અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મધુકર રાંદેરિયા/મારો તો ઇરાદો છે ખાલી કવિતામાં કામણ પૂરવાનો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> લાગે છે અવાચક થૈ ગૈ છે કલબલતી કાબર બ્હાર બધે, ન્હૈ તો અહીં એકીસાથ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|મારો તો ઇરાદો છે ખાલી કવિતામાં કામણ પૂરવાનો|મધુકર રાંદેરિયા}}
<poem>
<poem>
લાગે છે અવાચક થૈ ગૈ છે કલબલતી કાબર બ્હાર બધે,
લાગે છે અવાચક થૈ ગૈ છે કલબલતી કાબર બ્હાર બધે,
Line 27: Line 30:
શરમાળ કુસુમને કહી દો કે ‘મધુકર’નો મલાજો શા માટે?
શરમાળ કુસુમને કહી દો કે ‘મધુકર’નો મલાજો શા માટે?
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘નૂરી’/ન મળી  | ન મળી ]]  | અમે જે કલ્પી હતી એવી જિંદગી ન મળી]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રજારામ રાવળ/આ અંધકાર શો મહેકે છે !  મ અડધો | આ અંધકાર શો મહેકે છે !  મ અડધો]]  | શું કોઈ પદમણી નારીએ નિજ કેશ ઉઘાડા મૂક્યા છે !  ]]
}}

Latest revision as of 09:53, 21 October 2021


મારો તો ઇરાદો છે ખાલી કવિતામાં કામણ પૂરવાનો

મધુકર રાંદેરિયા

લાગે છે અવાચક થૈ ગૈ છે કલબલતી કાબર બ્હાર બધે,
ન્હૈ તો અહીં એકીસાથે આ શાયરના અવાજો શા માટે?

આકાશી વાદળને નામે આ વાત તમોને કહી દઉં છું,
કાં વરસી લો, કાં વીખરાઓ, આ અમથાં ગાજો શા માટે?

મારો તો ઇરાદો છે ખાલી કવિતામાં કામણ પૂરવાનો,
ત્યાં રૂપની આડે ઘૂંઘટના બેઢંગ રિવાજો શા માટે?

આ જલતી શમાને ઠારો ના, આ પરવાનાને વારો ના,
એ પ્રેમની પાગલ દુનિયામાં વહેવારુ ઇલાજો શા માટે?

દફનાઈ જવા દો ગૌરવથી એ જ્યાં જન્મે છે ત્યાં ને ત્યાં,
આંસુ ને નિસાસાની કાંધે મ્હોબતનો જનાજો શા માટે?

આજ સુરાલયના દસ્તૂર કૈં બદલાયા છે શું સાકી?
‘પી-પી’ કહેનારા બોલે છે આ ‘પાજો-પાજો’ શા માટે?

નમન નમનમાં હોયે છે કંઈ વધતો ઓછો ફેર નકી,
ન્હૈ તો આ નમેલી નજરે અમને આપ નવાજો શા માટે?

આ દિલને તમારે માટે તો બચપણથી અનામત રાખ્યું છે,
આ સ્હેજ ઉંમરમાં આવ્યાં કે આ રોજ તકાજો શા માટે?

આ વાત નથી છાની છપની, ચર્ચાય છે જાહેરમાં સઘળે,
શરમાળ કુસુમને કહી દો કે ‘મધુકર’નો મલાજો શા માટે?