અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મધુકર રાંદેરિયા/મારો તો ઇરાદો છે ખાલી કવિતામાં કામણ પૂરવાનો: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> લાગે છે અવાચક થૈ ગૈ છે કલબલતી કાબર બ્હાર બધે, ન્હૈ તો અહીં એકીસાથ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|મારો તો ઇરાદો છે ખાલી કવિતામાં કામણ પૂરવાનો|મધુકર રાંદેરિયા}} | |||
<poem> | <poem> | ||
લાગે છે અવાચક થૈ ગૈ છે કલબલતી કાબર બ્હાર બધે, | લાગે છે અવાચક થૈ ગૈ છે કલબલતી કાબર બ્હાર બધે, | ||
Line 27: | Line 30: | ||
શરમાળ કુસુમને કહી દો કે ‘મધુકર’નો મલાજો શા માટે? | શરમાળ કુસુમને કહી દો કે ‘મધુકર’નો મલાજો શા માટે? | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘નૂરી’/ન મળી | ન મળી ]] | અમે જે કલ્પી હતી એવી જિંદગી ન મળી]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રજારામ રાવળ/આ અંધકાર શો મહેકે છે ! મ અડધો | આ અંધકાર શો મહેકે છે ! મ અડધો]] | શું કોઈ પદમણી નારીએ નિજ કેશ ઉઘાડા મૂક્યા છે ! ]] | |||
}} |
Latest revision as of 09:53, 21 October 2021
મધુકર રાંદેરિયા
લાગે છે અવાચક થૈ ગૈ છે કલબલતી કાબર બ્હાર બધે,
ન્હૈ તો અહીં એકીસાથે આ શાયરના અવાજો શા માટે?
આકાશી વાદળને નામે આ વાત તમોને કહી દઉં છું,
કાં વરસી લો, કાં વીખરાઓ, આ અમથાં ગાજો શા માટે?
મારો તો ઇરાદો છે ખાલી કવિતામાં કામણ પૂરવાનો,
ત્યાં રૂપની આડે ઘૂંઘટના બેઢંગ રિવાજો શા માટે?
આ જલતી શમાને ઠારો ના, આ પરવાનાને વારો ના,
એ પ્રેમની પાગલ દુનિયામાં વહેવારુ ઇલાજો શા માટે?
દફનાઈ જવા દો ગૌરવથી એ જ્યાં જન્મે છે ત્યાં ને ત્યાં,
આંસુ ને નિસાસાની કાંધે મ્હોબતનો જનાજો શા માટે?
આજ સુરાલયના દસ્તૂર કૈં બદલાયા છે શું સાકી?
‘પી-પી’ કહેનારા બોલે છે આ ‘પાજો-પાજો’ શા માટે?
નમન નમનમાં હોયે છે કંઈ વધતો ઓછો ફેર નકી,
ન્હૈ તો આ નમેલી નજરે અમને આપ નવાજો શા માટે?
આ દિલને તમારે માટે તો બચપણથી અનામત રાખ્યું છે,
આ સ્હેજ ઉંમરમાં આવ્યાં કે આ રોજ તકાજો શા માટે?
આ વાત નથી છાની છપની, ચર્ચાય છે જાહેરમાં સઘળે,
શરમાળ કુસુમને કહી દો કે ‘મધુકર’નો મલાજો શા માટે?