રણજિતરામ ગદ્યસંચય – ૧/તોળલ અથવા તોળીરાણી: Difference between revisions

+1
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 18: Line 18:
કાઠિયાવાડમાં આને મળતી દુહાબદ્ધ એક વાત છે. રા. રા. હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદીના સંગ્રહમાંથી એનો સાર આપું છું. એક બાઈનાં લગ્ન ઢોલરા નામના શખ્સ સાથે થયાં પણ નાનપણથી દેવરા નામના શખ્સનાં ગુણ અને પરાક્રમ સાંભળેલાં હોવાથી એનું દિલ દેવરા પર લાગ્યું હતું. દેવરા સાથે નહિ પણ ઢોલરા સાથે લગ્ન થયાં અને સાસુ સાથે સાસરે જવા નીકળી. માર્ગમાં રાત પડી જવાથી વિસામો કરવો પડ્યો. ગામમાં મહેમાનગીરી કરનાર આબરુદાર મશહૂર ગૃહસ્થ દેવરો કરીને હતો. સાસુ-વહુ તેને ત્યાં જઈ ઊતર્યાં. વહુના હૃદયમાં વસનાર દેવરાનાં તેને સાક્ષાત્ દર્શન થયાં. એટલું જ નહિ પણ સાંભળેલા ગુણ નજરે પ્રત્યક્ષ નિહાળ્યા, હૃદયમાં નિગૂઢ રહેલો સ્નેહ ઊભરાઈ ગયો પણ હૃદય દોરે ત્યાં જવા તે અશક્ત હતી. પ્હો ફાટ્યે હૃદય ત્યાં મૂકી સાસુ સાથે દેહ લઈ તે ચાલી અને બીજે દી સવારે સાસરે પહોંચી. સાસુએ બેડું આપી પાદરેથી પાણી સીંચવા મોકલી. સવારની સાંજ થઈ પણ વહુ આવી નહિ તેથી ગભરાયેલી સાસુએ દીકરાને વહુની ભાળ કાઢવા મોકલ્યો. પાદરે જઈ જુએ છે તો એક દિશા તરફ નજરયોગ સાધી વહુ કૂવાકાંઠે ઊભી છે, હાથમાં સીંચણીઉં છે, ઘડો વગર ભરાયે કૂવાના પોલાણની હવામાં અદ્ધર તરે છે અને થાળા પર ખાલી હાંડા અને ઉઢણી હતાં. ચતુર ચેતી ગયો કે વહુને હજુ પિયર સાંભરે છે અને તેની વાટ ભણી તેની તરસી નજર વળી રહી છે, વહાલથી પાસે જઈ વહુને સમાધિમાંથી કુનેહથી જગાડી અને પાણી ભરાવી ઘેર તેડી આવ્યો. રાત્રે શયનખંડમાં પતિપત્ની ભેગાં થયાં ત્યારે  
કાઠિયાવાડમાં આને મળતી દુહાબદ્ધ એક વાત છે. રા. રા. હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદીના સંગ્રહમાંથી એનો સાર આપું છું. એક બાઈનાં લગ્ન ઢોલરા નામના શખ્સ સાથે થયાં પણ નાનપણથી દેવરા નામના શખ્સનાં ગુણ અને પરાક્રમ સાંભળેલાં હોવાથી એનું દિલ દેવરા પર લાગ્યું હતું. દેવરા સાથે નહિ પણ ઢોલરા સાથે લગ્ન થયાં અને સાસુ સાથે સાસરે જવા નીકળી. માર્ગમાં રાત પડી જવાથી વિસામો કરવો પડ્યો. ગામમાં મહેમાનગીરી કરનાર આબરુદાર મશહૂર ગૃહસ્થ દેવરો કરીને હતો. સાસુ-વહુ તેને ત્યાં જઈ ઊતર્યાં. વહુના હૃદયમાં વસનાર દેવરાનાં તેને સાક્ષાત્ દર્શન થયાં. એટલું જ નહિ પણ સાંભળેલા ગુણ નજરે પ્રત્યક્ષ નિહાળ્યા, હૃદયમાં નિગૂઢ રહેલો સ્નેહ ઊભરાઈ ગયો પણ હૃદય દોરે ત્યાં જવા તે અશક્ત હતી. પ્હો ફાટ્યે હૃદય ત્યાં મૂકી સાસુ સાથે દેહ લઈ તે ચાલી અને બીજે દી સવારે સાસરે પહોંચી. સાસુએ બેડું આપી પાદરેથી પાણી સીંચવા મોકલી. સવારની સાંજ થઈ પણ વહુ આવી નહિ તેથી ગભરાયેલી સાસુએ દીકરાને વહુની ભાળ કાઢવા મોકલ્યો. પાદરે જઈ જુએ છે તો એક દિશા તરફ નજરયોગ સાધી વહુ કૂવાકાંઠે ઊભી છે, હાથમાં સીંચણીઉં છે, ઘડો વગર ભરાયે કૂવાના પોલાણની હવામાં અદ્ધર તરે છે અને થાળા પર ખાલી હાંડા અને ઉઢણી હતાં. ચતુર ચેતી ગયો કે વહુને હજુ પિયર સાંભરે છે અને તેની વાટ ભણી તેની તરસી નજર વળી રહી છે, વહાલથી પાસે જઈ વહુને સમાધિમાંથી કુનેહથી જગાડી અને પાણી ભરાવી ઘેર તેડી આવ્યો. રાત્રે શયનખંડમાં પતિપત્ની ભેગાં થયાં ત્યારે  
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>ઢોલા મ ઢાળ્ય ઢોલીઓ, ઢોલે  મન ઢળે નૈ;
{{Block center|'''<poem>ઢોલા મ ઢાળ્ય ઢોલીઓ, ઢોલે<ref>ઢોલા તરફ</ref> મન ઢળે નૈ;
મઝાલ મારા કપડની કોર, દુઃખ માનશે દેવરો.</poem>'''}}
મઝાલ મારા કપડની કોર, દુઃખ માનશે દેવરો.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 24: Line 24:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>દીકરીયું દેવાય, વવું દેવાય નૈ;
{{Block center|'''<poem>દીકરીયું દેવાય, વવું દેવાય નૈ;
એક સાટે બે જાય, તોય ઢાળ  માગે ઢોલરો.</poem>'''}}
એક સાટે બે જાય, તોય ઢાળ<ref>વધારો</ref> માગે ઢોલરો.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એ જ સંગ્રહમાંથી બીજી વાતનો સારાંશ ઉતારીએ. હાટીના માળિયાનો પીઠો હાટી અને ભંડારિયાનો ભોજો કામળીઓ જબરા લૂંટારા હતા. બન્નેએ એકબીજાને જોયા નહોતા છતાં મરદાનીનાં પરાક્રમથી દોસ્તી બન્ને વચ્ચે હતી. એક વખત કામળીઓ મારણ કરવા ગયેલો અને ભંડારિયા પાસેથી આઘેથી લૂંટ કરી પાછો વળતો જતો હતો ત્યાં દોસ્ત સાંભર્યો એટલે ગામમાં પૂછતો મળવા જતો હતો ત્યાં પાદરે વાવડ મળ્યા કે ભોજો બહારગામ ગયેલો છે. આ પરથી તે પોતાને રસ્તે પડ્યો. પણ તેના આવ્યાની ખબર ભોજાની વહુ વેજલને થતાં જ તેણે પીઠાને પાછો વાળી પોતાનો મહેમાન કરી આગતાસ્વાગતા કરી. બે-ત્રણ દિવસ રાહ જોઈ પણ ભોજો આવ્યો નહિ એટલે પીઠો પોતાને વતન ગયો. મારણ પરથી ભોજો આવ્યો ત્યારે હલકા લોકોએ પીઠા અને વેજલ માટે તેના દિલમાં સંશય ઉપજાવ્યો. આથી ખીજવાઈ વેજલને ઘર બહાર કાઢી મૂકી અને મહેણે મહેણે તેને ખિન્ન કરી દીધી.
એ જ સંગ્રહમાંથી બીજી વાતનો સારાંશ ઉતારીએ. હાટીના માળિયાનો પીઠો હાટી અને ભંડારિયાનો ભોજો કામળીઓ જબરા લૂંટારા હતા. બન્નેએ એકબીજાને જોયા નહોતા છતાં મરદાનીનાં પરાક્રમથી દોસ્તી બન્ને વચ્ચે હતી. એક વખત કામળીઓ મારણ કરવા ગયેલો અને ભંડારિયા પાસેથી આઘેથી લૂંટ કરી પાછો વળતો જતો હતો ત્યાં દોસ્ત સાંભર્યો એટલે ગામમાં પૂછતો મળવા જતો હતો ત્યાં પાદરે વાવડ મળ્યા કે ભોજો બહારગામ ગયેલો છે. આ પરથી તે પોતાને રસ્તે પડ્યો. પણ તેના આવ્યાની ખબર ભોજાની વહુ વેજલને થતાં જ તેણે પીઠાને પાછો વાળી પોતાનો મહેમાન કરી આગતાસ્વાગતા કરી. બે-ત્રણ દિવસ રાહ જોઈ પણ ભોજો આવ્યો નહિ એટલે પીઠો પોતાને વતન ગયો. મારણ પરથી ભોજો આવ્યો ત્યારે હલકા લોકોએ પીઠા અને વેજલ માટે તેના દિલમાં સંશય ઉપજાવ્યો. આથી ખીજવાઈ વેજલને ઘર બહાર કાઢી મૂકી અને મહેણે મહેણે તેને ખિન્ન કરી દીધી.
વેજલ પહેલાં તો ગભરાઈ પણ વિચાર કરી મૂંઝવણમાંથી અને બેઆબરૂમાંથી રસ્તો કાઢ્યો. પીઠાની પરોણાચાકરી કરવામાં પોતે બદનામ થઈ તો હવે પીઠાના જ ઘરમાં જઈ બેસવું અને ભોજાની સામી આબરૂ લેવી એવો નિશ્ચય કરી તે માળિયા ગઈ. પાદર પરથી બેડું ભરી ચોરે પીઠો બેઠો હતો ત્યાં ગઈ અને
વેજલ પહેલાં તો ગભરાઈ પણ વિચાર કરી મૂંઝવણમાંથી અને બેઆબરૂમાંથી રસ્તો કાઢ્યો. પીઠાની પરોણાચાકરી કરવામાં પોતે બદનામ થઈ તો હવે પીઠાના જ ઘરમાં જઈ બેસવું અને ભોજાની સામી આબરૂ લેવી એવો નિશ્ચય કરી તે માળિયા ગઈ. પાદર પરથી બેડું ભરી ચોરે પીઠો બેઠો હતો ત્યાં ગઈ અને
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>ઉજમમાંથી આવતી, મેં કાંઈ વાટે નથી કરી વેલ,  
{{Block center|'''<poem>ઉજમમાંથી આવતી, મેં કાંઈ વાટે નથી કરી વેલ<ref>ગાડું</ref>,  
હાડી તું ઉતાર ને હેલ, નૈં તો પગમાંથી નીકળ પીઠીઆ.</poem>'''}}
હાડી તું ઉતાર ને હેલ, નૈં તો પગમાંથી નીકળ પીઠીઆ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 51: Line 51:
કર્ણપરંપરાએ સાંભળેલી વાતોમાં દોષ પ્રવેશ પામ્યા હોય, પ્રસંગો ઉકેલવામાં ભૂલ થઈ હોય તો સુજ્ઞોને તે દૂર કરવા વિનંતી છે.
કર્ણપરંપરાએ સાંભળેલી વાતોમાં દોષ પ્રવેશ પામ્યા હોય, પ્રસંગો ઉકેલવામાં ભૂલ થઈ હોય તો સુજ્ઞોને તે દૂર કરવા વિનંતી છે.
તા. ક. લેખ લખતી વેળા એકે ભજનસંગ્રહ મારી પાસે નહોતો તેમ તરતમાં મેળવી શકાય એવું નહોતું. એટલે ભજનોમાંથી નિર્દેશક ઉતારા અપાયા નથી તેમ કેટલીક વાતો અધૂરી અથવા ટૂંકામાં પતાવવી પડી છે. આ લેખથી કોઈ બંધુમાં જિજ્ઞાસા જાગશે અને વાસ્તવ હકીકત મેળવવા તે પ્રવૃત્ત થશે તો આ પ્રયાસમાં રહેલી ખામીઓનું સાટું વળી જશે.
તા. ક. લેખ લખતી વેળા એકે ભજનસંગ્રહ મારી પાસે નહોતો તેમ તરતમાં મેળવી શકાય એવું નહોતું. એટલે ભજનોમાંથી નિર્દેશક ઉતારા અપાયા નથી તેમ કેટલીક વાતો અધૂરી અથવા ટૂંકામાં પતાવવી પડી છે. આ લેખથી કોઈ બંધુમાં જિજ્ઞાસા જાગશે અને વાસ્તવ હકીકત મેળવવા તે પ્રવૃત્ત થશે તો આ પ્રયાસમાં રહેલી ખામીઓનું સાટું વળી જશે.
{{center|રૂપાંદેનાં ભજનો}}
{{Poem2Close}}
{{center|'''રૂપાંદેનાં ભજનો'''}}
{{center|[૧]}}
{{center|[૧]}}
{{Block center|<poem>રાઓળ માલા, આ દિલ ખોજો તો,
{{Block center|<poem>રાઓળ માલા, આ દિલ ખોજો તો,
Line 87: Line 88:
ઉગમશીની ચેલી રૂપાંદે રાણી બોલીઆં રે હો જી,
ઉગમશીની ચેલી રૂપાંદે રાણી બોલીઆં રે હો જી,
મારા સાધુડા તો અમરપુરામાં માલે. મારા રાજ રે...નર રે.</poem>}}
મારા સાધુડા તો અમરપુરામાં માલે. મારા રાજ રે...નર રે.</poem>}}
{{center|લીળલદેનાં ભજનો}}
{{center|'''લીળલદેનાં ભજનો'''}}
{{center|[૧]}}
{{center|[૧]}}
{{Block center|<poem>એવાં પુરાં રે મળે તો રાવો રેડીએ હો જી,
{{Block center|<poem>એવાં પુરાં રે મળે તો રાવો રેડીએ હો જી,
Line 115: Line 116:
બોલીયાં લીળલદે, ગુરુ ચરણમાં રાખો. ગુરુજી૦
બોલીયાં લીળલદે, ગુરુ ચરણમાં રાખો. ગુરુજી૦
</poem>}}
</poem>}}
{{Poem2Close}}
'''નોંધ:'''
{{Reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2