ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતાપરુદ્ર યશોભૂષણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 7: Line 7:
વિદ્યાનાથ આંધ્રપ્રદેશના કાકતીયવંશી રાજા પ્રતાપરુદ્રના આશ્રિત હતા. આ ગ્રન્થનાં બધાં જ ઉદાહરણ રાજા પ્રતાપની પ્રશસ્તિના રૂપમાં છે.
વિદ્યાનાથ આંધ્રપ્રદેશના કાકતીયવંશી રાજા પ્રતાપરુદ્રના આશ્રિત હતા. આ ગ્રન્થનાં બધાં જ ઉદાહરણ રાજા પ્રતાપની પ્રશસ્તિના રૂપમાં છે.
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
{{Poem2Close}}
<br>
<br>



Latest revision as of 07:42, 28 November 2021



પ્રતાપરુદ્ર યશોભૂષણ/(‘પ્રતાપરુદ્રીય’) : વિદ્યાનાથનો ચૌદમી સદીની પહેલી પચ્ચીસીનો દક્ષિણ ભારતમાં અતિપ્રચલિત અલંકારશાસ્ત્રનો ગ્રન્થ. કારિકા, વૃત્તિ અને ઉદાહરણો ધરાવતા આ ગ્રન્થમાં નાયક, કાવ્ય, નાટક, રસ, દોષ, ગુણ, શબ્દાલંકાર, અર્થાલંકાર, મિશ્રાલંકાર એમ ૯ (નવ) પ્રકરણો છે. સામાન્ય રીતે ગ્રન્થ ‘કાવ્યપ્રકાશ’ને અનુસરે છે પરંતુ અલંકારની બાબતમાં એ ‘અલંકારસર્વસ્વ’ને અનુસરે છે. આ ગ્રન્થ પર મલ્લિનાથના પુત્ર કુમારસ્વામીની ‘રત્નાયણ’ ટીકા ઉપલબ્ધ છે. વિદ્યાનાથ આંધ્રપ્રદેશના કાકતીયવંશી રાજા પ્રતાપરુદ્રના આશ્રિત હતા. આ ગ્રન્થનાં બધાં જ ઉદાહરણ રાજા પ્રતાપની પ્રશસ્તિના રૂપમાં છે. ચં.ટો.