ગુજરાતી બાળવાર્તા સંપદા/કોડિયામાં કોણી: Difference between revisions
(+1) |
(ફૂટરમાં અનુક્રમણિકા પ્રમાણે ક્રમ બદલ્યો) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| કોડિયામાં કોણી| હરીશ નાયક}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 30: | Line 27: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = એક હજાર પારસમણિ | ||
|next = જોડણી પ્રસાદની જે ! | |next = જોડણી પ્રસાદની જે ! | ||
}} | }} | ||
Latest revision as of 05:04, 9 November 2025
હરીશ નાયક
રાજકુમારીએ પ્રતિજ્ઞા કરી હતી, જે મને મનગમતું કોડિયું લાવી આપે તેની સાથે પરણું. મોટું રાજ્ય હતું. રાજકુમારી સોહામણી અને રૂપાળી હતી. એવી રાજકુમારીને કોણ પરણવા તૈયાર ન થાય ? દિવસ નક્કી થતાં હાથમાં કોડિયા સાથે નવજુવાનોની તો મોટી લાઇન લાગી ગઈ. કોઈ રાજકુમાર હતા, કોઈ નગરપતિ, કોઈ શેઠ સોદાગર, કોઈ રણયોદ્ધા, કોઈ સાહસવીર, કોઈ વહાણવટી. રાજકુમારીને પરણવા બધા જ આવ્યા હતા. બધા પાસે જાતજાતનાં અને ચિત્ર-વિચિત્ર કોડિયાં હતાં. નાનાં, મોટાં, સોનાનાં, ચાંદીનાં, હીરાઓથી ઝળહળતાં, અવનવી કોતરણીવાળાં. અરે ! કોડિયાંઓ તો એક એકથી ચડે તેવાં. એક જુઓ ને બીજું ભૂલો, જેટલા જુવાનો એટલાં કોડિયાં, જેટલાં કોડિયાં એટલી ભાત. રાજકુમારીને કોડિયાં બતાવતી, નવયુવાનોની કોડભરી એ લાઇન આગળ વધતી હતી. ત્યાં જ એક પરદેશી યુવક આવ્યો. પૂછવા લાગ્યો : શેની છે આ લાઇન ? ‘રાજકુમારીના મુરતિયાઓની.’ ‘શી શરત છે ?’ ‘રાજકુમારીને જેનું કોડિયું ગમે તેને રાજકુમારી સ્વીકારે.’ એ પરદેશી લાઇનમાં ઊભો રહ્યો. બીજા યુવકો કહે : ‘પણ તમારી પાસે કોડિયું ક્યાં છે ?’ પરદેશી કહે : ‘કોડિયું જોયું જશે. કોડિયાની જરૂર તો રાજકુમારી પાસે પહોંચીશું ત્યારે પડશે ને ? અત્યારથી જ હાથમાં કોડિયું ધરીને ઊભા રહેવાનો શો અર્થ છે ?’ અને ક્રમ પ્રમાણે એ પરદેશીનો નંબર પણ લાગ્યો, રાજકુમારીને અત્યાર સુધીમાં કોઈનુંય કોડિયું ગમ્યું ન હતું. પરદેશી નજીક આવ્યો તો પૂછ્યું : ‘તમારું કોડિયું ?’ પરદેશીએ આજુબાજુ નજર નાંખી. થોડીક ભીની માટી હતી તે હાથમાં લીધી અને બીજા હાથની કોણી મારી એ માટીનું કોડિયું તૈયાર કરી દીધું. એ કોડિયું જોતાં જ રાજકુમારી હસી. તેણે તરત વરમાળા એ પરદેશીને પહેરાવી દીધી. બીજા નવયુવાનો તો આ જોઈને તાજ્જુબ પામી ગયા. તેમણે પૂછ્યું, ‘રાજકુમારી...! આ શું ? અમારાં સોના, ચાંદી, તાંબા તથા પિત્તળનાં અને ઝગારા મારતાં કિંમતી કોડિયાંને બદલે તમે આ માટીનું કોડિયું કેમ પસંદ કર્યું ?’ રાજકુમારી કહે, ‘કોડિયાનો આશય પ્રકાશ આપવાનો છે - એ પછી માટીનું હોય કે સોનાચાંદીનું. એ કોઈ અગત્યની વાત ન થઈ અને જ્યારે ઝટપટ પ્રકાશ જ જોઈતો હોય ત્યારે તમે સોનાચાંદીનાં કોડિયાં શોધવા ક્યાં જશો ? આ તો માનવીની વિચક્ષણતા અને દીર્ઘદૃષ્ટિની પરીક્ષા હતી. કોઈ જાતના સાધન વગર પણ પરદેશીએ જોતજોતામાં કોડિયું ઊભું કરી દીધું છે. એટલે મેં એને જ મારા જીવનસાથી તરીકે પસંદ કર્યો છે. પરદેશીની બુદ્ધિચાતુરી પ્રતિ સહુ કોઈ પ્રશંસાની નજરે જોવા લાગ્યા.