અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/ભાવસ્થિતિની ગતિ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(+1)
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|જિજીવિષાનો તંતુ – રાધેશ્યામ શર્મા|સુરેશ હ. જોષી}}
{{Heading|ભાવસ્થિતિની ગતિ|જગદીશ જોષી|}}


{{center|એક કવિતા}}
{{center|'''કાવ્ય ૪૫'''<br>'''ઉશનસ્'''<br>'''મન માને, તબ આજ્યો'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એકદંત રાક્ષસનાં ખુલ્લાં જડબાં જેવું ઘર
એમ કહે છે કે દેશી આંબાનો ગાડાંઉતાર ફાલ તો દર ત્રણ વર્ષે જ આવે… ઉશનસ્‌ના ‘વ્યાકુલ વૈષ્ણવ’ (ગીતમાલા)ને સુન્દરમ્ પ્રસ્તાવના માટે ચાર ચાર વર્ષ સુધી પોતાની પાસે રાખે; અને કાવ્ય વૈષ્ણવ ‘વ્યાકુલ થયા વિના’ બેસી પણ રહે. આ દીર્ઘ કાલ દરમિયાન ઉશનસ્‌ની કવિતાની સુવર્ણચંદ્રકોની નવાજેશથી પ્રતિષ્ઠા થાય છે તે એક આગંતુક પ્રશ્ન બની રહે છે. ઉશનસ્ પણ એ જ પ્રેમાળતાથી કહે છે કે ‘ધીરજનાં રૂડાં જ ફળ આવ્યાં.’ આ બધું સાચું: ‘બીજાં કામોના ઘેરાવામાં’ પ્રીતિ-કુલ-કવિ ગુમ થઈ જાય એ પણ સાચું. છતાં… ફળ રૂડાં આવે અને તોય ફૂટેલી કંઈક મંજરીઓ અણ-કોળી ખરી જાય એમ પણ બને! એ તો આપણું અને આપણી કવિતાનું સદ્ભાગ્ય જ છે કે ઉશનસ્‌નું લખાણ માતબર અને ‘થોકબંધ’ છે અને સુન્દરમ્‌માં કવિની કવિતાને પામવા માટે ‘સહૃદયતા અને સમભાવ’ પણ છે. ઉમાશંકરે તો પોતે પોતાનાં જ પ્રૂફ તપાસી જવાની સમયની મોકળાશના અભાવે વર્ષો સુધી રોકી રાખેલાં એવું પણ ક્યાંક સાંભળ્યું છે. આ આડવાતો છે. પણ આ સંદર્ભમાં કરી લેવા જેવી પણ લાગે છે.


મગરની બરછટ ત્વચા શી સિમેન્ટની દીવાલો ધરાવતું ઘર, એકંદર રાક્ષસનાં ખુલ્લા જડબાં જેવું વર્ણવાયું છે. આ ઘર કોનું? કદાચ પોતાનું અથવા બધાનું પણ હોઈ શકે.
‘નરી ગદ્યાળુતાવાળી’ કૃતિઓનો ક્યારેક ભાસ આપતું ઉશનસ્‌નું સર્જન-વૈપુલ્ય ભારાની ગાંઠે બાંધી દેવા જેવું નથી. અહીં ‘આંખોમાં પાણી’વાળી સાચી ‘અરજી’ પણ છે જ. જે ‘સંવેદન ઝીલતા ચિત્તની નીરવતામાં સુણવાની’ પણ છે. ‘દર્દ, મને તું લઈ જાશે કે એ નિર્દયને દ્વારે?’ જેવી પંક્તિઓની ડૂમો ભરેલી આર્દ્રતા પણ આ કૃતિઓની ‘નિવેદનાત્મક રીતિ’ને ‘કવિની ઠેક… ભારઝલ્લાપણાને’ ‘સાર્થક’ કરી દે છે.


ઘરનું સ્થાપત્ય આધુનિક પ્રકારનું છે, અને કાવ્યનાયકનું ચિત્ત અતીતના આદિમ અંશોથી યુક્ત છે. પદાર્થો અને કાવ્ય-પુરુષ વચ્ચે જે પરિસ્પંદો અને પ્રતિભાવોના તણખા ઝરે છે એની અવ્યવહિત કલ્પનાત્મક અભિવ્યક્તિ કૃતિને કળાની કોટિએ મૂકી આપે છે. ગુહાગહ્વર માની, ભાગવતના શ્રીકૃષ્ણ ગોપસખા સમેત એક અજગરના મુખમાં પેસી ગયેલા, આપણે કવિતાની ‘પદ’ – અંગુલિએ કાવ્યનાયક સાથે એ વિભીષણ-વિસ્મયની સૃષ્ટિમાં વિચરીએ.
‘સાચો પ્રેમ’ ‘હું તને ચાહું છું’ એમ એકોક્તિનું પુનઃ પુનઃ ઉચ્ચારણ કરતાં અનાદિકાળથી થાક્યો નથી. ‘તુજને હું ચાહું’ એ કહેવાનો મારો ‘આનંદ’ કોઈ પણ કવિહૃદયની અમોઘ સમૃદ્ધિ છે. આની આ જ વાત ‘અદલાવી બદલાવીને’ કહેવા માટે ‘શત છંદ’ની ધારાઓ વહે છે. કહ્યું જ છે ને કે ‘અંતે તો એક જ કાવ્ય લખવાનું હોય છે!’


ઘરમાં હીંચકો છે, પછી તુરત લીટી આવે છે: ‘ચીંચવાતો કચવાતો ડાકણ ડચકારો.’ આ પદયોજનામાં, હીંચકાના અનુસંધાનમાં આવતાં બે ક્રિયાપદો અને ડાકણ–ડચકારોનો એક સમાસ હીંચકા ઉપર સ્થાન લેનારાં પાત્રો અને તેમની પરિસ્થિતિ ઉપર પ્રકાશ પાડે છે. ફરિયાદ અને અતુષ્ટિના અવાજ જોડે કવિએ લીલયા ડાકણના ડચકારાનો સમાવેશ કરી લઈ સૂચવી દીધું છે, ‘ઝૂલે એના પર હવાનું પ્રેત!’ પ્રેતનું સ્વરૂપ જ પવનનું હોય છે ત્યાં હવાનું પ્રત’ કહી એક દૃષ્ટિએ વાતાવરણમાંની વિભીષણતાને ધારે કાઢી આપી છે તો બીજી રીતે હવાને પ્રેતરૂપ અર્પી ત્યાં શૂન્યતા (nothingness) ઝૂલે છે એમ દર્શાવાયું છે.
સાચી પ્રીતિનો સ્વભાવ બંધાવાનો હોય તોપણ આક્રમકતાથી બાંધવાનો તો નથી . શ્રી મકરન્દ દવેના એક ગીતનો ઉપાડ યાદ આવે છે: ‘માધવ વળતા આજ્યો હો એક વાર તો ખબર અમારી લેતા જાજ્યો હો.’ કાચી પ્રીત કદાચ બાંધી દેવા મથે: પણ સાચી પ્રીત તો પ્રેમીને અને સામી વ્યક્તિને – એટલે કે ખુદ પ્રીતને – મુક્ત કરે! ટાગોર પણ કહે છે ને ‘રોક્યું કોણ અહીં રોકાશે?’ કોઈને રોકવા નહીં; માત્ર એટલું જ કહેવું કે જવા દેવાની ‘ઇચ્છા’ નથી… આથી વિશેષ બીજું કહી પણ શું શકાય? અને કોને? કેવળ મનોમન લાગણીની તો આ ‘લાવણી’ છે: લણણી હોય કે ન પણ હોય! વિરહ ક્યારેક પ્રેમ કરતાં પણ બલવત્તર હોઈ શકે: ‘વિરહાને નહીં થાક’ … મિલન થકવી દે! ‘વ્હેલેરા પધારજો’માંનું ‘વેદનાનું વરદાન’ અનેક વૈષ્ણવજન કવિઓને સદીઓથી વ્યાકુળ કરતું આવ્યું છે. ઉમાશંકર કહે છે: ‘સાન્નિધ્યમાં સ્નેહ શોષાઈ જાય છે.’ એટલે જ કદાચ સુન્દરમ્ આ પુસ્તકને ‘ગુજરાતની ગીતાંજલિ’ કહે છે.


દીવાનખાનાની ભીંત પર અન્યત્ર તેમ અહીં પણ ફોટા છે અને હોય, પરંતુ ફોટાને ‘પીળા પડી ગયેલા ભૂતકાળનાં ચાઠાં’ વર્ણવી પાંડુર બનેલા વ્યતીતની રુગ્ણતાને ઉપસાવી છે. નાયકનું આત્મારોપણ, આત્મવિસ્તારની કક્ષાએ પહોંચ્યું હોય એમ શક્ય છે.
અહીં કવિ પેલા ‘માધા’ – માધો – માધવને મનની મોકળાશથી કહે છે કે તમારું ‘મન માને, તબ આજ્યો…’ તમને રોકવાની આ ‘ઘડી’ નથી. અને રોક્યું કોઈ રોકાયું છે – આ જગતનું કે આંતરજગતનું કોઈ પણ પ્રિયજન? જવું જ છે ને? તો લ્યો, આ દરવાજા પણ ખુલ્લા મૂકી દીધા… રાધાથી પણ ન રોકાયા: તો મારો તો કયો હિસાબ? એ દરમિયાન અમે ‘અવકાશે’ (બન્ને અર્થમાં) ટીંગાઈ રહેશું. તમે ત્યારે ‘મનભાવન ઘર જાજ્યો રે.


પછી આવે શયનગૃહ. તરત પલંગની કે શય્યાની વાત આવશે એમ ધારી લઈએ તો ખોટા પડીએ. પણ બારી (Hole)ની વાત આવે છે તે સૂચક નથી? ‘હવાનું પ્રેત’માં જે આત્મવિરોધ પ્રગટ થયો છે તેના જેવો બારીને ‘અંધ’ કહેવાથી પેદા થાય છે. બારણાં એનાં કદાચ બંધ હશે તેથી ‘અંધ’ કહી હશે, પણ ના ‘અંધ’ સાથે ‘ખંધી’ પણ કહી છે. ‘અંધ’ વડે there is no way our સૂચવાય છે તો ‘ખંધી’ વિશેષણથી ભક્ષ્યને ઉદરમાં ઉતારી હડપ કરી બેઠેલા કોઈ લુચ્ચા રાક્ષસ કે પશુની બંધ આંખો પણ સૂચવાય! પરંતુ, પછી બારી ‘ગુહ્ય આદિમ સ્વપ્ન’ જોતી નાયક કલ્પે છે ત્યારે અને પછીની
તને જ તારી કહાણી કહેવા માટે, મારી મનોવ્યથા કહેવા માટે, હવે પત્રના લિફાફા નહીં લખીએ. નહીં લખીએ કે નહીં ‘લખલખીએ’ – વલખીએ. ‘તેડું’ મોકલવાનું પણ નહીં કહીએ. (અને, લખો તોય કોણ વાંચે છે?!) આત્મવિલાપન માટે પ્રેમી હૃદયની આ તૈયારી હોય છે. સાચી વ્યક્તિ ઈશ્વર જેટલી બહેરી હોય તોપણ! અને આ તો પેલો જમાનાને ગળી ગયેલો માધો છે! (ઈશ્વર પણ બહેરો હશે? ‘જોગીજોગેશ્વરા ‘કોક’ જાણે!પરંતુ તારા પ્રત્યેનો પ્રેમ – આ નેહડો – અધિકારપૂર્વક એટલું તો ‘જાચે’ છે કે ‘કોઈ દન’ પાછા વળજો આ રસ્તે થઈને … અને આવો ત્યારે બે ઘડી રોકાઈ શકાય રીતે આવજો… સંબંધ તો જ નભે જો ‘મન માને’! તમે જે પગલાં મૂકી ગયા છો ગોકુળની કે આ હૈયાની – તેની ધૂળ હજીયે ‘ધડકે’ છે. અને આ ધડકન છે. આ વિરહની વ્યાકુળતા છે, ત્યાં સુધી જ જીવન ‘હરઘડી’ છે. પછી હૃદયની જ ‘ઘડી’ બંધ પડી જાય પછી તો શું…? હરેક ટહુકો ‘તાજું દરદ’ થઈને આવે છે!
{{Poem2Close}}
{{Block center|'''<poem>એની પાસેથી ચાલી જાય છે
વીજળીના તારની સીધી નૈતિક રેખાઓ</poem>'''}}
{{Poem2Open}}
પંક્તિઓ નાયકની અવચેતનામાં પડેલા યોનિપ્રતીકનું સૂચન કરે છે. અંધ, ખંધી બારીઓ કેવું સ્વપ્ન જુએ છે? ગુહ્ય, આદિમ સભ્યતા અને સંસ્કૃતિનો વિકાસ આદિમ ભાવોને ગુહ્યાંગ જેટલા ગુપ્ત રાખવા પ્રેરે છે છતાં એ અવશપણે, અજ્ઞાત રીતે પ્રવર્તે ત્યારે વ્યક્તિચિત્ત અપરાધના ઓથાર (guilt–ridden) હેઠળ ‘સીધી નૈતિક રેખાઓ’ શોધી કાઢે તે અસ્વાભાવિક નથી. આ રેખાએ, કેમ કે ‘સીધી’ (Linear) શબ્દ વીજળીના તારની તરત પછી આવતાં નૈતિકતાનો વિદ્યુત સંચાર આપણેય જરી અનુભવીને રહી જઈએ છીએ!


વીજળીના તાર બાદ, પાસે કાલવ્યુત્ક્રમ સમો ઘીનો દીવો, અને બેચાર દેવનો સરવાળો ગોખલામાં નિર્દેશી આછો વ્યંગ સ્ફુટ થવા દીધો છે. ધર્મના આશ્ચર્યચિહ્ન સમાન ઘીનો દીવો દેવના સરવાળા સમક્ષ લબૂકઝબૂક થતો હશે!
બાકી શું ઈશ્વર માટે, શું વ્યક્તિ માટે, પ્રણયની ભૂખ હોય તોપણ પ્રણયની ભીખ ન હોય. આરજૂ હોય, પણ ત્રાગું ન હોય! એટલે કદાચ કવિ પ્રેમઝંખનાને અન્ય કાવ્યમાં ‘તનમિટ્ટીથી સૌરભના અનસંબંધ’ વીંટી લે છે.


દીવાની જ્યોત, જો સ્થિર વાટે જલતી હોય તો આશ્ચર્યચિહ્ન સમી યા પ્રશ્નાર્થચિહ્ન સરખી વરતાય ખરી, પણ એ એક આકર્ષક તરંગથી વિશેષ નથી જણાતી. છતાં, અનુગામી પંક્તિ – ‘ડાલડાના ડબ્બામાં ઉછેરેલાં તુલસી’ના કારણે એ સાભિપ્રાય લાગે. ઉપર ઘીનો દીવો કેવા ઘીનો હશે? ડાલડાના ઘીનો પણ હોઈ શકે! એવા બે ડબ્બામાં વિષ્ણુપ્રિયા તુલસીનો છોડ ઊછરતો હોય ત્યાં દીવો ધર્મનું આશ્ચર્યચિહ્ન ના બને તો આશ્ચર્ય.
કવિ ઉશનસ્ અન્યત્ર ‘આપણે શાનાં અળગાં, થોડા જનમ તણી જુદાઈ’ કહીને પ્રીતિની ‘શગ સંકોરી’ લે છે. ‘આ ગીત નથી, પણ ‘ગીતિ’ છે, એ છંદથી ભિન્ન એવું માત્રાબદ્ધ તાલલયપ્રધાન પદ્યરૂપ છે’ એમ કહી સુન્દરમ્ આને ગીતનું એક ‘વિશિષ્ટ સ્વરૂપ’ કહે છે. અહીં કોઈને ટાગોરની ‘ઊંડી આધ્યાત્મિક ગતિ’ને બદલે ‘એક ભાવસ્થિતિ’ દેખાય પરંતુ ઉશનસ્‌નું કાવ્યજગત એની કલ્પનાનાં ઉડ્ડયનોમાં માણવા જેવું છે. સર્જનની વિપુલતામાં પણ ઉશનસ્‌ની કલમની ગતિ પેલા રુદિયાગત સૂર તરફ વળતી જાય છે તે જોઈ મેઘાણીના પેલા પ્રસિદ્ધ પત્રમાંની ઉક્તિની યાદ અપાવે છે: ‘હું રસ્તો નહીં ભૂલું. એના સાદને હું ઓળખું છું.’ ‘સેકલ નીરે પ્હાની બોળીને’ બેઠેલી ઉશનસ્‌ની કવિતાને ‘નીરવતમ ચાખડીઓ’નું પગેરું મળી રહેશે જ!
 
અને, પછી આશ્ચર્યને અનુસરે છે આઘાતકારક તત્ત્વ. જે કાંઈ કાવ્યમય હતું, મધુર હતું તે કરણમાં પલટાય છે, શનૈઃ શનૈઃ!
{{Poem2Close}}
{{Block center|'''<poem>ખૂણાઓમાં શ્યામ સાથેના વિવાહના કોડભર્યા અંધકાર
ટ્રૅજેડીના નાયકની અદાથી કર્યા કરે છે આત્મસંલાપ</poem>'''}}
{{Poem2Open}}
અંધકાર કેવા? વિવાહના કોડભર્યા અને એય તુલસીના શ્યામ સાથેના. આ અંધકાર ‘આત્મપ્રલાપ’ કરે છે એમ કહેવાને બદલે ‘આત્મસંલાપ’ કરતા કહ્યા છે ખરા, પરંતુ આ આખીય ‘ટ્રૅજેડી’ના નાયકની અદાથી – એ નોંધપાત્ર છે.
 
અંધકારને ટ્રૅજેડીના નાયકનું સ્થાન સોંપીને, (ઘીના દીવાની ઉપસ્થિતિના વિરોધમાં) પરિસ્થિતિની વક્રતા વ્યંજિત થઈ શકી છે.
 
નર્કના નાટ્યમાં જ અંધકાર સંભવે, અન્ય અને ઇતર સાથે સંવાદ સંભવિત નથી તેથી આત્મસંલાપ આવશ્યક અને અનિવાર્ય. જેને ફરજિયાત કે મરજિયાત, પ્રસ્તુત કરણાન્તિકામાં મૂક અને મૂઢ સાક્ષી બની રહેવું પડતું હોય, કર્મો નિરર્થક થઈ જતાં જણાતાં હોય એવા મૂષકને કરણીય શું રહ્યું? ઉંદરે કહ્યા છતાં પોતાની અપંગતાથી અતિ સભાન એવા મનુષ્યની જ અહીં વીતકવાત છે, કેમ કે નહીંતર એ આપઘાત કરવાનું ગંભીરપણે ના વિચારત. બીજું કારણ પણ છે:
{{Poem2Close}}
{{Block center|'''<poem>જાળિયામાંથી દેખાતું મેલું મરિયલ આકાશ
કદીક એકાદ તારો
એની પછી જ હશે ને સ્વર્ગ?</poem>'''}}
{{Poem2Open}}
જાળિયામાંથી અર્થાત્ બીજા શબ્દોમાં આ મો….ટી જેલમાંથી દેખાતું આકાશ સ્વચ્છ, સુનીલ અને જીવંત લાગવાને બદલે મેલું અને મરિયલ (મર્ત્ય) ભળાય છે (મૂષક–સદૃશ્ય મનુષ્યે આત્મઘાત કરવો જ રહ્યો). કદીકમદીક એકાદો અટૂલો તારો (saviour) નજરે ચઢતાં મુક્તિ કે મોક્ષ વાંછતા જીવમાં એકાદ સવાલ સળવળે છે: એની પછી હશે ને સ્વર્ગ? પ્રશ્ન ઇચ્છાપૂર્તિનો એક આવિષ્કાર પણ હશે, કે વિડંબનારસિત વિનોદ હશે? મનુષ્યની રહસ્યપિપાસાનોય ક્યાં પાર પમાય એમ છે – ચાહે તે અંધકારમાં હો કે પ્રકાશમાં! જિજીવિષાનો તંતુ તો અહીં પણ જોનારને જડે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|(રચનાને રસ્તે)}}<br><br>
{{right|૪-૧૨-’૭૭<br>(એકાંતની સભા)}}<br><br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =ભોમિયા વિના
|previous =ભોમિયા વિના
|next = જિજીવિષાનો તંતુ
|next = જિજીવિષાનો તંતુ
}}
}}

Latest revision as of 02:07, 15 June 2025

ભાવસ્થિતિની ગતિ

જગદીશ જોષી

કાવ્ય ૪૫
ઉશનસ્
મન માને, તબ આજ્યો

એમ કહે છે કે દેશી આંબાનો ગાડાંઉતાર ફાલ તો દર ત્રણ વર્ષે જ આવે… ઉશનસ્‌ના ‘વ્યાકુલ વૈષ્ણવ’ (ગીતમાલા)ને સુન્દરમ્ પ્રસ્તાવના માટે ચાર ચાર વર્ષ સુધી પોતાની પાસે રાખે; અને આ કાવ્ય વૈષ્ણવ ‘વ્યાકુલ થયા વિના’ બેસી પણ રહે. આ દીર્ઘ કાલ દરમિયાન ઉશનસ્‌ની કવિતાની સુવર્ણચંદ્રકોની નવાજેશથી પ્રતિષ્ઠા થાય છે તે એક આગંતુક પ્રશ્ન બની રહે છે. ઉશનસ્ પણ એ જ પ્રેમાળતાથી કહે છે કે ‘ધીરજનાં રૂડાં જ ફળ આવ્યાં.’ આ બધું સાચું: ‘બીજાં કામોના ઘેરાવામાં’ પ્રીતિ-કુલ-કવિ ગુમ થઈ જાય એ પણ સાચું. છતાં… ફળ રૂડાં આવે અને તોય ફૂટેલી કંઈક મંજરીઓ અણ-કોળી ખરી જાય એમ પણ બને! એ તો આપણું અને આપણી કવિતાનું સદ્ભાગ્ય જ છે કે ઉશનસ્‌નું લખાણ માતબર અને ‘થોકબંધ’ છે અને સુન્દરમ્‌માં કવિની કવિતાને પામવા માટે ‘સહૃદયતા અને સમભાવ’ પણ છે. ઉમાશંકરે તો પોતે પોતાનાં જ પ્રૂફ તપાસી જવાની સમયની મોકળાશના અભાવે વર્ષો સુધી રોકી રાખેલાં એવું પણ ક્યાંક સાંભળ્યું છે. આ આડવાતો છે. પણ આ સંદર્ભમાં કરી લેવા જેવી પણ લાગે છે.

‘નરી ગદ્યાળુતાવાળી’ કૃતિઓનો ક્યારેક ભાસ આપતું ઉશનસ્‌નું સર્જન-વૈપુલ્ય ભારાની ગાંઠે બાંધી દેવા જેવું નથી. અહીં ‘આંખોમાં પાણી’વાળી સાચી ‘અરજી’ પણ છે જ. જે ‘સંવેદન ઝીલતા ચિત્તની નીરવતામાં સુણવાની’ પણ છે. ‘દર્દ, મને તું લઈ જાશે કે એ નિર્દયને દ્વારે?’ જેવી પંક્તિઓની ડૂમો ભરેલી આર્દ્રતા પણ આ કૃતિઓની ‘નિવેદનાત્મક રીતિ’ને ‘કવિની ઠેક… ભારઝલ્લાપણાને’ ‘સાર્થક’ કરી દે છે.

‘સાચો પ્રેમ’ ‘હું તને ચાહું છું’ એમ એકોક્તિનું પુનઃ પુનઃ ઉચ્ચારણ કરતાં અનાદિકાળથી થાક્યો નથી. ‘તુજને હું ચાહું’ એ કહેવાનો મારો ‘આનંદ’ કોઈ પણ કવિહૃદયની અમોઘ સમૃદ્ધિ છે. આની આ જ વાત ‘અદલાવી બદલાવીને’ કહેવા માટે ‘શત છંદ’ની ધારાઓ વહે છે. કહ્યું જ છે ને કે ‘અંતે તો એક જ કાવ્ય લખવાનું હોય છે!’

સાચી પ્રીતિનો સ્વભાવ બંધાવાનો હોય તોપણ આક્રમકતાથી બાંધવાનો તો નથી જ. શ્રી મકરન્દ દવેના એક ગીતનો ઉપાડ યાદ આવે છે: ‘માધવ વળતા આજ્યો હો એક વાર તો ખબર અમારી લેતા જાજ્યો હો.’ કાચી પ્રીત કદાચ બાંધી દેવા મથે: પણ સાચી પ્રીત તો પ્રેમીને અને સામી વ્યક્તિને – એટલે કે ખુદ પ્રીતને – મુક્ત કરે! ટાગોર પણ કહે છે ને ‘રોક્યું કોણ અહીં રોકાશે?’ કોઈને રોકવા નહીં; માત્ર એટલું જ કહેવું કે જવા દેવાની ‘ઇચ્છા’ નથી… આથી વિશેષ બીજું કહી પણ શું શકાય? અને કોને? કેવળ મનોમન લાગણીની તો આ ‘લાવણી’ છે: લણણી હોય કે ન પણ હોય! વિરહ ક્યારેક પ્રેમ કરતાં પણ બલવત્તર હોઈ શકે: ‘વિરહાને નહીં થાક’ … મિલન થકવી દે! ‘વ્હેલેરા પધારજો’માંનું ‘વેદનાનું વરદાન’ અનેક વૈષ્ણવજન કવિઓને સદીઓથી વ્યાકુળ કરતું આવ્યું છે. ઉમાશંકર કહે છે: ‘સાન્નિધ્યમાં સ્નેહ શોષાઈ જાય છે.’ એટલે જ કદાચ સુન્દરમ્ આ પુસ્તકને ‘ગુજરાતની ગીતાંજલિ’ કહે છે.

અહીં કવિ પેલા ‘માધા’ – માધો – માધવને મનની મોકળાશથી કહે છે કે તમારું ‘મન માને, તબ આજ્યો…’ તમને રોકવાની આ ‘ઘડી’ નથી. અને રોક્યું કોઈ રોકાયું છે – આ જગતનું કે આંતરજગતનું કોઈ પણ પ્રિયજન? જવું જ છે ને? તો લ્યો, આ દરવાજા પણ ખુલ્લા મૂકી દીધા… રાધાથી પણ ન રોકાયા: તો મારો તો કયો હિસાબ? એ દરમિયાન અમે ‘અવકાશે’ (બન્ને અર્થમાં) ટીંગાઈ રહેશું. તમે ત્યારે ‘મનભાવન ઘર જાજ્યો રે.’

તને જ તારી કહાણી કહેવા માટે, મારી મનોવ્યથા કહેવા માટે, હવે પત્રના લિફાફા નહીં લખીએ. નહીં લખીએ કે નહીં ‘લખલખીએ’ – વલખીએ. ‘તેડું’ મોકલવાનું પણ નહીં કહીએ. (અને, લખો તોય કોણ વાંચે છે?!) આત્મવિલાપન માટે પ્રેમી હૃદયની આ તૈયારી હોય છે. સાચી વ્યક્તિ ઈશ્વર જેટલી જ બહેરી હોય તોપણ! અને આ તો પેલો જમાનાને ગળી ગયેલો માધો છે! (ઈશ્વર પણ બહેરો હશે? ‘જોગીજોગેશ્વરા ‘કોક’ જાણે!’ પરંતુ તારા પ્રત્યેનો પ્રેમ – આ નેહડો – અધિકારપૂર્વક એટલું તો ‘જાચે’ છે કે ‘કોઈ દન’ પાછા વળજો આ રસ્તે થઈને … અને આવો ત્યારે બે ઘડી રોકાઈ શકાય એ રીતે આવજો… સંબંધ તો જ નભે જો ‘મન માને’! તમે જે પગલાં મૂકી ગયા છો – ગોકુળની કે આ હૈયાની – તેની ધૂળ હજીયે ‘ધડકે’ છે. અને આ ધડકન છે. આ વિરહની વ્યાકુળતા છે, ત્યાં સુધી જ જીવન ‘હરઘડી’ છે. પછી હૃદયની જ ‘ઘડી’ બંધ પડી જાય પછી તો શું…? હરેક ટહુકો ‘તાજું દરદ’ થઈને આવે છે!

બાકી શું ઈશ્વર માટે, શું વ્યક્તિ માટે, પ્રણયની ભૂખ હોય તોપણ પ્રણયની ભીખ ન હોય. આરજૂ હોય, પણ ત્રાગું ન હોય! એટલે જ કદાચ કવિ પ્રેમઝંખનાને અન્ય કાવ્યમાં ‘તનમિટ્ટીથી સૌરભના અનસંબંધ’ વીંટી લે છે.

કવિ ઉશનસ્ અન્યત્ર ‘આપણે શાનાં અળગાં, થોડા જનમ તણી જ જુદાઈ’ કહીને પ્રીતિની ‘શગ સંકોરી’ લે છે. ‘આ ગીત નથી, પણ ‘ગીતિ’ છે, એ છંદથી ભિન્ન એવું માત્રાબદ્ધ તાલલયપ્રધાન પદ્યરૂપ છે’ એમ કહી સુન્દરમ્ આને ગીતનું એક ‘વિશિષ્ટ સ્વરૂપ’ કહે છે. અહીં કોઈને ટાગોરની ‘ઊંડી આધ્યાત્મિક ગતિ’ને બદલે ‘એક ભાવસ્થિતિ’ દેખાય પરંતુ ઉશનસ્‌નું કાવ્યજગત એની કલ્પનાનાં ઉડ્ડયનોમાં માણવા જેવું છે. સર્જનની વિપુલતામાં પણ ઉશનસ્‌ની કલમની ગતિ પેલા રુદિયાગત સૂર તરફ વળતી જાય છે તે જોઈ મેઘાણીના પેલા પ્રસિદ્ધ પત્રમાંની ઉક્તિની યાદ અપાવે છે: ‘હું રસ્તો નહીં ભૂલું. એના સાદને હું ઓળખું છું.’ ‘સેકલ નીરે પ્હાની બોળીને’ બેઠેલી ઉશનસ્‌ની કવિતાને ‘નીરવતમ ચાખડીઓ’નું પગેરું મળી રહેશે જ!

૪-૧૨-’૭૭
(એકાંતની સભા)