અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાસ્કર વોરા/અધૂરી ઓળખ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 29: Line 29:
{{HeaderNav
{{HeaderNav
|previous=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘સાબિર’ વટવા/ધ્રૂજતી પ્યાલી | ધ્રૂજતી પ્યાલી]]  | વાત આવી ઓષ્ઠો થરથરતા સુધી; જીભ ના... ]]
|previous=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘સાબિર’ વટવા/ધ્રૂજતી પ્યાલી | ધ્રૂજતી પ્યાલી]]  | વાત આવી ઓષ્ઠો થરથરતા સુધી; જીભ ના... ]]
|next = [[અઅર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાસ્કર વોરા/વાલમજી! હું તો — | વાલમજી! હું તો —]]  | વાલમજી! હું તો થોડી ભીની ને ઝાઝી કોરી! ]]
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખલાલ ઝવેરી/અભિમન્યુનું મૃત્યુ | અભિમન્યુનું મૃત્યુ]]  | ચાપહીન થયે એને ઉરે ઉત્સાહ ઓસર્યો ]]
}}
}}

Latest revision as of 10:42, 20 October 2021


અધૂરી ઓળખ

ભાસ્કર વોરા

         મારું મન એકલું નાચે રે!
કોઈ છકેલા છંદે છાનું
                  રંગમાં રાચે રે!
         મારું મન એકલું નાચે રે.
કોઈ હૈયાનું ફૂલ બની એ
         ફોરતું રાન વેરાન;
કોઈના નેણે નેણ પરોવી
                  વ્હોરતું તેજ-તુફાન.
         અજાણ્યું ઉર શું વાંચે રે!

         મારું મન એકલું નાચે રે.
કોઈના રૂપે પાગલ થાતું
                  અણસારે શરમાય;
કો અધખુલ્લા અધરે એની
                  ઓળખ એળે જાય
         ઝાઝેરું કાંઈ ના જાચે રે!
કંઈક મારે સોણલે રહેજો
                  કંઈક સાચે રે!
         મારું મન એકલું નાચે રે.

(સ્પંદન, ૧૯૫૫, પૃ. ૯)