અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રુસ્વા મઝલૂમી/તીર્થધામ: Difference between revisions

(Created page with "<poem> દિલને તો માત્ર તારી મહોબતનું કામ છે, જન્નતને શું કરું, એ ખયાલી મુ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|તીર્થધામ| રુસ્વા મઝલૂમી}}
<poem>
<poem>
દિલને તો માત્ર તારી મહોબતનું કામ છે,
દિલને તો માત્ર તારી મહોબતનું કામ છે,
Line 17: Line 20:
{{Right|(મદિરા, પૃ. ૪૮)}}
{{Right|(મદિરા, પૃ. ૪૮)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રુસ્વા મઝલૂમી/ક્યાં મદિરા... | ક્યાં મદિરા...]]  | ક્યાં મદિરા ઉધાર પીધી છે?]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વેણીભાઈ પુરોહિત/અમારા મનમાં એવું હતું કે | અમારા મનમાં એવું હતું કે]]  | અમારા મનમાં એવું હતું કે તમને ઓરતા થાશે]]
}}

Latest revision as of 08:58, 21 October 2021


તીર્થધામ

રુસ્વા મઝલૂમી

દિલને તો માત્ર તારી મહોબતનું કામ છે,
જન્નતને શું કરું, એ ખયાલી મુકામ છે.

રહેમતની આવી શાન હતી ક્યારે આ પ્રથમ?
આપો દુઆ ગુનાહને કે આ દમામ છે.

દિલમાં ન યાદ હો કે ન આંખોમાં ઇન્તેજાર;
એવું જીવન શું! એવું મરણ પણ હરામ છે!

યાત્રા તરી લે આવી અહીં ચારે ધામની;
ઓ સંત! મયકદામાં બધાં તીર્થધામ છે!

મસ્તાનનું શું પૂછવું રુસ્વા થયા પછી;
મિત્રોમાં આજ મોખરે એનું જ નામ છે.

(મદિરા, પૃ. ૪૮)