A Room of One's Own: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
()
 
(2 intermediate revisions by the same user not shown)
Line 32: Line 32:


== <span style="color: red">લેખિકાનો પરિચય </span>==
== <span style="color: red">લેખિકાનો પરિચય </span>==
[[File:Virginia Woolf1.jpg|right|frameless|175px]]
{{Poem2Open}}'''વર્જિનિયા વુલ્ફ (૧૮૮૨-૧૯૪૧)''' વીસમી સદીની પ્રારંભિક આધુનિકતાવાદી ચળવળની અગ્રણી બ્રિટીશ લેખિકા છે. એમની નવીન વર્ણનાત્મક પ્રવિધિઓ અને સર્જકચેતનાનાં ઊંડાણ તાગનારાં આ સુખ્યાત લેખિકા, આપણા સમયનું એક અતિ પ્રભાવી અને પ્રતિભાશાળી સાહિત્યિક વ્યક્તિત્વ છે. એક જાણીતા બૌદ્ધિક પરિવારમાં જન્મીને, સાહિત્ય-કલાપ્રેમ પોષક વાતાવરણમાં ઉછેર પામ્યાં.
{{Poem2Open}}'''વર્જિનિયા વુલ્ફ (૧૮૮૨-૧૯૪૧)''' વીસમી સદીની પ્રારંભિક આધુનિકતાવાદી ચળવળની અગ્રણી બ્રિટીશ લેખિકા છે. એમની નવીન વર્ણનાત્મક પ્રવિધિઓ અને સર્જકચેતનાનાં ઊંડાણ તાગનારાં આ સુખ્યાત લેખિકા, આપણા સમયનું એક અતિ પ્રભાવી અને પ્રતિભાશાળી સાહિત્યિક વ્યક્તિત્વ છે. એક જાણીતા બૌદ્ધિક પરિવારમાં જન્મીને, સાહિત્ય-કલાપ્રેમ પોષક વાતાવરણમાં ઉછેર પામ્યાં.


Line 53: Line 54:
Androgynous mind  ઉભયલિંગી મન કેવી રીતે પ્રાપ્ત થાય?
Androgynous mind  ઉભયલિંગી મન કેવી રીતે પ્રાપ્ત થાય?
{{Poem2Close}}
{{Poem2Close}}
----


== <span style="color: red"> મુખ્ય મુદ્દાઓ:</span>==
== <span style="color: red">મુખ્ય વિચારબિંદુઓ :</span>==
=== ૧ સમગ્ર માનવજાતને બંધનમુક્ત કરવાના હેતુસર વિવિધ વિચારકોએ અસ્તિત્વવાદનો સિદ્ધાંત રજૂ કર્યો હતો.. ===
=== () કલાક્ષેત્રે મહાન બનવા નારીને બધા જ પ્રકારની આઝાદી જોઈશે. ===
{{Poem2Open}}આજે અસ્તિત્વવાદનો ઉલ્લેખ કરીએ એટલે પૅરિસની ફૅશનેબલ કૅફેમાં બેસીને સિગારેટ ફૂંકતા બૌદ્ધિકનું જ ચિત્ર ખડું છાય. અસ્તિત્વવાદનો ઉદ્ભવ ફ્રેન્ચ પરિપેક્ષ્યમાં જ થયો હતો એટલે આમ થવું સ્વાભાવિક પણ છે. આ વિચારધારાના મુખ્ય પ્રેરણાસ્રોત સમાન ઝ્યાં-પૉલ સાર્ત્ર અને સીમોં દ બુવા તો સીલેબ્રિટી જેવો મોભો ધરાવતાં હતાં. એમનો છડેચોક રોમાન્સ અને બોહેમિયન જીવનશૈલી અસ્તિત્વવાદના પર્યાય સમાન બની ગયા હતા. પણ અસ્તિત્વવાદનો વ્યાપ આ સંકુચિત અર્થઘટન કરતાં ઘણો વિશાળ હતો. એક મહત્ત્વની વાત એ હતી કે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં નિત્શે અને કીર્કગાર્ડ અસ્તિત્વવાદનાં બીજ વાવી ચૂક્યા હતા. બીબાંઢાળ વૃત્તિને બદલે વ્યક્તિગત અને સ્વતંત્ર વિચારશક્તિને ઉત્તેજન આપવાનો બંને વિચારકોએ પોતાની રીતે પ્રયત્ન કર્યો હતો. જર્મન ઘટનાવાદી વિચારકો હુસેર્લ અને હાઇડેગરનું પ્રદાન પણ મહત્ત્વપૂર્ણ કહી શકાય એવું હતું. એ ઉપરાંત દોસ્તોયેવ્સ્કી અને કાફકા જેવા લેખકોની અસર પણ નાનીસૂની નહોતી.
{{Poem2Open}}૧૯૨૦ના દાયકાનાં અંતિમ વર્ષોમાં, એક પાનખરના દિવસે, લેખિકા વર્જિનિયા વુલ્ફ, એક  કૉલેજ કેમ્પસમાં થઈને વહેતી નદીની સાથોસાથ ચાલતાં આંટો મારી રહ્યાં હતાં. નદીના પ્રવાહની જેમ એમનો વિચારપ્રવાહ પણ, હરિયાળા ઘાસ ઉપર થઈને વહેતો હતો. એક ઊંડા બૌદ્ધિક દીવાસ્વપ્નમાં તેઓ ડૂબ્યાં અને કોઈક તીવ્ર તેજસ્વી આંતરદૃષ્ટિનું પ્રકાશદર્શન તેઓ કરવામાં જ હતાં, ત્યાં એકાએક એક માણસે એમનું શાંત આંતરદર્શન ખળભળાવી નાખ્યું....
દૃષ્ટિએ જોતાં એ વાત સ્પષ્ટ થાય છે કે અસ્તિત્વવાદ કોઈ એક ઉગમસ્થાનમાંથી અવતરેલી ફિલોસોફી નથી, બલ્કે માનવજાતને મૂંઝવતી સમસ્યાનો ઉકેલ શોધવા અનેક લોકોએ કરેલા પ્રયત્નોનો નીચોડ છે. જો કે એ તમામ વિચારકો કેટલાક પાયાના સિદ્ધાંતોની બાબતે સહમત હતા એની પણ નોંધ લેવી જરૂરી છે. માનવજાતને બંધનોમાંથી મુક્ત કરવી એ વિચારસરણીનું સૌથી પ્રમુખ ધ્યેય છે. અગાઉની ફિલોસૉફી સામાન્ય માણસને ન સમજાય એવી, અમૂર્ત સિદ્ધાંતો પર આધારિત હતી, જેને બદલે અસ્તિવવાદે માણસને રોજબરોજની જિંદગીમાં થતા અનુભવો અને એના મન પર એ અનુભવો શું અસર કરે છે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. અસ્તિત્વવાદનો એક પાયાનો સિદ્ધાંત એ છે કે માણસ પોતાની જિંદગી વિશે ‘પહેલો પુરુષ એકવચન’માં જ વિચારે છે. બીજા શબ્દોમાં કહીએ તો દરેક વ્યક્તિની જિંદગીની વાર્તાનો નાયક- હીરો- એ પોતે જ હોય છે. દુનિયાને એ પોતાની નજરે જ જોઈ છે અને એથી જ સુફિયાણી વાતો કે ફિલસૂફીના વિતંડાવાદમાં એને રસ ન પડે એ સ્વાભાવિક છે. એને જ લીધે દરેક વ્યક્તિ માટે જિંદગી અને દુનિયા એક અંગત અનુભવ છે, અને એથી જ દરેક વ્યક્તિ દુનિયા વિશે અને જિંદગી વિશે આગવો કહી શકાય એવો અભિપ્રાય બાંધે છે, જે બીજી કોઈ વ્યક્તિએ બાંધેલા અભિપ્રાય સાથે સુસંગત હોવાની શક્યતા નથી. છેવટે તો તમે એકલા જ છો અને તમારી જિંદગી અને તમારા અનુભવોનું અર્થઘટન તમારે જાતે જ કરવાનું છે. કઈ પરિસ્થિતિમાં શું વિચાર કરવો અને કેમ વર્તવું એ તમારે જાતે નક્કી કરવું રહ્યું. આ જ કારણે અસ્તિત્વવાદીઓ ધર્મગ્રંથો કે ફિલસૂફીનાં થોથાંઓમાં ચર્ચાયેલી પ્રચલિત ધારણાઓને કોરાણે મૂકીને વ્યક્તિના પોતાના ભાવવિશ્વ ઉપર ધ્યાન આપે છે. લોકો કહે છે કે કોઈ પણ વિચારબીજમાંથી પ્રેરણા લેવામાં સમસ્યા નથી, પણ બધા સવાલોનો કોઈ રેડીમેડ જવાબ હોઈ ન શકે એ હકીકત પણ યાદ રાખવી ઘટે. આ ફિલોસોફી કોઈ એવી દવા નથી કે જે તમને કોઈ પણ સમસ્યાનો રામબાણ ઇલાજ શોઘી આપે. અસ્તિત્વવાદની મૂળભૂત કલ્પના તો તમને એમ જ કહે છે કે તમને મૂંઝવતા ગહન પ્રશ્નોના જવાબ તમે જાતે જ શોધો. અસ્તિત્વવાદનું બીજું ધ્યેય છે સમગ્ર માનવજાતને બંધનોમાંથી મુક્ત કરવી. સ્વાભાવિક રીતે જ, સંજોગો તમારા નિયંત્રણમાં નથી હોવાના, પણ એક વાત નક્કી છે કે જિંદગીમાં તમે જે નિર્ણયો લીધા હશે તે જ તમારું ભાવિ નક્કી કરશે. એટલે તમને ન ગમે તો પણ એક વાત તમારે સ્વીકારવી પડશે: તમારી હાલત માટે તમે પોતે જ જવાબદાર છો, બીજું કોઈ જ નહીં; તમારી જિંદગીના અને તમારા વ્યક્તિત્વના ઘડવૈયા તમે પોતે જ છો.
“માફ કરજો, મોહતરમા ! નદી કિનારાની હરિયાળી ઘાસની ચાદર મહાવિદ્યાલયના વિદ્ધાનો માટે અનામત રાખવામાં આવી છે, આપ એના ઉપર ન ચાલી શકો. તો કૃપા કરી અહીંથી બહાર જશો?”
થોડાં ઝંખવાણાં પડીને વુલ્ફ તો બીજા રસ્તે વળી ગયાં, પેલાની વિનંતીને માન આપીને... પરંતુ કમનસીબે એમની વિચારશ્રુંખલા તૂટી ગઈ-એમનું આંતરદર્શન ચાલતું હતું તે- જે થયું તે સારા માટે !
પરંતુ આ નાનકડી ઘટનાએ એમને ઊંડા વિચારે ચડાવી દીધાં—લિંગભેદ અને સર્જનાત્મકતાના આંતરસંબંધ વિશે તેમના મનમાં એક વિચારવલોણું ચાલ્યું.
'''અહીં ચાવીરૂપ ખ્યાલ એ છે કે કલાત્મક અભિવ્યક્તિ ક્ષેત્રે મહાનતા પામવા નારી પાસે આર્થિક સ્વાતંત્ર્ય અને સ્થાનની મોકળાશ હોવી જોઈશે.'''
પેલી સહેજ અપ્રિય અને કંઈક અપમાનજનક ઘટના પછી વુલ્ફ્ને સતત વિચાર આવતા રહ્યા કે સ્ત્રીને પોતાની કલાત્મક અભિવ્યક્તિની આઝાદી છે કે નહિ? એમણે ઇતિહાસ પર નજર કરી અને વળી તે દિવસની ઘટનાથી ડઘાઈને તેમણે જોયું કે ‘હા, ખરેખર, સ્ત્રીઓને શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંસ્થાઓમાં સામેલ કરવામાં નથી આવતી.’ (વાચકો, આ ૧૯૨૦ની સ્થિતિ હતી, આજની નહિ). એમણે યુનિવર્સિટી ગ્રંથાગારમાં જઈને મિલ્ટન અને થૅકરેની કૃતિઓ સ્વહસ્તે શેલ્ફ પરથી લઈને વાંચવી હતી, પણ ના...એમની જોડે કોઈ પુરુષ સ્કોલર ન હોય તો તે ત્યાં જઈ શકે નહિ એવો નિયમ હતો.
પછી છતાં વુલ્ફ તો રળિયામણા કૉલેજ કેમ્પસ ઉપર આંટો મારતાં મારતાં ત્યાંનાં ભવ્ય મકાનો નિહાળીને ખુશ થતાં રહ્યાં, વિચારતાં ગયાં કે સદીઓનાં સમય, સંપદા અને શ્રમના સરવાળાસમાં આ વિદ્યાભવનો રાજવીઓ દ્વારા સ્થપાયાં, વેપારી-મહાજનો દ્વારા પોષાયાં અને અસંખ્ય મઝદૂરોના પસીનાથી બન્યાં હશે... એમાં કોઈ મહિલાનું યોગદાન હશે નહિ? મજૂરણોએ તગારાં નહિ ઊંચક્યાં હોય? રાણી-મહારાણીઓ આના ઉદ્ઘાટનમાં નહિ આવી હોય?—અને ત્યાર પછી બધું માત્ર પુરુષોનું અધિકારક્ષેત્ર થઈ ગયું? અમને સ્ત્રીઓને ઘાસ પર ચાલવા પણ ન દે? પુસ્તક પણ જાતે ન જોવા દે? આ તે કેવું વળી?
તે દિવસે સાંજે, થોડા અન્ય બૌદ્ધિકો સાથે વુલ્ફ ભવ્ય ડિનર પાર્ટીમાં ગયાં. ત્યાં મોટા ભાગના લોકો સાહિત્ય-કવિતા વગેરેની ચર્ચામાં વ્યસ્ત હતા, પણ વુલ્ફ તો સમાજમાંથી સ્ત્રીની બાદબાકી-અવગણના-ઉપેક્ષા ઉપર વિચારતાં રહ્યાં. તેમણે તેની મિત્ર મેરી સેટનને સ્થાનિક મહિલા કૉલેજ વિશે વાત કરી કે પુરુષોની યુનિવર્સિટીને સારું ફંડ મળે છે જ્યારે મહિલા કૉલેજ તો ઑક્સિજન પર જીવે છે—તેને માટે દાન ઉઘરાવવાના કાર્યક્રમો કરવા પડે છે... આ તે કેવું?
બસ, વુલ્ફ તો આ વિચાર-વમળમાં ફસાયાં—પુરુષોને તેમની બૌદ્ધિક-સંશોધક પ્રવૃત્તિ-અભ્યાસો કરવા માટે કેવાં સરસ નિવાસ-સાધન સગવડો અપાય છે, જ્યારે સ્ત્રીએ પૈસા-પાઉંડ-પેની માટે કોઈના મોહતાજ રહેવાનું? આર્થિક અસલામતી અને સામાજિક ડરમાં જીવવાનું? સ્ત્રીની કલાત્મક, બૌદ્ધિક અભિવ્યક્તિનું શું? જો સ્ત્રીને પણ પુરુષો જેવાં સગવડ-સંશોધનો-સ્થાન-માન મળે તો તે પણ પુરુષો જેવી સિદ્ધિની પ્રાપ્તિ નહિ કરી શકે શું? સ્ત્રીઓને શાથી ઓછી આંકવામાં આવે છે?
{{Poem2Close}}
{{Poem2Close}}


=== ૨ માનવજાતને ‘હ્યુમન બીઇંગ’ને બદલે ‘હ્યુમન બીકમિંગ’ તરીકે ઓળખવી જોઈએ. ===
=== () મહિલાઓથી પોતાની જાતને ઊંચી દેખાડવા પુરુષો તેમની શક્તિનો ઉપયોગ કરે છે. ===
{{Poem2Open}}
{{Poem2Open}}ચાલો, બ્રિટીશ લાયબ્રેરીમાં આંટો મારીએ. આ પ્રાચીન ને પ્રતિષ્ઠત પુસ્તક પ્રાંગણ પુસ્તકો, પેમ્ફલેટ્સ, ગ્રંથસૂચિઓ, સામયિકો, જર્નલ્સ, એન્સાયક્લોપીડિયા આદિનો વિશાળ ભંડાર ધરાવે છે. જાહિર સી બાત હૈ-કે આ વિશાળ સંગ્રહમાં બધી મહત્ત્વપૂર્ણ માહિતી અને તથ્યો સમાવિષ્ટ હશે. અહીંથી વુલ્ફ પોતાનું સંશોધન શરૂ કરે છે કે સમાજમાં પુરુષ અને સ્ત્રીને આટલી અલગ રીતે કેમ જોવામાં આવે છે? એમની વચ્ચે આવાં ભેદ-વર્તન-વ્યવહાર શા કારણે છે? લેખિકા હોવાને નાતે એમણે તો પુસ્તકાલયનાં અભરાઈ-પાટિયાં-પૂઠાં-પુસ્તક ઉથલાવી જોયાં અને એમને એક વિચિત્ર અસંતુલન સાંપડ્યું ! એક વિસ્મયકારી તથ્ય સામે આવ્યું કે સ્ત્રીઓ ઉપર હજારો હજારો પુસ્તકો લખાયેલાં છે—સ્ત્રીના જીવવિજ્ઞાન, સ્વભાવ, મનોવિજ્ઞાન, ઇતિહાસ-બધું મહિલા વિશે ભરચક માહિતીપૂર્ણ છે, પણ બધું લખે છે કોણ?—પુરુષો !! અરે? તે કેવી વિચિત્રતા, વિધિની વક્રતા કે સ્ત્રીના શરીર-મન-જીવન-કવન બધાં વિશે સ્ત્રી પોતે તો કંઈ બોલતી-લખતી-વિચારતી નથી ને પુરુષો જ આ બધું (એના વતી) લખે છે? આની સામે સ્ત્રીઓએ પુરુષો વિશે લખ્યું હોય એવું તો કાંઈ જડ્યું જ નહિ.  
તો ચાલો, બાંયો ચઢાવીને તૈયાર થઈ જાઓ, કારણ કે આપણે એક અઘરી વાત સમજવાની છે, અને છે ‘બીઇંગ’ અને બીકમિંગ’ વચ્ચેનો તફાવત! તમને થશે કે આ વળી કયું તૂત છે! પાશ્ચાત્ય ફિલસુફીની પરંપરાનું એક અગત્યનું અંગ છે, જે સૈકાઓ જૂનું છે. સાદી ભાષામાં કહીએ તો ‘બીઇંગ’ એટલે કોઈ સ્થાયી, અચલ અને અપરિવર્તનશીલ એવું કોઈ તત્ત્વ. પ્રાચીન ગ્રીક તત્ત્વવેત્તા પ્લૅટોના મતે ન્યાય અથવા સૌંદર્યનો આદર્શ જ એવી ચીજ છે જે વાસ્તવિક છે અને સાથે સાથે અચલ પણ છે. જ્યારે ‘બીકમિંગ’ એટલે વાસ્તવિકતાનું એવું પાસું છે જે સતત પરિવર્તનશીલ છે. પ્લૅટો કહે છે કે માણસ જગતને જે રીતે અનુભવે છે તે હંમેશાં બદલાયા કરે છે અને એથી જ એને ભ્રમણાનું નામ આપે છે. સ્થાયી અથવા તો અચલને પરિવર્તનશીલની સરખામણીમાં વધારે મહત્ત્વ આપવાની આ પરંપરા પ્લૅટોના સમયથી શરૂ થઈ અને લગભગ અઢી હજાર વર્ષો સુધી ચલણમાં રહી. છેવટે અસ્તિત્વવાદીઓએ જોયું કે વિચારધારા તો માણસના પોતાના અનુભવને ભ્રમણામાં ખપાવીને એનો એકડો જ કાઢી નાખે છે.
આનો અર્થ એવો લાગે છે કે પાશ્વાત્ય કલ્પનામાં સ્ત્રી હંમેશા એક તપાસ-વિષય(object of scrutiny) રહી છે પરંતુ તેને વસ્તુલક્ષી સંશોધક(objective scrutinizer) તરીકે ક્યારેય ગણવામાં-સ્વીકારવામાં નથી આવી.
હકીકતમાં તો જગત હોય કે માણસનું શરીર- બંને સતત પરિવર્તનશીલ છે. આપણા શરીરના કોષ જન્મે છે, પુખ્ત થાય છે અને પોતાની જાતને રીપેર કરે છે, અને સમય આવ્યે નવા કોષ તેમનું સ્થાન લઈ લે છે. આપણા શરીરની જેમ આપણું મન પણ આપણા અનુભવોની સાથે બદલાતું રહે છે. આપણી સભાનતા છેવટે શું છે? દરિયાનાં મોજાંની જેમ સતત ઉભરાતા રહેતા તદ્દન અસંગત વિચારો, આપણે અનુભવેલી લાગણીઓ અને આપણી નજરે ઝીલેલી છબીઓ જ ને? અરે, સમયની સાથે આપણી પોતાની ‘હું’ તરીકેની ઇમેજ પણ બદલાતી રહે છે, તો આખી વાતમાં અચલ અને સ્થિર કશું છે ખરું?
'''અહીં ચાવીરૂપ ખ્યાલ એ છે કે મહિલાઓથી પોતાની જાતને સવાઈ સાબિત કરવા પુરુષો એમનું પુરુષાતન પ્રયોજે છે.'''
કહેવાનો મતલબ એ છે કે જન્મથી માંડીને મૃત્યુ સુધી આપણે સતત બદલાતા રહીએ છીએ. પરિવર્તન એક જ તો વાસ્તવિકતા છે. એ જ કારણે અસ્તિત્વવાદીઓએ પ્લૅટોની ધારણાને જાણે શિર્ષાસન કરાવી દીધું છે. એમના મતે સતત પરિવર્તનશીલ હોવાને કારણે ‘બીકમિંગ’ જ માનવસ્વભાવની સાચી ઓળખ છે; એને ‘બીઇંગ’નું નામ આપવું, અચલ અને સ્થાયી તરીકે જોવું એ ભ્રમણા છે.
પુસ્તકાલયના સંગ્રહમાં આ લિંગભેદ-gender gap- જોઈને વુલ્ફ તો નિરાશ થયાં, તોયે તેમણે સ્ત્રીઓ ઉપરનાં પ્રાપ્ય પુસ્તક-પાનિયાં ફેંદવામાં સવારનો સમય ફાળવ્યો. તેમણે જોયું કે પુરુષો- સ્ત્રીઓ અંગેના દરેક પ્રકારના ખ્યાલો-અભિપ્રાયો ધરાવે છે. કેટલાક સ્ત્રીને બાળકબુદ્ધિવાળી, ડીમ, શીખવાને અક્ષમ એવી ગણે છે. તો કેટલાક વળી સ્ત્રીને રહસ્યમય, પારલૈકિક દેવી મૂર્તિ ગણી મહત્તા પણ આપે છે...પણ બંને અંતિમો સ્ત્રીઓ અંગે સાચાં નથી.
વ્યાખ્યામાં આવેલ ‘યુ ટર્ન’ ઉપર અસ્તિત્વવાદ ટકેલો છે. એ કહે છે કે આપણે કોઈ ઇમેજમાં બંધાયેલા નથી: આપણે ચાહીએ એમ વર્તવા માટે મુક્ત છીએ.
પુસ્તકાલયમાં વધુ ખાંખાખોળાં કરતાં વુલ્ફ્ને એક આઘાતજનક પુસ્તક હાથ લાગ્યું : The Mental, Moral and Physical Inferiority of the Female Sex—જેના લેખક સુખ્યાત પ્રોફેસર હતા. એનો સૂર એટલો તો વાહિયાત અને હાસ્યાસ્પદ હતો કે એના લેખક કેવા મનના હશે તેનો વુલ્ફ્ને અંદાજ આવી ગયો, કે તે સ્ત્રીને ઘરકૂકડી માનનાર, લચકતા ઘુવડ જેવા શિકારીવૃત્તિવાળા અને ઊંડી લઘુતાગ્રંથિથી પીડાતા પુરુષ હોવા જોઈએ. ભૂતકાળમાં તેઓ મહિલાઓથી તિરસ્કૃત થયા હોવા જોઈએ જેથી આવું પુસ્તક લખીને તેમણે તેનો બાલિશ બદલો લીધો છે.
તોયે જગતની મોટા ભાગની સ્ત્રીઓ કરતાં, આ દયનીય પ્રોફેસરનું સ્થાન ઈર્ષ્યાયોગ્ય છે. વુલ્ફે અખબારનાં પાનાં ફેરવ્યાં ને જોયું કે મોટા ભાગની ઘટનાઓ, સમાચારો પુરુષકેન્દ્રી હતા.. સરકાર તો પુરુષો જ ચલાવે, બ્રોકરેજ-બિઝનેસ ડીલ મરદો કરે, રમતજગતમાં પણ છોકરાઓ આગળ આવે—એવી વિગતોથી પેપર છલકાતું હતું. જાણે કોઈ પરગ્રહવાસીને તો એમ લાગે ને કે ધરતી ઉપરની સ્ત્રીઓ ઉપર પુરુષોની જ સત્તા કે આધિપત્ય ચાલે છે !
આવી અસમાનતા ભાળીને, વુલ્ફ્ને એવું વિચિત્ર લાગ્યું કે સ્ત્રીઓને અને તેનાં સ્થાન કે કાર્યને નીચું બતાવવામાં, તિરસ્કારવામાં જ પુરુષો રચ્યાપચ્યા છે કે શું? આથી તેણે તારવ્યું કે આ સ્ત્રી-તિરસ્કાર-વૃત્તિનાં મૂળ પુરુષોની અસલામતી-વૃત્તિમાં અને જગતમાં તેમના સ્ટેટસને સ્થાપવાની ઈચ્છામાં રહેલાં છે. તેણે કલ્પ્યું કે પુરુષોને એવી ખાતરી થવી જોઈએ કે તે સ્ત્રી કરતાં-તેની ઘરની સહનિવાસી કરતાં બહેતર હોઈ કોઈપણ રૂમમાં તે જવાને-ફરવાને હક્કદાર છે. વુલ્ફ્ને આશ્ચર્ય આ જ વાતનું છે કે પુરુષોના આવા માઈન્ડસેટને લીધે કેટલી બધી(લગભગ બધી જ) સ્ત્રીઓનાં દક્ષતા, કૌશલ્ય-કલાઓ દબાઈ જતાં હશે, ઢંકાઈ જતાં હશે, હાંસિયામાં-પુરુષના પડછાયામાં ધકેલાઈ જતી હશે !
{{Poem2Close}}
{{Poem2Close}}


=== ૩ પીડાનો સ્વીકાર કરશો તો તમારા સિદ્ધાંતોને વફાદાર (ઑથેન્ટિક) રહી શકશો.===
=== (૩) ઇતિહાસ ગવાહ છે કે પ્રતિભાશાળી સ્ત્રીઓને સમકાલીન સમાજે આગળ આવવા દીધી નથી, તક આપી નથી.===
{{Poem2Open}}તો આપણે જોયું કે મૂળભૂત રીતે માણસ પોતાની ઇચ્છા મુજબ જીવવા માટે સ્વતંત્ર છે. પણ આ સ્વતંત્રતા બેધારી તલવાર જેવી છે, કારણ કે સ્તંત્રતાની સાથે સાથે જવાબદારી પણ આવે છે. અને જેમને પોતાનાં બાળકો ઉછેરવાનો અનુભવ હશે એમને ખ્યાલ હશે કે જવાબદારી કેટલી અઘરી વાત છે. અસ્તિત્વવાદીઓએ સ્વતંત્રતા. અને માણસના પ્રછન્ન મન ઉપર એની શું અસર પડે છે વિશે બહુ ગહન વિચાર કરેલો છે. આપણે દોસ્તોયેવ્સ્કીની નવલકથા ‘ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ’નું ઉદાહરણ જોઈએ. એમાં રાસ્કોલ્નિકોવ નામનું એક પાત્ર. છે. એ વિચારે છે કે ઈશ્વરનું અસ્તિત્વ જ નથી એટલે પોતાને મન ફાવે એમ વર્તવાની છૂટ છે. અને પછી એ એક ખૂન કરી તો દે છે, પણ પછી પોતાની જવાબદારીનું ભાન થવાને કારણે વધુ ને વધુ અપરાધભાવ અનુભવે છે. સમગ્ર નવલકથા એના આ અપરાધભાવ -ગિલ્ટ-ની આસપાસ જ વણાયેલી છે. યાતના માત્ર ખૂન જેવી અંતિમવાદી ઘટનાઓ સાથે જ જોડાયેલી હોય છે એવું નથી. પીડા તો ગમે તે વ્યક્તિ ગમે ત્યારે અનુભવી શકે છે. ધારો કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તમને અચાનક એવો વિચાર આવે છે કે તમે નાનપણમાં જોયેલાં સપનાં સાકાર થાય એવો કોઈ પ્રયત્ન તો તમે કર્યો નથી. આટલી અમથી વાત પણ તમને તકલીફ આપવા માટે પૂરતી છે.
{{Poem2Open}}શેક્સપિયરની નાટ્યસૃષ્ટિ અદ્ભુત અને કાલાતીત છે. એની ભાષા એવી તો પ્રવાહી-તરલ અને કાવ્યાત્ત્મક છે કે પ્રત્યેક દૃશ્ય અને સંવાદ જાણે જાદુઈ અને કોઈ અન્ય લોકમાંથી સીધાં સ્ટેજ ઉપર ઊતરી આવ્યા હોય ! એ મહાન નાટ્યવિદની મહત્તાને નમન, પરંતુ એ સમયે માત્ર શેક્સપિયર જ એકલા એવા સાહિત્યકાર નહોતા, એલિઝાબેથન યુગમાં ઇંગ્લેન્ડના અન્ય પુરુષ લેખકો, કવિઓ, નાટ્યવીરો સરસ સર્જન કરતા હતા... આથી વિપરીત, કોઈ મહિલા સર્જકનો અવાજ કે શબ્દ ત્યારનો નોંધાયેલો નથી કમનસીબ બાબત છે. બાકી સ્ત્રી સર્જકો ન હોય એમ બને નહિ.
પીડા અને દુ:ખ સાથેના આ વળગણે જ અસ્તિત્વવાદને સોગિયાનું લેબલ અપાવ્યું છે. પણ હકીકતમાં અસ્તિત્વવાદ તમને દુ:ખના ડુંગરા હેઠળ દબાયેલા રહેવાની સલાહ નથી આપતો, પણ એમ જરૂર કહે છે કે પીડાનો સ્વીકાર કરવાથી તમે વધુ સારી રીતે જીવી શકો છો.
તો આ અસંતુલન શું સૂચવે છે? પુરુષોમાં જ સર્જકતાનો જાદુઈ ચમકાર-ઝબકાર હોય અને સ્ત્રીઓમાં તેવું તેજ નહિ હોય શું? હોય જ વળી; પરંતુ પુરુષપ્રધાન માનસિકતાની બલિહારી કે નારીને આગળ આવવાની બારી જ ન બતાવી, એમને તક ન આપી, તેમને શિક્ષણ, આર્થિક આઝાદી ને પ્રોત્સાહન ન આપ્યાં જેથી સ્ત્રીની તેજસ્વિતા સમાજને જોવા ન મળી.
ટૂંકમાં કહીએ તો જીવનમાં પીડા સહન કર્યા વગર ખરી સ્વતંત્રતા મળતી નથી.
'''અહીં ચાવીરૂપ ખ્યાલ એ છે કે ભૂતકાળમાં સમકાલીન સમાજે સ્ત્રીઓની પ્રતિભા ખીલવવાની તક નથી આપી.'''
એની સરખામણીમાં સ્ટૉઇસિઝમ બહુ અલગ માન્યતા ધરાવે છે. એ માન્યતા પ્રમાણે તમારા મન ઉપર અને લાગણીઓ ઉપર કાબુ રાખો તો પીડા ભોગવવી પડે એ જરૂરી નથી. જ્યારે અસ્તિત્વવાદ કહે છે કે પીડાને દબાવવાને બદલે, વ્યથા અને ચિંતાને અવગણવાને બદલે એનો સ્વીકાર કરો, કારણ કે એ લાગણીઓ તકલીફદાયક ભલે હોય, પણ એ જીવનમાં થતા અનુભવોનું એક અગત્યનું પાસું છે.
તમે ઇતિહાસ અથવા સાહિત્યનો ઇતિહાસ તપાસો તો જુદું જ ચિત્ર જોવા મળશે. કથા સાહિત્યજગતમાં, લેખકોની કલ્પનામાં પણ ઢગલાબંધ આદર્શ સ્ત્રીપાત્રો મળશે. પ્રાચીન ગ્રીક નાયિકાઓ-એન્ટીગોનીથી માંડીને શેક્સપિયરની લેડી મેકબેથથી લઈને ૧૯મી સદીની અન્ના કેરેનિના સુધી સાહિત્યનાં પાનાંઓમાં કેટલીયે પ્રતિભાશાળી સ્ત્રીઓ ચિત્રિત થઈ છે. તેમ છતાં,  ઇતિહાસગ્રંથોમાં સ્ત્રીને ગૌણ ભૂમિકામાં ભંડારી દેવાઈ છે.
ડરની જ વાત કરીએ. પોતાના મૃત્યુ વિશે વિચારશો તો ડર લાગશે જ. એટલે જ ઘણા લોકો એ વિશે વિચાર કરવાનું જ ટાળે છે. પણ માર્ટિન હાઇડેગર કહે છે તેમ ડરની સામે આંખમાં આંખ નાખીને જોશો તો જીવનમાં કાંઈક મેળવી શકશો., થોડું જોખમ લઈને તમારી એવા નિર્ણય લઈ શકશો જે તમારી જિંદગી બદલેલી નાખે.
તો પછી સાહિત્ય-કલા સર્જનની દુનિયામાં સ્ત્રી આટલી મહત્ત્વપૂર્ણ હોય છતાં તેને વ્યવહાર જગતમાં શા માટે સાઈડલાઈન કરવામાં આવે છે? મને લાગે છે કે સ્ત્રીને પુરુષો જેવી સ્વાયત્તતા ભાગ્યે અપાઈ છે. પ્રમાણમાં નજીકના ગણાય એવા એલીઝાબેથન યુગમાં-૧૯મી સદીમાં ઇંગ્લેન્ડમાં પણ સ્ત્રીઓ ભાગ્યે જ સુશિક્ષિત હતી. તેમને ભણાવવા કરતાં જલ્દીથી પરણાવી દેવાતી અને તે પણ તેમની ઈચ્છા કે પસંદગીની પરવા કર્યા વિના ! અને પુરુષપ્રધાન સમાજ એની પાસે માત્ર બાળઉછેર અને ગૃહસંચાલનની મોટી ખોટી અપેક્ષા સેવતો.. આવામાં સ્ત્રીની કલાત્મક સર્જનાત્મકતા ક્યાંથી ખીલે? એ તો ઘરના ખીલે બંધાયેલી હતી.
ડરનો સામનો કરવો સહેલો નથી પણ એમ કરવાથી તમે ઑથેન્ટિક રીતે જીવવી શકશો.
વર્જિનિયા વુલ્ફ આ ચિંતનચકડોળે ચઢી અને તેણે કલ્પના કરી કે શેક્સપિયરને પણ જુડીથ નામની એક બૌદ્ધિક-સર્જકસંપદા-યુક્ત બહેન હોત તો? તેનું જીવન-કવન એના ભાઈ શેક્સપિયર જેવું (થવા દીધું) હોત ખરું? વાસણ-કપડાં ને રસોઈ રાંધણ, ઘોડિયાંની દોરી હીંચતાં તેને ભણવા-ગણવાનું મળ્યું હોત ખરું? જો તે બુદ્ધિશાળી હોત તો અંગત સ્તરે પણ આગળ વધી હોત? તેણે છાનાછપનાં વાર્તા-કવિતા લખવાં પડ્યાં હોત; અને તોયે તેના પિતાજીએ તેના સાહિત્યપ્રેમને ચોક્કસપણે વધાવ્યો તો ન જ હોત, ઉલટાની તેને હતોત્સાહ કરી હોત...છતાં જૂડીથ ડગી ન હોત અને તેણે તેનાં કલાઅભિવ્યક્તિનાં સ્વપ્ન પૂરાં કરવાં હોત તો તેણે ઘર છોડીને જતા રહેવું પડ્યું હોત. ૧૬મી સદીની સર્જકતા-શક્યતા સંપન્ન સ્ત્રીની આ (અવ)દશા હોત!
 
આથી લાગે છે કે શેક્સપિયરની આવી કાલ્પનિક બહેનને કદી પણ ખીલવા ને વિકસવાની તક ન મળી હોત... આ તો આપણે કાલ્પનિક બહેનની વાત કરી, પણ વાસ્તવમાં આવી ઘણી પ્રતિભાશાળી સ્ત્રીઓ ત્યારે હતી, જેમને અભિવ્યક્ત થવાનો અવસર ને અવકાશ ક્યારેય ન મળ્યા.. આથી ઘણી એવી ગૂંગળાતી સ્ત્રીઓ માનસિક તાણ અને ક્યારેક આત્મહત્યાનો ભોગ બનતી.. તદ્ઉપરાંત, નહીવત્ સ્ત્રીઓને લેખક-સર્જક-કલાકાર થવાની તક મળી તેથી સમકાલીન યુવતીઓ-કન્યાઓને પોતાના રોલમોડેલ મેળવવાની પણ તંગી વર્તાઈ. સમાજ માટે આ શરમજનક જ ગણાયને? કેટલી ખોટ ગઈ માનવજાતિને કે સમાજે તેના અડધા વર્ગ (પુરુષવર્ગ)ને જ મહત્ત્વ આપ્યા કર્યું અને બીજા અડધા (સ્ત્રી)વર્ગની સર્જનાત્મકતાની ઉપેક્ષા કર્યે રાખી ! નહિ તો કેટલી સારી ઉત્કુષ્ટ કૃતિઓ સ્ત્રી સર્જકો પાસેથી મળી શકી હોત !
{{Poem2Close}}
{{Poem2Close}}


=== ૪ તમે જે પ્રકારની જિંદગી જીવવા ઇચ્છો છો એની સંપૂર્ણ જવાબદારી તમારા પોતાના શિરે છે. ===
=== () હજી આજે પણ સફળ લેખિકાઓ હાલની વિષમ સામાજિક વાસ્તવિકતાથી ગૂંગળાઈ રહી છે. ===
{{Poem2Open}}તમે ચિક્કાર ગિરદીવાળી લોકલ ટ્રેનમાં મુસાફરી કરી હશે તો ભીડમાં ખોવાઈ જવું શેને કહેવાય એની તમને જાણ હશે જ. ભીડનો હિસ્સો બન્યા પછી આપણે સ્વતંત્ર રીતે વિચાર કરવાને બદલે લોકોનું અનુકરણ કરતા હોઈએ છીએ. તમારી જાતને પૂછો: નાટક કે સંગીતનો કાર્યક્રમ જોતી વખતે કેટલી વાર તમે લોકોનું જોઈને તાળીઓ પાડી છે? આ તો નાનું ઉદાહરણ છે, પણ વિચાર્યા વગરની દેખાદેખી આપણા વર્તન ઉપર કેટલી અસર કરે છે તે સાબિત કરવા માટે એ પૂરતું છે. ભીડ સાંપ્રત સમાજનું પ્રતીક છે, અને જે વ્યક્તિ પોતાના સિદ્ધાંતો સાથે બાંધછોડ કર્યા વગર, ઑથેન્ટિક રીતે જીવવા માંગે છે એને માટે એ એક ખતરાની ઘંટી સમાન છે. અસ્તિત્વવાદીઓના મતે ગાડરિયા પ્રવાહ જેવી સમાજની મનોવૃત્તિ વ્યક્તિગત વિચારશક્તિને કુંઠિત કરી દે છે. નિત્શે એવી ફરિયાદ કરતા કે એમના સમકાલિન લોકો દુકાનની અભરાઈ પર ગોઠવાયેલ માલની જેમ એકસરખા લાગતા હતા.
{{Poem2Open}}મળીએ લેડી વિન્ચીલ્સીને. ૧૬૬૧માં  સંસ્કારી ઘરાનામાં જન્મેલી વિન્ચીલ્સી એ સદીમાં પ્રમાણમાં સારું કહેવાય તેવું શિક્ષણ પામી હતી અને સર્જનાત્મકતા ધરાવતી હોઈ કવિતા લખવામાં આયખું વીતાવી શકે એટલી સાધન સંપન્ન હતી... પણ કમનસીબે તેના સર્જકઝનૂનને, કલાત્ત્મક ઊભરાને ગંભીરતાથી લેવામાં ન આવ્યો.. પુરુષાધિપત્યની માનસિકતાએ તો આમ કર્યું , પરંતુ એ લેડીના ભદ્રવર્ગીય વર્તુળમાં પણ તેની આ લેખનકળા કે સર્જકશોખને વિશિષ્ટ, જુદો ચીલો ચાતરનારો ચક્રમ, ખિન્ન, એકલવાયો, સ્વપ્નસેવી ગણી લેવામાં આવ્યો. નારીવર્ગે પણ નારીને નકારી, હતોત્સાહ કરી. જાણે તે જુદા ગ્રહનું પ્રાણી હોય તેમ એનો સામાજિક બહિષ્કાર થયો, જેથી એક સર્જક સ્ત્રીનું મન કડવું અને ખાટું થઈ ગયું. આ કડવાશ, અવમાનના, સર્જકતાની સામજિક સ્વીકૃતિનો સંઘર્ષ તેની એક કવિતામાં પડઘાયો :
અસ્તિત્વવાદી વિચારકોનું કહેવું છે કે આગવું વ્યક્તિત્વ તમારું જન્મજાત લક્ષણ નથી. સ્વતંત્ર રીતે વિચાર કરીને તમારે એ કેળવવું પડે છે. તમારા વિચારો સાથે સુસંગત જીવનશૈલી તમારે જાતે જ ઊભી કરવી પડે છે, અને એ માટેની સંપૂર્ણ જવાબદારી પણ તમારે જ લેવી પડે છે.
“મારી કાવ્યપંક્તિઓ-મારું માનસ સંતાન-અવગણના ને અવમાનના પામ્યું...
જો તમે આદતથી મજબૂર થઈને જ જીવો છો તો તમારી આગવી ઑથેન્ટિસિટી તમે ગમાવી દો છો, કારણ કે તમારી ખરી ક્ષમતાનો તમને ખ્યાલ જ નથી રહેતો. હા, સંજોગો તમારી પાસેના વિકલ્પોને મર્યાદિત જરૂર કરતા હોય છે, પણ તમારી પાસે વિકલ્પો તો હોય જ છે, ભલે અત્યારે તમને એ સ્પષ્ટ રીતે દેખાતા ન હોય. પણ ‘એમ કર્યા સિવાય મારો છૂટકો નહોતો’ એમ કહેવું એટલે તમારી જવાબદારીમાંથી છટકી જવા સિવાય બીજું કશું નથી.
મારી કલાત્મક અભિવ્યક્તિ-પ્રવૃત્તિને વ્યર્થ-નિરર્થક મૂર્ખાઈ ગણી લેવાઈ અથવા જાણે મેં કોઈ અહંકારવશ ભૂલ કરી હોય એવું ચિત્ર ઉપસાવ્યું. મારા સમાજે.
કહેવાનો મતલબ એ છે કે તમારા સ્વતંત્ર રીતે લીધેલા નિર્ણયોની જવાબદારી લીધા સિવાય ઑથેન્ટિસિટી કેળવાશે નહીં. એ જ કારણે સમયાંતરે તમારા નિર્ણયો તમારી જિંદગી ઉપર શું અસર કરે છે તેનું મૂલ્યાંકન કરવામાં શાણપણ છે. ઉપરાંત તમે ટૂંકા સમયના ગાળા માટે પ્રયોગાત્મક રીતે અમુક નિર્ણયો લઈને એની અસર ચકાસી શકો છો.
બિચ્ચારી લેડી વિન્ચીલ્સી ! નારીના કલ્પના જગતની, તેની અભિવ્યક્તિ ઝંખનાની કેવી ઉપેક્ષા ! સ્પષ્ટ દેખાય છે કે લેડી હજી પણ સમાજિક બેડી-બંધનોમાં જકડાઈને ઘૂંટાઈ રહી છે. એની સરસ્વતી સૂકાઈ રહી છે... આજે મહિલા સર્જકોને ગંભીરતાથી લેવામાં આવે છે ખરી, પરંતુ તેનું સર્જન સમાજિક છાયા-પડછાયામાં થાય છે, એને વિશાળ ગગનની મોકળાશ ને સૂર્યપ્રકાશનું તેજ ક્યાં સાંપડે છે?
ઑથેન્ટિસિટીની આ વ્યાખ્યા સમજવામાં અઘરી તો છે પણ એના કેટલાક ફાયદા પણ છે. પોતાના સિદ્ધાંતોને વફાદાર રહેવાથી તમારું મનોબળ વધુ મજબૂત બનશે. તમારી મરજી મુજબ જીવવાના નવા રસ્તા પણ ખૂલશે. અને ભૂતકાળમાં થયેલા ખરાબ અનુભવોની અસરમાંથી બહાર નીકળી શકશો. ઉપરાંત વાતવાતમાં ‘લોકો શું કહેશે’ એની ચિંતા કરવાની પણ જરૂર નહીં રહે.
'''અહીં ચાવીરૂપ સંદેશ છે કે હજી આજે પણ સફળ લેખિકાઓ સામાજિક સ્વતંત્રતાનો શ્વાસ લઈ શકતી નથી.''' અને વળી એવું નથી કે લેડી વિન્ચીલ્સી પ્રથમ સર્જક હતી. વાસ્તવમાં, જયારે તે પોતાનાં ઘૂટન અને ક્રોધાવેશને કવિતામાં ઊતારી રહી હતી ત્યારે બીજી એક લેખિકા-નાટ્યકાર,નવલકથાકાર આફ્રા બૅન એક સફળ સર્જક તરીકે પાંગરી-પ્રસરી રહી હતી, કલમસેવી અને કલમજીવી બની અન્ય મહિલા સર્જકો માટે આગળ આવવાની કેડી કંડારી રહી હતી. એની દુર્લભ અને ચમત્કારિક સફળતાએ બતાવી આપ્યું હતું કે લેખન-સર્જન નારીઓ માટે નફાકારક પ્રવૃત્તિ બની શકે છે અને નફાકારકતાની પાછળ સન્માન આપોઆપ ચાલ્યું આવે છે...જાગો જગતજનની નારીઓ !
અને ખરેખર, આફ્રા બૅનના દૃષ્ટાંતને જોઈને વધુ ને વધુ કામિનીઓએ કલમ ઉપાડી પોતાની કેદ-કલ્પનાને મુક્તિની ઉડાન આપી હતી.. અને પછી તો લાઈન લાગી ગઈ-નારી ચલ પડી... ૧૯મી સદી સુધીમાં જેઈન ઑસ્ટીન, જ્યૉર્જ ઇલિયટ, બ્રોન્ટી સીસ્ટર્સ ક્લાસીક નવલકથા લેખનયાત્રામાં ઝંપલાવી ચૂકી હતી. હા, એટલું ખરું કે આ બધી લેખિકાઓનાં સર્જનમાં કેટલાંક લક્ષણો એકસમાન જોવા મળતાં.. એ બધી સર્જકોને પ્રમાણમાં ઘણો સારો ઉછેર, શિક્ષણ અને પારિવારિક પ્રોત્સાહક માહોલ, સંપન્નતા અને સંતાન-વિહીન સર્જનની મોકળાશ મળી હતી.. પણ તોયે જરા વક્રતા જુઓ કે ઇલિયટે પુરુષનામના ઉપનામનો આંચળો ઓઢવો પડ્યો હતી. એ શ્રીમાન જ્યોર્જ ઇલિયટ નહોતાં, પણ મેરી ઍન ઈવાન્સ હતી ! લ્યો, બોલો !
કારણ કે બાહ્ય વાસ્તવ અને સામાજિક વાતાવરણ તેમને હજી અસર કરતું હતું. આ બધી લેખિકાઓ નવલકથા લખતી હતી. વુલ્ફ અહીં નોંધે છે કે નારીને માટે ઘરકામના ચકરાવા અને અન્ય અવરોધકોની વચ્ચેથી થોડો સમય ચોરી લઈને કથનકળાને વિસ્તારતો નવલકથા પ્રકાર વધુ માફક આવી ગયો હતો. એમના સમય-સંજોગોને અનુકૂળ હતું. બાકી એમિલી બ્રોન્ટીનો ઝૂકાવ કવિતા તરફ અને ઇલિયટનો ઇતિહાસ તરફ હતો, તોયે બંને લેખિકાઓ નવલકથાપંથની સફળ યાત્રીઓ બની રહી.
કારણ કે, તેમની સમકાલીન સમાજરચના અને યુગ-પરિસ્થિતિએ પણ તેમની નવલકથાઓને બાંધવાનો ઘણો કાચો માલ પૂરો પાડ્યો. એ સમયગાળામાં પુરુષો, સાહસપ્રિય પ્રાણીઓ જગ જોવા ને દુનિયા ખેડવા નીકળી પડ્યા હતા. કાઉન્ટ લિયો ટોલ્સટોય જેવા લેખકોની સર્જનસૃષ્ટિ આવા પુરુષોને માટે સાહસિક પ્રેરણાની ખાણ નીવડી હતી, અને તેઓ ઊંબરો ઓળંગી અવનીને ખોળે ઊપડ્યા, આથી મહિલાઓને પોતાનું ગૃહજીવન, સંજોગબદ્ધ અસ્તિત્વ, ઐહિક જીવન ઝીણવટથી જોવા-નાણવાનો મુક્ત અવસર મળી ગયો. અને એ બધું એમની નવલકથાઓમાં ડોકાયું... અને આ લેખિકાઓએ એ દૈનિક પરિચિત વાસ્તવને પણ કલ્પનાનાં રંગબેરંગી વસ્ત્રો પહેરાવી પેશ કર્યું. પણ વિચારો કે આનાથી પણ વધુ મોકળાશ અને ચિંતનાવકાશ તેમને મળ્યો હોત તો એમના ચિદાકાશને તેઓ હજી વધુ તેજલિસોટાથી ખોલી શકી હોત, ખરું કે નહિ?
{{Poem2Close}}
{{Poem2Close}}


===૫ આપણી સ્વતંત્રતા બીજાની સ્વતંત્રતા સાથે સંકળાયેલી છે. બીજાને ગુલામ બનાવીને તમે સ્વતંત્ર રહી ના શકો.===
===() સમકાલીન નારી નવીનતર વાસ્તવિક ભૂમિકાઓ સર કરવા કથાસાહિત્યનો ઉપયોગ કરી શકે છે.===
{{Poem2Open}}સ્વતંત્રતાની અને ઑથેન્ટિસિટીની બધી વાતોમાં સ્વાર્થની બૂ નથી આવતી? દુનિયામાં જ્યારે આટલા બધા લોકોનું શોષણ થતું હોય ત્યારે એવું કહી કેવી રીતે શકાય કે માણસ પોતાની મરજી પ્રમાણે જીવવા માટે સ્વતંત્ર છે?
{{Poem2Open}}ચાલો, તમને ભૂતકાળની સફર ઘણી કરાવી, હવે ૧૯૨૦ના દાયકામાં અંત તરફ-આધુનિક કાળ તરફ આવીએ... તમે સમયનાં બુકશેલ્ફ જોશો તો નવાઈ પામશો, અરે તમને ખુશી થશે કે પુરુષ સર્જકોની કૃતિઓની લગોલગ તમને લેખિકાઓની ચોપડીઓ પણ એટલી હાથમાં, નજરમાં આવવા માંડશે. તેમનો વિષયવસ્તુ વ્યાપ પણ હવે વૈવિધ્યપૂર્ણ જોવા મળશે, માત્ર ઘરેલુ-સામાજિક જ નથી રહ્યો...જુઓ તો ખરા, એનાં નામો-મથાળાં :- જેઈન હેરિસનની Greek Archeology (પુરાતત્ત્વ), વર્નન લીનું  Art and Aesthetics ઉપરનું લખાણ, ગર્ટ્રૂડ બેલ વળી પર્શિયાનો ઇતિહાસ ઉખેળે છે... પેલું કથાસાહિત્ય પણ વિવિધતાનો સ્પર્શ પામ્યું છે—રોમાન્સીસ, ફેન્ટસી સ્ટોરીઝ, કઠોર વાસ્તવની નવલકથાઓ વગેરે જોવા મળશે.. હવે તમે તે યુગની લેખિકાઓના સર્જન વિશે શું કહેશો? ચાલો એકાદ રેન્ડમ ટાઈટલ ઉપાડો અને જુઓ : Life’s Adventure by Mary Carmichael…. તો રસપ્રદ લાગે છે !
વિરોધીઓની નજરે અસ્તિત્વવાદની આ સૌથી મોટી ખામી છે, અને અસ્તિત્વવાદીઓએ આ ટીકાનો જવાબ પણ આપ્યો છે. ઉદાહરણ તરીકે સીમોં દ બુવાનું કહેવું હતું કે જ્યાં સુધી આપણે બીજાની સ્વતંત્રતાની કદર નથી કરતા ત્યાં સુધી આપણી ઑથેન્ટિસિટીમાં કાંઈક ખામી રહી જાય છે. એનું પણ એક કારણ છે: જીવન ટકાવી રાખવા માટે આપણને બીજાના સહારાની જરૂર પડે છે તે જ એક સ્વતંત્ર વ્યક્તિ તરીકેની આપણી ઓળખ ત્યારે જ જળવાય છે જ્યારે લોકો આપણને સ્વતંત્ર વ્યક્તિ તરીકે જુએ છે. જો લોકો આપણને એક વસ્તુ તરીકે જોશે તો આપણી સ્વતંત્રતાનું કોઈ વજૂદ નહીં રહે.
'''તો વાતનો સાર એ જ કે સમકાલીન લેખિકાઓ નવું નવું વિવિધતાભર્યું લખી શકે છે.'''
વાતનો સાર એ છે કે જો બીજા લોકો આપણને સ્વતંત્ર માનશે તો જ આપણે ખરા અર્થમાં સ્વતંત્ર થઈ શકીશું.
વુલ્ફ્ને લાગે છે કે નવલકથા વાંચવાનો એકમાત્ર સારો રસ્તો એ છે કે પ્રત્યેક કૃતિને એના બૃહદ સાહિત્યિક ઇતિહાસયાત્રાનો આખરી ને અદ્યતન પડાવ ગણીને વાંચવી. તેથી મેરી કાર્માઈકલની પ્રથમ નવલને પણ ભૂતકાળની નવલકથાઓના સંદર્ભમાં મૂલવી જોવી. તો તમને Life’s Adventure કેટલાક નવા આયામો ઉઘાડી આપનારી રસિક કથા લાગશે. એની શૈલીગત વિશિષ્ટ પસંદગી એ તો હજી શરૂઆત છે. એની ગદ્યગરિમા તેને અન્ય પૂર્વસૂરીઓ કરતાં (ઓસ્ટીન અને બ્રોન્ટી) સંક્ષિપ્ત છતાં સબળ, ચોટદાર ને ચિત્રાત્મક લાગશે.
એક જાણીતા નિબંધમાં ફિલોસોફર રેને દેકાર્ત કહે છે કે ઘણી વારે તો એને એવું લાગે છે કે મારી બારીની બહારથી પસાર થતા લોકો ભાનમાં જ નથી. એ બધા તો ચાવી આપેલાં રમકડાં કે રોબૉટની જેમ હાથમાં કોટ અને હૅટ લઈને ફરતા હોય એવું લાગે છે.
વુલ્ફ તો તેના એક જ વાક્ય આગળ અચંબાથી અટકી પડ્યાં: ‘Chole liked olivia’—આ નાનકડા શબ્દપ્રયોગે સંભાવનાઓની નવી સૃષ્ટિ ઉઘાડી આપી. પૂર્વે, સ્ત્રીઓ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો આટલી સૂક્ષ્મતા અને સંવેદનાપૂર્વક ભાગ્યે વર્ણવાયા હતા. તે વખતે તો કાં તો સ્ત્રીને સ્ત્રીની દુશ્મન કે પુરુષની સ્પર્ધક તરીકે ચિતરાતી રહી હતી. પરંતુ કાર્માઈકલે બે સ્ત્રીઓ વચ્ચે working relationship ઉપર કેમેરો મૂકીને સાહિત્યમાં એક જ નવી જ બારી ખોલી આપી છે.
સૈકાઓ પછી સાર્ત્રએ આ જ વિચાર વિશે જરા અલગ વાત કરી. એમણે કહ્યું કે માણસોને પૂતળાં તરીકે જોવાનું શક્ય હતું તો એમની સાથે એક નિર્જીવ વસ્તુ જેવા વ્યવહાર કરવો પણ શક્ય છે.
પણ ધ્યાનાર્હ છે કે ચોલે અને ઓલિવિયા બંને માત્ર સ્ત્રી મિત્રો જ નહિ પણ સહકર્મીઓ છે. એક પ્રયોગશાળામાં (જીવનની પણ) વૈજ્ઞાનિકો તરીકે સાથે કાર્યરત છે. અહીં પણ લેખિકા નવો પ્રદેશ ખેડે છે. આધુનિક નારીનું લેખન-આલેખન હવે માત્ર ઉચ્ચવર્ગીય મહિલાઓનાં સુગંધિત પાર્લર કે ફેશનજગતમાં કેદ નથી રહ્યું. આજ સુધી પુરુષ લેખકો કરતા આવ્યા’તા તેના કરતાં જુદેરું-અદકેરું, વિશિષ્ટ મહિલા કર્મચારીઓથી માંડી ગણિકાઓ સુધીની વ્યાપક રેન્જના તેમના જીવન અનુભવોનું ચિત્રણ નારી લેખિકાઓ આપી રહી છે.
આ જ વૃત્તિનું અંતિમ ચરણ છે ગુલામીપ્રથા, જેમાં સમાજનો એક વર્ગ બીજા સમૂહનો વસ્તુની જેમ ઉપયોગ કરે છે., એની લે વેચ કરે છે. પણ સાર્ત્રનું કહેવું છે કે દેખીતી રીતે મુક્ત લાગતા સમાજમાં પણ ચોક્કસ સમૂહની વ્યક્તિઓને વસ્તુ- ઑબ્જેક્ટ- તરીકે જોવામાં આવે જ છે. દાખલા તરીકે પોસ્ટ ઑફિસના ક્લાર્કની સાથે વ્યવહાર કરતી વખતે આપણને એ વિચાર પણ નથી આવતો કે એને પણ અરમાન અને ઇચ્છાઓ હોઈ શકે છે અને એને પણ અનેક નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તમારા દૃષ્ટિએ તો એ વ્યક્તિ ટપાલ પર સ્ટૅમ્પ મારવાના મશીનથી વધારે કશું નથી.
હજી દિશામાં ઘણું સંશોધન કરવાનું છે. એક ચીજ માટે નારીએ તેની કલમને કેળવવાની છે તે એ કે પુરુષના મનને પણ તટસ્થતા ને તજજ્ઞતાથી તાગવાની. જો કે કોઈના મનને માપવાનું અશક્ય લાગે, પણ પુરુષ પણ પોતાનો તાગ પોતે ન પામી શકે તેટલી દક્ષતાથી સ્ત્રીએ કામ કરવા જેવું છે, એણે પુરુષ પાત્રો જોડે સ્પર્ધક કે શત્રુભાવને બાજુ પર રાખી, પુરુષ કે સ્ત્રી ઊભયના આંતરજગતને અદ્ભુત રીતે  ખોલી આપે તેવી કૃતિઓ આપવાની છે.
જો કે પ્રકારનું ઑબ્જેક્ટિફિકેશન કોઈને બહુ નુકસાન પહોંચાડતું નથી. નુકસાન તો ત્યારે થાય છે કે સામી વ્યક્તિના આત્મસન્માનને ઠેસ પહોંચે અથવા તો એની સ્વતંત્રતા ઉપર કાપ મુકાય. કોઈની હદબહારની ટીકા કરવી એ ઑબ્જેકિટિફિકેશનનો જ એક પ્રકાર છે. સાર્ત્રના કહેવા પ્રમાણે કોઈની ટીકા કરવી એટલે એનના પોતાના મનમાં જાત વિશે એક વિકૃત છબી ઊભી કરવી. એમ કરવાથી સામી વ્યક્તિને માઠું તો લાગે જ છે પણ વધારે ખરાબ વાત તો એ છે કે એ પોતાની જ નજરમાં ઊતરી જાય છે. અસ્તિત્વવાદની વ્યાખ્યા પ્રમાણે બીજા લોકોને ચીજવસ્તુની જેમ વાપરવાને બદલે એમની પણ સ્વતંત્રતાનું સન્માન કરવું એ ઑથેન્ટિક હોવાની નિશાની છે.
{{Poem2Close}}
{{Poem2Close}}


=== ૬ તમારી જાત અને બાહ્ય વિશ્વ એક જ સિક્કાની બે બાજુ છે. ===
=== () સાચો સર્જક પુરુષ-સ્ત્રી જેવી ભેદરેખાથી ઉપર ઊઠી વિચારી શકવા સમર્થ હોય છે. ===
{{Poem2Open}}
{{Poem2Open}}કલ્પના કરો કે તમે શિયાળાની સુંદર સવારે લંડનમાં તમારા ઘરની બારીની બહારનું જગત જોઈ રહ્યા છો. ગલીઓમાં ચહલપહલ છે, લોકો ફૂટપાથ ઉપર આવ-જા કરે છે, એક રીતે બધું ગતિશીલ છે. કોઈ તમને એવો ઈન્સાન નજરે ચઢે છે કે જે કલા-સાહિત્ય-સંસ્કૃતિ સર્જનાત્મકતા કે સાહિત્યના ભવિષ્ય વિશે ઊંડું વિચારતો-આચરતો હોય?
ફ્રેન્ચ વિચારક આલ્બેર કામૂ પોતાના પુસ્તક ‘ધ મિથ ઑફ સિસિફસ’માં એક એવા અનુભવની વાત કરે છે, જેને એ ‘ઍબસર્ડ’ તરીકે વર્ણવે છે. એ કહે છે કે આપણને બધાને અવારનવાર એવું લાગતું હોય છે કે આપણે જે દુનિયામાં જીવીએ છીએ એ તદ્દન સંવેદના વગરની અને વિચિત્ર છે. આપણે પોતાના અસ્તિત્વ વિશે વિચારતા હોઈએ ત્યારે ‘હું અહીં શા માટે છું?’ અથવા તો ‘હું અહીંયા શું કરું છું?’ જેવા પ્રશ્નો મનમાં સ્ફૂરે છે. પણ એનો જવાબ આપવાને બદલે દુનિયા તો ચૂપ જ રહે છે: જાણે આપણા હોવા- ન હોવાથી એને કશો ફરક જ નથી પડતો. આ વર્ણન એક બાબત સ્પષ્ટ કરે છે: વ્યક્તિ અને વિશ્વ વચ્ચેના સંવાદ -ઇન્ટરૅક્શન- વિશેનો વૈજ્ઞાનિકોનો મત અસ્તિત્વવાદીઓની કલ્પનાથી તદ્દન અલગ પડે છે. હા, અસ્તિત્વવાદીઓ વિજ્ઞાનનો વિરોધ નથી કરતા, પણ વિશ્વ હકીકતમાં કેવું છે એ સમજવા કરતાં વ્યક્તિની નજરે કેવું દેખાય છે એ વિશે વિચારવામાં એમને વધારે રસ છે.
અને એવામાં એક પુરુષ અને એક સ્ત્રી—બે રાહદારીઓ ફૂટપાથ પર મળે છે અને એક ગાડી કરી અજાણી મંઝિલ ભણી હંકારી જાય છે. બંને વચ્ચે સુંદર, સરળ, સહજ, તરલ વાર્તાલાપ થાય... પછી જોડી સંપૂર્ણ રીતે સ્વસભાનતા વિના સહયોગ સાધે ને કંઈક કામ કરે. ચિંતન-કલ્પના-કલા-સંસ્કૃતિ-અભિવ્યક્તિનું ઈત્યાદિ... આવું દૃશ્ય તમારા મનમાં કંઈક જગાડે છે... પણ આપણે હજી એમને એકત્વના ભાવ કરતાં ‘પુરુષ’ અને ‘સ્ત્રી’ના ભેદજનક વેશમાં જોઈએ છીએ જે ખેદજનક નથી? ‘પુરુષપણા’ અને ‘સ્ત્રીપણા’ના જડબેસલાક ચોકઠાંથી ઉપર ઊઠી ‘માનવપણા’ના શિખરનું દર્શન કદાચ સર્જક જ શ્રેષ્ઠ રીતે કરાવી શકે, લાગે છે એવું?
એટલે અસ્તિત્વવાદીઓના મતે વ્યક્તિ અને વિશ્વ વચ્ચે આપણે વિજ્ઞાનનાં પુસ્તકોમાં ભણાવવામાં આવ્યું છે એટલું અંતર નથી. એ લોકો તો એમ કહે છે કે વ્યક્તિનો ‘હું’ અને બાહ્ય વિશ્વ બંને એક જ સિક્કાની બે બાજુઓ છે.
'''વાતનો સાર એટલો જ કે ઉત્તમ સર્જક લિંગભેદની પર રહેલા માનવ્યને તાગી શકે છે.'''
સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે વિશ્વ એટલે આપણી બહારનું અસ્તિત્વ. દેકાર્તના સમયથી તો કમ સે કમ એ જ માન્યતા પ્રચલિત હતી. એના કહેવા મુજબ વિશ્વ ભૌતિક છે, વાસ્તવિક છે; જ્યારે વ્યક્તિની ચેતના અમૂર્ત, અવ્યાખ્યાયિત છે.
માનવમન અદભૂત રીતે સ્થિતિસ્થાપક અને નવ્યવિચારક છે. તે પોતાનો સમૃદ્ધ અને વિસ્તૃત આંતરસંવાદ સર્જી શકે છે, આનાથી યે વધારે તે કરી શકે—અન્ય પ્રતિ સહાનુભૂતિ ધરાવી શકે, નવા નવા દૃષ્ટિકોણથી જગત જોઈ શકે, વિચાર-કલ્પના કરી શકે, પોતાનાથી પારના અનુભવ કરી શકે. મનની આવી અપાર-અદ્ભુત ક્ષમતાના બટન ઉપર આંગળી મૂકીએ તો સર્જનાત્મક વિચારણાની વીન્ડો ઓપન થાય.
જો કે અસ્તિત્વવાદીઓ દલીલ કરે છે કે બે વચ્ચેની ભિન્નતા એટલી સ્પષ્ટ નથી. એમના મતે આપણે વિશ્વથી અલગ પડીને કોઈ પેટીમાં પુરાઈને નથી જીવતા. આપણો અનુભવ તો એમ જ કહે છે કે આપણે આસપાસની દુનિયામાં જ જીવીએ છીએ અને આજુબાજુની દરેક વસ્તુ સાથે, વ્યક્તિઓ સાથે આપણો નજીકનો સંબંધ છે. આપણો અનુભવ પણ એમ જ કહે છે કે આપણે અને બહારની દુનિયા એક સિક્કાની બે બાજુઓ છે.
આંગ્લ રોમેન્ટીક કવિ સેમ્યુઅલ ટેલર કૉલરિજ ‘androgynous mind’—ઊભયલિંગી મન-નો ખ્યાલ આપે છે, જે સ્ત્રી-પુરુષના ભેદરેખાજનક પ્રભાવથી પર હોય છે. તે સ્ત્રી અને પુરુષ બંનેના દૃષ્ટિકોણથી તટસ્થ રીતે દુનિયા-દર્શન કરી શકે છે. અને સમજે છે કે સર્જનાત્મક કલાનગરમાં સ્ત્રીગલી-પુરુષગલી નથી હોતી. સમગ્ર ઇતિહાસ પર વિહંગાવલોકન કરો તો જણાશે કે ઉત્તમ સર્જકો-કલાકારો-સાહિત્યકારો ‘ઊભયલિંગી મન’ના માલિક અને માણીગર હતા.
એક ઉદાહરણ જુઓ: શિયાળાની કડકડતી ઠંડી પછી વસંત ઋતુનો પહેલો દિવસ છે. સૂર્યનો તડકો માત્ર તમારી આંખોને નહીં પણ તમારા સમગ્ર અસ્તિત્વને પ્રફુલ્લિત કરી રહ્યો છે. તમે ભલે તમારી જાતને બહારના વિશ્વથી અલગ માનતા હો, પણ એ ક્ષણે તમને એવું નહીં લાગે કે જાણે તમે પણ એ સુંદર મજાની દુનિયાનો જ એક હિસ્સો છો? એ ક્ષણે તમને ખ્યાલ પણ નહીં આવે કે દુનિયા ક્યાં પૂરી થાય છે અને તમે ક્યાં શરૂ થાઓ છો! હા, કહેવા ખાતર એમ કહી શકાય કે સૂર્યનો તડકો એ બહારની દુનિયાનો ભાગ છે અને એનાથી તમને થતી ખુશી એ તમારી અંદરનો ભાવ છે, પણ અસ્તિત્વવાદીઓ કહે છે કે લાગણીઓ પણ આપણી અંદર સંતાઈને નથી રહેતી. એ પણ સૂર્યનાં કિરણોની જેમ આસપાસના વિશ્વને બદલી નાખે છે, કમ સે કમ આપણને વિશ્વ કેવું દેખાય છે એ તો આપણા મૂડ પ્રમાણે બદલાયા જ કરે છે. આપણે ભૂખ્યા ડાંસ હોઈએ ત્યારે એક સફરજનને જોઈને આપણા મોમાં પાણી આવી જાય છે, પણ જો આપણું પેટ ભરેલું હોય તો એ જ સફરજનની સામે જોવાનું પણ મન નથી થતું.
જોકે ૧૯૨૦ના દાયકાનું જગમાનસ લિંગભેદ સભાન હતું. ખાસ કરીને, સ્ત્રીઓના રાજકીય રીતે હાવી થવાનો પુરુષોને ડર પેસી ગયો હતો. તેથી તેઓ સ્ત્રીઓને મતાધિકાર મળે તેની વિરુદ્ધ આંદોલન ચલાવતા હતા. સ્વ-સભાન પૌરુષત્વના આદર્શમાં પીછેહઠ કરીને ઘણા પુરુષો પૌરુષત્વની રક્ષા કરવાના પક્ષમાં હતા. આથી ખરાબ, નબળી કૃતિઓ સર્જાઈ એટલું નહિ, પણ ઈટાલીમાં ફાંસીવાદ જેવી ભયાનક અને અતિપૌરુષેય ઊર્જાયુક્ત રાજકીય ચળવળો જન્મી.
એટલે આપણી આજુબાજુની દુનિયા આપણી લાગણીઓ પ્રમાણે, આપણા મૂડ પ્રમાણે બદલાયા કરે છે. હવે આપણે એ જોઈશું કે દુનિયા પ્રત્યેના આપણા બદલાયેલા અભિગમે દુનિયાને પણ બદલી નાખી છે.
વુલ્ફ એક સુંદર સંતુલિત સંવાદિત વિશ્વની કલ્પના કરે છે, જેમાં સ્ત્રી અને પુરુષ, પોતાની ઓળખને લિંગભેદના ત્રિપાર્શ્ર્વ કાચમાંથી વક્રીભૂત થવા દીધા વિના, પોતાનાં કલાત્મક-સર્જનાત્મક કે અન્ય લક્ષ્યોની દિશામાં સમાનપણે અગ્રેસર થતાં હોય. વુલ્ફ પ્રતિપાદિત કરે છે કે સર્જકે લિંગભેદના સાપેક્ષ લાભાલાભનાં  ચિંતા-ચિંતન કે ચર્ચા કર્યા કરતાં સમગ્રની વાસ્તવિકતા સાથે, ઊભયના ઐક્યની સાથે પોતાને જોડવી જોઈએ. વુલ્ફ્ને લાગે છે કે આવો માઈન્ડસેટ, ભૌતિક સંસાધનોની સાથોસાથ, મહાન કલાને સર્જનારો રાજમાર્ગ બની રહેશે.
{{Poem2Close}}
{{Poem2Close}}


=== ૭ કુદરત સાથે આપણે વધુ સુમેળભર્યા સંબંધો કેળવવાની જરૂર છે. ===
== <span style="color: red">ચાવીરૂપ ખ્યાલો : </span>==
{{Poem2Open}}છેલ્લાં બસો વર્ષમાં, ખાસ કરીને ઔદ્યોગિક ક્રાંતિ પછી કુદરત સાથેના આપણા સંબંધોનું સંતુલન ખતરનાક રીતે ખોરવાઈ ગયું છે. આપણા અકરાંતિયાવેડાએ કુદરતી સંપત્તિનું નિકંદન કાઢવાનું કામ ક્ત્યું છે અને પરિણામે પ્રદૂષણનો પાર નથી રહ્યો. પર્વતોના પર્વતો સપાટ થઈ ગયા છે, આખાને આખા દેશ જેવડાં જંગલો સાફ થઈ ગયાં છે. દરિયાનાં પાણી પ્લાસ્ટિકના કચરાથી ગૂંગળાઈ રહ્યાં છે. ખનિજ તેલના ધૂમાડાથી સર્જાયેલા ગ્લોબલ વૉર્મિંગની અસરોથી આપણે સારી પેઠે વાકેફ છીએ. આ બધાં જ પરિબળોએ આપણી પૃથ્વીને સર્વનાશની કગાર ઉપર લાવીને મૂકી દીધી છે.
{{Poem2Open}}(૧) બૌદ્ધિક સ્વાતંત્ર્ય અને સર્જનાત્મકતા:
પરિસ્થિતિ તો ખરેખર ગંભીર છે, પણ એને અસ્તિત્વવાદ સાથે શું લેવાદેવા?
વુલ્ફનાં અવલોકન અને તર્ક કહે છે કે સ્ત્રીઓને તેમની સર્જનક્ષમતા વ્યક્ત કરવા દેવામાં, શિક્ષણવંચિતતા, આર્થિક ગુલામી અને પોતાની ભૌતિક મોકળાશના અભાવ જેવાં પરિબળો પ્રભાવક રહ્યાં છે. સ્ત્રીને પોતાનો એક ઓરડો-સ્થાન હોય, આર્થિક સ્વાતંત્ર્ય હોય તો તે પોતાની કલાત્મક દક્ષતાઓને તાગી અને અભિવ્યક્ત કરી શકે.
માનવના અસ્તિત્વનાં રહસ્યો વિશે વિચારતી ફિલોસૉફી પર્યાવરણની રક્ષા કેવી રીતે કરવાની હતી?
પણ હકીકતમાં, અસ્તિત્વવાદની વિચારધારા ખરેખર કુદરતનું સન્માન કરીને જીવવાનો રસ્તો બતાવે છે.
આપણે કુદરત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો કેળવવાનો સમય પાકી ગયો છે એ વાત નક્કી છે.
ફિલોસોફર હાઇડેગર ‘ડીપ ઈકોલૉજી’ની મૂવમેન્ટ સાથે સંકળાયેલા હતા. એ ફિલોસૉફી કુદરતને યોગ્ય મહત્ત્વ આપવાની હિમાયત કરે છે.
હાઇડેગરના મતે ગણિત અને વિજ્ઞાનનો પ્રસાર પર્યાવરણના દુરુપયોગ સાથે સીધી રીતે સંકળાયેલો છે. વૈજ્ઞાનિક અભિગમ સમાજને માટે ગમે તેટલો જરૂરી હશે પણ એને કારણે આપણે કુદરતને એક બજારુ વસ્તુ- કૉમોડિટી- તરીકે જોતા થઈ ગયા છીએ. વિજ્ઞાનના વિકાસની સાથે જ કુદરતને જોવાની આપણી દૃષ્ટિ સાવ જ બદલાઈ ગઈ. એક સમય હતો જ્યારે આપણે કુદરતને અહોભાવથી, ભક્તિભાવથી જોતા હતા. એનાં રહસ્યો આપણે સમજ્યા નહોતા ત્યાં સુધી આપણે એને માન આપતા હતા. પણ વિજ્ઞાને એ રહસ્યો ખોલી દીધાં એટલે આપણે કુદરતને વાપરી શકાય, લૂંટી શકાય એવી સંપત્તિ તરીકે જોતા થઈ ગયા.
હાઇડેગર આ જ કારણે કહે છે કે આપણે કુદરતને જોવાનાં ચશ્માં બદલવાં પડે એમ છે. કુદરતનું માન જાળવતાં અને એને પ્રેમ કરતાં શીખવાની જરૂર છે.
હાઇડેગર કહે છે કે કવિતાને એક મૉડેલ તરીકે લેવાથી આ દૃષ્ટિ કેળવી શકાય એમ છે. આપણે કવિતા સાંભળીએ છીએ ત્યારે એનું હાર્દ સમજવાની સાથે સાથે શબ્દોના સૌંદર્યનો પણ આનંદ માણતાં શીખવું પડે છે. કુદરત પ્રત્યે આ અભિગમ કેળવવાથી આપણે કુદરતનાં રમ્ય અને રૌદ્ર સ્વરૂપોનો આસ્વાદ માણી શકીશું.
આપણું પોષણ અને લાલનપાલન કરનારી પ્રકૃતિની સાથે મધુર સંબંધો કેળવવા એ પણ ઑથેન્ટિક રીતે જીવવાનો જ એક ભાગ છે.
{{Poem2Close}}


== <span style="color: red">ટૂંકસાર </span>==
(૨) ઐતિહાસિક મર્યાદાઓ:
{{Poem2Open}}આ પુસ્તકમાંથી આપણને જે સંદેશ મળે છે તે આ મુજબ છે.
સાહિત્યક્ષેત્રે સ્ત્રીઓના પ્રદાનમાં અભાવ માટે કારણભૂત એવાં ઐતિહાસિક અને સામાજિક પરિબળો તપાસતાં વુલ્ફ્ને જણાય છે કે લેખિકાઓને તેમના સમકક્ષ પુરુષ લેખકોની છાયામાં કેવી રીતે ધકેલી દેવાય છે અને તેની સર્જનાત્મક પ્રવૃતિમાં સામાજિક અપેક્ષાઓ અને લિંગભેદ કેવો વિઘાતક રોલ ભજવે છે.
ઑથેન્ટિક રીતે જીવવાનું સૌથી અગત્યનું પાસું છે અન્ય વ્યક્તિઓ પ્રત્યે માનવીય વ્યવહાર કરવો. અસ્તિત્વવાદીઓની દૃષ્ટિએ દુનિયામાં ત્રણ પ્રકારનાં તત્ત્વો છે: પોતાની જાત, બીજાઓ અને દુનિયા. ઑથેન્ટિક રીતે જીવવા માટે આ ત્રણેય તત્ત્વો વચ્ચે સુમેળ હોવો જરૂરી છે. જાત પ્રત્યેની તમારી પહેલી ફરજ એ છે કે તમારી જાતને કોઈ ઇમેજમાં બાંધી ન રાખો. તમે પોતાના વિકલ્પોની પસંદગી કરવા માટે સ્વતંત્ર છો એ વાત હંમેશાં યાદ રાખો. બીજા લોકોની સાપેક્ષમાં ઑથેન્ટિસિટી એટલે એમની સાથે એક વસ્તુની જેમ નહીં પણ એક વ્યક્તિને છાજે એવું વર્તન કરવું, એમની સ્વતંત્રતાનું સન્માન કરવું. અને છેલ્લે, દુનિયા સાથે ઑથેન્ટિક વ્યવહાર એટલે કે પ્રકૃતિનો દુર્વ્યય ન કરવો, પર્યાવરણની જાળવણી કરવી અને એની સાથે ઉષ્માભર્યા સંબંધો પુન:સ્થાપિત કરવા.


<center>********</center>
(૩) ઊભયલિંગી મનનો નવો ખ્યાલ રજૂ કરતાં વુલ્ફ સૂચવે છે કે મોટાભાગની મૂલ્યવાન સાહિત્યકૃતિઓ લિંગભેદની પાર જઈ, સ્ત્રીનાં ને પુરુષનાં ઉમદા તત્ત્વો ને તાકાતોને સંયોજી શકે છે. જાતિગત ધારા-ધોરણોની ઉપર ઊઠી, પોતાની સર્જનાત્મકતા ખીલવે તેવો ઊભયલિંગી દૃષ્ટિકોણને આશ્લેષમાં લે તેવા ભવિષ્યનું દર્શન કરે-કરાવે છે.


‘ઑન બીઇંગ ઍન્ડ બીકમિંગ’ અસ્તિત્વવાદનો પરિચય કરાવવાની સાથે સાથે એ પણ સમજાવે છે કે વર્તમાન સમયમાં પણ એ વિચારધારા કેટલી ઉપયોગી છે. - MLN
(૪) સાહિત્યિક પરંપરા અને નારી લેખન :
પુરુષપ્રભાવી સાહિત્યિક પરંપરામાં લેખિકાઓને સહન કરવા પડતા પ્રશ્નો ને પડકારો વુલ્ફ તપાસે છે. ઇતિહાસમાં કે ભૂતકાળમાં સ્ત્રીઓના અવાજના અભાવની વુલ્ફ સમીક્ષા કરે છે અને સ્ત્રીઓને તેમની પોતાની વાતને વાર્તામાં ઢાળવા પ્રોત્સાહન આપે છે, સાહિત્યિક વારસામાં પોતાનું સ્થાન બનાવવા પ્રેરે છે.
{{Poem2Close}}


“વાંચવામાં આસાન એવા આ એક જ પુસ્તકમાંમાં ગોસેટ્ટી-ફેરેન્ચી ત્રણ પુસ્તક જેટલી માહિતી આપે છે: તમને યુરોપીયન ફિલસૂફીનો પરિચય કરાવે છે, સારી રીતે જીવન જીવવાની કળા શીખવે છે અને સૅલ્ફીના આ જમાનામાં જોવા મળતી બેવકૂફીથી બચાવે છે અને અમેરિકન અને યુરોપીયન વિચારધારાઓને - સાર્ત્ર અને કેરુએક, રિલ્કે અને ફ્રૉસ્ટ, કામૂ અને ઇલિસન તથા હાઈડેગર અને સિમોં દ બુવા  એકબીજા સાથે જોડીને એ પ્રશ્ન પૂછે છે જે માનવજાતને સદીઓથી મૂંઝવી રહ્યો છે: ‘હું અહીંયા કેમ છું.’ જેનો જવાબ આ પુસ્તક વાંચવાથી તમને પોતાને એ જડી આવશે.” - ઝ્યોં-મીકેલ રબાતે (યુનિવર્સિટી ઑફ પૅનસિલ્વૅનિયા, અમેરિકન ઍકેડૅમી ઑફ આર્ટ્સ ઍન્ડ સાયન્સીઝ
== <span style="color: red">ઉપસંહાર : </span>==
 
{{Poem2Open}}A Room of one’s ownમાં વર્જિનિયા વુલ્ફ, સ્ત્રીઓને તેમના સર્જનાત્મક ઉદ્યમમાં પ્રવૃત્ત થવા સ્ત્રીને ભૌતિક અને માનસિક બંને પ્રકારના અવકાશની આવશ્યકતા હોવાની રજૂઆત ઝનૂનથી કરે છે. સ્ત્રીઓના બૌદ્ધિક વિકાસ અને કલાત્મક અભિવ્યક્તિને અવરોધતાં-અવગણતાં ઐતિહાસિક અન્યાયો અને સામાજિક બંધનોને પણ લેખિકા પ્રકાશમાં લાવે છે અને નારીશક્તિને આહ્વાન કરે છે કે જાતિગત સમાનતા, આર્થિક સ્વાતંત્ર્ય મેળવી સર્જનાત્મક ક્ષેત્રે પોતાનું પ્રદાન કરવા આગળ આવો.
“‘ઑન બીઇંગ ઍન્ડ બીકમિંગ’ યોગ્ય સમયે બહાર પડ્યું છે. આપણું ક્ષણભંગુર અને સંવેદનશીલ જીવન જે કપરી કસોટીનો સામનો કરી રહ્યું છે એનો જવાબ કદાચ અસ્તિત્વવાદ પાસેથી મળી પણ આવે જે માત્ર આપણી જાત માટે જ નહીં પણ સમગ્ર વિશ્વને બદલવા સક્ષમ હોઈ શકે છે. ગોસેટ્ટી-ફેરેન્ચી બહુ જ સલૂકાઈથી આ ફિલોસૉફીનો પરિચય કરાવે છે. પુસ્તકની પ્રવાહી શૈલી અને વિષયવસ્તુ વાચકોને જરૂર સ્પર્શી જશે. ગૅબ્રીએલ માર્સેલ, માર્ટિન હાઈડેગર, સાર્ત્ર, કામૂ કે સિમોં દ બુવા જેવા વિચારકોનાં મંતવ્યો જ નહીં પણ ડબલ્યૂ ઈ બી દુબ્વા, રાલ્ફ ઈલિસન અને રિચાર્ડ રાષ્ટ્રપતિ જેવા આફ્રિકન-અમેરિકન વિચારકો ઉપર અસ્તિત્વવાદે કેવી ગાઢ અસર કરી છે તેની પણ વાત કરે છે.
સૈકાઓ સુધી સ્ત્રીઓને પોતાની મૌલિક કલાત્મક અભિવ્યક્તિ કે સર્જનાત્મકતાથી વંચિત રાખવામાં આવી છે. કારણ કે મોટા ભાગના તત્કાલિન સમાજોમાં—સંપત્તિ, શિક્ષણ અને (મુક્ત)સમય-નો ભૌતિક લાભ માત્ર પુરુષોને જ આપવામાં આવતો હતો. સર્જક તરીકે સ્ત્રીને સફળ થવા માટે સ્થાયી આવક અને પોતાનો ઓરડો જોઈએ. આશા છે કે ભવિષ્યમાં આવી સગવડ-અનુકૂળતા પુરુષ-સ્ત્રી બંનેને સમાન રીતે મળી રહે અને બંને સુંદર સર્જનાત્મક પ્રવૃત્તિ કરી શકે, લિંગભેદ કે જાતિગત અસમાનતા, અન્યાયી દૃષ્ટિકોણનો છાંયો-પડછાયો એમના ઉપર ના પડે.
 
{{Poem2Close}}
“સમજવામાં સરળ એવું આ પુસ્તક ફિલોસૉફીમાં રસ ધરાવનાર કોઈ પણ વાચકને જકડી રાખશે. અસ્તિત્વવાદ વિશે જાણકારી ધરાવનાર વાચકને પણ એક નવા આયામનો પરિચય મળશે.” - પબ્લિશર્સ વીકલી
 
“આ નાનકડું પુસ્તક ફિલોસૉફીના ઇતિહાસની પદ્ધતિસર રજૂઆત કરે છે. અસ્તિત્વવાદના અગત્યના મુદ્દાઓ વિશે માહિતીસભર ચર્ચા કરે છે. અસ્તિત્વવાદ વિશેની બાલિશ ગેરસમજોને દૂર કરે છે. અસ્તિત્વવાદ વિશે ન જાણનારા વાચકોને એનો પરિચય કરાવે છે અને જે પરિચિત છે એમને સિમોં દ બુવા, દોસ્તોયેવ્સ્કી, કામૂ, કાફ્કા, કીર્કગાર્ડ, માર્સેલ, નિત્શે, સાર્થ અને રાઇટ જેવા અનેક ફિલોસૉફરોના વિચારો વિશે જાણકારી આપે છે. વાંચવા જેવું પુસ્તક.” - ચોઈસ


'''અમલમાં મૂકવા જેવી એક સલાહ:'''
== <span style="color: red">અવતરણક્ષમ વિધાનો : </span>==
{{Poem2Open}}(૧) સ્ત્રીએ લેખિકા થવું હોય તો સ્થાયી આવક અને પોતાનું અલાયદું સ્થાન(ઓરડો) જોઈશે.”
(૨) તમારે જોઈએ તો તમારાં પુસ્તકાલયોને તાળાં મારી દો (સ્ત્રીઓને પ્રવેશ નિષેધ હોય તો): પરંતુ દુનિયામાં એવો કોઈ બોલ્ટ, કોઈ તાળું કે કોઈ દરવાજો બન્યો નથી, જે અમારા સ્ત્રીઓના સર્જક મનની અભિવ્યક્તિને તાળાં મારી શકે!”
(૩) હું એવું ધારવાનું સાહસ અવશ્ય કરી શકું કે Anon નામે સેંકડો કવિતા રચનાર કોઈ સ્ત્રી જ હોવી જોઈએ.
(૪) ઈતિહાસમાં ઘણું બધું Anonymous-અનામી નામે ચાલ્યું તે સ્ત્રી જ હશે.
(૫). જેણે સારી રીતે ભોજન નથી કર્યું, તે સારી રીતે વિચારી શકતો નથી, સારી રીતે સૂઈ શકતો નથી, સારી રીતે પ્રેમ પણ કરી શકતો નથી
(ભૂખે ભજન, પ્રેમ, નિદ્રા, વિચાર ન હોય ગોપાલા.)


તમારા સ્વભાવનાં અમુક પાસાં એવાં હશે જે બદલવાથી તમારા જીવનમાં મોટો ફેરફાર થઈ શકે છે, એ પાસાં કયાં છે એ કદાચ તમને ખબર ન પણ હોય. આ પ્રયોગ કરવાથી તમે એ પાસાં કયાં છે એ જાણી શકશો.
વર્જિનિયા વુલ્ફની આ રચના નારીવાદી વિચારણા, સાહિત્ય વિવેચન, જાતિગત સમાનતા અને સર્જનાત્મક અભિવ્યક્તિ ઉપર એક મહત્ત્વપૂર્ણ પ્રદાન છે. સમય અને સ્થાનાવકાશ, અભિવ્યક્તિની સ્વતંત્રતા વચ્ચેના આંતરસંબંધો અહીં સરસ ચર્ચાયા છે, જે સ્ત્રીઓનાં અરમાન, કલાવિષયક આરોહણ ને ઉન્મેષો, તેને જન્માવતી સામાજિક પરિસ્થિતિઓ વિશે વાચકોને ભવિષ્યે પણ પ્રેરતું રહેશે.
નિત્શેએ એક પ્રયોગ કરેલો જેને એમણે ‘ઈટર્નલ રીટર્ન’નું નામ આપેલું. આ પ્રયોગ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધુ મજબૂત થશે.
તમારી જાતને પૂછો કે તમારી આ જ જિંદગી તમારે ફરી ફરીને અનનંતકાળ સુધી જીવવાની હોય તો તમે એમાં કયા ફેરફાર કરશો.
તમને શું લાગે છે? તમે કોઈ ફેરફાર કરશો? કે પછી તમે પ્રામાણિકપણે કહી શકશો કે તમારી જિંદગીથી સંતુષ્ટ છો અને આની આ જ જિંદગી તમે ફરી ફરીને જીવવા તૈયાર છો?
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 15:53, 15 November 2023

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ


A Room of One's Own-Title.jpg


A Room of One's Own

Virginia Woolf


An Essential Literary and Feminist Text

મારો પોતાનો ઓરડો, એ મારી પોતાની દુનિયા


વર્જિનિયા વુલ્ફ


* એક નારીનું પોતાનું જગત
* એક સ્ત્રીનું સ્વ-વિશ્વ
* (એક આવશ્યક સાહિત્યિક અને નારીવાદી કથની)



ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: ચૈતન્ય દેસાઈ


લેખિકાનો પરિચય

Virginia Woolf1.jpg
વર્જિનિયા વુલ્ફ (૧૮૮૨-૧૯૪૧) વીસમી સદીની પ્રારંભિક આધુનિકતાવાદી ચળવળની અગ્રણી બ્રિટીશ લેખિકા છે. એમની નવીન વર્ણનાત્મક પ્રવિધિઓ અને સર્જકચેતનાનાં ઊંડાણ તાગનારાં આ સુખ્યાત લેખિકા, આપણા સમયનું એક અતિ પ્રભાવી અને પ્રતિભાશાળી સાહિત્યિક વ્યક્તિત્વ છે. એક જાણીતા બૌદ્ધિક પરિવારમાં જન્મીને, સાહિત્ય-કલાપ્રેમ પોષક વાતાવરણમાં ઉછેર પામ્યાં.

વુલ્ફની સાહિત્યિક કારકિર્દી-માનવીય વર્તનમાં મનોવૈજ્ઞાનિક પાસાનું નિરીક્ષણ, વર્ણન પ્રવિધિઓમાં પ્રયોગશીલતા, સામાજિક અને લૈંગિક મુદ્દાઓ ચર્ચવાની તેમની પ્રતિબદ્ધતાથી ઝળહળે છે. તેમની કૃતિઓમાં માનવીય સંબંધોની સંકુલતા, પાત્રોનાં આંતરજીવન, વ્યક્તિગત દૃષ્ટિકોણ અને બહિર્ વાસ્તવના તાણાવાણા ગૂંથાયેલા જોવા મળે છે. એમની અન્ય કૃતિઓમાં પણ અલગ ભાત પાડતી ગદ્યશૈલી, બાહ્યનિરીક્ષણ અને આંતરદર્શનનું સુભગ સંયોજન જોવા મળે છે: જેવી કે, To the Lighthouse, Orlando, Mrs. Dalloway વગેરે... ૨૦મી સદીના પૂર્વાર્ધમાં બ્રિટિશ કલ્ચરલ લાઈફ ઉપર પ્રભાવ પાડનારી બૌદ્ધિકો-કલાકારોની મંડળી બ્લૂમ્સબરી ગ્રુપનાં તેઓ ચાવીરૂપ સદસ્ય હતાં.

નારીવાદી વિષયવસ્તુ અને સામાજિક ધારા ધોરણોનું વિવેચન એમના આ ‘પોતાના ઓરડા’માં પડઘાતું સંભળાય છે; જેમાં લૈંગિક સમાનતા, સર્જનાત્મકતાની અભિવ્યક્તિ, સ્ત્રીની વૈયક્તિતાનાં આવર્તન-આંદોલિત થતાં જણાય છે. કમનસીબે, માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓથી જીવનભર ગ્રસ્ત રહેવા છતાં, વુલ્ફની સર્જનયાત્રાએ સાહિત્ય જગતમાં અમીટ, અનેરી છાપ છોડી છે અને જગતભરના વિચારકો અને સર્જકોનાં તેઓ પ્રેરણાસ્રોત બની રહ્યાં છે.

વિષય પ્રવેશ :

સુખ્યાત નારીવાદી લેખિકા વર્જિનિયા વુલ્ફની સ્વ-અભિવ્યક્તિ અને લિંગભેદ વિષયક વિશિષ્ટ પરિપ્રેક્ષ્યયુકત સ્મૃતિ કથા છે. એક સ્ત્રીને કલા-સર્જન કરતી અવરોધતાં સામાજિક અને માળખાગત પરિબળોની ચર્ચા કરતો આ એક પ્રલંબ નિબંધ ગણી શકાય.

પ્રસ્તાવના :

એક સ્ત્રીનું સ્વ-વિશ્વ અથવા એક નારીનું પોતાનું સર્જક જગત- એ વર્જિનિયા વુલ્ફની નારીવાદી વિચારણાની સીમાચિહ્નરૂપ વિસ્તૃત અભિવ્યક્તિ છે. જેને લિંગભેદ, સર્જનાત્મકતા, સ્ત્રીની કલાત્ત્મક અને બૌદ્ધિક ક્ષમતાને અવરોધતાં સામાજિક-સાંસ્કૃતિક નિયંત્રણો વગેરે અંગેની વિચારોત્તેજક ચોપડી તરીકે વધાવવામાં આવી છે. લેખિકા અહીં સ્વાનુભૂત-ચિંતન, સાહિત્યિક પૃથ્થકરણ અને કલ્પનોત્થ વાર્તાકથનના ત્રિવેણી-સંગમ દ્વારા, લેખિકાને ‘એક વિચારશીલ-બુદ્ધિજીવી મહિલાના લેખિકા અને વિચારક તરીકેના પૂર્ણ પ્રગટીકરણ માટે એક અલાયદો ભૌતિક ઓરડો તથા સામાજિક બંધનોથી મુક્તિવાળી એક સાહિત્યિક ને વળી રૂપાત્મક જગ્યા-અવકાશ જોઈએ જ છે’—આ વિચારને વિષદતાથી વાગોળે છે. કલાકૃતિના સર્જન માટે કેવી પરિસ્થિતિ-વાતાવરણ એને જોઈતાં હોય છે—આ ચાલાક પ્રશ્ન વર્જિનિયા વુલ્ફ્ને A Room of One’s Own બાંધવા માટે દોરી ગયો છે. અને લેખિકા નારીવાદી વિચારધારાની પારસમણિરૂપ કૃતિ લઈને પ્રસ્તુત થયાં છે... આ પુસ્તકનાં પ્રકરણો લિંગભેદ, સમાજ અને વૈયક્તિક સિદ્ધિ વચાળે વસેલાં સંકુલ જોડાણો અને સમીકરણોને એક કેન્દ્રવર્તી દૃષ્ટિકોણથી સમજાવે છે. એક આશાસ્પદ મહિલા કલાસર્જકને તેની ઈશ્વરદત્ત ક્ષમતાના પૂર્ણ પ્રગટીકરણમાં, એનાં સામાજિક, આર્થિક અને રાજકીય રોડાંઓ, લગામો બેડી-બંધનો કેવાં રોકે છે તે વાચક જોઈ શકશે. એની સામે રૂપાળા નામે રીતસર કાવતરાં જ થાય છે જે નારી સર્જકને ઊગવા-પાંગરવા દેતાં નથી... માત્ર બંધનોથી ગભરાઈને ઘરમાં ભરાઈ ન રહેતાં નારી કેવી રીતે એ વિઘ્નોને વીંધીને બહાર આવે છે એવા રસ્તા પણ અહીં ચર્ચાયા છે, જે ભવિષ્યમાં મુક્તિ માટે મથનારી મહિલાને માટે માર્ગદર્શક નીવડશે. સમાજ એમની શક્તિ સિદ્ધિ જોઈને સામેથી એને પ્રગતિનો પંથ કંડારી દેશે. એવી પ્રચૂર શક્યતાપૂર્ણ આ પથપ્રદર્શક કૃતિ વાંચ્યે જ છૂટકો ! બોલો બહેનો(અરે, ભાઈઓ પણ) તમે વાંચવા તૈયાર છો ને?

લેખિકા આ રીતે પોતાની વાત ઉઘાડે છે— મહાન અંગ્રેજી નાટ્યકાર શેક્સપિયરની બહેન હોવાનું કેવું લાગે? ફાંસીવાદી પરિબળો કેમ ખરાબ કલાકૃતિ સર્જે છે? Androgynous mind ઉભયલિંગી મન કેવી રીતે પ્રાપ્ત થાય?

મુખ્ય વિચારબિંદુઓ :

(૧) કલાક્ષેત્રે મહાન બનવા નારીને બધા જ પ્રકારની આઝાદી જોઈશે.

૧૯૨૦ના દાયકાનાં અંતિમ વર્ષોમાં, એક પાનખરના દિવસે, લેખિકા વર્જિનિયા વુલ્ફ, એક કૉલેજ કેમ્પસમાં થઈને વહેતી નદીની સાથોસાથ ચાલતાં આંટો મારી રહ્યાં હતાં. નદીના પ્રવાહની જેમ એમનો વિચારપ્રવાહ પણ, હરિયાળા ઘાસ ઉપર થઈને વહેતો હતો. એક ઊંડા બૌદ્ધિક દીવાસ્વપ્નમાં તેઓ ડૂબ્યાં અને કોઈક તીવ્ર તેજસ્વી આંતરદૃષ્ટિનું પ્રકાશદર્શન તેઓ કરવામાં જ હતાં, ત્યાં એકાએક એક માણસે એમનું શાંત આંતરદર્શન ખળભળાવી નાખ્યું....

“માફ કરજો, મોહતરમા ! આ નદી કિનારાની હરિયાળી ઘાસની ચાદર આ મહાવિદ્યાલયના વિદ્ધાનો માટે અનામત રાખવામાં આવી છે, આપ એના ઉપર ન ચાલી શકો. તો કૃપા કરી અહીંથી બહાર જશો?” થોડાં ઝંખવાણાં પડીને વુલ્ફ તો બીજા રસ્તે વળી ગયાં, પેલાની વિનંતીને માન આપીને... પરંતુ કમનસીબે એમની વિચારશ્રુંખલા તૂટી ગઈ-એમનું આંતરદર્શન ચાલતું હતું તે- જે થયું તે સારા માટે ! પરંતુ આ નાનકડી ઘટનાએ એમને ઊંડા વિચારે ચડાવી દીધાં—લિંગભેદ અને સર્જનાત્મકતાના આંતરસંબંધ વિશે તેમના મનમાં એક વિચારવલોણું ચાલ્યું. અહીં ચાવીરૂપ ખ્યાલ એ છે કે કલાત્મક અભિવ્યક્તિ ક્ષેત્રે મહાનતા પામવા નારી પાસે આર્થિક સ્વાતંત્ર્ય અને સ્થાનની મોકળાશ હોવી જોઈશે. પેલી સહેજ અપ્રિય અને કંઈક અપમાનજનક ઘટના પછી વુલ્ફ્ને સતત વિચાર આવતા રહ્યા કે સ્ત્રીને પોતાની કલાત્મક અભિવ્યક્તિની આઝાદી છે કે નહિ? એમણે ઇતિહાસ પર નજર કરી અને વળી તે દિવસની ઘટનાથી ડઘાઈને તેમણે જોયું કે ‘હા, ખરેખર, સ્ત્રીઓને શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંસ્થાઓમાં સામેલ કરવામાં નથી આવતી.’ (વાચકો, આ ૧૯૨૦ની સ્થિતિ હતી, આજની નહિ). એમણે યુનિવર્સિટી ગ્રંથાગારમાં જઈને મિલ્ટન અને થૅકરેની કૃતિઓ સ્વહસ્તે શેલ્ફ પરથી લઈને વાંચવી હતી, પણ ના...એમની જોડે કોઈ પુરુષ સ્કોલર ન હોય તો તે ત્યાં જઈ શકે નહિ એવો નિયમ હતો. પછી છતાં વુલ્ફ તો રળિયામણા કૉલેજ કેમ્પસ ઉપર આંટો મારતાં મારતાં ત્યાંનાં ભવ્ય મકાનો નિહાળીને ખુશ થતાં રહ્યાં, વિચારતાં ગયાં કે સદીઓનાં સમય, સંપદા અને શ્રમના સરવાળાસમાં આ વિદ્યાભવનો રાજવીઓ દ્વારા સ્થપાયાં, વેપારી-મહાજનો દ્વારા પોષાયાં અને અસંખ્ય મઝદૂરોના પસીનાથી બન્યાં હશે... એમાં કોઈ મહિલાનું યોગદાન હશે જ નહિ? મજૂરણોએ તગારાં નહિ ઊંચક્યાં હોય? રાણી-મહારાણીઓ આના ઉદ્ઘાટનમાં નહિ આવી હોય?—અને ત્યાર પછી આ બધું જ માત્ર પુરુષોનું અધિકારક્ષેત્ર થઈ ગયું? અમને સ્ત્રીઓને ઘાસ પર ચાલવા પણ ન દે? પુસ્તક પણ જાતે ન જોવા દે? આ તે કેવું વળી? તે દિવસે સાંજે, થોડા અન્ય બૌદ્ધિકો સાથે વુલ્ફ ભવ્ય ડિનર પાર્ટીમાં ગયાં. ત્યાં મોટા ભાગના લોકો સાહિત્ય-કવિતા વગેરેની ચર્ચામાં વ્યસ્ત હતા, પણ વુલ્ફ તો સમાજમાંથી સ્ત્રીની બાદબાકી-અવગણના-ઉપેક્ષા ઉપર જ વિચારતાં રહ્યાં. તેમણે તેની મિત્ર મેરી સેટનને સ્થાનિક મહિલા કૉલેજ વિશે વાત કરી કે પુરુષોની યુનિવર્સિટીને સારું ફંડ મળે છે જ્યારે મહિલા કૉલેજ તો ઑક્સિજન પર જીવે છે—તેને માટે દાન ઉઘરાવવાના કાર્યક્રમો કરવા પડે છે... આ તે કેવું? બસ, વુલ્ફ તો આ જ વિચાર-વમળમાં ફસાયાં—પુરુષોને તેમની બૌદ્ધિક-સંશોધક પ્રવૃત્તિ-અભ્યાસો કરવા માટે કેવાં સરસ નિવાસ-સાધન સગવડો અપાય છે, જ્યારે સ્ત્રીએ પૈસા-પાઉંડ-પેની માટે કોઈના મોહતાજ રહેવાનું? આર્થિક અસલામતી અને સામાજિક ડરમાં જીવવાનું? સ્ત્રીની કલાત્મક, બૌદ્ધિક અભિવ્યક્તિનું શું? જો સ્ત્રીને પણ પુરુષો જેવાં સગવડ-સંશોધનો-સ્થાન-માન મળે તો તે પણ પુરુષો જેવી સિદ્ધિની પ્રાપ્તિ નહિ કરી શકે શું? સ્ત્રીઓને શાથી ઓછી આંકવામાં આવે છે?

(૨) મહિલાઓથી પોતાની જાતને ઊંચી દેખાડવા પુરુષો તેમની શક્તિનો ઉપયોગ કરે છે.

ચાલો, બ્રિટીશ લાયબ્રેરીમાં આંટો મારીએ. આ પ્રાચીન ને પ્રતિષ્ઠત પુસ્તક પ્રાંગણ પુસ્તકો, પેમ્ફલેટ્સ, ગ્રંથસૂચિઓ, સામયિકો, જર્નલ્સ, એન્સાયક્લોપીડિયા આદિનો વિશાળ ભંડાર ધરાવે છે. જાહિર સી બાત હૈ-કે આ વિશાળ સંગ્રહમાં બધી મહત્ત્વપૂર્ણ માહિતી અને તથ્યો સમાવિષ્ટ હશે. અહીંથી વુલ્ફ પોતાનું સંશોધન શરૂ કરે છે કે સમાજમાં પુરુષ અને સ્ત્રીને આટલી અલગ રીતે કેમ જોવામાં આવે છે? એમની વચ્ચે આવાં ભેદ-વર્તન-વ્યવહાર શા કારણે છે? લેખિકા હોવાને નાતે એમણે તો પુસ્તકાલયનાં અભરાઈ-પાટિયાં-પૂઠાં-પુસ્તક ઉથલાવી જોયાં અને એમને એક વિચિત્ર અસંતુલન સાંપડ્યું ! એક વિસ્મયકારી તથ્ય સામે આવ્યું કે સ્ત્રીઓ ઉપર હજારો હજારો પુસ્તકો લખાયેલાં છે—સ્ત્રીના જીવવિજ્ઞાન, સ્વભાવ, મનોવિજ્ઞાન, ઇતિહાસ-બધું મહિલા વિશે ભરચક માહિતીપૂર્ણ છે, પણ આ બધું લખે છે કોણ?—પુરુષો !! અરે? આ તે કેવી વિચિત્રતા, વિધિની વક્રતા કે સ્ત્રીના શરીર-મન-જીવન-કવન બધાં વિશે સ્ત્રી પોતે તો કંઈ બોલતી-લખતી-વિચારતી નથી ને પુરુષો જ આ બધું (એના વતી) લખે છે? આની સામે સ્ત્રીઓએ પુરુષો વિશે લખ્યું હોય એવું તો કાંઈ જડ્યું જ નહિ.

આનો અર્થ એવો લાગે છે કે પાશ્વાત્ય કલ્પનામાં સ્ત્રી હંમેશા એક તપાસ-વિષય(object of scrutiny) રહી છે પરંતુ તેને વસ્તુલક્ષી સંશોધક(objective scrutinizer) તરીકે ક્યારેય ગણવામાં-સ્વીકારવામાં નથી આવી. અહીં ચાવીરૂપ ખ્યાલ એ છે કે મહિલાઓથી પોતાની જાતને સવાઈ સાબિત કરવા પુરુષો એમનું પુરુષાતન પ્રયોજે છે. પુસ્તકાલયના સંગ્રહમાં આ લિંગભેદ-gender gap- જોઈને વુલ્ફ તો નિરાશ થયાં, તોયે તેમણે સ્ત્રીઓ ઉપરનાં પ્રાપ્ય પુસ્તક-પાનિયાં ફેંદવામાં સવારનો સમય ફાળવ્યો. તેમણે જોયું કે પુરુષો- સ્ત્રીઓ અંગેના દરેક પ્રકારના ખ્યાલો-અભિપ્રાયો ધરાવે છે. કેટલાક સ્ત્રીને બાળકબુદ્ધિવાળી, ડીમ, શીખવાને અક્ષમ એવી ગણે છે. તો કેટલાક વળી સ્ત્રીને રહસ્યમય, પારલૈકિક દેવી મૂર્તિ ગણી મહત્તા પણ આપે છે...પણ આ બંને અંતિમો સ્ત્રીઓ અંગે સાચાં નથી. પુસ્તકાલયમાં વધુ ખાંખાખોળાં કરતાં વુલ્ફ્ને એક આઘાતજનક પુસ્તક હાથ લાગ્યું : The Mental, Moral and Physical Inferiority of the Female Sex—જેના લેખક સુખ્યાત પ્રોફેસર હતા. એનો સૂર એટલો તો વાહિયાત અને હાસ્યાસ્પદ હતો કે એના લેખક કેવા મનના હશે તેનો વુલ્ફ્ને અંદાજ આવી ગયો, કે તે સ્ત્રીને ઘરકૂકડી માનનાર, લચકતા ઘુવડ જેવા શિકારીવૃત્તિવાળા અને ઊંડી લઘુતાગ્રંથિથી પીડાતા પુરુષ હોવા જોઈએ. ભૂતકાળમાં તેઓ મહિલાઓથી તિરસ્કૃત થયા હોવા જોઈએ જેથી આવું પુસ્તક લખીને તેમણે તેનો બાલિશ બદલો લીધો છે. તોયે જગતની મોટા ભાગની સ્ત્રીઓ કરતાં, આ દયનીય પ્રોફેસરનું સ્થાન ઈર્ષ્યાયોગ્ય છે. વુલ્ફે અખબારનાં પાનાં ફેરવ્યાં ને જોયું કે મોટા ભાગની ઘટનાઓ, સમાચારો પુરુષકેન્દ્રી હતા.. સરકાર તો પુરુષો જ ચલાવે, બ્રોકરેજ-બિઝનેસ ડીલ મરદો જ કરે, રમતજગતમાં પણ છોકરાઓ જ આગળ આવે—એવી વિગતોથી પેપર છલકાતું હતું. જાણે કોઈ પરગ્રહવાસીને તો એમ જ લાગે ને કે ધરતી ઉપરની સ્ત્રીઓ ઉપર પુરુષોની જ સત્તા કે આધિપત્ય ચાલે છે ! આવી અસમાનતા ભાળીને, વુલ્ફ્ને એવું વિચિત્ર લાગ્યું કે સ્ત્રીઓને અને તેનાં સ્થાન કે કાર્યને નીચું બતાવવામાં, તિરસ્કારવામાં જ પુરુષો રચ્યાપચ્યા છે કે શું? આથી તેણે તારવ્યું કે આ સ્ત્રી-તિરસ્કાર-વૃત્તિનાં મૂળ પુરુષોની અસલામતી-વૃત્તિમાં અને જગતમાં તેમના સ્ટેટસને સ્થાપવાની ઈચ્છામાં રહેલાં છે. તેણે કલ્પ્યું કે પુરુષોને એવી ખાતરી થવી જોઈએ કે તે સ્ત્રી કરતાં-તેની ઘરની સહનિવાસી કરતાં બહેતર હોઈ કોઈપણ રૂમમાં તે જવાને-ફરવાને હક્કદાર છે. વુલ્ફ્ને આશ્ચર્ય આ જ વાતનું છે કે પુરુષોના આવા માઈન્ડસેટને લીધે કેટલી બધી(લગભગ બધી જ) સ્ત્રીઓનાં દક્ષતા, કૌશલ્ય-કલાઓ દબાઈ જતાં હશે, ઢંકાઈ જતાં હશે, હાંસિયામાં-પુરુષના પડછાયામાં ધકેલાઈ જતી હશે !

(૩) ઇતિહાસ ગવાહ છે કે પ્રતિભાશાળી સ્ત્રીઓને સમકાલીન સમાજે આગળ આવવા દીધી નથી, તક આપી નથી.

શેક્સપિયરની નાટ્યસૃષ્ટિ અદ્ભુત અને કાલાતીત છે. એની ભાષા એવી તો પ્રવાહી-તરલ અને કાવ્યાત્ત્મક છે કે પ્રત્યેક દૃશ્ય અને સંવાદ જાણે જાદુઈ અને કોઈ અન્ય લોકમાંથી સીધાં સ્ટેજ ઉપર ઊતરી આવ્યા હોય ! એ મહાન નાટ્યવિદની મહત્તાને નમન, પરંતુ એ સમયે માત્ર શેક્સપિયર જ એકલા એવા સાહિત્યકાર નહોતા, એલિઝાબેથન યુગમાં ઇંગ્લેન્ડના અન્ય પુરુષ લેખકો, કવિઓ, નાટ્યવીરો સરસ સર્જન કરતા જ હતા... આથી વિપરીત, કોઈ મહિલા સર્જકનો અવાજ કે શબ્દ ત્યારનો નોંધાયેલો નથી એ કમનસીબ બાબત છે. બાકી સ્ત્રી સર્જકો ન હોય એમ બને નહિ.

તો આ અસંતુલન શું સૂચવે છે? પુરુષોમાં જ સર્જકતાનો જાદુઈ ચમકાર-ઝબકાર હોય અને સ્ત્રીઓમાં તેવું તેજ નહિ હોય શું? હોય જ વળી; પરંતુ પુરુષપ્રધાન માનસિકતાની બલિહારી કે નારીને આગળ આવવાની બારી જ ન બતાવી, એમને તક ન આપી, તેમને શિક્ષણ, આર્થિક આઝાદી ને પ્રોત્સાહન ન આપ્યાં જેથી સ્ત્રીની તેજસ્વિતા સમાજને જોવા ન મળી. અહીં ચાવીરૂપ ખ્યાલ એ છે કે ભૂતકાળમાં સમકાલીન સમાજે સ્ત્રીઓની પ્રતિભા ખીલવવાની તક નથી આપી. તમે ઇતિહાસ અથવા સાહિત્યનો ઇતિહાસ તપાસો તો જુદું જ ચિત્ર જોવા મળશે. કથા સાહિત્યજગતમાં, લેખકોની કલ્પનામાં પણ ઢગલાબંધ આદર્શ સ્ત્રીપાત્રો મળશે. પ્રાચીન ગ્રીક નાયિકાઓ-એન્ટીગોનીથી માંડીને શેક્સપિયરની લેડી મેકબેથથી લઈને ૧૯મી સદીની અન્ના કેરેનિના સુધી સાહિત્યનાં પાનાંઓમાં કેટલીયે પ્રતિભાશાળી સ્ત્રીઓ ચિત્રિત થઈ છે. તેમ છતાં, ઇતિહાસગ્રંથોમાં સ્ત્રીને ગૌણ ભૂમિકામાં ભંડારી દેવાઈ છે. તો પછી સાહિત્ય-કલા સર્જનની દુનિયામાં સ્ત્રી આટલી મહત્ત્વપૂર્ણ હોય છતાં તેને વ્યવહાર જગતમાં શા માટે સાઈડલાઈન કરવામાં આવે છે? મને લાગે છે કે સ્ત્રીને પુરુષો જેવી સ્વાયત્તતા ભાગ્યે જ અપાઈ છે. પ્રમાણમાં નજીકના ગણાય એવા એલીઝાબેથન યુગમાં-૧૯મી સદીમાં ઇંગ્લેન્ડમાં પણ સ્ત્રીઓ ભાગ્યે જ સુશિક્ષિત હતી. તેમને ભણાવવા કરતાં જલ્દીથી પરણાવી દેવાતી અને તે પણ તેમની ઈચ્છા કે પસંદગીની પરવા કર્યા વિના ! અને પુરુષપ્રધાન સમાજ એની પાસે માત્ર બાળઉછેર અને ગૃહસંચાલનની મોટી ખોટી અપેક્ષા સેવતો.. આવામાં સ્ત્રીની કલાત્મક સર્જનાત્મકતા ક્યાંથી ખીલે? એ તો ઘરના ખીલે બંધાયેલી હતી. વર્જિનિયા વુલ્ફ આ જ ચિંતનચકડોળે ચઢી અને તેણે કલ્પના કરી કે શેક્સપિયરને પણ જુડીથ નામની એક બૌદ્ધિક-સર્જકસંપદા-યુક્ત બહેન હોત તો? તેનું જીવન-કવન એના ભાઈ શેક્સપિયર જેવું (થવા દીધું) હોત ખરું? વાસણ-કપડાં ને રસોઈ રાંધણ, ઘોડિયાંની દોરી હીંચતાં તેને ભણવા-ગણવાનું મળ્યું હોત ખરું? જો તે બુદ્ધિશાળી હોત તો અંગત સ્તરે પણ આગળ વધી હોત? તેણે છાનાછપનાં વાર્તા-કવિતા લખવાં પડ્યાં હોત; અને તોયે તેના પિતાજીએ તેના સાહિત્યપ્રેમને ચોક્કસપણે વધાવ્યો તો ન જ હોત, ઉલટાની તેને હતોત્સાહ કરી હોત...છતાં જૂડીથ ડગી ન હોત અને તેણે તેનાં કલાઅભિવ્યક્તિનાં સ્વપ્ન પૂરાં કરવાં હોત તો તેણે ઘર છોડીને જતા રહેવું પડ્યું હોત. ૧૬મી સદીની સર્જકતા-શક્યતા સંપન્ન સ્ત્રીની આ (અવ)દશા હોત! આથી લાગે છે કે શેક્સપિયરની આવી કાલ્પનિક બહેનને કદી પણ ખીલવા ને વિકસવાની તક જ ન મળી હોત... આ તો આપણે કાલ્પનિક બહેનની વાત કરી, પણ વાસ્તવમાં આવી ઘણી પ્રતિભાશાળી સ્ત્રીઓ ત્યારે હતી, જેમને અભિવ્યક્ત થવાનો અવસર ને અવકાશ ક્યારેય ન મળ્યા.. આથી ઘણી એવી ગૂંગળાતી સ્ત્રીઓ માનસિક તાણ અને ક્યારેક આત્મહત્યાનો ભોગ બનતી.. તદ્ઉપરાંત, નહીવત્ સ્ત્રીઓને લેખક-સર્જક-કલાકાર થવાની તક મળી તેથી સમકાલીન યુવતીઓ-કન્યાઓને પોતાના રોલમોડેલ મેળવવાની પણ તંગી વર્તાઈ. સમાજ માટે આ શરમજનક જ ગણાયને? કેટલી ખોટ ગઈ માનવજાતિને કે સમાજે તેના અડધા વર્ગ (પુરુષવર્ગ)ને જ મહત્ત્વ આપ્યા કર્યું અને બીજા અડધા (સ્ત્રી)વર્ગની સર્જનાત્મકતાની ઉપેક્ષા જ કર્યે રાખી ! નહિ તો કેટલી સારી ઉત્કુષ્ટ કૃતિઓ સ્ત્રી સર્જકો પાસેથી મળી શકી હોત !

(૪) હજી આજે પણ સફળ લેખિકાઓ હાલની વિષમ સામાજિક વાસ્તવિકતાથી ગૂંગળાઈ રહી છે.

મળીએ લેડી વિન્ચીલ્સીને. ૧૬૬૧માં સંસ્કારી ઘરાનામાં જન્મેલી વિન્ચીલ્સી એ સદીમાં પ્રમાણમાં સારું કહેવાય તેવું શિક્ષણ પામી હતી અને સર્જનાત્મકતા ધરાવતી હોઈ કવિતા લખવામાં આયખું વીતાવી શકે એટલી સાધન સંપન્ન હતી... પણ કમનસીબે તેના સર્જકઝનૂનને, કલાત્ત્મક ઊભરાને ગંભીરતાથી લેવામાં ન આવ્યો.. પુરુષાધિપત્યની માનસિકતાએ તો આમ કર્યું જ, પરંતુ એ લેડીના ભદ્રવર્ગીય વર્તુળમાં પણ તેની આ લેખનકળા કે સર્જકશોખને વિશિષ્ટ, જુદો ચીલો ચાતરનારો ચક્રમ, ખિન્ન, એકલવાયો, સ્વપ્નસેવી ગણી લેવામાં આવ્યો. નારીવર્ગે પણ નારીને નકારી, હતોત્સાહ કરી. જાણે તે જુદા ગ્રહનું પ્રાણી હોય તેમ એનો સામાજિક બહિષ્કાર થયો, જેથી એક સર્જક સ્ત્રીનું મન કડવું અને ખાટું થઈ ગયું. આ કડવાશ, અવમાનના, સર્જકતાની સામજિક સ્વીકૃતિનો સંઘર્ષ તેની એક કવિતામાં પડઘાયો :

“મારી કાવ્યપંક્તિઓ-મારું માનસ સંતાન-અવગણના ને અવમાનના પામ્યું... મારી કલાત્મક અભિવ્યક્તિ-પ્રવૃત્તિને વ્યર્થ-નિરર્થક મૂર્ખાઈ ગણી લેવાઈ અથવા જાણે મેં કોઈ અહંકારવશ ભૂલ કરી હોય એવું ચિત્ર ઉપસાવ્યું. મારા જ સમાજે.” બિચ્ચારી લેડી વિન્ચીલ્સી ! નારીના કલ્પના જગતની, તેની અભિવ્યક્તિ ઝંખનાની કેવી ઉપેક્ષા ! સ્પષ્ટ દેખાય છે કે લેડી હજી પણ સમાજિક બેડી-બંધનોમાં જકડાઈને ઘૂંટાઈ રહી છે. એની સરસ્વતી સૂકાઈ રહી છે... આજે મહિલા સર્જકોને ગંભીરતાથી લેવામાં આવે છે ખરી, પરંતુ તેનું સર્જન સમાજિક છાયા-પડછાયામાં થાય છે, એને વિશાળ ગગનની મોકળાશ ને સૂર્યપ્રકાશનું તેજ ક્યાં સાંપડે છે? અહીં ચાવીરૂપ સંદેશ છે કે હજી આજે પણ સફળ લેખિકાઓ સામાજિક સ્વતંત્રતાનો શ્વાસ લઈ શકતી નથી. અને વળી એવું નથી કે લેડી વિન્ચીલ્સી પ્રથમ સર્જક હતી. વાસ્તવમાં, જયારે તે પોતાનાં ઘૂટન અને ક્રોધાવેશને કવિતામાં ઊતારી રહી હતી ત્યારે બીજી એક લેખિકા-નાટ્યકાર,નવલકથાકાર આફ્રા બૅન એક સફળ સર્જક તરીકે પાંગરી-પ્રસરી રહી હતી, કલમસેવી અને કલમજીવી બની અન્ય મહિલા સર્જકો માટે આગળ આવવાની કેડી કંડારી રહી હતી. એની દુર્લભ અને ચમત્કારિક સફળતાએ બતાવી આપ્યું હતું કે લેખન-સર્જન નારીઓ માટે નફાકારક પ્રવૃત્તિ બની શકે છે અને નફાકારકતાની પાછળ સન્માન આપોઆપ ચાલ્યું આવે છે...જાગો જગતજનની નારીઓ ! અને ખરેખર, આફ્રા બૅનના દૃષ્ટાંતને જોઈને વધુ ને વધુ કામિનીઓએ કલમ ઉપાડી પોતાની કેદ-કલ્પનાને મુક્તિની ઉડાન આપી હતી.. અને પછી તો લાઈન લાગી ગઈ-નારી ચલ પડી... ૧૯મી સદી સુધીમાં જેઈન ઑસ્ટીન, જ્યૉર્જ ઇલિયટ, બ્રોન્ટી સીસ્ટર્સ ક્લાસીક નવલકથા લેખનયાત્રામાં ઝંપલાવી ચૂકી હતી. હા, એટલું ખરું કે આ બધી લેખિકાઓનાં સર્જનમાં કેટલાંક લક્ષણો એકસમાન જોવા મળતાં.. એ બધી સર્જકોને પ્રમાણમાં ઘણો સારો ઉછેર, શિક્ષણ અને પારિવારિક પ્રોત્સાહક માહોલ, સંપન્નતા અને સંતાન-વિહીન સર્જનની મોકળાશ મળી હતી.. પણ તોયે જરા વક્રતા જુઓ કે ઇલિયટે પુરુષનામના ઉપનામનો આંચળો ઓઢવો પડ્યો હતી. એ શ્રીમાન જ્યોર્જ ઇલિયટ નહોતાં, પણ મેરી ઍન ઈવાન્સ હતી ! લ્યો, બોલો ! કારણ કે બાહ્ય વાસ્તવ અને સામાજિક વાતાવરણ તેમને હજી અસર કરતું હતું. આ બધી લેખિકાઓ નવલકથા લખતી હતી. વુલ્ફ અહીં નોંધે છે કે નારીને માટે ઘરકામના ચકરાવા અને અન્ય અવરોધકોની વચ્ચેથી થોડો સમય ચોરી લઈને કથનકળાને વિસ્તારતો નવલકથા પ્રકાર વધુ માફક આવી ગયો હતો. એમના સમય-સંજોગોને એ અનુકૂળ હતું. બાકી એમિલી બ્રોન્ટીનો ઝૂકાવ કવિતા તરફ અને ઇલિયટનો ઇતિહાસ તરફ હતો, તોયે બંને લેખિકાઓ નવલકથાપંથની સફળ યાત્રીઓ બની રહી. કારણ કે, તેમની સમકાલીન સમાજરચના અને યુગ-પરિસ્થિતિએ પણ તેમની નવલકથાઓને બાંધવાનો ઘણો કાચો માલ પૂરો પાડ્યો. એ સમયગાળામાં પુરુષો, સાહસપ્રિય પ્રાણીઓ જગ જોવા ને દુનિયા ખેડવા નીકળી પડ્યા હતા. કાઉન્ટ લિયો ટોલ્સટોય જેવા લેખકોની સર્જનસૃષ્ટિ આવા પુરુષોને માટે સાહસિક પ્રેરણાની ખાણ નીવડી હતી, અને તેઓ ઊંબરો ઓળંગી અવનીને ખોળે ઊપડ્યા, આથી મહિલાઓને પોતાનું ગૃહજીવન, સંજોગબદ્ધ અસ્તિત્વ, ઐહિક જીવન ઝીણવટથી જોવા-નાણવાનો મુક્ત અવસર મળી ગયો. અને એ બધું એમની નવલકથાઓમાં ડોકાયું... અને આ લેખિકાઓએ એ દૈનિક પરિચિત વાસ્તવને પણ કલ્પનાનાં રંગબેરંગી વસ્ત્રો પહેરાવી પેશ કર્યું. પણ વિચારો કે આનાથી પણ વધુ મોકળાશ અને ચિંતનાવકાશ તેમને મળ્યો હોત તો એમના ચિદાકાશને તેઓ હજી વધુ તેજલિસોટાથી ખોલી શકી હોત, ખરું કે નહિ?

(૫) સમકાલીન નારી નવીનતર વાસ્તવિક ભૂમિકાઓ સર કરવા કથાસાહિત્યનો ઉપયોગ કરી શકે છે.

ચાલો, તમને ભૂતકાળની સફર ઘણી કરાવી, હવે ૧૯૨૦ના દાયકામાં અંત તરફ-આધુનિક કાળ તરફ આવીએ... તમે આ સમયનાં બુકશેલ્ફ જોશો તો નવાઈ પામશો, અરે તમને ખુશી થશે કે પુરુષ સર્જકોની કૃતિઓની લગોલગ જ તમને લેખિકાઓની ચોપડીઓ પણ એટલી જ હાથમાં, નજરમાં આવવા માંડશે. તેમનો વિષયવસ્તુ વ્યાપ પણ હવે વૈવિધ્યપૂર્ણ જોવા મળશે, માત્ર ઘરેલુ-સામાજિક જ નથી રહ્યો...જુઓ તો ખરા, એનાં નામો-મથાળાં :- જેઈન હેરિસનની Greek Archeology (પુરાતત્ત્વ), વર્નન લીનું Art and Aesthetics ઉપરનું લખાણ, ગર્ટ્રૂડ બેલ વળી પર્શિયાનો ઇતિહાસ ઉખેળે છે... પેલું કથાસાહિત્ય પણ વિવિધતાનો સ્પર્શ પામ્યું છે—રોમાન્સીસ, ફેન્ટસી સ્ટોરીઝ, કઠોર વાસ્તવની નવલકથાઓ વગેરે જોવા મળશે.. હવે તમે તે યુગની લેખિકાઓના સર્જન વિશે શું કહેશો? ચાલો એકાદ રેન્ડમ ટાઈટલ ઉપાડો અને જુઓ : Life’s Adventure by Mary Carmichael…. આ તો રસપ્રદ લાગે છે !

તો વાતનો સાર એ જ કે સમકાલીન લેખિકાઓ નવું નવું વિવિધતાભર્યું લખી શકે છે. વુલ્ફ્ને લાગે છે કે નવલકથા વાંચવાનો એકમાત્ર સારો રસ્તો એ છે કે પ્રત્યેક કૃતિને એના બૃહદ સાહિત્યિક ઇતિહાસયાત્રાનો આખરી ને અદ્યતન પડાવ ગણીને વાંચવી. તેથી મેરી કાર્માઈકલની પ્રથમ નવલને પણ ભૂતકાળની નવલકથાઓના સંદર્ભમાં મૂલવી જોવી. તો તમને Life’s Adventure કેટલાક નવા આયામો ઉઘાડી આપનારી રસિક કથા લાગશે. એની શૈલીગત વિશિષ્ટ પસંદગી એ તો હજી શરૂઆત છે. એની ગદ્યગરિમા તેને અન્ય પૂર્વસૂરીઓ કરતાં (ઓસ્ટીન અને બ્રોન્ટી) સંક્ષિપ્ત છતાં સબળ, ચોટદાર ને ચિત્રાત્મક લાગશે. વુલ્ફ તો તેના એક જ વાક્ય આગળ અચંબાથી અટકી પડ્યાં: ‘Chole liked olivia’—આ નાનકડા શબ્દપ્રયોગે સંભાવનાઓની નવી સૃષ્ટિ ઉઘાડી આપી. આ પૂર્વે, સ્ત્રીઓ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો આટલી સૂક્ષ્મતા અને સંવેદનાપૂર્વક ભાગ્યે જ વર્ણવાયા હતા. તે વખતે તો કાં તો સ્ત્રીને સ્ત્રીની દુશ્મન કે પુરુષની સ્પર્ધક તરીકે ચિતરાતી રહી હતી. પરંતુ કાર્માઈકલે બે સ્ત્રીઓ વચ્ચે working relationship ઉપર કેમેરો મૂકીને સાહિત્યમાં એક જ નવી જ બારી ખોલી આપી છે. એ પણ ધ્યાનાર્હ છે કે ચોલે અને ઓલિવિયા બંને માત્ર સ્ત્રી મિત્રો જ નહિ પણ સહકર્મીઓ છે. એક પ્રયોગશાળામાં (જીવનની પણ) વૈજ્ઞાનિકો તરીકે સાથે કાર્યરત છે. અહીં પણ લેખિકા નવો પ્રદેશ ખેડે છે. આધુનિક નારીનું લેખન-આલેખન હવે માત્ર ઉચ્ચવર્ગીય મહિલાઓનાં સુગંધિત પાર્લર કે ફેશનજગતમાં કેદ નથી રહ્યું. આજ સુધી પુરુષ લેખકો કરતા આવ્યા’તા તેના કરતાં જુદેરું-અદકેરું, વિશિષ્ટ મહિલા કર્મચારીઓથી માંડી ગણિકાઓ સુધીની વ્યાપક રેન્જના તેમના જીવન અનુભવોનું ચિત્રણ નારી લેખિકાઓ આપી રહી છે. હજી આ દિશામાં ઘણું સંશોધન કરવાનું છે. એક ચીજ માટે નારીએ તેની કલમને કેળવવાની છે તે એ કે પુરુષના મનને પણ તટસ્થતા ને તજજ્ઞતાથી તાગવાની. જો કે કોઈના મનને માપવાનું અશક્ય લાગે, પણ પુરુષ પણ પોતાનો તાગ પોતે ન પામી શકે તેટલી દક્ષતાથી સ્ત્રીએ એ કામ કરવા જેવું છે, એણે પુરુષ પાત્રો જોડે સ્પર્ધક કે શત્રુભાવને બાજુ પર રાખી, પુરુષ કે સ્ત્રી ઊભયના આંતરજગતને અદ્ભુત રીતે ખોલી આપે તેવી કૃતિઓ આપવાની છે.

(૬) સાચો સર્જક પુરુષ-સ્ત્રી જેવી ભેદરેખાથી ઉપર ઊઠી વિચારી શકવા સમર્થ હોય છે.

કલ્પના કરો કે તમે શિયાળાની સુંદર સવારે લંડનમાં તમારા ઘરની બારીની બહારનું જગત જોઈ રહ્યા છો. ગલીઓમાં ચહલપહલ છે, લોકો ફૂટપાથ ઉપર આવ-જા કરે છે, એક રીતે બધું ગતિશીલ છે. કોઈ તમને એવો ઈન્સાન નજરે ચઢે છે કે જે કલા-સાહિત્ય-સંસ્કૃતિ સર્જનાત્મકતા કે સાહિત્યના ભવિષ્ય વિશે ઊંડું વિચારતો-આચરતો હોય?

અને એવામાં એક પુરુષ અને એક સ્ત્રી—બે રાહદારીઓ ફૂટપાથ પર મળે છે અને એક ગાડી કરી અજાણી મંઝિલ ભણી હંકારી જાય છે. બંને વચ્ચે સુંદર, સરળ, સહજ, તરલ વાર્તાલાપ થાય... પછી આ જોડી સંપૂર્ણ રીતે સ્વસભાનતા વિના સહયોગ સાધે ને કંઈક કામ કરે. ચિંતન-કલ્પના-કલા-સંસ્કૃતિ-અભિવ્યક્તિનું ઈત્યાદિ... આવું દૃશ્ય તમારા મનમાં કંઈક જગાડે છે... પણ આપણે હજી એમને એકત્વના ભાવ કરતાં ‘પુરુષ’ અને ‘સ્ત્રી’ના ભેદજનક વેશમાં જ જોઈએ છીએ જે ખેદજનક નથી? ‘પુરુષપણા’ અને ‘સ્ત્રીપણા’ના જડબેસલાક ચોકઠાંથી ઉપર ઊઠી ‘માનવપણા’ના શિખરનું દર્શન કદાચ સર્જક જ શ્રેષ્ઠ રીતે કરાવી શકે, લાગે છે એવું? વાતનો સાર એટલો જ કે ઉત્તમ સર્જક લિંગભેદની પર રહેલા માનવ્યને તાગી શકે છે. માનવમન અદભૂત રીતે સ્થિતિસ્થાપક અને નવ્યવિચારક છે. તે પોતાનો સમૃદ્ધ અને વિસ્તૃત આંતરસંવાદ સર્જી શકે છે, આનાથી યે વધારે તે કરી શકે—અન્ય પ્રતિ સહાનુભૂતિ ધરાવી શકે, નવા નવા દૃષ્ટિકોણથી જગત જોઈ શકે, વિચાર-કલ્પના કરી શકે, પોતાનાથી પારના અનુભવ કરી શકે. મનની આવી અપાર-અદ્ભુત ક્ષમતાના બટન ઉપર આંગળી મૂકીએ તો સર્જનાત્મક વિચારણાની વીન્ડો ઓપન થાય. આંગ્લ રોમેન્ટીક કવિ સેમ્યુઅલ ટેલર કૉલરિજ ‘androgynous mind’—ઊભયલિંગી મન-નો ખ્યાલ આપે છે, જે સ્ત્રી-પુરુષના ભેદરેખાજનક પ્રભાવથી પર હોય છે. તે સ્ત્રી અને પુરુષ બંનેના દૃષ્ટિકોણથી તટસ્થ રીતે દુનિયા-દર્શન કરી શકે છે. અને સમજે છે કે સર્જનાત્મક કલાનગરમાં સ્ત્રીગલી-પુરુષગલી નથી હોતી. સમગ્ર ઇતિહાસ પર વિહંગાવલોકન કરો તો જણાશે કે ઉત્તમ સર્જકો-કલાકારો-સાહિત્યકારો ‘ઊભયલિંગી મન’ના માલિક અને માણીગર હતા. જોકે ૧૯૨૦ના દાયકાનું જગમાનસ લિંગભેદ સભાન હતું. ખાસ કરીને, સ્ત્રીઓના રાજકીય રીતે હાવી થવાનો પુરુષોને ડર પેસી ગયો હતો. તેથી જ તેઓ સ્ત્રીઓને મતાધિકાર મળે તેની વિરુદ્ધ આંદોલન ચલાવતા હતા. સ્વ-સભાન પૌરુષત્વના આદર્શમાં પીછેહઠ કરીને ઘણા પુરુષો પૌરુષત્વની રક્ષા કરવાના પક્ષમાં હતા. આથી ખરાબ, નબળી કૃતિઓ સર્જાઈ એટલું જ નહિ, પણ ઈટાલીમાં ફાંસીવાદ જેવી ભયાનક અને અતિપૌરુષેય ઊર્જાયુક્ત રાજકીય ચળવળો જન્મી. વુલ્ફ એક સુંદર સંતુલિત સંવાદિત વિશ્વની કલ્પના કરે છે, જેમાં સ્ત્રી અને પુરુષ, પોતાની ઓળખને લિંગભેદના ત્રિપાર્શ્ર્વ કાચમાંથી વક્રીભૂત થવા દીધા વિના, પોતાનાં કલાત્મક-સર્જનાત્મક કે અન્ય લક્ષ્યોની દિશામાં સમાનપણે અગ્રેસર થતાં હોય. વુલ્ફ પ્રતિપાદિત કરે છે કે સર્જકે લિંગભેદના સાપેક્ષ લાભાલાભનાં ચિંતા-ચિંતન કે ચર્ચા કર્યા કરતાં સમગ્રની વાસ્તવિકતા સાથે, ઊભયના ઐક્યની સાથે પોતાને જોડવી જોઈએ. વુલ્ફ્ને લાગે છે કે આવો માઈન્ડસેટ, ભૌતિક સંસાધનોની સાથોસાથ, મહાન કલાને સર્જનારો રાજમાર્ગ બની રહેશે.

ચાવીરૂપ ખ્યાલો :

(૧) બૌદ્ધિક સ્વાતંત્ર્ય અને સર્જનાત્મકતા:

વુલ્ફનાં અવલોકન અને તર્ક કહે છે કે સ્ત્રીઓને તેમની સર્જનક્ષમતા વ્યક્ત કરવા દેવામાં, શિક્ષણવંચિતતા, આર્થિક ગુલામી અને પોતાની ભૌતિક મોકળાશના અભાવ જેવાં પરિબળો પ્રભાવક રહ્યાં છે. સ્ત્રીને પોતાનો એક ઓરડો-સ્થાન હોય, આર્થિક સ્વાતંત્ર્ય હોય તો તે પોતાની કલાત્મક દક્ષતાઓને તાગી અને અભિવ્યક્ત કરી શકે.

(૨) ઐતિહાસિક મર્યાદાઓ: સાહિત્યક્ષેત્રે સ્ત્રીઓના પ્રદાનમાં અભાવ માટે કારણભૂત એવાં ઐતિહાસિક અને સામાજિક પરિબળો તપાસતાં વુલ્ફ્ને જણાય છે કે લેખિકાઓને તેમના સમકક્ષ પુરુષ લેખકોની છાયામાં કેવી રીતે ધકેલી દેવાય છે અને તેની સર્જનાત્મક પ્રવૃતિમાં સામાજિક અપેક્ષાઓ અને લિંગભેદ કેવો વિઘાતક રોલ ભજવે છે.

(૩) ઊભયલિંગી મનનો નવો ખ્યાલ રજૂ કરતાં વુલ્ફ સૂચવે છે કે મોટાભાગની મૂલ્યવાન સાહિત્યકૃતિઓ લિંગભેદની પાર જઈ, સ્ત્રીનાં ને પુરુષનાં ઉમદા તત્ત્વો ને તાકાતોને સંયોજી શકે છે. જાતિગત ધારા-ધોરણોની ઉપર ઊઠી, પોતાની સર્જનાત્મકતા ખીલવે તેવો ઊભયલિંગી દૃષ્ટિકોણને આશ્લેષમાં લે તેવા ભવિષ્યનું દર્શન કરે-કરાવે છે.

(૪) સાહિત્યિક પરંપરા અને નારી લેખન : પુરુષપ્રભાવી સાહિત્યિક પરંપરામાં લેખિકાઓને સહન કરવા પડતા પ્રશ્નો ને પડકારો વુલ્ફ તપાસે છે. ઇતિહાસમાં કે ભૂતકાળમાં સ્ત્રીઓના અવાજના અભાવની વુલ્ફ સમીક્ષા કરે છે અને સ્ત્રીઓને તેમની પોતાની વાતને વાર્તામાં ઢાળવા પ્રોત્સાહન આપે છે, સાહિત્યિક વારસામાં પોતાનું સ્થાન બનાવવા પ્રેરે છે.

ઉપસંહાર :

A Room of one’s ownમાં વર્જિનિયા વુલ્ફ, સ્ત્રીઓને તેમના સર્જનાત્મક ઉદ્યમમાં પ્રવૃત્ત થવા સ્ત્રીને ભૌતિક અને માનસિક બંને પ્રકારના અવકાશની આવશ્યકતા હોવાની રજૂઆત ઝનૂનથી કરે છે. સ્ત્રીઓના બૌદ્ધિક વિકાસ અને કલાત્મક અભિવ્યક્તિને અવરોધતાં-અવગણતાં ઐતિહાસિક અન્યાયો અને સામાજિક બંધનોને પણ લેખિકા પ્રકાશમાં લાવે છે અને નારીશક્તિને આહ્વાન કરે છે કે જાતિગત સમાનતા, આર્થિક સ્વાતંત્ર્ય મેળવી સર્જનાત્મક ક્ષેત્રે પોતાનું પ્રદાન કરવા આગળ આવો.

સૈકાઓ સુધી સ્ત્રીઓને પોતાની મૌલિક કલાત્મક અભિવ્યક્તિ કે સર્જનાત્મકતાથી વંચિત રાખવામાં આવી છે. કારણ કે મોટા ભાગના તત્કાલિન સમાજોમાં—સંપત્તિ, શિક્ષણ અને (મુક્ત)સમય-નો ભૌતિક લાભ માત્ર પુરુષોને જ આપવામાં આવતો હતો. સર્જક તરીકે સ્ત્રીને સફળ થવા માટે સ્થાયી આવક અને પોતાનો ઓરડો જોઈએ. આશા છે કે ભવિષ્યમાં આવી સગવડ-અનુકૂળતા પુરુષ-સ્ત્રી બંનેને સમાન રીતે મળી રહે અને બંને સુંદર સર્જનાત્મક પ્રવૃત્તિ કરી શકે, લિંગભેદ કે જાતિગત અસમાનતા, અન્યાયી દૃષ્ટિકોણનો છાંયો-પડછાયો એમના ઉપર ના પડે.

અવતરણક્ષમ વિધાનો :

(૧) સ્ત્રીએ લેખિકા થવું હોય તો સ્થાયી આવક અને પોતાનું અલાયદું સ્થાન(ઓરડો) જોઈશે.”

(૨) તમારે જોઈએ તો તમારાં પુસ્તકાલયોને તાળાં મારી દો (સ્ત્રીઓને પ્રવેશ નિષેધ હોય તો): પરંતુ દુનિયામાં એવો કોઈ બોલ્ટ, કોઈ તાળું કે કોઈ દરવાજો બન્યો નથી, જે અમારા સ્ત્રીઓના સર્જક મનની અભિવ્યક્તિને તાળાં મારી શકે!” (૩) હું એવું ધારવાનું સાહસ અવશ્ય કરી શકું કે Anon નામે સેંકડો કવિતા રચનાર કોઈ સ્ત્રી જ હોવી જોઈએ. (૪) ઈતિહાસમાં ઘણું બધું Anonymous-અનામી નામે ચાલ્યું તે સ્ત્રી જ હશે. (૫). જેણે સારી રીતે ભોજન નથી કર્યું, તે સારી રીતે વિચારી શકતો નથી, સારી રીતે સૂઈ શકતો નથી, સારી રીતે પ્રેમ પણ કરી શકતો નથી (ભૂખે ભજન, પ્રેમ, નિદ્રા, વિચાર ન હોય ગોપાલા.)

વર્જિનિયા વુલ્ફની આ રચના નારીવાદી વિચારણા, સાહિત્ય વિવેચન, જાતિગત સમાનતા અને સર્જનાત્મક અભિવ્યક્તિ ઉપર એક મહત્ત્વપૂર્ણ પ્રદાન છે. સમય અને સ્થાનાવકાશ, અભિવ્યક્તિની સ્વતંત્રતા વચ્ચેના આંતરસંબંધો અહીં સરસ ચર્ચાયા છે, જે સ્ત્રીઓનાં અરમાન, કલાવિષયક આરોહણ ને ઉન્મેષો, તેને જન્માવતી સામાજિક પરિસ્થિતિઓ વિશે વાચકોને ભવિષ્યે પણ પ્રેરતું રહેશે.