નારીસંપદાઃ વિવેચન/આનંદશંકર ધ્રુવની વિવેચના: Difference between revisions

+1
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
 
{{Heading|આનંદશંકર ધ્રુવની વિવેચના|દર્શના ધોળકિયા}}
<big><big>'''૪૦'''</big></big>
 
<center><big><big>'''આનંદશંકર ધ્રુવની વિવેચના'''</big><br>
દર્શના ધોળકિયા</big></center>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
ઈ.સ. ૧૮૬૯થી ૧૯૪૨ એ આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવનો કાલાવધિ. અર્વાચીન ગુજરાતી સાહિત્યના વિદ્વદજનોએ પાડેલા ખંડો પ્રમાણે સુધારક યુગથી ગાંધીયુગ સુધી એમનું આયુષ્ય વિસ્તર્યું. એમના જીવતરના ત્રણ આશ્રમોની પૂર્ણાહુતિની ક્ષણે એમણે સાહિત્ય અને સમાજને આપેલા હિસાબ પર નજર નાખીએ તો એમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરા અને રાજકોટમાં; ૧૮૮૯માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૮૯૨માં એમ.એ.; ૧૮૯૫થી ૧૯૧૯ સુધી અમદાવાદની ગુજરાત કૉલેજમાં સંસ્કૃત, અંગ્રેજી, પાશ્ચાત્ય તથા ભારતીય ન્યાયશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનનું અધ્યાપન. કુલ ૨૪ વર્ષનું અપ્રમાદ અધ્યયન-અધ્યાપનનું એમનું આ સ્વાધ્યાય તપ.
ઈ.સ. ૧૮૬૯થી ૧૯૪૨ એ આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવનો કાલાવધિ. અર્વાચીન ગુજરાતી સાહિત્યના વિદ્વદજનોએ પાડેલા ખંડો પ્રમાણે સુધારક યુગથી ગાંધીયુગ સુધી એમનું આયુષ્ય વિસ્તર્યું. એમના જીવતરના ત્રણ આશ્રમોની પૂર્ણાહુતિની ક્ષણે એમણે સાહિત્ય અને સમાજને આપેલા હિસાબ પર નજર નાખીએ તો એમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરા અને રાજકોટમાં; ૧૮૮૯માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૮૯૨માં એમ.એ.; ૧૮૯૫થી ૧૯૧૯ સુધી અમદાવાદની ગુજરાત કૉલેજમાં સંસ્કૃત, અંગ્રેજી, પાશ્ચાત્ય તથા ભારતીય ન્યાયશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનનું અધ્યાપન. કુલ ૨૪ વર્ષનું અપ્રમાદ અધ્યયન-અધ્યાપનનું એમનું આ સ્વાધ્યાય તપ.
Line 83: Line 78:
પછીથી વિવેચનક્ષેત્રમાં નવલરામનું સ્થાન રમણભાઈએ લીધું એમ જણાવીને રમણભાઈની ઉચિત કદર કરતાં આ વિધાનો આનંદશંકર પાસેથી સાંપડયાં : “નવલરામ કરતાં રમણભાઈની વિદ્વતા ઘણી વધારે તેથી એમનાં વિવેચન વધારે ઊંડાં, વિશાળ અને ઉદાહરણથી સંપન્ન. ભાષાની સંસ્કૃતિ પણ વધારે ઊંચી.” રમણભાઈની 'ભદ્રંભદ્ર'ની આચાર્યને વરતાયેલી ઊણપોને તાર સ્વરે વ્યક્ત કરનાર આનંદશંકરે જ્યાં તેમનું ગૌરવ કરવાનું છે ત્યાં જે રીતે કર્યું તેમાં એમનાં વિવેચનની સમતા, પારદર્શિતા અને ઔચિત્યનાં દર્શન થાય. ભદ્રંભદ્રની કદર થઈ એના મૂળમાં આનંદશંકરે 'શિષ્ટતાની કદર ન કરનારો વર્ગ 'ભદ્રંભદ્ર'ને જ ઊંચું પદ આપશે' કહીને પ્રજામાનસની રૂચિનોય પરિચય આપી દીધો છે.
પછીથી વિવેચનક્ષેત્રમાં નવલરામનું સ્થાન રમણભાઈએ લીધું એમ જણાવીને રમણભાઈની ઉચિત કદર કરતાં આ વિધાનો આનંદશંકર પાસેથી સાંપડયાં : “નવલરામ કરતાં રમણભાઈની વિદ્વતા ઘણી વધારે તેથી એમનાં વિવેચન વધારે ઊંડાં, વિશાળ અને ઉદાહરણથી સંપન્ન. ભાષાની સંસ્કૃતિ પણ વધારે ઊંચી.” રમણભાઈની 'ભદ્રંભદ્ર'ની આચાર્યને વરતાયેલી ઊણપોને તાર સ્વરે વ્યક્ત કરનાર આનંદશંકરે જ્યાં તેમનું ગૌરવ કરવાનું છે ત્યાં જે રીતે કર્યું તેમાં એમનાં વિવેચનની સમતા, પારદર્શિતા અને ઔચિત્યનાં દર્શન થાય. ભદ્રંભદ્રની કદર થઈ એના મૂળમાં આનંદશંકરે 'શિષ્ટતાની કદર ન કરનારો વર્ગ 'ભદ્રંભદ્ર'ને જ ઊંચું પદ આપશે' કહીને પ્રજામાનસની રૂચિનોય પરિચય આપી દીધો છે.
પોતાના સમકાલીન સર્જકોને એક પીંછીથી ચિરંજીવ મૂલ્ય આપી શકતા આનંદશંકરની ક્ષમતા કેવી તો વ્યક્ત થાય છે તે નીચેનાં દૃષ્ટાંતોથી સ્પષ્ટ થશે :
પોતાના સમકાલીન સર્જકોને એક પીંછીથી ચિરંજીવ મૂલ્ય આપી શકતા આનંદશંકરની ક્ષમતા કેવી તો વ્યક્ત થાય છે તે નીચેનાં દૃષ્ટાંતોથી સ્પષ્ટ થશે :
* "'વસંતવિજય', 'સાગર ને શશી' વગેરે કાન્તનાં કાવ્યો સુરેખ સૌંદર્યના કટકા છે."
{{Poem2Close}}
* "‘વસંતવિજય’, 'સાગર ને શશી' વગેરે કાન્તનાં કાવ્યો સુરેખ સૌંદર્યના કટકા છે."
* "બળવંતરાય જેવી અનેક પ્રદેશસંચારી બુદ્ધિ નરસિંહરાવ અને રમણભાઈને બાદ કરતાં કોઈની જ નથી."
* "બળવંતરાય જેવી અનેક પ્રદેશસંચારી બુદ્ધિ નરસિંહરાવ અને રમણભાઈને બાદ કરતાં કોઈની જ નથી."
* "કલાપીની ભાષામાં વિદ્યાનો સંસ્કાર નથી, પણ સાચી, સીધી અને સાદી વાણીનો સાદ મન કરે છે."
* "કલાપીની ભાષામાં વિદ્યાનો સંસ્કાર નથી, પણ સાચી, સીધી અને સાદી વાણીનો સાદ મન કરે છે."
Line 89: Line 85:
* “ન્હાનાલાલની કવિતા 'તેજ ઘડ્યાં મુજ અંગ' એમ જગતને કહી શકે છે, પણ એમાં પાર્થિવ અંશની જેટલી ખોટ છે તેટલી એમની મનુષ્યજીવનની વિદુરતા છે. એમના કવિ હૃદયમાં દૈવી તેજ પુષ્કળ છે, મનુષ્ય હૃદયનો જુસ્સો થોડો છે, જો કે ભાવનાલક્ષી અમાપ છે, એ જ એમની કવિતાનાં ગુણ અને ખામી.”
* “ન્હાનાલાલની કવિતા 'તેજ ઘડ્યાં મુજ અંગ' એમ જગતને કહી શકે છે, પણ એમાં પાર્થિવ અંશની જેટલી ખોટ છે તેટલી એમની મનુષ્યજીવનની વિદુરતા છે. એમના કવિ હૃદયમાં દૈવી તેજ પુષ્કળ છે, મનુષ્ય હૃદયનો જુસ્સો થોડો છે, જો કે ભાવનાલક્ષી અમાપ છે, એ જ એમની કવિતાનાં ગુણ અને ખામી.”
* "પણ આ યુગના સાહિત્યના નભોમંડળમાં ચમકતા તેજ:પટ પેઠે વિસ્તરી રહેનાર, અને પોતાના પ્રભાવથી અન્ય સર્વ જયોતિર્ગણને દાબી દેનાર વર્તમાન સાહિત્યજયોતિ તે કનૈયાલાલ મુનશી.”
* "પણ આ યુગના સાહિત્યના નભોમંડળમાં ચમકતા તેજ:પટ પેઠે વિસ્તરી રહેનાર, અને પોતાના પ્રભાવથી અન્ય સર્વ જયોતિર્ગણને દાબી દેનાર વર્તમાન સાહિત્યજયોતિ તે કનૈયાલાલ મુનશી.”
{{Poem2Open}}
“ગાંધીજી કવિ નથી, વિદ્વાન નથી, ગ્રંથકાર નથી, એક સાદા પત્રકાર છે. પણ પત્રકાર તરીકે એમણે ગુજરાતી ભાષામાં સાદી, સીધી અને સચોટ છતાં તળપદી નહીં, કિન્તુ આત્મસંસ્કારની સાદી શોભા ધરાવતી એવી, કોઈક અવર્ણનીય શૈલી દાખલ કરી છે, જે વિદ્વાન-અવિદ્વાન સર્વને સારી રીતે મુગ્ધ કરી શકે છે."
“ગાંધીજી કવિ નથી, વિદ્વાન નથી, ગ્રંથકાર નથી, એક સાદા પત્રકાર છે. પણ પત્રકાર તરીકે એમણે ગુજરાતી ભાષામાં સાદી, સીધી અને સચોટ છતાં તળપદી નહીં, કિન્તુ આત્મસંસ્કારની સાદી શોભા ધરાવતી એવી, કોઈક અવર્ણનીય શૈલી દાખલ કરી છે, જે વિદ્વાન-અવિદ્વાન સર્વને સારી રીતે મુગ્ધ કરી શકે છે."
આ સમગ્ર દિગ્દર્શનમાં આનંદશંકરે મોટામાં મોટી અને નાનામાં નાની ગણાયેલી પ્રતિભાઓને ઉચિત સ્થાન આપ્યું છે. એના પરિણામે શ્રોતાઓ માટે શું પરિણામ હોઈ શકે તેય કહી નાખ્યું છે : “આ અવલોકન-જે આપને કંટાળો આપે એટલું લાંબું છે અને વ્યક્તિઓને અન્યાય કરે એટલું ટૂંકું છે.”
આ સમગ્ર દિગ્દર્શનમાં આનંદશંકરે મોટામાં મોટી અને નાનામાં નાની ગણાયેલી પ્રતિભાઓને ઉચિત સ્થાન આપ્યું છે. એના પરિણામે શ્રોતાઓ માટે શું પરિણામ હોઈ શકે તેય કહી નાખ્યું છે : “આ અવલોકન-જે આપને કંટાળો આપે એટલું લાંબું છે અને વ્યક્તિઓને અન્યાય કરે એટલું ટૂંકું છે.”