મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા પદ ૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પદ ૧ | રમણ સોની}}
{{Heading|પદ ૧ | અખાજી}}
<poem>
<poem>
જીવની આદિ વિચારો રે પંડિતો,
જીવની આદિ વિચારો રે પંડિતો,

Latest revision as of 06:54, 14 August 2021


પદ ૧

અખાજી

જીવની આદિ વિચારો રે પંડિતો,
આદિ જોતાં તે અનાદિ દીસે;
દેહ તણી છાયા સમાયે તે દેહ વિષે
જ્યારે મધ્ય આવે સૂર શીષે.
હો જીવની –૧
તનમનને ઓળખ્યા વિના ઓતળે,
જ્યમ સૂત્રધાર નિજ નાવ નિર્મે;
તે જ સૂત્રધાર તે નાવે બેઠે થકે
પછે પરવશ પડ્યો પંથ કરમે.
હો જીવની –૨
તન મન નૌકા જીવ ગણે માહરું,
પણ ભવસાગર મધે કાળ ખેડે;
કર્મના વાયુને વશ લાગ્યો ડોલવા,
ત્યારે હાથથી વાત વટકી જ નેડે.
હો જીવની – ૩
ભર્મે ભર્મ ભટકે ઘણા ભવ વિષે,
ગુરુ ગોવિંદના શર્ણ પાખે;
માયા રૂપિણી મા જ વા’લી અખા,
તે જાણીને જનુની ભેદ રાખે,
હો જીવની – ૪