અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન ભગત/ઍકવેરિયમમાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> તરે છ માછલી, ન જિંદગી સ્મરે છ પાછલી? અહીં પ્રકાશ, કિંતુ સૂર્યનો ન...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ઍકવેરિયમમાં| નિરંજન ભગત}}
<poem>
<poem>
તરે છ માછલી,
તરે છ માછલી,
Line 27: Line 29:
{{Right|(છંદોલય, પૃ. ૨૦૫)}}
{{Right|(છંદોલય, પૃ. ૨૦૫)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ઝૂમાં - સિંહને જોઈને
|next = પાત્રો
}}

Latest revision as of 12:01, 21 October 2021

ઍકવેરિયમમાં

નિરંજન ભગત

તરે છ માછલી,
ન જિંદગી સ્મરે છ પાછલી?

અહીં પ્રકાશ,
કિંતુ સૂર્યનો નહીં, નિયૉન-પાશ;
ને સમુદ્રનું જ જલ
પરંતુ અહીં તરંગનું ન બલ.

નેત્રરાંકડી છતાંય પુચ્છવાંકડી,
ન જાણતી કે સૃષ્ટિ સાંકડી
અહીં કઠોર, કાંકરેટ કાચની,
નઠોર, જૂઠ, સૃષ્ટિ આ ન સાચની.

વેંત વેંતમાં જ ગાઉ ગાઉ માપવા
અને ન ક્યાંય પ્હોંચવું,
સદાય વેગમાં જ પંથ કાપવા,
ન થોભવું, ન શોચવું.

મનુષ્ય (કાચ પાર હું સમાં ઘણાં અહીં ફરે
ન કોઈ જેમનાં પ્રદર્શનો ભરે!)
કને જ આ કલા ભણી,
અગમ્ય શી ગણી.
તરે છ માછલી,
ન જિંદગી સ્મરે છ પાછલી!

(છંદોલય, પૃ. ૨૦૫)