|
Tags: Blanking Manual revert |
| (One intermediate revision by the same user not shown) |
| Line 1: |
Line 1: |
| {{SetTitle}}
| |
|
| |
|
| {{Heading| ઉપાધ્યાય યશોવિજયજીની સાહિત્યકળા - કેટલાક મુદ્દા | }}
| |
|
| |
| {{Poem2Open}}
| |
| ઉપાધ્યાય યશોવિજયજી મધ્યકાલીન સાહિત્યાકાશના એક અત્યંત તેજસ્વી તારક છે. જ્ઞાનપ્રૌઢિમાં તો એ અજોડ છે. નવ્યન્યાયના
| |
| આ આચાર્ય ષડ્દર્શનવેત્તા હતા અને કાવ્યશાસ્ત્ર, વ્યાકરણ આદિ અનેક વિદ્યાઓમાં એમની અનવરુદ્ધ ગતિ હતી. આ વિષયોમાં એમણે
| |
| સંસ્કૃત-પ્રાકૃતમાં અનેક ગ્રંથોની રચના કરી છે. એમનું ગુજરાતી (અને થોડુંક હિંદી) સાહિત્યસર્જન પણ સારા પ્રમાણમાં છે, એમાં રાસ, સંવાદ,
| |
| સ્તવનસજ્ઝાયાદિ પ્રકારો આવરી લેવાયા છે અને સાંપ્રદાયિક તત્ત્વ-પરામર્શની સાથે સાહિત્યકળાની ઉચ્ચતા જોવા મળે છે. એમણે પોતે નોંધ્યું
| |
| છે કે ગંગાકાંઠે 'એં' એ બીજાક્ષરના જાપથી સરસ્વતી એમના પર તુષ્ટમાન થયાં હતાં અને એમણે એમને તર્ક અને કાવ્યનું વરદાન આપ્યું હતું.
| |
| એમનું સાહિત્ય જાણે આ હકીકતની સાખ પૂરે છે. એમાં તર્ક એટલે વિચારશક્તિ - બૌદ્ધિકતા અને કાવ્ય એટલે સાહિત્યકળા - રસ-સૌન્દર્યનો
| |
| મેળ જોવા મળે છે. 'જંબૂસ્વામી રાસ'માં એમણે કહ્યું છે –
| |
| {{Poem2Close}}
| |
| {{Block center|<poem>તર્ક વિષમ પણ કવિનું વયણ સાહિત્યે સુકુમાર,
| |
| અરિગજગંજન પણ દયિત નારી મૃદુ ઉપચાર.</poem>}}
| |
| {{Poem2Open}}
| |
| (કવિનું વચન તર્ક ને કારણે વિષમ, પણ સાહિત્યગુણે કરીને સુકુમાર હોય છે, જેમ શત્રુરૂપી હાથીઓને પરાભવ પમાડનાર પ્રિયતમ
| |
| નારી પ્રત્યે મૃદુ વ્યવહારવાળો હોય છે.)
| |
| તે રીતે યશોવિજયજીનું સાહિત્યસર્જન પણ તર્ક વિષમ પણ કાવ્યરસમધુર છે. અહીં ગુજરાતી-હિંદી કૃતિઓને સંદર્ભે એમની
| |
| સાહિત્યકળાની કેટલીક લાક્ષણિકતાઓની સંક્ષિપ્ત નોંધ લેવાનો ઉપક્રમ છે.
| |
| {{Poem2Close}}
| |