કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૨૦. ખાટી રે આંબલીથી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૦. ખાટી રે આંબલીથી| }} <poem> ખાટી રે આંબલીથી કાયા મંજાણી, ::: એને...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૧૪૪)}} | {{Right|(સંકલિત કવિતા, પૃ. ૧૪૪)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૯. કાયાને કોટડે બંધાણો | |||
|next = ૨૧. ખારવાનું ગીત | |||
}} |
Latest revision as of 06:38, 15 December 2021
૨૦. ખાટી રે આંબલીથી
ખાટી રે આંબલીથી કાયા મંજાણી,
એને તેજને કિનારે એણે આણી રે.
પાંપણની પાંદડીના ઓરા તે અંતરાયે
પેલી બાજુનું કૈં ન જોયું,
નિજની સંગાથ જેનું મન ઘેલું મોહ્યું
રે પરની પ્રીત્યું ના એણે જાણી રે.
પંડને પંપાળવામાં મોંઘેરાં ચીર કેરા
રંગ રે નિહાળ્યા ઓઘરાળા,
એને અંજાળવાને ઓછી રે તેજમાળા,
ઓછાં છે જાહ્નવીનાં પાણી રે.
ખાટી રે આંબલીને ભીને તે સંગ, ઝાંખી
કાયાનો કાટ લીધો માંજી,
તેજને અંજન એવું રૂપ લીધું આંજી,
રે ઝળહળ દુનિયા ઝિલાણી રે.
(સંકલિત કવિતા, પૃ. ૧૪૪)