સોરઠી સંતવાણી/નાડીની શુદ્ધિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|નાડીની શુદ્ધિ|}} <poem> સરળ ચિત્ત રાખી નિરમળ રે’વું ને :::: આણવુ...")
 
No edit summary
 
Line 21: Line 21:
:::: આ ખેલ છે અગમ અપાર રે. — સરળ
:::: આ ખેલ છે અગમ અપાર રે. — સરળ
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ગુરુમુખી કોણ?
|next = ત્રિગુણની પાર
}}

Latest revision as of 10:32, 28 April 2022


નાડીની શુદ્ધિ

સરળ ચિત્ત રાખી નિરમળ રે’વું ને
આણવું નહીં અંતરમાં અભિમાન રે,
પ્રાણી માત્રમાં સમદૃષ્ટિ રાખવી ને
અભ્યાસે જીતવો અપાન રે —
ભાઈ રે! રજકર્મથી સદા દૂર રહેવું ને
કાયમ કરવો અભ્યાસ રે,
પાંચે પ્રાણને એક ઘરે લાવવા
શીખવો વચનનો વિશ્વાસ રે — સરળ.
ભાઈ રે! ડાબી ઇંગલા ને જમણી પિંગલા ને
રાખવું સ્વરભેદમાં ધ્યાન રે
સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં જળ પીવું ને
એમ કાયમ લેવું વ્રતમાન રે. — સરળ.
ભાઈ રે! નાડી શુદ્ધ થયા પછી અભિયાસ જાગે ને
નક્કી જાણવું નિરધાર રે,
ગંગાસતી એમ બોલિયાં રે,
આ ખેલ છે અગમ અપાર રે. — સરળ