્થ છે. વિચાર બ્રહ્મભાવની સ્થિતિએ – મોક્ષની સ્થિતિએ રહીને બોલે છે તેથી ચિત્ત પૂછે છે કે આ તારો કયા પ્રકારનો મોક્ષ છે? એમાં બોલવાનું કેમ રહ્યું છે? આકાશ હોય ત્યાં જ શબ્દ અને અન્ય પદાર્થોના સમાવેશને સ્થાન હોય, વિચાર જવાબમાં એમ કહે છે કે મોક્ષની સ્થિતિમાં આકાશ નથી અને આકાશ ન હોય ત્યાં શબ્દ અને અન્ય પદાર્થોના સમાવેશને સ્થાન ન હોય. એમ, હું બોલું છું ત્યારે પણ મારા લક્ષમાં છે. અખાજીની વિચારણા આ રીતે ગોઠવી શકાય છે, છતાં અભિવ્યક્તિ પૂરતી વિશદ નથી એ સ્વીકારવું જોઈએ.

બોલતાં થકાં એહેવો મુજ લક્ષ, જોવાએ તો જો માહારી ચક્ષ,
મુજ જોતાં એહવું છે સદા, તે થઈ વરતે જાએ દધા. ૩૧૯

હું બોલું છું તોપણ મારું લક્ષ આવું છે. મારી દૃષ્ટિએ તારાથી જોવાય તો જો. મારી દૃષ્ટિએ તો આ સ્થિતિ જ છે. એમ થઈને વર્તવાથી પીડા જાય છે.

ચિત્ત કહે તે થઈ વરત્યાની કેહી પેર્ય, પંડ્ય સહિત એકપણું કર્ય ધેર્ય,
વિચાર કહે સાંભલ્ય ચિત્તરાઇ, જ્યમ અપત્ય પિતાને ખંધ્યે ચઢ્યું જાઇ. ૩૨૦

ચિત્ત કહે છે : એમ થઈને વર્તવાની કઈ રીત છે? કેમકે મૂળથી જ શરીર સાથે આપણું એકપણું હોય છે. વિચાર કહે : ચિત્ત, સાંભળ, જેમ સંતાન પિતાના ખભા પર ચઢીને જાય છે –

તેહેને પૂછવી ન પડે વાટ અવાટ, થાકે નહીં ન કરે અટાટ્ય,
જોગખેમ પિતા કરે પેર્યે, જાગે ઊંઘે ૫ણ ઘેર્યનું ઘેર્ય. ૩૨૧

તેને રસ્તો છે કે રસ્તો નથી એમ પૂછવું પડતું નથી, તે થાકતો નથી. તેને નકામો શ્રમ થતો નથી. પિતા તેના પાલનપોષણની ગોઠવણ કરે છે. તે જાગે અથવા ઊંઘી જાય પણ ઘેર ને ઘેર જ (ત્યાંનો ત્યાં, જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં) રહે છે. પાઠચર્ચા : ત્રીજા ચરણમાં ખ હપ્ર ‘પેર્યે’ પહેલાં ‘રુડિ’ આપે છે તે અર્થદૃષ્ટિએ ઉપકારક છે પણ તેને અન્ય હપ્રનો ટેકો નથી. સમજૂતી : ‘પેર્યે’ શબ્દનો અન્વય અને અર્થ કેમ કરવો એ પ્રશ્ન થાય એવું છે. તેને ક્રિયાવિશેષણ ગણીએ તો ‘વિવિધ પ્રકારે યોગક્ષેમ કરે છે’ એવો અર્થ થાય. ખ હપ્રના ‘રુડિપેર્યે’ પાઠમાં આ અન્વય સ્પષ્ટ રીતે ઊઘડી આવે છે પણ એ પાઠને અન્યત્રથી ટેકો નથી. ‘પેર્યે’ શબ્દ મધ્યકાળમાં તૈયારી, જોગવાઈ, ગોઠવણ એવા અર્થમાં પણ છે. ‘મોસાળાની પેર કરો’ એમ કહેવાય. અહીં એ શબ્દ એ રીતે આવ્યો હોવાની વધુ સંભાવના છે. તેથી ‘યોગક્ષેમની પેર કરે છે’ એવો અન્વય કલ્પ્યો છે.

દેશકાલ તાં તેહેને નહીં, પિતા વરતણે વર[૨૯ખ]તણ્ય સહી,
પર્વત ચઢે કે જાએ પાતાલ, પણ રંચ આયાસ ન પામે બાલ. ૩૨૨

દેશ અને કાળ(નું ભાન) તેને હોતા નથી. પિતા જેમ વર્તે તેમ જ તે વર્તે છે. (તે પિતા) પર્વત પર ચઢે કે પાતાળમાં જાય પણ બાળક સહેજ પણ શ્રમ પામતું નથી.

એમ વસ્તુ વિષે દીઠું આપ, તેહેને નથી વચન-આલાપ,
અસંભાવના તેહેને નહીં, જેણે એહવી ગૂઢ ગત્ય ગ્રહી. ૩૨૩

એવી રીતે બ્રહ્મમાં આત્મસ્વરૂપને જોયું તેને વચન બોલવાપણું રહેતું નથી. જેણે એવી ગૂઢ ગતિ ગ્રહણ કરી છે, તેને અસંભાવના પણ હોતી નથી.

ચિત્ત કહે એ તો ગત્ય ગૂઢ, પણ તુજ વિના હું જેહેવો મૂઢ,
જ્યમ તું દેખાડે વાટ, ત્યમ હું ચાલ્યો જાઉં નિરાટ. ૩૨૪

ચિત્ત કહે છે : એ ગતિ તો ગૂઢ છે. પણ તારા વિના હું મૂઢ જેવો છું. હવે તું જેમ રસ્તો બતાવે તેમ હું એકલો – સ્વતંત્રપણે ચાલ્યો જાઉં.

જોને દેહ તાં વલગો સરખો મુને, દેહને ઇંદ્રી વલગા કેહેને,
કે ઇંદ્રીને વલગા સર્વ વિષે, તે તાં ન રહે કીધા પખે. ૩૨૫

(તું) જોને, દેહ ત્યાં મને વળગેલો જ છે. દેહને ઇન્દ્રિય વળગેલી છે. ઇન્દ્રિયને બધા વિષયો વળગેલા છે. તે (ઇન્દ્રિયો કે ઇન્દ્રિયોને વળગેલા વિષયો) કંઈ કર્યા વિના રહેતા નથી. (=પ્રવૃત્ત થયા વિના રહેતા નથી.)

કરતાં પડે શબ્દનો માર, હવે તેહેનો શો કરવો પ્રતીકાર,
વિચાર કહે સાંભલ્ય તું ચિત્ત, સત્ય વરતાવે ત્યમ તું વર્ત્ય. ૩૨૬

એ પ્રવૃત્ત થતાં મને શબ્દનો માર પડે છે. (મારે ઉપદેશવચનો સાંભળવાં પડે છે.) હવે તેનો ઉપાય કઈ રીતે કરવો? વિચાર કહે છે : ચિત્ત તું સાંભળ. સત્ય જેમ વર્તન કરાવે તેમ તું વર્તન કર. પાઠચર્ચા : પહેલા ચરણમાં ‘કરતાં પડે’ને સ્થાને ઘણી હપ્ર ‘અનેક રીતે’ પાઠ આપે છે, પરંતુ સ્વીકારેલા પાઠની જેમ આ પાઠ પણ અસ્પષ્ટ રહે છે. સ્વીકારેલા પાઠને આગળની કડીના અર્થ સાથે સંબંધ છે. સમજૂતી : પહેલા ચરણમાં શબ્દનો માર પડવાની વાત છે તેમ ૩૫૭મી કડીમાં ‘મુજને શબ્દે મારે સહુ’ એવી ઉક્તિ મળે છે તે પરથી ‘શબ્દ’ એટલે ઉપદેશવચન એમ અભિપ્રેત હોવાનું સમજાય છે. ‘શબ્દ’ આપણી સંતવાણીમાં ‘ગુરુના (વચન) શબ્દ’ તરીકે ઘણીવાર વપરાય છે. આમ છતાં આ વાત અખાજીના વિચારપ્રવાહમાં સુંદર રીતે ગોઠવાતી નથી.

સત્ય દેખાડે સૂધી વાટ, સત્ય વિના તે ન પામે ઘાટ,
સત્ય આગુઓ આગલ્ય કરે, અને તે પૂઠ્યે જો તું સંચરે. ૩૨૭

સત્ય સીધો રસ્તો બતાવે છે. સત્ય વિના કશું ઘાટ પામતું નથી. જો તું સત્યની પાછળ જાય તો આગળ ચાલતું સત્ય તને આગળ લઈ જશે.

પ્રવૃત્તિ નિવૃત્તિ ભોગવે સત્ય વડે, તો કહીંએ ભૂલો[૩૦ક] નવ્ય પડે,
સત્ય ખોહ્યું તેણે ખોહ્યું સર્વ, જ્ઞાન કથી રખે આણો ગર્વ. ૩૨૮

પ્રવૃત્તિ અને નિવૃત્તિ સત્ય વડે ભોગવે તો તું ક્યાંય ભૂલો ન પડે. જેણે સત્ય ખોયું તેણે બધું ખોયું. જ્ઞાનની વાત કહીને ગર્વ કરીશ નહીં.

ચિત્ત કહે જ્ઞાન ત્યાંહાં સત્યનું શું કામ, શું ઉત્તર દેવો છે હરિરાજાન,
વિચાર કહે રખે એ નિદ્રાએ સૂએ, કાં ધમ્યુંધૂપ્યું વાએ ખૂએ. ૩૨૯

ચિત્ત કહે છે : જ્ઞાન હોય ત્યાં સત્યનું શું કામ છે? હરિરાજા (બ્રહ્મરૂપી રાજા)ને શું જવાબ આપવાનો છે? વિચાર કહે છે : જોજે, એવી નિદ્રામાં સૂઈ જતો! શ્રમથી મેળવેલું શા માટે સહેજમાં ગુમાવે છે? સમજૂતી : અહીં ‘હરિરાજાન’ શબ્દ છે તે સંદર્ભમાં જુઓ છપ્પાની નીચેની પંક્તિ :

દર્પણ તો મુખસુખને ગ્રહે, પણ પ્રતિબિંબ તે ક્યમ બિંબને લહે?
આદર્શ સ્થાને જે નામરૂપ, અખા તે શું લહે સત્ય હરિભૂપ?

આમાં ‘હરિભૂપ’ને સત્ય (સત્યસ્વરૂપ) કહ્યાં છે તે પણ નોંધપાત્ર છે તો અહીં ‘ચિત્તવિચારસંવાદ’માં પણ ‘હરિરાજાન’ એટલે સત્યસ્વરૂપ હરિરાજા અભિપ્રેત હોઈ શકે. ‘ધમ્યુંધૂપ્યું’ એટલે ધમણથી તપાવેલું. વાયુથી એ ઠંડું પડી જાય. આ કહેવતરૂપ પ્રયોગ છે અને અખાજીમાં અન્યત્ર પણ પ્રયોજાયેલ છે :

દેહનું કૃત્ય તે દેહ લગે, જાયે ધમ્યુંધૂપ્યું વાય (પદ ૧૭૪/૮).
ધમ્યુંધૂપ્યું વાય, અખા અંતે જાયે સહી (અખાની વાણી, ૨૩૮).
ઘણા ચૂકે ઘાત, ધમ્યુંધૂપ્યું વાએ વટે (અખાની વાણી, ૨૪૫).
એ ઉપર્ય તુજ કહું દ્રષ્ટાંત, જો સમઝેશ નો નીપજેશ સંત,
જ્યમ કો હોએ મોટો માહારાજ, તે અંધ થકો કરતો હોય રાજ. ૩૩૦

એ ઉપર તને એક દૃષ્ટાંત કહું. જો સમજીશ તો સંત થઈશ. જેમ કોઈ મોટો મહારાજા હોય અને અંધ હોવા છતાં રાજ્ય કરતો હોય –

તેહેની પરજા હોએ માહા દુઃખી, ચક્ષુહીણ છે જેહેનો મુખી,
તે નેત્રવિહૂણો ન્યાય ક્યમ કરે, મંત્રીનું ગમતું આચરે. ૩૩૧

જેનો મુખી ચક્ષુ વિનાનો હોય તેની પ્રજા ખૂબ દુઃખી હોય. તે આંખ વિનાનો રાજા ન્યાય કેવી રીતે કરે? મંત્રીને જ ગમે તેવું તે આચરણ કરે.

મોહો આદ્યે દેઈ કામ ક્રોધ, એહવા પરધાન તણો તુજ બોધ,
તેણે કરી વણસે તુજપણું, તે માટે તુંને કહું છું ઘણું. ૩૩૨

તે રીતે મોહ, કામ, ક્રોધ વગેરે સંતાનો તારા પ્રધાન છે, તેમના તરફથી તને બોધ – માર્ગદર્શન મળે છે. તેને લીધે તું તારાપણું ગુમાવે છે માટે તને આ બધું કહું છું. સમજૂતી : ‘દેઈ’ શબ્દ માટે જુઓ ૨૯૬મી કડીની સમજૂતી.

ચિત્ત કહે છે સાંભલ્ય વિચાર, મુજ સાથે એહેનો અવતાર,
તો મુજથી ક્યમ અલગા થાઇ, જ્યમ દીપક માંહાં તેજ ચાલ્યું જાઇ. [૩૦ખ] ૩૩૩

ચિત્ત કહે છેઃ વિચાર સાંભળ. મારી સાથે જ તેનો જન્મ થયો છે, તો એ મારાથી કેવી રીતે જુદા થાય? જેમ દીવામાં તેજ પ્રવર્તે છે (તેમ તે મારી સાથે જોડાયેલા હોય છે.)

વિચાર કહે સાંભલ્ય ચિત્ત ભૂપ, એ જ દ્રષ્ટાંતનું તુજ દેખાડું રૂપ,
જ્યમ સુભાવ્યે દીપક માંહાં તેજ, ત્યમ તુજ માંહાં વિષેનું હેજ. ૩૩૪

વિચાર કહે છે : ચિત્તરાજ સાંભળ. એ જ દૃષ્ટાંતનું રૂપ તારી આગળ સ્પષ્ટ કરું. જેમ સ્વભાવથી જ દીવામાં તેજ રહેલું છે તેમ તારામાં વિષય પ્રત્યે આસક્તિ છે.

તે સેહેજ દીપ કરે ઉદ્યોત, તે તો સુખકર હોએ જોત્ય,
તેહે જ દીપ જ્યારે પરસે ત્રણ, ત્યારે દુઃખકર હોએ આચર્ણ. ૩૩૫

તે દીવો સહજ રીતે પ્રકાશ કરે છે ત્યારે દીવાની જ્યોત સુખકર હોય છે (પણ) તે જ દીવો જ્યારે તૃણને સ્પર્શે છે ત્યારે તેનું આચરણ દુઃખ ઉપજાવનારું બને છે.

જ્યમજ્યમ જ્વાલા વાધે બહુલ, ત્યમત્યમ આવે સ્નેહનું મૂલ,
કરણ-સુભાવ શબ્દની વૃત્ત્ય, એટલે જ રહે તો વાધે નહીં કૃત્ય. ૩૩૬

જેમજેમ જ્વાલા (જ્યોત) વધારે ને વધારે થાય તેમતેમ તેલનું તળિયું આવે છે (=ખલાસ થાય છે). શબ્દ એટલે અવાજ (સાંભળવાની) વૃત્તિ એટલે કે વ્યાપાર તે કાનનો સ્વભાવ છે. ત્યાં સુધી જ એ રહે તો કર્મ વધે નહીં. સમજૂતી : ‘સ્નેહનું મૂલ આવે’ એટલે દીવાનું જે તેલ હોય તેનું તળિયું આવે. એટલે કે ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થાય એમ તાત્પર્ય જણાય છે. ‘શબ્દની વૃત્ય’ને ‘શબ્દની વૃત્ય’ તરીકે પણ ઘટાવી શકાય. પણ એનો કશો અર્થ થતો નથી, ને ૩૨૬, ૩૫૭મી કડીમાં ‘શબ્દ’ ‘ઉપદેશ’ના અર્થમાં હોવાનું સમજાય છે તેથી અહીં ‘નિવૃત્તિ’ શબ્દ માની અર્થ કર્યો છે, જોકે એ પણ ઝાઝો સંતોષકારક નથી. જુઓ ૩૨૬મી કડીની સમજૂતી.

ત્વચા સ્પર્શ જાણે તો ખરો, પણ અધિકો આદર તે સ્યાહાનો કરો,
નેત્ર જુએ સુભાવે રૂપ, ૫ણ તાણ્યો તેહેનો પડે છે કૂપ. ૩૩૭

ત્વચાથી સ્પર્શનો અનુભવ કર, પણ તેનો વધારે આદર શા માટે કરે છે? આંખ પોતાના સ્વભાવથી રૂપ જુએ છે પણ એનાથી ખેંચાયેલો તું કૂવામાં પડે છે.

રસના રસ જાણે તે ખરી, પણ દુઃખ પામે છે અત્ય આદરી,
નાસા વિષે જાણે ખરો ગંધ, પણ આદર કર્યે વાધે છે ધંધ. ૩૩૮

જીભથી રસનો અનુભવ થાય તે બરાબર છે પણ તેનું વધારે સેવન કરવાથી તું દુઃખ પામે છે. નાસિકા ગંધનો વિષય અનુભવે છે તે ખરું પણ તેને વધારે મહત્ત્વ આપવાથી ઉપાધિ – આપત્તિ વધે છે.

સ્વાભાવિક હોએ જેટલો તેટલે રહે તે નિવૃત્ત્યસુખ પામે ભલો,
પણ તુજને તે વધાર્યા ગમે, વ[૩૧ક]લતા વિષે તે તુજને દમે. ૩૩૯

ઇન્દ્રિયોનો વ્યાપાર જેટલો સ્વાભાવિક કક્ષાએ રહેશે તેટલું તું નિવૃત્તિસુખ પામીશ. પણ તને તો તે વધારવા ગમે છે. તેથી પછી વિષય તને હેરાન કરે છે.

ચિત્ત કહે મુને તે કેહે વાત, દુઃખરહિત જ્યમ રહ્યું સાક્ષાત,
વિચાર કહે મરતકવત્‌ થાઇ, એહેવા થકા જ્યમ રેહેવાઇ. ૩૪૦

ચિત્ત કહે છે : દુઃખરહિત જે સાક્ષાત્‌પણું છે તેની મને વાત કર. વિચાર કહે છે : મૃત્યુ પામ્યો હોય તેવો થા. એવા થઈને રહેવાય તો – સમજૂતી : અખાજી મૃતકની દશાને પામવા વારંવાર કહેતા હોય છે. મૃતકની દશા એટલે એમની દૃષ્ટિએ અહંભાવથી જન્મતા રાગ-દ્વેષાદિ વગરની દશા, દેહભાવ વિનાની દશા.

ઉપતૃષ્ણે અચાનક ભોગ, ઉદ્યમવિહૂણો ફલે જ્યમ જોગ,
અકસ્માત સેહેજ જ્યમ ફલે, તે વિચારી ભોગવે અનુભવ નવ્ય ચલે. ૩૪૧

તૃષ્ણા વિના અચાનક ભોગ ભોગવાય છે અને પ્રયત્ન વિના જાણે યોગની સિદ્ધિ થાય છે. આમ આકસ્મિક રીતે અને સહજતાથી જે ફળ મળે છે તે વિચારપૂર્વક ભોગવે તો અનુભવ (=બ્રહ્મ – આત્મતત્ત્વનો અનુભવ) વિક્ષિપ્ત થતો નથી.

એહવા થકા વસ્તુનો ભોગ, એ રેહેણી વિના બીજો તે રોગ,
પણ જ્ઞાનભરૂંસે કરતા જશે, તે અંત્યે હૂંસને રશે. ૩૪૨

આમ થઈને આત્મતત્ત્વનો અનુભવ કરવાની રીતે રહેવા સિવાયનું સર્વ કંઈ રોગ છે. પણ જ્ઞાનમાં વિશ્વાસપૂર્વક જે કોઈ કંઈ (ક્રિયા) કરતા રહેશે તે છેવટે પોતાના અહંભાવને દૂર કરશે (?) પાઠચર્ચા : બીજા ચરણમાં ક ગ સિવાયની હપ્ર ‘બીજો’ને સ્થાને ‘જે કરશે’ વગેરે પાઠ આપે છે પણ મુખ્ય પ્રતનો પાઠ છોડવાની આવશ્યકતા નથી. આ જ ચરણમાં ‘કરતા’ને સ્થાને ‘કરવા’ ક ગ સિવાયની બધી હપ્ર આપે છે પણ મુખ્યપ્રતનો પાઠ છોડવાની આવશ્યકતા નથી. ચોથા ચરણમાં અ બ નો પાઠ દેખીતી રીતે ખોટો છે. આ જ ચરણમાં ‘અંત્યે’ને સ્થાને ‘અંતર્યે’ પાઠ બાકીની બધી હપ્ર આપે છે, પરંતુ મુખ્ય પ્રતનો પાઠ અર્થદૃષ્ટિએ બરાબર છે તેથી છોડ્યો નથી. ‘રસે’ એ પાઠાંતર માટે જુઓ સમજૂતી. સમજૂતી : મુખ્ય પ્રત સિવાયની સઘળી હપ્ર ‘રસે’ પાઠ આપે છે તે પહેલી દૃષ્ટિએ સરળ લાગે. એ પાઠ સ્વીકારીએ એટલે મુખ્ય પ્રતે પ્રાસને ખાતર ‘રસે’નું ‘રશે’ કર્યું છે એમ માનવું પડે, (કડી ૩૪૯માં પણ આ પ્રતે ‘રસ’નું ‘રશ’ કર્યું. છે) પરંતુ ‘જ્ઞાન’ એટલે બ્રહ્મજ્ઞાન, સૂઝ, સમજ એ જ અર્થ અહીં હોઈ શકે. જ્ઞાનમાં વિશ્વાસપૂર્વક જે કંઈ થાય તેમાં ‘હૂંસ’નો ‘રસ’ કેવી રીતે હોઈ શકે? વિચારપરંપરા તો એવી ચાલે છે કે ઇન્દ્રિયવ્યાપારો સમજપૂર્વક થતા રહે તો એ બાધક નીવડતા નથી. એટલે અહીં ‘હૂંસ’ (અહંભાવ) દૂર થવાની વાત વધારે બંધ બેસે. ‘નેરશે’ એટલે ‘નિરાસ કરે, દૂર કરે’ એવો અર્થ લઈ શકાય પરંતુ ‘નિરસે’ નહીં પણ ‘નેરશે’ એવા પ્રયોગને અખાજીમાંથી સમર્થન જણાતું નથી તો ‘રશે’ ને ક્રિયાપદ ગણી શકાય? સંસ્કૃત ‘રહ્‌’ ધાતુ પરથી ‘રહશે’ અને ‘હ’કાર લુપ્ત થતાં ‘રશે’ બની શકે અથવા દેશ્ય ‘રસિઅ’ (= છિન્ન, કપાયેલું) પરથી ‘રસે – રશે’ થયું હશે? (ગુજ. રહેંસવુંનાં મૂળ દેશ્ય ‘રસિઅ’માં છે) અંતે અખાજીની આ ઉક્તિ કોયડારૂપ જ રહે છે.

તેહેનાં તનમનને તે માર, જે હૂંસે ચઢ્યો કરશે પ્રતીકાર,
ઉત્તમ મધ્યમ હૂંસ જાણજે, એ નેડો અંતર્ય આણજે. ૩૪૩

જે અહંભાવને વશ થઈને એને સંતોષવાના ઉપાયો કરશે તેના તનમનને નુકસાન થશે. અહંભાવ ઉત્તમ, મધ્યમ બંને પ્રકારનો હોય છે એમ જાણજે. એની પરીક્ષા અંતરમાં કરી લેજે. પાઠચર્ચા : ચોથા ચરણમાં ક ગ સિવાયની સર્વ હપ્ર ‘નેડો’ને સ્થાને ‘નેઠો’ પાઠ આપે છે. બંને પાઠમાં થોડી અસ્પષ્ટતા છે. જુઓ સમજૂતી. સમજૂતી : ‘પ્રતીકાર’ શબ્દ ‘ઉપાય’ના અર્થમાં સ્પષ્ટ રીતે કડી ૩૯ અને ૩૨૬માં વપરાયો છે. ‘પ્રતીકાર’ એટલે ‘વિરોધ’ એ અર્થ બેસાડવો હોય તો બેસાડી શકાય – ‘અહંભાવથી પ્રેરિત થઈ આગળ બતાવ્યાથી વિરુદ્ધ વર્તન કરશે’ – પરંતુ એ દુરાકૃષ્ટ અન્વય થાય છે. ‘નેડે’ ‘નજીક’ના અર્થમાં આ કૃતિની ૪૦મી કડીમાં વપરાયો છે. પણ ‘નેડો’ એ અર્થમાં સંજ્ઞા તરીકે જાણીતો નથી. કોશો ‘નેડો’ એટલે ખણખોદવાળી તપાસ, નેડો લેવો – એટલે ભૂલ શોધવા પાછળ ભમવું એમ અર્થ આપે છે. આ ઉપરથી ‘નેડો આણવો’ એટલે પરીક્ષા કરવી, તપાસ કરવી, વિવેક કરવો એવો અર્થ કરી શકાય. અહંભાવ ઉત્તમ અને મધ્યમ પ્રકારના હોય તો તેના વિશે વિવેક કરવો આવશ્યક બને છે. અન્ય હપ્ર ‘નેઠો’ શબ્દ આપે છે. નેઠો = છેડો, પરિણામ, ઉકેલ એવો અર્થ થાય છે. તેથી ‘નેઠો આણવો’ એટલે ‘ઉકેલ આણવો’. મનમાં એ ઉકેલ – છેવટની સમજણ રાખજે એમ તાત્પર્ય થાય. પણ આના કરતાં ‘વિવેક’, ‘પરીક્ષા’નો અર્થ વધુ પ્રસ્તુત લાગે છે.

જે નિશે રાખશે સર્વાતીત, વેહેવાર ગુરુભક્તિ હેતપ્રીત,
અવહિત ક્રમ આચરે નહીં નેમ, સત્ય વરત્યેં હોએ જોગખેમ. ૩૪૪

જે સર્વાતીત બ્રહ્મમાં નિશ્ચયબુદ્ધિ રાખે છે, ગુરુભક્તિનો અને હેતપ્રીતનો વ્યવહાર કરે છે, નિયમપૂર્વક નિષિદ્ધકર્મ કરતો નથી ને આ રીતે સત્યનિષ્ઠ વર્તન કરે છે તેનું યોગક્ષેમ – કલ્યાણ થાય છે.

બાહ્ય આભ્યંતર શુચિ રહે અંગ, અને જ્ઞાનખલનો ન[૩૧ખ] કરે સંગ,
વચન જ્યથારથ અંતર્ય ઉદાસ, અનુભવ સરખો સર્વાવાસ. ૩૪૫

જેમનાં બાહ્ય અને આભ્યંતર સર્વ અંગો પવિત્ર રહે છે અને ખલજ્ઞાનીનો સંગ કરતા નથી, તેમનું વચન યથાર્થ હોય છે, અંતરમાં જે ઉદાસીન – તટસ્થ હોય છે, સર્વાવાસ બ્રહ્મનો જે અનુભવ કરે છે – સમજૂતી : જ્ઞાનખલ, ખલજ્ઞાનીનાં લક્ષણ ૩૪૭–૫૦ કડીમાં આવે છે. વામજ્ઞાની અને દક્ષિણજ્ઞાનીનું વર્ણન ૨૯૬–૩૦૪ કડીઓમાં થયેલું છે તે વિશે જુઓ કડી ૩૦૪ની સમજૂતી.

એહવે લક્ષણ્યે જ્ઞાની જેહ, અતિશે હરિને વાહાલા તેહ,
ચિત્ત કહે જ્ઞાનખલ ત્યેં જે કહ્યા વિચાર, તેહેનો કેહેવો હોએ આચાર. ૩૪૬

જે જ્ઞાની એવાં લક્ષણવાળા છે તેઓ હરિને વહાલા હોય છે. ચિત્ત કહે છે : વિચાર, ખલજ્ઞાનીની તેં જે વાત કરી તેનો આચાર કેવો હેાય?

વિચાર કહે તેહેની હોએ ખલ નેષ્ટા, પણ વચનવિવેક રૂડી ચેષ્ટા,
પણ અંતર્યે હરિ ગુરુ શું નહીં હેત, વાક્યરહિત જેમ લૂખી રેત. ૩૪૭

વિચાર કહે છેઃ તેની નિષ્ઠા દુષ્ટ-કુટિલતાભરી હોય છે. તેનું વચન વિવેકવાળું હોય છે, તેનું બાહ્ય વર્તન સારું હોય છે પણ હૃદયમાં હરિગુરુ પ્રત્યે પ્રીતિ હોતી નથી ને લૂખી (સત્ત્વ વિનાની) રેત જેવો એ હોય છે.

ગુરુના વચન વડે કરે વાત, પણ રદે ન લહે ગુરુનું સાખ્યાત,
જ્યમ દૂધ જમાવે માખણ કાજ્ય, જો જામ્યું તો પામે આહાજ્ય. ૩૪૮

ગુરુનાં વચનનો ઉલ્લેખ કરીને વાત કરે પણ હૃદયમાં ગુરુનો સાક્ષાત્કાર તેને થયો નથી હોતો. જેવી રીતે માખણ મેળવવા માટે દૂધને જમાવવામાં આવે ત્યારે જો એ જામે તો ઘી મળે –

જો રસ ન પડ્યું તો કાંજી થાઇ, ત્યમ ખલજ્ઞાની એહેવા શા પ્રાઇ,
નેષ્ટિક જે જ્ઞાની નીપજે, તે સકલ ભાવે પામે વિજે. ૩૪૯

અને જો મેળવણ ન પડે તો કાંજી થાય, તેવી રીતે ખલજ્ઞાની નિશ્ચિતપણે એવા હોય છે. નિષ્ઠાવંત – સાચા જે જ્ઞાની હોય છે તે બધી રીતે વિજય પામે છે.

ચિત્ત કહે તું તે ધન્ય વિચાર, તોરો લક્ષ તે સાક્ષાત્‌કાર,
હવે એક વાત મુને ચર્ચી કહે, જે ગુરુ ગોવિંદ એક કે બે.[૩૨ક] ૩૫૦

ચિત્ત કહે છે : વિચાર, તને ધન્ય છે. તારું લક્ષ સાક્ષાત્કાર તરફ છે. હવે એક વાત તું મને ચર્ચા કરીને કહે કે ગુરુ ને ગોવિંદ એક છે કે બે અલગઅલગ?

શબ્દે તાં દ્વૈત સરખું થાઇ, પણ અંતરનો શો છે અભિપ્રાઇ,
પરાતપર ગોવિંદને સહુ કહે, જે દ્રષ્ટ્ય ન આવે મુષ્ટ્ય ન ગ્રહે. ૩૫૧

શબ્દમાં (ભાષામાં) તો એ દ્વૈત જેવું થાય છે (=બંને અલગ જણાય છે.) એના આંતરિક સ્વરૂપ વિશે તારો અભિપ્રાય શો છે? ગોવિંદને બધાં પરાત્પર (=પરથી પણ પર) બ્રહ્મ કહે છે, જે દૃષ્ટિમાં આવતો નથી (દેખાતો નથી) અને મૂઠીથી ગ્રહણ થતો નથી (પકડાતો નથી).

અને ગુરુ તો દીસે પ્રગટ પ્રમાણ, ભૌતિક પિંડ્ય સહિત પાદુપાણ્ય,
તો તે ક્યમ કહીજે એક, એહનું નિજરૂપ કહે કહે પિંડ્યવિવેક. ૩૫૨

અને ગુરુ તો હાથ-પગ સાથેનું ભૌતિક શરીર હોય છે, પ્રમાણ આપી શકાય તેવી રીતે પ્રગટ થાય છે. તો તે (એટલે કે ગુરુ અને ગોવિંદ) બંનેને એક કઈ રીતે કહી શકાય તે કહે. તેનું પોતાનું સ્વરૂપ સમજાવ. આ બંનેને શરીર હોવા – ન હોવાનો વિવેક સ્પષ્ટ કર.

વિચાર કહે એ મોટો મર્મ, એ સમઝ્ય તું ચૈતન ચર્મ,
ગુરુ વિષે જે ન દેખે કાઇ, તેણે પ્રીછ્યો ગુરુમહિમાઇ. ૩૫૩

વિચાર કહે છે : એ જ મોટું રહસ્ય છે. તું ચૈતન્ય અને શરીર વચ્ચેનો ભેદ સમજ. ગુરુના વિષયમાં શરીરને જે જોતો નથી તેણે જ ગુરુના મહિમાને સારી રીતે જાણ્યો છે.

પરાત્પર બ્રહ્મ તેણે લહ્યો, જે એમ ગુરુને સમઝી રહ્યો,
પાદુપાણ્યવરજિત સુણ્યો જેહ, સહિત અવ્યેવ તેણે ધર્યો દેહ. ૩૫૪

જે ગુરુને એમ સમજીને રહ્યો છે તે પરાત્પર બ્રહ્મને પામ્યો છે. હાથપગ વિનાનો (શરીર વિનાનો) જેને આપણે સાંભળ્યો છે તેણે અવયવો સાથે અહીં શરીર ધારણ કર્યું છે.

જ્યમ બરાસકપૂરની પ્રતિમા કરી, રૂપસહિત વરી વાપરી,
પલક્યે તે[૩૨ખ]અદ્રષ્ટ્ય થઈ જાઈ, એમ ગુરુને દેખે કાઇ. ૩૫૫

જેમ બરાસકપૂરની પ્રતિમા બનાવીએ અને એવા રૂપ સાથે પસંદ કરીને વાપરીએ પણ પલકમાં જ તે અદૃશ્ય થઈ જાય છે, એવી રીતે ગુરુના શરીરને તું જો (સમજ). સમજૂતી : ગુરુનો નાશવંત દેહ લક્ષમાં લેવાનો નથી એમ તાત્પર્ય છે.

તો શિષ્યે નીપજે એહવો તેહ, જે એમ ગુરુને દેખે છે દેહ,
કારણ છે એ ભાવના તણું, થોડા માંહે કહું છું ઘણું. ૩૫૬

જો ગુરુને દેહધારી રૂપે જ જુએ છે તો તે શિષ્ય પણ એવો જ નીપજે છે. એટલે કે શિષ્ય કેવો નીવડે તેનું કારણ ભાવના છે. તને થોડામાં ઘણું હું કહું છું.

ચિત્ત કહે મુને એક પ્રશ્ન ઊપજે, જે મુજથી કાંઈએ નવ્ય નીપજે,
પરાધીન શો દીસું હું, અને મુજને શબ્દે મારે સહુ. ૩૫૭

ચિત્ત કહે છે : મને એક પ્રશ્ન થાય છે કે મારાથી કંઈ નીપજતું નથી, હું પરાધીન જેવો દેખાઉં છું અને બધા મને શબ્દનો માર મારે છે – ઉપદેશ-વચનો સંભળાવે છે. સમજૂતી : ‘શબ્દના માર’ અંગે જુઓ ૩૨૬મી કડીની નોંધ.

મુજને તાં બેહુ પેર્યે પડી, જ્યમ વાટ્યે ખૂણો પામે હડી,
જાતુંવલતું સહુ જ ઘસાઇ, ત્યમ અહીં અદ્રશ્ય ને અહીંઆ કાઇ. ૩૫૮

મને ત્યાં બંને રીતે મુશ્કેલી પડી છે, જેમ રસ્તામાં ખૂણો પડે તેને મુશ્કેલી પડે છે. જતું આવતું સૌ કોઈ તેને ઘસાઈને ચાલે છે તેમ એક બાજુ અદૃશ્યરૂપ અને બીજી બાજુ કાયારૂપ એમ બેની વચ્ચે હું ભીંસાઉં છું.

જ્યમ ધ્વજા ફહરેરે વાએ કરી, સહુ કો ધ્વજાને દેખે ખરી,
મારુત વ્હાયા વિના નવ્ય રહે, અને ધ્વજા ત્યાં સ્થિરતા નવ્ય ગ્રહે. ૩૫૯

જેમ ધજા વાયુને કારણે લહેરાય અને સૌ ફરકતી ધજાને જુએ, પવન વાયા વિના ન રહે અને ધજા ત્યાં સ્થિરતા ન પામી શકે –

ચિત્ત કહે છે મુજને એમ થયું, જોને વિચાર એ માંહાં કાંઈ રહ્યું,
વિચાર કહે સાંભલ્ય ચિત્ત પિતા, મુજ વિના તું ખાતો ખતા. ૩૬૦

ચિત્ત કહે છે, મને એ પ્રમાણે થયું છે. વિચાર, આમાં શું તાત્પર્ય રહેલું છે તે તું કહે. વિચાર કહે છે : ચિત્ત પિતા, સાંભળ. મારા વિના તું ઠોકર ખાય છે.

ચિત્ત કહે છે હવે શું કરું, મુજ સાધ્ય નહીં[૩૩ક]તો શું આચરું,
કાલરૂપિયું અનિલ તાં ચલે, તેણે ચિત્ત કાયા ધ્વજા આફલે. ૩૬૧

ચિત્ત કહે છે : હવે શું કરું? મને એ સાધ્ય નથી તો હું શું કરું? કાલરૂપી પવન વાય છે તેને કારણે ચિત્ત અને કાયારૂપી ધજા છે તે આમતેમ અથડાય છે. સમજૂતી : છેવટે ચિત્ત અને કાયારૂપી ધજા એેવો અન્વય થાય છે એ બહુ અર્થપૂર્ણ લાગતો નથી. ઉપરાંત પછીથી ૩૬૩મી કડીમાં ચિત્તને (ધજાનું) લાકડું અને અહંભાવને વસ્ત્ર કહ્યું છે. કાયા એટલે દેહભાવ એમ કરીએ તો કદાચ રૂપક સંગત બને. ૩૬૨મી કડીમાં કાલવાયુથી અથડાતી વસ્તુ તે ‘જીવ’ કહી છે. એટલે ધજા સાથે અખાજી ચિત્ત, કાયા, જીવ, અહંભાવ એ બધાંને સાંકળે છે.

કાલવાય વ્હાતો નવ્ય રહે, અને જીવ ધકા ખાતો નવ્ય રહે,
તો તે માહારે કરવું ક્યમ, માહરી તો ભાગી અતિ ગમ્ય. ૩૬૨

કાલરૂપી વાયુ વહ્યા વિના રહેતો નથી અને તેથી જીવ ધક્કા ખાધા વિના રહેતો નથી. તો હવે મારે શું કરવું? મારી તો બુદ્ધિ સાવ નષ્ટ થઈ ગઈ છે.

વિચાર કહે ધજા જો કોહી પડે, તો મારુત વલતો શે આથડે,
જ્યારે હૂંસરૂપી વસ્ત્ર જ સડ્યું, ત્યારે ચિત્તરૂપિયું રહ્યું લાકડું. ૩૬૩

વિચાર કહે છે : જો ધજા સડીને પડી જાય તો પછીથી પવન કેવી રીતે અથડાય? જ્યારે અહંભાવરૂપી વસ્ત્ર જ સડી જાય ત્યારે ચિત્તરૂપી લાકડું રહે છે. સમજૂતી : અહંભાવ વિનાનું ચિત્ત તે ચિદ્‌ – ચૈતન્યસ્વરૂપ છે તેથી પછીની કડીમાં ‘વસ્તુમય’ થયાની વાત આવે છે. અહીં ચિત્ત એના મૂળ સ્વરૂપે-ચિદ્‌રૂપે અવશેષ રહે છે એમ અર્થ સમજવો જોઈએ.

કાલવાયુ તેહેને શું કરે, ઘૂમે ઘણો પણ કોણ આચરે,
ત્યમ તુજ વિષે ઉપજણ્ય ગઈ, ત્યારે તું રહ્યો વસ્તુમય થઈ. ૩૬૪

કાલવાયુ તેને શું કરી શકે? એ ઘણું ઘૂમે છે પણ શું કરે? તેમ તારામાંથી ઊપજેલું તત્ત્વ (એટલે કે અહંભાવ) ગયું ત્યારે તું બ્રહ્મરૂપ થઈને રહ્યો.

તે વસ્તુ તાં સ્વે ગુરુ મહારાજ, તેહેને સેવ્યે સીઝે કાજ,
તેહેને કાલવાયુ ચાલવી નવ્ય શકે, જે ગુરુને સેવે એહવે થકે. ૩૬૫

એ બ્રહ્મ(મયતા) તે પોતે ગુરુ છે. તેની સેવા કરવાથી કાર્ય સિદ્ધ થાય છે. જે આવા થઈને ગુરુની સેવા કરે છે એને કાલવાયુ ચલિત કરી શકતો નથી. સમજૂતી : બ્રહ્મમય આત્મસ્વરૂપને જ અખાજી ગુરુ કહેતા હોય એમ સમજાય છે.

જ્યાંહાં કાચી સેવા ત્યાંહાં કાચું જ્ઞાન, જ્યમ ઔષધ વિના અનુપાન,
કાચી ભક્તિ તે લક્ષણહીણ, તેહેની પ્રજ્ઞા હોએ [૩૩ખ] ખીણ. ૩૬૬

જ્યાં સેવા કાચી હોય ત્યાં જ્ઞાન પણ કાચું હોય છે, જેમ અનુપાન વિનાનું ઔષધ હોય છે. કાચી ભક્તિ તે ભક્તિના વિશિષ્ટ લક્ષણ – ગુણધર્મ વિનાની છે અને તેવા માણસની પ્રજ્ઞા ક્ષીણ થાય છે.

પ્રજ્ઞાવંત પુરુષ ત્યાં તેહે જ, જેહેને ગુરુ સાથે બહુ હેજ,
કાલરૂપિયું દવ પરજલે, જે ન્હાસી પેસે ગુરુહામજલે. ૩૬૭

જેને ગુરુ સાથે ખૂબ હેત હોય તે પ્રજ્ઞાવંત પુરુષ છે અને જે કાળરૂપી દવ સળગે છે ત્યારે નાસી જઈને ગુરુના સામર્થ્યરૂપી જળમાં પ્રવેશ કરે છે –

તેહેને પરાભવ ન કરે લાઇ, જે લહે સદગુરુમહિમાઇ,
ગુરુ કૈવલ્ય ને કૈવલ્ય ગુરુ, હું કૈવલ્ય માંહાં રહ્યો ઊચરું. ૩૬૮

અને જે સદ્‌ગુરુનો મહિમા સમજે છે તેનો નાશ અગ્નિ કરી શકતો નથી. ગુરુ જ કૈવલ્ય છે અને કૈવલ્ય જ ગુરુ છે. હું કૈવલ્યમાં રહીને બોલું છું.

ચિત્ત કહે છે ઘણી વાતના ગુરુ મેં લહ્યા, તે તો પરપંચના પરપંચ માંહાં રહ્યા,
જે વિદ્યા જે ગુરુથી લહી, તે કલાનો તે ગુરુ સહી. ૩૬૯

ચિત્ત કહે છે : મેં ઘણી બાબતના ગુરુ જોયા છે. તે બધા તો પ્રપંચના પ્રપંચમાં જ રહ્યા છે. જે વિદ્યા જે ગુરુથી પ્રાપ્ત કરી તે કલાનો તે ગુરુ.

વેદવિદ્યા ચૌરજ્ય પરજંત, જે જે કરતવ્ય આચરે જંત,
તે તે વાતનો ગુરુ ત્યાં હોઇ, તે ત્યાંહાં નિશે વસા સોઇ. ૩૭૦

વેદવિદ્યાથી માંડીને ચૌર્ય સુધીનાં જે જે કર્મ જીવ કરે છે તે દરેક બાબતના ગુરુ હોય છે. જે-તે બાબતમાં જે-તે ગુરુ એ સો ટકા નિશ્ચિત વાત.

તું તે કીયો સત્ય રાખે છે ગુરુ, મોરું જાણવું મેં ઊચરું,
વિચાર કહે સાંભલ્ય ચિત્ત વાત, જ્યારે અરભક જનમે માત. ૩૭૧

હું જે જાણું છું તે મેં કહ્યું. તું કયા ગુરુને સત્ય માને છે? વિચાર કહે છે : ચિત્ત મારી વાત સાંભળ. જ્યારે માતાને બાળક જન્મે છે –

પરસવતાં ખેવ કરે પયપાન, ત્યારે જે ગુરુ આપે છે જ્ઞાન,
તે ગુરુ તો સાથ્યે છે સદા, [૩૪ક] બીજા ગુરુ તેહેના બુદબુદા. ૩૭૨

–ત્યારે જન્મતાંની સાથે જ પયપાન કરે છે. એ વખતે જે ગુરુ જ્ઞાન આપે છે તે ગુરુ તો હંમેશાં સાથે છે. બીજા ગુરુ તેના પરપોટા સમાન છે.

ચિત્ત કહે એ તો છે જ સુભાવ, જંત્રભેદ ચાલ્યો જાએ સાવ,
જોની દ્રુમ ક્યમ પીએ છે નીર, અવનીનું શોષે છે હીર. ૩૭૩

ચિત્ત કહે છે : બાળકનો એ તો સ્વભાવ જ છે. પદાર્થની ક્રિયા એની મેળે ચાલ્યા કરે છે. જો, વૃક્ષ પાણી કેવી રીતે પીએ છે અને પૃથ્વીનું હીર શોષે છે.

મુક્તા નર માદા કને જાઇ, સંપુટ પેસી એકઠો થાઇ,
અંબુજ અર્કને સાહામું ક્યમ રહે, એ સહુ સહજ સુભાવે વહે. ૩૭૪

નર-મોતી માદા-મોતીની પાસે જાય છે અને સંપુટમાં પેસીને એને મળે છે. કમળ સૂર્યની સામે કેમ રહે છે? આ બધું સહજ સ્વભાવે ચાલે છે. સમજૂતી : મોતી વિશે એમ કહેવાય છે કે તેમાં નર-માદા બે પ્રકાર હોય છે અને નર-માદા મોતીને જુદા પાડવામાં આવે તોપણ ભેગા થઈ જાય છે.

વિચાર કહે તું એમ મ ગણેશ, એ લૂખો લક્ષ તું પરો કરેશ,
જે અવાચ્યનો એ છે જ સુભાવ, તે છે ગુરુ સતંતર સાવ. ૩૭૫

વિચાર કહે છે : તું એમ ન ગણીશ. એ સાર વિનાના દ્રષ્ટિબિંદુને તું દૂર કર. અવાચ્ય બ્રહ્મનો જ એ સ્વભાવ છે અને તે જ સાવ સ્વતંત્ર ગુરુ છે.

ચિત્ત કહે ગુરુ જો એમ છે, તે અંતર માંહાંથી જ કાં નવ્ય કહે,
બાહાજ્ય ગુરુ કાં કરવો પડે, તું જ કહે છે પ્રાપત્ય ગુરુ સેવ્યા વડે. ૩૭૬

ચિત્ત કહે છે : ગુરુ જો એમ જ છે તો તે અંતરમાંથી જ કેમ કહેતા નથી? બાહ્ય ગુરુ શા માટે કરવા પડે છે? અને તું જ કહે છે કે પ્રાપ્તિ તો ગુરુને સેવ્યાથી છે.

સેવાએ તો જો હોએ સરૂપ, તે ત્યાં ગુરુને પરઠ્યો અરૂપ,
વિચાર કહે ગુરુ ત્યેં જોયો નથી જતો, પણ ગુરુ તો પ્રત્યક્ષ દીસે છે છતો. ૩૭૭

જેને રૂપ છે તેની જ સેવા થઈ શકે. ગુરુ તો અરૂપ હોવાનો નિશ્ચય કર્યો છે. વિચાર કહે : એ ગુરુ દેખવામાં આવતો નથી પણ ગુરુનું અસ્તિત્વ અનુભવગમ્ય બને છે.

એ ઉપર તુંને કહું દ્રષ્ટાંત, તે સોલે અંશે માને તંત,
જ્યમ સૂર્યધામ કોએ જોવા કરે, પણ જોઈ ન શકે મહાતેજ આકરે. ૩૭૮

એ ઉપર તને એક દૃષ્ટાંત કહું, તેને પૂરેપૂરું સાચું માન. જેમ સૂર્યના વૈભવને જોવાનો કોઈ પ્રયત્ન કરે તો તેના આકરા મહાતેજને કારણે તેને તે જોઈ ન શકે –

તે તલે માંડે જલનું પાત્ર, તે માંહે પ્રતિબિંબ રવિ સાક્ષાત,
જ્યારે દીઠો પરત્યક્ષ અર્ક, ત્યારે ગયો સંશેનો તર્ક. ૩૭૯

– તેની નીચે તે જળનું વાસણ મૂકે છે તેમાં સૂર્યનું સાક્ષાત્‌ પ્રતિબિંબ પડે છે. જ્યારે સૂર્યને પ્રત્યક્ષ જોયો ત્યારે સંશયબુદ્ધિ પણ જતી રહી.

બિંબ જોવાણું પ્રતિબિંબ વડે, ત્યમ ગુરુ જોતાં ગોવિંદ નીમડે,
તે પ્રતિબિંબ તાં ઝલકે બહુ, તે માટે ગુરુ ગોવિંદ કહું. ૩૮૦

અહીં પ્રતિબિંબ વડે બિંબ જોવાય છે, તેવી રીતે ગુરુને જોવાથી ગોવિંદ પ્રતીત થાય. તે પ્રતિબિંબ ત્યાં બહુ પ્રકાશે છે માટે જ ગુરુને ગોવિંદ કહું છું.

અર્ક્ક આકાશ ને પ્રતિબિંબ ધરા, પણ લક્ષે જોતાં એક જ ખરા,
ગુરુ તે જે એમ વીત્રેક, તે ગુરુ સદા સતંતર છેક. ૩૮૧

સૂર્ય આકાશમાં છે અને પ્રતિબિંબ પૃથ્વી પર છે પણ અંતે જોતાં બંને એક જ છે. ગુરુ જે એમ (બ્રહ્મથી) જુદા દેખાય છે તે વસ્તુતઃ સદા સ્વતંત્ર (બ્રહ્મરૂપ) છે.

એમ શિષ્યને દેખાડે આપ, તે સદગુરુનો રાખે થા૫,
ચિત્ત કહે બીજા ગુરુ બીજી વાતના, મંત્ર જંત્ર ઔષધ ધાતના. ૩૮૨

એમ જે શિષ્યને પોતાનું આત્મસ્વરૂપ દેખાડે છે તે સદ્‌ગુરુ તરીકે સ્થાપિત – પ્રતિષ્ઠિત થાય છે. ચિત્ત કહે છે : બીજા ગુરુ બીજી બાબતોના હોય છે. મંત્રના, યંત્રના, ઔષધના, ધાતુના –

વિદ્યા અવિદ્યાના દાતાર, તેહેનું શું કહે છે વિચાર,
વિચાર કહે પરપંચના જે ગુરુ, તેહેનું જોતાં માથાસરું. ૩૮૩

વિદ્યા અવિદ્યાનાં દેનારા. વિચાર તેને વિશે તું શું કહે છે? વિચાર કહે છે : જગત પ્રપંચના જે ગુરુ છે તેનું મથાળું (માથેનો આધાર) જોતાં જણાય છે કે –

[૩૫ક]પ્રેરક તે તેહેનો અવાચ્ય, પણ સપન સરીખું જાણી રાચ્ય,
જ્યમ કોડી નિશાણીએ દ્રવ્ય તે ખરો, તેણે ક્રયવિક્રય સહુકો આચરો. ૩૮૪

– તેનો પ્રેરક તો અવાચ્ય બ્રહ્મ છે. પણ એને સ્વપ્ન જેવું જાણીને તું રહે. જેમ કોડી એના લક્ષણથી દ્રવ્ય છે અને એનાથી સૌ કોઈ ક્રયવિક્રય –ખરીદવેચાણ કરે છે –

પણ પાત્ર ન ઘડાએ ગાલ્યે થકે, ના કો મુદ્રા પાડી શકે,
ત્યમ પરપંચ લગી કાજગરી વાત, પણ નીપજ ન હોએ તેથી સાક્ષાત. ૩૮૫

પણ તેને ગાળવાથી પાત્ર ઘડાતું નથી કે તેમાંથી કોઈ સિક્કો પણ બનાવી શકાતો નથી. તેવી રીતે જગતપ્રપંચને લાગેવળગે છે ત્યાં સુધી એ બધા ગુરુઓ કાર્ય કરે છે – કામમાં આવે છે પણ તેથી મૂળ વસ્તુનો સાક્ષાત્કાર થતો નથી.

ચિત્ત કહે પ્રશ્ન એક ઊપજે છે મુને, જે ત્યેં તાં ગુરુ દેખાડ્યો કેહેને,
પણ પ્રથમ તેં રાખ્યો છે થાપ, જે કરવી જ કરવી ભક્તિ સહી બાપ. ૩૮૬

ચિત્ત કહે છે : મને એક પ્રશ્ન ઊપજે છે કે તેં તો ગુરુને સાક્ષાત્‌ બતાવ્યો. પણ પહેલાં તેં એવી સ્થાપના કરી હતી કે ભક્તિ તો કરવી જ જોઈએ. પાઠચર્ચા : બીજા ચરણમાં ‘ગુરુ’ને સ્થાને ક ગ સિવાયની હપ્ર ‘વસ્તુ’ પાઠ આપે છે પરંતુ મુખ્યપ્રતનો પાઠ છોડવો જરૂરી લાગ્યો નથી કેમકે અખાજીએ હમણાં જ ગુરુ અને બ્રહ્મની એકતા સ્થાપિત કરી છે જેથી અહીં ગુરુ એટલે ગુરુ બ્રહ્મ એવો અર્થ લઈ શકાય તેમ છે. આ જ ચરણમાં ક ગ હપ્ર ‘કેહેને’ પાઠ આપે છે ત્યારે અન્ય હપ્ર ‘કહને’ ‘કને’ વગેરે પાઠ આપે છે. ‘કેહેને’ એ ‘કને’ના અર્થમાં જ છે અને એ ક ગ હપ્રની લેખનખાસિયત છે એમ ગણ્યું છે.

હવે તે વચન તે ક્યાંહાં બેસશે, જે બહુ પિંડ્યે તું કહે છે રસે,
નવધા સુધી કહી ત્યેં ભક્તિ, એક એકની નવનવ જુક્તિ. ૩૮૭

હવે તે વચન જેમાં બહુ પિંડ – રૂપવાળી ભક્તિની વાત તું રસપૂર્વક (= ભારપૂર્વક) કહે છે તે ક્યાંથી બેસશે? નવધા સુધીની ભક્તિ તેં કહી છે તે દરેકની નવીનવી રીત – પ્રકાર છે. સમજૂતી : બીજા ચરણનો અર્થ કડી ૩૮૯ના સંદર્ભમાં જોઈએ ત્યારે એવો સમજાય છે કે ભક્તિમાં જુદાજુદા વેશ, ક્રિયા વગેરેનો આશ્રય લેવામાં આવે છે તેને કવિ ‘બહુપિંડત્વ’ એટલે કે વિવિધરૂપ હોવાપણું ગણે છે.

અર્ચન વંદન કીરતન કરે, પાદસેવના અર્ચન આચરે,
સમરણ દાસ્યત્વ બહુ ભેદ, સખાભાવ આતમનૈવેદ. ૩૮૮

અર્ચન, વંદન, કીર્તન કરે, પાદસેવન પૂજન આચરે, ઉપરાંત સ્મરણ, દાસત્વ, સખાભાવ, આત્મનિવેદન વગેરે પ્રકારે ભક્તિ રહેલી છે. સમજૂતી : ભક્તિના નવ પ્રકાર આ પ્રમાણે છે : શ્રવણ, વંદન, કીર્તન, પાદસેવન, અર્ચન, સ્મરણ, દાસત્વ, સખ્યત્વ અને આત્મનિવેદન. એમાંથી શ્રવણ અહીં ચુકાઈ ગયેલ છે અને એને સ્થાને અર્ચન બે વાર આવેલ છે.

એકાશી સુધી તેં લખી, ત્યારે તેં કહી[૩પખ] પરસી પારખી,
બહુ પિંડ્યે આચરણહારા, વેષ ક્રિયા વિધ્યવિધ આચારા. ૩૮૯

એક્યાસી સુધીની (ભક્તિ) તેં વર્ણવી – આલેખી ત્યારે તેં એને શું તપાસીને સ્વીકારી છે? એમાં તો અનેક રૂપનું આચરણ થાય છે કેમકે, વેશ, ક્રિયાના વિવિધ આચારનો એમાં આશ્રય લેવાય છે.

તે ત્યેં શું જાણીને કહ્યું, વસ્તુ વિષે તો કાંઈ કેહેવા નવ્ય રહ્યું,
વિચાર કહે સાંભલ્ય ચિત્તરાઇ, મેં કહ્યું તેહેનો અભિપ્રાઇ. ૩૯૦

તો તે તેં શું જાણીને કહ્યું? વસ્તુ એટલે કે બ્રહ્મ વિશે કંઈ કહેવાનું રહ્યું નહીં. વિચાર કહે : ચિત્તરાય, મેં કહ્યું તેનો અભિપ્રાય સાંભળ.

તુજને જ્યારે પિંડ્ય જ સ્ફુરે, ત્યારે સ્વસ્વરૂપ નિશે વીસરે,
જ્યમજ્યમ બહુ દેહે અધ્યાસ, ત્યમત્યમ સ્વસ્વરૂપ હોએ નાશ. ૩૯૧

તને જ્યારે શરીરનું ભાન થાય છે ત્યારે તારું મૂળ સ્વરૂપ તું ચોક્કસપણે ભૂલી જાય છે. જેમજેમ શરીરનો અધ્યાસ વધે છે તેમતેમ તારા સ્વસ્વરૂપનો નાશ થાય છે.

નિજપણું જ્યાંહાં ગયું વીસરી, તેહેને સ્વપનશ્રેણ્ય ચોરાશી ખરી,
તે નિદ્રા નીગમવા કાજ્ય, ભક્તિ દેખાડી અંતરબાહાજ્ય. ૩૯૨

જ્યારે પોતાપણું ભુલાઈ જાય ત્યારે તે માણસને ચોરાસી લાખ જન્મના ફેરારૂપ સ્વપ્નની શ્રેણિ નિષ્પન્ન થાય છે. તે નિદ્રાને દૂર કરવા આંતરિક અને બાહ્ય ભક્તિનો માર્ગ બતાવ્યો.

જ્યમ કેહેને ઊમટે ભ્રમરોગ, વ્યાકુલ થૈ જાએ તનમનજોગ,
તે જ્યમ સ્વાદ્યે લાગો દહીં ખાટું ખાય, ત્યમત્યમ ગ્રથલ ઘણેરું થાય. ૩૯૩

જ્યારે કોઈને ગાંડપણ આવે છે ત્યારે તેનાં તનમન વ્યાકુળ થઈ જાય છે. તે (રોગી) સ્વાદનો માર્યો ખાટું દહીં ખાય તેમતેમ વધારે ઘેલો – ગાંડો બને છે. સમજૂતી : વૈદકની દૃષ્ટિએ ખાટું દહીં અને દહીં ખાંડ બંને અપથ્ય છે. દહીં મગજના સ્રોતોને રોકે અને ખટાશ પિત્તનો પ્રકોપ કરે. અહીં થયેલું વર્ણન દહીંખાંડથી થતા વિકારને બદલે ખાટા દહીંથી થતા વિકારને વધુ લાગુ પડે તેવું છે.

તે પાછી નિરમલ કરવા કાય, તીખાં તમતમાં ઓષધ ખાય,
શાંત્યમા આવે તો[૩૬ક] થાએ આરોગ, રસ ના પડે તો બાંધે અમોઘ. ૩૯૪

તે શરીરને ફરી નીરોગી કરવા માટે તીખી તમતમતી દવા ખાય. ગાંડપણમાં શાંતપણું આવે, ગાંડપણ શાંત થાય તો રોગમાંથી મુક્ત થાય પણ એ ઔષધ ન ગમે તો રોગ કાયમી થાય છે. (=રોગનો નાશ થતો નથી.)

જ્યમ કો બાલક આલે ચઢે, શ્વાસ લેઈને પ્રથવી પડે,
તેહેને આલાલુંબે લગાડે માત, જાણે કરતો રહે ઉતપાત. ૩૯૫

જેમ કોઈ બાળક તોફાને ચઢે ત્યારે શ્વાસ ચડી જઈને (હાંફી જઈને) પૃથ્વી પર પડે અને એ ઉતપાત કરતો મટે તે માટે મા તેને કશીક લાલચમાં નાખે –

ત્યમ કહ્યું હૂતું ઘટવા ઉનમાદ, અને તું તાં કરવા લાગો વાદ,
નહીં તો નાચ્યાકૂદ્યાનું શું કામ, ઓલખવો હૂતો અંતર્યથી રામ. ૩૯૬

તેમ મેં (ભક્તિની આવશ્યક્તા અંગે) કહ્યું હતું તે ઉન્માદ દૂર કરવા માટે કહ્યું હતું અને તું તો વાદ-વિવાદ કરવા લાગ્યો. એવી જરૂરત ન હોય તો (ભક્તિ અર્થે) નાચવાકૂદવાનું શું કામ હતું? કારણ કે રામને તો અંતરથી ઓળખવાનો હતો.

એ તો ઔષધનું અજીરણ થાઇ, તું વ્યસને લાગો કહીંએ જાઇ,
ચિત્ત કહે જ્યારે કરવી ભક્તિ, પાછી આણવા આતમવૃત્તિ. ૩૯૭

પણ જ્યારે ઔષધનું અજીરણ થાય, એ કામ આપતું બંધ થાય ત્યારે તેનું વ્યસન બંધાય છે અને તેનાથી તું ક્યાંયનો ક્યાંય જાય છે. ચિત્ત કહે છે : જ્યારે આત્મવૃત્તિ પાછી લાવવા માટે ભક્તિ કરવાની હોય –

અહીં ભક્તિ તે કેવી ઘટે, આ તો લખાણી ગુણને પટે,
જેણે પામીએ સ્વામી સદ્ય, એહવું આચરણ મૂલ તું વદ્ય. ૩૯૮

ત્યારે એ સ્થિતિમાં ભક્તિ કેવી હોવી જોઈએ? આ ભક્તિ તો ગુણના પટ પર આલેખાઈ છે (ગુણયુક્ત છે). જેનાથી સ્વામી – બ્રહ્મ તરત જ પ્રાપ્ત થાય એવું આચરણ કયું તે તું બરાબર મને કહે.

વિચાર કહે દ્રષ્ટાંતે જાણ્ય, આણલિંગની જે ભક્ત્ય નિરવાણ,
જ્યારે મેઘવૃષ્ટ્ય થાનારી હોએ ઘણું, ત્યારે દેખાડે બહુ તેજપણું. ૩૯૯

વિચાર કહે છે : જ્ઞાનીની ભક્તિ ખરેખર કેવી હોય છે તે દૃષ્ટાંતથી સમજ. જ્યારે મેઘની વૃષ્ટિ ઘણી થવાની હોય ત્યારે ઘણો તાપ પડતો હોય છે.

તપે ઘણું[૩૬ખ] તેણે પિંડ્ય બ્રહ્માંડ, કલકલી આવે સઘલી મંડ્ય,
તેજે કરી જલ પરગટ થાઇ, હરીહરી પ્રથવી થૈ જાઇ. ૪૦૦

તેનાથી પિંડ – બ્રહ્માંડ ઘણાં તપે છે. સઘળી સૃષ્ટિ આકળવિકળ થઈ જાય છે, પરંતુ તાપને કારણે જળ ઉત્પન્ન થાય છે, (વરસે છે ને) પૃથ્વી લીલીછમ થઈ જાય છે. સમજૂતી : તાપથી સમુદ્રનું જળ શોષાઈને વાદળાં બંધાય પછી પૃથ્વી પર વરસે છે એ પ્રક્રિયા અખાજીને અહીં અભિપ્રેત છે. વચ્ચેનાં પગથિયાં અખાજી એમની લાક્ષણિક શૈલીએ કુદાવી ગયા છે.

એણે દ્રષ્ટાંતે જે છે ભક્‌ત્ય, આતુરતા ઊપજે અમિત્ય,
બહુ તાપ્યે જ્યમ પ્રગટે તોઇ, ત્યમ અંતર્યથી હરિ પરગટ હોઇ. ૪૦૧

આ દૃષ્ટાંતથી ભક્તિનું આવું સ્વરૂપ પ્રગટ થાય છે. જેમ બહુ તાપથી પાણી વરસે છે તેમ જ્યારે ઘણી આતુરતા ઊપજે છે ત્યારે અંતરમાંથી હરિ પ્રગટ થાય છે.

વ્રેહેવૈરાગ્ય અંતર્ય અપાર, પણ બાહાર્ય ન જાણે કોઈ લગાર,
ગજકોઠાની પેર્યે થાઇ, અંતર્યથી કંદ્રપ બલી જાઇ. ૪૦૨

અંતરમાં વિરહવૈરાગ્ય ખૂબ હોય છે પણ બહાર કોઈ તેને સહેજ પણ જાણે નહીં. હાથીએ ગળેલું કોઠું જેમ બહારથી આખું રહીને અંદરથી ખવાઈ જાય છે તેમ એના અંતરમાંથી કામ બળી જાય છે. સમજૂતી : ગજકપિત્થન્યાય એમ બતાવે છે કે હાથી કોઠું ગળી જાય છે ત્યારે એના પેટમાં કોઠું બહારથી આખું જ રહે છે પણ અંદરથી એનો ગર્ભ ખવાઈ જાય છે. અખાજી જ્ઞાની ભક્તને પણ આવા જ કલ્પે છે. બહારેથી એ એવાને એવા જ દેખાય છે, પણ અંદરથી અહંભાવ ગળી ગયો હોય છે. ભક્તિનો કોઈ દેખાવ નથી હોતો.

ત્યમ દેહાઅભિમાન અંતર્યથી ગલે, રસરૂપ થઈ સ્વામીમાં ભલે,
સદા સમોહોલે તે ઘટ રામ, અહંકૃત્ય ગઈ રહ્યું રૂપનામ. ૪૦૩

એવી રીતે દેહાભિમાન અંતરમાંથી દૂર થાય અને જીવ રસરૂપ થઈને સ્વામી (બ્રહ્મ)માં ભળી જાય ત્યારે તે ઘટમાં સદા રામ હાજરાહજૂર રહે છે. અહંભાવ જતો રહે છે ને માત્ર રૂપ અને નામ રહે છે. સમજૂતી : સંમુખે>સંમુહે>સમોહે>સમોહોલેં એમ શબ્દ આવ્યો ગણી શકાય. જ્ઞાની ભક્તને નામરૂપ તો રહે છે, કેમકે એ દેહધારી છે. પણ એનું આંતરિક સત્ત્વ જુદું થઈ ગયું હોય છે.

અણલિંગી ગુરુ તેહેને મલ્યો, ત્યારે ગુરુ જ રહ્યો ને શિષ્ય તે ટલ્યો,
લૌકિક ભક્તિ તાં એ નવ્ય હોઇ, જ્યાંહાં આપે આપની નીપજ જોઇ. ૪૦૪

બ્રહ્મસ્વરૂપી ગુરુ તેને મળ્યો ત્યારે ગુરુ રહે છે ને શિષ્ય ટળી જાય છે. જ્યાં પોતાનામાંથી જ પોતાની નીપજ જોવામાં આવે ત્યાં લૌકિક ભક્તિને સ્થાન રહેતું નથી. સમજૂતી : કવિની દલીલ એ છે કે દેહાભિમાન જતાં અંતરમાં રામ આવી વસે છે એટલે કે બ્રહ્મ થવાય છે. એ અણલિંગી બ્રહ્મ-અવસ્થા જ જાણે ગુરુ બને છે અને ત્યારે બ્રહ્મ જ વ્યાપી રહે છે એટલે કે ગુરુશિષ્યનું અદ્વૈત થાય છે. આ અદ્વૈતની સ્થિતિમાં ભક્તિને કોઈ અવકાશ નથી.

કરવી કહીતી જે મેં ભકત્ય, તેહેની એમ જાણી લે જુકત્ય,
ગુરુ[૩૭ક]સેવા ને આતમલક્ષ, માહારો ત્યાં છે એહ જ પક્ષ. ૪૦૫

મેં તને જે ભક્તિ કરવાની કહી હતી તેનો આ પ્રમાણે મર્મ સમજી લે. ગુરુની સેવા અને આત્મબોધ એ બાબતમાં મારો આ જ મત છે.

જો નીપજે તો એમ નીપજે, બાકી સહુ મનગમતું ભજે,
દેહાભિમાન એ મોટો રોગ, જેણે ન હોઇ આતમભોગ. ૪૦૬

જો આત્મજ્ઞાન થાય તો આ રીતે થાય બાકી તો સૌ પોતપોતાનો મનગમતો માર્ગ સ્વીકારે. દેહાભિમાન એ મોટો રોગ છે, જેનાથી આત્મઅનુભવ થતો નથી.

સમઝવો છે મરમ ચિત્ત એહ, રખે કરે ચિત્ત અહં જાડો દેહ,
દેહાભિમાન ઉછેરે અહીં, તેહેને તે કુશલ કોહો કેહી. ૪૦૭

ચિત્ત, સમજવા જેવો આ મર્મ છે. ચિત્ત, તું અહંને રખે પુષ્ટ કરે. જે દેહાભિમાનરૂપી સાપને ઉછેરે છે તેને તે કુશળ કોણ કહે? પાઠચર્ચા : બીજા ચરણમાં ક ગ સિવાયની બધી પ્રતો જે પાઠ આપે છે તે અર્થદૃષ્ટિએ તદ્દન અપ્રસ્તુત છે. અહીં ‘દેહ’ની નહીં, ‘દેહાભિમાન’ની વાત છે. ‘અહં’ની સાથે ‘જાડો દેહ’ જોડી ન શકવાથી પાઠ ફર્યા જણાય છે.

અહીં તો છે ટલવાનું કામ અહં ટલતે રહે આતમરામ,
જો જાણે તો એમ જ જાણ્ય, મેં તો કહી મૂક્યું નિરવાણ્ય. ૪૦૮

અહીં તો જાતે ટળી જવાનું કામ છે. અહં દૂર થતાં આત્મારામ રહે છે. જો જાણવું હોય તો એમ જ જાણ. મેં તો તને નિશ્ચિતપણે કહી દીધું.

ચિત્ત કહે મારો ભાગો ભ્રમ, ભાગાથી પામ્યો મેં મર્મ,
વચન માત્ર મોરું ચિત્ત નામ, પણ જ્યમ છે ત્યમ એ સ્વે નિજધામ. ૪૦૯

ચિત્ત કહે છે : મારો ભ્રમ ભાંગી ગયો છે. ભ્રમ દૂર થવાથી હું મર્મ પામ્યો છું. માત્ર વચનથી હું ‘ચિત્ત’ નામ ધરાવું છું. પણ વસ્તુસ્થિતિમાં તો એ પોતે જ આત્મસ્વરૂપ છે.

મોરો મુજ માંહાં થયો સમાસ, તુજ દ્વારા પૂરણ પ્રકાશ,
હવે નથી પૂછેવા વાત, જ્યમ છે ત્યમ સ્વે જ સાક્ષાત. ૪૧૦

મારો મારામાં સમાસ થયો. તારાથી પૂર્ણ પ્રકાશ થયો. હવે મારે કંઈ વાત પૂછવાની નથી. વસ્તુતઃ પોતે જ સાક્ષાત્‌-સ્વરૂપ છે.

જ્યાંહાં જેહેવો ત્યાંહાં તેહેવો હું, તેહેવા સરખા હું ને તું,
અહં બ્ર[૩૭ખ]હ્મ સ્વે જ સાક્ષાત, સ્વે માંહે એ સઘલી વાત. ૪૧૧

જ્યાં જેવો તું છે તેવો હું છું. હું ને તું એ પ્રમાણે સરખા છીએ. પોતે જ સાક્ષાત્‌ અહંબ્રહ્ય છે. પોતામાં જ એ સઘલી વાત સમાઈ છે.

તે માટે સુણ ચિત્તવિચાર, તેને નોહે ભવસંસાર;
દમાય નહીં તે દેહને વિષે, કહે અખો સમઝો સુખે.

ઘ ઝ પ્રતમાં નીચેની એક કડી વધારાની મળે છે :

ગુરૂ બ્રહ્માનંદ ભેટા જે ઘડી, ત્યાહારે એહેવી સૂઝ તે પડી;
અખે કીધો એ ચિતવિચાર, જે ચિતવે તે ઉતરે પાર્ય.