અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`શયદા' /સુરમો નયન માટે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> હૃદય-મંથન કરી મેં વાત કાઢી છે મનન માટે, મળી છે દૃષ્ટિ જોવા કાજ, ને...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|સુરમો નયન માટે|`શયદા'}}
<poem>
<poem>
હૃદય-મંથન કરી મેં વાત કાઢી છે મનન માટે,
હૃદય-મંથન કરી મેં વાત કાઢી છે મનન માટે,
Line 20: Line 22:
{{Right|(ગુલઝારે શાયરી-૧, પૃ. ૨૦)}}
{{Right|(ગુલઝારે શાયરી-૧, પૃ. ૨૦)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`શયદા' /પ્રભુનું નામ લઈ | પ્રભુનું નામ લઈ]]  | તમારા પગ મહીં જ્યારે પડ્યો છું;]]
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રભુલાલ દ્વિવેદી/ઉજાગરો | ઉજાગરો]]  | મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા]]
}}

Latest revision as of 08:20, 20 October 2021

સુરમો નયન માટે

`શયદા'

હૃદય-મંથન કરી મેં વાત કાઢી છે મનન માટે,
મળી છે દૃષ્ટિ જોવા કાજ, ને આંખો રુદન માટે
.
ધરા પર અશ્રુ વરસાવી કરે છે નાશ કાં એનો?
અનોખા તારલા છે એ, તું રહેવા દે ગગન માટે.

યુગેયુગથી સકળ આ વિશ્વ એનું એ જ નીરખું છું,
હવે કોઈ નવી દૃષ્ટિ મને આપો નયન માટે.

સુધારા કે કુધારા ધોઈ નાખ્યા અશ્રુધારાએ,
ઊભો થા જીવ, આગળ સાફ રસ્તો છે જીવન માટે.

હૃદય મારા બળેલા, એટલું પણ ના થયું તુજથી?
બળીને પથ્થરો જો થાય છે સુરમો નયન માટે.

તમે જે ચાહ્ય તે લઈ જાવ, મારી ના નથી કાંઈ,
તમારી યાદ રહેવા દો ફકત મારા જીવન માટે.

દયા મેં દેવની માગી તો ઉત્તર એ મળ્યો ત્યાંથી —
ધરાવાળા ધરા માટે, ગગનવાળા ગગન માટે.

મને પૂછો મને પૂછો — ફૂલો કાં થઈ ગયાં કાંટા?
બગીચામાં તમે આવી ઊભાં છો, ગુલબદન માટે.

વિચારી વાંચનારા વાંચશે, ને સાફ કહેશે કે,
ગઝલ ‘શયદા’ની સાદી સાવ છે, પણ છે મનન માટે.

(ગુલઝારે શાયરી-૧, પૃ. ૨૦)