સરળ અલંકાર-વિવેચન/ઉપમા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
+1
 
No edit summary
 
Line 8: Line 8:
ગુલછડી સમોવડી એક બાલિકા હતી. (વસંતોત્સવ)  
ગુલછડી સમોવડી એક બાલિકા હતી. (વસંતોત્સવ)  
આ પંક્તિમાં કોઈ નાનકડી બાલિકાને કોમળ વયની ગુલછડી સાથે સરખાવી છે, માટે આ ઉપમા થઈ કહેવાય.
આ પંક્તિમાં કોઈ નાનકડી બાલિકાને કોમળ વયની ગુલછડી સાથે સરખાવી છે, માટે આ ઉપમા થઈ કહેવાય.
ઉપમા અલંકારના વિવિધ પ્રકારો છે તેથી તેમજ વિવિધ અલંકારો સમજવા માટે ઉપમાનાં વિવિધ અંગો કે અંશો પહેલાં બરાબર સમજવા જોઈએ.
ઉપમા અલંકારના વિવિધ પ્રકારો છે તેથી તેમજ વિવિધ અલંકારો સમજવા માટે ઉપમાનાં વિવિધ અંગો કે અંશો પહેલાં બરાબર સમજવા જોઈએ.
તો, ઉપમામાં જે મૂળ વસ્તુની બીજી વસ્તુ સાથે સરખામણી કરવામાં આવે, તે મૂળ અથવા પ્રસ્તુત વસ્તુને ઉપમેય કહે છે. આમ જે વસ્તુ સરખાવવામાં આવે છે તે ઉપમેય કહેવાય ને જેની સાથે સરખામણી કરવામાં આવે છે તે કલ્પિત અથવા અપ્રસ્તુત વસ્તુ ઉપમાન કહેવાય. જેમકે હાર અને બાલિકા ઉપરના બે દૃષ્ટાંતોમાં ઉપમેય કહેવાય ને મૃણાલદંડ અને ગુલછડી ઉપમાન કહેવાય. સરખામણી બે જુદી વસ્તુઓમાં રહેલા કોઈ સમાન તત્ત્વને કારણે થતી હોય છે. તેથી બંને પદાર્થોમાં જે સમાન તત્ત્વ રહેલું હોય તે સાધારણ ધર્મ કહેવાય. પહેલા દૃષ્ટાંતમાં ‘અતિસુંદર’ શબ્દ સાધારણ ધર્મ કહેવાય; બીજા ઉદાહરણમાં સાધારણ ધર્મ રજૂ થયો નથી, પણ તે સૂચવાયલો તો છે જ. બાલિકા ગુલછડીના જેવી સુંદર, કોમળ, રમણીય હતી, એમ કહેવાનો ઉદ્દેશ છે; તેથી સુંદર અથવા કોમળ કે રમણીય સાધારણ ધર્મ કહેવાય. અહીં તે દર્શાવાયો નથી તેથી તેનો લોપ થયો છે, તે અધ્યાહાર છે, એમ કહેવાય. ઉપરના બંને દૃષ્ટાન્તમાં તુલના અથવા સામ્ય સૂચવનાર જે શબ્દ છે તે ઉપમાપ્રતિપાદક અથવા ઉપમાવાચંક શબ્દ કહેવાય. આવો ઉપમાવાચક શબ્દ પહેલા દૃષ્ટાન્તમાં (મૃણાલદંડ) જેવો છે, જ્યારે બીજા દૃષ્ટાન્તમાં (ગુલછડી) સમોવડી છે. તેથી જેવો, જેવી, તુલ્ય, સમ, સમાન, સરખું, સમોવડું તેમ જ તુલના દર્શાવતા હોય ત્યારે શો, શી, શું-શબ્દો ઉપમાવાચક શબ્દો કહેવાય. ‘જેમ’ શબ્દ મોટે ભાગે ઉપમા કરતાં દૃષ્ટાન્તને વધુ સ્ફુટ કરે છે તેથી તેને અહીં ગણ્યો નથી. અલબત્ત કવચિત્ ઉપમાવાચક તરીકે તે કામ કરે છે ખરો.  
 
હવે જ્યારે ઉપમેય, ઉપમાન, ઉપમાવાચક શબ્દ ને સાધારણ ધર્મ એ ચારે તત્ત્વ ઉપમામાં દેખાતાં હોય ત્યારે તે પૂર્ણોપમા કહેવાય. જેમકે—
તો, ઉપમામાં જે મૂળ વસ્તુની બીજી વસ્તુ સાથે સરખામણી કરવામાં આવે, તે મૂળ અથવા પ્રસ્તુત વસ્તુને '''ઉપમેય''' કહે છે. આમ જે વસ્તુ સરખાવવામાં આવે છે તે ઉપમેય કહેવાય ને જેની સાથે સરખામણી કરવામાં આવે છે તે કલ્પિત અથવા અપ્રસ્તુત વસ્તુ '''ઉપમાન''' કહેવાય. જેમકે હાર અને બાલિકા ઉપરના બે દૃષ્ટાંતોમાં ઉપમેય કહેવાય ને મૃણાલદંડ અને ગુલછડી ઉપમાન કહેવાય. સરખામણી બે જુદી વસ્તુઓમાં રહેલા કોઈ સમાન તત્ત્વને કારણે થતી હોય છે. તેથી બંને પદાર્થોમાં જે સમાન તત્ત્વ રહેલું હોય તે '''સાધારણ ધર્મ''' કહેવાય. પહેલા દૃષ્ટાંતમાં ‘અતિસુંદર’ શબ્દ સાધારણ ધર્મ કહેવાય; બીજા ઉદાહરણમાં સાધારણ ધર્મ રજૂ થયો નથી, પણ તે સૂચવાયલો તો છે જ. બાલિકા ગુલછડીના જેવી સુંદર, કોમળ, રમણીય હતી, એમ કહેવાનો ઉદ્દેશ છે; તેથી સુંદર અથવા કોમળ કે રમણીય સાધારણ ધર્મ કહેવાય. અહીં તે દર્શાવાયો નથી તેથી તેનો '''લોપ''' થયો છે, તે અધ્યાહાર છે, એમ કહેવાય. ઉપરના બંને દૃષ્ટાન્તમાં તુલના અથવા સામ્ય સૂચવનાર જે શબ્દ છે તે '''ઉપમાપ્રતિપાદક''' અથવા '''ઉપમાવાચક''' શબ્દ કહેવાય. આવો ઉપમાવાચક શબ્દ પહેલા દૃષ્ટાન્તમાં (મૃણાલદંડ) '''જેવો''' છે, જ્યારે બીજા દૃષ્ટાન્તમાં (ગુલછડી) '''સમોવડી''' છે. તેથી જેવો, જેવી, તુલ્ય, સમ, સમાન, સરખું, સમોવડું તેમ જ તુલના દર્શાવતા હોય ત્યારે શો, શી, શું-શબ્દો '''ઉપમાવાચક''' શબ્દો કહેવાય. ‘જેમ’ શબ્દ મોટે ભાગે ઉપમા કરતાં દૃષ્ટાન્તને વધુ સ્ફુટ કરે છે તેથી તેને અહીં ગણ્યો નથી. અલબત્ત કવચિત્ ઉપમાવાચક તરીકે તે કામ કરે છે ખરો.  
હવે જ્યારે ઉપમેય, ઉપમાન, ઉપમાવાચક શબ્દ ને સાધારણ ધર્મ એ ચારે તત્ત્વ ઉપમામાં દેખાતાં હોય ત્યારે તે '''પૂર્ણોપમા''' કહેવાય. જેમકે—
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>ઉત્કંઠી ઉન્મુખી ત્યાં મનહર મધુરી તન્વી શી પાનવેલો.
{{Block center|'''<poem>ઉત્કંઠી ઉન્મુખી ત્યાં મનહર મધુરી તન્વી શી પાનવેલો.
{{Right|(ચિત્રદર્શનો)}}</poem>'''}}
{{Right|(ચિત્રદર્શનો)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પંક્તિમાં મનહર મધુર પાનવેલોને તન્વંગી, કોમલાંગી, સ્ત્રી સાથે સરખાવી છે. ઉત્કંઠી અને ઉન્મુખી એ વિશેષણ અહીં ઉપમેય અને ઉપમાન બંનેને લાગુ પાડી શકાય. પણ મનહર અને મધુરી વિશેષણ તો અહીં તન્વીને તેમ જ પાનવેલોને લાગુ પડે છે. તેથી અહીં તે સાધારણ ધર્મ છે; પાનવેલો ઉપમેય છે, તન્વી (પાતળા શરીરવાળી નાજુક સ્ત્રી) ઉપમાન છે ને ‘શી’ ઉપમાવાચક શબ્દ છે. આમ ચારે અંગો અહીં રહેલાં છે માટે આ પૂર્ણોપમા કહેવાય. અથવા
આ પંક્તિમાં મનહર મધુર પાનવેલોને તન્વંગી, કોમલાંગી, સ્ત્રી સાથે સરખાવી છે. ઉત્કંઠી અને ઉન્મુખી એ વિશેષણ અહીં ઉપમેય અને ઉપમાન બંનેને લાગુ પાડી શકાય. પણ મનહર અને મધુરી વિશેષણ તો અહીં તન્વીને તેમ જ પાનવેલોને લાગુ પડે છે. તેથી અહીં તે '''સાધારણ ધર્મ''' છે; પાનવેલો '''ઉપમેય''' છે, તન્વી (પાતળા શરીરવાળી નાજુક સ્ત્રી) '''ઉપમાન''' છે ને ‘શી’ '''ઉપમાવાચક''' શબ્દ છે. આમ ચારે અંગો અહીં રહેલાં છે માટે આ પૂર્ણોપમા કહેવાય. અથવા
એની આંખો હરણના જેવી ચંચળ ને સુંદર છે.
એની આંખો હરણના જેવી ચંચળ ને સુંદર છે.
એ પણ પૂર્ણોપમાનો દાખલો છે.
એ પણ પૂર્ણોપમાનો દાખલો છે.
હવે આ ચારમાંથી કોઈ પણ એક કે તેથી વધુ તત્ત્વનો જ્યારે લોપ થયો હોય, પરંતુ અલંકારનું ઉપમાપણું સ્પષ્ટ જણાતું હોય ત્યારે તે લુપ્તોપમા કહેવાય. લુપ્તોપમામાં જ્યારે ઉપમાનનો લોપ થયો હોય ત્યારે ઉપમાનલુપ્તા ઉપમા થાય; સાધારણ ધર્મનો લોપ થાય ત્યારે તે ધર્મલુપ્તા થાય ને ઉપમાવાચક શબ્દનો લોપ થયો હોય ત્યારે વાચકલુપ્તા ઉપમા થાય. આમ (૧) ઉપમાનલુપ્તા (૨) ધર્મલુપ્તા અને (૩) વાચકલુપ્તા એવા ત્રણ લુપ્તોપમાના વિભાગો છે. અહીં ઉપમેયનો લોપ સંભવિત નથી તેથી ઉપમેયલુપ્તા ઉપમા બની શકતી નથી. ઉપમેયને જ અવલંખીને ઉપમા પ્રગટ થતી હોય છે; તેથી ઉપમેયનો લોપ થવો અસંભવિત છે.
હવે આ ચારમાંથી કોઈ પણ એક કે તેથી વધુ તત્ત્વનો જ્યારે લોપ થયો હોય, પરંતુ અલંકારનું ઉપમાપણું સ્પષ્ટ જણાતું હોય ત્યારે તે '''લુપ્તોપમા''' કહેવાય. લુપ્તોપમામાં જ્યારે ઉપમાનનો લોપ થયો હોય ત્યારે '''ઉપમાનલુપ્તા''' ઉપમા થાય; સાધારણ ધર્મનો લોપ થાય ત્યારે તે '''ધર્મલુપ્તા''' થાય ને ઉપમાવાચક શબ્દનો લોપ થયો હોય ત્યારે '''વાચકલુપ્તા''' ઉપમા થાય. આમ (૧) ઉપમાનલુપ્તા (૨) ધર્મલુપ્તા અને (૩) વાચકલુપ્તા એવા ત્રણ લુપ્તોપમાના વિભાગો છે. અહીં '''ઉપમેયનો''' લોપ સંભવિત નથી તેથી ઉપમેયલુપ્તા ઉપમા બની શકતી નથી. ઉપમેયને જ અવલંખીને ઉપમા પ્રગટ થતી હોય છે; તેથી ઉપમેયનો લોપ થવો અસંભવિત છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
'''(अ) ઉપમાનલુપ્તા :'''
'''(अ) ઉપમાનલુપ્તા :'''
Line 50: Line 52:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તેની સાથે-પણ જરા પાછળ-ચૌદ પંદર વર્ષની સંપૂર્ણ મુગ્ધાવસ્થામાં પણ જુવાનીના મળસ્કાના ઉજાસમાં, બુદ્ધિધનના પુત્ર પ્રમાદધનની નવોઢા પત્ની કુમુદસુંદરી રમણીય હંસગતિથી ચાલતી હતી.{{Poem2Close}}
તેની સાથે-પણ જરા પાછળ-ચૌદ પંદર વર્ષની સંપૂર્ણ મુગ્ધાવસ્થામાં પણ જુવાનીના મળસ્કાના ઉજાસમાં, બુદ્ધિધનના પુત્ર પ્રમાદધનની નવોઢા પત્ની કુમુદસુંદરી રમણીય '''હંસગતિથી''' ચાલતી હતી.{{Poem2Close}}
{{right|(સંક્ષિપ્ત સરસ્વતીચંદ્ર)}}<br>
{{right|(સંક્ષિપ્ત સરસ્વતીચંદ્ર)}}<br>
{{Poem2Open}}
{{Poem2Open}}

Latest revision as of 03:05, 27 June 2026

(૧) ઉપમા:

બે વસ્તુઓ વચ્ચેની સરખામણને ઉપમા કહે છે. પરંતુ સરખામણી શબ્દ દ્વારા જ સ્પષ્ટ થાય છે તેમ, બે તદ્દન સરખી વસ્તુની સરખામણી સંભવતી નથી; એક હાથને બીજા હાથ સાથે, એક આંખને બીજી આંખ સાથે, એક બારણાને બીજા બારણા સાથે, સરખાવવાનો કશો અર્થ નથી. કેમકે એમાં તો સરખાપણું અથવા સમાનતા છે જ. એટલે બે વસ્તુ એકબીજાથી જુદી હોય ને છતાં એમની વચ્ચે રહેલા કોઈ સમાન તત્ત્વને લીધે એમની જ્યારે સરખામણી કરવામાં આવે ત્યારે જ ઉપમા અલંકાર સંભવી શકે. જેમકે— તેના હાથમાં વિષ્ણુના કમલના મૃણાલદંડ જેવો, શરદના નાના મેઘથી ઘડ્યો હોય તેવો, અતિસુંદર હાર હતો. (કાદંબરી-કથા) અહીં હારને વિષ્ણુના કમલના મૃણાલદંડ સાથે સરખાવ્યો છે તે જણાશે. અથવા તો, ગુલછડી સમોવડી એક બાલિકા હતી. (વસંતોત્સવ) આ પંક્તિમાં કોઈ નાનકડી બાલિકાને કોમળ વયની ગુલછડી સાથે સરખાવી છે, માટે આ ઉપમા થઈ કહેવાય.

ઉપમા અલંકારના વિવિધ પ્રકારો છે તેથી તેમજ વિવિધ અલંકારો સમજવા માટે ઉપમાનાં વિવિધ અંગો કે અંશો પહેલાં બરાબર સમજવા જોઈએ.

તો, ઉપમામાં જે મૂળ વસ્તુની બીજી વસ્તુ સાથે સરખામણી કરવામાં આવે, તે મૂળ અથવા પ્રસ્તુત વસ્તુને ઉપમેય કહે છે. આમ જે વસ્તુ સરખાવવામાં આવે છે તે ઉપમેય કહેવાય ને જેની સાથે સરખામણી કરવામાં આવે છે તે કલ્પિત અથવા અપ્રસ્તુત વસ્તુ ઉપમાન કહેવાય. જેમકે હાર અને બાલિકા ઉપરના બે દૃષ્ટાંતોમાં ઉપમેય કહેવાય ને મૃણાલદંડ અને ગુલછડી ઉપમાન કહેવાય. સરખામણી બે જુદી વસ્તુઓમાં રહેલા કોઈ સમાન તત્ત્વને કારણે થતી હોય છે. તેથી બંને પદાર્થોમાં જે સમાન તત્ત્વ રહેલું હોય તે સાધારણ ધર્મ કહેવાય. પહેલા દૃષ્ટાંતમાં ‘અતિસુંદર’ શબ્દ સાધારણ ધર્મ કહેવાય; બીજા ઉદાહરણમાં સાધારણ ધર્મ રજૂ થયો નથી, પણ તે સૂચવાયલો તો છે જ. બાલિકા ગુલછડીના જેવી સુંદર, કોમળ, રમણીય હતી, એમ કહેવાનો ઉદ્દેશ છે; તેથી સુંદર અથવા કોમળ કે રમણીય સાધારણ ધર્મ કહેવાય. અહીં તે દર્શાવાયો નથી તેથી તેનો લોપ થયો છે, તે અધ્યાહાર છે, એમ કહેવાય. ઉપરના બંને દૃષ્ટાન્તમાં તુલના અથવા સામ્ય સૂચવનાર જે શબ્દ છે તે ઉપમાપ્રતિપાદક અથવા ઉપમાવાચક શબ્દ કહેવાય. આવો ઉપમાવાચક શબ્દ પહેલા દૃષ્ટાન્તમાં (મૃણાલદંડ) જેવો છે, જ્યારે બીજા દૃષ્ટાન્તમાં (ગુલછડી) સમોવડી છે. તેથી જેવો, જેવી, તુલ્ય, સમ, સમાન, સરખું, સમોવડું તેમ જ તુલના દર્શાવતા હોય ત્યારે શો, શી, શું-શબ્દો ઉપમાવાચક શબ્દો કહેવાય. ‘જેમ’ શબ્દ મોટે ભાગે ઉપમા કરતાં દૃષ્ટાન્તને વધુ સ્ફુટ કરે છે તેથી તેને અહીં ગણ્યો નથી. અલબત્ત કવચિત્ ઉપમાવાચક તરીકે તે કામ કરે છે ખરો. હવે જ્યારે ઉપમેય, ઉપમાન, ઉપમાવાચક શબ્દ ને સાધારણ ધર્મ એ ચારે તત્ત્વ ઉપમામાં દેખાતાં હોય ત્યારે તે પૂર્ણોપમા કહેવાય. જેમકે—

ઉત્કંઠી ઉન્મુખી ત્યાં મનહર મધુરી તન્વી શી પાનવેલો.
(ચિત્રદર્શનો)

આ પંક્તિમાં મનહર મધુર પાનવેલોને તન્વંગી, કોમલાંગી, સ્ત્રી સાથે સરખાવી છે. ઉત્કંઠી અને ઉન્મુખી એ વિશેષણ અહીં ઉપમેય અને ઉપમાન બંનેને લાગુ પાડી શકાય. પણ મનહર અને મધુરી વિશેષણ તો અહીં તન્વીને તેમ જ પાનવેલોને લાગુ પડે છે. તેથી અહીં તે સાધારણ ધર્મ છે; પાનવેલો ઉપમેય છે, તન્વી (પાતળા શરીરવાળી નાજુક સ્ત્રી) ઉપમાન છે ને ‘શી’ ઉપમાવાચક શબ્દ છે. આમ ચારે અંગો અહીં રહેલાં છે માટે આ પૂર્ણોપમા કહેવાય. અથવા એની આંખો હરણના જેવી ચંચળ ને સુંદર છે. એ પણ પૂર્ણોપમાનો દાખલો છે. હવે આ ચારમાંથી કોઈ પણ એક કે તેથી વધુ તત્ત્વનો જ્યારે લોપ થયો હોય, પરંતુ અલંકારનું ઉપમાપણું સ્પષ્ટ જણાતું હોય ત્યારે તે લુપ્તોપમા કહેવાય. લુપ્તોપમામાં જ્યારે ઉપમાનનો લોપ થયો હોય ત્યારે ઉપમાનલુપ્તા ઉપમા થાય; સાધારણ ધર્મનો લોપ થાય ત્યારે તે ધર્મલુપ્તા થાય ને ઉપમાવાચક શબ્દનો લોપ થયો હોય ત્યારે વાચકલુપ્તા ઉપમા થાય. આમ (૧) ઉપમાનલુપ્તા (૨) ધર્મલુપ્તા અને (૩) વાચકલુપ્તા એવા ત્રણ લુપ્તોપમાના વિભાગો છે. અહીં ઉપમેયનો લોપ સંભવિત નથી તેથી ઉપમેયલુપ્તા ઉપમા બની શકતી નથી. ઉપમેયને જ અવલંખીને ઉપમા પ્રગટ થતી હોય છે; તેથી ઉપમેયનો લોપ થવો અસંભવિત છે.

(अ) ઉપમાનલુપ્તા :

કયહીં જનની! જોડ મીઠી તુજના સમી ના જડે,
ઉરે અમૃતનો જ સિન્ધુ: તહીં કોણ તુંથી બઢે

અહીં, અમૃતના સિન્ધુથી ભરેલી માતાના જેવી મીઠી જોડ જગતમાં ક્યાંયે જડે એમ નથી, તો હે મા! તારાથી ચઢિયાતું કોઈ ક્યાંથી જ હોય?–એવો ભાવ છે. માતા અહીં ઉપમેય છે. માતાની મધુરતા સાધારણ ધર્મ છે, સમી ઉપમાવાચક શબ્દ છે ને ઉપમાન નથી તેથી ઉપમાનલુપ્તાનો આ પ્રકાર છે.

(ब) ધર્મલુપ્તા :

આ પ્રેમ સંસારીતણો તુજ તેજ જેવો છે નકી,
એ અમૃતે શું ઝેરનાં બિંદુ ભર્યાં વિધિએ નથી ?
(કલાપીનો કેકારવ)

અહીં આગિયાના તેજની સાથે સંસારી લોકોનો પ્રેમ સરખાવેલો છે. તેથી પ્રેમ ઉપમેય છે, તેજ ઉપમાન છે, ‘જેવો’ ઉપમાવાચક છે ને આગિયાના તેજ જેવો સંસારીનો પ્રેમ ક્ષણિક છે એમ કહેવાનો આશય છે; એટલે ક્ષણિક, ચંચળ એ સાધારણ ધર્મનો લોપ થયો છે. આમ આ ઉપમા ધર્મલુપ્તા છે. અથવા આ ઉદાહરણ જુઓ:

પ્રિય ઉછળતાં બે હૈયાંનો થયો અહીં સંગમ,
અહીં પૂનમની રાતે મોજે ચડ્યાં ભરતી સમ.
(ધ્વનિ)

અહીં બે ઊછળતાં હૈયાંને ભરતીની સાથે સરખાવ્યાં છે. પણ સાધારણ ધર્મ રજૂ થયો નથી, માટે આ ઉદાહરણ ધર્મલુપ્તા ઉપમાનું છે.

(क ) વાચકલુપ્તા :

જેમાં ઉપમાવાચક શબ્દનો લોપ થયો હોય, પણ ઉપમાનાં બીજાં બધાં અંગો હોય ને ભાવ પણ ઉપમારૂપે જ વ્યક્ત થતો હોય તે વાચકલુપ્તા ઉપમા કહેવાય. આપણે એક સામાન્ય ઉદાહરણ લઈએઃ

ભાઈ! ગંગાની પવિત્રતા ખાબોચિયામાં ક્યાંથી હોય ?

અહીં કહેવાને ઉદ્દેશ એ છે કે ગંગાના જેવી પવિત્રતા ખાબોચિયામાં ક્યાંથી આવી શકે? પણ અહીં ઉપમાવાચક શબ્દ ‘જેવી’નો લોપ થયેલો છે માટે આ ઉદાહરણ વાચકલુપ્તા ઉપમાનું ગણાય. એવું જ બીજું ઉદાહરણ જુઓ :

તેની સાથે-પણ જરા પાછળ-ચૌદ પંદર વર્ષની સંપૂર્ણ મુગ્ધાવસ્થામાં પણ જુવાનીના મળસ્કાના ઉજાસમાં, બુદ્ધિધનના પુત્ર પ્રમાદધનની નવોઢા પત્ની કુમુદસુંદરી રમણીય હંસગતિથી ચાલતી હતી.

(સંક્ષિપ્ત સરસ્વતીચંદ્ર)

અહીં ‘હંસગતિથી’ એટલે ‘હંસના જેવી ગતિથી એવો અર્થ ઉદ્દિષ્ટ છે; ને આમ ‘જેવો’ કે તેને મળતો અન્ય ઉપમાવાચક શબ્દ લુપ્ત હોવાથી આ ઉદાહરણ વાચકલુપ્તા ઉપમાનું છે. એવું જ આ ઉદાહરણ જુઓ :

બપૈયો હું ઝુરું વ્હાલી, પ્રેમવહ્નિ વિશે મહા,
શીળું પીયૂષ વર્ષીને ઠાર ઓ શશિશીતલા !
(સુલોચનાનું લોચનદાન)

અહીં બીજી પંક્તિમાં સુલોચનાને ચંદ્ર જેવી શીતળ કહી છે. માટે આ વાચકલુપ્તા ઉપમા છે. ઉપમાના આ ઉપરાંત નાના મોટા અનેક ભેદો છે, પણ અહીં આપણે એટલી ઝીણવટથી પૃથક્કરણ કરવાની જરૂર નથી, તેથી તે પ્રભેદોની ચર્ચા આપણે નહિ કરીએ.